SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશ્રવણ-શ્રેતાની સમસ્યાને ઉકેલ [ ૩૬૧ પાપ થઈ ગયું પણ કે લઘુકમી આત્મા છે! કેટલી સરળતાથી આલેચના લઈ રહ્યો છે! આ વિચાર જેને આવે તે આલેચના સાંભળવાને યોગ્ય. છેદસૂત્રો-વ્યવહારસૂત્રો-નિશીથગ્રંથમાં આલેચના આપવા ગ્ય ગુરુની અનેકવિધ ગ્યતા ફરમાવી છે. તે બધાના સારાંશરૂપ શ્રી ઉત્તરાધ્યયસૂત્રમાં ફરમાવે છે આલેચના આપનાર આચાર્ય ભગવંત માત્ર સૂત્રના અભ્યાસી હોય તે ના ચાલે પણ આગમના અભ્યાસી જોઈ એ. આગમને અભ્યાસ એટલે એકાદ આગમ આવડી ગયું તે ના ચાલે. અનેક આગમમાં પારંગત હેવા જોઈએ. આગમના સૂત્ર-અર્થ અને રહયના નિષ્ણાત હોવા જોઈએ. વારંવાર આગમના પરામર્શ કરનાર હોવા જોઈએ. તેઓની વાણી, વિચારધારા આગમમય થયેલી જોઈએ. તે મહાપુરુષ જે બેલે તેના આગમ પાઠ પ્રાયઃ મળે જ ! આગમનિષ્ણાત થાય એટલેથી જ આચાર્ય ભગવંત આલેચનગ્ય ના બને પણ જે શિષ્ય આચના લેવા આવે તેને સમાધિ ઉત્પન્ન કરનાર જોઈએ. પુણ્યાત્મા ! તારું મહાભાગ્ય છે. પ્રભુઆગમ પ્રત્યે તારા હૈયામાં શ્રદ્ધા છે. ખાનદાન કુટુંબને નબીરે છે. ઠેસ વાગી છે પણું બચી ગયેલ છે. આમ જે આલેચના લેવા આવે તેને મધુર વચન વડે આશ્વાસન આપે. “તારા આત્માનું
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy