________________
છે. અથડામણ થાય ને મતભેદ થાય તેના કારણો શોધી કાઢ્યા ને કારણો ટાળ્યા, તેથી જીવનમાં મતભેદ જ નહોતા રહ્યા.
સંસારમાં તો તમે કોઈની ખોડ કાઢો, તો એ પણ તમારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય. દાદાશ્રીએ એવું અનુભવ્યું. એક ફેરો હીરાબાની ભૂલ કાઢી તો બે-ત્રણ દહાડામાં હીરાબાએ દાદાની ભૂલ ખોળી કાઢી ત્યારે જ જંપ્યા. ત્યારથી દાદાશ્રીએ નક્કી કર્યું કે આમનું નામ ના લેવું. એટલે પહેલેથી ચેતી ગયેલા, તે સ્ત્રીને (વાઈફને) છંછેડવાના બારા જ બંધ કરી દીધેલા. આપણે એમની ભૂલ કાઢીએ તો એ પણ વખત આવે ત્યારે આપણી ભૂલ કાઢે. એટલે આમાં કોઈ સુખી ના થાય. પુરુષ પાસે શક્તિ છે, આને બંધ કરી દેવાની. તે દાદાશ્રી કહે છે કે અમે ત્રીસ-પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આવું તોફાન ચલાવ્યું. પણ પછી આ કોલ્ડ વૉર સમજી-વિચારીને બંધ કરી દીધું. ત્યાર પછી આ ‘જ્ઞાન’ પ્રગટ થયું.
સ્ત્રીઓની ભૂલ ના કાઢવી, નહીં તો અવશ્ય નોંધમાં રાખે અને ત્રીસ વર્ષ પછી તાજી કાઢે. જ્યારે પુરુષ ભોળા, કશી નોંધ ના રાખે, ભૂલી
જાય.
એટલે શા માટે આપણે વાઈફને દુઃખ થાય એવું કરીએ ? એ આપણને દુઃખ આપે તો જમે કરી લેવું અને આપણે એને દુઃખ ના આપવું. એટલો નોબિલિટી ગુણ પુરુષમાં હોવો જોઈએ.
પતિ-પત્નીના જીવનમાં શાંતિથી રહેવાય એવા કીમિયા દાદાશ્રીએ અનુભવીને જગતને આપ્યા છે. સંસાર એ રિલેટિવ સંબંધ છે. રિલેટિવ એટલે વાઈફ ચિઢાઈ હોય તો એ સંબંધ ફાડ ફાડ કરે, તો આપણે સાંધ સાંધ કરવું, તો સંબંધ ટકશે. એમને ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી પડેલી, ત્યાર પછી આ ‘જ્ઞાન' પ્રગટ થયું હતું.
[૭] પતિ-પત્ની બેઉના ડિવિઝન જુદા
જીવન વ્યવહારની બાબતોમાં પોતે ખૂબ જ વિચારશીલ હતા. પોતે મોટા પ્રોબ્લેમ ઊભા થાય તે પહેલા સોલ્યુશન લાવી નાખતા. તેઓ કહે છે, કે હું કમાઉ અને મેં કોઈને પૈસા આપ્યા હોય ને હીરાબા કહે, ‘તમે
32