________________
ભાવાચાર્ય–દ્રવ્યાચાર્ય આદિના વિવેકની જરૂર ૭૫ શકે, દિવ્ય ચક્ષુ આપી શકે, પણ ખેદની વાત એ છે કે વર્તમાન સમાજની સ્થિતિને વિચાર કરીએ છીએ તે આંખે અંધારા આવે એવી કરુણ સ્થિતિ છે કારણ કે પરમાર્થથી સાક્ષાત્ માર્ગદ્રષ્ટા એવા દિવ્ય નયન-પ્રાસ પુરુષની અત્રે બહુ બહુ ખામી જણાય છે ભારી ખોટે જણાય છે. આ કાળ દુષમ છે, એટલે જ એવા સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને જેગ મળવો પરમ દુર્લભ છે. હમણાં તે મને એ કઈ દિવ્ય નયન પામેલો પુરુષ પ્રાયે દેખાતું નથી ને આ જે પુરુષપરંપરાની તું વાત કરે છે, તેમાં પણ કાંઈ સાર નથી-કાંઈ માલ નથી.
કારણ કે તે જે આચાર્યાદિ કહ્યા તે આચાર્યાદિમાં હવા ગ્ય શાસ્ત્રોક્ત ગુણલક્ષણથી રહિત હોય તે પ્રાયે તે
પણ મુખ્યત્વે દ્રવ્યથી છે; ભાવથી ભાવાચાર્ય દ્રવ્યાચાર્ય નહીં. પણ ભાવથી આચાર્યપણું, આદિના વિવેકની ઉપાધ્યાયપણું કે સાધુપણું છે કે નહિ, જરૂર
તે પ્રાયે કેઈ જતું નથી, તેની કઈ
પરીક્ષા કરતું નથી ! જેને પંચ પરમેષ્ટિમાં ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે એવા ભગવાન આચાર્યાદિની ૯ આત્મદશા કેવી અદ્ભુત, કેવી વીતરાગ, કેવી પ્રશમપ્રધાન હોવી જોઈએ, તેનું ગુણસ્થાન કેવું ઊંચું દેવું જોઈએ, તેને વિચાર કરવા કેઈ તસ્દી લેતું નથી ! આ તે અમારા કુલ સંપ્રદાયના આચાર્ય છે, અમારા મારાજ છે, * “ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય.”
શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન