SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જે ગુરુના જ્ઞાન ખજાનાને વારસદાર છે | | પપ તે જ ગુરુને સાચે વારસદાર છે. માનવ કેઈ સાથે વાફકલહ કરે છે. ઘણું લડવું છે. સામા માણસને બેઈજ્જત કરે છે. પણ ગળું બેસી જાય તે? ભાષા ન સમજે તે? સામે જવાબ ન આપે તે ? આવા કંઈક કારણથી પણ વાણીને કાબુમાં લે છે. પણ... મનનું યુદ્ધ, વિચારને સંઘર્ષ–અવિરત પણે ચાલુ જ હોય છે. વિચારના સમરાંગણમાં માનવીને બહારના કેઈ બંધન રેકી શકતાં નથી. તેથી જ આંતરિક ધમી બનનારને જગત ગુરુને ઉપદેશ છે, “તું મનથી વિશુદ્ધ બન. મનના સંઘર્ષથી વિરામ પામ. તારે એટલાં અહિં સક બનવાનું છે કે જીવ માત્ર પ્રત્યે માનસિક દ્વેષભાવ પણ રાખવાનો નથી.” તું પ્રશ્ન કરવાને બહારથી વર્તન સારુ રાખીયે બેલવામાં ન બગાડીએ . પણ મનથી કેમ પવિત્ર રહી શકાય? અસંજ્ઞી ઓછાં છીએ? મન છે તે વિચાર આવે. વિચાર આવે એટલે બધાનાં વ્યવહાર વર્તન યાદ આવે... સાચું કહી દઉં?...બહારથી પ્રેમ રાખી શકાય. પણ મનમાં જેના પ્રત્યેદ્વેષ થયે તેને મનથી કેમ માફી આપી શકાય??? સાધક ! હું તને એજ હિતશિક્ષા આપું છું. તારા મનમાં પ્રષ ન લાવ....મનમાં વેરઝેર...ઈર્ષોની પરંપરા પેદા થઈ તે દૂર કરવી ખૂબ કઠીન છે. તેથી જ કહું છું. તારા મનને પવિત્ર રાખ...મનમાં શ્રેષ-પ્રÀષ તેને પેદા થાય છે, કે જે બધાની પાસે હક્ક દાવ કરે છે. સૌના ગુન્હાને યાદ રાખવાની અને તેને બદલો લેવાની દુષ્ટ ભાવનામાંથી મનમાં દ્વેષ પ્રગટ થાય છે. જ્યારે આપણા ખુદના કર્તવ્યનું ભાન થશે ત્યારે વાત્સલ્યની સરિતા વહેશે. પ્રેમને સાગર હિલેળે ચઢશે.......
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy