________________
૬. વાદયાય સંયમની વિશુદ્ધિ અને અધ્યવસાયોની નિર્મલતા આ ટકાવવા માટે વિવેકી આત્માએ જગત-વત્સલ ઉપકારી જ્ઞાની ભગવતેએ પ્રરૂપેલ સુંદર–હિતકર વચનોને સ્વાધ્યાયાદિદ્વારા નિરંતર ઉપયોગમાં રાખવા જરૂરી છે.
કારણ કે આરાધનાને આધાર આંતરિક-પરિણામની નિર્મલતા પર છે.
આ ઉપરથી ચાલુ બાહ્ય-ક્રિયાઓની અનાવશ્યકતા સમજ વાની નથી. કારણ કે કિયાએ આંતરિક પરિણામને મર્યાદિત રીતે ટકાવવા માટે કરવી જરૂરી છે, પણ ક્રિયાઓના આચરણ વખતે યથાશથ આશય-પરિણામની વિશુદ્ધિ ટકાવવાથી વધુ લાભ મળે છે, માટે મુમુક્ષુએ નિરંતર સ્વાધ્યાયાદિમાં તત્પર રહેવું જોઈએ
શાસ્ત્રોમાં સ્વાધ્યાયની મહત્તા એટલે સુધી વર્ણવી છે. કે- સ્વાદાય-જ્ઞાન-ધ્યાનાદિથી નિરપક્ષ બની બાહા-ત૫ ઉપર વધુ ઝોક આપી, કઈ માસખમણ સુધી આચરે, પણ શક્તિના અભાવે રેજ આહાર વાપરનાર છતાં હૃદયમાં તપ પ્રત્યે અપૂર્વ મહુમાન અને પિતાની કાયરતાના અપાર પશ્ચાત્તાપૂર્વક તેવા અંતરાયભૂત કર્મોની નિજરા માટે સ્વાધ્યાય-જ્ઞાન-ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરનારો પૂર્વોક્ત માસ. ખમણ કરતાં જ્ઞાનીની દષ્ટિએ વધી જાય છે.