SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાદ કરે તે અજ્ઞ, વાદ કરે તે પ્રાજ્ઞ, મૌન રહે તે મહાપ્રાજ્ઞ. [ ૩૩ “ગુસ્સામાં ન આવે તે ગુરુ, પણ તું ભૂલી ગયેગુના ગુસ્સાને ગળી જાય તે શિષ્ય.” સુગ્ય આત્મા પ્રત્યેક ક્ષેત્રમાં પિતાનું ર્તવ્ય શું છે? તેને વિચાર કરે છે અને પોતે કર્તવ્ય ધર્મે ડગ ભરે છે કે નહિ તેનું નિરીક્ષણ કરે છે. અગ્ય આત્મા જ્યાં જાય ત્યાં પહેલે જ પ્રશ્ન કરશે. મને શું અધિકાર મળે છે? મારો કકકો જળવાય છે કે નહિ? મારું ગૌરવ, મારું પદ અખંડિત રહે છે કે નહિ? સિદ્ધિમાર્ગની કેટલીક આગવી શરતે છે....તારા બધા અધિકાર, હકક, ગૌરવ, માન-સન્માનનું વિસર્જન કર. બધાએ શું કર્યું? તે પૂછવાનું નહિ. મારે શું કરવાનું? તે પૂછ ...બધાંની ભૂલ શું છે...? તે યાદ નહિ રાખવાની, મારી ભૂલ શું થઈ તે દેખાડો”..... જરા કડક શબ્દમાં કહું ? જગતના દુર્ગુણ દેખવા અંધ બની જવાનું. જગતના દુર્ગુણ બેલવા મૂંગા બની જવાનું. જગતના દુર્ગુણ સાંભળવા બહેરા બની જવાનું. આપણી જાત સામે... અપર માતા...શકમાતાને વ્યવહાર શરૂ કરી દેવાને. દુગુણ દેખવા તે મારા જ, દુર્ગુણ બેલવા તો મારા જ, અને દુર્ગુણ સાંભળવા તે પણ મારા જ. વિદ્યાથી જેમ કોઈને અધ્યયન ના કરાવી શકે, અધ્યાપનનું કપરું કામ તે અધ્યાપક જ કરી શકે તેમ હું સાધક, સાધના કરી શકું પણ સાધના ના કરાવી શકું...મારી ભૂલ હું સુધારી શકું, પણ બીજાની ભૂલ જેવી પણ ના જોઈએ અને કહેવી પણ ના જોઈએ. ભૂલ કહેવાને અધિકાર તેને જ છે કે જે ભૂલ સુધારી શકે. સિદ્ધ પુરુષ સમા ગુરુ, શિષ્યના
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy