Page #1
--------------------------------------------------------------------------
________________
<
బా
VPPER
શ્રી
ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકા
E
ચિતિકા
પૂ. સાધ્વી શ્રી વાચચમાશ્રીજી
K
Page #2
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર
· ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરને અનંત લબ્ધિનિધાન પ્રથમગણધર ગૌતમસ્વામીજીને.....
પંચમગણધર સુધર્માસ્વામિને... પરમ પવિત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને.... આ પવિત્ર સૂત્રની નિયુક્તિ કરનાર શ્રી ભદ્રબાહુ સ્વામીને કાલના પ્રવાહમાં આજસુધી અજ્ઞાત રહેનાર આ સૂત્રના ભાષ્યકર્તાને...
.
આ પવિત્ર સૂત્ર તથા મગલમયી નિયુક્તિના સહાન અર્થાની વિવેચના કરનાર શ્રી વાદિવેતાલ શાંતિસૂરીશ્વરજી મહારાજને.... ૬ અત્યાર સુધી આ સૂત્રની અવિચ્છન્ન પરપરા ચલાવનાર મહાપુરુષાને
5 પોતાની અંતિમ અવસ્થામાં આ સૂત્રના છત્રીસે છત્રીસ અધ્યયનના સ્વાધ્યાયમાં રણુ કરનાર અમારા પૂ. દાદાગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ૦ ને.....
પ્રસ્તુત વિવેચન ગ્રંથ પર હૃદયના આશીર્વાદ વસાવનાર વાત્સલ્યદાતા પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ૦ ને....
Page #3
--------------------------------------------------------------------------
________________
- જન જયતિ શાસન
» હી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આ છે હી શ્રી ગૌતમસ્વામિને નમઃ આત્મ-કમલ-લબ્ધિ સૂરીશ્વર સદગુરુ ભૈ નમઃ જયંત-વિક્રમ-નવીન સૂરીશ્વર સદ્દગુરુ નમઃ
શ્રી
ઉત્તરાધ્યયન સૂત્ર
ચિંતિનિકા” .
શુભાષિત દાતા– પૂ. પા. નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી તીથ પ્રભાવક ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા.
સંપાદક’ . પૂ. પ. તીર્થ પ્રભાવક ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્ય પૂ. પંન્યાસ રાજયશવિજયજી મ. સા..
પ્રકાશક – શ્રી લબ્ધિ-વિક્રમસુરીશ્વર સંસ્કૃતિ કેન્દ્ર - શ્રી ચંદ્રકાંત એ. દલાલ T/7, A શાંતિનગર આશ્રમરોડ,
અમદાવાદ-૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:- શ્રી લબ્ધિ–વિક્રમસૂરીશ્વર સંસ્કૃતિ કેન્દ્ર
શ્રી ચંદ્ર એ દશ) T/7-A, શાંતિનગર, વાડજ,
અમદાવાદ-૩૮૦૦૧૩.
આવૃત્તિ પ્રથમ -. નકલ-૨૦૦૦
વર્ષ - ૨૦૪૧
સૂચના :- “પુસ્તક વાંચીને અન્ય ભાઈ–બહેનેને વાંચવા
આપવું. જ્ઞાનની આશાતના થાય તેમ રખડતું મૂકવું. નહી. જરૂર ન હોય તે પાછું મોકલી આપવા વિનંતી, જેથી અન્યને લાભ આપી શકાય. પુસ્તક મલ્યાની પહોંચ તથા અભિપ્રાય લખી જણાવવા વિનંતી.
ધરણેન્દ્ર એચ. કાપડીયા રાજેશ ટ્રેડર્સ અવંતી એપાર્ટમેન્ટસ, પાલડી, અમદાવાદ–૭. . ટે.નં. ૭૮૮૭૯
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦ પુસ્તકના લાભ લેનાર
શ્રી સુપાર્શ્વનાથ જૈનસંઘ રાયપેડ઼ા પુદુપાકમ્ (જયઉ વીર્ સચ્ચર્િ મ'ડણ) સાચાર ન-૪૩ ચિલ્લઈ પિલ્લઈ કાઈલ સ્ટ્રીટ, રાયપેઠા, મદ્રાસ-૧૪
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦ પુસ્તક પ્રકાશનના લાભલેનાર અનેક જ્ઞાનપ્રેમી મહાનુભા પૂ. સરલાશયી માતૃહૃદયા સાધ્વી સર્વાદયાશ્રીમ.ની પ્રેરણાથી ૧૦૦ નકલ શ્રીમતી કંચનબેન ભાગીલાલ ઝવેરી મુંબઇ ૧૦૦ નકલ શ્રીમતી કલાવતીબેન આર. ડી. મકેરી-અમદાવાદ. ૧૦૦ નકલ હરીન્દ્રભાઇ મણીલાલ મહેતાના સ્મરણાર્થે -મદ્રાસ શ્રી નંદલાલભાઈ તારાચંદ વારાની પ્રેરણાથી ૧૦૦ નકલ વીરવાણી પ્રકાશન કેન્દ્ર C/o નંદલાલ તારાચંદ વેારા ૯૮ નેપીયન્સી રાડ મુ ંબઇ ૧૦૦ નકલ ચદ્રકાન્ત રતીલાલ એકર સિકન્દ્રાબાદ ૧૦૦ નકલ જશવ ંતલાલ મગનલાલ વેારા વાલકેશ્વર-મુંબઈ-૬ ૧૦૦ નકલ બળદેવભાઇ ડોસાભાઇ પટેલ-નારણપુરા અમદાવાદ ૧૦૦ નકલ નવનીતભાઈ સી. પટેલ-આશ્રમરાડ અમદાવાદ ૫૦ નકલ જશવંતલાલ શાંતીલાલ શાહમુખઈ–ર ૫૦ નકલ પ્રેમજી હીરજી ગાલા-સૂય એપાર્ટમેન્ટ મુબઇ-૬ ૫૦ નકલ ધીરજલાલ વ્રજલાલ શાહ-નવાવાડજ અમ.-૧૩ ૨૫ નકલ ચંપકલાલ મણીલાલ—માટુંગા મુંબઈ–૧૯ ૨૫ નકલ વજુભાઈ. વાડીલાલ શાહ-નવજીવન સાસાયટી મુંબઈ ૨૫ નકલ શાંતીલાલ મગનલાલ શાહ-ખોમ્બે નાવેલ્ટી સ્ટાસ સુ ખઇ–૨
45
-
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
ઉત્તરાધ્યયનાખ્યમ્ય, સૂત્રસ્ય શ્રી સુધાનિધે, પાનતા ગાનતા ચેન, જીવન સલીકૃત’ ૫ સ્વાધ્યાયકતાનાય, પરગુણકમે દિને, મત્કૃતે યાનપાત્રાય, નિમજ્જયા: ભાંબુધો । લબ્ધિસૂરિ ગણેશાય, વાચચમેતિ બાલિકા, સમપથતિ ગ્રંથ'હિ, ગુરુવાત્સલ્ય . લાલિતા ।।
સમર્પણુ :--
ઉત્તરાધ્યયનના શબ્દે શબ્દે વૃદ્ધત્વે પણ પલકે પલકે મેળ કર્યાં તે ખૂબ હરખે હરખે તે ગુરુના કર કમલે કમલે ગ્રંથ સમપી મનડું મલકે ગેાખ ગગનથી કૃપા તું જ છલકે...
આપની પુત્રી સમી શિષ્યા વાચચમાની
અનંત વંદના
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
જેઓની પુણ્યનિશ્રામાં
જેઓના શુભાશિષથી શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ચિતનિકા આલેખાયીતે
નિત્ય ભક્તામર સ્તોત્ર સમરાધક તીર્થ પ્રભાવક 'પૂપા. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા.
Page #10
--------------------------------------------------------------------------
Page #11
--------------------------------------------------------------------------
________________
શુભાશિષ લે. પૂ. પા. તીર્થ પ્રભાવક ગુરુદેવ
વિક્રમસૂરીશ્વરજી મ. સા. - આજના યુગજન્મીઓને કંઈ ને કંઈ વાચન તે જોઈએ જ છે પણ આજે એવાં એવાં પુસ્તકો લખાઈ રહ્યાં છે જેના વાચનથી અનેક આત્માઓ વ્યસનમાં વિલાસમાં સ્વછંદતામાં જોડાઈ જાય છે અને આ લેક તથા પરલેકને બગાડી નાખે છે.
આવાં પુસ્તક તે ઘરઘર ને જેગેજગે બુકસેલરને ત્યાં પ્રાપ્ત થઈ શકે છે પણ આવાં અશ્લીલ અને આત્મઘાતક વાચનેથી આજના સમાજને બચાવવાની ખૂબ જરૂર છે. સાચું સુસંસ્કારી વાચને ઠેર ઠેર પ્રાપ્ત થાય તેવાં પુસ્તક લખવાની અને છપાઈને સહુને સુલભ થાય તે પ્રમાણે કરવાની જરૂર છે. જેટલા જોરથી સ્વછંદતાને પિષનારાં પુસ્તક બહાર પડે છે તે કરતાં પણ વધારે જોરદાર પુસ્તક ખૂબ ખૂબ પ્રગટ કરવાં જોઈએ.
પણ....એવાં આત્મસન્મુખ બનાવનાર પુસ્તકોના લેખકે પણ આજે જૂજ છે. તેમાં પણ આવા આગમ ગ્રન્થનાં રહસ્યને લઈને પુસ્તક લખનાર લેખકે તે ગણ્યાગાંઠયા જ છે. તેમાં પણ આપણા આ ઉત્તરાધ્યયન સૂત્ર ચિતનિકો લખનારા લેખિકા તે આ એક જ છે એમ
Page #12
--------------------------------------------------------------------------
________________
લાગે છે. દશવૈકાલિકના અર્થો અને ભાવાર્થો તો ઘણાએ લખ્યા હશે પણ એનું ચિંતન મળે તેવું પુસ્તક લખનાર તે આપણું આ લેખિકા સાધ્વીવર્યા જ છે.
એમની આ દશવૈકાલિક ચિંતનિકા એટલી બધી અધ્યાત્મપ્રિય, આગમપ્રિય અને ગુણાનુરાગી આત્માઓને ગમી ગઈ છે કે આ લેખિકાને ધન્યવાદ આપતાં મારા ઉપર ઘણું પત્રો આવ્યાં છે અને તેમાં પણ સ્થાનકવાસી સમાજે તે આ પુસ્તકને ફરી મુદ્રણ કરવા રજા લીધી અને ફરી પણ એનું મુદ્રણ થયું છે. હવે એ જ રીતે ઉત્તરાધ્યયન સૂચિંતનિકા” લખી છે. જે ચરમ તીર્થપતિ મહાવીરસ્વામી ભગવંતની ચરમ દેશના સાર છે. આ ઉત્તરાધ્યયન સૂત્રને પૂર્ણ અભ્યાસ ભવ્યાત્માઓ કરી શકે છે તેવું લખાણ તે જ ગ્રન્થના પ્રાન્ત ભાગમાં છે.
આવા ઉત્તરાધ્યયન સૂત્રની ચિંતનિકા લખનાર સાધ્વીશ્રી વાચંયમાશ્રી પણ મહાન ભવ્યાત્મા હોવા જોઈએ.
આ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર મૃતકેવલી ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ નિર્યુક્તિ નામની ટીકા લખી છે. પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રમાં પાંચ પ્રકારના જિન બતાવ્યા છે તેમાં શ્રુતકેવલીને જિન કહ્યા છે...એમની નિયુંક્તિમાં લખ્યું છે કે–આ ઉત્તરાધ્યયન સૂત્ર અભવ્ય આત્મા પૂર્ણ કરી શકતો નથી... આ નિયુક્તિને લઈને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે
Page #13
--------------------------------------------------------------------------
________________
પાઈય ટીકા રચી છે. જેમાં અનેક વાદસ્થળો છે જેને અભ્યાસ કરનાર કેઈથી જિતાતો નથી.
આ લેખિકાએ જે ‘ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકા લખી છે તેને અભ્યાસ કરી અનેક ભવ્યાત્માઓ પોતાની મેક્ષ-માર્ગની મંજિલ જલદી પૂર્ણ કરે અને લેખિકાના શ્રમને સફળ કરે. "
લેખિકા હજી પણ આવા અનેક આગમ ગ્રાનાં રહને ગ્રન્થસ્થ કરીને આત્માઓને માર્ગસ્થ કરવાને લાભ મેળવે. તેઓને મારા અંતઃકરણના આશીર્વાદ છે કે જિનવાણીનાં રહસ્યને સરમ્ભાષામાં રજૂ કરવાની દિન-પ્રતિદિન તેમની શક્તિ વધતી જાય અને તેઓ શાસનભકિત, ગુરુભક્તિ અને શ્રુતભક્તિ દ્વારા શાસન પ્રભાવના કરી પરમ પદની સાધનાને પરમપંથ શીધ્ર પૂર્ણ કરવામાં સફળ બને. ”
આચાર્ય વિકમસૂરિ
તા. ૩–૨-૮૫ વાપી જૈન ઉપાશ્રય.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦
સપાદકીય
પૂ.પા. આચાર્ય દેવ વિક્રમસૂ. મ.ના વિદ્વાન શિષ્ય, વ્યાખ્યાનકાર. પૂ. ૫'. રાજયશ વિ. મ. પૂજ્ય હેમચંદ્રાચાર્યાં મ. અાગ દ્વાત્રિ'શિકામાં ફરમાવે છે. “વિમુક્ત વૈર બ્યસર્વાનુખ ધા, શ્રયન્તિ યાં શાશ્વત વૈરિાપિ, પરૈરગમ્યા તવ ચાગિનાથ ! નાં દેશના ભૂમિમુપાશ્રયેઽહ
પ્રભુની એ દેશના ભૂમિ–સમવસરણ ભૂમિની કલ્પનાથી પણ આપણા દેશમાંચ ખડા થઈ જાય છે. માલકાશ રાગની એ મધુરી દેશના ભલભલાનાં દિલ ડોલાવી દે છે. આવા. દેશનાના પ્રવાહમાં અનેક મધુરાં તત્ત્વ જિનેશ્વર ભગવાનના મુખેથી સરી જાય છે.
પૂ. આચાય ભગવત હેમ દ્રસૂરીશ્વરજી મહારાજ એ દેશના ભૂમિને આશ્રય કરવા ઝંખે છે. દેશના ભૂમિમાં જેમ અનેક ભવના વૈશ્ નાશ પામે છે તેમ પ્રભુની આગમ વાણીના મહિમા જ એવા છે કે એ વાણીનું શ્રવણ અને વાસ્તવિક રીતે ધારણ કરનારના જીવનમાં એક અનેરી શાંત સ્થિતિને પ્રાપ્ત કરે છે. પ્રભુની વાણીનાં શ્રવણ-ચિંતન અને મનન બાદ દુનિયા કંઈ બદલાઈ જતી નથી. વિશ્વ તેા છે તેવુ' જ રહે છે. પણ, સાધકના પ્રજ્ઞાલાક એક નવા પ્રકાશ પાથરે છે. ગઈ કાલ સુધીનુ વિશ્વ
Page #15
--------------------------------------------------------------------------
________________
તેને એક નવા સ્વરૂપે જ દેખાય છે. કાલ સુધી જગત. સુખ-દુઃખ, હર્ષ–શેક, આનંદ-આકંદ, સંપત્તિ અને વિપત્તિ, સંગ અને વિયેગથી ખળભળેલું દેખાતું હતું. હવે સાધકને દરેક વાતનું ગણિત સમજાય છે. તેના દિલમાં “ ગ” એ હર્ષ નથી, ‘
વિગ” એ શક નથી. તે સંગને પણ કર્મના ગણિતને જવાબ સમજી સ્વીકારે છે, તે વિયેગને પણ એટલા જ સ્થિતપ્રજ્ઞ ભાવે અવલોકે છે. જગતની તમામ ઘટનાઓ છએ દ્રવ્યોનું વિજ્ઞાન છે. સમુદ્રનાં કલ્લોલતાં મેજા કિનારે ઊભા રહેનારને મન જેમ સ્વાભાવિક પ્રક્રિયા છે. ભરતી અને એટને તે સાગર માટે અનિવાર્ય માને છે અને જરાય લેપાયા વિના ક્યારે ભરતી. આવશે અને કયારે ઓટ આવશે તેનું ગણિત જાણી તે પ્રમાણે જીવન કાર્યક્રમ ઘડે છે. તેમ આ વીતરાગની વાણીને આત્મસાત કરનાર પિતાના સમગ્ર જીવનને જીએ દ્રવ્યના પર્યાયેના સંદર્ભમાં જુએ છે. અને તેવી જ સ્વા- . ભાવિક ગતિ તેના જીવનની કરી નાખે છે. પરિણામે પરમાત્માની વાણી તેનામાં એવી દષ્ટિ એવી સમ્યક્ દષ્ટિ. પેદા કરે છે કે જગત તેને સમ્યક લાગે છે.
વેદાંતિક કહે છે કે જગત મિથ્યા છે. ત્યારે આ સમ્યક દૃષ્ટિ કહે છે કે જગત તે સત્ય જ છે. જગતના પ્રત્યેક પરિવર્તન પણ સત્ય છે. માત્ર આ પરિવર્તન મારામાં સુખ-દુઃખ, હર્ષ–શેક પદા કરે છે તે ખ્યાલ જ મિથ્યા છે. અને દષ્ટિને આ મિયા રાગ જતાં આ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨
જગત સાધકને એવું' અપૂર્વ` લાગે છે કે તે અપૂર્વ તાની મસ્તીને નિહાળવા પ્રત્યેક ચાહકે સાધક બનવું જ પડે.
આવા સાધક ભૂમિકા તરફ લઈ જતા દેશના પ્રવાહ પ્રભુ મહાવીરે જીવનના અંતિમ સમય સુધી વહાવ્યો. કહેવાય છે કે છેલ્લા બે દિવસની અને સેાળ પહેારની એ દેશનામાં જે વાણીપ્રવાહ વહ્યો તેના શુક્નમાંથી જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર”ની રચના થઈ. વિદ્વાનેા એને વિવિધ રીતે વિચારે છે. પણ એક વાત તે નિવિવાદ લાગે છે કે તેમાં અંતિમ દેશનાના કેટલાક ભાગ અવશ્ય છે,
।
પ્રભુ મહાવીર સ્વામીની અ ંતિમ દેશના 'રૂપે પ'કાયેલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એક ખજાના છે. એ સૂત્રને જે સારી રીતે જાણે છે, સારી રીતે કાસ્ય કરે છે તે તેા જીવનના એક અપૂર્વ લાભ મેળવે છે. આપણે ત્યાં વૈરાગ્યજનક શાસ્ત્રો-પ્રકરણે ઘણાં છે. પશુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આ બધાં વૈરાગ્યબાધક પ્રકરણાનું એક પ્રેરણાસ્થાન છે એમ માનવું પડે છે. પૂ. આત્મારામજી મહારાજ આ શ્રી · ઉત્તરાધ્યયન સૂત્રને વૈરાગ્યના સાગર કહેતા હતા. અને ફરમાવતા હતા કે જેને વિવિધતાપૂર્ણ એવુ એક જ આગમ સુખપાઠ રાખવુ હાય તેને હુ નિઃશંક શ્રી ઉત્તરા ધ્યયન સૂત્ર જ સૂચવુ. ખીજા આગમ ગ્રંથા કરતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિવિધતા ઘણી છે. વૈરાગ્યમેધક સૂકતા છે. સુંદર પ્રશ્નોત્તર સવાદ છે દ્રવ્ય અને ગુણાની વ્યાખ્યાઓ પણ તેમાં ગોચર થાય છે, આમ કહી શકાય
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૩ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એક જ જૈન ધર્મ અને. દર્શનને પરિચય આપવા સમર્થ છે.
આ સૂત્રો પર અને આ સૂત્રની વિવિધ ગાથાઓ પર ઘણું ઘણું લેખન થઈ ચૂક્યું છે. પણ તેમાંથી ચિંતનબીજોનું ચયન કરીને પ્રત્યેકની વ્યાપક વિચારણા કરતાં ચિતને અને વિવેચને ઓછાં થયા છે. લેખિકા સાધીવય વાચંયમાશ્રીજીને આ દિશાને પ્રયત્ન એક સફલા પ્રયત્ન છે. તેમને પ્રસ્તુત ગ્રંથમાંથી આવાં પંચાવન ચિંતનબીજેને પૂર્વમહર્ષિઓની ટીકા અને વિવેચનને ખ્યાલ કરીને પણ એવી સરસ રીતે ચિંતનપથ પર ચડાવ્યાં છે. કે વાચક ચિંતનના પ્રવાહમાં આસાનીથી ખેંચાઈ જાય. છે. તદન બેલચાલની છતાંય વૈવિધ્યપૂર્ણ ભાષા એ પણ એક આકર્ષણ છે. તે બીજી તરફ સામાન્ય વાંચક પિતાની જીવનકથાના અનુભવેનું પૃથક્કરણ થતાં ગ્રંથની સાથે. એકતા અનુભવે છે. : “સાધક ના દિલની ભાવના લેખિકા સારી રીતે જાણી જાય છે. અને તેથી જ વાંચકને લેખન વાંચતા પિતાની સાથે કઈ વાત્સલ્યદાતા ગુરુજન વાતચીત કરતે. હોય તે અનુભવ થાય છે.
આવી રીતનાં ચિંતનબીને કાનુભવમાં અને લોકભાષામાં રજુ કરવાનો તેમને બીજો પ્રયાસ છે. પ્રથમવાર લેખિકાએ “શ્રી દશવૈકાલિક સત્ર ચિતનિકા નામની
Page #18
--------------------------------------------------------------------------
________________
પુસ્તિકામાં આવાં પચાસ બીજ પર ચિંતન વહાવ્યું છે. તે પુસ્તકની જે માંગ આવી છે, વાંચોએ જે એનુભવે રજૂ કર્યા છે તેથી તે એમ સમજાય છે કે આ પુસ્તકનું માત્ર વાચન જ નથી થયું, પણ અનેક સાધુ-સાધ્વીજી મ ની અંતરઆરાધના અને સાધનામાં આ પુસ્તકે અને પ્રકાશ પાથર્યો છે. શું સ્થાનકવાસી કે શું મૂતિ પૂજક દરેક પંથના સાધુ-સાધ્વીજીએ આ પુસ્તકને રસાસ્વાદ માણ્યો છે. મોટા મોટા આચાર્ય ભગવંતે એ પણ આ પુસ્તકની આવશ્યકતા સ્વીકારી છે. અને તેથી મને પણ એવા વિચાર આવે છે કે “જ્યાં બધા ચાલે તે જ માર્ગ.” એ ન્યાયે આવી શૈલીએ વધુને વધુ પુસ્તકે - લખાવાં જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્ર ચિતનિકાનું સંપાદન કરવાનું આવ્યું હતું. તે જ વખતે મેં સૂચન કરેલ છે આ પુસ્તકની સ્થાનકવાસી સંપ્રદાયમાંથી પણ ખૂબ માંગ આવશે અને એમ જ બન્યું પણ છે. એક સદય મુનિવરે આ પુસ્તિકા વાંચીને મને જણાવ્યું હતું “આવાં પુસ્તકે આજે કોણ લખે છે?” અને તે ક્ષણે મારી દ્રષ્ટિએ પણું અવલોકન કરવા માંડયું. “શું આવી કક્ષાનાં પુસ્તકે લખાય છે ખરાં? અને મારે કબૂલવું પડયું. આ એક નવી છતાંય પ્રેરણાદાયી અને ઉપયેગી દિશા છે. - સાધુજીવનમાં આગમનું બહુમાન વધે,. આગમ માટે આદર વધે, આગમનાં વચનને વારંવાર પાઠ કરવાની લાલસા પેદા થાય, આગમની વાણી સિવાય બધું
જીવનમાં આ વચનને કારના અર્થ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫
અધૂરું લાગે તે ખરેખર ઇચ્છવા ચેાગ્ય છે. અને આ પુસ્તક એ રીતે આગમની યશોગાથાની છડી પાકારનારુ અને છેં.
હજી પણ નવા નવા ચિંતકોને ખૂબ ખૂબ અવકાશ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંથી લેખિકાએ તા પેાતાની ચિંતનધારાને અનુકૂળ આવે તેવાં પંચાવન બીજા જ પુસ્તકની મર્યાદા પ્રમાણે પસંદ કર્યાં છે. આવાં ઘણાં ચિ'તનખીજો હજી તેમાં છે જે વિવેચના અને ચિંતનને પાત્ર છે.
♦
વાંચક માત્ર આ પુસ્તિકા વાંચી અને તેની પ્રશ'સા કરે તે પૂરતું નથી. આ આગમ મુખપાઠ કયુ ન હાય તા મુખપાઠ કરવા જેવું છે. મુખપાઠ કર્યું... હાય તા તેને સ્વાધ્યાય બહુ જ શાંત મને પણ સપ્તાહમાં એકવાર આ આ સૂત્ર પૂર્ણ થઈ જાય તેવી રીતે કરવા જેવા છે. જેએ આવી રીતના સ્વાધ્યાય કરતાં હાય અને લેખન કે વિવેચના શક્તિ હાય તેને આવાં ચિંતનખીજો શેાધીને તેના પર વિવેચન કરવા જેવુ છે. જાહેર વ્યાખ્યાતાઓને મારી નમ્ર વિનંતી છે કે દુનિયા ગમે તેવી વિવિધતા ચાહતી હાય છતાંય તમે વ્યાખ્યાનમાં આવા બ્લેક ઉચ્ચારીને સુંદર છણાવટ કરશે તેા લાકો આનંદ તે પામશે જ, 'જી, સાથે સાથે હૃદયને કઈક સ્પશી ગયું છે તેવા તમને પણ અનુભવ થશે. વક્તા-મુનિઓને મારી ખાસ પુનઃ વિન'તી છે કે વધુ નહી. તે લગભગ સે કે
Page #20
--------------------------------------------------------------------------
________________
બસે ગાથાઓ સુભાષિત રૂપે, વિવિધ વિષયની ચૂંટી તેને વ્યાખ્યાનમાં વ્યાપક ઉપયોગ કરવા જેવું છે. આવાં બેધક વચને શ્રોતામાં ધાર્યા કરતાં પણ વધુ વૈરાગ્ય પેદા કરશે. અને તેથી જ મને લાગે છે. કે અમારા પૂજ્ય દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પિતાના જીવનના અંતિમ સમયે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને જ મુખપાઠ કરવા માંડયું હતું આવા મહાપુરુષ જે અંતિમ સમયે કરવું ઉચિત માનતા હોય તેને આપણે આરંભ સમયથી સ્વીકારીએ તે જીવનને ખૂબ જ સફળ બનાવી. શકીએ.
તેથી મારા ખ્યાલ પ્રમાણે આ ગ્રંથ માત્ર અર્થ દર્શન તથા માર્ગદર્શન નથી, જીવન પદ્ધતિ દર્શન પણ છે. ભાગ્યશાળી આત્માઓ તે આ માર્ગને અનુસરશે જ તેમાં શંકા નથી.
પ્રભુ મહાવીરની આ આગમ વાણી પરનું વિવેચન જે ક્ષણવાર પણ આપણામાં વીતરાગીતાની મસ્તી ગાડી દેશે, ક્ષણવાર પણ આપણને કલેશથી દૂર કરી શકશે, ક્ષણવાર પણ જ્ઞાનાનંદમાં મસ્ત બનાવી અપ્રમત્ત સાધુતાને. આસ્વાદ કરાવી દેશે, જગતનું રહસ્ય છતું કરીને જાતમાં સ્થિર કરી દેશે, તે લેખિકો, વાચક, સંપાદક તેમ જ પ્રકાશક સહુને પરિશ્રમ સાર્થકતાને પામશે. પ્રસ્તુત સુત્ર અને તેની ચિંતનિકામાં જાતને જગાડી દેવાની તાકાત છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
બસ, આપણી જાત પર સિદ્ધિની શાશ્વત ભાત પડે અને સહુ સફળ બનીએ. પ્રસ્તુત પુસ્તક એવી કક્ષાનું છે કે, જેનું વિશેષ સંપાદન કાર્ય હાય નહીં. તેમ છતાં મેં મારી મતિ અને ક્ષયે પશમ પ્રમાણે યોગ્ય સુધારા વધારા કરી કરાવીને મારી દષ્ટિએ વધુ યોગ્ય અને વધુ પ્રામા ણિક બને તેવો ખ્યાલ રાખે છે. છતાંય દષ્ટિ દેષથી કે રસ વૃત્તિથી કઈ પણ વાક્ય, પદ કે અક્ષર શાસથી વિરુદ્ધ લખાઈ ગયા હોય તે તેને “મિચ્છામિ દુક્કડું”
અંતે, આપણે સહુ આગમ શાનાં અનેરાં અર્ક મેળવી, જીવનને અજવાળી, પરમપદ પામી વિશ્વમાં જૈન જયતિ શાસન” નો જયકાર કરીએ. એજ અભિલાષા.
પંન્યાસ રાજ્યશ વિ. મેભારેડ, જૈન ઉપાશ્રય
તા. ૧૦–૩–૧૯૮૫.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮
“મારી વાત
79
પરમાત્મા મહાવીરદેવની અંતિમ વાણી તે “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.'' મારા સાધુ જીવનના શૈશવકાલ હતા. શિશુસુલભ ખાલ્યાવસ્થા હજી વીતી ન હતી. અમારા સંસાર તારક ઉપકારી પૂ. ગુરુદેવ સુમતાશ્રીજી મ.સા. સાથે વિ. સ. ૨૦૦૭ નું ઇડરમાં ચતુર્માસ હતું . જીવનમાં પ્રથમવાર વાત્સલ્યવારિધિ, ચતુર્વિધ સંઘના યાગક્ષેમ કારક અમારા દાદાગુરુદેવ પૂ.આચાય ભગવત લબ્ધિસૂરીશ્વ ૨જીમ. સા. નું સાંનિધ્ય મળ્યું. મહાપુરુષના સમાગમે શાસ નના રહસ્ય। શ્રવણ કરવાનેા અમૂલ્ય અવસર તથા મહાપુરુબની ભાવદયાના દન કરવા મળ્યાં. પૂ. પા. દાદાગુરુ દેવેશે અમારા સાધ્વીમડળને ફરમાવ્યું મારા વિદ્વાન શિષ્ય વિક્રમ વિજય તમને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના આપશે.” જીવનમાં પ્રથમવાર ઉત્તરાધ્યયન સૂત્રનું નામ સાંભળ્યું. પૂ. પા. ગુરુદેવે [વિક્રમસૂધરજી મ. સા] અમારા જેવા ખાલ સાધ્વીઓને લક્ષમાં રાખી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચના દાનના પ્રારંભ કર્યાં. બુદ્ધિની અલ્પતા, વયની પરિપકવતા અથવા ભવપરિસ્થિતિ નિર્માણ નહિ થઈ હાય તેથી ત્યારે ઉત્તરાધ્યયનસૂત્રની મૌલિકતા–મહત્તા સમજાઈ ના હતી. એટલુ' જ સમજાતું હતું કે વિનયની વાત આવે છે. પૂ. ગુરુદેવના જીવનમાં વિનય અને આજ્ઞા પ્રધાનતા છે. એટલું આપણા જેવાં નાનક્ડા સાધ્વીને પણ સમજમાં આવે તેમ પૂ.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯
ગુરુદેવ કેટલું સુંદર સમજાવે છે. આપણે તેા નાન! આલ! ગુરુદેવ જે સમજાવે તે આપણે સમજવું. આ વિચારથી અભ્યાસ અંગે કંઇક માનસિક અભિરુચિ પ્રગટી. પણ, સૂત્રના અભ્યાસ તરફે આકષ ણુ ના હતુ'. વિ.સં. ૨૦૦૯નુ પૂ. દાદાગુરુદેવનું ખંભાતમાં ચતુર્માંસ,
પૂ. દાદાગુરુદેવને મેતિયાની તકલીફ વધતી જતી હતી. દિવાળીના દિવસમાં પૂ. દાદાગુરુદેવની ભાવનાથી પૂ. ગુરુદેવે એ દિવસમાં સંપૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્ર સભળાયું. પૂ. ગુરુદેવ મધુર વાણીમાં ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરે અને પૂ. દાદાગુરુદેવ સૂત્ર શ્રવણમાં એટલા નિમગ્ન બનતા હતા કે જાણે સાક્ષાત્ પરમાત્મા મહાવીરની જ દેશના શ્રવણ ના કરી રહયા હાય ! ! ! તે મનેાહર દૃશ્ય આજે પણ આંખ સમક્ષ ખડું થતાં આંખા અશ્રુથી સભર અને છે.
તે સમયે તે મનમાં એક આછી પાતળી ભાવના થઈ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કઠસ્થ કરવુ: જોઈ ..... પણ.... અમારા મનની ભાવના તેા મનમાં રહી. પણ, અમારા તારક પૂ. પા. ગુરુદેવેશે એણેાસીત્તેરમાં વર્ષે પણ મહાન જ્ઞાન સાધનાના પ્રારંભ કર્યાં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મેટા અક્ષરની પ્રત પ્રાપ્ત થવાથી આંખે મેાતિયાની તકલીમાં પણ ગાથાઓ કંઠસ્થ કરવા લાગ્યા. અમે જ્યારે પણ વંદન કરવા જઈએ—શાતા પૂછીએ. . . પણ, દાદાગુરુદેવેશને તે પુસ્તક હાથમાં લઈ નાના બાળકની જેમ અભ્યાસ કરતાં જ જોઈએ. હું આનંદ-વિસ્મય અને લાડથી પૂછી લઉં....
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦ “સાહેબજી! આપ શું કરે છે? શ્રી ઉત્તરાયન સૂત્રની ગાથા? સાહેબજી! કેટલી ગાથા થઈ?” આ મારે રોજને કમ થઈ ગયે, પૂ. દાદાગુરુદેવ પણ અમારા જેવા બાળકોને પ્રેરણા મળે એટલે કહે. આજે મારી આટલી ગાથા થઈ. આટલાં અધ્યયને થયાં. “તમારી ગાથા? શું અભ્યાસ ?” મહાપુરુષની પ્રેરણાથી આંતરમનમાં જ્ઞાનપ્રાપ્તિની ઝંખનના થઈ. વિસં. ૨૦૧૦માં અમારા પૂ. ગુરુદેવે નાદુરસ્ત તબીયતમાં પૂ. દાદાગુરુદેવની આંતરિક ભાવનાથી પ્રેરાઈ શ્રી ભગવતીસૂત્રના ગોદ્દવહન પ્રારંભ્યા. પૂ. દાદાગુરુદેવની તે સમયની નિત્ય-નોંધ મેં વાંચી છે. દર બીજા-ત્રીજા દિવસની ધમાં અલગ અલગ રીતે એક જ વાત આવતી હોય. “અમારા પ્રિય વિદ્વાન શિષ્ય વિક્રમ વિજયે નાદુરસ્ત તબીયતે પણ ગુરુની ભાવનાથી શ્રી ભગવતીસૂત્રના જોગ પ્રારંભ્યા છે. દાદાશંખેશ્વર પાર્શ્વપ્રભુની સહાયથી જેગ પૂર્ણ થાય. કારણ, મને તેની ખૂબ જ ફિકર રહે છે.” - પૂ. ગુરુદેવના ગોદ્દવહન સાથે અનેક સાધુ– સાવીના ગદ્દવહનને આરંભ થયે. અમારા પણ ઉત્તરાધ્યયન સૂત્ર તથા આચારાંગ સૂત્રના એગ વરસીતપની અંદર શરુ થયા. ચેથા અધ્યયનની અનુજ્ઞાને સમય આવ્યો. ક્રિયા થઈ ગઈ. “એક કલાકમાં ચૈથું અધ્યયન કંઠસ્થ કરીને લાવો.” મારા વડીલ ભગિનીને તથા મને અમારા પૂ. ગુરુદેવે સુત્ર પાઠ આપ્યું. અ પિણે કલાકમાં
અસંખયું છવિય મા પમાયએ.” અધ્યયન કંઠસ્થ કરી પૂ. ગુરુદેવને સાંભળાવ્યું. પૂ. ગુરુદેવે આશીર્વાદ આપ્યા
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૧
જલદીથી ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરજે. અમારા પૂ. વડીલબેન રત્નચૂલાશ્રીજી મ. ની અધ્યયનમાં ખૂબ તીવ્ર ગતિ. પૂ. ગુરુદેવે કૃપા કરી સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણ પ્રારંભ કરાવ્યું. મારું મન તો ઘણીવાર થાકી જતું હતું. પણ, પૂ. ગુરુદેવની પ્રેરણાએ અભ્યાસ આગળ ચાલ્યું. અમે બંને ભગિનીઓ પૂ. દાદાગુરુદેવનો જન્મદિવસ હોય, કે પૂ. ગુરુદેવને જન્મદિવસ હોય, દીક્ષા તિથિ હેય, કંઈક પ્રસંગે હોય તે ઉત્તરાધ્યયનનું અધ્યયન શેધીએ કયા અધ્યયની પચાસ ગાથા છે? કયા અધ્યયની એકસઠ ગાથા છે? તે કંઠસ્થ કરીએ.
આમ કરતાં કુશાગ્ર બુદ્ધિના કારણે મારા વડીલ ભગિનીનું ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ થઈ ગયું અને મારું સૂત્રાધ્યયન અપૂર્ણ જ રહ્યું. વિ.સં. ૨૦૧૫ માં પૂ. દાદાગુરુદેવનું દાદર જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ. મારું કંઈક સદ્ભાગ્ય જાગ્યું. એક દિવસ પૂ. દાદાગુરુદેવ કહે “વાચંયમા! જે, તું એક અધ્યયન રેજ કંઠસ્થ કરે તે તને હું ગાથા આપું.” બસ...પછી તે મહાપુરુષની કૃપાએ જેમ “પંગુ લંઘયતે ગિરિ ” તેના જેવું થયું. પૂ. દાદાગુરુદેવ એક અધ્યયન આપે. મારું એક અધ્યયન કઠસ્થ થઈ જાય. આખું અધ્યયન મુખપાઠ બોલાવે. સંપૂર્ણ અધ્યયન બરાબર ચાલે તે બીજુ આપે. આમ સત્તર દિવસમાં ઉત્તરાધ્યયન સૂત્રના સત્તર અધ્યયન કંઠસ્થ થવાથી મારે ઉત્તરાધ્યયન સૂત્રને અભ્યાસ પૂર્ણ થશે. દાદાગુરુદેવ તથા પૂ. ગુરુદેવ ખૂબ ખુશ થયા. તે વખતે કહ્યું. “અગિયાર અંગ કંઠસ્થ કરવા પ્રયત્ન કરજે.”
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૨
0.
આનંદમાં હતા. ઉત્તરાધ્યયનનુ છું તે હું તને રાખવાનું ....હું
'
પૂ. દાદા ગુરુદેવ એક વખત ખૂબ અને મને કહ્યું- વાચયમા ! જો આ પુસ્તક કે જેનાથી હું ગાથા કથસ્થ કરુ ભેટ આપીશ....તારી જ માલિકી....તારે સમજીના શકી....કે પૂ. ગુરુદેવેશ આ દ્વારા મને શું ફરમાવી રહ્યાં છે...! ! ! બાદમાં તે વિ. સ. ૨૦૧૭ના અષાઢ સુદ પાંચમથી પૂ. દાદા ગુરુદેવેશની તખીયત મુંબઈમાં ખૂબ અગડી. પૂ. દાદાગુરુદેવેશના અંતિમ સમાધિના દિવસે સેવામાં લીન પૂજ્ય આચાર્ય ભગવંત જયંતસૂરીશ્વરજી મ. પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી પ્રેમ. નવકારમંત્રની ધૂન.... ઉત્તરાધ્યયન સૂત્રને મંગલપાડ....મને અત્યારે પણ યાદ છે વિ. સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ એકમના દિવસ...વાચયમા તું એટલ.” અણુવસિ મહાસિ” ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન....અધ્યયન ખાલી પણ અર્થ સાક્ષાત્કાર થાય નહિ. પૂ. પાદ ગુરૂદેવે પણ પુનઃ એજ અધ્યયન પ્રકાશ્યું. ત્યારે જે ભવ્યતા અને દિવ્યતા પથરાયેલી હતી તે શબ્દાતીત છે
પૂ. દાદાગુરુદેવ આધ્યાત્મિક વારસદાર સમા શિષ્ચાને છેાડીને મેાક્ષમાગે સંચર્યાં. પૂ. આચાર્ય ભગવંત જયંતસૂરીશ્વરજી મ. તથા પૂ. ગુરુદેવે મારા પર કૃપા કરી. પૂ. દાદાગુરુદેવનું ઉત્તરાધ્યયનસૂત્રનુ' પુસ્તક મને આપ્યું. કેટલાંય વર્ષો સુધી એજ પુસ્તકથી ઉત્તરાધ્યયનસૂત્રના પાઠ ક્યાં. અમારા પૂજ્ય માટા મ.સા. સર્વાદયાશ્રીજી મહારાજે
Page #27
--------------------------------------------------------------------------
________________
પૂ. દાદાગુરુવેશના પ્રિયસૂત્રનું પ્રકાશન કરાવ્યું. અમારા જ્ઞાન સાધનામાં રત વિશાળ સાધ્વી મંડળે ઉત્તરાધ્યયન સૂત્રને નાદ ગુંજિત કર્યો. પ્રતિદિન સૂત્રપાઠ–અર્થપાઠસ્વાધ્યાય થવાં લાગ્યાં. અમારા પૂજય ગુરુદેવની સદૈવ પ્રેરણા રહે છે-“સુત્ર ઉપર મૌલિક ચિંતન કરે...”
- પૂ. પાદ ગુરુદેવના દીક્ષા પર્યાયની અર્ધશતાબ્દી પ્રસંગે શ્રી દશવૈકાલિક સૂત્રનું ચિંતન આલેખાયું. પૂ. પા. ગુરુદેવની પ્રેરણા–પ્રોત્સાહન જ્ઞાનારાધનામાં સદા રહ્યા છે. વિ. સં. ૨૦૩૬ના જેઠ સુદ ત્રીજ ના દિવસે અમારા પૂ. ગુરુદેવને અર્ધ શતાબ્દી મહોત્સવ કુપાક તીર્થમાં ઉજવાયેલ. મેં પણ તે નિમિત્તે વષીતપ કરેલ. પારણાના દિવસે પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી. “હું કંઈક અભિગ્રહ રાખું? મારા અભિગ્રહ પૂર્ણ થાય તે પારણું કરવું.” પૂજ્ય ગુરુદેવે દશ કલાકની મુદત આપી. જેઠસુદ ત્રીજના બ્રાહ્મમુહૂર્તમાં માણિજ્યસ્વામીના દર્શન કર્યા પ્રભુના દર્શન કરતાં જેવા ભાવે થયા તે ભાવે પ્રમાણે બાર અભિગહ ધાર્યા. લખીને કવર બંધ કર્યું. એક થી બે વાગ્યા સુધીમાં નવ અભિગ્રહ પૂર્ણ થયા. ત્રણ અભિગ્રહ બાકી હતા. એક અમારા અભ્યાસી બાલમુનિ અજિતયશ મહારાજે નવ કલાક અભ્યાસને અભિગ્રહ લઈ મારો અભિગ્રહ પૂર્ણ કર્યો. અમારા વડીલબેને કહ્યું વાચંયમ! જે, હવે તારે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર લખવાનું છે, હોં !! આથી મારે અગિયારમે અભિગ્રહ પણ પૂર્ણ થયે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરૂદેવ કોઈપણ નિયમ મારા દુર્ણ દૂર કરવા માટે આપો.”– આ મારે બારમે અભિગ્રહ હતો અને પૂ. ગુરૂદેવે પણ ખુદની છાએ મને અભિગ્રહ. એ. આમ, મારા બાર અભિગ્રહ પૂર્ણ થયા
હવે શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ઉપર લખવાનું એ નિશ્ચિત થયું. વર્ષોની આંતરિક ભાવના હતી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ચિંતન-મનન કરવાની..પણ, પ્રમાદ અને અનિયમિતતા
એ મારા ભયંકર દુર્થ છે. ભાવ પ્રમાણે કાર્ય થાય નહિ. પૂજ્ય ગુરુદેવની પ્રેરણા સતત ચાલુ રહી. વિ. સં. ૨૦૩૮ના મદ્રાસમાં ચાતુર્માસ હતું. ચાતુર્માસ દરમ્યાન મામ્બલમમાં જવાનું થયું. મહાપ્રમાવિક શાંતિનાથ પ્રભુનું સામ્રાજ્ય. શાંત અને આલ્હાદક વાતાવરણમાં શ્રી ઉત્તરાયસૂત્રનું આલેખન શરૂ કર્યું. બે ચેપ્ટર લખાયા અને તપસ્વી સારી નયપક્વાશ્રીજી તથા સુધાંશુયશાશ્રીજીની તબીયત નાદુરસ્ત થવાથી મદ્રાસ શહેરમાં જવાનું થયું. પ્રારંભેલ કાર્ય પૂર્ણના થયું. મામ્બલમ ક્ષેત્ર સાથે પણ કોઈક અજબને સંબંધ છે. “દશવૈકાલિકચિતનિકા આલેખનને પણ પ્રારંભ ત્યાં થયે. પૂર્ણ ના થયું. ઉત્તરાધ્યયન સૂત્ર અંગે પણ એમ જ થયું.
વિ. સં. ૨૦૩૯ પૂ. ગુરુદેવ સપરિવાર મદ્રાસથી ઓગણીસસે કિલોમીટરને વિહાર કરી ગુજરાત પહોંચ્યા. મારે પૂ. ગુરૂદેવની આજ્ઞાથી ચૌદ સાધ્વીજી સાથે હૈદ્રાબાદ પીલખાના જિનમંદિરનાં ખાતમુહૂર્ત-શિલાન્યાસ પ્રસંગે જવાનું થયું. અમારે ગુજરાતને વિહાર નિશ્ચિત હતે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૫
હૈદ્રાબાદ–સિકદ્રાખાદ સંઘની વિન ંતિ પૂજ્ય ગુરુદેવે માન્ય કરી અને મને આજ્ઞા કરી કે ચાતુર્માસ હૈદ્રાબાદ-સિકંદ્રાબાદ કરા.” વૈશાખ સુદ ખીજના “મહાતી કુલપાકમાં” આવ્યા. માણિકયપ્રભુના દર્શન કર્યા. તે જ દિવસે અમારા પૂ. ગુરુદેવની આજ્ઞાથી અમારા પૂ. ગુરુબંધુ રાજયશવિજયજી માના પુત્ર આશે.
*
“પૂજ્ય ગુરુદેવ ઘણીવાર યાદ કરે છે . વાચ યમા ! ઉત્તરાયન સૂત્ર ઉપરનું લેખન કચારે પૂર્ણ કરશે ?”
અની શકે તે તમે આ વખતની કુલ૫ાક તીર્થની સ્થિરતામાં આ કાર્ય પૂર્ણ કરે. બે ચાર દિવસ વિચાર કર્યાં. ચાલી રહેલા અનેક કાચને સમેટયાં, કલ્પાક તીથ ના ઇતિહાસની out line કર્યાં પછી ઉત્તરાધ્યયન સૂત્રનું આલેખન કરવું હતું. સાથે રહેલ સાધી મંડળના સહકારની પણ ખૂબ જરૂર હતી. બધા સાધ્વીએ સહકાર આપ્યા. કાઇ સ્વાધ્યાયમાં, કોઈ જાપમાં, કોઇ અધ્યયનમાં, કોઇ વાંચનમા જોડાયા. વયેવૃદ્ધ સાઘ્વી કુલયશાશ્રીજી રાજ લેખન ચેાગ્ય વાતાવરણ તૈયાર કરી, પેન-પેપર-પાણી વિગેરે આવશ્યક જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગ્યા. વૈશાખ સુદ આઠમના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રના ચિ'તનના પ્રારંભ કર્યાં, વૈશાખ વદ આઠમના લેખન પૂર્ણ થયું. અમારા પૂ. ગુરુદેવનું ચાપનમુ` વર્ષ` પ્રારંભ થવાનુ હતુ, તે નિમિત્તે ઉત્તરાધ્યયન સૂત્રના ચેાપન વિવિધ પદો ઉપર લેખ લખ્યા.
ખરેખર ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ચિંતન-મનન કરવા · જેટલી મારી બુદ્ધિ કયાં ? પણ, એક જ શ્રદ્ધા અને વિશ્વાસે
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૬
લખતી ગઈ....પૂ. ગુરુદેવ મારા પર કૃપા કરી સાદ્યત વાંચશે અને પૂ. ગુરુબંધુ પન્યાસ રાજયશવિજયજી મ સા. સપાદન કરી આપશે. શ્રી દેવાધિદેવ વીતરાગ પ્રભુ માણિકયસ્વામીની પરમ પવિત્ર છાયા...અધિષ્ઠાયક દેવાની સહાય....એટલે લેખન કાય ચાલ્યું. તે સમયની ગરમી પણુ અસહ્રય....છતાંય પેન હાથમાં લઉં ને પ્રસન્નતાનું સામ્રાજ્ય ફેલાઈ જતું હતુ. મારા અભ્યાસ અલ્પ, બૌદ્ધિક પ્રતિભા પણ નહિ. પણ, ગુરુકૃપાના સહારે આલેખન પ્રારંભ્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સુભાષિતા જોઉ અને કયારેક પ્રભુનુ' અ ંતિમ સમવસરણ દેખાય. અને લાગે કે જાણે ત્યાં જ પહોંચી ગઈ છે. અને સાક્ષાત્ પ્રભુ મને ફરમાવી રહ્યા છે ! ! !
કયારેક એવું લાગે કે અમારા પૂ. દાદાગુરુદેવ મને આધ આપી રહ્યાં છે. તા કયારેક એવા ભાસ થાય કે મારા પૂજય ગુરુદેવ મને હિતશિક્ષા આપી રહ્યા છે !! આ ભાવસૃષ્ટિમાં વિભેર બનીને લખતી હતી. મારા આત્મા સૂત્રના રહસ્યને પામે એ જ હિતભાવનાથી ચિંતન આલેખ્યુ છે, પ્રભુ શાસન મંગલમય છે. પ્રભુ શાસનના ચતુવિધ સધ મ ંગલમય છે. દીષ પાત્ર હોય તે મારા આત્મા . છે. ૫'ચમ આરા છે. મારા દાષાનુ નિવારણ થાય એજ ભાવના.’’
પ્રભુ આજ્ઞા વિરુદ્ધ–મહાપુરુષના શુભ ભાવ વિરુદ્ધ લખાયુ હાય તે અવશ્ય મારી શુદ્ધિ કરો, આ ચિંતનમાં કઈ પણ શુભ હાય તેા તેનું શ્રય મારા તારક પૂ. ગુરુદેવને છે. ત્રુટિ મારી છે. હું તેા અજ્ઞ છું. સુજ્ઞ ! અજ્ઞ એવી મને સદા ક્ષમા બક્ષે...
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૭
આ લેખનથી મારી લઘુ ભગિની સાધ્વી શુભેા દયાશ્રીને તથા અમારા જ્ઞાની ધ્યાની સાધ્વી મંડળને આનંદ થશે. પૂ. ગુરુદેવના શુભાશિષે અને અમારા પૂ. મેટા મહારાજના સંચાલને આ સાધ્વીમંડળ સદા જ્ઞાન ધ્યાનમાં રત છે. સાચે આ લેખન એ મારા તારક ગુરુદેવની . કૃપાનું ફળ છે. તે મારા પૂ. વડીલ (સંસારી માતા) ઉપકારી સર્વાદયાશ્રીમહારાજે કરેલી નિષ્કામ શાસનસેવા અને ગુરુભક્તિના પ્રભાવે છે. અમારા ચેાગક્ષેત્રમાં તેમણે જે શ્રમ લીધે છે તે કથ્ય નથી પણ સ્તુત્ય છે.
ધો.
Yo...
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ચિંતનિકાનું. મેટર ગુરુદેવના સંયમના ૫૪ વર્ષના અંતિમ દિને ખંભાતમાં... મેાકલાળ્યું. પૂ. ગુરુદેવે સ્વીકાયુ`. ગુરુચરણાં શિષ્ય—શિષ્યાની સદા પ્રા'ના હાય. વાત્સલ્ય મૂર્તિ ગુરુદેવ સદા જ્ઞાનના પ્રદાન કરે—સદા માર્ગોંદન કરે. મારી અંતરની ભાવના હતી પૂ. ગુરુદેવ કૃપા કરી મને સાદ્યંત સુધારી આપે. પૂ. ગુરુદેવની પણ હૃદયની ભાવના હતી. સંપૂર્ણ` શેાધી આપવાની....પણ....મારુ પુણ્ય... પૂ. ગુરુદેવને અનેકવિધ શાસનકાયની જવાબદારી, ગચ્છના સંચાલનની વિશિષ્ટ -- કાય વાહી, સાથે નાદુરસ્ત તબીયત....દોઢ વર્ષ સુધી લેખન .. ફાઇલ એમ જ રહી. છેવટે પૂજ્ય ગુરુદેવે આજ્ઞા ફરમાવી, વાચયમા ! પંન્યાસ રાજયશવિ. સંપાદન કરી આપશે. પૂ. ગુરુદેવની આજ્ઞાથી અને હૃદયની શુભભાવનાથી જ અમારા પૂજય ગુરુબંધુ રાજયશ વિ. મહારાજે સંપાદન ..
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૮
કાર્ય સ્વીકાર્યું. સતત પ્રવૃત્તિ-વિશિષ્ટ જવાબદારી હેવા ' છતાંય શાંતિનગર (અમદાવાદમાં સળંગ સમય આપી
અક્ષરશઃ સંપાદન કરવા તેઓએ ખૂબ જ શ્રમ લીધે. - તેમના સંપાદને જ આ ચિંતનને નવતર ૨૫ મળ્યું.
આત્મીય વ્યક્તિના આભાર શી? પ્રતિદિન પ્રાર્થના... સદા સહાયક બનજે...” . આ ગ્રંથની પ્રથમ સાદંત કેપી સાથ્વી અર્વત્
પદ્માશ્રીજીએ કરી. બાદમાં પ્રેસ કેપી સાધ્વી તીર્થયશાશ્રી, -સાવી પ્રજ્ઞપ્તિયશાશ્રી અને સાધ્વી દિવ્યયશાશ્રીએ કરી. આ ગ્રંથનું પ્રફ સંશોધન સાધ્વી પુનિતયશાશ્રી તથા સાધ્વી - તીર્થયશાશ્રીએ કર્યું. આમ અમારા સાધ્વી મંડળની શુભેચ્છા - સહકારે આ ગ્રંથ જનતા સમક્ષ આવી રહ્યો છે. પણ, - ગ્રંથની શોભા તે અમારા તારક પૂ. ગુરુદેવના શુભાશિષથી જ છે. પુનઃ પુનઃ નતમસ્તકે ગુરુ ચરણમાં એક જ પ્રાર્થના.... હું આપના આશીર્વાદને યોગ્ય બનું. સૂત્રને આદર્શ - મારામાં સજીવન થાય. પ્રભુ શાસનના ચરણે સર્વસ્વ - સમર્પિત રહે એજ સદાની નમ્ર ભાવના.
ગુરુ ચરણરેણુ સાધ્વી વાચંચમાશ્રી.
જૈન ઉપાશ્રય, દેવકીનંદન સોસાયટી,
અમદાવાદ, ૬ વિ. સં. ૨૦૪૧ મા. સુ. ૫
તા. ૨૬-૧–૧૯૮૫
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિતનિકા પ્રગટ કરતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકાની બીજી આવૃત્તિ પણ અમે હમણાં જ પ્રસિદ્ધ કરી છે. લબ્ધિ પ્રશ્ન ભા. બીજે પણ પ્રસિદ્ધ થઈ ચૂકયે છે.
આ ઉત્તરાધ્યયન સૂત્ર આમ તે સાધુ ભગવ ંતના અધિકારનો ગ્રંથ છે. પણ લેખિકા પૂ. સાધ્વીજી મહારાજે જે રીતને ચિંતન પ્રવાહ વહાવ્યો છે તેથી તે સમસ્ત સાધુ જગતને ઉપકારી હાવાની સાથે શ્રાવક શ્રાવિકા વર્ગમાં પણ અધિકારને ચથ બન્યા છે અને અભિનવ ભાષામાં આ આગમ અર્ક સહ સુધી પહોંચતા થયા છે. અમને શ્રી દશવૈકાલિક સૂત્રની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાના ભાવિક અને ખાસ કરીને ખૂબ જ મધ્યસ્થ પરિણામી સ્થાનકવાસી જૈન સંઘના ભાઈઓ તરફથી અનુરાધ થતા . હતા. તેવી જ રીતે પ્રસ્તુત પ્રકાશન અંગે પણ તે ગુણાનુરાગી આત્માઓને ખૂબ આગ્રહ હતા. જો આ ગ્રંથનુ પ્રકાશન અમે યથાશીઘ્ર કરી શક્યા હાત તે આજે તા. અમે શ્રી આચારાંગ ચિંતનિકા ને પ્રકાશિત કરી શકયા હાત.
22
આ ઉત્તરાધ્યયન સૂત્રની ચિ'તનિકા લેખિકા પૂ. સાધ્વીજી વાર યમાશ્રીજી એ પૂ. ગુરુદેવના પચાવનમાં સયમવર્ષ ના આંખને આલેખિત કરી હતી. અને આજે વડોદરા શહેરમાં પૂજય ગુરુદેવની છપ્પની દીક્ષા તિથિ
.
.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૦
* નિમિત્તે અમે આ ગ્રંથનુ પ્રકાશન કરી રહ્યા છીએ. તે પશુ એક સુંદર ચૈાગ છે.
પરમ પ્રભાવિક પૂજ્ય ગુરુદેવ વિક્રમ સૂરીશ્વરજી • મ. ને પણ પરમ પુણ્યાય છે કે પ્રતિવષ પૂજ્યશ્રીની દીક્ષા તિથિ ખૂબ જ સુંદર રીતે ઉજવાય છે અને અમે સહુ ભક્તજના સહિત અનેક શાસન ભક્ત પુણ્યાત્માને તપ-ત્યાગ—સંયમમાં ‘પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે. - શ્રી રાયપેઠા જૈનસ ઘ....
કવિએ એ ગાયું છે અને હજાર! ગુજારવાથી એ નાદ ગુજિત થયેા છે કે....
જિનકી લબ્ધિ સે વિકસિત હૈ, દક્ષિણકા યહ દેશ હમારા, - લબ્ધિ સૂરીશ્વર ગુરૂવર પ્યારા, વંદન ઉનકે કેડિટ હુમારા u
દક્ષિણ ભારત પૂ. આ. દેવ લબ્ધિસૂરીશ્વરજી મ. ના લબ્ધિવંત શિષ્ય પ્રશિષ્યાથી ખૂબ ખૂબ વિકસિત થયું છે. ધર્મારાધના અને સંસ્કારમાં આગળ વધ્યું છે. માત્ર મદ્રાસમાં જ દસ જિનાલયેાની શુભ પ્રતિષ્ઠા પૂ. દાદા ગુરૂ દેવ લબ્ધિ સૂ. મ. ના કૃપાવંત શિષ્ય પરમ શાસન પ્રભાવક નિત્ય ભક્તામર સ્તત્ર સમારાધક પૂ. આ. દેવ શ્રીમહૂ વિજય વિક્રમ સૂરીશ્વરજી મ. ના શુભહસ્તે થયેલ છે. આ શાસન પ્રભાવનાની હારમાળામાં શ્રી રાયપેઠા શ્રી જૈન સંઘ પણુ સદા જોડાયેલ છે. આ ભવ્ય મદ્વિરને પ્રતિષ્ઠા મહાત્સવ પણ મદ્રાસ શહેરની અનેક શાસન
.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૧
પ્રભાવનામાંથી એક યાદગાર શાસન પ્રભાવના હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આખાય સંઘમા એક ધર્મ ચૈતન્યનું નિર્માણ કરવા તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવે સાધ્વી સર્વોદયાશ્રી મ. ના નિશ્રાવત સા. વસુપધાશ્રીજી સા. કુલયશાશ્રીજી અને સા દિવ્યયશાશ્રીજીને ચાતુર્માસ માટે મોકલ્યા હતા આ ત્રણેય શાંત-દાંત—અને વિનયી સાધ્વીજીની નિશ્રામાં રાયપેઠા શ્રી સંઘે ખૂબ જ સુંદર આરાધના કરી હતી. આ આરાધનાના હર્ષોલ્લાસ રૂપે શ્રી રાયપેઠા સંઘે રૂ. ૧૦,૦૦૦ ની રકમ પોતાના જ્ઞાનખાતામાંથી સમપીને પ્રસ્તુત પ્રકાશનમાં લાભ લીધે છે. સંસ્થા શ્રી સંઘ રાયપેઠા તથા આગેવાન ટ્રસ્ટી ગણ તથા ઉપદેશક પૂ. સાધ્વીજી મહારાજાઓને ખૂબ જ આભાર માને છે.
આવા સુંદર પ્રકાશનોમાં સહાયભૂત થનાર સહુની પુનઃઅનમેદના.
પ્રસ્તુત પ્રકાશનની ૧૦૦૦ કોપીઓને પ્રસિદ્ધ કરવામાં જેઓના ધનદાનને સુંદર ફળે છે તેઓના નામ -નીચે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
પૂ. સરલાશયી માતૃહદયા સાધ્વી સર્વોદયાશ્રી મ. તો લબ્ધિવિકેમ સૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્રની પાયાની ઈંટ છે. સંસ્થાને સંવ રીતે સદ્ધર કરવામાં તેમની પ્રેરણા પૂબ જ આગવી અને મૌલિક છે. પ્રસ્તુત પુસ્તકમાં પણ ૧૦૦ નકલ પૂ. મા મ. ની પ્રેરણાથી શ્રીમતી કંચનબેન ભેગીલાલ
a હશ્વિવિરતિ સ
તત પુસ્તક માગીલાલ
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૨
ઝવેરી મુંબઇવાળાના આત્મશ્રેયાર્થે તેઓના પુત્રવધુ ડે. હસુમતીબેન ચારૂબેન તથા સુનીતાબેને લાભ લીધેા છે. ૧૦૦ નકલના લાભ શ્રીમતી કલાવતીબેન આર. ડી. મકેરીના શ્રેયાર્થે તેઓના પુત્રવધુ ર્હંસાબેન, કૈલાસબેને લાભ લીધે; છે. તથા ૧૦૦ નકલના લાભ શ્રી હરેન્દ્રભાઈ મણીલાલ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી સવિતાબેન હરેન્દ્રભાઈ મહેતા મદ્રાસવાળાએ લીધે છે.
તથા શ્રી નંદલાલભાઈ વારાની પ્રેરણાથી વીરવાણી પ્રકાશન કેન્દ્ર C/॰ ન ંદલાલ તારાચંદ વારા–મુંબઇ, ચંદ્રકાંત રતીલાલ એ'કર-સિકન્દ્રાબાદ, જશવ તલાલ મગનલાલ વેરા –મુબઇ, ખળવ તભાઈ ડોસાભાઈ પટેલ—અમદાવાદ, જશવંતલાલ શાંતીલાલ શાહ મુંબઈ, પ્રેમજી હીરજી ગાલા સુખઇ, ધીરજલાલ વ્રજલાલ શાહ—અમદાવાદ, ચંપકલાલ મણીલાલ—મુખ, વજુભાઈ વાડીલાલ શાહ—મુંખઇ, શાંતીલાલ મગનલાલ શાહુ—મુંબઇવાળાએ લીધેા છે પરંતુ સંસ્થા આ દાનવીરો ને જેટલા અભિનંદન આપે છે તેટલા જ અભિનંદન પરમ સાહિત્ય પ્રેમી શ્રી નંદલાલભાઈ વેારાને આપે છે તેઓની ભવ્ય સાહિત્ય ધગશ, જિનશાસનને પ્રેમ, અને સત્યની નિર ંતર શેાધ, વહવયે પણ એક યુવાન જેવું જોમ, ખૂબ ખૂબ ખૂબ અનુમેદનીય છે અમે સસ્થા તરફથી આ દાતાઓમાંથી કોઇનાથી પણ ભાગ્યે જ પરિચિત છીએ; આ દાતાઓને જ્ઞાનપિપાસુઓને આ
',
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૩
માર્ગ તરફ વાળવાનું પુણ્યમય કાર્ય શ્રી નંદલાલભાઈ એ જ કર્યુ છે.
ખસ, તેની આ સાહિત્ય સાધના અને આત્મ સશેાધના સદાય યશસ્વી અને એ જ શુભ ભાવના.
શ્રી દશવૈકાલિક ચિંતનિકાની કોપીએ માટે જે ભારે સપાટ પડયે હતેા. અને અમે ભાવિકાને નકલ પહોંચાડી શકયા ન હતા. તે અનુભવને ખ્યાલમાં રાખીને અમે પ્રસ્તુત પુસ્તિકાની કુલ ૨૦૦૦ નકલેા છપાવી છે. છતાંય અમને સ ંદેહ છે કે અમે સહુને કોપીએ પહેાંચાડી શકીશું કે નહીં. તેથી જેઓને પુસ્તિકાની જરૂર હાય તેઓ તુરત જ અમને જાણ કરે.
આ પુસ્તિકાનું મુદ્રણ કરવામાં શ્રી ધરણેન્દ્રભાઇએ પણ સારો સહકાર આપ્યા છે, તે બદલ, ધન્યવાદ !
પુનઃ પૂજય ગુરૂદેવને પ્રાથના કે લેખિકા પૂ. સાધ્વીજી મહારાજ પાસે આગમ ગ્રંથ તૈયાર કરાવી સંપાદન કરાવી અમને યથા શીઘ્ર પ્રકાશન માટે પહોંચાડે.
અમે પણ આશા રાખીએ છીએ કે, આપ સહુના જીવનમાં પ્રસ્તુત પુસ્તિકા જે કઈ પ્રશસ્ત તેની અનુમેદનાથી અમે સહુ પાવન બનીએ.
ભાવ સર્જે.
E મુખ્યમત્રી શ્રી રાજેન્દ્રભાઈ એ. દલાલ (સિકંદ્રાખાદ )
તથા પ્રકાશન મંત્રી
શ્રી દિનેશભાઈ એસ. શાહ ( ઈસ્મતુર )
00
Page #38
--------------------------------------------------------------------------
________________
સંસ્થા-પરિચય નામ : શ્રી લબ્ધિવિક્રમ સૂરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર ઉદ્દેશ્ય : પ્રસ્તક પ્રકાશન, શિબિર આજન, તેમજ સમ્ય
- જ્ઞાનપ્રચાર. . સ્થાપના : બીજાપુર, આસે સુદ ૧૦ વિ. સં. (રજીસ્ટ્રેશન આશીર્વાદદાતા શાંતમૂતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્
વિજ્ય નવીનસૂરીશ્વરજી મ. સા... પ્રેરક : વિદ્વાન વક્તા પૂ. પંન્યાસ શ્રી રાજયશવિજયજી મ. સા.
ટ્રસ્ટીગણ મેનેજિંગ ટ્રસ્ટી : (૧) શ્રીમાન રાજેન્દ્ર એ. દલાલ
- સિકંદ્રાબાદ (૨) શ્રીમાન માણેકચંદજી બેતાલા-મદ્રાસ (૩) શ્રીમાન તારાચંદજી ચારડીયા
હૈદ્રાબાદ પ્રકાશનમંત્રી : () શ્રીમાન દિનેશભાઈ શાંતિલાલ શાહ
કેઈમ્બતુર (૫) શ્રીમાન ચંદ્રકાન્ત એ. દલાલ,
અમદાવાદ માનદકાર્યકર : શ્રી મહેન્દ્રકુમાર તુલસીદાસ કેન્દ્રાકટર,
પાલડી, અમદાવાદ-૭ સંસ્થાના પેટ્રને ઃ યાદી આગળના પૃષ્ઠ પર આપેલ છે. સ : અનેક વિશેષ દાતાઓ સહિત ભારતભરમાં આ
સંસ્થાના ૪૭પ લગભગ દાતા છે. સંપર્ક સ્થળ : શ્રી રાજેન્દ્ર એ. દલાલ
Page #39
--------------------------------------------------------------------------
________________
ગાલા
દાતાઓની શુભનામાવલિ શ્રી લબ્ધિ-વિકમ-સૂરિશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર
અમદાવાદ–૧૩ સંસ્થાના દાનવીર પેટેનોની શુભનામાવલિ ૧. શ્રી એસ. કપૂરચંદજી હસ્ત ઃ શ્રીમાન ડુંગરમલજી),
બેંગલેર ૨. શ્રી ખીમચંદજી બેંગાર ૩. શ્રી મિશ્રમલજી નવાજી [હ. લાલચંદજી), મદ્રાસ ૪. શ્રીમતી જયાબેન કપુરચંદજી સુતરિયા હિ રમેશભાઈ,
મદ્રાસ ૫. શ્રીમાન કાંતિલાલ જે. શેઠ, મદ્રાસ ૬. શ્રીમાન દુર્લભજીભાઈ રણછોડદાસ ટંકારાવાલા, મદ્રાસ ૭. શ્રીમાન માણેકચંદ અમરચંદજી બેતાલા, મદ્રાસ ૮ શ્રીમાન ઢડ્ડા એન્ડ હિ. મેહનચંદજી), મદ્રાસ ૯. શ્રીમાન મંગલદાસજી ચૌધરી હિ. સૂરજમલજી], કલકત્તા, ૧૦. શ્રીમાન વચ્છરાજજી મેઘરાજ કવરાડાવાલા, મદ્રાસ ૧૧. શ્રીમાન વિનેદકુમાર બાબુલાલ હિ. સુંદરબેન, મદ્રાસ ૧૨. શ્રીમાન, મિલાપચંદજી જેતલમજી જેન, દિલ્હી ૧૩. શ્રીમાન રૂપચંદજી મરડિયા (હ. લતાબેન, મદ્રાસ ૧૪. શ્રીમાન લખમશી ઘેલાભાઈ હિ. ધનજીભાઈ, હૈદ્રાબાદ
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૬
૧૫. શ્રીમાન ખીમચ ભાઈ ઉજમશીભાઈ, કલકત્તા, ૧૬. શ્રીમાન અરવિદભાઇ રતિલાલ શેઠ, કોઈમ્બતૂર
સંસ્થાના અન્ય દાનવીરીની નામાવલિ
૧. શ્રી એમ્બે સ્ટીલ હાઉસ મદ્રાસ
૨. શ્રી હીરાચંદ રતનચંદ નહાર, મદ્રાસ ૩. શ્રી જતનચંદજી ડાગા, મદ્રાસ
૪. માતૃશ્રી જવલબેન [હ. જિનદાસભાઈ] સાયન~મુ ખઇ આ સિવાયના આ સસ્થાના લગભગ ૪૭૫ સભ્ય છે અમારા આ દાતાઓને શતશત ધન્યવાદ.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૭
અનુક્રમણિકા
શ્રી ઉત્તરાધ્યનસૂત્ર
ન ખર્‘પદનુ નામ' (૧) સેવિણીએત્તિ વુચ્ચઈ (ર) પસાયએ તે હુ દુરાસ પિ (૩) ઉચિટૂò ગુરુ' સયા (૪) રમએ પડિએ સાસ (૫) અપાણ... પિન કેવએ (૬) આયરિય* કુવિય' નચ્ચા (૭) પસન્ના લાભઈસ'તિ (૮) નાણી ને પિરદેવએ (૯) તમ્હા ભિક્ખ્ ન સજલે (૧૦) મણું પિ ન પએસએ ’ (૧૧) નડ્થિ જીવસ નાસેાત્તિ (૧૨) અલાભેા ત ન તજ્જએ (૧૩) ન તેસિ પીહુએ મુણી (૧૪) એવમસ્સાસિ અપાણ (૧૫) ધમ્મા સુત્ક્રમ્સ ચિટ્ઠઈ (૧૬) અસ`ખય' વિય મા–ચતુથ માયએ
(૧૭) છંદ નિરીહેણ ઉવેઇ મેાખ્ (૧૮) ન તેસિ” ભિક્' મણસા પઉસ્સે
‘અધ્યયન ન. ગાથા પૃ. નં.
પ્રથમ (૧)
૨
૧૩ ७
૨૦
૧૩
૩૭
૧૯
૪૦
૨૬
૪૧
૩૨
૪૬
૩૮
22
દ્વિતીય (૨) ૧૩
૪૪
૨૪
૪૯
૨૬
૫૪
૨૭
૫૯
૩૧
૬૫
૩૮ ૭૧
७७
૮૨
૯૦
27
99
"".
""
""
,,
""
""
""
""
19
તૃતીય (૩)
(૪)
""
,,
૪૧
૧૨
૧
૧૧
0
૯૬
૧૦૪
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૮ નંબર, પદનું નામ અધ્યયન નં. ગાથા પૃ.,
(૧૯) વિપસીએજજ મહાવી. ૫ મું ૩૦ ૧૧૦ " (૨૦) અપૂણા સચ્ચમેસેજ ૬ ટૂઠું ૨ ૧૧૭
(૨૧) ઈમ દેહં સમુધરે , ૧૪ ૧૨૪ (૨૨) કમ્સ હેલું પુરા કાઉં, ૭ મું ૨૪ ૧૩ર
જેગમ ન સંવિદે (૨૩) ભાયાએ ઘાસ મેસેજના ૮મું ૧૧ ૧૩૯ (૨૪) અમ્પિયં પિ નિ વિજજએ ૯ મું ૧૫ ૧૪૭ (૨૫) તસ્યાવિ સંજમે સેએ, ,, ૪૦ ૧૫૪
અદિતસ્સ વિ કિચણું (૨૬) સમય ગેયમ મા પમાયએ ૧૦ મું ૧ ૧૬૧ (ર૭) આઈ સિ પહંમહાલય, , ૩ર ૧૬૮
ગચ્છસિ મગ વિસેહિયા (૨૮) અપિયસાવિ મિત્તલ્સ, ૧૧ મું ૧૨ ૧૭૬
રહે કલાણુ ભાઈ (૨) સમણા ભવિસામુ ગુણધારી ૧૪ મું ૧૭ ૧૮૩ (૩૦) ધમ્મારામે ચરે ભિખૂ ૧૬ મું ૧૫ ૧૯૦ (૩૧) ઝાયઈ ખવિયાસ ૧૮ મું ૫ ૧૯૬ (૩૨) ભગવં વાહરાહિ મે ,, ૧૦ ૨૦૪ (૩૩) અભએ પWિવા તુર્ભ, , ૧૧ ૨૧૦
અભયદાયા ભવાહિય, (૩૪) જહા તે દીકઈ રુવ, પસને તે તહામણે ૨૦ ૨૧૭
Page #43
--------------------------------------------------------------------------
________________
નંબર પદનું નામ અચયન નં. ગાથા પૃ. નં. (૩૫) કહું ધીરે અહેઉહિં ઉન્મત્તો , પર ૨૨૩
૦૧ મહિં ચરે (૩) આણુજાણહ પવઈસ્લામ અમે ૧૯મું ૧૦ ૨૨૯ (૩૭) જાવજજીવમવિસ્સામે ,
૩૫ ૨૩૬ ગુણાણું તુ મહબ્બરે (૩૮) ઈહલોએ નિશ્ચિવાસસ્સ ૧૯ ૪૪ ૨૪૪
નિથિ કિચિવિ દુક્કર (૩૯) ન પારએ હાઈ હુ સંપરાએ ૨૦
- ૨૫૦ (૪૦) પુછિઊણ માએ તુમું ,
૨૫૬ ઝાણુવિઘેય જે કર્યો (૪૧) સીહ વ સબ ન સંતસેજપા ૨૧૧૪ ૨૬૩ (૪૨) સન્ના નાઓ વગએ મહેલી ,, ૨૩ ૨૭૨ (૪૩) સંસાર સાગર ધારે, તર ૨૨ મું ૩૧
કને લહેર લહું (૪૪) વિજ્ઞાણેણે સમાગમ્મ, ધમ્મ ૨૩ મું
સાહણ મિછિયં (૪૫) એવં અલિત્તો કામેહિ, તું ૨૫ મું ૨૭
વયં બૂમ માહણે (૪૬) તુમ્ભ સમસ્યાઉદ્ધત્ત–પરું ,, ૩૯ ૩૦૧
અપાયું મેવ ય (૪૭) પુચ્છજજા પંજલી ઉડે કિં ૨૬ મું ૯ ૩૦૬
- કાયાવં મએ ઈહિં
.
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૦
(૪૮) સજઝાય તએ કુજા સવ્વભાવ વિભાવણ (૪૯) સમાહિ· ડિસ ધએ (૫૦) ન અણુણિસ્સ માòા, અમેક્ષસ નથિ નિવ્વાણ (૫૧) પાય. રસા દિત્તિકરા નારણું ૩૨ ૧૦. ૩૩૨
૨૧
૩૩૯
૧૫
૩૪૬
(પર) ખુદ્દો સાહસિઐ નરા (૫૩) ભિષ્માવિત્તી સુહાવહા (૫૪) વાસત્ઝકાએ વિદુરેજા (૫૫) અરિહા આલેાયણ સાઉ (૫૬) અશુદ્ધ રાસ પસરે
૧૯
૩૫૧
97
૩૬ ૩ ૨૬૨ ૩૫૭
૨૬
૩૬૪
""
૨૭ ૩૧
૨૮ ૩૦
૩૪ મુ
× ૩૫ મુ
27
૩
.
૩૧૨
૩૧૯
૩૨૫
Page #45
--------------------------------------------------------------------------
________________
૧. સે વિણીએ ઉત્ત વુચ્ચઈ
卐
ભલા સાધક! તારે સાધકમાંથી સિદ્ધ બનવું છે ? ભકતમાંથી ભગવાન મનવુ છે? આરાધકમાંથી આરાધ્ય બનવુ છે? પૂજકમાંથી પૂજ્ય બનવુ છે? આત્મામાંથી પરમાત્મા બનવુ હાય તેા એક વાત તારી હૃદયપેાથીમાં સુવર્ણાક્ષરે નેાંધી લે.
પ્રથમ વિનીત અન. વિનયીના ચરણે વિશ્વની સર્વ સમૃદ્ધિ સર્વ સિદ્ધિ આળેટે છે. સાધક ! તું કહીશ...અહેા... એમાં શુ મેાટીવાત છે વિનયી જ બનવાનું ને ! નમ્રતા શીખી લઈશ. નમ્રતા જ શા માટે! નમવાની વિશિષ્ટ પદ્ધતિ પંચાંગ પ્રણામ શીખી લઈશ. જો સાધકમાંથી સિદ્ધ બનવાને આ કિમીએ હશે તે જરૂર અજમાવીશ.
સાધક! ઉતાવળા ન થા. દુનિયાની બધી પરીક્ષાએ સરળ છે, પણ કઠીન છે, આકરી છે વિનયની પ્રણાલી. કાયાને ઝુકાવવી, વાળવી, નમાવવી એજ વિનય કહેવાતા હાય તે એક નૃત્યાંગના વિનય સિદ્ધ બનવી જોઇએ. કાર્યને કામને જ વિનય કહેવાતે હાય તેા પ્રત્યેક નાકરને સાધક જ કહેવા જાઈ એ.
હાથ જોડીને માથું નમાવીને ખેલવું. હાજી હાજી કહેતા એલવુ તેને જ વિનય કહેવાતા હેાત તે હજુરીયા જ સવશ્રેષ્ઠ ગુણી ખની જાત.
પ્રતિક્ષણ....પ્રતિપળ જાગૃત રહીને સાવધપણે કાર્ય કરે તેજ વિનયી કહેવાતા ાત તે અમાવાળા સાધક કહેવાત. ના ભાઈ....ના.....વિનય એ તા. આત્માના અબ્દુભૂત
૧
Page #46
--------------------------------------------------------------------------
________________
૨ ] મેાક્ષને અધિકારી વેશ માત્ર નહિ, પણ સમભાવી આત્મ સદ્ગુણ છે. સાધક જીવનના માલમ દિને પ્રથમ પાઠ છે વિનય.
1 લવિનયથી જીવન દીપાવ શેાભાવે અને ઉજ્જવળ બનાવે તે વિનયી. વિનયીને આજ્ઞા કરવી ના પડે. “ તારે પ્રતિક્રમણ કરવુ જોઇ એ...તારે સેવા શુશ્રુષા કરવી જોઈએ.”
ઃઃ
પણ વિનયી પ્રતિક્ષણ-પ્રતિપળ જિનાગમના રહસ્ય પ્રાપ્ત કરવા તત્પર રહે. જિનાગમના રહસ્ય સમજાય તે! વીતરાગની આજ્ઞાનું મૂલ્યાંકન ખ્યાલમાં આવે. આ સમજવા, શાસ્ત્રને આત્મસાત્ કરે. શાસ્ત્ર આત્મસાત્ અને તે વિનયના ગુણ વિકસિત અને શાસ્ત્ર સમજે એટલે ઉત્સગ, અપવાદ સમજમાં આવે, વિધિ નિષેધ સમજમાં આવે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વ્યકિત વિશેષ માટે ફરમાવેલ સૂત્રના-આગમપાઠની રહસ્ય સમજમાં આવે. વિનયી શાસ્ત્ર સમજી માત્ર માહિતીજ્ઞાન ના વધારે, વિનયી શાસ્ત્ર સમજી, વિચારી અટપટી વાર્તાનુ પ્રદર્શન ના કરે. વિનયી શાસ્ત્રનુ ચિંતન મનન કરી કોઈની ભૂલ ના દર્શાવે. પણ.... “ વિનયી તે શાસ્ત્રનુ નિદિધ્યાસન કરી પોતાના જીવનને શાન્ક્રમય બનાવે.” “વિનચી એટલે શસાજ્ઞાના સાક્ષાત્કાર છે
વિનયીનું એવું, બેસવું, વિચારવું, વાંચવું, જોવુ, સાંભળવુ પ્રત્યેક ક્રિયા પાછળ એક જ લક્ષ્ય હોય મને શાસ્ત્રને શુ આદેશ છે ? દૂધ પીતુ બાળક માતાથી દૂર ના રહે. તેમ વિનયી શાસ્રાણાથી દૂર ના રહે. જેમ દૂધપાન કરતું બાળક માથી દૂર રહે તેા તેના પ્રાણ જોખમમાં, મા ન દેખાય તે નાનુ બાળક રડીને ઘરને ગાંડુ કરે તેમ વિનયી શાસ્ત્રાજ્ઞા વગર એક ડગ પણ ના ભરે. શાસ્ત્ર ના સમજાય તેય વિનયી ગુરુદેવની છાયા બનીને રહે. ગુરુના સાંનિધ્યમાં જ વિનયીના
Page #47
--------------------------------------------------------------------------
________________
ગુરુ પાસે બેસવાને સાચો અધિકારી કેણ? સરળઆત્મા. ૩ જીવનનું પ્રભાત પ્રારંભાય. ગુરુના સાંનિધ્યમાં જ વિનયીના જીવનની સંધ્યા ખીલી ઊઠે. - વિનયી બરાબર સમજે છે વસુંધી ઘોર પરિશ્રમ કરી વ્યાકરણશાસ્ત્ર, કેશશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્રમાં પારંગત બનું પછી ધર્મશાસ્ત્રને અભ્યાસ કરું, ત્યારે મને કહ્યું કે વીતરાગ વચનનું નવનીત મળે. પણ કયારે? જ્યારે ગુરુની શીતળ છાયામાં રહે તે સદા અનુપમ વીતરાગ વચનનું નવનીત મળે.
જીવન વિતાવવા સહાય-સહારે-આલંબન પ્રત્યેક વ્યતિને લેવું પડે છે તે હું શા માટે ગુરુદેવના નજદીકમાં રહી ગુરુદેવના જ્ઞાનને વારસદાર ન બનું? 1 ગુરુદેવ મને અભ્યાસ કરાવે કે ના કરાવે, - ગુરુદેવ મને વાંચના આપે કે ના આપે, આ ગુરુદેવ અને પૃચ્છાને પ્રત્યુત્તર આપે કે ના આપે,
પણ ગુરુ જ્ઞાની છે. - ગુરુદેવ જ્ઞાનના હિમાલય છે. તેથી તેમનાથી જ જ્ઞાનની ગંગાના મીઠાં. ઠંડા પવનની તાજગીને અવસર કેમ ચૂકું? જ્ઞાની ગુરુની છાયાથી દૂર તે રહું નહિ, જ્ઞાનગુરુની દૃષ્ટિ પડે ત્યાંજ મારું આસન રાખું. એ દિવ્ય તેજોદષ્ટિ મારા તેને મનના વિકારેને બાળીને ભસ્મીભૂત કરી દેશે. જ્ઞાની ગુરુના તપ ત્યાગના દિવ્ય સામ્રાજ્ય માત્રથી વિષય–કષાય–ઈર્ષ્યાનું તોફાન શાંત બની જશે, મારા તન મન પણ સંયમ ધર્મના પાલનમાં સહાયક બનશે. 35 જ્ઞાની ગુરુના બોલવામાં ભાષા સમિતિને સતત ઉપર હે કયારે પણ વચનને અસંચમ નહિ હેય જ્ઞાનીયાના
Page #48
--------------------------------------------------------------------------
________________
mm
૪] કથાનુયોગ એ મેક્ષને Long way.
દ્રવ્યાનુયોગ એ મેલને Shot way. ભેજનમાં (ગેચરીમાં) કદાચ વિવિધ પ્રકારના રસવંતા આહાર હશે પણ જ્ઞાની ગુરુ ભજન કરતાં પણ એક જ વાત કહેશે. પુદ્ગલને-જડને જડની સહાયની જરૂર છે. પેટ છે તે ખોરાક જોઈએ પણ આસકિત ના જોઈએ. ગુરુ રસવંત આહારને જે રીતે આગતા હશે તેના કરતાં અનેકગુણી મસ્તીથી નિરસ આહારને આરેગશે. આ જવાનું કેને મળે? ગુરુના સાંનિધમાં નિવાસ કરે તેને “ગુરુના સાંનિધ્યમાં નિવાસ એટલે જ્ઞાન જગતમાં નિવાસ.
જ્ઞાન જગતમાં નિવાસ કરનાર જડ જે આત્માથી પણ ચેતન બની જાય. પંડિત જગદીશ ભટ્ટાલંકાર રસોઈયે, પણ ન્યાય શાસ્ત્રના ઝાડ પત્ર લખતે થઈ ગયો. તેમ ગુરુનું સાંનિધ્ય મારા આત્મા ઉપર રહેલ કર્મના પડદા હટાવી જ્ઞાનને પ્રકાશિત કરે. ગુરુના સાંનિધ્યમાં રહેવાથી ગુરુના જ્ઞાનની જાગતી ચોકીના ખુંખારાએ પણ મારા પ્રમાદ ભાવને ત્યાંથી પિબારા ગણવા જ પડે. ગુરુના આદેશ-ઉદેશ પ્રવૃત્તિ-નિવૃત્તિ સમજવા સતત મારે ગુરુ મુખના ભાવનું નિરીક્ષણ કરવું પડે. ગુરુના મુખના નિરીક્ષણથી મારી નિરીક્ષણ શક્તિ વિકાસ પામે.
જગતના કેઈ અજ્ઞાની મને કહે કે તમારા ગુરુ ગુરસે થયા કહું નાના મારા ગુરુને હું ઓળખું છું અનેક વખત મેં તેઓની વિવિધ મુખ મુદ્રાના દર્શન કર્યા છે. ગુરુ ગુસ્સે નથી થયા પણ મારા દુર્ગાને જણાવવા તેઓએ કૃપા કરી શંકરનું રૂપ ધારણ કર્યું છે. એ તે અમારા જેવા અનેકના અવિનયના ઝેર પચાવનાર નીલકંઠ
Page #49
--------------------------------------------------------------------------
________________
સદ્ગુણને પક્ષ કરે અને દુર્ગુણુના તિરસ્કાર કરે તે જૈન [ પ શંકર છે. મારા ગુરુ મારી ભૂલ દૂર થઈ એટલે પાછા વાલ્સનિધિ મારા આત્મગુણના સર્જક બ્રહ્મા, મારા વિકસિત ગુણનું રક્ષણ કરનાર વિષ્ણુ....
" गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरूदेवो महेश्वर "
હું જ્ઞાન મેળવુ, ગુરુના સાંનિધ્યમાં રહું. ગુરુના ભાવને સમજવા પ્રયત્ન કરૂ તે ગુરુ માટે નહિ. ગુરુની સેવા માટે નિહ. ગુરુ નારાજ ના રહે માટે નહિ પણ જો હું વિનયી ના અનુ તે। મારા કર્માં હટે નહિ. જો હું વિનય ના કરું તે; મારા જ્ઞાનાવરણીય કર્મ દૂર જાય નહિ.
હું વિનયી અનુ. મારા આત્મકલ્યાણ અર્થે.... વિનયી અનુ જ્ઞાન આચરના પાલન માટે.... વિનયી અનુ સર્વ કર્મોના ક્ષય માટે....
ત્માને
ભલે હું સ્વાથી કહેવાઉં...સ્વ એટલે માદા ઉદ્ધાર. મારા પેાતાનું કાય કરવું છે. કારણકેવ જાગ્યા વિના સર્વાંને જગાવી ન શકાય માટે મારે વિનયી અનવુ છે. પ્રભુ પરમાત્મા મહાવીરદેવ !
આપે ગુરુ ગૌતમને વિનવી બનાવ્યા. ગુરુ ગૌતમને ગણધર પદ્મથી સત્કાર્યાં, અમને શુ આપ વિનેય ના બનાવા ! વિનય એટલે શિષ્ય, પ્રભુ મારે બનવુ છે આપના શિષ્ય, આપના શિષ્ય ના અનુ ત્યાં સુધી મારા કર્માં કયાંથી વિનયી અને? મારાથી દૂર જાય ? ગુરુ ગૌતમના મિથ્યાત્વને હટાવનાર, ગુરુ ગૌતમના અભિમાનને દૂર કરનાર પ્રભુ ! મારા ઉપર કૃપા ના કરો ! મારા ઉપર પણ દયા કરો...મને વરદાન આપે. ‘હું વિનયી અનુ’’
Page #50
--------------------------------------------------------------------------
________________
''
૬] દુ ણી:પ્રત્યે કરૂણા અને સદ્ગુણી પ્રત્યે બહુમાન રાખે તે જૈન ગુરુ ગૌતમની લબ્ધિના ગુરુ બધુ ના બનાવા તે પણ ગુરુ ગૌતમના જેવા સાચા શિષ્ય મનાવે, સાથેા શિષ્ય જ સાચે. ગુરુ ખની શકે છે.
પ્રભુ મને જો એ પ્રથમ વિનય, મારા ધર્મ વૃક્ષનું મૂળ સ્થિર કરો. મૂળ સ્થિર હશે તે હારે સ્વય’ વિકસિત અનશે.
પ્રભુ ! પ્રભુ ! હું મારુંં ભિક્ષા પાત્ર છલકાવી દે છ
શાખા પ્રશામા
Page #51
--------------------------------------------------------------------------
________________
૨. પસાયએ તે હુ દુરાસચંપિ ક - એક બુદ્ધિમાન-સમજદાર ભયંકર દાવાનલ બુઝાવી શકે છે ત્યારે, એક મૂખ ભયંકર આગ પ્રગટાવીને સમસ્ત શહેરને ભસ્મીભૂત કરી શકે છે. શક્તિ તે બંને પાસે છે. એકની પાસે સર્જક શક્તિ છે તે બીજાની પાસે સંહારકશક્તિ છે.
સર્જકને પણ એક ઈતિહાસ હોય છે. સંહારેકને પણ એક ઇતિહાસ હોય છે.
ઈતિહાસ બંને પાત્રને યાદ રાખે છે. પણ એનું નામ લેતાં મસ્તક ઝૂકી જાય છે. એકનું નામ લેતાં મસ્તક ફેરી જાય છે.
પંચમ ગણધર સુધર્માસ્વામી, સળવર્ષના જંબૂસ્વામીને સમજાવી રહ્યા છે “જબૂ! શેઠ બનવું સહેલું છે પણ સાધુ બનવું કઠીન છે. સાધુ એટલે સમતામૂર્તિ....
સાધુ એટલે સમતાની રસલ્હણ કરનાર... સાધુ એટલે ક્ષમાની સરિતા.. . '
લોકમાતા નદી જેમ મલિનને નિર્મળ કરે, ગદાને સ્વચ્છ કરે, તેમ સાધુ ક્રોધની જવાળામાં ભસ્મ થવા જતાં માનવને સમતાના પાન કરાવે. સાધુ વિશ્વમાં સમતાને મંગલ આદર્શ બડે કરે તે સ્વના તારક–ઉદ્ધારક–ઉપકારક ગુરુને પ્રસન: કેમ ન કરી શકે ? તેઓના ચિત્તની પ્રસન્નતા જળવાય તે.. કરી શકે. . . .
. - પતિની પ્રસન્નતા તો પત્નીનું જીવન આનંદમાં.
શિક્ષક પ્રસન્ન તે વિદ્યાના દાન સરળ બને.
Page #52
--------------------------------------------------------------------------
________________
૮ ]
આત્માની નિદા + પરની પ્રશંસા
જ્ઞાનના પ્રકાશ,
www.
શેઠ પ્રસન્ન તેા સેવકને આવિકાને લાભ મળે. નાવિક પ્રસન્ન રહે તે અનેક મુસાફરોની યાત્રા નિવિ ન અને, વિમાન ચાલક પ્રસન્ન રહે તે અનેક ઉતારૂના પ્રાણનુ રક્ષણ થાય. ગુરુદેવ પ્રસન્ન તેા ગચ્છ પ્રસન્ન. સાધુકૂળ પ્રસન્ન તા સાધુ સમુદાય પ્રસન્ન. સાધુ સંમુદાય પ્રસન્ન તા પ્રભુ શાસનની અદ્ભુત પ્રભાવના. પ્રભુશાસનની પ્રભાવના તે વિશ્વમાં સત્ર આનંદ મગલ. એ મંગલની શરણાઈના શુથી સજીવનું કલ્યાણ.
=
જંબૂ ! મંગળવાત સાંભળી, મંગલ મનાથ કરી. પણ મે તને પહેલાં જ કહ્યું આ · કાયં કપરું છે, છતાં તે મહાન બનવાને નિશ્ચય કર્યાં છે એટલે તારે આકરા ચઢાણ ચડવા પડશે. સાધનાની સિદ્ધિ અર્થે.સાધુતાના પાલન માટે....સ્વગુણાની પ્રાપ્તિ માટે, અનતજ્ઞાનના પ્રકટીકરણ માટે ...તારે તારા ગુરુને પ્રસન્ન કરવાં જ પડશે.
તુ પ્રશ્ન કરીશ ગુરુદેવ ! સાધના મારે કરવાની પછી પ્રસન્ન મારે રહેવાનું. મારી પ્રસન્નતા માટે હું પ્રયત્ન કરી શકું. પણ મને આપનું તેમાં હું પ્રસન્નતા કેવી રીતે લાવી શકું ?
તારી પ્રશ્નની ઝડી વરસવાની છે મને ખબર છે. આવા એક પ્રશ્ન નહિ એક લાખ પ્રશ્નની હારમાળા તુ ખડી કરી શકે છે. પણ મારા એક પ્રશ્નના જવાબ આપ ! તુ શિષ્ય ખરે. કે નહિ ! શિષ્ય અને ગુરુને સ'ખ'ધ ખરો કે નહિ ? વિશ્વમાં અનેક સમધા કર્યાં....અનેકને આત્મીયજન કહી ખુશ કરવા તે જે નાટક કર્યાં....તેનું વન કરું તે તારા ચિત્રો જોતાં તુ હસી પડીશ. ભૌતિક સબધાને ભૂલવા એક આધ્યાત્મિક સંબંધ ગાઢ બનાવ. ગુરુ સાથે અભેદ સમય માંધ
Page #53
--------------------------------------------------------------------------
________________
સુસાધુ વૈરાગ્યયુક્ત વચના બેલે
[ =
શિષ્ય એ તે ગુરુનું “બીજુ... રૂપ છે, જેમ જમણી આંખ દુઃખે તે! ડાબી આંખ તરત મીંચાઇ જાય. બંને આંખ ખુલ્લી ક્યારે રહે ? એક પણ આંખમાં દ્રુ ન હેાય તા.
ગુરુ પ્રસન્ન રહે તે જ સાધનાની સિદ્ધિ.
અપ્રસન્ન ગુરુ પાસેથી તારા ચેગક્ષેમની અપેક્ષા તું કેવી રીતે રાખે ? અપ્રસન્ન ગુરુ પાસેથી રાગદ્વેષમાં અટવાતી તારી નાવને કિનારા પર લાવવાની અભિલાષા કેવી રીતે રાખે ? ગુરુજનને પ્રસન્ન કરવા તારે અનેક કિમીયાએ શેાધવા પડશે ! અનેક ઉપાય, અને યુક્તિએ વિચારવી પડશે ! દિલમાં ગુરુ પ્રસન્નતાની અંખના પેદા કરવી પડશે.
છ મહિનાના દૂધમલ બાળક સાથે મા કેટલી વાત કરે છે. તેને ખુશ કરવા....તેના સુખ-દુઃખને સમજવા, દુઃખ દૂર કરવા કેટલા ઉજાગરા કરે છે. શું તે દૃશ્યા તે જોયા નથી ? માતા બાળકના ચિત્તને સમજવા અનુસરવા પ્રયત્ન કરે છે તે જ પ્રયત્ન તારે તારા ગુરુને સમજવા કરવા પડશે. તેમના ગમાઅણગમા, પસદગી-નાપસંગી, તેમની આદત, જીવન જીવવાની પદ્ધતિ, વાત કરવાની-રજુઆત કરવાની ઢબ, તેની આરાધનાની ભાવના, તેઓના મનાર, તેએનાં સંકલ્પ, તેમના શરીરની અસ્વસ્થતા, તેએના આહાર, નિહાર, આરામના સમય આ બધાના તને ચાક્કસ ખ્યાલ હેાવા જોઈ શે. તેઓ ક્યારે શું કરશે ? કયારે શુ નહિ કરે ? તેની નાનામાં નાની વિગતની પણ સૂક્ષ્મનોંધ તારા માનસપટ પર કોતરાયેલી રહેવી ખૂબ જરૂરી છે.
·
સાધક! ના કહીશ મારામાં બુદ્ધિ નથી, તું શિષ્ય છે. તારે ગમે તેવા સ્વભાવવાળા પણ ગુરુને પ્રસન્ન કર્યા છે
Page #54
--------------------------------------------------------------------------
________________
*
*
૧] તપ-જપ-સાધના એ પતંગ છે, અનુમોદના એ દેરી છે.
આ શરતને યાદ રાખીશ તે ગુરુ પ્રસન્નતાને અમેઘ ઉપાય તને મળી જશે.
જગતની માથાકૂટ કરવાની ભલે તારી પાસે બુદ્ધિ ના હોય. સાધુ થઈને ગામ-ગામનાં નગર-નગરનાં અનેક ભાવિકો અનેક વિચિત્ર વ્યક્તિઓનાં પરિચયમાં તું આવીશ. તે બધાને ભલા ! ભૂલવામાં જ સાર છે. ત્યાં તું મંદમતિ નહિ મહામંદમતિ બનજે. પણ... તારા ગુરુને સમજવા તારે હાંશિયાર બનવું પડશે. જેમાં સ્ત્રી કશું ના સમજે પણ અગ્નિ સાથે કેમ વ્યવહાર કરાય તેનું તેને કેટલું સુંદર જ્ઞાન હોય, તેમ તારે તારા ગુરુને સમજવા બુદ્ધિમાન બનવું પડશે. બુદ્ધિશાળી હેશ તે જ ગુરુથી તારુ આત્મકલ્યાણ થશે. નહિતર જગતના ચેગાનમાં તારી સાધુતાનું લીલામ થશે. હું શું કરું? મારા ગુરુ ગુસ્સે થઈ ગયા. હું શું કરું? મારા ગુરુ મારી સાથે બેલતા નથી. હું શું કરું? મારા ગુરુ મને ભણાવતાં નથી. હું શું કરું ? મારા ગુરુ નારાજ થઈ ગયા છે.
જો તું બુદ્ધિમાન હઈશ તે તું બીજાને કહીશ મારા ગુરુ અંગે તમે ભલે ગમે તેમ કહે કે તારા ગુરુને સ્વભાવ બરાબર નથી પણ આ તમે મને છેટું સમજાવે છે. પુણ્યશાળી !
મારા ગુરુને સ્વભાવ ખરાબ નથી. મારા ગુરુ તે શ્રીફળ જેવા છે. આખું શ્રીફળ ખાવા જાય તેના દાંત તૂટે, પણ કાચલું છેતરા હટાવીને ખાય તેને સાકર જેવું મીઠું પુષ્ટિદાયક પાણી અને સ્વાદિષ્ટ કપરૂં મળે. ભાઈ! તમે ના સમજે. મારા ગુરુને હું જ સમજું, તેમના જેવા ઉપકાટ્ઝ કેણું છે? મારા હિતચિંતક બીજા કેણ છે? તમે
Page #55
--------------------------------------------------------------------------
________________
પરનિંદામાં બધીર બને પર ગુણોમાં અધીર બને. [ ૧૧ મારા ગુરુના શબ્દને જુએ છે. હું મારા ગુરુના હૃદયને પરિચિત છું. જે તેમનામાં મારા ઉદ્ધારની ભાવના ન હેત; તે મને કેમ દીક્ષા આપત? મારું અસ્તિત્વ જ તેમના પુણ્ય બળે પાંગરેલું છે.
આ ગુરુને પ્રસન્ન કરવા તારે બુદ્ધિમાન બનવું જ પડશે. બુદ્ધિમાન બનીશ એટલેથી જ નહિ ચાલે હજી એક પગથીયું આગળ વધ. બીજે પગથીયે આવ. તારે શીઘ-જલ્દી કાર્ય કરનારા બનવું પડશે. સાધનાના માર્ગમાં વિલંબ ના પિોષાય. ક્ષણને વિલંબ શું કરે તેની તને ખબર છે ને ! લવસત્તમ દેવ પાસે શું ખૂટયું? સાત લવનું આયુષ્ય. હા... હા....શું કહે છે, સાતલવનું આયુષ્ય અને છઠ્ઠને તપ. વિલંબ કેટલે? સંસારવાસ ત્રેત્રીસ . સાગરેપમ વધ્ય, અંતરાય, થો સિદ્ધિગતિમાં પહોંચવાને
ગુરુએ ચીધ્યા–ઉપદેશેલા કાર્યમાં વિલંબ કરીશ તે વિલંબ થશે શુદ્ધાત્મદશાના પ્રગટીકરણમાં. ગુરુના વચનનું શીઘપાલન એટલે મોક્ષમાર્ગને ટૂંકે રસ્તે.' મારે ગુરુને પ્રસન્ન કરવા છે. હું હવે વિલંબ નહિ કરું, જલ્દી કરીશ. '
' ના ભાઈ ના. દેડ નહિ, દેડવાથી મંઝિલ પ્રાપ્ત થતી નથી. સાચા માર્ગે દોડવાથી લક્ષ્ય સ્થળે પહોંચાય. હજુ એક વાત યાદ રાખી લે. ગુરુના દિલને જાણીશ અને ઝડપ કરીશ એટલાથી નહિ ચાલે..ગુરુના અભિપ્રાયને અનુસરીશ તે જ ગુરુને પ્રસન્ન કરી શકીશ. ખુદની ઈચ્છાને સાકાર કરવા દુનિયા પ્રયત્ન કરે, ખુદના સંકલ્પને સિદ્ધ કરવા દરેક મરજવા જીવનની હેડ લગાવે. પણ તારે તે મુક્તિનું ગાન
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૨ ] કેશકુંચન એ સુકર છે પણ વાસનાનું લંચન દુષ્કર છે. ગુંજિત કરવું છે એટલે તારે તારી ઈચ્છા, આશા, અભિલાષા - સંકલ્પને ભૂલી જઈ ગુરુના આશયની પાછળ જ હરણફાળ ભરવી રહી.
જે (૧) બુદ્ધિમત્તા (૨) શીવ્રતા (૩) અને ગુરુ આશય અનુવતિતા કેળવીશ તે તારા ગુરુ ગમે તેવા હશે પણ તને તે મુક્તિદાયક જ બનશે. પ્રેમની કળા હિંસકને અહિંસક બનાવે. તું તે સમર્પિત શિષ્ય છે. તારા ગુરુ મેક્ષના સાચા રાહબર છે. તેઓના સ્વભાવની વિલક્ષણતા-વિચિત્રતા તું ભૂલી જા. તારા સમર્પણની એક અમરગાથા વિશ્વમાં ગુંજિત કર.
હું આપને શિષ્ય છું, આપના ચિત્તને સમજનાર છું આપને પડતે બેલ ઝીલી તેને કાર્યમાં મૂકનારે છું. આપના અભિપ્રાયને સમજનાર છું. પ્રભુ ! ગુરુ! પ્રસન્ન બને. સુધર્મા સ્વામી !
મને શક્તિ આપે ચંડરુદ્રાચાર્યના શિષ્ય જેવી, ગુરુની શિક્ષાને સહન કરતા હું કેવલજ્ઞાન પ્રાપ્ત કરું, મારા ગુરુ પણ મારી સહનશીલતાની અનુમોદના કરતાં કેવલજ્ઞાની બને. ગુરુ શિષ્ય અભેદ ભાવે શાશ્વત સંબંધે મળીએ એ જ પ્રભુ મને આપો. પ્રભુ મને નારાજ ના કરતાં. મારે દુન્યવી સિદ્ધિ નથી જોઈતી–પ્રસિદ્ધિ નથી જોઈતી.. મારે જોઈએ છે મારા ગુરુની પ્રસન્નતા.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩. ઉવચિન્હે ગુરું સયા
કર
તૃષાત જલની શોધ કરે
અને જ્યાં જળ હોય ત્યાં નિવાસ કરે. ભેજના ભેજનની શોધ કરે
અને જ્યાં ભજન હોય ત્યાં નિવાસ કરે. રેગા વિદ્ય–ઔષધની શોધ કરે
અને જ્યાં વિદ્ય અને ઔષેધ હોય ત્યાં નિવાસ કરે. જ્ઞાનાથ...સંધમાથી મોક્ષાથી ક્યાં નિવાસ કરે ? જ્ઞાનને ચાહક વિચારે જ્ઞાનને શ્રોત કયાં છે? -
પુસ્તકમાં..? અભ્યાસમાં ?
પુનરાવર્તનમાં જ્ઞાનભંડારમાં...? ભલા સાધક! એ બધા તે જ્ઞાનના સાધન છે. ઘડે એ. જળ નહિ પણ જળ સંરક્ષણનું સાધન છે તેમ પુસ્તક–પુનરાવર્તન અભ્યાસ-જ્ઞાનભંડાર એ જ્ઞાનપ્રાપ્તિના સાધને.
તો પછી જ્ઞાનને સ્રોત કયાં? કેનામાં ? ગંગાને સ્રોત ક્યાં ? કાશીમાં....હરદ્વારમાં...ના..ના..કૂર...દૂર ઉચ્ચહિમશિખરના ઝરણામાં-ગંગેત્રીમાં. બસ સાધક તારી દષ્ટિ ડી. વિશાળ કર, તારે જ્ઞાનાતના દર્શન કરવા છે ને? જ્ઞાનોતના અદ્દભુત સૌંદર્યની મસ્તી માણવી છે ને ? તે પછી ભૂલે. ચૂકેય પુસ્તકની આળ પંપાળમાં ના પડત.
. પુસ્તક જ્ઞાનમાં સહાયક છે પણ..શાનને સ્રોત નથી.
આ સત્ય હકીકત તારી ધપેથીમાં નેધ, પછી તને જ્ઞાન સોતના દર્શન કરાવું. જ્ઞાનસ્ત્રોત ગુરુતાશ તારક ગુરુદેવ ...
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૪ ] હૃદયમાં મૂર્છા હોય તેા ફાટેલું વજ્ર પણ પરિગ્રહ બને.
ગુરુ એ જ જ્ઞાનસ્રોતના હિમાલય છે. કદાચ તને ગંગા વિશાળ લાગશે. અને હિંમાલયમાંથી પ્રગટ થતુ ગગાનુ અરધુ નાનુ લાગશે પણ અધ્યાત્મનું ગણિત જુદું છે. તારી વામન અને વિરાટની કલ્પના અહી ખેાટી છે.
“ જ્ઞાનની ગંગા શિષ્ય... પણ જ્ઞાનગંગાના સ્રોત ગુરુદેવ ” આ સાનેરી સિદ્ધાંત. આત્મસાત. કરીશ તે જ સાધક તને આધ્યાત્મિક ખાળમંદિરમાં પણ પ્રવેશ મળશે. નહિતર ભટક્યા કર...રખડયા કર....તારી ઝાકઝમાળવાળી ભૌતિક જીંદગીમાં. ગગાનું મૂલ્ય અને પવિત્રતા તેના કારણે જ છે તે ઋષિએથી પવિત્ર થયેલ વન્ય અનેક ઔષધિઓનાં રાજા હિમાલયમાંથી પ્રગટ થાય છે તેથી જ ગગા તાપ હારિણી અને પાપહારિણી
અની.
જ્ઞાનપિપાસુ ! હું તારી જિજ્ઞાસાને સમજું છું. તારી જ્ઞાનની ઝંખનાને સમજુ છુ. તારી તપિપાસાને સ્વીકાર કરુ છું. તારી તીવ્ર તમન્ના જ મને પ્રેરે છે અને મને એક જ વાત કહેવાતુ મન થાય છે.
, '
જો તુ જ્ઞાનાથી છે તે ઉચિò ગુરુ સયા.... જો તુ સચમ અભિલાષી છે. તે વિચે ગુરુ સય..... જો તુ મેાક્ષના આકાંક્ષી છે તે ઉચિò ગુરુ સયા... હું શા માટે ગુરુ પાસે હંમેશા એસ’? શુ ત્યાં અવાજ ન હેય? શું ભક્તોની ભરમા નહાય? શું દેશનાથી'ની ભીડ ન લાગી હાય? શું હજારે જિજ્ઞાસુએ હુંજારા જિજ્ઞાસા લઇને ને આવ્યા હોય?!
', .. !
રખે આ પ્રધા વચ્ચે જ્ઞાનની સાધના દુર્લભ ન થઈ જાય. મારું મન એવુ વિચિત્ર છે કે હુ મારી સાધના છેઠી
Page #59
--------------------------------------------------------------------------
________________
કોઈના દોષ ખેલવા તે ખેલતી નિ દા, દોષ જોવા તે સુગી નિ દા [૧૫
પ્રશ્નાથી એની દુનિયામાં ખાવાઇ જાઉ. છુ અને તમે કહે છે જો તુ જ્ઞાનાથી છે તે ગુરુ પાસે એસ. કેમ કરું ? શું કરું? નથી તમારા જેવા હિતસ્ત્રીની વાતને એળગી શકતા, નથી રોકી શકતા મારા વિચારાને. બસ...મને તે થાય છે કે પુસ્તક લઈ એકાંતમાં બેસી જાઉં, અને અન તનુ અપ્રતિમજ્ઞાન પ્રાપ્ત કરી લઉં? શું હિતસ્ત્રી તમે જ મારા મનની મૂંઝવણ દૂર ના કરો ? સાધક............ મેાક્ષાથી ........સયમાથી ..........સાનાથી
તું શબ્દના રહસ્યાને આત્મસાત્ નહી કરે? અને ફકત શબ્દના જ અર્થ કરે? ફ્રી એકજ અને પાછી પેલીજ વાત કરુ છું. વિચ ગુરુ સયા મારાં શબ્દ પાછળ રહેલા રહસ્યને વિચાર...જરૂર તને માર્ગ મળશે...પૂ અવળુ....મથામણુ....અકળામણ નહિ થાય. સમતા શાંતિ મળશે.
પુસ્તકથી જ્ઞાન મળશે તે પણુ કદાચ એક વિષયનું, અને તે પણ કેટલી મહેનતથી? છતાંય કદાચ શાસ્ત્રનું રહસ્ય તે મેળવ્યું જ નહિ હેાય. ગુરુથી જ્ઞાન મળશે તેા ગુરુ તને એક વિષય ભણાવશે પણ તેઓએ જેટલી વિદ્ધતા પ્રાપ્ત કરી હશે તેના અર્ક તને એક બ્લેકમાં સમજાવશે. ગુરુ નાન આપશે તે તારી નાડીની પરીક્ષા કરીને આપશે જેથી તારા ધ્રુણા હટી જાય, અને સદ્ગુણેા તને મળી જાય.
તું ગુરુ પાસે બેસીશ તે ત્રંચ કંઠસ્થ તેા તારી બુદ્ધિ જેટલા જ કરી શકીશ, પણ એ જ્ઞાન સાગર ગુરુદેવ પાસે હજારા વ્યક્તિ આવશે તેની સાથે થતી જ્ઞાનચર્ચા સાંભળીશ તા પણ લાખા પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન તને નહિં મળે તે, જ્ઞાન તારા ગુરુના અનુભવથી તને પ્રાપ્ત થશે. મને ખખર તને હજી સમાધાન થયું નથી. તારી આંખમાં આનંદની
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૬ ] જાત પ્રત્યે કઠોર બનો અને જગત પ્રત્યે કોમળ મને. દેખાતી નથી...તારા મનમાં ખટકે છે....તુ મનમાં ખખડે છે કેવી બેહુદી વાત !!! ગુરુ પાસે બેસવાથી જ્ઞાન ? ગુરુ પાસે એસવાથી સયમ ? અને ગુરુ પાસે બેસવાથી મેાક્ષ ? પાછુ અધુરું હેાય તેમ કહેા છે, ‘ઉવિચš ગુરુ’ સયા’ ગુરુ પાસેથી કયારેય ખસવાનું નહિ ત્યાંજ જીંદગી વીતાવવાની ?
ભલા સાધક !
તને એક વ્યવહારની વાત પૂછું? જવાબ આપ તે સૌભાગ્યવતી સ્ત્રીને મચેલી જોઈ છે? તેની મૃત્યુ શય્યા જોઇ છે? મૃત્યુબાદ પણ સૌભાગ્યવતી સ્ત્રીની પાથીમાં સિ'દુર હાય છે. કપાળમાં કુંકુમનું તિલક હાય છે. હાથમાં સૌભાગ્યના કંકણુ અને ગળામાં મગલસૂત્ર અને લાલસાડી હોય છે. મૃત્યુબાદ આ બધા ઠઠારા શા માટે? અનુભવી કહેશે આ ઠઠારા નથી. સ્ત્રીના મંગલ' સૌભાગ્ય જીવનની મગલતાના સૂચક પ્રતીક છે. પત્નીએ દેહ છેચેા પણ પતિના મંગલ સામ્રાજ્યમાં. સીના સુખી જીવનના એ જ વિજયધ્વજ છે. જેમ અનુભવીની વાણી પાછળ અનુભવનુ અમૃત હોય છે તેમ મારા હૈયામાં તિભાવના છે તેથી કહું વિચš ગુરુ સયા' પણ...તુ શબ્દા ના કરતા. મારે તને વારવાર રાકવે પડે છે.
ગુરુની પાસે બેસવું એટલે.... ગુરુની આજ્ઞા લઈને બેસવુ.
5 ગુરુની દૃષ્ટિથી પવિત્ર થતાં પ્રદેશમાં એસવુ. સચમીઆના સામ્રાજ્યમાં બેસવું,
- જ્યાં સાધુર્યેાગ્ય ભૂમિકા હોય ત્યાં બેસવું. 5 નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય નું રક્ષણ થાય ત્યાં બેસવું.
Page #61
--------------------------------------------------------------------------
________________
સહનશીલતા સુકર છે પણ સ્વપ્રશંસા પચાવવી તે દુષ્કર છે. [૧૭ અને સદ્ગુણના સાક્ષી ગુરુ અને
દુગ્ણ
આપણા ત્યાં બેસવું.
ગુરુની આજ્ઞા આપણે જ્યાં બેઠા હૈઇએ ત્યાંથી સ ભળાય ત્યાં એસવુ.
ગુરુની સેવા શુશ્રુષાને આપણને લાભ મળે તેમ બેસવું.
ગુરુની પ્રસન્નતાના સદા ચાહક બનવું કારણ, ગુરુ જ્ઞાન ગંગાત્રી છે. જ્યારે તેમના હૈયામાંથી કૃપા વરસશે ત્યારે તારી જ્ઞાનગોંગામાં જ્ઞાનના નીર હિલેાળે ચઢશે.
વિચાર વિમર્શીમાં મૂંઝાયેલા સાધક ગુરુને કહે છે, આપની વાત ઠીક છે.. સમજવા જેવી છે....પણ....
સાધક !
તારા શબ્દ! તારા હૈયાની ચાડી ખાય છે. તું મારી વાત ને ઠીક કહે છે, સમજવા જેવી કહે છે પણ આચરવા જેવી છે તેમ નથી કહેતે, ત્યાં સુધી હું સમજુ છું મારી વાત તને ગળે ઉતરી નથી. તારા મનમાં હજી ઘેાળાય છે ને ગુરુન પાસે રેાજ બેસવાનું ?
હા....ભાઈ હા....માક્ષ ના મળે ત્યાં સુધી. કેવી રીતે અને? આયુષ્યકમ ની મર્યાદા ખરી કે નહી ? દેહ ઉપર તે કાળને ધમ અસર કરવાના ને! પુદ્ગલ તેા નાશ પામશે ને! શું મારું અને મારા ગુરુનુ આયુષ્ય સમાન ? મારા ગુરુ મારી સાથે જીંદગી સુધી રહેશે?
તું દેહને! પૂજક કયાં સુધી રહીશ ? તુ પુદ્દગલની માયામાં જ અટવાઈશ ? ગુરૂના દેહની સાથે સદા ન રહેવાય પણ ગુવંજ્ઞા સાથે તા રહેવાયને ? મારા કહેવાના અથ જ એ છે કાળ ખળે.... ક્ષેત્રના કારણે.... કના કારણે... ધર્મના કારણે
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
જગતને જ્ઞાનના દાન કરે તે સાધુ,
....તારા અને તારા ગુરુના દેહનું સામીપ્સ ના રહે. સ્થાન સાંનિધ્ય ના રહે. વચનથી આજ્ઞા ન મળે પણ તારે રહેવાનુ છે હુંમેશા ગુરુ પાસે.
6 ગુરુ આજ્ઞાના પાલનમાં.’
સાધક!
તારી સાધક જીંઢગીના એકડા છુટી લે, રટી લે. ફરી ફ્રીને સમજી લે. “ તુ મેાક્ષાથી છે તેથી સદા ગુરુની આજ્ઞાના દ્વિષ્ય સામ્રાજ્યમાં જ રહેવાનું.” ગુરુ આજ્ઞાના ક્રિષ્ણુ સામ્રા જ્યમાં રહેનારને ગુરુને વિરહ કયારેય થતા નથી. ગુરુ આજ્ઞાનુ દ્વિશ્ય સામ્રાજ્ય એટલું ખધુ વિશાળ છે કે ગુરુ સિદ્ધાચલમાં હશે અને તું ભારતના કોઈપણ પ્રાંતમાં હાઈશ પણ ગુર્વાના તારું સદા સંરક્ષણુ કરશે. અને તુ ગુરુ સાંનિધ્યને સદા અનુભવ કરીશ.
6
ગુîજ્ઞા રહિત અની ગુરુ સાથે રહેવુ' એટલે પેટના કૃમિ જેવુ....’
પર
ગુરુ આજ્ઞા એટલે મારાસ્ત્ર સામે અભેદ્ય કવચ,’ જ્યાં મેહ નહિં ત્યાં માક્ષ.
જ્યાં રાગ નહિ ત્યાં વીતરાગતા.
જ્યાં અજ્ઞાન નહિ ત્યાં સમ્યાન.
ગુરુદેવ !
''
આપની વાત સાચી છે, મેાક્ષાથી એ “વિચš ગુરુ સયા મંત્ર સિદ્ધ કરવા જોઇએ.
અસ....
29
પરમાત્મા મહાવીર દેવ !
ગુરુ ગાતમ જેવી ગુરુ ભક્તિ આપેા. એ જ આપના તારકચરણમાં નમ્ર વિન`તિ....
Page #63
--------------------------------------------------------------------------
________________
૪. રમએ પડિએ સાસ.
卐
દરેક વ્યક્તિને પેાતાનું કર્તવ્ય, પાતાની ફરજ અને પોતાનુ ક્ષેત્ર હોય છે. વફાદાર, તત્ર્યપ્રિય, ફરજ સમજનાર, સજ્જન ક્યારે પણ વ્ય ધર્માંથી પીછે હઠ કરતા નથી. જેમ સૂર્ય, ચંદ્ર, સાગર, સરિતા પેાતાના બ્ય માર્ગોમાં અડીખમ. રહે છે તેમ સજ્જન સ્વીકારેલ નિયમથી પાછો હઠતા નથી પણ, તે બધા સજ્જને પાસેય હૃદય છે. લાગણી છે, લાગણીના નીરથી કોઈની હૃદય ભૂમિકાને પલ્લવિત થયેલી જુએ ત્યારે તેને હૈયે પણ એક ટાઢક-ઠંડકના અનુભવ થાય છે.
૮૦ વષઁના એક વાવૃદ્ધપિતા મૃત્યુની અંતિમ ઘડી' ગણી રહ્યા હતા. ગુરુ સુખે નમસ્કાર મહામ ંત્રનું સ્મરણ કર્યું". ગુરુએ કહ્યું તમારે સંસારીઓને કંઈ સૂચન કરવાં છે? અંતિમ કંઈ વાત કહેવાની છે?
છેલ્લા શ્વાસ લેતાં તે ભાઈ ખેલ્યા....મારા માટો દીકરો યુધિષ્ઠિરના અવતાર છે. જીંદગીમાં કયાતૈય કશુ કહેવું જ પડયું નથી. બધુ પેાતાની મેળે સમજી સુયેાગ્ય બ્ય સમય સૂચક્તાથી કરે છે. તેને ઘણા સમયથી મને સંસારથી નિવૃત
કરી દીધા છે.
પિતાના મુખ ઉપર એક સુયેાગ્ય પુત્રને પૃથ્વી પર છેડીને જ્યાં આન ંદ સ્પષ્ટ તરવરતા હતા. સુયોગ્ય પુત્રના પિતા હેવરાવતાં વૃદ્ધ ગૌરવ અનુભવતાં હતાં.
ક્યારેક શિક્ષકો દ્વારા વિદ્યાથી આના જીવન સંસ્મરણા
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
ગુરુની હિતશિક્ષા સાંભળે તે શિષ્ય.
સાંભળતા થાય છે. હું ભારતદેશ ! તારા સપુતાની આ રાવણ. કહાની...તે કયારેક આદર્શ વિદ્યાથીના આદશેશ સાંભળતા થાય છે કે વિદ્યાદાતાના આ ગૌરવ, તમારા જેવા સપુતાથી માતાએ ધન્યમાતા બનેલી છે.
જ
દ્રોણાચાર્ય રાજગુરુ હતા. હજારો વિદ્યાર્થીના આદ આચાર્ય હતા. અર્જુન “મારા વિદ્યાથી” કહેતા રાજગુરુ દ્રોણાચાર્ય ખુશ થયા હશે પણ, એકલવ્યની ગુરુ દક્ષિણા અને તેનું સમર્પણુ જોતાં સમસ્ત ગુરુએ આજે પણ ખુશ થાય છે. એકલવ્ય કેાના શિષ્ય ? એકલવ્યનાં ગુરુ કાણુ ? એકલવ્યના ગુરુ ખનવાની કાની કાની ઝ ંખના ?
એકલવ્ય વ્યવહારની દૃષ્ટિએ ગુરુ દ્રોણાચાય ના શિષ્ય, પણ હકીકતમાં જે જ્ઞાનિનધિ હાય, શિષ્ય પ્રતિ અગાધ વાત્સલ્ય યુક્ત હોય, જે ગુરુની મૂર્તિ પણ જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક અને તેવા મહાન ગુરુના શિષ્ય એકલવ્ય.
એકલવ્યના દેહના ગુરુ દ્રોણાચાય પણ એકલવ્યના આત્મતત્ત્વના ગુરુ કાણુ ? સનાતન શાશ્વત ગુરુપદ પ્રત્યેક મેાક્ષ માના રાહબર નેતા એકલવ્ય સમા સુર્યેાગ્ય શિષ્યની ઝંખના કરતું જ હોય.
જળતા સ્વાતિનક્ષત્રનુ' પણ છીપમાં પડે તે મેતી. જળતા સ્વાતિનક્ષત્રનું પણ સાપના મુખમાં જાય તે ઝેર. સુયેાગ્ય ખીજનુ વાવેતર સુચેાગ્ય ભૂમિમાં થાય તે ૧ માંથી ૧ લાખ.
ઘેાડેસ્વારને ઘેાડા પર જ મુસાફરી કરવાની હાય પણ. અસવારને મુસાફરીને આનંદ તે ત્યારે જ આવે જ્યારે ઘેાડાને ચાબુક મારવાની ના હૈાય પણ દેખાડવાની જ હાય..
Page #65
--------------------------------------------------------------------------
________________
જૈનસાધુ પાસે વશીકરણની વિદ્યા છે સમભાવ અને નમ્રતા. [ ૨૧
ગુરુને આનંદ ક્યારે ?-૨મએ પડિએ સાસ, પડિતને અનુશાસન કરતાં ગુરુને ખુશી થાય. દિલ આનંદ અનુભવે “ સાધક ! તારા પ્રશ્ન મને ખખર છે તુ હમણાં કહીશ અનુશાસન ડેના ઉપર કરવાનુ હોય ? પંડિત ઉપર વળી અનુશાસન શાનુ મારના ઇંડાંને ચીતરવાનાં શા માટે ?
તારી વાત...તારા તર્ક પ્રથમ દૃષ્ટિએ વિચારતાં દાદ માંગી લે છે, તારી વિચાર શક્તિને બિરદાવું કે તારી અપૂર્ણ વિચાર શક્તિને પુનઃ પુન: વિચાર કરવાની તક આપું ?
સ'સારની ખૂબી છે. માનવને ગારા ગાલ કરતાં ગુમડાની ચિંતા અધિક રહે છે. સાધક! ગુરુ તે તારા સદા હિતચિંતક રહેવાના.
જેમ નિસ્વાથી માતા એક અસહાય પુત્રનેા જ પક્ષ કરવાની તેમ મેાક્ષમાના રાહબર ગુરુને એક સુવિનયી શિષ્ય કરતાં અવિનયી શિષ્યની ચિતા અધિક જ રહેવાની.
ગુરુ વાપરવા બેસશે તા સુવિનયી શિષ્યની સ્મૃતિ પણ નહી કરે અને અવિનયી શિષ્યને યાદ કરશે. કહેશે....પેલા મહાત્મા કેમ દેખાયા નહિ ? ગુરુના હૈયામાં કરુણા છે. જો એકલા વાપરશે તે વાપરવામાં ગરબડ કરશે, મારી સાથે આહાર કરશે....વાપરશે તે ભક્ષ્ય-કલ્પ્ય પણ સંયમયાત્રાના નિર્વાહ અથે વાપરશે.
ગુરુ જ્યાં એસશે ત્યાં અવિનયી શિષ્યની જગા પાસે જ રાખશે. મારી પાસે નહીં બેસે તે કારેક કેવી ભય કર વિરાધના કરી દેશે. વિરાધનાથી બચાવવા અને આરાધનામાં જોડવા વિનયીની જગ્યા નજીક રાખશે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૨ ] આગમનું જ્ઞાન બુદ્ધિની તીવ્રતાથી નહિ
પણ વિનયથી પ્રાપ્ત થાય છે ગુરુ કઈ વાત કરતા હશે તે અવિનયી શિષ્યને પહેલા યાદ કરશે. કારણ તેને હિતશિક્ષા પસંદ નથી. અને જે સંભળાયું ન હોય તે કહેશે મને ખબર ન હતી. ત્યારે કરુણા મૂર્તિ ગુરુ પુનઃ પુનઃ કરુણા વહાવીને પણે તેને તારવા પ્રયત્ન કરશે.
પ્રત્યેક કાર્યમાં પ્રત્યેક પ્રસંગમાં. પ્રત્યેક સંમરણીય બનાવમાં જે આપણને ગુરુએ યાદ કરવા પડે તે સમજી લેવું આપણે ગુરુના દયાપાત્ર છીએ. કરુણાપાત્ર છીએ. ગુરુ આપણે નામ લે છે, બેલાવે છે. પણ હૈયાના એક ઊંડા દર્દથી વિચારે છે કે મારી પાસે આવેલું એક આત્મા...મારી થેડી બેદરકારીના કારણે, બે શબ્દના અભાવના કારણે સાધના માર્ગથી ચૂકી ના જાય, હારી ના જાય, એવા ભાવે ગુરુને આપણું નામ લેવું પડે, આપણને બોલાવવા પડે તેને અર્થ હે ભેળ શિષ્ય ! તું સમજ-વિચાર કે ગુરુની સાથે તે અભેદભાવ સિદ્ધ કર્યો નથી. ગુરુથી તારું નામ જુદું આવવું જોઈએ, તારું કામ જુદું ગણાવવું જોઈએ. આ વાત તારી એક ગુપ્તવાતને પ્રગટ કરી દે છે. જે વાત ભૂગર્ભમાં અમાવી દેવા જેવી હતી તેને જાહેર કરી દે છે. તું તારા ગુરુના પદ, ગુરુના કાર્યને પૂરક બન્યું નથી. તારા અને ગુરુના કાર્ય અલગ છે માટે જ તારા કાર્ય તારે અલગ ગણાવવાં પડે છે.
ગુરુને આનંદ તે થાય છે. “રમ” પંડિએ સાસ ઘેડા પર મુસાફરી કરવાની હોય. પણ ઘેડાને ચાબુક ન મારવાની હોય, હેરાન ન કરવાનો હોય, ચાબુક મારવી પડે તે ગધેડે–એદી ઘડે. ભલે તે ઘોડે પણ તેનું લેહી ગધેડાનું,
Page #67
--------------------------------------------------------------------------
________________
સેવા કરે તે જ શિષ્ય નહિ પણ આજ્ઞાને સ્વીકારે તે શિષ્ય. [ ૨૩ મુસાફરીને આનંદ તેા ત્યારે જ આવે, મુસાફરીના જે સાધન હાય તે જરા પણ તકલીફ ના કરે.
સાધક ! તું તારી જાતને લઘુ ના સમજ તુ એટલે તારા ગુરુના મેક્ષ પ્રવાસના સહાયક. તને હિતશિક્ષા આપતાં તારા ગુરુને અનુભવ થવા જોઈ એ કે મેં એક સુચેાગ્ય આ આત્માને મેાક્ષના ટૂંકા રસ્તા ખતાન્યેા.
જે શિષ્યને અનુશાસન કરતાં ગુરુને આન ંદ થાય તે શિષ્ય પડિત, ભલે તે શિષ્યની પાસે જ્ઞાન ના હૈાય. ભલે તે શિષ્યને તત્વજ્ઞાનની સૂક્ષ્મચર્ચા ન આવડતી હોય તો પણ પંડિત... કારણ જે આત્મા શાસનને યાગ્ય છે, આજ્ઞાને ચેગ્ય છે, હિતશિક્ષાને ચાગ્ય છે, તે જ સિદ્ધિને ચેાગ્ય અને છે.
ગુરુની હિતશિક્ષા સાંભળતા શિષ્ય મૂક વાત કહી રહ્યો છે. “ હું તેા આરીસા છું, કલ્યાણની ભાવનાથી આપના શરણે આવ્યેા છું. મારુ ' હૃદય દર્પણસમુ નિર્માળ છે. સ્વચ્છ છે. વિષયકષાયના ડાઘ નથી. આપના નિર્મળ જ્ઞાનથી પવિત્ર થયેલ આત્માનું જ મારે પ્રતિષિ’બ ઝીલવું છે. આપના સમાન થવા તે આપના શિષ્ય થયા છું !! આપના જ્ઞાન પાસે મારુ' જ્ઞાન તે અલ્પ છે. આપની સાધના હિમાલયની ટોચની છે. હું સાધનાના હિમાલયની તળેટીયે ઊભેલા છું. આપનું મન, વચન અને કાયા પવિત્ર થઇ ચૂકેલા છે જ્યારે મે હજી મન, વચન અને કાયા પવિત્ર કરવાને પ્રારંભ કર્યાં છે. આપ માન –અપમાનને ધેાળી પી જનારા શકર છે. જગતમાં આપે કોઇને શત્રુ મિત્ર માન્યા નથી પણ પ્રત્યેક વ્યક્તિમાં તેજોમય આત્માના દન કર્યાં છે. હું આપના ભાવનેા ચાહક છું પણ બાળક છું અટલે માગ' ભૂલી જાવ છું. આપ સદા મને તારજો....
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૪ ] કોઈના શબ્દોથી હુસે અને કોઇના શબ્દોથી રડે તે મૂખ, ઉદ્ધારો. આપની હિતશિક્ષા જ મારુ મગળ કરશે. આ મારી મગળ પ્રાર્થીના છે.” “ મને હર્તાશક્ષાથી કયારે પણ વેગળે કશા હુિ, ” નવજાત શિશુને માતાના સ્તનપાનની, માતાના સંરક્ષણની જેટલી જરૂર છે તેથી અધિક મને આપની આજ્ઞાની, આપના શાસનની જરૂર છે.
આવા મગલભાવા મેલીને જ વ્યક્ત કરતા રહે તે વાચાળ. જીવનના આદર્શમાં જીવી જાણે તે પડિત શિષ્ય. પંડિતને અનુશાસન કરતાં ગુરુ ખુશ જ થાય. રમએ શબ્દના અર્થ અધિક ઊંડે છે. મસ્ત અને. આનંદ વિભોર બને, સહજ ભાવમય બને. જેમ રમત આનંદથી થાય તેમ જે શિષ્યનુ પાલન કરતાં, હિતશિક્ષા આપતાં ગુરુને જરા પણ ગુસ્સે ના થવુ' પડે તેનુ નામ રમએ,
જે શિષ્યને હિતશિક્ષા આપતાં ગુરુને એમ ન લાગે મે કાયદાના એજ લાદ્યો. તેનું નામ પ ંડિત શિષ્ય. જે શિષ્યને આજ્ઞા ફરમાવતાં ગુરુને લાગે કે મેં આ આત્માના આત્મ સંરક્ષણના કિલ્લે। મજબૂત કર્યાં, તેનું નામ પંડિત શિષ્ય.
જેમ સૈનિક યુદ્ધમાં જઈ રહ્યો હોય અને કોઈ તેને અવનવા આયુધ આપે અને સૈનિક ખુશ થાય તેમ જે શિષ્યને ગુરુ હિતશિક્ષા આપતાં હોય ત્યારે લાગે મારા ગુરુ દેવા મહાન્ છે ! માહ સામે જગ જમાવવા કેવા સ ંદર આયુધા આપ્યા ! પ્રમાદ તેા કરે જ નહીં તેનું નામ પંડિત શિષ્ય.
ગુરુના હૈયાના અરમાન હેાય છે. મારા આ શિષ્ય શિષ્ય નથી પણ પડિત છે. પતિને હિતશિક્ષા-અનુશાસન દ્વારા તૈયાર કરુ' જેથી ભવિષ્યમાં આ શિષ્ય મને અંતિમ સમયે આત્મામાંથી પરમાત્મા મનવા અધ્યાત્મના રસાયણ પ્રદાન
Page #69
--------------------------------------------------------------------------
________________
માંગણી જ્ઞાનની નહિ પણ જ્ઞાનની પ્રસન્નતાની કરે. [૨૫ કરે. ખુદની સાધના સરવાળા જે શિષ્યની હિતશિક્ષામાં હોય, ત્યાં ગુરુને આનંદ હોય, આનંદને ઉદધિ ઉછળતો હોય !!
ગુરુદેવ ! શિષ્ય તે બન્યો છું. મારી ઉપર કામણ કરે. જાદુ કરો. હું પંડિત બનું. જેથી મને હિતશિક્ષા આપતાં આપના હૈયામાં આનંદને ઉદધિ પ્રગટે. આપના ચરણમાં એક નમ્ર વિનતિ છે, મને હિતશિક્ષા કરતાં આપને આનંદ અનુભવ થાય તેવું સુગ્ય સુવર્ણ પાત્ર હું બનું. મારી મેગ્યતા આપના હૃદયને વિકસિત કરનારી બને. એ જ પુનઃ નત મસ્તકે ભાવના............... -
Page #70
--------------------------------------------------------------------------
________________
અપ્પાણ પિ ન કાવએ
卐
વ્યવસ્થિતકાય, વ્યવસ્થિત ભાષા અને વ્યવસ્થિત જીવન એ વ્યક્તિના વ્યવસ્થિત વિચારનું દ્યોતક છે.
જે વ્યક્તિ તર`ગી હાય છે, ધુની હેાય છે, કલ્પનાશીલ હાય છે તેનામાં ઉત્સાહની ભરતી પણ પુરજોશમાં આવે છે અને જરા મન પ્રમાણે ના દેખાતા આટ આવતા વાર લાગતી નથી. જાણે સમુદ્રમાં છઠના પાણી છટકળ્યાં..
૫.
સાધક ! એક વાતની મનમાં તું ગાંઠ આંધી લે. તુ સાધક છે. એટલે તારી સાધના અપૂર્ણ છે. તારે સાધનાની સિદ્ધિ કરવા અનેક માર્ગો સ્વીકારવા પડશે. પણ....તારી આસપાસની દુનિયામાં તારી કોઈ સહાયક નથી.... સહારો. નથી....આલ ંબન નથી. તારે એકલા અટુલાએ એકલવીર બનીને ઝઝુમવાનુ’ છે. એક હેાવા છતાં અનેક રૂપ ધારણ કરવા પડશે. અનેક મેરચે.લડત આપવા તૈયાર રહેવુ પડશે. તુ એક પણ, તારા સામે એક નહિ, અનેક જ નહિ, અનંત....અનંત....
અનંતના અન ંત વ્યૂહ ! અનંત વાતે ! અન ંત વિચાર ધારા! અનંત કાર્યો પદ્ધતિ ! આ મધા વચ્ચે તારે તારી. સાધનાની સિદ્ધિ કરવાની, ગભરાતા નહિ! મુઝ્ઝતા નહિ! અધીશ ના થતા ! તું સાધક છે તે વિજયની વરમાલા તારા કડની જ શાલ અનવાની. જીત તારા ચરણુ જ ચૂમવાની ! યુદ્ધના મેદાનમાં સૈનિક પ્રવેશે ત્યારે એક જ વિચા રે – મારી પાસે શું છે! તલવાર, બરછી, ભાલા, શક્તિ, હાથી, થ, અન્ધ, શું આ બધા વિજયના સાધન ?શ્રી ક્ષત્રિય કહે વીરના માટે આ બધી ઉપાધિ ! તેને ફક્ત અભેદ્ય વીરકવચ જ જોઇએ..
Page #71
--------------------------------------------------------------------------
________________
કુતૂહલ એ પતનની પગથાર છે. [ ૨૭ બખ્તર સિવાય કશું ના જોઈએ. બખ્તર અભેદ્ય હેય તે . અડીખમ રહી શત્રુના ઘા ઝીલાય. ઘા કરનારનાં ઘા ખૂટે પણ વીરનું કવચ અભેદ્ય રહે! અખંડ રહે ! તેમાં કયાંય કાણું ના પડે !
સાધક બનવું છે તે શ્રમણ બન. ના... ના...શ્રમણ નહિ . ક્ષમાશ્રમણ બન. હું તારા મનની વાત જાણું છું. સમજુ છું. તે કહીશ ક્ષમાશ્રમણ નથી તે શું હું ઝઘડા ખેર છું? શું હું લડાયક છું ! હું સામું જોઉં છું? હું કોઈને જવાબ આપતું નથી. બત્રીશ દાંત વચ્ચે જીભને દબાવીને જ બેસી . જાઉં છું. કેઈને મારતું નથી. પીડા કરતો નથી. મુંગે મેંઢે . સહન કરી લઉં છું. કોઈ પાસે મારા દુઃખની રજૂઆત કરતો નથી. ફરિયાદ કરતો નથી. બસ આપણે તે નિશ્ચય રાખે છે તું તે કયારેય ખોલવું નહિ. ન સહન થાય તે એકાન્તમાં જઈ ચેડા ઉના આંસુ પાડી લઉં છું. બોલે શું મારે ક્ષમા અંગેને આ પ્રયત્ન નથી?
સાધક! સાચું કહું તું નશામાં છે. ક્ષમા–સહનશીલતા શબ્દને તે સદાચારી રહેવા દીધું નથી? તું કહે છે હું કંઈ જવાબ આપું છું ? “મુંગે મેં સહન કરું છું. ફરિયાદ કરું છું?” આ શબ્દ જ તારા દિલની અનેક ગુપ્ત વાતે રજુ કરી દે છે. જે તું પણ જાણતા નથી.
ભલા સાધક ! તારું મન તને છેતરી રહ્યું છે.
જેના મનમાં ભરાયેલું હોય કે હું સહન કરું છું. હું સહન કરું છું તેનાથી ક્રોધના અણુબ ધડાકે અચાનક એક દિવસ કયાં કયારે થઈ જાય તે કહેવાય જ નહિ ! જગતને ભસ્મસાન કરી શકે કે નહિ પણ ખુદની જાતને તે ખાખ કરી
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૮ ] શાસનના રથના એ ચક્ર છે સમર્પણ અને ત્યાગ,
ઃઃ
દે. આત્મહત્યાના અવિચારી માના મુસાફર બની જાય ? તેથી જ તને ફરી ફરીને કહુ' છું કે હવે તે “ હું સહું છું, હું સહું છું,” તે જુનુ પુરાણું ગીત છેડ. તેની જગાએ મધુર દિલ દિમાગને તરબતર કરી દે. તેવી નાભિમાંથી વર લહરી જાગૃત કર-હું મેળવું છું. હું પ્રાપ્ત કરૂ છું. હું મારા આત્માને સમૃદ્ધ કર છુ. મારી નિજની સ'પત્તિ એકત્રિત કરુ છું. નિજની પ્રાપ્તિમાં આનંદ હાય! વજન ના હોય ! તુ જ્યારે ખેલે છે હું સહન કરુ છુ ત્યારે લાગે છે કે બિચારા મજૂરે ટોપલા ઉચકયા ! પણ જ્યારે તું અન ંત આકાશ સામે એક દિવ્યદૃષ્ટિ નાંખી મુક્તમને એક ગીત ગાઈશ.... હું મેળવું છું ત્યારે લાગશે કે માતાએ ખાળકને ઉચકયો. વજન તા મજૂર પણ ઉડાવે છે. મજૂર વજન ઉઠાવતાં થાકે છે. માતા માળકનું વજન ઉઠાવતાં આન ંદ અનુભવે છે.
પણ....એ માતા છે હુ તે.... જરા રોકાઈ જા....” હું મારી વાત તે સાંભળ....” હોઈ શકે એક સ્ત્રી છે, ચાર, પાંચ, દશ ખાળકની મા, પણ...તુ સાધક ! વીતરાગના સાધક...! કેવલજ્ઞાનના ચાહક ! વિશ્વના સમસ્ત જીવાની માતા તુલ્ય ! માને બાળકનુ કામ કરવામાં દુઃખ નહિં, દર્દી નહિ, પીડા નહિ, એક માતાના વાત્સલ્યમાં પણ આત્મિક સહનશીલતા વજ્રનરૂપે નહિ પણ આનની વૃદ્ધિ માટે પેદા થાય છે.
સાધક ! તારે સ્વગુણાની પ્રાપ્તિ કરવાની છે. એટલે તારા ગુરુને....તારા આચાય ભગવંતને, તારા ગચ્છનાયકને, તારા પૂજ્યને....તારા વડીલને નારાજ ના કરીશ. ગુસ્સે કરીશ તે નહિ ચાલે. તારે સતત ધ્યાન રાખવું જ પડશે. મારા એવા ભય કર ગુન્હા થતા નથી ને કે મારા ગુરુને ગુસ્સા કરવા પડે? મારા ગુરુ ગુસ્સે થાય તે.....વિશ્વત ત્રમાં વિષમતા
Page #73
--------------------------------------------------------------------------
________________
મૂખને પણ પડિત બનાવવા પ્રયત્ન કરે તે મહાત્મા. [ ૨૯ સજાય ! આપણી ઘડિયાળ પાછળ હાય, બગડી હોય તે આપણે ટ્રેઇન ચૂકીયે. આપણે લાભ ચાલ્યે જાય. પણ જો ટાવર બગડે તે! સ્ટાન્ડર્ડ ટાઈમમાં ફરક પડે તેથી દુનિયામાં સર્વાંત્ર અન્યવસ્થા થઈ જાય. તેમ ગુરુ ગુસ્સે થાય તે અનેકની આરાધના જોખમાઈ જાય ! શાસનની પ્રભાવના કાઈ જાય. હિત અને મગલની ખળખળ વહેતી સરિતાના નિળ જલના પ્રવાહ રોકાઈ જાય. અનેક ભાવિકો જિનવાણીના અમૃત જલ પાનથી અતૃપ્ત રહે.
પ્રત્યેક સાધક–આરાધક શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુને ગુસ્સે ના કરાય. ગુરુને ગુસ્સે કરાવનાર અજાણપણે સમુદાયના હિતના દ્રોહી બને છે. શાસનના દ્રોહી બને છે. જીવ માત્રનાં અપમ`ગલને નોંતરે છે. આથી જ સાધક સતત જાગૃત રહે. સાવધ રહે. વિચાર, વાણી અને વનથી મારી કેાઈ એવી પ્રવૃત્તિ થતી નથી કે જેનાથી ગુરુ ગુસ્સે થાય ? તારું મન આ હિતશિક્ષા સામે એક અટપટા પ્રશ્ન રાખશે. “ મારાથી ગુરુ ગુસ્સે થાય કે તેમના કષાય મેહનીયના ઉદયથી ગુસ્સે થાય ? સાચું કહું છું, તું હજી ખાલમંદિરને વિદ્યાર્થી છે. કર્મના તત્વજ્ઞાનના આમ દુરુપયોગ ન કર. પ્રત્યેક કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવને પામીને ઉદયમાં આવે છે. અશુભ લેશ્યાનુ વાતાવરણ સક્લેશ જન્માવે છે. એટલે જ તને કહું છું કે હિતશિક્ષા પામી તું અપમ ગલનું નિમિત્ત ના મન...તારે તારા ગુરુને ગુસ્સો ન કરાવવા જેટલું સીમિત કાર્ય કરવાનું નથી પણ પ્રત્યેક જ્ઞાનીને પીડા ન થાય, દુઃખ ન થાય તે માટે ખ્યાલ રાખવાને છે. તું ગુરુ તત્વના આરાધક અન! “ જે જે જ્ઞાની તે તે ગુરુ” જ્ઞાનીની આશાતનામાં, જ્ઞાનીને પીડા આપવામાં ગુરુતત્વની આશાતના થાય છે! વિરાધના થાય છે! ગુરુતત્વના વિરહે
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૦ ] માનસિક દ્વેષથી પણ રહિત અને તે જ સાચા અહિં સક. તુ અવિવેકી બની જઈશ. પશુની જેમ વિવેક શૂન્ય બની જીંદગી પૂર્ણ કરીશ. તેથી કહુ છુ કેમ પણ જ્ઞાનીને દુઃખ ન થાય તેવી જીવનચર્યાં બનાવ....હજી અધિક કહું! તુ' જાતિમાન અશ્વરત્ન જેવા બન. જાતિમાન અન્ધને પરણા ખાવેશ ન પડે. ચાબુકના માર સહન ન કરવા પડે! તું પણ સમજી વિચારીને ....આગળ વધ! તારા ગુરુને ઠપકો આપવા ના પડે! ઉપા - લભ આપવા ના પડે! ગુરુને ઠપકો શબ્દકોશને શબ્દ અનાવી દે. તુ એવા સાધક અન કે ગુરુ તારી સાધનાની સદૈવ અનુમેદના કરે. જેમ પ્રભુએ ધન્ના અણુગારની પ્રશંસા કરી તેમ શુ તારા ગુરુ તારી પ્રશંસા-તારી અનુમેાદના ન કરી શકે ? પણ આવું શાંત સુવ્યવસ્થિત પ્રેરક જીવન તેનુ જ અને કે જે સાધુ જગત પર ગુસ્સા ના કરે ! ખુદના પર પણ ગુસ્સા ના કરે. સ્વને ક્ષમાના જળ દ્વારા શાંત રાખે ! સાચુ કહું છું સાધક ! તું ગણિત ભણ્યા છે પણ અધુરુ' ભણ્યા છે. તને સરવાળા બાદબાકી આવડે છે પણ ગુણાકાર ભાગાકાર આવડતા નથી. જગતના માઢે સાંભળતા તારા મનમાં પણ એક વાત સ્થિર થઈ ગઇ છે. સાધુ જીવન એટલે સહવાનુ”
',,
ભૂલ-મોટી ભૂલ...માફ ન થાય તેવી ભૂલ અક્ષમ્ય ભૂલ-મારે સહવાનુ. ? આમ વિચારવાથી તા પામરતા પેદા થાય છે. તેથી કયારેક કયારેક મારે સહવાનુ વિચાર તને હલકી મનેાવૃત્તિ તરફ પ્રેરે છે. અને છેવટે તુ જીવમાત્રને રક્ષક તારા ખુદ્દના આત્માને ભક્ષક બની જાય છે. તેથી તને કહું છું, જગત પર ગુસ્સા ના કર. તેવી જ રીતે જાત પર, સ્વ નિાત્મા ઉપર પણ ગુસ્સે ના કર !
એક વખત હસતાં હસતાં કહે કે હું સહન કરતે નથી પણ મારા આત્મ વિકાસ માટે ક્ષમાગુણ પ્રાપ્ત કરુ છું,
Page #75
--------------------------------------------------------------------------
________________
શત્રુને પણુ ક્ષમા આપે તે ક્ષમાશ્રમણ,
[ ૩૧
ક્ષમાગુણ પ્રાપ્ત થશે તેા અન’તજ્ઞાન-કેવલજ્ઞાન તને વરમાળા પહેરાવવા તત્પર બનશે. ભૂલી ગયા મહાત્મા ગજસુકુમાલને! સામિલ સસરાએ શિરપર અંગારાની સગડી રાખી. મહાત્માએ વિચાયું, અંગારાની સગડી કે માક્ષની પાઘડી ? .....ક બંધના ભયંકર નિમિત્તને સર્વોત્તમ કેમ નિજ રાને ઉપાય બનાવ્યેા. શિરપર અંગારા સહન કર્યાં તેમ ના લાગ્યું પણ મારા આત્મગુણે! મને આપ્યા, તે જ કર્મીના યુદ્ધમાં જયશ્રેષ કરી શક્યા !
મહાત્મા ગજસુકુમાલ ! મને જોઈ એ તમારા વિચારની નવી પદ્ધતિ. કેટલી અદ્ભુત! તમે મેહ સામે કેવા વ્યૂહ રચ્ચે ! ખિચા સસરા સફળ ના થયે પણ અનંત તીકરોને ક્ષમાયુક્ત પક્ષ સફળ થયા. પ્રભુ મને ધ ક્ષમા આપે, સ્વભાવ ક્ષમા આપે. સ્વભાવ ક્ષમા જ સવગુણુની જનની ખની શકે છે. ખાળકની જેમ જદ લઈને બેઠો છું. પ્રભુ મારી હાથી કંટાળીને પણ આપેા-મસ એક જ વાત સ્વભાવ ક્ષમા આપ મને બ્રટ્ઠાન કરે..
....
હું ક્યારે પણ મારા ઉપર ગુસ્સો ન કરું... પ્રભુ ! આપ નિર્માંહી છે. મને નિર્માહી બનવાનું વરદાન આપે. “અપાણ પિ ન વએ” શાસ્ત્ર પાઠ દ્વારા એક જ ચિંતન જાગે છે, માહનીય કમ ના ક્ષય જોઇએ, કશું જ ના જોઈએ તેા ગુસ્સે કાના ઉપર ? ન જગત પર, ન ખુદની જાત પર.
હું નિજના સામ્રાજ્યને પ્રાપ્ત કરું' એ જ હાર્દિક
અભિલાષા...ન
Page #76
--------------------------------------------------------------------------
________________
૬. આયરિય કુવિયં નથ્થા. 5
પ્રકૃતિના ખાળ ખેડૂત જ ધરાને સમજી શકે અને વરસાદના એંધાણને પારખી શકે. ચારે બાજુ કડાંકા—ભડાકા થતાં હાય, આકાશ વાદળાથી છવાઈ ગયુ હોય અને વિજળીને. ગડગડાટ થતા હાય, અને કહે- વરસાદ આવશે ”. એ તે કોઇ નાગરિક પણ કહી શકે. પણ ચારે બાજુ લૂ વરસી રહી હૈ!ય, કયાં ય જરા જેટલે છાંયડા ય ન હાય, છતાં ય આકાશ જોઇને એધાણ પારખે, કે વરસાદ આવશે તે ખરી ખેડૂતના દીકરા.
પ્રકૃતિની સાથે જેની દોસ્તી-માયા-મહેાખ્ખત હોય તે પ્રકૃતિના સત્યાને સહજ પ્રાપ્ત કરી શકે તેમ જેને આત્મજ્ઞાનની તમન્ના જાગી છે–૨લાગી છે તે આત્મજ્ઞાન દાતા ગુરુના સ્વભાવને, તેમના મિજાજને સમજી શકે. ગુરુ પ્રસન્ન છે કે ગુરુ નારાજ છે? ગુરુ ગુસ્સામાં છે કે સમભાવમાં ?
સજ્જન ! ગુરુ અને વળી ગુસ્સામાં ? અમને આ વ્યાખ્યા મજૂર નથી. ગુરુને તે સ્વભાવમાં જ રહેવુ જોઇએ. પુત્ર કુપુત્ર થાય, પણ માતાપિતા કુમાતાપિતા થાય ? ગુરુ જો ગુસ્સામાં આવે તે કહેવું પડે, ધરા ધ્રુજી ઊઠી.
હા ! સાધક !!! પૃથ્વી પર માનવના પાપ વધી જાય ત્યા ધરા ધ્રુજી ઉઠે, “ શિષ્યના પાપ વધી જાય ત્યારે ગુરુ ગુસ્સામાં આવે.” શિષ્યની ઉચ્છંખલતા જુએ ત્યારે ગુરુના પુણ્ય પ્રકાપ જાગી ઊઠે....પશુ....સાધક બની તે એક તરફી જ માહિતી રાખી છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
વિવાદ કરે તે અજ્ઞ, વાદ કરે તે પ્રાજ્ઞ, મૌન રહે તે મહાપ્રાજ્ઞ. [ ૩૩
“ગુસ્સામાં ન આવે તે ગુરુ, પણ તું ભૂલી ગયેગુના ગુસ્સાને ગળી જાય તે શિષ્ય.”
સુગ્ય આત્મા પ્રત્યેક ક્ષેત્રમાં પિતાનું ર્તવ્ય શું છે? તેને વિચાર કરે છે અને પોતે કર્તવ્ય ધર્મે ડગ ભરે છે કે નહિ તેનું નિરીક્ષણ કરે છે.
અગ્ય આત્મા જ્યાં જાય ત્યાં પહેલે જ પ્રશ્ન કરશે. મને શું અધિકાર મળે છે? મારો કકકો જળવાય છે કે નહિ? મારું ગૌરવ, મારું પદ અખંડિત રહે છે કે નહિ?
સિદ્ધિમાર્ગની કેટલીક આગવી શરતે છે....તારા બધા અધિકાર, હકક, ગૌરવ, માન-સન્માનનું વિસર્જન કર. બધાએ શું કર્યું? તે પૂછવાનું નહિ. મારે શું કરવાનું? તે પૂછ ...બધાંની ભૂલ શું છે...? તે યાદ નહિ રાખવાની, મારી ભૂલ શું થઈ તે દેખાડો”.....
જરા કડક શબ્દમાં કહું ? જગતના દુર્ગુણ દેખવા અંધ બની જવાનું. જગતના દુર્ગુણ બેલવા મૂંગા બની જવાનું. જગતના દુર્ગુણ સાંભળવા બહેરા બની જવાનું.
આપણી જાત સામે... અપર માતા...શકમાતાને વ્યવહાર શરૂ કરી દેવાને. દુગુણ દેખવા તે મારા જ, દુર્ગુણ બેલવા તો મારા જ, અને દુર્ગુણ સાંભળવા તે પણ મારા જ.
વિદ્યાથી જેમ કોઈને અધ્યયન ના કરાવી શકે, અધ્યાપનનું કપરું કામ તે અધ્યાપક જ કરી શકે તેમ હું સાધક, સાધના કરી શકું પણ સાધના ના કરાવી શકું...મારી ભૂલ હું સુધારી શકું, પણ બીજાની ભૂલ જેવી પણ ના જોઈએ અને કહેવી પણ ના જોઈએ. ભૂલ કહેવાને અધિકાર તેને જ છે કે જે ભૂલ સુધારી શકે. સિદ્ધ પુરુષ સમા ગુરુ, શિષ્યના
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૪] ગુરુ કૃપણ મને પણ ગુરુની કૃપા સદા ઉદાર જ હાય. દોષ કહી શકે કારણ કે ગુરુ જ શિષ્યના દોષરૂપ વૃક્ષને જડમૂળથી ઉચ્છેદ કરી ત્યાં જ ગુણવૃક્ષને નવપલ્લવિત કરી શકે છે.
સાધકનુ કા તા ફક્ત એટલું જ જોવાનુ’-તેની સાધનાના સુકાની ગુરુ પ્રસન્ન છે કે અપ્રસન્ન? મારા ગુરુ મહામા સદંશ, મારા ગુરુ સિદ્ધાત્મા સમાન ! તેઓ નારાજ રહે! તેએ ગુસ્સામાં રહે! આ વિચારથી સાધકની આંતર વ્યથા એટલી તીવ્ર વધી જાય કે હવે હું શું કરું?
જેમ કન્યાના માંડવે હસ્ત મેળાપ થયાં બાદ વરરાજાને હૃદયરોગના હુમલા થાય અને કન્યાના માતાપિતાને જે આઘાત લાગે તેનાથી અધિક શિષ્યને ગુરુ ગુસ્સે થાય ત આધાત લાગે.
મારા ગુરુ એટલે સાધના મૂર્તિ... હજારો આત્માની સાધનાના પ્રાણ, કાંડા ઘડિયાળ બગડે તે કાંડા ઘડિયાળ પહેરનાર અસુરો થાય. તેના સમયમાં ફેરફાર થાય પણ શહેરની મધ્યમાં રહેલ ટાવર બગડે તા...સાખે શહેરીનાં જીવન ધારણમાં ધમાલ મચી જાય. અને સુરજ-ચાંદ આડે જો વાદળાં આવી જાય તે સૂરજના તડકા ના દેખાય તે....ચંદ્રની યા ના ન દેખાય તે, પ્રકૃતિમાં સત્ર અવ્યવસ્થા થઈ જાય. જડ-ચેતન બધાંની ગતિને અવરોધ થઇ જાય. પુષ્પ પાંગરે નહિ. પુરુષ પુરુષાર્થ કરે નહિ, વિશ્વમાં સર્વાંત્ર અવ્યવસ્થાનુ તાંડવ નૃત્ય શરુ થઈ જાય.
“ વિશ્વના સમસ્ત જીવેાને સમતા શાંતિ અને અધ્યાભુના અમૃતપાન કરાવનાર મારા ગુરુદેવ ગુસ્સે થાય તે અધ્યાત્મનું દિવ્ય સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય.
Page #79
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાભ્યાસમાં લીનતા એ જ અપ્રમત્ત ભાવને રાજમાર્ગ. [૩૫
ભૌતિક્તાની ભૂતાવળ ચારે બાજુ ભયંકર તોફાન મચાવી દે. મારા ગુરુ ગુસ્સે થાય છે એ જોઇશ તે આકાશ પાતાળ એક કરીને પણ તેઓને મનાવીશ....વિનવીશ...કરગરીશ...
ભલા ! ! પશુ અને માનવમાં શું તફાવત ?
જોયા પછી તે પશુ પણ પાછા હટે છે. તું યાદ રાખ... તું પશુ નથી...તે માનવ નથી..તું સજજન જ નથી, તારી જવાબદારી આથી પણ અધિક છે...તું એક મહાન ગુરુને શિષ્ય છે, તારું જતન કરવા ગુરુએ ઊંઘ અને આરામ હરામ કર્યા હતા. તને સગુણી બનાવવા તારા માન-અપમાનના કેટલાંય કડવા ઘૂંટડા તારા ગુરુએ ગળી ખાધાં છે. તેને મૂર્ખને જ્ઞાની અનાવવા તારા ગુરુએ શું શું પ્રયત્ન કર્યા છે? કેટલું સહ્યું છે? તે વિષે લખવા બેસીશ તે મહાભારત અને રામાયણ કરતાં મેટો ગ્રંથ લખાઈ જશે.
તારે ગુરુને ગુસ્સે જેઈને વિનવવા જેટલું નાનું કામ કરવાનું નથી. ફરી ફરી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની અમર પંક્તિનું ચિંતન કર મનન કર... * આયરિયં કવિય નગ્ના 2 પદમાં “ચ્ચાશબ્દ ખૂબ ચિંતન માંગે છે. જાણીને જોઈને નહિ.હા...હજી માળાની જેમ ફરીવાર રટી લે. ગુરુને ગુસ્સે થયેલાં જોઈને નહિ, પણ ગુરુને ગુસ્સે થયેલા જાણીને...
વિચાર શક્તિ તારી પાસે છે–શબ્દને રહસ્યને જ નહિ અંદપર્યને મેળવ...........
પવન આવ્યું. ના...ના વાવંટોળ આવ્યું. હવે દિશા બદલવી જ રહી. ગુરુને ગુસ્સે થયેલા જાણ્યા. એટલે એ વાત તને કેઈએ પણ કહી, કોઈના ઉપર પણ ગુસ્સે થયા. કોઇ પણ કારણે ગુસ્સે થયા...પણ મારી ફરજ...સીથી મુખ્ય ફરજ તેમને રીઝવવાના–મનાવવાના.....
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૬ ] વિચાર એ આચારની શ્રેષ્ઠ જનની છે.
આગ લાગેલી હેાય ત્યારે અમાવાળા ન પૂછે--આગ કેમ લાગી? ટાણે લગાવી ? યારે લાગી? ખખાવાળા કહે-પહેલી ફરજ આગ શાંત કરવાની....પ્રશ્નના જવાબ માટે જીંદગી આખી છે. જીવન રહેશે તે પ્રશ્નના જવાબ આપે!આપ મળશે. આગમાં સપડાયેલને પ્રશ્ન ન પૂછાય, તેને ઉગારી લેવાને હાય...
તે મારા ઉપકારક ગુરુની ઉપર ક્રોધ-આગની લપટ.... મને આટલાં સમાચાર મળ્યા. મેં જાણ્યું, પછી...પછી ક્ષણવાર થાભુ` ? ના....ના....પવનવેગે પહેોંચી જાઉ...મારા ગુરુના ચરણ કમલમાં....મારા ગુરુના ચરણ પશ્ચાત્તાપના અશ્રુજળ વડે પ્રક્ષાલી લઉ. હાથ જોડી માથુ નમાવી એક જ કહુ, હવે ફરી આમ નહિ થાય....માફ કરા...સાચા ગુન્હેગાર હું છુ. મારા આદર્શને વફાદાર ન રહ્યો. આપની સાધનામાં સ્ખલના થાય તેવું મારાથી કંઇ ન થાય આ ભૂલ મારી હાય કે મારા ગુરુષ'ની હાય, મારી ગુરુભગિનીની હોય કે મારાં સહવતી કોઈપણ સાધકની હાય, પણ ગુન્હાના સર્જક હું છું. મારા સહધમી ને હું તેને મા ન બતાવી શકો. મારી ગુરુ ભક્તિમાં ખામી, નહિતર મારી સાથે રહેનાર મારા ગુરુને ગુસ્સે કરી શકે ? ·
આપ, ગુસ્સે થયાં નથી. આપના પુણ્યપ્રાપ છે. આપની લાગણી કહી રહી છે કે આપે અમારી ઉપેક્ષા કરી નથી. આપના હૈયામાં અમારા માઁગળની અપેક્ષા છે. અહેરો જેમ સાંભળે નહિ તા માટેથી ખેલનાર તેનુ સારું કરે છે. તેમ ગુરુ ! અમે મેહુથી પાગલ થયેલાં છીએ. આપની શાંત હિત શિક્ષાએ અમને ગાંડપણથી દૂર ના કર્યાં...પણ....પાગલ માણસ ખૂમથી ડરે છે. તેમ અમે પણ હવે સાધના માગે` આપન ગુસ્સાને સમજી જરૂર સીંધા ચાલીશુ.
Page #81
--------------------------------------------------------------------------
________________
સર્વત્ર–સદાકાળ સમિતિ અને ગુપ્તિનું પાલન કરે તે સાધુ. [૩૭
ગુરુ ચંડરુદ્રાચાર્યના ગુસ્સાને નૂતન મુનિએ જાયે તે ગુરુને રીઝવ્યા. ગુરુની મનામણુ કરી. કેવળજ્ઞાન મેળવ્યું.
ગુરુદેવ! અમે આપને રીઝવશું...મનાવીશું...
અમને વિશ્વાસ છે કે જે અમે આપને ગુસ્સે અને તેનાં કારણે સમજીશું તે અમે પણ કેવળજ્ઞાનના અતિથિ બનીશું. શું આપના લાડીલા શિષ્ય શિષ્યાઓને કેવળજ્ઞાનના અતિથિ ના બના! ગુના ગુસ્સાને જે શિષ્ય સમજે તે શિષ્યના,
આમ મંદિરમાં કેવલજ્ઞાનની પધરામણી થાય.”
Page #82
--------------------------------------------------------------------------
________________
૭. પન્ના લાભઈસ્મૃતિ
-
રાજા ભગીરથ ગંગાને ખેંચી જઈ શકે છે. તેના વહેણને બદલાવી શકે છે. ગંગાના તેફાનને શમાવી સાગરમાં મિલન કરાવી આપે છે પણ...ગંગાને નાથવા રાજા ભગીરથ નાગદેવતાને જ આરાધે છે...ગંગાને નહિ.
જ્ઞાનચાહક! તું જ્ઞાન ઈ છે છે? જ્ઞાનની ચાહના રાખે છે? તને નિજાત્મસ્વરૂપના દર્શનની રઢ લાગી છે? સિદ્ધના સુખને માણવા છે ? તું એમ સમજે છે કે પુસ્તક લઈને બેસી જઈશ એટલે જ્ઞાન મળી જશે? માત્ર પુરતકમાં જ લાગે. રહીશ એટલે જ્ઞાની બની જઈશ? પુસ્તકને કીડે પુસ્તકમાં જન્મે છે અને પુરતકને જ નાશ કરે છે તે ભૂલતે નહિ. વિચારણા કરવા માત્રથી પણ તત્ત્વજ્ઞાની બનાતું નથી. તત્ત્વજ્ઞાની, આત્મજ્ઞાની, વિશિષ્ટજ્ઞાની બનવા એક અને ખી સાધના કરવાની છે. સ્વની પ્રસન્નતાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય પણ ખરી અને ન પણ થાય. જે મેહનીય કર્મથી...રતિ મેહનીયના ઉદયથી ખુશી મેળવી હોય તે ખુશી અનુભવતાં પણ કર્મબંધ.
ગુની પ્રસન્નતાથી જ્ઞાનની અદભુત પ્રાપ્તિ 2.
સૂર્યને ઉદય થાય તો કમલને વિકાસ થાય જ. ગુરુ, પ્રસન્ન થાય તે શિષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય જ. પ્રસન્ન ગુરુ શિષ્યના કલ્યાણમિત્ર બની શકે. કલ્યાણમિત્ર ગુરુની હિતશિક્ષા સફળ બને.
જ્ઞાન મેળવાનું મારે. મને જ્ઞાન મળે એ મારા જ્ઞાનાવરણીય કર્મના ક્ષે પશમથી, જ્ઞાનાવરણીયકર્મને ઉદય હેય
Page #83
--------------------------------------------------------------------------
________________
ચાવી છે. એક જ સહનશીલતા. [ ૩૯ તે જ્ઞાન પ્રાપ્ત ન થાય, જ્ઞાન ના મળે. મારે પ્રયત્ન કરવાને મારા જ્ઞાનાવરણીયકર્મના નાશ માટે. જ્ઞાન પ્રાપ્તિ માટે ધ્યાનની જરૂરત સમજાય છે, એકાગ્રતાની જરૂરત સમજાય છે. સ્વાધ્યાયની જરૂરત સમજાય છે, ચિંતનની જરૂરત સમજાય છે પણ જ્ઞાન મેળવવા ગુરુને પ્રસન્ન કરવા જોઈએ આ વાત મને મગજમાં ઉતરતી નથી. ટોળામાં એક વ્યક્તિ હાજી બેલે બીજા બધા સમજે પહેલા બેત્યે તે ડાહ્ય, ચલે તેને અનુસરે. બધા બેલે હાજી હું તે ગાડે નથી, મૂર્ખ નથી. મને મારો આત્મા જેમાં ડંખે... મારા આત્માને અવાજ ના સંભળાય તેમાં તે હું હા ન જ બેલું, મારે મારા અંતરના અવાજને રુધ નથી.
સાધક!
મારે ના છૂટકે કડવે શબ્દ વાપરે પડે છે. “ તું વાચાળ છે” શબ્દ સહામણાં વાપરે છે. પણ અર્થ સમજાતે નથી. એક વાત યાદ રાખજે આત્માનો અવાજ ખૂબ દૂર છે. તારા અભિમાન ને અવાજ...અહંને અવાજ તને ભ્રમમાં નાંખે છે. આત્માને અવાજ તે સાચે હોય, સુંદર હય, તારક હાય, ઉદ્ધારક હોય. આત્માને અવાજ આત્મગુણથી દૂર રાખનાર ને હેય. જ્ઞાન મેળવવા જ્ઞાનાવરણીયકર્મને નાશ જોઈએ. પશમ જોઈએ પણ તું જાણે છે જ્ઞાનાવરણીયકર્મના નાશના ઉપાય? - નિત્ય જ્ઞાનાર્જન જેમ જ્ઞાનાવરણીયકર્મના નાશને ઉપાય છે. તેમ જ્ઞાનીની પ્રસન્નતા પણ જ્ઞાનાવરણયકર્મને નાશને ઉપાય છે, એટલે તે તને કહું છું, “ગુરુને પ્રસન્ન કર, કે ગુરુને પ્રસન્ન કરવા જે જે માર્ગ હોય તે વિચારી લે, સમજી
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૦ ] જે જાણીને ઝેર પી શકે છે તે જ ખીજાને અમૃત પાઇ શકે છે. લે. પછી એ માર્ગે દોડવા માંડ....જ્ઞાનમૂલ ગુરઃ કૃપા" આ સોનેરી સૂક્તિ સમજી લે.
પણ...પ્રસન્નતા અને માખણવૃત્તિમાં ફરક છે. ગુરુ આગળ સારું ખેલવુ...સારું દેખાવું ..ગુરુ સમક્ષ ગૌતમ સ્વામી જેવી આરાધના કરવી. પાછળ અભભ્ય આચાય જેવી આરાધના કરવી તે માખણવૃત્તિ ગુરુની પ્રસન્નતા શાસ્ત્રીય શુદ્ધમા ના આરાધનથી થાય છે. પ્રસન્નતાના રાજમાર્ગ ભૂલી ગુરુને દેખાવથી આવિત કરવાના માર્ગે ભૂલે ના પડતા. દેખાવ જલ્દી કરી શકાય પણ પ્રસન્ન કરતાં વાર લાગે. કાગળના ઝાડ પર કેરી એક દિવસમાં આવે પણ સાચા આંબાના ઝાડ ઉપર કેરી આવતાં વર્ષોં લાગે..વિનયરત્ને ગુરુને આકૃષ્ટ કર્યાં હતા. ગુરુ ગૌતમસ્વામીએ ગુરુને પ્રસન્ન કર્યા હતા.
પ્રસન્નતા સાધના છે, આકર્ષણ કૃત્રિમતા છે. કૃતિમતા જ્ઞાન ન આપે, સાધના જ્ઞાન આપે.
પ્રસન્નતાનો માર્ગ જરા લાંબે છે. આકષ ણના માગ ટુક લાગે છે. પણ તેમાં મેહની અનેક ભૂલભૂલામણી છે. આકષ ણુ કરનારા જાદુગર છે. પ્રસન્ન કરનારા સાધક છે.
આકષ ણુ પારકા ઉપર હાય....સ્વના નિજના આત્મીયજનને રીઝવવાના હાય, તેઓની મહેરબાની કૃપા-અનુગ્રહ મેળવવાના હાય.
જાદુગર સમૃદ્ધિ મેળવે છે. સાધક શાંતિ મેળવે છે. તુ એક મંત્ર રટી લે. અજપાજાપ બનાવી દે...મારું ગુરુને પ્રસન્ન કરવાના છે. ગુરુ પ્રસન્ન રહેશે તે જ મને વિપુલ જ્ઞાન મળશે.
Page #85
--------------------------------------------------------------------------
________________
વ્યવહારની આરપાર નીકળી જાય તે નિશ્ચય. [ ૪૧
દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના યુગ પહેલાં જે ગુરુ પ્રસન્ન થાય તે જ્ઞાન મળે એ હકીકત હતી પણ, હવે તે આગમ પુસ્તકારૂઢ થઇ ગયા છે પુસ્તકે ભેગા કરીશ....વાંચીશ અને જ્ઞાની બની જઈશ. સ્વાધીનમાર્ગ છોડીને પરાધીનમાગે શા માટે જાઉં? વળી ગુરુને પ્રસન્ન કરવા જઉં ત્યાં ઘરડા, વૃદ્ધ, ગણ ગણુને આપનાર, જોખીને બેલનાર, હજારવાર ગુરુ મારી પાત્રતાને વિચાર કરે. કદાચ હું ગુરુને પ્રસન્ન કરવા આકાશ પાતાળ એક કરૂં અને ગુરુ તે સ્વર્ગધામ તરફ મુસાફરી કરી લે, તે મારી બધી મહેનત નિષ્ફળ...! હું શા માટે પરાધીનતાને સ્વીકારૂં? મારી આંખમાં તેજ છે. મારી બુદ્ધિ છે ત્યાંસુધી સ્વપ્રયત્નથી જ્ઞાન ના મેળવી લઉં? છતાં નહિ સમજાય તે એકાદ પંડિતને બેલાવી લઈશું. શંકા થશે તે. સમાધાન મેળવી લઈશું. ગુરુને પ્રસન્ન કરવા જઉં ત્યાં પણ કેઈક કહે, આ તે દેખાવ કરનારે છે. કેઈક કહેશે આ હાલે છે. અમે અદેખા છીએ આ બધી માથાકુટમાં પડી રાગદ્વેષ કરવા, અવજ્ઞા–આશાતના કરવી તેના કરતાં પુસ્તકથી જ્ઞાન મેળવવું કેટલું સારું છે. આજના કાળમાં તો આ માર્ગ શ્રેયકારી છે તેમ હું માનું છું. * - સાધક ! મારે ગભીરતા રાખવી જોઈએ પણ તારી વાત સાંભળી મારું હાસ્ય ક્યું રોકાતું નથી. તને મશ્કરી લાગશે. તું કૃત્રિમતાના યુગમાં જન્મે છે. મા ના દૂધને આસ્વાદ કર્યો નથી એટલે તને બેટલના દૂધની જ યાદ આવે છે. બેરલમાં આવતું દૂધ પણ એક માતાનું જ વાત્સલ્ય છે. ફરક એટલે તે પશુમાતા પણ, તારી જન્મદાતા માતા નહિ. પશુના દથી તું વિવેકશૂન્ય બની ગયે. બસ.ગુરુના મુખથી જ્ઞાન
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૨ ] તપશ્ચર્યા એટલે અણાહારી આસને બેસવાની સાધના અને પુસ્તથી પ્રાપ્ત થતા જ્ઞાનમાં ફરક આટલે જ છે. હજી તને ભૂલાઈ ગયેલ મુદ્દાની એક વાત યાદ કરાવું. '
પુસ્તકમાં જ્ઞાન કયાંથી આવ્યું? કેઈપણ ગ્રંથ એક જ્ઞાની. ગુરુનું સર્જન છે. ગુરુના બે સર્જન છે. ગ્રંથ અને શિષ્યસંતતિ. ગુરુના ગ્રંથને વારસદાર છે સંયમી શિષ્ય તું પુસ્તકથી જ્ઞાન મેળવીશ તે ચેર બનીશ. તું સજનને સ્વીકારીશ અને સર્જકનું વિસ્મરણ કરીશ?
તું વિચાર કરે. તને સમજાશે ગુરુ પ્રસન્ન થશે તે તારે એગ્ય તને જ્ઞાન પ્રાપ્ત થશે. પ્રસનગુરુએ માતુષ મુનિને બે પદ આપ્યા. મારુષ માતુષ (ગુસે ના કર...મમત્વ ન રાખ) ભાષ0ષ મુનિને આ બે પદે જ કેવલજ્ઞાન આપ્યું. પ્રસન્નગુરુએ જ ચિલતિપુત્રની ધર્મપ્રાપ્તિની વિચિત્ર ઝંખના જોઈ..એક હાથમાં તલવાર છે. એક હાથમાં સ્ત્રીનું મતક, છે. મુખમાં ત્રાડ છે “ધર્મ બતાવે” પણ..આત્માની યોગ્યતા. ગુરુ સમજ્યા અને ગુરુ મહારાજે “ઉપશમ-વિવેક અને સંવર’ની ત્રિપદી આપી. ગુરુવગર ચિલતીપુત્રને કેણ સ્વગની સીડી બતાવી શકે?
ભૂલી જા તારા તર્ક...વિતર્કને. જ્ઞાની ગુરુની પ્રસન્નતા. પેદા કરવી તે પણ એક અદ્વિતીય જ્ઞાન આરાધના છે.
પ્રસન્નગુરુ વર્ષની સાધના બાદ અનુભવથી મેળવેલું અમૃત તને આપશે. ગુરુની પ્રસન્નતા એ જ્ઞાન અને એક્ષપ્રાપ્તિ અને ઉપાય.
ભલા સાધક!
Page #87
--------------------------------------------------------------------------
________________
કષ્ટ વેઠીને જ્ઞાનને પ્રકાશ પાથરે અને [ ૪૩:
કરુણને પ્રવાહ વહેવડાવે તે મહાપુરુષ. પતિવ્રતા સ્ત્રીની જેમ ગુરુને પ્રસન્ન કરવા તત્પર બન.ગુરુ પ્રસન્ન થશે તે ગૌતમસ્વામીના શિષ્ય જેવું પણ થાય. ગુરુ છદ્મસ્થ અને શિષ્ય સર્વજ્ઞ.
સમજાયું.સમજાયું.....પ્રભુ તમારું તત્વજ્ઞાન. ગુરુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન એટલે ગુરુતત્વની સાધના. એક. ગુરુની પ્રસન્નતાને પ્રયત્ન, અને અનંતગુરુની કૃપાના હક્કદાર..
પ્રભુ!
પ્રથમ કર્તવ્યમાર્ગે ચાલવા શક્તિ આપે. કર્તવ્ય કરનારને અધિકારની માંગણી કરવી પડતી નથી. અધિકાર તેના ચરણમાં આળોટે છે.
હવે જ્ઞાન નહિ માંગું....જ્ઞાનની પ્રસન્નતા જ માંગીશ.. પ્રભુ મારી વિનંતિ સ્વીકારો.
Page #88
--------------------------------------------------------------------------
________________
૮. ‘નાણી ના દેિવએ ’
卐
ખેલવુ' અને ખખડવું વચ્ચે શું તફાવત ? સહજ રીતે વિચારીએ તેા ખેલવું અને ખખડવુ બન્ને વચન ચેાગ છે. ખેલનારને પણ જીભની સહાય લેવી પડે છે. ખખડનારને પણ જીભની મદદ લેવી પડે છે. ભાષા વ`ણાના પુગલે એલવામાં વપરાય છે અને ખખડવામાં પણ વપરાય છે. લવામાં જે શબ્દાથ વપરાય છે તે જ શબ્દકોશના ઉપયોગ ખખડવામાં થાય છે. મેાલનાર પણ અ થી હુ ’” સુધીના અક્ષરો વાપરશે અને ખખડનાર પણ થી હું ” સુધીના અક્ષરે વાપરશે. પર્યાપ્ત નામ કર્મીના ઉદ્દય અનેમાં સહાયક છે. પર્યાપ્ત નામ કમ પુણ્યદય છે. પુણ્યાદયથી મેળવેલી બ ંને શક્તિ છે. ફરકશે ? તે સમજાતું નથી ! ! !
''
((
,,
અ
સાધક ! હજુ તુ` દરિયાના કિનારા ઉપર ઊભા છે, કિનારે છીપલાં આવે, મેાતી ના આવે, રત્ન ના આવે. રત્નાકરમાંસમુદ્રમાં મરજીવા થઇને ડુબકી મારે તા જ રત્નની પ્રાપ્તિ થાય.
શ્રુતસાગર પણ અપાર છે. અગાધ છે. શાસ્ત્રવેત્તા બનવાથી શાસ્ત્રના રહસ્યા ના મળે. ચિંતનના મહાસમુદ્રમાં ડુબકી મારીએ તે જ શાસ્ત્ર સુભાષિત રૂપ રત્ન પ્રાપ્ત થાય !
સાધક ! ! શબ્દમાત્રના પારગામી ના ખન. ભાવાના વિચાર કર. જરૂર તને શાસ્ત્રનું રહસ્ય પ્રાપ્ત થશે.... એલવુ એ વચનની કલા છે. બબડવુ એ વચનના દુરુપયોગ છે. બોલવાં પાછળ શુભ આશય હોય છે. ખખડવા પાછળ આક્રોશ હેાય છે. એલવામાં મનને સંયમ હોય છે. ખખડવામાં મનને અસયમ હોય છે. ખેલવામાં શુભ વિચારો વ્યક્ત
Page #89
--------------------------------------------------------------------------
________________
૧/
૦૧-૧૦૦૦
વહેતાં ઝરણાની માફક તકલીફેની
[ ૪૫. વચ્ચે પણ માર્ગ કાઢે તે મહાન. થાય છે. બબડવામાં અશુભ વિચારે વ્યક્ત થાય છે. બોલવાથી સ્વ અર્થ (સ્વ કાર્ય) પર અર્થે (પર કાર્ય પર હિત) સિદ્ધ થાય છે. કંઈક પ્રાપ્તિ થાય છે. બબડવાથી સ્વાર્થ અને પરાર્થ બને બગડે છે. પ્રાપ્તિ કંઈ નહિ.નકામું નુકશાન...
બોલવામાં મહાપુરુષનું અનુસરણ થાય છે. બબડવામાં પશુનું અનુકરણ થાય છે. બોલવાથી આપણા શુભ ભાવે પ્રગટ થાય છે. બબડવાથી દુર્ભાવ પ્રગટ થાય છે.” બલવાની આજ્ઞા સાધુને છે. બબડવાની સાધુને મનાઈ છે. ”
ભલા મહાત્મા !!! પ્રભુની આજ્ઞાને તું આરાધક છે. તેથી ક૯ય અક૯યને ખ્યાલ રાખે છે.
ભય અભક્ષ્ય ને ખ્યાલ રાખે છે. તે
વિવેક અવિવેકને વિચાર કરે છે. ગ્ય અગ્યમાં કયાંય ભૂલતો નથી. - આચાર અને અતિચાર સમજે છે. આરાધના અને વિરાધના સમજે છે.
આદર અને અનાદર સમજે છે. સમ્યગૂ અને મિથ્યા સમજે છે. ' જ્યાં ભૂલ થઈ ત્યાં તું તરત ગુરુ પાસે આલેંચના લેવા દોડી જાય છે. તે તારી આરાધનાની સહર્ષ અનુમોદના..
આત્મીયભાવે એક પ્રશ્ન પૂછું–તારી આલોચના પિથીમાં નોંધ છે કે તે એક વર્ષમાં કેટલીવાર બબડાટ કર્યો ? ક હિતસ્વી! આપે શું કહ્યું? બબડાટની યાદી ?
આપે મને ઘણું સમજાવ્યું. પણ એક સમસ્યા મનમાં, રહે છે. લડાઈની, ઝગડાની નોંધ કરુ....કારણ, તેમાં બીજને.
Page #90
--------------------------------------------------------------------------
________________
૪૬ ] સંચાગા બદલાય છતાં ભાવના સ્થિર રહે તેનું નામ સાધના. દુઃખ પહોંચે છે. ખખડાટમાં તે ઘણી વાર સ્વગત સંભાષણ હોય છે. એકલાં જ ખેલવાનુ હાય છે, અજાને દુઃખ નહિ કોઇ વ્રતની વિરાધના નહિ. પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન નહિ તે
અબડાટની આલોચના શાની ?
સાધક ! આ તારો પ્રશ્ન નથી. કલિયુગના પ્રશ્ન છે. સ્વચ્છંદ મનને પ્રશ્ન છે. ફરી ગાખી લે. પુનઃ પુન સ્મરણ કરી લે. ખખડાટ એ લડાઇ-ઝઘડા મર્યાદા ઉલ્લંઘનની પ્રાથમિક ભૂમિકા છે.
માનસિક અસંતોષ ખખડાટ કરાવે છે. મનમાં ઉશ્કેરાટ હાય તે જ માનવ એકલે એકલા સ્વગત ખખડે. જ્યાં સ ંતોષ હાય, મનની શાંતિ હાય ત્યાં ક્યારે પણ ખખડાટ ન હેાય.” સાધુ તુ શાંતિના ફિરસ્તો . સતષનુ જીવંત રૂપ... તુ ખખડાટ કરે? ? ?
સુધર્મા સ્વામી જ ધ્રૂસ્વામીને ફરમાવે છે. “નાણી ને પરિદેવએ’તું સાધનામાર્ગના પ્રવાસી-મોક્ષના ચાહક– ચારિત્રધર એટલે તું સાચા જ્ઞાની (બીજા પુસ્તક પડીત).
“ વિલાપ કરે તે સ્ત્રી, પ્રલાપ કરે તે મૂર્ખ' “ સ`લાપ કરે તે સજ્જન, આલાપ કરે તે સાધુ ’ જ્ઞાની આલાપ કરે—પ્રસંગે સ‘લાપ કરે, પણ પ્રલાપ ન કરે અને વિલાપ પણ ના કરે.
મહાત્મા જ....તું સાધુ છે. એટલે પરમેષ્ઠિ છે, પરમ સ્થાને બિરાજે છે. શ્રેષ્ઠ સ્થાન શૈભાવે છે. જ્ઞાન વગર શ્રેષ્ઠ સ્થાન મળે ? તારા એક વચનમાં વિશ્વના ઉદ્ધારની તાકાત પેદા થવી જોઈ એ
Page #91
--------------------------------------------------------------------------
________________
કામ કરીને ઘસાઈ જવું સારું છે,
પણ કામ કર્યાં વગર કટાઈ જવું નકામું છે.
[ ૪૭
‘વચનને સંમિત બનાવવા મનને સમિત બનાવવુ જ પડે. જેનું મન સંયમી તેની કોની સામે ફરિયાદ ? શું સાધુ ભૂખથી સીઢાય ? શું સાધુ તરસથી આકુળ અને શું સાધુને ઠંડી ગભરાવે ? શું ગરમી સાધુને અકળાવે! શુ સાધુ મચ્છર-માંકડના ડંખથી · ત્રાહિમામ ત્રાહિમામ્ ’ પેાકારે! શું સાધુ વસ્ર ના હાય તા જુના પુરાણા વજ્રથી કાંટાળે ! શું સાધુ પ્રતિકૂળ વાતાવરણમાં અણુગમા અનુભવે ! શુ' સાધુ રૂપવતી સ્ત્રીના આણમાં ભાન ભૂલે ? શુ સાધુ વિહાર કરવાથી થાકે ? સાધુ એક જગાએ નિવાસ કરવાથી કંટાળા અનુભવે! શું સાધુ અનુકૂળ ઉપાશ્રય ન મળવાથી ખૂમે! મારે? શું સાધુ કોઈના તિરસ્કારથી સાધુ જીવનથી ઉભગી જાય ? શુ સાધુને કાઈ મારે તે સામે પ્રતિકાર કરે ? શું સાધુ ગોચરી જત. લજ્જા અનુભવે? શું સાધુ એક દિવસ ગોચરી ના મળે તે! બીજે દિવસે ગેાચરી ના જાય ? શુ સાધુ ટાઇ દ આવે વ્યથા અનુભવે ? શુ' સાધુ કયાંય . શરીરને પ્રતિકૂળ સ્પર્શી થક ગયા તા હતાશ મને? શુ સાધુ શરીર પરના મેલ જોઇ સ્નાનની ચાહના કરે? શું સાધુ સાધુપણુ.માં ચક્રવતી ના નમસ્કાર જોઈ ખુદનુ ગૌત્ર માને ? શુ સાધુ “ખુદના મુદ્ધિ વૈભવથી મુગ્ધ બની બીજાને તુચ્છ સમ ?
શું સાધુ પ્રયત્ન કરવા છતાં જ્ઞાન ન મળે તે પુરુષાથ થી કટાળે? શુ સાધુ તર્કશાસ્ત્રના અભ્યાસ કરતાં સત્ય અસત્યના વિવેકને વિસ્મરે ?
ના...ના... જ્ઞાની...તુ કયારે પણ પ્રલાપ ના કરે, પ્રલાપ એટલે સમજ્યા ને ? સાધના માથી વિપરીત કાય તું કરે નહિ. તુ જ્ઞાની છે એટલે પ્રત્યેક વ્યક્તિ—પ્રત્યેક પદાથ
Page #92
--------------------------------------------------------------------------
________________
પ ખપ પN
૪૮] ભેગ એ વિનાશક છે, ત્યાગ એ સર્જક છે. અને પ્રત્યેક પરિસ્થિતિમાં સાધનાની મોજ માણી લે. જ્ઞાનની મસ્તી તું એવી અનુભવે કે પરિષહની પલટનને પલાયન થવું જ પડે.”
મહાત્મા ! ભૂલ નહિ. સદા યાદ રાખ. અંધક સ્વામીના શિષ્ય ઘાંચીની ઘાણીમાં પીલાતા ગયા પણ, તેઓએ પાપી પાલકની ફરિયાદ ના કરી. મૂક સાક્ષી બની રહેલ નગરજનેની નિંદા ન કરી. પણ પરિષહને સમભાવે સહન કરી આત્મા તેજના ચમત્કારને વિશ્વમાં વિસ્તાર્યા
પ્રભુ! મને જોઈએ – પરિસહ સહવાની અનુપમ મસ્તી. પ્રભુ !
- તમારા જ્ઞાનના મહાસાગરમાં નિમગ્ન બની કર્મના. દાહજવરને દૂર કરે છે. પ્રભુ! તમારા પ્રભાવે જ્ઞાની બનું. બબડાટ ચાલ્યા જાય અને આપની જેમ મારું વચન પણ સર્વ શ્રેષ્ઠ વચન બને. પ્રવચન બને, જેના સહારે સૌ તરે.
પ્રભુ! શું ‘તિજ્ઞાણે તાયા”ની પદવી મને ના આપો! મારે જગતના કેઈ પદ-સન્માન–ગૌરવ-અભિનંદન–અનુમોદન ના જોઈએ.
મારે જોઈએ તમારા જેવી જ શ્રેષ્ઠ પદવી...
પ્રભુ! આપને તિન્નાણું તારયાણું” પદ. તે પદ મેળવવા કમ્મર કસીને પ્રયત્ન કરીશ. રાત-દિવસના ઉજાગરા વેઠીને પણ ચગ્ય બનીશ. પ્રભુ! ખાતરી આપું છું. આપે મને સાધુ બનાવ્યું. હવે જરા પણ બબડાટ નહિ કરું પણ...
તમે મને ખાત્રી ના આપ “તિન્નાણું તારયાણું” પદ આપવાની ???
Page #93
--------------------------------------------------------------------------
________________
૯. ભિ′′ નં સજલે
卐
એક વીસથી પચ્ચીસ વર્ષોંના યુવાન છેક એક સ્ત્રીને એટલે પજવે છે. એટલી ગાળ દે છે. એટલુ મારે છે. સ્ત્રીના હાથપગમાં કયારેક તેા કળ ચડી જાય છે. ટુટીયુ વાળીને સૂઈ જાય છે. પાછી પાંચ મિનિટ થાય છે અને તે કાં પાછળ દોડે છે, સમજાવી ફાસલાવી છેકરાને લઈ આવે છે, પાછી એની એજ પ્રવૃત્તિ. નિત્યને ક્રમ થઈ ગયે.
નથી સ્ત્રી થાકતી...નથી છેકરા થાકતા. પણ જોનારા હવે આ દશ્યથી થાકી ગયા. એક મટક એલા દકે હિંમત કરી પૂછ્યું. એન, તમે આમ તેા ખૂબ કડક સ્વભાવના છે. એ વાત તમારી મુખાકૃતિ કહી દે છે. પણ આ બાળક આટલું મારે છે છતાં તમે કેમ સહી લેા છે ? ફરી ફરી એને કેમ સમાવેા છે ?
એન પ્રશ્ન સાંભળી કંઈક ગભીર બની ગયા. ફરી હળવા થઇ કહેવા લાગ્યા....ભાઈ...આ મારા લાલ છે. એ ગર્ભમાં હતા અને એના પિતાએ વસમી વાટની વિદાય લીધી. ત્રણ વર્ષોંની ઉંમરથી આંચકી આવવી શરુ થઈ ગઈ. અને તેમાંથી આ તફાન શરુ થઈ ગયું. કંઈ નહિ, હું “ મા છું તે ખાળક “ છે. મને ગુસ્સા જ તેના ઉપર આવતા નથી તેા શું કરું?
ગુસ્સે। વ્યક્ત કરવા નહિ તે જુદી વાત છે, ગુસ્સે આવવે નહિ તે જુદી વાત છે અને ગુસ્સા થઈ જવા તે જુદી વાત છે.
જેની પાસે વિચારની શક્તિ નથી તે વ્યક્તિ ગુસ્સો કરી દે છે. જેની ' પાસે વિચારની શક્તિ છે તે વ્યક્તિ ગુસ્સ કરતી
નથી....
૪
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૦] ખીજા કરતાં હુ સારો છું
એવું આશ્વાસન મેળવવું તે પ્રગતિના અત છે,
પણ....જેને સવિચારને અને ખુદના બ્ય ધર્મને સિદ્ધ કરવા ીન વ્રત લીધું છે તેને તે ગુસ્સા પેદા જ નથી થતા. જગતના પ્રત્યેક દર્દી અ ંગે સ ંશોધન થાય છે અને સ ંશાધન બાદ તે દર્દીને નાબુદ કરવા દરેક પ્રકારની પદ્ધતિ સ્વીકારાય છે. પણ સમસ્ત વિશ્વ સદા કાળ જે દર્દથી પીડાય છે, ઘર..ઘરમાં જે દર્દીના દદી એ છે તે દર્દીની આપણે કેટલી ઉપેક્ષા કરી રહ્યા છીએ. તેની નથી કોઈ ચિ'તા ! નથી કોઇ દુઃખ ! બહુ કહીશુ તે જવાબ એકજ મળશે...શુ' થાય ? કાણ કોને કહે !!!
નદી ડોકટર બની શકે કે નિરેણી ડોકટર બની શકે ? નિરોગી ડાકટર દ્ઘના નિદાન કરી શકે. ીને દર્દીની ચિંતા ન થાય તેને તેની ભયાનકતાની ખબર નથી. પણ ડોકટરને ખબર છે કે આ દ તીવ્ર મનશે તે! વિશ્વમાં કેવા ભયંકર રોગચાળા ફેલાશે ..
વિશ્વના સમસ્ત માનવ ક્રોધના ભયંકર રાગથી ઘેરાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કોઈ કોઈ ને રાગી પણ કહી ના શકે, શ માટે ? રાગી કહીશુ તે સાંભળવુ પડશે “મહાગી.”
આ ભયંકર દીની ચિંતા થઈ ભવવૈદ્ય પરમાત્મા દેવાધિદેવ મહાવીર ભગવાનને, ક્ષમાની ઔષધિ લઇ તે ગામ ગામ ઘૂમ્યા...નગર નગર ઘૂમ્યા...માનવ માનવને સદેશે. પહેોંચાડવા પરમાત્મા અનાય દેશમાં પણ વિચર્યા–વિહર્યાં... પરમાત્માની દયા માનવસુધી સીમિત ના રહી. જીવમાત્રના હિતચિંતક ક્રોધના મહારોગમાં ફસાયેલ પેલા ચડકૌશિક સપના ખીલ પાસે પણ પ્રભુ પહોંચી ગયા. ચંડકૌશિકને પણ પરમાત્માએ
Page #95
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચય એટલે આત્માને વિહરવાનુ` મેદાન. [ ૫૧ ક્ષમાની દિબ્ધ જડીબુટ્ટી આપી તેા...પેાતાના વારસદાર પુત્ર પુત્રી સમા શિષ્ય- શિષ્યાની ભાવ કરુણા ભૂલે? પરમાત્માએ દીક્ષા આપતાં જ શિક્ષા આપી...ખાવીસ પરિષહનું જ્ઞાન આપતા ફરમાવ્યું કે...આક્રોશ...તિરસ્કાર...ગુસ્સો અપમાન આદિ પરિષહા તે દીક્ષા લઈશ ત્યારથી જ શરુ થઇ જશે.
તારુ પુણ્ય હશે, કદાચ તારા ગુરુ શાંત હશે. તારા સહવતી સાધકો શાંત હશે. ઉપરાંત હશે, કારણ તે ખધા મહાત્મા છે. પણ તારે જાહેર જીદગી જીવવાની છે. જે સૌ તને મારા ...મારા....અમારા....અમારા કહેતા હતા તેને ત્યાગ કરી જે પૂછે છે “તમે કેણુ? કયાંના ? તમારે ને અમારે શુ?’' એવા પરાયાજન સાથે સમભાવ ભર્યાં અમર સબંધ સ્થાપિત કરવાના છે. આ બધાને સાધુ નહિ ગમે, સાધુતાની વાત નિહ ગમે, સાધુના સમાગમ નહિ ગમે. તેથી જેમ તેઓની નિકટ જઈશ તેમ તારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, અસત્ય વચન ખેલશે, તારી નિંદા કરશે, તારા પરમાત્માને નિર્દેશે, તારા ત્યાંગ ધને નિર્દેશે અને છેવટે તારા સમભાવને પણ નિર્દેશે....પણ સાધક ! તું હવે મારા અંશ છે. મારા આદર્શનેા પૂજક છે. તેથી તને એક સાક પદ આપું છું, “ ક્ષમાશ્રમણ....” અને હૈયાની હિતશિક્ષા આપુ છું.
“
“ સિરસા હાઈ બાલાણ”-તમ્હા ભિખૂ ન સજલે”
જો તું જરા પણ કપ કરીશ તો બાળક સરખા બની જઈશ. માટે હે! ભિક્ષુ તુ જરાય કોપ ના કર.
પરમાત્માના વચનને આધીન બની સાધક કેશ—લુંચન કરાવે છે. ર'ગબેરંગી વસ્ત્રના ત્યાગ કરે છે. પાંચ આશ્રવને
Page #96
--------------------------------------------------------------------------
________________
પર ] જે ભાવ પત્થર જેવા હૈયાને પણુ મીણ જેવા બનાવી દે તેનું નામ સમણુ.
ત્યાગ કરે છે. અસિધારા ગમન સયમ મહાયાત્રાનો પ્રારંભ કરે છે. તે પરમાત્માના પ્રાણસમીક્ષમાના સદ્ભાગી કેમ ન અને ?
પ્રત્યેક આચારની પાછળ વિચારનું ગુપ્ત ખળ Y પ્રેરક અને પૂરક હૈાય છે. માતા જીજીબાઇના પ્રેરક બળે જ શિવાજી હિન્દુ રાજ્યના સ ંરક્ષક બન્યા. આદર્શવાદી આગેવાન નેતા કયા૨ે પણ પ્રજા ઉપર આચારને ભાર લાદતા નથી. આચારની પ્રક્રિયા નિયત કરતાં નથી પણ શ્રેષ્ઠ આચારની જનની વિચાર શ્રેણીને જ મજબૂત બનાવે છે.
શિવાજી મહારાજા ગંમાં છે અને માતા જીજુભાઈ રામાયણના અરણ્ય કાંડના રાજ પાઠ કરે છે. શિવાજીના જન્મબાદ આઠ વર્ષ સુધી આ ક્રમ નિયત રહ્યો છે. એકવાર અરણ્યકાંડ સાંભળતા શિવાજી પૂછે છે. મા ! રાવણુ કાણુ ? રામ કોણ ? મા કહે છે બેટા વમાનના રાવણ ઔરંગઝેખ અને વમાનના રામ મારો દીકરો શિવાજી. બસ....આ પ્રેરણાએ શિવાજીને અદ્ભુત ખળ આપ્યું અને હિન્દુ રાજ્યને વિજય થયા....
માતા જીખાઈ ને શિવાજી માટે જે આદશ છે તેના કરતાં અનંતગણા સાણલાં તીથ કર દેવને સાધક માટે છે. એટલે જ આપણને ક્રાધના ભય કર પરિણામે દર્શાવી કહે છે તને આ કાય સાપુ છું, “વિશ્વ વ્યાપી ગુસ્સાના રોગને નાબુદ કરવાનું.”.....પણ....યાદ રાખજે,-આ નદી એ હુલ્લડ મચાવશે. પણ તું તારા જ્ઞાન સિદ્ધ અધિકાર ના ગુમાવતા. “ રિસે હાઈ અલાણું, તન્હા ભિકબૂ ન સજલે ”
Page #97
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય એ ક્રોધરૂપી ઝેરને માટે નાગદમની છે. [ ૫૩
જગત્ કોધની આગમાં ભડકે બળી રહ્યું છે. કારણ, તેમની પાસે જ્ઞાનનું જળ નથી. અજ્ઞાનને લાવારસ જ કોઇને જવાળામુખી જગાવે છે.
જ “જ્ઞાની તે વડીલ, અજ્ઞાની તે બાળક.’ : “જ્ઞાની તે નેતા, અજ્ઞાની તે ટોળું.” ક “જ્ઞાની તે સંરક્ષક, અજ્ઞાની તે રક્ષાયેગ્ય.” * “જ્ઞાની તે માતા, અજ્ઞાની તે બાળક.”
અજ્ઞાનીને જ્ઞાની બનાવવા સદા યત્ન કરે તે મહાત્મા. સાધક તારા શિર પર તે જવાબદારી છે. વિશ્વને સમજદારીની શિક્ષા આપવાની. જો તું ગુસ્સ કરે તે... સાધનાનો સરવાળો કે બાદબાકી ?
ફરી...ફરી... એક જ વાત કહું છું. તત્વજ્ઞાનથી પ્રત્યેક જીવને નિહાળ-પ્રત્યેક જીવને બાળ સમજ અને સૌ બાળકને તારી અધ્યાત્મ દૃષ્ટિના દર્શન કરાવ... હે પરમાત્મા !... "
ભલે આપના હસ્તકમલથી દીક્ષિત ના બને. પણ આપની આજ્ઞા દ્વારા જ દીક્ષિત બન્યું છું. મારી તે એક વિનંતિ આપનાં ચરણકમળમાં છે. ક્રોધ મને બાળક ન બનાવી દે. ક્રોધ મારી સાધનાને સંહરી ન લે, તેવા મારા અમેઘ સંરક્ષણકાર બને.
Page #98
--------------------------------------------------------------------------
________________
૧૦. મપિ ન પએસએ ’
""
5
શબ્દ
અવાજ આવવાથી અનુમાન થાય અહીં કોઈ છે. વિચારવાથી સમજાય પશુ નહિ પણ માનવ છે. “ તેમ સદ્વ્યવહાર અને અસદૃવ્યવહારથી સહુજ દર્શન થાય છે, માનવીની માનસિક પરિસ્થિતિના ’...
મનોવૈજ્ઞાનિકો કહે છે માનવીના પ્રત્યેક સ્વપ્નના સૂક્ષ્મ અભ્યાસ કરે. વિશ્લેષણ થતાં માલુમ પડશે. માનસિંક લાગણી કયાં દુભાઈ છે? કાં લાગણીનું વહેણ સરળગતિએ કાં વહ્યું છે? માનવીની આશા કથા પૂર્ણ અની છે અથવા કાં અપૂર્ણ રહી છે ?
C
ધર્મશાસ્ત્ર કહે છે તારે સાચા ધમી અનવું છે? તારે આંતરિક ધમી બનવું જ હાય,તે જીવમાત્ર પ્રત્યેના તારા વર્તનને સુધાર. તારા વચનને સુધાર...તારા વિચારને શુદ્ધ કર.
આ આંતરિક ધમી બનવાના ક્રમ છે. પહેલું પગથિયુ હજી સહેલુ છે. બીજુ એથી અઘરું છે. અને ત્રીજું પગથિયુ સિદ્ધ થાય તે આંતરિક ધમી બની જવાય.
વિશ્વ સાથે ભયંકર ચેડા કરનાર... એટમ બેબ નાંખનાર પણ પેાતાના શરીરનું સ ંરક્ષણ વિચારીને જ બીજાને હેરાન કરે છે. સ્વના સ ંરક્ષણ માટે પણ બીજાના પ્રાણ મચાવવા પડે છે. તેથી તે સહેલુ છે. કોઇના પગને ઈજા પહેોંચાડવા પ્રત્યેક વ્યક્તિ તત્પર છે. પણ પેાતાના પગને ઉપયોગ ના કરે. પગના ઉપયોગ કરુ અને કદાચ નુકશાન થાય તે... આ વિચારથી પણ માનવ વનને કાબુમાં લે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
જે ગુરુના જ્ઞાન ખજાનાને વારસદાર છે
| | પપ તે જ ગુરુને સાચે વારસદાર છે. માનવ કેઈ સાથે વાફકલહ કરે છે. ઘણું લડવું છે. સામા માણસને બેઈજ્જત કરે છે. પણ ગળું બેસી જાય તે? ભાષા ન સમજે તે? સામે જવાબ ન આપે તે ? આવા કંઈક કારણથી પણ વાણીને કાબુમાં લે છે. પણ... મનનું યુદ્ધ, વિચારને સંઘર્ષ–અવિરત પણે ચાલુ જ હોય છે. વિચારના સમરાંગણમાં માનવીને બહારના કેઈ બંધન રેકી શકતાં નથી. તેથી જ આંતરિક ધમી બનનારને જગત ગુરુને ઉપદેશ છે, “તું મનથી વિશુદ્ધ બન. મનના સંઘર્ષથી વિરામ પામ. તારે એટલાં અહિં સક બનવાનું છે કે જીવ માત્ર પ્રત્યે માનસિક દ્વેષભાવ પણ રાખવાનો નથી.”
તું પ્રશ્ન કરવાને બહારથી વર્તન સારુ રાખીયે બેલવામાં ન બગાડીએ . પણ મનથી કેમ પવિત્ર રહી શકાય? અસંજ્ઞી ઓછાં છીએ? મન છે તે વિચાર આવે. વિચાર આવે એટલે બધાનાં વ્યવહાર વર્તન યાદ આવે... સાચું કહી દઉં?...બહારથી પ્રેમ રાખી શકાય. પણ મનમાં જેના પ્રત્યેદ્વેષ થયે તેને મનથી કેમ માફી આપી શકાય???
સાધક ! હું તને એજ હિતશિક્ષા આપું છું. તારા મનમાં પ્રષ ન લાવ....મનમાં વેરઝેર...ઈર્ષોની પરંપરા પેદા થઈ તે દૂર કરવી ખૂબ કઠીન છે. તેથી જ કહું છું. તારા મનને પવિત્ર રાખ...મનમાં શ્રેષ-પ્રÀષ તેને પેદા થાય છે, કે જે બધાની પાસે હક્ક દાવ કરે છે. સૌના ગુન્હાને યાદ રાખવાની અને તેને બદલો લેવાની દુષ્ટ ભાવનામાંથી મનમાં દ્વેષ પ્રગટ થાય છે. જ્યારે આપણા ખુદના કર્તવ્યનું ભાન થશે ત્યારે વાત્સલ્યની સરિતા વહેશે. પ્રેમને સાગર હિલેળે ચઢશે.......
Page #100
--------------------------------------------------------------------------
________________
પ૬] જે તમારે દુઃખની જરૂરિયાત નથી
તે દુઃખને યાદ કરશે નહીં. * બાળક ગંદુ થઈને આવે ત્યારે માતા ઠપકે આપ પણ દ્વેષ ન કરે. ગંદા બાળકને પણ ચેખું કરે. કારણ મા સમજે છે. નાને છે એટલે સમજતા નથી તેથી ગંદે થાય છે. મને ગંદકી ગમતી નથી. કારણ, હું મેટા છું એટલે ગંદકીના નુકશાનને સમજું છું. મારું કર્તવ્ય છે કે મારે ગંદકી સાફ કરવી જોઈએ. કર્તવ્ય ધર્મ બજાવે ત્યાં કીતિના પાટીયા લગાવવાનાં હોય? બસ, બાળકનું બાળપણ તેના સ્વભાવને કહી દે છે, અને માતાનું માતૃત્વ તેને વાત્સલ્યને કહે છે તે જ તેની સિદ્ધિ.
વિદ્યાથી લેખનમાં ભૂલ કરે. ખરાબ અક્ષર કાઢે તે શિક્ષક શું કરે? ઠપકે આપ ને પણ તેની ભૂલને ય સુધારે.... શિક્ષકના મનમાં શું વિચાર આવે ? વિદ્યાથી છે. હજી વિદ્યાના મૂલ્ય સમયે નથી..અજ્ઞાન છે. તેના પર દ્વેષ ના કરાય.... તેને માર્ગદર્શન અપાય...
પરમાત્મા સર્વજ્ઞ તીર્થકરને સાધુ એટલે વિશ્વની જીવમાત્રની કરૂણાપૂર્ણ જનની-માતા....”
જગતના જે સાધુને ત્રાસ આપે. દુઃખ આપે–પીડે– કનડે ગાળ દે...મારે...અરે ! સાધનામાર્ગથી ભ્રષ્ટ કરે તે પણ સાધુ તેને બદલે ના લે તેની સાથે ઝઘડે નહિ. અરે ! મનમાં પણ એ જીવ પ્રત્યે હલકે ભાવ ના લાવે. ફક્ત સાધુની મને ભૂમિકામાં વિચાર આવે તે એ વિચાર આવે. “ભૂલ કેની સામેના આત્માની કે મારા કર્મોની )
અગ્નિ બાળે તે સનાતન સત્ય, પાણી ઠંડક આપે તે સનાતન સત્ય
Page #101
--------------------------------------------------------------------------
________________
વડીલેાનાં આશીર્વાદ એ જ જીવનની સાચી મુડી છે. [ ૫૭
કાં અવશ્ય ભૂલ કરાવે તે સનાતન સત્ય, શૈતાન સાધુને હેરાન કરે તે સનાતન સત્ય,
કદાચ કોઈ મંત્ર પ્રયાગ—તંત્ર પ્રયોગ–જાદુ પ્રયાગથી આ સત્ય-અસત્યમાં પરાવર્તન પામે....
ત્રણ કાળનું સત્ય તા એ જ સાધુ શેતાનને પણ ક્ષમા આપે
શેતાન માટે પણ સાધુના હૃદયમાં દ્વેષ ના હાય–વેર ના હાય, ક્રોધ ના હાય. સાધુ દ્વેષ કરે-દ્વેષના કારણ રૂપ રાગ ઉપર, મમત્વ ઉપર, આસક્તિ ઉપર. આસક્તિનું પ્રથમ સ્થાન મુદ્ઘના દેહ-ખુદનુ શરીર
આપણે લડીએ છીએ-વઢીએ છીએ-દ્વેષ રાખીએ છીએ. દેહને પીડા આપનાર ઉપર જ ને ? આપણું મમત્વ દેહ ઉપર એટલુ થઈ ગયું છે કે “ દેહ તે હું અને હું તે દેહ. ’’ એટલી અજ્ઞાનદશામાં પહેોંચી જઇએ છીએ-અને નશ્વર દેહ માટે શાશ્વત આત્માને પરના દ્વેષથી દુર્ગુણી બનાવી દઈ એ છીએ, દ્વેષની માતા મમતાના ચક્કરમાં આવી અનંત જન્મમરણના અપમ’ગલને સ્વીકારી લઈએ છીએ.
આથી જ પરમાત્મા મહાવીરદેવે સાધકને સાધનાના પ્રારંભકાળમાં જ ખાવીશ પરીષહને વિજય કરવાને કહ્યો. આવીશ પરિષદ્ધ પર તે જ વિજય કરી શકે જેને હનુમમત્વ ના હાય. દેહનું મમત્વ ના રહે તે દેહને દુઃખી કરનાર પ્રત્યે દ્વેષ ના થાય. દ્વેષ ના થાય તેા ખુદના કર્તવ્યનુ
જ્ઞાન થાય.
સાધક ! મનને પવિત્ર કરવાને કિમીયા છે મમત્વના સામ્રાજ્યને ફગાવી દેવાને ધ્યાનપૂર્વક સાંભળ....
Page #102
--------------------------------------------------------------------------
________________
૫૮] પુરુષાર્થ એ વર્તમાનને હિસાબ-ક્તિાબ છે.
અને પુણ્યાઈ એ પૂર્વને હિસાબ-કિતાબ છે. રાગ જશે એટલે દ્વેષ પિતાના બિસ્તરા બાંધી તુરત. રવાના થશે.
રાગ-દ્વેષ જ્યાં આત્મામાંથી વિદાયની તૈયારી કરશે ત્યાં ક્ષપક શ્રેણીની શોભાયાત્રાના મંગલરૂપ અપ્રમત્ત ભાવ ના મંગલવાદ્યોથી તારું મન મંદિર ગુંજિત બની જશે.
પ્રભુ! મનને પ્રઢષ દૂર કરવાના બહાને આપે મને અપ્રમત્ત ભાવને રાજમાર્ગ બતાવ્યું. તે બાલ ભાવે સ્વીકાર છું.-આપની સાધનાની પગદંડી પર ચઢી રહ્યો છું. રક્ષણ કરજે. મારી સાધનાનું .....
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૧. દ્ઘિ જીવસ નાસાત્તિ
માનવ તત્ત્વજ્ઞાનની માટી માટી વાતેા કરી શકે છે પણ . તત્ત્વજ્ઞાનને જીવંત સ્વરૂપ બનાવવાને જ્યારે અવસર આવે. છે ત્યારે સાચે વિરાટ દેખાતા માનવી વામન ખની જાય છે. . આપણને ક્ષણભર લાગી જાય શું આ માનવ વિરાટ હતે! ? તત્ત્વજ્ઞાનમાં આનંદ માનતા હતા?
卐
પરમાત્મા મહાવીરે .તત્ત્વજ્ઞાન ફરમાવ્યું છે, પણ તે જ ઉપદેશ તે જ શિખામણ જગતને આપ્યા છે કે જે સ્વના જીવનમાં પેાતે આચર્યાં હતા.
ઘણી વખત માનવ તત્ત્વજ્ઞાનની વાતે ફક્ત બુદ્ધિની કસરત માટે કરે છે પણ અંદરથી આવા માનવી ભૌતિકવાદને ભક્ત હાય છે. કોઇને દ` થયું, તેણે ચીસ પાડી, તરત આપણે એક ભાષણ છેડયું એમાં શું કાયરની જેમ બૂમ મારે છે? ... શરીર છે તેા હૃદ આવે!
*
કોઈ વિધવા સ્ત્રીના એકનેા એક લાડકવાયા દીકરો મૂછના દારા ફૂટે તે પહેલાં જ ચિર નિદ્રામાં પેાર્ડી જાય ત્યારે કતવ્યમાગે આપણે સ્થિર રહેતા નથી અને તત્ત્વજ્ઞાનના શિક્ષક હાઇએ તેવી જ અદાથી કહીએ છીએ આંસુ શા માટે ? સયેગ છે તેા વિયાગ થવાના જ !”
કેાઈ મધ્યમ પરિસ્થિતિવાળાં સજ્જનના ઘરે ચારી થઈ. તેના ઘરમાં સહુના માંઢા સીયાવીયા થઈ ગયા છે ત્યારે શ્રીમ'તાઈના મદ્રે ઝૂલે ઝૂલતાં પેટ ઉપર હાથ ફેરવતા ટેલીફેશનમાં રિસીવર ઉપર એક લાંબુ પ્રવચન આપી દઇએ છીએ. ભાઈ !.
Page #104
--------------------------------------------------------------------------
________________
૬૦ આશીર્વાદ મેળવવા માટે બુદ્ધિની નહીં, પણ અંતઃકરણની શુદ્ધિની જરૂર છે.
આમ શું ગભરાઈ જાય છે ? સુખ-દુઃખ તેા માનવ. ઉપર જ આવે ને ? પૈસા ગયા છે તારુ ભાગ્ય તો નથી ગયું ને ? ફરી પુરુષા કર...પુરુષાથથી સવ` સિદ્ધિ પ્રાપ્ત થશે.
કોઈ નવા નવા કાર્યકર ફરિયાદ લઇને આવ્યા, સાહેબ ! હવે હું તેા કામ નહિ કરું? લેાકોને મારા પર વિશ્વાસ નથી, કેવી ગજબની વાતા કરે છે! દુનિયા કેટલી વિચિત્ર છે! મારાથી આ અપમાન સહન થતું નથી. આ તમારી ફાઇલ સંભાળે ! આજથી મારું કા ક્ષેત્ર મેં તેા ખલ્યુ ! તુરત આપણે કહી દઈશું .... અરે ઢીલી દાળના ! આમ શુ ગભરાય છે? તું સેવા કરવા ગયા હતા કે મેવા મેળવવા ? સમાજમાં તે! આમ જ ચાલે. સૌની વિચાર શ્રેણી સરખી ના હોય. ગામ વચ્ચે જે કૂવા હોય તેને કોઈ ઉડા તે કંઈ છીછરો કહે... ગભરાઈ નહિ જવાનું નિષ્કામ બનીને સેવા કરવાની, બદલાની-ફળની આશા જ ના રાખવી. ભલેા થા....અને તારા કામાં આગળ વધ.
એકવખત એક જગ્યાએ ટોળું એકત્રિત થયેલુ જોઈ કોઈ ભલા સજ્જનને થયું, લાવ, શાંતિ સ્થાપું. ટોળાંની વચ્ચે ઘૂસ્યું, અને જૂથને સમજાવવા લાગ્યે. ટોળાંવાળા કહે .. અમારે સલાહકાર નથી જોઇતા. અમારે તે અમારા પક્ષકાર જોઈએ છીએ. માલ ! તું અમારા પક્ષમાં છે કે નહિ ! એક તાકાનીએ પગ ખેંચ્યા બીજાએ હાથ ખેંચ્યા...પરિસ્થિતિ એ સજા ણી હાથ પગ અને નકામા થઈ ગયા. શું કરું ? સમજાતું નથી. ભાઇ સાહેબ ! સલાહ આપે, રાજ્યાશ્રય. લઉં ?
તુરત જ શાણા સજ્જન જેવા આપણે કહીએ છીએ.... ટાળુ એટલે પશુવૃત્તિ-જ્યાં ફક્ત ધમસાણ જ હાય-બુદ્ધિ ના
Page #105
--------------------------------------------------------------------------
________________
કાયાને વ્યાપાર એ ટકેલા અક્ષર છે, [ ૬૧
જેના સંસ્કાર જીવનમાં રહી જાય છે. હોય. તું હજુ પુણ્યશાળી છે જીવતો આવે, હાથ પગને જ નુકશાન થયું છે ને? છ મહિનામાં આરામ થઈ જશે.
કેઈ દેશપ્રેમીની પત્ની આવીને કરૂણ કલ્પાંત કરે છે. દેશની રક્ષામાં હાલાએ વસમી વિદાય લીધી. હવે એકલી – અટુલી હું શું કરીશ? દ્રૌપદીની વહારે દેડનાર શ્રીકૃષ્ણની અદાથી આપણે કહીએ છીએ એન! શરીરને નાશ થયે, આત્માને. નાશ કયાં થયે છે! બીજા જન્મમાં તમારે પતિ તમને મળશે.
આમ વિવિધ પરિસ્થિતિમાં અનેક વ્યક્તિને જ તત્વજ્ઞાનના પાઠ આપનાર આપણે આપણું જરા માંથું દુઃખતા ગભરાઈ ગયા. જરા તાવ આવ્યા ને મુંઝાઈ ગયા. જરા કેઈએ. અપમાન કર્યું અને કરમાઈ ગયા. કેઈએ એકાદ થપ્પડ મારી, ત્યાં તે આપણા મૃત્યુની આગાહી કરવા બેસી ગયા. મહાત્મા જંબૂ....!
સંસારી અને સાધુ વચ્ચે ફરક આ જ. સંસારી તત્ત્વજ્ઞાન મેળવે જગતને શિખામણ આપવા. સંયમી તત્વજ્ઞાન મેળવે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા પરમાત્માના દર્શન કરવા. પિતાના આત્માને તારવા.
નર્થીિ જીવસ નાસત્તિ 25 પદ લલકારી આકાશને. ગજાવવાનું નથી પણ ભૌતિકવાદમાં મુંઝાતા-અટવાતા આત્માને માર્ગ પર લાવવાની આ દિવ્ય મશાલ છે. આ મશાલ. અજ્ઞાનના અંધકારમાં રાહ ભૂલેલા આત્મપ્રવાસીને અનંતના માર્ગમાં સ્થિર કરે છે. સાધના માર્ગનું પથદર્શન કરાવે છે.
તું ક્ષમાશ્રમણુ છે એટલે ક્ષમા માટે જ મહેનત કરનાર છે. ક્ષમાગુણની પ્રાપ્તિ માટે જ તારે ધરખમ પુરુષાર્થ
Page #106
--------------------------------------------------------------------------
________________
૬૨] પરમાર્થ એ વહેતી નિર્મળ નદી છે,
સ્વાર્થ એ ગંદુ ખાબેચિયું છે અપમાન, તિરસ્કાર, નિંદાના પ્રસંગને તું એક નવી દષ્ટિથી નિહાળજે. ક્ષમાના પાઠ તે ઘણે ગોખ્યાં, આજે મારા ક્ષમા
ધર્મની પરીક્ષાને ધન્ય દિવસ છે. - શાસનદેવ !
સહાય કરજે ક્ષમાના પ્રદાનમાં, પ્રથમ શ્રેણિમાં પ્રથમ આવું.”
હું જડને પૂજારી નથી કે જડથી ઉશ્કેરાટ અનુભવું, મુક્ત મને હસતાં હસતા કહીશ તમે મારા ગુરુ છે. તમે જે રીતે જે શબ્દ વાપર્યા તે હું પણ વાપરીશ તમારી જ પદ્ધતિએ. ફક્ત ફરક એટલે દુષ્ટ વ્યક્તિ ઉપર નહિ પણ મારા મનની દુછવૃત્તિ ઉપર. - મહાત્મા !
તું શ્રમણ જ નહિ, સુમન છે, પુષ્પ છે. પુષ્પ પમરાટ ફેલાવે, કરમાઈને પણ સુગંધને સંદેશે વિશ્વને આપે. તું વિચારજે. હું મારા મનની વૃત્તિને સુમન બનાવીશ અહિત ચિંતકનું અહિત કરવું. વાડકી આપવી અને લેવી એ તે સંસારીની પદ્ધતિ.
માન આપે તેને માન આપવું, અપમાન કરે તેનું અપમાન કરવું, બેલાવે તે બેલવું ન લાવે તે ના બેલવું, આપણી નિંદા કરે તેની નિંદા કરવી, આપણી પ્રશંસા કરે તેની પ્રશંસા કરવી, આપણું કામ કરે તેનું કામ કરવું ન કરે તેનું ના કરવું, - આપણી સાથે સંબંધ રાખે તેની સાથે સંબંધ રાખવે, - આપણી સાથે સંબંધ ન રાખે તેની સાથે ના રાખવે,
Page #107
--------------------------------------------------------------------------
________________
નમ્રતા દ્વારા સજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. [૬૩
આવું તે એક સ ંસારી કરે. તું સુમન ! સારા મનવાળા. મનઃ પ્રર્યાપ્તિથી સપ્તમી નરકનું આયુષ્ય આંધનારા માનવ, નહિ પણ મનઃ ર્સ્થાપ્તિથી મને યાગના સહારે અપ્રમત્તભાવે નિષ્કષાય બનવાના પ્રયત્ન કરનાર મહાસાધક
જગતના અબુધ અન્નાની જીવ પ્રત્યે તારું વન યાયુક્ત, તારી વાણી કરૂણાપૂર્ણ, તારા વિચાર હિતપ્રેરક. તારા વિચાર, વાણી, અને વન વિશ્વના માપદંડ બને તેવા આદશ જોઇએ. કયાંય કોઈ વ્યક્તિ ભૂલ કરતી હાય અને તારું નામ યાદ આવે અને તેનુ જીવન બદલાઈ જાય, પરિવર્તન પામી જાય. તારી સ્મૃતિ કોઈ શેતાનને સ ંત બનવા પ્રેરે તેાતું સાધુ છે....તું સુમન છે તે નક્કી માનજે
પ્રભુ પાસે આપણે માંગીશું... પ્રભુ ! આજે તમારી પાસે તમારા નજીકના સંબંધી તરીકે એક વસ્તુ ઉછીની લેવા આન્ગેા .. સંબંધ જાળવી મને આપના એ આંસુના બિંદુ ઉછીના આપેને ! મેં એટલું ન કર્યુ છે કે સ્વયંભૂમણુ સમુદ્રના જળ સાથે મારા આંસુ સ્પર્ધા કરે છે. સ્વય ભૂમણુ સમુદ્રના જળ કરતાં મારા આંસુ અધિક છે. પુષુ તે મારા સ્વાના છે, મારા દુઃખના છે, મારા મા છે, મારે તા તમારા જેવા એ આંસુના ખુદ જોઇએ.
પ્રભુ ! તમે સ ંગમ માટે આંસુ સાર્યાં, અધમ આત્માના ઉદ્ધાર અથે, શું હું મારા આત્માના ઉદ્ધાર અર્થે ના પડી શકું ? પ્રભુ ! આપના આંસુ મળે તે! જ હુ' સુમન-સારા મનવાળે... સારા વિચારવાળા... નહિતર કુમન ખરાબ વિચારવાળા, મન દ્વારા દુર્ગતિ મેળવનાર. પ્રભુ ! મને સુમન ખનાવશે તા જ હું' સંચમી ખૂની શકીશ,
Page #108
--------------------------------------------------------------------------
________________
૬૪ ] અહંકારના વિસર્જન દ્વારા જ
સ્વસ્વભાવનું સર્જન થાય છે.
સુમન વગરનું સયમ ક્રૂડ છે...સજા છે.. જેલ છે. સવિચારથી...જ્ઞાનગમિ ત વૈરાગ્યથી સ્વીકારેલ સંચમ જ આત્મસિદ્ધિમાં સહાયક છે. સંયમી જ દાન્ત, ઇન્દ્રિય વિજેતા અને છે. ઇન્દ્રિય વિજેતા આત્મદર્શન પ્રાપ્ત કરી શકે છે. આત્મ દન કર્યાં. હાય તેને નિજાત્માની મસ્તી ચઢે, તે આત્મા દેહનુ ભાન ભૂલે, દેહના નાશમાં તેને નવાઈ ના લાગે, કાચનું વાસણ ફૂટયું તેમાં ખૂમ ના મરાય, કાચનું વાસણ હતુ તે ફૂટયું.
આત્માના દશ ન કરનારને દ્વેષના નાશ થાય ત્યારે એક આનંદની અનુભૂતિ થાય. દેહ નાશવંત હતા તે નાશ થયે.. આત્મા તેા અજર છે...અમર છે... હું... પ્રભુ મહાવીરનેા ઉપાસક મારા દેઢુના નાશ થાય ત્યારે પરલેાકના પ્રવાસ સમયે તમારા સૌની વિદાય લેતા મરક મરક હસતાં હસતાં કહ્યું, મુક્ત ગગનનું પંખી છું. દેહના પિંજરમાં મારું ખંધન ના હેાય, પિંજરને નાશ થયા છે. મારા આત્મા શાશ્વત છે...અજર છે...અમર છે. ચાલા, મને શાશ્વતપથની ભવ્ય વિદ્યાય આપેા.
સાંભળી લે! મારી છેલ્લી અહેલક.
નસ્થિ જીવસ નાસાત્તિ’
પ્રભુ !
મેતા મુનિના પ્રતિકૃતિ મને ના બનાવે ? મારે બનવુ છે....પથ બતાવજો....ઉપાય બતાવજો...
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૨.
અલાભેા ત ન તજ્જએ” '
સુખ પ્રાપ્ત થાય ને હસે, દુઃખ પ્રાપ્ત થાય ને રડે, ઇચ્છિત મળે ને ખુશ થાય, અનિચ્છિત મળે ને નાખુશ થાય એ સંસારી. સારું મળે, સુંદર મળે, મૂલ્યવાન મળે.... અમૂલ્ય મળે ને ખુશ થાય તે સજન....
“ સમ્યગ્ મળે....સત્ય મળે.. શાશ્વત મળે ને ખુશ થાય તે સત”...મહાત્મા જ. !....
તું માત્ર સંત નહિ, પણ સંત છતાં ભગવ ંત બનવા સમુત્સુક. દુનિયાના તાલ માપ જુદા....દુનિયાના તાલે જાતને માપે તે સંસારી....જ્ઞાનીના માલે જીવનને ધન્ય બનાવે તે સચમી. તારા સંયમ ભાવની, વૈરાગ્યની અનુમોદના કરતાં રોમાંચ ખડા થઇ જાય છે. તને આજે સયમ મળ્યું છે તે એક જન્મના પુરુષાની સિદ્ધિ નથી. છેલ્લા કેટલાંય જન્મથી રાગ વિરાગની સંતાકૂકડી રમ્યા બાદ આજ તું વૈરાગ્યના મેદાનમાં સંયમના સ્વાંગ સજી આત્મ સુભટ બન્યા છે.
વીરકવચ પહેરી ક્ષત્રિય જ્યારે તિલક કરાવી ઉલટભેર યુદ્ધના મેદાનમાં આવે છે ત્યારે રણભેરી વાગે છે પણ રણભેરીને નાદ સાંભળતાં જ કેટલાંકની છાતી ખેસી જાય છે, કેટલાં હતેાત્સાહી બની જાય છેતા કેટલાકને રણભેરીના નાદથી ઝનૂન ચઢે છે અને કેસરિયાં કરે છે. સ ંયમ સ્વીકાર્યા બાદ પરિષદ્ધની ફોજ તારા પર દશે દિશાથી હુમલા કરશે....ત્રાટકશે...તુ ગરમી ઠંડી સહી લઈશ, મચ્છર માંકડના ખને સહી લઇશ, પણ જ્યારે ગાચરીમાં નાનપાલ હશે, જ્યારે ગૃહસ્થના ઘરે અન્નપાણી અસુઝતા હશે, ત્યારે મનને સમાવીને, અને તનને
.
પ
Page #110
--------------------------------------------------------------------------
________________
૬૬ ] રાગ અને દ્વેષની વચ્ચેની જગા તેનું નામ સમ (સમતા) કષ્ટ આપી ધર્મલાભ કહીને બીજા કેઈના ઘરે ઊભે રહીશ. એક ઘરે નહિ, અનેક ઘરે જઈશ, ચાલી ચાલીને..ફરી ફરીને તારા પગ ભરાઈ જશે પણ તારા પાત્ર ખાલી રહેશે ત્યારે મન મર્યાદા મૂકી વિચારવા લાગશે. તારા મનમાં શું વિચારે આવશે કહું? હું કહીશ ત્યારે તું મને કહીશ, “ શું હું આટલે દુષ્ટ છું? મને આવા વિચારો આવે એવી તમે કલ્પના કરે છે?”
ના “તું દુછ નહિ, તું સાધુ”...પરિષહથી થાકેલું, અનુકૂળતા ચાહતું મન, તારી પાસે આવા પાપ વિચાર કરાવે. તેથી જ તને કહું છું, મનની વિચિત્રતા સમજી લે. તોફાની નદી ઉપર બંધ બાંધી શકાય? સમુદ્ર ઉપર પુલ બાંધી શકાય? પ્રકૃતિને કાબુમાં રાખી શકાય તે મનને કેમ નાથી ના શકાય !!! હું તને જે કહું છું તે હતાશ કરવા નહિ, નિરાશ કરવા નહિ, પણ્ બમણી શક્તિ મેળવવા. તારા ઉત્સાહની ઉપાલંભ દ્વારા વૃદ્ધિ કરવા, મારે તે તેને એક જ મંત્ર ભણાવે છે, અલાભે તે ન તજએ.” અલાભ સાધુને કદી પીડે નહિ પણ અલાભના સમયે શું શું વિચાર આવે છે? આ વિચાર ઉપર વિજય મેળવવા તારે સજજ રહેવું પડશે તે જ વિજયી બનીશ. આ જ મારે સમજાવવું છે તું સગ્ય છે માટે હિતશિક્ષા આપું છું.
ગણધર ભગવંત હું સુગ્ય છું કે નહિ તે મને ખબર નથી પણ એક વાત મારા હૃદયમંદિરમાં સુવર્ણાક્ષરે મંડિત છે, કેતરાયેલી છે, આલેખાયેલી છે, આપની હિતશિક્ષા મને જરૂર સુગ્ય બનાવશે, આપે કૃપા કરી અને શિષ્ય બનાવ્યા હવે સુશિષ્ય બનવા હિતશિક્ષા ફરમાવે. .
સાધક! સાધન પ્રાપ્તિથી સિદ્ધિ સહુ કરે પણ સાધનની અપ્રાપ્તિથી સિદ્ધિ કરવાનું તે વીતરાગના શાસનમાં જ મળે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ભૂલો બચાવ બગાડે અને ભૂલને સ્વીકાર જગાડે. [ ૬૭
નૂતન મુનિ ! સાધુ જીવનમાં બાવીસ પરિષહ છે. પણ બધા રેજના મહેમાન નથી. કેટલાંક કયારેક જ દેખા દે છે પણ અલાભ પરિષહ તે રેજ દર્શન આપે છે. રાગ-દ્વેષ છે એટલે કર્મ છે. કર્મ છે એટલે જન્મ છે. જન્મ છે એટલે શરીર છે. શરીર છે એટલે તેને ઢાંકવા વસ્ત્ર અને શરીરને લીધે વળગી રહેલા પેટને શાંત કરવા આહાર જોઈએ. આહારને ગ્રહણ કરવા પાત્ર જોઈએ. સાધુને પિતાને પોતાની નાની શી સાધના કરવા પણ એક નિવાસ જોઈએ. વસતિની જરૂર પડે. કયારેક ખપ પૂરતું અન મળે તે વાપરવા સમી વસતિ ન મળે. કયારેક આહાર મળી શકે તેમ હોય તે લાવવા માટે પાત્ર ન હોય. સાધુ. માત્ર સંયમ ગુણોને જ ઉત્પાદક છે. કેઇ પણ ચીજ એ ઉત્પન્ન કરતો નથી. પખંડનો ચકવતી સાધુ પણ કાનના મેલ કાઢવા જેવી સળીની કેઈની પાસેથી યાચના કરે છે. યાચના પૂર્ણ થાય ને મળે તે લાભ. પણ યાચના પૂર્ણ થાય તેવું હંમેશ ન બને અને તેથી અલાભ પ્રગટે ...પ્રગટે ને પ્રગટે...પણ આ અલાભ તેને પીડે નહિ, ગોચરીને અલાબૂ મનમાં દીનતાનો લાવારસ પિદા કરે છે. વિષાદની માઝા- વધી જતાં સંયમની ધરા ધ્રુજી ઊઠે છે. ભયંકર ધરતીકંપ થાય છે. સંયમની પૃથ્વી ઉપર બાંધેલ ધર્યના મંદિરમાં તડ પડે છે. ક્યારેક જમીનદોસ્ત પણ થઈ જાય છે. ગોચરી ના મળી તે દીનતા શાની? તું ગોચરી લેવા ગયે તે એ વાત સાચી. પણ આહાર એકઠો કરવા ગયે હતું એ વાત ખોટી. પાત્રા ભરવા ગયા હતા તે વાત એટી. ગેચરી મળી કે ના મળી એ મહત્વની વાત નથી. કેઈએ આહાર વહોરાવ્યું કે નહીં તે તારે વિચારવાનું નથી. તારે એક જ વિચારવાનું મેં ધર્મલાભન પ્રદાન કર્યું કે નહિ?
Page #112
--------------------------------------------------------------------------
________________
૬૮ ] સમર્પણ જ આત્માને જાગૃત કરી શકે છે નહીં કે સામર્થ્ય. સાધક ! તું ભૂલકણા ના અન. તારે અનંતને તાગ મેળવવાના છે.
પેટ ભરે તે પશુ. પુણ્ય ભરે તે સગૃહસ્થ.
સૌના હૈયામાં ધર્મ ભરે તે સાધુ.
''
તું મુનિ છે. મુનિ અને મેઘના વ્રત સમાન હેાય. મેઘ વરસે ધરતી ઉપર અને પહાડ ઉપર, મેઘ વસે સૂકી નદી ઉપર અને ભર્યાં સમુદ્ર ઉપર. “ તુ મુનિ ! મેઘથી પણ ઊ’ચે.’ મહાન કવ્ય અંગે સદૈવ તૈયાર. : -પાત્રની યેાગ્યતા ઉપર તું ગેાચરી ગયા. પ્રભુ આજ્ઞાનું પાલન થયું આ જ સૌથી મોટો લાભ. પાત્રા ભરાય કે ન ભરાય એ તારા કમ ઉપર આધાર રાખે છે.
લાભાંતરાય કર્મોના ક્ષચેાપશમ હાય ! આહાર પ્રાપ્તિ થાય. લાલાંતરાય કમના ઉદય હોય તે એક કણ પણ ના મળે. કણ ન પ્રાપ્ત થાય તેા દીનતા, હતાશા, થાક, માંદલા પશુ અનુભવાવું ન જોઈએ. આહાર ન મળે તેા દીનતા પેદા થાય તેનાં કરતાં તેા તુ વિચાર કે આ બધી ઝંઝટ આહારની જરૂરિયાત કરાવે છે. અણહારી પટ્ટુ ક્યારે પ્રાપ્ત કરીશ? અપ્રાપ્તથી પેદા થયેલ દીનતાને તપભાવમાં પરિણત કરી દે, વિચારની કળા જોઈએ. ભૂખ કહે એ રાત વચ્ચે એક દિવસ છે શુ' કાય થાય ? વિચારક કહે એ દિવસ વચ્ચે એક જ રાત છે. મારું કાર્ય કેટલું ઝડપથી થશે....?
↑
વિચારની અદ્ભુત કળાં હતી પ્રભુ ઋષભદેવ પાસે...પ્રથમ રાવા...પ્રથમ યું...પ્રથમ તી કરને ૧૬૫ સુખી ગેચી ના
Page #113
--------------------------------------------------------------------------
________________
ભૂલને સ્વીકાર કરે તે જ્ઞાની,
[ ૬૯ ભૂલનો પ્રતિકાર કરે તે અજ્ઞાની. મળી. છતાં ન હાર્યા ન થાક્યા...લાભાંતરાય કર્મ પ્રભુને હરાવી ના શક્યું. શાસ્ત્ર કહે છે, પરંપરા કહે છે. પ્રભુ રાષભદેવે ૧ વર્ષ તપ કર્યો. મને પ્રશ્ન કરે, ગોચરી ગયા છતાં તપ? બસ, ભાઈ આ જ સાચા સાધકની કળા. આહારની જરૂરત ખરી પણ આસક્તિ નહિ. જ્યાં આહારની આસક્તિ નહિ ત્યાં જ સાચે ત૫. અ–લાભ રૂપ પરિષહને જય કર્યો એ જ તપ. અનશન, એ પણ ખરેખર તપ ત્યારે જ બને કે જ્યારે પરિષહ જયરૂપ સંવર ધર્મ ગુંજતે હાય.
પરમાત્મા પણ સ્વકર્મના નાશ માટે આટલે પ્રયત્ન કરે તે પામર ! વિચાર, તારે કેવા પુરુષાર્થ યજ્ઞને પ્રારંભ કરે જોઈએ. અંતરાય કમના ઉદયમાં કેઈ વ્યક્તિ, કેઈ સ્થાન કે કેઇ શહેર ઉપર તિરસ્કાર ન કરાય. હીન શબ્દ નહિ પણ હીન વિચાર આવી જાય તો પણ તારી સાધુતા લાજી ઉઠે. તું તિરસ્કાર કરે તો અંતરાય કર્મ ઉપર! ના..આનાથી આગળ વધ. અંતરાય કર્મને બંધ હેતુ સાથે સત્યાગ્રહ શરુ કરી દે. ચાલો! હટ ! દૂર જાવ! મારા સંયમમંદિરથી. મારા આત્મદેવને ભ્રષ્ટ ના કરતાં...
જબૂ! મારે તારી આ વીરતા ને ધીરતા જેવી છે! નિહાળવી છે! હજી તે એક માર્ગ સમજાવ્યું. બીજે માગ બાકી છે. આકરું ચઢાણ લાકડીના સહારે ચઢી જવાય પણ સુંવાળું –ગાળ, પિચું, ચઢાણ હોય તો. તેમાં કોઈ આલંબન સફળ ન થાય પથ્થરના પહાડ ઉપર ચઢવું સહેલું, પણ રેતીના પહાડ ઉપર ચઢવું ખૂબ કઠીન, રેજ ગેચરી મળી જાય, તારા પાત્ર બત્રીસ પકવાન્સથી ભરાઈ જાય. તારે આહાર શાલિભદ્ર જે હશે, ત્યારે સાચું કહું? તારી અટપટી પરીક્ષા શરુ થશે. સ્વપ્રયત્નથી
Page #114
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
કુબેરના ધનભ’ડારથી પણ સાચા નિસ્પૃહીની રજ ખરીઢી શકાતી નથી. ગોચરી મળે છતાં ખુશી નહિ માનવાની. ખુશી માની તે પિર ષહુથી જીતાઈ ગયા. ગોચરીના લાભમાં પણ એ જ માનવાનું કે મારી આત્મ શક્તિના અનુપમ દર્શન તા અન’તવીય શક્તિ પ્રાપ્ત કરવામાં છે જે મારી પેાતાની સપત્તિ છે. મારા લાંભાતરાયક અને દાતાના દાનાંતરાય કમના ક્ષયાયામથી મને આહારની પ્રાપ્તિ થાય આમાં શુ ગૌરવ ? શુ મેટાઈ માનવાની?
મહાત્મા જબુ ! ગોચરીની હકીકત દ્વારા મારે તને બધી જ વાત કરવી છે. વસ્ત્ર, પાત્ર, શય્યા, શિષ્ય, ભક્ત, સન્માન આ બધી ઉપાધિ છે, જો તુ વિવેક ભૂલ્યા તે! કહું? સાધુ જીવનમાં વિવેક ભૂલ્યે તે દીવા લઇને કુવે પડયો. તારે કર્મોના બંધન જોઈતા ન હતા...તને આસક્તિની ચાહના ન હતી છતાં પણ મેહની રાવણ લીલાએ તને ઘેરી લીધા. માહ અહુરૂપી છે. અનેકરૂપ કરી તને ઠગશે. મા વિજેતા બનીશ તા જ કમાઁ વિજેતા બની શકીશ. ફરી ફરી એક જ હિતશિક્ષા છે, તું કર્મોને લાભ કરનાર થા ! તું આત્મગુણને પ્રાપ્ત
કરનાર થા! linedismiss
ગુરુદેવ ! મારે સંસારના પક્ષ નથી કરવા. સંસારીઓના પક્ષ નથી કરવા. મારે કના પક્ષમાં રહેવુ નથી. મારે તા ધમ ધ્યાનના સહારે શુકલ ધ્યાન પ્રાપ્ત કરી તીથંકરના પક્ષમાં જ રહેવુ છે. હુ... વીતરાગના પક્ષકાર છું. બસ, મારા ગુરુદેવ હવે તા મને હિતશિક્ષા આપશેને! હુ આપની હિતશિક્ષાના ચાહક છું, અને ગ્રાહક પણ છે જ.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૩. “ન તેસિં પહએ મુણું” BE
સ્વરાજ્યની લડત ઉગ્ર બની રહી હતી. ઘરે–ઘરે, ગામે-ગામે યુવાને સુધી સ્વરાજ્યને સૂર પહોંચી ગયે હતા ત્યારે અનેક શહેરમાં જાહેર સભાઓ યેજી વિદેશી વસ્ત્રોની યુવાને હોળી સળગાવતા હતા.
કંઈક વિભૂષાપ્રેમી-વસ્ત્રપ્રેમી બેલી ઉતા “આમ કપડાં બાળી દેવાથી શું ?” ગળી છૂટે તે જવાબ મળતો, વિદેશી વસ્ત્રો બાળવા દ્વારા વિદેશનું આકર્ષણ બાળીએ છીએ. ચારે બાજુ સ્વદેશનું વાતાવરણ ગુંજિત કરીએ છીએ.”
સ્વરાજ્યની ઝંખના વિદેશી વસ્ત્રોને સહજ ભાવે ત્યાગ કરાવી શકે તે આત્મ-ધર્મની ભાવના શું ન કરાવી શકે ?
કંચન-કામિનીને ત્યાગ શક્ય છે. કારણ, બાહ્ય ચીજ આજે નહિ તે આવતી કાલે છેડવી પડે છે. મન તે ત્યાગમાં સંમત થાય છે. બાહ્ય ત્યાગ તે પરિસ્થિતિ પણ કરાવે છે. લાખ રૂપિયા લઈને મુસાફરી કરતા માનવ પ્રાણનું જોખમ હોય તે પૈસાને છેડે. પ્રાણને બચાવે. જીવનમાં ભલે એક પસાનું દાન ન કર્યું હોય પણું, પ્રાણુ માટે લાખને ત્યાગ કરે
Page #116
--------------------------------------------------------------------------
________________
૭૨ |
ભૂલના સ્વીકાર કરે તે જ્ઞાની,
પ્રિય પત્ની ખાતર ભલે ઇતિહાસ કહે લાખા યુદ્ધો ખેલાયા. રામાયણ અને મહાભારત જેવાં ગ્રંથાના સર્જન થયાં પણ, પત્ની અપ્રિય ખની ગઇ, તેા, અથવા પતિને શંકા રુપ રાહુ વળગી ગયા તે હજારો વ્યક્તિએ ક્ષણમાં કામિનીના ત્યાગ કર્યાં. તે દરેક કાળનું સત્ય છે.
પણ, જેના સખા બાહ્ય પદાર્થ સાથે નથી, પણ મનની લાગણી સાથે જોડાયેલ છે. તે માન-સન્માન, સત્કાર અભિવાદન, નમસ્કાર–આ બધાંના ત્યાગ એટલે માનવને લાગે કે માનવ મનના ત્યાગ કરી દેવાના...
સત્કાર-સન્માન માંગવા નહિ, સત્કાર–સન્માન લેવા જવાના નહિ પણ, તેને સ્વીકારવાના ય નહિ ?
સાધક ! !
節 સાધુતાને મજબૂત પાયા-અહુ'નુ' વિસર્જન.... સાધુતાના મજબૂત પાયા નમ્રતાનું સર્જન.....
પૃર્ત્ત સાધુતાના મજબૂત પાયે.-નિરીહતાની પ્રક્રિયાના પ્રારભ...
પુ સાધુતાના મજબૂત પાયા-ઇચ્છાને, આંતક ના નાશ... પુ સાધુતાના મજબૂત પાયા–વિભાવરૂપની વિદાય...
પુ સાધુતાના મજબૂત પાયા-આત્મ સ્વભાવના પ્રગટી કરણ....
વજ્ર...પાત્ર..... અલ.....આહાર.....નિવાસ......તેમાં માનવ નિરીહુ અને કે ના ખને, સ્વેચ્છાએ ત્યાગ કરે કે ના કરે, પણ દેહના ધમ જ તેને ત્યાગ કરાવે છે. આશ્રિતવર્ગની
Page #117
--------------------------------------------------------------------------
________________
ભૂલને! પ્રતીકાર કરે તે અજ્ઞાની,
[ ૭૩ માનવ મર્યાદા કરે કે ના કરે, પણ તે ખધાંની આશાઇચ્છાઓ, માંગણીએ, લાગણીઓ એટલી ખધી છે કે તુ સ ંતેાથે તેાય સ ંતોષાય તેમ નથી. અને અતૃપ્ત માંગણી અને અતૃપ્ત લાગણીવાળા આશ્રિતવગ ના તે તું શુ' ત્યાગ કરે? તેએ જ તારા ત્યાગ કરી કયાંય રફુચક્કર થઈ જવાના. ખાંધ્યા બંધાવાનાં નથી. સંસારના સમસ્ત સ્નેહીએ. તારા પર સ્નેહ નથી રાખતાં, તે તને સમજે છે કે તુ માંગણી પુરી કરનાર કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની પણ લાક કયાં સુધી પૂજા કરે ? જ્યાં સુધી તેમની ઇચ્છાઓ પૂર્ણ થાય, ત્યાં સુધી. જેની શીતલછાયામાં કલ્લેાલ કર્યાં હતા, ઠંડક અનુભવી હતી, જે વૃક્ષે મનાથ પૂર્ણ કર્યાં, ફળ-ફૂલ-પત્ર લાકડાં અને ડૅંડક આપી, તે વૃક્ષ પણ નકામું થતાં, લેાકેાએ તેના નાશ કરવા, તેને ખાળી નાંખવા પ્રયત્ન કર્યા છે. તેા શું તું એમ સમજે છે કે આ પત્ની...પુત્ર... આશ્રિતવર્ગ તારી આજ્ઞાનું અનુસરણ કરશે ? તુ ત્યાગ શું કરે? તેઓ સ્વાર્થ માટે તને છેડીને ભાગી જવાના... તેથી સાધક !!! ભૂલે ચુકે ય ગીત ના ગાતા— સ્તુતિ ના કરતા મેં કંચન—કામિનીના ત્યાગ કર્યાં છે. તારી બહાદુરી, તારી યશેાગાથા તા ત્યારે જ મહાત્માઓ ગાશે, કે જ્યારે તું માન-સન્માનને ત્યાગ જ નહિ, પણ, તેની અંખના ય છેાડી ઈશ. ઝંખના વિદાય લેશે ત્યારે તારા ત્યાગમદિર ઉપર નિસ્પૃહતાને વિજયધ્વજ લ્હેરાવા લાગશે....! ! !
Page #118
--------------------------------------------------------------------------
________________
૭૪ ] રાગ અને દ્વેષની વચ્ચેની જગા તેનું નામ સમ (સમતા)
સાધક ! સાચે તને એક વાત કાનમાં કહું ? આ તા માહ સાથેના આગળ-પાછળથી ખેલાતા અટપટા ખેલ છે. તને લાગશે કે હું માન પર વિજય મેળવું છું પણ, માનના વિજય સાથે તુ' લાભના વિજેતા બની શકીશ.
પરમાત્મા કરુણાનિધાન છે. તેએ સમજે છે. સાધક સાધનાના પ્રારભ કરે છે. પણ, તેને કેટ-કેટલાંય સાથે યુદ્ધ કરવાનું છે તેની સૂચિ માટી થઇ જશે તેા ગભરાઈ જશે. તેથી માન-સન્માનના ત્યાંગ જ કહે છે. પણ, માન-સન્માનના ત્યાગ કયારે થાય ? માન-સન્માનની ચાહના જાગે તા.... ફરી કરી સ્વાધ્યાય કરી લે—ન તેસિ' પીહએ મુણી’ 9 પ્રાયઃ જ્યાં માન ત્યાં ઈચ્છા ...
જ્યાં ઈચ્છા ત્યાં લેાભ....
અને જ્યાં લેાભ ત્યાં જ બીજા કષાય..... અને જ્યાં કષાયે. ત્યાં જ જન્મમરણુ....
ખેલ ! તને જન્મમરણના દુઃખ પસંદ છે?
સચાગ વિયેાગની ઈંદ્રજાળમાં સંતાકુકડી રમવી ગમે છે ? લેાભ કષાય ભયંકર છે, અપ્રમત્ત મહાત્મા જ્યાં ક્ષપકશ્રેણીનુ તારણ વધાવવા જતાં હોય ત્યાં જ માહરાજા ક્ષપકશ્રેણી કરી શકે તેવા પ્રથમ વર્ગના મુસાફરને ઉપશમ . શ્રેણી રૂપ દ્વિતીયવર્ગના પ્રવાસ શરુ કરાવી દે છે અને જ્યાં મેાક્ષને સિગ્નલ દેખાઈ જાય છે ત્યાં લાભ ભય કર અકસ્માત સર્જી દે છે. આરાધના—સાધના અધુ ચકચૂર કરી. નીચે પછાડી દે છે. પાછી એ જ સંસારની ઘટમાળ...
Page #119
--------------------------------------------------------------------------
________________
ભૂલને બચાવ બગાડે અને ભૂલને સ્વીકાર જગાડે. [ ૭૫.
સાધક | ! સાધનામાર્ગથી અજાણ છે. પણ, સાધ- - કના ગુરુ જગદ્ગુરૂ-પરમાત્મા પૂર્ણ જ્ઞાની છે. સાધકના .
ગક્ષેમ કરવા માટે તો પ્રભુ લોકનાથ બન્યા છે. લેક- ૫ નાથની જવાબદારી વહન કરતા પરમાત્મા સાધકને કહે છે, “યાદ રાખ, ન “તેસિં પીએ મુણી” બાહ્ય ત્યાગ ! જેટલો જરૂરી છે. એટલે અંતરત્યાગ પણ જરૂરી છે.” *
પરમાત્માએ બાવીસ પરિષહમાં સુધા, તૃષા, ચર્યા, નિષદ્યા, સ્ત્રી, પરિષહ વિગેરે દ્વારા બાહ્ય ત્યાગનું મહત્વ સમજવ્યું તે સન્માન પરિષહ દ્વારા આંતર ત્યાગનું મહત્વ સમજાવ્યું છે.”
સાધક ! સન્માન એ તારી સાધના માટે ભયંકર : ફેટક પદાર્થ છે. સાવધ રહેજે-ધ્યાનમાં રહેજે-જાગૃત રહેજે. UF “સન્માન તારી પાસે શાસન ગૌરવનું રૂપાળું
રૂપ લઈને આવશે
તારું સન્માન નથી. તારા પરમાત્માના શાસનનું સમાન છે. તારા પરમાત્માનું સન્માન છે.
ભલા ! તે વાત સાચી છે, પણ તેમાં ય ખૂબ સાવધ રહેવાની જરૂર છે. તું ગણુ છે તું શૂન્ય છે શાસન જ મહાન છે. આવી ભાવના સતત ન રહે તે તારી બુદ્ધિ ચકરાવે ચઢી જશે. મારી જીંદગી શા માટે ? શાસનના. ગૌરવ માટે જ ને ! છેવટે ના...ના.. કહેનારે તું સંમત
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૬ ] નમ્રતા એ અનંત ગુણની તિજોરીની ચાવી છે. થઈ જઈશ. એકવાર રાક્ષસના પંજામાં આવેલ છૂટે પણ, પ્રશંસા પિશાચના હાથમાં ગયેલે કદી ય ન છૂટે. અંદરથી તારે આત્મારામ ઊંઘી જશે.
કર્મો જાગી ઉઠશે. શાસનનું સન્માન અને શાસન પ્રભાવકનું મેં....મેંબસ, પછી શાસન...પરમાત્મા.... ગુરુ સમુદાય..સાથી....સહવતી સૌ ક્યાંય ભૂલાઈ જશે. અને અહંને અજગર તારે ભરડે લઈ લેશે. તેથી જ સાધક પ્રત્યે કરુણાપૂર્ણ પરમાત્મા ફરમાવે છે–તારા શુદ્ધ ચારિત્રના પ્રભાવથી આકર્ષાઈ તારું સન્માન કરવા આ પાંચ દશ માને શું કરડે દેવ અને દેવેન્દ્ર પણ દોડી આવશે..
પણ, તું સન્માનની ઈચ્છા કરતે નહિ. “સમાનની ઈચ્છા એટલે સાધનાને સત્યાનાશ”...
બસ, તારા જેવા પ્રાજ્ઞને વધુ શું કહેવાનું હોય?
સ્વયં તું લાભ-નુકશાનને વિચાર કરજે-હિતમાગે - સંચરજે. અહિતથી તત્ક્ષણ પાછો ફરજે...
પરમાત્મા !!
બાળક છું, કયારેક સતાવી જાય છે માન-સન્માન. પણ, અંતે સમજાય છે-આપની વાત. “સન્માનની ઈચ્છા - દ્વારા લેભ રાક્ષસ ને વળગે તેનાથી સાવધ રહેજે.”
પરમાત્મા પરમાત્મા ! બસ, મને ઈચ્છાને ત્યાગ આપ. ના...ના...પેલે લેભ રાક્ષસ મને ના વળગે. તે માટે નિસ્પૃહતાનું મંત્ર કવચ આપે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૪ એવમસ્સાંસિ અપાયું UF
જગતમાં પ્રત્યેક વ્યક્તિ સંબંધ ચાહે છે. પ્રત્યેક વ્યક્તિ કેઈ ને કઈ દ્વારા હુંફ ચાહે છે, પણ, જગતમાં કોણ કેને હુંફ આપે ? પ્રત્યેક વ્યક્તિ પાસે પિતાનું દર્દ હોય છે. પિતાની ફરિયાદ હોય છે, જ્યારે બે સંબધ વચ્ચેને પડદે ચિરાય છે ત્યારે ખબર પડે છે કે જેના સહારાને હું વજને અભેદ્ય કિલ્લે માનતા હતા તે પત્તાને મહેલ . છે. હુંફ તે ન આપી પણ દશે આપે. ભલા ! તારી ગણત્રીમાં ભૂલ છે તારી નીતિ ભૂલ ભરેલી છે. તે હંફ માટે સાથે શેાધેલ પણ તારા તે સાથીને પણ હુંફની જરૂર હતી પરંતુ તારાથી તેની જરૂરત પૂરી ના થઈ તે સાથી બીજા મજબૂત વ્યક્તિની શોધમાં નીકળ્યો. ભૂલ તે વ્યક્તિની નથી. ભૂલ તારા અજ્ઞાનની છે. '
UR “અજ્ઞાન સમાન કોઈ શત્રુ નહિ, જ્ઞાન સમાન કે : T મિત્ર નહિ” BE વિશ્વની વિચિત્ર પરિસ્થિતિ જોઈ જગતને જે નિ:
તે અજ્ઞાની. વિશ્વની વિચિત્રતા જોઈ સાહજિક પ્રસ-. ' નતામાં મસ્ત રહે તે જ્ઞાની.”
- મા
હું ભૂલ્યઠગાથે હું લુંટાયે તેમાં ગુનેહે કેને?' અજ્ઞાનને. જે જ્ઞાન હાલ તે ડબાત ? ભૂલ કરત?'
Page #122
--------------------------------------------------------------------------
________________
• ૭૮ ]
મનન એ special treatment છે.
અજ્ઞાન જેવા ગુન્હા નહિ અને જ્ઞાન જેવા કેઇ ગુણુ નહિ. જ્ઞાન એ તેા અંતરના અનંત અ ંધકારને દૂર કરે....સત્ય તત્ત્વની સાચી સમજ આપે. સત્ય સમજાય એટલે અસત્ય આપે!આપ હટી જાય. શું સૂર્યના પ્રકાશમાં અંધકાર રહી શકે ? શુ જ્ઞાનના દિવ્યતેજમાં કર્મોના તાકાન રહી શકે ? ભગવ ંત ! મારે જ્ઞાન જોઇએ. હું રાજ ખાર કલાક પ્રયત્ન કરીશ. સુખ દુ:ખને ભૂલી જ્ઞાનની સાધના કરીશ. મને જ્ઞાની ગુરુ બતાવા ! તેમના ચરણ પકડી વિનવીશ‘ગુરુજી ! મને જ્ઞાન આપા, આપના ભક્ત છુ' પણ, અજ્ઞાની છું. મને જ્ઞાની બનાવે!'' બસ પછી તે જ્ઞાની અની જઇશ ને ? હું અજ્ઞાનથી ખુષ ઉભગી ગયા છું, કંટાળી ગયેા છું, જ્ઞાનની પિપાસા તીવ્ર બની છે.
સાધક !
સાધનાના માગ એટલે ા ના પંથ, અહી' ઉતાવળ ના ચાલે. પ્રથમ બધુ શુદ્ધ અને સ્વચ્છ કરવું પડે. પ્રયત્ન એકલા ના ચાલે.
ભગવંત હું ખાર કલાક મહેનત કરુ` છતાંય મને એક પદ પણ યાદ નથી રહેતુ. મારા ગુરુબંધુને ગુરુદેવ પાઠ આપેને એકવાર સાંભળતાં જ કંઠસ્થ થઈ જાય છે. આવું જોઉ છું ત્યારે કંટાળી જાઉં છુ ખિન્ન થઈ જાઉં છુ. મારુ સ્કીય –દીય વિચલિત થઇ જાય છે, સાચુ
કહું છું, હું પાગલ ખની જાઉં છુ...
Page #123
--------------------------------------------------------------------------
________________
જ્યાં વિકલ્પાની ધાંધલ થાય નહીં તેનું નામ પ્રસન્નતા. [ ૭૯ જ્ઞાનેચ્છુક !
એટલે જ તને કહું છુ ૮ વમÆાત્તિપ્લાન ” આત્માને આશ્વાસન આપ તારા આત્મસ્વભાવને સ્થિર કર -જગતમાં ઘણાને આશ્વાસન આપ્યું−ાય આપ્યું પણુ....તારી આશ્વાસનની કળાય અનેાખી છે ! કેટલાંયને તારા આશ્વાસને જ જીવવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. પણ અત્યારે અગત્યની જરૂર છે તારા આત્માને તારી હુંફ્નીમાનવ ખરેખર મુંઝાય ત્યારે જગતની બધી હું. આશ્વાસન તેના માટે ખાટા થાય. તું ખુદ જ ખુદની નાવના નાવિક મની જા. તારે જીવન કિતાબનુ આજે એક નવું પૃષ્ઠ વાંચવાનું છે. તું મન સ્થિર કર. જ્ઞાન દ્વારા ક`ને સમજ, કર્મીના સ્વભાવને સમજ, કર્મીની મર્યાદાને સમજ, કમની તાકાતને સમજ, કર્માંના કોંધ-દેશ-પ્રદેશ પરમાણુને સમજ જગતમાં કેટલી વણા ? કમ જડ કે ચેતન ચેતન ઉપર જડની અસર કેવી રીતે ? ક અને આત્માના સમન્ય ક્યારે થયા ? કના વિયાગ કઇ રીતે થાય ? ગુરુજી !
હું થાકી ગયા છું. મને લાંખી વાત ગમતી નથી. અસ, મને કહેા, અને ભણતાં કેમ ન આવડે ?
મહાનુભાવ ! હું તને એજ સમજાવું છુ કે એક વિદ્યાશ્રીને જ્ઞાન પ્રાપ્ત થાય અને તને કેમ પ્રાપ્ત ન થાય ? તારા આત્મા અને તેના આત્મા વચ્ચે શું ફેક ? આત્મામાં
Page #124
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
ગુસ્સા એ શરીરને સ્વભાવ છે.
ફરક ન હાય, તફાવત ન હેાય છતાં આ વિરોધ કેમ કમે તારા ઉપર શું મેલી વિદ્યા અજમાવી ? કમૅ તારા આત્મા ઉપર શું ચમત્કાર સર્જ્યમાંં ? કર્મીમાં કાણુ કારણ ? ખાદ્ય હેતુ કે અભ્યંતર ? કમ અંધના બાહ્ય હેતુ કયા ? અભ્યંતર હેતુ કયા ? ભયંકરમાં ભયંકર ક ખ ધના હેતુ કચેા ? આ વિચાર કર. પણ, તારા આત્માને આત ધ્યાનમાં ના જવા દે..
પ્રૢ આત્માને આત ધ્યાનમાંથી રાકવા તે જ આત્મિક આધાસન છે, જેમ સુખદુ:ખમાં નહીં મુ ંઝવાનુ, તેમ અજ્ઞાનના ઉદયમાં પણ નહિ ગભરાવાનુ. પ્રત્યેક પરિસ્થિતિને ધર્મધ્યાન અને શુકલ ધ્યાનની ભૂમિકા બનાવી દે! કર્માંના ઉદયમાં પણ ધર્મના જ દલાલ બનવાનું,
જ્ઞાનાવરણીય કમ ના જોરદાર ઉદયમાં પણ પાગલ નહિ અની જવાનું, ધ્યેય લક્ષ્ય ચૂકી નહિ જવાનું, કÖની ધાક ધમકીથી દબાઈ નહિ જવાનું.. આમરાજને શાનમાં સમ— જાવવાના. “જો તુ કાય રાખીશ તેા કર્માને ગચ્છન્તિ કર્યાં વગર છૂટકો નથી.’”
પુ. જ્ઞાનાવરણીય કર્મોના ભય્યકર ઉદયમાં પણ ગાઢ જ્ઞાનાવરણીય કમ ના ખાંધે તે જ જ્ઞાની.” આ આંતરિક સમજ, આજ સાચું આત્માને આશ્વાસન. જગતને મુગ્ધ અનાવવા કર્મનું તત્ત્વજ્ઞાન મેળવવાનું નથી પણ, કને પરાસ્ત કરવાં કર્મશાસ્ત્રમાં પારંગત બનવાનું છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
જ્યારે, ક્ષમા આત્માને સ્વભાવ છે. [ ૮૧ આત્માને આશ્વાસન એટલે નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા ....કર્મના ઉદયમાં ધીરતા........અને કર્મ નિજેરામાં વીરતા. મહાત્મા બૂ! તને એજ મારા અંતરના આશિષ. “સ્થિરતા..ધીરતા અને ક્વીરતાના ત્રિવિધ સંયોગે ” આધિ.....વ્યાધિ....ઉપાધિની ત્રિપુટીને પરાસ્ત કર !” પ્રભુ!
જગતને નિષ્કામ ભાવની સાચી હુંફ તે તીર્થકર પરમાત્મા જ શાસનની સ્થાપના કરીને આપી શકે પણ, હું તે આપને એક નાને સેવક, હું જગતને કેવી રીતે હુંફ આપી શકું? બસ, મને તે બળ આપ. મારા આત્માને હુંફ આપવાનું. આત્માને હુંફ મળશે તે જ સિદ્ધાત્મદશાના દર્શન થશે.
)
પ્રભુ !
સિદ્ધ બનવાના મારા સમણાં સિદ્ધ કરે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૫. ધમ્મ સુદ્ધસ્ય ચિઠઈ
પવનની લહેરી તે ઘરમાં પણ આવે અને કદાચ ભેંયરામાં પણ આવે. પણ, પવન સદૈવ મંદ મંદ વહે નદી કિનારે.સમુદ્ર તટે...
હેવું” અને “રહેવું” માં ખૂબ ફરક છે. હોવું' શબ્દ કયારેકને દ્યોતક છે. “રહેવું” શબ્દ એ નિત્યને સાથી છે. નિત્ય સાથી હોય તે નિવાસી બને, આત્મીય બને. અન્યથા આવ જા કરનાર પ્રવાસી બને, પરાયે બને. મહાનુભાવ !
ધર્મ તારા હૃદય મંદિરને નિવાસી કે પ્રવાસી? ધર્મ તારા મનમંદિરમાં આવ-જા કરે છે કે તેના રોજના ડેરા છે? હું એ બધું ના સમજું–નિવાસી કે પ્રવાસી? હું તે મારા હૃદયના ભાવે વ્યક્ત કરું. મારી અંતરંગ ભાવના છે, ધર્મ સદૈવ મારી અંદર રહે. ધર્મ વગર મેક્ષ નહિ તેથી જ મારે ધર્મની જરૂરત છે–આવશ્યક્તા છે.
ધર્મ જોઈએ ધર્મ જોઈએ.” એમ બોલીશ એટલે ધર્મ શું તારામાં આવી જશે? જગતને એક વિચિત્ર રંગ છે–પ્રત્યેક પરિસ્થિતિમાં, પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિ પાસે નાની મોટી દરેક વાતમાં, ખુદની બડાઈ કરવી. નાના માટે માટી વાત કરવી. તારા જેવા ધર્મ ચાહક વ્યક્તિની આ વાત નથી. દુનિયાની પાપીમાં પાપી વ્યક્તિ પણ એવી
Page #127
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનું શાસન એટલે દુઃખ ભેગવવાની સીઝન છે. [ ૮૩ વાત કરી શકે છે “મારે ધર્મ કરે છે, કઈ કહેતું નથી “મારે અધર્મ કરે છે, પાપ કરવું છે. કાંસાની થાળીના રણકારની જેમ બેટા ધમ–દેખાવના ધમી તે વળી અધિક જોરથી કહે છે “આપણને બધાં જેવું ગમતું નથી,
ડું કરવું પણ સારું કરવું. જે કરવું તે લોકોને દેખાડવા માટે ન કરવું, આપણી આત્મ પ્રસન્નતા માટે કરવું. શુદ્ધ કરવું, ગોટાળા મને પસંદ નથી....”
આવા પુણ્યાત્માની સિકલ જોતાં ક્યારેક હસવું પણ આવી જાય. વાહ ભાઈ વાહ! તારી વાતે અને તારા વિચારે જ કહી દે છે શું તું સાચે અંતરંગ ધમી છે? કે શબ્દ જાળ બિછાવનાઓં છે ? સાચો ધમી કયારેય પોતાની આરાધનાને જ શુદ્ધ ગણાવવા દા ન કરે, બીજાની ભાવનાને ના ઠુકરાવે - સાચે ધમી ખુદની ધર્મ ભાવનાના પોતે ઢેલ ના પીટે ખુદ પોતે જ જાહેરાત ના કરે... સરિતા, વૃક્ષ, મધ, કયારેય પોતાની ઉપયોગીતાને પુરવાર કરે? ક્યારેય પિતાની મહત્તા ગાય...?
ખુદ જ ખુદની મહત્તાનું વર્ણન કરે, સ્વની ગ્યતા સાબિત કરે તે સમજવું જોઈએ કે આ તે ભેળસેળવાળા માલ સાચી વ્યક્તિને પિતાની મહત્તા ના દર્શાવવાની હોય. હતા વગર પ્રભુતાના દર્શન દુર્લભ. આપણે આપણી જાતને શ-વિશુદ્ધ કહીએ કે વિશ્વ કહે?
Page #128
--------------------------------------------------------------------------
________________
૮૪ ] ધમ આરાધનાનું ફળ કષાયાના વિજય
પચમ આરાની વાત કહે!, કલિયુગની ફેશન કહેા, અથવા આપણા જેવા ભારે કમીની કરુણ કથની કહેા... પણ પ્રાયઃ સૌ પેાતાની જ આત્મકથાના પૃષ્ઠો વાંચે છે. આત્મકથા પેાતે માની લીધેલા પેાતાના ગુણના વિસ્તાર, પ્રચાર કરે છે.
કયારેક કોઈક દુર્ગુણ પકડાઇ જાય તેા જીભના જોરે, વાણીના જાદુએ પ્રશ્ન પૂછનારને મૂંગા કરી દઇએ છીએ..... પુણ્યશાળી ! મંદિરે કેમ આવતા નથી ? રાજ પ્રભુ દન નહિ કરવાના ? આપણે હસીને કહીશ'–દન કરવાની કોણ મનાઈ કરે છે ? પણ શુ મદિરમાં જ કંઇ ભગવાન છે ? ના....ભાઈ ના....તું વિશિષ્ટ સાધક. તને સિનેમા ઘરમાં પણ ભગવાન દેખાય, પણુ, મક્રિસ્માં ન દેખાય.
શ્રીમત, દાન કરે છે; તું દાન કેમ નથી કરતો ? ભાઇ સાહેબ ! આ બધી વાત મને કરશે! નહિ. જાહેરમાં દાન તે, જ કરે કે જે માનના વેપારી હોય હાર તારા-માનસન્માનને ભિખારી હાય, મને આ બધું ના ગમે....
[તું જેની વાત કરે છે તેણે તે છેવટે પૈસા આપીને નામ કર્યુ, સન્માન મેળવ્યુ પણ, તું તેા એવા જાદુગર છે. કે પૈસા વગર જીભના જોરે જાણે તારી ગુપ્ત દાનવૃત્તિ હાય તેવા ખાટા આટાપ કરે છે. ]
આજકાલ શું અભ્યાસ કરો છો ? મને પૂછે છે? અભ્યાસ શુ કરે છે ? પહેલાં અધ્યયન અંગે જિજ્ઞાસા
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉકળતા ક્રોધને પી જવાની શક્તિ એ જ સાધકની સિદ્ધિ. [ ૮૫ હતી. પણ, ઘણા વિદ્વાનને જોયા....જ્ઞાનીને જોયા. ખેલવામાં અહુ જમરા હાય....આચારમાં કંઇ ઠેકાણાં જ ના હાય.... જ્ઞાન મેળવી નમ્ર બનતા નથી. અહંતુ પાષણ કરે છે. સત્ર ખુદની વાતની પક્કડ રાખે છે. આપણને આ ન ગમે...ઝાઝુ જાણીએ તે ઉપાધિને ?
ભલા !
તું શું બેલે છે, તેમાં જ તારા વિચારાની પક્કડ જ નથી. જ્ઞાનીને સિદ્ધાંતને જ આગ્રહ છે તને તે! તારી જ વાતને આગ્રહ છે, ખુદની વાતમાં અર્જુને પાધે છે અને જ્ઞાની ઉપર અર્જુને આરેપ કરે છે? શું આ—તારા અજ્ઞાનનુ’-અહુ નું પ્રગટીકરણ નથી ?
૨ ભલા ! બીજું કઈ ન થાય તેા કઈ નહી, ભક્તિ કરજે....ભક્તિ તે ભવતારણી છે ને ?
ભાઈ ! તમારી વાત સાચી પણ, આજે દુનિયામાં વધુમાં ઢોંગી, કપટી જમાત છે, ભગત લેાકેાની. મ ંદિરમાં પૂજા કરે અને બજારમાં ? મહારથી પગલા અને અંદરથી ? ભક્ત લેાકા વ્યક્તિ કરતાં નથી, પણ કંઇ જ પાસે ના હોય. ત્યારે ભક્તિના નામે પ્રસિદ્ધિ મેળવવા આવે છે. નામ મળી ગયું એટલે પૈાબારા ગણી જાય હું. આવા ઢોંગથી ખૂબ દૂર રહું છું.
શું આ ઢાંગ નથી ? જીંદગીની અમૂલ્યયાત્રાને વ્યથ વીતાવવી અને કોઈની આંતરિક ભક્તિનું અવમૂલ્યન કરવું. ]
Page #130
--------------------------------------------------------------------------
________________
૮૬ ] કોઈના પ્રત્યે તિરસ્કાર ભાવ એ જ વિરાધક ભાવ છે.
પુણ્યશાળી !
આજે તે! સવત્સરી છે ઉપવાસ છે ને ? મારી વાત પૂછો છે. ? મને કહેા છે ? ઉપવાસ તે; કરવા જોઇએ પણ મારા સ્વભાવ અલગ પ્રકારના છે. થેાડુ કરવુ પશુ શુદ્ધ કરવું. ઉપવાસ કરીને પણ ભેાજનની યાદ આવે તે દોષ લાગે ને ? મનથી તેા ઉપવાસ ભાંગીજ ગયે. ને ? કાયાને કષ્ટ આપવાથી શું લાભ ? એટલે જ મે ઉપવાસના દેખાવ ના કર્યાં, બધા કહેશે તે કહી દઈશ, મે' ઉપવાસ નથી કર્યાં એમાં શરમ શાની ? પુત્ત
પ્રશાંત બનીને વિચાર ! ઉપવાસ કરીશ તો તારી શક્તિ
અશક્તિના ખ્યાલ આવશે. પચ્ચક્ખાણુ લઈશ તે સમજાશે પાલન કેટલુ' કઠીન છે. પચ્ચકૂખાણ કર્યાં વગર તું તારી જાતને મહાન માની નાહકના અભિમાન દોષની ભય ંકર પુષ્ટિ કરે છે. કશુ કર્યાં વગર આરાધક મહાત્માઓનાં હૃદયની વિશુદ્ધિ તુ કયાંથી સમજે ? કઇક કરીશ તે જ સમજાશે આરાધક આત્માની વિશુદ્ધિ
?
ધર્માત્મા ! તમે ખૂબ આરાધના કરે છે. તા દીક્ષા કેમ નથી લેતા ? મારી વાત ?....દીક્ષા ! શુદ્ધ સાધુ જીવન દુર્લભ છે. મને ગેાટાળા ગમે નહિ, મે તે! નક્કી રાખ્યુ છે, અશુદ્ધ કરવું નહિ. ઘરમાં રહી મહેનતનું ખાઈ શુદ્ધ જીવન ના થવું ?
Page #131
--------------------------------------------------------------------------
________________
તપશ્ચર્યાં એ ઇન્દ્રિયાને કાણુમાં રાખવાની કળા.
[ ૮૭
આત્મ વચના ન કર....કઠોર ત્યાગના માર્ગે જવાનુ સાહસ પણું નથી તેા શુદ્ધ જીવનની વાત કયાં ? ખાર કલાકની મુસાફરી માટે તેા અનુકુળતા અંગે કેટલા ફાંફા મારે છે ? રીઝવેશન ન મળે તે કેટલાં કાળાબજારના પૈસા આપે છે.
ભાળા ભકત !
બેાલવાથી ધમ ના થાય ! તારી વાતે! સાંભળતાં તારા અજ્ઞાન ઉપર મારે હસવું ન જોઇએ. પણ.... જરા હસાઈ જાય છે. સત્ય અને શુદ્ધના નામે તારા કપટને, માયાને, શવૃત્તિને તુ પાષે છે, તુ જે ધર્મ કરતા નથી તેના બચાવની, કપટની આ જાળ છે, અસત્ય–જૂઠને–ભને તુ' પાષે છે. આપણા દુગુણા ઢાંકવાથી ધમ ના થાય. પણ દુગુ ણાને સ્વીકારવાથી ધર્મ થાય.
ધમ્મા, સુદ્ધમ્સ ચિઇ' ધ શુદ્ધ પવિત્ર વ્યક્તિમાં રહે છે, સ્થિર થાય છે. શુદ્ધિ કેને કહેવાય ? પવિત્રતા કાને કહેવાય, સમજવુ છે ? પ્રાકૃતિક દન, આપણી વૃત્તિ, આદત, સ્વભાવ-વાણી-વન જેવા હાય તેવા સ્વીકારવા, સહજ સરળતા, સીધાપણુ, આપણામાં જે સદ્ગુણ ન હેાય તેને જરા પણ દેખાવ ન કરવા, આપણામાં જે ક્રુણ હાય, અનુઆદત હૈાય તેને સ્વીકારવામાં માયા કરવી નહિં તેનું નામ સરળતા, એટલે સહજતા–સ્વના શુદ્ધ પવિત્ર-પ્રશ્ન†ન.... ક્યાંય ઢાંક પીછેડા નહિ.
Page #132
--------------------------------------------------------------------------
________________
૮૮ ] ચહેરે એટલે મગજમાં રહેલાં વિચારોની અનુક્રમણિકા..
તું કહીશ, સરળતાથી શું લાભ ! હું પૂછું છું, કઢના ડાઘને દવાના લેપવડે ઢાંકવાથી, સંતાડવાથી, છુપાવવાથી કેઢ ફેલાશે નહિ ? કેઢ છે તે રગ છે. રેગ ગુપ્ત ન રખાય રોગની દવા કરવાની, આકરું પથ્ય પાલન કરવાનું, વૈદ્ય પાસે સત્ય હકીક્ત રજૂ કરવાની. ભલા ! સમજ દુર્ગુણ છે તે કઈ જાણી જશે? કઈ અધમ કહેશે ? પાપી. કહીને ધૂત્કારશે ? આવી.... આશંકા નહિ કરવાની..સદ્દગુરુ સમક્ષ આપણું આત્મનિવેદન કરવાનું, ગુરુ ભગવંત દુર્ગુણ હટાવવાં અને સદ્ગુણ મેળવવાં જે ઉપાય બતાવે માર્ગ બતાવે તે આચરવાને
માયા–વતા-કપટ એ તે સાપના ઇંડાં છે. એક રાતમાં લાખો-કરેડે પાપને પેદા કરે. પછી તે પાપની સંતતિ, અશુભ વિચારની પરંપરાની વૃદ્ધિ થવાની-સાપ ને પોષાય, સાપ હોય ત્યાં સાવધ થઈ જવાનું. પાપ હેય-દંભ હોય ત્યાં જાગૃત બની જવાનું, દંભ-કપટદેખાવ-છુપાવવું–સંતાડવું–છાનું રાખવું ગુપ્ત રાખવું આ બધાં ચોરીના ભાવો છે. તું ધર્માત્મા ! ચોરના કુંટુંબી સાથે બેસે ઊઠે ? ચોરીની ભાવના ત્યાં ધર્મ નહિ, તે કપટ ત્યાં ઘર્મ કેવી રીતે ?
ઉત્તરાધ્યયન જેવા મહાસૂત્રનાં રહસ્ય મને સમજાતાં નથી તેમ કહીશ તે નહિ ચાલે. ઝવેરાત ખરીદવું હશે તે ઝવેરીની વાત સમજવી પડશે. તારે પરમાત્મા બનવું હશે તે પરમાત્માની વાત–પરમાત્માને ઉપદેશ સમજે
Page #133
--------------------------------------------------------------------------
________________
દ્વેષ એ સળગતી આગ છે, રાગ એ ઠંડી આગ છે. [ ૮૯ જ જોઈએ અને પચવ પણ જોઈએ. ચલ...ઉત્તરાધ્યયન જેવું શાસ્ત્ર નથી સમજતે, તે કંઈ નહીં સ્તવન તે સમજે છે ને? આનંદધનજી મહારાજે ઋષભદેવ પ્રભુના સ્તવનમાં શું લલકાર્યું? “કપટરહિત થઈ આતમ અરપણુઆનંદધન પદ રેહ” નિષ્કપટ શુદ્ધ સ્વભાવે દેવાધિદેવના ચરણે આત્મસમર્પણ એ જ ક્ષગિરિના આરેહણની તળેટી છે. સરળતા હોય તે જ શુદ્ધ સમ્યકત્વ પ્રગટ થાય. પ્રભુ!
મને સરળતા... સરળતા દ્વારા શુદ્ધિ અને શુદ્ધિથી ભાવેની વૃદ્ધિ....સમ્યકત્વ અને છેવટે મેક્ષ..
પ્રભુ ! મને મેલગિરિ પર આરોહણનું પ્રથમ સોપાન સરળતા આપ...
એ જ હાર્દિક પ્રાર્થના...
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૬. “અસંખયં જીવિય મા પમાયએ”
વિશ્વને એક વિચિત્ર ક્રમ છે. તારું છે, તે તારી પાસે રહેવાનું છે. તારાથી કઈ દૂર કરાવી શકે એમ નથી. એમ છતાં તે વસ્તુનો માનવ સદુપયોગ પણ કરે અને દુરુપયોગ પણ કરે....
માનવ મેઘના મૂલ્યાંકન કરે છે? ચાતક મેઘના કેટલાં મૂલ્યાંકન કરે છે ? મેઘ માટે કેટલી તપશ્ચર્યા કરે છે? કારણ, ચાતક સમજે છે. પોતાના જીવન માટે જળ જરૂરી છે. દુનિયામાં જળ તે ઘણું પણ, તેને ઉપયોગી મેઘનું જ જળ, કારણ, ચાતકના ગળા ઉપર કાણું હેય. નદી–સરોવરના પાણી તેના માટે નિરુપયેગી ફક્ત વર્ષનું જ જળ. ઉપયોગી ચાતક અવિરત દષ્ટિએ મેઘને નિહાળે-વર્ષા વરસે તે પહેલાં મુખ પહોળું કરીને બેસી જાય.
સાધક ! ! તારી અને ચાતકની પરિસ્થિતિ કંઈક અશે સમાન છે. ગતિ ચાર....શરીર પાંચદેશ અનેક પણ, મેક્ષમાં સહાયક ગતિ મનુષ્ય ગતિ. શરીર પાંચ પણ સાધનામાં સહાયક શરીર ઔદારિક શરીર ! દેશ અનેક પણ, આર્ય દેશ જ આરાધનાને અનુકૂળ....
માનવ જન્મ, ઔદારિક શરીર, આર્યદેશ, આર્યકુળ, પંચેન્દ્રિય પૂર્ણ મળી એટલે તું હર્ષઘેલ ના બની જતે કે મારી મેક્ષ સાધના સુલભ થઈ ગઈ.
Page #135
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનમાં આદાન અને પ્રદાન કરવા ગ્ય છે ક્ષમા. [૯૧- ઉત્તરાધ્યયન સૂત્રને સમસ્ત માનવ જગતને શાશ્વત ઉપદેશ છે “અસંખયં જીવિય મા પમાયએ”. જીવન, અસંસ્કૃત છે એટલે સંસ્કાર પામે તેવું નથી. જેનું રક્ષણ કરી શકાય તેવું નથી, જેને સાંધી શકાય તેવું નથી. તેથી જ ગાફેલ ન રહે. સાધનાના સહાયક અંગોને ઉપગ , કરી લે. તું સાધક બન્યું છે. તેથી સાધનાના મરથ છે. પણ કયાંક મનમાં શિથિલતા આવી જાય છે. ન થાય છે, જીંદગી લાંબી છે પણ, તું જે “અસંખયું જીવિય મા પમાયએ વિચારીશ તે તને બે માર્ગ મળશે.
શા માટે પ્રમાદ નહિ કરવાનો ? જીવિય શબ્દના રહસ્યને પકડ, શરીર અશાશ્વત છે, વૃદ્ધત્વ શરીરની શક્તિને ક્ષીણ કરશે. રેગને હુમલે તારી શક્તિઓને નાશ કરી દેશે. ભયંકર ચિંતાઓને કારણે શરીર પર કાબુ હટી જશે. શરીરના સહારે ભારતે દેડતે છેવટે શરીરથી કંટાળીને હારી જઈશ. '
આયુષ્ય અલ્પ છે, તારું આયુષ્ય કર્મ પરાવર્તનીય. કે અપરાવર્તનીય ? સોપકમી કે નિરુપક્રમી?
અશાતા વેદનીય કર્મ–આયુષ્ય કર્મ અને મેહનીય કર્મના ત્રિભેટે તું અથડાઈ ગયા છે. ત્રિભેટે ઊભેલાને ત્રણ મરચા સાચવવાના. તારી સાધનાની ભાવનાએ પણ આ ત્રણ કર્મના મરચા સંભાળવાનાં છે. બેસાવધ બને કે તુરત અશાતા વેદનીય કર્મ હુમલે કરશે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૯૨ ] જગતનાં વિષને હસી હસી પીવે તે મહાદેવ. છે તેથી જ પરમાત્મા તને ચેતવે છે. જીવન અસંસ્કૃત છે, નાશવંત છે. તે શાન થયું પણ, પ્રમાદ કર્યો તેં? જીવનમાં પ્રમાદને છેડ જ જોઈએ.'
પરમાત્માએ તને અપ્રમત્તભાવની આહેલક જાગૃત કરવા ગુરુની નિશ્રા સ્વીકારવા શા માટે કહ્યું? તારી સામે કરુણા છે, દયા છે. તેથી જ કહે છે. “મા પમાયએ.” પ્રમાદી–અત્યંત ઉન્મત્ત, હિંસા-અહિંસા, આશ્રવ–સંવર, કર્મબંધ-કર્મનિર્જરા કશું સમજતા નથી. આવા પ્રમાદીનું - શરણ કોણ બને ? શરણ વગરને નિરાધાર પુનઃ પુન કર્મના ચક્કરમાં અટવાયા જ કરે. ' સાધક!
હવે મૌખિક વાત ના કર. તારા હૃદયને અવાજ પ્રગટ કર...તારી નાભિને સ્વર ગુંજિત કર....... IF “અશાશ્વતથી શાશ્વતની સાધના કરી લઈશ.”
શું ખેડૂત ખાતરમાંથી ધાન્ય પેદા નથી કરતો? શું ધૂળધોયે ધૂળમાંથી સોનું નથી મેળવતે? શું કલાકાર પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન નથી કરતે?
એક બાવીસ વર્ષના નવયુવાનના મુખમાં નહિ, હૃદયમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ પંક્તિ ગુંજી ઊઠી...જીવન રાહ બદલાય..અનેક કષ્ટો–સંકટ સહી ૨૩ માં વર્ષે દીક્ષા લીધી. ત્રણ મહિનાનું અ૫ ચારિત્ર જીવન પાળ્યું. તેમને દેહ અસંસ્કૃત થશે. સુધારાય
Page #137
--------------------------------------------------------------------------
________________
ક્ષમા એટલે હૃદયમાં એરકડીશનનુ ફીટીંગ [ ૯૩ તેવા નહિ થયે. અને આત્મા આરાધનાથી પવિત્ર થઈ પરલેાકની વાટે સંચર્યાં. આ મુનિ તે સૌરાષ્ટ્રની પવિત્ર છાયાના અગ્રણી શ્રાવક, વીરાણી કુટુંબના નબીરા વિનેાદમુનિ....
પ્રભુ ! દેહ અને દેહીના ધર્મો સમજાવેા. આરાધના અને વિરાધનાના મમ સમજાવે. મારે પ્રમાદ કરવાના નથી. પ્રમાદ ભાવ મારા યથાખ્યાત ભાવના વિશુદ્ધ ચારિત્રને શકે છે. હું આપની હિતશિક્ષા સમજ્યું છું.
પ્રમાદ ન કં.’” એ કહેવાના બહાને આપે મને. યથાખ્યાત ચારિત્રને અનુપમ માર્ગ સૂચવ્યેા.
શુ આપના આશીર્વાદથી મારા આચરણમાં પરિવતન ન આવે?
પંચેન્દ્રિય હાવા છતાં પાંચે ઇંદ્રિય તારી કમે`ન્દ્રિય... બનશે... પણ જ્ઞાનેન્દ્રિય નહિ બને. આયુષ્યકમ' કહેશે તમે મને દોષ આપે છે ને ?- અલ્પ આયુષ્ય હતું, શું કરીએ? બસ, તારું આયુષ્ય લાંબુ. કરું, પણ જ્યાં નહિ જ્ઞાન, નહિ સંસ્કાર, નહિ આરાધક ભાવનું નામ નિશાન. ૫૦....૫૦ વર્ષ બિછાનામાં, રાજ મૃત્યુને યાદ કરી આત ધ્યાન કરવાનું. આવા સ્થાનમાં સાધના કયાંથી થાય ?
શરીર નિરાગી....આયુષ્ય માટું પણું મટ જેવુ..... આરાધના માટે તૈયાર જ નહિ. વિરાધના માટે તત્પર....વાત. કરતાં...ગપ્પા મારતાં નિંદ આવે નહિ. સ્વાધ્યાયમાં નિર્દે,. ધ્યાનમાં પણ નિંદ. અથ વિચારતાં સુયુતિ કે સારા તક કે
Page #138
--------------------------------------------------------------------------
________________
- ૯૪ ] કષાયને આધીન થવું તે પ્રમાદ છે. શાસ્ત્રીય વાત સમજાય નહિ. કુતર્ક-અવળી દલીલ અશાસ્ત્રીય વાતમાં એક અક્ષર પરથી અનુમાન શક્તિ વિકસિત બની
જાય. મહાપુરુષના ચરિત્ર-સદ્દગુણ યાદ રહે નહિ અને : દુર્ગુણની વાત સાંભળતાં દુર્ગુણ કંઠસ્થ થઈ જાય. સાધના
માર્ગના કેટલાં અવરે ? સદ્ગુરુની કૃપાએ મેહ ઉપર - વિજય મેળવવા તું શુકનની ગાંઠ લગાવ, “પ્રમાદ નહિ
કરું...” શરીરની ક્ષણભંગુરતા અને આયુષ્યની અલ્પતા - સમજાય તેટલા માટે ફરી બેલ–“અસંખયં જીવિય મા - પમાય પણ આ પદે માત્ર બેલવાલાયક છે કે ચરિતાર્થ - કરવા લાયક છે ?
ઇદ્રિ અને બુદ્ધિ હોય તે પુદ્ગલ ધર્મ સમજાય પણ પ્રેરક વગર સાચું માર્ગદર્શન ના મળે. દેડે ખરે... પણુ લક્ષ્ય વગર....
, ભારતીય સંસ્કારને પામેલી રાજરાણી ધારિણી રાજા પ્રસેનજીતના માથાને સફેદવાળ રાજાને બતાવે..સમજાવે.
વૃદ્ધત્વને દત-“સંન્યાસી જીવન સ્વીકારવાની આમંત્રણ પત્રિકા કરે હવે વનમાં રાજ. દેહની મર્યાદા સમજાઈ ગઈ. દેહના પ્રસ્થાનની મંગલભેરી વાગી. હવે છોડ અજયની ખટપટ. પ્રસેનજીત અને ધારિણી જંગલમાં જઈ સંન્યાસીની જંદગીને પ્રારંભ કરે છે. UF “તત્વજ્ઞાની દેહને ટકાવવા પ્રયત્ન ના કરે, પણ દેહ - સાધન નષ્ટ થતાં પહેલાં તેના દ્વારા આત્મસાધનાનું
ભાથું બાંધી લે.”
Page #139
--------------------------------------------------------------------------
________________
જીદગીભર ક્ષમા કરનાર સ્વસ્થ રહી શકે છે, [ ૫
ભૌતિક ભાવનાવાળાને જ્ઞાન થાય કે દેહ નષ્ટ થવાને છે તે ગભરાઈ જાય.અકળાઈ જાય. અને છેવટે હાયહાય કરી અકર્તવ્યપંથે આંધળી દોટ મૂકી દે છે.
એક નૃત્યાંગનાને પોતાના દેહનું-રૂપનું અને યૌવનનું અત્યંત અભિમાન.તે સમજે મારે દેહ નષ્ટ થશે નહિ, મારું રૂપ, કુરૂપ થશે નહિ, મારું યૌવન પુષ્પ ક્યારેય ચીમળાશે નહિ. એક દિવસ દર્પણમાં નિરખી રહી છે, ત્યાં મુખ ઉપર વૃદ્ધત્વની એક કરચલી જેઈ, હવે મારા જીવનની કિંમત શું? મને કેણ બેલાવશે? મારી પાસે કોણ આવશે?
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૭. ‘છંદ નિરાહણ ઉવેઈ માકખ દ
ભારત દેશમાં ખાલ મંદિર છે દાદા-દાદીના ખાળેા. બાળકનાં જ્ઞાનના પ્રારંભ થાય છે દાદા-દાદીની ચકા-ચકી, હાથી, વાંદરા—બગલાની વાર્તાથી. આ વાર્તાએ દીકરાનાં વિજ્ઞાનની ક્ષિતિજો ખુલ્લી કરી દે છે. વડીલેાનું કાર્ય દિશા સૂચન કરવાનું, થાળીમાં ભાજન પીરસવા સુધીનું કાર્ય માતા કરે. ક્દાચ મુખમાં કેળિયા પણ મૂકી દે. પણ, છેવટે ચાવવા તે માળકને જ પડે ને! પરમાત્મા અને ગુરુજનાએ આપણી સામે અધ્યાત્મ ભાજનનાં સુંદર થાળ ધરી દીધાં છે. પણ....‘ અધ્યાત્મના થાળ જેવા માત્રથી, સમજવા માત્રથી વાચાળ મનાય, પણ અધ્યાત્મ જીવનના રસાસ્વાદ ના આવે.... અધ્યાત્મના રસાસ્વાદ કરવાં અધ્યાત્મને આત્મસાત્ કરવું પડે, '
9
પરમાત્મા મહાવીર દેવની અ ંતિમ દેશના–ઉત્તરાધ્યયન સૂત્ર ” એ અસ્ખલિત પ્રેરણા પ્રવાહ છે, જે આ અવસર્પિણી કાળમાં હજારો વર્ષોં સુધી અધ્યાત્મના અમીપાન કરાવશે....
૮ અધ્યાત્મનું ખાલમ`દિર–પરમાત્માની દેશનાનું શ્રવણું. આત્મજ્ઞાનના પ્રારંભ ત્યાંથી જ થાય. પરમાત્માએ અધ્યાત્મની લિપી આપણને શિખવાડી છે. જગતની લાયબ્રેરીમાં અધ્યાત્મનાં પુસ્તકનું જેટલું સÀાધન કરીએ તેટલી અધ્યાત્મની પ્રાપ્તિ થાય. ’
Page #141
--------------------------------------------------------------------------
________________
કાધને તિરરકાર એટલે ક્ષમાને આવકાર. [ ૭
ગુરુજનો આપણને ફરમાવે. છે, “અધ્યાત્મનો નિષ્ણાત પછી બનજે પણ, પહેલે અધ્યાત્મના મૂળાક્ષરેને ઘૂંટતા જા. “દ નિરહેણ ઉવેઈમેકM ” જે ઈચ્છાઓને ધ કરે તે મેક્ષ મેળવે.”
આ પદમાં રહેલ છે શબ્દને, નિરહ શબ્દને, અને ઉઈ મેમ્બે શબ્દો જે વિચાર કરીશું તો પરમાત્માની હિતશિક્ષાની મૌલિકતાને સ્પષ્ટ ખ્યાલ આવશે.
ઈચ્છાના રોધથી મોક્ષપ્રાપ્તિ શેઠ બની નેકરની ઈચ્છા રોકી, રાજા બની પ્રજાની ઈચ્છા કચડી નાંખી, ચકવતી બની ચોસઠ હજાર રાણીઓની ઈચ્છા દાખી. અરે ! જ્યાં જ્યાં ને ત્યાં ત્યાં સતા–સંપત્તિમાં મદમસ્ત બની સૌની ઉપર સત્તા જમાવી. ભય, ત્રાસ, ડર, યુદ્ધ માટે મારા મનથી હું હિટલર અને કેણિક બન્ય
જ્યાં નબળાઈ દેખી ત્યાં ચડી બેઠે. જ્યાં દયાજનક પરિ સ્થિતિ લાગી ત્યાં નિષ્ફરતાની પાશવી લીલાનું સામ્રાજ્ય જમાવી દીધું, સાચું કહું? ઈચ્છાને રે તે ઘણે કર્યો. પણ મેક્ષ તે શું? સમત્વ પણ ના મળ્યું. મહાનુભાવ!
દુનિયાને ડાહ્યો ઘરમાં ગાડે હેય, દુનિયાને કાબુમાં રાખનાર ખુદના પરિવારના ઘણીવાર અસફળ થાય.”
તને જરૂર શાબાશી આપવી પડશે કે તે પર) માત્માના વચન યાદ રાખ્યાં, “છંદ નિહેણ ઉવેઈમેકM પણ શું તું પિપટ છે? માત્ર શબ્દ એ છે કે અર્થને
Page #142
--------------------------------------------------------------------------
________________
૯૮ ] સાધુ એટલે વિશ્વના કલ્યાણને જવાબદાર સાધક
પણ સમજે છે ? નાળિયેર ઉપરથી છેતરાં ફાતરાં ઉખાડવાં વગર ખાય તા? દાંત તૂટે...પરમાત્માના શબ્દના સહારો લઈ બીજાની ઇચ્છાઓ કવાં તું અસુર બન્યા...... ત્ય અન્યા. જિનશાસન બીજાની ઇચ્છિાને રોકવાની વાત કરે નહીં, જિન શાસન તા બતાવે પેાતાની ઈચ્છાનેા રાધ પણ સાચું કહું ? મારાથી ફક્ત સાચુ' ના કહેવાય. હિત કારક કહેવાય. મંગલકારક કહેવાય. શ્રીફળમાંથી કોપરુ મેળવવું હાય તા કઠોર કવચને તાડવુ પડે. પરમાત્માની હિતશિક્ષા મેળવવી હાય તા શબ્દના કઠોર કવચની અંદર સચવાઈ રહેલ રહસ્યના પાર પામવા જોઇએ. પુનઃ પુનઃ વિચાર....
ઃ
‘છંદ નિરાહણુ વેઇ માકખ
1
6
પુ પાગલ પહેલાં બીજાને શિક્ષા આપે. બુદ્ધિમાન પ્રથમ હિતશિક્ષાનું આચરણ કરે, ત્યારબાદ તેના ઉપદેશ આપે.' પણુ, કયાંય હુકમ ન કરે, પરમાત્માનાં હિતવાકયમાં પણ જબરી નથી. સત્ય હકીકતનું દિગદર્શીન છે. તને સત્ય લાગે તે તું અનુસરણ કર.....
ઇચ્છાના નિરોધ વડે મેક્ષ મળે છે. પરમાત્માની હિતશિક્ષા તારી અનેક શકાનુ' સમાધાન કરે છે, ઇચ્છિાના રોધ શકય ? હા, શકય....તદ્દન સાચી વાત. કાર્ની ઈચ્છાને રાય ? ગાંડા ન થા. પહેલાં તારી ઈચ્છાને રોક...મારી ઈચ્છા?
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રવણ એ general treatment છે, [ ૯૯ હા...તારી ઈચ્છા રેક...એવું તે મેં ઘણીવાર કર્યું છે અને હજી પણ રેજ કરું છું જ. સવારમાં ઊઠતાં જ ખૂબ નિંદ આવતી હોય છે. પણ જોજન કરવું છે તે તે ઉઠું છું ને ? બેલે. મેં નિંદની ઈચ્છાને ત્યાગ કર્યો કે નહિ? ખાવાની ખૂબ ઈચ્છા હોય છે પણ ચાલવાનું હોય એટલે કેટલીકવાર ભૂખે પણ રહું છું, બોલે મેં ભજનની ઈચ્છાને રેકી કે નહિ? બલવાનું ઘણું મન હોય છે. પણ સાંભળ્યા વિના બોલાય કેમ? તેથી મૌન કરુ છું. કહે. મેં બોલવાની ઈચ્છા રોકી કે નહિ? - સાધક! ! “આ ઈચ્છાને ધ નથી. દ્રાવિડ પ્રાણાયમ છે. દેખાવ કરે છે-બેલે છે, મેં ઈચ્છા રેકી. પણ તે ઈચ્છા રોકી નથી. તારી ઈચ્છા પૂતિ કરવા તું રેક છે. ઈચ્છા નિરોધ જુદી હકીક્ત છે અને ઈચ્છા બદલવી એ જુદી હકીક્ત છે.”
“ ઈચ્છા નિધિમાં કચ્છનાશની ભાવના રહેલી
- “છાના પલટામાં ઈચ્છા પૂર્ણાહુતિના સમયની રાહ હોય છે.?
ઇચ્છા પૂર્ણાહુતિ કરવા સમયની રાહ તે સી જુએ છે. શું ખેડૂત બીજ વાવ્યા પછી ધાર્ય નથી રાખતે ? ગાડીમાં બેઠા પછી મુસાફિર સ્ટેશન ન આવે ત્યાં સુધી શાહ નથી જોતો? વ્યાપારી માલ આપ્યા પછી પૈસા
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
પરમાત્માનું શાસન એ સુખ
માટે હોય નથી રાખતા ? ઇચ્છા પૂર્ણાહુતિ માટે માનવના પ્રયત્ના એ જુગજુની કથા છે. મેાહનીય કર્મીને એ તે રાજ નવા ખેલ છે. પણ, આત્મરાજના સફળદાવ ત્યારે જ કહેવાય, કે ઇચ્છા નાશ માટે પ્રયત્ન થાય.
ઈચ્છા નાશ માટેના રાજમાગ એ છે કે જેમણે ચ્છિાઓના નાશ કર્યાં છે તેવા પાત્માના માર્ગે ડગ ભરવા. દેવ ગુરુના ચરણમાં આપણી બધી ઇચ્છાઓ છેડી દઇ તેના ઉપદેશ પ્રમાણે જીવન વ્યતીત કરવુ....સ્વેચ્છાએ સ્વછંદતાને અગ્નિ સ્નાન કરાવવું....
“ સ્વેચ્છાએ દેવ ગુરુના ચરણે સમર્પિત બનવુ.”
જેમ ઘેાડાને રણપાર કરવુ. હેાય તે ચોકઠું બાંધવા દેવું પડે, પલાણ વગર ઘેાડાની ગતિમાં વેગ આવે નહિ, પલાણુ નખાય પછી જ તેની ગતિ વેગ પકડે. રણના વિકટ માગ પણ તે સહેલાઈથી પાર કરી જાય. તેમ ભલા ! સાધક ! “ તને ઇચ્છાના ત્યાગ દ્વારા પરમાત્મા સમજાવે છે – સ્વરછંદ મનોવૃત્તિના ત્યાગ કર ” – જીદને ત્યાગ કર” જેમ પલાણ વગરના ઘેાડા ઉન્માર્ગે ચાલ્યા જાય છે તેમ તું પણ દેવ ગુરુના ચરણ વગરના ભવના જંગલમાં રાગ દ્વેષ ના વેરાનમાગ માં સજજનાથી વિખૂટા પડી જઈશ.
1
સ્વચ્છંદ વ્યકિતના દેવ ગુરુ રક્ષક ના અને, પણ સમર્પિ ત આત્માના દેવ ગુરુ રક્ષક અને જીદ્દીને કોણ સમજાવવાં જાય? સીધા સાદાને સૌ સાચી વાત • સમજાવે. કદાચહીની
Page #145
--------------------------------------------------------------------------
________________
ભાગ એ રાગના પડકાર છે.
૧૦૧ ] સાથે માથા ફોડ કરવા કેાઈ સજજન સમય અગાડે ? પણ સદાગ્રહીને શાણા માણસા શાન વધે તેવા મા અતાવે. પૂર્વાગ્રહીને જે સમજાવવાં જાય તેની ઉપર જ તે પ્રહાર કરવા જાય. જયારે જિજ્ઞાસુને સમજાવતાં માદકને પણ માર્ગ મળે.
સાધક ! તું પ્રશ્ન કરવાના ? શું મારી ઈચ્છાને જા પણ સ્થાન નહિ આપવાનુ ? મનવાળા દરેકને મન હેાવાનુ મન હેાય એટલે ઈચ્છા થાય. આ તે જુલમ છે. શુ મારે શૂન્ય મનસ્ક બની જવાનુ` ? જેમ પાગલને બધાં કહે તેમ કરવાનું .......' તેમ મારે પણ પાગલની જીદગી જીવવાની ? સાચું કહી દે. તારા મનમાં પણ આ વિચારનુ ઘમ્મર વલેણ ચાલે છે ને ?
-
તુ
66
ઘણીવાર કહું છું અને આજે પણ કહુ હિતસ્ત્રીની માખતમાં ધૈય કેમ કરે છે ? શાંત થા.... ઉપશાંત થા....ગભીર યાન.... જ્ઞાનીની વાત વૈદ્યની ભસ્મ જેવી દાય, વૈદ્યની ભસ્મ જેટલીવાર ખરલમાં ઘૂંટાય તેટલી તેમાં વધુ તિ પેદા થાય. તેવી જ રીતે જ્ઞાનીની વાત તારા અંતરના ખરલમાં ઘૂંટીશ તેટલી તેની મહત્તા તને સમજાશે.
"
કયારેય તે કોઇ કોડભરી કન્યાને સસુરાલય જતાં દેખી છે. ગામ-ઘર-માતા-પિતા, ભાઈ-બહેન, પિતૃ ગૃહની સ ́પત્તિ અને છેવટે પિતાના કુટુંબની અટક (સરનેઇમ) પણ છેડી કે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ] સાચા માણસ જાતના પરીક્ષક અને છે.
કન્યા પિતૃગૃહ છેાડે છે તે પતિના ગૃહની સામ્રાજ્ઞી અને છે. ત્યાગ વિના પ્રાપ્તિ અશક્ય. પરમાત્માના હૃદયની સપત્તિ મેળવવી હશે, તે મેહની સ ંપત્તિને ડવી જ પડશે.
“તારી ઈચ્છા એટલે જેમાં ક્રોધ-માન-માયા ઇર્ષ્યા –મનુ—મસર હાય, પણ, દેવ ગુરૂની ઈચ્છા, અનુશાસન એટલે વિશ્વના પ્રાણીમાત્રના કલ્યાણની હિતશિક્ષા
""
જયાં હારીને શરણાગતિ સ્વીકારવાની હોય ત્યાં શૂન્યમનસ્કતા હાય—પાગલપણું હાય....પણ જયાં સમજીનેવિચારીને હિત જોઇને શરણાગતિ સ્વીકારી હોય ત્યાં સમર્પણ છે. શાણપણ છે.
સાધક ! ! ! ફરી કહું છું. મારી વાત છે માટે નહિ માનતા પણુ, સારી વાત લાગે—સાચી વાત લાગે તા જ સ્વીકાર.........
. “ મારી વાત–મારી ઈચ્છા-મારા માથ ત્યાં માહનીય કના આવિષ્કાર. માડુનીયકમ હાય ત્યાં માક્ષ સાંભવી શકે .........
દેવ ગુરુની આજ્ઞા-ચ્છિા-ભાવના–મનેારથ હાય ત્યાં આત્મસાક્ષાત્કારને દિવ્યમાં, એટલે જ કહુ છુ. ઇચ્છાના રોધ નહિ. નિરોધ કર....સદ'તર ઈચ્છાનો ત્યાગ કર.... િ માક્ષ પ્રાપ્તિના રાજમાગ સ્વેચ્છાના બલિદાનમાં છે
Page #147
--------------------------------------------------------------------------
________________
પણ વિશ્વને પરીક્ષક નહીં
૧૦૩
પુર મેક્ષ પ્રાપ્તિને રાજમાગ દેવ ગુરુની શિક્ષાના સ્વી
કારમાં છે. ’
તું મેાક્ષના ચાહક હાય તે! તે માગ સ્વીકારો.... અન્યથા સંસાર તે સદાને! સાથી છે અને રહેશે....સૂય પ્રકાશ આપે. આંખ ખાલવાનું કામ ચક્ષુવાળાનુ` છે....મસ, વિચારજે...છંદ. નિરાહેણુ વેઇ મેાક્ષ્મ’, ’
C
એ ! ... પરમાત્મા ! સદા ઇચ્છા-આશા-અભિલાષાસકલ્પ કરવા ટેવાઇ ગયેલે મારા આત્મા એમ કેમ કરીને ઇચ્છાની દોસ્તી છેડી શકે ? પરમાત્મા ! વરદાન આપે. એક ઈચ્છા પૂર્ણાહુતિનું
“ દેવ ગુરુનાં ચરણે સમર્પિત અનુ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૮. ન તેસિં ભિક્Þ મણસા પઉસ્સે વ્યક્તિના વિકાસમાં મહુમુખી ફાળ હોય છે તેના વડીલને અને વાતાવરણના, વડીલ અને વાતાવરણ સહજ રીતે વ્યક્તિના માનસને ઘડે છે, માનવીને ખ્યાલમાં પણ નથી આવતું કે હું' પથ્થરમાંથી પ્રતિમા અની ગયા ! પ્રણામ ફરતાં સમૂહને જોઈ કઈ વિરલ અતીતકાળ તરફ સિં હાવલેાકન કરે છે અને સહસા મુખમાંથી નીકળી જાય છે. ‘કેટલાંયે મને સહયેાગ આપ્યા.” ! તેની નામાવલી લખું તે! મારા ચાપડા ભરાઈ જાય અને નોંધ અધૂરી રહી જાય! કયારેક થાય છે, સાચું ના છુપાવવું જોઇએ. હિતસ્ત્રી તેા મારા ઉપકારક છે જ. મને મિત્રો કરતાં મારા શત્રુયે....ઘડા, સુઘડ બનાવ્યેા જેણે જીવનના બહુમૂલા પાઠ શીખવ્યા તે દુશ્મન શાના ? પ્રગતિ પથના પ્રવાસી તા કહે પ્રત્યેક પળ, પ્રત્યેક પરિસ્થિતિ પ્રત્યેક વ્યક્તિ મારા ઉપકારી છે મારા ગુરુજન છે. મારે તા યશે!ગાથા જ ગાવાની, મારા મુખમાં મરશીયા ન હાય !
વાત તે ખૂબ સુંદર છે, તારી કલા, આવડત, વિચારણા દાદ માંગી લે એવી છે પણ....વચન મધુર મનાવવાં હૃદય ભવ્ય બનાવવું જરૂરી છે. તન, મન અને વચન વચ્ચે પણ કાઈ સૂક્ષ્મ સંબંધ છે.
તબીબ તબિયત સુધારવાની કેાશિશ કરે.
Page #149
--------------------------------------------------------------------------
________________
—કત બ્યનું ભાન જગાડતા જાય છે
[ ૧૦૫
ભાષા શાસ્ત્રી વાણી શક્તિના વિકાસની કલા શીખવે. માનસશાસ્ત્રી મનને સુધારવાની વાત કરે,
ત્યારે ધર્મશાસ્ત્રી સમા ગુરુ તન, મન, વચન ત્રણેયને શુદ્ધ કરવાની વાત કરે. તેના વિશિષ્ટ ઉપાય મતાવે.
અલ્પા બહારનાં કારણમાં અટવાઇ જાય. સત્ત ભૂલની જડ મૂળ બતાવે તન, મન, વચન નિર્વિકારી કયારે મને ? જીવ અને જડતું સ્વરૂપ સમજાય ત્યારે. ચેતન અને પુગલના ભેદ સમજાય ત્યારે “હું શુદ્ધ જ્ઞાની, નિજાનંદી બ્રહ્મની મસ્તી” એ જ મારુંતું સાચુ છુપ. એ જ મારુ′ લાવણ્ય; બાકી બધી જડની ઉપાધિ ! ! !
કેઇ પણ પરિસ્થિતિ કે પદાર્થ પ્રત્યે આગ્રહ-હઠ, રાગ, આસક્તિ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી તેનુ પ્રાકૃતિક સ્વરૂપ ન સમજાયું હોય. કૃત્રિમતાના પ્રેમી કાગળના ફૂલથી મુગ્ધ અને, અત્તરના વ્યાપારી સાચા ફૂલ ના જુવે ત્યાં સુધી મલકે ક્યાંથી ? કાગળના ફૂલથી કોઇ શ્રીમતનુ દિવાનખાનુ કદાચ શેાભી ઊઠે....પણ પ્રકૃતિનું પ્રાંગણ તેા છેડ ઉપર થયેલ એકાદ પુષ્પના પરિમલથી જ પાંગરે ! ! !
જડના મનગમતા આવિષ્કાર! સાંસારીને આન દ્વિત કરે. જડના અણુગમતા આવિષ્કાર સ’સારીને દુઃખી કરે પણ સ’યમીને ત્યાગીને તે બધાં જ બંધન લાગે. શાલિભદ્ર હાય કે, પરમાત્મા મહાવીર હેાય, ગૃહસ્થ જીવનમાં કોઈની પણ અગ્નિ પરીક્ષા ન થાય ! સૌંયમ જીવનના પ્રારંભ કરે
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૦૬] અભિમાન એ[અક્કલને કેહવાટ છે બુદ્ધિને બગાડ છે. અને પરિષહોને ઉપસર્ગોને દુઃખ દર્દ વ્યાધિ, અને પ્રતિ કુલતાને વાવંટોળ ફૂંકાય. વર્ષોથી નેહીજનેની વચ્ચે રહેવાને ટેવાયેલા મનને સંયમ લીધા બાદ પ્રશ્ન થાય. અહીં મારું કેણુ? ગુરુ પરાયા, ગુરુબંધુ પરાયા-સંઘ પરાયે, તે મારું કોણ?
મન મમત્વના બંધન છોડીને પણ મારાની શોધમાં અટવાતું હોય, આ છે મનની વિચિત્રતા. સાધુ જીવનની કઠેર જીવનચર્યા, નિવાસ, આવાસને બહુ મેટો પ્રશ્ન! એક દિવસ રાજમહેલ જે ભવ્ય ઉપાશ્રય તે, એક દિવસ ગંદીગલીના નાકે જેલ જે ઉપાય ! એક દિવસ ઉદ્યાનમાં વસતિ, તો એક દિવસ મશાન, ઘાટ, કબ્રસ્તાનમાં વસતિ ! હરહંમેશાં બદલાતાં ચિત્ર વિચિત્ર આવાસમાં નિદ્રાદેવી રૂસણ લે ! સાધુ જીવનને શૈશવકાલ, જ્ઞાન અધ્યયનની અપરિપક્વ દશા, મન અતીતના સંરમાણે ચડે, અતીત અને વર્તમાનની સરખામણી કરવા લાગે....અનુકુળ વાતાવરણથી ટેવાયેલ પ્રતિકૂળ વાતાવરણમાં આવી ગયે. ભેજનથી માંડી શયન સુધીની દરેક જીવન ચર્યામાં કયાંય અનુકૂળતાના દર્શન જ નહિ. અનાદિના સંસ્કારે જોર જમાવી જશે તેમ લાગે ત્યાં પ્રતિજ્ઞાબદ્ધ આત્મા વિચારે, મહાવ્રત ન ભંગાય, મહાવત ના ચૂકાય. રાગ અને ત્યાગ વચ્ચે ભયંકર માનસિક સંઘર્ષ જાગે અને દશે દિશામાં અંધકાર દેખાય ત્યારે માનવ મન વામન બની જાય !
Page #151
--------------------------------------------------------------------------
________________
અભિમાન એ [અક્કલને કેહવાય બુદ્ધિને બગાડ છે. [ ૧૦૭
આ માનસિક સંઘર્ષ પાંચમા આરાના બહુલકમી સાધુ સાધ્વી માટે જ નથી પણ, ચોથા આરાના પ્રભુના સ્વહસ્તે દીક્ષિત મેઘકુમારે પણ આ સંઘર્ષ અનુભવેલ ! આ મહિને ચેપી રોગ પ્રત્યેક કાળ અને પ્રત્યેક વ્યક્તિમાં છે. પણ, રાગ, દ્વેષ, ઉત્કટ બને ત્યારે દેખાદે. જેમ ઘાસને ઉગતાં કેટલીવાર ! ઝેરી જંતુને ફેલાતાં કેટલીવાર ! માત્ર વરસાદ એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ આવ્યો, ચારે બાજુ ઘાસ ઉગવા માંડવાનું ! વૈરાગ્યને દીપક ઝાંખે થવા માંડે એટલેહનું સામ્રાજ્ય ફેલાવાનું જ. આથી જ પ્રત્યેક વૈરાગીએ, પ્રત્યેક સાધકે–વૈરાગ્યની લાલબત્તી પ્રગટાવેલી જ રાખવીની છે. નહિતર પ્રતિકૂળતા અણગમતા સંગે અણગમતી વ્યક્તિઓ, અણગમતા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દના શિલા જેવા મોટા મેટા પથ્થરે તારા સંયમ રથના ચૂરા કરી દેશે. પ્રત્યેક સર્જન-વિસર્જનની પ્રક્રિયાનું બીજ મનની ધરતી ઉપર જ અંકુરિત થાય છે. એટલે જ ફરી ફરી કહું છું, અણગમતી વ્યકિત, પરિસ્થિતિ કે પદાર્થ ઉપર મનથી પણ દ્વેષ ન કર. પ્રષ ન કર. ઐરની જવાળા પેદા ન કર. મન જ પ્રતિકૂળતા સામે સ્થિતપ્રજ્ઞ બનશે તે વચન, મનના હુકમ વગર કયાંથી આગળ ચાલવાનું? બિચારી જીભ તે મનની મુખ્યમંત્રી છે. મનના દરેક હુકમોને જાહેર કરે છે. મન જ શાંત, સ્વસ્થ બની જશે તે શરીરનું જેર કયાંથી ચાલશે? શરીર તે યંત્ર છે. મન તેનું મેનેજર છે. મેનેજરની સ્વીચ પ્રમાણે શરીરનું યંત્ર
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
ક્ષમા આપવામાં જ જીત છે હાર નથી ગતિ કરવાનું તનની ગતિને રોકવા હાથ પગ બાંધવા પડતાં નથી. મન સામે એક મત્ર જપી લેા. બધા જોડાણ આપે. આપ કપાઈ જશે !
એટલે જ કહ્યું “ન તેસિ ભજ્જૂ મણસા પઉસે.” ખીજી એક વાત પણ સાંભળી લે. મન જીતવું કઠીન છે, એ તે ઘણીવાર સાંભળ્યુ છે. પણ, એક સાદી સીધી વાત યાદ રાખી લે. મન ઉપર પણ વાતાવરણ, વાણી અને કાયાની ખૂબ અસર થાય છે. મનના દેરવાયા વાણી વર્તન દોરાઈ જાય છે એ જેટલુ સાચું છે તેના જેટલું જ આ સાચુ` છે કે વાણી વર્તન દ્વારા થયેલ સસ્કારની પણ મન ઉપર તીવ્ર અસર પડે છે. તેથી જ મન તેજ વિષયે તરફ ઘસડાઈ જાય છે. મનથી થયેલ,પાપ રાકાઇ જાય છે પણ તન અને વચનથી થયેલ પાપ, પાપની સંતિત પેઢા કરે છે.
તેથી પ્રદ્વેષ ન કર.” તેને રહસ્યા તારે સ્વીકારવાના છે. પ્રતિકૂળ પરિસ્થિતિથી પાછૅ. ના હઠ– વિરોધ વ્યક્ત ના કર, મનમાં દુર્ભાવ પેદા ન કર. પણ એ જ નક્કી કરી લે, ધુ ઉપકારક છે કમ નાશમાં, અનુકૂળ પરિસ્થિતિમાં તીવ્ર કમ અંધ થવાનો અધિક શકયતા....પ્રતિકૂળ પરિસ્થિતિમાં જાગૃતતા રહે, આસક્તિ ન થાય એટલે કમ`નિશની અધિક શકયતા....
પ્રતિકૂળ પરિસ્થિતિ દેવ ગુરુ ધની નજદીક લાવે, અનુકૂળ પરિસ્થિતિ દેવ ગુરુ ધર્મથી દૂર કરે. મન રાગમાં
Page #153
--------------------------------------------------------------------------
________________
ક્ષમા એ પરમાત્માની દ્રષ્ટિ છે.
[ ૧૦૯ ઘેરાયેલું છે એટલે જ ઠેષ કરે છે. “હેષ ન કર”, કહેવા દ્વારા બધા સંચાગે તારા આત્મ ઘડતરના સહાયક છે તેમ સમજાવ્યું છે. સહાયક ઉપર આક્રેશ કરાય? સહાયક સાથે રિસામણાં લેવાય ? પ્રઢેષ ન કર, તેને આંતરિક અર્થ એ જ છે કે કોલ–વેરના પ્રત્યેક કારણેને ભગાડી દે. બસતારા આ મંદિરને વિતરાગ ભાવથી શોભાવી દે. વિશ્વ પ્રત્યે દાસીજતા કેળવી લે. આજ હૈયાની ભિક્ષુ! તને હિતશિક્ષા છે. પ્રભુ પાસે ઔદાસીન્ય ભાવની ભિક્ષા માંગી ધન્ય બની જા !!
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૯. વિખ્ય સીએજજ મેહાવી થી * મજૂરને પત્થર ગણવાં મળે. ભરવાડણને ઘી દુધ માપવાં મળે ! મુનીમને પૈસા ગણવાં મળે ! શેઠને સહી કરવાં મળે ! માનવ તે બધા. પણ, કાર્ય કેમ અલગ ? તરત જ જવાબ મળશે. જેટલી બૌદ્ધિક્તા અધિક તેટલું કાર્ય મહાન મળે.
મહેનત ઓછી અને પ્રાપ્તિ અધિક ત્યાં બૌદ્ધિા ... દર જ્યાં શ્રમ અધિક અને સંપત્તિ ન્યૂન ત્યાં મુર્ખતા - સાધક તું મને જવાબ આપ. તું બુદ્ધિમાન....? મને ખબર છે. મારા પ્રશ્નથી તુ અકળાઈ જવાને. હાથ હવામાં વીંઝવાને મુઠીઓ વાળવાને ભવાં ચઢાવવાને, આંખના ખૂણાં લાલ કરવાને..મુખ કરડું કરવાનું અને દાંત પીસી મને એક બે વાર નહિ પણ દશ વાર તું કહીશ, તમે મને શું સમજે છે? શું હું બુદ્ધિમાન નથી? હું મૂર્ણ છું ?
હિતશિક્ષા આપનારકડવું ના કહેવું જોઈએ-પણ તારું વચન તારી ધમાલ જ કહી દે છે કે તું બુદ્ધિમાન નથી. મારી વાત જરા ઠંડા કલેજે સાંભળીશ તે ગળે ઉતરશે
શું તું હોસ્પિટલમાં ગયે છે ? સારા ડોકટરને તે ગુસ્સે થતાં જોયા છે? બજારમાં ગયે છે? સારા વ્યાપારીને તે ગુસ્સે થતાં જોયા છે ? શાળામાં ગયે છે?
Page #155
--------------------------------------------------------------------------
________________
સમાજમાં પરિવર્તન થાય એટલે સુખી બનાય. [ ૧૧૧ સારા શિક્ષકને તે ગુસ્સે થતાં જોયા છે ? વિદ્વાનેાની સભામાં ગયા છે? સારા વિદ્વાનાને તે ગુસ્સે થતાં જોયા છે ? કદાચ કાંસાને રણકાર તારા કાને અથડાયા હશે પણ, સેનાને અવાજ કયારેય તે સાભળ્યેા છે ? મે પ્રશ્ન પૂછ્યા અને તુ' ગુસ્સામાં આવી કેમ જવાખ લાગી ગયા ? શું ફક્ત ગુણવત્તા શબ્દથી સિદ્ધ થાય ? શબ્દોથી ગુણવત્તા સિદ્ધ ન થાય, પણ અવગુણનુ પ્રદર્શીન થાય. ગુણવત્તા વનથી સિદ્ધ થાય. શબ્દ એ તે વ્યવહાર છે. હૃદયના સદ્ગુણ શબ્દથી સમજાતા નથી. કેટલીકવાર જવાખ આપવાથી એકના મઠ્ઠલે એ અવગુણ સિદ્ધ થઈ
આપવા
જાય.
બુદ્ધિમત્તા એટલા મહાન ગુણ છે કે શબ્દની તાકાત નથી કે તેનુ વર્ણન કરી શકે.
પેશવાના દરખારમાં એક નવા ઝવેરી આવેલ. પેશવા સરકારે ત્રણ હીરા સામે મૂકયા. “દમાં, વજનમાં, આકારમાં તેજમાં અધી રીતે સરખા.” પેશવાએ પૂછ્યું મેલે! ઝવેરી ! ત્રણમાંથી સાચા અને મૂલ્યવાન હીરા કયા ? હીરા જે થાળમાં મૂકયા હતાં ત્યાં ઝવેરી ગયા. થાળ ઉપર એક વેધક દૃષ્ટિ નાંખી. પેશવાને તથા સભાંજને ને પણ એકવાર દૃષ્ટિથી માપી લીધા. અને સો વિચારે છે. આ ત્રણમાં અવેરી કનુ મૂલ્ય કરશે ? પણ સૌના આશ્ચય વચ્ચે અવેરીએ એ હીરા માઢામાં મૂકયા
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ] સુખ મેળવવામાં નહિ પણ માનવામાં છે. અને હસતાં હસતાં કહ્યું–નામદાર ! આ એક હીરે સાચે. સભામાં સન્નાટે છવાઈ ગયે. “હીરો પેટમાં જાય તે મૃત્યુ થાય.” શિવા સરકારે પુછયું પણ આ શું કર્યું? જવાબ મળે “મહારાજ ! સત્ય-અસત્યને વિવેક કર્યો. મારા મેઢામાં સાકર છે હવે કેમ કડવું બલું? મહારાજ ! હીરા ત્રણ નહિ એક છે, બે તે સાકરના ટુકડા છે.” ઝવેરી ! તમે કેમ સમજ્યા ? “મહારાજ ! હું ઝવેરીને દીકરો છું. માટે સમજું છું, હીરા ઉપર માખી ન બેસે....”
આ દશ્ય બધાએ જોયું પણ વિવેક બધા કેમ ન કરી શક્યા ? બધા ઝવેરી ના હતા. એક ને જ હીરાની પારખ હતી. દ્રશ્ય જેવાં સૌની પાસે નેન, હાય...પણ, વિવેકની બુદ્ધિ તે વિરલ વ્યક્તિ પાસે જ હોય... વિવેક હેાય તે બુદ્ધિમાન, વિવેક બુદ્ધિમાન ખુદની ચગ્યતા શબ્દના ગજ દ્વારા સિદ્ધ ના કરે...!
વારંવાર ગુસ્સો આવે. ઘડી ઘડીમાં મેટું ચડી જાય ઘડી ઘડીમાં રીસાઈ જાય, રોજ રોજ મનામણાં, રિસામણા કરાવે, બૂમાબુમ કરે, કટાક્ષ બોલે, ગુપ્તવાત લે તે મુખે !
ગુરુદેવ! હવે હું નહિ બોલું', સામે જવાબ નહિ આપું. આપ જ ફરમાવે-સમજાવે-કૃપા કરે! બુદ્ધિમાન કેને કહેવાય?
સાધક ! યાદ રાખ. “વિપસીએજ મેહાવી.” સદા પ્રસન્ન રહે તે બુદ્ધિમાન. અપ્રસન્નતા, અણગમે, અરતિ
Page #157
--------------------------------------------------------------------------
________________
જેની જરૂર છે તે કાર્ય લાખ લોકે ન કરે [ ૧૧૩ શેક જેનાં હદયના દ્વારે દેખા ન દે તે મેધાવી–બુદ્ધિમાન. જેમ દહીં અને દુધ સાથે ના રહે. જેમ સમ્યકત્વ અને મિથ્યાત્વ સાથે ના રહે, જેમ આશ્રવભાવ અને સંવરભાવ સાથે ના રહે તેમ અપ્રસન્નતા અને બુદ્ધિમત્તા સાથે ના હે !
મહાત્મન !. આપની વાત સાચી હોઈ શકે પણ, દુનિયાનાં ગળે ઉતરે એવી નથી. બુદ્ધિમત્તા સાથે પ્રસન્નતાને શું સંબંધ ? બુદ્ધિનું કાર્ય કેઈની આંટીઘૂંટી જાણવી, કોઈના પેટમાં રહેલ પાપને જાણવું. આ સિવાય બુદ્ધિમત્તાની વળી કંઈ નવી પરિભાષા? મને તે આ સમજાતું જ નથી.
સાધક ! સત્યમ આકરું છે. સમજાશે એટલે તું સ્વીકારીશ–“પરમાત્માની શિક્ષા કેવી મજાની છે !” વિપસીએજ મહાવી.”–પરમાત્માની શિક્ષાને મણિ માથે ચઢાવીશ તે જ પરમાત્મા બની શકીશ. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસન્નતા સાથે પ્રજ્ઞાવાન, બુદ્ધિમાન, મંતિમાન, શબ્દ ના વાપરતાં મેધાવી શબ્દ વાપર્યો છે, બુદ્ધિ વર્તમાનને વિચાર કરાવે છે. મેધા ભવિષ્યને વિચાર કરાવે છે. ભવિષ્યનો વિચાર તે જ કરી શકે છે કે જેને ભૂતકાળ સમજાઈ ગયે હોય, વર્તમાનની ક્ષણ જીવિતા તથા ઉપગિતા ખ્યાલમાં આવી ગઈ હોય અને ભાવિમાં શું થશે ? શું પ્રાપ્ત કરવું જોઈએ ? આ વિચારે તે મેધાવી.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ] કરવા ગ્ય કાર્ય લાખ લેકે ન કરે.
મેધાવી હોવાથી પિતાના ભૂતકાળને પણ સમજે છે અને બીજાના ભૂતકાળને પણ સમજી શકે છે. મેધાવી હેવાથી પિતાના વર્તમાન જીવનને કેમ સફળ અનાવવું. તેને ખ્યાલ હોય છે અને બીજાના વર્તમાનને કેમ સફળ બનાવવું તેની જાગૃતતા રાખે છે. મેધાવી હોવાથી પોતાના ભાવિની સુંદર ભેજના તેની પાસે તૈયાર છે. બીજાના ભાવિ જીવન માટે સુંદર આયોજન છે તેથી જ મેધાવી પ્રસન્ન
રહે.
પરમાત્માને વિપરીએજ શબ્દ તારી શક્તિઓને પ્રગટ કરે છે. જરા વિચાર સ૬ (સી) સંસ્કૃતને ધાતુ, તેને અર્થ પીડાવું, દુઃખી થવું. પ્ર ઉપસર્ગ લાગતાં એ અર્થ દૂર થઈ જાય છે અને પીએનજને અર્થ થાય છે. પ્રસન્ન થા. જરા પણ ન પીડાય, લવ માત્ર પણ ન પીડાય છે. પ્રસન્ન થવું, આનંદમાં રહેવું, પ્રશાંત બનવું, વિમ્પસીએજ શબ્દનો અર્થ થાય છે –વિશેષ રીતે પ્રશાંત રહેવું, પ્રશાંત બનવું, સદા પ્રસન્ન રહેવું, સર્વત્ર પ્રસન્ન રહેવું, સર્વ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું. સર્વની સાથે પ્રસન્ન રહેવું.
તારી પ્રસન્નતાને કાળના બંધન નહિ, પદાર્થના બંધન નહિ, વિભાવદશાના બંધન નહિ, કારણ તું બુદ્ધિસાન મેધાવી...
મેધાવી બુદ્ધિના ત્રાજવેથી જગતને તેલે નહિ પણ,
Page #159
--------------------------------------------------------------------------
________________
જીવન એ બહુ મહેનતે મળતે ખેલ છે. [ ૧૧૫ પરમાત્માની હિતશિક્ષાના ત્રાજવા દ્વારા ખુદની જાતને તેલ, ખુદને માપે.
મહાત્મા હું મૂર્ખ બની ગામને પંચાતી બની જગત્ આખાને તોલવા ગયે, માપવા ગયે--બધાના ગુન્હા, બધાની ભૂલ અને અપરાધ શોધવા ગયા એટલે અપરાધ, ગુન્હા અને દુર્ગુણનું ચિંતન કરતાં અપરાધી, ગુનેહગાર, અને દુર્ગુણી બની ગયે. પછી પ્રસન્નતા રહે કયાંથી ? ખુદનાં ઉદ્યાનના ગુણ પુષ્પને વીતરાગ વાણીનું જલ સિંચન કરવાનું ભૂલી ગ અને કર્મના કચરાને લાવી મારા આત્મ ઉદ્યાનને ઉજજડ બનાવ્યું. આ છે મહાત્મા મારી કુબુદ્ધિમત્તાની–સાચું કહું તે મૂર્ખતાની કરુણું કથની. પ્રસન્નતાને ચાહક પ્રસન્નતાને ઉપાસક પ્રસન્નતાને પ્રશંસક આજે હું અપ્રસન્નતાની સાક્ષાત્ મૂતિ સમે છું. સાધક !
મેધાવી પહેલા વિશ્વને પરીક્ષક નહિ પણ, ખુદને પરીક બને. જગત, જીવ અને પદાર્થને સમજી તેના ગુણધર્મને સમજી સદા આત્મ સ્વભાવમાં મસ્ત રહે. ખુદના આત્મગુણને વિકાસ કરે. મેધાવીને પિતાની દિવ્ય દષ્ટિ વડે જગત જીવનાં ગુણનાં જ દર્શન થાય. વિશ્વના ગુણી સાથે જ પરિચય થાય. તેથી તે પ્રસન્ન રહે. એટલે ચિદાનંદના દર્શન થાય. પ્રસન્નતાથી મિથ્યાત્વ મેહનીય
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ] માનવજીવન એટલે ક્ષમા આપવાનું માટું મેદાન. ક'ના નાશ થાય. પ્રભુપૂજાનું ફળ મળે અને આનંદઘન પદ પ્રાપ્તિના તિલક સમુ ક્ષાયિક સમ્યગ્દર્શન મળે ! પ્રસન્ન વ્યક્તિને વિશ્વમાં કયાંય અઠેલા નહિ, અણુગમા નહિ, સવ"ની સાથે આત્મિક સંબધ.
પ્રભુ !
આપના ઉપાસક છું, ભક્ત છું, આપની હિતશિક્ષ સ્વીકારનારા મનુ એજ નમ્ર પ્રાથના....
Page #161
--------------------------------------------------------------------------
________________
૨૦. અપણા સચ્ચમેસેજ
અહેરામાગળ ગાન કરવાથી શું? અંધ આગળ દર્પણ ધરવાથી શું ? મૂર્ખને હિતશિક્ષા આપવાથી શું?
野
વેશ્યા પાસે શીલનું માહાત્મ્ય બતાવવાથી શું લાભ ? તેમ આત્મજાગૃતિ થયા વગર સત્યથી શું લાભ ?
કેરી જેવાથી રંગ સમજાય પણ....સ્વાદ ન અનુભવાય, સાકર જોવાથી તેનું કદ ખ્યાલ આવે પણ તેની મીઠાશ ન અનુભવાય તેમ જગતમાં સત્ય સિદ્ધ કરી શકાતુ નથી, સત્ય બતાવી શકાતું નથી.
9 ‘સત્ય એ તેા સ્વના સ ંશોધનથી સિદ્ધ થાય.
સત્યને સિદ્ધ કરવાનાં દરેક મા અપૂર્ણ પૂર્ણ શુદ્ધ અને સમ્યગ્ મા તે પરમાત્માએ એક જ દર્શાવ્યો.
..
“અપણા સચ્ચમેસેજા’
મહત્ત્વન્ ! શું તમે હે! છે? આત્મા
જ
ને અનુસરે ! પરમાત્માના અવાજને નહિ? ગુરુની વાણીને નહિ ? ખુદની વાત ખુદે સ્વીકારવાની ? મનમાં આવે તે ધ, મનમાં આવે તે કમ, મનમાં આવે તે પાપ, અને મનમાં આવે તે. પુણ્ય. બસ....ગુરુ ! પછી તે! જગતમાં ભયંકર અંધાધુ ધી....ઘરઘરમાં હિટલર અને ઘરઘરમાં રંગા
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૮] કંટાળે જીવનથી નહિ પણ દુબુદ્ધિથી કરે. બિરલા. વર્તમાન માનવોને પ્રધાન સૂર જ આ છે. ન જોઈએ માતાપિતાના બંધન, ન જોઈએ કુંટુંબના બંધન, ન જોઈએ જ્ઞાતિના બંધન, ન જોઈએ સમાજના બંધન, ન જોઈ એ દેવ-ગુરુ-ધર્મના બંધન. બસ...પછી અમે અમારા મનના રાજા મહારાજાબેતાજ બાદશાહમનમાં આવે તે જ કરીએ, મનમાં આવે તેમ જ બેલીએ, જગ તની પરવા જ નહિ કરવાની, કયારેય કેઈથી દબાવાનું નહિ, દબાઈએ તે સૌ દબાવે. પડકાર કરીએ તે સૌ પગે લાગે. પ્રભુ ! આ માર્ગે આજના સમાજ વણથંભી કૂચ કરી રહ્યો છે. આમાં કંઈ ઉપદેશ-આદેશની જરૂર ખરી?
સાધક ! “અપણા સમેસેજજા” વાક્યને અર્થ સમજીશ કે તારું જ પ્રવચન શરૂ કરી દઈશ? તારું આ લાંબુ પ્રવચન “અપ્પણ” શબ્દને, “સચ્ચ” શબ્દને અને એસેજજો” શબ્દનો અર્થ સિદ્ધ કરી શકે તેમ છે ? કશે વધે નહિ. તે વિશ્વની માનસિક પરિસ્થિતિનું ખૂબ સુંદર વિશ્લેષણ કર્યું. ગધેડાને સાકર આપો તે શું થાય? ગધેડે સાકર ખાય અને મરી જાય. બસ. વર્તમાન જી હવે ફક્ત સૂત્રથી શિખામણ નહિ લે, સૂત્ર...નિર્યુકિત.. ભાગ્ય... ચૂર્ણિ...ટીકાથી નહિ સમજી શકે એટલે જ દરેકની વ્યાખ્યા કરવી પડશે. પ્રત્યેક વ્યક્તિના પ્રશ્ન અને પરિસ્થિતિ તથા બૌદ્ધિકતા સમજી તેની પાસે શાસ્ત્ર જ્ઞાનની રજૂઆત કરવી જરૂરી છે. તેથી જ કહું છું તે ઉત્તરાધ્યયન સૂત્રને સૂત્રપાક કર્યો તે સારું છે પણ, ઘણું સારું નથી. ઘણું સારું છે
Page #163
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય એ વિકૃત થયેલે રાગ છે. [ ૧૧૯ સૂત્રાર્થને સમજીશ ત્યારે થશે. પરમાત્માના પ્રત્યેક સૂત્રો અનંત અર્થચુકત છે. કૃત સાગરને કિનારે બેસી આપણે તે છીપલાથી રમીએ છીએ. અર્થરૂપ રત્ન તે ધૃતસાગરમાં ડૂબકી મારે-ચિંતન કરે તે જ મળે. તેથી જ તને વારંવાર કહું છું, સ્વાધ્યાયને સમજ. સ્વાધ્યાય એટલે ગાથાઓ ફેરવી જવી તે નહિ પણ, સ્વાધ્યાય એટલે આત્મામાં નિમગ્ન બની જવું. અર્થ વગર આત્મધ્યાનમાં લીન બનાય? અમ્પણ સમેસેજજોના અર્થનું ચિંતન કર...
સત્ય પ્રગટ કરવાનું નથી. સત્ય સિદ્ધ કરવાનું નથી. સત્ય તો વિશ્વમાં છે તેને શોધવાનું છે. શોધવાનું કેને હેય? છેવાઈ ગયું હોય એને, આડું-અવળું થઈ ગયું હોય તેને...
એક વસ્તુ જડતી નથી, ખોવાઈ ગઈ છે. ઘણી મહેનત કરી, શ્રમ કર્યો, વસ્તુ મળી પણ, પાછી જેમ વાદળાની આડે સૂરજ આવી જાય તેમ વસ્તુ ગુમ. પરમાત્માએ તને સત્યનું શોધન કરવાનું નથી કહ્યું પણ સત્યનું સંશધન કરવાનું કહ્યું છે–ગવેષણ કરવાની કહી છે. શાધન , અને સંશોધનમાં બહુ ફરક છે, Uર શોધનમાં બીજાની સહાય ચાલે. પણ સંશોધનમાં કેઈની પણ સહાય ના ચાલે. ઈન્દ્રિયોની મદદથી થતું જ્ઞાન તે શાધન. આત્માના સંહારે થતું જ્ઞાન તે સંશોધન. પરમાત્માએ સંશોધન કર એ કહેવા દ્વારા તેને કેવલજ્ઞાન માટે લલકાર
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
સાચા વૈરાગી કોઈના પર તિરસ્કાર ન કરે.
કર્યાં છે, પડકાર કર્યાં છે, ‘‘તુ... તારા આત્મા વડે જ સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જ્યારે તું સત્યનું સ ંશેાધન કરી લઇશ ત્યારે તું આત્મા નિહ પરમાત્મા બની ચૂકયા હોઈશ”
શુ સત્યનું સ ંશોધન કરનાર આત્મા મારા-તારાના ગુંચવાડામાં અટવાય ? તેની મૈત્રી, તેને સ ંબંધ, તેનુ સગપણું-વિશ્વના સમરત પ્રાણી સાથે, ભૂત સાથે, જીવ સાથે અને સત્ત્વ સાથે, કારણ...સત્ય એ છે સર્વ પ્રાણી, સર્વ ભૂત...સર્વ જીવ...સ` સત્ત્વ સમાન....સ` આત્મ શક્તિમય છે, ચૈતન્યમય છે, સવ` સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કોઇ ખાણમાં રહેલુ સાનુ છે તે કોઈ આભૂષણ બનેલુ સાનુ છે પણ સુવર્ણ સત્ર સમાન છે. શું સુવણ કાર સુવર્ણનું અવમૂલ્યાંકન કરે ? શું આત્મજ્ઞાની....સત્ય સ ંશા ધક આત્માનું અવમૂલ્યાંકન કરે ? આત્મજ્ઞાનીએ વિશ્વ સાથે મૈત્રી કરવી જોઈ એ તેમ કહેવાય ? ના....તે પછી આત્મ જ્ઞાનીને વિશ્વ સાથે મૈત્રી કર્યા વિના ના ચાલે ? આત્મજ્ઞાની, સત્ય સ ંશોધક વિશ્વ' સાચું તત્ત્વજ્ઞાન સમજે નહિ અને એને પચાવે નહિ તે તે સત્ય શેાધન કહેવાય ? બીજાની આંખે જોયેલુ એટુ' પણ પેાતાની આંખે દેખેલુ તા આળા પણ માને . આત્મા વડે સત્યનુ` સાધન. . .આમાં તને સમસ્ત તત્ત્વજ્ઞાનના સાર આપ્યા છે. આત્માને સમજ, અહિરાત્માને સમજ.... અંતરાત્માને સમજ....મહાત્માને સમજ.... પરમાત્માને સમજ.... આત્મા અમર, અજર, શાશ્ર્વત
.
Page #165
--------------------------------------------------------------------------
________________
દુશ્મનને ભૂલી કર્મને તિરસ્કારે તે સાચો વિરાગી [ ૧૨૧ છે. તે પછી મૃત્યુ કેમ જન્મ કેમ? આત્મા નિરંજન, નિરાકાર તે તેના ઉપર રાગદ્વેષ કેમ ? આત્મા અવ્યાબાધ સુખને માલિક છે. તે હું સુખી, હું દુખી, આવો અનુભવ કેમ? આત્મ સ્વભાવ અગુરુલઘુ, તો પછીનાના–મોટાને ભેદ કેમ?
બસ...“સત્યનું સંશોધન કર.” તે શું વિશ્વમાં સત્ય અને અસત્ય એ છે? સાચું અને ખોટું ? સમ્યગૂ અને મિથ્યા....મને શું સમજ પડે? હું તત્ત્વજ્ઞાની નથી. મને તે કેઈએ કર્યું તેનું અનુકરણ કરતાં આવડે. પરમાત્માના શાસનમાં શ્રદ્ધાથી અનુસરણ કરાય પણ અંધવિશ્વાસી બની અનુકરણ નથી કરવાનું. પરમાત્માના જીવનમાં જે બન્યું તે બધું નહિ કરવાનું.... પરમાત્માએ જે ઉપદેશ્ય તે કરવાનું. એટલે જ પરમાત્માએ કહ્યું છે “સત્યનું સંશોધન કર.”
UF આત્મ દ્વારા આત્મ સ્વરૂપ US સત્ય દ્વારા તત્ત્વજ્ઞાન.
IR સંશોધન દ્વારા સમ્યગું ચારિત્ર. SF આમ સમ્યગ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યગુ ચરિત્ર
દ્વારા પ્રભુએ નિઃશેયને માર્ગ દર્શાવ્યા છે.
આ શાસનમાં કયાંય ચમત્કાર નહિ...દેવમાયા નહિ, ઈન્દ્રજાળ નહિ.પરમાત્માના સમવસરણમાં ચોસઠ ઈન્દ્ર હેય પણ, ઈદ્રો પ્રભુને છેડી કયાંય સેવા કરવા જાય નહિ. પરમાત્મા જ સત્યને ઉપદેશ આપે. ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
જ્યાં લે ત્યાં સ્વાર્થ સામે પણ કેઈ ઈન્દ્ર ચમત્કાર ન દર્શાવ્યું. ભવ પરિસ્થિતિ પરિપકવ થશે એટલે આત્મા મેક્ષના સાધનને પામશે... દુર્ભને–અભવ્યને ઉપદેશ ના હોય આસન્ન ભવ્યને જ ઉપદેશ અપાય અને તેઓને જ ઉપદેશ અસર કરે !
ઈન્દ્રભૂતિ પરમાત્મા સામે વાત કરવા આવ્યા તે પરમાત્માએ કહ્યું, “તારા વેદશાસ્ત્રને પુનઃ વિચારકર. સમ્ય આલોચના કર, વેદ પદનો અર્થ તું તો કરે છે. વેદપદ એટલે જ્ઞાન. જ્ઞાન સત્ય છે. જ્ઞાનનો ધારક મિથ્યાત્વી હોય તે સમ્યગૂ જ્ઞાનને પણ મિથ્યા બનાવે. તેથી જ પરમાત્માની હિતશિક્ષા છે. “અમ્પણ સચ્ચમેસેજ જા” “સત્યનું સંશોધન કરી શકે તે પંડિત, પંડિત છે તે સમીક્ષા કરવાની તાકાત છે. છ કેમ જન્મમરણમાં ભટકે છે? જગત કેમ અજ્ઞાનમાં અટવાય છે? સાધક કેમ સાધનાથી ભ્રષ્ટ થાય છે? સાધક અવસ્થામાં સાધનાને શત્રુ-માન કેમ ફાવી જાય છે? સત્યનું સંશોધન કરવા નીકળે અને અસત્યના રવાડે ચઢી ગયે? આત્મા વડે સત્ય જ્ઞાન કરવાને બદલે દેહને ઉપાસક બની ગયે! ગુજ્ઞાની આરાધના કરવાને બદલે અહંની આભડછેટમાં અમડાઈ ગયા !
તેથી જ ફરી ફરી કહું છું, “અપણા સમેસેજના તું વિચાર સત્ય અપાતું નથી. સત્ય કઈ પદાથ નથી કે તેની લેવડ દેવડ થાય. આદાન-પ્રદાન તે પદાર્થના હોય ! સત્ય મેળવવાનું હેય...પ્રાપ્ત કરવાનું હોય....સત્યને
Page #167
--------------------------------------------------------------------------
________________
જ્યાં ઈચ્છા વિશાળ ત્યાં લેભ વિશેષ [ ૧૨૩ અનુભવ કરવાને હેય. સૂર્ય પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાવે, ચક્ષુ આપણે ખેલવાના અને જગતને નિહાળવાનું...દેવ, ગુરુ સૂર્ય જેવા છે. પ્રકાશ ફેલાવશે પણ જગતનું જ્ઞાન તે ત્યારે જ થાય કે જ્યારે આંખ ખોલીએ–તેથી જ પરમાત્માની, હિતશિક્ષા છે. “અપ્પણું સમેસેજા”. પ્રભુ!
આપની હિતશિક્ષા શિરસાવંઘ.
આપની હિતશિક્ષા તે સ્વસ્વભાવના પ્રગટીકરણની પરમ પ્રક્રિયા છે. પ્રભુ ! આપ તે સાચા દાનવીર છે.
“અપ્પણું સમેસેજ પદ વડે આપ મને આપ સમાન પદવીને પ્રદાન કરવા ચાહે છે! પણું...શું આપની પદવી સ્વીકારવાને લાયક બનીશ?
આપની કૃપા મારી પાત્રતા સિદ્ધ કરે એજ ન* વિનંતી.
Page #168
--------------------------------------------------------------------------
________________
૨૧ “ઈમં દેહ સમુદ્ધર”, gE
બે સ્ત્રીઓ એક એક મણ વજનનું પોટલું લઈને જાય છે. બંને સ્ત્રીઓની ઉંમર સમાન છે. દેહની મજબૂતાઈ સમાન છે. બંનેને માર્ગ પણ સરખે જ છે. છતાં એક હાય હાય કરે છે. એક હાશ....હાશ કરે છે. એકને કંટાળે લાગે છે તે એકને આનંદ આવે છે. એક કયારે પંથ પુરે થાય ને પોટલું ઊંતા-એમ વિચારે છે. એક
જ્યારે પંથ પુરે થશે ત્યારે પિટલું યેગ્ય સ્થાને સંભાળીને જ મૂકીશ. એમ વિચારે છે. - કિયા બંનેની સમાન છે, પણ એય બંનેના અલગ છે. કારણ, એક મજૂર સ્ત્રી છે, જ્યારે એક માલિક સ્ત્રી છે મજૂર અને માલિકના ધ્યેય અવશ્ય અલગ પડે.
તલવાર તે સજજન–શાહકાર પાસે પણ હોય અને ડાકુ પાસે પણ હેય. એક તલવારથી કેઈનાં ગાળ કેમ ઊતારવાં–પોતાના મનની મેલી મુરાદ કેમ પુરી કરવી, તેના વિચારમાં જ હોય. ત્યારે એક કેને કેવી રીતે સહાયક થવું–કચ્છમાંથી કેમ ઉગારવાં તે જ વિચારમાં હેય.
દેહ ધારણ તે સંચમી પણ કરે અરે સંસારી પણ કરે. “પણ દેહ માટે જીવે તે સંસારી, સંયમ માટે જીવે તે સંચમી.” દેહની આળપંપાળ કરે તે સંસારી, દેહની રક્ષા કરે તે સંયમી. દેહ દ્વારા આશ્રવનું આચરણ કરે તે
Page #169
--------------------------------------------------------------------------
________________
પહેલાં શીતળતા મેળવીને પછી ઉગ્રતાથી કાર્ય કરશ. [ ૧૨૫ સંસારી–દેહ દ્વારા નિરા ઉત્પન્ન કરે તે સ ંયમી. દેહ. દ્વારા રાગ દ્વેષ કરે તે સંસારી-દેહ દ્વારા રાગદ્વેષને ક્ષયકરે તે સંચમી. દેહના કારણે નરકમાં જાય તે સ ંસારી. “ દેહના સહારે સિદ્ધિ હાંસલ કરે તે સયમી.”
દેહ માટે સંગ્રહ કરે તે સંસારી...દેહને ભેજન આપવા દ્વારા સાધના કરે તે સાંચમી....દેહના સંરક્ષણ માટે સતત જાગૃત રહે તે સંસારી....દેહના સદુપયેાગ માટે સદા સાવધ રહે તે સંયમી...દેહના મમત્વથી ઔષધ લે તે સંસારી–દેહ દ્વારા સાધના કરવા ઔષધ લે તે સંયમી, દેહના મમત્વથી આરામ કરે તે સંસારી. . .દેહ દગા ના દે તે માટે આરામ કરે તે સાંચમી...દેહની શૈાભા માટે વસ્ત્ર પહેરે તે સંસારી. . .દેહના દર્શીન દ્વારા કાઇને પાપ ન અ ંધાઈ જાય તેવી સાદાઈથી વસ્ત્ર ધારણ કરે તે સંયમી... ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્મા ફરમાવે છે, “ઇમ ૐ દેહું' સમુદ્ધરે ” આ દેહ એટલે ઔદારિક દેહ, ઔદ્યારિક વણાથી અનેલ દેહ-શરીર. શરીર પાંચ-ઔદારિક-વૈક્રિય આહારક-તૈજસ–કામ છુ, પણ ઔદ્યારિક સિવાય એક પણ શરીર ક યમાં સહાયક નહિ–સંયમ સાધનામાં સહાયક નહિ.
,,
:
મહાત્મા ! જે પરમાત્માએ કમાત્ર છેડવાની કહી તે પરમાત્મા જ ફરમાવે છે સમ્રુદ્ધ રે ’” ઔદારિક શરીર પણ ઔદારિક કમ નુ ફળ છે.
ઉપાધિમાત્ર“ ઇમ દેહું.
-
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૯ 1 સંતેષ પુણ્યથી મળે છે જે ક્ષેપશમ જન્ય છે. કમાત્રના વિરોધી દેવાધિદેવ કર્મના ફળ સમા ઔદારિક શરીરનું – દેહનું સમર્થન કરે? આત્માના પુરક્ત આત્મવાદના નિરૂપક પરમાત્મા દેહનું સમર્થન કરે? દેહને ધારણ કરવાની વાત કરે? મને તે સમજાતું નથી. શત્રુને તે નાશ કરે જ જોઈએ. “શત્રુનું સંરક્ષણ એટલે જ મિત્રનું દમન” દેહનો પક્ષ ત્યાં આત્માની હાર. પરમાત્માના નામે દેહનું સંરક્ષણ? સાધક !!! - તારી વાત દાદ માંગી લે તેવી છે. તું દૂધને દાઝેલે છાશ પણ ફૂંકીને પીવે છે. તારી વાત સાચી છે. જગતમાં પરમાત્માના નામે ઘણાં ખુદની સ્વમતિ સ્થાપે છે. ISR “પરમાત્માની આજ્ઞાના રહસ્ય સમજ્યા સિવાય સૌ
શાસ્ત્રની જ વાત કરે છે. શાસ્ત્રમાં અનેક વિધિ, અનેક નિષેધ આવે–શાસ્ત્રમાં અનેક ઉત્સર્ગ આવે– અનેક અપવાદ આવે. શાસ્ત્રના નામે ગમે ત્યાં મતું મરાય નહિ.”
પ્રત્યેક શાસ્ત્રની વાતેના ખુલાસા ગીતાર્થ ગુરુ ભગવંત પાસે મેળવવા જોઈએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને વ્યક્તિ વિશેષની અપેક્ષાએ થયેલી વાતને અપેક્ષા છેડી ઉપયોગ કરીએ તે, ભયંકર નુકશાન થાય.
દવાની દુકાનમાં દવા તે અનેક હોય. બધી દેવાઓ જીવાડવા જ હેય, રોગ નિવારવા જ હેય આરોગ્ય પ્રાપ્તિ
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રાયશ્ચિત=જાણે અજાણે થયેલી પ્રવૃત્તિને તાપ. [ ૧૨૭ માટે જ હાય, પણ.. .તે દવા ડેાકટરની અનુમતિ વગર સઇએ તે ? ડૉકટર સાથે કુતર્ક કરીએ કે અમારી ભાવના ઘણી ઉચ્ચ છે. તમને તકલીફ ન થાય માટે પૂછ્યા વગર દવા લઈ લીધી. .. આમ કરે તે શું થાય ? ડૉકટરનુ કંઈ ન જાય. દવા લેનારના પ્રાણ જાય . . .
તેમ પ્રત્યેક શાસ્ત્ર આત્મ કલ્યાણ માટે. પણ, ‘ગુદૅજ્ઞા વગર આપણી જાતે શાસ્ત્ર જ્ઞાનને ઉપચાગ કરીએ તે આત્મિક આરાધના જોખમમાં, સમ્યગ દર્શન રૂપ આત્મપ્રાણના નાશ થઇ જાય” તારી શુદ્ધ શાસ્ત્રાજ્ઞા સમજવાની ભાવનાની અનુમેદના કરું છું. શુદ્ધ શાસ્ત્રીય ચારિત્ર પાળનાર ! તને ધન્યવાદ આપું છું. તારા પ્રશ્ન છે – મારા જવાબ છે, પરમાત્માની હિતવાણી છે – હિતાપદેશ છે ،، – ઈમ' દેહ' સમુદ્ધરે !”
પૂર્વે ખાંધેલા કર્મના ય માટે આ દેહને ધારણ કરે. આ હિતશિક્ષા દ્વારા પરમાત્મા કહે છે. આ માનવદેહની એટલી સુંદર તાકાત-તારા જન્મ-જન્મના બાંધેલા કમ નાશમાં તને સહાય કરશે-મદદ કરશે. બિભીષણ, રાવણને ભાઇ એ હકીકત પણ તે સાત્ત્વિક વૃત્તિમાં સહાયક. કેટલાંક ચિંતકે કહે છે, જો બિભીષણ રામચંદ્રજીને સહાયક ન અન્યા હાત તા રામચ દ્રજી રાવણને જીતી શકયા ન હાત... કર્મીને જંગ જમાવીને બેઠાં છીએ. પછી વિચારવાનું નહિ –કાણુ કોના પક્ષનું? બસ, ફકત એટલું વિચારવાનું કે
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ] સંત કોઇની જી ંદગીને તેડતા થની પણ સર્જન કરે છે. આપણને તે સાધનના સદુપયોગ કરતાં આવડે છે કે નહિ ? શરીર દ્વારા ખાર પ્રકારના તપની સાધના કરી લેવાની. શરીર દ્વારા જ જાપ અને ધ્યાન કરી લેવાના. શરીર દ્વારા જ જગતના ઉપકાર સાધી લેવાને...
જે દેઢુના મમત્વથી જન્મ મરણનુ કેકર્ડ્ઝ' ગુ ંચવાયુ, તે દેહ દ્વારા જ જન્મ મરણના કાકડાને ઉકેલી દેવાનુ છે. તે દેહ દ્વારા કર્મ આંધ્યા. હવે તારે દેહ દ્વારા જ કના નાશ કરવાના છે. ” આ આંતરિક હકીકત છે.
''
દેહના મમત્વ માટે દેહના જતન નહિ પણ, અપ્રમત્ત ભાવની પ્રાપ્તિ માટે. દેહના મમત્વ માટે ભાજન નહિ પણ, ભજનમાં સ્થિરતા રહે માટે. દેહના મમત્વ માટે ઔષધ નહિ લેવાનું પણ સમાધિભાવની પ્રાપ્તિ માટે.
યાદ રાખી લે...દેહ તારા પણ, કૃત તા પરમાત્માના જ. પરમાત્માના દૂત કક્ષય સિવાય શાની વાત કરે ?”
પરમાત્માના ક્રૂત સમા સાધુના દેહને એક જ સંદેશ હાય....જાગૃત ખને. આત્માને જ વિજયી બનાવે. વીર અનાવા....મહાવીર બનાવે....
પરિગ્રહ માટે સાધુને ઉપદેશ ન હાય....આદેશ ના હાય....પણ જગત જીવ પ્રત્યે અપાર કરુણા ને વાત્સલ્ય હાય. તેથી જ મહાન શાસન પ્રભાવક આચાય ભગવતે જગડુશાને ધનિધિ બતાવ્યા. ભયંકર દુકાળની આગાહી કરી....અને સારા ય ભારતને જગડુશાહે ત્રણ વર્ષ સુધી
Page #173
--------------------------------------------------------------------------
________________
સમભાવની ઉપાસના તેનું નામ મૌન. [ ૧૨૯ અન્ન પૂરું પાડયું. લેક કથા કહે છે – જગડુશાહના મૃત્યુ સમયે દિલ્હીના બાદશાહે માથા પરથી મુગટ ઉતાર્યો હતે. ગુજરાતના સુબાએ ત્રણ દિવસ શોક પાળ્યો હતો. સાધુની અંતર્વાણ પાછળ પરિગ્રહ સંજ્ઞાનું જોર હતું કે દાનભાવનાનું, પ્રેરક પીઠ બળ હતું? આજે પણ સૌ જગડુશાહના પરિગ્રહને અભિનંદન આપે છે કે જગડુશાહના દાનને !!!
સાધક! સાધુને દેહ એટલે પરમાત્માના શાસનની સંપત્તિ. દેવદ્રવ્યનું ભક્ષણ જેમ અનંત સંસાર પરિભ્રમણ કરાવે, તેમ જે સાધુ પણ દેહને દુરુપયોગ કરે છે?
જેમ જિનમંદિરની જગતિમાં આશાતનાને ત્યાગ કરે જોઈએ. તેમ સાધકે દેહે મંદિર વિરાધનાથી મલિન ન થાય, તેની તકેદારી રાખવી જોઈએ.” - જેમ જિનમંદિરમાં અધિષ્ઠાયક દેવ જાગૃત રહે તે માટે સુગંધી વાતાવરણ રાખવું જોઈએ તેમ દેહને અધિષ્ઠાતા આત્મા જાગૃત રહે તે માટે કપાકને વિચાર રાખવો જોઈએ. પેયાપેયને ઉપગ રાખ જોઈએ.
સાધક ! શરીર તારું પણ અધિકાર પરમાત્માનેગુરુને. તારી ઈચ્છા મુજબ–ભાવના મુજબ–મનોરથ મુજબ ઉપયોગ ન કરી શકાય. સાધકને શરીર ઉપગ માટે પરમાત્માની આજ્ઞા જોઈએ, ગુરુનું અનુશાસન જોઈએ. નદી–સમુદ્રમાં મળી ગયા પછી પોતાનું અસ્તિત્વ અલગ રાખી શકે નહિ અને જે પિતાનું અસ્તિત્વ અલગ રાખે
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ] જીવન એ બહુ તપશ્ચર્યાથી મળેલી ઉપલબ્ધિ છે. તે સમુદ્રની વિશાળતા અને અક્ષયતાને પામી શકે નહિ. સાધુ સંયમ લીધા બાદ મને પેટ દુઃખે છે-માથું દુખે છે–ફરિયાદ કરી શકે નહિ. સાધુ સંયમ લીધા બાદ જ્યારે ચ શરીરને પક્ષ કરે નહિ. મારું શરીર ચાલતું નથી. હું ગેચરી નહિ જાઉં-વિહાર નહિ કરું–ગરમીમાં નહિ જાઉં આવી કાયરતાની વાત કરે નહિ. સાધુએ દિક્ષાને દિવસે જેમ બધી સંપત્તિ-સત્તા સંસારી સ્વજનેને સંપી દીધી છે, તેમ UR “સાધુએ દીક્ષાના દિવસે જ શરીર સાધના માટે
શાસનને સમર્પિત કરી દીધું છે.”
શરીરની જવાબદારી ગુરુના ચરણે સેંપી તે નિષ્પરિગ્રહી અને છે. દીક્ષાના સમયે શરીર ગુરુને ઍપ્યું નહિ તે નિષ્પરિગ્રહી શાને ? પરિગ્રહ રાખે તે સાધુ કહેવાય? જેમ ગુજ્ઞા દ્વારા નવદીક્ષિત વસ્ત્રકબલ-પાત્ર–રજોહરણ સંયમ પાલન માટે સ્વીકારે છે તેમ ગુર્વાસા દ્વારા આ શરીરને પણ સંયમ સાધના માટે સ્વીકારે છે. જેહરણ જેમ જીવદયામાં સહાયક તેમ શરીર પૂર્વકર્મક્ષયની નિર્જરા માટે સહાયક !
સાધક ! ! આતે દેવાધિદેવ વીતરાગનું શાસન અનેકાંતવાદમય છે. BR “દહના સમાવ છોડવાના અને દેહને સદુપયોગ
કરવાને, દેહ ધારણ કરવાને પણ, તેના સમ્યગ
Page #175
--------------------------------------------------------------------------
________________
કડક ગુરુ એ મેક્ષની સડક છે.
[ ૧૩૧ - ઉદ્ધાર માટે, ફરી દેહ ધારણ કર ના પડે તે માટે
અમારા પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરિ મ.સા. તેઓશ્રીએ નિત્ય ધમાં લખ્યું છે “ઓ ! કર્મ હું તારી પાસે એક માંગણી કરું છું. એકવાર એવું ઔદારિક શરીર આપ કે જે ક્ષપકશ્રેણિમાં સહાયક હોય. મહાન આત્મા હતા. સ્વાધ્યાયમાં લીન હતા એટલે દેહના ઉદ્ધારની પ્રક્રિયા સમજેલાં અને દેહના ઉદ્ધાર માટે ચિંતનમાં દઢ ચિત્ત બનેલાં... પરમાત્મા !
હું અલ્પ સત્વવાન. આમા દ્વારા આદ્ધિાર ના સમજે તે દ્વાર દ્વારા ક્યાંથી આત્મોદ્ધાર સમજું? પણ, જે આપ કૃપા કરે. તે “વિશ્વ કલ્યાણમાં સહાયક તીર્થકર નામકર્મ યુક્ત દારિક દેહ પ્રાપ્ત કરું”
સદા મને આપને ઉપદેશ રહે અને વિશ્વ કલાણ માટે સદા ભાવ જાગૃત રહે તે જ શક્તિ આપે...
Page #176
--------------------------------------------------------------------------
________________
રર. કસ્સ હઉ પુરા કાઉ જોગક્ષેમ ન સંવિદે
પૃર્ત્ત
વિશ્વના પ્રત્યેક માનવ આશા-ઇચ્છા-અભિલાષા રાખે છે. આશા-ઈચ્છા-અભિલાષા પૂર્ણ કરવાં મથે છે. આશાઇચ્છાઅભિલાષા પૂર્ણ ન થતાં હૈયાફાટ રુદન કરે છે. હવે શું ? કાને કહેવું? કેણુ અમારા રખવાળાં કરે ? પણ ભલા માણસ ! તે અસત્યની આરાધના કરી. ખાવળના ઝાડ નીચે તા કટક જ મળેને? કંટકની ફરિયાદ કેમ કરે છે ? રણમાં રેતી ના હાય તા શુ હાય ? સમુદ્રમાં ખારા જળ ના હાય તા શુ હાય ? ગૃહકકાશમાં સત્યાનાશ ના હાય તા શુ હાય ? આશા અને અભિલાષાના આતશ સવનાશના દાવાનળ ન પ્રગટાવે તે! શું થાય ?
તારા માનવ જન્મના દાવાનળ કોઇએ પ્રગટાવ્યે નથી પણ, તે જ પ્રગટાવ્યેા છે. ઠં'ડી નિવારણ માટે અગ્નિની જરૂરિઆત, કદાચ એ સ્વીકારવા જેવી વાત....પણ, અગ્નિ પ્રગટાવવા કલ્પવૃક્ષને જલાવાય ?
ઇચ્છાઓ...આશાઓ....કામનાઓ પૂર્ણ કરવા દેવદાનવના અનેક જન્મ હતાં. માનવ જન્મનાં આયુષ્યને ઈચ્છાના આતશમાં હામી દેવાય ? માનવ જન્મના એક *તમુ ત ની તાકાત શું તું સમજે છે ? તને વિમાનની ગતિ ખબર છે ? રાકેટની ગતિ ખખર છે ? તને સૂચના
Page #177
--------------------------------------------------------------------------
________________
બે કલાક ગુસસે કરનાર થાકી જાય છે. [ ૧૩૩ પ્રકાશની ગતિ ખબર છે? તને શબ્દના મજાની શક્તિ ખબર છે? તને મનના તરંગેની શક્તિ ખબર છે? પણ સાચું કહું? તુ ભૂખ છે ! મહામૂર્ખ છે ! મૂર્ખ શિરેમણિ કહું તે પણ માઠું શું? મનુષ્યના આયુષ્યના એક અંતમુહૂર્તની તાકાત તને ખબર છે? જો આટલું ન જાણતા હોય તે આત્મશકિતની વાત જ તને કયાં કરવી? તું કહીશ ના હું જાણું છું. મને ખબર છે. પણ તને નથી લાગતું તારું જ્ઞાન તારા સંયમના યુગક્ષેમ કરી શકશે ? તારી સાધનાના રપા કરવાની તારી પાસે શકિત છે? પર માનવ જન્મનું એક અંતિમુહૂર્ત એટલે અનંત અનંત
કાળચક સુધી કરેલ કર્મબંધને ક્ષણમાં નાશ કરી શકે તે ભવ્યકાળ.
માનવ જન્મના સાત લવનું આયુષ્ય ઓછું પડે. છઠ્ઠને તપ અધુરો રહે તે પુણ્યની તેત્રીસ સાગરોપમ સુધીની રાજશાહી કેદ આમરાજને ભેગવવી પડે....
'જગતનું મૂલ્ય કર યા ન કર તે તારી મરજીની વાત. વીતરાગની વાતનું મૂલ્યાંકન કરવા જેટલું હજી તારામાં સામર્થ્ય નથી. સાચે વીતરાગની વાત સમજવાને ગર્ભસ્થ બાળક જેવી તારી દશા છે પણ, મારી તે તેને એક જ હિતશિક્ષા છે. તારા પુરુષાર્થનું, તને મળેલ અદ્વિતીય સંપત્તિનું તું મૂલ્યાંકન કર. ગમે તેમ તોયે તું વીતરાગ પંથને ચાહક છે. ઉપાસક છે. પણ કામના...વાસના
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
સાધુનુ વચન એટથે ક્ષમાના સદેશ.
ચાહનાના ઢેળામાં ફસાઈ ગયા છે. મેક્ષની આહેલક પડકારવાની તારી શક્તિને તે રુ'ધી છે. પહાડાના પહાડો કુદી જનાર આજે તું કીડી વેગે પણ ચાલતા નથી.
જેમ રૂપવતી સ્ત્રીને કેાઈ મારી નાંખે નહિ, પણ તેના ઉપર વશીકરણ વિદ્યા કરે... વશીકરણને વશ થયેલી તે રૂપવતી બધાને ભૂલી, આક`ણ કરનારને જ અનુસરે, ન પેાતાના રૂપને વિચાર કરે, ન ભયાનક માગને! વિચાર કરે, ન અમાસની અંધારી રાતના વિચાર કરે. એક જ ઝંખના, એક જ તલસાટ, આકષઁણું કરનારની પાછળ દોટ ! સુડીવાળીને દોટ ! આંઘળી દોટ....!
તું માક્ષને મુસાફર ! તુ' અન'તને! પ્રવાસી ! તુ શાશ્વત આત્મા...! આજે કામનાને રવાડે ચઢી વાસનાની વિષમ વાટે ભાગી રહ્યો છે પણ, તને ખબર છે? તારી માનવ જન્મની સાધનાનું અવમૂલ્યાંકન થાય છે સરળતા.... ભદ્રિકતા, મધ્યસ્થતાના સહારે તે ગતજન્મમાં મનુષ્ય આયુષ્ય ક ખાંધ્યું. માનવ જન્મ માટે હંમેશા એક જ સિદ્ધાંત છે કે ત્યાં પ્રવેશ મળવા ખૂબ કઠીન છે. અસ`ખ્ય દેવે અસખ્ય નારકી, અનંતા તિય ચા, સખ્યાતા માનવીઓના અરજી પત્રા હતાં. અમને માનવ જન્મ જોઇએ.” બધા જોતાં રહ્યા અને તારા પુણ્યે જોર કર્યું તું માનવ બની ગયા. પણ હવે શું? તુ' જ તારા પુરુષાર્થનું, તારા પુણ્યનું અવમૂલ્યાંકન કરીશ? મહાઁમૂલા માનવજન્મની પળાના, માનવના આયુષ્યના, નશ્વર અને તુચ્છ ઇચ્છાઓની
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રભુની આજ્ઞા એજ શાસન છે. [શાસન ઓર્ડ૨] [ ૧૩૫ પૂર્ણાહુતિ માટે ઉપગ કરીશ? સૌ પિતાની જાત માટે સ્વતંત્ર છે. તું બંધન નહિ ચાહે તે તારા ઉપર કોઈ તપ, ત્યાગ, યમનિયમના બંધન નહિ નાખે પણ, જવાબ આપ! ઈચ્છા પૂર્ણાહુતિમાં તારું માનવનું આયુષ્ય વ્યતીત થાય છે. પછી તારા સંયમ ધર્મના યોગક્ષેમ શાનાથી ? કઈ આરાધના-સાધના દ્વારા તારી કુશળતા ? તારા સંયમ ધર્મના પેગ ક્ષેમ કર્યા વિના તું સંયમને માલિક સંયમને સ્વામી, સંયમને નાથ કેવી રીતે રહી શકે? જગતમાં કોઈને પણ વિચાર ન કર. કેઈન પણ માટે વિચાર ના
પણ....ચોગક્ષેમને વિચાર કર. એક બાજુ છાઓને સખ. તારી દરેક ઈચ્છાઓમાંથી પૂર્ણ થાય તેવી કેટલી ઈચ્છા? તારી પૂર્ણ થયેલી ઈચ્છા કેટલી ? ઈચ્છા પૂર્ણ કરવા તારે શું બલિદાન આપવું પડયું છે તેની ખબર છે? પિતાના પાદ પ્રક્ષાલન માટે જ વપરાય પણ અમૃતને દુરુપયોગ કરાય ? ના...ના...અમૃતને દુરુપયોગ ન કસયભલા ! અમૃતને દુરુપયોગ કરાય કે ના કરાય એ દેવેને પૂછજે. તે સાધના પંથને પ્રવાસી. શુભભાવનાને સંગાથી. મને એકલી જ પરમાત્માની હિતશિક્ષા યાદ રહી છે. ઈચ્છા માટે માનવ જન્મની હેળી ના જલાવાય. પાછું સુખ તે નહિ જ. ઈછા તે અપૂર્ણને અપૂર્ણ. કુશાગ્ર બિન્દુ જેટલી પૂર્ણ ઈચ્છા પણુ, સાગર જેટલી અપૂર્ણ ઈચ્છા.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૬] ઉ’ડાણ એ વૈરાગ્યને માગે છે. રાગ દ્વેષના લફરાને નહી’
ક્ષણવારમાં દુષ્ટ મેહ આંખ સામે રૂપનું નવું રમકડુ' લ.યેા. રાવણના અંતપુરમાં રૂપવતી રમણી અનેક હતી. બધી પ્રિય હતી પણ, સીતાજીના રૂપનું વર્ણન સાંભળતા માહે તુરત પલ્ટો કર્યાં. હવે આ બધા ના જોઈ એ. રામચંદ્રજીની પત્ની સીતા જ જોઈએ. ઈચ્છાની સફળતા, નિષ્ફળતા એ તા ભાવિના ગર્ભ માં પણુ, માનવ– જન્મનું અપમાન તે નક્કર હકીકત
માનવ જન્મના અવમૂલ્યાંકન દ્વારા સાધનાનું અવમૂલ્યન, સાધનાના અવમૂલ્યન દ્વારા દેવ ગુરુધ નું અવમૂલ્યન દેવ ગુરુ ધનુ' અવમૂલ્યાંકન કરનાર સયમના ચે,ગક્ષેમ કેવી રીતે કરી શકે ?
સાધક ! તારી સાધુતાની ભાવનાનુ' અભિનદન કરુ છું. તારી દીક્ષાના સાહસને લાખે! કરાડાવાર બિરદાવુ છું, પણ મારી ફરજ છે. તેથી સાવધ રહેવા સાયરન મજાવું છું. સાધુ બન્યા છે પણ, ચ્છિાએ તારા પીછે છોડયે નથી, દશમા ગુણસ્થાનક સુધી તારી સાથે છાનગપતીયાં રમશે. તને એવે ભૂલભૂલામણીમાં નાંખી અનાથ બનાવી દેશે કે તારા સમ્યક્ દનના નયને પણ ફાડી નાંખશે. તારું સમ્યગ્ જ્ઞાન, તારું સમ્યગ્ ચારિત્ર કયારનાય ઝુંટવાઈ ગયા હશે? તું મેક્ષ મા થી દૂર દૂર ફેંકાઈ જઈશ.... તને મિથ્યાત્વી બનાવી નરક નિગે,દની જેલમાં કેદ કરાવી દેશે. આ બધી માહલીયા શ્રી ગુરુમુખે • સાંભળી છે. માહથી મારી થયેલી નારાજી અનુભવી છે એટલે વૃદ્ધ
Page #181
--------------------------------------------------------------------------
________________
ટકાર જ ચકાર બનાવે છે, નહિ કે ટકટક.
[ ૧૩૭
માજીની જેમ એકની એક વાત ફરી ફરી તને કહું છું. કસ્સ હેં પુરા કાઉ' જોગક્ષેમ ન સદે.
'
"
ભલા ભાઈ ! તું પ્રતિજ્ઞા કરી લે, હું મારા યેગક્ષેમ ના માર્ગે જ સંચરીશ” સાધક ! તારી સિદ્ધિ જોવાની હૃદયની અભિલાષા છે. એટલે જ કહુ છું તું બેલ, ‘* તપસ્વી અનીશ કે નહિ તે મને ખબર નથી. હું જ્ઞાની અનીશ કે નહિં તે મને ખબર નથી, હુ· ધ્યાનું બનીશ કે નિહ તે મને ખખર નથી, હું પ્રવચનકાર ખનીશ કે નહિ તે મને ખખર નથી, હુ· ગ્રન્થ સર્જન કરીશ કે નહિ તે મને ખખર નથી, હું શાસન પ્રભાવક મનીશ કે નહિ તે મને ખખર નથી. પણ, મારી પ્રતિજ્ઞા છે હું સયમના ચેોગક્ષેમ અવશ્ય કરીશ. દીક્ષા દિવસના આર ભથી જે જેટલાં સદ્ગુણ્! આપ જેવા વડીલેાની હિતશિક્ષાથી પ્રાપ્ત થયા છે તેને હું ખરેખર જાળવી રાખીશ. તેમનું માતા જેવા વાત્સલ્યથી ક્ષેમ-કુશળ કરીશ. અને તે ગુણાનું ક્ષેમ-કુશળ કરતાં જે જે નવા સદ્ગુણા આપ જેવાની કૃપા દ્રષ્ટિથી પ્રાપ્ત કરવા જેવા સમજાશે તે બધાની પ્રાપ્તિ કરીશ. મારે તેા અપૂર્વ ગુણાના ચેાગ કરવાના છે અને પ્રાપ્ત ગુણાનુ ક્ષેમ કરવાનુ છે,
બસ..ખસ....મારા નવલા સાધક....જો તું ઇચ્છાના રોધ કરીશ. તે તું તારી મેળે ચેાગક્ષેમને સાધી શકીશ. અનંત સિદ્ધોની અનુપમ આત્મસભામાં તારું
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૮] ભૂતકાળને જાણી શકાય છે. વર્તમાનને સુધારી શકાય છે. સિંહાસન નિશ્ચિત થશે. મોક્ષ પ્રાપ્તિના તારા હકકની જય ઘેષણ વિશ્વમાં વિસ્તૃત બની જશે. ' ', પ્રભુ!
આપની હિતશિક્ષા શિરસાવધ કરું છું. મેઘકુમાર મુનિ મહાત્માની જેમ આપ મારા નાથ બને. મારા સંયમના ગક્ષેમને હું સમજો....પણ...આપના સેવકની ગિક્ષેમની જવાબદારી આપની, આપની આજ્ઞાને અનુસરવાની બાંયધરી મારી....બસ સ્વીકારે મારી સમજ દારીની શુભ ભાવનાકરે સદાય મારા ગક્ષેમ..
Page #183
--------------------------------------------------------------------------
________________
૨૩. જાયાએ ઘાસ મેસેજા
BR
| પ્રવૃત્તિ દરેક માનવની સમાન હોય પણ, વૃત્તિ દરેક માનવની અલગ હોય. એકલી પ્રવૃત્તિથી માનવના મૂલ્યાંકન ના કરાય ! પણ વૃત્તિથી માનવના ખરા પારખાં કરાય!
જીવન છે તે આહાર, નિદ્રા, વસ્ત્ર અને નિવાસની સહુને પ્રાથમિક જરૂરિયાત રહેવાની. આહાર જેવી જીવનધારણની અગત્યની પ્રવૃત્તિ પ્રત્યેક જીવંત વ્યક્તિને કરવી પડે. ભજનની પ્રવૃત્તિમાં પ્રાયઃ સૌની સમાનતા રહે પણ, ભેજનવૃત્તિમાં કક્ષા મુજબ વિવિધતા રહે.
જે ખાવા માટે જ જીવતા હોય તેનામાં કઈ લક્ષ્ય હેતું નથી, ઉદ્દેશ હેતે નથી. તેવા માણસને હજારે પ્રશ્ન પૂછશે, તે પણ એક જ જવાબ મળશે, જગતમાં ભક્ષ્ય છે તે તેને ભક્ષક હોવો જોઈએ. ભેજન છે માટે આરોગવાનું ! તેમાં વળી શાને વિચાર કરવાને ? આ ભક્ષ્ય, આ અભક્ષ્ય, આ અલગ્ન, આ કલય, આ અષણીય, આ એષણીય, આ એગ્ય આ અયોગ્ય, આ શુદ્ધ, આ અશુદ્ધ, આ પ્રાસુક, આ અપ્રાક, ભેજનમાં આ બધી. તત્વચર્ચા ના કરવાની હેય, મળ્યું તે બધું ખાઈ જવાનું આપણુ પિટને જ વિચાર કરવાને
ભલાતારા પેટને પણ વિચાર તે કરીશને?
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ] અજ્ઞાન જ રાગને ટકવા દે છે,
મહાનુભાવ! ના..ના.. હું પેટને પણ વિચાર નહિ કરું, જીભનો જ વિચાર કરીશ. મને પસંદ છે. સ્વાદિષ્ટ લાગે છે તે વાત કરી જવાનું, પેટને વિચાર હું શા માટે કરું? શું હું નૈવ છું ? એવી ચીકાશ મને પસંદ ના આવે. મેળું લાગે તે મીઠું નાંખી દેવાનું, કડવું લાગે તે સાકર નાખી દેવાની, ઠંડુ લાગે તે ગરમ કરી દેવાનું, ગરમ લાગે તે ઠંડુ કરી દેવાનું, જે ભજન
વાદિષ્ટ લાગે તેમાં આરોગ્યને બહુ વિચાર નહિ કરવાનો. આરોગ્યને-કુટુંબને ધર્મને વિચાર કરીએ તે ભૂખે જ મરી જઈએ. ભૂજન કર્યું અને સ્વાથ્ય બગડયું તો દવા, છેકટર અને હોસ્પીટલને કયાં તેટે છે? બિચારા ભૂખે મરતાં ડેકટરને જે અમે બિમાર થશું તો રેજી રેટી મળશે. સહજમાં સેવાને ધર્મ થશે. આજે તે દરેક રિગની દવા મળે છે. તે પેટમાં હજમ કરવાની દવા નહિ મળે ? સાચું કહું, અમારે તે ખાવા માટે ) જીવન છે.”
જગતમાં જ્યારે આવા ખાઉધરાની એક જમાત છે તે એકવર્ગ એવો પણ છે, ભજન કરવાનું પણ પેટ માટે, આરોગ્ય જળવાય માટે, ભેજન માટે અમે નહિ, અમારા ભાટે ભેજન. ભેજનનો ત્યાગ કરાય પણ અમારું સ્વાથ્ય ના બગાડાય સ્વાથ્ય માટે વિચારી વિચારીને પણ ભજન કરનારા છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન તેા રાગને ફગાવી દે છે. [ ૧૪૧
સાધક ! તારે આ એ વના લાકોની જેમ ભેાજન નથી કરવાનું, પણ પરમાત્માનું વચન છે ‘જાયાએ ઘાસમેસેજજા’તું સયમના યાત્રિક. ભાજન જોઇને તને ભૂખ ના લાગે તારી ક્ષુધા સદા સંયમિત. પાણી જોઈ ને તને પીવાનું મન ન થાય, તારી પિપાસા પરંતુ કાણુ જમાવી શકે.
ખત્રીશ પકવાન્નયુકત, ષટ્સયુકત, ચક્રવતીના ભાજન તારી સામે આવે પણ તું તારી જાતને કહે, અણાહારી પદ્મના ઉપાસક, ખત્રીશ પકવાન્ન તે શુ ? સંસારના સમસ્ત ભાજનના મનેાહર પદાથ મારી સામે કેમ મૂકી દેવામાં ન આવે ? પણ મારી જાતને સંયમી રાખી શકીશ. મારા મનને કહીશ આતા પુદ્દગલની માયા છે. વનસ્પતિકાયના કલેવર છે, અગ્નિકાયના દેહ છે. અપ્લાયના મડદાં છે. જીવ સામે જડની ઊભી થયેલી માયાસુષ્ટિ છે, પૃથ્વી અને પાણીના સચેગ દ્વારા રચાયેલ પુટ્ટુગલની મનેાહર લીલા છે. જેમ નારીનું સહજરૂપ અલગ હોય છે અને ખજારમાં ઊભી રહેલી રૂપજીવિકા સ્ત્રીઓનુ રૂપ અલગ હોય છે તેમ આ રસનેન્દ્રિયને આકષ વાની અદ્ભુતકલા છે. પણ હું. રસલાલપી નથી કે જેથી આ લેાજન સામે આંખ ઊંચી કરીને પણ જોઉં. પરમાત્માની હિતશિક્ષા મારા હૃદયમાં છે. તેથી જ ચાર વિકથાને સમજુ છુ. તેનાથી સજા તા. ભયંકર વિના— શની મને ખબર છે. એટલે જ ભક્તકથાના ત્યાગ કર્યાં છે. ભાજનની વાતો ના કરું. ભાજનના રસને ઉશ્કેરવા પાક
'
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ] જગત અને જાતના સ્વભાવને સમજે તે વૈરાગી. શાસ્ત્ર પણ ના વાંચુ. જ્યાં ભાજન થતુ હાય ત્યાં બેસી પણ ના રહે.
ૐ હું ભાજન માટે જીવન વ્યતીત કરનાર નહિ! પુરૢ હુ. દેહની આળપ’પાળ માટે ભેજન કરનાર નહિ ! # હું સંયમ યાત્રા માટે નિર્દોષ આહારનુ સ ંશાધન
કરનાર.
સચમ ચાગ્ય આહાર મળે તેા ઉપયાગ કરી લઉં', અન્યથા લેાજન સાથે પશુ વ્યવહાર છેડી દઉં. મારા સાધુ જીવનને પ્રથમ પાઠ મારા ગુરુએ ભણાવ્યા છે. જાયાએ ઘાસમેસેજા,' સાધકના પ્રધાનસૂર સયમયાત્રાને નિર્વાહ, સંયમની રક્ષા થાય તેા ભેજન લેવાનુ. અન્યથા તપસ્વીના વમાં ચાલ્યા જવાનું', સંયમનુ' જતન થાય તે! જીવવાનુ અન્યથા મહાત્માએ પાસે અનશન પ્રક્રિયા સમજી લેવાની.
પરમાત્માએ જ શ્રમણ દેહના, સાધના દેડના ઝાઝેરાં જતન કરવાનાં ફરમાવ્યા છે, એજ પરમાત્મા ક્રમાવે છે, ‘જાયાએ ઘાસમેસેજ્જા,’ ભેજન જેવી જીવનનિર્વાહની અગત્ય પ્રવૃત્તિ માટે પણ, વૃત્તિથી .શ્રેયથી....લક્ષ્યથી કયારે ચલિત ચવાનું નહિ, ભેાજન હશે તે। દેહ ટકશે એવી બેહુદી વાર્તામાં કયારેય ફસાતા નહિ. આયુષ્ય કમ સાથ આપશે તા ઢેઢુ ટકશે. આ વાત તારા દ્વિલની દિવાલ પર કેાતરી લેજે. ખીજે લખેલ ભૂલાઈ જશે પણ દિલ પર લખાયેલ હિતશિક્ષા સદા તારા સાધક જીવનની રક્ષા કરશે.
Page #187
--------------------------------------------------------------------------
________________
ઇંદ્રિયાને આધીન અને તે ભેાગી.
[ ૧૪૩
ધ લાભ' ખેલતાં આવડી ગયું અને પાત્રા પકડતાં આવડયાં એટલે તું ગેાચરી જવાના અધિકારી નહિ. ગોચરી જવાની ચાગ્યતા ઓછામાં આછું દશ વૈકાલિક સૂત્ર’ પાંચમું પિ તૈષણા અધ્યયન અર્થ સાથે કરે ત્યારે મળે. પણ ગેાચરીમાં ગીતા બનવા આઘનિયુક્તિ પિંડનિયુ કિત યતિનિચર્યા, યતિશિક્ષા વગેરેમાં નિષ્ણાત બનવું પડે,
આહાર
સચમીના દેહ એટલે મેાક્ષનુ` જગમ મંદિર. { Mobile Temple ] મ ંદિરમાં પવિત્રતા શુદ્ધિ અને શ્રેષ્ઠ દ્રવ્યને જ ઉપયેગ થાય તેમ સંયમીના દેહ આહાર માત્રથી ના ભરાય.. આ કંઈ ભગ્ન મંદિર નથી કે તેમાં કચરા નખાય...શુદ્ધ, કલ્પ્ય, પ્રાસુક, એષણીય આહાર જ લેવાય સાધુ આહાર લાવ્યા પછી ગુરુને અતાવી સીધેા પેાતાના પાત્રમાં ન લે. તેના મંત્ર છે, • જાયાએ ઘાસમેજા ” સંયમ યાત્રાના પાલક અનેક આલ...વૃદ્ધ..ગ્લાન તપસ્વીને તેા અધિક જરૂર,અલ મહાત્મા ભાવિના શાસન પ્રભાવક છે, વૃદ્ધ સ્થાવિર મહાત્મા સંયમ વડૅ પવિત્ર થયેલ પુણ્યાત્મા છે, ગ્લાન સાધુ જેમનેા દેહ રોગથી જરિત છે પણ, જેમના મનમાં સંચમ સાધનાના અનેક સેાણલાં છે. તપસ્વી તા સચમાથે કમનિજા માટે તપ કરી રહ્યા છે. આ બધા માક્ષમાગ ના મહાયાત્રિકો પ્રવાસીઓ છે. તેમની ભક્તિ કર્યાં વગર મારાથી ગેાચરી કરાય ? જો હું' તેમ 'કરુ' તેા સયમના યાત્રિક કેવી રીતે ?
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ] જેને જેટલું ખમતા આવડે તે તેટલે મોટો.
સમાનધમીને ભૂલી પેટની પીડાને યાદ કરનાર પિપટ પંડિત, આ બધા ભક્તિને પાત્ર હજી બાકી છે. મારા ઉપકારી મહાત્માઓ..આચાર્ય ભગવંતુ ઉપાધ્યાય ભગવંત, પ્રર્વતક, ગણવછેદક, રત્નાધિક મારા વિદ્યાદાતા, આપ બધા અનુગ્રહ કરશે તે હું લલકારીશ
“જઈ મે અણગહં કુજજા, સાહૂ હુજામિ તારિઓ
આપે મારા ઉપર ઉપકાર કર્યો...મને તાર્યો..ઉદ્ધા, બાદમાં સંયમ યાત્રા માટે અન્ન ઉપયોગી છે આસ્વાદ માટે નહિ.
આહાર એવી વૃત્તિથી કરીશ વચ્ચેના નિરર્થક દલાલ દાંત અને જીભને દલાલી મળે નહિ અને પેટમાં પહોંચી જાય. શુદ્ધ આહારથી મારામાં અપ્રમત્તભાવની અભિવૃદ્ધિ થશે.
હું બકુશ-કુશીલ–ચારિત્રધર, ધીમે ધીમે સંયમ યાત્રાના લક્ષ્યથી ચારિત્રને ઉપાસક બનીશ.
સાધક !
જાયાએ ઘાસમેસેજજા” નો આટલે સંકુચિત અર્થ કરવાનો નથી. કહું અને તું હા-હા કહે તો તેમાં શી મઝા? “જાયાએ ઘાસમેસેજ જાને તે પૂર્ણ વિચાર કર્યો છે કે અપૂર્ણ ?
ગુરુદેવ !
મને તે હું બધી વાતમાં પૂર્ણ જ લાગું છું. આખી દુનિયાની વાતમાં પૂર્ણ વિચાર કરું છું પણ મારી
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રાવક=ધમ'ના નામે છેતરાઈ જતા આનંદ માને. [ ૧૪૫ જાત માટે તે। મને. આદત બની ગઈ છે, જાણે હું પૂર્ણ ન હેાઉં !...સજ્ઞ ન હેાઉં ! મને મારા એક પણ દુગુ ણુ દેખાતા નથી, ભૂલ દેખાતી નથી, દોષ દેખાતા નની, પણ હમણાં કંઇક આપની કૃપાથી ફેર પડયા છે. મારી જાતને જનમાંથી જિન મનાવવા માટે કઈક આપ જેવા હિતેચ્છુ કહે તે! ફરી વિચારું.
૮ જાયાએ ઘાસમેસેજ્જા ના રહસ્યા શુ ? આહાર જેવી અતિ અગત્યની જરૂરિયાત માટે પણ સંયમયાત્રાનુ લક્ષ્ય રાખવાનું તે વસ્ત્ર-પાત્ર-ઉપાધિ-વસતિ માટે કેટલે વિચાર કરવાના ? તે જેટલા વસ્ત્ર-પાત્ર-પુસ્તક-પેન વગેરે જે જે ઉપકરણ રાખ્યાં હાય તેની તપાસ કરજે, આ બધાં મારી સંયમયાત્રાના નિર્વાહ માટે ! આ આર્થિક અધિક ઉપકરણ દ્વારા તને પરિગ્રહને એરૂ તે નથી કરડી ગયા ને ? મારી કખલ-મારું પુસ્તક કહી તે અહી પણુ નવા સંસાર તે નથી શરુ કર્યાં ને ? તું જે જે વસ્તુ રાખે તેનાથી જવાબ લેજે. મેલે હું ઉપકરણે ! તમે શા માટે આવ્યાં ? મારા ઉપર સંયમને ઉપકાર કરવા ? સંયમને ઉપકાર કરે તેા તમારું રક્ષણ કરુ,માવજત કરું, અન્યથા તમનેય રોકડું પરખાવી દઉ', સીધાવે.... સીધાવેશ તમારા માગે ....નહીતર મારે તમને બધાને વાસિરાવવાની ક્રિયા કરવી પડશે....સયમાથે કેવલ આહારનું જ શેાધન નહિ પણ મારી પાસે રહેલા દરેક પદાર્થ નુ સંશેાધન કરીશ....શુદ્ધ લાગશે—સહાયક
૧૦
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ] વાણીયા–ધર્મના નામે કોઇને છેતર્યાં વગર ન રહે.
ww
લાગશે-ઉપકારક લાગશે તેટલાંના સ્વીકાર કરીશ નહી તર જેમ છ મહિને કેશના લેાચ કરી દેહના મમત્વ હડાવીશ તેમ આ બધી ફાજને પણ હઠાવીશ.
હવે તું ક'ઈક સમજ્યું જાયાએ ઘાસમેસેજ્જાને રહસ્યા.
પરમાત્મા !
હું તે! તમારા પરમ ભક્ત. આપના આદેશ પાછળ ઘેલા અન્ય છું....પાગલ અન્ય છુ.. જાયાએ ઘાસમેસેજ પદ્મના ચિંતનથી મારામાં જેમ પેદા કરા.
સંયમયાત્રાર્થે પ્રવૃત્તિનું સ ંશોધન.... સંયમયાત્રાથે વાણીનુ પ્રગટીકરણું.... અને સયમયાત્રાર્થે જ મનના ઉપયાગ... અન્યથા સ ́સારવાર્ષીક મન-વચન-કાયાને વેસિરાવવાની શક્તિ આપજો....
જ
એજ ચાહના....અભિલાષા.... બુદ્ધિમાન અને પાગલ વચ્ચે શું તફાવત હોય છે ? તે અને મૌન થઈ જતાં હાય છે પણ, કયારેક એવુ અને છે કે બુદ્ધિમાનની વાણી અટકી જતી હોય છે. પણ, મુખ અસ્ખલિત વાપ્રવાહથી કલાક સુધી ખેલ્યાં જ કરતા હાય છે.
PE ‘વાણી પાછળ વિચારની રાક્તિ જેની મજબૂત હાય તે બુદ્ધિમાન વાણી આગળ અને વિચારની શક્તિ પાછળ તેનું નામ મુ`...
Page #191
--------------------------------------------------------------------------
________________
૨૪ અપિય પિ નવિજજએ
弱
બુદ્ધિમાન અને પાગલ વચ્ચે જેમ તફાવત છે. તેમ ત્યાગી અને ભિક્ષુક વચ્ચે તફાવત છે.
પુરી સ્વેચ્છાએ-સમજી વિચારીને પદાથ ને છેડે તે યાગી. આસકિત છે, ઝ ંખના છે પણ, જેની પાસે પદાથ નથી તે દ્રી.
આકિ'ચન્ય અવસ્થા, દરિદ્રી અને ત્યાગીની સમાન હાય પણુ, સાઢ માં મહાન તફાવત હેાય. એકને પેાતાની પાસે કાઇ ચીજ ન હેાવાનુ દુ:ખ છે એકને બધી ચીજ દૂર થવાને! આનદ છે..
ત્યાગી અને સસારી વચ્ચે ફરક શું? પદાથ ના ત્યાગ તે સૌ કંઈ કરે છે, બાળક હતાં ત્યારે જે રમકડાંથી રમતાં હતાં ને નેટ થયા એટલે છેડયાં જ ને ? નાની હતી ત્યારે માતાની સાડી પકડી ફરનાર ખાલિકા જ્યારે યુવતી બને છે ત્યારે માતાને છેડે જ ને? ગદ્ધા પચ્ચી શીમાં જે મિત્રાની પાછળ પાગલ અનતે હતેા તે જ મિત્રાને વ્યાપારી જીંદગી શરુ થતાં રાત્રિ-દિવસ, ઠંડી-ગરમી જેમ
છેડયા કે નહિ ?
છે તેમ.
પ્રકૃતિને નિયત ક્રમ
પ્રિય અપ્રિયને છેડવું એ તા સ્વાથ યાત્રામાં જ પ્રગતિ છે. પરમાની દિશાનુ` પગલું નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
ઈચ્છાના ત્યાગ થાય તે અંતરાય તૂટે. સાધક ! તે માતા-પિતા-પુત્ર-ભાર્યા, સત્તા છેાડી, હવે તું નિર્વ્યાપાર અન્યા છે. તે પ્રવૃત્તિને ત્યાગ કર્યાં છે. તારે તે! હવે આહેલક જગાવવાની અપ્પિય પ ન વિજ્જએ” આ સ્વર તારી આરાધનાના પ્રધાન સૂર
રહેવા જોઈએ.
જગતના કેઇ એવા સાંસારી લાવા કે જે અપ્રિય ન ઇંાડતા હાય. અપ્રિય તે સૌ ડે. એમાં ત્યાગ નથી. પણ મમતું જ પાષણ છે. પાત્ર બદલાય છે. પણ રાગ ઘટતા નથી. પરિસ્થિતિ પરાવર્તન પામે છે. પણ મનનું વલણ બદલાતુ નથી. ઘર અવશ્ય છેાડે છે, પણ હેાટલમાં નિવાસ કરે છે. સમાજ જ્ઞાતિના ત્યાગ કરે છે, પણ સોસાયટી-લખના સ્વીકાર કરે છે. આમ, અપ્રિયને ત્યાગ અને પ્રિયને સ્વીકાર એ તે!” સમસ્ત સંસારની પ્રવૃત્તિ છે.
તુ નિષ્પરિગ્રહી સાધુ ! ત્યાગ
પાછળ લપ છૂટયા જેવી તુચ્છ ભાવના તારી ના હોય...શા માટે છેડયું ? છેડવાની પાછળ શું આદર્શ ? સાધુના ત્યાગ જગત સ્વભાવ સમજીને હાય. જગતના સ્વભાવને જે સ્વીકારે તે છ દ્રવ્યને સ્વીકાર કરે. છ દ્રવ્યના ચિ ંતનમાં ઊંડા ઉત રતાં એ પટ્ટાના સ્વીકાર કરે. જીવ અને જડ. જીવ તત્ત્વ-અજીવ તત્ત્વ હાય છે. જાણવા લાયક છે. જીવ તત્ત્વ કે અજીવ તત્ત્વ નથી તેા હેય કે નથી તે ઉપાદેય. જીવ તત્ત્વના ત્યાગ તમે શું કરા ? અજીવ તત્ત્વના ત્યાગ તમે શું કરો ? જીવ તત્ત્વને સ્વીકાર તમે શુ કરે ?
Page #193
--------------------------------------------------------------------------
________________
વર્તમાનને જાણીને ભવિષ્યને સુધારી શકાય છે. [ ૧૪૯
જ્ઞાન પ્રાપ્તિ બાદ તે આત્માની એક અનુપમ દશા પ્રાપ્ત થાય. પદાર્થને પદાર્થ રૂપે ઓળખ. પછી તેના ગુણધર્મ સમજ્યા પછી, પ્રિય શું ? અને અપ્રિય શું ? વિશ્વના પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મો રહેલાં છે. તેમાં નથી તે પ્રિયતા કે અપ્રિયતા, બહ કહે તે ઉપગિતા અને નિરૂ પગિતા છે. પ્રિય અને અપ્રિય એ તે તારી કલ્પના છે.
જગતમાં સાધુને કયાંય કશું કઈ પ્રિય નહિ અને અપ્રિય નહિ. સાચે સાધક તારે ફક્ત પદાર્થને જ ત્યાગ કરવાનું નથી, પણ પદાર્થ પાછળ રહેલ રાગ-દ્વેષ દુષ્ટભાવને ત્યાગ કરવાનું છે. જગતને કેઈ પણ પદાર્થ એકલે કર્મબંધ કરાવતું નથી. તેમાં જ્યારે આપણા રાગ શ્રેષ ઉમેરાય તે જ કર્મબંધ થાય. એકલી માટી શું કરે ? માટીમાં પાણી ભળે તે જ કાદવ થાય. સાધક ! !
પરમાત્મા તારા કેવા ઉપકારક છે. તેને ત્યાગ કરા પદાર્થને અને છોડાવ્યા અનાદિના દુશમન રામદ્વેષને, પરમાત્માએ તને ત્યાગી બનાવી શ્રેષ્ઠ સંપત્તિને માલિક બનાવ્યું. સમ !! દેવાધિદેવના ધર્મની વિશિછતાને પણ ખ્યાલ રાખજે. હવે તે સાધુતાના સ્વાર સમજ્યા છે. નટ પણ નાટકમાં પાત્રને સફળ અભિનય કરે છે. ન્ટ પણ નાટકના પાત્રના ભાવને આત્મસાત કરવા કેટલે પુરુષાર્થ કરે છે ત્યારે તે સફળ અભિનેતા બની શકે છે. • શું તું સાધુતાનું સાચું નાટક પણ નહિ કરે ? ભૂલે
Page #194
--------------------------------------------------------------------------
________________
કહેલી. પ્રિયાએ મને પ્રિય
કહેલી. એટલે એ
૧૫૦ ] ભક્ત સમર્પિત થવાનું લક્ષ્ય રાખે છે. ચૂકે તારે બોલાય નહિ–આ મને ગમે છે આ મને ગમતું નથી. તારે કહેવાય નહિ આ મને અપ્રિય છે. આ મને પ્રિય છે. વક-જડ બનીને કહેતો નહિ કે તમે મને પ્રિય
અપ્રિય કહેવાની ના કહેલી, પ્રિય-અપ્રિય માનવાની ના કહેલી. એટલે મારે ગમે-અણગમો મનમાં રાખીશ.
બાપલિયા સીધે થા... આ તે અભિલાષા ને અણગમે છેડાવવાં જતાં તું માયાવી બની જઈશ. મને પ્રિય કંઈ નથી-અપ્રિય કંઈ નથી. એવી શબ્દધારા કરી આપણે માયા નહિ કરવાની
મહાત્મા ! ! ! મેં કહ્યું કે મને તમારી વાતે સમજાતી નથી. મને સમજાય તેવું કહે, તે સારું થાય, નહિ તે મારી દશા તે એવી થશે કે હું મારા ગુરુને “લકીર ને ફકીર.” તમારા શબ્દને અનુસરી શકીશ ભાવને
સાધક ! ! ! વર્તમાનકાળના કાળ-દેવને સમજુ છું કર્મ દોષને સથજું છું. કમથી ભારે થયેલ આત્માની મને. દશા સમજું છું. એટલે તારી વાત પર ગુસ્સે નથી આવતે. તારા ઉપર કરુણ આવે છે. તારા ઉદ્ધારની ઝંખનાથી તેને સ્પષ્ટ રીતે સમજાવું છું. પણ સદેવ કેશિશ કરજે. પરમાત્માના પરમ આદર્શને સમજવા અને આચરવા. પરમાત્માની આજ્ઞા મુજબ બેલવાનું તને શા માટે કહું છું ? જો પરમાત્માના વચન પ્રમાણે બોલીશ અને આચા
Page #195
--------------------------------------------------------------------------
________________
કરોડાધિપતિ બનવાનું નહિ.
[ ૧૫૨ રમાં અંતર હશે તે તને થશે મારામાં અને નટમાં શું ફરક? હું સાધુ જેવું વચન બેલતે જઈશ તેમ તેમ ધીમે ધીમે મનને પણ તેમ માનવાની વિચાર વાની આદત પડી જશે. તારા મનમાં સંસાર છે. પણ તને કેમ મહાત્મા સંસારી ના કહે અને સાધુ કહે-વાગી કહે? મહાત્મા! શબ્દોને સહારે પણ તારી આત્મિક વૃત્તિને જાગૃત કરે છે. સાધુ થઈને પણ સંસાર મનમાં રાખ્યો. પૂજા સાધુપદની કરાવી અને અંદરથી શેતાન રહ્યો. સંત અને શેતાન વચ્ચે એક દિવસ ઠંદ યુદ્ધ ખેલાશે. શેતાન ભાગશે અને સંત વિજયી બનશે. સાધક ! ! ! “
પુનઃ પુનઃ સ્મૃતિ કર. મને કાંઈ પ્રિય નહિ, મને કાંઈ અપ્રિય નહિ, મારું કેઈ સ્વજન નહિ, મારે કઈ મારુ કોઈ પરિજન નહિ. મારે કઈ શત્રુ નહીં, મિત્ર નહિ. શત્રુ-મિત્ર, સ્વજન-પરિજન, પ્રિય-અપ્રિય આ બધી રાગ-દ્રષમાં ચકચૂર બનેલાની પાશવી લીલા. પ્રિય અને અપ્રિયમાંથી મારું અને તારું, મારા અને તારા થાય.
મહાત્મા પ્રસન્નચંદ્ર આપણાં કરતાં અત્યંત મહાન ત્યાગી હતા. ત્યાગી અને ધ્યેયવાદી હતા. એટલે જ આતાપના સ્વીકારીને ઉભા રહેલાં. દુર્મુખતના શબ્દો કાનમાં ગયા. મારા-તારા, પ્રિય-અપ્રિયની રાક્ષસીઓએ મહાત્માને ભરખી લીધાં. સમસ્ત સંસારના ત્યાગી સાધુના સ્વાંગમાં
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫ર ] કલાકાર કલામાં વાઈ જવાનું લક્ષ્ય રાખે છે. .
એક પિતા પછી રાજવી...યુદ્ધ શરા ક્ષત્રિય અને છેવટે મરણીયા થઈ મનથી લઢવા લાગ્યા. મેક્ષના સાધક મહાભાને નરકના અતિથિ કેણ બનાવી રહ્યું હતું? વ્યક્તિ? ના, તે શબ્દ? ના એ તે બહાનું. ખરેખર તે પ્રિય અપ્રિયના પડદા વચ્ચે છૂપાયેલ રાગદ્વેષ. જે તું પ્રિય-અપ્રિય કોઈ પણ વ્યક્તિને કે પદાર્થને માનીશ તે તેની પાછળ રાગ-દ્વેષની જાસૂસી છે. એ ભૂલીશ નહિ. રાગ-દ્વેષ રૂપ મેહના જાસૂસીની કરુણ કથની તને ખબર નથી. પરમાત્મા મહાવીરને પણ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રિય-અપ્રિયની ભૂતાવળ સતાવી ગયેલી. પિતા જ પુત્રીને ભક્ષક બની ગયા. દેષ કોનો? ગુન કેનો ? આ તોફાન કોનું? મેહ જાસૂસનું. મેહ એવું વરવું રૂપ લઈને આવશે. સમજાવશે. પણ આપણે તે હકીકત કહેવી છે. આ પ્રિય છે અને આ અપ્રિય છે. પણ હકીક્ત એ માત્ર હકીકત જ હાય, વર્ણન જ હેય તે હર્ષ અને શક ન હોય. એકને મેળવવાની અભિલાષા અને અન્યથી દૂર જવાની ઉત્કંઠા ન હોય. છે તેથી જ્યાં ગમે-અણગમો કર્યો ત્યાં સંસારની બધી ખટપટો શરુ થઈ જાય.
ક્યારેય જાદુગરની પેટી જોઈ છે? જાદુગરની પેટી નાની અમસ્તી હોય પણ, જેમ એમાંથી જે માગે તે બધું નીકળે. જુઓ બધું..જોયું ના જોયું કરે તેટલી વારમાં કશું હોય નહિ, તેમ પ્રિય અપ્રિય કરે એટલે મેહનીય
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રીમત થવાનું નહિ.
[ ૧૫૩
કર્માંની અઠ્ઠાવીસ પ્રકૃતિ હાજર. જ્યાં માહનીય કમ હાજર થાય; ત્યાં જ ચાર ઘાતી કર્યાં કહે. અમે તા નિકટના સાથી. તમે અમને મૂકીને એકલા આવે, પણ અમે તે તમારા પડછાયા જેવા. તમારી પાછળ જ ઊભા છીએ ને....ઘાતી કર્મો આવ્યાં એટલે અઘાતી કર્મો કહેવાનાં અમે કયાં કશું નુકશાન કરીએ છીએ ? એક ખૂણામાં ચૂપચાપ પડયા રહીશુ. આમ, પ્રિય અપ્રિયના બહાના પાછળ પીછે હઠ કરી ગયેલ માહ સૈન્યનું પુનઃ આક્રમણ તારા આત્મરાજના પરાજય કરાવશે. ખેલ ! તારી હાર તને પસંદ છે? તારે તારા આત્મરાજને દુર્ગતિના દ્વારે લઇ જવા છે? પ્રિય–અપ્રિયની માયાજાળમાં તને એક પણ પાત્ર પ્રાપ્ત થશે નહિ. અને આ રૌદ્ર ધ્યાનથી ક્રુતિના અતિથિ બની જઈશ.
સાધક ! મારી હિતશિક્ષા નહિ, પરમાત્માની શાશ્વત વાણી છે. “સત્ય સ્વીકાર અને અસત્ય છોડ....”
પ્રભુ ! મળ આપેા....પ્રિય–અપ્રિયના યાગનું પ્રભુ શક્તિ આપે। રાગ-દ્વેષને દૂર કરવાની, પ્રભુ ! મેાહ સામે કેસરિયા કરવાં મળ આપે. મારે મેહુને હણવા છે. વીર અની મહાવીર બનવું છે.
“પરમાત્મા પૂર્ણ કરેા પ્રાના મારી.”
Page #198
--------------------------------------------------------------------------
________________ 25. તસ્યાવિ સાંજમો તેઓ BE અદિતસ્સ વિ કિંચણું જગતમાં સુલભકાર્ય કરનાર અનેક મળે. દુર્લભકાર્ય કરનાર જૂજ જ મળે...વિરલ જ મળે, નદીનું વહેણ જે બાજુ હોય તે બાજુ તરનાર અનેક પણ, નદીના વહેણથી વિરુદ્ધ દિશામાં તરનાર કે ઈ. તૈયાર રસ્તે ચાલનાર અનેક પણ પગદંડી બનાવનાર કોઈ. જુગ જૂના કાળથી બનતું આવ્યું છે અને બનતું રહેશે, સુલભ માર્ગે સંચરનાર લાખ કરડે નહિ પણ અજબની સંખ્યામાં મળશે પણ દુર્લભ માગે ડગ ભરનાર ફકત આંગળીના વેઢે ગણાય તેટલા જ વીર પુરુષ મળશે. જગત સ્વભાવ એ છે કે પોતે જે માર્ગે જાય તેને શ્રેય માને. અને બીજા ભાગને હેય માને. માનવ સ્વભાવ એ છે કે તે બીજા માનવને પણ પિતાના ગજથી માપે. અને તેની પણ તેટલી શક્તિ સમજી લે, અને તેને તે જ માર્ગ ચી છે, તળેટીએ ઊભે રહેલ કે જેણે ગિરિ શિખરેનું સૌંદર્ય નિહાળ્યું નથી તેવા માનવ પથિકને ગિરિશિખર આરહણ કરવા કેણ પ્રેરણ કરે? પ્રેરણા તે દૂર રહી... પણ સાહસથી પંગુમાનવ ઊર્વાહણને આકાંક્ષીને પણ કહે ના...ભાઈ ના....પહાડને ચઢાવ ખૂબ જ કઠિન છે. પહાડ ચઢીશ તે શ્વાસ ચઢશે...તૃષા લાગશે..ઉપર કંઈ
Page #199
--------------------------------------------------------------------------
________________ -શિષ્ય એ જીવનની સીધી દિશા છે. [ ૧૫પ આંબા નથી...પાણી છે. પાણી..! જે નીચે કેવી મજા છે. સીધા રસ્તે ચાલવાનું, શ્વાસ ભરાય નહિ...તરસ લાગે નહિ અને કેવી સુંદર માનવની અવર-જવર ! એક વ્યક્તિને પ્રશ્ન પૂછીએ ત્યાં જવાબ આપનાર બે વ્યક્તિ હાજર હોય. કયાંય ભય નહિ. અકસ્માત નહિ, હિમાલયના ઉત્તુંગ ગિરિ શિખરે પર આરહણ કરનાર દરેક યાત્રિકને મફત શિખામણ આપનાર મળી જ જાય અને શિખામણ સાંભળવા નહિ ઉભા રહે તે હાથ પકડીને પણ શિખામણ સંભળાવવાના જગતના પ્રત્યેક ઊર્ધ્વરેહીને આ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું જ પડે. કોઈ પણ મહત્વાકાંક્ષીને પ્રારંભમાં કયારેય જગતે સાથ આપે છે? જગતના નિરાશાવાદીહતાશાવાદી ડાયરે કયારેય ઊર્ધ્વરિહીને અભિનંદે? ના.. એ બને જ નહિ, માનવ સ્વભાવની આ વિરુદ્ધ વાત છે. જેમ ઊર્વાહીને કોઈ અભિનંદે નહીં તેમ સંયમ માગે સંચરતા દીક્ષાર્થીને કે પ્રેરણાના પીયૂષપાન કરાવે નહીં. કોણ તેને સાથ અને સહકાર આપે ? કાયર અને નિરાશાવાદીઓને સ્વભાવ છે સાથ સહકાર ન આપ... પ્રેરણા પ્રેત્સાહન ન આપવા....પણ બિહામણું-ડરામણ વાત કરવી અને બિનજરૂરી શિખામણ આપવી. - સંયમીને એક સંસાર રાગી અવશ્ય કહેશે. “પ્રભુની આજ્ઞા શું દીક્ષામાં જ પળાય છે? સંસારમાં નથી પળાતી ? શાસનથી પ્રભાવને શું સાધુ જ કરી શકે ? સંસારી શાસ
Page #200
--------------------------------------------------------------------------
________________ 156 ] કાર્ય કરવાના ગાફેલ રહેવું તેનું નામ મૂખતા. . નની પ્રભાવના ના કરે ? અમે સંસારી કેટલું દાન-પુણ્ય કરીએ છીએ? અમારા મુખમાં દાન કર્યા વગર તે અન્ન પણ જતું નથી. દીક્ષામાં તારે તે યાચીને--કેની પાસેથી - જ મેળવવાનું ને? ત્યાં તારે દાન આપવાનું છે? પૌષધ .શાળા બંધાવી શકે? જિનમંદિર બંધાવી શકે ? મન આવે ત્યારે તીર્થયાત્રા કરી શકે? ભારતના સંઘને જમાડી શકે ? ઢાનશાળા, પાંજરાપોળ ચલાવી શકે ? અમારા જીવનમાં તો હરક્ષણે હરપળે દાન અમે કરીએ છીએ. અધિક કહું ? દીક્ષા લીધા બાદ છેવટે અમને ઉપદેશ આપી શાસન પ્રભાવક ધર્મકાર્યો તારે અમારી પાસે જ પૂરા કરાવવા - પડશે. અમે દાન કરીશું, પાસાને સદુપયોગ કરીશું તે જ તમે જૈનધર્મનો પ્રચાર અને પ્રભાવ ફેલાવી શકશે, તું ઈતિહાસના અમરપૃષ્ઠ વાંચ...હેમચંદ્રાચાર્ય જેવા મહાન ગુરુ પણ શાસન પ્રભાવના કયારે કરી શક્યા ? કુમારપાળ મહારાજા જેવા ઉદાર રાજવી મળ્યા તે ને? સાચું કહું, હેમચંદ્રાચાર્ય મ. ઈતિહાસમાં નામશેષ થઈ ગયા હોત, જે ગુર્જરના મહાન રાજવી કુમારપાળ દાન ગંગા ન વહાવી હોત તે...ઇતિહાસમાં હજી આગળ વધ. આર્ય મહાગિરિ મહારાજ અને આર્ય સુહસ્તિ મહારાજ બંને સગાભાઈ પણ આર્ય સુહસ્તિ સૂ. મ. જૈન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કેમ લખાઈ ગયા ? કારણ કે સંપ્રતિ મહારાજાએ તેમને આદર્શ ઝીલ્યો. ધન કરતાં દાનને મહત્ત્વ આપી આ ધરાને જિનમંદિરથી સુશોભિત કરી તિ.. તેથી જ તને કહું છું ભાઈ! ધર્મ કરવાને પણ
Page #201
--------------------------------------------------------------------------
________________ સુખ એ સાધન નથી પણ સાધનથી મળતે અનુભવ છે. [ 157 વધુ પડતે નહિ, પણ દાન-પુણ્ય થાય તેવા ગૃહરથ જીવનના સુલભ માગે સંચર. તને હૈયાની હિત ભાવનાથી કહું છું તે મને શાંતિથી સાંભળે છે એટલે તું જરૂર મારી વાત ઉપર વિચાર કરીશ..બેલ બરાબર છે ને! વડીલ..! મારા હૈયામાં તે વીતરાગ પરમાત્માનું ટંકશાળી વચન અસર કરી ગયું છે. “તસા વિ સંમે સેએ અદિતસ વિ કિંચણ.” તમે જે વાત કહી તે સાંભળી છે પણ, ખરેખર આ બધી વાત સાંભળતાં મને પહેલાં. એટલું બધું હસવું આવતું હતું અને છેવટે તમારી વાત સાંભળતા થયું, તમે દાન-પુણ્ય અવશ્ય કરે છે, દેરાસરઉપાશ્રયે નિયમિત જાય છે. ગુરુજન હિતેપદેશ અવશ્ય સાંભળે છે પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞા અને તમારે તે ઉત્તર-દક્ષિણનું અંતર છે. સાચું કહી દઉં, જેમ કેઈ અધ્યામાં નિવાસ કરે અને રામનું ખાય અને ગુણ. ગાય રાવણના” સજજન! તેવી તમારી પરિસ્થિતિ છે. - તમારી બહુ લાંબી વાત સામે મારે એક નાનકડો જ પ્રશ્ન છે. દાન મહાન કે પરમાત્માની આજ્ઞા મહાન? શું પરમાત્માએ એક દાનને જ ધર્મ કહ્યો છે? દાનમાં જ પરમાત્માની આજ્ઞા સમાઈ જાય છે? પરમાત્માએ બે પ્રકારના ધર્મ ફરમાવ્યા. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ પરમાત્માની સંપૂર્ણ આજ્ઞા પાળી શકાય તે સાધુ ધર્મ. પરમાત્માની સંપૂર્ણ આશા પાળવાને આદર્શ રહે તે ગૃહસ્થ ધર્મ. પરમાત્માના નામે જ વાત કરવી છે.
Page #202
--------------------------------------------------------------------------
________________ 158 ] સુખ એ સાધન નથી પણ અનુભૂતિ પેદા થતી ચીજ છે. તે દાન–શીલ-તપ અને ભાવ આ ચાર ધર્મની કેમ વાત કરતા નથી? દાન એ સૌથી સહેલામાં સહેલે અને સામાન્યજન પણ આચરી શકે એ ધર્મ છે. તમે જેને દાન કહે છે તેની જ વાત કરું છું. અન્નદાન-ધનદાન વસ્ત્રદાન, પાત્રદાન કે વસતિદાનમાં તમને કશું કષ્ટ પડવાનું નથી પણ થોડું મમત્વ અવશ્ય છેડવું પડે. તમે જે વાત હેમચંદ્રાચાર્ય મહારાજ અને કુમારપાળ મહારાજાની કરી તે વાત સાચી ! તમે કહેલાં પાત્રો સાચા છે. પણ ફક્ત તમારી ભૂલ એટલી જ છે કે રામાની ટોપી પ્રેમાને પહેરાવી છે. કુમારપાળ મહારાજાના કારણે હેમચંદ્રાચાર્ય મહારાજનું નામ નહિ, પણ હેમચંદ્રાચાર્ય મહારાજના મહાપ્રભાવે કુમારપાળ મહારાજા ઇતિહાસમાં અમર બન્યા. ઈતિહાસ કહે છે–રાજવીએ અનેક થયાં અને થશે પણ જેને ગુરુ ન મળ્યા તે સત્તા અને સંપત્તિના મદમાં નામશેષ થઈ ગયા. ત્યાગી સામે સંસારીને મૂકવું જ પડે છે. તેઓના ઉપદેશે ધનની મમતા ઉતરે છે. કેણિક અને ધનનંદનું નામ કેમ ઈતિહાસના સુવર્ણ વૃષ્ટ ઉપર ન આવ્યું? કહેવું જ પડશે કાળમીંઢ પથ્થરને કલાકૃતિમય બનાવનાર કઈ શિલ્પી હેય તે જ મૂર્તિના સર્જન થાય. કેણિક અને ધનનંદને ગુરુ ના મળ્યા એટલે તેઓ મહાકાળના ખપ્પરમાં હેમાઈગયા.આર્ય સુહસ્તિસૂરિ મહારાજના ઉપદેશની તાકાત હતી જે તાકાત અલ્પજીવી.
Page #203
--------------------------------------------------------------------------
________________ જે સહન કરે તે પામે છે. પ્રતિકાર કરે તે ગુમાવે છે. [159 સંપ્રતિ મહારાજાને ભારતની ધરા પર અનેક રૂપે શાશ્વત કર્યા, શું સપ્રતિમહારાજની શક્તિ હતી પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરી શકે? ના...ના. આર્ય સુહસ્તિ સૂરિ મહારાજ પાસે અમર સંજીવની હતી નશ્વર સંપત્તિ દ્વારા અનશ્વર કાર્યો કરાવી સંપ્રતિ મહારાજાને ઈતિહાસનું અમરપાત્ર બનાવવાની! તમે કાર્યને મહત્વ આપે છે. અમે કાર્યની દિશા સૂચવતા માર્ગદર્શક ગુરુઓને મહત્વ આપીએ છીએ. કાર્ય તે કઈ પણ કરી શકે પણ પ્રભુ આજ્ઞાનું પાલન તે શુરવીર જ કરી શકે. હજી કહું છું તમારી ગણત્રી, તમારી સમજ ખોટી છે. સાધુજીવનમાં જરાપણ દાન નથી કરવાનું છતાં સંયમ જ શ્રેયસ્કર છે. ભલા! પરિગ્રહનું પાપ રાખ્યું હોય તે પાપ ધોવા માટે દાન કરે. પણ જેણે પગ જ ન બગાડ્યો હોય તેણે ધોવાનું કેવું ? જેની પાસે પોતાનું કંઇક છે તે છેડે, દાન આપે પણ, જે ધન્યાત્માઓ વીતરાગને ધર્મ સમજાતાં વિશ્વ ઉપરથી માલિકી–હકક ઉઠાવી લીધો છે તેને આપવાનું બાકી રહે છે શું? જે દાન આપે છે તે કેટલા અંશમાં ધર્મ કરે છે? અને જે નિપરિગ્રહી બને છે તે કેટલા અંશમાં ધર્મ કરે છે. તે મને કહે. વીતરાગની આજ્ઞાનું સંપૂર્ણ પાલન તે સંયમમાં જ થાય. સંયમી બને તેજ વિતરાગના સામ્રાજ્યને માલિક
Page #204
--------------------------------------------------------------------------
________________ 160 ] કષાયે=આત્માની વિશુદ્ધિને રોકનાર બની શકે. બાકી દાન-પુણ્યના કાર્ય કરે તે વીતરાગના અને તેમના સાધુઓના સેવક જ બની શકે.. વીતરાગ પરમાત્માના ઉત્તરાધિકારી બનવા નિષ્પરિગ્રહ વૃત્તિ જ મંગલકારક છે. નિષ્પરિગ્રહવૃત્તિ વગર વીતરાગની આજ્ઞાની આરાધના અશકય, જ્યાં પરિગ્રહ આવે ત્યાં ધીમે ધીમે પાપસ્થાનકેની ફેજ ધૂસી જ જાય. જ્યાં પરિગ્રહ આવે ત્યાં આ ધ્યાન–રૌદ્રધ્યાનના અડ્ડા જામી જ જાય. લાખ કરોડે ગાયનું મહિને મહિને દાન કરે તેના કરતાં પણ “તસ્યાવિ સંજમે સેઓ અદિતસ વિ કિંચણ” આ જ મારે સિંહનાદ રહેશે. . નિષ્પરિગ્રહવ્રત એટલે સાધુતા. જયાં પદાર્થને સંગ્રહ તે છે જ નહિ પણ પદાર્થસંગ્રહની ભાવના–આસક્તિ-ઝંખના પણ નથી. એટલે જ કહું છું કશું જ નહિ આપવાનું છતાં સંયમ જ શ્રેયસ્કર છે, જયાં પ્રભુની આજ્ઞામયતા છે. પ્રભુ ! પ્રભુ ! * તમારી આજ્ઞા સમજીને તમારા સામ્રાજયમાં આવ્યું છું તેથી ક્યારેય દાનનાં બહાનાની એથે પણ પરિગ્રહદુશમનના ગીત ગાવાનું શરુ નહિ કરી દઉં. બસ હું તે નિઃસ્પૃહવૃત્તિ...નિષ્પરિગ્રહવૃત્તિથી જ મંગલ બિરદાવલી ગાનારે આપના સામ્રાજયને મંગલપાઠક બનું તેવા આશિષ આપે.......!
Page #205
--------------------------------------------------------------------------
________________ 26. સમય ગોયમ મા પમાયએ gi સ્વછંદ મિજાજને માનવી મન ફાવે ત્યારે ઊઠે છે. મન થાય ત્યારે ખાય છે, ગમે તેવું બેલે છે. ગમે તે વિચારે છે. ચોગ્ય અગ્યના વિચાર વગર મનપસંદ વ્યક્તિ સાથે મિત્રતા કરે છે. લાભ નુકશાનના વિચાર વિના મનમાં જે તકો આવે તે વેપાર શરુ કરી દે છે. જેને બલવાના, વિચારવાના બંધન નહિ તેને સુવાનાં બંધન શાના? રાતના બાર વાગે ઘરે આવે, બે વાગે સુવે ચાર વાગે સિંદ કરે. કેઈ કંઈ કહે તે કહે, હવે હું બાળક નથી. હું મૂર્ખ નથી ! મારી જીંદગીનું મૂલ્ય હું સમજુ છું, મને મારી રીતે જીવવા દે. હું મારી જીંદગી માટે સ્વતંત્ર નહિ? બધી બાબતમાં પરતંત્ર? બધી બાબતમાં કચકચ? તમારી વચ્ચે નહિ આવું તમે મારી વચ્ચે ના આવે. સ્વતંત્રતા એ મારો જન્મ સિદ્ધ હકક છે. માનવ ! સ્વતંત્રતા શબ્દ ખૂબ સહામણો, લેભા. મણે, આકર્ષક છે. કેઈની સ્વતંત્રતા વચ્ચે અવાય જ નહિ પણ એક જવાબ આપ. તું સ્વતંત્રતા ચાહે છે કે સ્વછંદતા? તું શબ્દકોશને વિદ્યાથી છે, શબ્દના રહસ્યને પારંગામી પંડિત નથી. - સ્વ એટલે આત્મા, તંત્ર એટલે રાજ્ય. આત્મ રાજ્ય. આત્માની ખુમારી આત્માની મસ્તી–આત્મશુદ્ધિને ઉપાય. બેલ તું સ્વતંત્ર છે કે સ્વછંદ? સ્વતંત્ર તે જ બની શકે 11
Page #206
--------------------------------------------------------------------------
________________ 162 ] ત્યાગને પ્રથમ પ્રારંભ દાક્ષિણ્યતાથી જ થાય છે. છે કે જે સ્વછંદ ન હોય. સ્વ એટલે પિતાની, છંદ એટલે ઈચ્છા. ઈચ્છાને ગુલામ, ઈચ્છાને દાસ તે સ્વતંત્ર બની શકે? સ્વતંત્ર બનવા ઈચ્છાને હેમવી પડે. સ્વતંત્ર બનવા સર્વક્સની ઈચ્છાને જાણવી પડે. સ્વતંત્ર બનવા મહાત્માની ઈચ્છાને અનુસરવું પડે. તારું જીવન તું તારી રીતે જીવે તો તેને કોઈ રકીના શકે ! પણ સમજાવી તે શકે ને? ઘરમાં જે કરીયે તે શાળામાં ન કરાય. શાળામાં જે કરીએ તે સામાજિક સંરથામાં ન કરાય. સામાજિક સંસ્થામાં કરાય તે રેડ ઉપર ન કરાય સ્વતંત્ર વ્યક્તિને પણ વિશ્વના અનિવાર્ય નિયમ સ્વીકારવા જ પડે. ભલે તું તારી જીંદગી માટે સ્વતંત્ર છે પણ તું જગતમાં જીવે છે. જગતના ચોગાનમાં કંઈ પણ દુષ્ટ આચરણ કરાય નહિ. જાહેર મિલકતનો દુરુપયોગ ન કરાય. જીવન એ પણ જાહેર મિલકત છે. તેને આપણે એક દુરુપયોગ કરીયે તે બધા દુરુપયોગ કરે. એક વ્યક્તિની ભૂલ વર્ષો જતાં હજાર ભૂલ બને, હજાર ગુન્હગારને ઉત્પન્ન કરે ! મહાત્મા મને બતાવે. હું શું જીવનને દુરુપયોગ કરું છું? હું કપડાં વગરને ફરું છું? હું આત્મ હત્યા કરું છું? દુનિયાથી વિપરીત હું શું કરું છું ? બધા કરે તેમ કરું પછી જીવનને દુરુપયોગ નહીં ને!
Page #207
--------------------------------------------------------------------------
________________ ભગવાન પર શ્રદ્ધા એટલે પુદ્ગલ પર અશ્રદ્ધા. [ 163 - જીવનના દુરુપયોગની વ્યાખ્યા સામાન્ય નથી પણ પ્રત્યેક વ્યક્તિ અંગે અલગ અલગ વ્યાખ્યા છે. જેની સમજ વધારે, જેના વિચારમાં પ્રભુત્વ અધિક, જેના વચનનું મૂલ્ય અનુપમ, જેના આચારનું અદ્વિતીય આકર્ષણ હોય તેને જીવનનું મૂલ્ય કેટલું? માનવ તારા જીવનનું મૂલ્ય શું ? તારી પાસે જ સાત રજજુ ઊંચે ઉqલેકમાં ગમન કરવાની તાકાત છે પણ જીવનને સદુપયોગ કરે છે, દુરુપયોગ કરે તો...? મારું વચન સાંભળી લે. ગાંઠ બાંધી લે ! જીવનને દુરુ યોગ કર્યો તે તારી ગાડીને અકસ્માત થશો. અને સાતમી નારકના ખાડામાં પહોંચી જઈશ! 33 ગરે પની સુદી સજા ! મહાત્મા ! અહીં “સમયે ગેયમા મા પાયએ” કહ્યું છે. આ તે ગૌતમ સ્વામીજીની અગત હિતશિક્ષા છે. મને કહ્યું હતું કે તું પ્રમાદન કરતે, તે હું વિચાર કરત. - સાધક ! તે પ્રશ્ન છે તે જવાબ પણ સાંભળી લે! અને ગ્ય લાગે તે નેહી લે. આ હિતશિક્ષ. ગાધર ભગવંત ગૌતમ સ્વામીને નથી, તેઓ તે રમત મહાત્મા હતા. સદા ઉત્કટાસને બિરાજતા. એમાં આપણા જે પ્રમતભાવ કયારે ય નહિ. લેકસ્થિતિના કારણે પ્રમત ગુણસ્થાનકના આરોહ અવરોહ થયા કરે. . પ્રભુએ ગૌતમ નામ વાપરી છઘી ને હિતશિક્ષા આપી છે.
Page #208
--------------------------------------------------------------------------
________________ 164 ] સુખની સાથે દેસ્તી નહિ પણું, જે તું સર્વજ્ઞ, તે તારી વાત નહિ. જે તું છદ્મસ્થ, કર્મના આવરણથી ઢંકાયેલ તે તને ચોકકસ આ હિતશિક્ષા. આજ્ઞા બે પ્રકારની હોય છે. એક વિધિ આજ્ઞા, એક નિષેધ આજ્ઞા. વિધિ આજ્ઞાનું પાલન શકય હોય તે અવશ્ય કરવાનું પણ નિષેધ આજ્ઞાનું આચરણ તે મરણાંત સમયે પણ ના કાય. ગુરુદેવ ! પ્રભુની હિતશિક્ષા મારા માટે છે. જરૂર હું પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરીશ. હું પ્રમાદ નહિ કરું બસ, સંથારાના સમયે જ નિંદ લઈશ. દિવસે અધ્યયન કરતાં સિંદ આવશે તે ઊભા ઊભા અધ્યયન કરીશ. સ્કૂતિ રાખીશ, નિદ્રાને પણ નહિ, તંદ્રાને પણ નહિ, આવવા દઉં .. સાચું કહું છું તું લકીરને ફકીર ના બન. પ્રસાદ એટલે નિદ્રા, ઊંઘ. આ અપૂર્ણ અર્થ કયાંથી શીખી આવ્યો? આપણે પ્રત્યેક વાતને ઉપલક સમજી વિરુદ્ધ આચરણ કરી લઈએ છીએ. પ્રમાદને અર્થે ખૂબ વિશાળ છે. પ્ર ઉપસર્ગ મદુમાદુ ધાતુ પરથી પ્રસાદ શબ્દ બન્યો છે. મદ્ ભાદુ=ભૂલવું ચૂકવું, ગાંડા થવું, મુંઝાવું. પ્ર–એટલે અતિશય, અધિક પ્રમાણમાં પ્રમાદ, પાગલપણું. પાગલ બે પ્રકારના. એક માનસિક કારણથી પાગલ, એક મેહના ઉદયે પાગલ.
Page #209
--------------------------------------------------------------------------
________________ દુઃખની સાથે દસ્તી જમાવવાની જરૂર છે. [ 165 મેહનીય કર્મના ઉદયે કોઈ પણ ભૂલ કરવી તે પ્રમાદ, OF અંત્મભાવને વિસ્મરી, સાધુભાવને ભૂલી, જિનાજ્ઞા વિસ્મરી, શાસ્ત્રાજ્ઞાને વિસ્મરી, જે કંઈ પણ પ્રવૃત્તિ થાય તે પ્રમાદ, UG ઈચ્છાથી, જદથી, અહંથી, શઠતાથી, લેભથી, ગમાથી, અણગમાથી, ભયથી, શેકથી, જાગુસાથી, વિજાતીયના આકર્ષણથી, જિનાજ્ઞાના અનાદરથી જે કંઈ પણ થાય તે પ્રમાદ, પ્રમાદ એજ મહાશત્રુ. અઢાર પાપસ્થાનકને આમંત્રણ આપનાર ગોર મહારાજ. સંયમના પ્રતિસ્પધી - આત્મ ગુણને વિરોધી આ પ્રમાદને હવે હાલ કરવાની છે, હ, ભાગે, દૂર જાવ. મારા જીવનના ઘરમાં તારા જેવા ગુણ વિરોધી તતવને પ્રવેશ નહિ મળે. તું એક ક્ષણ પણ રહે તે પણ હું જિનને દ્રોહી કહેવાઉં! પ્રભુએ ફરમાવ્યું, “પ્રમાદ ભાવ એ જ અજ્ઞાન. જ્યાં મિહને ઉદય ત્યાં જ્ઞાનને સ્થાન નહિ, હું અજ્ઞાનીની ટોળીને ગુંડે નથી, હું તો ગરવા જ્ઞાની તીર્થકર પરમાત્માના કુટુંબને સદસ્ય છું. પ્રમાદ સાથે મારી મિત્રતા તે નહિ પણ હંમેશાં લાલ આખ, પ્રમાદ મને ડરાવી ના શકે, હું પ્રમાદને ડરાવી શકું. હું શરણાગત છું વીતરાગને, વીતરાગના
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૬] વિશુદ્ધ આત્મા વિશુદ્ધ સમયે વિશુદ્ધ સામ્રાજ્યમાં પ્રમાદનો ભય શાને? વીતરાગના વિશિષ્ટ રાજ્યમાં અપ્રમત ભાવના ડિ હિંમ ગાજે.
પ્રભુ ! હું આપની હિતશિક્ષાને અનુસરીશ. એક સમયને પણ પ્રમાદ નહિ કરું, પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે મળેલ માનવ જન્મ, નિગી શરીર, પંચેન્દ્રિયની પૂર્ણતા, સદ્ગુરુના પ્રેમનો સદુપયોગ કરીશ. હું એક ક્ષણ પણ પ્રમાદ નહીં કરું. અતિ દુર્લભ જીવનને દુપયોગ કરું તે મારે કારણે અનેક લોકે અહિતના માર્ગે પ્રેરાય. શક્તિ આપજે. સામર્થ્ય આપજે. પ્રાપ્ત સામગ્રીના દુરુપયોગથી પીછે હઠ કરું.
- સાચે તારક! આજ દિલ ખેલી મારી કરુણ કથની પણ કહી દેવા દે. આપને ઉપદેશ “ક્ષણને પણ પ્રમાદ ના કરું. દુનિયાએ મને ડાહ્યો કહ્યો; સમજદાર, બુદ્ધિમાન કહ્યો. પણ આજે સાચું સમજાયું–હું અનંત અનંત કાળથી પાગલ હતો. મોહના નશામાં ચકચૂર હતે. પાગલપણામાં પણ દેખાવ ડાહ્યા કરતા હતા પણ પ્રભુ સામે હું ગાંડે હતે. દુનિયાની દૃષ્ટિએ તે ગાંડે જેનું મગજ અસ્થિર હેય. અધ્યાત્મની દૃષ્ટિએ તે ગાંડો જેનું હૃદય મેહથી ભરેલ હોય.
પ્રભુ મને કુંભકર્ણની નિદ્રા કરતા અધિક મેહની ભયંકર નિદ્રા આવેલી. આપે , જગાડયો. હવે
Page #211
--------------------------------------------------------------------------
________________
ગુરુના ચરણમાં જીવન સમર્પિત કરે તેનું નામા દીક્ષા [ ૧૬૭ આશીર્વાદ આપે. સદા જાગૃત રહું, આત્મ સામ્રાજ્યના વિકાસ કરું, વિસ્તાર કરું.
પ્રભુ ! આપે હિતશિક્ષા આપી. સમયના પણ પ્રમાદ ના કર. ' આ કેવું મજાનું સેાનેરી સૂત્ર છે ! ક્ષણના સદુપયોગ અને દુરુપયોગમાં મારી જીંદગીનો નકશા બદલાવવાની તાકાત...સદા જલતી રહેા આપે જગાવેલી દિવ્ય જ્યોતિ...
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૭. “આઈગ્ણા સિ પહેં. મહાલય” ‘ગચ્છસિ મગ વિસેાહિયા' દ
મા સમ પણ હાય અને વિષમ પણ હોય, માગ સરળ પણ હોય અને માગ કઠિન પણ હોય. માગ સીધે પણ હાય, આડા-અવળા પણ હાય, માગ કાંટા કાંકરાવાળ પણ હેાય અને ચારે બાજુ વૃક્ષેાથી આચ્છાદિત વચ્છમાગ પણ હાય. માગ રણના પણ હાય અને નદી કિનારાને પણ હાય....
યાત્રિક અને રખડુમાં ફરક શું ? સારાં માગે નિશ્ચિત માગે ધ્યેય પૂર્ણાંવ્રુતિ માટે ચાલે તે યાત્રિક....ગમે તેવા માગે કશા પણ લક્ષ્ય વગર ચાલ્યા કરે તે રખડુ... શની !
પથિક ! મહાન પુણ્ય તારા. મિથ્યાત્વના માગે રખડતા–રઝળતા અથડાતા – કૂટાતા યથાપ્રવૃત્તિ કરણના સહારે તું કાઁગ્રંથી સુધી આવ્યેા. અદ્વિતીય-પૂર્વે નહિ કરેલા એવા શુદ્ધ વિશુદ્ધ-મહાન યુદ્ધ અધ્યવસાય દ્વારા તે કમ ગ્રંથી ભેદી નાંખી. તારા ઇતિહાસ બદલાઇ ગયે. ગઇ કાલે તારા ઉપર જે કમની મહાજ જીરા હતી લેખડી અખ્તરા હતા. તેને તેં તાડી નાંખ્યા. સિત્તેર કાડાકોડી સાગરોપમ પ્રમાણ માહનીય કર્મીની અંધ સ્થિતિને તે ભગાડી
Page #213
--------------------------------------------------------------------------
________________
કૃપા માંગા તા એક દેવ, ગુરુની જ માંગેા [ ૧૬૯ નાંખી, તારા વિજયની જયઘાષણા શરૂ થઇ. આ અપૂર્વકરણ અવસ્થામાંથી ક્રમિક વિકાસ કરી માભિમુખ બન્યા. સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તું અટક્યેા નહિ, મેાક્ષની રાજધાની રૂપ સંયમમાં પ્રવેશ કર્યાં. આજે તું ધમ ધ્યાન અને શુકલધ્યાન રૂપ વૃક્ષઘડાથી શેાભતાં....સ્થળે સ્થળે સ્વાધ્યાય રૂપ કુંવારાવાળા માર્ગ ની મહત્તા સમજાવતાં, સંરક્ષક સમા ગુરુનાની પ્રેરણા મળતાં મહાન ચારિત્રના પથને પ્રવાસી અન્યેા છે.....અભિનદન તારા સયમમાગ ને અભિનંદન તારી સંયમયાત્રાને....હવે અંતરની એક જ વાત કરવી છે. ધ્યાનથી સાંભળ....તારા આત્મ~કલ્યાણની વાત સાથે તે વિશ્વ કલ્યાણના મગર્લ આલેખાયેલા છે. તું મહાપના પ્રવાસી બન્યા છે. મહાન રાજમાર્ગ પર આવી ગયે છે. હવે જ તારી આકરી પરીક્ષાં શરૂ થશે. લાંખે પુરપાટ ચાલ્યા જતા રાજમાર્ગ ક્યારેક તને આકરા લાગશે.
ખેર રૂડાં છે—મીઠાં છે રૂપાળાં છે. પણ તુચ્છ અને દાંત તાડે તેવા છે. નાળિયેર બહારથી કઠોર છે–કઠિન છે. સૌ રહિત છે. પણ અંદરથી સ્વચ્છ છે. કોમળ છે. સુમધુર છે. આરોગ્યપ્રદ અને શક્તિપ્રદ છે. તેમ સંસાર અહારથી સુવાળા છે. સાહામણા છે—લાભામા છે. પણ તેના સંગ કર્યાં ત્યાં જ તેનું રૌદ્રરૂપ, દુગ તિ—કષાય— વિષયાની વિડ’અના–કાના કેર શરૂ થઈ જશે. સયમના માગ કઠિન છે. આકરા છે બિહામણા છે. પણ જ્યાં તે
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ] શ્રાવક એ છે કે સંપત્તિ વધે માગે સંચર્યા એટલે સદ્દગતિ. શુભભાવના-સંધ્યાન–આત્મવિકાસ નિશ્ચિત છે. - સાધક ! !! તારા પુણ્ય એટલાં મહાન છે–અસંખ્ય દેવેની તારા ઉપર મીટ છે. સમ્યફ દૃષ્ટિ દેવે તે તારા, જેવા પુણ્યની ઝંખના કરે છે. તારા સંયમના રાજમાર્ગ પર પ્રવેશ મેળવવા પેલા સર્વાર્થ સિદ્ધના દેવો તે હરણું. ફાળ મારવા તૈયાર છે. એક એક સાધુને જુવે છે અને તેઓ ભાવવિભોર બની ઊઠે છે. મહાત્મા ! તમારા સાધુજીવનનું એક વર્ષનું આયુષ્ય કેટલું મજાનું ભવ્ય. જે અમને તમારું (સંયમીનું) એક વર્ષ પણ મળે તે અમે શરતમાં અમારા તેત્રીશ સાગરોપમના દેવના આયુષ્યને મૂકી દઈએ.
મહાત્મા! તમારે માર્ચ મહાન છે. અમે સમસ્ત દેવે મળીને પણ તમારી સામે હાર જ મેળવીએ. અમારે જ પરાજ્ય નિશ્ચિત છે. આપની વિરતાની બિરદાવલી ગાવા સિવાય અમે શું કરી શકીએ.
સંયમી! તું હજી મૂઢ છે. એમ કહું ના કહેવાય તને શું કહું? ખરાબ શબ્દ કહેવાય નહિ. અને સારા શબ્દને દુરુપયેાગ થાય નહિ. બસ, મારા હૈયાની વાત હું તે કહીશ જ. તું મહાન બનવાને સર્જાયેલ છે. તારે જન્મ કાંકરા અને રેતીના ઢગલાં કરવા માટે નથી. એ તે મજૂર કરે. તું ક્યાં તે મહામાર્ગને મુસાફર બને, અથવા મહામાર્ગનું સર્જન કરે.
Page #215
--------------------------------------------------------------------------
________________
an
સાથે મનની નિશ્ચિંતા પણ વધે.
[ ૧૭૧
‘સંયમના શ્રેષ્ઠમાના ઈજનેર તીકર પરમાત્મા, સારા ઈજનેરે બનાવેલ ઈમારત સુરક્ષિત હાય. તીથંકર પ્રરૂપિત સંયમના માગ અંગે શુ વાત કરવી ?”
માર્ગ તે સુરક્ષિત છે. સુખકર છે. હવે તુ કેટલું ચાલ્યે! તેટલું જ મારું પૂછવું છે.
મહાત્મા !!! સયમના માર્ગ પર આકર્ષિત થઈ ગયા . છું, મુગ્ધ બની ગયા છું. અપ્રાપ્ય પ્રાપ્ત કરી હÖવિભાર બની ગયા છું. હર્ષાવેશમાં મારી ગતિ જરા ધીમી પડી ગઇ છે. પણ તમે વૃદ્ધ, મારી ચિંતા ના કરતાં, હજી તે બાળક છું, હજુ તા યુવાન છું. અરે! હમણાં જ દીક્ષા લીધી છે. મૃત્યુ ઘણું દૂર છે. મૃત્યુ આવતાં પહેલાં ખધી તૈયારી કરી લઈશ....ગાડીમાં બેસી જ ગયા છું ને....? સ્ટેશન આવશે જ ને ? હમણાં ટિકીટ તપાસીને સૂઈ જાઉં, સ્ટેશન આવશે–વીસલ વાગશે. જાગૃત બની જઈશ. મસ, પછી કંઇ ચિંતા કરવા જેવું છે ? ચલેા, ત્યારે સમ
સલામત.
સાવક !! તુ યુવાન છે. તારામાં સાહસ હાય— સાહસિકને સબ સલામત લાગે. પણ પ્રત્યેક અનુભવી વૃદ્ધ કહેવાય. વૃદ્ધ ગણી ગણીને ડગલાં ભરે. અને સૌને સમજાવે. ગણીને ડગલાં ભરવાં જોઇએ. ભાઈ ! મહાવ્રતરૂપ ટિકીટ લીધી છે, સંયમ રૂપ ગાડી છે. પણ હજી તારે જ કશને
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
પ્રયાજન વિનાનાં પાપે જ
હ
ગાડી બદલવાની છે. જકશન ખ્યાલ ન રહે તે! આ • જન્મમાં તારે સપૂર્ણ સાવધ રહેવુ' પડશે. જરાક પ્રમાદમાં -હીશ તેા ગાડી પાટા પરથી ઉતરી જશે.
જીવનમાં બધાં કર્યાં અનેકવાર બધાય પણ ભવ
'
વિપાકી આયુષ્ય કમ તેા એક જ વાર બંધાય. આયુષ્યકર્મીની તાકાત છે જીભને અશુભમાં અને અશુભને શુભમાં ધરાવત ન કરી શકે.
એલ ! વૈક્રિય શરીર પુણ્ય પ્રકૃતિ કે પાપ ? તું કહીશ વૈક્રિય શરીર પુણ્ય પ્રકૃતિ પણ વૈક્રિય શરીર સાથે નારકનુ આયુષ્ય હોય તે! ? ઔદ્યારિક શરીર સાથે નિંગાદ રૂપ તિય ́ચનુ આયુષ્ય હાય તેા ? પંચેન્દ્રિય જાતિ મેક્ષ માટે સહાયક પણ સાથે દેવનુ આયુષ્ય મળ્યુ. તા સહાયક કે કે બાધક ? આંખા તે ખૂબ સુંદર મળી. તીવ્ર અને વેધક. જ્યાં દૃષ્ટિ પડી ત્યાં ખંધું જ સમજાય તેવી. પણ, સાથે કુબુદ્ધિ મળી તે ? સયમના રાજમાર્ગ પર ચાલનારે કેટલી સાવધતા રાખવાની હાય ?
વડીલ !! ચિંતા ના કરો. પશ્ચિમણુ કરી લઇશ. પડિલેહણ કરી લઈશ. વિહાર કરી લઈશ. ગેાચરી જઈ આવીશ. લેાચ કરાવી લઈશ. અને છેવટે નિકાચિત કર્મીક્ષય કરવા એકાદ માસક્ષમણ જેવા તપમાં પણ ઝૂકાવી • દૃઈશ. એટલેા, હવે મને કંઈ કહેવા જેવુ છે. મારા અંગે નિશ્ચિત અની જાવ, જરા પણ ચિંતા ના કરતાં. મને મારા મનની ખબર પડે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
આ સંસારને કાર બનાવ્યું છે. [ ૧૭૩. સાધક !! “સાધના માર્ગની પહેલી શરત છે. ડું મીન શીખ, જવાબ આપવામાં ઉતાવળ ના કર
બાપલીયા થડે ધીરે પડખમ્મા કરશું તું એમ સમજે છે કે પડિક્કમણાં-પડિલેહણ-ગોચરી–લેચ-વિહાર અને તપ કરવા માત્રથી તને મેક્ષ નગરમાં પ્રવેશ મળી જશે? હું નહિ કહું તું જ તારા આત્માને પૂછ તે પ્રતિકમણ કયું? પણ શું તું પાપથી પાછે હો ? દુર્ભાવ દૂર થયા અને શુભ ભાવ પ્રગટ થયા.?
પ્રતિક્રમણ એ તે પ્રભુની આજ્ઞાનું પરમ અંગ છે. તે અકાળે ના કરાય તેના સમયે જ કરાય. મુદ્રારહિત ના કરાય. મુદ્રાપૂર્વક જ કરાય. બેઠાં બેઠાં ના કરાય? ઊભાંઊભાં જ કરાય? બેદરકારીથી કરાય? બેદરકારીથી ના કરાય. ઉપયોગ પૂર્વક જ કરાય. ઉપેક્ષાપૂર્વકકરાય પ્રતિક્રમણ વિધિના પૂર્વક કરાય. આદર અને બહુમાનથી કરાય. તારા પ્રતિક્રમણને શું કહું? સાચું કહી દઉં. સૂત્ર પાઠનું પુનરાવર્તન-શુક પાઠ-શાસ્ત્રજ્ઞાનું સમાચરણ ન કહેવાય. એટલે જ કહું
-“ચ્છસિ મગ્ન વિહિયા.” તું દોડ નહિ તને અનાદિથી આંધળીયા દોડ મૂકવાની આદત છે. '
પરમાત્મા કહે છે–ગચ્છસિ તું જા સંચરતું ચાલ-હાંફી ના જવાય, તેમ થાકી ના જવાય. તેમ પાછાફરવું ન પડે તેમ ચાલ. તારી વર્તમાનની પડિલેહણની ક્રિયાથી તને શું લાભ થાય છે? સમય વ્યતીતર
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ] નિયમ સદા જાગતી સ્મૃતિ. ઊઠબેસ કે આથી અધિક? બે વાર વસ્ત્ર–પાત્ર–વસતિનું પ્રતિલેખન કરનાર તું, તારા આત્માનું બે વાર પ્રતિલેખન કરે છે? ઓછામાં ઓછા બે વાર તે તારા આત્માને રાગ-દ્વેષથી ખંખેરી નાંખતારા આત્મા ઉપર લાગેલ રાગ-દ્વેષની પડિલેહણ કર. તું ઘરે ઘરે જઈને ગોચરી લાવે છે. પ્રભુ આજ્ઞા મુજબની પ્રકિયા બદલ તને ધન્યવાદ.. પણ, તને તારે આત્મા સાક્ષી આપે છે. આ તારી ગોચરી મુખ સાહૂણ હેલ્સિ, સહુ દેવસ્ય ધારણા માટે છે. કયાંક અનુકૂળવૃત્તિ, કયાંક સ્વાદવૃત્તિ તે નથી પિછાતી ? ગોચરી જાય ત્યારે એટલે તે વિચાર કરજે. પરમાત્મા ત્રાષભદેવની જેમ એક વર્ષ ગોચરી નહિ મળે તે ઘરે ઘરે ધર્મલાભ આપવા ફરીશ. ઢંઢણ ઋષિની જેમ શુદ્ધ ગોચરી માટે, વલબ્ધિથી ગોચરી મેળવવા ઘરે ઘરે છે મહિના ફરીશ. અશુદ્ધ ગોચરીથી પેટ નહિ ભર્યું. આ વિચાર રહે તે તું પ્રભુના માર્ગે શુદ્ધિપૂર્વક ગમન કરે છે અન્યથા ભટકે છે.
વિહાર તે તું ખૂબ ઉગ્ર કરે છે. ના, ખૂબ દીર્ઘ અને દેડતે કરે છે. પણ, પ્રભુ ! આજ્ઞા મુજબ વિહાર કરે છે? ઈયસિમિતિ પૂર્વક વિહાર કરે છે? વિહાર કરતાં જિનાજ્ઞાની મેજમાં મહાલે છે કે વિહાર કરતાં પરિષહ અને ઉપસર્ગથી કંટાળી જાય છે?
વિહાર કરતાં તે સ્વભાવદશામાં વિચારે છે કે વિભાવદશામાં?
Page #219
--------------------------------------------------------------------------
________________
એટલે હદયમાં એરકંડીશન પેદા થાય. [ ૧૭૫
SUR “વિહાર કરતાં તારે સંસાર ઘટે અને મોક્ષમાર્ગ
નજદીક આવે તે વિહાર”. નહિતર પરિભ્રમણ* રખડપટ્ટી.
પૂછ,-તારા મનને “ગચ્છસિ મગ્ન વિસેહિયા. તું લેચ કરાવે છે–કષ્ટ સહ્યું તેમ કહું? ન કહેવાય. વાળ વગરનું મસ્તક થયું. મસ્તક પર એક કાળે કેશ ના રહ્યો. પણ અંતરમાંથી કલેશને લેચ થયે? હૃદય આલેચના અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ બન્યું ? “એક ચા તે કાયકલેશે પણ પ્રભુ આજ્ઞાના રહસ્યપૂર્વકને લેચ પ્રાયશ્ચિત્તનું પવિત્ર ઝરણું. જવાબ લે તારા આત્મા પાસેથી મારે તારા જવાબની જરૂર નથી...તારી શુદ્ધિની જરૂર છે.” તું તપસ્વી છે. માસક્ષમણ જે તપ કરી-જનની આસક્તિ દૂર કરવાની પ્રકિયા આચરનાર તને લાખવાર નહિ, કરેડવાર વંદન....પણ એક જવાબ આય?
દહેના શોષ સાથે ગુણને પિષ થયે ? ( સાધક! મારે તને એટલું જ કહેવું છે. મહાપુણે પ્રભુના ચારિત્રને પામ્યા છે. હવે માર્ગનું સંશોધન કરી, શુદ્ધ બનીને જા...આગળ વધ....બસ, આ સિવાય મારા હૈયામાં શું હોય તે તું કહે ? - મહાત્મા! માફ કરે. બધું કર્યું –પણ મેં મારું સંશોધન નથી કર્યું. હવે વચન આપું છું-સંયમના રાજપથ પર મારી જાતને સંભાળીને ચાલીશ....
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૮. અમ્પિયમ્સાવિ મિત્તસ રહે છE
કલાણ ભાઈ - જે વ્યક્તિ પ્રિય ન હોય તેની એકતમાં નિદા કરવી તે દુર્જનતા. જે વ્યક્તિ અપ્રિય હોય તે પણ તેની એકાંતમાં પ્રશંસા કરવી તે સાધુતા.
સાધુતા ગ્યતા દ્વારા પ્રગટ થાય છે. એગ્ય હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય. અગ્યને ત્રણ કાળમાં જ્ઞાન પ્રાપ્ત ન થાય. પથ્થરમાં કમળ પેદા ન થાય તેમ અગ્યને જ્ઞાન ન થાય. કાળી માટીમાં પાક સહજ થાય. એગ્ય આત્માને સ્વાભાવિક રીતે વિનાશ્રમે જ્ઞાન પેદા થાય.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અગીયારમાં બહુત પૂજા અધ્યયનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે આત્માની અંદર પ્રકારની
ગ્યતા બતાવી છે. કયાંય પુસ્તક, વાતાવરણ, અધ્યાપકને જ્ઞાન પ્રાપ્તિને એગ્ય બતાવ્યા નથી, પુસ્તક, પાટી, પેન, કાગળો સાચે જ્ઞાનને એગ્ય બનાવે કે આપણી મૂર્ખતાના દ્યોતક? જેને ગ્રન્થ કંઠસ્થ ન થયા હોય તેને પુસ્તક રાખવું પડે, જેને અર્થ યાદ ન રહ્યા હોય તેને પુનઃ સ્મરણ કરવા મુદ્દા આલેખવા પડે.
પુતક અધ્યાપક વગેરે જ્ઞાનના સાધને જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક બની શકે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે આત્માની ગ્રતા
Page #221
--------------------------------------------------------------------------
________________
સાધનથી સુખની પ્રાપ્તિ થાય તે દુનિયાની શેાધ છે. [ ૧૭૭ ન પ્રગટાવી શકે. જ્ઞાન પ્રાપ્તિ માટે ચાગ્યતા પ્રગટાવે સદ્ગુણ....ઉતરાધ્યયન સૂત્ર નમ્રતા, અચપલતા, સરળતા, અકુતૂહલતા, સૌજન્ય, સમતા, મિત્ર પ્રતિ કૃતજ્ઞતા, શ્રત મેળવ્યા બાદ પણ નિરભિમાનતાં, પાપી પ્રત્યે પણ કરુણા, મિત્ર પ્રત્યે પ્રેમ, અપ્રિય મિત્રની પણ એકાન્તમાં પ્રશ'સા, કલહુ–લડાઈ રહિત, કુલીનતા, લજ્જા, ઇ ંદ્રિયસ'ચમિતા વગેરે ગુણવાળા, સુવિનીત બને છે, તેમાં એકદમ ધ્યાન દોરે તેવુ પદ છે. “ અયિસાવિ મિત્તલ્સ રહે કલાજી
ભાસઇ, ',,
શું સાધુને મિત્ર હાય ! જેને કોઈ દુશ્મન હોય તેને કોઈ મિત્ર હૈાય. પણ જેને દુશ્મન જ નહિ તેને મિત્ર કઈ રીતે ? મિત્ર જ નથી ત્યાં પ્રિય મિત્ર અને અપ્રિય મિત્રના ભેદ કેવી રીતે ?
સમુદ્ર કિનારે ઊભા રહેલ વ્યકિત સમુદ્રની ગભીરતા ના સમજી શકે. મરજીવા ખની સમુદ્રમાં ડુબકી મારે તેને જ સમુદ્રની ગહનતાના ખ્યાલ આવે.......
નાનાથી વિદ્યાથી ને જ સમજાય તેવી આ વાત છે, નીતિનું એક વાકય છે. ધ્યાન માટે એક વ્યકિત, જ્ઞાન માટે બે વ્યક્તિ જોઈએ. વિવાદ માટે ત્રણ વ્યક્તિ, મુસાફરી માટે ચાર વ્યકિત, ન્યાય માટે પાંચ વ્યકિત જોઇએ. સાધના માર્ગ અને જ્ઞાન માર્ગ કંઈક ભિન્ન છે. પ્રાથમિક ભૂમિકા જ્ઞાન માની છે, દ્વિતીય ભૂમિકા સાધના માર્ગની છે.
૧૨
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ] રાગ અને દ્વેષ જીવનની વિપરીત દશા છે.
પ્રત્યેક જ્ઞાનયેાગી સાધનાયેાગી હાય પણ મરે અને ન પણ હેાય. પણ, પ્રત્યેક સાધનાયેાગી જ્ઞાનયેાગી તે હોય જ, ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી સમસત્તુમિતે, સમ લે—કંચણે, સમ સુહ દુખેની યાગ્યતા પેદા થાય પણ, જ્ઞાનયેાગમાં આત્માની ચેાગ્યતા પેદા કરવાની છે. ત્યાં સવ શ્રેષ્ઠ ચાગ્યતા, વિચારણાની આ એક બાજુ છે, તે વિચારણાની ખીજુ એ છે કે અધ્યયન અધ્યાપન માટે હુ ંમેશા એક સમુદાય જોઇએ, વગ જોઇએ. અધ્યયન કરનારો વર્ગ વિશાળ હાય તા સૂત્રાર્થ સમજનાર અને સમજાવનાર બ ંનેને એક નવ્ય પ્રાપ્તિ થાય. જિનશાસનમાં વાચના પ્રણાલિકાનું મહત્વ છે. સાત માંડલીમાં વાચના માંડલી પણ એક મહત્વની માંડલી છે. ભદ્રબાહુસ્વામી વાચનાચાય એક અને સ્થૂલભદ્રજી વિગેરે વાચના લેનાર પાંચસો સાધુ મહાત્માએ........
વાચના માંડલીમાં જ્ઞાનદાતા એક, જ્ઞાન ગ્રહણ કરનાર અનેક, દરેકની બુદ્ધિની તરતમતા....દરેકના પ્રયત્નની તરતમતા, દરેકના ક્ષચેપશમની તરતમતા દરેકના શાતા અશાતા વેદનીય કર્મીની તરતમતા અને દરેક આત્માની ચાગ્યતાની તરતમતા અલગ, આમ અનેક વિવિધતા વચ્ચે એકતા સર્જવાની.
-
સહાધ્યાયીઓ સાથે પ્રેમ અને સહકાર રહે તે! જ જ્ઞાન પ્રાપ્તિમાં સાનુકૂળતા થાય.
સહાધ્યાયીઓ સાથે શત્રુતા, વૈમનસ્ય, અસહકાર રહે તા જ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિકૂળતા.......
આત્મા જયાં પ્રેમ કરવા જાય ત્યાં ઘેાડી દુશ્મનાવટ કરી આવેજ, આત્મા જયાં કોઈના સહકાર લેવા જયાં ત્યાં
Page #223
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિ બદલે જીવન બદલાશે.
[ ૧૭૯
પક્ષપાત કરી આવે જ. આ આત્માના સ્વાભાવિક હુ છુ કારણે આત્મામાં પેટ્ઠા થયેલ
છદ્મસ્થતાના
નહિ પણ દૃ ણા છે.
અભ્યાસમાં એ વિદ્યાથી બુદ્ધિશાળી હાય પણ પરપર સહકાર આપે તેા મિત્ર બની જાય, નહિતર દુશ્મન અની જાય. એ તેજસ્વી વિદ્યાથી વચ્ચે જ પહેલાં ખીજા નંબરની સ્પર્ધા આયેાજાય. એ તેજસ્વી વિદ્યાથી વચ્ચે જ સહુક!ર અને અસહકાર થાય. એ સમાન શક્તિવાળામાં ચકમક ઝરે. એ તેજસ્વી વિદ્યાર્થી ના દુર્ભાવ, સબ્ય જ્ઞાન પ્રાપ્તિને ત્યાં જ સ્થગિત કરી દે. જ્ઞાનના ક્ષેત્રમાં હજારે પ્રશ્ન આવે, જ્ઞાનદાતા ગુરુને પણ હૃદયને ઈર્ષ્યાભાવ કલાક્તિ કરી દે! ગુરુજીને આ શિષ્ય પ્રિય છે અને આ શિષ્ય અપ્રિય છે. આમ કરી વિદ્યાના વિશુદ્ધ ક્ષેત્રને પણ કુરુક્ષેત્ર અનાવનાર કૌરવાની કચારેય દુનિયામાં ખાઇ નથી ! ! ! એ વ્યક્તિ મળે એટલે કઈક ઊંચા નીચી થાય.
એ સમજદાર વ્યક્તિનુ" મિલન સ ન કરે. એ અસમજદાર વ્યક્તિનું મિલન વિસત કરે
વિદ્યાથીની પ્રારંભિક દશાના પ્રશ્નો, સમસ્યાએ ત્રણ જગતના ગુરુ વીતરાગ પરમાત્મા પાસે રજૂ કરવા પડે તેમ નથી. પરમાત્મા જ વિદ્યાથી ઓની સમસ્યાઓનુ સમાધાન કરે છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ] કલાકારે દોરેલ ચિત્ર એ સર્જન છે.
વિદ્યાર્થી તારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે તે તારે સાથીએ જોઈશે. સાથી તને અનુકૂળ મળશે તે મિત્રતા થવી એ સ્વાભાવિક છે. સાથી પ્રતિકૂળ મળશે તે બ્રહ્મચર્ય જેવું કઠિન વ્રત જરૂરી છે તેમ જ્ઞાન પ્રાપ્તિ માટે અપ્રિય મિત્રનું પણ એકાન્તમાં હિત બોલવું, અપ્રિય મિત્રની પણ એકાતમાં પ્રશંસા કરવી. આ શરત ખૂબ જ જરૂરી છે.
અપ્રિય મિત્રનું જાહેરમાં ખરાબ ન બોલવું, ઘસાતું ન બેલવું, મઢા સામે પ્રશંસા કરવી એ વ્યાપારી પદ્ધતિ છે.
ગુરુએ જે શિષ્યને હૈયાના હીર નિચોવી જ્ઞાન પ્રદાન કર્યા હોય તે શિષ્યની વિચારણા મૌલિક હોય. તેની આચાર પ્રણાલિકા અને ખી હોય! વિદ્યાર્થી એકાન્તમાં અપ્રિય મિત્રની પ્રશંસા કેવી રીતે કરી શકે? તેની મનેભૂમિકા કેવી હોય?
સાધક ! વિદ્યાથી વિદ્યાર્થી વચ્ચે મતભેદ શાના હોય? જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિના, સહાયકતાના. એકાન્તમાં તે વાત ગૌણ બની પિતાને ઈર્ષ્યાળુ સ્વભાવ સન્મુખ આવે છે. જ્યાં આ સ્વભાવ આવે ત્યાં સ્વની પ્રશંસા. અને પરની નિંદા હોય જ. બે ડેકટર એક જ દર્દ અંગે કેટલી જલદ દલીલ અને ટીકા કરતાં હોય પણ જ્યારે કઈ દર્દી આંખના ડોકટરને કહે મને ગળામાં દર્દ છે તે તે ડોકટર તરત કહેશે, પેલા મારા મિત્ર ડોકટર પાસે જાવ. ઘડી પહેલાંના દુશ્મન મિત્ર કેમ બની ગયા? ભાઈ ! અમે
Page #225
--------------------------------------------------------------------------
________________
ફટાગ્રાફરે ખેંચેલે ફોટો એ ઉત્પાદન છે. [ ૧૮૧ દુશ્મન હતાં જ નહિ. અમારા દષ્ટિબિંદુને અમે વધુ સૂક્ષ્મતાથી સ્પષ્ટ કરતા હતા.
એક મહાત્માને જોયેલ. પિતાના પ્રતિસ્પધીસમા એક સાધકની એકદમ કડક સમીક્ષા તેની રૂબરૂમાં કરતા હતા. પણ તેની ગેરહાજરીમાં તેમના શાસ્ત્રીય જ્ઞાનની અનમેદના કરતા હતા, અને કહેતા હતા, મને ચર્ચા વિચારણા કરતા મઝા તે પેલા મારા આલેચક મહાત્મા સાથે આવે. મારી વાતને તેઓ જેટલો વિરોધ કરે, તેટલું હું ઊંડું વિચારું, સાચું કહું તે તેમના પ્રશ્નોએ વિરેલ્વે મારા જ્ઞાનને સ્પષ્ટ કર્યું. જાહેરમાં મતભેદના કારણે અમે મિત્ર ના હોઈ શકીયે પણ એકાન્તમાં મારે તેમની સાથે મતભેદ નથી તેમની પ્રશંસા કેમ ના કરું ?
અપ્રિય મિત્રની એકાન્તમાં પ્રશંસા તે જ કરી શકે કે કલેશ, વેર, વમનસ્યના મૂળ જેની હૃદયની ધરતી ઉપર જામી ન ગયા હોય! વૈર, વમનસ્યવાળ આત્મા બ્રાંત બને છે. વિચાર અને વિવેક વિના જ્ઞાન પ્રાપ્તિની ગ્યતા પ્રગટ થતી નથી.
ભલા સાધક! ગુરુ તને હંમેશા જ્ઞાન આપવા આતુર છે. પણ વિચાર અને વિવેકના લોચન જાગૃત રાખે છે ! વિચાર વિવેકના લોચન ત્યારે જ જાગૃત રહે કે જ્યારે મન સંબ્રાન્ત ન હોય. મન તેનું જ અસંભ્રાન્ત રહે કે જેને આત્મા
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
કૃપણ એટલે ટાટ દાનવીર.
સમતા સરોવરમાં સ્નાન કરતા હાય, ખસ, આ મૌલિક ચૈાગ્યતાને સમજ અને મૌલિકતા પ્રાપ્ત કર.
મહાત્મા ! વિદ્યાર્થી અવસ્થાની વિષમતા સમજ્યે.. જ્ઞાન પ્રાપ્તિની અવસ્થા સમયે. ખસ મને જોઇએ અયિસાવિ મિત્તસ રહે કલ્યાણ ભાસઇ”ની અનુપમ શક્તિ. જેનાથી હુ` સમુદાયના પ્રત્યેક જ્ઞાનીના અનુમેદક ખનું, ચાહક અનુ અને હિત-સાધક અનુ એજ નમ્ર વિનતિ.....
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૮, સમણા વિસ્સામુ ગુણાહધારી
રાજા અનેક થયા પણ....સંપ્રતિ મહારાજાએ સિદ્ધ કર્યું' કે પેાતાના જન્મ, ધરાને જિનમ ંદિરથી મંડિત કરવા થયે: છે. નગરશેઠ અનેક થયાં પણ....ભામાશાએ સિદ્ધ કરી આપ્યુ ́ કે મારી સંપત્તિ ‘મા’ ભામની રક્ષા કાજે છે. આચાય ભગવ ંત અનેક થયા પણ....હેમચંદ્રાચાય મહારાજે સિદ્ધ કર્યુ કે મારે જન્મ ગ્ર ંથ સર્જન અને રાજવી પ્રતિોષ માટે છે.
પ્રત્યેક વ્યક્તિને, પેાતાનું ધ્યેય સ્પષ્ટ થવુ જોઇએ, ધ્યેય સ્પષ્ટ થયા બાદ ધ્યેયની પાછળ ફના થવાની અડબ નેમ જોઇ એ....જગતમાં મહાન ધ્યેય પાછળ મરી મીટનાર ધ્યેયવાદી કેટલા ? દરેક સ્ત્રી ઝાંસીની રાણી ના ખની શકે, ઝાંસીની રાણી તે તેજ ખની શકે જે સ્વતંત્રતાની ક્રાંતિ માટે સાચુ બલિદાન કરી દે,
સાધક !
જે વ્યક્તિને પેાતાનું ધ્યેય યાદ કરવું પડતું હાય તે ધ્યેય પ્રાપ્ત ન કરી શકે. પણ જેની જાણતાં કે અજાણતાં પણ થઈ જતી પ્રવૃત્તિ તેના કરતી. હાય તે જ ધ્યેય પ્રાપ્ત કરી શકે ! તું શ્રમણ થયે પણ પ્રેમ કરનાર મજૂર નહિ.
ધ્યેયને જ વ્યક્ત
સમતા માટે....ક્ષમા માટે....શ્રમ કરનાર ક્ષમા શ્રમણ
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૪] મહાન હેય તેજ મહાનતાના ભાવ સમજી શકે છે.
મેક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર નિર્ચય.
તારી ઉદઘોષણાથી તારા બુલંદનાદથી વિશ્વને ગુજિત કરી દે. હું જ્ઞાની બનવા જ સાધુ બન્યું નથીહું તપસ્વી . બનવા જ સાધુ બન્યો નથી, હું ગુરુ બનવા જ શિષ્ય બન્યું નથી પણ મારી મેરુસમ અડગ પ્રતિજ્ઞા છે. “સમણા વિસ્સામુ ગુણેહધારી મને એક ગુણથી ના ચાલે બે ચાર ગુણથી સંતોષ ના મળે. દસ-પંદર ગુણોથી મને તૃપ્તિ ના થાય. મારા સેણલાં–મારા મરથ અનંતગુણ પ્રાપ્તિના છે. અનેક-અનુપમ ગુણ પ્રાપ્ત કરવા જ સાધુ થઈશ. આ જેનું વ્રત હોય તેવા સાધકને દિક્ષાના પ્રથમ દિવસથી કે પુરુષાર્થ હોય? કેવી તાલાવેલી હેય? કેવી ઝંખના હોય? ' જેટલી મુસાફરી–પ્રવાસ દીર્ઘ હોય તેટલી એકસાઈ
અધિક જોઈએ. દીર્ઘ પ્રવાસી સમયને દુરુપગ કરે તે સમય વ્યતીત થઈ જાય અને શુભ ઘડી પ્રમાદમાં ચાલી જાય. કરે અબજોને વેપારી પણ ચોકસાઈ ભૂલી જાય તે કરોડોના નફાના બદલે કરોડોનું નુકશાન નિશ્ચિત...!
જેટલી જવાબદારી મહત્વની હેય તેટલી ગણત્રી પણ પાકી હેવી જોઈએ.”
એક મહાનુભાવને પિતાનું ઘર વીજળીના પ્રકાશથી મંડિત કરવું હતું. તેણે પ્રયત્ન કરી ખૂબ દૂરથી કનેકશન લીધું. માર્ગના દરેક સ્થળે વાયર સુરક્ષિત રહે તેનું ધ્યાન
Page #229
--------------------------------------------------------------------------
________________ ભોગની સ્પર્ધામાં સફળતા ન મળે પૂર્ણતા ન મળે. [ 185 રાખ્યું. તે માટે અગાધ પરિશ્રમ કર્યો બધું તૈયાર કરી ચાંપ દાબી પણ પ્રકાશ ન થયું. ગણત્રીમાં બે ઈચને જ ફરક હતા, બે ઈચ વાયર ઓછો પડે. આખેય આયેજિત પ્રસંગ અંધકારમય ગયે માત્ર બે ઈચની ગણત્રીના ફરકથી. પેલા મહાનુભાવ વિચાર કરે છે, જરા ગણત્રી કરતાં ખ્યાલ રાખ્યું હોત તે... કઈ પણ વાતમાં ચેક સાઈ-જાગૃતિ ખૂબ જરૂરી છે. એક દિવસ એક ભાઈ સાથે વાત થતી હતી. એક કિમિટર ચાલતાં તમને કેટલી મિનીટ થાય? તેઓએ કહ્યું, “અમને 10 મિનીટ થાય. અમે કહ્યું “અમને તમારા કરતાં ફક્ત બે મિનીટ વધારે ખાસ ફરક નહિ બે મિનીટમાં શું વહેલું-થઈ જાય? ચલેગતિમાં ખાસ ફરક નથી. પેલા ભાઈ ગયા પણ મનમાં વિચાર મૂકતા ગયા. એક કમિટર ચાલતાં તમને દસ મિનીટ, અમને બાર મિનીટ, બે મિનીટ ફરક. પાંચ કીલેમિટરે કેટલે ફરક વધે? અમે એક કલાકના પાંચ કીમિટર ચાલી શકીએ. તેઓ એક કલાકમાં છ કમિટર ચાલી શકે. મુસાફરીને પ્રારંભ સાથે કર્યો પણ નક્કી સ્થળે પહોંચતા તેઓ એક કીમિટર અમારા કરતાં આગળ. દસ મિનીટ વહેલા. વિહારની ધારણા હતી 24 કલેમિટરની. અમારે અને તેમને ફરક વિચાર્યો. બે મિનીટની ધીમી ગતિ અને બે મિનીટની ઝડપી ગતિએ કહ્યું તમે 288 મિનિટે વીસ કીમિટરનો પ્રવાસ પૂર્ણ કરે અને પેલા ભાઈ 240
Page #230
--------------------------------------------------------------------------
________________ 186] જે ઉત્સાહી છે તે જ જીવંત છે. મિનિટમાં ચોવીસ કીલોમીટર પહોંચી જાય. બે મિનિટના ફરકે 48 મિનિટનો ફરક સિદ્ધ થયે. બે મિનિટની શીવ્રતા અને મંદતામાં આટલે મોટો તફાવત પડી જાય તે એકાદ ગુણનું લક્ષ્ય અને અનેક ગુણના લક્ષ્ય વચ્ચે કેટલે મેટા તફાવત પડી જાય? લાંબી મુસાફરીમાં ધીમાશ ના ચાલે. મોટી કંપનીમાં પાઈને ગોટાળે ના ચાલે. ત્યાં બધું આયોજનપૂર્વકનું, વ્યવસ્થાપૂર્વકનું, પદ્ધતિપૂર્વકનું જોઈએ. સાધક ! અનેક ગુણ મેળવવા તું શ્રમણ થયે છે તારા શા સત્કાર કરું ? જે યુગમાં છીછરાશ, તુચ્છતા અને સસ્તી કીતિને સુલભ માગ જલ્દી પસંદ કરાય છે ત્યાં તે પદવી પર પસંદગી ના ઉતારી, પણ ગ્યતાને અભિનંદી. ધન્યવાદ તને ! પદ-સત્તાના સેહામણું સ્વરૂપ પાછળ કંઈક માયા કપટના કંઈક કાળા કલંક દેખાશે. કેટલાંય દીક્ષાથી અને કેટલાય નૂતન દીક્ષિતને મળવાનું થાય છે. સ્વભાવ મુજબ પ્રશ્ન થઈ જાય છે, દીક્ષા શા માટે લીધી? પહેલાં તે મારા પ્રશ્નથી ઘણી હસે છે કેટલાક ચીડાય છે તે કેટલાકને વિચિત્રતા લાગે છે. આ તે કંઈ પ્રશ્ન છે; તે કેટલાક અન્ય મહાત્માઓ પાસેથી મેળવેલ ઉધાર જવાબ આપે છે “મેક્ષ જવા કર્મક્ષય કરવા આ પ્રશ્નોત્તર મારા ગુરુદેવ અને મારી વચ્ચે પણ
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રાયશ્ચિત=ભવિષ્યકાળને સુધારવાની કળા. [ ૧૮૭* થયેલ. દીક્ષા લીધી હોય કે લેવાની હેય, ઓઘ સંજ્ઞા મુખ્ય બની હોય અને ધર્મસંજ્ઞા ગૌણ હોય તે આવા
ટાળાવાળા જ જવાબ મળવાના. જવાબમાં જ્યાં ગોટાળા - ત્યાં પ્રાપ્તિ શું ?
મને બરાબર યાદ છે મારા ચૌદમા વર્ષે એકાવન. આયંબિલ થયાં ત્યારે તારક પૂ. ગુરુદેવે પ્રશ્ન કરેલ, આયંબિલથી મેળવ્યું શું? બાલબુદ્ધિ અને જવાબ આપવાની ઉતાવળ, આપે શું આપ્યું ? આપે ન આપ્યું તે મને મળે શું? હાસ્યમાં તે વાત સમાપ્ત થઈ. પણ મને આજેય. તે પ્રશ્ન અને તે પ્રસંગ આંખ સામે ખડે થાય છે ત્યારે પ્રશ્ન થાય છે મેળવ્યું શું ? અને ખૂણામાં બેસી નિસાસો નાંખી કહેવું પડે, આયંબિલ કરવાના, એમાં મેળવવાનું શું? તે સમજ્યા ન હતા. તેમ સાધક સામે પણ વિશ્વના અનેક માનવના પ્રશ્ન આવવાના. દીક્ષા કેમ લીધી? ઉત્તરાધ્યયનસૂત્રના ગેખેલા શબ્દો બેલી દઈશ “સમણ ભવિસામુ ગુણોતધારી ” જવાબ આપવામાં ઉતાવળ તે ખૂબ કરી પણ જ્યારે ઉલટ પરીક્ષા શરૂ થશે ત્યારે કયાં તે આકાશ સામે જેવું પડશે કે કયાં તે ધરતી પેદવી પડશે. છેવટે માથું ખંજવાળતા ઈશારાથી કહી દઈશું તમારો પ્રશ્ન સમજવાની બુદ્ધિ નથી. બસ, એટલું સમજીએ કે અનેક ગુણે લેવા દીક્ષા લીધી છે.
જે ગુણને ચાહક હોય તેની ગુણીજન સાથે કેવી. મૈત્રી હોય? ગુણના કેટલા સન્માન હેય? ગુણને કેટલે
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
પુણ્યાઇએ કમના ઉદય છે.
પક્ષપાત હેાય ? ગુણની કેટલી પ્રશંસા હૈાય ? ગુણના કેટલા અહુમાન ડેાય ? ગુણીજનોના કેવા નમ્રસેવક હોય ? ગુણના ચરણકમલમાં શિર ઝુકાવી હાથ જોડી પૂછે, ‘હું પણ તમારા માગ ના પ્રવાસી છું, મારે ગુણી ખનવુ છે, તમે મને બતાવા તમે કેવી રીતે ગુણા મેળવ્યા ? આપના માના સહાયક પીઠબળ કયા ? વિઘાતક પરિબળા કયા ? એક જ ગુણની પ્રાપ્તિમાં કેટલાં વર્ષો લાગ્યા ?
જે સાધકની પાસે ખુદના સાધુ જીવનની ચાજના ન હેાય તે સદ્ગુણી ખની શકે ? તેની પાસે સંપૂર્ણ સમયપત્રક હેાય. એક પણ ક્ષણ એક પણ તેની નિરઅેક ન જાય દીક્ષા લીધા એક વર્ષી થયુ. સાધકની નોંધમાં લખાઈ ગયું હાય ગુરુકૃપાએ એક સદ્ગુણ અન્ય. એક દુર્ગુણ ગયા. બીજા વર્ષોંની મારી ભાવના છે આ દુર્ગુણ હટાવવાની, આ સગુણ પ્રાપ્ત કરવાની.
ગુણી મનવા જેણે દીક્ષા લીધી હાય તે કદાચ સંપૂર્ણ ગુણી ખની ના શકે, કદાચ તેના પરાજય પણ થાય છતાં તેના પરાજ્યમાં પણ તેના પરાક્રમની યોાગાથા છૂપાયેલી હાય ! આ જન્મમાં ગુણવૃક્ષનું ખીજ ભાવનાથી પાશે. આવતા જન્મમાં ગુણનું વટવૃક્ષ ફળ્યુ.ફાલ્યું થશે. જયાં હુજારા કષાય સતસઆત્મા શાંતિથી શીળી છાયા, મેળવી ધન્ય બનશે !
Page #233
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૯
પુણ્યની સમજ એ કમના ક્ષચેાપક્ષમ છે.
પ્રભુ !
આ મહાપ્રતિજ્ઞા સિંહઁસમા શૂરવીર મુનિની છે. જેમના વૈરાગ્યની તાકાત છે બ્રાહ્મણ, પતિ, માતા–પિતા તથા ક્ષત્રિય રાજાને પણ વૈરાગ્યવાસિત કરી પ્રવજયાના . પુનિત માગે લઈ ગયા.
સતીને જયારે સત્તુ ચઢે ત્યારે તેની દિબ્યપ્રભામાં વાંરાગના પણ કુલવધુ બની જાય તે... વૈરાગીને વૈરાગ્યના ઘેન ચઢયા હાય; જેણે વૈરાગ્યના કેસરિયા કર્યા હાય ત્યારે - અનેક લગ્નાથી ના પણ મેાહું હારી જાય....ભાગી જાય. પ્રભુ !
પ્રતિજ્ઞા આપના ચરણમાં કરું છુ. ગુણી અનીશ ! હવે ગુણી મનવા પુરુષાથની યાત્રા શરૂ કરીશ.
બસ,
મારી યાત્રા સફળ થાય તેવા દ્વિવ્ય વરદાન આપે એજ અભ્યર્થના.....
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૯. ધમ્મારામે ચરે ભિક્′′
Y
જે દેશ ઉપર રાહુને પ્રભાવ હેાય ત્યાંના લેાકે સહજ કાળા હાય છે, જે દેશ પર શુક્રના પ્રભાવ હાય ત્યાંના લાકો સફેદ હોય છે. જે વ્યક્તિના જન્મ લગ્નમાં શનિ રાહુ જેવાં ગ્રહ હાય તે વ્યક્તિ કાળી હેાય. જે વ્યક્તિના જન્મલગ્નમાં શુક જેવા ગ્રહ હોય તે વ્યકિત હમેશા ગેારી હાય !!
#
જેમ વ્યક્તિની મુખાકૃતિ તેનું જન્મલગ્ન કહી દે છે. તેમ જન્મલગ્ન જાણનાર અજાણુ વ્યક્તિની મુખાકૃતિ પણ કહી દે છે. કાય થી કારણનુ અનુમાન થાય. અને કારણથી કાર્ય નુ' અનુમાન થાય. પૂજાની સામગ્રી છે તે પૂજક છે. પૂજય છે તેા પૂજાની સામગ્રી હાવી જોઈએ. છે
સાધક ! કેમ આત્મ રવભાવમાં લીન હોય ? વિશ્વના કોઈ પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શે અને શબ્દના આકષ ણ સાધુને કેમ ન થાય ? વિશ્વની કોઈ પણ રૂપવતી યૌવના સામે સાધુની આંખ કેમ ઊંચી ના થાય ? વિશ્વની કોઈ પણ પરિસ્થિતિ સાધુને કેમ સ્વભાવમાંથી વિચલિત ના કરે ?
નંદનવનમાં ટહેલતાં વ્યકિતની દૃષ્ટિ ખાવળના ઝાડ પર જાય ? કાશ્મીરના સૌ ને જે નિહાળી રહેલ હાય તેને રાજસ્થાનના રણની સ્મૃતિ થાય ? હિમગિરિના ઉત્તુંગ
Page #235
--------------------------------------------------------------------------
________________
સાધુજીવન એટલે પ્રતિકૂળતાના સ્વીકાર [૧૯૧
શિખર ઉપર ઊભેલાને નાની નાની ટેકરી પર ચઢવાનુ મન થાય ?
માનવમન એવું છે પેાતાની પાસે રહેલ પદાથ ઊણપભર્યાં લાગે, પેાતાને તે વસ્તુથી સંતાષ ન હોય... પેાતાની વસ્તુ અમૂલ્ય ના લાગતી હોય તે જ દુનિયામાં ગમે ત્યાં ડાફોળિયા મારે, પછી ભલે પ્રાપ્તિ કઇ ન હોય પણ ચંચળ મનની રઝળપાટ અપાર હાય.
એક જાદુગર એક મહાત્મા પાસે ગયા. જેના જાદુને જોવા અને જે જાદુને જોવા, લાખાની સંખ્યામાં માનવ મેદ્યની એકત્ર થતી. તે જાદુગર મુનિના ચરણમાં આવ્યા. મહાત્મા ! મારી જાતુવિદ્યા જીવે. ખૂબ આશ્ચય કારક છે, ખૂબ આકર્ષક છે તમને મજા આવશે. સાચું કહું છું. તમે મારી જાત્તુવિદ્યા જોઈ આફરીન થઈ જશે!. મહાત્મા કહે છે,” ભાઈ ! મારી પાસે તે તને જવાબ આપવાની ય સમય નથી. પણ તારા જેવા ભલા માણસને જવાબ આપવા જોઇએ. એકવાર હું પણ મૂખ` હતા. ગમાર હતા. ભાગીને, દોડીને, પૈસા ખચી ને કોઇના ચાળા જેવા જતા. કાંય આશ્ચર્યકારક અને અદ્ભૂત કહે ત્યાં તુરત દોડી જતા.”
ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ઘૂમ્યા. મને સતાષ ના થયા. વિશ્વના પ્રવાસ કર્યાં પણ કચાંય શાંતિ અને આનંદ ના મલ્યા. હૃદય અતૃપ્ત હતું એટલે આંખે અતૃપ્ત બની હતી. અતૃપ્ત આંખે દેખેલ દુનિયાના દિલમાં
STD
Page #236
--------------------------------------------------------------------------
________________
-
૧૯૨ ] સેવા નમ્રતા ભાવને પેદા કરનાર છે. આકર્ષણ જાગ્યા. જાતિ કુલ, વયની મર્યાદા ભૂલી પતનની ઊંડી ગર્તામાં ધકેલાવાને હતું. ત્યાં પરમાત્મા મહાવીરનું પદાર્થ વિજ્ઞાન સમજાયું. જડ અને જીવના આવિષ્કાર સમજાયા...પુદ્ગલનું બંધારણ સમજાયું. પુદ્ગલના સ્થિર ધર્મ અને અસ્થિર ધર્મ સમજાયા પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ આ વિસથી વિભિન્ન ઈદ્રિયને આક"નારે કઈ પુદ્ગલને ધર્મ ન હોય, કોઈ પણ પુદૂગલમાં ઓછામાં ઓછો એક વર્ણ, એક રસ, એક ગંધ અને સ્પર્શ હોય એટલે જ્યારે દુનિયાને જોઉં છું ત્યારે વિચારવા લાગી જાઉં છું. કયા કયા કર્મની મુખ્યતાએ આ માનવ ધોળે, આ માનવ કાળે, આ આકર્ષક આ અનાકર્ષક, આ પ્રિય, આ અપ્રિય, આ સુસ્વરવાળો, આ. દુસ્વરવાળે, આ ઊંચે, આ નીચે. માશ તત્વજ્ઞાનના અભ્યાસ માટે આ બધી એટલી સામગ્રી આવે છે. કે તેનાં જ ચિંતનમાં લાગી જાઉં છું. આ ચિંતનમાં મને એટલા જાદુ દેખાય છે કે સર્જન તમારા જાદુ જેવાને મને સમય જ નથી. માફ કરજે...”
આ કઈ વ્યક્તિની વાત નથી. પણ સાધુતામાં મસ્ત સમસ્ત સંત મહંતની કહાની છે. કેટલીયવાર અમે અમારા તારક ગુરુદેવને જોયા છે. ભક્તોના ટોળામાં કંટાળી જાય. છે. સુંઝાઈ જાય છે. થાકી જાય છે. છેવટે શરીર પર પણ આ અણગમાની અસર થઈ જાય છે. અને તે જ સમયે પ્રભુભક્તિ કે શાસચર્ચા આવે તે, સ્કૂતિથી, શાંતિથી,
Page #237
--------------------------------------------------------------------------
________________
સેવા=સવ પ્રકારની શક્તિને ખેંચી લાવનાર કળા. [ ૧૯૩ આનંદથી, અને ખી અદાના દર્શન થાય છે. કયારેક અજ્ઞાન વશ પૂછી દઈએ છીએ ‘‘સાહેબજી ! ઘડી પહેલાની પરિ સ્થિતિ સાચી કે આ વર્તમાનની પરિસ્થિતિ ?” ગુરુદેવ કહે ! અને પરિસ્થિતિ સાચી.
મને તે! દુનિયાથી અને દુનિયાના લેાકથી કંટાળે આવે છે. મને થાય છે, કે આ બધાથી આગમ વાંચનમાં અંતરાય થાય છે. જિનભક્તિમાં વિઘ્ન થાય છે. જ્યાં આન આવે ત્યાં સ્મૃતિ અનુભવાય. જ્યાં કંટાળા આવે ત્યાં થાક લાગે, અસ, ચલા કરવા દો વાંચન....પાછા શાસ્ત્ર વાંચનમાં લીન અની જાય છે.
શાસ્ત્રામૃતના પાન કર્યાં છે તે મુનિને વિશ્વના આક `ણુ ન હેાય. આત્માના સૌમાં મુગ્ધ બનેલ મહાત્મા પુદ્ગલની લીલાથી ખુશ થાય ? ના-ના એતા ઊંચી આંખ કરીને પણ ના જુવે.
..
વર્ષાઋતુ છે, મેઘલી રાત છે, ચિત્રશાળાનુ' ઉન્મત્ત વાતાવરણ છે, એકાન્ત છે. પૂવ પિરિચત રૂપકાશાનુ' નૃત્ય છે. ત્યાં મહાત્મા સ્થલિભદ્રએ બ્રહ્મચર્ય-સમાધિમાં લીન અનીને રૂપકશાને એક જ જવાબ આપ્યા. “ધમ્મારામે ચરે ભિક્”–મારા દેહ તારી સામે છે પણ મારો આત્મા તે ધર્મના નીંદનવનમાં સહેલગાહ કરે છે, જેમ શમને તારી
૧૩
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૪ ]
ભવાભવના અંધાપાને દૂર કરે તે ગુરુ.
કઈ અસર ન થાય તેમ મારા શરીરને તારી અસર ક જ નહિ થાય. !
સાધુને વિશ્વના આકષ ણ જ્યારે ધર્મના નંદનવનથી દૂર જાય ત્યારે જ થાય. ધર્મના નંદનવનમાં વિચરતા મુનિને વિશ્વના આકષ ણ છેડવા પડતાં નથી પણ છૂટી જાય છે. સાધુના ધર્માં આરામ ( બગીચા ) કયે ? જ્યાં સાધુના આત્માને આરામ મળે અને મે!હુને વિરામ મલે તે સાધુને ધમ આરામ....સાધુનું નંદનવન
નંદનવનમાં જેમ વિવિધ સુગ ંધી પુષ્પ છેડ હાય, શીતળ છાયાદાયક વટવૃક્ષ હાય, મુક્ત સ્વૈર વિહાર કરતાં પ`ખી ગણુ હાય, વૃક્ષ અને છેડને નવપલ્લવિત કરતી જલની નીક હાય....સ્થળે સ્થળે આનંદ પ્રમોદ કરવાના ફ્રીડાગૃહા હાય તેમ
આ ધામમાં પણ વિવિધ શાસ્ત્રગ્રંથના અભ્યાસ રૂપક અનેક પુષ્પ છેડે છે. આ ધર્માંરામમાં ખાર પ્રકારના તપ રૂપ શીતળ છાયાદાયક મેટા વૃક્ષ છે. વૃક્ષ છેડાને નવપલ્લવિત કરતી ખાર ભાવના રૂપ જળ નીકા છે. સ્વર વિહાર કરતાં પ ંખી સમા આલસાધુએ છે. ઉન્મુક્ત ભાવે ચેષ્ટા કરતાં યુવાન જેવા આ ધર્માંરામમાં ઉત્સ માગે આગેકૂચ કરતાં જિનકલ્પી તુલ્ય સાધુ મહાત્માઓ છે. શરીર સ્વાસ્થ્ય માટે ધીમે ધીમે ફરતાં આરાગ્ય ચાહક સહેલગાડી જેવા અહી' ગ્લાન મહાત્માએ છે. જેઆ અપવાદમાગ ને સહારો લઈને પણ ધર્માંના નંદનવનમાં કિલ્લાલ કરે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા એ અનેક અનુભવોની જનની છે. [ ૧૫
UF નંદનવનને મહિમા ગાતા જેમ કિનારે અને યક્ષ છે. તેમ ધર્મના નંદન વનમાં ધર્મને મહિમા વર્ણવતા પ્રવચન લબ્ધિવાળા મહાત્માઓ છે. જેમ નંદનવનમાં કીડા ગૃહે છે. ધર્મના બગીચામાં તીર્થો છે. જ્યાં ભક્તિનું રસસાધુર્ય લૂંટાય છે. આ નંદનવનના સ્વૈરવિહારીને વિષયના આકર્ષણ થતાં નથી. વિષયના આકર્ષણ જનક બધા સાથીઓ પસંદ આવતા નથી. બસ, આ આભમસ્તી એટલી સહજ થઈ ગઈ હોય છે કે તેને જ્ઞાનની ચર્ચામાં અને આત્માનંદમાં પરમ શાંતિના દર્શન થાય. એટલે જ કહ્યું છે. ધર્મના આરામમાં વિચરે તેને બ્રહ્મચર્ય સમાધિ મળે. પ્રભુ !
મને આપે અપ્રમત્તભાવના ધર્મ ઉદ્યાનમાં પ્રવેશ. જ્યાં હું પણ આત્મિક સૌંદર્યના અમપાન કરી બ્રહ્મચર્ય સમાધિ પ્રાપ્ત કર્યું. એજ અભ્યર્થના...
Page #240
--------------------------------------------------------------------------
________________
૩૦, ““ઝાયઈ ખવિયા
લાસવે
UR
વ્યક્તિ પાસે જીવનને હેતુ હોય છે. મૂલ્યાંકન હેય છે, એય હોય છે. પણ સ્વનું જેટલું મૂલ્યાંકન ઊંચુ તેટલું દિવ્યેય મહાન, જ્યાં સ્વનું મૂલ્ય ન સમજાય ત્યાં સ્વના જીવન દ્વારા પ્રાપ્તિ શું ? એ કયાંથી સમજાય?
બાળક જેટલી સ્વભાવિક્તાથી કાગળના ટુકડાને ફાડે છે. તેટલી જ સ્વભાવિકતાથી હજાર રૂા. ની નેટને ફાડે છે. કેઈ વડીલ તેના પર ચિડાય છે ત્યારે બાળક મુંઝાય છે શા માટે આ લેકે મારા પર ચિડાય છે? તેઓને એક નહિ દશ કાગળના ટુકડા હું લાવી દઈશ. !
વડિલ બાળકને કેવી રીતે સમજાવે? કાગળના બે ટુકડા, જેને તું સમાન કહે છે. તે બે વચ્ચે ખૂબ તફાવત છે. એક કાગળથી તને બે મહિના સુખે જીવી શકાય, તેટલી આ જીવનની બધી સામગ્રી મળે. બીજાથી કશું ના મળે. તારી સમાનતાની માન્યતા ભલે સાચી હોય પણ આ બે વચ્ચે આટલી બધી વિષમતા છે, આટલો બધો ફરક છે.
પણ-જ્યારે બાલકમાંથી બાલ્યભાવ ચાલ્યા જાય અને દરેક વસ્તુની જિજ્ઞાસા પેદા થાય ત્યારે, અવશ્ય સમજાવી શકાય. તેમ જ્ઞાની બાલક જેવા આપણને કેવી રીતે આત્માના મૂલ્ય સમજાવે ? માનવ જન્મના મૂલ્ય સમજાવે? દારિક
Page #241
--------------------------------------------------------------------------
________________
સાધુ જીવન એટલે અનુકુળતાને તિલાંજલિ [ ૧૯૭ શરીરની કિંમત સમજાવે અને પચેન્દ્રિયના મહિમા સમજાવે ?
વિષય અને કષાયમાં આસક્ત માનવ કયારેય પાંચ ઇન્દ્રિયના મહિમા સમજી શકે ? તેની સાચી કિ’મત આંકી શકે! ઝવેરી સિવાય કાણુ કાચના ટુકડામાંથી હીરા પારશ્રીને અલગ કરી શકે ? નિષ્ણાત સિવાય કાણુ તફાની ઘેાડામાંથી જાતિમાન ઘેાડાને અલગ કરી શકે ? ગુરુ સિવાય કોણ પાપીમાંથી પવિત્ર આત્માને શોધી શકે ? તી કર પરમાત્મા સિવાય તાફાની ઇંદ્રિયા દ્વારા જાફાન શાંત કરાવવાનું કામ કેણુ કરાવી શકે ?
ટાળુ તેમાં અનાડી જંગલી ટોળા પર પ્રભુત્વ મેળવવું હાય તે શું કરવુ? કયારેક નાના ગામડાઓમાંથી આદિવાસીના ઝૂ પડામાંથી પસાર થાવ. એક એક વ્યક્તિને તમે સમજાવવા જાવ, જોઈ લે! તમારી મજા ! પહેલાં તે તમને કોઇ સાંભળવા જ તૈયાર થાય નહિ. કોઇક સાંભળે તે પણ તમારી મશ્કરી કરે. કુતર્ક કરે. પણ જો તમે ટાળાના આગેવાનને પકડા. તેને સમજાવે. ટેળાનેા નાયક શરણે આવી જાય તે ટાળુ તમારું આજ્ઞાંક્તિ શિષ્ય મંડળ થઈ ાય. કોઈ પણ તમારા વિરુદ્ધ એક વચન તેા ના બેલે પણ ઊંચુ માથું કરીને ય ના જુવે !!
4
જગતમાં સૌથી મોટામાં મોટા પક્ષ કને! મનને તેની ટાળીએ કેટલી? અઢાર. અઢારના વિભાગ, પેટા વિભાગ, તેના સભ્યે! કેટલા લાખા કરેડા-અમજો નહુ....અસભ્ય નહિ
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ]
માલિક બનવાના શોર્ટ કટ છે ત્યાગ
અન ત અનંત તેના સભ્યા. આ બધાને કેવી રીતે કાબુમાં લેવાય ? એક જ રસ્તે-મનને કાબુમાં લે! પણ 'મન એવુ માતેલા સાંઢ જેવુ છે જે તેને પકડવા જાય તેને શિંગ મારે, જ્યાં મૂકે ત્યાં તેાફાન કરે. છતાં તીર્થંકર પરમાત્માએ મનની શરણાગતિના રાજમાર્ગ દેખાડયે છે....ધ્યાન
ધ્યાનમાં તાકાત છે. મન કાજીમાં આવી જાય છે. ઇન્દ્રિયે! કહ્યાગરી-આજ્ઞાંકિત ખની જાય છે. સમત આશ્રવે સવમાં પરાવિત થઈ જશે. કેમ મધની શકિત કર્મીનિરામાં સહાયક બની જશે. ભવભ્રમણ કરનાર આત્મા મુકિત મહાલયમાં નિવાસ કરશે. આ છે ધ્યાન પ્રક્રિયાની અદ્ભુત શિત.
વિશ્વમાં જ્યારે આરાધના સાધનાના મઢે ધ્યાનને દુરુપયોગ, સુલભ પ્રીતિ અને ઐહિક આકાંક્ષા માટે થઈ રહ્યો છે ત્યારે ઉત્તરાધ્યયન સૂત્રનુ “ ઝાયક અવિયાસવે ’ પદ્મ ધ્યાન સાધકને એક અનેાખી ક્રિશા તરફ આંગળી ચીધે છે!
ધ્યાન કેાણ નથી કરતું ? જૈન શાસ્ત્ર કહે છે, ધ્ય!ન અનેક પ્રકારના હૈાય છે. આ ધ્યાન, રૌદ્રધ્યાનનું સામ્રાજ્ય સ’સારી જીવમાત્ર ઉપર ફેલાયેલુ છે. સાધુ મહાત્માઓ, ધમ ધ્યાન અને શુકલધ્યાનમાં મગ્ન હેાય. પણ, ધ્યાન સને હાય. પાણી સ્વચ્છ પણ હેાય અને ગંદુ પણ હેય. ગંદા પાણી માટે કોઇને પ્રેરણા કરવાની ના
Page #243
--------------------------------------------------------------------------
________________
સત્તા ચલાવવાને સુંવાળો માર્ગ છે નમ્રતા. [ ૧૯૯ હેય. ગંદુ પાણી તે આપે આપ પેદા થઈ જાય. સ્વચ્છ પાણી માટે મહેનત કરવી પડે. પ્રેરણા કરવી પડે. અનાદિ કાળથી આત્મા આતધ્યાન અને રૌદ્રધ્યાનમાં લીન બને છે અને તેના જ કારણે જન્મ મરણ રાગ દ્વેષનું ચક અવિરત ગતિએ ચાલ્યું છે.
મહાત્માની પ્રેરણા ફક્ત ધ્યાન માટે નથી. આત્મ ધ્યાન માટે છે કારણ જ્યાં સ્વાર્થ ભાવના છે ત્યાં પ્રત્યેક માણસ સાવધ અને ધ્યાનેગી છે જ !
વિશ્વ વિદ્યાલયમાં મહાત્ સંશોધન કરતાં મહાન વિદ્વાનોની તીક્ષણ બુદ્ધિ જે હોય છે તેના કરતાં કંઈ ગુણ તણ બુદ્ધિ, વાતને સમજવાની શક્તિ ચંબલના ડાકુઓની હોય છે. દાણચેની હોય છે.
કેટલાંય સાધકનું મોક્ષ પ્રતિ મહાત્માઓનું જેવું લક્ષ્ય હોય છે તેના કરતાં સમડીનું ભક્ષ્ય પદાર્થ તરફ અનેકગણું લક્ષ્ય હોય છે. કાઉસગ્ગ કરતાં આપણી જે મનની, વચનની, કાયાની સ્થિરતા હોય છે તેના કરતાં ખીસ્સા કાતરૂંને ઉપગ અધિક તીવ્ર હોય છે. કુલનારીના હૈયામાં લજજા હેય. તેની આંખ કયાંય ભૂખી ન હોય અતૃપ્ત નજરે તે વિશ્વ સામે ના જુએ..પણ લજાને મૂર્તિમંત બતાવવી હોય તે કુલનારી કરતાં વારાંગના જ તેને સફળ અભિનય કરી શકે !!
* ઉત્તરાધ્યયન સૂત્રકાર પરમાત્મા આપણી અવળી દેટે જાણે છે. અવળચંડી જાત જાણે છે. તેથી જ “ઝાઈ” ન
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સ્વની ભૂલે બીજાને દોષિત કરવા તે
કહેતાં “વિયા સવે ઝાયઈ” કહ્યુ. આ પદ જ કહે છે કે સાધક ! ધ્યાન તે! તે ઘણુ કર્યુ છે. તારા ધ્યાનના ઇતિહાસ, તારું ધ્યાનનું' ચરિત્ર ખૂષ જૂનુ' છે. એક એ, ચાર વર્ષથી તને ધ્યાનની આદત નથી—સુદીર્ઘ કાળથી તને ધ્યાનની આદત છે.
5 મસુવે ફરક લક્ષ્ય બદલવાના કરવાના છે. લક્ષ્ય અદલાશે એટલે ધ્યાન બદલાશે. ધ્યાનની પ્રણાલિકા બદલાશે અને ધ્યાતા– આત્મા બદલાશે અને જ્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એક થશે ત્યારે તુ પણ શુદ્ધ, મુ નિર ંજન, નિશકાર, પરમાત્મા બનીશ!!
વિશ્વમાં ધ્યાનની અનેક પ્રક્રિયા છે, પ્રણાલી છે. કોઇએ ચાગ દ્વારા ધ્યાનની પ્રાપ્તિ કહી છે. કેઈએ પ્રાણાયામ દ્વારા ધ્યાનની પ્રાપ્તિ બતાવી છે. કેાઈએ શ્વાસે વાસાના નિરીક્ષણ દ્વારા ધ્યાનની પ્રાપ્તિ પર ભાર મૂકયા છે. કોઈ એ ષચક્ર ભેદન દ્વારા ધ્યાનની પ્રાપ્તિની વાત કરી છે. કોઇએ શક્તિ પાત દ્વારા ધ્યાનની પ્રાપ્તિના માગ કહ્યો છે. કેઇએ તાંત્રિક સાધન દ્વારા ધ્યાનની પ્રાપ્તિની વાતા વહાવી છે. કોઈ એ માંત્રિક આરાધના દ્વારા ધ્યાનની પ્રાપ્તિ થશે તેમ જણાવ્યું છે. કેઇએ નૃત્ય દ્વારા ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે તેમ વર્ણન કર્યુ. છે. કેઈ એ સ ગીત દ્વારા ધ્યાનની પ્રાપ્તિ ડાંસલ કરવા કહ્યું છે. અને વર્તમાનની કેટલીક વિચિત્ર વ્યક્તિઓએ સભાગ દ્વારા ધ્યાનની પ્રાપ્તિની ભ્રામક વાતે પણ વહાવી છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
મમરવને અંધકાર છે. [ ૨૦૧ કેઈ પ્રિયતમને ખુશ કરવા ધ્યાન કરે છે. કેઈ પ્રિય બનવા ધ્યાન કરે છે. કોઈ ચોરી કરવા ધ્યાન કરે છે. તે કોઈ ચોરને પકડવા ધ્યાન કરે છે. કેઈ સ્વાર્થ માટે ધ્યાન કરે છે. તે કોઈ પરમાર્થ માટે ધ્યાન કરે છે કેઈ સદ્ગતિ માટે ધ્યાન કરે છે. તે કઈ દુર્ગતિ માટે ધ્યાન કરે છે. તે કઈ સદ્દગુણ માટે ધ્યાન કરે છે. તે કઈ દુર્ગુણ માટે ધ્યાન કરે છે. આમ વિશ્વમાં ધ્યાનના લક્ષ્ય પણ અનેક હોય છે. - આ બધી વિવિધતા વચ્ચે દેવાધિદેવે ફરમાવેલા ધ્યાનની વિશિષ્ટતા છે અને ધ્યાન પ્રણાલિકાની પણ વિશિષ્ટતા છે. BR ધાનનું લક્ષ્ય કેઈ ચમત્કાર નહિ, કઈ ભૌતિક સિદ્ધિ નહિ, કેઈ ભક્તની પર્વદા નહિ, કઈ પ્રસિદ્ધિ નહિ બસ આશ્રવને ખપાવવા, કર્મબંધના હેતુને દૂર કરવા, અઢાર પાપથાનકરૂપ કર્મ બંધના બાહ્ય હેતુ દૂર કરવા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગરૂપ કર્મબંધના અત્યંતર હેતુ દૂર કરવા, શ્રવને દૂર કરવા, આશ્રવના હેતુઓને દૂર કરવા, આશ્રવના હેતુભૂત રાગદ્વેષને મૂલમાંથી નાશ કરવો તે જ જૈનશાસનના ધ્યાનનું લક્ષ્ય છે.
પાપ દૂર થવા સહેલા છે. પાપના કારણ દૂર થવા ઘણા કઠિન છે. પાપના કારણ દૂર થવા સહેલા છે તેનાથી પણ અધિક કઠિન છે પાપના કારણે પેદા કરનાર રાગશ્રેષના અધ્યવસાય દૂર કરવા તે. સુલભ સિદ્ધિ સૌ પ્રાપ્ત
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
બાહ્ય કિયા એ ઘરની દિવાલ છે.
કરે, દુર્લભસિદ્ધિ લક્ષ્ય વેધીને જ પ્રાપ્ત થાય. ધનુષ્ય તે ભીલના છોકરા ય ધારણ કરે પણ રાધાવેધ સિદ્ધ તા દ્રોણાચાય ના પ્રિય શિષ્ય અર્જુન જ કરી શકે. તેમ મેાક્ષનુ લક્ષ્ય તા વીતરાગના ઉપાસક જ પામી શકે,
જૈન શાસનમાં ધ્યાનની પ્રણાલી નિરાળી છે. સ્થળસમય અને પ્રવૃત્તિ અહીં. ગૌણ છે. રાગદ્વેષના ક્ષય થાય તેમ રહેવુ એજ મહત્વનુ છે. પછી એ પ્રક્રિયા અણુસણની હે અથવા હસ્તમેલાપની હા....પછી એ પ્રક્રિયા પડિલેહણની હૈ! અથવા શાક સમારવાની હા....પછી એ પ્રક્રિયા માસ ક્ષમણની હા અથવા સ ંવત્સરીના દિવસે નવકારશીની હા. પછી એ ક્રિયા જિનેશ્વરના દનની હા અથવા નૃત્યાંગનાના દર્શનની હા.
એથી જૈનશાસનમાં કહેવાય છે. પુ'ડરીકરવામિ ચૈત્રી પૂનમના દિવસે પાંચ કરોડ મુનિવર સાથે એક માસના અણસણથી મેાક્ષ પધાર્યા અને પૃથ્વીચ'દ્ર ગુણુસાગર લગ્ન મડપમાં કૈવલ્ય પામ્યા. મહાત્મા વક્કલચિરિને પ્રતિલેખના કરતાં જ્ઞાન અને શ્રાવિકાને શાક સુધારતા જ્ઞાન. માસક્ષમણુ દ્વારા મોક્ષ મેળવનાર અનેક તે! કુગડુ મુનિને સ ંવત્સરીના દિવસે આહાર કરતાં કરતાં કેવલજ્ઞાન....સિદ્ધાચલના શિખર પર મેથે જનાર અનેક તે....ઇલાયચી કુમારને નૃત્યાંગના સામે નૃત્ય કરતાં કરતાં કેવલજ્ઞાનું... પુરૢ ભલા....જોજે આ બધી વાતા વાંચી અને અનથ ના કરતા. જિનેશ્વર ભગવતે ઉપદેશેલ આરાધનાના
Page #247
--------------------------------------------------------------------------
________________
આંતર શુદ્ધિ એ ઘરનું ડેકોરેશન છે,
[ ૨૦૩
રાજમાર્ગ છેડી વિરાધનાની ગલીખુંચીમાં ન પેસી જતે. મારે. તે! તને એટલુ જ સમજાવુ' છે કે તારા આત્મા જે અનુષ્ઠાન સહજતાથી આચરી શકે તે તારા માટે ધ્યાનના મા` પછી તે દાનશીલ–તપ-ભાવ કોઈ પણ હાય, ગોચરી, પ્રતિક્રમણ, પડિલેહણ કોઇ પણ હાય, પરમાત્માએ બતાવેલ માત્રુ પરડવાથી પ્રારંભી અણુસણ સુધીની દરેક પ્રક્રિયા એ ધ્યાનને માર્ગ છે. કોઇપણ માગે જા....તારા ક ખ ધના હેતુભૂત આશ્રવને નાશ કરવાના સિદ્ધ કર.
લક્ષ્ય
પ્રભુ !
સમજ્યા આપના ધ્યાન માને...ધ્યાનના લક્ષ્યને. મને આપે! સ્મરણ શક્તિ અને કા શક્તિ. સ્મરણ શક્તિ લક્ષ્યપ્રતિ જાગૃત રાખે. કા શક્તિ આરાધનામાં ઉદ્યત . બનાવે. આપના પ્રભાવે હું પણ અવશ્ય રાગદ્વેષ દૂર.. કરીશ. ખસ, પ્રભુ મારામાં વિશ્વાસ રાખા. કારણ મે આપનામાં વિશ્વાસ રાખ્યા છે....
3
Page #248
--------------------------------------------------------------------------
________________
૩૧. ભગવ! વાહરાહિ મે
隔
જીભ જેને હાય તે દરેક એલે, પણ દરેક વ્યકિતના આલના તાલ થાય નહિ. જેના ખેલના તાલ ના થાય તેને સહુ કહે “તમે મૌન કરે” અને જેનું વચન મહત્ત્વપૂર્ણ હોય તેને સહુ કહે “આપ લે.”
આપણને કાઈ કહે છે ‘તમે લેા.’ જો કઈ પણ વ્યકિત આપણને કહે “તમે લે” તા સમજવુ' છેવટે તે વ્યક્તિની અપેક્ષાએ પણ આપણું વચન મહત્ત્વનું છે. બાકી આજના યુગમાં કેટલીવાર આપણે સાંભળીએ છીએ “તમારું ભાષણ હવે પૂર્ણ કરી તા સારું.”
વચનચેગ એઇન્દ્રિય જીવથી પ્રારંભી સૌને હાય. પણુ, કોયલનુ સંગીત સાંભળવા પુરુષ પ્રકૃતિના પ્રાંગણમાં દોડયા જાય છે. અને ઘરના આંગણે કાગડા કા........... કરતા હાય તા કાંકરા મારીને કાગડાને ઉડાડી દઇએ છીએ.
પ્રિયવચન સ્વાની ભાવનાથી સભળાય છે અને ખેલાય છે, હિતવચન મ'ગલની ભાવનાથી ખેલાય છે અને સંભળાય છે. વચનયોગ સફળ ત્યારે જ અને જ્યારે તેની પાછળ પ્રમળ જ્ઞાનયેાગ અને હૈયાના શુભભાવથી પુષ્ટ · અનેલા હાય.
ધ લાભ” શબ્દની નકલ કોઇપણ કરી શકે, પણ શ્વ લાભ તા ધ મય જીવન ખન્યુ હોય તે જ મહાત્મા આપી શકે.
Page #249
--------------------------------------------------------------------------
________________
અને સાધનાને આધાર વિશુદ્ધ ક્રિયા છે.
[ ૨૦
પરમાત્મા મહાવીરસ્વામી ચ'કૌશિક સને જે શબ્દ ફરમાવે બુજ્સ બુજ્સ' તે શબ્દનુ કદાચ આપણે અનુકરણ કરી શકીએ પણ હિંસક ક્રૂર પ્રાણી પ્રત્યે હૃદયની હાર્દિ ક કરુણા તા પરમાત્મા પાસેથી કેવી રીતે ઉધાર લઈ શકીએ ? પરમાત્માના શબ્દને ચડકૌશિક સર્પ પણુ સમજી શકે અને આપણા શબ્દોને આપણા નજદીકના - વર્તુલના પરિચિત પાત્રો પણ સમજી ના શકે, તે તેમાં કારણ શું ? પરમાત્માએ પણ કક્કાના અક્ષરના ઉપયેગ કર્યાં અને આપણે પણ તેજ અ થી હ સુધીના અક્ષરના અનેલે કેક શબ્દ વાપર્યાં છે ને ? ફરક કયાં ? કહેવુ જ નહિ, માનવું જ પડશે. શબ્દની પાછળ ભાવનાનું જ ખળ છે તેણે જ શબ્દમાં ચમત્કાર સર્જ્યોĒ.
જેની પાસે ચારિત્રની શુદ્ધિ છે....તપની પવિત્રતા છે... જ્ઞાનની ગરિમા છે....તે મહાત્માના સહજ રુપે નીક– ળેલા વચન જ વરદાન અને શ્રાપ બની જતા હૈાય છે. આથી જ ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનની પંક્તિ ભગવ` ! વાહરાહિ મે' માં ભક્તની આજીજી છે,
ગુરુ ભગવંત્ ! !
મને ખેલાવા! મારી સાથે અમેાલા ના લે....હુ ભૂલને પાત્ર છું. આપ ક્ષમાના નિધાન છે. હું ગુન્હેગાર.".
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૦૬] પાપ પ્રવૃત્તિનું પૃથક્કરણ ન કરે પણ, તેને જોઈ જ નાંખો. છું. આપ ગુન્હાને ગુણે બનાવનાર કલાકાર છે. હું દેષિત છું. આપ મને નિર્દોષ બનાવવાના રસાયણ જાણે છે. હું અધમ છું. આપ અમને ઉત્તમ બનાવનાર મહંત છે. હું મૂર્ખ છું. આપ મારી મૂર્ખતાને સુધારનાર સંત છે. આપ આ સેવકને બધી શિક્ષા કરે પણ એક શિક્ષા કયારેય ન કરતાં, આપ મારી સાથે અબલાના લેતા. આપના
બેલા મને મુંઝવી નાંખે છે, મારી હિંમત તેડી નાંખે છે. આપ ના બોલો એટલે મારી ગભરામણ વધી જાય છે. આપના ચરણ પકડી આજીજી કરું છું.
“ગુરુ ભગવંત મારી સાથે બેલે’ મને ખબર છે તમે મને બોલાવવાને પણ અગ્ય કયારે સમજે ? જ્યારે હું કરૂણાનું નહિ પણ ઉપેક્ષાનું પાત્ર બની જાઉં. પાપી પ્રત્યેક ગુન્હેગાર પ્રત્યે આપના હૈયામાં દયા હેય, આંસુ હૈિય, કરૂણા હાય પણનિષ્ફર અધમ આત્મા પ્રત્યે જ આપની ઉપેક્ષા હોય આપનું મૌન હેય. મને ખબર છે. આપ બેલે અને ગુરુ કરે તે પણ ગુરુને ગુસ્સો શિષ્યના ગૌરવને વધારનાર છે. આપનું વચન ભાષા સમિતિ યુક્ત હોય એટલે બોલીને ગુસ્સો કરે તે ગુસ્સે ન રહેતાં આશીર્વાદ બની જાય પણ આપ જે મારા જેવા અબુઝ સાથે અબોલા લે તે મને મારા અશુભની આગાહી થાય છે. ગુરુની ઉપેક્ષા તે જ શ્રાપ. અને શ્રમ
ને શ્રાપ “કુળે તેએ અણગારે ડહેજ નરકેડિઓ અયના તેજ વડે [આપની દુભાયેલી લાગણી વડે] કરે
Page #251
--------------------------------------------------------------------------
________________
પદ્મા નું અપાકષ ણ એ દ્વેષ દર્શીન છે.
[ ૨૦૭
માનવા ભસ્મીભૂત થઈ જાય. આપ કયારેય પણ વચનથી અપમ ગલની વાત ના કરે. આપ મારા જેવા આત્મા પ્રત્યે કયારેય તેોલેશ્યા ના છેડા. આપના સવ ચૈાગે! સય– મિત છે પણ આપની અવકૃપા થાય તે મારી બધી પુણ્યની સંપત્તિ ઘડીવારમાં પાપમાં પરિવર્તિત થઈ જાય. આરાધના ચેગ્ય સવ અનુકૂળતા વાધનામાં ફેરવાઈ જાય. આપ મને અયેાગ્ય જાણી દુ:ખ થાય તેમ ન કરા પણ આપની હિતશિક્ષા બંધ થઈ જાય. આપની હિતશિક્ષા અધ થઈ જાય એટલે મારી પ્રગતિની દિશા રૂંધાઈ જાય. ઉર્ધ્વગમન કરનાર મારું અધ:પતન થઈ જાય. પ્રભુ ! આપના ચરણમાં એક જ વિનંતિ–એક જ પ્રાથ ના...પ્રભુ ! ‘મારી સાથે ખેલેા,’
ગુરુ ભગવંત !
ગુરુ ગૌતમ પ્રભુની સાથે વાગ્યુદ્ધ કરવા જ આવેલાને ! પણ જો પ્રભુ બેલ્યા તે! પ્રભુના ચરણના મની શાસનની ધુરાને વહન કરી ને ? ગુરુભગવ ́ત હું આપની સાથે લડવા તે નથી આવ્યો ને? કર્યાંરેક ફરિયાદ લઇ આન્ય હાઈશ. કયારેક વિનતિ લઈ આવ્યેા હોઈશ, ક્યારેક ઉના આંસુ દ્વારા આપના ચરણ પ્રક્ષાલન કર્યાં હશે. પણ....સાચું કહે! ભગવંત ! શું હું તમારી સાથે લયે; છું ? સમિતી આત્મા દેવના ચરણે રડે પણ લડે નહિ. રડનારના આંસુ લૂંછાય, લડનાર ધક્કો ખાય. આપ મારી સાથે અખેલા લેશેા તા મારું સમ્યક્ દન પશુ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
પદ્મા નું આકષ ણુ એ રાગ દન છે.
રીસાઇ જશે. ગુરુ અખેલા લે તેા જ્ઞાન ન મળે. જ્ઞાન ન મળે તે વિષય કષાય પર કાબુ ના આવે. વિષય કષાયનું જોર વધી જાય તે! સમકિત ચાલ્યુ‘ જાય,
સમસ્ત સંસારમાં સૌ મને પહેલાં સારા કહેતાં. મારે મારા કહેતાં. પહેલાં હું સમજતા નહિ, સારા અને મારાની માયાજાળમાં મૂંઝાઈ જતા. સારા કહી મારાનુ લેખલ લગાવતાં અને પછી જો હું કદાચ બીજા તરફ જોતે, તે બધા કહેતા મારા.. મારા... સાચે...મે મારાના ખૂબ માર ખાધા. હવે મને ‘મારા’ની સુગ ચઢી ગઈ છે. જ્યાં હું, તું, અમે, તમે અને મારું તારું ત્યાં મને સ્વાર્થીની ભયંકર ગધ આવે છે. આ સ્વાર્થીની શેરીમાં રખડીને ખૂબ થાકયા છું એટલે કહુ છુ.
હે ગુરૂદેવ !
(
મારી સાથે 'એલેટ' મને ખેલતા નથી આવડતું. મહાપુરુષની સાથેને ઉચ્ચ વ્યવહાર વાણી શીખ્યા નથી. સાચું કહું છું" શબ્દ મારા ગમે તેવા છે પણ આપના ચરણમાં એક જ વિનંતી છે હવે મને તારો.... મારા ઉદ્ધારની પ્રક્રિયા બતાવે....
ન
ડાકટરને ` કહેવાય પણ સારવારની પદ્ધતિ કઈ અપનાવવી તે ના કહેવાય. ડોકટરને ચેાગ્ય લાગે તે દવા આપે ઈન્જેકશન આપે....આપરેશન કરે....હાટ ચેઇન્જ કરે....તેમ મે' પણ આપના ચરણમાં આવી આપને મારું
Page #253
--------------------------------------------------------------------------
________________
પદાર્થનું વાસ્તવિક દર્શન ને સમ્યમ્ દર્શન છે. [ ૨૦૯ અજ્ઞાનનું દર્દ કહ્યું છે, હવે આપને જે સારવારની પદ્ધતિ
ગ્ય લાગે તે દર્શાવવા કૃપા કરે. આપ મારી જે યોગ્યતા સમજે તેને અનુરૂપ મારા જતન કરે.
હું મૂર્ખ છું એટલે એમ કહું છું “મારી સાથે બેલે પણ સાચે તે મારે કહેવું છે આપના જ્ઞાનના તેજ દ્વારા મારા હૃદયના અજ્ઞાનના અંધકાર દૂર કરે. આપ સમા જ્ઞાની મારા શબ્દને ઉવેખી ભાવને જોવા કૃપાવંત થશે. જ્ઞાની શબ્દને ના જુએ ભાવને જુએ વચન શકિત મળી હોય અને મનન કરનાર કેટલા હેાય ? વચનશક્તિને સદુપયેાગ કરનાર કેટલા ? હે ગુરુદેવ ! આપને વિનવું છું—“મારી સાથે બોલે.”
એટલે પ્રતિજ્ઞા લઉ છું વચનને દુરુપયોગ કરનર સાથે બેલીશ નહિ અને હું પણ વચનને દુરુપયોગ કરીશ નહિ. આ છે સાધક આત્માની સદ્દગુરૂના ચરણે પ્રાર્થના. *
ભલે આ શબ્દો રાજા સંયતિ એ મુનિ ભગવંતને પ્રાર્થના રૂપે કહ્યા પણ વસ્તુતઃ તે હિતશિક્ષા ચાહક પ્રત્યેક વ્ય શિષ્યની પિતાના અપરાધની ક્ષમા માટે આવી જ પ્રાર્થના હોય છે.
૧૪
.
Page #254
--------------------------------------------------------------------------
________________
૩ર અભએ પત્યિવા તુમ્ભ
અભયદાયા ભવહિ ય BE જ્યાં ભય ત્યાં ભગવાન નહિ, જયાં નિર્ભયતા ત્યાં ભગવાન...ભય કોને લાગે ? જેનામાં રાગ હાય, જેનામાં છેષ હેય, જેનામાં ઈર્ષા ય, જેણે હિંસા કરી હોય, જે જુઠ બેલ્યા હોય, જેણે ચોરી કરી હોય, જેણે પરિગ્રહ શ હોય. '
જ્યાં ભય ત્યાં પાપજ્યાં પાપ ત્યાં દુર્ગુણેની ભૂતાવળ અને સદ્ગણોનું દેવાળું, પ્રભુની સેવાની જેને તમન્ના હોય તેને ત્રણ ગુણે પ્રગટાવવા જોઈએ. તેમ એગ માં મહાત્માએ ફરમાવે છે તેમાં સૌથી પ્રથમ ગુણ અભય”
પ્રભુને ભક્ત અભય હોય, નિર્ભય હોય, પ્રભુના ભકતમાં દુઃખને સહવાની તાકાત હોય એટલે વીર હોય.
જ્યાં ભય ત્યાં ચિત્તની સ્થિરતા ન હોય, ચિત્તની સ્થિરતા નહિ ત્યાં સાધનાનું તેજ કયાંથી પ્રગટે ? એટલે જ સાધક વિશ્વને ત્રિપદી આપે છે. BR હું પ્રભુને ભકત છું એટલે અભય છું. BR હું અભય છું એટલે વિશ્વને અભયના દાન કરું છું BR હું અભયદાતા છું એટલે વિશ્વને અભયનું વરદાન
આપું છું. હું વિશ્વ માટે આશા રાખું છું તમે પણ
Page #255
--------------------------------------------------------------------------
________________
સંઘર્ષમાં પરાભવ છે, સંયમમાં છત છે. [ ૨૧૧
અભયદાતા બને. ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનની ધ્રુવપંક્તિ છે. “અભાઓ પWિવા તુમ્ભ -અભયદાયા ભવાહિ ય.” એક મહાત્મા રાજા સંય તિને કહી રહ્યાં છે. રાજા તને અમારા તરફથી અભયના દાન છે અને શુભાશિષ છે કે તું પણ અભય દાતા બન.
આ વાત ભલે સાધુ અને સંયતિરાજાની હોય. પણ સનાતન સત્ય સહુના માટે સરખું જ હોય છે. સમસ્ત સાધુ મહાત્માનું વિશ્વને મોટામાં મોટું દાન અભયદાન છે. નિસ્પૃહ મહાત્મા વિશ્વ પાસે કઈ આશા અપેક્ષા રાખતાં નથી પણ સદા વિશ્વ પર શુભાશિષની વૃદ્ધિ કરે છે તેથી કહે છે તમે પણ અભયદાતા બને.
વિશ્વના દરેક દાન દેખાવમાં મધુરા છે પણ હકીકતમાં અધુરા છે, એક અભયદાન છેડીને
અભયદાન એ જ સાચું દાન અને શ્રેષ્ઠદાન છે. - જેણે માત્ર જીવનમાં અન્નદાન, વસ્ત્ર દાન અને કીતિદાન જ કર્યા છે તેને કયાંથી અભયદાનનું મહત્વ સમજાય ! ! - મહાત્મા ! અભયદાનના આટલાં કેમ સન્માન ! શું અન્નદાનથી દુનિયા ખુશ થતી નથી? ભૂખ્યાને અન્ન આપો
તેના હૈયામાં કેટલો આનંદ થઈ જાય છે. અને તેના - સુખમાંથી નીકળી જાય છે ભગવાન તમારું ભલું કરે.
ભિખારી. જેને લાજ ઢાંકવા બે કપડાં નથી તેનું શરીર
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ]
સુખદુઃખ વૈરાગ્ય ઢંકાય તેવા બે વસ્ત્ર આપે, કેટલી આનંદની અનુભૂતિ થાય છે. મને તે અન્નદાન વસદાન વિગેરે ખૂબ પ્રિય લાગે છે. જ્યાં દાનને પ્રત્યક્ષ મહિમા દેખાય છે. - સાધક ! મને ખબર છે તું સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ્ય છે પણ હજી તું પુણ્યને ભિખારી છે, નામને લાલચું છે, કીતિને કામુક છે, તારી બુદ્ધિ પૂલ છે, સૂફમવાત સમજી શકતા નથી પણ રેજ શાસ્ત્રીય વાતનું મનન, ચિંતન કરીશ તે શાસ્ત્રના રહીયને મેળવીશ. તને એક ચેતવણી આપી દઉં, શાસ્ત્રની વાત સમજ્યા વગર, શાસ્ત્રના નામે સારી પ્રવૃત્તિ છોડીને નહિઅન્નદાન, વસ્ત્રદાન પણ જરૂરી છે. તેનું પણ ફળ છે. તેનું પણ તેને ક્ષેત્રમાં મહત્વ છે. હું તને સમજાવું છું સર્વશ્રેષ્ઠ દાન કર્યું ? મહાત્માએ કહ્યું દાન આપે ? તીર્થકર કયું દાન આપે? નમસ્થણે યાદ છે ને ? લોગપજજઅગરાણું પછી શું પાઠ આવે ? “અભયદયાણે બરાબરને ?' .
વિશ્વના બધાં દાનમાં સ્વના દાન નથી. અલગ ર્સીજના દાન છે. બધા દાન પાંચ, દશ મિનિટ, પાંચ દશ દિવસ અને છેવટે એક વર્ષે પણ તેની મર્યાદા પૂર્ણ થાય. બધા દાન બીજાને હાથે પણ કરાવી શકાય ત્યારે અભયદાન એટલું સહેલું નથી, સસ્તુ નથી.
અભયદાન ત્યારે થાય જ્યારે સ્વસમાન વિશ્વ મનાય. અભયના દાન કરવાની દષ્ટિ અને ભાવના એટલી વિશાળ
Page #257
--------------------------------------------------------------------------
________________
સુખ એટલે ખાડો, દુઃખ એટલે ટેકરે, [ ૨૧૩ બની જાય છે કે તેની દષ્ટિમાં કીડી-કુંજરના ભેદ ના હોય તેની દષ્ટિમાં દેવ-નારકના ભેદ ન હોય, તેની દષ્ટિમાં એકેન્દ્રિય પંચેન્દ્રિયના ભેદ ના હોય. પાપ અને પુણ્યશાળીના ભેદ ના હેય–તેની દષ્ટિમાં ગરીબ અને શ્રીમંતના ભેદ ના હોય, વિશ્વના પ્રત્યેક પ્રાણીમાં આત્માના જ નહિ પરમાત્માના પણ દર્શન કરે તે અભયદાનની આરાધના કરી શકે. અભય આપવું એટલે શું ? UR અયનું દાન સુખના ત્યાગ વગર થઈ ન શકે ! IT અભયનું દાન સ્વાર્થના વિસર્જન વગર થઈ ના શકે ! ge અભયનું દાન સમ્યમ્ દષ્ટિની પ્રાપ્તિ વગર થઈ
ને શકે !
અભયનું દાન સમ્યગુ જ્ઞાન વગર થઈ ના શકે ! BE અભયનું દાન સભ્ય ચરિત્ર વગર થઈ શકે !
અભયનું દાન અપ્રમત ભાવ વગર થઈ ના શકે ! અભયનું દાન અયોગી અવસ્થાની પ્રાપ્તિ વિના પરિપૂર્ણતા ન પામે.
અભયદાનના આરાધના માટે કોઈ પદાર્થ ના જોઈએ પણ અભયદાનની આરાધના માટે આત્માની ગ્યતા અવશ્ય જોઈએ. અભયદાનની આરાધના માટે બહારની કઈ તૈયારી ના જોઈએ, અભયદાનની આરાધના માટે અંતરમાં સિદ્ધિ પદની આકાંક્ષા જોઈએ.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
વૈરાગ્ય એટલે સમભૂમિ.
શુ તું એમ મમજે છે. કાઈ પાસેથી એક ગાય છેડાવી દીધી તે અભયદાન ! ના ભાઈ....ના. આ તેા અભયદાનને એક નમૂના. અભયદાન એટલે વિશ્વના બધા પાપ સ્થાનકેથી જાતને મુક્ત કરવી.
જે વ્યક્તિ પાપની પ્રવૃત્તિ અને વૃત્તિથી મુક્ત થઈ શકે તે અભયદાન કરી શકે છે, અભયના આરાધન કરી શકે, જેનુ મન દુવિચારી દૂષિત છે, જેના વચનમાં ભાષા સમિતિ નથી, જેની ગેાચરી લાવવાની પ્રવૃત્તિ અને સ્પાહાર કરવાની પદ્ધતિમાં એષણા સમિતિ નથી, જેની વિસર્જનની ક્રિયામાં પારિષ્ઠાપનિકા સમિતિ નથી, જેની ગમનાગમન ક્રિયામાં ઇર્ષ્યા સમિતિ નથી તે કયારેય અભચંદાનની આરાધના ના કરી શકે. વસ્ત્ર, પાત્ર, વસતિ આભૂષણ અને મમત્વના પરિગૃહ રાખનાર પણ અભયદાનનુ' આરાધન ના કરી શકે.
અભયદાનના આરાધન માટે, પાંચ મહાવ્રતનું પાલન જરૂરી, અભયદાનના આરાધન માટે દ્વવિધ સાધુ સમાચારીનુ... પાલન જરૂરી, અભયદાનનું આરાધન આકરી સાધના અને કઠોર તપશ્ચર્યાં માંગે છે.
આવા મહાસાધકો જ વાણી વહાવી શકે અભએ પથિવા તખ્મ” પત્થિવા-પાર્થિવ એટલે રાજા જ નહિ, પૃથ્વીને માલિક નહિ પણ પ્રત્યેક દેહધારી પાર્થિ વ...દેહને ભાષામાં માટી કહેવાય છે. અધ્યાત્મમાં પુદ્ગલ માત્રને માટી–પૃથ્વી કહેવાય છે, અને તેથી દેહ પાર્થિવ છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
આલેટના સમયે તાને માન ન કરે તે શ્રી [ ૨૦૧ = અભયદાન માત્ર એકાદ વ્યક્તિને જ આપીને અટકવાનું ન હેાય, અભયદાન વિશ્વના પ્રાણી માત્રને આપવાનુ` હેાય; અભયદાન વીતરાગ પરમાત્માની હિતશિક્ષા પ્રમાણે જ આપી શકાય, અભયદાન વીતરાગને! સાધુ જ કરી શકે અને અભયદાન કરતાર સાધુ જ અભયદાનના આશીર્વાદ આપ વાને ચેાગ્ય બની શકે.
વિશ્વ પાસે જેમને કોઈ આશા નથી, સ્પૃહા નથી, ઝંખના નથી તેવા મહાત્મા કહે છે. અભયદાયા ભવાહિ ય” જેને જગત પાસે આશા અપેક્ષા રાખી હોય, તેને નિરાશા પ્રાપ્ત થવાના ભય હોય, પણ અપેક્ષા જ ન હોય તેને ભય શાના ? પ્રાપ્તિની અપેક્ષા વગરનુ' દાન અભયદાન, અને અભયદાનના દાતાના વિશ્વને આશિષ-‘અભયદાયા ભવાહિ ય.”
'
દિવસની વિજળી, રાત્રિને ગડગડાટ અને સાધુનુ વચન કયારે ય નિષ્ફળ ન થાય; સાધુનું વચન અમે હોય સફળ હાય. સાધુનાં આશીર્વાદ મેળવવા કોણ ભાગ્યશાળી બની શકે ? જે મહાત્માના ચરણની સેવા કરે તે, મહામાના સંગ કરે તે. મહાત્માના મુખથી અપાચેલ આશીર્વાદ પણ સફળ અને તેા અ ંતરના આશિષ જેને મળે તે સફળ કેમ ન મને ?
ઘડી પહેલાંના હિ'સક શિકારી રાજા સયતિ-મહાત્માના આશીર્વાદે વિશ્વને અભયનું દાન કરનાર દાનવીર
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ] જ્ઞાનના વિસ્તાર કરતાં જ્ઞાનની ઉંડાઈની વધારેજરૂર છે, બન્યા, વીતરાગ માના ઉપાસક બન્યા, રવાની અને સેવક તુલ્ય અન્યા !
ભય હાર્યાં, ભગવાનની હિતશિક્ષા દ્વારા ભક્ત અભય, અભયદાતા બન્યા.
પ્રભુ ! હું પણ આપના ભકત છું.
•
આપથી અભયદાન પામ્યા છે. જગતના જીવાને અભયદાન આપવાના આપના આશિષ પામ્યા છું. તે આપની કૃપાએ સકલ જીવાને અભયદાન દેવામાં સિદ્ધ અનુ.... એ જ અભ્યર્થના....
૩.
Page #261
--------------------------------------------------------------------------
________________
૩૩. જહા તે ીસઈ વડ પસન્ન તે તહા મા
品
જ્યાં ધરતી લીલીછમ છે; જયાં ચારેબાજુ વનરાજી વિકસિત છે ત્યાં જરૂર પાતાળમાં પાણી છે. જલ વિના વનસ્પતિ સભવી ના શકે, જેમ વનસ્પતિની હાજરી જલની આગાહી કરે છે તેમ માણસનુ મુખ દિલની આગાહી કરે છે.
મુખ અને આરીસાના સ્વભાવ સમાન છે. આરીસે કહે મારા વાંક–ગુન્હો જરાય નહિ મારો તે સ્વભાવ તમારા પ્રતિષિઞ ઝીલવાના. દશ્ય ખરાબ હોય તેા પ્રતિબિંબ ભરાય આવે દશ્ય સુંદર હોય તે પ્રતિબિંબ સુંદર આવે. મુળ કહે છે “તમે મને સારું ખરાબ ના કહો.” મારુ કાર્ય તા તમારા અ ંતરના દર્શન કરાવવાનું, તમારા હૈયામાં જો ગુસ્સાના ભાવ હશે તેા મુખની રેખાએ ખે'ચાઇ જશે.... તમારે હૈયામાં કરૂણાનાં ભાવ હશે તે આંખ આદ્ર ખનીજશે, સુખ કામળ મની જશે. તમારા હૈયામાં વાસના હશે તે મુખવિકૃત થઇ જશે. આંખ-ભ્રમર અને હોઠ ચાડી ખાઈ જશે. તમારા હૈયામાં વાત્સલ્ય હશે તેા મુખ પર અમી ઉભરાવા લાગશે. વાણી અને વનને આપણે છુપાવી શકીએ પણ મનની ચાડી સુખ ખાઈ લે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ] જ્ઞાની એટલે વ્યવહારની દુનિયાને મૂર્ખ | શબ્દોથી આપેલ પરિચય સાચે પણ હોય અને બેટો પણ હોય. પણ મુખાકૃતિ એ આપેલ પરિચય ઘણેખરે સાચે હોય છે.
હૈદ્રાબાદથી કુપાકજીના વિહારમાં અમે હતા. ઉમ્પલ કસ્તુરબા આશ્રમમાં અમારે એક દિવસને મુકામ હતે. આશ્રમના અધિષ્ઠાતા ઓમ પ્રકાશ ગુપ્તા સાથે મહાપુરુષ વિષે વાત ચાલતી હતી. ત્યાં મેં કહ્યું, “એક મિનિટ જરા ભે”....પછી મારા દફતરમાંથી અમારા પૂ. દાદા ગુરુદેવ લબ્ધિ સૂરીશ્વરજી મહારાજ સાહેબને એક ફટ કાઢયે, મેં પૂછ્યું, બેલે! આ ફેટ શું કહે છે? તેઓએ ભાવવિભોર બનીને કહ્યું, કે આ મહાત્માની મુખાકૃતિ તેમના સમગ્ર આધ્યાત્મિક જીવનના દર્શન કરાવે છે. કૃપા કરી તમે આ ફેટા નીચે નામ ઓળખ કશું ના લખશે. આ ફેટાની એટલી સુંદર મુખાકૃતિ છે કે જાણે લાગે કે મહાત્માના અંતર આત્માનું અને દર્શન.
એકલા શબ્દોથી વ્યક્તિને પરિચય કરાવીએ તે તે જ કહે છે તમે જડ પરિચય આપો છે. શું એમનું મુખ દર્શન અમને કશું નથી કહેતું ? મુખદર્શન સાચે અંતર દર્શન છે. તેથી જ ઉત્તરાયન સૂત્રમાં સંયતિ રાજા મહાત્માની સ્તુતિ કરતાં કહે છે.
જહા તે દસઈ રુવં પસને તે તહામણે
ઉત્તરાધ્યયન સૂત્રની આ પંકિત અમારા જેવા સાધુને એક પ્રેરણાને સંદેશ આપે છે. તારા આત્મિક સૌંદર્યની
Page #263
--------------------------------------------------------------------------
________________
કર્મના ઉદય સામે રાડ પાડવી તે મહદર્શન. [ ૨૧૯
અભિવૃદ્ધિ કર, તારા મુખ ઉપર ચમત્કાર સજાશે. દેહના લાલિત્ય માટે, દેહના સૌંદર્ય માટે તારે પ્રયત્ન કરવાને નથી. તારા આત્માને સ્વસ્થ બનાવ...પ્રસન્ન બનાવ સહનશીલ બનાવ.
ક્રોધ, માન, નિષ્ફરતાની દુછવૃત્તિ તારા હૃદયને કબજે લેશે તે તું અકાલે વૃદ્ધ બની જઈશ. યુવાની અકાળે કરમાઈ જશે, અને શરીરની શક્તિ ક્ષીણ થઈ જશે.
તારું મન સંયમથી પ્રસન્ન બનેલ હશે, ઉદાર વિચાર હશે તે વૃદ્ધાવમાં પણ તારા મુખ ઉપર ફૂલ ગુલાબી સૌદર્ય નિખરશે. આવું મુખ પરનું સદાનું હાસ્ય, તારા શાંત-પ્રશાંત મહા ઉપશાંત દિલનું દ્યોતક બનશે.
વિશ્વમાં કયારેય બન્યું નથી અને બનવાનું નથી કે આસુરી, રાજસી અને તામસી ભાવો ના હોય. સજજનતા અને દુર્જનતાના કદ્ધ ન હય, પાપ અને પુણ્ય ન હોય, સમ્ય) અને મિથ્યા શ્રદ્ધાના હોય. વિશ્વના આ ભાવ સમજનાર પિતાના આત્માને ટાણા રૂપે જુએ છે. ભ્રષ્ટા રૂપે
નહિ.
દુનિયા જેવી છે તેવા દર્શન કરવા તે સમ્યગ્ગદર્શન.
દુનિયાને આપણી ઈચ્છા મુજબ ચાલતી જોવી તે મિથ્યાષ્ટિ, પાશવીદષ્ટિ-પાશવીવૃત્તિ પશુ સ્વભાવની દ્યોતક છે.
ચિંતન-મનની વૃત્તિ માનવ સ્વભાવની દ્યોતક છે. પ્રત્યેક વ્યકિતની પ્રવૃત્તિના કારણોનું આપણે મનન
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]ક ભાગવતા કર્મીના ઉદયને વિચારવા તે સ. દર્શીન, કરીએ તે હિંસા—માન ઈર્ષ્યાના-ક્રેાધના ભાવા મનમાં પેઢા ન થાય પણ મનમાં સમતા સ્નેહની સરવાણી ફૂટે !
અપ્રસન્ન મન એ અતૃપ્ત માનસિક વૃત્તિનું દ્યોતક છે. અપ્રસન્ન રહેનાર જાણે અજાણે ખુદના મમત્વને પુષ્ટ કરે છે. અને જ્યાં મમત્વ આવે ત્યાં લાભ કષાયના અડ્ડા જામી ગયેલા જ હાય છે. જ્યાં લાભ ત્યાં સર્વનાશ, લેાભી વિશ્વને સાચું' માગ દČન ન' આપી શકે, એ તા પેાતાની ઈચ્છાની તૃપ્તિને જ ઝંખે !
કુર્તીક કરવા ટેવાયેલું અમારું મન પ્રશ્ન કરે છે તમે તે નાની નાની વાતને મોટી કરી દે છે, દાષ જોયા તા અણગમા થયે. અણગમા થયા એટલે મુખ અપ્રસન્ન અન્યું. સાથે આ લેાભ છે કે અમારા હૈયાની શુભભાવના છે ? કયાંય અમારી ભાવનાના સન્માન નહીં? ગમે તેમ કરી અમારા દોષ કહેા છે ? અને અમને કખ ધ-કમઉદય સમજાવે છે ? સાચું કહું છું. દુનિયામાં ખરાખ જોઈએ એટલે દુઃખ થાય છે. તેથી મેહુ ચઢી જાય. કો' ખરાખ કરે તે અણગમે! ના થાય? અમારા દિલમાં કેટલી ખીજાની ચિંતા છે. તમે કયારેક તે અમારા પાપકારી સ્વભાવની પ્રશંસા કરો ! ??
સાધક
'
પરમાર્થ રસિક વ્યક્તિ અલગ હોય અને પરમાથ તુ પ્રદર્શન કરનાર વ્યક્તિ અલગ હૈાય. તારા કુંકના ઘટ
Page #265
--------------------------------------------------------------------------
________________
કીકરની ટાકી કરે તે મહાત્મા.
[ ૨૨૧
સ્ફોટ કરવા માટે પણ હવે તેવા જ જવાબ આપવા પડશે. ભાઈ....તુ તા એટલો માટે જાન્નુગર છે....દુર્ગાણ કૈઈનામાં. ભૂલ કોઈની, ગુન્હા કાઈ ના, પણ તેના કારણે કર્મીના બ`ધ તું કરે છે.
1
ભલા
કાઈ ખરાબ કરે તે! દયા આવવી જોઇએ; કરૂણા આવવી જોઈ એ, તેના બદલે સામે! ગુસ્સે તિરસ્કાર.... સાચે આ તો એવુ' થયુ, આગ જોવા ગયા અને ખિસ્સા માં સ્ફોટક પદાથ હતા તે ભૂલી ગયા. આમ જોનારને પણ આગ ભરખી ગઈ....તેમ દુનિયાના દોષ જોનાર મહાન સજ્જન આત્મા તુ' ભૂલી ન જા....તારા હૈયામાં ક્રાધ–માનના બીજ ડેલાં જ હતાં, ખસ કોઈના દોષ જોતાં દ્વેષની આગ ભડભડી ઉડી. તારા અંતરની સમતા શાંતિ ખલાસ થઈ ગયા અને તારુ મુખ ચઢી ગયું. આ સત્ય હકીકત સ્વીકાર. ...તું જવાબ આપુ. મહાત્મા-જ્ઞાની આત્માને, વિશ્વની બધી વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ સમજાય ને ? બધાની ભૂલ અને ગુન્હાને સમજે ને ? તેમ છતાંય તેમને કેમ કાઇના પ્રત્યે અણગમો પેદા થતા નથી ? કેમ તેમનુ' મેહુ ચઢતું નથી ?
જેમનાં શિર પર સમુદાયની જવાબદારી છે. શાસ નના અનેક પ્રશ્નો છે તેવા ગચ્છનાયક મહાન આચાય ભગવ ંતાના તે. દન કર્યાં છે? શું તેમની પ્રસન્નતાએ તેમના મુખની શાંતિએ, તારા દિલને મુગ્ધ નથી કરી દીધુ ? -
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ] નમ્રતા પૂર્વકના વ્યવહાર એ સાત્ત્વિક્તા છે,
જવાબદારીની સફળતા સમજદારીથી થાય, અણુગમાથી નહિ, તિરસ્કારથી નહી.. વિશ્વની વિચિત્રતા વચ્ચે પણ સાધુનું મન પ્રસન્ન રહેવું જોઈ એ અને હૃદયની પ્રસન્નતા સુખના ગેાખ દ્વારા ડોકિયુ કરે તેવી જોઇએ. સાધુ તારા દર્શન થાય અને કોઇ ખાલી ઉઠે....જેવું તમારું રૂપ છે તેવુ તમારું મન પ્રસન્ન છે, ત્યારે સમ. તું હવે ભાવ સાધુ બન્યા.
પ્રસન્નતા અને હાસ્ય વચ્ચે ખૂખ તફાવત છે. હાસ્ય મજાક-મશ્કરીએ તે અજ્ઞાનીઓની પ્રવૃત્તિ છે, હાસ્ય મેાહનીય કર્માંને ઉત્તેજના છે, છીછરાશપત્રુ છે. શાકઅણગમે, માહનીય કમ ને ઉત્તેજના છે, પ્રસન્નતાની જનની કષાયની ઉપશાંતતા છે. . . કાય મેાહનીયના ક્ષયે પામ છે. પ્રસન્ન મહાત્મા વિશ્વ પ્રત્યે ઉદાસીન હાય, વિશ્વની કોઇ પણ પરિસ્થિતિ તેને ધ્યેયથી ચલિત ના કરે, અને ધ્યેયની પૂર્ણાહુતિ થાય એટલે આત્મા પ્રસન્નતાના સરોવરમાં જલ ક્રીડા કરે....જલક્રીડા, મસ્તી આપે તેમ પ્રસન્નતા સદા શરીરને કાળ અને પ્રતિક્રિયાથી દૂર રાખે, પ્રભુ !
શાંત નથી તે। પ્રશાંત કથાંથી હાઉં? મારું હૃદય તા મારા હૃદયની તુચ્છ વૃત્તિનુ' દ્યોતક છે, ખસ, વીત– રાગના પ્રતિનિના દર્શન મારા દ્વિલ ઉપર કામણ કરે.. વશીકરણ કરે....વશીકરણ જેના ઉપર જે કરે તેનુ અનુ સરજી થાય. અસ....મને આપ વશીકરણથી વશ કરે....
Page #267
--------------------------------------------------------------------------
________________
૩૪. કહું ધીરો અહેહિ ઉમ્મત્તાબ્વ મહિ· ચરે
Bi
પ્રાણ અને અન્નને! દેખાવ સરખા હોય, માહ્ય -વ્યવહાર સરખા હોય, પણ વિચારમાં તફાવત હોય એટલે પરિણામને પ્રકૃતિમાં ફરક અવસ્ય થાય....
બુદ્ધિમાન પ્રત્યેક પ્રવૃત્તિ હેતુ સમજીને કરે. લાભ અને નુકશાન વિચારીને કરે. દુઃખ અને સુખ સમજીને કરે. પ્રાજ્ઞના જીવનમાં પસ્તાવવાના પ્રસગ ભાગ્યે જ આવે છે. જેણે પહેલાં પૂર્ણ વિચાર ન કર્યાં હોય તેને પસ્તાવા કરવા પડે છે, પુનિવ ચાર કહે છે કે પહેલાં અપૂણ વિચાર કર્યાં એટલે હવે પસ્તાવેશ કરવા પડે છે, વિચાર ફેરવવા પડે છે.
પરમાત્માના શાસનમાં અનેકાંત દૃષ્ટિ છે. પ્રત્યેક પદાને અનંત જ્ઞાનીની દૃષ્ટિએ અન ત રીતે વિચારવે જોઇ એ આપણી સીમિત શકિત છે, મર્યાદિત છે એટલે સ'કુચિત દૃષ્ટિએ વિચારીએ છીએ,
પદાને અનેક દૃષ્ટિએ વિચારવાના વિવેક જાગ્યા. ત્યાં અહુ અને કાગ્રહે વિદાય લીધી.” જ્યાં અહુ' અને દાગ્રહ હોય ત્યાં બીજાની વાત, વિચાર-અપેક્ષાના ખ્યાલ જ ન હોય. અનેકાંત દૃષ્ઠિ સમજી, શાસનના માર્ગે સંચ
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૨૪] મનને કેળવનાર ભયંકર દુઃખમાં પણ સુખ મેળવી શકે છે. રેલ મુનિ હજારે પ્રલેભને વચ્ચે લલચાતો નથી. સત્ય માર્ગથી વિચલિત થતું નથી. સાધક!
ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું જ્ઞાન આચાર પ્રધાન છે. તેમાં તે વિધિ અને નિષેધ જ મુખ્યપણે આવશે. ઉત્સર્ગ અને અપવાદ આવશે. તેને આ જ્ઞાનમાં સમુદાય તથા સહવતી મુનિઓની આચરણ પણ સહાયક થશે. અને કદાચ કઈ ભયંકર પાપોદયે જે સાધક આચારમાં શિથિલ બન્યું હોય છે તે પિતાને જ ડુબાડે છે, પિોતે જ ડુબે છે પણ જે સાધક વિચારથી પરિભ્રષ્ટ થયે, તત્ત્વજ્ઞાનની ગલી ખુંચીમાં ભૂલે પડે, નિત્યા-નિત્યના કિયાવાદ–અક્રિયાવાદના, સાત નય અને પ્રમાણના ભેદ ના સમયે તેમાં મૂંઝાઈ ગયો છે. અનેક આત્માને ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ કરે છે. સ્વપને નાશ કરે છે.
દર્શનશાસ્ત્ર એટલું ગહનશાસ્ત્ર છે તેમાં પૂર્વપક્ષની બાદમાં ઉત્તરપક્ષની દલીલ આવે. પહેલાં દલીલે ચાલે. દરેક દર્શનવાદી કહેવાનું મારું દર્શનશ્રેષ્ઠ. શ્રેષ્ઠ દર્શન બતાવવા યુક્તિ-દલીલે દષ્ટાંતે રજૂ કરવાના. આ ભૂલભૂલામણીમાં ભૂલ પડે તો બસ ખલાસ!
પુસ્તકથી જે સાધકે એ દર્શનશાસ્ત્રના અધ્યયન કર્યા તેની અવદશા તે જોજો. જ્ઞાનની માયાજાળમાં શ્રદ્ધાને દિવ્યમણિ ગુમ થઈ ગયું પછી વાગજાલ દ્વારા દુનિયાને
Page #269
--------------------------------------------------------------------------
________________
ચુવાશક્તિના બે સાથી છે, ર્હિ ંમત અને વિશ્વાસ. [ ૨૨૫ ફસાવવાનું શીખી ગયા. છેવટે એકપણ શાસ્ત્ર હાથમાં ન રહ્યું. સ્વમતિ મુખ્ય બની. ભવતારક ભગવાન ભૂલી ગયે અને ખુદ ભગવાન ખની બેઠે.. ભતાથી પૂજાવા લાગ્યા. શાસ્ત્રમાં વિસ્તારરુચિ સમ્યક્ત્વ માટે દર્શીનશાસ્ત્રના અભ્યાસ ખૂબ જરૂરી કહ્યો છે.
પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં પણ અનેક મત મતાંતર, વાદ વિવાદ હતા. તેના મુખ્ય ચાર ભેદ છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ. આ બધા એકાંતવાદના પેાષકવાદો છે.
ક્રિયાવાદ આત્માના અસ્તિત્વને માને છે. પણ આત્મા વ્યાપક— વ્યાપક, કર્તા-અકર્તા, ક્રિયાવાન્ અક્રિયાવાન, મૂ–અમૂર્ત, માનવામાં વિચારણા ભિન્ન છે. તેના એકસે પેસી ભેદ છે.
.
અક્રિયાવાદ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. બીજા શબ્દોમાં તેને નાસ્તિક પણ કહી શકાય. કેટલાક અક્રિયાવાદી આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે છે પણ આત્માના શરીર સાથે અભેદ સધ છે કે ભેદ સંખધ છે તે કહી શકાતુ નથી તેમ,માને છે. કેટલાંક અક્રિયાવાદી આત્માની ઉત્પત્તિખાદ તુરત જ આત્માને નાશ માને છે. આમ અક્રિયાવાદના ચેારાસી ભેદ છે.
અજ્ઞાનવાદ અજ્ઞાનથી આત્માની સિદ્ધિ માને છે. જ્ઞાન શું? જ્ઞાનથી કઇ લાભ નથી. માના અડસઠ ભેદ છે. વિનયવાદ વિનયથી જ મુકિત માને છે.
૧૫
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ] મારનારને પણ તારનાર અને તે જ સાધુ, સજ્જન. બધાના જ વિનય કરે. તેના ૩૨ ભેદ છે.
આમ એકાન્તાષ્ટિના ૩૬૩ ભેદ છે. આ બધાનું સૂક્ષ્મ અને વિસ્તૃત વર્ણન સૂયૉંગસૂત્રમાં છે. પ્રભુન સિદ્ધાંત અનેકાન્તવાદ્ગમય છે.
એકાન્તઃશનીની યુક્તિળ ભેદવા સમ્મતિત, દ્વાદશાર-નયચક્ર, નયવાદ, પ્રમાણમીમાંસા, પ્રમાણનય તવાલાકાલ’કાર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદરત્નાકર સિદ્ધસેન ખત્રીશી, ષટ્ઠર્શન સમુચ્ચય, જૈનત ભાષા, દ્રવ્યગુણપર્યાયના રાસના અભ્યાસ ખૂબ જરૂરી—અત્યંત આવશ્યક છે, આ શાસ્ત્રના અધ્યયન, સતત ચિંતન અને નિદિધ્યાસન વગર જૈનદર્શનની મૌલિકતા-અદ્ભુતતા સમજાય નહિ. દરેક બુદ્ધિશાળી સાધક આ અભ્યાસ કરે તે! જ એકાન્તસૃષ્ટિ અને અનેકાન્તદૃષ્ટિ ના ભેદું સમજાય, પછી તે સ્યાદ્વાદી બની શકે.
સ્યાાદીનુ લક્ષ્ય દુનિયાના કેઇ ચમત્કાર, પ્રભાવ. ફાઈ વાદ-પ્રતિવાદથી ચલિત થતુ નથી. એક જ લક્ષ્ય રહે છે આશ્રવથી દૂર રહેવું અને નિશના માર્ગે કદમ
ભરવા.
દુઃખના ડર નહિ, સુખની આકાંક્ષા નહિ, કીતિની ચાહના નહિ, ટોળાંની ઈચ્છા નહિ, પદના પ્રલેાભન નહિ, માત્ર આત્માની સિદ્ધિની જ અભિલાષા.....આવા ધીર સાક ચારેય કુદન વડે ઉન્મત્ત થાય નહિ પણ...પ્રત્યેક સાધક
Page #271
--------------------------------------------------------------------------
________________
સહનશીલતા એ લાખા દુ:ખાની ચાવી છે.
[ ૨૨૭ જીવનમાં સદા ધ્યાન રાખે કે દર્શનશાસ્ત્રના અભ્યાસ ગુરુગમ વગર ના કરવા જોઇએ. ગુરુની નિશ્રા વગર દેન શાસ્ત્રને અભ્યાસ કરનારને કાક દિવસ યુક્તિના વાવા વટાળ એવા મૂઝવી દે છે કે વેશ પ્રભુને રહે છે અને વિચાર સ્વના રહે છે. આમ સાધક સાચે મેાક્ષમાગ ના આધક બની ાય છે, પ્રભુના વેશમાં સ્વવિચારના પ્રચારક અની જાય છે.
ઃ
ઉત્તરાધ્યયનસૂત્રના ૧૮માં અધ્યયનની પંકિત કહુ ધીરે, અહેહિ ઉમ્મત્તો વ મહિ` ચરે ? ’ છે. તેમાં 4 ધીર” શબ્દ કહ્યો, તે ખૂબ ચિંતન માંગે છે. અહેતુઓ વર્ડ ‘જ્ઞાની ભૂલે ના પડે' તેમ ના કહ્યું. અને ધીર કહ્યું, આ પદ્મ જ કહે છે કે જેની બુદ્ધિ સ્વદશ નના અભ્યાસ વડે પરિપત્ર થઇ છે અને પછી જેને ષટ્ઠનના અભ્યાસ કયે છે તે પાગલની જેમ ઉન્માંગે ગમન કરતા નથી. ધીર વ્યક્તિ સદ્ગુરુ પાસે પેાતાની વિચારણા રજૂ કરે. ધીર વ્યકિત પેાતાને સમજાયેલ યુકિત, દલીલ પર વિચાર કરે છે. હીતમાં તે. પરમાત્માએ ધીર' શબ્દ વાપરીને કહી દીધુ. ધૈર્ય વાન વ્યક્તિ જ દર્શનશાસ્ત્રનું અધ્યયન કરવા ચેાગ્ય છે.
ન્યાયાધીશ અનવુ હોય અને અને પક્ષની દલીલ સાંભળવ. જેટલુ ધ્યેય ના રાખે તે શું ન્યાય થાય ? નિષ્પક્ષ ન્યાય થાય? ના. એક જ પક્ષને સાંભળવાથી એક
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૮] ચિંતા ને ચિંતનમાં ફેરવવાની કલા તે સ. દર્શન, પક્ષના વકીલ બની જવાય. એક પક્ષને સાંભળીને ન્યાય કરે તે અપૂર્ણ ન્યાયાધીશ બંને પક્ષને સાંભળી, વિચારી કોઈપણ પક્ષની તરફેણ કે વિરોધ વગર ન્યાય કરે, ત્યારે જ તે ન્યાય અને બુદ્ધિની માયાજાળમાં અથડાઈ જાય, સુયક્તિ અને કુયુક્તિને સમજે નહિ તે ન્યાયને અભ્યાસી કે અન્યાયને અભ્યાસી ! ભલા !
ષડ્રદર્શન સમજી વિચારી તારે અનેકાંતના ઉપાસક બનવાનું છે. “મારું તે સારું આવા ભાટચારણના જેવા ગીતે તારે ગાવાના નથી. “સાચું તે મારૂં” આ ઉદ્ઘેષણ કરી તેની પાછળ સર્વસ્વના બલિદાન દેવાના છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં આ ગાથામાં “ધીર શબ્દ ખૂબ જ સુયોગ્ય રીતે વપરાયેલ છે. વિચાર કરજે, દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે તાકિક, બૌદ્ધિક પ્રતિભા જોઈશે. તે સત્યથી સ્થિરતા માટે અદભૂત દીર્ય જોઈશે. ધીરતામાં એવી શક્તિ. છે કે વ્યક્તિ સમજી વિચારીને સ્વીકારેલ સત્ય માટે બલિદાન. આપી શકે છે. સાધકે !
- તું તારી શ્રદ્ધાને નિર્મળ કરવા દર્શનશાસ્ત્રને અભ્યાસી બન. કિયાવાદ–અકિયાવાદ-નિહનવવાદ બધા વાદવિવાદને સમજ. છેવટે વાદાધિરાજ સ્યાદ્વાદમાં સ્થિર બન...ધીર બની સ્યાદ્વાદના માર્ગે સંચર. તું સન્માર્ગને સાધક બન....અનેકને સન્માર્ગના સાધક બનાવ. - તમારા ચરણને સેવક બનીશ...તમારે પડછાયે. બનીને રહીશ.પછી એકાન્તવાદમાં નહિ ફસાઉં ને ?
Page #273
--------------------------------------------------------------------------
________________
૩૫. અણુજાણુહુ પવ્વઈસામે અમ્મા !
ત્રસજીવ માત્ર દુઃખ દૂર કરવા માટે ગમનાગમન કરે છે. સુખની પ્રાપ્તિ માટે ગમનાગમન કરે છે. પણ ભવ્યાત્મા જ શાશ્ર્વત સુખના માટે પ્રસ્થાન કરે છે. સ્થાન (ઘર) તા સૌ કરે પણ સ્થાન કરનાર દરેકને મહાપ્રસ્થાન (મૃત્યુ) કરવુ જ પડે છે. પણ જે પ્રસ્થાન (ઘર) જ નહિ મહાપ્રસ્થાન (દીક્ષા) ગ્રહણ કરે છે તેને ક્યારે ય સ્થાન કરવું પડતું નથી, મનાવવુ' પડતું નથી. તેના આત્મા દેહના અંધનથી મુક્ત બને છે. દેહ હાય તા સ્થાનની ચિંતા પણ દેહ ન હોય તે ન ભાજનની ચિંતા ન વસ્ત્રની ચિંતા, ન આવાસન નિવાસની ચિંતા કશી પણ
ચિ'તા નહિ.
5
જેને ચિંતા હાય તે ચિંતાતુર બને. ચિ ંતાતુર વ્યક્તિ વિવેકથી ભ્રષ્ટ અને, વિવેકથી ભ્રષ્ટ અને એટલે ગતિ ભૂલે, પ્રગતિ ભૂલે, ભ્રમણ કરે, પરિભ્રમણ કરે,
રખડતા જ રહે.
મૈં સંસારનાં પરિભ્રમણથી જે થાકે, કટાળે તે 'પ્રભુનું' શરણ સ્વીકારે....
ચાર પણ ઘર છેડે છે અને ચાર પણ ઘરમાં રહે નહિ, અને
વીર પણ ઘર છાડે છે વીર પણ ઘરમાં રહે
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ગુરુના વરદાન જ શિષ્યના અરમાનને સફળ કરે છે. નહિ. એર ઘર છેડતાં આજ્ઞા માંગી શકે નહિ, કારણ તેને ભાગી છૂટવાનું હોય. વીર પ્રાયઃ આજ્ઞા માંગ્યા વગર ઘર છેડે નહિ.
પ્રત્યેક વિરાગી મહાપ્રસ્થાન કરતાં કહે છે. “અણુજહુ પવઈસામે અમે. આજ્ઞા આપે, અનુજ્ઞા આપો, રજા આપો. આ બધા શબ્દ સદ્ભાવનાના ઘોતક છે. પૂજયભાવને પ્રગટ કરનાર છે. તમારે ત્યાં જન્મ લીધે છે. તમારી દયાથી મેટો થયો છું. તમારા સંસ્કારે સમજણે થે છું, તમારા પુણ્ય દેવગુરુના સંપર્કમાં આવે છું. મેં રાગ અને વિરાગ બંનેને સમજવાની કોશિષ કરી છે. સંસારની સુંવાળી જીંદગીની મને જાણ છે. સંયમની કોર અંદગીની મને સમજ છે. રાગની બહારની મન મોહતા મને આકર્ષતી નથી. વિરાગની બહારની વિરસતા મને પીછેહઠ કરાવતી નથી. સમજીને રાગ છેડું છું. સમજીને વિરાગ રવીકારું છું. હવે તે એક જ વિનંતિ છે આપ આજ્ઞા આપે...”
એક વૈરાગી જ્યારે રાગી પાસે આજ્ઞા માંગે, ત્યારે શું વાગી એટલું ના સમજે કે જેલમાં પુરાયેલ કેદી બીજા કેદીને છૂટો થવા દે ખરે? જે વ્યક્તિ પ્રસ્થાનની મહત્તા સમજતી ન હોય તેની પાસે પણ અનુજ્ઞા માંગવાની? રાગી કયારેય વિરાગીને પક્ષકાર બને? એક સંસારી સંયમીને આજ્ઞા આપે ? અવરોધ કરે. છતાંય કેમ સંયમી આજ્ઞા માંગે છે?
Page #275
--------------------------------------------------------------------------
________________
ભાજનને માનદ તે સસાર
[ ૨૩૧
પ્રભુનો સંચી દીક્ષાના પ્રથમ દિવસે “ વિનય ” બનવાના છે. શિષ્ય બનવાના છે. દીક્ષાના પહેલાં તેને અહુ'ના ઉઠમણાં કરવાનાં છે. તેના આત્મ સામ્રાજય ઉપર વિનયનું વશીકરણ કરવાના છે. આજ્ઞાધની આરાધના કરવાની છે. ઈચ્છા ધર્મને વેસિરાવવાના છે. નમ્રતાથી પ્રભુતા પ્રાપ્ત કરવાની છે પણ નમ્રતા પ્રગટ કયારે થાય ? કૃતજ્ઞતા આવે તે.....
દીક્ષાથી સ`સારી પાસે સંયમની રજા માંગે છે. તે ફકત કૃતજ્ઞભાવથી....માતા.....પતા...સમસ્ત સંસારી સ્નેહ, સબંધીને કહે છે, મને દીક્ષાની અનુજ્ઞા આપે. મુકત ગગનમાં સ્વૈરવિહાર કરવા ઇચ્છતા પાંખીને કાઇ પાંજરામાં પુરી શકે? ત્યાગ ગગનમાં ઉડ્ડયન કરવા ઇચ્છતા સંયમીને ટોઇ સ`સારી રોકી શકે ? ના રોકી શકે...મારા વૈરાગ્ય મજબૂત છે. તે! મારા મહાપ્રસ્થાનમાં કોઇ મુશ્કેલી વિઘ્ન મને નથી આવવાના પણ સાચે હું સંચમના સાદા ગર છુ”. મને થાય કે જેમને ત્યાં મેં જન્મ લીધો, મારા ઉપર જેમના અનેક ઉપકાર છે, તે માતાપિતાને ઘર ડતાં પહેલાં મારા સંયમ ધર્મીના અનુમેાદક શા માટે ના બનાવું? તેમને સંયમ ધર્મોના ભાગીદાર શા માટે ના મનાવું ? રજા એટલા માટે લઉ છુ કે દીક્ષા હું લઈશ પણ જો તમે ત્યાગ માની આજ્ઞા આપશે...રજા આપશે તે તમે પણ અનુમૈાદના દ્વારા ત્યાગ માના પ્રશંસક-ગ્રાહક બનશે.. પ્રવ્રજયાની આજ્ઞા આપનાર વડીલ તમે ભલે
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ] સાધનથી સુખની પ્રાપ્તિ થાય તે ધર્મની શોધ છે. સંયમ જીવનના સક્રિય ભાગીદાર નહિ બને. પણ માનસિક ભાવના રૂપ સંપત્તિથી તમે જરૂર ભાગીદાર બનશે... સંયમ હું પાળીશ અને તમે અને હું બંને નિર્જરાના નફામાં સાથે રહીશું. આમ સંયમ જીવનની અનુમોદનાથી તમને પણ નિર્જરા અને મને પણ નિર્જરા...બીજા જન્મમાં આપણે એકબીજાના ઉદ્ધારમાં સહાયક બનીશું. આપના ઉપકારોની સ્મૃતિ થાય છે તેથી કૃતજ્ઞ ભાવે પુનઃ પુનઃ વિનંતિ કરું છું.' '
રાગ તમને આશ્રવની ખાઈમાં ડુબાડી દેશે. તેથી તમે વિરાગની દોસ્તી કરી લે, વિરાગ તમને સંવર ધર્મની સાધના દ્વારા કર્મ નિર્જરા મહાલાભ આપશે. રાગ તમારા માનવ જન્મની નાલેશી કરી રહ્યો છે. ત્યારે વિશગની આજ્ઞા દ્વારા આપ માનવ જન્મના મૂલ્ય આંકી લે. હૈયામાં એક જ ભાવ રહે છે કે જેમના આ દેહ ઉપર અનેક ઉપકાર છે, જેમનું પવિત્ર લેહી મારી વિશુદ્ધ સંચમ સાધનામાં સહાયક થવાનું છે. તેમને શા માટે આજ્ઞા આપવા દ્વારા સંયમ ધર્મના અનુમોદકના બનાવું ?!
- દીક્ષાથી માતા પિતા પાસે આજ્ઞા માંગવા દ્વારા કહે છે કે હવે મેં ઈરછા ધર્મને ત્યાગ કર્યો છે, આજ્ઞા ધર્મને સ્વીકાર કર્યો છે. ઈચ્છા ધર્મમાં મેહનીય કમને ઉદય હોય છે. આજ્ઞાધર્મમાં આત્મ ભાવનું પ્રગટીકરણ થાય છે. હવે હું સ્વછંદ, ઉદ્ધત, અભિમાની નહિ રહું.
Page #277
--------------------------------------------------------------------------
________________
રાષ અને તેાષથી પર રહે તે મહાપુરુષ. [ ૨૩૩ હવે હું ગુર્વાજ્ઞાને અનુસરનાર વિનયી– નમ્ર અનીશ જે તમે મને આ ગુણમાની રજા આપશે તે તમે સ ્ ગુણના સમ`ક ખનશે.....તમે મને બાલ્ય ઉંમરથી સ ્ ગુણી મનાવવા ઝ ંખતા હતા. હવે મને સદ્ગુણી બનવાને મનાથ જાગ્યો છે. તમારી ઝ ંખના-મારા મનોરથ અને દેવગુરુની કૃપાના ત્રિવેણી સંગમે હું આરાધક બનીશ. હું મોક્ષમાર્ગના પ્રવાસી અનીશ. પ્રભુના માર્ગે સંચરનાર અધા અન તણી ખને તા તમારા પુત્ર કેમ ના બને? મારા પ્રયત્ન એટલે જ તમારા સ્વપ્નની સિદ્ધિ
પ્રત્યેક માતાપિતાની ભાવના હાય, . પાતાના પુત્રની પ્રગતિ થાય ! ઉન્નતિ થાય ! પણ કેટલીકવાર ખરાખર ના સમજાય તેા ગાટાળા થાય. એટલા માટે જ હે પૂજય ! હું આપને કહું' છુ. આનાં આપેા પ્રત્રજયાની” !
સંસારમાં દરેક દેધારીના જન્મ છે. જન્મના વરદાન પાછળ મૃત્યુના અભિશ્રાપ છે. જન્મ = આવવું મૃત્યુ = જવું. ગમન, આગમન એ સમસ્ત સ`સારીએ માટે નિશ્ચિત છે—ગમન-આગમનથી કટાળેલ, જન્મમરણથી ઉદ્વિગ્ન થયેલ મારે હવે સંસારથી નીકળવુ' છે. નિષ્ક્રમણ કરવું છે. ના....ના....મહાભિનિષ્ક્રમણ કરવુ છે, એટલે જ કહું છુ. મારે. પ્રત્રજયા લેવી છે. જ્યાં રાગ છે જ્યાં ચાહના છે ત્યાં સંસાર મને છેડે નહિ....સંસારી મને છોડે નહિ, સ*સારીના પ્રતિનિધિ સમા બાહ્ય-અભ્યતર સંચાગો મને
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૪] ભૂલ પર હસે તે દુર્જન, ભૂલને સુધારે તે સજજન. છેડે નહિ, પ્રતિકૂળ સંગ છોડી અનુકૂળ સંગની ભિખારીવૃત્તિ રાગમાં છે.
પ્રવજ્યા એટલે પદાર્થને એકલે જ ત્યાગ નહિ પણ પદાર્થમાં રહેલ રાગદ્વેષની ભાવનાને ત્યાગ-રાગદ્વેષની ભાવનાના ત્યાગથી જે પદાર્થ છોડયા હોય તેના ઉપર મમત્વ ન જાગે–તેના આકર્ષણ પુનઃ પેદા ન થાય... વડીલે!
બાળક રેતીમાં ઘર બનાવે અને તેઓ તેમ મેં પણ કેટલીવાર વ્રત લીધા અને તેડયા. હવે તે માટે તીર્થકર પરમાત્માની જેમ મહાભિનિષ્ક્રમણ કરી પ્રવજ્યા લેવી છે. જે સંસારને હું એકવાર હેય-ડવા લાયક સમજે તે પ્રેય ના બને, તેવી શક્તિ અને-સામર્થ્ય આપ. નેહીજને !
મારે પ્રવજ્યા લેવી છે. જગતના બધા બંધન એ તે કાચા સુતરના તાંતણા છે. તેને તૂટતાં કેટલી વાર? એક ઝાટકે લાગેને બધા બંધન તૂટી જાય. પણ વજી સમાન કઠીન બખ્તર તે આસક્તિ ભાવનું છે. બસ હવે સદાને માટે મારી આસક્તિ દૂર રહે અને વિરક્તિની મસ્તી મળે માટે મારે પ્રવજ્યા લેવી છે. - આ ગાથામાં વપરાયેલે “અમ્મા” શબ્દ તે નજીકના નેહીને કહેનાર છે. પણ મારે તે સમસ્ત સંસાર અને
Page #279
--------------------------------------------------------------------------
________________
વહાલ અને વાત્સલ્યના બે શબ્દો પાપકરતાં અટકાવે છે. ર૩પ સંસારીઓને હવે કહી દેવું છે-મારા મિહનું આજે ઉઠ મણું છે. મારા ત્યાગી જીવનને આજે સન્માન સમારંભ છે. બસમારે તમારી સાથે સંબંધ નથી પણ તમારે મારી સાથે સંબંધ છે તે ત્યાગ માગે સંચરવા, ત્યાગીને શુભભાવનાની ભેટ આપવા જરૂર પધાર, આ છે આંતર ત્યાગીના અદ્ભુત વૈરાગીની પ્રવ્રજયા પહેલાંની મદશા.
Page #280
--------------------------------------------------------------------------
________________
૩૬. જાવજજીવ અવિસામે,
ગુણુણું તુ મહમ્ભરો. .
આજનું જગત વિશ્રામ ચાહે છે. શ્રમ કેઈને પસંદ નથી. અનાયાસે ઉપલબ્ધ થાય તે મેળવવું છે. પણ જ્યાં પ્રાપ્તિની પાછળ પ્રયત્નશ્રમની વાત આવે ત્યાંથી સૌ દૂર
વિષે પ્રગતિ કરી છે. અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ તે બધી ભૌતિક સિદ્ધિઓ શ્રમ વગર આ યુગમાં સિદ્ધ છે. પણ વિશ્વના કોઈ પણ યુગમાં આધ્યાત્મિક સિદ્ધિઓ-ગુણની ઉપલબ્ધિઓ વિના પ્રયત્ન મળતી નથી. ગુણ પ્રાપ્તિ એક દિવસના પ્રયત્નથી થતી નથી. એક મહિને - નાના પ્રયત્નથી થતી નથી. એકાદ વર્ષના પ્રયત્નથી થતી - નથી. ગુણ મેળવવા બીજા કેઈન શ્રમ કામ લાગતું નથી.
ગુણની સંપત્તિ વારસામાં ય મેળવી શકાતી નથી. પણ, - સ્વના સતત ધરખમ અવિરત પ્રયત્ન દ્વારા જ ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે. ગુણ મલ્યા બાદ તે ગુણ જાળવવાની ચીવટ જશે. ગુણના લાભ, અવગુણના નુકશાન બરાબર. ખ્યાલમાં રાખવા પડશે. ગુણીજનેને પરિચય કેળવે પડશે. અવગુણી, દુર્ગણી, દુજનેથી સદા સાવવું રહેવું -પડશે. છંદગીભરની સતત સાવધાની વગર ગુણ આવતાં
Page #281
--------------------------------------------------------------------------
________________
સામે જવાબ આપવામાં શક્તિના નાશ છે. [૨૩૭ નથી. ગુણુ ટકતાં નથી. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં “જાવજીવ મવિસ્સામેા ગુણાણું તુ મહુખ્મર” એક ગુણની પણ જાળવણી સતત જાગૃતિ વિના થતી નથી. સયમ એ તે અનેક ગુણને સમુદાય–અનેકાનેક ગુણેાના પાલનની તેમાં જરૂર પડે, એટલે કામળ આત્માને તેના ઘણા ભાર લાગે. શું ગુણાનું વજન હોય ? વજન તે સ્થૂલ ચીજનુ હાય....બાહ્ય ચીજનુ` હાય. તારી આ વાત સાચી છે. ગુણ બાહ્ય ચીજ નથી એટલે તેનું વજન ના હાય પણ ગુણાને પુર જાળવવા જીદગીની બધી મોજ, મજા, સ્વા, સ્નેહ હામવા પડે છે. ગુણાના મહાભાર એટલે ગુણેાની સાતત્યતા એક શ્રમભરી સાધના માંગી લે છે, કાળજી માંગી લે છૅ.
પુરૢ જ્યાં દેહને વજન નહિ પણ મનને સતત જાગતાં રહેવુ પડે તે ગુણના ભાર
કયારેક કોઈ ગુણી મહાત્માની ચર્ણ ઉપાસના કરવા પહોંચી જજે....તેમને રીઝવજે....પછી પૂછજે. “તમારા જીવનના એકાદ ગુણની ચરિત્ર કથા કહો.” જીવનમાં સંપત્તિથી, સ્વાસ્થ્યથી, કીતિથી થાડીવાર ચઢતી પડતી આવી હશે. પણ એકાદ ગુણ મેળવવા કેટલી તીવ્ર વેઢના અનુભવી છે તે જાણીશ તેા જ સમજાશે, સાહસ-કાય વગર એકાદ ગુણ પણ ટકતા નથી. શ્રમણજીવન–સાધુ જીવન એટલે ગુણેાના સમૂહ.
ર સાધુ એટલે દેહધારી નહિ પણ ગુણધારી સાક્ષાત્ ગુણમૂર્તિ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ] સવાલ અને તિરસ્કારના સંગ્રહમાં શકિતને સંગ્રહ છે.
- સાધુના પગ કયારેય પપકારના કાર્ય કરતાં થાકે નહિ. સાધુના પગ ક્યારેય વિહાર કરતાં વિખવાદ ઊભે ના કરે. સાધુના પગ ક્યારેય આવશ્યક ક્રિયા કરતાં વિશ્રામ માંગે નહિ. સાધુના હાથ સદા અપ્રમત્તભાવે આરાધનામાં ઉપયોગી થાય. કિયા કરતાં મુદ્રા ઉપગ સાધુના હાથ રાખે જ. સેવા માટે કાર્ય કરવા સાધુના હાથ સદા તૈયાર હિય. સાધુની જીભ નિંદાના પાપથી ગંદી ના બને. ! સાધુની આંખ સદ્દગુણના દર્શન માટે સાધુના કાન શાસ્ત્ર શ્રવણ માટે
સાધુના અંગ અંગ કહેતા હોય, આ માંસના લાચા નથી. પણ ગુણ પ્રાપ્તિના સાધને છે. આ પાંચ ઇન્દ્રિય તથા આ અંગે એ મારા આત્માને ગુણમય બનાવવા ખૂબ મદદ કરી છે.
સાચે આ મારા અંગ નથી પણ મારા આત્માને ગુણની મૂતિ બનાવનાર શિલ્પીગણે છે. કેઈની મદદથી પરે પકારને ગુણ મળે. કેઈની મદદથી શાસ્ત્ર શ્રવણ મલ્યું. કેઈના સહારે ગુણ સ્તુતિ મળી. કેઈન સહારે દેવગુરુદર્શન મલ્યા. આ બધાએ મને જોઈતી સામગ્રી આપી ત્યારે ગુણીજને સંપર્ક થયે. અનેક ગુણીજના પરિચયે, તેઓના ગુણેએ મારા પર ચુંબક જેવું આકર્ષણ કર્યું. અને આજે તમે મને ગુણ કહે છે. પણ મારે તે કહેવું છે....ભાઈ.! આ મૂળ પ્રતિ
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રતિકૂળતા એટલે જ ધર્મ કરવાની સાચી મેાસમ. [ ૨૩૯ નથી. આ તા પ્રતિકાપી છે. સાચે તમારી ગુણેની ઝંખના હાય તે! મને ગુણી બનાવનાર ગુણુના નિષ્ણાત મહાત્માની સેવામાં પહેાંચી જાવ. ! દોડી જાય. !
બગીચામાં જઈ એ....દ્રાક્ષના લતા માઁડપમાં ઝૂમકામાં શે।ભતી આકષ ક દ્રાક્ષ સૌને સાહામણી લાગે. સ્વાદિષ્ટ લાગે. પણ તેના માલિકને પૂછીએ. દ્રાક્ષ શુ મહેનત માંગે છે ? પછી તે લેાકો દ્રાક્ષની પાછળ જે મહેનત કથની કહે છે તે સાંભળવા જેવી છે. અમે ઉંઘ અને આરામ હરામ કરીયે છીએ. રાત દિવસના ઉજાગરા વેઠીચે છીએ. એના આઝેરાં જતન કરીએ છીએ. વેલે સડી ન જાય માટે તેની દવા કરીએ, ઈન્જેકશન અપાવીએ, સાચુ કહીએ, અમારા નાના બાળકની જેટલી કાળજી નથી રાખતાં તેથી અધિક દ્રાક્ષની કાળજી રાખીયે છીએ. આમારા વૃદ્ધ માતા-પિતાની જે સેવા નથી કરતાં તેથી અધિક સેવા શુશ્રુષા આ દ્રાક્ષની કરીએ છીએ. મીઠી દ્રાક્ષ મેળવતા અમારા મીઠા લેાહી સુકાઈને ખાખ થઈ જાય છે, અને તેમાં પણ કુદરત રૂઠી તે પાછા ઊના આંસુ અને હાથ ઘસવાના. બીજા વરસ માટે આ વરસ કરતાં અધિક મહેનત, કયારેક શ્રમ સફળ અને કયારેક શ્રમ નિષ્ફળ અને પણ અમે જનતાને તેા સીડી દ્રાક્ષ જ પહોંચાડીએ.
દ્રાક્ષ પાછળ આટલી મહેનત કરવી પડે તે ગુણ પાછળ કેટલી મહેનત કરવી પડે, તે જે આપણે વિચારીએ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ] મન એટલે અનેક સમસ્યાની ફેકટરી. તા લાગે દુનિયાના બધા પ્રાણી, બધી વ્યક્તિએ વિશ્રામ કરે તેા ચાલે પણ,
જેને ગુણી ખનવુ છે. મહાગુણીની હરોળમાં બેસવુ' છે, તેને જીવનમાં કયારેય વિશ્રામ નહિ કરવાના. સતત્ નિરંતર અપ્રમત્તભાવે ઉદ્યમી રહેવુ જોઇએ. ગુણી કહેવરાવું સહેલુ છે પણ....ગુણી કહેવરાવવા માટેય ગુણના આશ્રય લેવા પડે છે. એક શ્રીમંતને પ્રસિદ્ધિને માહ લાગ્યા. પ્રીતિએ આપ્યાં તા છેવટે કીતિ માટે દાન કરવું પડશે અને દાન કરશે તે દાનવીર કહેવાશે તે ગુણી અનવા શુ' કરવુ' પડે તે તુ વિચાર !
ગુણી બનવા શુ' મહેનત કર્વી, તેનું વર્ણન કરી ના શકાય. કારણ દરેક વ્યક્તિને પેાતાની ચાગ્યતા મુજબ મહેનત કરવી જોઇએ. મહાત્માએ તા આપણને એટલુજ ક્રમાવે ગુણી અનવુ ખૂબ કઠીન છે, તે માટે અનેક દૃષ્ટાંતા આપે, ઉપમા આપે ગુણથી પીછે હઠ કરવા નહિ.... પણ ગુણના મૂલ્ય સમજાવવા.
.
દાન આપવું તે જુદી ચીજ અને દાનના ગુણ હોવા એ અલગ હકીકત. તપ કરી લેવા તે જુદી વાત, અને તપના ગુણ પ્રગટ થવા તે અલગ હકીકત. સહન કરવું' તે જુદી વાત અને સહન-શીલતાને ગુણ હોવા એ જુદી વાત. કાય કરવું એ જુદી વાત અને પાપકારના ગુણ હોવા તે જુદી વાત, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી પડે તે જુદી વાત અને સંયમના ગુણ પ્રગટ થવા તે જુદી હકીકત, જ્ઞાન
18.
Page #285
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓનું અનુકરણ નહિ પણ અનુસરણ કરાય. [૨૪૧ હોવું તે જુદી વાત અને પચવું તે જુદી હકીક્ત. ડોકટર પાસે પોતાનું દર્દ સૌએ જેવું હોય તેવું કહેવું પડે તે સત્યને સદગુણ નહિ પણ વ્યક્તિની નબળાઈ.
gF “સત્ય સદ્ગુણ ત્યારે કહેવાય કે દુનિયાના દેખીતા બધાં લાભને ઠેકર મારી આત્મસ્વભાવથી સદ્દગુણની જાળવણી થાય તે...
LE “સત્ય એ કંઈ હરિશ્ચંદ્રને જન્મસિદ્ધ હકક ન હતે. પાગ હરિશ્ચ સત્ય માટે જીવનના સર્વસ્વનું બલિદાન આપ્યું તે સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા.”
દાન આપવાને સ્વભાવ જગડુશાહ માતાના ગર્ભમાંથી લઈને જન્મ્યા ન હતા. પણ, ગુરુની પ્રેરણાએ દાનધર્મને સિદ્ધ કરવા ૧૨ વર્ષ સતત પ્રયત્ન કર્યો અને પ્રસંગ આવે, આપીને આનંદ પામ્યા ત્યારે દાનવીર જગડુશા કહેવાય... - પ્રભુના શાસનમાં તપાવી તે અનેક થયા અને થશે. પણ વીતરાગ પરમાત્મા મહાવીરે રવમુખે ચૌદ હજાર સાધુમાં ધન્ય ધન્ય તે “ધન્ના અણગારને જ કહ્યાં, કારણ, મહાતપસ્વી ધન્ના મુનિ મહારાજે પણ આત્મસાત્ કરેલ.
ક્ષમા તે દુનિયામાં કેણ નથી રાખતું ?
વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણી પણ પોતાના બચ્ચા એને ક્ષમા કરે છે. પણ, તે ક્ષમાવીર નહિ. પરમાત્મા મહાવીર જ કેમ ક્ષમા મૂતિ ? પ્રભુ વીર હતા. મહાવીર
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪ર ] પ્રમાદભાવની સાથે લડે તે સાધુ. હતા, છતાં સૌને પ્રત્યે તેઓના હૈયામાં કરણી જન્મી. વિશ્વના સમસ્ત જીવેને હૈયાની શુભભાવનાથી નવાજ્યાં એટલે જ પરમાત્મા ક્ષમામૂર્તિ કહેવાયા-બધાં નહિ!!
દુનિયાના કેઈપણ ભાગમાં ધાર્મિક-સામાજિક-રાજકીય ક્ષેત્રે ક્યાંય પણ ફરી આવે, કોઈ પણ વ્યક્તિ સાથે કઈ પણ ગુણનું નામ જોડાયું હોય તે તેની ઊંડી તપાસ કરે. શા માટે તે ગુણથી વ્યક્તિ પ્રસિદ્ધિ પામી છે?
“વર્ષો સુધી સસ્થણની સાધના ભૂગર્ભમાં રહે છે, પછી જગતના મેદાનમાં પરીક્ષા થાય છે. તેમાં જે વ્યક્તિ વિજ્યી બને તે પછી સદ્દગુણ સાથે તેનું નામ જોડાય છે. નહિતર વ્યક્તિ અને ગુણ ભિન્ન રહે છે
જાવાજીવ અવિસામે એટલે ગુણની સાધના, ભેદ સાધનાથી નહિ, અભેદ સાધનાથી સિદ્ધ કરવાની.
gF “આયુષ્ય ન હોય તે ચાલે, પણ ગુણ ના હોય તે ના ચાલે. ગુણ એ જ શ્રમણનું જીવન ગુણ એ જ શ્રમનું આયુષ્ય અને ગુણ એ જ શ્રમણના પ્રાણ”
પ્રાણને વિચગ થાય તે પ્રાણીને નાશ–ગુણ વિયોગ થાય તે સ્વભાવને નાશ...ગુણ પ્રાપ્તિની સતત પ્રક્રિયા તેનું નામ શ્રમણ જીવન...બસ “ગુણી બન. સદ્ગ્રણી બન.મહાગુણી બન.”
અને કહું છું—“અનંતગુણી અરિહંત બન."
Page #287
--------------------------------------------------------------------------
________________
જીવનને મુખ્ય સિદ્ધાંત, “જરૂરીયાત ઘટાડે.” [ ૨૪૩
પ્રભુ ! .
આપના આશીર્વાદ અને મારે સતત અવિરત પરિશ્રમ. આ બંનેનું મિલન થાય. આપના આશિષ મને અનંતગુણી બનાવે એ જ
આપના ચરણ કમળમાં નત મસ્તકે સદાની મારી અભ્યર્થના...
Page #288
--------------------------------------------------------------------------
________________
૩૭. ‘ઇહ લેાએ નિપિવાસમ્સ નથિં કિચિવિ દુષ્કર
તૃપ્ત વ્યક્તિને ભોજનની શું કિંમત ? મહેરાને
સંગીતની શુ કિ ંમત ? અંધને દર્પણની શું તેમ જગતની જેને પૃહા નથી, ઝ ંખના જગતના સર્વ પદાર્થની શું કિ ંમત ? ”
કિ ંમત ? નથી તેને
ત્યાગ તેના માટે જ દુષ્કર છે. જેનામાં આશા ઇચ્છા-ચાહના—અખના છે. જેને કોઈ આશા નથી ઈચ્છા નથી—ચાહના નથી—ઝંખના નથી–પૃહા નથી, તેની પાસે વિશ્વના કાઇ પણ ભૌતિક પદ્યાનું મૂલ્ય તૃણ જેટલુ પણ નથી ! !
દુનિયાના ડાહ્યા કહેવાતાં દરેક સજ્જને સ’સાર ત્યાગને ચાહતાં મુમુક્ષુને એકવાર તા શાણી શિખામણ આપવાના, સંસારને તને અનુભવ નથી, તે સંસારના સુખા જોયા નથી. એકવાર સમસ્ત સસારી જીવનને અનુભવ કરી લે. પછી ત્યાગ માગે જજે. પણ, જરા વિચારીએ. તા સમજાય કે સજ્જન ત્યાગી જીવનનુ કેટલું અવમૂલ્યાંકન કરે છે ? અને ભાગી જીવનનુ કેટલું મૂલ્યાંકન કરે છે ?
જેમ શ્રીમત લોકો જમવા બેસે તા પહેલાં પોતાનુ" પેટ ભરી લે, કુટુંબીઓ જમી લે નેકર ” જમી લે અને
Page #289
--------------------------------------------------------------------------
________________
ભૂલ કહેનાર શલ જેવા લાગે તે મિથ્યાત્વ. [ ૨૪૫ પછી ગરીબને અથવા ભિખારીને વધે ઘટે ટુકડા આપે છે.
Bર “સંસારીઓ કહે છે સંસાર માટે યુવાની આપી દે. પછી જે જીવતે રહ્યો તે દીક્ષા લેજે. યૌવનમાં વ્રત નહિ. વૃદ્ધત્વમાં વ્રત. એટલે ત્યાગી છવનને એઠો-જૂઠ -વ-ઘટો ટુકડે રોટલે આપી દેવાને...આનાથી અધિક ત્યાગના અવમૂલ્યાંકન શું હોય?”
જીવનમાં જેને પ્રથમ સ્થાન અપાય...તે જ અગત્યની સાધના સંસારી પાસે ત્યાગી કઈ દિવસ ત્યાગના મૂલ્યાંકન કરાવે જ નહિ. ત્યાગી સમજે છે-છીપલા વીણનાર વ્યક્તિ ખેતીની કિંમત ના કરી શકે. તેમ સારી ત્યાગનું મહત્વ ના સમજી શકે. “સંસારીને મંત્ર સંગ્રહ -પરિગ્રહ અંતે વિગ્રહ સાધુને મંત્ર નિષ્પગ્રિડતાનિભતા અંતે અવિગ્રહ જ્યાં પરિગ્રહની ભાવના ત્યાં સંગ્રહસંગ્રહમાંથી આગ્રહ. આગ્રહમાંથી કદાગ્રહ અને કદાહમાંથી વિગ્રહ ઝંઝાવાત–લઢાઈ.” - વ્યાં નિસ્પૃહવૃત્તિ છેત્યાં દુન્યવી પદાર્થની ઝંખના નથી, તેથી ત્યાગ દુર્લભ નથી પણ ત્યાગ સહજ સુલભ બની જાય છે. પરિગ્રહવૃત્તિ જેને ભયંકર લાગી તેને ચ. વર્તીના સામ્રાજ્ય કે ઈંદ્રના સિંહાસનની પણ કોઈ લાલચ આપે-તે સ્પષ્ટ કહી દે. મને માટીના ઢેફાંથી રમવું ગમતું
નથી.
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ] સાધુનેા આંતરિક વૈભવ છે ગુરુકૃપા અને ગુરુ તુ... વાત્સલ્ય.
પુરૢ ઇંદ્રનું સિંહાસન કે ચક્રવતી નું સામ્રાજ્ય બધાં પુદ્ગલના ખેલ છે. મને આત્માના આકષ ણ થયાં છે. ચૈતન્યની મસ્તી ચઢી છે. ગુણના વશીકરણ થયાં છે. ગુણી મહાત્માનું સાંનિધ્ય લાધ્યું છે. તીર્થંકરદેવના અનેકાંત સિદ્ધાંત રૂપ કસોટી મળી છે. હવે હું અસા માગમાં *સાઉ” નહિ. સદ્ભા માથી કયારે પણ પીદેહઠ ના કરુ. મારી પાસે દુનિયાની કઇ વાત ના કરશે. મારે દુનિયાનું કશુ જોઈતુ નથી. તેથી જ મને ત્યાગ કડીન નથી લાગત....
9 અજ્ઞાનપૂર્વક—અસમજપૂર્વક ત્યાગ સ્વીકારાય. તા પરિસ્થિતિ, પાત્રો અને સાધના બદલાય, પણ માહ તે હું નહિ, લેાભ ત્યાં પણ ડખલ કરે. ત્યાગીને પણ પિ ગૃહ સજ્ઞા હું ફાવી જાય. હરાવી જાય. પણ, સમજ જાગે તે રત્નાકર પચ્ચીશી” જેવી આત્મનિંદા પ્રગટ થાય.
સમજપૂ ક ત્યાગ માગે સચરનારને કોઇ સંસારી રોકી ના શકે. સંસારની કોઈ સત્તા થેાભાવી ના શકે. સંસારના કોઈપણ રૂપ તેને લેાભાવી ના શકે. અરે ! ખુદના શરીરની સુંવાળાશને પણ વિદાય લેવી પડે. ER. “ ત્યાગને! અવાજ નાભિમાંથી ત્યારે પ્રગટ થાય કે જ્યારે હૃદયમાં સ ંતોષનુ સામ્રાજ્ય પ્રગટયુ. હાય...”
જીવનમાં જીવનધારણ કરવા સિવાય કોઈ જરૂરત ના હાય. જ્યારે સ્પૃહાવૃત્તિથી ભેાજનના ત્યાગ કરનાર,
Page #291
--------------------------------------------------------------------------
________________
જે સહન કરે છે તે જ પસ'નાલીટીનું સર્જન કરે છે. [ ૨૪૭ ભાવતા ભાજન મળતાં ભૂખડી ખારસની જેમ ભેાજન ઉપર તૃટી પડે અને અકાળે મરણના અતિથિ બને છે. ઇંદ્રિય સંયમના સદ્ગુર્જુને સમજયા વગર ઇંદ્રિય પુષ્ટ કરવા ત્યાગ કરતે! માણસ સ્વરૂપવતી નારીને જુવે છે અને વાનરવૃત્તિ આચરી દે છે. વાનર જેમ એરને જુવે અને ફોલી ફાલીને ખાવા લાગે તેમ જયાં મન ગયું ત્યાં ભાન ભૂલાય', વિવેક નષ્ટ ભ્રષ્ટ થઈ ગયે..
પુત્ર ત્યાગ માગે કદમ ભરતાં-પ્રત્યેક સાધકે પેાતાની ઋતને પ્રશ્ન પૂછવાના છે અને પેાતાની પાસેથી જ જવાબ મેળવવાનો છે. પાપાય તને સાધુ માર્ગે જવા પ્રેરણા તે! કરતા નથી ને ? રાગ તને તપના માર્ગે કદમ ભરા વના નથી ને ? તુ' અપ્રિય સયાગથી કટાળીને સચમના માગે સંચરતા નથી ને ?
દુઃખનું નિમિત્ત હોય અને તુ દીક્ષા લે એમાં કશે વાંધા નથી. પણ દુઃખ દ્વારા દુઃખના જોડીયા ભાઇ સુખને પણ સમજી લેજે અને નિર્ણય કરી લેજે, જ્ઞાન દ્વારા સુખ દુ:ખ બંને સમજીને હવે કહુ છુ”–
મને સુખ ભર્યાં સસાર પશુ ના જાઈએ અને દુઃખ ભર્યા સંસાર પણ ના જોઈએ. સંસાર જ ના જોઈએ. તેા સંસારના સુખ-દુઃખની લપન જઉં શા માટે ? જેનુ પેટ ભરાયેલુ છે, તે સ્વાદ્રિષ્ટ મનગમતા કે અણગમતા ભેાજન સામે ષ્ટિ પણ
છપનમાં
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ] ક્રાધ-ગુસ્સો એટલે સમતા ધનને લૂંટનાર ડાકુ, નાંખે નહિ, અરે ! ભેજનની વાત પણ તેને કંટાળે ઉપજાવે. ભાજનની કથા પણ, તેને સાંભળવી ના ગમે. અસ, તેમ સાચા ત્યાગીને સંસાર ના આકષી શકે. સંસારની કથા પણ તેને વ્યથા લાગે. અને તેની જ જાળથી દૂર રહેવામાં જ સ્વની સલામતી લાગે. સ્વના આત્માના મંગલ માટે સંસારને ત્યાગ કરે, તે કહે ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યુ છે-“હુ લેાએ નિપિવાસર્સ નથિ કિ ચિવિ દુષ્કર’” સંસારના ત્યાગ મારે મન સહજ છે આસાન છે કારણ જગતની મને પૃહા નથી. સ્પૃહા સિદ્ધિના સુખની છે એટલે ત્યાગમાગ કઠીન લાગતા નથી. મારા ધ્યેયની-પૂર્ણાહુતિ માટે હુ' હસતાં હસતાં અસત્નો ત્યાગ કરુ છુ સત્ન સ્વીકાર કરુ છુ. હેય છેડુ છુ. ઉપાદેય સ્વીકાર છું. ગુરુ કૃપાએ મને જ્ઞેય મળ્યું છે. તેથી ભાળવાઈ લક્ષ થાઈ હા=જીદમાં ત્યાગ અપનાવતા નથી. પણ, આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી મારા ત્યાગી જીવનના પ્રારંભ કરે' છું', તમે ત્યાગની તળેટીએ ઊભા રહેલા મારા સ્વ જને ! મારા ત્યાગના શિખર સર કરવાના મનેરથા સફળ થાય, તેવા શુભાશિષ આપે..
( તમે મને વિદાય નહિ આપે... પણ તુ' તમને સદા વિદાય આપુ છું. ચાલે!....ત્યારે જલ્દી પધારજો.... સિદ્ધોની દુનિયામાં. હું તમારા સત્કાર-સન્માનની તૈયારી કરી રાખીશ. વિદ્યાય. . . વિદ્યાય... સંસારને વિશ્વાયુ....મેને વિદાય. . .દુર્ભાવને વિદાય ...દુગુ ણુને વિદાય. . . આજથી મારી
Page #293
--------------------------------------------------------------------------
________________
ભુલ કહેનાર શૂલ જેવા લાગે તે મિથ્યાવ
[ ૨૪૯
વિજયયાત્રાને પ્રારંભ.... આ છે દીક્ષાથીના અંતરનું અબોલ આત્મ નિવેદન.”
આવા અંતરના શુભ ભાવથી જે પ્રજિત બને તેને જીવનમાં દીક્ષા લીધા બાદ પણ કઈ સંઘર્ષ પેદા થતું નથી. બાકી માન-સન્માનની સ્પૃહાથી દીક્ષા લે તે દક્ષામાં પણ કુરુક્ષેત્રની તૈયારી કરી દે છે.
મારૂં માને-તમારું માન-મારી ગણત્રી-તમારી ગણત્રી, મારું નામ, તમારું નામ-મારા ગુરુ, તમારા ગુરૂ–મારા શિષ્ય, તમારા શિષ્ય-શિષ્યા, મારી પદવી, તમારી પદવી-આ બધી કષાયની જ હેળી છે. | BE “ત્યાગી થયે છું, કષાયની હળીમાં શેકવા નહિકષાયની હોળી કરવા. બસ, સાધકને એક અંતરનાદ જોઈએ-મારે કંઈ ન જોઈએ. મારે કશું નથી કરવું.... પણું કર્તવ્યયસ પૂર્ણ કર્યા વગર કમેં હટે નહિ, તેથી હું મારા કર્તવ્યધર્મને અનુસરીશ...
બસ, સાધક ! આ મનવૃત્તિથી ત્યાગ માગે આગે. અઢ. તું, પ્રેરણા સ્ત્રોત બની જઈશ...
પ્રભુ ! હું સર્વ પૃહ ત્યાગ કરીશ. પણ સાચું કહું છું, મારી “એક સ્પૃહાને ત્યાગ નહિ કરું. સ્પૃહાના ત્યાગની સ્પૃહા.”. - શું આપના અદના સેવકની આટલી અરજી ના સ્વીકારો ?
Page #294
--------------------------------------------------------------------------
________________
૩૮ ન પારએ હાઈ હુ સપરાએ પા
નીતિશાસ્ત્રનુ' એક સુભાષિત છે. અધમ આત્માએ વિઘ્નના ભયથી સત્કાર્યના પ્રારમ કરતાં નથી. મધ્યમ આત્માએ સત્કાર્ય ના પ્રારંભ કરે છે પણ વિઘ્ન આવતાં અધવચ્ચે જ કા ને છોડી દે છે. ત્યારે ઉત્તમ આત્માએ વાર વાર વિઘ્ન આવવા છતાં પ્રાર'ભેલ સત્કાર્ય ને પૂર્ણ કરીને જ રહે છે.
પ્રત્યેક વ્રત નિયમ સ્વીકારવા સુલભ છે. તેની કાયિક ક્યિા બીજાની શરમથી સમાજના કારણે પણ જળવાઈ જાય છે. પણ વ્રત નિયમ આરાધના માનસિક રીતે આરાધવા ખૂબ કઠીન છે. માનસિક અખંડતા જાળવવા જખર– જસ્ત મનાયેાગ જોઈએ, હાર્દિક સમજદારી જોઈ એ.
ઘાંચીના બળદને આંખે પાટા બાંધેલા હોય છે પણ તેની ગતિની પ્રક્રિયા સવારથી સાંજ સુધી અખંડ ચાલ્યા કરે છે. તેને લાગે છે હવે તા હું દુનિયાના છેડે પહોંચ્યા હાઇશ. પણ જ્યારે તેની આંખના પાટા ખોલવામાં આવે છે ત્યારે ખખર પડે છે કે ભલા ! તું ઘાંચીના બળદ ! તારી પ્રદક્ષિણા પૃથ્વીને ન હતી ઘાણીને જ હતી. તું દૂર જઈ ના શકે તારા ગળે બાંધેલે! દોરડાના એક છેડે ઘાણીએ જ બાંધેલ છે, પૃથ્વીમાં ફેરવુ હાય તા ગળે બાંધેલ દોરડાને તેડ ! તને એ બધન નથી લાગતું ? ગળાના હાર લાગે
Page #295
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મજ્ઞાન એ ઢાલ છે. તત્ત્વજ્ઞાન એ તલવાર છે. [ ૨૫૧ ત્યાં સુધી એ બંધન તૂટે નહિ, અને જ્યાં સુધી તૂટે નહિ ત્યાં સુધી તું ઘાણીથી મુક્ત થાય નહિ.
અંધન
વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિ કહે કે અમારા જેવા જીવાની ભારૈકમીતા કહેા. કદાચ અમારા ગુરુજન કરતાં અમે વિહારના કષ્ટ વધારે સહ્યાં હશે. પણ કોઈ પૂછે વિહારથી તમે કનિશ પ્રાપ્ત કરી ? જવાખ જો અંતરથી આપવાના છે તે મૌન જ અમારું' રક્ષણ કરશે. નહિતર અગડ –બગડ વાતાના કોઈ તાટા નથી ! આપણને શું આત્મિક લાભ થયે. તે શુ' શબ્દોમાં કહેવાય ? હા..... જુએને અમારા ભાષાકીય અનુભવ વધી ગયા. દુનિયાના વિવિધ લેાકેાની રીતભાતનું ભાન થયું.
શું પ્રભુની આજ્ઞા મુજબના સાધુના વિહારનું આવુ. તુચ્છ...ફળ! ! ! વિહાર થયેા કે એકલુ` કાયા કષ્ટ ! કદાચ પાંચ પચ્ચીસ વર્ષોંના ભૂતકાળમાં ન થઈ હેાય તેવી તપશ્ચર્યા કરી લીધી. પણ કોઈ પૂછે, તમારા તપરુપ મંદિરનું શિખર “પારણુ” કેવું થયું ? ઉદ્ધતાઈથી ભરપુર જવાબ આપીં દઈશું —મ દિર પથ્થરનું હાય અને શું શિખર સાનાનુ હાય ! તમને સારા પ્રશ્નો સર્જે છે હાં !
તપની શેાભા તે પારણમાં ત્યાગ ભાવના કેવી રહે તેના ઉપર જ આધારિત છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨પર ] સારને ગ્રહણ કરી અસારને ફેંકી દે તે સાધુ
Hિ પારણામાં આસકિત આવી તે તપનું મંદિર સુંદર શિખરથી સુશોભિત ન બને ! '
આમ વર્તમાનકાળમાં આરાધના, જ્ઞાન, સાધના અમે ખૂબ મેળવ્યાં છે પણ સાચું કહું તે અમે માટીની ઈમા રતો ચણે છે. ધર્માનના વાવંટોળ ફેંકાય છે ને
અમારા માટીના ઘર જમીનદોસ્ત થઈ જાય છે. છેવટે એ - વિનાશ પાસે ઉભા રહી અમારે અમારા મરસીયા ગાવા પડે છે “ન પારએ હેઈ હ સંપરાએ.
તપ, નિયમ, વ્રતનું કષ્ટ ખૂબ સહ્યું છે. નાની ઉંમરમાં અનેક દીર્ઘ તપશ્ચર્યા સંભળાય છે. બાલ્ય ઉંમરમાં ત્યાગના - સ્વીકાર સહજ થાય છે. જીંદગીની પહેલી વીશીમાં જ બુદ્ધિના
અનેક ચમત્કાર દેખાય છે. જ્ઞાનપ્રાપ્તિના અનેક ભવ્ય પ્રયત્ન દેખાય છે. આજે તે એવા જ્ઞાની મળવાના સો ગાથા રમતાં રમતાં પૂરી કરનારા સ્વાધ્યાય જ કેટલે કરે છે? તેઓને પૂછીએ રજને છ હજારને સ્વાધ્યાય તે સાચ. બે હજારના સ્વાધ્યાય વગર મુખમાં પાણી ના નાંખુ બોજ કેટલા કલાક અભ્યાસ કરે છે?” “ઓછામાં ઓછા બાર કલાક.” કેટલી ભાષા જાણે છે?” ખાસ નહિ. સાત ભાષામાં વાતે કરી શકું છું, પાંચ ભાષા વાંચી શકું છું. ચાર ભાષામાં - વાંચનલેખન–અને સર્જન કરી શકું છું. સરસ્વતીને આટલી બધી કેમ ખુશ કરી શક્યા? “જુઓને, ત્યાગ અને સાદાઈ વડે જે હોય તે ચાલે, જેવું હોય તે ચાલે, મારી - જરૂરિયાત જ ખૂબ ઓછી છે તમે જાણે છે ને ?
Page #297
--------------------------------------------------------------------------
________________
દુઃખનું મૂળ છે કામના, ઇચ્છા અને અભિલાષા [ ૨૫૩
સાધક ! .
તમારા જ્ઞાનની અનુમેદના....પણ એક મારા પ્રશ્નને જવાબ આપવાની તસ્દી લેા. આ જ્ઞાન તમને સહનશીલતા આપવામાં મદદ કરે છે?
મહાત્મા !
તમે શું ખેલ્યા ? સહનશીલતા” શુ' હુ ભણ્ય એ ગુન્હા થયે. ? જ્ઞાન તા મેં' જ્ઞાની કહેવરાવવા મેળળ્યુ છે. તમારા જેવાને જવાબ આપવા મેળળ્યું છે. જ્ઞાન મને સહનશીલતામાં મદદ કરે. . . સાચું કહું ભાઈસાબ ! “હું તા મને એક સભળાવે અને કહી દઉં છું જો હું ભણેલા ગણેલે! છુ. મૌન રહુ છું ત્યાં સુધી મજા છે. મારું માથું પુસ્તકમાં છે ત્યાં સુધી તમને કઇ તકલીફ નહિ કરું, પણ જો તમારી સાથે જીભાજોડી અને લખાપટ્ટીમાં ઉતરીશ તા મને નહિ તમને ભારે પડી જશે, સાચું કહુ છું સહન શીલતા મારામાં નથી. ખસ, બધુ કરી શકું છું પણ સહન શીલતા આવતી નથી. મને માફ કરજો.”
પરમાત્માના શાશ્ત્રા આપણા જેવા વક્ર અને જડ આત્માના ઉદ્ધાર માટે અનેક રીતે પ્રયત્ન કરે છે. મા જે વાસલ્યથી સમજાવે તેના કરતાં અન‘તગુણા વાસલ્યથી તારક તીથ કર પરમાત્મા આપણા ઉપર ભાવદયા કરીને ફરમાવે છે. ખૂબ લાંબાકાળથી દીક્ષિત બન્યા. તપ નિયમોના પાલન કર્યાં પણ સાચે મન-વચન-કાયાની શુદ્ધિથી કરણ
-
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫૪] ત્યાગ કર્યા છતાં પણ શાતાની ઝંખના છે તે સંસારી કરાવણું અનુદના દ્વારા નવટિ શુદ્ધિ સહિત સંયમ પાલનની તને કાળજી રહી નહિ. એટલે હકીકતમાં તારા વ્રત–નિયમ અસ્થિર બન્યા છે. તું ભ્રષ્ટ થયું છે, તારી કાયાને અવશ્ય કલેશને લાભ મળે છે. વેશ બદલ્યા પણ સાચે તું કષાયના સંસારથી મુક્ત થઈ શકે નથી. કષાયને પાર પામી શક્યા નથી. સંસાર છેડે તે હવે સંસારની - જડ સમા રાગદ્વેષ ઉપર વિજય મેળવ. પાંદડા અને શાખા -તૂટવાથી ઝાડ તૂટશે નહિ. ઝાડ તેડવામાં મૂળને નાશ - જ સહાયક થશે. બહારના પુત્ર, મિત્ર, પત્ની, ધન, ઘર
એ સંસારવૃક્ષની શાખા-પ્રશાખા છે. મૂળ તે રાગદ્વેષ છે. PUR “બાહા પદાર્થને ત્યાગ અંતરના રાગદ્વેષના વિજયમાં મદદગાર છે, પણ આંતર વિજ્યનું લક્ષ્ય હોય તે જ !
ઉત્તરાધ્યયન સૂત્રની હિતશિક્ષા હતાશ બનાવવા નથી, નિરાશ બનાવવા નથી પણ તને જાગૃત બનાવવા છે. તું - અધવચ્ચે અથડાઈ ન જાય તે માટે છે. પરમાત્મા સાધકને કહે છે તે સંસારને ત્યાગ કર્યો છે. પણ સંસારથી તું પાર પામ્યો નથી. તું ત્યાગના સમરાંગણમાં આવ્યું છે, મંઝીલ દૂર છે. વિજય દૂર છે. બસ, દરેક સાધક આત્માને પરમાત્માની હિતશિક્ષા છે કે, “દીક્ષા લીધા બાદ લડાઈ કરજો પણ બીજા કોઈની સાથે નહિ. પિતાના આત્માની સાથે, પિતાના રાગ-દ્વેષ સાથે.”
તેં સંસારના બાહ્ય સંયોગ છેડયા એટલે જ તારી આત્મિક અભિરુચિ સમજાઈ. તું સંસારના ત્યાગને ઝંખે છે
Page #299
--------------------------------------------------------------------------
________________
સ્વાસ્વપ્રશંસાના વાવમાંથી જ પરનિંદાપ્રગટ થાર્થ છે ૨૫૫ મેક્ષપ્રાપ્તિને ચાહે છે. તારે આ ત્યાગ નિરર્થક નથી. તેણે પણ ઘણું ઘણું કાર્ય કર્યું છે. વિનયીને કઈ હિતશિક્ષા આપશે પણ અવિનયીને કોઈ મહાત્મા હિતશિક્ષા આપવા નહિ જાય. તું ત્યાગની પરીક્ષામાં બેઠો છું. તું નાપાસ થાય તે ત્યાગી કુલની ભા ના વધે..તારી શેભા ના વધે એટલે જ વારંવાર તને ચેતવણીની લાલબત્તી ધરીએ છીએ.
ત્યાગના રાજમાર્ગ પર આવ્યું. પણ વચ્ચે રાગદ્વેષની ભયંકર ખીણ ઓળંગવાની છે. આ રાગદ્વેષની ખીણ ના એળગે ત્યાં સુધી તારે વિજય દૂર છે,
પ્રત્યેક પરિસ્થિતિમાં તારા મનને પૂછજે, ભઈલા ! તારે વિજય કે પરાજ્ય ? બસ, આજ હિતભાવના તને સમજણ આપવા પાછળ છે. સંસારને ત્યાગ કરનાર ભડ વીર તું રાગદ્વેષને ત્યાગ કરી શૂરવીર થા!
આપના તારક ચરણમાં નતમરતકે એક જ વિનંતિ છે. મારા અંતરના અગિણને હટાવવાની શક્તિ મળે, મારા મનમાં રહેલ સંસારના ત્યાગની શકિત આપે... આપના આશીર્વાદ રહે...
નિત્યારગ પારગ હહ.”
Page #300
--------------------------------------------------------------------------
________________
૩૯. “પુચ્છિમએ તુí ઝાવિધા ઉ જો ક
5
કેટલીકવાર કોઇની સાથે વાત કરવા જઇએ છીએ ત્યારે થાય છે આ વ્યક્તિ પણ વાત કરનારની રાહ જોઇને જ બેઠેલી, તમે મળી ગયા તા સારુ· થયુ.. નહિતર ખિચારા સજ્જનને! દિવસ મૌન દ્વારા કેમ વ્યતીત થાત ? તે... કેટલીવાર કાંઈની સાથે વાત કરતા અનુભવ થાય છે કે વાત તેઓને પ્રિય નથી, પણ સજ્જનસ્વભાવના કારણે આપણને પૂછવાને! જવાબ આપી આપણા ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યારે કેટલીકવાર કોઈ એવી વ્યક્તિના પરિચયમાં આવીએ છીએ કે જે આપણા પ્રશ્નના જવાબ આપે છે, આપણી શંકાનું સ’પૂર્ણ સમાધાન કરે છે પણ, તેના જ્ઞાનના તેજે, તેના ચારિત્રના તેજે તેની આત્મ પ્રતિભાથી અંજાઈ આપણા મુખમાંથી નીકળી જાય છે, “મે આપને ડખલ કરી ખલેલ પહોંચાડી, આપના મહાન કાર્ય માં અંતરાય કર્યાં. મને માફ કરજો....’
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં આવી જ એક હકીકત છે. મગધના મહાન સમ્રાટ શ્રેણીકે એક ત્યાગીને આવેગમાં આવીને એક પ્રશ્ન પૂછી લીધેા. પણ ત્યાગીએ તેને જ શાંતિથી, ધીરતાથી અને આંતરિક વૈરાગ્યથી તથા શુભભાવથી જવાબ આપ્યા. તેનાથી સમ્રાટ શરમાઇ ગયા. મગધના સમ્રાટને લાગ્યું....મારી આ ભય
Page #301
--------------------------------------------------------------------------
________________
શિષ્ય અટલે જીવ'ત ભક્તિયાગ.
[ ૨૫૭
કર ભૂલ છે. આ મહાત્મા છે. તેથી મારા પ્રશ્નના જવાબ આપે છે. મારી કઈ ગ્યતા-કઇ પાત્રતા કે હું તેમને પ્રશ્ન પૂછી શકું? આ મહાત્માની જીંદગી જ અમૂલ્ય છે. તેમની જીંદગીના ક્ષણે ક્ષણના મૂલ્ય છે. આ મહાત્માની પ્રત્યેક ક્ષણ ધ્યાન માટે છે. મારા પ્રશ્નના જવાખ મને કયાંયથી ચ મળત–મારા પ્રશ્નના જવાબ માટે મેં મહાત્માના દ્રોહ કર્યો છે !!! તેના ધ્યાનમાં મેં વિઘ્ન કર્યુ. મહાત્મા કયારે ય નહિ કહે પણ, તેમની પ્રતિભાએ મને સુગ્ધ કર્યા છે. તેમના જ્ઞાનના પ્રકાશથી હું. અ ંજાઈ ગયા ....હવે ખૂબ પ્રશ્ચાત્તાપ થાય છે. મહાત્મા ! મેં આપના ધ્યાનમાં વિઘ્ન કર્યુ” છે. મને માફ કરો, ક્ષમા કરો આ અક્ષમ્ય અપરાધ ને !!!”
મુનિ અનાથી અને સમ્રાટ શ્રેણિકને વાર્તાલાપ પ્રસિદ્ધ છે. મહાત્મા અનાથીના આંતરિક વૈશગ્યે જ સમ્રાટ શ્રેણિકને આત્માભિમુખ બનાવ્યા છે. પણ વાર્તાલાપ ખાદ શ્રેણિકના હૃદયમાં શું મનેાવેદના થઈ હતી તેના કયારે ય આપણે વિચાર કર્યાં નથી....
•
સાધક ! મહાત્મા અનાથી સાધક, મહાત્મા અનાથી સાથે કરવા આવ્યા, તારી સામે તારા સ્વજનો અને સ્નેહી આવશે. વાર્તાલાપ થશે. વિચાર વિનિમય થશે. પણ, મારે તેા તને એક સામાન્ય, સાવ
૧૭
પણ સાધક અને તુ ય સમ્રાટ શ્રેણિક વાર્તાલાપ યુગના સમ્રાટ આવશે.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫૮] આધ્યાત્મિક દુનિયાના એકડા ગુરૂકૃપાથી પ્રારંભ થાય સામાન્ય પ્રશ્ન પૂછવે છે, બધા તારી સાથે વાત કરશે કે તુ' બધાની સાથે વાત કરીશ ?”
મહાત્મા ! આમાં શું પૂછવા જેવુ છે ? અરસપરસ તે મારી સાથે વાત કરશે. હું તેની સાથે વાત કરીશ. વાત કરવામાં કંઈ પાપ એ છે ? વાત કર્યાં વગર વિચારોની આપ લે કેવી રીતે થાય ? આપ જ કહેાને ?
સાધક ! મારે જે જાણવું હતું તે જાણી લીધું. તારી મનેભૂમિકા તારા જવાબમાં પ્રતિબિં'ખિત થઈ જાય છે. બધા તારી સાથે વાત કરે તે તે મને સમજાય એવી વાત છે. પણ, મૈં તું મહાત્મા છે—તુ ત્યાગી છે—તુ જ્ઞાની છે તુ જ્ઞાની ગુરુના શિષ્ય છે. બધા તારી સાથે વાત કરે. એમાં તારા આત્મજ્ઞાનનું ગૌરવ છે. પણ, તુ બધાંની સાથે વાત કરે, તે મને બેહૂદુ લાગે છે. સંસારી સાથે તું શા માટે વાત કરે ? તારે એમનાથી શુ મેળવવાનું ? સસારીના પ્રશ્નના જવાબ આપવા એ તારી સાધુતાને આભારી છે. નમ્રતાયુકત તારા જીવન વ્યવહારનુ' પ્રતીક છે. પણ, તુ` કેવલજ્ઞાનના વિદ્યાર્થી !! તારા અભ્યાસ અધૂરા હાય, તારી સાધના સ'પૂર્ણ ના થઈ હોય, કના દેવા ચૂકવાયા ના હાય, સેવા–શુશ્રષાના તારા ધર્માં પૂરા થયા ના હાય અને અધવચ્ચે તું સસારી સાથે વાત કરે? સંસારી સાથે વાત કરે તેા તારી સાજના સુધરે કે
Page #303
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનીની કૃપા પ્રાપ્ત કરવાનું શસ્ત્ર છે પર્યુંપાસના [ ૨૫૯, અગડે? સાંસારી સાથે વાત કરે તેા જ્ઞાન આવે કે અજ્ઞાન આવે ? ભલા....સાધક !! તું કયાં સુધી ભેળે-મુખ્ય રહીશ. તારી એક એક ઘડી કેટલી કિંમતી છે.
પુર્‘તારી સાથે વાત કરતાં માનવાને તે સ'કાચ જોઇએ. પણ, દેવાને ય ડર લાગવા જોઈએ.” મેક્ષાથી ! મહાત્માના સમયનો દુરુપયોગ કરીએ, તેા અમે ચ ડુમી જઈ એ. તુ કયારે ય કોઈને ના કહે મને સમય નથી. મારી સાથે વાત કરવા ન આવતાં.” પણ...તારા અંતર આત્માનુ પ્રતિબિંબુ જ રાખ્તના સહારે પ્રગતિ થાય.
પુત્ર દૂધથી તેા દેવાધિદેવના ચરણ પ્રક્ષાલન થાય, માનવના નહિ.'' આપ મહાત્માને! સમય તેા જ્ઞાનાર્જન માટે હાય, મહાત્માએની સેવા સુશ્રષા માટે હાય. મારા જેવા સંસારી સાથે આપની વાત ના હાય. હાથી તે રાજકુળમાં શેભે, ડેંસ માનસરોવરમાં શેળે. આપની વાત આપના ગુરુદેવ સાથે હાય, મારી સાથે આપની વાત ચાહું તે આપના જ્ઞાનનું ભયંકર મેં અપમાન કર્યુ” કહેવાય.
પુર પત્ન, સમય ધર્મ ધ્યાન દ્વારા શુકલધ્યાન સિદ્ધ
કરવા છે.
મહમા ! આપને પ્રશ્ન પૂછી મે આપને ધ્યાનમાં વિઘ્ન કર્યું એવું સાધક ! તને કોઈ કહેનાર છે ?
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૬૦] સાધુનું વચન એટલે જિનાજ્ઞાથી પવિત્ર વચન હેાઃ સાધક!
મને તારી અપૂર્ણ આરાધનાથી દુ:ખ થતું' 'નથી.. તારી છદ્મસ્થતાથી ઉદ્વિગ્નતા નથી આવતી. પણ, જ્યારે તારામાં સાધનાની મસ્તી ના જો" ત્યારે મારું દિલ દ્રવી જાય છે. કયારેક તારી ચિંતા મને ભરખી જાય છે. એકલા અંધારા ખૂણાના ઓરડામાં બેસીને ચેાધાર આંસુએ રડું છું. મારી આંખેામાંથી શ્રાવણ-ભાદરવા વહે છે. તને મારા આ અંતરના આંસુ કાં દેખાય ? મારી વેદના તને શાની વ્યગ્ર મનાવે ? ખસ, તું તેા એટલું જ જુવે છે કે મારા ગુરુ ખેલે છે ને ? હસે છે ને?
પણ, સાચું કહું? મારી આ વાત નથી. મારી આ આજ્ઞા નથી. પણ, સાચે તારા આત્માને ભવરાગ ના લાગુ પડી જાય તેની ભાવ ચિકિત્સા છે. મારી મનોકામના છે,. મારા કરતાં પણ તને સવાયા જોવાની....
પુ જૈન ઇતિહાસ તું જાણતા નથી. ત્યાગી-નિસ્વાથી ગુરુના વાત્સલ્યને તુ' સમયૈ નથી. જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી મ. સા. ની ભાવના હતી તે જ સેન સૂરીશ્વરજી મ. સા. સવાઈ હીર બન્યાં અને ભવ્ય ઇતિહાસ આલેખાય.”
ધૃ પ્રત્યેક શિષ્યના સર્જન પાછળ ગુરુની મહાન સાધ-નાનું ગુપ્ત રહસ્ય હાય છે. સાધક ! ફરી ફરી તને કહું" છું. તારા ગુરુને સફળ બનાવવા તારામાં જ્ઞાન-ધ્યાનની
Page #305
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૧
દાધની જ્વાલામાં ન શેકાય તે આત્માથી મસ્તી જગાવ. તારા વિશુદ્ધિના તેજે વિશ્વને પવિત્ર કરી કે તારી સાથે વાત કરવા આવેલા શરમાઈ જાય.”
જે, તુ આલ સાધક હોઈશ તા તારી સાથે વાત કરવા આવેલા, તારી અભ્યાસની મસ્તી જોઈ તારા ગુરુને વિનતિ કરશે. ગુરુદેવ ! આ ખાલ સાધુઓને અભ્યાસ કરાવા. પુસ્તકના-પડિતને સેવાના લાભ મને આપે. શાસન પ્રભાવક મહાત્મા થશે. મારા પરિવાર તેઓના થમ પદેશથી ધન્ય મનશે....
જો, તુ યુવાન સાધક હાઈશ અને તારામાં ઇન્દ્રિયદમનની ઉત્કંઠા અને આજ્ઞા પાલનની તપરતા ગૃહસ્થ જોશે તેા તુરત તે ભાવિક ગુરુદેવને કહેશે-મહાત્મા ! યુવાન પુત્રો તે અમારે ત્યાં પણ છે,
પર કયાં આ પવિત્રતાના અવતાર—આજ્ઞા પાલનમાં ઉત્સુક આપના શિષ્યે!... સાચે આપ ધન્ય ! આપના શિષ્ય ધન્ય! ! વસુધા પણ આવ! મહાત્માના તેજે ધન્ય બનશે.”
જો, તુ' વૃદ્ધ સાધક હાઈશ....દાંડાના ટેકે ટકે પણ એક એક રંગ ભરતા વિહાર કરતા હાઇશ, તા તારા દર્શનાથી વગ કહેશે.મહાત્મા તમારી જીવન કિતાખનુ છેલ્લુ પૃષ્ઠ આટલું. મધુરુ છે તે આપનુ` જીવન કેટગ્રુ પવિત્ર હશે.”
કોઈ કહે છે, મહાન તપસ્વી પૂજ્ય સિદ્ધિ સુરીશ્વરજી મ. સા. (બાપજી મ.) ૯૨ વર્ષની ઉંમરે અમદાવાદથી
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
પરમાત્માના સાધુ અટલે જગતને દિગ્દર્શક
ગિરનારની યાત્રા વિહાર કરીને કરેલી, તપથી કાયા કૃશ થયેલ. વૃદ્ધત્વથી દેહયષ્ટિ સૂકી ગયેલ પણ....જેના મુખ પર તપના અનેરાં તેજ પથરાયેલ એવા બાપજી મ. ને ઊંચા ગઢ ગિરનાર પર પા... પા...પગલીએ ચાલતાં યા હશે, તે દકાના દિલમાં શું ભાવ પેદા થયે હશે ? ? ?...શબ્દ રીસાઈ ગયા હશે ? આંસુ વાટે હૈયાના ભાવું શું ત્યાં મૂત નહિ અન્યાં હોય ? ??
સાધક !
મારી તેા તને પહેલી અને છેલ્લી એક વાત છે. તારી સાથે વાત કરવા આવનાર તારાથી શરમાવે જોઈએ. તને પ્રશ્ન પૂછનાર તારા જ્ઞાનનાં દિવ્ય તેજથી અંજાવા બ્લેક એ. મહાત્માની સાધનામાં મારાથી અ ંતરાય થવા ન જોઇએ-એવુ' તે સમજે. અને એવી ભાવનાથી પાછે જાય ત્યારે મારા હૈયામાં હર્ષીના મહાસાગર હિલેળા લેશે.... ગુરુદેવ !
બાળક હતા એટલે આપના હૈયાના ભાવને સમ જ્યું નહિ...પહેલાં તા માફી માંગું. આપના મનેાથની અવગણના કરી. તે પછી કહુ છુ. આશિષ આપે.....ધ્યાનમાર્ગીમાં નિવિન પ્રગતિ કરુ. આપના આશિષ મને અવશ્ય સફળ બનાવશે.”
Page #307
--------------------------------------------------------------------------
________________
૪. “સીહા વ સહેણુ ન સંતસેજજા, વય જોગા સુચ્ચા ન અસભ્ભમાહુ”
સિ'હું વનરાજ શા માટે ? અછાના કારણે, ના....ના... ખળ તે! હાથી પાસે ય હોય. વાઘ પાસે પણ હૈાય. છતાં તે વનકેસરી નહિ અને સ`હુ કેમ વનરાજ ? વનરાજ પણું, તે બની શકે જે સાત્ત્વિક હાય, પરાકમશીલ હોય, ડરપેક ના હોય. સિંહ સાત્ત્વિક, પરાક્રમી તથા સાહસિક પ્રાણી છે. જજંગલમાં જીવવાનું-જંગલી પશુ વચ્ચે જીવવાનું જગલી પશુ એટલે જેને એલતાં ન આવડે, પણ ખરાડતાં વર્ડ, ઘાંટા પાડતાં આવડે, રાડ પાડતાં આવડે, ચીસા નાખતાં આવડે, ત્રાડ પાડતાં આવડે. ખરાડા-ઘાંટા-રોડચીસે. અને ત્રાડ વચ્ચે ગભરાય નહિ, ડરે નહિ, ત્રાસ પામે નહિ તે સિહ....તે વનરાજ....સિંહ સૌના અવાજો સાંભળે પણ કચારેય તેનું અનુકરણ ના કરે. સિંહ તે સિંહનાદ કરે. સિંહનાદ કોઈનું અનુકરણ નહિ, કોઈનુ અનુસરણ નહિ, પણ સ્વના નાદ. સ્વની નાભિમાંથી પ્રગદેલા દિશાઓને ગજવતે સ્વર....
સાધક !
તું સાધુ થયેા છે. જ્ઞાનના મહાવનમાં તે' પ્રવેશ કર્યાં છે. ચારે બાજુ અજ્ઞાનીએ છે. અજ્ઞાનીઓ જેમ મનમાં આવે તેમ ખેલશે. આ બધાના શબ્દો તારા કાનમાં
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૬૪ ]
સ્વ સ્વાથને કચડી નાંખે તે ઋજુદશી. આવશે. પણ તારે કયારેય તેઓનુ અનુકરણ કરવાનુ` નથી. તારે તા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની હિતશિક્ષાનું પુનઃ પુનઃ સ્મરણ કરવાનું છે-“સીહે. વસદ્દેણુ ન સ ંતસેજા-વય જોગ સુચ્ચા ન અસમ્ભમાહુ.” દુનિયાના બધા પ્રાણી તારા જેવા જ્ઞાની નથી. વિચારક નથી. તારા જેવા સમજદાર નથી. તેમની પાસે તારા જેવા વ્રત અને નિયમ નથી. તેઓનુ જીવન તુચ્છ. તેનું જ્ઞાન અલ્પ. તારુ જીવન મહાન. તારા વ્રત મહાન; તું બધા જેવુ એલે ? ના.... ના કદાચ સમુદ્ર મર્યાદા મૂકે મેરૂ ક ંપાયમાન થાય ? તે પણ તારક તીર્થંકર પરમાત્માના શ્રમણ અસત્ય ના ખેલે. અચેાગ્ય ના ખાલે.
