SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પરનિંદામાં બધીર બને પર ગુણોમાં અધીર બને. [ ૧૧ મારા ગુરુના શબ્દને જુએ છે. હું મારા ગુરુના હૃદયને પરિચિત છું. જે તેમનામાં મારા ઉદ્ધારની ભાવના ન હેત; તે મને કેમ દીક્ષા આપત? મારું અસ્તિત્વ જ તેમના પુણ્ય બળે પાંગરેલું છે. આ ગુરુને પ્રસન્ન કરવા તારે બુદ્ધિમાન બનવું જ પડશે. બુદ્ધિમાન બનીશ એટલેથી જ નહિ ચાલે હજી એક પગથીયું આગળ વધ. બીજે પગથીયે આવ. તારે શીઘ-જલ્દી કાર્ય કરનારા બનવું પડશે. સાધનાના માર્ગમાં વિલંબ ના પિોષાય. ક્ષણને વિલંબ શું કરે તેની તને ખબર છે ને ! લવસત્તમ દેવ પાસે શું ખૂટયું? સાત લવનું આયુષ્ય. હા... હા....શું કહે છે, સાતલવનું આયુષ્ય અને છઠ્ઠને તપ. વિલંબ કેટલે? સંસારવાસ ત્રેત્રીસ . સાગરેપમ વધ્ય, અંતરાય, થો સિદ્ધિગતિમાં પહોંચવાને ગુરુએ ચીધ્યા–ઉપદેશેલા કાર્યમાં વિલંબ કરીશ તે વિલંબ થશે શુદ્ધાત્મદશાના પ્રગટીકરણમાં. ગુરુના વચનનું શીઘપાલન એટલે મોક્ષમાર્ગને ટૂંકે રસ્તે.' મારે ગુરુને પ્રસન્ન કરવા છે. હું હવે વિલંબ નહિ કરું, જલ્દી કરીશ. ' ' ના ભાઈ ના. દેડ નહિ, દેડવાથી મંઝિલ પ્રાપ્ત થતી નથી. સાચા માર્ગે દોડવાથી લક્ષ્ય સ્થળે પહોંચાય. હજુ એક વાત યાદ રાખી લે. ગુરુના દિલને જાણીશ અને ઝડપ કરીશ એટલાથી નહિ ચાલે..ગુરુના અભિપ્રાયને અનુસરીશ તે જ ગુરુને પ્રસન્ન કરી શકીશ. ખુદની ઈચ્છાને સાકાર કરવા દુનિયા પ્રયત્ન કરે, ખુદના સંકલ્પને સિદ્ધ કરવા દરેક મરજવા જીવનની હેડ લગાવે. પણ તારે તે મુક્તિનું ગાન
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy