________________
૩૪] ગુરુ કૃપણ મને પણ ગુરુની કૃપા સદા ઉદાર જ હાય. દોષ કહી શકે કારણ કે ગુરુ જ શિષ્યના દોષરૂપ વૃક્ષને જડમૂળથી ઉચ્છેદ કરી ત્યાં જ ગુણવૃક્ષને નવપલ્લવિત કરી શકે છે.
સાધકનુ કા તા ફક્ત એટલું જ જોવાનુ’-તેની સાધનાના સુકાની ગુરુ પ્રસન્ન છે કે અપ્રસન્ન? મારા ગુરુ મહામા સદંશ, મારા ગુરુ સિદ્ધાત્મા સમાન ! તેઓ નારાજ રહે! તેએ ગુસ્સામાં રહે! આ વિચારથી સાધકની આંતર વ્યથા એટલી તીવ્ર વધી જાય કે હવે હું શું કરું?
જેમ કન્યાના માંડવે હસ્ત મેળાપ થયાં બાદ વરરાજાને હૃદયરોગના હુમલા થાય અને કન્યાના માતાપિતાને જે આઘાત લાગે તેનાથી અધિક શિષ્યને ગુરુ ગુસ્સે થાય ત આધાત લાગે.
મારા ગુરુ એટલે સાધના મૂર્તિ... હજારો આત્માની સાધનાના પ્રાણ, કાંડા ઘડિયાળ બગડે તે કાંડા ઘડિયાળ પહેરનાર અસુરો થાય. તેના સમયમાં ફેરફાર થાય પણ શહેરની મધ્યમાં રહેલ ટાવર બગડે તા...સાખે શહેરીનાં જીવન ધારણમાં ધમાલ મચી જાય. અને સુરજ-ચાંદ આડે જો વાદળાં આવી જાય તે સૂરજના તડકા ના દેખાય તે....ચંદ્રની યા ના ન દેખાય તે, પ્રકૃતિમાં સત્ર અવ્યવસ્થા થઈ જાય. જડ-ચેતન બધાંની ગતિને અવરોધ થઇ જાય. પુષ્પ પાંગરે નહિ. પુરુષ પુરુષાર્થ કરે નહિ, વિશ્વમાં સર્વાંત્ર અવ્યવસ્થાનુ તાંડવ નૃત્ય શરુ થઈ જાય.
“ વિશ્વના સમસ્ત જીવેાને સમતા શાંતિ અને અધ્યાભુના અમૃતપાન કરાવનાર મારા ગુરુદેવ ગુસ્સે થાય તે અધ્યાત્મનું દિવ્ય સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય.