________________
સુસાધુ વૈરાગ્યયુક્ત વચના બેલે
[ =
શિષ્ય એ તે ગુરુનું “બીજુ... રૂપ છે, જેમ જમણી આંખ દુઃખે તે! ડાબી આંખ તરત મીંચાઇ જાય. બંને આંખ ખુલ્લી ક્યારે રહે ? એક પણ આંખમાં દ્રુ ન હેાય તા.
ગુરુ પ્રસન્ન રહે તે જ સાધનાની સિદ્ધિ.
અપ્રસન્ન ગુરુ પાસેથી તારા ચેગક્ષેમની અપેક્ષા તું કેવી રીતે રાખે ? અપ્રસન્ન ગુરુ પાસેથી રાગદ્વેષમાં અટવાતી તારી નાવને કિનારા પર લાવવાની અભિલાષા કેવી રીતે રાખે ? ગુરુજનને પ્રસન્ન કરવા તારે અનેક કિમીયાએ શેાધવા પડશે ! અનેક ઉપાય, અને યુક્તિએ વિચારવી પડશે ! દિલમાં ગુરુ પ્રસન્નતાની અંખના પેદા કરવી પડશે.
છ મહિનાના દૂધમલ બાળક સાથે મા કેટલી વાત કરે છે. તેને ખુશ કરવા....તેના સુખ-દુઃખને સમજવા, દુઃખ દૂર કરવા કેટલા ઉજાગરા કરે છે. શું તે દૃશ્યા તે જોયા નથી ? માતા બાળકના ચિત્તને સમજવા અનુસરવા પ્રયત્ન કરે છે તે જ પ્રયત્ન તારે તારા ગુરુને સમજવા કરવા પડશે. તેમના ગમાઅણગમા, પસદગી-નાપસંગી, તેમની આદત, જીવન જીવવાની પદ્ધતિ, વાત કરવાની-રજુઆત કરવાની ઢબ, તેની આરાધનાની ભાવના, તેઓના મનાર, તેએનાં સંકલ્પ, તેમના શરીરની અસ્વસ્થતા, તેએના આહાર, નિહાર, આરામના સમય આ બધાના તને ચાક્કસ ખ્યાલ હેાવા જોઈ શે. તેઓ ક્યારે શું કરશે ? કયારે શુ નહિ કરે ? તેની નાનામાં નાની વિગતની પણ સૂક્ષ્મનોંધ તારા માનસપટ પર કોતરાયેલી રહેવી ખૂબ જરૂરી છે.
·
સાધક! ના કહીશ મારામાં બુદ્ધિ નથી, તું શિષ્ય છે. તારે ગમે તેવા સ્વભાવવાળા પણ ગુરુને પ્રસન્ન કર્યા છે