________________
અને
સાધુજીવનની રૂપરેખા
!
( ૧૧ કેટલી વાર અસત્ય બોલાયું ?
સત્ય જગતમાં વિજયવંત છે. સત્યવાદી કોઈ ચિંતા હેતી નથી, તેનું મન હમેશાં શાંતિ અને પવિત્ર રહે છે. તેને બધા પૂજય તરીકે જુએ છે.
બાર વરસ સતત સત્ય બલવાથી વાગલબ્ધિ અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
કેધથી, લોભથી ભયથી અને હાસ્યથી અસત્ય બેલી જવાય છે. માટે તેનાથી સદા દૂર ને દૂર રહેવું, મહારાજ કુમારપાળ ભૂલથી અસત્ય બોલવાનું પ્રાયશ્ચિત આયબિલ કરતા હતા. એ
૧૧ કેટલી વાર ગુસ્સે થવાયું?
શાંતિને શત્રુ ગુસ્સો છે. હાથમાં રાખેલી કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે.
ક્ષમા, પ્રેમ, અહિંસા અને લઘુતાથી ગુસ્સે નાશ પામે છે.
ક્ષમાદિ ગુણે ઉશ્કેરાએલા જ્ઞાનતંતુઓને શાંત કરે છે.
ગુસ્સે હોય ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહિ. પરમેષ્ઠિને જાપ કરવાથી ગુસ્સે શમી જાય છે.
તેમ છતાં ગુસ્સો ન સમાય તે એ સ્થાનનો થોડા સમય માટે ત્યાગ કરો અને એકાંતમાં જઈ પ્રભુની પ્રાર્થના કરવી.
આથી ગુસસે જીતવાનું બળ પ્રાપ્ત થશે, ગુસ્સાથી પ્રીતિનો નાશ થાય છે. ક્રેડ પૂર્વ સુધી પાળેલ સંયમનું ફળ નષ્ટ થાય છે.