________________
પ
હિતશિક્ષા
૩૯૭ '
૦ પછી તરાણી–ચેતનો-કાછ-કાછલીનું પડિટ કરી દશાઓનું પડિલેહણ કરવું–પછી લૂણાનું.
૦ પડિલેહણ કરેલ પાતરા, પાતરાનો સામાન-લણ ગળણું વગેરે વ્યવસ્થિત ગોઠવીને મુકવું (પાથરેલા આસન ઉપર) (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી.)
૦ ગોચરી વાપર્યા પછી પાતરાં વગેરે ઠેકાણે વ્યવસ્થિત (માખી કે અન્ય કોઈ સંપતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રને) ઝેલીમાં વીંટાળી મૂકવા, તેમ શક્ય ન હોય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી.
૦ બાદ માંડલીને કાજે લઈ દાણા હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું.
૦ લૂણાનું પાણી તડકે ન પડવું તેમજ લુણું તડકે ના સુવવું.
૦ દંડાસણ ઊભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દડાસણ ભેગાં ટીંગાડવાં નહિં.
૦ પાટ ઉભે મૂકવો નહિ.
૦ બળવણ-સે-કાતર વગેરેની હાથે હાથ લેવડ દેવડ કરવી નહિ.
૦ કાજે લીધા વગરની સંથારા માટે કે ગોચરી માટે, સ્વાધ્યાય કરવા કે બેસવા માટે ભૂમિ કામ ન લાગે. ઈરિવા કરી કાજે લીધા પછી વપરાય.
૦ અપડિલેહેલ વસ્ત્ર–પાત્રાદિ ઉપયોગમાં ન લેવાં.