દુનિયાના અજ્ઞાનીએ સાધુ સાથે, અસદ્વ્યવહાર કરે, તુચ્છતા કરે, ઉપેક્ષા કરે, તિરસ્કાર કરે, ગાળ આપે તેા પણ પરમાત્માનો નિગ્રંથ સાધુ અસભ્ય આલાપ, સલાપ ના કરે. સિંહની જેમ સાત્ત્વિક રહે, નિર્ભીય રહે. અજ્ઞાની રૂપ પશુના અવાજથી ત્રાસ ના પામે.
É “સાધુ ત્રાસ ન પામે એટલે કયારે પણ સાધુ ચૈાગ્ય ભાષાથી હીન ભાષા ન મેલે. હીન ભાષા બોલે તે હીન થાય. નીચ થાય.”
ભાષાનું મહત્ત્વ ના સમજે તે ભાષાના દુરુપયોગ કરે, જે ભાષાનુ' મહત્ત્વ સમજે તે ભાષાના સત્તુપયાગ કરે. રબારી પાસે રત્ન આવે તે કૉંગડાને ઉડાડ
Page #309
--------------------------------------------------------------------------
________________
સંયમની સાધના દ્વારા સિદ્ધિના દર્શન ને ઋજુદન [૨૬૫
વામાં જ તેને! ઉપયોગ કરે. કારણ
રત્નની મહત્તા તેને
ખબર નથી.
સાધકે !
તુ શ્રમણ....શ્રમ કરનાર....શ્રમના મહત્ત્વને સમ જનાર. રસનેન્દ્રિય કેટલાંને મળે ? રસનેન્દ્રિય ખાદ વચન ચેાગની પ્રાપ્તિ કેટલાંને થાય ? મનાયાગપૂર્વક વચનયેાગની પ્રાપ્તિ કેટલાંને થાય ? સ્પષ્ટ તું સમજી શકે તેવી ભાષા કેટલાંની હાય ? ભાષાના ભેઢ જાણનાર કેટલાં ? ભાષાનુ મહત્ત્વ સમજ્યા પછી પ્રિય ખેલનાર કેટલાં? પ્રિય ભાષામાંથી હિતકારી ભાષા ખેલનાર કેટલાં ? આ બધા વિચાર અજ્ઞાનીઓએ નહિ, તારે જ્ઞાનીએ કરવાનો છે. જીવા અનંત પણ, વચનયે.ગવાળા જીવા અસંખ્ય, મનાયેાગ યુક્ત વચન ચાગવાળા જીવે. તેનાથી અલ્પ. જીવામાં કેટલાં હિતકારી આલનારા ? કેટલાં અહિતકારી ભાષા બોલનાર ? આ ભેદ તારે જ કરવે રહ્યો. તુ જ્ઞાની છે એટલે પુષ્પ પાપને માને છે. તારી સાથે કાઇ પણ• ખોલે. અસભ્ય વ્યવહાર કરે, ત્યારે એકવાર તે તું મુક્તપણે હસીને કહેજે ધન્યાત્મા ! તીથ કર પરમાત્મા સમે વચન ચેાગ તમને મળ્યા છે. પણ, તીથ કર સમાન વચનાતિશય નહિ મળે ત્યાં સુધી આપણી ભાષા તારક અને ઉદ્ધારક ના ખની શકે....”
· આપણે) તથા વિશ્વના ઉદ્ધાર ભાવનાથી થઇ શકે પશુ ઉદ્ધાર માટે ભાષા કેટલી સહાયક છે તે આપણે સૌ
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૬ ] સુખને આસ્વાદ એટલે દુર્ગતિને આમંત્રણ એ સમજવુ. અને વિચારવુ જોઈ એ. જ્યારે આ વાત દિલથી સમજાય ત્યારે વચનના કેવા ઉપયાગ કરવા તે આપણને જરૂર ખ્યાલમાં આવશે.
જે વ્યક્તિ વચનના મૂલ્ય સમજતી નથી. તેવા અજ્ઞાનીથી ઘેરાઈ જઈ આપણે તીર્થંકરપુત્ર સમા શ્રેમણે કયારેય અસભ્ય ના ખોલીએ.
મૈં સાધુને જગતમાં ઈ જીવને સામેા જવાબ આપવાના નથી. તેને સંભળાવવાનુ` નથી. તેને બદલે લેવાને નથી. તેને મેણાટોણાં સંભળાવવાના નથી. આગળ પાછળનું કઇ યાદ રાખવાનું નથી. આ પણ, પેલા અજ્ઞાની જીવના ઉપકાર માટે નિહ. પણ, ખુદના આત્માના ઉપકાર માટે
જે હૃદયમાં જિનવાણીનું સ્મરણ રાખવાનુ છે, જે હૃદયમાં દેવાધિદેવને બિરાજમાંન કરવાના છે, જે હૃદયમાં ઉપકારીઓની સ્મૃતિ રાખવાની છે તે હૃદયમ ંદિરના ગર્ભગૃહમાં જે અજ્ઞાની આના વચન–વાત–વ્યવહાર–પ્રતિષ્ઠિત થઈ જાય તેા સાધુને આત્મા અભડાઈ જાય. સાધુ મહાત્માને બધું ચાલે. પણ આત્માની અપવિત્રતા થઈ જાય તેવુ ત્રણ કાળમાંય ન ચાલે.
Éä “જગતની કોઈપણ વ્યક્તિને સાધુ અયેાગ્ય જવામ આપે તે તેનું જ્ઞાન લાજે, તેના ગુરુ લાજે. તેના સાવાચાર લાજે.”
સાધુ કહે—“વિશ્વના પ્રાણીએ અજ્ઞાની છે. વ્રત વગરના છે. આચારની મહત્તા સમજનાર નથી,-એટલે સુખમાં
Page #311
--------------------------------------------------------------------------
________________
જેના માહ સુતેલા હાય ને આત્મા જાગૃત હોય તે અપ્રમત[ ૨૬૭ જે શબ્દ આગે. તે ખોલી નાંખે...પણ હું પરમાત્મા મહાવીર દેવના સાધુ. કોઇએ મને કઈ કહ્યું —
પણ, પહેલાં હું મારી જાતની સાથે વાત કરી લઉ વિચાર કરી લઉં હું કાણુ ? ક્ષમાશ્રમણ....
હું કોણ ? સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રતધારી ! હું કોણ ? ભાષા સિમિત પૂર્વક વાત કરનાર ! હું કોણ ? વચન ગુપ્તિ પાલનાર !
હું કોણ ? દશવૈકાલિક સૂત્રના સાતમા અધ્યયનને
સમજનાર !
હું કોણ ? પ્રવચન લબ્ધિ શાનાથી પેદા થાય તે
જાણનાર !
હું કાણુ ? તીથ કર નામક થી નિર્જરા કેવી રીતે થાય તે સમજનાર !
આટલી મારા આત્મા સાથે વાત કરી જવાબ આપતાં ભાવિના વિચાર કરું છું મારી ફરજ શું ? મારા જવાખથી કોઇનું... માઢું બંધ કરવાનું? મારા જવાખથી કાઈન વેર વધારવાનું ? ના... *
9 “મારું ચાલે તા મારા જવામથી કાઈના સંતપ્ત હૃદયમાં શાંતિ અને અમીરસનુ સિંચન કરવાનું ” ખેડૂત માટીમાં ખીજ વાવે ને ખેતી ધાન્યથી લચકે....હુજારા ભૂખ્યા જીવાને અનાજ વડે શાંતિ આપે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૬૮] ગુણસામ્રાજ્યમાં પ્રવેશ એટલે શાસનમાં પ્રવેશ શું મારું વચન ખેડૂતથી હલકું થાય.
નાના મારા હૈયામાં હિતભાવના છે. વિશ્વ કલ્યાણની વિચારણા છે. મારી પ્રતિજ્ઞા પ્રાણને જાળવી રાખીશ. “કેઈની પણ અગ્ય વાત સાંભળી તેને સામે અસભ્ય રિતે દુઃખ થાય તેમ, વેર વધે તેમ, સામ માણસ પાપ બાંધે તેમ, જવાબ નહિ આપું. મારા જવાબથી સામે માણસ ગુસ્સામાં આવેસામું બેલે તે મારે પુનઃ વિચારવું જોઈએ.
ઠંડું પાણી પીઓ, મીઠું પાણી પીએ તે તરસ છીપે...માનવ શાંતિ અનુભવે. ખારું પાણી પીએ તે હેઠ સુકાતાં જ રહે–તરસ મટે નહિ, અને ઝાડા થંડલ) થઈ જાય.
BR “શું મારી વાણી ખારા પાણી જેવી? સામી વ્યક્તિને સામું બોલવું પડયું? ગુસ્સો કરે પડે? ગુન્હ તેને નહિ. મારેજે, મારી વાર્ણ મીઠા પાણી જેવી હતઠંડા પાણી જેવી હેત તે, જરૂર હું જે વ્યક્તિને કહું તેને કર્તવ્યમાર્ગને બેધ થાય તે વ્યક્તિ સમતા-શાંતિ અને સાધનામાં લીન બને”...
જગતને સમજાવવામાં સૌને જવાબ આપવામાં મારા સાધુત્વના હીન મૂલ્ય શા માટે કરું? મને તે મારા દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે સમજાવ્યું છે. જુઓ...મારા શિષ્ય ગૌતમસ્વામી એક આત્માને ઉદ્ધાર કેમ કરી શક્યા? કારણે
Page #313
--------------------------------------------------------------------------
________________
ગુરુકૃપાથી માત્રસૃતિ જ નહી પણ સવાધ્યાય શક્તિ વધે છે. [ ૨૬૯
મારે ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ હતે. ગણધર ગૌતમ મારા સારથી હતા. મેં એક સિંહને માર્યો. સિંહ મરતાં મરતાં એટલા લથડીયા ખાઈ રહ્યો હતે. વેદના અનુભવી રહ્યો હતે. ત્યારે મારા સારથીએ સિંહને આશ્વાસન આપ્યું વનકેસરી શાને લેભ અનુભવે છે? તારું મૃત્યુ નરકેસરીના હાથે થયું છે. તારા મૃત્યુની પણ શેભા છે. આ શબ્દોએ સાંત્વન આપ્યું. મારા સારથી પ્રત્યે સિંહના હૈયામાં પ્રેમની લાગણી બંધાણી અને મારા પ્રત્યે દ્વેષની. “ત્રિપૃષ્ઠ તે હું મહાવીર”_“સારથી તે ગૌતમ. “સિંહ તે ખેડૂત” ગૌતમથી ખેડૂત પ્રતિબંધ પામી દીક્ષા લે છે. મને જોઈને દીક્ષા છેડે છે. મહાત્માએ? મીઠાં વચનની આ શક્તિ તે કલ્યાણકારક-મહાવ્રતધારક સાધુના વચનની કઈ તાકાત હોઈ શકે? - સાધુ કોઈનું ખરાબ વચન સાંભળી ખરાબ બોલે તે કહેવું પડે સૂર્ય પૂર્વમાં નહિ પશ્ચિમમાં ઉગ્યે-સમુદ્રએ મર્યાદા મૂકી
મહાત્મા !! તમે આમ શું કરે છે? આ અમસ્તી નાની વાત. કાનમાં ખરાબ શબ્દ ગયે અને મુખમાંથી. ખરાબ શબ્દ નીકળી ગયા. આમાં વળી કઈ મોટી ભૂલ આ તે માનવીય નબળાઈ છે. માનવ છે તે ભૂલ થાય જીભમાં હાડકું નથી એટલે જરા આડી અવળી વળી ગઈ વધુ કહે તે એટલું કહે આગળ પાછળ શબ્દ બેલાઈ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૨૭૦ 1
આચાર એટલે નિરવઘ પ્રવૃતિનું પાલન
ચા પણ, માટી ભૂલ ના કહેવાય હોં ! મને તે હવે એટલે ડર લાગે છે, જો નાની વાત માટે તમે આમ કીધાં કરશેા તે મોટી વાત, મેાટી ભૂલ માટે શું કરશે! ? તમારી સાથે મારી જીંદગી....મને મૌન રહેવા દો....
સાધક !
તારી વાત મને સ્વીકાય છે. કબૂલ છે. નાની વાતને માટી ના કરવી જોઇએ. આ તારી વાત સાચી છે. ખસ, તારી વાત નાની, કશા દુર્ભાવ વગરની. “ તારી વાત અ ંગે જે જે તું દલીલ કરે છે તે ખીજાની વાત માટે, બીજાના વચન માટે દલીલ કરે તેા લાભ તને જરૂર થશે. જો ખીજાની વાત માટે તુ એમ માનીશ કે એલી ગયા તેમાં થયું શુ' ? માનવીય નખળાઇ છે. તેા સાચે તારી સાધનાની વાડી લીલીછમ રહેશે.”
અજ્ઞાનીની વાત પૂર્વાપર સંબંધ વગરની પાગલ જેવી હાય. પાગલની વાતને! જવાખ ન અપાય, પણ ડાહ્યા માણસે તેની પાસે જે કરાવવું હેાય તે જ વાત એકવાર નહિ એકવીસ વાર કહેવી જોઈ એ, સાધક ! શાંત થઈને વિચાર....તું તીથ કર પરમાત્માના પ્રતિનિધિ, તું સિદ્ધ ભગવંતના સ ંદેશવાહક, તું મહાવિદેહના મુનિવરના દ્ભુત.... તુ કયારે પણ વિશ્વના લોકોની ખરામ વાત સાંભળી ખરામ વચના ના ઉચ્ચારે....ખરાબ ના વિચારે. સિડની
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ એ વિરાધનાનું બીજ છે.
[ ર૭૧ જેમ નિર્ભય થા. સાત્વિક બન.....આ જ મારી અંતરની ચાહના છે. પ્રભુ !
આપની કૃપાએ કાયા જરા સીધી થવા લાગી છે. મારા ઉપર આપની વાણું આકર્ષણ જમાવે છે. હું આપને પ્રતિનિધિ બની વિશ્વકલ્યાણકારક વાણી વહાવું એ આશી વદ આપે. જેથી મારો વચનગ શુભ અને શુદ્ધ બને. સ્વની-સર્વની-સાધનાને સમર્થક બને....એજ પ્રાર્થના...
Page #316
--------------------------------------------------------------------------
________________
૪૧. સન્માણ નાણે વગએ મહેસી w
તલ પીલીએ તે તેલ નીકળે, શેરડીને પીલે તે મધુર રસ બહાર આવે, પણ. રેતીને પીલીએ તે ત્રણે કાળમાં તેલ ન નીકળે. લાકડાને ગમે તેટલા પીલે પણ તેમાંથી મધુરાશ-મીઠાશ ના આવે.
હિતશિક્ષા કેને અપાય ? જ્ઞાન કેને અપાય ? સમજ કેને અપાય? ડાહ્યા સમજદાર બુદ્ધિમાનને...મૂખ, અસમજદાર બેવકુફને સમજ આપીએલે સમજ આપનારનું પણુ અપમંગલ.
શ્રી ઉત્તરધ્યયન સૂત્રમાં ફરમાવે છે “સન્માણ નાણે વગએ મહેસી સજ્ઞાન વડે-સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે. આ પદ દરેક હિતચિંતકે વિચારવા જેવું છે. આપણે હિત ભાવનાથી કહીએ, સામાના કલ્યાણ માટે કહીએ એટલે
સ્વીકારી લે એવું ના બને. ખુદની પણ ચગ્યતા જોઈએ. પથ્થરમાં પુપ ના પાંગરે... પુપ તે કાળી માટી હેય ત્યાં જ પેદા થાય.
BF તેમ હિતશિક્ષાથી લાભ ત્યાં જ થાય જ્યાં હિતશિક્ષાને ચાહક હાય, હિત સમજવા જેવી સદ્દબુદ્ધિ હોય, હિતવી પ્રત્યે કૃતજ્ઞભાવ હેય.
જે વ્યકિતને કંઈ પણ કહે, ત્યાં થાય કચકચ કરે મને જ કહ્યા કરે છે, મારા જ દેષ જોયા કરે છે, મને
Page #317
--------------------------------------------------------------------------
________________
ભુલનું દર્શન કરાવવું તે કરૂણા ભાવ છે [ ર૭૩ હલકો પાડે છે, મારું ખરાબ કરે છે, આવી ભાવના હોય ત્યાં કંઈપણ સમજ આપવી, હિતશિક્ષા આપવી, સમજવું તે અગ્નિમાં ઘી હોમવા જેવું છે. અગ્નિમાં ઘી નાંખીએ એટલે અગ્નિ–શાંત ન થાય પણ ભડકે બળે. તેમ
પિત્ત જ્યાં સુધી સાધક આત્માની હિત ભાવના જાગૃત ના થઈ હોય ત્યાં સુધી હિતશિક્ષા આપીએ તે એગ્ય આત્માન કષાયની હેળી વધુ પ્રજવલિત બને. દ્વેષભાવ વધુ તીવ્ર બને. જ્યારે કોઈ પણ આત્મા હિતશિક્ષા માંગવા આવે અને હિતશિક્ષા આપીએ તે લાભ થાય. તૃષાતુર પાણીને સદુપગ કરે “હિતચાહક હિતશિક્ષાથી તરે. સમજદારને શિખામણ લાભદાયક થાય. જ્ઞાનીને જ્ઞાન તારક બને. - શય્યભવભટ્ટને સાધુમહારાજના બે શબ્દોએ જ કેમ અસર કરી દીધી? શય્યભવ ! યજ્ઞ અજ્ઞાનકિયા...
અનાણું ખલુ કટ્ટ” શય્યભવભટ્ટમાંથી આચાર્ય શર્યાભવ કેમ બની શક્યા? શું શિખામણથી સુધરેલા? ના.... શäભવ સમજદાર હતા. એટલે શિખામણ ઉપર વિચાર કર્યો. સદ્દબુદ્ધિ હતી તે સમ્યજ્ઞાન પામ્યા. “સનાણ નાણે વગએ મહેસી” સદ્દબુદ્ધિ વગર સમ્યજ્ઞાન મળે જ નહિ અને ફળે ય નહિ.
પરમાત્મા મહાવીરદેવનું વચન “ગૌતમ! વેદ પદને પુનઃ વિચાર કર.” આ શબ્દો ગૌતમસ્વામીને કેમ અસર કરી ગયા. તેઓના મનમાં શંકા હતી તેઓએ નિર્ણય ૧૮
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
ભુલ પ્રત્યે ઉપહાસ કરવા ક્રૂરતા છે.
કરેલ જો મારી શંકા નિવારણ કરે તેા હું ગુરુની વાત સ્વીકારુ....ગુરુ ગૌતમના હૃદયમાં શકા નિવારણ કરવાની અભિલાષા જાગી ન હેાત તા પરમાત્માના વચન કામિયાબ નીવડત ? સફળ થાત ?
આપણને સૌને ખ્યાલમાં જ છે, ત્રણસેાગે સઠ પાખડી મતવાદી રાજ ભગવાનની દેશના સાંભળે પણ સમવસરણની બહાર જઇને શું કહે ? પરમાત્મા મહાવીર ગપ્પાં મારે છે. આમ શા માટે કહે? સમજદારી નથી પૂર્વાગ્રહ છે. પરમાત્મા તારક નથી લાગ્યા. જાદુગર લાગ્યા છે. પરમાત્માની વાણી પણ જેના હૈયામાં સમ્યજ્ઞાન નથી તેને સમ્યગજ્ઞાનમાં સહાયક બનતી નથી.
વર્તમાનમાં મારા જેવાં કઇક જીવે છે જેને સમજ આવવાની આદત પડી હેાય છે પણ સાચે એ એક ગાંડપણ છે, દુનિયામાં કૂતરાને પ્રેમ કરનાર કેટલાંયે પશુપ્રેમી મળી આવે પણ હડકાયા કૂતરાને પ્રેમ કરનારા કોઇ ના મળે, તેમ આજનું વિશ્વ શિખામણ આપનારને કદાચ ચાહતું હશે. પણ પ્રતિપળ શિખામણ આપનારથી તા
દૂર ભાગે જ છે.
જયાં શિખામણ આપવાથી લાભના બદલે નુકશાન થાય ત્યાં પણ જો આપણે મૌન ના રહી શકીએ તે મુનિ
કર્યાંથી ?
આપણે શિખામણ આપી એટલે સૌ સુધરી ગયા. આવુ માનવાની પણ મૂખતા કયારેય ના કરવી.. તે આત્માની
Page #319
--------------------------------------------------------------------------
________________
બહથત આત્મા એટલે જીવંત શાસભંડાર [ ર૭પ
ગ્યતા હતી એટલે તે હિતવચને તેને સહાયક બન્યા. ઉર્વાહિણની અભિલાષા હતી એટલે સોપાનશ્રેણિએ મદદ કરી. પણ જેણે જમીન ઉપરથી હટવું નથી તેને સીડી તે શું લિફટ પણ ઊંચે લઈ જઈ ન શકે. કારણ ? તેને ઊંચે ચઢવું નથી. જમીન ઉપર જ ઉભું રહેવું છે માટે
કોઈએ હિતશિક્ષા સાંભળી નહિ. જ્ઞાન મેળવ્યું નહિ તે એવું વિચારવાનું નહિ કે મારું કોણ માને? “મારે પાપોદય’ આમ દીન પણ બનવાનું નહિ. તારક પરમાત્મા પણ ભવ્યાત્માને ઉદ્ધાર કરી શકે. અભવ્ય આમાને નહિ. શિલપકાર ગમે તેટલે કંલા નિષ્ણાત હોય પણ ખારા પથ્થરની મૂતિ ના બનાવી શકે. જે મીણીયા આરસની શિલા હોય તે જ ભવ્યાતિભવ્ય મૂર્તિનું સર્જન થઈ શકે. સાધક !
આ વાત કોઈ ગુરુજનને હિતશિક્ષા માટે નથી પણ તને તારી ગ્યતા સમજાવવા છે. પ્રતિક્ષણ...પ્રતિપલ... પ્રતિક્ષેત્રમાં આપણે આત્મા બહાના શોધે છે શું કરીએ? પાંચમે આરે ખરાબ છે. નહિતર મોક્ષે જાત. અમારા ગુરુ જ્ઞાની નથી નહિતર અમે કેવલજ્ઞાની બનત. શું કરીએ? ગુભાઈ–ગુરુભગિની સહાયક નથી નહિતર ખૂબ સેવા શુભૂષા કરત. શું કરીએ? સહવર્તીઓ સારા નથી નહિતર મેક્ષના સાથે બનત. શું કરીએ? પુસ્તક નથી
Page #320
--------------------------------------------------------------------------
________________
અસ ભ્રાન્તદશા એટલે સતત ગૃતાવસ્થા
શું કરીએ ? સોંઘ સારી
૨૦૬ ]
નહિતર પચ્ચીશ ગાથા કરત. નથી નહિતર શાસનપ્રભાવના થાત.
“આખી દુનિયા ખરાબ છે માટે કાંઇ ના થયું કે તું ખરાબ છે માટે કઈ ના થયુ` ? તારા હૈયા ઉપર હાથ રાખીને જવાબ આપ.” જો આપણે સારા હાઈ એ તે વિશ્વની ફરીયાદ કયારેય ના કરીએ. આપણી સારાશમાં તાકાત છે કે વિશ્વની ખરાબી નાશ પામી જાય, જો મહાત્મા ! તુ સારા બની જઈશ તેા વિશ્વ તને સારુ જ લાગશે. તારા ડહાપણવડે, શાણપણવડે તું સભ્યજ્ઞાન પ્રાપ્ત કરીશ.
દુનિયામાં જ્ઞાનીને સૌ સ્વીકારે જ...સન્માને જ.... તેમ જ્યારે તારામાં સમજદારી પ્રગટ થશે જ્ઞાનની અભિલાષા જાગશે ત્યારે તારા જ્ઞાનપ્રાપ્તિના દરેક મા ખુલ્લાં થશે.
અદ્ભુત જ્ઞાન પ્રાપ્તિ માટે હેમચંદ્રાચાર્ય મહારાજ સરસ્વતી પ્રસન્ન કરવા તત્પર બન્યા પણ તેઓએ ફરિયાદ ના કરી કે મારા ગુરુ અજ્ઞાની છે, મને ભણાવી શકતા નથી તે શું કરું? ગુરુ હેમચંદ્રાચાર્ય. સમજદાર વિનયી શિષ્ય હતા એટલે વિચાર કરે તે મારા ગુરુ કેટલા મહાન છે મને આટલું અધ્યયન અને અધ્યાપન કરાવ્યું છે હજી નવું જ્ઞાન આપવા મારા ગુરુદેવની કેટલી ભાવના છે! તેએશ્રી તા મને સરસ્વતી સિદ્ધ કરવા પ્રેરણા કરે છે. મારા ગુરુની કૃપા રહે તા માતા સરસ્વતી સિદ્ધ થાય નહિતર અજ્ઞાનની સાડસતી શરૂ થાય.
Page #321
--------------------------------------------------------------------------
________________
સમતાની સૌરભ પ્રસરાવે તે શ્રમણ.
[ ૨૭૭
ગુરુ હેમચંદ્રાચાર્ય. સમજદાર હતા એટલે જ ગુરુ વચને સરસ્વતી સિદ્ધ કરી શકયા. વર્તમાનમાં આપણા જેવા જીવ! કહી દે જે મત્રથી તમને સરસ્વતી સિદ્ધ ન થઇ તે મંત્રી શું અમને સરસ્વતી સિદ્ધ થશે ? આમ્નાય વગરના મંત્ર આપી ખેટુ કષ્ટ ના કરાવો.
સમજદાર શિષ્યને ગુરુ વચનથી સરસ્વતી દેવી સિદ્ધ થાય. એ સમજદાર શિષ્યને ગુરુ વચનથી અજ્ઞાન દેવી સિદ્ધ થાય.
સાધકે !
શાંત ચિત્તે તારે જ વિચાર કરવાના છે કે તારે આરાધના દેવીની આરાધના કરવી છે કે વિરાધના દેવીનાં ? સાનાનુ` પાત્ર હશે તેા સિ'હણનું દૂધ રહેશે. માટીનુ પાત્ર હશે તે પાત્રનો નાશ અને દૂધના પણ વિનાશ. આપણા આત્મા સમજદાર હશે તે! ગુરુ વચન દ્વારા સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને અસમજદાર હશે તે! ગુરુ પર દ્રોહ અને ખુદના આત્માનું. અપકલ્યાણુ આમ સવ નાશ. સાધક !
તુ હતાશ ના મન.....નિરાશ ના અન....તારી પાત્રતાને વિકસિત કર. પાત્રતા એટલે આત્માને સહનશીલ સ્વભાવ, સહનશીલ સ્વભાવની તુ વૃદ્ધિ કર. પાત્રતા એટલે જ્ઞાનના આચારનું સમ્યગ્ર પાલન. આચારપાલનમાં તપુર ખન,
આ ચૈાગ્યતા એ જ સંજ્ઞા...સદ્ બુદ્ધિ...સદ્દ સમજ ...અને શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે! જ્ઞરિજ્ઞારૂપ સંજ્ઞા
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
લેાચ એટલે ભેદ વિજ્ઞાનની પરીક્ષા.
વડે સમ્યગ્ જ્ઞાન મેળવ. સમ્યગ્ જ્ઞાની સુલભતાથી ચારિ ત્રનુ પાલન કરી શકે. સમ્યગજ્ઞાની સ્વકલ્યાણ અને પર– કલ્યાણ કરવામાં સફળ બને !
સાધક !
મારા હૈયામાં તારા પ્રત્યે કરૂણા છે, સ્નેહ છે, તારા હિતની ભાવના છે. એટલે જ કહુ છુ સમુદ્ધિની વૃદ્ધિ કર. સમ્યજ્ઞાન આપ મેળે આવશે. સદ્દબુદ્ધિ દ્વારા સમ્યગ્ જ્ઞાન અને તે દ્વારા સ'પૂર્ણ જ્ઞાન-કેવલજ્ઞાન મેળવ એ જ હિત કામના છે. તું સમજદાર એટલે કોઇની પણ ફરિયાદ કરનાર નહિ. તું સમજદાર એટલે કોઇની પણ ભૂલને માટે તારી જાતને સુધારનાર આવી તારી એળખાણ..... મારા હૃદય મદિરમાં તારી યાદ રાખું છું ગમે ત્યારે મળજે..... ગમે ત્યાં મળજે....તને એળખી જઇશ....
પ્રભુ !
હિતશિક્ષા આપની....ાગ્યતા મારી....સિદ્ધ થાવ આપનું અને મારું સ્વપ્ન, સિદ્ધોની દુનિયામાં વિચરણ કરવાનુ સ્વીકાર, આત્મ ઉત્થાનની મારી વિનતી....
Page #323
--------------------------------------------------------------------------
________________
કર. સંસાર સાગર ઘેર તર કને!
લહું લખું છુ આશીર્વાદ માંગવા એક વ્યવહારિક ઉત્તમ પ્રક્યિા છે. પણ માંગવાથી મળે તે આશિષ હોઈ શકે? આશિષ... આદાન પ્રદાનની પ્રક્રિયા નથી, ઔપચારિક વિધિ નથી.
“આશિષ એ તે હૃદયના આનંદ દ્વારા સહજ અપાઈ જનાર અભુત દાન છે. અદ્દભુત દાન માટે સાધના પણ અદ્દભુત જ જોઈએ.
આર્ય સ્થૂલભદ્રજી વેશ્યાના ગૃહગુણે ચાતુર્માસ પૂર્ણ કરીને આવ્યા. ગુરુજીએ શિષ્યને સન્મુખ નિહાળે અને સહસા મુખમાંથી આશિષ વર્ષ થઈ ગઈ “દુકકર કર્યા. દુક્કરે કય” શિષ્યને પિતાના કાર્યની પ્રશસ્તિ કરવી ના પડી.
“જ્યાં કાર્ય અંગે વાત કરવી પડે, રજૂઆત કરવી પડે તે કાર્ય કદાચ આશિષ એગ્ય હોઈ શકે પણ ત્યાં અંતરની આશિષ મળી શકતી નથી. અંતર આશિષ યોગ્ય કાર્ય આર્ય સ્થૂલભદ્ર સ્વામીનું હતું. ગુરુના મુખમાંથી શબ્દના ઉદગાર પ્રગટ થયા ન હતા પણ ગુરુના સાડાત્રણ કરેડ રેમરાજીમાંથી એક નાદ હવે “દુકકર કર્યા.” " ગુરુના આશિષરૂપ નાદને ઝંખતે શિષ્ય રિસાય નહિ....રડે નહિ...પણ સદા પિતાની સાધનાને આશિષ
Page #324
--------------------------------------------------------------------------
________________
કડવા શબ્દોને સહન કરી લે તે ધમી
૨૮૦ ]
ચેાગ્ય બનાવવા પ્રયત્ન કરે.
પુત્રને માતાપિતા આશિષ આપે, વિશ્વમાં સર્વત્ર અન્યું છે, અને અને છે, પણ, ઉત્તરાધ્યયન સૂત્રનું' આવી. શમું અધ્યયન અને એકત્રીસમી ગાથા એક અનાખા ઇતિહાસ રજૂ કરે છે. પ્રભુનેમનાથ લગ્ન મંડપમાંથી ગઢ ગિરનારના સહસામ્રવનમાં સંચરી ગયા છે. કુંવારી કન્યા રાજુલે નિ ય કર્યાં. લગ્નમંડપમાં નેમનાથ ના મળ્યાં. ચલેા નવા દાવ....નવી બિલ્લી. હારવાનુ શુ' ? થાકવાનું શું? નેમનાથે મારા ત્યાગ કર્યાં છે. મે કઈ નેમનાથના ત્યાગ નથી કર્યાં ને ! ભલે તેમને ક્ષત્રિયપુત્રી રાજીમતી પસંદ ના હોય તે। એ વાત જવા દો....પણ તેમને સિદ્ધ પુત્રી સમી રાજીમતી તે પસદ આવશે ને ! મને નેમનાથ ગમે છે તે મારે નેમનાથના માર્ગને સ્વીકારવા જોઇ એ. જેના મસ્તક ઉપર કાળા ભ્રમર જેવા, દીર્ઘ નાગમણી જેવા, કેશ શાભી રહ્યા હતાં તે રાજીમતી સ્વયં મુટ્ઠના હાથે મસ્તક પરથી વાળના લગ્ન કરી ગઢ ગિરનારના ચઢાણ શરૂ કરે છે. ત્યારે સમરત દ્વારિકા નગરીના નગરજના વિસ્ફારિત નયને એ મહાસતીને નિહાળી રહ્યા છે. દશ દશાણુ રાજવીઓ....શ્રી કૃષ્ણ....બળભદ્ર જ્યારે રાજીમતીને નિહાળે છે ત્યારે વડીલોના મુખમાંથી સહસા સુભાશિષ સરી પડે છે ‘સંસાર સાગર ધેર તર કન્હેં ! લડું' લહુ.’
આ કન્યા ! હે પુત્રી ! ભયંકર સસાર સાગરને શીપ્રાતિશીધ્ર તરી જા.'
Page #325
--------------------------------------------------------------------------
________________
દુનિયાની તપાસ કરનારે ગુમાવે છે. [ ૨૮૧.
પ્રાયઃ કરીને વૃદ્ધો, વડીલો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ઉતાવળે અભિપ્રાય આપી દેતાં નથી. દરેક વાતને વિચારે છે. પછી ખૂબ જ તેલી તેલીને...ગણી ગણીને જાણે શબ્દના પણ પૈસા પડતાં હોય તેમ પરિચિત ખૂબ જ અલ્પ શબ્દ બોલે છે. આ વડીલ સ્વભાવ હોવા છતાં આજે સમુદ્રવિજય વિગેરે દશદશાણ રાજવીઓનાં સુખમાંથી કેમ આટલો ઉમળકો વ્યકત થઈ ગયે ?
વિશ્વના દરેક બંધન દરેક કાયદા ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી કાર્ય મહાન ના બન્યું હોય ! જ્યાં મહાન કાર્ય હોય ત્યાં સ્વપરના ભેદ રહેતા નથી. પૂછયા ન પૂછયાના ભેદ રહેતા નથી, આશીવાદ મેળવવા જવું પડતું નથી, આશિષ મળી જાય છે !!! સાધક ! - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તારા પુરુષાર્થને આહૂવાહન કરે છે. ઊઠ ! જા ! તારી પાસે પણ શકિત છે! વિશ્વની - સમસ્ત વડીલ શાહ પાસેથી શુભાશિષ મેળવવાની તારી પાસે તાકાત પણ છે, તારી પાસે અદ્ભુત સામર્થ્ય પણ છે ( તારા વડીલ ખુશ થાય તેવા સત્કાર્ય કરવાનું ! કદી તે અંતરના ઓરડામાં ડહાપણને દીવા પ્રગટાવી તારી આત્મ શક્તિને નિહાળી છે? પીછાણી છે? તને પણ સમ્યગદર્શન થશે. આત્મશકિતને જાણીશ તે રાજુલ જેવું તું પણ પરાક્રમ કરી શકીશ, સાધના માર્ગે ઊર્ધ્વગમન કરી શકીશ.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
જાતની તપાસ કરનાર મેળવીને જ રહે છે..
પણ ક્યારેય તારા ગુરુનું, તારાવડીલનું અવમૂલ્યન ન કરતો. પચીસ-ત્રીસ ગાથા કરી લઈશું એટલે તેઓ ખુશ થઈ જશે, પાંચ-છ જણની ગોચરી લઈ આવીશું, ચાર-છ હજારને સ્વાધ્યાય કરી લઇશું એટલે રીઝી જશે, ગુરુજીને પાણી આપી દઈશું, પડિલેહણ કરી દઈશું, ગુરુજીની હાજરીમાં “તહત્તિ તહત્તિ” “હાજી સાહેબ શું ફરમાવે છે?” તેવી તહત્તિ સમાચારીનું સમા ચરણ કરી લઈશું. બે ચાર ભક્તો બનાવી ગુરુજીની શિલા લેખમાં પ્રશસ્તિ લખાવી દઈશું બસ, પછી તે ગુરુજી રાજીના રેડ થઈ જશે. આ મવૃત્તિ હોય તે કડક શબ્દમાં આલેચના કરવી પડે. '
ભાટ ચારણની પ્રશંસા ભાટ ગુરુ પ્રસન્ન થાય પણ જિન શાસનના મહાન ગુરુ ક્યારેય પ્રશંસાથી પ્રસન ના થાય !”
જિનશાસનના તારક ગુરુ તે શિષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ રહેલી તેની મને વૃત્તિને નિહાળે છે. દિલ અને દેખાવની રેખાને તેઓ શીધ્ર ભેદી દે છે.
જિનશાસનના ગુરુઓની દષ્ટિ કતકરૃણ જેવી હોય છે. ફટકડીને નિર્મળ ભૂક્કો ગંદા પાણીમાં નાખો એટલે પાણી અને કચરો જુદા પડી જાય ! કચરે નીચે રહે અને નિર્મળ જલ ઉપર આવે! તેમ ગુરુજી તુરત સમજી જાય છે તે કેટલું કાર્ય આત્મશુદ્ધિથી કર્યું ? અને કેટલું કાર્ય
Page #327
--------------------------------------------------------------------------
________________
પરમાત્માનું શાસન એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. [ ૨૮૩ બુદ્ધિથી કર્યુ ? બુદ્ધિ એ જ્ઞાનાવરણીય ક્ષયે પશમને
આભારી છે.
શુદ્ધિ એ માહનીય કર્મના ક્ષયાપશમને આધીન છે. ભૂલ કર્યાં પછી મૌન રહ્યો, તેમાં મહત્તા શાની ?
ખીજાની ભૂલ તારા નામે ચડે અને મૌન રહે. તે અનેાખી મહત્તા...તપ કર્યાં ને અન્નને! ત્યાગ કર્યાં તેમાં શાની મહત્તા ? તપ નથી કર્યાં અને ભુખ લાગી છે. પણ તે' ખાલ–ગ્લાન વૃદ્ધ તપસ્વીની ભક્તિ કરી તા અનેાખી .
મહત્તા.
- દરેક વ્યક્તિની ભૂલ કહેવી તે વાળુ ચતુરાઇ પણ પેાતાની ભૂલ શાંધવી અને સ્વીકારવી તે આત્મિક શુદ્ધિ.
જિનશાસનના ગુરુદેવે ગુણી છે. ગુણાનુરાગી છે. એટલે તારી વાંચ્ ચતુરાઇની પણ આલેાચના નહિ કરે... પણ ગુરુદેવ ખુશ તે ત્યારે જ થશે જ્યારે તારા આત્માની શુદ્ધિ જોશે...તારા આત્મગુણાની અભિવૃદ્ધિ નિહાળશે.... તું તારા નામનું વિસર્જન કરી જિનશાસનનુ ગોરવ વધારીશ તે !
સાધક !
તારા ગુરુ જ્ઞાની છે. જ્ઞાની છે એટલે ગ ંભીર છે.. મભીર હોવાથી સામાન્ય રીતથી તેમના અંતરને તું જાણી નહિ શકે. હૈયે ધ્રુવ મળે મુખે હાસ્ય સ્કુરે. આ મહા.
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ] પરમાત્માનું શાસન એટલે ધમાત્ર પ્રત્યે સદ્ભાવ.
•
પુરુષનુ લક્ષણ હાય છે, હૈયામાં ભયંકર ચિંતા · લાગી હાય, ભાવિના ભેકાર એમના દિલને ખાઈ જતા હાય ત્યારે તેઓ હાસ્યમાં ખાવાઇ જશે..તું ખૂબ નાના બાળક છે ! સાવ અબુધ બાળક છે! તારા નાના માપ–અને તારી ગણત્રી દ્વારા જ્ઞાનના હિમાલય અને શાસનના મેરૂ સમા તારા ગુરુના આશિષને માપવાની ભૂલ ના કરો.... સાચું કહું તું... માપવા જઈશ તારા ગુરુને અને ખુલ્લા પડી જશે. તારા આત્મસ્વભાવ! તારા મનમાં રહેલા ભાવાથી તારી લધુતાના પ્રદર્શન થઇ જશે. ગુરુની આશિષની મહત્તા સમજવા કેોશિશ કર. તું પણ મહાન ગુરુકુળમાં ઉછર્યા છે. સીત્તોતરમી પેઢીએ પણ તુ વિયસ્મૃતિ" પ્રભુ મહાવીરના વારસદાર છે. પ્રભુ મહાવીરના વારસદારને વિનયની જાગીર ના મળે એ અને ખરું ? ગુરુ ગૌતમને જેમ પ્રભુ સાથે લડવા જતાં ગણધર પદ મળ્યું, પ્રભુ પર રાગ રાખતાં ગુરુ ભક્તિ મળી અને પ્રભુ પાછળ રુદન કરતાં વીરમાંથી વીતરાત્ત્વપદ મળ્યુ તેમ તું પણ સાધક તારા ગુરુના અંતરને ઉકેલ...તારા ગુરુના અંતરમાં તારા આત્મ કલ્યાણના અનંત અન ત મનાય આલેખાયેલ છે. એક મનેાર્થ સિદ્ધ કરીશ તેા પણ અંતરના શુભાશિષ મેળવ ધન્ય પુણ્ય બની જઈશ.
‘ સાચે ગુરુજના તે ચેાગ્ય શિષ્યની શેાધમાં જ
હાય છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
સત્તાના સ્થાનને શૈાભાવનાર નમ્રતા છે.
[ ૨૮૫ યોગ્ય શિષ્યને જ્ઞાનદાન કરી ખુદના ગુરુઋણમાંથી મુક્ત થવાની પ્રત્યેક ગુરુની આકાંક્ષા હેાય છે. આ વાત તુને નહિ સમય . કારણ...ગુરુને ઉપકાર અને તેના ઋણથી મુક્ત થવાની પ્રક્રિયા તું સમજીશ પણ હજી થ્રેડો અબાલભાવ પ્રગટશે પછી જ.
પણ એક જવાબ આપે. દરેક ગુરુના હૈયામાં પ્રભુ શાસન જયવંત રહે તેવી ભાવતા હોય છે. આ વાત તુ સ્વીકારે છે ને ? હા, જરૂર દરેક ગુરુદેવ પેતાના આયુષ્યની અલ્પતા સમજતાં હેાય છે તે પછી તેઓ કોઈ શાસન પ્રભાવક વ્યક્તિની શેાધમાં ન હેાય ?
જ્યાં સુધી સાધક અવસ્થા છે ત્યાં સુધી ‘મારે। શિષ્ય, ‘મારા સમુદાય’ આ ભાવ રહેશે. પછી તેા ઉચ્ચ કક્ષાએ ગુરુને એક જ ભાવ રહેશે—સુયાગ્ય શિષ્ય, પ્રભુનું શાસન, જ્યાં સુયેાગ્યતા દેખશે. ત્યાં ગુરુ અંતરના હેતથી ઓવારી જશે.’ અસ ! મારે તે એટલું જ કહેવુ છે, રખે આ તકે તું ના ગુમાવતા.
ગુરુના અંતર આશિષ મેળવવા સદા સાવધાન રહેજે, પ્રભુ..પ્રભુ....!
આશિષ ચાગ્ય અનુ` કે શિક્ષાને ચાગ્ય અનુ? આપે તા મને દ્વિધામાં મૂકી દીધા. મારી દ્વિધા દૂર કરી. મને સુચાંગ્ય શિષ્ય બનાવા અને શુભાશિષ પણ વરસાવા ! શુ
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ] સષા + શાણપણ - જીવનની સફળતા. આ બાલકની વાત આપ નહિ સ્વીકારે? હું તે તમારા ચરણે શિષ્યભાવના સત્યાગ્રહ કરી બેસી જ રહેવાનો છું.
સ્વીકારીને મારા જેવા શિષ્યને ! ! ! ' સ્વીકારવું જ પડશેસુગ્ય બનાવવું જ પડશે. મારે અધિકાર “આપને અરજ” આપને અધિકાર “મારી ફરજ.”
Page #331
--------------------------------------------------------------------------
________________
૪૩. ‘“વિન્નાણેણુ સમાગમ્મે ધમ્મ સાહણ મિયિ ’
5
કલાકનું નામ ? કચરામાંથી પણ સભ્યતા પ્રગટ થાય તે... કલાકાર કોનું નામ? જે નિકને પણ સાથે ક કરે તે....આરસના એક ટુકડા મારને પણ મળે અને એક શિલ્પકારને ય મળે....મજૂર આરસના ટુકડાના ઉપચેગ પગથિયા માટે કરે. શિલ્પકાર આરસના ટુકડાને ટાંકણા વડે ઘડી નવતર સ્વરૂપ આપે. ગઈ કાલની શિલા આજે એક અદ્દભુત દર્શનીય શિલ્પ બની જાય. નકામે આરસના ટુકડા માજે લાખાના મૂલ્યા વટાવી ગયો. કરોડોની કિંમત થવા લાગી. કાના કારણે ? શિલ્પીની માવજતના કારણે....
પરમાત્મા મહાવીર પણ આવા જ એક શિલ્પી છે, સંસારી જે પરિગ્રહના સાધનોથી પાપ બાંધે છે, હજારો લડાઈ વહેારી લે છે અને જેના કારણે દુનિયામાં લોહીની નદીઓ વહે છે, તે પરિગ્રહના ભાવ પેદા કરાવી જાય તેવા સાધનને જ્ઞાનની કલા વડે ધમે‘પકરણનું ભવ્ય શિલ્પ બનાવી ૪ છે.'’
કાંટાને કાઢવા કાંટા જોઇએ, વૃક્ષને તેડવા જેમ કુહાડી જોઇએ, તેમ દેહના બંધન દેહના સહારે તૂટે.....
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ] સદ્દગુણોની દલાલી કરે તે સાધુ.
ધમરાધનાને આધાર શું? દેહ...પ્રભુએ ફરમાવ્યું તારે માનવ દેહ તને મોક્ષ પ્રાપ્તિમાં મદદ કરશે. પણ ભલા! દેહને સાચવવા જતાં દેહના મમત્વને પુષ્ટ ના કરતે. ધર્મારાધનાનું સાધન દેહ. દેહ દ્વારા આરાધના થાય અને વિરાધના ન થાય એટલા માટે ઉપકરણની જરૂર પડે. ઉપકરણ આરાધનામાં સહાય કરે. ઉપકાર કરે તે ઉપકરણ. વિરાધનામાં નિમિત્ત બને, કારણ બને, આત્મા ઉપર અપકાર કરે તે અધિકરણ.
પ્રત્યેક મુમુક્ષુને દર્શન-જ્ઞાન-ચરિત્રની આરાધના કરવા પરમાત્માએ ફરમાવ્યું. પણ મેક્ષની ઈચ્છા માટે પહેલાં જ પગથિયામાં અણસણ ફરમાવ્યું નથી. એટલે પ્રત્યેક સાધકે કર્મના સેનાપતિ મન-વચન-કાયાના કાર્યમાં હવે પરિવર્તન કરવાનું. જે મનવચન-કાયા કર્મના રોન્યની નેતાગિરિ કરતા હતા તેને ધર્મના સંરક્ષણ સેવાના.સૈન્ય. બદલાય પણ સેનાપતિને દિલનું પરિવર્તન ન થાય તે સૈન્ય-શસ્ત્ર હોવા છતાં હારસેનાપતિ શરણાગતિ સ્વીકારી લે તે પછી રચની કંઈ જરૂર નહિ. સેનાપતિની તાકાત છે. સૈન્ય એકઠું કરી લેશે...
સાધકે જીવન વ્યતીત કરવાનું પણ સુખ આવે છવ. નની અભિલાષા નહિ, દુઃખ આવે મરણની પ્રાર્થના નહિ હાથ–પગને સદા સસત રાખવાના, પણ સ્વાર્થ સાધવા દેવાને નહિ. પરમાર્થમાં પીછે હઠ કરે તે અવશ્ય પ્રેરણા કરવાની. સાધકે માનસિક શક્તિને ખૂબ વિકાસ કરવાને
Page #333
--------------------------------------------------------------------------
________________
સંયમ એટલે સ્વાર્થનું વિસર્જન. [ ૨૮૯ પણ મનને ધ્યાનમાં કેન્દ્રિત કરવાનું, સાધકે વા શકિત વધારવાની પણ વાણીને જિનેશ્વરેને સંદેશ વહેડાવવાનું માધ્યમ બનાવવાનું. સાધુએ દેહના જતન કરવાના પણ ધર્મારાધનામાં દેહ મદદ કરે માટે
સાધુએ દેહનું પતન નહિ કરવાનું પણ દેહ ભાવવાનું પતન કરવાનું. સાધુએ દેહ સાચવવાને. દેહને જાળવવા અન્ન-પાત્ર-વસ્ત્ર અને વસતિ જોઈએ. દેહને ટકાવવા અને જોઈએ તે અન્ન લાવવા પાત્ર, જોઈએ. પાત્રા જોઈએ તે પાવાને જાળવવા જોઇએ. અને પાવાને જાળવવા વસ્ત્ર જોઈએ. આમ વિકલ્પી મુનિને ચારિત્રની આરાધના માટે ઉપકરણ ખૂબ જરૂરી સાધુ કેને કહેવાય? તેના માટે આવે અને મુહપત્તિ જરૂરી. લોકોને પણ નિશાની વગર સાધુ–અસાધુના ભેદ ના સમજાય. ખુદ સાધુને પણ રજોહરણ-મુહપતિથી વારંવાર સાધુતાની સ્મૃતિ થાય. સાધુને રજોહરણ દેખાય કે પર્શ થાય એટલે તરત મનમાં એક તીવ્ર આંચકે. લાગે, ધૂળ દૂર કરવા આ એ ધૂળ તે પવન આવે તે પણ દૂર થાય. ધૂળ દૂર કરવા પ્રભુને આ ધર્મધ્વજ નહિ. પ્રભુને ધર્મધ્વજ એ તે મને વારંવાર પ્રેરણા આપે. કર્મની રજ હરણ હર”કર્મબંધના હેતુને હટાવ કર્મબંધનના અધ્યવસાયને દૂર કર ! અરે! ભલા! તારા કાછપાત્ર કેવા મનેહર? ભેજનમાં સહાયક કયાંય ચીકાશ ચેટે નહિ, કપડાંથી લુછે અને સ્વચ્છ થઈ જાય. પાત્રમાં ભેજન કરનાર તને કષાયની ચીકાશ અડકે નહિ, - ૧૯
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
સયમ એટલે પાથ નું સર્જન.
કની ચીકાશ નહિ તે તને સ્થિતિમધ થાય નહિ...પાત્રા કપડાંથી લૂછાય અને સ્વચ્છ થઈ જાય. તેમ તારા આત્મા પણ આલે ચનાથી–પ્રાયશ્ચિત્તથી નિર્માંળ થઇ જાય.
સાધુને વસ્ર કમાઁ નિરામાં સહાયક થાય, વસ્રના કારણે ઠંડી ગરમીથી સીક્રાય નહિ. ગ્લ.નની સેવા શુશ્રુષા ચાય. સાધુ તારા શ્વેત વસ્ત્રના સદેશ છે. સફેદ ઝંડી એ શાંતિનું પ્રતીક છે. તુ શ્વેત વસ્ત્ર ધારી સાધુ...સદા સમતાની લ્હાણ કરાવના-શય્યા, વસ્ત્ર, પાત્ર, વતિ આ ચારમાં સાધુ મુંઝાય નહિ, પણ, ચારેયની મદદથી કર્મીને સુખવનાર તું મહાત્મા !!
પરમાત્માએ સાપેકા યુતિ ધર્મો અને નિરપેક્ષ તિ ધર્મ બન્નેને મેના ગ કહ્યા છે. પરમાત્માએ સ્થવિર ૯૫ અને જિન કલ્પ બ ંનેને મોક્ષમાર્ગોના સહાયક કહ્યા છે. ચાગ્યતા વગર જિનકલ્પ સ્વીકાર કરે તે અધઃપતન અને શાસનની અપભ્રાજનાનુ ભયંકર પાપ લાગે, સ્થવિર કલ્પ સ્વીકારી વસ્ત્ર-પાત્ર વિગેરેનું મમત્વ રાખે તેા આત્મા ડુબી જાય. ”
સ્થવિર કલ્પી સાધુ એટલે અદ્ભુત કલાકાર. ઉપકરણને આરાધનામાં સહાયક બનાવે. ઉપકરણથી વિરાધના દૂર કરે. જેમ કલાકાર હાથમાં અગ્નિને રાખે પણ એટલી જલ્દીથી ફેરવતા રહે કે અગ્નિથી હાથ ન ખળે તેમ સાધુ ઉપકરણને પ્રતિક્ષણ પૂછે “જો, તમે સચમમાં મદદ કરવા
Page #335
--------------------------------------------------------------------------
________________
-
-
પાપથી પીછેહઠ કરાવે તે સ. જ્ઞાન. [ ૨૯૧ આવે છે તે તમારા નેહભર્યા સત્કાર...તમારે મને સંયમમાં મદદ નથી કરવી તે શીધ્ર સીધા તમારી અમારે જરૂર નથી. મારા નિત્ય ધર્મ સમા શરીરને પણ લાલબત્તી ધરી દીધી છે.
જે, તું સંયમમાં સહાયક થઈશ તે તને આહારઆરામ અને દવા બધું મળશે. પણ જરા ઊં કે ચૂં કર્યું તે આંખની ડેકાબારી દ્વારા વિજાતીય ઉપર દષ્ટિ ગઈ તે આવતી કાલથી ઘી દૂધને ત્યાગ સ્વીકારી લઈશ...અને કહીશ..તમને મારુ આત્મા મંદિર ખાલી કરવાની નોટીસ આપી દીધી છે. જીભ પણ જે સગુણ સ્તુતિમાં સહાયક નહિ બને તે મૌન સ્વીકારી લઈશ...નિત્યના મિત્ર મનવચન-કાયાને પણ કહું છું, “મુફખ સાહેબ હેઉસ્સ સાહ દેહસ પારણા” નહિતર અરણિક મુનિવરની જેમ દેહ સાથ નહિ આપે તે અણુસણ આદરી દઈશમૃત્યુથી મહે
સવ પ્રારંભ....પણ, મહાવ્રત ઉશ્ચર્યા બાદ મન-વચનકાયાને ક્યારે ય વશ નહિ બનું. જે સાધુ જીવનમાં દેહ સાધના માટે પણ મમત્વ નથી રાખવાના, ત્યાં ઉપકરણના મમત્વ હેઈ શકે? પરમાત્માએ ઉપકરણ ફરમાવ્યા તે કેવલ ધર્મનું સાધના માટે જેમ શરીર જરૂરી તેમ ધર્મ સાધનો પણ જરૂરી પ્રભુ શાસનમાં એકાંત કયાંય નહિ. કાયબળ, કર્મબળ–શરીરબળ-જ્ઞાનબળ, વૈર્યબળ આ બધું વિચારીને પ્રભુએ ઉપકરણની આજ્ઞા આપી...
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ] કરેલી આરાધનાને છેદ કરે તેનું નામ ખેદ
ઉપકરણને પરિગ્રહ કહે તે પરમાત્માને વિરોધી કહેવાય. ઉપકરણનું મમત્વ તે પરિગ્રહ. મમવ સૌથી અધિક શરીર ઉપર. જગતની કેઈપણ વ્યક્તિ શરીર વગર જીવી શકે નહિ અને જીવન વગર સાધના થાય નહિ. માટે જેમ સાધના માટે જીવન જરૂરી જીવન માટે શરીર જરૂરી... શરીર માટે ઉપકરણ જરૂરી
પરમાત્માએ સાધકને ઉપકરણ ફરમાવ્યા પણ તે કેવા જોઈએ? કેટલાં જઈએ? શા માટે જોઈએ? વિધિપૂર્વક પ્રાપ્ત થયેલ ઉપકરણથી શું લાભ? અવિધિપૂર્વક મેળવેલ ઉપકરણથી શું નુકશાન? આ બધાનું વિશદ વિવેચન આગમ ગ્રંથમાં છે. તેમાં પણ આચારાંગ સૂત્રમાં ખાસ આ વિષયની સૂક્ષમતાથી ચર્ચા કરેલ છે. તે
પ્રત્યેક સાધકે પ્રભુએ કહેલ ઉપકરણનો ઉપયોગ કરવું જોઈએ. પ્રભુએ કહેલ પ્રમાણથી જૂનાધિક ઉપકરણ ન વપરાય. નહિતર આજ્ઞાભંગને દોષ લાગે.
આશા રાદ્ધ વિરાદ્ધ ચ, શિવાય ચ ભવાય ચ” સ્થવિર કલ્પી મુનિ ઉપકરણ ન રાખે તે દેવ, સ્થવિર કલ્પી મુનિ ઉપકરણ ચૂનાધિક રાખે તે દોષ સ્થવિર કલ્પી મુનિ ઉપકરણ ન સાચવે તે દેષ, સ્થવિર કલ્પી ઉપકરણને દુરૂપયોગ કરે તે દેષ, વસ્ત્ર–પાત્ર રાખવાના, પણ ફૂટે તૂટે તે વિરાધના...
Page #337
--------------------------------------------------------------------------
________________
કામ પૂર્ણ કરે તે નોકર. [ ર૩
વસ-પાત્રને દુરુપયેગ કરે તે સાધુ જિનાજ્ઞાને ચાર...
ગૃહસ્થની ભાવનાને વિશ્વાસઘાતી. ખુદના આત્મસ્વભાવને પણ શત્રુ!”
સાધક ! તને કહું છું કે તે દીક્ષા લીધી, એટલે તારી કલાની શિક્ષા પ્રારંભાઈ.
શિલ્પીને શિલા પર છીણી ચલાવવાની–હડે નહિ, તેમ તારે ઉપકરણ રાખવાના, પણ મમત્વની વૃધ્ધિ કયાંય નહિ કરવાની. તારા નિર્મમ ભાવના મનોરથને સિધ્ધ કરવા સફળ કલાકાર બની
પ્રભુ ! હું તે આપના ચરણમાં એક જ વિનંતી કરું, ભલે મને પાત્ર લબ્ધિ મળે. વસ્ત્ર લબ્ધિ મળે–આહાર લબ્ધિ મળે. તેથી હજારો મુનિઓની ભક્તિ કરવાના મારા મનોરથ પૂર્ણ કરીશ પણ મારી આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા –મૈથુન સંજ્ઞા-પરિગ્રહ સંજ્ઞાને કદી વૃદ્ધિ કરીશ નહીં, બસ, ઉપકરણ દ્વારા સ્વ–પરની સંયમ સાધના માટે ઉપકારક બનવાબવાવવાની શક્તિ પ્રાપ્ત થાય; આટલી આપના ચરણમાં મારી અરજી છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
૪૪, એવં અલિત્તા કામેહિં વય
* બૂમ માહણું છુ
રેતી, માટી અને કાદવ ત્રણે પૃથ્વીની જાતિ પણ ત્રણ વચ્ચે કેટલો બધો ફરક! એક કપડાને અડે પણ ખંચેરો એટલે દૂર થઈ જાય...એક પાણી વડે ધૂઓ એટલે હટે અને એક કેટલી બધી મહેનત કરે ત્યારે દૂર થાય....!
માટીની જાતિ સમાન પણ ખુદની પ્રકૃતિ વિષમ. જેની પ્રકૃતિ વિષમ તેની પ્રત્યે સદા સાવધ રહેવું પડે, જેની પ્રકૃતિ સમ હોય, સરળ હોય તેનું કશું ધ્યાન ન રાખીએ તે ચાલે.
આ વિશ્વમાં સંસારી પણ જીવે છે અને આ સંસારમાં સાધુ પણ જીવે છે. જીવન ટકાવવા જીવનની જરૂરિયાત સૌને પૂરી પાડવી પડે છે. પણ એકનું જીવન સંસારને બેઝ બને છે, એકનું જીવન સંસારને સુગંધિત અને સૌંદર્યથી મુગ્ધ કરે છે.
સરોવરના કિનારે કઈવાર પહોંચી જઈએ છીએ. સરોવરની શોભા નિહાળતાં વાયુ દ્વારા નૃત્ય કરતાં કમલ તરફ માનવીની આંખ ખેંચાય છે, પાણી અને કાદવથી પેદા થયેલ પાણી અને કાદવ વચ્ચે જીવન વીતાવનાર કમલ તરફ દષ્ટિ સ્થિર થાય ત્યારે લાગે, કેઈ નિલેપ મહાત્માની જેમ કમળ સમાધિમાં મસ્ત છે. જલ તરંગ
Page #339
--------------------------------------------------------------------------
________________
અનુકૂળતાના ઈચ્છુક ને કષાયને વળગાડ વળગે છે. [ ૨૯૫ દ્વારા કમલપત્ર ઉપર ચઢી જાય છે. પણ તુરત જ હટી જાય છે. કમળ તે પાણી ઉપર તરતું રહે છે, પણ કમળના પાંદડા ય પાણીની દોસ્તી નથી કરતાં! નિઃસંગ બનેલ કમલ વિકસિત હોય છે તેની શોભા ન્યારી છે. કમલને વિશ્વને સંદેશ છે...
“કષાય અને વાસનાના કીચડથી પેદા થયા તેના વડે વધ્યા પણ કષાયમાં જીવાય નહિ. આ બધા સંગ છેડીએ તે પ્રસન્નતા પ્રગટ થાય ! ! !
સાધુ મહા માનું જીવન એટલે કષાય અને વાસનાથી અલિપ્ત. - તેથી જ સાધુ રાજકથા, ભકત (જન) કથા, સ્ત્રી કથા અને દેશકથાથી દૂર. કેઈ પણ રાજ્યમાં કઈ પણ દેશમાં જીવવાનું પણ તે રાજ્યને દ્રોહ કરવા નહિ. રાજ્ય વિરુદ્ધ કરવાનું નહિ, દેશને દ્રોહ કરવા નહિ. દેશની વિરુદ્ધમાં કશું કરવાનું નહિ.
રાજ્યના કાવાદાવામાં જવાનું નહિ, ખુરશી માત્ર કપટ-ખન-મસકાપોલિસીથી નભે. જ્યાં બેસવાનું મીઠું હાયપરપકારની તે વાત જ કરવાની હોય અને સ્વા– ર્થમાં જ તત્પર રહેવાનું હોય તેનું નામ રાજકીય ખટપટો. આવી ખટપટમાં સગાવાદ...પરિચયવાદ.ભાટવાદ બધુંય ચાલે અને છેવટે જ્યાં સ્વના સંરક્ષણ માટે માતા-પિતા– પુત્ર કેઈના સંબંધ રહે નહિ આવી ગંદી રાજરમતથી, તેની વાતોથી સાધુ ક્યારેય લેપાય નહિ.
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ]
જ્ઞાન એટલે સંયમ જીવનનાં પ્રાણ.
રાજકીય ખટપટમાં જે સાધુ પડયા તે સાધુતાના મા`થી પતિ થયા....સાચા સાધુ રાજરમતના ભાગ ના અને....પણ પાતાની સાધના દ્વારા રાજ્યમાં, વિશ્વમાં શાંતિ ફેલાય તેવી મ ંગળ પ્રાર્થના કરે.”
સાધુ કેાઈ એક દેશના પ્રતિનિધિ નહિ...તે કહે મારી જન્મભૂમિ નિગે. . પણ મારી નિવાસ સિદ્ધિપુર માક્ષ....આ બધા તે વચ્ચેના સ્ટેશન...તેના માટે લડાય નહિ, ઝઘડાય નહિ. રાષ્ટ્રવાદ, દેશવાદ, પ્રાંતવાદ, જાતિવાદના નામે કાઈ ઝઘડા કરવા નહિ. આ બધી ભયંકર બદીઓથી દૂર રહી જીવમાત્રના કલ્યાણ માટે કઠ કાર્ય કરે તે સાધુ
મહાત્મા.
દેશકથા અને રાજકથા માનવ–માનવ વચ્ચે અાગ્ય અણછાજતા વ્યવહાર કરાવે છે. ત્યારે ભાજનની કથા અને સ્ત્રીકથા હૈયામાં વાસનાની હાળી સળગાવે છે. તેથી જ મહાત્મા ચાર વિકથાથી દૂર રહી આત્મકથામાં મસ્ત અને છે.
જીવન નિભાવવા સ`સાર અને સંસારી સાથે સબંધ રાખવાના પણ કાંય તેને સંગ સ્થિર થઈ ન જાય તેનું સતત ધ્યાન રાખવાનું,
વૃક્ષ તેાડવા પાંદડા તાડવાના ન હાય, મૂળને જ જમીન દોસ્ત કરવાનું હાય. સંગ તેડવા સાધન તાડંવાના નહિ....સાધન માળવાના નહિ...સાધન બાળવાના ન હાય
Page #341
--------------------------------------------------------------------------
________________
અનુકરણ એટલે બુદ્ધિ વગરની નકલ.
[ ૨૯૭
પણ સાત્વિક પ્રવૃત્તિ કરવાની હાય, સાત્વિક પ્રવૃત્તિ. સાત્વિક વૃત્તિથી પેદા થાય છે....
ભાંગતાડની પ્રવૃત્તિ આસુરી વૃત્તિથી પેદા થાય છે.... સાત્ત્વિક વૃત્તિથી દૃષ્ટિ આત્માભિમુખ બને છે........ ભાંગતાડની પ્રવૃત્તિથી દૃષ્ટિ આત્માવિમુખ અને છે....
તને સગ કેમ ગમ્યા ? સાધન કેમ ગમ્યા ? ઝંખના કેમ થઈ ? ઇચ્છા છે એટલે....આ ઇચ્છાનાશના ઉપાય છે. મેહનીય કર્મીની વિદાય. સાધુ માહુના વિજેતા અને... માહના વિજેતા બનવા કેાઈ એક નક્કી સ્થળ. . .નક્કી સમય નથી. આત્મા જાગૃત બન્યા તા માહને પરાભવ કયાંય અને કયારે પણ કરી શકે, ખ'ધકજીના શિષ્યએ ઘાણીમાં પીલાતાં પીલાતાં મેાહ પર વિજય મેળવ્યેા.... મરૂદેવા માતાએ હાથીના હાદ્દા ઉપર બેઠા બેઠા માહુને ઓગાળી દીધા....ભરત મહારાજાએ માહુના પટાંગણુ સમા આરીસા ભુવનમાં માહની સેના ચકચૂર કરી તે પૃથ્વી ચંદ્ર ગુણ સાગરે માહના અવિચ્છિન્ન એક છત્રીય ચક્રવતીના રાજ્યસભા જેવા લગ્નમંડપમાં માને પેાખારા ગણાવ્યા.
‘જ્યાં માહુ ત્યાં બ્રાહ્મણત્વ નહિ, જ્યાં બ્રાહ્મણત્વ ત્યાં માહ નહિ.' બ્રાહ્મણત્વ હોય ત્યાં જ્ઞાનના વિજય, જ્યાં મેહ હોય ત્યાં અજ્ઞાનના વિજય.' સાચા બ્રાહ્મણુ અસંગ હાય....અનિદ્ઘ હાય....નિરીહ હાય... નિઃસ્પૃહ હાય.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ] અનુસરણ એટલે સમ`ણુ અને શરણાગતિ. નિરીહવૃત્તિ નિભાવવા કઠોર દિનચર્ચાને સ્વીકારે તે
બ્રાહ્મણ !’
સાધક !
તુ બ્રાહ્મણ-બ્રહ્મનેા–જ્ઞાનનો દિવ્યનાદ વિશ્વમાં તારે ગુજિત કરવાના ! જ્ઞાનને દિવ્યનાદ ઇચ્છાના એદા કા દ્વારા ફેલાય નહિ ! જ્ઞાનના દ્વિવ્યનાદ નિરીહતાના નિશાન ડંકા દ્વારા ચૌદ રાજલેાકમાં ગુજિત અને, નિરીહતાના નિશાન દેખાય અને ચારાસી લાખ જીવયેાનિના વેના ક્ષેમકુશળની આગાહી થાય ! બ્રાહ્મણ આશિષ આપે....સ્વસ્તિ વાંચન કરે. સાધુ ! તુ બ્રાહ્મણ, દીક્ષાના ક્રિને તુ આશિષ આપે. ‘સવભૂપ ભૂઅસ્સ.'
સાધુ તું દીક્ષાના ક્રિને સ્વસ્તિ વાંચન કરે, સભ્ય સાવજ્જ જોગ પચ્ચક્ખામિ.' આ મગળ ઉદ્યેષણાથી વિશ્વમાં અભયના ગીતગુ'જિત અને. આવા કવ્ય કરે તે બ્રાહ્મણ....બાકી તેા ટીલા ટપકાર્થી અથવા આંકારથી જ થઈ જાય તે! કોઇ રંગારા પીજારાય બ્રાહ્મણ બની જાય. માથું મુંડાવાથી મહારાજ ની જવાતુ હાય તા જગતના અધા એડીયા મહારાજ બની ગયા હૈાત. સાધક તું શ્રમણ પણ ખરે! અને બ્રાહ્મણુ પણ ખરે..
શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિનું મિલન એટલે. આત્માનું ઊધ્વી કરણ.
શ્રમણુ સંસ્કૃતિ આચાર પ્રધાન મનાવે.'.
Page #343
--------------------------------------------------------------------------
________________
વાણીનો સદુપયોગ કરે તેનું નામ મૌન. [ ૨૯
બ્રાહ્મણ સંસ્કૃતિ જ્ઞાન પ્રધાન બનાવે * “જ્ઞાન અને ક્રિયાના સુભગ સમાગમ દ્વારા સર્વ કર્મક્ષય.”
તારે બ્રાહ્મણ નામથી ડરવાનું નથી. શ્રમણ નામથી હરખાવાનું નથી. તારે તે સૌને જાહેર વિનંતિ કરવાની છે. આપ શબ્દ પ્રેમી છે. કેઈપણ શબ્દ વાપરો. અમારો વિરોધ કઈ શબ્દ સાથે નથી. “શબ્દ તમારા ભાવ અમારા તમારા શબ્દને અમારા હૈયાના શુભભાવથી વિચારી જૈન, સિદ્ધાંતની આચાર પ્રણાલિકા મુજબ અમે જીવન જીવીશું. અમે સામાન્ય નયવાદી નથી અને વિશેષ નયવાદી નથી, દ્વાદશાનિયચકમાં ફરમાવ્યું છે “જાવઈયા વયણ પવાહ. તાવઈયા ચેવ નયવાયા” તે વાતને સ્વીકારનારા છીએ. અને –કાંતવાદીને કેઈની ગાળ અસર કરી જતી નથી તે કઈ પદવી તેના આમા પર અભિમાન ઉપજાવી શકતી નથી. શબ્દ એ તે વ્યવહારના ઘાતક છે. દુનિયાને કોઈ પણ શબ્દ-કઈ પણ પદાર્થ આત્માએ રાગદ્વેષના જેવા બીબા તૈયાર કર્યા હોય તેવી છાપ પેદા કરે. સાધક !
તું ઈચ્છાથી અલિપ્ત! મેહનીયકર્મ તારા આત્મા. પર લાગેલું પણ તું મોહનીય કર્મને સૈનિક નહિ. તું જ્ઞાનને આરાધક એટલે જ તું બ્રાહ્મણતારા બ્રહ્મના તેજ પ્રગટાવ...તારા આત્માના ઓજસ વિશ્વમાં પાથર....
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ] ગુરુ શિષ્યની પ્રથા એટલે આધ્યાત્મિકતાની આપ લે
દિવ્ય તેજ દ્વારા દુનિયાને રાહબર બન. સાધક, તને પ્રારંભમાં જ બ્રાહ્મણ બનવાના મંગલ આશિષ આપું છું.
બ્રાહ્મણે શ્રમણ બનવાનું અને શમણે બ્રાહ્મણ બનવાનું એટલે કેવલજ્ઞાન અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની
તને આનાથી કયા અધિક આશિષ હેય!!!
વિશ્વના સમસ્ત આશિષ જ્ઞાનના મંગલમાં આવી જાય છે. જૈન શાસન તે જ્ઞાનને જ મંગલ માને છે. એટલે જિનશાસનમાં નદીનું મહત્વ છે. નદી સૂત્ર એટલે પાંચ જ્ઞાનનું સ્વરૂપ. પાંચ જ્ઞાનનું સ્વરૂપ વિચારતાં ક્ષાયિકભાવનું જ્ઞાન પ્રાપ્ત કરે અને સાચે બ્રાહ્મણ બન. પ્રભુ!
આશિષ આપના પુરુષાર્થ મારો... SR ક્ષમાના શ્રમ કરી શ્રમણ બનું...
જ્ઞાનના અર્જન કરી બ્રાહ્મણ બનું. - ST અંતે સિદ્ધોની દુનિયામાં રમણ કરું આજ આપના
ચરણમાં નમ્ર પ્રાર્થના છે
Page #345
--------------------------------------------------------------------------
________________
૪૫, “તુમ્ભે મત્થા ઉદ્ધત્તુ, પર અપાણમેવ ય"
5
જીવવુ અલગ છે અને જીવનમાં મહાલવુ અલગ છે. જીવન સાથ`ક કરવું અલગ છે અને જીવન સાર્થક કરા-વવુ અલગ છે. વનના ફૂલમાં પણ સુગ ંધી હેાય છે, પણ તેની સુગ ધી સહજ ભાવે ફેલાય છે ત્યારે ધૂપસળીની કોઈ મહત્તા અનેરી છે. અગ્નિ દ્વારા સ્વયં જલી સૌને સુગ ધીનું દાન કરે છે.
વિશ્વના ઇતિહાસમાં સમસ્ત અતિહાસિક પાત્ર વાંચી જાવ. પણ તેનું વર્ગીકરણ એ જ પ ́ક્તિમાં થશે. સજ્જન અને દુર્જન.” દુનિયાની ખાસિયત છે. તે ઉત્તમ અને અધમ એને જ યાદ રાખે છે. મધ્યમને ભૂલી જાય છે. ઉત્તમ વ્યક્તિનું ચારિત્ર ઊધ્વગમનની પ્રેરણા આપે છે. અધમ વ્યકિતના ચારિત્રથી–પતનથી પીછે હઠ શીખી. શકાય છે.
આપણી જીંદગીમાં પણ આપણને એ જ પાત્રે મુખ્યત્વે યાદ રહેશે. શ્રેષ્ઠ ઉપકારી અને ભયંકર અપકારી. આપણી જીંદગીના પણ એ જ પ્રસ`ગે આપણને યાદ રહેશે. જીંદગીના સર્વશ્રેષ્ઠ દિન અને જી ંદગીના ભયંકર દિન.”
કોઈકના સમાગમે જીવન વન બની જાય છે તા. કોઇકના સમાગમે જીવન નંદનવન ખની જાય છે. જેમના
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ] સાત્વિકતા એ પ્રદશન નથી પણ આત્મદર્શન છે. સમાગમે જીવન નોંદનવન બને છે તેની પ્રશસ્તિ શિલાલેખ ઉપર નિર્જીવ અક્ષરથી લખાતી નથી. પણ મુખ દ્વારા • હરક્ષણે હર વખતે રસ્તુતિ થાય છે-“ભે સમથા ઉદ્ધત્તુ, પર અપાણ મેવ ય.” સભામાં જાહેર કરનાર ઘણાં મળે છે અને ઘણા કહે છે, “તમે મારા તારક છે. પણ, જ્યાં સુધી નમ્રુત્યું સૂત્રમાં સ્તુતિ કરી છે, તેવા તિન્નાણ તારયાણ' ન બનીએ, તેા સમજી લેવુ'. રતુતિ કરનાર ભાટ ચારણ અને તારી સ્તુતિ સાંભળનાર તુ નટ. આમાં અશ માત્ર પણ ફરક નહિ.’*
સાધક ! તુ દીક્ષા લે એટલે તને બધા મહાત્મા કહેશે. તારક કહેશે. ઉદ્ધારક કહેશે...પણ, તુ ભૂલે ચૂકે ય ગોટાળા નહિ કરી દેતો. તને બધા પ્રદામ કરી રહ્યા છે–તને સો સૌ પ્રેરણા દઈ રહ્યા છે—તમારામાં તારક બનવાની શક્તિ છે, સામર્થ્ય છે. તમારા નિજના રવાભાવિક સૌંદય ને વિકસિત કરી !
સંયુક્તાક્ષર રહિત, જોડાક્ષર વગરના, તારક શબ્દ ઉચ્ચારણમાં જેટલે સહેલે છે, તેટલેા જ આચરવામાં અધિક કઠિંન છે. તરવા માટે માનવે હલકાં બનવું પડે છે. જે ચીજ હલકી હાય તે જ પાણીમાં તરે છે, વજનદાર નીચે ડુબી જાય. તેમ “ જે આત્મા જ્ઞાન વડે હળવા અને તે તરી શકે અને તારી શકે, ” સાધક તારી ડબલ જવાખદારી છે, ખુદના કલ્યાણની અને વિશ્વના કલ્યાણની.
Page #347
--------------------------------------------------------------------------
________________
માહુ એટલે મારું કરવાની વૃત્તિ
[ ૩૦૩ —જે વ કલ્યાણ સિદ્ધ ના કરી શકે તે પરનું કલ્યાણ ત્રણ કાળમાં ય ન કરી શકે.
ચારિત્ર છે. આ સિદ્ધાંત ફક્ત મુખપાઠ ન રહેવા "જોઇએ. પણ તારા જીવનમાં તેને મૂર્ત આદશ હોવા જોઈ એ. તને જીએ ને લાગવું જોઇએ, ચાસ્ત્રિ મૂર્તિના સાંનિધ્યમાં બેઠો છું, “ તારા પરિચયમાં આવનાર પતિતને પણ પુનરુદ્ધાર થવા જોઇએ. '' તારી વાણીના જાદુ એવા જોઈએ, કે તને સાંભળનાર પાપના પશ્ચાત્તાપથી આંસુ વહાવા લાગે. તારા જ્ઞાનના તેજે મિથ્યામતિ કુમતિ દૂર દૂર ભાગી જાય. તારા પશ્ચિયમાં આવે તે સન્મતિ થવા જોઈ એ.
વારાણસી નગરીમાં બ્રાહ્મણના વાડામાં જ્યાં વિજયઘાષ પતિ યજ્ઞ કરી રહ્યા છે ત્યાં મહાત્મા જયઘાષ ગેચરી માટે પધારેલાં છે. બ્રાહ્મણ અને શ્રમણની ચર્ચા વિચારણા ચાલે છે. છેલ્લે ક્ષમા શ્રમણના જ્ઞાનની પ્રતિભામાં વિજયધેાષ લીન બને છે. મહાત્માના ચરણમાં પડીને એક
''
જ કહે છે. “ તુમ્સે સમથા ઉદ્ધત્ત, પર અપ્પાણ મેવ ચ” આ હકીકત ભલે ઉત્તરાધ્યયન સૂત્રની રહે.. પણ દરેક સાધકે વિચારવા જેવી છે. સાધુની અને સરિતાની ગતિ સમાન છે. કેઈ અજાણ્યા ગિરિ ગÇવરમાંથી પ્રારંભ પામતી નદી કેટલાંય ગામ અને નગરને પાવન કરતી સમુદ્રને જ મળે છે; તેમ “ સાધુની સંયમ યાત્રા પણ કોઈ અજ્ઞાત સ્થળેથી
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ] પ્રભાવના = પ્રભુની ભાવનાના નાદ.
પ્રારભાય છે અને ગ્રામ-નગર-અરણ્યને પાવન કરતી સાધુની સંયમયાત્રા સંસાર સમુદ્રના કિનારે પૂર્ણ થાય છે.’ નદીની પાસે ગયા તેને ઠંડક મળી, જેણે ` નદીના પાણી પીધાં તેની તૃષા સ ંતાષ પામી-ત્યારે “ સાધુની સયમયાત્રા એટલી મહાન છે કે તેના પરિચયમાં આવનાર ધન્યાત્મા બની જાય.
:
સાધક ! પ્રભુ મહાવીરદેવનાં સાધુ જીવન જેવા જનતાને પરિચય સહેજ ખીજા કોઇના પણ જીવનમાં નથી... હુજારા નહિ લાખા-કાડા વ્યક્તિ તારા પરિચયમાં આવશે. તારી પાસેથી તે શુ લઈ ને જશે ! તારી પાસે જે સહજ ભાવે રહેલ હશે તે...ગાળાનુ પાણી ગંદુ હાય તા, એક ઘરનું આગ્ય બગડે, પણ નદીનુ પાણી ખગડે તે પૃથ્વી પર પ્રલય થાય. ’’ સાધુનું જીવન ઉચ્ચ ના હોય તે ?............વિશાળ લેાક સંપક માં રહેલ તારી કેટલી જવાબદારી છે, તેને ખ્યાલ કર. શુ તારા સપ'માં આવેલ આત્માએ પ્રભુશાસનના અનુરાગી અને છે ? શુ' તાર! પરિચયમાં આવેલા આત્માએ સદ્ગુરુના ઉપાસક અને છે ? શું તારા ચાહક સજ્જન માર્ગાનુસારી અને છે ? શું તારા ગુણની સુવાસ કાઈના દુર્ગુણ હરાવનારી અને છે ? તારા પરિચયમાં આવનાર, કહે છે તને “તુમ્સે સમથા ઉદ્ધત્તુ, પર' અપાણુ સેવ ય. ?”
પરકલ્યાણમાં સ્વકલ્યાણ ભૂલવાનું નથી. સ્વકલ્યાણને શ્રેયમાં જેણે આચર્ચા નથી, તે પરકલ્યાણનો માગ ભલે
Page #349
--------------------------------------------------------------------------
________________
મુનિ એટલે સરળતાના પ્રતિનિધિ, [ ૩૦૫
સ્વીકારે. પશુ એક દિવસ સમજાશે આ ા પાયા વગરની ઇમારત છે. પાયા વિનાની ઇમારત એક દિવસ જમીન દોસ્ત થાય. “ તેમ સ્વ-કલ્યાણની વાહ-વાહ ભરી વાતા પણ, હવા હવા થઈ જાય છે.” પ્રભુના સાધક સ્વકલ્યાણુ સાધે છે એટલે પહેલાં પોતે આચારમાં નિષ્ણાત અને છે. પછી ઉપદેશ આપે છે. તેથી તેના ઉપદેશ ખીજાનું પણ કલ્યાણ કરવામાં સફળ બને છે.
સાધક !
તારી સાધના સિદ્ધિદાયક છે. સ્વ-પર તારક અને તારી ખિરુદાવલી સાંભળવા આતુર છુ. મને શાશ્વત સંગીત ગમે છે. મારી ચાહના છે. તારા પરિચયમાં આવનાર તારા મંગળ ગીત ગાય...
((
'',
...
તુમ્બે સમથા ”. પ્રભુ ! ! !
મને અ ંતરના આશિષ આપે....અખંડ વિશુદ્ધ મહા વ્રતનું પાલન કરું...પ્રભુના સિદ્ધાંતની સેવા કરવાની શક્તિ આપે...
“ જૈન' જયતિ શાસન'' ના નાદ વિશ્વમાં
ગુજિત કરુ.. એ જ અભ્યર્થના...
带
Page #350
--------------------------------------------------------------------------
________________
૪૬. પુષ્ટિજના પંજલિઉડ
કિં કાયä મએ ઈહ gi રોનિકને અધિકાર શસ્ત્ર ચલાવવાને પણ, પિતાની ઈચ્છા મુજબ શસ્ત્ર ચલાવે તે સૌનિક નહિ. સેનાપતિની આજ્ઞા મુજબ શિસ્ત્ર ચલાવે તે સૈનિક. મનમાં આવે ને શસ્ત્ર ચલાવે તે ગુંડેરી માં સૈનિક અનેક હોય. દરેકની શક્તિ અને સામર્થ્ય અલગ અને વિવિધ હેય. શસ્ત્રવિદ્યા શીખવાની ખરી પણ, તેને ઉપયોગ કેઈ પણ રૌનિક સ્વેચ્છાએ ના કરી શકે. સેનાપતિની જ આજ્ઞા હોય તે પ્રમાણે કાર્ય રત રહેવાનું-તે સૈનિકને ધર્મ. સૈનિક સેનાપતિની આજ્ઞા માન્ય ના કરે અને રવેચ્છાએ શસ્ત્ર ચલાવે તે સર્વનાશ.
રોનિક અને સાધુના ધર્મ કંઈક અંશે સમાન છે. નાગરિક વતે તેમ રૌનિકે ન વર્તાય. સંસારી છે તેમ સાધુએ ના જવાય. સાધુની જવાબદારી અલગ. સંસારીની જવાબદારી અલગ. “સ્થાન જેટલું મહત્વનું તેટલી સાવધાનતા અને આજ્ઞાપાલનની તત્પરતા જઈએ. બળદગાડું હાંકનાર–ખેડુ ગાડું હાંક્તા નિરાંતે ઊંઘ ખેંચી શકે. પણ, મોટર ડ્રાઈવર ડ્રાઈવીંગ કરતાં ઊંઘે તે ગાડીને ડ્રાઈવર ડ્રાઈવીંગ કરતાં વાત કરી શકે પણ વિમાન ચલાવનાર પાઈલેટ વાત કરે છે? “જવાબદારી જેટલી મેટી તેટલી સુખ સાહિબી ગૌણ કરવી જ રહી. સાધુને કંઈ
Page #351
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુ એટલે ભયંકર પાપ સામે લાલચંડી. [ ૩૦૭ પણ ઈચ્છા કરવાની નહિ. ઈચ્છા કરવાની ફક્ત ગુર્વાશામાં દત્તચિત્ત બનવાની.”
મહાત્મા ! તમે ઈચ્છા કરવાની ના પાડે. અને દશવિધ સમાચારમાં તે પ્રથમ ઇચ્છાકાર સામાચારી ફરમાવે છે. પછી તધાકાર-તહતિ સામાચારી સમજ છે...આમ થાય છે ત્યારે મારા મનની મૂંઝવણ ખૂબ વધી જાય છે.
સાધક ! એક ખ્યાલ રાખ તારે મોક્ષમાર્ગના આરાધક બનવાનું છે? કે મોક્ષમાર્ગના બાધક બનવાનું છે? મેહ તારા ઉપર બળવો કરી ન જાય એટલા માટે પહેલા ઈછાકાર સામાચારી બતાવી છે. ગુરુ ! હું તમારા ચરણે કોઈના દબાણથી આવતું નથી. કોઈના કહેવાથી આવતું નથી. કેઈની લાલચથી આવતું નથી. પણ, મારી ખુદની ભાવનાથી-સ્વેચ્છાએ આપના શરણે સમર્પિત બનું છુંમારું સર્વસ્વ તમારા શરણે છાવર કરું છું. હવે મારી પાસે કશું નથી રહ્યું. બસ, આપના ચરણે અંજલિઅદ્ધ પ્રણામ કરી એક જ વાત કહું છું. - “પુરિછજજ પંજલિડે કિ કાયવું એ ઈહ” સાધક ! તારે ઈચ્છા કરવાની પણ ગુરુની ઈચ્છા પ્રમાણે ઈચ્છા કરવાની એટલે સાધુ કહે છે. “ગુરુદેવ! મને સમજાયું છે. આપની ઈચ્છા મુજબ-આપની આજ્ઞા મુજબ, આપની ભાવના મુજબ ચાલવામાં મને લાભ છે. આપ
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ] નમ્રતા એ જૈન શાસનનુ બીજ છે,
મને આજ્ઞા ફરમાવતાં હ્યેાભ ના રાખે. એટલે જ વાર વાર કહુ છુ...-ઇચ્છિામિ....ઇચ્છિામિ....હું ઇચ્છું છું-હુ ઈછું છું. મને પસંદ છે, મારું મ ગલકર છે. મારુ કલ્યાણકાર છે.”
તારી આ ભાવના નિવેદન કરવા પ્રથમ ઈચ્છાકાર સામાચારી, તારી ઈચ્છા અને ભાવનાથી પ્રેરિત થઇ ગુરુ તને જે ફરમાવે—આજ્ઞા કરે ત્યારે “તદ્ઘત્તિ” તેમ હા.... ગુરુ આજ્ઞા શિરસાવદ્ય કરવી તે તદ્ઘત્તિ-તથાકાર સામાચરી....
વીતરાગ સર્વાંગના શાસનમાં કયાંય દ્વિધા નથી. વિકલ્પ નથી. હુકમ નથી. પણ હૃદય પરિવર્તન છે. તને હુંમેશા યાદ રહે. ગુરુએ મારા ઉપર ઉપકાર કરી હૃદય પરિવન કર્યુ છે. મારુ જીવન ભૌતિકવાદ તરફ ધસમસી રહેલ તેને અધ્યાત્મવાદની દિશા ચીંધી મારા જીવન પ્રવાહને બદલેલ છે. એટલે હુ શરણે આવ્યો છુ. શરણાગતની વિનતિ છે—ઇચ્છામિ....સાધક ! પ્રવૃત્તિ તારે કરવાની. પણ આજ્ઞા સ્વીકારવાની ગુરુદેવની. તુ ગુરુદેવને હાથ જોડી વિનતિ કરે–ભગવત ! આપને ચેાગ્ય લાગે તા મને વૈયાવચ્ચમાં નિયુકત કરે....આપને ચાગ્ય લાગે તે મને સ્વાધ્યાયમાં જોડા. આપની જે આજ્ઞા હશે તે કાર્યોંમાં હું નિયુકત મનીશ, તે કા` મને લાભદાયક થશે....મને મારી શક્તિનુ' જ્ઞાન નથી. મને મારી ભકિતનું જ્ઞાન છે. ભકિત મારી, શિત તમારી. સફળ થાય આરાધનાનું લક્ષ્ય....
મારી તેા નમ્ર વિનંતિ છે,નમ્ર નિવેદન છે. આજ સુધી મારી ઈચ્છા મુજબ જ મેં કર્યું. તેમાં આરાધનાને
Page #353
--------------------------------------------------------------------------
________________
વિચાર એ તી છે અને આચાર એ મેતી છે. [૩૦૯ અવાજ ગૌણ અનેલ. અને મેહને અવાજ મુખ્ય બનેલ. અને હું સમજેલ. મારી ઈચ્છા પૂરી થઈ–મારો ભાવ પૂર્ણ થયે. પણ હવે સમયે છું. “મારી ઈચ્છામાં હું ભૂલે પડું છું અને કર્મ જીતે છે. જ્યારે આપની આજ્ઞામાં મેહ હારે છે અને મારે આત્મા જીતે છે.”
આત્માના વિજ્ય માટે મેં આપની શરણાગતિ સ્વીકારી છે. આપ મને ઉપવાસ કરાવે કે નવકારશી.... આપ મને સેવા સેપે યા સ્વાધ્યાય.
આપ, મને વિહાર ફરમાવે કે સ્થિરતા...આપ, મને મૌન ફરમાવે યા વ્યાખ્યાન કરવાનું...
આપ મને લેખન ફરમાવો યા ધ્યાન...જે આપને ચગ્ય લાગે તે ફરમાવે. આપ મારા હિતચિંતક છો. આપ મારા ભવ વૈદ્ય છે. આપ મારા સાધનામાર્ગના અધિનેતા છે.
આપની આજ્ઞા હું માનું યા ન માનું. તેમાં આપને કશો લાભ કે નુકશાન નથી. આપની આજ્ઞા મુજબ કરીશ એટલે આપને તકલીફ પડવાની. ઘડી ઘડી આપને પૂછવા આવીશ. નહિ સમજાય તે પાંચ-દશ વાર પૂછીશ..આપને સમય બગાડવાને. સાચું કહું? આપના કહ્યા પ્રમાણે કરવા જઈશ તો મને લાભ થશે. પણ, આપને તકલીફ વધી જશે..પણ ગુરુદેવ હું તે વક્ર જડ છે ને? શું આપ મારા ગક્ષેમ કરો તેમાં આપના
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ] નિયમ = આત્મશક્તિને જગાવવાનું અમેધ સાધન પરોપકારના દાનનુ વ્રત પૂર્ણ થતું નથી ? મારા જેવે અમ્રુધ આપના જેવા દિવ્યજ્ઞાનીને પૂછવાને લાયક નથી. તે હું જાણુ છુ –પણ શું કરૂ ની પાસે જાઉં ? આપને મારા માટે કદાચ સ ંદેહ હશે. આ પૂછશે પણ કરશે ખરા ? ના....ના....ગુરૂદેવ હું અન્યાય કરું છુ આપ જેવા મહાત્માને આપ.પરા વ્યસની છે....આપના હૈયામાં મારા જેવા આત્માની કરૂણા છે. તેથી જ હું હિઁ'મત કરી શકું છું અને પૂછું છું. મારે ચાગ્ય શુ છે ? મારુ મન તે મટ છે. ઘડીમાં મને જ્ઞાન યાગમાં લાભ દેખાય છે. ઘડીમાં મને સેવાધમ ના સાલાં આવે છે. છેવટે નથી બની શકતે! જ્ઞાની કે નથી બની શકતા સેવાભાવી.
અધવચ્ચે ઊભા રહી જાઉ છું.
એટલે હવે મેં નિર્ણય કર્યો છે. આપના ચરણમાં નિવેદન કરું છું.. આપની આંજ્ઞા મુજ વવાની મારી
ઈચ્છા છે.
સાધક ! મીઠી વાતે કરવાથી મહાન કાય થતાં નથી. સમજી લેજે. આજ્ઞા પાલન એ તે રેતીના ડુંગરાનુ ચઢાણ છે. તું પગ મૂકતા જઈશ, તેમ પગ નીચેની રેતી ખસતી જશે. નાના પહાડ, સુવાળા પહાડ પણ બિહામણા અને વિકટ પહુ'ડ ખની જશે.
જ્ઞાનીની રીત-રસમા, તેમના સ્નેહ, પ્રેમ, ઔદાય ના ગણિત અલગ હેાય. આજ્ઞાપાલન એ તે આઈ
Page #355
--------------------------------------------------------------------------
________________
. સંસાર = ફુટબોલની ગેમ. [ ૩૧૧ સી. એસ.ની પરીક્ષા છે. જ્યાં પુરતકને એક પણ પાઠયક્રમ નહિ, પુસ્તકના એક પણ પ્રશ્ન નહિ. વિદ્યાર્થી સામે ઊભું રહે અને શિક્ષક મનમાં જે આવે તે પ્રશ્ન પૂછે અને તેના જવાબ આપવાના. શિક્ષકના ભેજા સાથે વિદ્યાર્થીએ પિતાના ભેજાને મેળવવાનું શું કીધું ? પછી કેમ કીધું? આ કશું નહિ બોલવાનું. સ્વસ્થ–સમતલ રહી જવાબ આપવાના. આવી જ આકરી કસોટી છે આજ્ઞા પાલનમાં શક્તિ ના હોય, સામર્થ્ય ના હોય, તે ઢગ ના કરે. દેખાવ ના કરતે ગૌતમસ્વામી બનવાને કે મૃગાવતી બનવાને. તારી શકિત વિચારીને ડગ ભરજે. પણ મક્ષને રાજમાર્ગ તે આજ્ઞાપાલન જ છે. શૂર બની સંચર....મહાવીર તને શક્તિ પ્રદાન કરે.
પ્રભુ ! આપના ચરણ અને શરણમાં આ છું. જે મારી ઈચ્છા જીતી જશે તે મારું સમર્પણ શરમાઈ જશે. આપની આજ્ઞાને આરાધક બનીશ તે મારે મહ ભાગી જશે.
બસ...મને તરકીબ શિખવાડે.મેહને બિરા ગણાવી દઉં. પુનઃ પુનઃ વિનતિ વીતરાગના ચરણમાં
Page #356
--------------------------------------------------------------------------
________________
૪૭. સજ્ઝાય તએ કુજા સવ્વભાવવભાવણ
પાયાની મજબૂતાઈ પર ઇમારત નિરૃર રહે છે. જે ઈમારતના પાયા મજબૂત હાય તે ઈમારત ભયંકર વાવટાળ વચ્ચે પણ અડીખમ રહે છે. ગૃહ બાંધકામના નિષ્ણાત ઇમારતના રૂપ રંગ ફનીચર, અને ડીઝાઇનથી આકર્ષાય નહિ. તેઓને પ્રથમ પ્રશ્ન હોય. પાચા કેટલે ઊડા નાંખ્યા છે ? કેટલેા મજબૂત છે ?
>
*
સાધુના જીવનશિલ્પના નિષ્ણાત તીર્થંકર પરમાત્માએ પણ એક જ ફરમાવ્યું છે, જીવનમાં સ્વાધ્યાયથી કેટલે ધન્ય બન્યા તે કહે ” પ્રભુ તપ માટે એકાંત નથી ફરમાવતા. વિહાર માટે દીવિહારની આજ્ઞા ફરમાવતાં નથી. પણ અધિક-સર્વાધિક પ્રેરણા રવાધ્યાયની કરે છે. સાધુના ભાવપ્રાણ સ્વાધ્યાય છે.
જ્યાં સ્વાધ્યાય નહિ ત્યાં સાધુતા નહિ. જ્યાં સાધુતા ત્યાં સ્વાધ્યાયના રણકાર....
સાધુ સ્વાધ્યાયને પ્રાર ંભ કરે, અને તેને આત્માનું દર્શન થવા લાગે....સાધુ ખુદના પ્રતિબિંબ સ્વાધ્યાયના દ ણમાં નિહાળે..દુનિયાના દરેક દણમાં ગાટાળા થાય પણ સ્વાધ્યાય એવુ નિળ દૃણુ છે જેમાં આત્મા
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ = કરેલી આરાધનાના નાશનું ખીજ. [ ૩૧૩ જેવા હાય તેવા દર્શન થાય. ખસ, આ દન સાધુના આત્માને સ્પશી જાય. સદ્ગુણ પ્રાપ્તિના પુરુષાર્થ થાય અને દુÖણુ દૂર કરવાની ભાવના જાગે....
પુરી સ્વાધ્યાય વિનાના સાધુ નાક વગરની સુંદરી જેવા લાગે !
સ્વાધ્યાય જ સાધુને પરમાત્માની નિકટ રાખે. પરમાત્માને સપર્ક કરી આપે.
5 સ્વાધ્યાય વગરની ક્ષણ એટલે સાધુના ભાવપ્રાણને ભય ! સામાચારીના જાણકાર કહે, પરમાત્માએ મને એક દિવસ રાત્રિમાં ઉત્સગ અઢાર કલાકના સ્વાધ્યાય કરવાનું ફરમાવ્યું પણ રાજના અઢાર કલાક સ્વાધ્યાય ના કરું ત્યાં સુધી · મને સાષની નિદ ના આવે. ચાવીસ કલાકમાં ત્રણ કલાક નિદ્રા. ત્રણ કલાક જીવન નિર્વાહ ચૈગ્ય પ્રવૃત્તિ. ખસ, દેહના નિર્વાહ માટે છ કલાક આપવાના બાકીને બધા સમય જ્ઞાનાર્જન કરવાને. પછી ભલે તે જ્ઞાનસાધના સૂત્ર રૂપે ચાલે, અથ રૂપે ચાલે કે ચિ ંતનરૂપે ચાલે. પણ અઢાર કલાક સ્વાધ્યાયમાં જ વિતાવવાના. ઉત્સ`થી દેવાધિદેવની આજ્ઞા, સાધુ સમાચારીનુ પાલન કરવાની જેને ભાવના હાય તેને દિવસ કે રાત્રિના ત્રણભાગ આત્મચિંતનમાં ઉપયુકત કરવા • જોઈ એ. દિવસ કે રાત્રિને એક એક ભાગ જ તારા સંયમયાત્રાના નિર્વાહ અથૅ આહાર અને આરામમાં વિતાવવાના.
છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૧૪ ] શુરુ = આત્મ પર લાગેલા ડાઘને દેખાડનાર ૬ણુ..
મહાત્મા !
આ તા જિનકલ્પીના આચાર ને ? સ્થવિકલ્પીના આચાર તા ભિન્ન ને ? અમે થોડુ ઘણુ કરીએ તે દોષ નહિ ને ? ભગવાને જ સ્થવિર કલ્પીની આચાર પ્રણાલિકા અલગ ફરમાવી છે. પ્રભુ દયા કરે અને આપ અમને શિક્ષા કરે ? આપ પણ દયા કરો ને !
સાધક !
પરમાત્માને તારા પર વાત્સલ્ય હાય અને મને પણ હેાય. સ્થવિરકલ્પી અને જિનકલ્પીના આચારને વિદ્વાન. તું અતિચાર ભૂલી ન જાય ને ? તુ પણ અતિચારમાં
આલે છે ને ચારવાર સજ્ઝાય ના કરી ! શું તુ સજ્ઝાય કરે છે ?
મહાત્મા !
હું સઝાય ચારવાર નિહ પણ પાંચવાર કરું છું.
સાધક !
પ્રભુ આજ્ઞાની મશ્કરી ના કર. પાંચ ગાથાની સજ્ઝાય. કરી લીધી એટલે એક પ્રહરના સ્વાધ્યાય થઈ ગયા ? બાર કલાક તે દિવસ રાતમાં તારે પણ ઉત્સગ માગે સ્વાધ્યાય કરવા જ જોઇએ. સ્વાધ્યાય વગરની સાધુતાના સ્વાદ કેવા ? સ્વાધ્યાયમાં લીન સાધુ નલિની ગુલ્મ અધ્યયનનું પુનરા વન કરે અને અવંતી, સુકુમાલ સાધુ મહાત્મા પાસે દોડી આવે. સાધુને સ્વાધ્યાય સાંભળે તેને જાતિસ્મરણ જ્ઞાન
Page #359
--------------------------------------------------------------------------
________________
પર્વ = ધમીજનોને આનંદ આપનાર વસંતઋતુ. [ ૩૧૫ થાય, તે જે સ્વાધ્યાય કરે તેને શું લાભ થાય? સ્વાધ્યાયમાં અશુભકર્મના હાસની શક્તિ છે. સ્વાધ્યાયમાં શુભ કર્મોને બંધાવવાની શક્તિ છે. સ્વાધ્યાયમાં કર્મનિર્જરાની શક્તિ છે. પૂર્વના સ્વાધ્યાયથી કૃતજ્ઞાની પણ કેવલજ્ઞાની સમાન ગણાય. સ્વાધ્યાય દ્વારા શુકલ લેસ્થા સ્થિર બને. ધર્મધ્યાનથી શુકલધ્યાનમાં પહોંચવાની સ્વાધ્યાય સોપાનશ્રેણું છે. વાધયાયમાં સ્વશિક્ષણ છે. ખુદ મનન કરે અને ખુદ જ પિતાને સુધારે કરે.. મહાત્મા !
હું ક્યારેય “હા” માં “હા મિલાવી શક નથી. જેવું હોય તેવું કહી દઉં. મને બાર કલાક ગાથાનું પુન-- વર્તન ના ગમે. ગાથા ગેખતાં કંટાળી જાઉં છું. કંઈક રસ પડે તેવું હોય તે ઠીક. બાકી આમ એક હજાર સ્વાથાય પછી તે એ કંટાળે આવે કે નિંદ જ આવી જાય. તમે કહો છો સ્વાધ્યાયથી અપ્રમત્તભાવ પ્રગટ થાય. પણ મને તે સ્વાધ્યાય કરતા જ એવી આળસ ચઢે છે કે
પડી હાથમાં રહે ને નિંદ આવી જાય. સાધક ! " તું સ્વાધ્યાયનો અર્થ પુનરાવર્તન સુધી સીમિત ના કર. પરમાત્માએ વાચના–પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા સુધી જ સ્વાધ્યાય નથી કહ્યો. પણ ચાર પ્રકારના સ્વાધ્યાયમાં ધ્યાનને પણ આવરી લીધું છે. ગાથાનું પુન--
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ] જ્ઞાન = અજ્ઞાન અંધકારને ઉલેચનાર દીપક રાવ ન કરવુ તે જ શાસ્ત્રીય રીતે પૂર્ણ સ્વાધ્યાય ના કહેવાય. સૂત્રના અથ એટલાં જ આત્મસાત્ કરવા જોઇએ. પણ સૂત્ર ખેલતાં અથ સમજાઈ જવા જોઈએ, સૂત્રપાઠ એકદમ શાંતિથી અને ભાવવાહિતાથી કરવા જોઇએ સૂત્રપાઠ કરતાં અનુભવ થવા જોઇએ કે પરમાત્મા ગુરુગૌતમની જેમ મને પ્રતિમાષ કરી રહ્યા છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને પાઠ ચાલતા હાય ત્યારે તારી મનોભૂમિકામાં પાવાપુરીનું પ્રભુનું અંતિમ સમવસરણ તાદશ ખડુ થવુ જોઇએ, અષ્ટ મહાપ્રાતિહાય અને બીજા ચાર અતિશયથી શાભતાં પરમાત્મા માલકોશ રાગમાં દેશના દઈ રહ્યા છે. ભાગ્યયેાગે હુ પણ ત્યાં પહોંચી ગયેા. ચાતક અને મયૂર જેમ મેઘને જોઈ ને નૃત્ય કરી લે, તેમ પરમાત્માના દર્શન કરીને હું ભાવવિભાર બની ગયેા. પ્રભુની દેશના શ્રવણ કરતાં રામ રામ વિકસિત બની ગયા....હું થની અંજલિ થઈ ગઈ....મસ્તક ઝૂકી ગયું. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની ગાથા ખેલતાં આ ભાવ પેદા થાય તે સાચે કહું છું, પ્રમત્તભાવથી અપ્રમત્તભાવમાં તું સ્થિર બની જાય,’ સ્વાધ્યાયની તારી આ મગ્નતા તારામાં ધ્યાનચેગની સિદ્ધિ કરે અને તે દ્વારા તું નિકાચિતકના પણુ ક્ષય કરી શકે.
