________________
૧૯
ગુરુદેવ કેટલું સુંદર સમજાવે છે. આપણે તેા નાન! આલ! ગુરુદેવ જે સમજાવે તે આપણે સમજવું. આ વિચારથી અભ્યાસ અંગે કંઇક માનસિક અભિરુચિ પ્રગટી. પણ, સૂત્રના અભ્યાસ તરફે આકષ ણુ ના હતુ'. વિ.સં. ૨૦૦૯નુ પૂ. દાદાગુરુદેવનું ખંભાતમાં ચતુર્માંસ,
પૂ. દાદાગુરુદેવને મેતિયાની તકલીફ વધતી જતી હતી. દિવાળીના દિવસમાં પૂ. દાદાગુરુદેવની ભાવનાથી પૂ. ગુરુદેવે એ દિવસમાં સંપૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્ર સભળાયું. પૂ. ગુરુદેવ મધુર વાણીમાં ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરે અને પૂ. દાદાગુરુદેવ સૂત્ર શ્રવણમાં એટલા નિમગ્ન બનતા હતા કે જાણે સાક્ષાત્ પરમાત્મા મહાવીરની જ દેશના શ્રવણ ના કરી રહયા હાય ! ! ! તે મનેાહર દૃશ્ય આજે પણ આંખ સમક્ષ ખડું થતાં આંખા અશ્રુથી સભર અને છે.
તે સમયે તે મનમાં એક આછી પાતળી ભાવના થઈ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કઠસ્થ કરવુ: જોઈ ..... પણ.... અમારા મનની ભાવના તેા મનમાં રહી. પણ, અમારા તારક પૂ. પા. ગુરુદેવેશે એણેાસીત્તેરમાં વર્ષે પણ મહાન જ્ઞાન સાધનાના પ્રારંભ કર્યાં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મેટા અક્ષરની પ્રત પ્રાપ્ત થવાથી આંખે મેાતિયાની તકલીમાં પણ ગાથાઓ કંઠસ્થ કરવા લાગ્યા. અમે જ્યારે પણ વંદન કરવા જઈએ—શાતા પૂછીએ. . . પણ, દાદાગુરુદેવેશને તે પુસ્તક હાથમાં લઈ નાના બાળકની જેમ અભ્યાસ કરતાં જ જોઈએ. હું આનંદ-વિસ્મય અને લાડથી પૂછી લઉં....