________________ 164 ] સુખની સાથે દેસ્તી નહિ પણું, જે તું સર્વજ્ઞ, તે તારી વાત નહિ. જે તું છદ્મસ્થ, કર્મના આવરણથી ઢંકાયેલ તે તને ચોકકસ આ હિતશિક્ષા. આજ્ઞા બે પ્રકારની હોય છે. એક વિધિ આજ્ઞા, એક નિષેધ આજ્ઞા. વિધિ આજ્ઞાનું પાલન શકય હોય તે અવશ્ય કરવાનું પણ નિષેધ આજ્ઞાનું આચરણ તે મરણાંત સમયે પણ ના કાય. ગુરુદેવ ! પ્રભુની હિતશિક્ષા મારા માટે છે. જરૂર હું પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરીશ. હું પ્રમાદ નહિ કરું બસ, સંથારાના સમયે જ નિંદ લઈશ. દિવસે અધ્યયન કરતાં સિંદ આવશે તે ઊભા ઊભા અધ્યયન કરીશ. સ્કૂતિ રાખીશ, નિદ્રાને પણ નહિ, તંદ્રાને પણ નહિ, આવવા દઉં .. સાચું કહું છું તું લકીરને ફકીર ના બન. પ્રસાદ એટલે નિદ્રા, ઊંઘ. આ અપૂર્ણ અર્થ કયાંથી શીખી આવ્યો? આપણે પ્રત્યેક વાતને ઉપલક સમજી વિરુદ્ધ આચરણ કરી લઈએ છીએ. પ્રમાદને અર્થે ખૂબ વિશાળ છે. પ્ર ઉપસર્ગ મદુમાદુ ધાતુ પરથી પ્રસાદ શબ્દ બન્યો છે. મદ્ ભાદુ=ભૂલવું ચૂકવું, ગાંડા થવું, મુંઝાવું. પ્ર–એટલે અતિશય, અધિક પ્રમાણમાં પ્રમાદ, પાગલપણું. પાગલ બે પ્રકારના. એક માનસિક કારણથી પાગલ, એક મેહના ઉદયે પાગલ.