________________
બસ, આપણી જાત પર સિદ્ધિની શાશ્વત ભાત પડે અને સહુ સફળ બનીએ. પ્રસ્તુત પુસ્તક એવી કક્ષાનું છે કે, જેનું વિશેષ સંપાદન કાર્ય હાય નહીં. તેમ છતાં મેં મારી મતિ અને ક્ષયે પશમ પ્રમાણે યોગ્ય સુધારા વધારા કરી કરાવીને મારી દષ્ટિએ વધુ યોગ્ય અને વધુ પ્રામા ણિક બને તેવો ખ્યાલ રાખે છે. છતાંય દષ્ટિ દેષથી કે રસ વૃત્તિથી કઈ પણ વાક્ય, પદ કે અક્ષર શાસથી વિરુદ્ધ લખાઈ ગયા હોય તે તેને “મિચ્છામિ દુક્કડું”
અંતે, આપણે સહુ આગમ શાનાં અનેરાં અર્ક મેળવી, જીવનને અજવાળી, પરમપદ પામી વિશ્વમાં જૈન જયતિ શાસન” નો જયકાર કરીએ. એજ અભિલાષા.
પંન્યાસ રાજ્યશ વિ. મેભારેડ, જૈન ઉપાશ્રય
તા. ૧૦–૩–૧૯૮૫.