________________
• ૩૯૪ :
સમ્યક ચારિત્ર વિભાગ
મુક્તિના
૦ વાપરતાં. પ્રતિક્રમણ-પડિલેહણ આદિ આવશ્યક ક્રિયા કરતાં, માત્ર હાથમાં હોય ત્યારે, લઘુનીતિ–વડીનીતિ કરતાં બેલાય જ નહિ.
૦ વાપરતાં બોલવાની જરૂર પડે તો મુખ-શુદ્ધિ કરીને જ બોલવું.
૦ ગોચરી–પાણી દૂર જવાથી, તથા જયાં સાધુ-સાધ્વી ઓછા જતાં હોય તેવા ઘરોએ જનારને ઘણું નિર્જરા થાય છે.
૦ જયાં ઘણા સાધુ-સાધ્વીઓ જતાં હોય તેવા ઘરમાં આગાઢ કારણ વિના ન જવું.
૦ એક ઘરે એકથી વધુ વાર ગેચરી માટે ન જવું જોઈએ.
- સમુદાયમાં રહેનાર સાધુએ સ્વ-કુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પિતાનું સમજીને હરખભેર કરવું જોઈએ. | 0 સ્વામી-જીવ તીર્થંકર-ગુરૂઅદત્તના પ્રકારોનું રહસ્ય ગુરૂગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેની કાળજી રાખવી.
૦ સાધુ-જીવન સાદાઈથી બિન-જરૂરી વસ્તુનો ઉપયોગ સિવાય ઓછામાં એ છી ચીજથી ન લાવી શકાય તેવું હોવું જોઈએ.
૦ શેખની વસ્તુઓથી નવગજ દૂર રહેવું.
• કોઈ વખત ઓછી કે અણગમતી ચીજ આવી મળે તે મનમાં દુખ ન લાવવું.