________________
પથ
હિત શિક્ષા શતક
: ૩૪૩ :
થાંભલા આડા આવે નહિ અને દરવાજો શાધવા માટે ફાંફાં પપ્પુ મારવાં પડે નહિ.
(૯૮) જૈન-શાસનમાં કેટલું કર્યું? તેની કિંમત એછી છે; પરંતુ કેવી રીતે કર્યુ? તેની કિંમત વધારે છે, તેથી આગળ વધતાં કેવી રીતે કર્યુ તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલા રાગદ્વેષ વધ્યા તેની કિંમત વધારે છે.
(૯૯) પાતાની દ્રવ્ય-ક્રિયા વખાણવી નહિ...–પર`તુ ભાવ— ક્રિયાનું લક્ષ્ય રાખવું.
બીજાની દ્રવ્ય ક્રિયા વખાડવી નહિ. પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી.
(૧૦૦) ખીજા ધમ ન પામે તેના વાંધા નહિ, પરં'તુ આપણા નિમિત્તે દેવ-ગુરુ અને ધર્માંની હીલના ( નિન્દા ) થાય કે બીજા લેાકા અધમ પામે, તેવું વર્તન તા મનવચન અને કાયાથી ન જ કરવું.
જીવન–શુદ્ધિ એટલે—
આપણી વૃત્તિએની નિર્માંળતા
તેમજ
લક્ષ્યની જાગૃતિને અનુરૂપ વૃત્તિઓનું ઘડતર !!!