________________
પૂ. ગુરૂદેવ કોઈપણ નિયમ મારા દુર્ણ દૂર કરવા માટે આપો.”– આ મારે બારમે અભિગ્રહ હતો અને પૂ. ગુરૂદેવે પણ ખુદની છાએ મને અભિગ્રહ. એ. આમ, મારા બાર અભિગ્રહ પૂર્ણ થયા
હવે શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ઉપર લખવાનું એ નિશ્ચિત થયું. વર્ષોની આંતરિક ભાવના હતી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ચિંતન-મનન કરવાની..પણ, પ્રમાદ અને અનિયમિતતા
એ મારા ભયંકર દુર્થ છે. ભાવ પ્રમાણે કાર્ય થાય નહિ. પૂજ્ય ગુરુદેવની પ્રેરણા સતત ચાલુ રહી. વિ. સં. ૨૦૩૮ના મદ્રાસમાં ચાતુર્માસ હતું. ચાતુર્માસ દરમ્યાન મામ્બલમમાં જવાનું થયું. મહાપ્રમાવિક શાંતિનાથ પ્રભુનું સામ્રાજ્ય. શાંત અને આલ્હાદક વાતાવરણમાં શ્રી ઉત્તરાયસૂત્રનું આલેખન શરૂ કર્યું. બે ચેપ્ટર લખાયા અને તપસ્વી સારી નયપક્વાશ્રીજી તથા સુધાંશુયશાશ્રીજીની તબીયત નાદુરસ્ત થવાથી મદ્રાસ શહેરમાં જવાનું થયું. પ્રારંભેલ કાર્ય પૂર્ણના થયું. મામ્બલમ ક્ષેત્ર સાથે પણ કોઈક અજબને સંબંધ છે. “દશવૈકાલિકચિતનિકા આલેખનને પણ પ્રારંભ ત્યાં થયે. પૂર્ણ ના થયું. ઉત્તરાધ્યયન સૂત્ર અંગે પણ એમ જ થયું.
વિ. સં. ૨૦૩૯ પૂ. ગુરુદેવ સપરિવાર મદ્રાસથી ઓગણીસસે કિલોમીટરને વિહાર કરી ગુજરાત પહોંચ્યા. મારે પૂ. ગુરૂદેવની આજ્ઞાથી ચૌદ સાધ્વીજી સાથે હૈદ્રાબાદ પીલખાના જિનમંદિરનાં ખાતમુહૂર્ત-શિલાન્યાસ પ્રસંગે જવાનું થયું. અમારે ગુજરાતને વિહાર નિશ્ચિત હતે.