________________
૧૨ ] કેશકુંચન એ સુકર છે પણ વાસનાનું લંચન દુષ્કર છે. ગુંજિત કરવું છે એટલે તારે તારી ઈચ્છા, આશા, અભિલાષા - સંકલ્પને ભૂલી જઈ ગુરુના આશયની પાછળ જ હરણફાળ ભરવી રહી.
જે (૧) બુદ્ધિમત્તા (૨) શીવ્રતા (૩) અને ગુરુ આશય અનુવતિતા કેળવીશ તે તારા ગુરુ ગમે તેવા હશે પણ તને તે મુક્તિદાયક જ બનશે. પ્રેમની કળા હિંસકને અહિંસક બનાવે. તું તે સમર્પિત શિષ્ય છે. તારા ગુરુ મેક્ષના સાચા રાહબર છે. તેઓના સ્વભાવની વિલક્ષણતા-વિચિત્રતા તું ભૂલી જા. તારા સમર્પણની એક અમરગાથા વિશ્વમાં ગુંજિત કર.
હું આપને શિષ્ય છું, આપના ચિત્તને સમજનાર છું આપને પડતે બેલ ઝીલી તેને કાર્યમાં મૂકનારે છું. આપના અભિપ્રાયને સમજનાર છું. પ્રભુ ! ગુરુ! પ્રસન્ન બને. સુધર્મા સ્વામી !
મને શક્તિ આપે ચંડરુદ્રાચાર્યના શિષ્ય જેવી, ગુરુની શિક્ષાને સહન કરતા હું કેવલજ્ઞાન પ્રાપ્ત કરું, મારા ગુરુ પણ મારી સહનશીલતાની અનુમોદના કરતાં કેવલજ્ઞાની બને. ગુરુ શિષ્ય અભેદ ભાવે શાશ્વત સંબંધે મળીએ એ જ પ્રભુ મને આપો. પ્રભુ મને નારાજ ના કરતાં. મારે દુન્યવી સિદ્ધિ નથી જોઈતી–પ્રસિદ્ધિ નથી જોઈતી.. મારે જોઈએ છે મારા ગુરુની પ્રસન્નતા.