________________
૨૩૪] ભૂલ પર હસે તે દુર્જન, ભૂલને સુધારે તે સજજન. છેડે નહિ, પ્રતિકૂળ સંગ છોડી અનુકૂળ સંગની ભિખારીવૃત્તિ રાગમાં છે.
પ્રવજ્યા એટલે પદાર્થને એકલે જ ત્યાગ નહિ પણ પદાર્થમાં રહેલ રાગદ્વેષની ભાવનાને ત્યાગ-રાગદ્વેષની ભાવનાના ત્યાગથી જે પદાર્થ છોડયા હોય તેના ઉપર મમત્વ ન જાગે–તેના આકર્ષણ પુનઃ પેદા ન થાય... વડીલે!
બાળક રેતીમાં ઘર બનાવે અને તેઓ તેમ મેં પણ કેટલીવાર વ્રત લીધા અને તેડયા. હવે તે માટે તીર્થકર પરમાત્માની જેમ મહાભિનિષ્ક્રમણ કરી પ્રવજ્યા લેવી છે. જે સંસારને હું એકવાર હેય-ડવા લાયક સમજે તે પ્રેય ના બને, તેવી શક્તિ અને-સામર્થ્ય આપ. નેહીજને !
મારે પ્રવજ્યા લેવી છે. જગતના બધા બંધન એ તે કાચા સુતરના તાંતણા છે. તેને તૂટતાં કેટલી વાર? એક ઝાટકે લાગેને બધા બંધન તૂટી જાય. પણ વજી સમાન કઠીન બખ્તર તે આસક્તિ ભાવનું છે. બસ હવે સદાને માટે મારી આસક્તિ દૂર રહે અને વિરક્તિની મસ્તી મળે માટે મારે પ્રવજ્યા લેવી છે. - આ ગાથામાં વપરાયેલે “અમ્મા” શબ્દ તે નજીકના નેહીને કહેનાર છે. પણ મારે તે સમસ્ત સંસાર અને