________________
બસે ગાથાઓ સુભાષિત રૂપે, વિવિધ વિષયની ચૂંટી તેને વ્યાખ્યાનમાં વ્યાપક ઉપયોગ કરવા જેવું છે. આવાં બેધક વચને શ્રોતામાં ધાર્યા કરતાં પણ વધુ વૈરાગ્ય પેદા કરશે. અને તેથી જ મને લાગે છે. કે અમારા પૂજ્ય દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ. સા. પિતાના જીવનના અંતિમ સમયે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને જ મુખપાઠ કરવા માંડયું હતું આવા મહાપુરુષ જે અંતિમ સમયે કરવું ઉચિત માનતા હોય તેને આપણે આરંભ સમયથી સ્વીકારીએ તે જીવનને ખૂબ જ સફળ બનાવી. શકીએ.
તેથી મારા ખ્યાલ પ્રમાણે આ ગ્રંથ માત્ર અર્થ દર્શન તથા માર્ગદર્શન નથી, જીવન પદ્ધતિ દર્શન પણ છે. ભાગ્યશાળી આત્માઓ તે આ માર્ગને અનુસરશે જ તેમાં શંકા નથી.
પ્રભુ મહાવીરની આ આગમ વાણી પરનું વિવેચન જે ક્ષણવાર પણ આપણામાં વીતરાગીતાની મસ્તી ગાડી દેશે, ક્ષણવાર પણ આપણને કલેશથી દૂર કરી શકશે, ક્ષણવાર પણ જ્ઞાનાનંદમાં મસ્ત બનાવી અપ્રમત્ત સાધુતાને. આસ્વાદ કરાવી દેશે, જગતનું રહસ્ય છતું કરીને જાતમાં સ્થિર કરી દેશે, તે લેખિકો, વાચક, સંપાદક તેમ જ પ્રકાશક સહુને પરિશ્રમ સાર્થકતાને પામશે. પ્રસ્તુત સુત્ર અને તેની ચિંતનિકામાં જાતને જગાડી દેવાની તાકાત છે.