ભલા ! તું કયાંથી એવી વાત લઈ આવ્યો કે સ્વાધ્યાય એટલે ખારેય કલાક ગાથા ગેાખી જવાની. બાર કલાક તુ જ્ઞાના
Page #361
--------------------------------------------------------------------------
________________
ખામીમાંથી ખૂબીનું સંશોધન કરે તે મહામાનવ [ ૩૧૭
જન કર એ મુખ્ય વાત છે. બાર કલાક તું તારામાં. ખવાઈ જા બાર કલાક તારા આત્માની માવજત કર, બાર કલાક વૈરાગ્ય રસાયણના પાન કર. તારી રુચિ સૂત્રપાઠની હેય તે તે કર, અર્થની હોય તે તે કર, ચિતનની હેય. તે તે કર, તને તાત્વિક પ્રશ્નોત્તરીમાં રસ હોય તે તે કર, તને ધર્મકથા કરવાની ભાવના હોય તે તે કર. પણ .....મારી તે તને હિતશિક્ષા છે, “તું બાર કલાક પ્રભુની આગમવાણીમાં લીન બની જા. પ્રભુની વાણું તને અવશ્ય અનંતગુણ બનાવશે. પણ ઉત્તરાધ્યયનસૂત્રની પંકિતનું સમરણ કરજે....“સઝાયં તેઓ કુજજા સવભાવવિભાવણું સર્વભાવને પ્રગટ કરનાર સ્વાધ્યાયને કર. સવભાવને પ્રગટ કરનાર સ્વાધ્યાય તારા કર્તવ્યધર્મનું ઉધન નહિ કરે? તારા આત્મસ્વભાવને વિકસિત નહિ કરે ? સ્વાધ્યાય તે સાધુને માટે સંજીવની ઔષધ તુલ્ય છે. સ્વાધ્યાય તને આત્મામાંથી પરમાત્મા ના બનાવે? જરૂર બનાવે સાધક તું સ્વાધ્યાયમાં લીન બન્યો નથી ત્યાં સુધી તને ગુરુની પ્રેરણાની જરૂર છે. “સ્વાધ્યાયમાં તું લીન બની જઈશ પછી તને કેઈએ પ્રેરણા નહિ કરવી પડે, તારું જીવન જ સૌને પ્રેરક-ઉદ્ધારક બની જશે.
ચક્ષુરહિત અંધ વ્યક્તિને પ્રતિપળ કહેવું પડે. સંભા
, ખાડે છે, ટેકરે છે, ઊંચું છે, નીચું છે, લાકડી ' રાખે, દિવાલે હાથ રાખે, પણ જેને આંખે દેખાતું હોય તેને કશું કહેવાનું નહિ. નયનવાળે પ્રાણ બરાબર જ
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ]
ભુલના સ્વીકાર તે સુન્ન.
ચાલે. તેમ સાધક ! તું સ્વાધ્યાયમાં લીન અનીશ એટલે ક ધર્મનું જ્ઞાન તને સ્વયં થશે. વધુ શું કહું ? તારા આચારમાં ભવ્યાત્માને પરમાત્માના આચારના દન થશે. કારણ સ્વાધ્યાયથી પવિત્ર થયેલ તારા આત્મા પરમાત્માના પ્રતિનિધિ બની ગયા હૈાય પછી તારા આચાર અંગે શું
પ્રેરણા કરવાની હાય ? તારા જીવનમાંથી કેટલાંય પામર પ્રેરણા લઈ ધન્ય બનતાં હાય! બસ, સાધક ! પુનઃ પુનઃ એક જ હિતશિક્ષા આપવાનુ મન થાય છે.
સ્વાધ્યાયમાં દત્તચિત્ત અન
પ્રભુ !
ભક્ત આપના, ભક્તિ કરવાની ભાવના મારી, શક્તિ આપે। સ્વાધ્યાયની. આત્મસ્વભાવમાં લીન બની આપની નજદીક રહે.
આ જ છે સદાની આપના ચરણકમલમાં નમ્ર પ્રાથના....
Page #363
--------------------------------------------------------------------------
________________
૪૮. સમાહિ· પડિસ ધએ
મ
જલની વૃષ્ટિ થાય, ઠંડી પડે, ગરમી પડે, જોરના પવન ફૂંકાય. પ્રકૃતિ પ્રકૃતિનું દાન કરી શકે, પણ આત્મસ્વભાવનું જગતમાં કોઈ દાન કરી શકે ? આત્મસ્વભાવ ખુદ્દે સિદ્ધ કરવા જોઇએ.
જે જગતમાં સુલભ પ્રાપ્ય છે તે સૌ આપે, પણ દુÖભ હાય તે કયાંથી આપે ?. દુર્લભ છે એટલે જગતના જીવાને મળે નહિ. મળ્યું નથી તે આપવાનું કયાંથી બની શકે ? સંત અને મા વિશ્વ પાસે કયારેય આશા રાખતા નથી. સ ંતો કહે છે. “વિશ્વ આપે છે તે અમારે મન મૂલ્યવાન નથી અને અમને જેના મૂલ્ય છે તે આપવાની તાકાત વિધના પ્રાણીએ પાસે નથી.” સંત-મહંત બીજા પર આશા રાખી કયારેય પણ પ્રયત્નશૂન્ય અનતાં નથી. સંત મહંતના પ્રયત્ન હોય તે એક જ હાય છે ‘સમાહિ પડિસ ધએ’સમાધિનું અનુસ ંધાન કરવુ. વિશ્વની ધી રીત છે. ‘દુનને તે વશ થાય અને સજ્જનને પ્રતિકૂળ ચાલે. પણ સજ્જન તે તેનું જ નામ કે જે કોઇનીચે ફરીયાદ ના કરે, પેાતાનું કર્તવ્ય શું છે તે વિચારી કવ્યના પંથે આગેક્દમ ભરે.....!'
પરમાત્માના કલ્યાણક સમયે તથા મહાત્માએના દાન પ્રસગે રત્ન-વસ-રૂપ્ય-સુવણુ -સુગધીજળ વિગેરેની વૃદ્ધિ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ] ભુલ કહેનાર ફૂલ જેવા લાગે તેા સમ્યક્ત્વ. થાય છે પણ....શાંતિની વૃષ્ટિ થાય છે ? તીર્થંકર પરમાત્માના સાંનિધ્યમાં પણ શાંતિની વૃષ્ટિ નહિ. પણ....શાંતિની સાધના જરૂરી છે.
પ્રત્યેક સાધકે, પ્રત્યેક આરાધકે ખૂબજ શાંત અને સ્વસ્થ ચિત્તે વિચારવા જેવી વાત છે. જગત બાહ્ય બધી અનુકૂળતા કરી આપશે. પણ શાંતિ અને સમાધિ પણ તને કાઈ કરી આપશે એવી અપેક્ષા જો તુ રાખે તેા કહેવું પડે કે શાંતિ–સમાધિને તુ' સમજ્યું જ નથી. સમાધિ કે શાંતિ કોઇ એવી ચીજ નથી કે કોઇ સ્થળે જઇને લઇ અવાય. સમાધિ–શાંતિ આત્માએ પ્રાપ્ત કરવાની છે. સમાધિ–શાંતિ અપાતી નથી પણ મેળવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું પદ્મ ખૂબ મા`િક છે, ‘સમાહિ... પડિસ'ધએ' સમાધિનું પ્રતિસ ધાન કર. સમાધિની પાછળ લાગીએ તે આપણા આત્મામાં રહેલ સમાધિ પ્રાદુર્ભાવ થાય.
સમાધિ કોઇના કમ ક્ષયથી ના મળે. પણ આપણી પેાતાના કમ ક્ષયથી મળે. તેમ અસમાધિ પણ કોઈના કારણે ના મળે પણ આપણે આત્મા કષાયને આધીન અને તે અસમાધિ પ્રાપ્ત થાય. પ્રત્યેક વ્યક્તિને શારીરિક કષ્ટની મર્યાદા હાય જ. પણ પ્રત્યેક વ્યક્તિને માનસિક કષ્ટ અમમાંંદિત જ હાય !'
મહાપુરુષના હૃદયની ભૂમિકા એટલી ઊંચી ઉઠેલી હાય છે કે તેમને સ્વના દુઃખના વિસ્મરણ હૈાય છે. તેમને પરના
Page #365
--------------------------------------------------------------------------
________________
થયેલી ભૂલને સુધારે તે મહાત્મા
[ ૩૨૧ દુઃખનાં સદા સંભારણાં હોય, દુનિયા કદાચ મહાપુરુષ સાથે ભદ્ર વ્યવહાર કરે પણ સમાન સાથે તે અભદ્ર વ્યવહાર કરવા જ ટેવાયેલ છે.
મહાત્માના શિ મહાત્માની પવિત્રતાને વશ થઈ અથવા તેમનાં તેજ સહન નહિ કરી શકવાથી તેમની સામે તે વિનય, વિવેક, નમ્રતા આચરે પણ બધાની સાથે તે કષાયનું ભયંકર તાંડવ. શું જ્ઞાનીની દૃષ્ટિ બહાર આ સ્વભાવ પ્રદર્શન રહે? જ્ઞાનીને સમાધિનું સાનુકૂળ વાતાવરણ મળે? મહાત્માએ જે જ્ઞાનાભ્યાસથી આચાર વ્યવહારની ઉચ્ચ પ્રણાલિ નિશ્ચિત કરી હોય તે મહાત્માના સહવતમાં હોય ?
ભલા!
ઘણીવાર એવું જ બને છે. બધાને પવિત્ર બનાવનાર, સ્વચ્છ બનાવનાર જલ પણ તે જલની નિકટ રહેનાર અપવિત્ર ગંદા. માછીમારને તે જે છે? જે દી. દુનિયાને પ્રકાશ આપે તે દીવા નીચે અંધારુંતેમ કેટલીકવાર એવું બને છે મહાપુરુષના નિકટવતી ઉપર મહાપુરુષની અસર થતી નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે ગગષિ મહાત્માના શિષ્ય ગળિયા બળદ જેવા, સારણાવારણ-ચેયણ-પડિયણ દ્વારા પણ તે આત્માઓ આરાધનાને સાનુકૂળ ન બન્યા. યુગ પ્રવર્તક કાલિકાચા શિષ્ય - ૨૧
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨૨ ] ભક્તિ દ્વારા પ્રસન્નતા મેળવે તે શિય સમુદાયથી ઉદ્દવિગ્ન બની એકાકી બની પારસદ્વીપમાં વિહાર પ્રારંભી લીધે.
આ કેઈ એક મહાત્માની પરિસ્થિતિ નથી. પ્રત્યેક મહાત્માની પરિસ્થિતિ છે. મહાત્મામાં જેટલી કક્ષાની શાંતતા હોય તેટલી શાંતતા તેમના શિષ્યોમાં ક્યાંથી હોય? અજ્ઞાની સહવર્તીએ મહાત્માના દિલની કરૂણાને ક્યાંથી માપી શકે? .
ઠંડા પાણીમાં સૌ હાથ નાંખે, તેમ ઠંડા ગુરુને જોઈ કવાયી આત્માઓના કષાયેના તેફાન માઝા મૂકે. પ્રતિક્ષણપ્રતિપળ અસમાધિ-અશાંતિનું વાતાવરણ દેખાય. પણ મહા
ત્મા પિતાના આત્માને પ્રશ્ન પૂછે, શું આ આમાં દોષિત ? નાકમે દોષિત ! નિર્દોષ ઉપર ગુસે કરાય નહિ. કર્મો દેષિત છે પણ તે જડ છે. ગુર કરીએ તે તેને અસર થાય નહિ. હવે ગુસ્સો કરવાને રહ્યો તેની ઉપર ? ખુદની સંગની આદત ઉપર.”
આત્મા તારે ગુણ છે–અસંગ. તારે સ્વભાવ કમલ સમે નિલેપ છે. સંગના કારણે શાંતિ જોખમાય–તે તારી મૌલિકતા નહિ. સંગથી પર રહી તારી શાંતિની સાધના અખંડ રહે તે તારા સાધુસ્વભાવને વિજય! અસંગ ગુણની આરાધના! - સમાધિ આમિક સાધના છે. આત્મિક સાધના આત્મસ્વભાવ પ્રગટાવ્યા વગર મળે? મહાત્માને જ્યારે બાહ્ય
Page #367
--------------------------------------------------------------------------
________________
Avn/vv
* શ્રદ્ધાથી સાધના સફળ બને છે [ ૩૨૩ વાતાવરણ સ્પશી જાય, કેને કારણે ગુસે–રોષ પ્રગટ થાય ત્યારે પાંચદશ મિનિટમાં પશ્ચાત્તાપનાં બોર બોર જેવાં આંસુ વહેવા લાગે.
સંગ એ વિભાવદશા. અસંગ ગુણ એ આત્માની મૌલિક સ્વભાવદશા”
ફરી પુરુષાર્થ કર ફરી પ્રયત્ન કર. તારી સ્વભાવ દશાનું પ્રગટીકરણ કર...!
પ્રત્યેક સૂત્ર વ્યવહારી સાધુ મહાત્માએ સમુદાયમાં જીવવાનું છે. ગચ્છના આલંબન દ્વારા તરવાનું છે. પરમાત્માએ કહ્યું, “ગછ સમુદાય આરાધનામાં સહાયક ગચ્છ હૈય, સમુદાય હોય, ત્યાં અલગ અલગ ઉંમરના બાલ, વૃદ્ધ, યુવાન સાધુ હોય. અલગ અલગ દેશના હોય, અલગ અલગ સ્વભાવના અને અલગ અલગ કર્મવાળા હોય, સંયમ પર્યાય જેમ વધશે તેમ કેટલાક નિર્મળ બનશે. સહનું સહીને ઘડાઈ જશે તે કેટલાક કાણિયા વસ્ત્ર જેવા થઈ જશે. કેટલાક બે શબ્દ સાંભળીને ચાર શબ્દ સંભ– લાવવાની આદતવાળા બની ગયા હશે. નાની બાબતમાં મહું તેફાન કરનારા હશે. આ બધા વચ્ચે પણ જો તારે આભા ગચ્છથી ઉદ્દવિગ્ન બને તે દેવને ભાગી કોણ? ગછ કે તું ? “આપણું હૈયામાં તે સૌના પ્રતિ કરુણા જન્મવી જ જોઈએ. “પવન–પાણી શાંતિનાં દાન કરી શકે
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ]
જગતનો ઉપેક્ષક તે જ સંત-મહંત
અને હું બધા આત્માને શાંત કેમ ના કરી શકું? મારે પુણ્યાય નહી કે તીથ કર ન બન્યા.
તીથ કર હાય તો જાતિ વેરવાળાં સાપ-નાળિયા, સિ’હ-બકરી સૌ એક સાથે દેશના સાંભળી શકે, તેમ મારો આત્મા પુણ્યશાળી અને તેા ગચ્છમાં સમાધિ-શાંતિ સ્થપાય.
સાચે સમાધિની સાધના સિદ્ધ થાય તેા કલિકાલમાં પણ આત્માના અનેરા આજસ પ્રગટ થાય. સાધક ! વધુ શુ' કહે... ? વર્તીમાન પરિસ્થતિ જોતાં દિલ દ્રવે છે. અંતરની વેદના આંસુ દ્વારા પણ આલેખાય તેવી નથી. આાધના અને સાધના દ્વારા જ પરિસ્થિતિ પરાવર્તન પામે
તેવી છે.
બસ....સાધક સમાધિને સિદ્ધ કર....
પ્રભુ !
સમાધિના સાધક થા, આપના આશીર્વાદ મને ફળે. હુ' સમાધિમય અનુ એજ વરદાન આપે.....
Page #369
--------------------------------------------------------------------------
________________
૪૯. અણુણિસ્સ નસ્થિમુખા, નર્થિઅમુખસ્સું નિવ્વાણુ”
ન
節
જગત સૌÖની પૂજા પાછળ પાગલ છે. ત્યારે સાધક મહાત્મા ગુણ ઉપાસના પાછળ મસ્ત છે. સૌની પૂજા કરનારના એક દિવસ એવા આવે છે કે જ્યારે ઉપા– સક રહે છે અને ઉપાસ્યસૌંદય નષ્ટ બની જાય છે.
સયમ વિનાનુ` સૌંદર્ય દાહક અને ખાધક બને છે. સૌંદય ની જવાળામાં ભસ્મીભૂત થનાર અનેક પત`ગિયાં પ્રત્યેક યુગમાં હાય છે, પણ.. .ગુણની સાધના એવી મજાની છે....ગુણના....ગુણીના ઉપાસક જેમ વધે તેમ સાધકને શાંતિ-આનંદની અનુભૂતિ થાય...
“ન અણુણિસ નથિસુક્ષ્મા, અમુખસ્સું નિવ્વાણુ.” 'ઉત્તરાધ્યયન સૂત્રનું પદ પ્રેરણાને સ્રોત છે, જૈનશાસનની દૃષ્ટિએ ગુણુ કાને કહેવાય ? ગુણ વગર મેક્ષ નહિ.' ઉત્તરાધ્યયન સૂત્રનું આ પદ ચિ'તન માગી લે છે. આત્મ સ્વભાવને પ્રગટ કરે તે ગુણુ....
ચારિત્રની ક્રિયા પણ ચારિત્રની ક્રિયા ત્યારે જ કહેવાય કે જ્યારે તે આત્માના ચારિત્ર પર્યાયને ચારિત્ર ગુણને પ્રગટ કરે.
• આશ્રવને નિરાય કરે તે ચાત્રિ. સામાયિક છે દાપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, આ ચારિત્રમાં ક્રિયાને
Page #370
--------------------------------------------------------------------------
________________
રેગને સહે તે સાધુ
સંપરાય અને યથાખ્યાત પ્રધાનતા છે. જ્યાં કષાય
1
૩૨૬ ]
?
પ્રધાન કરી શકાય. પણ સૂક્ષ્મ ચારિત્રમાં તેા ગુણની જ દહનની મુખ્ય આરાધના છે, જ્યાં સ્વભાવના પ્રગટીકરણુ છે. સાતમા ગુણ સ્થાનક ખાદ્ઘ ચારિત્ર ક્રિયાત્મક કે ભાવનાત્મક ? પ્રવૃત્તિમૂલક કે વૃત્તિમૂલક ? અપ્રમત્ત ગુણસ્થાનક સુધી ચારિત્રની ક્રિયાત્મક આરાધના કરવાની, પ્રતિક્રમણપડિલેહણ–ગેરી—વિહાર–લેચ વિગેરે એકપણ પ્રવૃત્તિ અપૂર્ણ નહિ કરવાની. અવિધિથી નહિં કરવાની. અકાલે નહિં કરવાની, ગુરુનિશ્રા વગર નહિ કરવાની. ગુરુ આજ્ઞા વગર નહિ કરવાની. શાસ્ત્રના વિધિ નિષેધ-ઉત્સગ, અપવાદ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિચારીને કરવાની.
કોઈ પ્રમત્ત સાધુ કહે, “પ્રતિક્રમણ કરું છું.” પણ, આત્મા પાપથી પીદેહઠ કરતા નથી. તે પ્રતિક્રમણના ખાટા ઢોંગ ન કરુ તા ચાલે ને? પ્રતિક્રમણ આત્મિ ણામ પેદા ન કરે, તેા કરવાથી શું લાભ ?’
સાધક !
દવા કરી, પણ આરામ ન થયેા. રાગ ના મળ્યું. એટલે દવા બરાબર નહિ ? દવા છેડી દેવાય ? ના....દવાનું પ્રમાણ વધારવાનું. દવાની મુદ્દત વધારવાની. અહુ જ હાય તા દવા અદલવાની, પણ આરોગ્યપ્રેમીથી દવા લેવાનું ન છેડાય.
Page #371
--------------------------------------------------------------------------
________________
ચિંતાને ચિ’તનમાં ફેરવવાના એક નાજુક ઘડી તે સદન [૩૨૭
પ્રતિક્રમણની પ્રવૃત્તિ જ તારામાં પ્રતિક્રમણની વૃત્તિ પેઢા કરશે. પ્રતિક્રમણ કાળ વેળાએ કર, મુદ્રાપૂર્વક કર, અર્થની વિચારણાપૂર્ણાંક કર, તન્મયતાપૂવ ક કર, ઉચ્ચારણ. પૂર્વક કર. પણ જ્યાં સુધી પાપની વૃત્તિ છે ત્યાં સુધી પ્રતિક્રમણની પ્રવૃત્તિ ચાલુ રાખ.”
ક્રિયાત્મક ચારિત્રની આરાધના દ્વારા, ગુણાત્મક સ્વભાવ સિદ્ધ કરવાના, અપ્રમત્ત ગુણ સ્થાનકથી આગળ ક્રિયાત્મક ચારિત્ર નહિ. અકષાય ભાવાત્મક ચારિત્ર અને સિદ્ધ ભગવ તેમાં વભાવમાં સ્થિરત્વરૂપ ચારિત્ર,ચારિત્ર એ આત્માના મહાન ભૌતિક ગુણ છે. ચારિત્રથી સ કમ ક્ષય રૂપ મોક્ષ. સવ કર્મ ક્ષય રૂપ મેક્ષ વગર નિર્વાણુ નહિ. જ્યાં કષાય ત્યાં ચારિત્ર નહિ તે પછી યથાખ્યાત ચારિત્ર વગર બીજા ચારિત્રને શુ કહેવાય ?
ચારિત્રાભાંસ-ગુણાભાસ....ના....એવું ના પણ કહેવાય. સામાયિક છેદાપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મ સ પરાય અને યથાખ્યાત પણ ચારિત્રના ભેદ છે તેમ પરમાત્માએ કહ્યું છે. પરમાત્માના વચનમાં રહસ્ય છે ભલે પૂર્વના ચારિત્રમાં સંપૂર્ણ ક્યાયના નાશ ન થયે હાય પણ અમુક કષાયે! તે નાશ પામે જ છે. કષાય મ થાય, કષાય અલ્પ થાય તેથી આગળના ચારિત્રમાં કષાયના અભાવ જેવી અવસ્થા પ્રાપ્ત થાય. છેવટે કષાયના નાશ થાય. ચારિત્રધરની હાર્દિક વૃત્તિ કષાય નાશની જ છે.' હાસ્પીટલ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ]
સંયમ એટલે ક્ષમાને ઘધે. આરોગ્ય માટે. હેપીટલમાં પ્રવેશ આરોગ્ય માટે તેમ પ્રભુનું ચારિત્ર કષાયના નાશ માટે....ચારિત્રને સ્વીકાર કષાય નાશ માટે, તે પછી ચારિત્રને પાલન કષાયના ક્ષય માટે જ હોય. ભવ્યાત્મા! “પ્રભુના ચારિત્રની જડીબુટ્ટી મળી છે તે હવે આત્મિક ગુણની પ્રાપ્તિમાં લાગી જા.”
જેમ જેમ તારાં ચારિત્ર પર્યાયનાં દિવસમાસ અને વર્ષ વધતાં જાય તેમ તેમ તારામાં સદ્દગુણની વૃદ્ધિ થવી જોઈએ. તેથી જ માળા ગણવાની “અગુણિરસ નથિ મુફખો.' ગુણ વિના મિક્ષ નહિ, મેક્ષ ન મળે ત્યાં સુધી મને ચેન નહિ, જંપ નહિ. મેક્ષનું લક્ષ્ય સિદ્ધ કટ્વા તે ગ્રામનગર-ગોત્ર-માતા-પિતા નામ અને વેશ બદલ્યાં. મેક્ષનું લક્ષ્ય સિદ્ધ કરવા મહાવ્રત સ્વીકાર્યા. આ જન્મમાં સાધ્યની સિદ્ધિ નહિ કરું તે કયારે કરીશ? જિંદગીને જે દાવ લગાડે પડે તે લગાવીને પણ સંયમની બાજી જીતી જવી છે. હવે હાર ખાવી પિષાય તેમ નથી. સમજ ન હતી ત્યાં સુધી રેતીના ઘરને ભવ્ય ઈમારત સમયે પણ સમજ આવ્યા બાદ તે ફરક પડે જ. ગુરુકૃપા ન હતી. ત્યાં સુધી એટલું જ વિચાર–મને દીક્ષા લીધે કેટલાં વરસ થયાં? મારાથી નાનું કોણ? હું કેટલાંથી મેટો? આંકડા દ્વારા જ સાધનાને માપતું હતું. ગુણવત્તાને લક્ષ્યાંક જ ન હતું. હવે સમજાય છે. “મેરૂ પર્વત જેટલા ઘા મુહપત્તિ ક્યાં પણ કેમ તયે નહિ? વેશ બદલ્યું હતું, પણ દિલ બદલ્યું ન હતું. પ્રભુ! હવે તમારા પાસે
Page #373
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રત્યેના મમત્વને છેડે તે ત્યાગી કરગરીને વિનવું છું. હૃદય પરિવર્તન માટે ચારિત્ર આપે, - હૃદય શુદ્ધિ માટે ચારિત્ર આપ, શુકલ લેયાની અતિવૃદ્ધિ માટે ચારિત્ર આપે.
મહાત્મા કંડરિકે એક હજાર વર્ષ ચારિત્ર્ય પાળ્યું. પણ મનમાં સંસાર આવ્યું. તેથી એક હજાર વર્ષની સાધના નિષ્ફળ ગઈ અને એક જ દિવસના સંસારના ભેગે તેમને નરકે લઈ ગયા. બહારથી રાગની પ્રવૃત્તિ એક દિવસની, પણ મનમાં તે રાગભગ વિલાસની જ વૃત્તિ - જન્મી. એટલે હજાર વર્ષની આરાધનાને પરાજય અને એક દિવસના ભેગના કારણે સાતમી નારકીના અતિથિ બન્યા.
પ્રભુ ! મને મહાત્મા પુંડરિકના ચારિત્રપાલનના અભિલાષના શુભભાવ આપ. ના ભાઈ દીક્ષા લે. મોટા“ ભાઈ પુંડરિકને રાજ્ય સંભાળવું પડે. મનમાં સંયમની - ભાવના. હજાર વર્ષ રાજ્ય કર્યું. ફકત એક દિવસને સંયમ પાળે. મહાત્મા એક દિવસ જ સંયમના મેદાનમાં ઊભા રહ્યા અને મોહ પોબારા ગણ ગયા. મહાત્મા આરાધનામાં સફલ બન્યા. કારણ શું ? “સંસારમાં “શરીર હાજર હતું.' પણું, મન ન હતું. પર્યાય સંસારને પણ મન મોક્ષનું.” એટલે તેમને એક દિવસને ચારિત્રપર્યાય પણ ગુણમય બન્યું. શું મને મહાત્માને શુભભાવ ઉધાર પણ ના મળે?
- સાધક ! મહાત્માના ભાવ ઉધારમાં ના મળે, પણ ઉદ્ધાર માટે મળે. આ બધી પ્રેરણા શા માટે? તારા
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ]
ક્રાધને નિષ્ફળ કરે તે યોદ્ધો
આત્મામાં કંઇક નવ્ય-ભવ્ય-દિવ્ય ચિંતન જાગે એ માટે જ છે. તું પણ ભવ્યાત્મા છે. પ્રભુના ચારિત્ર ધને પામ્યા. તારા સાહસને નમન અને વંદન. પણ હવે અધવચ્ચે ઊભે ના રહેતા, થાકીને વિશ્રામ ના કરતા. જેમ માણસ લેખનકાર્ય કરતા જાય તેમ તેના અક્ષર સુદર થતા જાય તેનાવિચાર પ્રૌઢ થતા જાય. વિચારનું સુંદર પૃથક્કરણ કરી શકે. તેમ હવે તારે પણ મને થોડા જવાબ આપવા પડશે. તારી આરાધના અને સાધનાના ચાપડાનાં લેખાંજોખાં કરવાં છે. નફા, જમા, ઉધારનાં પાસાં તપાસવાં છે.
દીક્ષા લીધી ત્યારની ત્રણ વર્ષોંની તારી મનોભૂમિકા સ્પષ્ટ કર.' પછી હવે ખાર વર્ષે ખાદ તારી મનેભૂમિકા સ્પષ્ટ કર. પહેલાં કોઈ લડે તે, દુઃખ થતું હતું. હવે કોઈ ઠપકા આપે તે દુઃખ થાય છે. તા તારા સંયમના સરવાળે સાચા. પહેલાં ઉપવાસ, આયખિલની ગણતરી રાખતા હતા હવે કમ ક્ષયની ગણતરી રાખે છે? તેા તારી સયમની સાધના ગુણાંકવાળી. પહેલાં બધાની ફરિયાદ કરતા હતા હવે તારા અવગુણુંાની ફરિયાદ કરે છે? તે તારું તે સંયમગુણપ્રાપ્તિનું કારણ બન્યું. પહેલાં સ્વપ્રશંસાનું બેસૂરુ સંગીત વહાવતા હતા. હવે ગુણીજનની પ્રશંસાના મધુરા સુરાથી વિશ્વને સભર કરે છે? તે તારા ચારિત્ર રૂપ મંદિર ઉપર સુવર્ણ કળશ ચઢે છે.
શુદ્ધ ચારિત્રના આરાધન માટે આંકડાની કિંમત
Page #375
--------------------------------------------------------------------------
________________
કેાઈની ભૂલ પર ઉપહાસ કરવા તે કરતા છે. [ ૩૩૧ નથી.' પાંચ-દશ-પચાસ-સેાના આંકડામાં શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય નહિ.
શુદ્ધ ચારિત્ર કષાયના ક્ષય દ્વારા પ્રાપ્ત થાય. નિષ્કષાય . ભાવનું –વીતરાગભાવનું યથાખ્યાત ચારિત્ર ગુણ અને આ ચારિત્ર ગુણવાળા મેક્ષ પામે, સર્વાં કર્મ ક્ષય કરે તે જ નિર્વાણુ પામે. સમસ્ત ધનથી રહિત મને.
સાધક ! અ'તરના આશિષ. નિર્વાણ, શિખર સર કર છે. પ્રભુ ! આપ સમા યથાખ્યાત ચારિત્રધરની છાયા મારા આત્માને શુ પવિત્ર ના અનાવે?
પ્રભુ મને આપની છાયામાં રાખે.....હું આપની પ્રતિચ્છાયા ખતુ એ જ આશિષ આપે..’
Page #376
--------------------------------------------------------------------------
________________
૫૦. પાયે રસા દિગ્નિકરા નાણું ,
ઔષધનું કાર્ય રાગને શાંત કરવાનું, જલનું કાર્ય - તૃષા છિપાવવાનું, સંત મહંતનું કાર્ય વિશ્વને શાંતિ આપ વાનું. જેના શિરે વિશ્વની જવાબદારી હેય તેને ખૂબ સજાગ રહેવું પડે. જેટલી મોટી સત્તા તેટલી જીવનમાં સાવધાની ખૂબ જરૂરી. ફક્ત લેખન જ જેણે કરવાનું છે તે પુસ્તકનાં પુસ્તક લખી શકે. પણ જેણે ફક્ત સહી કરવાની છે, તેણે અનેકવાર વાંચી વિચારીને જ સહી કરાય.
ભિખારીને દીકરે તેફાન કરે તે તેને કઈ લડે નહિ. શ્રીમંતને છોકરો તેફાન કરે તે મુનીમ તુરત કહે નાના શેઠ તેફાના છેડે, શાંત બને, જે તેફાની રહેશે તે તમારે લાખાને ધધ ખોરવાઈ જશે. રાજપુત્ર તફાન કરે, તે મંત્રી તુરત કહે, “તફાની રાજકુમાર રાજ્ય ના સંભાળી શકે; તેફાની જ બનવું હોય તે ભિખારીને ત્યાં જઈ રહેવા લાગે.
શ્રમણપુત્ર તેફાન કરે તે વિશ્વમાં સર્વત્ર અવ્યવસ્થા ફેલાઈ જાય. શ્રમણપુત્ર સાધુ ક્યારેય તેફાન ના કરે. શ્રમણને કાયપ્રપ્તિ હોય અને કાયદંડથી વિરતિ હોય. શ્રમણ કાર્ય વિના હાથપગ પણ ઊંચા ના કરે અને શ્રમણ કાર્ય માટે જરા અમસ્તે પ્રમાદ પણ ન કરે ! શ્રમણ એટલે સંયમી, સદા એગોને કાબૂમાં રાખનાર. શ્રમણ એટલે
Page #377
--------------------------------------------------------------------------
________________
શુભનું સર્જન કરે તે સંયમી
[ ૩૩૩ સદા વેગોનું મેક્ષમાર્ગે પ્રવર્તન કરનાર શ્રમણના યોગો. સંયમી. શ્રમણની ઇન્દ્રિયે સદા દાન્ત.
જગતમાં બધાની ઈન્દ્રિયેના અશ્વો તફાની હોય પણ વિશ્વતારક ચોરાસી લાખ જીવનના રક્ષક શ્રમણની. ઈન્દ્રિયે તેફાની બને તે? પરમાત્મા ફક્ત એટલું જ કહે. છે કે તારક શબ્દમાંથી પહેલ “તા” અક્ષર નીકળી જાય અને તને બદલે “મા” અક્ષર જોડાઈ જાય તે ત્રણ અક્ષરની પદવીમાં ફરક ના પડે. બોલ, સાધુ થઈને તને આ પદવી પસંદ. આવશે. શ્રમણ ! - વિશ્વકલ્યાણની મંગલ જવાબદારી તારી તે પછી તારી એક ભૂલ પણ માફ કરાય? તારી જીવનચર્યા જ દેવાધિદેવે એટલી મહાન દર્શાવી છે કે જો તું એ ચયને અનુદે, તે ક્યાંય ભૂલ થાય જ નહિ, તારી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બની જાય. •
પાંચ ઈન્દ્રિયમાં ચાર ઈન્દ્રિયેનું એક કામરસેન્દ્રિયનાં એ કામ...તેથી તે ખાવામાં અને બોલવામાં ઉધમાત મચાવે મહારથીઓ પણ ચાર આંગળની જિહૂવા આગળ પાણી પાણી થઈ જાય, જીભ ખાવું અને બેસવું બે એમ ખૂબ મોટાં કામ કરે છે. ખાવામાં જે સંયમ તૂટ્યો તે પાંચે ઈન્દ્રિય બેફામ બને, શરીરને પુષ્ટિકારક ખેરાક મળે તે મનવચન-કાયાનાં બંધન તેડી અકાર્ય તરફ આંધળી.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ]
મંદિર એટલે સ. દર્શનનું પાવરહાઉસ
,
દોટ મૂકી દે. એટલે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ખાસ ફરમાવ્યું છે : ‘ ૨સાપગામ હુ સેવિયવ્વા પાય. રસા દિત્તિ કરા નરાણુ જૈનશાસનમાં ગેચરી ભેજન અંગે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીવટ રાખી છે. તેવી પ્રાયઃખીજન્ત' શાસ્ત્રામાં નથી. ભાજન નિષ્પાદન ( ગોચરી ગ્રહણ) અધિક વિધિ નિષેધ. તે! ગાચરી વાપરવા માટે તેનાથી પણ અધિક વિધિ નિષેધ છે. શુદ્ધ સાધુપણાના પાલન અંગે ખાસ નિયમ છે—શુદ્ધ, સાદો, અરસ નીરસ આહાર પણ અલ્પ પ્રમાણમાં લેવાના...તે માદક, પૌષ્ટિક આડાર તેા કારણ વગર લેવાના જ કચાંથી હાય ? તેમાં પણ દૂધ વગેરે છ વિગઈવાળા આહાર તા લેવાના હેાય જ કયાંથી ? દૂધ, ઘી અધિક પ્રમાણમાં ભાજનમાં લેવાય તા ઇન્દ્રિય પુષ્ટ અને અને શરીરમાં સાત ધાતુઓની અભિવૃદ્ધિ થાય. વૃદ્ધિ પામેલ સાત ધાતુ શાંત રહેતી નથી પણ શાંત થયેલી વાસનાને ઉદ્દીપ્ત કરે છે. નિંદ હરામ ખને છે. “ અકાળે જાગવાથી દુનિ`ચારનું સામ્રાજ્ય મન ઉપર સવાર થઈ જાય છે. '' એકાન્ત, રાત્રિ, ઉદ્દીપ્ત થયેલી વાસના અને તેાકાની દોડતા ઘેાડા જેવી ઇન્દ્રિઓ શ્રમણની વર્ષાની સાધનાને ક્ષણમાં ભરમીભૂત કરી નાખે છે, જેમ ખાઉધરા એન્ડ્રુ', જૂઠ્ઠું વાસી, અરસ, નીરસ, ગંદું, ગોખરું, ખૂલ્લું, બધાયે ફેંકી દીધેલું ગમે તે ખાય, તેમ વાસનાના ભયંકર વાવાઝોડા -વચ્ચે સપડાયેલા કાઇને પણ પકડવા દોડે. કોઈ ભાન - નહિ, કોઈ જ્ઞાન નહિ. સળગતા લાઢાના થાંભલાને પણ
Page #379
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રય એટલે સ. જ્ઞાન અને ચારિત્રના સંગમ [ ૩૩૫ આલિંગન કરે [ખસ આમ કરીશ તેા મારા તેમ વાસનાને આધીન ચારે ખાજુ ફાંફાં મારે છે. અને વિચારે છે કે હું] હૈયામાં જન્મેલી આગ શાંત થશે. ભલા ! આગમાં ઘી નાખીએ તા આગ શાંત થાય ? અગ્નિ સળગ્યેા હાય અને પવન ફુકાય તા અગ્નિ શાંત થાય કે અગ્નિ માઝા મૂકે ? તેમ વાસનાને શાંત કરવાના રસ્તે ભાગ નહિ પણ ત્યાગ. વાસનાની આગ બુઝાવવા ભાગનું ઘી ના જોઈ એ પણ ત્યાગનું જલ જોઈએ.
સામાન્ય વ્યક્તિને ભયંકર હેાનારત સર્જાયા બાદ ખ્યાલમાં આવે છે કે હાનારત કયા કારણે સજાઈ ? જ્ઞાનીને ખબર છે કે વિષયસેવનની ભયંકર હૈાનારત માઇક આહારના કારણે સર્જાય છે તેથી સાધકને પરબ્રહ્મના આસ્વાદ કરવા -નવ વાડ ફરમાવી તેમાં આહારને ત્યાગ ખૂબ જરૂરી કહ્યો.
1
•
સાધના અને અધ્યયનમાં સાત્ત્વિક, પૌષ્ટિક, આહાર સહાયક બની શકે પણ તે જ આહાર પ્રમાણથી અધિક લેવા અને પચે નહીં તેા અને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય અને મનની શક્તિને જ્ઞાન–ધ્યાનમાં લગાડવા ખ્યાલ ન રાખ્યું તે તફાન-રમખાણ થયા વિના રહે નહીં.
જિતેન્દ્રિય જ અભ્યાસી બની શકે. આહાર અને નિદ્રા નિયમિત હૈાય તેનામાં સ્મૃતિ રહે, ઉદ્યમ રહે...
ઘમ રહે તે અભ્યાસ થાય.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ]
પુણ્યથી ચીજ વિનાશી છે.
શ્રમણે વાત-પિત્ત-કફ અધિક પ્રમાણમાં ઉપન્ન થાય તેવા આહાર વજન કરવા જોઇએ. સમતલ આહાર ` દેહધારણમાં સહાયક છે, સમતાલ આહારથી શરીરમાં એજસ પેદા થાય. આજસ્વી શ્રમણ તેજસ્વી બની શકે. છતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘ પાયં રસા દિત્તિકરા નરાણ'. પદમાં રહેલ પ્રાયઃ શબ્દ ખૂખ સૂચક છે. બધાને જ એકાન્તે ઘી, દૂધ ઉન્મત્ત બનાવનાર છે તેમ માનવુ નહિ. શાસ્ત્રમાં ફરમાવ્યુ` છે કે દ્રવ્યાનુયોગના અભ્યાસીને અનેષણીય, અશુદ્ધિ, અકલ્પ્ય પ્રચૂર પ્રમાણમાં ઘી દૂધવાળ આહાર પણ કમ્પ્ય છે. ગ્રહણ કરી શકાય છે. દ્રવ્યાનુયાગના અભ્યાસી દેડ માટે જીવે નહિ; આત્મા માટે જીવે ! દેહમાં રહ્યો હૈય એટલે દેહને ખારાક આપી દે. પણ નતા ભાજનની વસ્તુના નામ તેને ખ્યાલ હોય, ન તા આહારના સ્વાદ તેને ખ્યાલ હાય, નૈસગિક પ્રવૃત્તિથી હાથ મુખ તરફ જાય અને ભૂખ આહારને પેટ તરફ ખે’ચી લે. પણ દ્રવ્યાનુયોગના ચિ ંતનમાં સ્થિર બનેલા મહાત્માને આહાર અંગે કંઇપણ ખ્યાલ ના હોય. આવા મહાત્માઆને અતિ પૌષ્ટિક આહાર. પણ ઇન્દ્રિયા માટે ઉત્તેજનાજનક બનતા નથી. ધાતુઓને ચલાયમાન કરી શકતા નથી. તેથી પ્રાય: શબ્દ મૂકેલ છે.
દુખ`લિકા પુષ્પમિત્ર પ્રતિદિન એક ઘડો ઘી વાપરી જતાં પણ શરીર જુઓ તેા એક એક હાડકું ગણાય તેવુ . મહાત્મા શાસ્રાભ્યાસમાં એવા લાગેલા કે તેમને દિવસના ચાવીસ કલાક આછા પડતા હતા. તેમની સામે જે પઢાય
Page #381
--------------------------------------------------------------------------
________________
કર્મના ક્ષયથી મળેલી ચીજ અવિનાશી છે.
[ ૩૩૭
આવે તે દ્વારા દ્રવ્ય, ગુણ, પર્યાયના વિશ્લેષણમાં લાગી જતા. અભ્યાસની સતત ધૂનથી તેઓને જઠરાગ્નિ એટલે બધા “ઉદ્દીપ્ત થઈ ગયેલે કે એક ઘડા ઘી વિના તેમને નિર્વાહ થત ન હતે. સાધક!
એક વાત તું ગેખી નાખ...મહાત્મા કરે તે બધું ન કરાય. મહાત્મા કહે તે કરાય. આચાર્ય ભગવંત બપ્પભટ્ટ સૂ. મ. આખો દિવસ નવ્યગ્રંથ નિર્માણ કરી આમરાજાની સભામાં ધર્મોપદેશ આપવા પધારે. શાસ્ત્રવાચન-લેખનથી તેમની આંખને એટલે શ્રમ પડ્યો હોય છે હવે આંખને આરામ મળવો જોઈએ. આંખની દવા થવી જોઈએ. વર્ણન વિજ્ઞાનના નિષ્ણાત આચાર્ય ભગવંતની દષ્ટિ નૃત્ય કરતી વારાંગનાના લીલા કંચુક પર પડી ત્યાં તેમની આંખની દવાની ઔષધિ મળી ગઈ. દસ-પંદર મિનિટમાં આંખને આરામ થઈ ગયે. પણ બધા સાધક તેમ કરવા જાય તે?
સાપને મદારી રમાડી શકે. ગારુડીવિદ્યાને જાણકાર જ સાપ સાથે ખેલી શકે. શાસ્ત્રદ્વારા વિષયને નાથવાની જેનામાં શક્તિ પેદા થઈ છે તેવા મહાપુરુષના અનુકરણ અજ્ઞાનથી પણ ના કરતે નહિતર ભયંકર ગુલાંટ ખાઈ જઈશ. આપણે તે શાસ્ત્રજ્ઞા છે તેને અનુસરવાનું. - પ્રાયઃ કરીને માદક આહાર ઉન્માદ કરે, તો તે ઉન્માદજનક રસની દસ્તી છેડી દેવાની. સ્વસ્થ, સમભાવસ્થ અને
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૩૮]
વિનયનું દળ માનનો નાશ સ્વભાવસ્થ બની આરાધનામાં આગળ વધ. આરાધકમાંથી આરાધ્ય બન એ જ આશિષ. પ્રભુ!
મને આહારની ઝંઝટ ના જોઈએ. મારા હૈયામાં અણાહારી પદની અભિલાષા છે. આપની હિતશિક્ષા મારા મોરથ પૂર્ણ કરે. આહાર અને મિત્રની જેમ સાધનામાં સહાયક બનેશત્રુની જેમ આરાધનામાં વિઘાતક ન બને એ જ આપના ચરણમાં વિનતિ...
Page #383
--------------------------------------------------------------------------
________________
૫૧. ખુદ્દો સાહસ્તિઓ નરે
સદ્ગુણ અને દુર્ગુણથી આ જીવન તે સફળ નિષ્ફળ બને છે, સાથે પરલેાક પણ નિષ્ફળ બને છે. માનવ Rsિ'સા કરે તે પાપ કર્યુ એમ અનુભવે. ચારી કરે તેમાં પાપ કર્યું એમ દિલ દુભાય. પરસ્ત્રી સામે વિકારદૃષ્ટિએ જોયું તેા માનવને લાગે કે મેં ખરાબ કર્યું પણ ક્ષુદ્રતા કરે ત્યારે માનવને મનમાં રજ પણ પેદા થતા નથી.
ET
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ફરમાવે છે : “ખુદ્દો સાહસ્સિ નર... કલ્ડલેસ તુ પરિણમે” ક્ષુદ્રતાની વૃત્તિથી કૃષ્ણલેશ્યાના પરિણામ પેઢા થાય. અને કૃષ્ણલેશ્યામાં આયુષ્યના મધ થાય તેા જીવ નીચતિમાં ગમન કરે.
માનવીનું મન કબૂલ કરવા તૈયાર થતું નથી કે ક્ષુદ્રતા એ ભયકર પાપ છે. માનવી કહેશે પણ એમાં શું થઈ ગયું ? જોયું હતું તેવું સાચું જ ખેલ્યા છીએ ને! ભલા ભાઈ ! અધું સાચું એલાય નહિ; વાણીના ઉપયોગ લાભ માટે કરાય, હિત માટે કરાય.
(6
ક્ષુદ્રતા-તુચ્છતા દુર્ગુણમાં કોઈના દોષ કહેવાની ભાવના સાથે માનવીના મનનું અહીં પ્રગટ થાય છે. ’ મારા અધિકાર છે જેવા જોયે તેવા દુર્ગુણ કહેવાના– ક્ષુદ્ર માનવી કારે ય જગતમાં સુધારા કરી શકે નહિ. ક્ષુદ્ર માનવીના ખેલવાથી પાપ થાય છે. પાપ એટલું જ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ] કોઈને ભૂલ બતાવવી તે કરુણા છે નહિ, પણ ભયંકર પાપ, વેરની વૃદ્ધિ થાય. શુદ્ર માનવીને બોલ હૈયા પર એ ભયંકર આઘાત કરે છે. જ્યાં તે માનવીનું મૃત્યુ....કાં તે નફફટોની ઉત્પત્તિ થાય છે. મોટી વાતે તે દૂર રહેવા દે. જીવનના રેજિંદા વ્યવહારની જ વાત છે. એક નાનું બાળક તેફાન કરે છે, તમે દશ વ્યક્તિ વચ્ચે જાહેરમાં કહ્યું કે આ છોકરો ખૂબ તેફની છે. પછી જેઈ લે. એ બાળકનાં પરાક્રમ. તેફાન માઝા મૂકશે. બાળકના અજ્ઞાન મનમાં સંઘર્ષ થાય છે કે બધાને ખબર જ પડી ગઈ છે કે હું તેફાન કરું છું. કુટુંબીઓ એ જાહેર કરી દીધું છે તેથી હવે મારી વાત કેણ માનશે ? હવે શા માટે શાંત બનું ? બધા મારી સારી વાતને પ્રચાર ઓછો કરવાના છે? નામ બદનામ થયું તે હવે સારું શા માટે કરવાનું ? બસ, હવે તે રેજ કંઈક ને કંઈક નવાં પરાક્રમ કરવાનાં જ ! ! !
શુદ્ર બનનાર વ્યક્તિને આ પ્રગટ થનારી ભયંકર હાળને ખ્યાલ હોતું નથી. પણ જે વ્યક્તિને બદનામ કરાય છે તેના હૈયામાં વૈરની હેળી સળગી ઊઠે છે. કે માઝા મૂકે છે. ચૂલાને અગ્નિ ઘર ના બાળે, પણ ઈષ્યની આગ કુટુંબને નાશ કરે. અને વેરની જવાળા આખા ગામને બાળે. તેમ જેની નાલેશી કરવામાં આવી તે વ્યક્તિની ગ્યતા મરી પરવારી.
વડીલનાં-સમાજનાં કેઇનાં બંધન રાખે નહિ. તેની દષ્ટિમાં તેના પરિચિત બધા દુશ્મન. સવ પરિચિત સાથે
Page #385
--------------------------------------------------------------------------
________________
રાગ આવે અને રડવુ તે ગૃહસ્થપણુ
અસત્ય વ્યવહાર શરૂ થઈ જશે.
બધા તેના અસત્ય વ્યવહારથી ઉદ્વિગ્ન રહેશે, તે વ્યક્તિ અસ ંતાષથી ભડકી ઊઠશે. અ ંતે નાની ભૂલ કરનાર સમાજના ભયંકર દ્રોહી બની જાય છે ક્ષુદ્રતાના કારણે !
સજ્જન અને ઊ'ચકુળમાં પેદા થયેલ મહાનુભાવા પત્ર વાંચતા હોય તે લેખનની અશુદ્ધિ માફ કરી પત્ર સુધારીને વાંચે. કોઈની બાજુમાં બેઠા હાઈએ અને તેનાં વજ્ર ઊચાંનીચાં હોય તે સખ્ખાં કરવાના મૂક ઇશારા કરીએ. કોઈના ઘરના બાથરૂમ-સડાસનો દરવાજો ખુલ્લે હાય તા બંધ કરે છે. કોઈ ગામની ગટર ખુડ્ડી હાય તા મ્યુનિસિપાલટીનું ધ્યાન ખેંચીને ગટરનુ ઢાંકણ કરાવે. કારણ કે નાગરિકોના જીવનની સુરક્ષાના સવાલ છે. કાઈના આવા સજ્જન સ્વભાવવાળા મહાનુભાવે દણની જાહેરાત કરે ? ભૂલ ગુના કોઈ કરે પણ તેની ભૂલ-ગુનાની જાહેરાત તેા ક્ષુદ્ર જ કરે, તુચ્છ કરે. ખનીએ, તે! અત્તરના દલાલ બનીએ. પણ દુધના દલાલ ના મનાય. જે દુધના દલાલ અને તેનુ અધું બગડે. તેમ જે અવગુણ ખેલે તેનું પણ સમગ્ર જીવન બગડે.
સાધક ! એલ.....નિંદા...પાપ છે કે નહિ ? તુ કહીશ....નિ'દા, પાપ અને ક્ષુદ્રતામાં શુ ફરક! અને સગી બહેનો છે, એક જ માની એ દીકરી છે. નિંદા તેા નાની છે.
'
“ ક્ષુદ્રતા—લકેટ વૃત્તિની પ્રેરણા વગર
નિદા
[ ૩૪૧
ET શય નથી. ”
•
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪ર 1 ધર્મ એટલે આતમહં સને નિર્મળ બનાવનાર
ક્ષુદ્રતા રૂપે પવનથી પાપના રેતીના ડુંગરે હલબેલે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે પણ. પાપ નાશ પામતાં નથી. SF “ક્ષુદ્રતા કરનારને કશે લાભ થતું નથી. જેની સામે ક્ષુદ્રતા કરાય છે તેને કશે. લાભ નથી અને જે ક્ષુદ્રતા હલકાઈ સાંભળે છે તેને પણ કશે લાભ થત નથી. શુદ્રતા જે હૃદયમાં ઉદ્દભવે છે તે હૃદય ધર્મરત્ન પ્રાપ્તિને અગ્ય બને છે. જ્યાં માનવસમુદાય રહેવાને ત્યાં માનવીની નબળાઈ અજ્ઞાનના કારણે, સહવાસના કારણે, પૂર્વકર્મના કારણે, રહેવાની જ. કોઈનાથી અક્ષમ્ય, અપરાધ થઈ જવાના.
સુયોગ્ય જવાબદાર વ્યક્તિ ગંભીર હેય. ગુને જેને કર્યો હોય તેનું હૃદય ગુને કબૂલ કરવા તૈયાર ન થાય ત્યાં સુધી મૌન રાખે, ધૈર્ય રાખે. પાકેલી કેરીમાંથી મધુર રસ નીકળે. પાક વગરની કેરી સુધારીયા તે માટે -તૂરો અને તે પણ અલ્પ જ રસ મળે.
તેમ સમજ વગરના, પરિપકવ દશા વગરના આત્માને. કઈ પણ દુર્ગુણ કસમયે બેલી નાખે તે જોઈ લે કેવું ભયંકર રમખાણ મચી જાય. જાણે લાગે કેમી હુલ્લડ ફાટયું ! ! !
ભૂલ કરનાર કંઇક અંશે સુયોગ્ય આત્મા હશે તે મૌન રહેશે. પણ સુયોગ્ય આત્મામાં ક્ષુદ્રતા. જેશે તે,
Page #387
--------------------------------------------------------------------------
________________
વિનય એટલે ગુરુના જ્ઞાનરૂપ પાવરહાઉસ સાથેનુ કનેકશન [૩૪૩
ધર્મશ્રદ્ધા હચમચી જશે. જગતની ભલમનસાઈ પરથી • વિશ્વાસ ઊઠી જશે. ભૂલ કરનાર મા શરમિંદા સ્વભાવના હશે અને તેની ભુલ જાહેર થઈ જશે તા આત્મહત્યાના અવળે માર્ગ સ્વીકારી લેશે. ભૂત કરનાર આત્મા અભિમાની અને ગુસ્સાના સ્વભાવવાળા હશે. તે તે વ્યક્તિ જગતના દ્વ્રાહી ખની લૂટારો બનશે. કેટલાયના જાન લેશે. તા પણ હૈયામાં વવાયેલ બીજ નિર્મૂળ નહિ બને.
જવાખદાર વ્યક્તિ તિભાવનાથી મેલે. મંગલની ભાવનાથી મેલે. ખિનજવામાંર વ્યક્તિ તુચ્છતા, હલકટાઈથી પ્રેરાઈ ને કાટ ને ઉઘાડા પાડવા મેલે. જ્યાં હૈયામાં હિતભાવના ન હેાય ત્યાં મંગલ કેવી રીતે થાય ?
કાળ અને જીવના ઢોષ એવા વધી ગયા છે કે હૈયાની ભાવનાથી કહેવાયેલ હિતકારી હિતશિક્ષા પણ કામિયાબ નીવડતી નથી તે! અહિઁતભાવનાથી-તુચ્છતાથી ખેલાયેલ વાતથી લાભ ન થાય. બલ્કે ભયકર નુકશાન થાય ! ! !
તુ‰ક્ષુદ્ર વ્યક્તિમાં અહ' એટલે જોર કરી જાય છે કે તેને કઈ સમજાવે, ભાઈ ! પાપીએ પાપ કર્યું. તે તેની જાહેરાત કરી એટલે તુ પણ પાપી બની ગયા. તે વાત.તું કોઇ પણ સંચાગે!માં માનવા તૈયાર થતા નથી. જેમ સમજાવે તેમ વધારે દલીલ કરે છે. અને પોતાની જાતને વીતરાગ જેવી નિર્દોષ માને છે!
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૪] માનવનું દાન એ મહાનતાની કલા છે. * ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં સુદ્રને અર્થ કર્યો છેસર્વને અહિતષી. અવગુણને ફેલાવો કરનાર સર્વનું અહિત કરે. સર્વનું અપમંગલ કરે. ક્ષુદ્રતાથી સાતમી નારકની પણ ભયંકર ઘેર ખોદાય છે. તેથી સાધક ! તું સાધનાના માર્ગે સંચર્યો. હિંસા થાય તે આલેચના લે છે. જૂઠ બેલાય તે આલોચના લે છે, તેમ ક્ષુદ્રતાની પણ આલેચન લઈ શુદ્ધ બન, ક્ષુદ્રતા પણ તારા આત્માને અનેક પ્રકારના મહાન લાભોથી દૂર રાખશે. તારી આત્મિક યોગ્યતાને વધારવા અક્ષુદ્ર બન.
સાથે બીજી વાત પણે ઉત્તરાધ્યયન સૂત્રની યાદ રાખી લેજે. સહસાવૃત્તિ કરનારમાં પણ કૃષ્ણલેશ્યાને પરિણામ પેદા થાય છે. શું કરું ? મારે ઉતાવળિયે સ્વભાવ છે. ઉતાવળમાં કઈક કરી નાખું છું. પણ પછી મારા મનમાં કંઈ હેતું નથી.
ભલા સજજન ! શાસ્ત્રમાં કહ્યું છે. વિચાર્યા વગર પ્રવૃત્તિ કરે તે સાહસિક. આ સ્વભાવ પણ અનેક પાપને પેદા કરે છે. કોઈ ગમે તે પ્રમાણપત્ર આપે તેનાથી ખુશ ન થા. તારું મન તારો આત્મા તને શું કહે છે? કાર્ય કરતાં પહેલાં પરિણામને વિચાર કરે છે?
કા પરિણામને વિચાર કર્યા વગરની પ્રવૃત્તિ પરિણામે આત્મામાં કૃષ્ણલેશ્યા પેદા કરે છે.”
Page #389
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખનાં અનુભવના સાર વૈરાગ્ય છે.
[ ૩૪૫
શાસ્ત્રનુ કાય તને મા દર્શાવવાનુ, મેક્ષે જવાની અભિાષા હાય તે। ક્ષુદ્રતા–સાહસિકતા જેવા દુર્ગુણને દૂર હટાવ. વધુ શું કહું ? તું સમજદાર છે. તારા જેવા બુદ્ધિમાન સમક્ષ મારે શાસ્ત્રના પાઠ મૂકી દેવાના ? તારા જેવા ભવભીરુ આત્મા મેાક્ષના માર્ગે ગમન કરે. આ મારા વિશ્વાસ છે.
પ્રભુ ! મને ક્ષુદ્રતા અને સાહસિકતા આપે. પણ મારા પેાતાના માટે, એક પણ ક્ષણના કંઈપણ વિચામાં વગર મારી બધી વૃત્તિએ અને પ્રવૃત્તિઓનુ ગુરુ -ચરણે નિવેદન કરી લઉં. અક્ષુદ્રતા ગુણ તથા વિચારીને પ્રવૃત્તિ કરવા માટે ! સાધના કરવી જોઈ એ સાધના આર.ભ્યા વગર કેવી રીતે ગુણ માટે આશીર્વાદ માગી શકાય ? ખસ, “મારા દુર્ગુણ જાહેર કરવા પૂરતી ક્ષુદ્રતા અને સાહસિકતા અવશ્ય આપે.
""
骗
Page #390
--------------------------------------------------------------------------
________________
પર, ભિક ખાવિત્તી સુહાવહા દા
કઈ પણ વ્યકિત સદ્ગુણી અને દુર્ગુણ કહેવરાવતાં પહેલાં તે વ્યક્તિની અવસ્થા ઉપર ખૂબ આધાર રાખે છે. નાને. બાળક પૂછયાને તુરત જવાબ આપે તે હોશિયાર કહેવાય. અને મોટી ઉંમરના તુરત બેલે તે ઉદ્ધત કહેવાય, કુલ- વંતી નારીને ગુણ લજજા કહેવાય. લજા વિનાની વ્યક્તિ સ્ત્રી નહિ, પણ પુરુષ પુરુષ દરેક બાબતમાં ક્ષેભ અનુભવે. તે બાયેલે કહેવાય.
સાધુને માટે ભિક્ષા એ સદ્ગુણ, ગૃહસ્થ માટે ભિક્ષા, દુર્ગુણ! શ્રી ઉત્તરાયયન સૂત્રમાં કહ્યું છે કે સાધુતાના. શુદ્ધ પાલન માટે “
ભિખાવિત્તી સુહાવહા.” ભિક્ષા વગર શુદ્ધ સાધુતાનું પાલન સ્વપ્નમાં પણ દુર્લભ.!
યાચનાનો અધિકાર કેને? યાચનાને અનધિકાર કેને? ખૂબ વિચારવા જેવું છે...
બેન ભાઈના ઘરની સંપત્તિની સ્વામિની કેમ ના બની શકે ? અને પત્ની કેમ સંપત્તિની રવામિની બની શકે? સર્વ સ્થળેથી સંબંધે ત્યાગી એક સ્થળે જે સંબંધ સ્થાપે છે જેના ચરણે જીવન સમર્પણ કરે તે તેની સંપત્તિને માલિક બની શકે. પત્ની પતિના ચરણે. સર્વ સ્વ સમર્પણ કરે તે પતિની સંપત્તિની સ્વામિની બની. જાય.
Page #391
--------------------------------------------------------------------------
________________
દાન—ભાવ માક્ષ માટેનું જ્હાનાખત
૩૪૭
સાધુ બનનારે માત્ર એકાદ બે વ્યક્તિની સાથે જ સંબંધ તાડી નથી નાખ્યા પણ....વિશ્વતારક તીર્થં કરના ચરણે સઈસ્વ સમ`ણ કર્યુ છે. જેણે વિશ્વની કાઇ પણ ચીજ પ્રત્યે. માલિકીભાવ રાખ્યું; નથી, જેણે વિશ્વ પરથી પેાતાના સવ" સ્વ અધિકાર ઉઠાવી લીધા. કશું જ જેની પાસે નથી એને ભિક્ષાની યાચનાના અધિકાર છે. ભિક્ષુ કહે છે દેહુ ટકાવવા . માટે આજે અને અત્યારે ઉત્તરનિર્વાહ પૂરતુ, જરૂરત જેટલુ કલ્પ મળશે તે. લઈશ. તેવા સ ંત માટે ભિક્ષા જેવુ કોઈ આભૂષ નથી.. !
પંચમહ!વ્રતનાં અખંડ નવકોટિ શુદ્ધિપૂર્વક પાલન કરવા શિક્ષાવૃત્તિ અનિવાય છે. ધર્માંલાભ કહી ઘરે....ઘરે. ગોચરી કરતાં સાધુને એક દિવ્ય આનંદની અનુભૂતિ થવી જોઈ એ ધન્ય પ્રભુ ! તમારી ગેાચરીચર્યાં, જ્યાં પેટને આરામ પણ પાપને વિરામ...સારી દુનિયા કહે પેટ પાછળ ઉપાધિ છે. જે પેટના હાત તે કંઇ પાપ કરવાં ન પડત. સાધુ કહે, પેટ માટે પાપ ના હાય. આહાર હાય....આહાર પાપથી જ મળે એવું નહિ. ધ લાભથી ય મળે....સાધુનુ લક્ષ્ય પેટ ભરવાનું નહિ પણ સંયમયાત્રા નિર્વાહનું... ઘરે ઘરે પ્રભુના મૂક સંદેશે પહોંચાડવાનુ', ધ લાભ દ્વારા સાધુનુ પાત્ર અનથી ભરાય છે. અને ગૃહસ્થનુ પાત્ર પુણ્યથી ભરાય છે. પાપ નહિ કરવાનું અને જીવન જીવવું હાય 'તેના માટે યાચકવૃત્તિ સુહાવહા છે. ગૃહસ્થને માટે અયાચકવૃત્તિ શે.ભાસ્પદ છે. સાધુ થઈ ને ભિક્ષાવૃત્તિ વહન .
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૪૮ ]
દાન-ધર્મ સસ્કાર જમાવવાની કલા
ન કરે તે પરિગ્રહ મહાવ્રતનુ ખંડન, છ કાયના વધ.... છ કાયનાં રક્ષણ કરવાં હાય; પંચ મહાવ્રતનાં સંપૂર્ણ પાલન કરવાં હોય તેને ભિક્ષાવૃત્તિ સુખાવહા છે, જ્યાં પરપીડા નહિ, પાપની પ્રવૃત્તિ નહિ, પરિગ્રહની ભરમાળ નહિ, ચારીની ચિંતા નહિ. આ બધા સદ્ગુણ સાચવવા ભિક્ષાવૃત્તિ સાધુજીવનમાં ખૂબ જ જરૂરી છે.
રાજા, મહારાજા, સમ્રાટ, ચક્રવતી અને તીથ કર પણ દીક્ષા લે તે તેમના માટે એક જ કાયદા.... સવ સ્વના ત્યાગ” અને “આજીવિકા માટે ધમ લાલના આદર.” સાધુનાં અનેક નામ–ઉપનામ તથા અનેક પર્યાયવાચી નામ હાવા છતાં પણ આગમ ગ્રંથામાં સ્થળે સ્થળે મુખ્યત્વે એક જ શબ્દ વપરાયા છે. સે ભિક્ણૢ વા-ભિકૂટ્ટણી વ!.” ભિક્ષાવૃત્તિ વગર સાધુ જીવનમાં ગેટાળા થાય ! ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ જે સયમજીવનમાં આગળ વધ્યા છે તે શુદ્ધ ભિક્ષાવૃત્તિથી, જે ભિક્ષાવૃત્તિથી કટાળ્યા તે પાછળ પડડ્યા છે. પ્રભુના શાસનમાં પ્રથમ તીથકર ઋષભદેવપ્રભુ પણ બાર મહિના સુધી આહાર અથે પૃથ્વી પર વિચર્યા અને શ્રેયાંસકુમાર દ્વારા દાન મળ્યું તેા ભિક્ષા ગ્રહણ કરી. પરમાત્મા મહાવીરદેવ પણ અભિગ્રહ ધારણ કરી કૌશામ્બીમાં પાંચ મહિના અને પચ્ચીસ દિવસ ભિક્ષા અર્થે વિચર્યાં. અને અભિગ્રહ પૂર્ણ થયા તા ભિક્ષા સ્વીકારી....તીથ કર પ્રભુએ પણ ભિક્ષાર્થે વિહરણ કરી ફૅમાવ્યું. સ્વાદિષ્ટ
Page #393
--------------------------------------------------------------------------
________________
ત્યાગ અને વૈરાગ્ય માટે મનુષ્યજીવન અખાડા છે. [૩૪૯ આહાર માટે કયાંય ના ફરતા... ના રખડતા....પણ શુદ્ધ ભિક્ષા માટે છ મહિના પરિભ્રમણ કરવુ પડે તા પણ થાકતા નહિ, કંટાળતા નહિ !
આહારની અસર તનમન ઉપર સીધી થાય છે.. અશુદ્ધ આહાર શરીરમાં ખળભળાટ કરે. ક્ષુબ્ધ શરીર મન સામે મેરચે! માંડે. પરિણામે ક્રોધ અને સમતાને નાહક જંગ જામી જાય.
ભિક્ષા એ સાધુને સાચા પુરીક્ષાકાળ છે. અધ્યયન કરેલ આગમ ગ્રંથાના મૌન જવાબ ભિક્ષા લેવાની પ્રવૃત્તિથી સમજાઇ જાય છે. પદ્મિની જેવી સ્ત્રી મેહક વહેરાવી રહી છે. મુનિ નીચી નજરે ના કહી રહ્યા છે. આ અદ્ભુત કલાના દર્શીનથી જ વાંસના મંચ ઉપર નૃત્ય કરતા ઈલાચીકુમારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
જે સાધુ સ‘યમયાત્રાના નિર્વાહ માટે ભાજન જેવી ચીજના સ ંગ્રહ અને પરિગ્રહ ના રાખે તેને વજ્ર, પાત્ર, ધન અને ઘરના સંગ્રહ અને પરિગ્રહ તેા કયાંથી જ હાય ? આ વાત સહેલાઈથી આખાલ ગેપાલ સમજી શકે ! ! ! સાધુને અનુભવ થાય છે કે આહાર પચાવવા જેટલે સમય પણ ભાજન પેટમાં રહે છે તેા ભજનમાં વિક્ષેપ થાય એટલે ભેાજનથી પણ ઉપાધિ જ વધે. તેા પછી ભેજન તૈયાર કરવાની ઉપાધિ હાય તા જેમ ખીજમાંથી વૃક્ષ પેદા થઈ જાય, તેમ સ ંસારનાં સમસ્ત પાપા ત્યાં પાંગરી જાય !
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સમય અને સ ંજોગ-સમજ-સફળતા .
ભલા સાધક ! રાજ અનુમાદના કરજે, વાર વાર વંદના કરજે, દેવાધિદેવના સન સિદ્ધાંતને....કે જ્યાં ભિક્ષાવૃત્તિ દ્વારા સવ` પાપાને પલાયન કરવામાં આવ્યાં છે, ખસ, તું શુદ્ધ ભિક્ષુક ખન. તુ શુદ્ધ ભિક્ષા સ્વીકાર. શુદ્ધ ભિક્ષા દ્વારા તુ સિદ્ધાત્મા અને !
પ્રભુ !
પ્રભુ !
મારી દીનવૃત્તિ નાબૂદ કરો. અદીનવૃત્તિ પ્રગટાવે.
અદીનને આહાર મળે તે સયમવૃદ્ધિ આહાર ન મળે તે તપાવૃદ્ધિ,
અદૈન્ય આપે. ક્ષુધાવેદનીય કમ કાપે.....! વેદનીય કર્મો નિવાર...!
એજ ભિક્ષા માગું છુ
Page #395
--------------------------------------------------------------------------
________________
૫૩. “વોસઠકાએ વિહરે જજા” BE
પ્રત્યેક વસ્તુ છેડવી સહેલી છે, પણ પ્રત્યેક વસ્તુ પ્રત્યેના મમત્વને ત્યાગ કરે ખૂબ કઠીન છે. જગતમાં કેઈપણ વ્યક્તિ વસ્ત્ર, આભૂષણ અથવા પ્રિય વ્યક્તિને આખો દિવસ સાથે લઈને ફરતે નથી. પણ તેના મમત્વને દિનરાત સદાય હૃદયમાં રાખે છે.
પરમાત્માએ પરિગ્રહના ત્યાગની હિતશિક્ષા ફરમાવ્યા પછી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અણગાર માર્ગગતિ નામના નાનકડા અધ્યયનમાં એક ખૂબ જ માર્મિક અને વેધક વાત ફિક્ત નવ અક્ષરમાં કહી છે.
સિક્કાએ વિહરે જજો” સાધક!.
સહકાએ વિહરજજો કાજળની કોટડીમાં રહેવાનું પણ કાજલને ડાઘ નહિ લાગવા દેવાને, જલમાં રહેવાનું પણ જલ પીવાનું નહિ, રસેઈઘરમાં રહેવાનું પણ ભોજન નહિ કરવાનું જેમ કઠિન છે તેમ દેહમાં રહેવાનું પણ દેહને સિરાવીને રહેવાનું. દેહને આહાર આપવાને, દેહને આરામ આપવાને, દેહને નીરોગી રાખવા ઔષધ આપવાનાં, પણ દેહનાં મમત્વ ક્યાંય પુષ્ટ કરવાનાં નહિ. “સકાએ વિહરેા પદનું ઉચ્ચારણું ખૂબ સહેલું છે પણ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૫ર ] સમતા જ આત્માની આજ્ઞા માતા છે. તેના રહસ્યને જીવનમાં સફળ રીતે જીવી જાણવું ખૂબ કઠિન છે. | મુસાફરીમાં ચાર કલાક મળેલ માણસની પણ વાહ
ક્યારેક મનને સતાવી જાય છે. અરે....અરે સ્વપ્નના દશ્યથી પણ માણસ વિહવળ બની જાય છે, તે દેહ સાથે રહેવાનું અને દેહનાં મમત્વ નહિ કરવાનાં? આ શકય હકીક્ત કે અશક્ય હકીકત...? ભલા સજજન! '
પ્રત્યેક સાધના કઠિન હોય છે. સાધ્ય હોય છે પણ અશક્ય નથી હોતી. દેહમાં રહેવાનું, દેહનાં જતન કરવામાં પણ દેહના મમત્વમાં આવવાનું નહિ. દેહાધ્યાસ પર કડક ચોકીપહેરે કરવાનેદેહને સ્પષ્ટ ચેતવણી આપી દેવાની...મારું આ શરીર હવે શાસનની સંપત્તિ છે. ધર્મલાભના ટ્રસ્ટમાંથી તેને અન્નપાણી, વસ્ત્ર અને નિવાસ મળે છે. હવે તારે કાર્ય પણ શાસનનું જ કરવું પડશે. પ્રતિક્ષણ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનની અભિવૃદ્ધિ કરવામાં સહાયક બનવું પડશે. જો ધર્મધ્યાન, શુકલધ્યાનની લગની લાગી જશે તે દુનને પોબારા ગણવા જ પડશે.
સિક્કાએ એટલે દેહ દ્વારા મેક્ષનાં કાર્ય કરાવ-- વાનાં. શરીર મળ્યું કર્મથી પણ તેને કહી દેવાનું તું સાધુનું શરીર’ સાધુ શાસનને સમર્પિત. તે સાધુના શરીરને હર્વે શાસનની શરણાગતિ સ્વીકારવી જ રહી.
Page #397
--------------------------------------------------------------------------
________________
માંગવા ચ ચીજ છે...માત્ર પ્રસન્નતા [ ૩૫૩ . “દેહના સાક્ષીરૂપે આત્માએ દેહમાં નિવાસ કરવાને પણ દેહના માલિક રૂપે નહિ.” દેહનું નિરીક્ષણ કરવાનું કે તે મોક્ષમાર્ગમાં સહાયક બને છે કે વિઘાતક બને છે? જે દેહ ક્ષમાર્ગમાં વિઘાતક બને તે કહેવાનું ચલે કાલથી તમારી સાથે કડક હાથે કામ લઈશું. સ્વાધ્યાય-જ્ઞાનાર્જનમાં શરીર સાથ આપતું હતું તે દૂધ પીવા મળતું હતું. આજે સ્વાધ્યાય નથી કર્યો. ગાથા નથી કરી તે કાલથી દૂધત્યાગ. તીવ્ર તપ માટે દેહ સાથે આતે હતું તેથી, ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ ન બની જાય તે માટે આજ સુધી થી આપતા હતા. હવે જે દેહ ઉગ્ર તપની ના પાડે છે તે આવતી કાલથી નેકર જે વ્યવહાર! રોટલી આપીશ પણ ઘી તે નહિ જ મળે. શ્રમણ સંઘની સેવા માટે, વૈયાવચ્ચે માટે શરીર સાથ આપતું હતું એટલે દેહને આરામ આપતું હતું, છ કલાક નિદ્રા લેવા દેતે હતે. હવે શરીર જે સેવા માટે તત્પર નથી તે, તેને કહી દઉં છું રાત્રે આરામ નહિ મળે. વગર મહેનતે સૂવાનું? ચલ, હવે તે સ્વાધ્યાય અને કાઉસ્સગ્નમાં સ્થિર રહેવું પડશે. શરીર સમાધિમાં સહાયક હતું તે તેને દવા ઔષધ અનુપાન અપાતાં હતાં સમાધિમાં પણ સાથે નથી તે, મારે ન છૂટકે કહેવું પડે છે, “ચલે તમારું કામ પૂરું થયું થાવ રવાના. “સેય તે મરણું ભવે.” પણ પ્રત્યેક પરિસ્થિતિમાં તારી પાસેથી શાસનની આરાધના કરાવીશ. મારા પ્રભુએ હજાર હિતશિક્ષાને સમાવી લે તેવું એક વચન કહ્યું છે ૨૩
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫૪ ]
આચાર શાસ્ત્રાનુ જીવંત રૂપ
વાસદ્ઘકાએ વિહરેના' દેહનુ' મમત્વ વિદાય થાય તે લાખા દુર્ગુણ જાય. દેહનું મમત્વ આવે તે લાખે। અવગુણની અભિવૃદ્ધિ થાય.
E ‘દેહનું મમત્વ એ દુÖણુરૂપ શુ'ડાટોળીના નેતા, નેતા પલાયન નહિ થાય તેા તેની ટાળકી વધવાની જ.'
દુનિયાના પ્રત્યેક પાપનાં મૂળ તપાસીએ તે માલૂમ પડે છે, દેહના મમત્વનાં બીજ ઉપર જ પાપનું વૃક્ષ પાંગરે છે.”
જ્યાં મમત્વ ત્યાં લેાભ; જ્યાં લાભ ત્યાં પતન, અગિયારમાં ઉપશાન્તમાહ ગુણસ્થાનકેથી પતન કેમ ? સૂક્ષ્માતિસૂક્ષ્મ લેાભને ઉદય, દીવાસળીની એક કાંડી જેમ લાખેડ મણુ રૂને ક્ષણમાં હતુ ના હતુ, કરી દે તેમ લાભના ઉદ્દય રૂપ ભયંકર વાવટાળ થવાથી આરાધનાની ઈમારત કક્કડ ભૂસ થઈ જાય છે.
મમત્વ હાય તા સવનાશની ભય ંકર આંધી આવવાની જ. તેથી મમત્વ જ ના જોઇ એ. રાજના પ્રતિક્ષણના સાથી દેહ ઉપર મમત્વ નહીં રાખવાનુ તે પછી વિશ્વની કઈ વસ્તુ ઉપર મમત્વ રાખવાનું ?
છતાં જૈનશાસનની સૈદ્ધાંતિક વાત ખૂબ સમજવા જેવી છે. ‘વાસકૂકાએ’ એટલુ નથી કહ્યુ પણ વાસકાએ વિહરેજજા કહ્યું છે, કાયાનું મમત્વ છોડી માત્ર અનશન નથી કરવાનું પણ વિહરણ કરવાનુ છે. આમ, સ્વભાવમાં રમણ
Page #399
--------------------------------------------------------------------------
________________
વાર્થની સાધના પણ પરમાર્થ માટે કરે. [ ૩૫૫ કરવાનું છે. આત્મિક આરાધનામાં તત્પર બનવાનું છે. દેહનું મમત્વ ત્યાગી દેહ દ્વારા આમિક આરાધનાનું મંગલકાર્ય સિદ્ધ કરવાનું છે.
દેહનું મમત્વ છૂટે એટલે અપ્રમત્તભાવ વધે. દેહનું મમત્વ છૂટે એટલે શુદ્ધ આહાર ગ્રહણ થાય. દેહનું મમત્વ છૂટે એટલે ઉગ્ર વિહારની આરાધના
થાય,
દેહનું મમત્વ છૂટે એટલે જિનાજ્ઞાની તત્પરતા પ્રગટે.
આમ દેહાધ્યાસ ત્યાગ થવાથી ગુણની જડીબુટ્ટી સહજ મળે. જે મહાત્મા અલ્પકાળમાં આરાધના– સાધના કરી સિદ્ધિના પંથે સંચર્યા તેમને દેહનાં મમત્વ છેડ્યાં હતાં. શ્રેણિક મહારાજાના ખેાળામાં કરમાઈ જનાર ભદ્રા માતાના કમળ ફૂલ સમા શાલિભદ્રજી વૈભારગિરિની તપ્તશિલા પર અનશન કેવી રીતે આદરી શકે? શું ગિરિની લૂ તેમના દેહને ભરખી ના જાય ? કેમળ શાલિભદ્ર કઈ રીતે અનશન કરી શકયાં? કહેવું જ પડશે, પ્રભુની વાણનાં અમૃતરસાયણ ઘોળીને તેમણે પીધાં. દેહનું મમત્વ છેડી ઉગ્ર ચારિત્રનું પાલન કર્યું. અંતે અનશન દ્વારા વૈભારગિરિને ધન્ય બનાવે.
કમળતા...શાતાની ઝંખના સુંવાળા સ્પર્શની ભાવન... આરામપ્રમત્તતા બધું દેહાધ્યાસ જાય તે દૂર હટે. ભલા સાધક!. “એક ગુણની એવી સાધના કરી જેથી તારા હજારે દાણ હટે.”
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ] અધિકારની ઝંખના કરનારને ત્રિકકારજ મળે
કાયાના ત્યાગ કરી વિચર. આ હિતશિક્ષા પાછળ તા હાર્દિક ભાવના એ છૂપાયેલી છે કે અદેહી બનીને જીવ, તારા આત્માને શાશ્વત બનાવ. તારા દેહથી દૂર થા.
દેહના મમત્વના કારણે પેદા થયેલી તમામ કર્યું પ્રકૃતિને, અંધ ઉદયને સત્તામાંથી નિમૂ ળ કર.
દેહનું મમત્વ ત્યાગી આમ સ્વભાવમાં વિરણ કર.
પ્રભુ !
દેહના મમત્વ ત્યાગની ભિક્ષા માંગુ` કે જિજ્ઞાનાપાલનની શિક્ષા સ્વીકારું ? અસ, મને
મનાવે આપને ચણાશ્રિત, મારે બીજુ
કાંઈ ના જોઈ એ એજ આપના ચરણે નતમસ્તકે ભાવભરી
આરજી...
Page #401
--------------------------------------------------------------------------
________________
૫૪, અરિહા આલાયણ સાઉ
1
સૂંઠના ગાંગડે ગાંધી ના બનાય..... એકાદ શાસ્ત્રના અભ્યાસે જ્ઞાની ના બનાય....
વાત-પિત્ત-કફનું નામ જાણી લેવાથી વૈદ્ય ના થઈ
જવાય...
ક્રોધ, માન, માયા, લેાભના નામ ખેલવાથી ગીતાથ ના બની જવાય !
અષ્ટ પ્રવચન ‘માતાના જાણકાર સાધુજીવનનું પાલન કરી શકે, પણ....સાધુજીવનનુ પ્રવતન ના કરાવી શકે ! સાધુજીવનનું પ્રવર્તી ન કરાવનાર પાસે વિશાળ જ્ઞાન હોવુ જોઈએ. સાધકની મનેાદશાના અભ્યાસ હેાવા જોઈ એ, પ્રાથમિક અવસ્થા કેટલી સુકામળ અને સંભાળવા લાયક હાય તેનું જ્ઞાન જરૂર હાવુ જોઇ એ. ઉત્સાહ-આનંદ અને ભાવની અભિવૃદ્ધિમાં સાધક મહાવ્રત અગીકાર કરે છે. સ્વીકાર વખતે સુલભ લાગતાં મહાવ્રત જીવનમા માં આગળ વધતાં કયારેક કનિ લાગે છે. સાધકને ઉત્સાહ કયારેક એસરી જાય છે, તેા કયારેક મનની વૃત્તિએ પર કામૂ ધરાવી શકતા નથી. કયારેક થાકી જાય છે તે કારેક માગથી સ્ખલના પામી જાય છે, તેા કયારેક માગ થી ભ્રષ્ટ પણ ખની જાય છે. આવા સમયે સાધકની સાધનાનાં
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ] રાગ એટલે નવાં નવાં પાત્રા બદલનાર અભિનેતા સુકાન કોણ સ ંભાળી શકે ? મનમાં જાગેલા તુમુલ યુદ્ધને કાણ શાંત કરી શકે ?
માટીમાંથી નવા ઘડા કુંભાર બનાવી શકે પણ ઘડા તૂટેલા યુ રહેવા ન જોઈએ અને સાંધેલેા ય દેખાવે! ના જોઇએ. આ કલામાં પાર ંગત હાય તે કલાકાર. સાધકની સાધના ખંડિત ન રહેવી જોઈ એ અને અખંડિત થવી જોઇએ. આવા સાધનાના નિષ્ણાત ગુરુદેવ જ સાધના— મા તું પ્રવર્તી ન કરાવી શકે
પ્રભુ શાસન ફરમાવે છે....આધ્યાત્મિક ઊર્ધ્વગમન એટલે ઊંચ!–સીધા પહાડનું ચઢાણ, જ્યાં પગ ટેકવવાની જગા જ નહિ. ત્યાંથી પડવા તે સીધા નીચે. તે સમયે સાધકનુ સુકાન સંભાળનાર ગુરુ જ ભાવગુરુ ખની શકે. શાસ્ત્રમાં શિષ્ય માટે જે ચેાગ્યતા કહી છે તેનાં કરતાં કોડગણી ચેન્યતા ગુરું ખનવા જરૂરી છે તેમ કહ્યું છે.
દર્દી બૂમ મારે પણ ડોકટર બ્રૂમ ના મારે! ડોકટર દીની બૂમ સાંભળી તેના ઈલાજ કરે....શિષ્ય ભૂલ કરે પણ ગુરુ ભૂલ ના કરે. શિષ્યની ભૂલ સુધારે તે ગુરુ, મહાવ્રત સ્વીકાર્યાં શિષ્ય, પણ મહાવ્રત પાલન કરાવવાની જવાબદારી ગુરુની.
ગાંડા છે એટલે તાકાન કરવાના....તેમ સાધક નવા છે....હજુ અભિમાનને એરુ ઊતર્યાં નથી એટલે નાની વાતમાં પણ મદ કરવાને હુ હુ'નાં ગીત ગણગણવાના !
Page #403
--------------------------------------------------------------------------
________________
[૩૫
રાગનું ખાતું બદલાઇ જાય તેનુ નામ વૈરાગ્ય વાતવાતમાં માઢું ચઢાવવાના ! સક્રિયા અને શાસ્ત્રાધ્યયનથી થાકવાના !
ગુરુની ફરજ છે અજ્ઞાનીને પણુ અનંત જ્ઞાનીની વાણીનું ઔષધ આપી દેવાનું'.' ગુરુ અન્યા પછી સારા દેખાવાના મેહ છેાડી દેવાના, સાચા બનવાના પ્રયત્ન કરવાના. મારાં શિષ્ય- શિષ્યા છે એટલે ભૂલ નભાવી લેવાની નહિ પણ પ્રભુ શાસનના પ્રતિનિધિ છે, ભાવિની પેઢીના નેતા છે, જો તેમનાં શિક્ષણ અધૂરાં રહે, તેમની કેળવણી કાચી રહે તે! મારું' ઉત્તરદાયિત્વ લાજે ! સાધકનાં માતાપિતાએ મારા ઉપર કેટલેા વિશ્વાસ રાખ્યા હશે ! આ ગુરુ મારા પુત્રને મેાક્ષે લઈ જશે....જો હુ સાધકને વચ્ચે અથડાવી દઉં તે। મારું ગુરુપણું લાજે. ગુરુના મનમાંથી “મારા આ શિષ્ય” એવા મમત્વ ભાવ સદા વિદાય લેવા જોઇએ. પણ....દિલમાં થવું જોઈએ મારા શુભભાવાને વહન કરનાર મારા પ્રતિનિધિને..શિષ્યને સુધારવા મારી શુદ્ધિ વધારુ પણ તેની બુદ્ધિને નિ... મારે શિષ્ય મારાથી વિરુદ્ધ ચાલે અને હુ જે કફોડી સ્થિતિમાં મુકા, તેનાથી વમાનને ભૂલી અતીતનાં સંસ્મરણ હું કરું, મારા પણુ તારક ગુરુ હતા તેમના પણ મારા અંગે મનેરથ હતા, મે તારક ગુરુના મનેારથ પૂર્ણ ન કર્યાં....તેની શિક્ષા મારા ગુરુએ ના કરી....પણ મારા શિષ્યનું વન યાદ કરાવે છે કે ભૂતકાળને ભૂલતા નહિ. તારા શુભભાવાનું જતન કરવા
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬૦]
આદર્શ –શુદ્ધ જીવનનું પ્રતિબિંબ તારા ગુરુએ જે વાત્સલ્ય વહાવ્યું છે તેવું અથવા તેથી અધિક વાત્સલ્ય આ મોક્ષમાર્ગના સાધક પર તું વહાવજે. પથ્થરમાં જ પારસ છુપાયેલ હોય છે. વર્તમાનના સાધુસમુદાયમાં જ ભાવિને કેઈ શાસનપ્રભાવક છુપાયેલ છે. તેને આશા-અરમાન પૂરા કરવાની તારી જવાબદારી છે.
એકાદ બે શિષ્યના ગુરુની માનસિક દશા આટલી વિશુદ્ધ જોઈએ તે ગચ્છનાયક, ગુરુવરની મનોભૂમિકા કેટલી ઊંચી હેવી જોઈએ! ??
ગચ્છનાયક પાસે આરાધક આવે...વિરાધક આવે શાસનપ્રભાવક આવે.શાસનદ્રોહી પણ આવે...બધાનાં પાપને સમજી-વિચારી વિશુદ્ધ બનાવવાની જવાબદારી ગચ્છનાયકની.
કેટલાક આત્મા આચના લેવા આવે તે કેટલાક આત્મા આચનાને દેખાવ કરવા આવે. કેટલાક ભવભીરુતાથી આવે. દરેક આત્માના શબ્દો સમાન રહેશે. મુખાકૃતિ સમાન રહેશે પણ શબ્દની પાછળની અંતરંવેદના સૌની અલગ હશે. સીની મુખાકૃતિ અંદર આંખની આરઝુ અલગ હશે. માનસશાસ્ત્રીય જ્ઞાનથી આત્માની ચિકિત્સા થાય નહિ એટલા માટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં ફરમાવ્યું છે-અરિહા આલેયણે સે આલેચન સાંભળવા
ગ્ય આત્માએ આચના સાંભળવી. : - કોઈની પણ આલેચના સાંભળીને થાય અને કે પાપી !” તે આલેચના સાંભળવાને અગ્ય. કર્મના ઉદય
Page #405
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રવણ-શ્રેતાની સમસ્યાને ઉકેલ [ ૩૬૧ પાપ થઈ ગયું પણ કે લઘુકમી આત્મા છે! કેટલી સરળતાથી આલેચના લઈ રહ્યો છે! આ વિચાર જેને આવે તે આલેચના સાંભળવાને યોગ્ય.
છેદસૂત્રો-વ્યવહારસૂત્રો-નિશીથગ્રંથમાં આલેચના આપવા ગ્ય ગુરુની અનેકવિધ ગ્યતા ફરમાવી છે. તે બધાના સારાંશરૂપ શ્રી ઉત્તરાધ્યયસૂત્રમાં ફરમાવે છે આલેચના આપનાર આચાર્ય ભગવંત માત્ર સૂત્રના અભ્યાસી હોય તે ના ચાલે પણ આગમના અભ્યાસી જોઈ એ. આગમને અભ્યાસ એટલે એકાદ આગમ આવડી ગયું તે ના ચાલે. અનેક આગમમાં પારંગત હેવા જોઈએ. આગમના સૂત્ર-અર્થ અને રહયના નિષ્ણાત હોવા જોઈએ. વારંવાર આગમના પરામર્શ કરનાર હોવા જોઈએ. તેઓની વાણી, વિચારધારા આગમમય થયેલી જોઈએ. તે મહાપુરુષ જે બેલે તેના આગમ પાઠ પ્રાયઃ મળે જ ! આગમનિષ્ણાત થાય એટલેથી જ આચાર્ય ભગવંત આલેચનગ્ય ના બને પણ જે શિષ્ય આચના લેવા આવે તેને સમાધિ ઉત્પન્ન કરનાર જોઈએ. પુણ્યાત્મા !
તારું મહાભાગ્ય છે. પ્રભુઆગમ પ્રત્યે તારા હૈયામાં શ્રદ્ધા છે. ખાનદાન કુટુંબને નબીરે છે. ઠેસ વાગી છે પણું બચી ગયેલ છે. આમ જે આલેચના લેવા આવે તેને મધુર વચન વડે આશ્વાસન આપે. “તારા આત્માનું
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ]
વિવેક સદ્ગુણને વાપરવાની કળા - ઊર્ધ્વીકરણ થશે.” તેમ પ્રેત્સાહન આપે તે આલોચના આપવાને ગ્ય ગુરુ. આ ગુણથી પણ એક અધિક મહત્વને ગુણ છે “ગુણગ્રાહીપણું આલેચના લેવા આવનાર, શિષ્યની અનુમોદના કરેત્સાહન આપે, ધર્મભાવનામાં ઉત્સાહ વધારે. અને તેમ છતાંય પાપ પ્રત્યે અને દેશે. પ્રત્યે જુગુપ્સા વધતી જ જાય તે સંવેગ-વૈરાગ્ય પેદા કરે. સાધક !
પ્રભુનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી અખંડ રહેવાનું. શાસનપ્રભાવક સુગ્ર ગુરુવારે ગચ્છનાયક આચાર્ય ભગવંતના વાત્સલ્યના પ્રભાવે તેમના દિવ્યજ્ઞાનના તેજમાં, તારા આત્માના અજ્ઞાનનાં અંધારા ઉલેચવાનાં. તેઓની હિતશિક્ષા સ્વીકારી તારા આત્માને શુદ્ધ બુદ્ધ બનાવજે. મહાપુરુષનું સાંનિધ્ય તારાં ભવભવનાં કર્મને હરશે. મહાપુરૂનું સાંનિધ્ય તારા જીવનમાર્ગમાં જ્ઞાનનાં અજવાળાં કરશે. પ્રભુ !
સી ગ્યા છે તે જ આપના શાસન વડે ધન્ય બન્યા છે. ગચ્છનાયક તે શાસનમય બની ગયા છે. મારા ગુરુ તેમના ગુરુના આશિષથી ધન્યતમ બની ગયા છે. મારે તે એક જ સાધના કરવાની છે. મારા આત્માને આરાધનાયેગ્ય બનાવવાની....મહાન સમુદાયના સુગ્ય બારણને અનુકૂળ
Page #407
--------------------------------------------------------------------------
________________
દુઃખ કરતાં દુ:ખના ભય ખરાબ છે. [ ૩૬૩ અનવાની...માક્ષના મહામાના પથિક બનવાની અનેક સુયેાગ્ય આત્મા વચ્ચે ‘હું ચેાગ્ય બનીશ' એવુ` સૌના તથા આપની શુભાશિષે હિંમત કરીને કહુ છું. બાકી તેા મેરની વચ્ચે કાગડા મેરનાં પીછાં લગાવીને બેઠો હેાય તેવી મારી દશા છે. પણ ભાવના મેર જેવા મનવાની છે. એટલે મારનાં પીછાં લગાડયાં છે.
અત્યારે આરાધક હાઉ એવા જ દેખાવ છે પણ આપ કૃપાએ આરાધક ખનવાના મારી મનેરથ સફળ અને એજ.
Page #408
--------------------------------------------------------------------------
________________
૫૫. “અણુમદ્ભાસપસા
માનવ પાસે મન એવી શકિત છે.કે જો તેની સમક્ષ સુર્યેાગ્ય પરિસ્થિતિ સર્જન ન કરીએ તેા ભૂતકાળને વાગોળી દુષ્ટ વિચાર દ્વારા દુર્ભાવનામાં લીન મની જાય. આ દુર્ભાવનાથી નિવારવા ખાર ભાવના અને ચાર ભાવનાનું શાસ્ત્રમાં ખૂબ વર્ણન કર્યુ છે. પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એ તે પરમ પિતા પરમાત્માની સાધક મહાત્માને અતિમ હિતશિક્ષા છે. તેમાં કઈ પણ વાત શાની રહી જાય ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમાં અધ્યયનમાં ચાર ભાવના દર્શાવી છે. કાંપિકી, આભિયોગીકી, કલ્મિષીકી અને આસુરી. આ ચાર ભાવનામાં રહેવાથી સાધકને પણ દેવ દુગ`તિ પ્રાપ્ત થાય છે. સાધુપણાનુ પાલન દેવનું આયુષ્ય બંધાવે છે. પણ ઉત્તમ ચાગ્યતા ન કેળવવાથી, સુચાગ્ય-શુભ ભાવની અભિવૃદ્ધિ ન થવાથી, દુવિચારની અધિકતાના કારણે દેવગતિમાં પણ હલકો દેવ અને છે. ચાર ભાવના એટલુ બધુ ચિં'તન માગે છે કે તેનુ' વિવેચન એક ગ્રંથ જેટલુ થઈ જાય પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાય કરતાં–પ્રતિદિન “અણુદ્ધ રાસ પસરો.” પદ યાદ આવે અને પુનરાવત નની ગતિ ખંધ થઈ જાય. મન તેના ઊંડાણમાં, ઊતરી જાય. શુ ગુસ્સા રહે તે આસુરી ભાવના ! ! ગુસ્સા તા માહનીય કમ વાળા દરેક જીવને
En
Page #409
--------------------------------------------------------------------------
________________
દુઃખને સહન કરે પણ દુઃખની ફરીયાદ ન કરે. [૩૬૫ આવે પણ ગુસ્સાની તતમતામાં ફરક પડવો જોઈએ કેટલાક ગુસ્સ કરી તુરત ભૂલી જાય. તે કેટલાકને દિવસે વિત્યા. પછી ગુસ્સો શમતે નથી. એજ કરતા, એજ વેરવૃત્તિ, પહેલાનું જ ચિત્ર જાણે આંખ સામે હોય અને પોતે પણ એજ પરિસ્થિતિ વચ્ચે હોય તેવી જ વૃત્તિ તે...અણુબદ્ધ રેસ પરે.
આપણી ભાષામાં કહેવું હોય તે ગુસ્સાનું કારણ દૂર થઈ ગયું હોય, પણ ગુસ્સાની વૃત્તિ વ્યક્તિની પાછળનું પાછળ ફરતી હેય, અંતરમાં રહેલ ગુસ્સે ન શમે હાય, હંમેશા લડવા જોઈએ, લડ્યા વગર ચેન ન પડે-નાનામેટા કારણથી દરરોજ લડાઈ કરવાને ટેવાઈ ગયેલ તે “અણુબદ્ધ રસ પસરે.ગુસ્સો કર્યા બાદ પણ પશ્ચાત્તાપ ન થાય. પણ કહે કે જે મેં ગુસ્સે કર્યો તે જ બધા સીધા ચાલ્યામારા ગુસ્સાથી કેવા દબાઈ ગયા ! ગુસ્સાને સારે માની તેને જ ટકાવી રાખે તે “અણુબદ્ધ રસ પસર.” - લડાઈને મૂળમાં ખુદ અને બીજા બંનેય દોષિત છે. સામી.
વ્યક્તિ ક્ષમા માગે છે. છતાં પણ પોતે પ્રસન્ન થતું નથી. અને મનમાં ગુસ્સાને ભાવ રહે તે “અણુબદ્ધ રેસ પસરે.
ઝઘડાના નાના પ્રસંગને મેટો બનાવે, કેઈને પણ નિમિત્ત બનાવી લડાઈ ચાલુ કરી દેવી, ઝઘડાના જ કારણ શેધવા, ખુદ ગુનેગાર હોય અને સામી વ્યક્તિ ક્ષમા. માગે તે પણ પ્રસન્ન ને બનવું અને સ્વભાવ તે અખંડ.
Page #410
--------------------------------------------------------------------------
________________
૧૩૬૬ ] જગતને જીતવું છે તે જાતને જીતે ગુસ્સાની વૃત્તિ. જેમ દીવાસળીમાં અગ્નિ રહેલ છે તેને લાકડું મળવું જોઈએ, તરત જ બળવાની ક્રિયા ચાલુ થઈ જાય ! જે સાધુપણાના પાલનથી અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન મળે તેવી અવસ્થા પ્રાપ્ત થાય તેના બદલે આ શુરસાની સાતત્યતાના કારણે દેવલેકમાં અસંખ્ય વર્ષની સજા ! રાજા બને પણ હાળીના, “દેવ બને પણ નેકર જેવા”... પ્રભુની દેશનામાં જવાને અધિકાર નહિ, ઇંદ્રસભામાં જવાને અધિકાર નહિ. જિનચૈત્યમાં જવાને અધિકાર નહિ. જેમ ગધેડી માતા તે કહેવાય પણ ભારવહન કરવા, તેમ દેવ ખરો પણ અન્ય દેવને અસ્પૃશ્ય !
સાધક ! સૌને સ્વભાવ સૌને ભારે–આસપાસવાળા સહવતીઓમાં સહનશીલતા હશે તે તારી સાથે રહી તેઓ નિર્જરા કરશે. પણ જો તું નિરંતર ગુસ કરીશ તે આસુરિક ભાવનામાં આવી અસુર બનીશ. સૌને શાંતિ પહોંચાડે તે સુર. સૌને દુઃખ પહોંચાડે તે અસુર સૌને દુઃખ પહોંચાડયું તે તારા સુખના દહાડા દૂર.
દેખવાનું અને દાઝવાનું તેવી તારી અવસ્થા.” વન, ઉપવન, પર્વત, ગિરિશંગે પર મહાલતાં પુણ્યશાળી દે કયાં ? અને દેવમાં પણ તારા જેવો શાપિત દેવ કયાં? સૌને માફ ન કરવાને સ્વભાવ તારે હતે. હવે અસંખ્ય વર્ષ સુધી આ દુર્ગતિમાંથી તને કઈ માફ નહિ કરે. “રેજ ઝઘડા કરતું હતું. હવે પલ્યોપમ અને સાગરે પમ સુધી દેવેન્દ્રના હુકમ સાંભળ્યા કર. તારી દેવી હરો
Page #411
--------------------------------------------------------------------------
________________
દુન—સજ્જનની સાત્વિકતાને શુદ્ધ કરનાર
[ ૩૬૭
પણ, તેની સાથે ય સુખચેનથી રહી શકીશ નહિ. વન— વાટિકા બધુ ખરુ.. પણ તને કયાંય બે ઘડી આરામ નહિ ! તાફાન કરીશ તેા દેવેન્દ્રના વજાના આકરા પ્રહાર સહનકરવા પડશે ! રુદન કરી તું નંદનવનને શેકવન અનાવી દ્રુશ પણ તારી સજામાં કોઇ ફેરફાર નહિ થાય ! “ કારણ તે સાધુજીવનમાં ગુસ્સે કરેલ છે. સહુવતી સાધુને સતાવેલ છે !
સાધક ! તારા ઉપર ભાવ દયા આવે છે. તેથી તને કહું છું. તારા સમતાના સ્વભાવનું તું પ્રગટીકરણ કર ! દુસ્તર સંસારસાગર તર્યાં. સ્નેહનાં બંધન તાડ્યાં. સુકામલતા અને સુંવાળાશ છેડીને કાયિક કષ્ટ સહન કરે છે. અગ્નિને અડકતા નથી તે મનમાં ગુસ્સાની આગ શા માટે સદા પ્રજવલિત રાખે છે? ગૃહસ્થના ઘરમાં પણ ર.ત પડે અને ચૂલા શાંત થાય. આગ ઓલવાઈ જાય. તુ' સાધુ અને પ્રતિક્રમણ કરે તે આગ શાંત ન થાય ? સ્વાધ્યાય રૂપ નાગક્રમની રત્નથી પણ ગુસ્સા રૂપ સર્પ' ઝેર તારું' ના ઊતર્યું ...? ! સચારા પારિસી ભણાવી અને કષાયના કાળાતરા સાપનું ઝેર ના ઊતર્યું? સદ્ગૃહસ્થ વાસી અન્ન ન ખાય અને તું સાધુ થઈ ને ગઇકાલની વાત આજે યાદ કરીને લડે ? ના...અને...પ્રભુના સાધુ સમતાના સાધક ! મૈત્રીભાવમાં મહાલતા. મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાની પ્રબળ અસરમાં નહિ રહે તે, આવી ભયકર ભાવના તારી સાધુતાને ભરખી જશે ! શાસ્ત્ર અધ્યયનમાં નિરત ખન. પ્રજ્ઞાનીની સેવામાં મસ્ત અન !
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૬૮]
આ સમજ આપે તે સદ્દગુરૂ મહાપુરુષના સાંનિધ્યે દુષ્ટભાવના દૂર જશે, તારું સમતા. સામ્રાજ્ય વિકસિત બનશે. તારું ભગીરથ કર્તવ્ય છે કષાયસંતપ્ત આત્માને શાંતિનાં જળ પિવરાવવાનું ! તારા કર્તવ્યથી ભ્રષ્ટ થઈ છે તું અશાંત બનીશ તે વિશ્વને કેણ શાંતિનાં અમીપાન કરાવશે? તને થશે મને બધા કેમ આટલું બધું કહે છે? મારે જ બધાનું સાંભળવાનું? તને કહેનારા તારા સ્નેહી છે! હિતવી છે! તારા મંગલવા છુક છે. તારા મંગલ માટે તેને સૂચન કરે છે. મને આશા છે, તું હિતકામી છે એટલે હિતસ્વીની વાત અવશ્ય માનીશ ! ભાવના તારે ભવનાશ કરે એજ તને હિતસ્વીના આશીર્વાદ છે. પ્રભુ !
ભાવને ભૂખે હું ભાવના કેમ ન ભાવું ? પણ હું બાળક સ્વસ્વભાવ પ્રાપ્ત કરી શકતો નથી, વિભાવ છોડી શકતું નથી. આપે બતાવેલી શુભભાવનાની સોપાનશ્રેણી પર ચઢવા અવશ્ય પ્રયત્ન કરીશ-મારે પણ સમતાની વિશાલ સમભૂમિના સૌંદર્યમાં મુક્ત વિહરણ કરવું છે!
આપો આશિષ મારાં સોણલાં સફળ બને !
Page #413
--------------------------------------------------------------------------
________________
પ્રાંતિ... દેવેન્દ્રોના સુખને પણ વામન કરી દેનાર, મોક્ષના અનત સુખને સાચે નકશે સમજાવનાર સંસારના આધિ -વ્યાધિ અને ઉપાધિના વિવિધ તાપની વચ્ચે કમળની માફક નિલેપ રાખનાર જે કોઈ પરમ સુખ હોય તે તે સુખ છે સ્વાધ્યાયનું.
આવા સ્વાધ્યાયનું કંઈક “સુખ પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા આનંદ વિભેર બની જાય છે. અનુત્તર દેવના તેત્રીશ સાગરોપમ પણ ક્ષણવારમાં કેમ પસાર થઈ જતાં હશે તે આવા ગ્રંથના મનમાં ને લેખન વખતે સમજાય છે.
મને તે મારા જીવનની એ ક્ષણે ધન્ય ક્ષણે લાગી છે કે જ્યારે આ ગ્રંથના ચિંતન વખતે મારું મન એકાગ્ર થતું હતું. ઘણીવાર તે એમ લાગ્યું છે કે કોઈ સુચોગ્ય વાંચક આત્માનું નિર્મલ પુણ્ય મારી પાસે લખાવી રહ્યું છે.
મારા શુભેચ્છકો કહે છે કે “આ લખાણ શ્રેષ્ઠ છે.” પણ, મને લાગે છે કે, શ્રેષ્ઠતા તેઓની દૃષ્ટિમાં છે, મેં તે મારા મનને પ્રસન્ન કરવા, મારા મનને આ કષાયેમાંથી કૂદકો મરાવવા, બહાર ફરતી ઇન્દ્રિયને અનંત શક્તિશાળી આત્માની જોડે સાંકળી રાખવા એક નાને પ્રયત્ન - કર્યો છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
બસ, મારા આ ચિંતનના પ્રયત્નથી જ્યાં સુધી મારુ જીવન રહે ત્યાં સુધી મારા આત્માને પરમાત્મા બનતા રોકે તે એક પણ વિચાર સ્પશે નહીં. પરમાત્મા બનાવે તેવા જ વિચારમાં હું સદા રત રહું એ જ ભાવના.
સૌ વિવેચકની ગુણમય દષ્ટિ, વાંચકની સારગ્રાહીતા, પૂ. ગુરૂ દેવની કૃપા, ગુરૂ બંધુઓની સહાય અને મારી આરાધ્યા, સાક્ષાત્ કમળ જેવી પવિત્ર માતા પદ્માવતીની આરાધના અને ઉપાસનાની અચિંત્ય સહાય. જીવ ને શિવ બનાવે. અને જૈન જયંતિ શાસનમ્ જગાવે....
, એજ અભ્યર્થના....
Page #415
--------------------------------------------------------------------------
________________
શ્રી શાસનદેવી
શ્રીમતી ભગવતી પદ્માવતીમાતાની સ્તુતિ
भक्तानां देहि सिधं,
मम सकलमघं देवि ! दूरीकुरु त्वम्,
सर्वेषां धार्मिकाणाम.
""
•
सततनियमितं वांछितं पूरयस्व । संसाराब्धौ निमग्नं प्रगुणगणयुतम्, जीवराशि च त्राहि,
श्रीमजू जैनेंद्र धर्म प्रकटय विमलं, देवि ! पद्मावति ! त्वं ॥ १॥"
卐
Page #416
--------------------------------------------------------------------------
_