SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] સદ્દગુણોની દલાલી કરે તે સાધુ. ધમરાધનાને આધાર શું? દેહ...પ્રભુએ ફરમાવ્યું તારે માનવ દેહ તને મોક્ષ પ્રાપ્તિમાં મદદ કરશે. પણ ભલા! દેહને સાચવવા જતાં દેહના મમત્વને પુષ્ટ ના કરતે. ધર્મારાધનાનું સાધન દેહ. દેહ દ્વારા આરાધના થાય અને વિરાધના ન થાય એટલા માટે ઉપકરણની જરૂર પડે. ઉપકરણ આરાધનામાં સહાય કરે. ઉપકાર કરે તે ઉપકરણ. વિરાધનામાં નિમિત્ત બને, કારણ બને, આત્મા ઉપર અપકાર કરે તે અધિકરણ. પ્રત્યેક મુમુક્ષુને દર્શન-જ્ઞાન-ચરિત્રની આરાધના કરવા પરમાત્માએ ફરમાવ્યું. પણ મેક્ષની ઈચ્છા માટે પહેલાં જ પગથિયામાં અણસણ ફરમાવ્યું નથી. એટલે પ્રત્યેક સાધકે કર્મના સેનાપતિ મન-વચન-કાયાના કાર્યમાં હવે પરિવર્તન કરવાનું. જે મનવચન-કાયા કર્મના રોન્યની નેતાગિરિ કરતા હતા તેને ધર્મના સંરક્ષણ સેવાના.સૈન્ય. બદલાય પણ સેનાપતિને દિલનું પરિવર્તન ન થાય તે સૈન્ય-શસ્ત્ર હોવા છતાં હારસેનાપતિ શરણાગતિ સ્વીકારી લે તે પછી રચની કંઈ જરૂર નહિ. સેનાપતિની તાકાત છે. સૈન્ય એકઠું કરી લેશે... સાધકે જીવન વ્યતીત કરવાનું પણ સુખ આવે છવ. નની અભિલાષા નહિ, દુઃખ આવે મરણની પ્રાર્થના નહિ હાથ–પગને સદા સસત રાખવાના, પણ સ્વાર્થ સાધવા દેવાને નહિ. પરમાર્થમાં પીછે હઠ કરે તે અવશ્ય પ્રેરણા કરવાની. સાધકે માનસિક શક્તિને ખૂબ વિકાસ કરવાને
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy