________________
: ૨૪૨ સમ્યક્રયારિત્ર વિભાગ મુક્તિના
આ ઉપરથી તપસ્યાની વ્યતા કે ખાઈ-પીને થોડોક સ્વાધ્યાય કરીને મન મનાવવાની વિચારણા કરવાની નથી, પણ સ્વાધ્યાય-નિરપેક્ષતા જેટલે અંશે હોય તેને દૂર કરવા આ સાપેક્ષ વચન છે.
આ વસ્તુ સાધુ સામાચારી–વર્ણનપ્રસંગે શાસ્ત્રકારોએ વર્ણવી છે કે દરેક સાધુ-સાધ્વીએ દીક્ષા લીધી ત્યારથી રાજ અઢી હજારનો સ્વાધ્યાય કરો, જે ભણેલ ન હોય અગર શક્તિ ન હોય તેણે પણ પચીસ બાંધી નવકારવાલી ગણીને શાસ્ત્રજ્ઞાને નભાવવી, ગીતાર્થ આચાર્ય ભગવતેએ વર્તમાન કાલ માટે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરી છે.
શિયાળામાં ૧૦૦૦ ગાથાને સ્વાધ્યાય,
ઉનાળામાં ૫૦૦ ગાથાને છે
ચોમાસામાં ૭૦૦ ગાથાને , શક્તિ-સંપન્ન આત્માએ ઉપરની મર્યાદાને નભાવવા જરૂર ધ્યાન રાખવું જોઈએ.
છતી-શક્તિએ જ્ઞાની–ભગવતેની સ્વાધ્યાય સંબંધી મર્યાદાને ન સાચવનાર જ્ઞાનકુશીલ કહેવાય છે.
સ્વાધ્યાયના જ્ઞાની–ભગવતેએ પાંચ પ્રકાર વર્ણવ્યા છે. વાચના-નવું ભણવું અગર ભણાવવું.