SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલ કહેનાર શલ જેવા લાગે તે મિથ્યાત્વ. [ ૨૪૫ પછી ગરીબને અથવા ભિખારીને વધે ઘટે ટુકડા આપે છે. Bર “સંસારીઓ કહે છે સંસાર માટે યુવાની આપી દે. પછી જે જીવતે રહ્યો તે દીક્ષા લેજે. યૌવનમાં વ્રત નહિ. વૃદ્ધત્વમાં વ્રત. એટલે ત્યાગી છવનને એઠો-જૂઠ -વ-ઘટો ટુકડે રોટલે આપી દેવાને...આનાથી અધિક ત્યાગના અવમૂલ્યાંકન શું હોય?” જીવનમાં જેને પ્રથમ સ્થાન અપાય...તે જ અગત્યની સાધના સંસારી પાસે ત્યાગી કઈ દિવસ ત્યાગના મૂલ્યાંકન કરાવે જ નહિ. ત્યાગી સમજે છે-છીપલા વીણનાર વ્યક્તિ ખેતીની કિંમત ના કરી શકે. તેમ સારી ત્યાગનું મહત્વ ના સમજી શકે. “સંસારીને મંત્ર સંગ્રહ -પરિગ્રહ અંતે વિગ્રહ સાધુને મંત્ર નિષ્પગ્રિડતાનિભતા અંતે અવિગ્રહ જ્યાં પરિગ્રહની ભાવના ત્યાં સંગ્રહસંગ્રહમાંથી આગ્રહ. આગ્રહમાંથી કદાગ્રહ અને કદાહમાંથી વિગ્રહ ઝંઝાવાત–લઢાઈ.” - વ્યાં નિસ્પૃહવૃત્તિ છેત્યાં દુન્યવી પદાર્થની ઝંખના નથી, તેથી ત્યાગ દુર્લભ નથી પણ ત્યાગ સહજ સુલભ બની જાય છે. પરિગ્રહવૃત્તિ જેને ભયંકર લાગી તેને ચ. વર્તીના સામ્રાજ્ય કે ઈંદ્રના સિંહાસનની પણ કોઈ લાલચ આપે-તે સ્પષ્ટ કહી દે. મને માટીના ઢેફાંથી રમવું ગમતું નથી.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy