SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલને સ્વીકાર કરે તે જ્ઞાની, [ ૬૯ ભૂલનો પ્રતિકાર કરે તે અજ્ઞાની. મળી. છતાં ન હાર્યા ન થાક્યા...લાભાંતરાય કર્મ પ્રભુને હરાવી ના શક્યું. શાસ્ત્ર કહે છે, પરંપરા કહે છે. પ્રભુ રાષભદેવે ૧ વર્ષ તપ કર્યો. મને પ્રશ્ન કરે, ગોચરી ગયા છતાં તપ? બસ, ભાઈ આ જ સાચા સાધકની કળા. આહારની જરૂરત ખરી પણ આસક્તિ નહિ. જ્યાં આહારની આસક્તિ નહિ ત્યાં જ સાચે ત૫. અ–લાભ રૂપ પરિષહને જય કર્યો એ જ તપ. અનશન, એ પણ ખરેખર તપ ત્યારે જ બને કે જ્યારે પરિષહ જયરૂપ સંવર ધર્મ ગુંજતે હાય. પરમાત્મા પણ સ્વકર્મના નાશ માટે આટલે પ્રયત્ન કરે તે પામર ! વિચાર, તારે કેવા પુરુષાર્થ યજ્ઞને પ્રારંભ કરે જોઈએ. અંતરાય કમના ઉદયમાં કેઈ વ્યક્તિ, કેઈ સ્થાન કે કેઇ શહેર ઉપર તિરસ્કાર ન કરાય. હીન શબ્દ નહિ પણ હીન વિચાર આવી જાય તો પણ તારી સાધુતા લાજી ઉઠે. તું તિરસ્કાર કરે તો અંતરાય કર્મ ઉપર! ના..આનાથી આગળ વધ. અંતરાય કર્મને બંધ હેતુ સાથે સત્યાગ્રહ શરુ કરી દે. ચાલો! હટ ! દૂર જાવ! મારા સંયમમંદિરથી. મારા આત્મદેવને ભ્રષ્ટ ના કરતાં... જબૂ! મારે તારી આ વીરતા ને ધીરતા જેવી છે! નિહાળવી છે! હજી તે એક માર્ગ સમજાવ્યું. બીજે માગ બાકી છે. આકરું ચઢાણ લાકડીના સહારે ચઢી જવાય પણ સુંવાળું –ગાળ, પિચું, ચઢાણ હોય તો. તેમાં કોઈ આલંબન સફળ ન થાય પથ્થરના પહાડ ઉપર ચઢવું સહેલું, પણ રેતીના પહાડ ઉપર ચઢવું ખૂબ કઠીન, રેજ ગેચરી મળી જાય, તારા પાત્ર બત્રીસ પકવાન્સથી ભરાઈ જાય. તારે આહાર શાલિભદ્ર જે હશે, ત્યારે સાચું કહું? તારી અટપટી પરીક્ષા શરુ થશે. સ્વપ્રયત્નથી
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy