________________
૨. પસાયએ તે હુ દુરાસચંપિ ક - એક બુદ્ધિમાન-સમજદાર ભયંકર દાવાનલ બુઝાવી શકે છે ત્યારે, એક મૂખ ભયંકર આગ પ્રગટાવીને સમસ્ત શહેરને ભસ્મીભૂત કરી શકે છે. શક્તિ તે બંને પાસે છે. એકની પાસે સર્જક શક્તિ છે તે બીજાની પાસે સંહારકશક્તિ છે.
સર્જકને પણ એક ઈતિહાસ હોય છે. સંહારેકને પણ એક ઇતિહાસ હોય છે.
ઈતિહાસ બંને પાત્રને યાદ રાખે છે. પણ એનું નામ લેતાં મસ્તક ઝૂકી જાય છે. એકનું નામ લેતાં મસ્તક ફેરી જાય છે.
પંચમ ગણધર સુધર્માસ્વામી, સળવર્ષના જંબૂસ્વામીને સમજાવી રહ્યા છે “જબૂ! શેઠ બનવું સહેલું છે પણ સાધુ બનવું કઠીન છે. સાધુ એટલે સમતામૂર્તિ....
સાધુ એટલે સમતાની રસલ્હણ કરનાર... સાધુ એટલે ક્ષમાની સરિતા.. . '
લોકમાતા નદી જેમ મલિનને નિર્મળ કરે, ગદાને સ્વચ્છ કરે, તેમ સાધુ ક્રોધની જવાળામાં ભસ્મ થવા જતાં માનવને સમતાના પાન કરાવે. સાધુ વિશ્વમાં સમતાને મંગલ આદર્શ બડે કરે તે સ્વના તારક–ઉદ્ધારક–ઉપકારક ગુરુને પ્રસન: કેમ ન કરી શકે ? તેઓના ચિત્તની પ્રસન્નતા જળવાય તે.. કરી શકે. . . .
. - પતિની પ્રસન્નતા તો પત્નીનું જીવન આનંદમાં.
શિક્ષક પ્રસન્ન તે વિદ્યાના દાન સરળ બને.