SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] શાસનના રથના એ ચક્ર છે સમર્પણ અને ત્યાગ, ઃઃ દે. આત્મહત્યાના અવિચારી માના મુસાફર બની જાય ? તેથી જ તને ફરી ફરીને કહુ' છું કે હવે તે “ હું સહું છું, હું સહું છું,” તે જુનુ પુરાણું ગીત છેડ. તેની જગાએ મધુર દિલ દિમાગને તરબતર કરી દે. તેવી નાભિમાંથી વર લહરી જાગૃત કર-હું મેળવું છું. હું પ્રાપ્ત કરૂ છું. હું મારા આત્માને સમૃદ્ધ કર છુ. મારી નિજની સ'પત્તિ એકત્રિત કરુ છું. નિજની પ્રાપ્તિમાં આનંદ હાય! વજન ના હોય ! તુ જ્યારે ખેલે છે હું સહન કરુ છુ ત્યારે લાગે છે કે બિચારા મજૂરે ટોપલા ઉચકયા ! પણ જ્યારે તું અન ંત આકાશ સામે એક દિવ્યદૃષ્ટિ નાંખી મુક્તમને એક ગીત ગાઈશ.... હું મેળવું છું ત્યારે લાગશે કે માતાએ ખાળકને ઉચકયો. વજન તા મજૂર પણ ઉડાવે છે. મજૂર વજન ઉઠાવતાં થાકે છે. માતા માળકનું વજન ઉઠાવતાં આન ંદ અનુભવે છે. પણ....એ માતા છે હુ તે.... જરા રોકાઈ જા....” હું મારી વાત તે સાંભળ....” હોઈ શકે એક સ્ત્રી છે, ચાર, પાંચ, દશ ખાળકની મા, પણ...તુ સાધક ! વીતરાગના સાધક...! કેવલજ્ઞાનના ચાહક ! વિશ્વના સમસ્ત જીવાની માતા તુલ્ય ! માને બાળકનુ કામ કરવામાં દુઃખ નહિં, દર્દી નહિ, પીડા નહિ, એક માતાના વાત્સલ્યમાં પણ આત્મિક સહનશીલતા વજ્રનરૂપે નહિ પણ આનની વૃદ્ધિ માટે પેદા થાય છે. સાધક ! તારે સ્વગુણાની પ્રાપ્તિ કરવાની છે. એટલે તારા ગુરુને....તારા આચાય ભગવંતને, તારા ગચ્છનાયકને, તારા પૂજ્યને....તારા વડીલને નારાજ ના કરીશ. ગુસ્સે કરીશ તે નહિ ચાલે. તારે સતત ધ્યાન રાખવું જ પડશે. મારા એવા ભય કર ગુન્હા થતા નથી ને કે મારા ગુરુને ગુસ્સા કરવા પડે? મારા ગુરુ ગુસ્સે થાય તે.....વિશ્વત ત્રમાં વિષમતા
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy