SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] માનસિક દ્વેષથી પણ રહિત અને તે જ સાચા અહિં સક. તુ અવિવેકી બની જઈશ. પશુની જેમ વિવેક શૂન્ય બની જીંદગી પૂર્ણ કરીશ. તેથી કહુ છુ કેમ પણ જ્ઞાનીને દુઃખ ન થાય તેવી જીવનચર્યાં બનાવ....હજી અધિક કહું! તુ' જાતિમાન અશ્વરત્ન જેવા બન. જાતિમાન અન્ધને પરણા ખાવેશ ન પડે. ચાબુકના માર સહન ન કરવા પડે! તું પણ સમજી વિચારીને ....આગળ વધ! તારા ગુરુને ઠપકો આપવા ના પડે! ઉપા - લભ આપવા ના પડે! ગુરુને ઠપકો શબ્દકોશને શબ્દ અનાવી દે. તુ એવા સાધક અન કે ગુરુ તારી સાધનાની સદૈવ અનુમેદના કરે. જેમ પ્રભુએ ધન્ના અણુગારની પ્રશંસા કરી તેમ શુ તારા ગુરુ તારી પ્રશંસા-તારી અનુમેાદના ન કરી શકે ? પણ આવું શાંત સુવ્યવસ્થિત પ્રેરક જીવન તેનુ જ અને કે જે સાધુ જગત પર ગુસ્સા ના કરે ! ખુદના પર પણ ગુસ્સા ના કરે. સ્વને ક્ષમાના જળ દ્વારા શાંત રાખે ! સાચુ કહું છું સાધક ! તું ગણિત ભણ્યા છે પણ અધુરુ' ભણ્યા છે. તને સરવાળા બાદબાકી આવડે છે પણ ગુણાકાર ભાગાકાર આવડતા નથી. જગતના માઢે સાંભળતા તારા મનમાં પણ એક વાત સ્થિર થઈ ગઇ છે. સાધુ જીવન એટલે સહવાનુ” ',, ભૂલ-મોટી ભૂલ...માફ ન થાય તેવી ભૂલ અક્ષમ્ય ભૂલ-મારે સહવાનુ. ? આમ વિચારવાથી તા પામરતા પેદા થાય છે. તેથી કયારેક કયારેક મારે સહવાનુ વિચાર તને હલકી મનેાવૃત્તિ તરફ પ્રેરે છે. અને છેવટે તુ જીવમાત્રને રક્ષક તારા ખુદ્દના આત્માને ભક્ષક બની જાય છે. તેથી તને કહું છું, જગત પર ગુસ્સા ના કર. તેવી જ રીતે જાત પર, સ્વ નિાત્મા ઉપર પણ ગુસ્સે ના કર ! એક વખત હસતાં હસતાં કહે કે હું સહન કરતે નથી પણ મારા આત્મ વિકાસ માટે ક્ષમાગુણ પ્રાપ્ત કરુ છું,
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy