SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ભુલ કહેનાર શૂલ જેવા લાગે તે મિથ્યાવ [ ૨૪૯ વિજયયાત્રાને પ્રારંભ.... આ છે દીક્ષાથીના અંતરનું અબોલ આત્મ નિવેદન.” આવા અંતરના શુભ ભાવથી જે પ્રજિત બને તેને જીવનમાં દીક્ષા લીધા બાદ પણ કઈ સંઘર્ષ પેદા થતું નથી. બાકી માન-સન્માનની સ્પૃહાથી દીક્ષા લે તે દક્ષામાં પણ કુરુક્ષેત્રની તૈયારી કરી દે છે. મારૂં માને-તમારું માન-મારી ગણત્રી-તમારી ગણત્રી, મારું નામ, તમારું નામ-મારા ગુરુ, તમારા ગુરૂ–મારા શિષ્ય, તમારા શિષ્ય-શિષ્યા, મારી પદવી, તમારી પદવી-આ બધી કષાયની જ હેળી છે. | BE “ત્યાગી થયે છું, કષાયની હળીમાં શેકવા નહિકષાયની હોળી કરવા. બસ, સાધકને એક અંતરનાદ જોઈએ-મારે કંઈ ન જોઈએ. મારે કશું નથી કરવું.... પણું કર્તવ્યયસ પૂર્ણ કર્યા વગર કમેં હટે નહિ, તેથી હું મારા કર્તવ્યધર્મને અનુસરીશ... બસ, સાધક ! આ મનવૃત્તિથી ત્યાગ માગે આગે. અઢ. તું, પ્રેરણા સ્ત્રોત બની જઈશ... પ્રભુ ! હું સર્વ પૃહ ત્યાગ કરીશ. પણ સાચું કહું છું, મારી “એક સ્પૃહાને ત્યાગ નહિ કરું. સ્પૃહાના ત્યાગની સ્પૃહા.”. - શું આપના અદના સેવકની આટલી અરજી ના સ્વીકારો ?
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy