SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પસાયએ તે હુ દુરાસચંપિ ક - એક બુદ્ધિમાન-સમજદાર ભયંકર દાવાનલ બુઝાવી શકે છે ત્યારે, એક મૂખ ભયંકર આગ પ્રગટાવીને સમસ્ત શહેરને ભસ્મીભૂત કરી શકે છે. શક્તિ તે બંને પાસે છે. એકની પાસે સર્જક શક્તિ છે તે બીજાની પાસે સંહારકશક્તિ છે. સર્જકને પણ એક ઈતિહાસ હોય છે. સંહારેકને પણ એક ઇતિહાસ હોય છે. ઈતિહાસ બંને પાત્રને યાદ રાખે છે. પણ એનું નામ લેતાં મસ્તક ઝૂકી જાય છે. એકનું નામ લેતાં મસ્તક ફેરી જાય છે. પંચમ ગણધર સુધર્માસ્વામી, સળવર્ષના જંબૂસ્વામીને સમજાવી રહ્યા છે “જબૂ! શેઠ બનવું સહેલું છે પણ સાધુ બનવું કઠીન છે. સાધુ એટલે સમતામૂર્તિ.... સાધુ એટલે સમતાની રસલ્હણ કરનાર... સાધુ એટલે ક્ષમાની સરિતા.. . ' લોકમાતા નદી જેમ મલિનને નિર્મળ કરે, ગદાને સ્વચ્છ કરે, તેમ સાધુ ક્રોધની જવાળામાં ભસ્મ થવા જતાં માનવને સમતાના પાન કરાવે. સાધુ વિશ્વમાં સમતાને મંગલ આદર્શ બડે કરે તે સ્વના તારક–ઉદ્ધારક–ઉપકારક ગુરુને પ્રસન: કેમ ન કરી શકે ? તેઓના ચિત્તની પ્રસન્નતા જળવાય તે.. કરી શકે. . . . . - પતિની પ્રસન્નતા તો પત્નીનું જીવન આનંદમાં. શિક્ષક પ્રસન્ન તે વિદ્યાના દાન સરળ બને.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy