SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તેને એક નવા સ્વરૂપે જ દેખાય છે. કાલ સુધી જગત. સુખ-દુઃખ, હર્ષ–શેક, આનંદ-આકંદ, સંપત્તિ અને વિપત્તિ, સંગ અને વિયેગથી ખળભળેલું દેખાતું હતું. હવે સાધકને દરેક વાતનું ગણિત સમજાય છે. તેના દિલમાં “ ગ” એ હર્ષ નથી, ‘ વિગ” એ શક નથી. તે સંગને પણ કર્મના ગણિતને જવાબ સમજી સ્વીકારે છે, તે વિયેગને પણ એટલા જ સ્થિતપ્રજ્ઞ ભાવે અવલોકે છે. જગતની તમામ ઘટનાઓ છએ દ્રવ્યોનું વિજ્ઞાન છે. સમુદ્રનાં કલ્લોલતાં મેજા કિનારે ઊભા રહેનારને મન જેમ સ્વાભાવિક પ્રક્રિયા છે. ભરતી અને એટને તે સાગર માટે અનિવાર્ય માને છે અને જરાય લેપાયા વિના ક્યારે ભરતી. આવશે અને કયારે ઓટ આવશે તેનું ગણિત જાણી તે પ્રમાણે જીવન કાર્યક્રમ ઘડે છે. તેમ આ વીતરાગની વાણીને આત્મસાત કરનાર પિતાના સમગ્ર જીવનને જીએ દ્રવ્યના પર્યાયેના સંદર્ભમાં જુએ છે. અને તેવી જ સ્વા- . ભાવિક ગતિ તેના જીવનની કરી નાખે છે. પરિણામે પરમાત્માની વાણી તેનામાં એવી દષ્ટિ એવી સમ્યક્ દષ્ટિ. પેદા કરે છે કે જગત તેને સમ્યક લાગે છે. વેદાંતિક કહે છે કે જગત મિથ્યા છે. ત્યારે આ સમ્યક દૃષ્ટિ કહે છે કે જગત તે સત્ય જ છે. જગતના પ્રત્યેક પરિવર્તન પણ સત્ય છે. માત્ર આ પરિવર્તન મારામાં સુખ-દુઃખ, હર્ષ–શેક પદા કરે છે તે ખ્યાલ જ મિથ્યા છે. અને દષ્ટિને આ મિયા રાગ જતાં આ
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy