________________
મૂખને પણ પડિત બનાવવા પ્રયત્ન કરે તે મહાત્મા. [ ૨૯ સજાય ! આપણી ઘડિયાળ પાછળ હાય, બગડી હોય તે આપણે ટ્રેઇન ચૂકીયે. આપણે લાભ ચાલ્યે જાય. પણ જો ટાવર બગડે તે! સ્ટાન્ડર્ડ ટાઈમમાં ફરક પડે તેથી દુનિયામાં સર્વાંત્ર અન્યવસ્થા થઈ જાય. તેમ ગુરુ ગુસ્સે થાય તે અનેકની આરાધના જોખમાઈ જાય ! શાસનની પ્રભાવના કાઈ જાય. હિત અને મગલની ખળખળ વહેતી સરિતાના નિળ જલના પ્રવાહ રોકાઈ જાય. અનેક ભાવિકો જિનવાણીના અમૃત જલ પાનથી અતૃપ્ત રહે.
પ્રત્યેક સાધક–આરાધક શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુને ગુસ્સે ના કરાય. ગુરુને ગુસ્સે કરાવનાર અજાણપણે સમુદાયના હિતના દ્રોહી બને છે. શાસનના દ્રોહી બને છે. જીવ માત્રનાં અપમ`ગલને નોંતરે છે. આથી જ સાધક સતત જાગૃત રહે. સાવધ રહે. વિચાર, વાણી અને વનથી મારી કેાઈ એવી પ્રવૃત્તિ થતી નથી કે જેનાથી ગુરુ ગુસ્સે થાય ? તારું મન આ હિતશિક્ષા સામે એક અટપટા પ્રશ્ન રાખશે. “ મારાથી ગુરુ ગુસ્સે થાય કે તેમના કષાય મેહનીયના ઉદયથી ગુસ્સે થાય ? સાચું કહું છું, તું હજી ખાલમંદિરને વિદ્યાર્થી છે. કર્મના તત્વજ્ઞાનના આમ દુરુપયોગ ન કર. પ્રત્યેક કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવને પામીને ઉદયમાં આવે છે. અશુભ લેશ્યાનુ વાતાવરણ સક્લેશ જન્માવે છે. એટલે જ તને કહું છું કે હિતશિક્ષા પામી તું અપમ ગલનું નિમિત્ત ના મન...તારે તારા ગુરુને ગુસ્સો ન કરાવવા જેટલું સીમિત કાર્ય કરવાનું નથી પણ પ્રત્યેક જ્ઞાનીને પીડા ન થાય, દુઃખ ન થાય તે માટે ખ્યાલ રાખવાને છે. તું ગુરુ તત્વના આરાધક અન! “ જે જે જ્ઞાની તે તે ગુરુ” જ્ઞાનીની આશાતનામાં, જ્ઞાનીને પીડા આપવામાં ગુરુતત્વની આશાતના થાય છે! વિરાધના થાય છે! ગુરુતત્વના વિરહે