________________
૧ ૩૧૮ :
સમ્યક ચારિત્ર-વિભાગ
મુક્તિના
૩૨ મરણ ક્યારે! તેનું કંઈ ધારણ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રસાદી ન રહેવું.
૩૩ આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી કેાધ ન કરે.
૩૪ આત્મામાં અનંત શક્તિ છે” એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સંયમ જ્ઞાન ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં ઉત્સાહ પૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું
૩૫ સંયમાનુકૂલ કેઈપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું. કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારોથી કાયર કદી ન બનવું.
૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયો ડાકૂ છે, તે આત્માનું બધું પુણ્યધન લુંટી લે છે, માટે ઈન્દ્રિય કહે તેમ ન કરવું-પણ શાનીઓ જેમ કહે તેમ કરવું.
૩૭ મધુર ખાવાની સારી ચીજે કે જોવા લાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મમણ કરવા પડે છે માટે ઇન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું.
૩૮ પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાને વિજ્ય એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિસ્પૃહતા ખૂબ કેળવવી જોઈએ.
૩૯ વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી.
૪૦ સાધુ જે સંયમની પાલના આરાધક ભાવથી કરે તે મોક્ષની કે દેવફની પ્રાપ્તિ કરે છે–પણ વિરાધક ભાવથી