________________
૨૪૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
આમ સતશ્રદ્ધાથી યુક્ત એ જે બોધ તેનું નામ દષ્ટિ” છે. અહીં “સતશ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું
તે અસતશ્રદ્ધાને અપવાદ-નિષેધ સતશ્રદ્ધાસંગત બંધ કરવા માટે છે. સશાસ્ત્રને આધાર તે “દષ્ટિ' છેડી, પિતાના અભિપ્રાયે કરીને–
પિતાના સ્વચ્છ કરીને, પિતાની મતિકલ્પના પ્રમાણે જ્યાં અસતુ બેટા તર્કવિતર્ક-વિકલ્પ કરવામાં આવે છે, એવી શાસ્ત્રબાહા જે શ્રદ્ધા, તે અસશ્રદ્ધા છે. આવી અસતશ્રદ્ધા આ “દષ્ટિ”માં હોતી નથી. એમાં તે સતશાસ્ત્રના આધારવાળી, સત્શાસ્ત્રને અનુકૂળ, આસ પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી, એવી શ્રદ્ધા-સાચી શ્રદ્ધા જ હોય છે. આવી સતશ્રદ્ધા હોય તે જ તે બેધને “દષ્ટિ” નામ ઘટે છે.
દષ્ટિ એટલે દર્શન દેખવું તે છે. આમાં નિપ્પત્યપાય પણું હિોય છે, કેઈ પણ આડખીલી હોતી નથી, એટલા માટે તે દર્શન અથવા દષ્ટિ કહેવાય છે. પછી આ ભલે થેડી ઉઘડી હેય કે ઝાઝી ઉઘડી હોય, પણ તે ખૂલતાં જે કાંઈ દેખાય છે તે દેખાય છે, દિઠું એટલે બસ દીઠું, તેમાં કઈ પ્રત્યવાય નડતું નથી. આ * દષ્ટિ” એટલે “દર્શન” એમ કહ્યું તે યથાર્થ છે. આ બરાબર સમજવા આંખને–ચર્મચક્ષુને દાખલો લઈએ –
આંખ બંધ હોય તે કાંઈ દેખાતું નથી, પછી આંખ જરાક ઉઘડે તે પાસેને પદાર્થ ઝાંખે ઝાંખે દેખાય છે,