________________
સમ્યગ જ્ઞાનની મહત્તા
૪ ૫ !
સમ્યગૂ-જ્ઞાનની મહત્તા
મોક્ષમાર્ગની આરાધનાની યથાર્થતા માટે અન્ય સવ સાધન કરતાં જ્ઞાનની મહત્તા વધુ છે, કારણ કે પ્રત્યેક પ્રવૃત્તિની સારમયતાનો આધારસ્તંભ જ્ઞાન છે. જ્ઞાન સાધ્યસાધનને યથાર્થ વિવેક કરાવી સાધક-બાધકના વિવેચનમાં સહકારી થઈ ચોગ્ય માર્ગે દોરી શકે છે, અન્યથા સાધનસામગ્રી-સંપન્ન દશામાં પણ યથાચિત જન કરવાના જ્ઞાનના અભાવે છતી–સામગ્રીએ ભૂખે મરવાની જેમ આત્મકલ્યાણસાધનાની યથાર્થતા સાધી જીવનને ઉજજવલ બનાવનાર પણ ઉત્તમ માનવભવાદિની પ્રાપ્તિ લગભગ નિરર્થક નિવડે છે.
' માટે આ વિભાગમાં સંયમની આરાધનાના ચોક્કસ લક્ષ્ય કેન્દ્રરૂપ સમ્યગદર્શનની દઢતા મેળવ્યા પછી કેન્દ્રિત-લક્ષ્યને પહોંચી વળવા થતી ઉત્સાહભેર પ્રવૃત્તિને ફલવતી બનાવવા પ્રત્યેક આદર્શ-આરાધક પ્રાણીને યાચિત મેળવવા લાયક મુષ્ટિજ્ઞાનરૂપ ટૂંકા પણ આદર્શ જ્ઞાનરૂપ પ્રકારને વિવિધ રીતે આ જીને મુદ્દાસર વર્ણવેલ છે.
સાધુતાની કેસેટી * પારકા દોષ અને આપણું ગુણ સ્વપ્ન પણ યાદ ન
આવે તે ખરી સાધુતા છે. જ આપણું જાતને ભૂલી જ્ઞાનીઓની આજ્ઞા-નિશ્રાની - તત્પરતા ખરી સાધુતા છે,