Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/004057/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेश ope NOLONELONOMIC ZOOZOYOYOYOYO MOZONCONZoZY ΑΘΩΟΟΟ SAKO ATOR BIG ॐ रचयिता याकिनीमहत्तरासूनुः आचार्यश्रीहरिभद्रसूरिः * विवेचनप्रेरकः आचार्यविजयगुणरत्नसूरिः आचार्यविजयरश्मिरत्नसूरिः Jain.Edunlioninemamal E S & Private Use Only viewsjainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ हिमालय सा उत्तुंग है वो जिनशासन हमारा है गंगा सा निर्मल और पावन जिनशासन हमारा है पतितो को भी पावन करतां जिनशासन हमारा है तारणहारा तारणहारा जिनशासन हमारा है जैनम् जयति शासनम् की अलख जगाना जारी है हे जिनशासन ! तुजको वंदन तेरा ध्वज जयकारी है वंदे शासनम् ... जैनम् शासनम् .... જય 187 शासन For Personal & Private Use Only . Page #3 -------------------------------------------------------------------------- ________________ - પતિ C વિશેષતાઓ : અનેકાંતવાદળા અભુત પદાર્થોનું તલસ્પર્શી નિરૂપણ... કર્મક્ષયોપશમ, જ્ઞાનાદિ સૂક્તપદાથની વર્કશઃ સિદ્ધિ... રાસાદાદિ અનેકાંતના મૂળભૂત સિદ્ધાંતોની અર્થગંભીર યુઓથી અખાધાં સ્થાપના... એકાંતવાદીઓoળી માન્યતાથી જ એકાંતવાહીનું આમૂલચૂલા iS[... બૌદ્ધ વૈશેષિકાદ નોળી સચોટ સમીક્ષા... જ્ઞાનાદ્વૈત, શGદાઢી, એકાંત નિર્વિકલ્પ આદિ મિટ્યામૂઢ કુમાન્યતાઓનું તર્કબદ્ધ ઉ6મૂલળ... તપ કેવો હોવો જોઇએ ? કેવું ધ્યાન કલ્યાણકારી બને ? મોક્ષ, અૉકાંતવાદમાં ' જ થાય... એવા અનેક રહસ્યપૂર્ણ નિરૂપણોનું સુત્ર સંકલ[... પ્રમાણ અને વ્યાર્થિક-પર્યાયાર્થિક નળી શૈલીને હદયસ્થ [ળાવતો ગ્રંથ ... દૃષ્ટિો અનેકાંતમય બનાવી સાગ્ય અને સમાધિનું અર્પણ કરી એક અqલ, કૃતિ... અવશ્ય વાંચો, અનેકાંતના સિદ્ધાંતો પર ફિદા થયા વિના જૂહીં રહો. મૂળ, વીતરાગપરમાત્માની સ્યાદ્વાદશૈલી પર ઓવારી જશે ! For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ - unit || શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમ: II ॥ तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ।। । तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। श्री याकिनीमहत्तराधर्मसूनुसूरिपुरन्दराऽऽचार्यदेवश्रीहरिभद्रसूरिविजृम्भित : | બેભાનાવાવપ્રવેશ: | __ अनेकान्तजयपताकाख्याऽऽकरग्रन्थप्रवेशद्वारभूतः । 'प्रवेशरश्मि'-आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृतः ( વિવેચનપ્રેરક 10) N દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતારક, આ.ભ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરસૂરીશ્વરજી મહારાજા... પ્રવચનપ્રભાવક, પદર્શનનિષ્ણાત, આ.ભ. પરમ પૂજય ગુરુદેવશ્રી રિબસૂરીશ્વરજી મહારાજા... - સંશોધક : શાસનપ્રભાવક આ.ભ.વિ. રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વિદ્વરેણ્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ – IIIII મiler - • . . ••• .. •••••• For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) - પરિચયપત્રિકા - * ગ્રંથઃ અનેકાંતવાદપ્રવેશ (દાર્શનિક કૃતિ) ૪ ભાષા સંસ્કૃત * શૈલીઃ ગદ્ય * કર્તાઃ ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ. આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. * વિષય: (૧) સદસવાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્યવિશેષવાદ, (૪) અભિલાખ અનભિલાષ્યવાદ, (૫) અનેકાંતવાદમાં જ મોક્ષ – આ પાંચ મૂળભૂત સિદ્ધાંતનું તર્કપૂર્ણ નિરૂપણ. * ઉદ્દેશ: અનેકાંતજયપતાકા ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં સમજવા અને તેના અધ્યયન માટેની પૂર્વભૂમિકારૂપ ગ્રંથ. * પ્રવેશરશ્મિ (ગુજરાતી અનુવાદ :) અનેકાંતવાદપ્રવેશના પદાર્થોને એકદમ સરળ શબ્દદેહ આપી વિશદતાથી વર્ણન કરતી ભાવાર્થ અને વિવેચનરૂપ ગુજરાતી વિવૃત્તિ. * દિવ્યાશીર્વાદઃ પ.પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા . પ.પૂ. ન્યાયવિશારદ આ.ભ.શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.ભ.શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા * વિવેચનપ્રેરક : પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા * સંશોધક: વિદ્વદર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. * સહાયક વિદ્વદ્વર્ય મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા મુ.શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. * વિવેચકસંપાદકઃ મુનિ યશરત્નવિજયજી * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ * વિવેચનનિમિત્તઃ વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દી વર્ષ * પ્રકાશનનિમિત્તઃ દીક્ષાદાનેશ્વરી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મહારાજાનું સૂરિપદ રજત વર્ષ. * પ્રકાશકઃ જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષઃ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯, ઈ.સન્ ૨૦૧૩... * મૂલ્યઃ ૩૦૦/ * નકલઃ ૫૦૦ + આવૃત્તિઃ પ્રથમ * સુકૃતસહયોગઃ શ્રી અઠવાલાઈન્સ છે.મૂ.પૂ. જૈનસંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ. * સૂચના આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્વ્યયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી ન કરવી. O, * પ્રિન્ટીંગ-ડિઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વ શાહ, મો. ૯૪૨૮૫OO૪૦૧ છે. * કમ્પોઝીંગઃ રાજેન્દ્ર પટેલ, મો. ૯૮૨૪૮૯૫૦૩૪ - અમદાવાદ. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કાજ ચાર સમર્પણમJ.) સુવિશુદ્ધ સ્યાદ્વાદ માર્ગપ્રરૂપક, શ્રુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક પ્રભુવીરના પવિત્ર હસ્તોમાં અનંતાનંત લબ્ધિતીરધિ તથા વીચરણ પોપાસક પૂજય વખસ્વામીમહારાજાના પવિત્ર હસ્તોમાં સટીક- સવિવરણ - સવિવેચન અનેકાંતવાદપ્રવેશ' ગ્રંથ પરતું ભાવાર્થ- વિવેચતમય મુાતી વિવેચન સવિનય સમર્પિત કરું છું.. કૃપાકાંક્ષી મુતિ ચશરત્નવિજય For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ (૪) (૧) (૨) શક સંક્ષિપ્ત વિષય-નિર્દેશ અંતર્વર્ડા............. तेन प्राप्तेन सर्वं प्राप्तम्... अनेकान्तो विजयते. અનેકાંતવાદ-પ્રવેશ.... અનેકાંત : જગદીવો........... હસ્તલિખિત પ્રતો ............. સુંદર પદાર્થ-રસાસ્વાદ ........ વિષયાનુક્રમણિકા ............. (૪) (૫) ....... (૬) ....... ૨૧ (૭) (૮) ...... ૨૨ અહો સુકૃતમ્) પ્રસ્તુત ગ્રંથતા પ્રકાશનનો સંપૂર્ણ લાભ અઠવાલાઈન્સ જન સંઘ વથા ફૂલચંદ જ્યાણચંદ ઝવેરી દ્રઢ લાલબંગલા અઠવાલાઇન્સ સુરતવાળાએ પોતાની જ્ઞાનવિધિનો સુંદર ઉપયોગ કરીને લીધો છે. સુકૃત-સત્કાર્યની શતશઃ અનુમોદના.. * પ્રાપ્તિસ્થાન , (૧) શાહ બાબુલાલ સરેમલજી (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., હીરા જૈન સોસાયટી, સાબરમતી, સ્વામીનારાયણ મંદિર પાસે, અમદાવાદ-૦૫. અડાજણ, સુરત-૩૯૫૦૦૯. | (૫) ભંવરભાઈ ચુનીલાલજી ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪ ફોન- (રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ C/o. ભૈરવ કોર્પોરેશન S/૫૫, વૈભવલક્ષ્મી કોમ્લેક્ષ, | (મો) ૯૬૦૧૧ ૧૩૩૪૪ (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (૪) હેમંતભાઈ આર. ગાંધી (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીક્વેટીક્સ, ૧/૫ C/o. ૬૦૩, ૨૫/B, શિવકૃપા સો. રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ ક્રોસલેન, ૨જો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. (મહારાષ્ટ્ર) ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩ ફોન - (રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ MODULUUN સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, શ્રુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ , દ પ્રભુવીર.. કામક, સમાજ 'વીરાજ્ઞાનિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિનીરધિ, આજીવન For Personal & Private Use Only y pelibrary.org આવવી નક સ્વનામધન્ય ઘરમ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાંતમહોદધિ, સહસ્રાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ૫.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશનાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સંઘ-એકતાશિલ્પી, જ્ઞાન-દર્શન-ચારિત્ર અપ્રતીમપ્રયાણ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાકર, આગમહાઈમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા Jain Education coternational For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમના ભીષ્મતપસ્વી અપાર સામ્યસિન્ધુ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, ગીતાર્થતા-સંવિગ્નતા સંપન્ન ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક ૫.પૂ.આ.ભ. 1 વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક, ષદર્શનતિષ્ણાત, તિખાલસતાતીરધિ, ગુરુપરિતોઐકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત | વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી Page #11 -------------------------------------------------------------------------- ________________ ODA सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती ।। For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (૫) ને પ્રકાશકીય હદયોર્મિ | જય જિનશાસન! અનેકાંતવાદપ્રવેશ” નામની; પ્રમાણમાં નાની છતાં અનેક મહત્ત્વપૂર્ણ પદાર્થોને સુંદર શૈલીમાં પીરસતી એક સુંદર કૃતિ... જેના રચયિતા, પરમતાર્કિકાગ્રણી, સુગૃહીતનામય, સૂરિપુરંદર આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. I અનેકાંતજયપતાકા ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં મળી રહે... જ અનેકાંતજયપતાકા ગ્રંથમાં સરળતાથી પ્રવેશ થઈ શકે... IT અનેકાંતના મૂળભૂત તત્ત્વોનું સરળ શૈલીમાં જ્ઞાન થઈ રહે... એ બધા પ્રસ્તુત ગ્રંથરચનાના પ્રયોજનો છે. પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રવરપ્રેરણાથી તૈયાર થયેલ સાનુવાદ આ ગ્રંથરત્નને પ્રકાશિત . ' કરતાં, આજે અમે આનંદ અનુભવીએ છીએ. મૂળગ્રંથના શુદ્ધિકરણ માટે, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જિનશાસન આરાધના ટ્રસ્ટ વગેરે ? કે સંસ્થાઓનો સુંદર સહયોગ મળ્યો છે, તેઓશ્રીએ શુદ્ધ હસ્તપ્રતો મેળવી આપી છે - તે બદલ તેમનો અત્યંત ; આભાર ! : શ્રુતપ્રકાશનના આ કાર્યમાં ગીતાર્થગંગા સંસ્થાએ તેમના દ્વારા કોમ્યુટરમાં કંપોઝ કરાવેલ : અનેકાંતવાદપ્રવેશ ગ્રંથની સોફ્ટકોપી ભેટ આપેલ છે, જેના કારણે પ્રકાશન કાર્યમાં સહાય થયેલ છે. : ગીતાર્થગંગા સંસ્થા દ્વારા આ ગ્રંથનો ગ્રંથાઝ પણ મળેલ છે. તેમની શ્રુતભક્તિની અનુમોદના. કંપોઝ-સેટીંગ-પ્રિન્ટીંગ વગેરે કાર્ય, નવરંગ પ્રિન્ટર્સવાળા અપૂર્વભાઈ અને રાજેન્દ્રભાઈએ ખૂબ જ : ઉત્સાહ અને કુશળતાથી પાર પાડેલ છે, તે બંનેને અત્યંત ધન્યવાદ.. ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ અને ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટે લીધો છે, તેમની ભૂરિ ભૂરિ અનુમોદના... પ્રાંતે, આ ગ્રંથના અધ્યયન દ્વારા સહુ અનેકાંતમય તત્ત્વને જાણે અને આત્મશ્રેયને સાધે એ જ એક મંગલકામના સાથે વિરમીએ છીએ. દ. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ.. O 0 . CYCCC 0 For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) અંતર્વા એક અત્યંત વિશાળ મહેલ છે, ખૂબ જ ચિત્તાકર્ષક ! એ મહેલના અંદર શું છે ? એની વિગતો સાથે રહેલો ગાઈડ આપી રહ્યો છે... સાંભળતાં - સાંભળતાં વિસ્મયની લાગણી ઉભરાય છે. હવે માત્ર એક જ ઝંખના થાય છે કે આ મહેલ ગમે તેમ કરીને મારે સાંગોપાંગ જોવો છે. પણ પહેલો જ પ્રશ્ન ઉભો થાય કે આ ભવ્ય મહેલનો પ્રવેશદ્વાર ક્યાં છે ? પ્રવેશદ્વાર વગર અંદર જવાય નહીં અને અંદર ન જઈએ ત્યાં સુધી અંદરની ઝાકઝમાલ દૃષ્ટિગોચર થાય નહીં. પૂજ્ય સૂરિપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘અનેકાંતજયપતાકા’ ગ્રંથની અદ્ભુત રચના કરી અને એ ગ્રંથના પ્રવેશદ્વાર સમાન આ ‘અનેકાંતવાદપ્રવેશ’ ગ્રંથની રચના કરી મહાન ઉપકાર કર્યો છે. જે રીતે આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ ‘સ્યાદ્વાદરત્નાકાર' નામના મહાકાય ગ્રંથની રચના કરી અને એમના શિષ્ય આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ એ ગ્રંથમાં પ્રવેશ માટે ‘રત્નાકરાવતારિકા' ગ્રંથની રચના કરી, એ જ રીતે અહીં પોતે જ સૂરપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના ગ્રંથ ઉપર અવતારિકા સમાન આ ગ્રંથની રચના કરી અદ્ભુત - અદ્ભુત ઉપકાર કર્યો છે... આ ગ્રંથ પર મુનિશ્રી યશરત્નવિજયજીએ સરસ વિવેચન લખી શ્રુતભક્તિનું સુંદર કામ કર્યું છે. ભવિષ્યમાં દ્રવ્યાનુયોગના ક્લિષ્ટ ગ્રંથો ખોલી સ્વ-૫૨ની આરાધનામાં ઉજમાળ બની મોક્ષ પામે એ જ શુભેચ્છા... For Personal & Private Use Only આચાર્ય વિજય ગુણરત્નસૂરિ..... Page #14 -------------------------------------------------------------------------- ________________ तेन प्राप्तेन सर्वं प्राप्तम् करूस एको भिक्षुः राजद्वारं प्राप्तः । स्वीयसमस्याञ्च पुत्कुर्वन् प्रकथितवान् 44 मुषितोऽहं.... मुषितोऽहं.... मम सर्वस्वं गतम् । (७) मम वस्त्रम्, मम शय्या, मम छत्रं, ममाधोवस्त्रं, ममोपरि वस्त्रम्.... सर्वमपि गतम्, दरिद्रोऽहमभवम् ॥" तेन च राज्ञे साश्रु निवदितं यदुत "कृपां कृत्वा राजन् ! आरक्षकान् आज्ञापयन्तु भवन्त:, प्रापयन्तु च मम मुषितभागम् स्वीकृता विज्ञप्तिः राज्ञा , दत्तश्च अवष्टम्भः तस्मै ॥ राज्ञादिष्टाः ससैनिकाः आरक्षकाः महाप्रयत्नेन तस्करं गृहीत्वा समुपस्थिताः । तस्य तस्करस्य च पार्श्वे एको महत्पटो मिलितः, स च अर्पितः भिक्षवे । भिक्षुः च तं आदरेण गृहीत्वा सहास्यं गन्तुमारब्धः ॥ राज्ञा च पृष्टः- ‘अधुना तु एकमेव लब्धं मुषितद्रव्यम्, अन्यत् त्वधुनापि अन्वेषणीयमस्ति' । स त्ववक् - ‘लब्धं मया सर्वमपि मुषितद्रव्यम्, न किञ्चिदवशिष्टमधुना' । राजा च साश्चर्यं उवाच 'कथम् ?' । - तेन च सरलया गिरा प्रथितम् 'मम एक एव पटः सर्वकार्यं साधयति' इति । - " इदमत्र रहस्यम् - एकस्मिन् पटे सन्ति बहवो धर्माः, अयमेव अनेकान्त:, एकस्मिन् वस्तुनि सन्ति अनेकधर्माः इति कृत्वा ॥ लोके धर्मे व्यवहारे च सर्वत्रापि अनेकान्तात्मकव्यवस्था एव बलीयसी श्रेयसी च । तां विना न कापि व्यवस्था सङ्गतिमङ्गेत् । C For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (८) अत एव च श्रीसिद्धसेनदिवाकरसूरिभिः सुष्ठ आलपितं श्रीसन्मतितर्कप्रकरणे - "जेण विणा लोगस्स ववहारो सव्वहा न निव्वहइ । तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ।" अनेकान्तजयपताकामध्ये स्थापितानेकान्तसिद्धान्तनगर्यां प्रवेशद्वारभूतः एष लघुग्रन्थः अनेकान्तवादप्रवेशाख्यः श्रीहरिभद्रसूरेः । सुविवृतञ्च स मच्छिष्यमुनियशरत्नविजयेन अल्पे चैव दीक्षा-वयःपर्याये। मदिच्छामनुसृत्य श्रुतभक्तिद्वारेण गुरुभक्तिरपि स्वादरिता, धन्यवादश्च तस्मै वितरामि ॥ परमपूज्य-शासनप्रभावक-आचार्य विजयरत्नसुन्दरसूरीश्वरशिष्यैः विद्वद्वरेण्यमुनिभव्यसुन्दरविजयैश्च सूक्ष्मेक्षिकयाऽस्य प्रमार्जनं कृत्वा हर्ष वितेनिरे ॥ एतद्ग्रन्थस्य अध्ययन-अध्यापनद्वारेण अनुवादकारः सर्वेऽपि जिज्ञासवश्च अन्तर्मुखताप्रसाधनेन निर्जरां लब्ध्वा सर्वकर्मपरिक्षयसाध्यां मुक्तिमवाप्नुवन्तु इति एकैव अभिलाषा ॥ ॥ शिवमस्तु सर्वजगतः ॥ लि. आचार्यविजयरश्मिरत्नसूरिः Sta For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૯) अनेकान्तो विजयते (પ્રસ્તાવના). થોડા વખત પહેલા એક ડોક્યુમેન્ટ્રી તૈયાર થયેલ. જેનું નામ હતું : “Is it always } right to be right” અર્થાત્ “કાયમ સાચા હોવું એ શું સાચું છે?” મુદ્દો મજાનો છે... સંઘર્ષોના મૂળ, ઘણું કરીને વિચારભેદ અને અસહિષ્ણુતામાં રહ્યા હોય છે. વિશ્વમાં ફેલાતા રોગો માટે ઔષધો શોધાતા રહે છે, પણ વિવાદને શમાવી સંવાદમાં લાવી આપતું એકમાત્ર મહૌષધ હોય, તો એ છે અનેકાંતવાદ! જેનું નિરૂપણ પ્રભુએ ગર્ભિત રીતે ત્રિપદીના માધ્યમે જ કરી દીધું ! અનેકાંતવાદ એ જૈનવિચારધારાનો મુખ્ય પ્રવાહ કહી શકાય. એક જ વાતને, . વિગતને, વસ્તુને, વ્યક્તિને કે વિચારને અન્યાન્ય દૃષ્ટિકોણોથી વિચારવાની space એ અનેકાંતવાદ આપે છે. | વ્યવહારતઃ માલિકીભાવે જે વસ્તુ મારી છે, તે જ વસ્તુ તત્ત્વતઃ મારી નથી પણ ખરી... કારણ કે, તત્ત્વતઃ તો કેવળ મારા સ્વભાવરૂપ આત્મગુણો જ મારા છે. જ કો'ક ભવમાં જેઓ મારા સ્વજન હતા, તેઓ વર્તમાનભવે મારા સ્વજન ન પણ હોય. આમ તેમનું સ્વજનપણું પણ આપેક્ષિક છે. જ ‘વલસાડ દૂર છે’ અને ‘વલસાડ નજીક છે એની ચર્ચામાં અમદાવાદની અપેક્ષાએ પહેલું વાક્ય સાચું છે ને મુંબઈની અપેક્ષાએ બીજું વાક્ય સાચું છે. IT શિયાળામાં અત્યંત અનુકૂળ એવા ઊનના વસ્ત્રો ઉનાળામાં અત્યંત પ્રતિકૂળ ગણાય એકાંતે કોઈ વસ્તુ નજીક/દૂર નથી, સારી નરસી નથી કે એકાંતે કોઈ વ્યક્તિ પોતાની/પારકી નથી. અલગ અલગ અપેક્ષાને લઈને વસ્તુતત્ત્વને અલગ અલગ રીતે સમજાવતી વિચારધારા એટલે જ અનેકાંતવાદ ! અનેકાંતવાદપ્રવેશ” એ યથાર્થનામા ગ્રંથ છે. પ્રસ્તુત ગ્રંથમાં મુખ્ય પાંચ વિષયો છે : (૧) સદસદ્વાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાખ અનભિલાષ્યવાદ... આ પાંચ વિષયો બાદ, અનેકાંતમાં જ મોક્ષની રજૂઆત, - - - - - - For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૦) અનેકાંતવાદની ફરજિયાત ગ્રાહ્યતા સૂચવે છે. સમજવામાં કઠિન લાગતો “અનેકાંત' નામનો દાર્શનિક પ્રમેય, ખરેખર અત્યંત લોકભોગ્ય અને જીવનસંગત છે. તે એટલી હદે કે તેને છુટો પાડવો મુશ્કેલ છે. અત્યંત સ્થૂળદષ્ટિએ સમજવા પૂરતા કેટલાક વ્યાવહારિક ઉદાહરણો લઈએ – • “તમારો દીકરો તમને મળવા આવે છે ખરો?” “શેનો દીકરો ? કોનો દીકરો ? જેને સાથે રહેવું નથી, વડીલોને સાચવવા નથી, તે દીકરો શાનો? મેં તો હવે હાથ ધોઈ નાંખ્યા છે... મનને પણ ભૂલાવવા મથી રહ્યો છું કે મારે દીકરો છે !” આને સદસર્વાદ કહી શકાય. આમ દીકરો છે પણ ખરો, અને છતાં, નથી પણ ખરો ! સ્વર્ગવાસ પામેલી કોઈ વિભૂતિના અવિસ્મરણીય અને અનુપમ ગુણવૈભવને યાદ કરીને બોલાય છે : “મહાપુરુષો ક્યારેય મરતા નથી. ગુણપિંડથી તેઓ કાયમ હયાત હોય છે...” નિત્યાનિત્યવાદને સમજવા માટે આ ઉદાહરણ ચાલે. વ્યક્તિ વિલય પામી છે, છતાં કો'ક રીતે અવિલીન રહે છે. ગાંધીજીના ચશ્માથી લઈને સ્વ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.નો દંડ! આમ વસ્તુ સામાન્ય લાગે, છતાં તેના જૂના માલિકની અપેક્ષાએ તે વસ્તુ ઘણી જ વિશેષરૂપ પણ છે... આને સામાન્ય-વિશેષવાદ કહી શકાય. • તીર્થકરોના અનંત ગુણવૈભવને વિસ્તારથી વર્ણવી દીધા પછી ‘ત નૈવ પર્યતે' કહીને અટકી જવું પડે છે. જેટલા અંશે બોલી શકાયું, તેટલા અંશે અભિલાપ્ય અને કેવળી કે સરસ્વતી માટે પણ વર્ણનાતીત અંશને અનભિલાપ્ય ગણી લઈએ, તો આ ઉદાહરણ અભિલાપ્ય-અનભિલાષ્યવાદને સમજવા ઉપયોગી છે. વિષયવિભાગને સ્થૂલદષ્ટિએ સમજવા પૂરતા જ આ ઉદાહરણો છે. આ વિષયોના અધ્યયન થકી, મતિ અનેકાંતપરિકર્મિત બને છે અને ત્યારે જ સાધના બળવાન અને ફળવાન બને છે. છેલ્લે “અનેકાંતવાદમાં જ મોક્ષ' જણાવીને, ગ્રંથકારશ્રીએ, એકાંતવાદની મોક્ષબાધકતા પણ જણાવી દીધી છે. પ્રચલિત મતાંતરો, સંઘર્ષો ને વિખવાદો ત્યાં સુધી લોખંડસ્થિતિએ રહે છે, જ્યાં સુધી અનેકાંતનો પારસમણિસ્પર્શ તેને સાંપડ્યો ન હોય ! જેટલા માથા એટલા મન”ની ઉક્તિ પ્રમાણે આ વિશ્વ એટલે અડાબીડ વિચારવન ! તેમાં વનરાજ તરીકે અનેકાંતવાદનું સ્થાન છે. ક્યાંક ને ક્યાંક અનેકાંતની આણમાં રહીને જ અન્ય વિચારધારા કે દર્શનધારા ટકે છે. શ્રી વાદિદેવસૂરિ મહારાજે સ્વવિરચિત સ્યાદ્વાદરત્નાકર ગ્રંથના મંગલાચરણમાં સ્યાદ્વાદની સ્તવના કરી છે અને તે પણ ઉપરોક્ત વિચારને જાણે સિક્કો મારતા હોય તેવા છે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શબ્દોમાં : "प्रक्रीडन्नयकानने विजयते स्याद्वादपञ्चाननः" પ્રસ્તુત ગ્રંથના વિષયનો વિસ્તાર અને નિખાર “અનેકાંતજયપતાકા' ગ્રંથમાં છે. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત બંને ગ્રંથો પર ગુજરાતી વિશદ વૃત્તિ અને વિસ્તૃત વિવેચના લખીને, મુનિરાજશ્રી યશરત્નવિજયજીએ અનુપમ સર્જન કર્યું છે. દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.દેવ શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.ની કૃપા અને વિદ્વધર્ય પ. પૂ. આ.દેવ શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.નું પીઠબળ મેળવીને વિદ્વાન મુનિરાજશ્રી યશરત્નવિજયજી એ કરેલ અથાગ પ્રયાસ પ્રશંસનીય છે. પાંચ ભાગમાં પ્રકાશિત થયેલ અનેકાંતજયપતાકાની સાથે પ્રકાશિત થતા આ ગ્રંથનું સંપૂર્ણ સંશોધન કરનાર ન્યાયાદિશાસ્ત્રવેત્તા, આગમાદિ સાહિત્યના જ્ઞાતા વિદ્વાન મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજીએ સ્વકાર્ય દ્વારા આ ગ્રંથની ઉપાદેયતામાં વૃદ્ધિ કરી છે. પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન એ અધ્યયન અને અધ્યાપનયોગની થાળીમાં એક નવી વાનગી પીરસે છે. આ ગ્રંથનું અધ્યયન, મતિને અનેકાંતશૈલીથી પરિકર્મિત બનાવી મોક્ષમાર્ગસાધની બનાવે. માર્ગસ્થ બોધ, નિર્ણયો ને અવધારણા કરવામાં સહાયક બનાવે. અને શીઘ્રમ્ મોક્ષપ્રાપક બનાવે એવી શુભકામના. === પં. ઉદયવલ્લભવિજય વિ.સં. ૨૦૬૮, આસો સુદ-૫, માટુંગા. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) અનેકાંતવાદ-પ્રવેશ Ay અનાદિ કાળથી આપણા સંસાર-પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ છે. એકાંત માન્યતા છે. જો એ સંસારથી છુટકારો મેળવવો હોય તો એકાંત માન્યતાને છોડીને, અનેકાંતનો સ્વીકાર કરવો જ પડશે. એ અનેકાંત શું છે ? તેની પ્રાથમિક સમજણ અને એકાંત માન્યતાઓનું બહુ સંક્ષેપમાં નિરસન કરતો તાર્કિક શિરોમણિ હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો ગ્રંથ એટલે અનેકાંતવાદ-પ્રવેશ. ગ્રંથનો પરિચય તો અભ્યાસ કરવાથી જ થઈ શકે. પણ આપણી બુદ્ધિ એટલી ક્ષીણ થઈ ગઈ છે કે અનેકાંતવાદ-પ્રવેશમાં પણ આપણે પ્રવેશ કરી શકીએ નહીં, ત્યારે એમાં પ્રવેશ કરવામાં સહાય કરવા માટે, તેનો અનુવાદ લઈને પ.પૂ.મુ.શ્રી યશરત્નવિ. મ.સા. આપણી પાસે ઉપસ્થિત થયા છે. અનેકાંતવિષયક ગ્રંથનો અનુવાદ ક૨વો એ ઘણી જ જ્ઞાનગંભીરતા અને પરિપક્વતા માંગે છે. મુનિરાજ બહુ નાની વય અને અલ્પ પર્યાયમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે, તેમાં કારણ તેમનું ગુરુબહુમાન-સમર્પણ અને તેના દ્વારા પ્રાપ્ત થયેલી ગુરુકૃપા તથા અવિરત પુરુષાર્થ છે. તેમની હાર્દિક અનુમોદના કરીએ અને આ ગ્રંથના અધ્યયન દ્વારા તેમના પુરુષાર્થને સફળ કરીએ · આપણા સમ્યગ્દર્શનને નિર્મળ કરીએ, એ જ શુભાભિલાષા... For Personal & Private Use Only દ. ભવ્યસુંદરવિ. જેઠ સુ. ૪, વિ.સં. ૨૦૬૮. કેશવ સૃષ્ટિ, ભાયંદર. Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૩) | | શ્રીશહેશ્વરપાર્શ્વનાથાય નમ: ___तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ I ! શું નમ: II અહોકાંત: દીવો , (વિવેચકની કલમે), • અંધકાર, દૃષ્ટિનો પ્રસાર રોકી દે. • અંધકાર, જરૂરી કાર્યને કરવામાં વિઘ્ન ઊભું કરે. • અંધકાર વિપર્યાસનું સર્જન કરે (થાંભલો પણ માણસ દેખાય) • અંધકાર ભયભીત બનાવી દે. પણ દીવડાની એકમાત્ર જયોત, ચોમેર પ્રકાશ પાથરી એ અંધકારનું અસ્તિત્વ નામશેષ કરી છે નાંખે છે ને એની તમામ અસરો દૂર ફેંકી દે છે. વાત છે એકાંત-અનેકાંતવાદની ! એકાંત તે ભયાનક અંધકાર છે... • દૃષ્ટિને સંકુચિત ને છીછરી બનાવે. • સમતારૂપ સિદ્ધિને સાધવામાં સંકલ્પ-વિકલ્પોનું વિઘ્ન ઊભું કરે. • ઉન્માર્ગમાં પણ સન્માર્ગનો ભ્રમ કરાવી વિપર્યાસનું સર્જન કરે. • ને યાવત્ રાગ-દ્વેષની કારમી વેદનાઓ આપીને આત્મસ્વરૂપને ભયભીત કરી દે છે. આ છે એકાંતવાદની ભયાનક અસરો! તેનાથી વ્યથિત થયેલો જીવ દિમૂઢ થઈને અનેક દોષોનું ! ઉપાર્જન કરે છે અને તેનાથી દીર્ઘતર સંસાર વધારી કહુફળોનો ભાગી બને છે. પણ “અનેકાંત' એ એક જયોતિશીલ દીવડો છે. તેની એકમાત્ર જયોત, એકાંત અને એકાંતની ! તમામ અસરોને દૂર ફેંકી દે છે. તેનાથી દષ્ટિ ખુલે છે... દોષ ટળે છે... ને યાવતુ પરમરહસ્યની ! I પ્રાપ્તિ દ્વારા સાધનાનું સામ્યરૂપ ઉદ્દેશ્ય હાથવગું થાય છે. અધ્યાત્મોપનિષદ્ધાં તો ત્યાં સુધી *જણાવ્યું છે કે – “જે વ્યક્તિ પાસે સ્યાદ્વાદનું સુવિશદ અજવાળું છે, તે જ વ્યક્તિ અધ્યાત્મ પામી શકે, તે સિવાયનો નહીં.” | વિચારતા કરી મૂકે એવી વાત છે. સ્યાદ્વાદ નહીં, તો અધ્યાત્મ પણ નહીં ! રે, યાવતુ-મોક્ષમાર્ગ પણ નહીં! અત્યંત અત્યંત આવશ્યક છે, એ સ્યાદ્વાદ અને અનેકાંતવાદ ! S) * “નગ્નવૃતપ્રાન્તિ:, દિશાન્તિસમુd: | स्याद्वादविशदालोकः, स एवाध्यात्मभाजनम् ॥' - अध्यात्मोपनिषद् १/५ ------------- હ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૪) હું આગળ વધીને ઉપદેશરહસ્યમાં તો પૂ. મહોપાધ્યાયજી મહારાજે છેક ત્યાં સુધીની વાત* કહી) છે કે – “જેની પાસે સ્યાદ્વાદની જાણકારી નથી, તેની પાસે સમ્યક્ત પણ નથી જ.” (6 સ્યાદ્વાદ હશે, તો જ સમ્યક્ત ! તેના વિના સમ્યક્ત પણ નહીં! સાદ્વાદ ન સમજેલા અને ન શીખેલાને મિથ્યાત્વીની કક્ષામાં મૂકી દેતું આ વચન છે. છે પણ પ્રશ્ન એ થાય કે, સ્યાદ્વાદમાં એવું શું મહત્ત્વ હશે ? કે જેના વિના સમ્યક્ત પણ ન , ન હોય ને જીવ કાયમ માટે મિથ્યાત્વી જ બન્યો રહે.. તેનું સમાધાન એ જણાય છે કે, જીવ મોટા ભાગનો પોતાનો સંસાર એકાંતના કારણે ઊભો કરે છે. એકાંતથી સંકલ્પ-વિકલ્પ, તેનાથી રાગ-દ્વેષ, તેનાથી કર્મબંધ ને યાવતું દીર્ઘતર સંસારની પરિવૃદ્ધિ ! હવે આ એકાંત અનેક પ્રકારનો હોઈ શકે, તે આપણે વિસ્તારથી જોઈએ અને તેનાથી કેવા કટુરિપાકો પ્રાપ્ત થાય? અને અનેકાંતની કેવી સુરમ્યતા ને નિર્દોષતા છે? તે પણ આપણે જોઈએ # એકાંતે ગોળ કફનું કારણ બને છે ને એકાંતે સૂંઠ પિત્તનું કારણ બને છે. આ છે દ્રવ્ય-એકાંત છે ! પુદ્ગલ તરફનો એકાંત ! અને તે બેના મિશ્રણથી બનેલી સૂંઠની ગોળી એ અનેકાંત છે અને તે છે આરોગ્યનું કારણ બને છે. જ પોતાના જ્ઞાનનો અહંકાર નિતવોને પણ હતો ને ઇન્દ્રભૂતિ વગેરે ગણધરોને પણ હતો ! © પણ નિહ્નવોને એ દોષ સાથે આગ્રહ, પક્કડ ને એકાંત હતો ! અને આ એકાંત એટલે પોતાની ભૂલ 0 તે બતાવવા છતાં પણ એ ભૂલનો સર્વથા અસ્વીકાર અને સામેવાળાના પક્ષમાં જ દૂષણોનો આરોપ... ! આ છે દોષમાં ભળેલો એકાંત ! ખરેખર દોષ કરતા પણ વધુ ખરાબ છે દોષમાં ભળેલો એકાંત ! એટલે જ તેઓ પોતાની સાધનાને આગળ ન વધારી શક્યા ને દીર્ઘતર સંસારના વર્ધક થયા. - જ્યારે ઇન્દ્રભૂતિ વગેરેનો અહંકાર હતો, છતાં તેમાં એકાંત નહોતો. કોઈની પણ અપેક્ષા- 1 અભિપ્રાય સાંભળવાની-સ્વીકારવાની વિનમ્રશીલતા હતી અને એના પ્રતાપે જ તેઓ ગણધરપદ ને ? યાવત્ પરમપદના ભાગી થયા ! If મરેલા-સડેલા કૂતરાને જોઈને દ્વેષની અને અરુચિની લાગણી અનુભવાય છે અને સુગંધીસુરમ્ય ફૂલને સુંઘીને રાગની લાગણી અનુભવાય છે. આ રાગ-દ્વેષનું કારણ છે, વસ્તુના તથ્ય સુધી પહોંચવાની અક્ષમતા ! આને કહેવાય દૃષ્ટિમાં વ્યાપેલો એકાંત ! ★ 'सदसदविसेसणाओ विभज्जवायं विणा ण सम्मत्तं । जं पुणो आणारुइणो तं निउणा बिंति दव्वेणं ॥१००॥' - उपदेशरहस्यम् * ‘જુડો દિ દેતુ: ચાસT પિત્તરમ્ | द्वयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजे ॥' - वीतरागस्तोत्रम् ८/६ । --------- - O 3 For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હું પણ અનેકાંતનો જાણકાર વ્યક્તિ, અનેક અપેક્ષાઓથી એ વસ્તુના તથ્ય સુધી પહોંચી, તેના શે વિશેષો પરના રાગ-દ્વેષની રહિત રહી શકે છે. એટલે જ તો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ શ્રીકૃષ્ણ મહારાજા (S કોહવાયેલા કૂતરામાં પણ ઉજ્જવલ દાંતની પંક્તિઓ જોઈને ગુણાનુરાગનો આહ્વાદ અનુભવતા હતા ને પરમાત્મા જેવા અનુકૂળતાની શ્રેણિઓ વચ્ચે રહીને પણ વીતરાગતા અનુભવતા હતા. આ બધો પ્રભાવ એ અનેકાંતનો જ છે ને ? જ સિંહગુફાવાસી વગેરેને પોતાના ગીતાર્થ પણ ગુરુ દોષવાળા લાગતા હતા. તેનું કારણ? ! એ જ કે, તેમનો દષ્ટિકોણ માત્ર એક તરફનો હતો કે “ગુરુએ જેવી સ્થૂલભદ્રજીની પ્રશંસા કરી, તેવી ! કે અમારી નહીં કરી...” આને કહેવાય – વ્યક્તિ પ્રત્યેના અભિપ્રાયમાં ભળેલો એકાંત ! અને એના 1 કારણે જ તેઓ ઈર્ષ્યાથી સળવળતા હતા. પણ ઠોકર ખાધા પછી અનેકાંત પકડાયો અને ગુરુ વિશેના અભિપ્રાયમાં અનેક દૃષ્ટિકોણો | { ઉમેરાયા. પછી જણાયું કે, ગુરુનું કુશળ-કુશળતર કાર્યને ઉદેશીને પ્રશંસાનો તરતમભાવ યોગ્ય જ ન હતો. આ અનેકાંત અપનાવ્યા પછી ફરી તેઓ પરમ સમર્પિત થઈ ગયા ને આત્મકલ્યાણ સાધી ગયા. ને એ પ્રસિદ્ધ છે. * અત્યંત ગ્લાન-અવસ્થામાં પુષ્કળ આર્તધ્યાન થવા છતાં પણ હું કોઈ જ જાતનો ઉપચાર | | નહીં કરાવું એવી વિચારણા એ ઉત્સર્ગનો એકાંત કહેવાય. અને તેના કારણે જીવ આર્તધ્યાનમાં મરીને ! દુર્ગતિ ભેગો થાય છે. © પણ અનેકાંતને જાણનાર વ્યક્તિ, કઈ અપેક્ષાએ એ નિષ્પતિકર્મના ઉત્સર્ગનું વિધાન છે? તેને 9 | સૂક્ષ્મતાથી સમજવા પ્રયત્ન કરે છે. અને તેનાથી વિપરીત દેશ-કાળાદિની પરિસ્થિતિ સર્જાતા, કે આર્તધ્યાનને રોકવા અપવાદનું સેવન કરીને પણ, ફરી ઉત્સર્ગનો આરાધક થાય છે. આ જ રીતે અપવાદના એકાંત-અનેકાંતના પણ સારા-નરસા વિપાકો સમજવા... તો અહીં છે દેશ-કાળ-પરિસ્થિતિ આદિને લઈને ઉત્સર્ગ-અપવાદની વિચારણા એ પણ અનેકાંતને જ સૂચવે છે છે ને? આ રીતે અનેક પ્રકારે એકાંત-અનેકાંતની વિચારણા થઈ શકે છે. ટૂંકમાં, એકાંતના કારણે ! ' જ રાગ-દ્વેષ વગેરે સર્જાય છે. પણ એ એકાંતના વિનાશનું કોઈ મહત્ત્વનું કારણ હોય, તો એ છે સ્યાદ્વાદ ! અનેકાંતવાદ ! એકાંતના રોગને દૂર કરવા, અનેકાંત એ અમોઘ ઔષધનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનાથી 1 જીવ નિરામય અને સ્વસ્થ બની પરંપરાએ પ્રસન્નતાની પ્રાપ્તિ દ્વારા પરમપદનો ભોક્તા બને છે. ન્યાયખંડખાદ્ય* ગ્રંથમાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે – “સ્યાદ્વાદ-અનેકાંત જેવા સર્વશ્રેષ્ઠ ઔષધને * “મૃતઘ્નતાનામતવિપક્ષનૈરાગ્યવિપર્યસ્તવૈવ ચાર્જિન દ્વારા | ___ इतो ये नैरुज्यं सपदि न गताः कर्कशरुजस्तदुद्धारं कर्तुं प्रभवति न धन्वन्तरिरपि ॥". (न - न्यायखण्डखाद्यम् श्लो० १०५ ।) ------ O 3 For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) પામીને પણ જેઓ નીરોગી નથી થયા, તેઓના કર્કશ રોગને દૂર કરવા તો ધન્વંતરી પણ સમર્થ નથી.'' હકીકતમાં અનેકાંત એ જીવનશુદ્ધિ માટેનું અત્યંત આવશ્યક અંગ ગણાય. તેનાથી સંકુચિત વૃત્તિ દૂર થઈને, દષ્ટિની વિશાળતા ખીલે છે. એટલે જ આ અનેકાંતને સમ્યક્ત્વનું મૂળ બીજ જણાવ્યું છે. આ અનેકાંતની જ સમજણ સૂરિપુરંદર પ.પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ અનેકાંતજયપતાકા નામના ગ્રંથની અંદર વિસ્તારથી કરી છે. પણ તે સમજવામાં અઘરો હોવાથી, બાળજીવોને તેના પદાર્થો સંક્ષેપમાં ને સરળતાથી મળી શકે, તે માટે તેઓશ્રીએ જ એક નાનકડી સરળ-કૃતિનું નિર્માણ કર્યું છે, જેનું નામ છે અનેકાંતવાદપ્રવેશ ! આ ગ્રંથમાં અનેકાંતનો સુરમ્ય વિષય પાંચ દાખલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. (૧) સદસાદ, (૨) નિત્યાનિત્યવાદ, (૩) સામાન્ય-વિશેષવાદ, (૪) અભિલાપ્ય-અનભિલાષ્યવાદ અને (૪) અનેકાંતમાં જ મોક્ષ... આ પાંચે વિષયોને આપણે સ્થૂલ દૃષ્ટાંતથી સમજીએ – જે જિનપૂજાદિરૂપ દ્રવ્યસ્તવ, ગૃહસ્થોને હોય છે, તે સાધુને નથી હોતો. એટલે આમ અપેક્ષાએ દ્રવ્યસ્તવ સદસત્ કહી શકાય. • અર્થથી નિત્ય પણ આગમ, તે તે તીર્થંકરોના શાસનસ્થાપના વખતે સૂત્રથી નવું રચાય છે. એટલે આમ અપેક્ષાએ આગમ નિત્યાનિત્ય કહી શકાય. • સામાન્યસ્વરૂપથી દ્વાદશાંગીરૂપ સમ્યØત પણ, સમ્યગ્દષ્ટિ-મિથ્યાર્દષ્ટિરૂપ વ્યક્તિવિશેષને લઈને સમ્યગ્-મિથ્યાશ્રુતરૂપે પરિણમે છે. આ કહેવાય શ્રુતની સામાન્યવિશેષરૂપતા. • સાકર કેવી ? તો કહી શકાય કે ‘મધુર' પણ પછી પ્રશ્ન કરાય કે ‘મધુરતા કેવી ?' તો તે વિશે કંઈ જ કહી શકાતું નથી આને અભિલાપ્ય-અનભિલાપ્ય કહેવાય. ♦ બંધાયેલા આત્માનો જ પરિણતિવિશેષથી છુટકારો થાય છે. તો આવી બદ્ધ અને મુક્ત એવી જુદી જુદી અવસ્થાઓ અનેકાંતમય આત્માની જ થઈ શકે. એટલે જ કહેવાય કે અનેકાંતમાં જ મોક્ષ છે. આ ગ્રંથમાં પદાર્થો, ખૂબ જ રોચક અને સરળ શૈલીમાં પીરસાયા છે, તે છતાં આ ગ્રંથ પણ પ્રાથમિક અભ્યાસુઓને અઘરો પડી શકે, એટલે તેઓની સરળ સમજૂતી માટે ભાવાર્થ અને વિવેચનમય ગુજરાતી વિવરણ તૈયાર થયું છે, જેનું નામ ‘અનેકાંતરશ્મિ’ છે... અધ્યયન-અધ્યાપન દ્વારા સહુ આ પ્રયત્ન સફળ કરે એવી શુભાભિલાષા... • દીક્ષાદાનેશ્વરી, શાસ્ત્રસાપેક્ષસંવ્યવહારકુશળ પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા અને પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા પરમકૃપા ને પાવનપ્રેરણા... આ બંને ગુરુભગવંતોની 0 For Personal & Private Use Only - FOR Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૭) - -------- -------- - ટ્ટ પ્રસ્તુત ગ્રંથને સુરમ્ય પ્રસ્તાવનાથી અલંકૃત કરી આપનાર પ.પૂ. યુવાપ્રવચનકાર પ.પ્ર. શ્રી Dઉદયવલ્લભવિજયજી મ.સા.નો અનન્ય ઉપકાર. • સૂક્ષ્મક્ષિકાથી પ્રસ્તુત ગ્રંથનું સાવંત સંશોધન કરી આપનાર કુશાગ્રમનીષિ પ.પૂ.મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા.ની પવિત્ર સહાય. • વિશ્વકર્ય-વિદ્યાગુરુ પ.પૂ.મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ.સા. અને ઉપકારીવર્ય પ.પૂ.મુ.શ્રી છે તીર્થરત્નવિજયજી મ.સા. આ બંને મુનિવરોનું પ્રેરક પીઠબળ. • સર્વ સહવર્તીઓનો અનન્ય સહકાર. •૫.પૂ. પ્રવર્તિની સા.શ્રી પુણ્યરેખાશ્રીજીના શિષ્યવર્ય પ.પૂ.સા.શ્રી સૌમ્યરેખાશ્રીજીના શિષ્યા ! પ.પૂ.સા.શ્રી નિરૂપરેખાશ્રીજી (બા મ.સા.) અને પ.પૂ.સા.શ્રી ધન્યરેખાશ્રીજી (બેન મ.સા.)નો ! પાવન ઉપકાર. આ સર્વે ઉપકારીઓની પરમકૃપાથી જ આ અનુવાદનું સર્જન થયું, તેમાં મારાથી અજ્ઞાનતવશાત્ - જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો તેની ક્ષમાયાચના. છે આસો શુક્લ પૂર્ણિમા ઉસ્માનપુરા, અમદાવાદ. વિ.સં. ૨૦૬૮ કૃપાકાંક્ષી શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર-ર ગુણરત્ન-રશ્મિરત્નસૂરિ ચરણલવ મુ. યશરત્નવિજય SOS ---STOS For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ( १८) અનેકાંતવાદપ્રવેશગ્રંથના સંપાદન - સંશોધન - અનુવાદમાં ઉપયુક્ત થયેલ हस्तलिखित प्रतो આ હસ્તલિખિત પ્રતોની પ્રાપ્તિ માટે, અનેક સંસ્થાઓ તરફથી મળેલો નિઃસ્વાર્થ સહયોગ, અનેક ધન્યવાદને પાત્ર છે. - A- प्रत •ना amir-umaunive - कार न aaian.tnsamlewashanilion-govinde firmanpurwanambalentinArIONamaruकामिवियाक विरkamarMAmais synon-eth Nik h ilgundarयालयविरमा नकारयविभवतित्यानककालानमारमादिपाय permacy मेय याविधिसल्यविदयावानसनिकायनामावास्यत्मामध्यवेक्ससवस्पिनिम्नयावाकानवषयकसंवेयंका amaril Howwwमस्यभन्थ्यविषयकAAPvtanaननिय प्रत्यापिकाक्रमेवमयावविश्वयनत्यमविरकरमाल in यावषयकपरिधिकंवालियनितिनचयविनियस्यमनियम्यनित्यवाय निन्ममिनिस्यादरिकारियनिग्य-and न्यूमफपमध्यंग्यमानि यानियतकापसमावविधभिरक्षणवितागेलवस्थामाययायालयपणन ध्यावासिन यायाएपक्षिपर्याययितनप्रनिनिनिभ्युमरकपातलमयककाम्यरमादेवाप्यवानियतामविषयीयनिविभास्यास्पर यामपर्वामध्यनिशिश्यामनित्यानन्तावातावावानिरिकताबमानेरूमावस्याहानि-पसंगम्त्यावासमा मानविनामिय पाण्याव्यविनितिमानविसंमान्यतारयतिरिक्तातिस्तित्पदनाचिरेबाधक्षवायवधायचतिupaniनिगमागम्यविक्षर सामिपंगामायामिएकमनपर्मनंयिनियमामध्यनन्याधिशमानवाविश्वयममक्षावस्याक्सिया मान शिक्षामाकयापियामासर्वसामान्यभरवेगमविश्यमानमत्यदिनभ्यायव्यंकयविशेषरूपवयसपंचकर्षणायकमन PARAMITRaसामान्यांपत्याक्सिनसनीवासियभारनियमावसंगमस्यामिवियभावककारकंकापियनसिपमाननाम AROR सानसामान्यानवयमविपक्षिमिवमोदकम्पनिमामाण्याव्यतिसम्माधिमाकमिटायजियानिनसामान्यानावशिकेत्तय, नाम- यसपानमविषार्थीविषयातमादकवणवणकामादकषिपचनाकवविधाविषयपतिनमान कलाकामिन्दाविपस्ता Paro गियास्यावास्यावाधिनविरोमोकिमयममम्बकं तसिंविधतक्षिल्याanानिया विशालकारमविनीxantinine Rahalasia पक्कीपनतिरस्नमामान्यायरिकाकीपनकरिक्क्षारक्यानालासमायापनिरक्तदात्यापिक्षाराधीका एसपना पिकविमाको विगारनिर्विकारविनियमनपातितास्यादेशाविदिशशिषपनापसंयासमवनिनिया धरमपन सफास्याधिताविकण्यापलियाविधाविषयमामिीदवादिविशेषरुपया मायापार EvamreaNir-we-warranापविभागकाम पdिaimusaili. Shaikim-lawareinsaan-famltivatयर સ્થિતિ સુંદર પૃષ્ઠ: ૧૨ સંસ્થાઃ લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર ક્રમાંકઃ ૯૨૦૫ વિશેષઃ અજ્ઞાતકર્તક ટીપ્પણ સહિત For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (१८) स्तनपान : मर्चघावाय दिकथं चिन्मतावादपद्याद्यायामन्नाचमा रिनिः सर्वव्यक्ति नियत पक्षमा मघवन विंग त्यात्यविन्याकृति नातिकाय म्हानां दिन्या सर्चानाका कमाल लोक संवारांना संतति । परिचयात्मादिनः ग्राह्यग्राहक नागाननविरमगांद्यांविददंगनादिनीत मंएिनाद्यनशिया) नद्यादक मंचदनयाः कपिकाला फलानो यस कांडाना का रा ममितिद्यानावया कर्मवेदन प्रभूने नाव ना विश्वासंवेदनयतानपादक मिनरमा तया साथ मिंत्यां दययुक्तपदी तिरस्कृन्परखर्ज्ञाननिनिवशतिमिरंनिनानां नर्दिताकागममनानिश्चिनांमनानंत रानीव विषयापन दमादम मितिनियमनस्यनदानीमसासनियांकि तदाकाशमादेवखाकारंननवतीयमानयः संवेद्यमानादेवी वदनाकारादाकारावगमति नद्यापिाक्षकेन नवविकतानांपादक मिंवनील संवेदनमिति एतद युकं मानवानुमान क्षणिक वनदेव्वेष्टितंता का रीतिवतू(नाकारण विधानवाद्यय वागस्काणकार्य विज्ञानस्य विशिला गादनिमंगा नहपदपरसपिव शिक्षा पत्रः स्यादन न समान काल योवादका नावातादिम्बमन्यतदिज्ञानं विशिष्ट्ममानकाननावनात एक स्वनायंनाच विद्याद्यस्वनावापर्यमनियमा कदापात्र पनि मत प्रतिबंधानायादिना पाया दकनावा कारियाचियादय्यादि । विज्ञानस्यानावा दलभ्मागनविहनितामवात्राममनुतिमद्य संवय सुप्रतिक्षण निरवयवयमतिवसुनः सागवानांना मि ज्ञानादायासज्यत इत्यर्घः । एवं दमकलला कसंव्यवहारांना न म्हिनं । यामु किसान संगतः गंगाधादिकालपर्वतमनादेव सर्वया विनश्यतिलक मगिलासमनंतर मेव निरन्वयं पित्तः B प्रत - B स्थिति: श्रेष्ठ પૃષ્ઠ: ૧૩ સંસ્થા : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા म १०४८ 曲 C प्रत नित्यात्पद्यते तथापि स्पजनकइति एतायतांश संकेतइति प्रतिपाद्यते पुनः गग्राहकतयाक्रियते तथतिमिविषय चंद्रप्रतिपादनन्यायाचापिशब्दार्थव्यवहार नित्यप्रति रूपांतरेविको प्रतिसत्पर्थसंकल व्यवसाय याशाः समुत्पन्न सनत्व का सांताविधविकल्पनिति २ मिदितिसंकेत्तरीयमित्यः कल्पयतियाय हिताय श्रीश्र गिरे वेनरचारितनगर तापसापजायते बहिरग्रस्त मक्तं विविकल्पविकल्पान वातादिनीति एकांतनिवाप्पत्वमनला चलादि || राष्ट्रवादनादिसंगान्नांगीवादिनः पितेत्तीय इति तारान्यथानुपपतेरमिला प्याननिलाप्यमितिस्ठितं चानविरोधान्निनिर मितवा उद्यानाप्यधर्मकलापनिमितापेक्षयात निलापमनिखाप्यधर्मकलाप निमित्तान हया चाननिलाम्यमितिधर्मधर्मिणश्च कयंचिदतिप्रतिपादितं ततततत्वानिलाप्पमर तयानविताप्यंयनिलापधर्मकलापनिमितेवानिलापत्वादनियाम्पमा नतिजाप्यधर्मा सततचानिलाप्यं मननियधर्मयातापनिभितानि સ્થિતિ : સરસ પૃષ્ઠ:૨૧ સંસ્થા : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા १४१७t भूणस्थान विश्य धर्मसक्ष्मीसूरि ज्ञानभंडार, आगरा..... For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ( २०) D- प्रत मंजामदग्नामसापकाविहानदयाक्षार्थमवयमिदमाशदिविल्यापमन्यादिभिराकालमत्रमंके AAqिan नायकरावनिमकरुयोवामानाकयाधिमकमेनवशक्षामिपनिदरनिादलंयमगेनाall numयदण्फका विविधर्मामासिनम्नाचासुनीनेकानादिनामयनावषमंगरत्नदप्यम्नहोहिनयाननिमामिनोवो वामall मवमवानन्यवादनानिशेधिवामियनाथावस्यनावमाकिंतविधिधर्मासिस्वरूपानाaamanama दादिमापकानावमंग: aqादिय दिदान्मागनाननलिकनकयाथान्यादिकमकानावनामाश्मियान्यांना वनालन्दमियनदनदिमवथानानाद्वारकानामानावातपरिझानानरकालनाचिनाचनानाaana:कस्पाचा inदारपदासमितिकायनामिदम्यांनतनारिकल्पिनानिलिनेकस्वनावात्मापरुयानंदनात्मकफपगम्पनg न: AMRIVवगमाक्रूयत्परमविकल्यावक्तेः तथादितकविनाविकसनश्वरम्यानमर्दथाचायदिकर्थ चिदमनानासाना वामनानानुमान मनि नियनलम भिावामन्याश्मियपधिपारास विनिगम्निानायियमादनमक्षिकारसिकसकललोकमंन्यवदारामाश्मंगानथादियविरुण नियननग्मयान्मादिक्षारापादकनावम्मरणपन्यनिकानन्दनविश्मणादाविदारिपतीas नविनामयाद्याथानद्वादयामनन्दनाया: काय विविधस्यकालाaoगम्बनेपर:योफखनावान्फर मानचियादानाविज मनयतिमाहानाकारालिहममिन्यचंचमतिपाद्यार्थानावरयादमंदिनया मतदानानिमा कम्तम्यवादकामिनयम्यचनदादाकमिन्यादायतिवदीवहिरहन्पस्वरनितिनिवेकर तिमिरनिनायनादिशियाकागलममम्पिावितवनद्यतनरातीविषयाकारमे वेदमवेदनशhिa वायनम्या क्षणापक्षचतामामनिवामिनदाकारमानदीकारननवनीपगमावत: સ્થિતિ : ઉત્તમ पृष्ठ: १४ સંસ્થા : શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા ક્રમાંક: ૧૫૦૪૪ भूणस्थान :विय धर्मसभीसूरिशानभंडार, आगरा... E-प्रत 159enn mancata Ari Lavaiaidilandawasiksi.nahitisarhnidia Rai s inopraalALRSoन. बलमारनाATARRRB-वामी MEANIdanuttarNG00:0eirupat a nARNATANGARALA AnnanR104ahidir a kaninangiBLITWARDala123-1201404ahinitalia-sangNat-manamarati रकम निवारा Nitin पनदयका विकृविकन्यमहावाविक गासनवा नापकोतवादिनानन्यजनकनावानुपातिवामएवामकीनानिलायचमननाबला HIRAIL PLAIMERMOMशाहाबाशलवनदारणादिषसगानांगीकानबिबादिन कविन्दपलवइत्यानानदयन्नतिनम्मा चवहाराम्यवानुपानिलाव्या नामसाणEHARIHAHEE सपमान मानायाम Amausiनावात्रावाराषबाधा निशानामनबाहानवायलिलायाधर्मकलानिमित्रापयातिमिलायमनजिलाध्यक्षमक लापनि मिनापक्याचानलिलाममिति र पाकिम A ng-w-airARTHAaramकधीचडashaपारिताततनयावामिन्ना जमावान निजामनिलामधमकलापानाममापदायवासिलाप्यवादालता ARRIANCER EMAHANAचामानलाम्माविनायूचातायतपक्वानखिलाणमतश्वासिलाधामनिलामकलानिमितापदायेवानमिनाथवादनसिलामीणांचाजिलाMARA. -awazaire Mental यवमाविनाजनवादाम्पादनायदिनदतिलायामनिलायम का पदनामनिलाथानाबाहामा निधायमानवाता किनित्यकरमाकरम्परावासना HAPA PramaruaatuबाराnawaalaalaaASHAmaानजामाबरणक -Fomarad मनायायामानाबातानसमाकतायनियंग्यवानानवाक्षिा जमावस्यामाना पवनायक मियानादिनितज्ञानावरादिकम मलयदलबादितमरूप म्यामकिमतरतरानप्रतियक्षसावना दिसिमतदातरणकर्मक्षाया पक्षमा २/fian गहना Nagaanयामाण्डोनातवाचविवक्षिनामी कारंवटनंवतऽति यद्यातन्ययनांवातानन्धमतायवानववाहटसंकताना मलकापासाकस्सा कमवाकाथानातवादा कमाविमाकरिताजदाप्रतिनिधानानसंकितकारवायामवलीन यनवाप्रमंगाकचिदंवद्याानवान्म होजना 11154. RagnानमतावादएबानादविदासबंधासाविमधवानाASTAIयादिनदनीका मध्यामचदिवाईसकिद्यार्थमंनिक्षसुधार्थमाणमाकप WATESTA रिति asiangiत्यका यवदं शनवायवदारप्रवर्तमामानवाप्रतिपद्यानाशहाईमिनिममानिमावादिपिकमा विभाकित कियनतिरस्पातच तिपतिरितितो All को यातायातरवलयप्रतिनिधिसवतानयुगालामा मकालनि यधमनया गायनयानीवातानाबिन कविदानवबंधासदिनदिस RRORN कानाNEL मरीaiसास्वाद Mसारयापिकनिहामववाहासबंधीमहि बालादिविकल्पना मायादिनिराकरणनवमंकितमानिपिहनावानवांपकरणानियकायापगमानाचा कधी विकतम तापवाहाईप्रतिवालिवानादलप्रसंगनायभुक्तादिराविधीवामितसम्पवादसुनाशनकानवादिनामुपसावमा त्यतद MILEमपाद युननादाबाRaferen-मना विमा भागागावnanel मा. 3-4924NT Rane સ્થિતિ : સારી पृष्ठ: १२ પ્રાપ્તિસહયોગ : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મૂળસ્થાન : હાજા પટેલની પોળ સૌજન્ય : વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આ.ભ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૧) અનેsicવાદપ્રવેશ સુંદર પદાર્થ-રસાસ્વાદ... - વસ્તુને, અપેક્ષાએ સત્ અને અપેક્ષાએ અસત્ માનવી જ રહી, અન્યથા વસ્તુ-અભાવનો પ્રસંગ... (પૃ. ૨૮) કે વસ્તુના સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિનું સુસ્પષ્ટ નિરૂપણ... (પૃ. ૨૮) – નિત્યાનિત્ય અનેકાંતમય વસ્તુનું જ જ્ઞાન થાય, એકાંત નિત્ય કે અનિત્યનું નહીં; એની સાબિતી... (પૃ. ૮૩) > દ્રવ્ય-પર્યાયરૂપ સંવેદનની, બ્રાંત જ્ઞાન કરતાં વિશેષતા અને તેની અભ્રાંતતાની નિબંધસિદ્ધિ... (પૃ. ૮૬) – દેશનાની પ્રવૃત્તિ, શ્રોતાને અનુસારે પણ થાય છે... (પૃ. ૮૯) – દ્રવ્ય-પર્યાય બંને એકબીજાને અવિનાભાવી... (પૃ. ૯૦) > સજ્જન પુરુષો, અર્થજ્ઞાનમાં અનુભવને પ્રમાણ માને છે. (પૃ. ૯૫). -> સંવેદનસિદ્ધ તત્ત્વમાં વિરોધો ઊભા કરવા; તે વ્યસન કે બુદ્ધિની જડતા જ છે. (પૃ. ૯૭) – કલ્પનાનું મૂળ; પુરુષની ઇચ્છા માત્ર છે. (પૃ. ૧૦૪) – આકાશને સપ્રદેશી માનવાની સચોટ દલીલો... (પૃ. ૧૧૬). – વસ્તુનો સમાનપરિણામ; તે જ સામાન્ય - એ વાતની તર્કબદ્ધ સિદ્ધિ... (પૃ. ૧૨૩) – વસ્તુની અભિલાણતા-અનભિલાપ્યતાની તર્કપૂર્ણ સાબિતી... (પૃ. ૧૪૫) – ઉપયોગસ્વભાવી આત્માને પણ વાસ્તવિક જ્ઞાન ન થવાના કારણો અને આવરણકર્મના ક્ષય-ક્ષયોપશમ કરવાના ઉપાયો... (પૃ. ૧૪૭) – સ્વદર્શનનો અભિનિવેશ તે અંધકાર છે, તેનો તિરસ્કાર, યુક્તિરૂપી દીપકને લઈને કરવો જોઈએ - એનો સુંદર ઉપદેશ... (પૃ. ૧૫૭) > કથંચિ અવસ્થિત વસ્તુમાં સર્વવ્યવહારસંગતિ... (પૃ. ૧૮૯) – વસ્તુની અનેકરૂપતામાં અવિરોધ, અન્યથા વ્યવહારવિરોધ... (પૃ. ૧૯૧) > વિરોધ કોને કહેવાય? તેનું સુસ્પષ્ટ નિરૂપણ.. (પૃ. ૧૯૬) (એકાંતવાદીઓની; વસ્તુને અનેકધર્મક માનવામાં વિરોધની દલીલનું નિરસન...) For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ...................... છે ૨૯) છે તે વિષયાતુક્રમણિકા એ છે વિષય પૃષ્ઠ વિષય મંગળ દ્વારા પ્રભુવીરસ્તુતિ ........ ...... ... ૧ બૌદ્ધકૃત ક્ષણિકતાની સંગતિ . પીઠિકા ૩( બૌદ્ધપ્રલાપનું નિરસન . પૂર્વપક્ષગ્રંથ યુક્તિવિકલ સ્વભાવશરણનો નિરાસ ..... (૧) સદસદ્ એકાંતવાદ.. ધર્મ-ધર્મભાવની કલ્પિતતામાં દોષપરંપરા ..... (૨) નિત્યાનિત્ય એકાંતવાદ (નિત્યનિયમતે વિજ્ઞાનની સંગતિ ............ (૩) સામાન્ય-વિશેષ એકાંતવાદ .... ૧૫/નિત્યાનિત્યનું સ્વરૂપ અને સિદ્ધિ ....... (૪) અભિલાપ્ય-અનભિલાપ્ય એકાંતવાદ ...... નિરાકારવાદીની દલીલનું નિરાકરણ ........... (૫) એકાંતવાદમાં જ મોક્ષ ૨૫) દ્રવ્ય-પર્યાયરૂપ સંવેદનની અભ્રાંતતા ............ ઉત્તરપક્ષગ્રંથ એકાંત નિત્ય/અનિત્યમતે યથોક્ત સંવેદનની (૧) સદસદ્ અનેકાંતવાદ અસંગતિ ....... .......... ૮૭-૮૮ વસ્તુની સદસરૂપતાનું સ્વરૂપ | યથોક્ત સંવેદનની નિબંધકતા ............. વસ્તુની માત્ર સરૂપતાસાધક બૌદ્ધ વક્તવ્ય ...... દ્રવ્ય-પર્યાયની અવિનાભાવિતા ...... માત્ર સરૂપ માનવામાં વસ્તુના અભાવનો પ્રસંગ ૩૨ દ્રવ્ય-પર્યાય ઉભયનો અનુવેધ ............. વિશિષ્ટસત્ત્વને જ અસત્ત્વ માનવામાં અનેકાંતવાદનું (દ્રવ્ય-પર્યાયનો ભેદભેદ .............. શરણ . ૩૪(પર્યાયોનો પણ પરસ્પર કથંચિ અભેદ........... ૯૩ વસ્તુને એકસ્વભાવી ન મનાય , ' (૩) સામાન્ય-વિશેષ અનેકાંતવાદ.. સદસદ્ ઉભયરૂપતાસિદ્ધિ ( જ્ઞાન દ્વારા સામાન્ય-વિશેષરૂપતસિદ્ધિ ........... ૯૯ વસ્તુની એકરૂપતાની આશંકા અયુક્ત ........ નિર્વિકલ્પની પણ સામાન્ય-વિશેષ ઉભયાકારતા .. ૧૦૨ ભેદભેદની આવશ્યક્તા....... નિર્વિકલ્પની સમાન-અસમાનપરિણામી ધર્મ-ધર્મીભાવની ઉચૅક્ષિતતાનો નિરાસ ....... ) વસ્તુજન્યતા ......... ....... ૧૦૩ એકાંત પર્યાયનયમતે કલ્પનાની અસંગતિ .... | બૌદ્ધમતે સાદેશ્યની અસંગતિ........ ...... ૧૦૬ કલ્પનાના હેતુનો અયોગ ........ | વૈશેષિકકલ્પિત સામાન્યનો નિરાસ ............. ૧૧૫ સંસ્કારની હેતુતાનો વિકલ્પશઃ નિરાસ ........... પર અકલંકમતનો નિરાસ ........... ........... ૧૧૬ કર્તુત્વને જ અકર્તુત્વરૂપ ન મનાય ............. આકાશને નિષ્પદેશ માનવામાં અનેક દોષો ...... ૧૧૭ ધર્મ-ધર્મીનો એકાંતે ભેદ માનવામાં સંબંધની ( આકાશની સપ્રદેશતા અંગે પૂર્વપક્ષની માન્યતાનો અસંગતિ ૬૩ (વિકલ્પશઃ નિરાસ ........ ......૧૧૮ (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ......... ...... ૬૬ | આકાશને અપ્રદેશી માનનારાઓની મૂર્ખતા...... ૧૧૯ વસ્તુની નિત્યાનિત્યરૂપતા ....... ......... ૬૬ નિત્યાદિરૂપ સામાન્યની વૃત્તિનો નિરાસ ........ ૧૨૦ વસ્તુને માત્ર નિત્યરૂપ માનવામાં દોષપરંપરા ..... ૬૭ સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ ........... ૧૨૩ એકાંતનિત્યમાં સહકારી-અપેક્ષાનો વિકલ્પશ: | ભેદ-અવિનાભાવી સમાનતા .................. ૧૨૪ નિરાસ .. .. ૬૮) અન્યદર્શન કલ્પિત સામાન્યભાવી દોષોનો વસ્તુને એકાંત અનિત્ય માનવામાં પણ દોષપરંપરા ૭૧) અનવકાશ ...... ......... ૧૨૫ ક્ષણસ્થિતિધર્મકતાનો વિકલ્પશઃ નિરાસ .......... ૭૨Jસ્યાદ્વાદમતે સમાન શબ્દ બુદ્ધિની નિબંધ સંગતિ .. ૧૨૬ ........ ૩૫ | .......... . For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ સ્યાદ્વાદમતે પ્રતિનિયત વ્યવહારનો નિર્વાહ ૧૨૮ક્ષણિકવાદમાં મુક્તિ પણ અસંગત ૧૬૪ ૧૭૧ (૪) અભિલાપ્ય-અનભિલાપ્ય અનેકાંતવાદ ..... ૧૩૩,ક્ષણિકમતે વ્યવહાર સમંજસતાસાધક બૌદ્ધપૂર્વપક્ષ ૧૬૫ ... ૧૩૪ બૌદ્ધમંતવ્યનો વિકલ્પશઃ નિરાસ ૧૩૬ કારણવૈશિષ્ટ્ય સંગતિકા૨ક બૌદ્ધપૂર્વપક્ષ .. ૧૪૦⟩બૌદ્ધકૃત સંગતિનો નિરાસ . ૧૭૮ ૧૮૦ ૧૪૨ સ્યાદ્વાદમતે મુક્તિ-અસંભવનો નિરાસ ........ ૧૯૦ ૧૪૪ અનેકરૂપ વસ્તુમાં અવિરોધ, અન્યથા વ્યવહા૨ ૧૪૫ વિરોધ .. વસ્તુની અભિલાપ્યતા અંગે બૌદ્ધકૃત પૂર્વપક્ષ બૌદ્ધપૂર્વપક્ષનો આમૂલફૂલ નિરાસ વિકલ્પમાં સંકેતસાધક બૌદ્ધવક્તવ્યનો નિરાસ સંકેતસમર્થક બૌદ્ધપૂર્વપક્ષ .. બૌદ્ધમંતવ્યનું ઉન્મૂલન એકાંતે અભિલાપ્ય માનવામાં દોષ વસ્તુની અભિલાપ્યતા-અનભિલાપ્યતાસિદ્ધિ ( ૨૩) અભિલાપ્ય-અનભિલાપ્યતાનો અવિનાભાવ ... (૫) અનેકાંતવાદમાં જ મોક્ષ એકાંતક્ષણિકવાદનો વિકલ્પશઃ નિરાસ ...... ૧૫૬, વસ્તુને અનેકધર્મક માનવામાં અવિરોધ ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની અસંગતિ ... ૧૫૮ એકાંતવાદીમતે જ મુક્તિનો અભાવ ક્ષણિકવાદમાં પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત૧૬૩ ગ્રંથપૂર્ણાહુતિ ૧૪૬, એકાંત અનાત્મકતાદિનો નિરાસ ૧૪૭ વસ્તુને એકાંત અનાત્મકાદિરૂપ માનવામાં વિરોધાદિ ૧૫૪ દોષો ૧૯૧ ૧૯૩ For Personal & Private Use Only ૧૯૪ ........ ૧૯૬ ૨૦૫ ૨૦૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ (28) ن 2 अनेकान्तवादप्रवेश ہائی For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ -* याकिनीमहत्तराधर्मसूनुसूरिपुरंदर श्रीहरिभद्रसूरिविजृम्भितो 0 55 अनेकान्तवादप्रवेश: g વિ अनेकान्तजयपताकाख्याऽऽकरग्रन्थप्रवेशद्वारभूतः 'प्रवेशरश्मि'- आख्यया सुरम्यगुर्जरविवृत्त्या समलङ्कृतः जयति विनिर्जितरागः सर्वज्ञस्त्रिदशनाथकृतपूजः । सद्भूतवस्तुवादी शिवगतिनाथो महावीरः ।।१।। ।। श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः ।। ।। શ્રી પ્રેમ-ભુવનમાનુ-નયયોષ-નિતેન્દ્ર-શુળરત્ન-રશ્મિરત્નસૂરિસગુરુભ્યો નમઃ ।। ।। હૈં નમઃ ।। ।। પ્રવેશરશ્મિ અપ્રતિહત જ્ઞાનના ધારક પ્રભુ વીરની સ્યાદ્વાદમય વાણીનું મહત્ત્વ શું ? સ્યાદ્વાદગર્ભિત એકેક વચનો ટંકશાળી કેમ ? સ્યાદ્વાદમૂલક વચનની જ યથાર્થતા કેમ ? એકાંતવાદમાં દોષ શું ? એવા અનેક પ્રશ્નોનું સચોટ સમાધાન કરવા અને અનેકાંતવાદની શિરમોરતા જણાવવા, પરમપૂજ્ય સૂરપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘અનેકાંતવાદપ્રવેશ’ નામની એક સુંદર કૃતિનું નિર્માણ કર્યું છે. * આ કૃતિમાં અનેકાંતવાદની અનેક રસપ્રદ વાતોનું સુંદર અને તર્કગર્ભિત નિરૂપણ છે. આ કૃતિ, અનેકાંતજયપતાકા નામના આકર ગ્રંથના અધ્યયન માટે દ્વારભૂત છે, ભૂમિકારૂપ છે. અનેકાંતજયપતાકામાં બતાવેલા પદાર્થો અહીં સાર-સંક્ષેપરૂપે ધ્વનિત કરવામાં આવ્યા છે. (એટલે આ ગ્રંથના અધ્યયનથી અનેકાંતજયપતાકાનું અધ્યયન પણ સરળ બની જાય.) હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, ગ્રંથની શરૂઆતમાં મંગળ કરવા, પ્રભુ વીરની સ્તવના કરે છે – મંગળ દ્વારા પ્રભુવીર સ્તુતિ * શ્લોકાર્થ : વિવિધ પ્રકારે નિઃશેષતઃ જિતાયેલા રાગવાળા, સર્વજ્ઞ, દેવોના નાથ ઇન્દ્ર વડે કરાયેલી પૂજાવાળા, સદ્ભૂત વસ્તુને કહેનારા, મોક્ષગતિના સ્વામી મહાવીર પ્રભુ જય પામે છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः વિવેચન : વિવિધ પ્રકારે - પ્રતિપક્ષી અનેક ભાવના દ્વારા, અર્થાત્ (૧) ક્રોધ માટે પ્રશમની ભાવના દ્વારા, (૨) માન માટે માર્દવની ભાવના દ્વારા, (૩) માયા માટે આર્જવની ભાવના દ્વારા, (૪) લોભ માટે સંતોષની ભાવના દ્વારા... એવી અનેક ભાવનાઓ દ્વારા અને ભાવનાના પ્રતિપક્ષી ભાવોની પ્રબળતા દૂર થાય અને ફરીથી તેમને જીતવા ન પડે એ રીતે. નિઃશેષતઃ જિતાયેલ રાગવાળા - સત્તામાંથી પૂર્ણપણે ક્ષય કરેલ અભિવૃંગરૂપ (આસક્તિરૂપ) રાગવાળા.. અહીં ‘રાગ’ પદ દ્વારા ઉપલક્ષણથી દ્વેષનું પણ ગ્રહણ કરવું... એટલે અર્થ થશે; પૂર્ણપણે ક્ષય કરાયેલ રાગ-દ્વેષવાળા. સર્વજ્ઞ – સૂક્ષ્મ (પરમાણુ આદિ) વ્યવહિત (ભીંત આદિના વ્યવધાને રહેલા) અને દૂરવર્તી ભૂત-ભવિષ્ય-વર્તમાનગત સર્વ પદાર્થોને સર્વ પર્યાય સાથે જોનારા. દેવોના નાથ ઇન્દ્રવડે કરાયેલી પૂજાવાળા - શક્ર વગેરે ઇન્દ્રો વડે કરાયેલી અષ્ટમહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાવાળા. સભૂતવસ્તુવાદી - યથાવસ્થિત વસ્તુનું કથન કરનારા. મોક્ષગતિના સ્વામી - મોક્ષગતિને આધીન કરવા દ્વારા સ્વામીરૂપે બનેલા અથવા મોક્ષકન્યાને વરીને તેના ભતૃરૂપ થયેલા. મહાવીર પ્રભુ - (ફૂર વીર વિક્રાન્ત એ અર્થને આશ્રયીને) કષાયાદિ શત્રુઓને જીતવા દ્વારા મહાપરાક્રમી, (વિ ઉપસર્ગપૂર્વક ર તિવેરાયો અર્થને આશ્રયીને) વિશેષથી કર્મોને દૂર કરનાર એવા મહાવીર પ્રભુ. જય પામે છે – વિજયવંત વર્તે છે. આ પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગળ કરીને, હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથથી જે કહેવાનું છે, તે શઠોક્તિઓના નિરાકરણનો પ્રારંભ કરે છે. ___ इह केचिदनादिकर्मवासनोद्भूतमहामोहाकुलीकृतचेतसो यथास्थितं सदसन्नित्यानित्याद्यनेकरूपं वस्त्वनुभवन्तोऽपि न प्रतिपद्यन्ते; प्रत्यवतिष्ठन्ते च-कथमेकमेव घटादिरूपं वस्तु सच्चासच्च भवति ? तथाहि-सत्त्वमसत्त्वपरिहारेण व्यवस्थितम्, असत्त्वमपि सत्त्वपरिहारेण, अन्यथा तयोरविशेषात् ततश्च तद्यदि सत्, कथमसत् ? अथासत्, कथं सत् ? इत्येकत्र सदसत्त्वयोर्विरोधात् । तथा चोक्तम् - यस्मात्सत्त्वमसत्त्वं च विरुद्धं हि मिथो द्वयम् । वस्त्वेकं सदसद्रूपं तस्मात् खलु न युज्यते ।।१।। For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः મૈં પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : અહીં કેટલાક અનાદિ કર્મવાસનાથી ઉત્પન્ન મહામોહથી આકુળ થયેલા ચિત્તવાળા જીવો, યથાવસ્થિત સદ્-અસત્, નિત્યાનિત્ય આદિ અનેકરૂપવાળી વસ્તુ અનુભવવા છતાં પણ સ્વીકારતા નથી અને પ્રશ્ન કરે છે કે, એક જ ઘટાદિ વસ્તુ ‘સત્’ અને ‘અસત્' શી રીતે હોઈ શકે ? તે આ પ્રમાણે - સત્ત્વ અસત્ત્વને છોડીને રહ્યું છે અને અસત્ત્વ સત્ત્વને છોડીને... જો એવું ન માનો, તો સત્ત્વ-અસત્ત્વમાં કોઈ ફેર નહીં રહે. એટલે જો તે (ઘટાદિ) સત્ હોય, તો અસત્ શી રીતે ? અને અસત્ હોય, તો સત્ શી રીતે ? કારણ કે એક ઠેકાણે સત્ત્વ-અસત્ત્વ હોવામાં તો વિરોધ છે. કહ્યું છે કે – “જે કારણથી સત્ત્વ-અસત્ત્વ બંને પરસ્પર વિરુદ્ધ જ છે, તે કારણથી ખરેખર એક જ વસ્તુ સદસદ્પ હોવી ઘટતી નથી.” – * પીઠિકા વિવેચન વસ્તુ તે (૧) સદ્-અસદ્, (૨) નિત્યાનિત્ય, (૩) સામાન્ય-વિશેષ, (૪) અભિલાપ્ય-અનભિલાપ્ય - આદિ અનેકરૂપ છે, એવું તમામ જીવોને (શઠ-મિથ્યામાન્યતાગ્રસિત જીવોને પણ) અનુભવસિદ્ધ છે. (તેવી વસ્તુ જ અનુભવનો વિષય બને છે.) તે છતાં, તે શઠપુરુષોમાં અનાદિકાલીન જ્ઞાનાવરણીયાદિ કર્મવાસનાથી ઉત્પન્ન થયેલ મહામોહ (=અજ્ઞાન) રહ્યો હોવાથી, જેમ ભારેકર્મી જીવ ભવસમુદ્રની નિર્ગુણતા ન સ્વીકારે, તેમ તેઓ યથાર્થ (સદસદાદિ અનેકરૂપ) વસ્તુને સ્વીકારતા નથી... અને આગળ વધીને તેઓ, અભિનિવેશથી વ્યાપ્ત મનવાળા થઈ આવા દૂષણો રજૂ કરે છે 1 (સંદર્ભ : હવે ગ્રંથકારશ્રી સૌ પ્રથમ પૂર્વપક્ષીની વાત રજૂ કરે છે. તેમાં પાંચ વિભાગ છે : (૧) સદસદ્ એકાંતવાદ, (૨) નિત્યાનિત્ય એકાંતવાદ, (૩) સામાન્ય-વિશેષ એકાંતવાદ, (૪) અભિલાપ્ય – અનભિલાપ્ય એકાંતવાદ, (૫) એકાંતવાદમાં જ મોક્ષ... ત્યારબાદ ગ્રંથકારશ્રી ક્રમશઃ એકેક વાદોનું સચોટ તર્કોથી ઉન્મૂલન કરી (૧) સદસદ્ અનેકાંતવાદ, (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ વગેરે પાંચ વાદને સિદ્ધ કરશે અને અનેકાંતવાદની શિરમોરતા જણાવશે.) अनेकान्तस्तुतिः सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता जगत्प्रमाणं जिनवाक्यविप्रुषः ।। श्रीमत्परमगम्भीरस्याद्वादामोघलाञ्छनम् । जीयाज्जैनेन्द्रचन्द्रस्य शासनं जिनशासनम् ।। For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ४ પૂર્વાગ્રંથ * (૧) સદસદ્ એકાંતવાદ એક જ ઘટ, જ્ઞાન વગેરે વસ્તુઓ સત્ પણ હોય ને અસત્ પણ હોય, એવું તો વળી શી રીતે ઘટી શકે ? જુઓ – સત્ત્વ અસત્ત્વને છોડીને રહ્યું છે. (જેમ કે ઘટમાં...) અને અસત્ત્વ સત્ત્વને છોડીને રહ્યું છે (જેમ કે ખપુષ્પમાં.) अनेकान्तवादप्रवेशः અન્યથા, જો આવું ન માનો, અર્થાત્ સત્ત્વ-અસત્ત્વ બંને એકબીજાને છોડીને રહ્યા છે એવું ન માનો, તો સત્ત્વ-અસત્ત્વમાં કોઈ ભેદ જ નહીં રહે, તેઓ એક થઈ જશે ! એટલે ઘટાદિ વસ્તુઓ જો સત્ હોય, તો અસત્ શી રીતે ? અને જો અસત્ હોય, તો સત્ શી રીતે ? પ્રશ્ન : પણ એક જ વસ્તુમાં જેમ દ્રવ્યત્વ, પૃથ્વીત્વ વગેરે અનેક ધર્મો રહે છે, તેમ સત્ત્વઅસત્ત્વ પણ કેમ ન રહે ? ઉત્તર : કારણ કે સત્ત્વ-અસત્ત્વ બંને પરસ્પર વિરોધી ધર્મો છે. એટલે તેઓનું એક જ ઠેકાણે અસ્તિત્વ હોવું અસંભવિત છે. કહ્યું છે કે - “અર્થક્રિયામાં સમર્થ હોય તે સદ્ અને અસમર્થ હોય તે અસદ્ - આમ સદ્-અસપણાનો વિરોધ હોવાથી, તેઓનો એકત્ર સમાવેશ કહ્યો નથી.’ “સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મો પરસ્પર વિરુદ્ધ જ છે, એટલે ખરેખર એક જ વસ્તુ સદસરૂપ હોવી સંગત થાય નહીં.” किञ्च-सदसद्रूपं वस्त्वभ्युपगच्छता सत्त्वमसत्त्वं च वस्तुधर्मतयाभ्युपगतं भवति । ततश्चात्रापि वक्तव्यम्; धर्मधर्मिणोः किं तावद्भेदः ? आहोश्विदभेदः ? आहोश्विद्भेदाभेदः ? इति । तत्र यदि तावद्भेदः, ततः सदसत्त्वयोर्भिन्नत्वात् कथमेकं सदसद्रूपम् ? इति । अथाभेदः, ततः सदसत्त्वयोरेकत्वम्, एकस्माद्धर्मिणोऽभिन्नत्वात्, तत्स्वरूपवद्; अतोऽपि कथमेकं सदसद्रूपम् ? इति । धर्मिणो वा भेदः, सदसत्त्वयोरभिन्नत्वात्, तत्स्वात्मवत्; इत्थमपि कथमेकमुभयरूपम् ?। - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : બીજી વાત, વસ્તુને સદસ ્પ માનનારે સત્ત્વ અને અસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે માનવા પડે. તો અહીં પણ કહેવું જોઈએ કે, ધર્મ-ધર્મી વચ્ચે શું છે ? ભેદ, અભેદ કે ભેદાભેદ ? (૧) જો ભેદ હોય, તો સત્ત્વ-અસત્ત્વ જુદા હોવાથી, એક જ વસ્તુ સદસદ્પ કેવી રીતે ? અને (૨) જો અભેદ હોય, તો સત્ત્વઅસત્ત્વ એક ધર્મીથી અભિન્ન થતાં, ધર્મીસ્વરૂપની જેમ તેઓ એક જ થઈ જાય, એટલે પણ એક વસ્તુ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ गुर्जर विवेचनसमन्वितः < સદસ ્પ કેવી રીતે ? અથવા તો સત્ત્વ-અસત્ત્વરૂપ જુદા જુદા ધર્મોથી અભિન્ન થતાં, ધર્મના સ્વરૂપની જેમ, ધર્મીનું સ્વરૂપ પણ જુદું જુદું થઈ જાય... એ રીતે પણ એક વસ્તુ ઉભયરૂપ કેવી રીતે ? ५ એક જ વસ્તુને ઉભયરૂપ માનવામાં દોષપરંપરા વિવેચન : જો એક જ વસ્તુને સદસદ્ ઉભયરૂપ માનીએ, તો વસ્તુના સત્ત્વ-અસત્ત્વરૂપ બે ધર્મો માનવા પડે. હવે અહીં પણ કહો કે, ધર્મ-ધર્મી વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદાભેદ ? (૧) ધર્મ-ધર્મીનો ભેદ તો ન મનાય, કારણ કે સત્ત્વ-અસત્ત્વ બંને ધર્મો જો ધર્મીથી જુદા હોય, તો તે ત્રણેનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતાં, ‘એક જ વસ્તુ સદસદ્ ઉભયરૂપ છે' - એવું શી રીતે કહેવાય ? (૨) ધર્મ-ધર્મીનો અભેદ પણ ન મનાય, કારણ કે અભેદ બે પ્રકારે હોઈ શકે છે, તેમાંથી તમે કયો પ્રકાર માનો છો ? (ક) શું સત્ત્વ-અસત્ત્વનો ધર્મી સાથે અભેદ માનો છો, કે (ખ) ધર્મીનો સત્ત્વ-અસત્ત્વ સાથે અભેદ માનો છો ? આ બંને પ્રકારમાં દોષ છે. જુઓ - — - (ક) ધર્મનો ધર્મીની સાથે અભેદ માનો, તો ધર્મીથી અભિન્ન જેમ ધર્મીનું સ્વરૂપ જુદું જુદું ન હોય, તેમ ધર્મીથી અભિન્ન સત્ત્વ-અસત્ત્વ પણ જુદા જુદા ન હોય, અર્થાત્ બે એક જ થાય... અને જો બે એક થાય, તો વસ્તુ ‘ઉભયરૂપ’ શી રીતે કહેવાય ? કારણ કે સત્ત્વ-અસત્ત્વ બે જુદા જુદા હોય, તો જ તેની ઉભયરૂપતાનો વ્યપદેશ થાય, અન્યથા નહીં. * (ખ) ધર્મીનો ધર્મ સાથે અભેદ માનો, તો ધર્મીનો સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્મો સાથે અભેદ થવાથી, જેમ ધર્મોનું સ્વરૂપ જુદુ જુદું છે, કારણ કે ‘બે’ છે, તેમ ધર્મીનું સ્વરૂપ પણ જુદું જુદું થઈ જશે, અર્થાત્ સત્ત્વથી અભિન્ન ધર્મ જુદો અને અસત્ત્વથી અભિન્ન ધર્મી જુદો – એમ જુદા જુદા બે ધર્મો થઈ જશે અને તો ‘એક જ ધર્મી’ ઉભયરૂપ છે, એવું નહીં કહી શકાય. વળી, ધર્મી બે હોય એવું કદી જોવાતું પણ નથી ને તમે માનતા પણ નથી... अथ भेदाभेदः, अत्रापि येनाकारेण भेदः तेन भेद एव, येन चाभेदः तेनाभेद एव, तदेवमपि नैकमुभयरूपम्; अथ येनैवाकारेण भेदस्तेनैवाभेदः, येनैव चाभेदः तेनैव भेदः; કૃતિ ? તવ્યેવારુ, વિરોધાત્; તથાન્તિ-વૃત્િ યેનારે મેવઃ, થં તેનેવામેવઃ? अथाभेदः, कथं भेदः ? इति । अथ येनाप्याकारेण भेद:, तेनापि भेदश्चाभेदश्च, इत्युभयम्, येनापि चाभेद:, तेनाप्यभेदश्च भेदश्च इत्युभयमेव, अत्रापि येनाकारेण भेद:, तेन भेद एव; येन चाभेद:, तेनाभेद एव; इति तदेवावर्तते । • પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે (૩) ભેદાભેદ કહો, તો અહીં પણ આકારે ભેદ છે તે આકારે ભેદ જ રહેવાનો અને જે આકારે અભેદ છે તે આકારે અભેદ જ રહેવાનો... આ રીતે પણ એક વસ્તુ ઉભયરૂપ સિદ્ધ ન થાય. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः પ્રશ્ન - જે આકારે ભેદ છે તે જ આકારે અભેદ અને જે આકારે અભેદ છે તે જ આકારે ભેદ... એવું માનીએ તો? ઉત્તર : તો તેય બરાબર નથી, કારણ કે તેમાં વિરોધ છે. જુઓ - જે આકારે ભેદ હોય તે જ આકારે અભેદ કેવી રીતે? અને જે આકારે અભેદ હોય તે જ આકારે ભેદ કેવી રીતે? હવે જો જે આકારે ભેદ હોય તે જ આકારે ભેદ-અભેદ બંને કહો અને જે આકારે અભેદ હોય તે જ આકારે અભેદ-ભેદ બંને કહો, તો ફરી એ જ દોષ આવી પડશે કે, જે આકારે ભેદ હોય તે આકારે તો ભેદ જ હોવાનો અને જે આકારે અભેદ હોય તે આકારે તો અભેદ જ હોવાનો... ઇત્યાદિ વિવેચન : (૩) ધર્મ-ધર્મી વચ્ચે ભેદભેદ પણ ન મનાય, કારણ કે જે આકારે ભેદ હોય, તે આકારે તો બંનેનો ભેદ જ હોવાનો અને જે આકારે અભેદ હોય તે આકારે તો અભેદ જ હોવાનો... અને આવું હોવામાં તો ધર્મ-ધર્મીનો ભેદ કે અભેદ જ માનવો પડે અને તેથી તો એક વસ્તુ ઉભયરૂપ સંગત થાય નહીં. (તાત્પર્ય એ કે, જો ધર્મ-ધર્મીનો જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ હોય, તો ઉપરોક્ત ભેદવિકલ્પગત દોષો આવે અને જે આકારે અભેદ છે તે આકારે અભેદ જ હોય, તો અભેદ વિકલ્પગત દોષો આવે... એટલે જ એક વસ્તુ ઉભયરૂપ સિદ્ધ થાય નહીં.) પૂર્વપક્ષઃ ધર્મ-ધર્મીનો, જે આકારે ભેદ હોય તે જ આકારે અભેદ પણ હોય અને જે આકારે અભેદ હોય તે જ આકારે ભેદ પણ હોય.. એવું માની લઈએ તો ? ઉત્તરપક્ષ: પણ એવું ન મનાય, કારણ કે તે બેનો જે આકારે ભેદ છે તે આકારે (તો ભેદ જ હોવાનો) અભેદ શી રીતે ? અને જે આકારે અભેદ છે તે આકારે (તો અભેદ જ હોવાનો) ભેદ શી રીતે ? એટલે એક જ આકારે ભેદ-અભેદ હોવામાં સ્પષ્ટ વિરોધ છે. પૂર્વપક્ષ : જે આકારે ભેદ હોય, તે આકારે ભેદ અને અભેદ એમ બંને છે (એટલે તેનાથી અભેદ પણ ઘટી જાય) અને જે આકારે અભેદ હોય, તે આકારે અભેદ-ભેદ બંને છે (એટલે તેનાથી ભેદ પણ ઘટી જાય.) આ રીતે ભેદભેદ માનીએ તો? ઉત્તરપક્ષ : તો ફરી એની એ જ વાતો આવૃત્ત થશે કે; જે આકારે ભેદ હોય તે આકારે તો ભેદ જ હોવાનો, અભેદ શી રીતે ? અને જે આકારે અભેદ હોય તે આકારે તો અભેદ જ હોવાનો, ભેદ શી રીતે? સાર એટલે ભેદભેદપક્ષમાં, જે આકારે ભેદ અભેદ હોય, તે આકારે ભેદ/અભેદ જ હોવાથી, તેમાં ભેદ-અભેદરૂપ પ્રથમ - દ્વિતીય વિકલ્પગત દોષો આવે જ.. એટલે આમ ત્રણેય વિકલ્પો પ્રમાણે એક વસ્તુ ઉભયરૂપ હોય, એવું સિદ્ધ થતું નથી. किञ्च-भेदाभेदमभ्युपगच्छताऽवश्यमेवेदमङ्गीकर्तव्यम्, इह धर्मधर्मिणोधर्मधर्मितया For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः भेदः, स्वभावतः पुनरभेदः; स्वभावतोऽपि हि तयोर्भेदेऽङ्गीक्रियमाणे परस्परतः प्रविभक्तरूपं पदार्थद्वयमेवाङ्गीकृतं स्यात्, न पुनरेकं द्विरूपम्। इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ઃ વળી ભેદભેદને સ્વીકારનારાઓએ આ વાત તો અવશ્ય માનવી જ રહી કે અહીં ધર્મધર્મીનો ધર્મ-ધર્મરૂપે ભેદ છે, પણ સ્વભાવથી તો અભેદ જ છે. જો સ્વભાવથી પણ તે બેનો ભેદ માનો, તો તો પરસ્પર જુદા બે પદાર્થ જ માન્યા કહેવાય, એક જ પદાર્થ દ્વિરૂપ છે એવું નહીં મનાય. છે તૃતીય વિકલ્પની વિશેષ સમીક્ષા જી વિવેચનઃ જો ધર્મ-ધર્મ વચ્ચે ભેદભેદ માનવો હોય, તો પણ આટલું તો અચૂક માનવું પડશે કે - ધર્મ-ધર્મનો ધર્મ-ધર્મિવેન ભેદ છે, અર્થાત્ ધર્મિવેન ઘટ જુદો અને ધર્મવેન તેના ધર્મો જુદા... અને સ્વભાવથી વળી તે બેનો અભેદ છે, અર્થાત્ વસ્તુન ધર્મ-ધર્મીનો અભેદ છે... જેમ આચાર્ય, આચાર્યત્વેન અને સાધુત્વેન જુદા જુદા હોવા છતાં વ્યક્તિત્વન એક છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. જો સ્વભાવથી (=વસ્તુત્વેન) પણ તે બેનો અભેદ ન મનાય, તો બેનું જુદું જુદું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થાય અને તેથી તો – ધર્મી ધર્મરૂપ ન બનતાં – એક જ વસ્તુ ઉભયરૂપ હોવાનું સંગત થાય નહીં. એટલે ધર્મ-ધર્મિત્વેન બંનેનો ભેદ અને સ્વભાવરૂપે બંનેનો અભેદ; એટલું તો તમારે માનવું જ રહ્યું. (તો જ તમારું કથન સંગત થાય.) પણ આવું માનવામાં શું દોષો આવે છે - તે અમે હવે બતાવીશું. तदत्रापि निरूप्यते-न ह्यनासादितस्वभावभेदयोर्धर्मधर्मिणोधर्मधर्मितयाऽपि भेदो युज्यते । तथाहि-यदि यो धर्मस्य स्वभावः, स एव धर्मिणोऽपि, एवं सति असौ धर्मी धर्म एव स्यात्, तत्स्वभावत्वात्, धर्मस्वरूपवद्ः धर्मो वा धर्मिस्वभावाव्यतिरिच्यमानमूर्तिर्धर्मिमात्रमेव स्यादिति । ततश्चैवं धर्मधर्मिणौ स्वभावभेदानासादनेनाप्रतिलब्धभेदौ कथं भेदनिमित्तं भवतः ? इति । न च स्वभावतोऽपि तयोर्भेदाभेदकल्पना युक्ता, पूर्वोक्तदोषानतिवृत्तेः ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : આવું માનવામાં પણ દોષો બતાવાય છે. જુઓ; જેમણે હજી જુદા જુદા સ્વભાવ મેળવ્યા નથી તેવા ધર્મ-ધર્મીનો, ધર્મ-ધર્મિત્વેન ભેદ પણ સંગત થાય નહીં. તે આ પ્રમાણે - જે ધર્મનો સ્વભાવ હોય, તે જ ધર્મીનો પણ સ્વભાવ મનાય, તો તો ધર્મી, ધર્મના સ્વરૂપની જેમ ધર્મસ્વભાવી થઈ જતાં, ધર્મરૂપ જ બની જાય... અથવા તો ધર્મસ્વભાવથી અભિન્ન સ્વરૂપવાળો ધર્મ, ધર્મરૂપ જ બની જાય... એટલે ધર્મધર્મીનો સ્વભાવભેદ સિદ્ધ ન થવાથી, અપ્રાપ્ત ભેટવાળા એવા તે બે, ભેદનું નિમિત્ત શી રીતે બને? અને For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः સ્વભાવથી પણ ધર્મ-ધર્મીના ભેદભેદની કલ્પના યુક્ત નથી, કારણ કે અહીં પણ પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન નથી થતું. વિવેચનઃ તમારે ધર્મ-ધર્મીનો ધર્મ-ધર્મિવેન ભેદ માનવો છે, પણ તેવું ત્યારે મનાય કે જ્યારે બંનેનો સ્વભાવ જુદો જુદો હોય... જો સ્વભાવભેદ ન હોય, તો તેઓનો ધર્મ-ધર્મિવેન ભેદ પણ ન થાય. તે આ પ્રમાણે – (૧) જે સ્વભાવ ધર્મનો છે, તે જ સ્વભાવ ધર્મીનો હોય, તો ધર્મના સ્વભાવથી જેમ ધર્મનું સ્વરૂપ અભિન્ન છે, તેમ ધર્મા પણ અભિન્ન થઈ જાય અને તો ધર્મી ધર્મરૂપ જ બની જાય... અથવા તો (૨) બંનેનો એકસ્વભાવ હોવામાં, જેમ ધર્મીના સ્વભાવથી ધર્મીનું સ્વરૂપ અભિન્ન છે, તેમ ધર્મ પણ અભિન્ન થઈ જાય અને તો માત્ર ધર્મી જ શેષ રહે ! એટલે ધર્મ-ધર્મી વચ્ચે ભેદ માનવા સ્વભાવભેદ પણ માનવો જ રહ્યો, નહીંતર તો બંનેનો સ્વભાવ અભિન્ન થતાં તે બેની ભિન્નતા જ ન રહે... અને એટલે જો સ્વભાવભેદ માનો, તો ધર્મધર્મીનો અભેદ શી રીતે સંગત થાય ? પૂર્વપક્ષઃ સ્વભાવથી જ તે બેનો ભેદ-અભેદ માની લઈએ તો? (તો તો ભેદભેદ ઘટી જાય ને ?) ઉત્તરપક્ષ: પણ તેવું ન મનાય, કારણ કે એવું માનવામાં પણ પૂર્વોક્ત દોષ અકબંધ જ રહે છે, અર્થાત્ “જે આકારે ભેદ હોય તે આકારે તો ભેદ જ હોવાનો, અભેદ શી રીતે ? જે આકારે અભેદ હોય તે આકારે અભેદ જ હોવાનો, ભેદ શી રીતે?..” એ બધા દોષો અહીં પણ લાગુ પડશે. એટલે ભેદભેદ માનવારૂપ ત્રીજો વિકલ્પ પણ સંગત નથી, એવું ફલિત થયું. આ વિશે કહ્યું છે કે – भेदो वा स्यादभेदो वा द्वयं वा धर्मधर्मिणोः । भेदे नैकमनेकं स्यादभेदेऽपि न युज्यते ।।१।। द्वयपक्षोऽपि चायुक्तो विकल्पानुपपत्तितः । तेनानेकान्तवादोयमज्ञैः समुपकल्पितः ।।२।। – પ્રવેશરશ્મિ - ભાવાર્થ : ધર્મ-ધર્મીનો ભેદ હોય, અભેદ હોય કે ભેદભેદ? ભેદમાં એક અનેકરૂપ ન બને, અભેદમાં પણ તે યોગ્ય નથી.. અને વિકલ્પોની અનુપપત્તિને કારણે ભેદભેદ પણ અયુક્ત છે. તેથી આ અનેકાંતવાદ અજ્ઞાનીઓ વડે કલ્પાયો છે. વિવેચનઃ ધર્મ અને ધર્મો વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદભેદ? (૧) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः - જો ધર્મ-ધર્મીનો ભેદ હોય તો જેટલા ધર્મો છે, તે બધા જુદા જુદા છે, ધર્મારૂપ નથી અને તો એક ધર્મી, અનેકરૂપવાળો સિદ્ધ ન થાય... (૨) જો અભેદ હોય, તો બધા ધર્મો ધર્મીસ્વરૂપ હોવાથી માત્ર ધર્મી જ છે, એક જ છે, તે અનેકરૂપ હોવો સિદ્ધ નહીં થાય. બીજો શ્લોક – (૩) અને વિકલ્પોની સંગતિ ન થવાથી, ધર્મ-ધર્મીનો ભેદભેદ પણ અયુક્ત જણાઈ આવે છે. એટલે આ અનેકાંતવાદ માત્ર અજ્ઞાની જીવો વડે કલ્પાયો છે. (વાસ્તવમાં તેવું કશું છે જ નહીં.) હવે પૂર્વપક્ષી, વસ્તુ અનેકરૂપ નથી – એવું સાબિત કરવા બીજી એક યુક્તિ આપે છે – किञ्च-संविनिष्ठाश्च विषयव्यवस्थितयः, न च सदसद्रूपं वस्तु संवेद्यते, उभयरूपस्य संवेदनस्याभावात्; तथाहि-नाक्षजे विज्ञाने सदसत्त्वे प्रतिभासेते, असत्त्वस्यारूपित्वात्, रूपित्वे वाऽसत्त्वविरोधात्, तथाऽनुभवाभावाच्च ।। —- પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ વળી વિષયની વ્યવસ્થા જ્ઞાન પર આધારિત છે; અને સદસરૂપ વસ્તુનું સંવેદન તો કદી થતું નથી, કારણ કે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે. તે આ પ્રમાણે - ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં અસક્ષણે જણાતું નથી, કારણ કે અસ તો અરૂપી છે. અથવા જો સરૂપી હોય, તો તેના અસપણાનો વિરોધ થાય... અને વળી તેવો અનુભવ પણ થતો નથી. વિવેચનઃ વિષય=ઘટ, તેની સિદ્ધિ તેના સ્વરૂપની સિદ્ધિ જ્ઞાન દ્વારા જ થાય છે. જેનું જ્ઞાન થાય છે, તે જ વસ્તુ હોય છે ને જેવું જ્ઞાન થાય છે, તેવી જ વસ્તુ હોય છે. એટલે વસ્તુ જો સદસદૂરૂપ માનવી હોય, તો પહેલા સદસરૂપ વસ્તુનું જ્ઞાન થવું જરૂરી છે... પણ સદસરૂપ વસ્તુનું સંવેદન કદી થતું નથી. જુઓ – @ સંવેદનના આધારે પણ અનેકરૂપતા અસંગત છે (૧) ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં, કે (૨) અનુમાનમાં બેમાંથી એકેમાં સદસદાકારનો પ્રતિભાસ થતો નથી. તે આ પ્રમાણે – (૧) ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં તો રૂપ-રસાદિવાળા પદાર્થનું જ જ્ઞાન થાય છે, જ્યારે ઉભયરૂપતાની અંદર રહેલી અસરૂપતા તો રૂપ-રસાદિથી રહિત છે, તો તેવી અરૂપી અસરૂપતાનું સંવેદન પ્રત્યક્ષમાં શી રીતે થઈ શકે? અને અસરૂપતાના સંવેદન વિના ઉભયરૂપતાનું સંવેદન પણ શી રીતે ઘટે ? અને જો એ અસદુરૂપતામાં રૂપ-રસાદિ માની લેવામાં આવે, તો તો એની અસરૂપતા જ ન રહે, કારણ કે જેમાં રૂપ-રસાદિ હોય તે અસદ્ ન હોઈ શકે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः વળી સદસતુ બંને આકાર ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં જણાતા હોય એવો કદી અનુભવ પણ થતો નથી. એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં તો સદસદાકારનો પ્રતિભાસ ન જ મનાય... न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतः-नोभयरूपं कार्यमुपलभ्यते; न च तत्कार्यकरणे प्रवर्तमानं केनचिदाकारेण करोति, केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्; सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्; तथाहि-नाभावः कस्यचिदपि कारणं भवितुमर्हति, अभावत्वविरोधात्, तत्कारणत्वे च विश्वमदरिद्रं स्यात्; तत एव कटककुण्डलाद्युत्पत्तेः; न च तस्मानिरुपाख्यतयाऽविशिष्टात् कस्यचिदेव भावः, न सर्वस्य' इति वक्तुं युज्यते, हेत्वभावात् । अतः श्रद्धागम्यमेवेदं सदसद्रूपं वस्तु, રૂતિ | તથા વોરમ્ – न च प्रत्यक्षसंवेद्यं, कार्यतोऽपि न गम्यते । श्रद्धागम्यं यदि परं वस्त्वेकमुभयात्मकम् ।।१।। કૃતિ પ્રથમપૂર્વપક્ષ: તા . –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ સદસરૂપ વસ્તુ કાર્ય દ્વારા પણ જાણવી શક્ય નથી, કારણ કે ઉભયરૂપ કાર્ય ક્યાંય દેખાતું નથી. અને એ કારણરૂપ વસ્તુ કાર્ય કરવા પ્રવર્તે, તો તે કોઈ આકારે કરે અને કોઈ આકારે ન કરે એવું ન બને, કારણ કે એક ઠેકાણે કરણ-અકરણ હોવામાં વિરોધ છે. હવે જો એ (કારણ) પૂર્ણપણે કાર્ય કરવામાં પ્રવર્તે, તો તો એ ભાવરૂપ જ થાય. તે આ પ્રમાણે- અભાવ કોઈનું પણ કારણ ન બની શકે, કારણ કે તેમાં તેના અભાવપણાનો વિરોધ છે. જો અભાવને કારણે માનો, તો વિશ્વ અદરિદ્ર થઈ જાય, કારણ કે અભાવથી જ કડા, કુંડલ વગેરેની ઉત્પત્તિ થઈ જશે ! અને વળી તુચ્છરૂપે બધા અભાવો સરખા હોવાથી “અભાવથી અમુકનો જ ભાવ; બધાનો નહીં એવું કહેવું યોગ્ય ઠરે નહીં, કારણ કે એ વાતને સિદ્ધ કરનાર કોઈ હેતું નથી. કહ્યું છે કેઃ પ્રત્યક્ષથી જણાતી નથી અને કાર્યથી પણ જણાતી નથી, છતાં જો એક વસ્તુ ઉભયાત્મક છે તો તે માત્ર શ્રદ્ધાગમ્ય જ છે.” વિવેચન : કાર્ય હંમેશા, કારણને સજાતીય જ હોય. એટલે, સદસરૂપ કારણના અનુમાન માટે કાર્ય પણ સદસરૂપ હોવું જોઈએ. પણ સદસરૂપ કાર્ય તો ઉપલબ્ધ થતું નથી. (કારણ કે પૂર્વે પ્રત્યક્ષની યુક્તિમાં તેનું ખંડન થઈ ગયું છે.) એટલે સદસરૂપ કારણનું અનુમાન પણ શક્ય નથી. વળી, કારણરૂપ વસ્તુ જ્યારે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે તે કોઈ આકારે કાર્ય કરે અને કોઈ આકારે કાર્ય ન કરે એવું ન બને. ઉદાહરણ : મૃદ્રવ્ય; સદસરૂપ માનીએ તો તે મૃત્વરૂપે સત્ છે, જલવારિરૂપે અસત્ છે. હવે તે ઘટનું કારણ બને છે તેમાં મૃત્વેન જ તે ઘટનું કારણ બને છે, જલાભાવત્વેન નહીં, એવું તો તમે કહી નહીં શકો, કારણ કે એક જ વસ્તુ અમુકરૂપે કરે અને અમુકરૂપે ન કરે, તેવું બની શકે નહીં. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ११ જો સંપૂર્ણપણે કરે, તો સંપૂર્ણ વસ્તુ ભાવરૂપ (સરૂપ) જ ફલિત થાય, કારણ કે અભાવરૂપ તો કોઈનું કારણ બનતું નથી; બને તો તેને અભાવ જ ન કહેવાય, કારણ કે અભાવ તો સર્વશક્તિથી વિકલ તુચ્છરૂપ હોય છે. અભાવને પણ તમે કારણ માનતા હો, તો તો પૈસાના અભાવથી સોનું વગેરે ઉત્પન્ન થવા લાગશે અને તો જગતમાં કોઈ ગરીબ નહીં રહે. પ્રશ્નઃ અભાવ બધું ઉત્પન્ન કરે એવો નિયમ નથી. પ્રતિનિયત અભાવ, પ્રતિનિયત વસ્તુને ઉત્પન્ન કરે... ઉત્તરઃ એવું ન કહી શકાય, કારણ કે તુચ્છરૂપે બધા અભાવ સરખા છે, દરેક અભાવનું જુદું જુદું પ્રતિનિયત સ્વરૂપ નથી. એટલે, જેમ મૃમાં ઘટજનનશક્તિ મનાય છે, તેમ પ્રતિનિયત અભાવમાં પ્રતિનિયત કાર્યની શક્તિ માની શકાતી નથી. તેથી અભાવથી કોઈ પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ ન મનાય. નિષ્કર્ષ એટલે કારણનું અસરૂપ તો અભાવરૂપ હોઈ તેનું કોઈ કાર્ય નથી અને તો કાર્ય દ્વારા એ અસરૂપનું અનુમાન શી રીતે થઈ શકે ? અને અસરૂપતાના જ્ઞાન વિના વસ્તુ સદસરૂપ છે એવું પણ શી રીતે જણાય ? એટલે વસ્તુ સદસરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી, એને માનવામાં તમારી અંધશ્રદ્ધા જ જણાઈ આવે છે. કહ્યું છે કે – “પ્રત્યક્ષ દ્વારા સંવેદન નથી થતું અને કાર્ય દ્વારા અનુમાન પણ નથી થતું, છતાં જો એક વસ્તુ ઉભયાત્મક જ હોય તો તે કેવળ શ્રદ્ધાગમ્ય જ છે.” તિ પ્રથમપૂર્વપક્ષ ! આ પ્રમાણે એકાંતવાદીએ, સદસરૂપ અનેકાંતવાદનું નિરાકરણ કર્યું. હવે નિત્યાનિત્યરૂપ અનેકાંતવાદનું નિરાકરણ કરવા યુક્તિઓ રજૂ કરે છે – ___एतेन नित्यानित्यमपि प्रत्युक्तमेवमवगन्तव्यम्, विरोधादेव । तथाहि-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभाव नित्यमाख्यायते, प्रकृत्यैकक्षणस्थितिधर्मकं चानित्यमिति । ततश्च यदि नित्यम्, कथमनित्यम् ? अनित्यं चेत्, कथं नित्यं ? इति ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : એનાથી નિત્યાનિત્ય સ્વરૂપ પણ નિરાકૃત થયું જ સમજવું. તે આ પ્રમાણે- અપ્રટ્યુત, અનુત્પન અને સ્થિર એક સ્વભાવવાળાને નિત્ય કહેવાય છે અને સ્વભાવથી જ એકક્ષણસ્થિતિક વસ્તુને અનિત્ય કહેવાય છે. તેથી વસ્તુ જો નિત્ય હોય, તો અનિત્ય કેવી રીતે? અને અનિત્ય હોય, તો નિત્ય કેવી રીતે ? For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः છે (૨) નિત્યાનિત્ય એકાંતવાદ છે. વિવેચનઃ એક વસ્તુમાં અનેક વિરુદ્ધ ધર્મનું જોડાણ ન થાય, એ કથનથી “વસ્તુ નિત્યાનિત્ય...” એ વાત પણ નિરાકૃત થઈ સમજવી. કારણ કે એક જ વસ્તુને નિત્યાનિત્ય માનવામાં પણ વિરોધ છે જ. તે આ પ્રમાણે – (૧) જે વસ્તુ અપ્રશ્રુત (=નાશ ન પામે તેવા), અનુત્પન્ન ઉત્પન્ન ન થવાના) અને સ્થિર રહેવાના એક સ્વભાવવાળી હોય, તેને “નિત્ય' કહેવાય છે. હવે આપણે નિત્ય વસ્તુના આવા ત્રણ વિશેષણોનું પદકૃત્ય જોઈએ – (ક) જો માત્ર “એકસ્વભાવી” એટલું જ કહીએ, તો ક્ષણસ્વભાવી વસ્તુ પણ – એકસ્વભાવી હોવાથી – નિત્ય બની જાય, માટે જ “સ્થિર' એમ કહ્યું. (ખ) કેટલાક લોકો સ્થિર-એકસ્વભાવી સાદિ-અનંત એવા મોક્ષને અને કાર્યવૅસને નિત્ય માને છે, તેના વ્યવચ્છેદ માટે “અનુત્પન્ન” એમ કહ્યું. જયારે મોક્ષ અને કાર્યધ્વસ તો ઉત્પન્ન થાય છે. (ગ) તૈયાયિકો, કાર્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સ્થિર-એકસ્વભાવી અને અનાદિ એવા પ્રાગભાવને નિત્ય માને છે, તેના વ્યવચ્છેદ માટે “અપ્રશ્રુત-અવિનાશી' એમ કહ્યું... જ્યારે પ્રાગભાવ તો નાશ પામે છે. (૨) જે વસ્તુ, બીજા હેતુથી નહીં, પણ સ્વભાવથી પોતાની મેળે જ બીજી ક્ષણે નાશ પામનારી હોય અને માત્ર એક ક્ષણ રહેવાના સ્વભાવવાળી હોય, તેને “અનિત્ય' કહેવાય છે. આમ નિત્ય-અનિત્ય બંનેનું સ્વરૂપ વિરોધી હોવાથી, વસ્તુ જો નિત્ય (અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળી) હોય, તો અનિત્ય (=ક્ષણસ્થિતિક) કેવી રીતે ? અને અનિત્ય હોય તો નિત્ય કેવી રીતે ? એટલે એક જ વસ્તુ નિત્યાનિત્યરૂપ માની શકાય નહીં. स्यादारेका-'न हि कूटस्थनित्यतया नित्यं द्रव्यमभ्युपगम्यतेऽस्माभिः, परिणामिनित्यताभ्युपगमात्; किन्तु पूर्वोत्तरक्षणप्रविभागेन प्रबन्धवृत्त्या । न ह्यस्य पर्यायाणामिवोच्छेदः, तद्रूपेण तथाप्रतीतेः । पर्याया एव हि पर्यायरूपेण निरुध्यन्ते, न तु द्रव्यम्; इति नित्यमभ्युपगम्यते' ।। - પ્રવેશરશ્મિભાવાર્થ ? આવું કહો કે “અમે દ્રવ્યને કૂટસ્થ નિત્યરૂપે નથી માનતા, પણ પરિણામી નિત્ય માનીએ છીએ, અર્થાતુ, પૂર્વાપર જુદી જુદી ક્ષણોમાં પણ પ્રબંધવૃત્તિથી (=અન્વયી દ્રવ્યની અનુવૃત્તિથી) નિત્ય માનીએ છીએ. હવે એ અન્વયી દ્રવ્યનો પર્યાયોની જેમ ઉચ્છેદ નથી થતો, કારણ કે તેવા દ્રવ્યરૂપે ઉચ્છેદની પ્રતીતિ કદી થતી નથી. પર્યાયો જ પર્યાયરૂપે નાશ પામે છે, દ્રવ્ય નહીં. એટલે જ અમારા વડે વસ્તુ નિત્ય મનાય છે.” For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ચાદ્વાદમતે નિત્યતાનું સ્વરૂપ છે વિવેચનઃ અમે દ્રવ્યને કૂટસ્થનિત્યરૂપે (=સદાસ્થાયી એકરૂપે) નિત્ય નથી માનતા, કારણ કે અમે તો પર્યાયને આશ્રયીને તેને કથંચિત્ અનિત્ય પણ માનીએ છીએ... પ્રશ્ન : તો સ્યાદ્વાદમતે નિત્યતા કેવી મનાય છે ? ઉત્તરઃ જુઓ; વસ્તુ પૂર્વ ક્ષણમાં પણ હોય છે, ઉત્તરક્ષણમાં પણ હોય છે. એ બંને ક્ષણકાલીન (પર્યાયરૂપ) અવસ્થા જુદી જુદી હોય છે. પણ એ બે વચ્ચે સંબંધ છે, કારણ કે પૂર્વ અવસ્થાના ત્યાગથી જ ઉત્તર અવસ્થા ઉત્પન્ન થાય છે. આ સંબંધથી જ જે અસ્તિત્વમાં આવે છે, તે અન્વયી એવું દ્રવ્યત્વ છે અને તેને લઈને જ અમે નિત્યત્વ માનીએ છીએ. (તાત્પર્ય એ કે, પ્રતિક્ષણે પર્યાયો ભિન્ન છે, પણ તેમાં એક જ દ્રવ્ય રહેલું છે, તેને આશ્રયીને નિત્યતા છે. દા.ત. નરકમાંથી તિર્યચ/મનુષ્ય થવા છતાં પણ, આત્મારૂપ દ્રવ્યત્વેન એ જીવની નિયતા છે.) વળી, પર્યાયોની જેમ દ્રવ્યનો પ્રતિક્ષણ ઉચ્છેદ નથી થતો, કારણ કે દ્રવ્યરૂપે વસ્તુના ઉચ્છેદની પ્રતીતિ કદી નથી થતી. (આશય એ કે, દ્રવ્યમાં હંમેશાં પૂર્વ - ઉત્તર ક્ષણ એવા વિભાગ થઈ જ શકે છે. પણ તે રૂપે તેનો ઉચ્છેદ ક્યારેય થતો નથી, અર્થાત્ એક અન્વયી પદાર્થ તો રહે જ છે. એ વાતમાં કારણ એ જ કે, પૂર્વ-ઉત્તર અવસ્થા વચ્ચે જે સંબંધ (અન્વય) છે, તેનાથી અસ્તિત્વમાં આવતા અન્વયી એવા દ્રવ્યરૂપે ઉચ્છેદની પ્રતીતિ કદી થતી નથી. (અર્થાત્ પૂર્વ-ઉત્તર અવસ્થા વચ્ચે સંબંધ હંમેશાં જણાય છે.) કહેવાનો ભાવ એ કે, ક્રમભાવી એ પર્યાય વચ્ચેના સંબંધના (આ પૂર્વ અને આ ઉત્તર પર્યાય એવા સંબંધના) નાશની પ્રતીતિ કદી થતી નથી. એટલે એવા બે વિભાગ જેના થઈ શકે એવું અન્વયી દ્રવ્ય નિત્ય જ છે.) વળી પર્યાયરૂપે પણ માત્ર પર્યાયનો જ ઉચ્છેદ થાય છે, અર્થાત્ દરેક ક્ષણે જે નાશ થાય છે, તે પર્યાયનો જ થાય છે, કારણ કે તેનો જ સ્વભાવ એક ક્ષણ રહેવાનો છે. દ્રવ્યનો તેવો સ્વભાવ ન હોવાથી, તેનો નાશ થવાનું કારણ જ નથી અને તેથી તેનો નાશ પણ થતો નથી. દા.ત. માટી, ઘટ-કપાલાદિરૂપે અનિત્ય હોવા છતાં પણ પુદ્ગલ રૂપે - દ્રવ્યરૂપે તો નિત્ય જ છે. આમ વસ્તુના નિત્યાનિત્ય બંને સ્વરૂપ સંગત હોય, તો વસ્તુ ઉભયરૂપ કેમ ન બને? તેમાં દોષ શું? હવે એકાંતવાદી, સ્યાદ્વાદમતે દોષ આપવા પોતાનું વક્તવ્ય રજૂ કરે છે. ____इयमप्ययुक्ता, यस्माद् एषाप्यत्र नित्यता न संभवति, पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यासिद्धेः, तथाहि- न पर्यायव्यतिरिक्तं द्रव्यमस्ति, तथानुभवाभावात्; व्यतिरिक्तभावे वा, अनेकरूपैकवस्तुवादहानिप्रसङ्गः । तथा चोक्तम् For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ १४ पर्यायाऽभेदिनोऽनित्यं द्रव्यं स्यात्तत्स्वरूपवत् । स्याद्वादविनिवृत्तिश्च नानात्वे संप्रसज्यते ।। १ ।। व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु विरोधाघ्रातत्वादनुद्घोष्य एव ।। इति द्वितीयपूर्वपक्ष: ।।२।। ૨. ‘પર્યાવા મેવિનો નિત્યું' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ । - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : એ શંકા પણ યુક્ત નથી, કારણ કે અહીં આવી નિત્યતા પણ ન સંભવે અને તેનું કારણ એ જ કે પર્યાયથી જુદું દ્રવ્ય સિદ્ધ થતું નથી. તે આ પ્રમાણે - પર્યાયથી જુદું દ્રવ્ય નથી, કારણ કે તેવો અનુભવ નથી થતો. અથવા જો જુદું હોય એવું માનો, તો એકને અનેકરૂપ માનવાના વાદની હાનિ થશે. કહ્યું છે કે – “પર્યાયથી અભિન્ન દ્રવ્ય પર્યાયસ્વરૂપની જેમ અનિત્ય થઈ જાય. હવે જો દ્રવ્ય-પર્યાય ભિન્ન માનો, તો સ્યાદ્વાદની નિવૃત્તિ થઈ જાય’” અને ભેદાભેદપક્ષ તો વિરોધગ્રસિત હોવાથી બોલવા યોગ્ય જ નથી. अनेकान्तवादप्रवेशः ૐ સ્યાદ્વાદીકલ્પિત નિત્યતા અસંગત છે વિવેચન ઃ સ્યાદ્વાદીનું ઉપરોક્ત કથન બિલકુલ યુક્ત નથી, કારણ કે તમે દ્રવ્યાનુવૃત્તિના કારણે જે નિત્યતા કહો છો, તે નિત્યતા તો સંભવિત જ નથી. તેનું કારણ એ કે, પર્યાયથી જુદા દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ નથી. જુઓ <0 પર્યાયથી જુદું સ્વતંત્ર કોઈ દ્રવ્ય છે જ નહીં, કારણ કે પર્યાયથી જુદા દ્રવ્યનો અનુભવ કદી થતો નથી. માટી આદિ દ્રવ્યનો શિવકાદિ પર્યાયરૂપે જ અનુભવ થાય છે, સ્વતંત્ર માટીરૂપે નહીં. જો પર્યાયથી દ્રવ્યને જુદું માનવામાં આવે, તો દ્રવ્ય-પર્યાય બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતાંદ્રવ્ય પર્યાયરૂપ ન બની શકવાથી - જુદા જુદા પર્યાયો એક દ્રવ્યના છે તેવું કહી નહીં શકાય અને તેથી એક જ વસ્તુ ‘અનેકરૂપ’ છે તેવું પણ કહીં નહીં શકાય. એટલે તો સ્યાદ્વાદની હાનિ થશે જ. આ વિશે કહ્યું છે કે “પર્યાયની સાથે અભેદપણે રહેનારું દ્રવ્ય, પર્યાયના સ્વરૂપની જેમ અનિત્ય થઈ જાય... અને જો પર્યાય અને દ્રવ્ય એક ન હોય, તો - એક વસ્તુ અનેકરૂપ ન બની શકતાં - સ્યાદ્વાદની હાનિ થાય...” - વળી દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ પણ ન માની શકાય, કારણ કે એકત્ર ભેદાભેદ હોવામાં વિરોધ છે. એટલે આ પક્ષ પણ વિરોધગ્રસિત હોવાથી બોલવા યોગ્ય નથી. નિષ્કર્ષ : આમ પર્યાયથી જુદું દ્રવ્યનું અસ્તિત્વ જ સિદ્ધ ન હોવાથી એને લઈને પણ નિત્યતા સંગત થાય નહીં. ફલતઃ વસ્તુને નિત્યાનિત્યરૂપ માનવી તર્કસંબદ્ધ નથી. ।। કૃતિ દ્વિતીયપૂર્વક્ષઃ ।। For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः o આ પ્રમાણે એકાંતવાદીએ, નિત્યાનિત્યરૂપતાનું નિરાકરણ કર્યું. હવે સામાન્ય - વિશેષરૂપતાનું નિરાકરણ કરવા યુક્તિઓ રજૂ કરે છે – १५ * एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम् । तथाहि एकं सामान्यम्, अनेके विशेषाः; तथा नित्यं सामान्यम्, अनित्या विशेषाः; तथा निरवयवं सामान्यम्, सावयवा विशेषाः; तथा अक्रियं सामान्यम्, सक्रिया विशेषाः; सर्वगतं सामान्यम्, असर्वगता विशेषाः । ततश्च तद्यदि सामान्यरूपम्, कथं विशेषरूपम् ? विशेषरूपं चेत्, कथं सामान्यरूपम् ? इति । -: प्रवेशरश्मि : ભાવાર્થ : એનાથી સામાન્ય-વિશેષ ઉભયરૂપ પણ નિરાકૃત થયું સમજવું. જુઓ - સામાન્ય એકરૂપ અને વિશેષ અનેકરૂપ, તથા સામાન્ય નિત્ય અને વિશેષ અનિત્ય, તથા સામાન્ય નિરવયવ અને વિશેષ સાવયવ, તથા સામાન્ય ક્રિયા વિનાનું અને વિશેષ સક્રિય, સામાન્ય સર્વગત અને વિશેષ અસર્વગત... આવું હોય, તો વસ્તુ જો સામાન્યરૂપ હોય, તો વિશેષરૂપ કેવી રીતે ? અને વિશેષરૂપ હોય તો સામાન્યરૂપ કેવી રીતે ? *(3) सामान्य विशेष खेडांतवाह વિવેચન : નિત્યાનિત્યરૂપતાનું નિરાકરણ થવાથી વસ્તુની સામાન્ય-વિશેષરૂપતાનું પણ નિરાકરણ થયું સમજવું, કારણ કે સામાન્ય-વિશેષ વચ્ચે પણ વિરોધ છે જ, જુઓ (१) सामान्य खेड, नित्य, निरवयव (अंशरहित), निष्ठिय भने सर्वव्यापी छे. (२) विशेष अने, अनित्य, सावयव (सांश ), सहिय अने असर्वगत छे. આમ, સામાન્ય-વિશેષ બંનેનું સ્વરૂપ વિરોધી હોવાથી, વસ્તુ જો સામાન્યરૂપ (એક - नित्याहि३५) होय, तो ते विशेष३५ (अने-खनित्याहि३५) देवी रीते ? जने विशेष३प होय तो સામાન્યરૂપ કેવી રીતે ? * किञ्च-सामान्यविशेषोभयरूपत्वे सति वस्तुनः सकललोकप्रसिद्धसंव्यवहारनियमो - च्छेदप्रसङ्गः; तथाहि-विषमोदकक्षीरकर्कादिव्यक्त्यभिन्नमनानास्वभावमेकं सामान्यं वर्तते । ततश्च न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकात्; नापि मोदको मोदक एव, विषाभिन्नसामान्याभेदात् ।। किं तर्हि ? उभयमपि उभयरूपम् । ततश्च विषार्थी विषे प्रवर्तेत मोदके च, एवं मोदकार्थ्यपि मोदके विषे च । लोकश्च विषार्थी विष एव प्रवर्तते, न मोदके; मोदकार्थ्यपि मोदक एव, न विषे; इत्यस्य नियमस्योच्छेदः स्यात् । तथा च विषे भक्षिते For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ १६ अनेकान्तवादप्रवेशः मोदकोऽपि भक्षितः स्यात्, मोदके भक्षिते विषं भक्षितं स्यात्। तथा च सति प्रतीतिविरोधः स्यात् । एवं क्षीरमपि न क्षीरमेव, कर्काद्यनर्थान्तरभूतसामान्याव्यतिरेकात्; कर्कोऽपि न कर्क एव, क्षीराद्यव्यतिरिक्तसामान्याव्यतिरेकादेव । ततश्च इहापि क्षीरार्थी न क्षीर एव प्रवर्तेत, अपि तु कर्केऽपि; एवं कर्कार्थ्यपि न कर्क एव, किं तर्हि ? क्षीरेऽपि | ન વેત્યનિયમેન પ્રવૃત્તિર્રશ્યો ...વામિત્ર નાના..ત્તિ પૂર્વમુદિતાઃ - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : વળી, વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવામાં સકલલોકપ્રસિદ્ધ વ્યવહારનિયમનનો ઉચ્છેદ થાય. જુઓ - વિષ, મોદક, ક્ષીર, કર્ક આદિ વ્યક્તિભેદોમાં અભિન્ન એકસ્વભાવવાળું એક સામાન્ય વર્તે છે. અને તેથી વિષ વિષ જ નથી, કારણ કે મોદકાદિથી અભિન સામાન્યની સાથે તેનો અભેદ છે અને મોદક મોદક જ નથી, કારણ કે વિષથી અભિન્ન સામાન્યની સાથે તેનો અભેદ છે. એટલે તો વિષ-મોદક બંને ઉભયરૂપ બને અને તેથી વિષાર્થી વિષ-મોદક બંનેમાં પ્રવર્તે એ જ રીતે મોદકાર્થી મોદક-વિષ બંનેમાં પ્રવર્તે.. અને એથી તો “વિષાર્થી વિષમાં જ પ્રવર્તે, મોદકમાં નહીં અને મોદકાર્થી મોદકમાં જ પ્રવર્તે, વિષમાં નહીં - એવા લોકનિયમનો ઉચ્છેદ થાય... અને એવું હોય તો વિષ ખાધે મોદક પણ ખવાઈ ગયો થાય અને મોદક ખાધે વિષ પણ ખવાઈ ગયું થાય. અને તેવી પ્રતીતિ તો કોઈને થતી નથી. એ જ રીતે ક્ષીર પણ ક્ષીર જ નથી, કારણ કે તેમાં કર્ક-અભિન્ન સામાન્યનો અભેદ છે... કર્ક પણ કર્ક જ નથી, કારણ કે તેમાં ક્ષીર-અભિન સામાન્યનો અભેદ છે. અને તેથી તો ક્ષીરાર્થી ક્ષીરમાં જ ન પ્રવર્તે, પણ કર્કમાં પણ અને કર્ણાર્થી કર્કમાં જ ન પ્રવર્તે, પણ ક્ષીરમાં પણ અને આ પ્રમાણે નિયમન વિનાની પ્રવૃત્તિ તો દેખાતી નથી. * ઉભયરૂપતામાં વ્યવહારનિયમનનો ઉચ્છેદ છે વિવેચનઃ વસ્તુને જો સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનો, તો સકલલોકમાં પ્રસિદ્ધ વ્યવહારનો જે નિયમ; તેનો ઉચ્છેદ થઈ જશે ! અર્થાત્ લાડવાદિનો ચાહક લાડવા વિશે જ પ્રવર્તે એવા નિયમનો નહીં રહે ! તે આ પ્રમાણે – (ક) વિશ્વમાં સામાન્ય માત્ર એક છે, (ખ) સામાન્યનો સ્વભાવ ચિત્ર નથી, એક જ છે, અને (ગ) સામાન્ય વિષ, મોદક, દૂધ, કર્ક (ધોળો ઘોડો) વગેરે તમામ વસ્તુઓ સાથે જોડાયેલું – અભિન્ન છે. એટલે તો વિષે માત્ર વિષ જ નહીં રહે, પરંતુ મોદક પણ બની જશે ! કારણ કે તેનો મોદકાદિથી અભિન્ન સામાન્યની સાથે અભેદ છે... એ જ રીતે લાડવો પણ માત્ર લાડવો જ નહીં રહે, પરંતુ વિષ પણ બની જશે ! કારણ કે તેનો વિષથી અભિન્ન સામાન્યની સાથે અભેદ છે... For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १७ એટલે તો વિષ-મોદક બંને ઉભયરૂપ બની જાય, અર્થાત્ વિષ વિષ-મોદકરૂપ અને મોદક મોદકવિષરૂપ બની જાય અને તેથી તો વિષનો ચાહક જીવ, વિષ-લાડવા બને તુલ્ય હોવાથી વિષ-લાડવા બંને વિશે પ્રવૃત્તિ કરશે. અને એ જ રીતે લાડવાનો ચાહક બાળક, લાડવો - વિષ તુલ્ય હોવાથી લાડવા – વિષ બંને વિશે પ્રવૃત્તિ કરશે ! અને એટલે તો - વિષનો ઇચ્છુક વિષમાં જ પ્રવર્તે, મોદકમાં નહીં અને મોદકનો ઇચ્છુક મોદકમાં જ પ્રવર્તે, વિષમાં નહીં – એવો જે લોકસિદ્ધ વ્યવહારનો નિયમ છે, તેનો ઉચ્છેદ થાય જ. આગળ વધીને તો વિષ ખાવાથી તદભિન્ન મોદક પણ ખવાઈ ગયો માનવો પડે અને મોદક ખાવાથી તદભિન્ન વિષ પણ ખવાઈ ગયું માનવું પડે ! અને આમાં તો પ્રતીતિનો વિરોધ થવાનો જ. કારણ કે લાડવો ખાતી વખતે, લાડવો ખાધાની જ પ્રતીતિ થાય છે, વિષ ખાધાની નહીં. (જો એ વખતે વિષ પણ ખવાતું હોત, તો તો પુષ્ટિના બદલે મૃત્યુ જ થઈ જાત.) એ જ રીતે દૂધ દૂધ જ નથી, કારણ કે તેનો કર્કથી અભિન્ન સામાન્ય સાથે અભેદ છે. અને કર્ક પણ કર્ક નથી, કારણ કે તેનો દૂધ-અભિન્ન સામાન્ય સાથે અભેદ છે. એટલે તો દૂધનો ચાહક બાળક, દૂધને જ નહીં પીવે, કર્કને પણ પીવા દોડશે ! અને કર્ક પર ચડવા ઇચ્છતો ઘોડેસવાર, કર્ક પર જ નહીં ચડે, સાથે તદભિન્ન દૂધ પર પણ ચડશે... અને એટલે તો ઊંધી-ચત્તી પ્રવૃત્તિ થવાનું માનવું પડશે ! પણ આવી નિયમન વિનાની પ્રવૃત્તિ તો લોકમાં કદી દેખાતી નથી. એટલે વસ્તુમાં સામાન્યરૂપતા મનાય જ નહીં અને તો તેની ઉભયરૂપતા અસંગત જ રહે. स्यादेतद्-'विषादिषु विशेषरूपताऽप्यस्त्येव, सा तदर्थिनो नियमेन प्रवृत्तेर्बीजम्, तद्भक्षणे च नान्यभक्षणं स्यात्। इति' ।। –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો આવું હોય કે - “વિષાદિમાં વિશેષરૂપતા પણ છે જ અને વિષ વિશે પ્રવર્તનારાઓ માટે એ (વિશેષરૂપતા) જ પ્રવૃત્તિનું બીજ બનશે અને એટલે વિષના ભક્ષણમાં બીજાનું ભક્ષણ નહીં થાય.” વિશેષરૂપતાથી પ્રતિનિયત વ્યવહારની સંગતિ કે વિવેચનઃ સ્યાદ્વાદીઃ વિષ વગેરે વસ્તુઓમાં માત્ર સામાન્યરૂપતા જ નથી, પણ વિશેષરૂપતા પણ છે અને એ વિશેષરૂપતા જ, તે તે વસ્તુના ઇચ્છુક વ્યક્તિઓને તે તે વિશે વ્યવહાર કરાવવામાં નિયંત્રિકા બને છે. તાત્પર્ય એ કે, મોદકમાં પુષ્ટિદાયકત્વ, મધુરરસ... વગેરે રૂપ એવી વિશેષરૂપતા રહી છે કે જે વિષાદિ કોઈ પદાર્થમાં નથી. (માત્ર લાડવો જ પુષ્ટિ આપે છે, વિષ નહીં અને માત્ર વિષ જ મૃત્યુ આપે છે, લાડવો નહીં.) અને એ વિશેષરૂપતાને લીધે લાડવાનો ચાહક બાળક લાડવા અંગે જ પ્રવૃત્ત થશે, વિષ વિશે નહીં... For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः અને એ વિશેષરૂપતાને લીધે જ, લાડવાનો ઇચ્છુક બાળક માત્ર લાડવાનું જ ભક્ષણ કરશે, વિષનું નહીં* અને વિષનો ઇચ્છુક જીવ માત્ર વિષનું જ ભક્ષણ કરશે, લાડવાનું નહીં. આમ તમામ વ્યવહારો પ્રતિનિયતરૂપે સંગત થઈ જવાથી, વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવામાં કોઈ બાધ નથી. ક एतदयुक्तम्, विकल्पानुपपत्तेः; तथाहि-विषादिषु विशेषरूपता मोदकादिविशेषरूपव्यावृत्ता वा स्यात् ? स्वरूपनियता वा ?। न तावन्मोदकादिविशेषरूपव्यावृत्ता, तदनर्थान्तरभूतसामान्याव्यतिरेकात्; व्यतिरेके चोभयरूपवस्तुवादहानिप्रसङ्गात्; व्यतिरेकाव्यतिरेकपक्षस्य च विरोधेन तिरस्कृतत्वात् । नापि स्वरूपनियता, मोदकाद्यभिन्नसामान्यानान्तरत्वात्; अर्थान्तरत्वे च सैव विशेषरूपता अर्थक्रियार्थिप्रवृत्तिविषयत्वाद् वस्त्वस्तु, तत्फलविशेषोपादानभावलक्षितस्वभावत्वात् वस्तुनः; सा च तादृशी नान्यत्रास्ति, अर्थिनः प्रवृत्त्यभावात् । त्यज्यतामुभयरूपैकवस्तुवादाभिमानः ।।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : આ કથન અયુક્ત છે, કારણ કે વિકલ્પોની અસંગતિ છે. જુઓ - વિષાદિમાં રહેલી વિશેષરૂપતા, મોદકાદિના વિશેષરૂપથી ભિન્ન છે, કે સ્વરૂપનિયત છે? મોદકાદિના વિશેષરૂપથી ભિન્ન તો ન મનાય, કારણ કે મોદકથી અભિન્ન એવા સામાન્યથી તે અભિન્ન છે. અને ભિન્ન માનવામાં એક વસ્તુને ઉભયરૂપ માનવાના વાદની હાનિ થાય. અને ભિન્નભિન્ન પક્ષ તો વિરોધને કારણે તિરસ્કૃત છે... વિષાદિની વિશેષરૂપતા સ્વરૂપનિયત પણ ન કહેવાય, કારણ કે મોદકાદિથી અભિન્ન એવા સામાન્યથી તે ભિન્ન નથી. જો ભિન્ન કહો, તો તે વિશેષરૂપતા જ અર્થક્રિયાના અર્થીની પ્રવૃત્તિનો વિષય હોવાથી વસ્તુરૂપ થશે, કારણ કે પ્રતિનિયત ફળવિશેષના ઉપાદાનભાવરૂપ સ્વભાવવાળી જ વસ્તુ હોય છે. અને તેવી અર્થક્રિયા બીજે નથી, કારણ કે બીજે અર્થી જીવની પ્રવૃત્તિ થતી નથી. એટલે ઉભયરૂપ એક વસ્તુ માનવાનું અભિમાન છોડી દો. વિકલ્પોથી સ્યાદ્વાદીનું કથન અનુપપન્ના ૪ | વિવેચનઃ એકાંતવાદી : તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે વિકલ્પોની સંગતિ થતી નથી. તે આ પ્રમાણે - વિષાદિમાં રહેલી વિશેષરૂપતા, મોદકાદિના વિશેષરૂપથી (૧) ભિન્ન છે કે, (૨) સ્વરૂપનિયત છે ? (૧) પ્રથમ પક્ષ તો યોગ્ય નથી, કારણ કે મોદક/વિષાદિમાં રહેલું સામાન્ય એક જ છે. વિષગત સામાન્યથી વિષમતવિશેષ અભિન્ન છે અને મોદકગત સામાન્યથી પણ વિષગત વિશેષ અભિન્ન છે. પ્રશ્ન : (વ્યતિરેકોવ ) મોદક-વિષગત સામાન્યથી, એ વિષમાં રહેલી વિશેષરૂપતા ભિન્ન - અને મોદકના ભક્ષણથી વિષનું ભક્ષણ થઈ જવાની આપત્તિ પણ નહીં આવે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १९ માની લઈએ તો? (પછી તો વિષની વિશેષરૂપતા, મોદકના વિશેષરૂપથી અભિન્ન નહીં બને* ને?) ઉત્તર : પણ એવું માનવામાં, એક જ વસ્તુ ઉભયરૂપ માનવાના વાદની હાનિ થશે ! કારણ કે વિશેષરૂપતા સામાન્યથી ભિન્ન હોવાથી, વિષ જો વિશેષરૂપ હોય, તો તે તદભિન્ન સામાન્યરૂપ નહીં હોઈ શકે... અને જો સામાન્યરૂપ હોય, તો તદભિન્ન વિશેષરૂપ નહીં હોઈ શકે. ફલતઃ એક જ વસ્તુ ઉભયરૂપ માની શકાશે નહીં. પ્રશ્નઃ તો મોદક-વિષગત સામાન્યથી,એ વિષમાં રહેલી વિશેષરૂપતા ભિન્નભિન્ન માનીએ તો ? ઉત્તર : પણ તેવું ન મનાય, કારણ કે તેમાં વિરોધ છે. જે બે ભિન્ન હોય, તે બે અભિન્ન શી રીતે? અને જે બે અભિન્ન હોય, તે બે ભિન્ન શી રીતે ? ઇત્યાદિ... એટલે વિષમાં રહેલી વિશેષરૂપતા, મોદકના વિશેષરૂપથી ભિન્ન માનવારૂપ પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી જ. (૨) વિષમાં રહેલી વિશેષરૂપતાને સ્વરૂપનિયત (સર્વ વિજાતીયથી ભિન્ન) પણ ન મનાય, કારણ કે તે મોદક-વિષાદિથી અભિન્ન એવાં સામાન્યથી અભિન્ન છે. (માત્ર સ્વરૂપનિયત પદાર્થ, આ રીતે બીજાના સામાન્યથી અભિન્ન ન હોય.) પ્રશ્નઃ સ્વરૂપનિયત માનવા, અમે તેને મોદક-વિષાદિગત સામાન્યથી ભિન્ન માનીએ તો? ઉત્તરઃ શાબાશ. તો તો એ વિશેષરૂપતા જ વસ્તુરૂપ ફલિત થઈ, કારણ કે તે જ અર્થક્રિયાના ઇચ્છુકોના પ્રવર્તનવ્યવહારનો વિષય બને છે. આશય એ કે, જે અર્થક્રિયાકારી હોય તે જ પરમાર્થથી સત્ છે. પ્રસ્તુતમાં વિષમાં રહેલી (મારકત્વાદિ રૂપ) વિશેષરૂપતા જ, વિષના ચાહક જીવોને વિષ અંગે પ્રવર્તાવે છે, તદભિન્ન સામાન્યરૂપતા નહીં.” પ્રશ્ન પણ અર્થક્રિયા કરનારને જ વસ્તુરૂપ કહેવાનું કારણ શું? ઉત્તરઃ કારણ એ જ કે, વસ્તુનો સ્વભાવ ફળવિશેષના ઉપાદાનભાવથી ઓળખાય છે. દા.ત. ઘડારૂપ ફળને દેખીને નિશ્ચિત થાય કે તેનું કો'ક માટી નામનું ઉપાદાનકારણ છે જ. આમ માટી રૂપ વસ્તુ, ઘટરૂપ ફળના ઉપાદાનકારણ તરીકે ઓળખાય છે... હવે ફળ તો અર્થક્રિયા કરનારનું જ હોવાનું (ખપુષ્પ જેવા અર્થક્રિયાવિહોણાનું નહીં.) એ પરથી જ અમે કહીએ છીએ કે, અર્થક્રિયા કરનાર જ વસ્તુરૂપ છે... (એટલે અર્થક્રિયાકારી વિશેષરૂપતા જ વસ્તુરૂપ ફલિત થાય, સામાન્યરૂપતા * ભાવ એ કે, વિષગત વિશેષરૂપતા અને મોદક+વિષાદિગત સામાન્ય એ બંનેનો અભેદ; એ જ વિષની વિશેષરૂપતાને મોદકના વિશેષરૂપ સાથે અભિન્ન કહેતો હતો... પણ અમે એને જ ઉડાડી દઈએ, પછી તો વિશેષરૂપતા ભિન્ન જ ફલિત થાય ને ? * જો સામાન્યરૂપતા, એ વિશેષરૂપતાથી અભિન્ન હોત, તો તે પણ અર્થક્રિયાર્થીના પ્રવર્તન વ્યવહારનો વિષય બનત અને વસ્તુરૂપ ફલિત થાત... પણ તમારા હમણાના અભ્યપગમ પ્રમાણે, વિશેષરૂપતાથી એ સામાન્ય જુદું છે, એટલે તે વ્યવહારનો વિષય ન બને અને વસ્તુરૂપ પણ ન બને, એવો ગર્ભિત આશય જણાય છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः નહીં.) અને વળી તેવી (મરણકરણાદિ) અર્થક્રિયા વિષગત વિશેષરૂપમાં જ છે, અન્યત્ર સામાન્ય રૂપમાં નહીં. તેનું કારણ એ કે, અર્થી જીવોની સામાન્યરૂપ વિશે પ્રવૃત્તિ થતી નથી. (જો સામાન્યરૂપથી પણ મરણકરણાદિ અર્થક્રિયા થતી હોત, તો અર્થી જીવો તે વિશે પણ પ્રવૃત્તિ કરત... પણ પ્રવૃત્તિ ન કરવાથી ફલિત થાય કે સામાન્યરૂપમાં અર્થક્રિયા નથી જ.). તે વિસ્તૃતાર્થ વિશેષને જ વસ્તુ કહે છે, કારણ કે તે જ અર્થક્રિયાના અર્થીની પ્રવૃત્તિનો વિષય છે. એટલે જે અર્થક્રિયા કરનાર હોય તે નહીં, પણ અર્થક્રિયાના અર્થીની પ્રવૃત્તિનો વિષય હોય તે જ વસ્તુ છે, એવું કહેવું છે. હવે કોઈ પ્રશ્ન કરે કે - અર્થક્રિયા કરે તે વસ્તુ હોય, અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય બને કે નહીં, તેની સાથે શું? (એમ કહેવું છે કે સામાન્ય અર્થક્રિયાકારી છે, ભલે તે અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય ન હોય.) તેનો પ્રત્યુત્તર છે કે, તેવિશેપોપ૦ વસ્તુનો સ્વભાવ, દશ્યમાન ફળવિશેષના ઉપાદાનભાવરૂપે જ જણાય છે, અન્યથા નહીં. હવે અર્થક્રિયાર્થી, વિશેષમાં જ પ્રવૃત્તિ કરે છે, તે બતાવે છે કે અભિપ્રેત અર્થક્રિયારૂપ ફળ તો વિશેષથી જ મળે છે અને તેથી અર્થક્રિયાકારિત્વ વિશેષમાં જ છે. સામાન્યથી તેવું કોઈ અર્થક્રિયારૂપ ફળ દેખાતું નથી, તો પછી તેમાં તત્કારિત્વરૂપ સ્વભાવ કઈ રીતે માનવો? બૌદ્ધો આ રીતે સ્વલક્ષણને જ વસ્તુત્વેન સિદ્ધ કરે છે. નિષ્કર્ષ : આમ વસ્તુની સામાન્યરૂપતા વાસ્તવિક જણાતી નથી, માત્ર વિશેષરૂપતા જ વાસ્તવિક જણાય છે. એટલે એક જ વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવાનું અભિમાન છોડી દો. આ જ વાતને લઈને કહ્યું છે કે – तथा चोक्तम् - प्रवृत्तिनियमो न स्याद् विषादिषु तदर्थिनः । मोदकाद्यपृथग्भूत-सामान्याभेदवृत्तिषु ।।१।। भेदे चोभयरूपैक-वस्तुवादो न युज्यते । भेदाभेदविकल्पस्तु विरोधेनैव बाधितः ।।२।। विशेषरूपं यत्तेषु तत्प्रवृत्तेर्नियामकम् । साध्वेतत्, किन्तु वस्तुत्वं तस्यैवेत्थं प्रसज्यते ।।३।। – પ્રવેશરશ્મિ – For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ભાવાર્થ અને વળી કહ્યું છે કે - “વિષાદિના અર્થી જીવોની, મોદકાદિથી અભિન્ન એવા સામાન્યની સાથે અભેદપણે રહેનારા વિષાદિ અંગે પ્રવૃત્તિનો નિયમ નહીં રહે. (૧) ભેદ માનવામાં ઉભયરૂપ એક વસ્તુનો વાદ સંગત થાય નહીં. વળી ભેદભેદવિકલ્પ તો વિરોધથી જ બાધિત છે. (૨) તેઓની પ્રવૃત્તિના નિયામકરૂપે જે તેઓમાં વિશેષરૂપ મનાય, તે તો ખૂબ સુંદર છે. પણ આ રીતે તો તેની (વિશેષરૂપની) જ વસ્તુરૂપતા ફલિત થાય. (૩) વિવેચનઃ જો વિષાદિનો, મોદકાદિથી અભિન્ન એવા સામાન્યની સાથે અભેદ મનાય, તો વિષ પણ મોદકથી અભિન્ન થવાથી વિષના ઇચ્છુક વ્યક્તિની, બીજી મોદકાદિ વસ્તુને છોડીને માત્ર વિષ અંગે જ પ્રવૃત્તિનો નિયમ નહીં રહે. (૧) સામાન્યથી વિશેષનો ભેદ માનવામાં, સામાન્ય વિશેષ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ થઈ જતાં, એક જ વસ્તુ બંને રૂપ ન બનવાથી “એક જ વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે” એવો વાદ ન ઘટે અને એકત્ર બંનેનો વિરોધ હોવાથી ભેદભેદવિકલ્પ પણ બાધિત છે. (૨) વિષના ઇચ્છુક વ્યક્તિની માત્ર વિષ અંગે જ પ્રવૃત્તિ માટે, જો વસ્તુમાં વિશેષરૂપતા મનાય, તો તો સારું જ છે, પણ એવું માનવામાં તો માત્ર વિશેષરૂપતાનું જ વસ્તુત્વ સિદ્ધ થશે. (૩) વળી આ વિશે બીજાઓએ પણ કહ્યું છે કે – तथा परेणाप्युक्तम् - सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः । नोदितो दधि खादेति, किमुष्टं नाभिधावति ?।।१।। तथाहि-उष्ट्रोपि स्यादधि, नापि स एवोष्ट्रः, येनान्योऽपि स्यादुष्ट्रः । तथा दध्यपि स्यादुष्ट्रः, नापि तदेव दधि, येनान्यदपि स्यात् । तदेवमनयोरेकस्यापि कस्यचित्तद्रूपभावस्याभावात्-स्वरूपस्य वाऽतद्भाविनः स्वनियतस्याभावात् न कश्चिद्विशेषः, इति । ततश्च दधि खादेति चोदितः उष्ट्रमपि खादेत् ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ બીજાએ પણ કહ્યું છે કે - “બધા જો ઉભયરૂપ હોય, તો તેમના વિશેષ (ભેદ/તફાવત)નું નિરાકરણ થવાથી, “દહીં ખા’ એમ પ્રેરાયેલી વ્યક્તિ ઊંટ મેળવવા કેમ દોડતી નથી?” તે આ પ્રમાણે – ઊંટ પણ કથંચિત્ દહીં છે અને ઊંટ જ ઊંટ નથી, કારણ કે બીજો પણ કથંચિ ઊંટ છે. તથા, દહીં પણ કથંચિત્ ઊંટ છે અને દહીં જ દહીં નથી, બીજો પણ પદાર્થ કથંચિત્ દહીં છે. આમ બંનેમાંથી એકેનું પ્રતિનિયત સ્વરૂપ ન હોવાથી અથવા બીજામાં ન હોય એવા સ્વનિયત સ્વરૂપનો અભાવ હોવાથી, તે બેમાં કોઈ તફાવત ન રહે અને તેથી તો “દહીં ખા” એમ કહેવાયેલ વ્યક્તિ, ઊંટને પણ ખાવા For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ २२ अनेकान्तवादप्रवेशः લાગે ! વિવેચનઃ બધા જ પદાર્થો જો ઉભયરૂપ હોય, તો પદાર્થના પ્રતિનિયત વિશેષરૂપનું નિરાકરણ થવાથી “દહીં ખા’ એમ પ્રેરાયેલી વ્યક્તિ ઊંટને ખાવા કેમ ન દોડે ? અર્થાત્ ઊંટને કેમ ન ખાય? (આ થયો શ્લોકનો અર્થ.... હવે ગ્રંથકારશ્રી પોતે જ આ શ્લોકનો ભાવાર્થ કહે છે.) બધા જો ઉભયરૂપ હોય – બધા પદાર્થો જો સામાન્ય-વિશેષ ઉભયરૂપ હોય, તો (ક) ઊંટ પણ કથંચિત્ દહીંરૂપ છે, દહીંના અભાવરૂપ નહીં, અને (ખ) વળી તે એકલો જ ઊંટ સ્વરૂપ છે, તેવું નથી, કારણ કે અન્ય (દહીં વગેરે) પણ કથંચિત્ ઊંટ સ્વરૂપ છે... તે જ રીતે (ક) દહીં પણ કથંચિત્ ઊંટરૂપ છે, ઊંટના અભાવરૂપ નહીં, અને (ખ) વળી તે એકલું જ દહીં સ્વરૂપ નથી, કારણ કે અન્ય (ઊંટ વગેરે) પણ કથંચિત્ દહીં સ્વરૂપ છે. (આશય એ કે, ઊંટ-દહીં બંનેમાં એક જ સામાન્ય હોવાથી, સામાન્ય અંશને લઈને ઊંટ પણ દહીં બને અને દહીં પણ ઊંટ બને... આમ વસ્તુને ઉભયરૂપ માનવામાં બધા એકબીજારૂપ બનવા લાગે.) તો તેમના વિશેષનું નિરાકરણ થતાં – દહીં અને ઊંટનો વિશેષ બે રીતે સંભવે : એક તો (૧) દહીંમાં જે રૂપ છે, તે ઊંટમાં ન હોય અને ઊંટમાં જે રૂપ છે, તે દહીંમાં ન હોય. અને બીજો (૨) દહીંમાં જે રૂપ નથી, તે ઊંટમાં હોય અને ઊંટમાં જે રૂપ નથી, તે દહીંમાં હોય. પણ વસ્તુને ઉભયરૂપ માનવામાં આ બેમાંથી એકે વિશેષ સંભવતા નથી. જુઓ – ઉપર (ક)માં કહ્યું, તેનાથી (=ઊંટ પણ દહીંરૂપ અને દહીં પણ ઊંટરૂપ થાય એવું કહેવાથી) નક્કી થયું કે ઊંટ, દહીંરૂપના અભાવવાળો નથી. એટલે પહેલી રીતે વિશેષ નથી, અને (ખ)માં કહ્યું, તેનાથી (=એકલો ઊંટ જ ઊંટ સ્વરૂપ નથી, દહીં પણ ઊંટ સ્વરૂપ હોઈ શકે એવું કહેવાથી) નક્કી થયું કે ઊંટનું સ્વરૂપ માત્ર ઊંટમાં જ હોય તેવું નથી, બીજામાં પણ હોય છે. એટલે બંનેમાંથી એક પણ રીતે વિશેષ સિદ્ધ ન થતાં બંનેની સંકીર્ણતા થશે, અર્થાત્ બને એકબીજારૂપ બનશે ! અને એટલે તો “દહીં ખા’ એમ કહેવાથી તે વ્યક્તિ ઊંટ ખાવા દોડશે ! તથા, કહ્યું છે કે – अथास्त्यतिशयः कश्चिद् येन भेदेन वर्तते । स एव दधि सोऽन्यत्र नास्तीत्यनुभयं परम् ।।१।। अथानयोः कश्चिदतिशयोऽस्ति, येनायं तथा नोदितः क्षीरविकार एव प्रवर्तते, नान्यत्र । एवं तर्हि ‘स एव'अतिशयोऽर्थक्रियार्थिप्रवृत्तिविषयः तत्फलविशेषोपादानभावलक्षितस्वभावं हि वस्तु 'दधि' इति । 'स' च तादृशः स्वभावः, 'अन्यत्र नास्तीति' For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः प्रवृत्त्यभावादर्थिनः । तस्मान्नोभयरूपम्; इत्येकान्तवादः ।। इति तृतीयपूर्वपक्ष: ।। ३॥ २३ • પ્રવેશરશ્મિ * ભાવાર્થ : “હવે તેઓમાં કોઈક અતિશય છે કે જેને લઈને તેઓ ભેદથી પ્રવર્તે, તો તે અતિશય જ દધિ છે, તે અતિશય બીજે ન હોવાથી વસ્તુ અનુભયરૂપ ફલિત થઈ..” - આનો આશય એ કે, હવે તેઓમાં કો'ક અતિશય છે કે જેથી તે પ્રમાણે પ્રેરાયેલો દહીંમાં જ પ્રવર્તે, બીજે નહીં. તો તે જ; જે અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય છે તે અતિશય જ, ફળવિશેષના ઉપાદાનભાવથી લક્ષિત સ્વભાવવાળી દહીંરૂપ વસ્તુ છે. અને તેવો અતિશયરૂપ સ્વભાવ બીજે નથી, કારણ કે બીજે અર્થીની પ્રવૃત્તિ નથી. તેથી વસ્તુ ઉભયરૂપ નહીં રહે. એટલે એકાંતવાદ આવશે. વિવેચનઃ “હવે જો દહીંમાં એવો કોઈ અતિશય વિશેષ મનાય કે જેથી ‘દહીં ખા’ એમ કહેવાથી વ્યક્તિ ઊંટને છોડીને માત્ર દહીં જ ખાવા પ્રવર્તે, તે અતિશય જ દહીં બને અને એ અતિશય ઊંટ વગેરેમાં ન હોવાથી અનુભયરૂપ જ વસ્તુ પરમાર્થથી સિદ્ધ થશે” (અનુભયરૂપ – દહીં અને ઊંટનું એકત્વ (સામાન્યત્વ) કલ્પિત થશે અથવા દહીંથી ૫૨ – બીજી વસ્તુ - ઊંટ વગેરે, ઊંટ - દહીં ઉભયરૂપ નથી, માત્ર ઊંટ રૂપ જ છે.*) # શ્લોકનું વિવરણ ફ્રે સ્યાદ્વાદી : દહીં અને ઊંટમાં એવો કોઈ અતિશયવિશેષ છે કે જેથી ‘દહીં ખા’ એમ પ્રેરિત વ્યક્તિ માત્ર દહીં ખાવા જ પ્રવર્તે, ઊંટ ખાવા નહીં. એકાંતવાદી : જે અતિશયના કારણે ‘દહીં ખા’ કહેવાયેલ વ્યક્તિ દહીંમાં જ પ્રવૃત્તિ કરે છે, તે અતિશય જ તો દધિ છે... તેનું કારણ એ કે, દહીં કોને કહેવાય ? તો દહીંથી સાધ્ય (શુકન વગેરે) ફળના કારણભૂત સ્વભાવ જેમાં હોય તે... (દા.ત. પાણી કોને કહેવાય ? તો પાણીના ફળરૂપ તૃષાશમનનું કારણ હોય તે...) અહીં દધિમાં રહેલ અતિશયના કારણે જ, દહીંના ફળનો (શુકનરૂપ અર્થક્રિયાનો) ઇચ્છુક, દહીંમાં પ્રવૃત્તિ કરે છે, એટલે તો તે અતિશય જ દહીંસાધ્ય ફળનું (શુકનનું) કારણ છે, એટલે તે અતિશય જ દહીં છે. અને એ અતિશય ઊંટમાં તો નથી, કારણ કે તમે જ કહ્યું કે અતિશય દહીંમાં જ હોવાથી ‘દહીં ખા’ કહેવાથી દહીંમાં પ્રવૃત્તિ થાય, અન્યમાં નહીં. આમ, ઊંટમાં દિધરૂપ ન હોવાથી સામાન્ય ન રહ્યું અને તો સામાન્ય-વિશેષ ઉભયરૂપતા પણ ન રહી... ફલતઃ એકાંતવાદનો જ જય થયો ! * અતિશય વસ્તુરૂપ થયો અને તે તો વિશેષ છે, કારણ કે સર્વત્ર નથી અને તો વસ્તુ એકરૂપ વિશેષરૂપ જ થઈ. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः નિષ્કર્ષ એટલે વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવી યોગ્ય જણાતી નથી. !! રૂતિ તૃતીયપૂર્વપક્ષઃ | આ પ્રમાણે એકાંતવાદીએ, વસ્તુની સામાન્ય-વિશેષરૂપતાનું નિરાકરણ કર્યું. હવે અભિલાપ્યઅનભિલાપ્યતાનું નિરાકરણ કરવા યુક્તિઓ રજૂ કરે છે – __एवमभिलाप्यानभिलाप्यमपि विरोधबाधितत्वादेवानुद्घोष्यम् । तथाहि-अभिलप्यते यत् तदभिलाप्यम्, एतद्विलक्षणं चानभिलाप्यम्, इति । ततश्च यदि तदभिलाप्यम्, न तर्हि अनभिलाप्यम्; अनभिलाप्यं चेत्, न तीभिलाप्यम्; इति, एकस्यानेकविरुद्धधर्माમાવા | इति चतुर्थपूर्वपक्षः ।।४।। –- પ્રવેશરશ્મિ – ૪ (૪) અભિલાણ-અનભિલાખ એકાંતવાદ છે ભાવાર્થ આ પ્રમાણે સામાન્ય-વિશેષની જેમ, વિરોધથી બાધિત હોવાને કારણે, વસ્તુને અભિલાપ્યઅનભિલાષ્યરૂપ કહેવી પણ યોગ્ય નથી. (અર્થાત્ અહીં પણ વિરોધ છે જ.) તે આ પ્રમાણે (૧) જેનું વ્યક્તરૂપે શબ્દશઃ ઉચ્ચારણ કરાય તે વસ્તુને “અભિલાપ્ય’ કહેવાય, અને (૨) જેનું વ્યક્તરૂપે શબ્દશઃ ઉચ્ચારણ ન થાય તે વસ્તુને “અનભિલાપ્ય” કહેવાય. (આમ બંનેનું સ્વરૂપ વિરોધી હોવાથી, એકત્ર અનેક વિરુદ્ધ ધર્મોનો અનુગમ ન થઈ શકે.) એટલે વસ્તુ જો અભિલાપ્ય હોય, તો અનભિલાપ્ય ન બને. અને અનભિલાપ્ય હોય, અભિલાપ્ય ન બને.. કારણ એ કે, એક વસ્તુના અનેક વિરુદ્ધ ધર્મો ન હોઈ શકે. | વિવેચનઃ ભાવાર્થ મુજબ સ્પષ્ટ છે. આ પ્રમાણે વસ્તુની અભિલાષ્ય-અનભિલાષ્યરૂપતા પણ સંગત નથી. |કૃતિ ચતુર્થપૂર્વપક્ષઃ | હવે એકાંતવાદી, એકાંતવાદમાં જ મોક્ષ છે એવું જણાવવા પાંચમો પૂર્વપક્ષ રજૂ કરે છે – किञ्च-विरोधिधर्माध्यासितस्वरूपत्वाद्वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः; तथाहि- एतदात्माङ्गनाभवनमणिकनकधनधान्यादिकमनात्मकम्, अनित्यम्, अशुचि, दुःखम्, इति कथञ्चिद्विज्ञाय, भावतस्तथैव भावयतः, वस्तुतः तत्राभिष्वङ्गास्पदाभावाद्, भावनाप्रकर्षविशेषतो वैराग्यमुपजायते; ततो मुक्तिः । तथाहि-आत्मात्मीयदर्शनमेव For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः मोहः, तत्पूर्वक एवात्मीयस्नेहो रागः, तत्पूर्विकैवानुरागविषयोपरोधिनि प्रतिहतिद्वेषः, इति कृत्वा सर्वमुपपद्यते । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ વળી વસ્તુ વિરોધી ધર્મોથી વ્યાપ્ત સ્વરૂપવાળી હોવાથી, અનેકાંતવાદીમતે મુક્તિનો પણ અભાવ થશે! તે આ પ્રમાણે - આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે કથંચિત્ અનાત્મક, અનિત્ય, અશુચિ અને દુઃખરૂપ છે એમ જાણીને પરમાર્થથી તે પ્રમાણે જ ભાવના કરવાથી ખરેખર ત્યાં આસક્તિ ન રહે. ભાવનાના પ્રકર્ષવિશેષથી વૈરાગ્ય થાય અને તેનાથી મોક્ષ.... જુઓ; આત્મ-આત્મીયદર્શન જ મોહ છે, તેના પૂર્વક જ આત્મીય વિશે થનારો સ્નેહ તે રાગ છે અને રાગવિષયના પ્રતિબંધક પર અણગમો તે દ્વેષ છે... એટલે અમારા મતે બધું સંગત થઈ જાય. (૫) એકાંતવાદમાં જ મોક્ષ છે. વિવેચનઃ વળી વસ્તુને આવા વિરોધી ધર્મોવાળી માનવાથી તો અનેકાંતમતે મોક્ષનો પણ અભાવ થશે! એકાંતવાદમાં જ મોક્ષ ઘટશે. જુઓ – આ (સામે રહેલા) આત્મા, સ્ત્રી, ઘર, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે તમામ પદાર્થો કથંચિદ્ (સ્વભાવથી કે હેતુપરંપરાથી) અનાત્મક અનિત્ય, અશુચિ, સ્વરૂપથી દુઃખરૂપ અને દુઃખના કારણરૂપ છે. વસ્તુઓ, (૧) અનિત્ય-અનાત્મક તો સ્વભાવથી જ છે, પણ () અશુચિ-દુઃખરૂપ સ્વભાવથી નથી, પણ પરંપરાએ એવી વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરે છે. (જેમ કે ભોજન પરંપરાએ વિષ્ટારૂપ બને – અશુચિ... અને ભવાંતરમાં દુર્ગતિ આપે ને દુઃખ...) એટલે આમ દરેક વસ્તુઓ કથંચિત્ અનિત્યાદિ રૂપ છે, એવું જાણીને, પરમાર્થથી તેવી ભાવનાથી ભાવિત થનાર વ્યક્તિને ‘વસ્તુમાં ખરેખર આસક્તિ કરવા જેવું કશું નથી' એમ ભાવનાનો પ્રકર્ષ થતાં, વૈરાગ્ય ઉત્પન્ન થાય અને વૈરાગ્યથી મોક્ષ થાય. પ્રશ્નઃ શું પદાર્થ વિશે, સાત્મકતા આદિનો બોધ હોવામાં મોક્ષ ન થાય ? ઉત્તરઃ ના, ન થાય, કારણ કે (૧) “હું” અને “મારું” એવી આત્મ-આત્મીય ભાવના જ *મોહ છે, (૨) તે મોહપૂર્વક આત્મ-આત્મીય વિશે થનારો સ્નેહ તે રાગ છે, અને (૩) તે રાગના કારણે ઈષ્ટવિષયના પ્રતિબંધક પર થનારો અણગમો તે ષ છે. એટલે જો આત્મ-આત્મીયભાવના ન હોય, તો જ રાગ-દ્વેષની હાનિ થવાથી મોક્ષની સંગતિ થાય. (અમારા મતે વસ્તુ એકાંતે નિરાત્મક મનાય છે, એટલે તે વિશે નૈરાભ્ય ભાવના પણ યથાર્થપણે સંગત થાય અને તો મોક્ષ પણ સંગત થાય.) * ‘મતિ મત્રોષે, મોહસ્થ ગાઉન ____ अयमेव हि नज्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।' - ज्ञानसारः ४/१ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ २६ પ્રશ્ન ઃ તો શું એ રીતે અનેકાંતમતે પણ મોક્ષની સંગતિ ન થઈ શકે ? ઉત્તર : ના. જુઓ - — अनेकान्तवादप्रवेशः Dv> यदा तु तदात्माङ्गनादिकं सात्मकाद्यपि, तदा यथोक्तभावनाऽभावात्, भावेऽपि मिथ्यारूपत्वात्, वैराग्याभाव:, तदभावाच्च मुक्त्यभाव:, इति ।। इति पञ्चमपूर्वपक्ष: ।।५।। * - પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : જ્યારે વળી તે આત્મા, અંગના વગેરે સાત્મકાદિ પણ હોય, ત્યારે યથોક્ત ભાવના ન થાય, થાય તો પણ તેની મિથ્યારૂપતા થાય... એટલે વૈરાગ્ય ન થાય અને તો મોક્ષ પણ ન થાય. અનેકાંતમતે મોક્ષનો અભાવ - વિવેચન : હવે અનેકાંતવાદીમતે કોઈ એકાંત ન રહેવાથી, સ્ત્રી - ઘર વગેરે માત્ર અનાત્મક, અનિત્ય, અશુચિ, દુઃખરૂપ જ નહીં રહે, પણ સાથે સાથે સાત્મક, નિત્ય, શુચિ, સુખરૂપ પણ લાગશે અને એટલે તો આત્મ-આત્મીય ભાવનાપૂર્વક મોહ ઊભો થશે ! ફલતઃ યથોક્ત નૈરાત્મ્યભાવના થઈ શકે નહીં. કદાચ એ ભાવના થઈ પણ જાય, તો પણ એ અનેકાંતમતે મિથ્યારૂપ જ ફલિત થશે. (અનેકાંતમતે, દરેક વસ્તુ સાત્મક-અનાત્મકાદિ ઉભયરૂપ છે. જ્યારે ભાવનામાં તો માત્ર અનાત્મકતાનો જ બોધ કરાય છે, એટલે એ ભાવના મિથ્યારૂપ બને !) એટલે ભાવના ન થવાથી અથવા મિથ્યા ભાવના થવાથી વૈરાગ્ય ન થાય અને વૈરાગ્ય વિના તો મોક્ષ પણ ન જ થાય ! આમ; અનેકાંતમતે મોક્ષનો અભાવ છે. ।। કૃતિ પશ્ચમપૂર્વક્ષ:।। આ પ્રમાણે એકાંતવાદીએ, એકાંતવાદને સિદ્ધ કરવા અને અનેકાંતવાદનું નિરાકરણ કરવા પાંચ પૂર્વપક્ષો યુક્તિસહિત રજૂ કર્યા. ।। રૂતિ પૂર્વપક્ષપ્રન્થઃ ।। For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ર૭ ઉત્તરપક્ષસ્થ: હવે ગ્રંથકારશ્રી, એ પાંચે પૂર્વપક્ષનું નિરાકરણ કરવા, સચોટ તર્કોથી સંબદ્ધ પોતાનું વક્તવ્ય રજૂ કરે છે – तदेवमेते मन्दमतयो दुस्तर्कोपहतास्तीर्थ्याः स्वयं नष्टाः, परानपि नाशयन्ति मन्दमतीन् । अतः प्रतिविधीयते - तत्र यत्तावदुक्तम् ‘कथमेकमेव घटादिरूपं वस्तु सच्चासच्च भवति ?' तदेतदागोपालागनादिप्रतीतमनाशङ्कनीयमेव । यतः- तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्तते; परद्रव्यक्षेत्रकालभावरूपेणाऽसत् ततश्च सच्चासच्च भवति । –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ આ પ્રમાણે આ કુતર્કથી ઉપહત મંદબુદ્ધિવાળા તીર્થાતરીયો પોતે તો નષ્ટ થયા, પણ બીજા મંદબુદ્ધિવાળાઓને પણ નષ્ટ કરે છે. એટલે તેનું પ્રતિવિધાન કરાય છે - ત્યાં તમે જે કહ્યું હતું કે – “એક જ ઘટાદિ વસ્તુ સદસતું કેવી રીતે હોય? એ તો આગોપાલ- અંગના સર્વને પ્રતીત હોવાથી આશંકાનો વિષય જ નથી, કારણ કે તે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને સત્ છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને અસત્ છે. એટલે તે સદસરૂપ છે. વિવેચનઃ એ રીતે એકાંતવાદના કુતર્કોથી પીડિત થયેલ એવા બૌદ્ધ વગેરે મંદબુદ્ધિવાળાઓ, ગાઢ અજ્ઞાન અને અભિનિવેશથી પોતે તો નષ્ટ થયા જ છે, સાથે સાથે મંદબુદ્ધિવાળા બીજા જીવોને પણ નષ્ટ કરે છે. એટલે એ બધા એકાંતવાદનું હવે ક્રમશઃ નિરાકરણ કરાય છે – જ (૧) સદસદ્ અનેકાંતવાદ છે. પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “સ-અસદ્ બે વિરોધી હોવાથી, એક જ ઘટાદિ વસ્તુ સદસરૂપ શી રીતે હોઈ શકે ?.. વગેરે” તે સંપૂર્ણ કથન અયુક્ત છે, કારણ કે એ રીતે જ પ્રતીતિ અને અર્થક્રિયા ઘટતી હોવાથી, “વસ્તુ સદસઉભયરૂપ છે' એવું ગોપાલ-અંગનાદિ બધાને પ્રસિદ્ધ છે, એટલે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.... તેનું (=વસ્તુની સદસક્રૂપતા આશંકાપાત્ર ન હોવાનું) કારણ એ જ કે, એક જ ઘટાદિ વસ્તુઓ પોતાના (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવને આશ્રયીને “સતુ છે અને બીજા પટાદિના (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ, (૪) ભાવને આશ્રયીને “અસતું' છે. એટલે આમ સ્વ-પરની અપેક્ષાએ વસ્તુ સત્ પણ હોય ને અસત્ પણ હોય, એમ સદસદ્ ઉભયરૂપ હોય - એમાં કોઈ વિરોધ નથી. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ २८ अनेकान्तवादप्रवेशः -> अन्यथा तदभावप्रसङ्गात्; तथाहि यदि तद् यथा स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्तते, तथैव परद्रव्यक्षेत्रकालभावरूपेणापि स्यात्; ततश्च तद् घटादि वस्त्वेव न स्यात्, परद्रव्यक्षेत्रकालभावरूपेणापि सत्त्वात्, तदन्यस्वात्मवत् । तथा यदि, यथा परद्रव्यक्षेत्रकालभावरूपेणासद्, एवं स्वद्रव्यक्षेत्रकालभावरूपेणापि स्यात्, इत्थमपि तद्घटादि वस्त्वेव न स्यात्, परद्रव्यक्षेत्रकालभावरूपेणासत्त्वे सति स्वद्रव्यक्षेत्रकालभावरूपेणाप्यसत्त्वात्, खरविषाणवद्; इत्येवं तदभावप्रसङ्गात् सदसद्रूपं तदङ्गीकर्तव्यम्, इति ।। -. પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : નહીંતર તો વસ્તુનો અભાવ થાય, તે આ પ્રમાણે – જો તે વસ્તુ જે પ્રમાણે પોતાના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્ છે, તે પ્રમાણે બીજાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ પણ સત્ હોય, તો તો તે ઘટાદિ વસ્તુ જ ન રહે, કારણ કે પટસ્વરૂપની જેમ તે પટના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ સત્ છે. તથા જો તે જેમ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે અસત્ છે, તેમ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ અસત્ હોય, તો પણ તે ઘટાદિ વસ્તુ ન જ રહે, કારણ કે ખપુષ્પની જેમ તે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ અસત્ છે. આમ વસ્તુના અભાવ થવાનો પ્રસંગ આવે છે, એટલે વસ્તુ સદસ ્૫ માનવી જ રહી. * સદસપતા વિના વસ્તુનો જ અભાવ વિવેચન : જો વસ્તુને સદસદ્ ઉભયરૂપ ન માનો, તો તો ઘટાદિ વસ્તુ સર્વથા સત્ કે સર્વથા અસત્ બને ! અને તેવું બનવામાં તો વસ્તુનો અભાવ થવાનો જ. જુઓ (૧) ઘટાદિ વસ્તુઓ, જેમ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે સત્ છે, તેમ જો પટાદિ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પણ સત્ હોય, તો ઘડો પટરૂપે પણ સત્ થવાથી પટરૂપ થઈ જતાં, જેમ પટ એ ઘટ નથી, તેમ ઘટ પણ ઘટ નહીં રહે ! અર્થાત્ ઘટનો અભાવ થાય ! (૨) ઘટાદિ, જેમ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે અસત્ છે, તેમ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પણ અસત્ હોય, તો જેમ ખપુષ્પ સ્વરૂપે અસત્ છે, તેમ ઘડો પણ પોતાના માટી સ્વરૂપે અસત્ થઈ નિઃસ્વરૂપ બની જશે ! અર્થાત્ ઘડાનો અભાવ થઈ જશે ! આમ, વસ્તુને સર્વથા સત્ કે અસત્ માનવામાં વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે, એટલે વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી જોઈએ. * तथा च द्रव्यतः - पार्थिवत्वेन सत्, नाबादित्वेन; तथा क्षेत्रतः - इहत्यत्वेन, न पाटलिपुत्रकादित्वेन; तथा कालतः - घटकालत्वेन, न मृत्पिण्डकपालकालत्वेन; तथा भावतः-श्यामत्वेन, न रक्तादित्वेन; इति । अन्यथा, इतररूपापत्त्या तत्स्वरूपहानिप्रसङ्गः, For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः – इति । द्रव्याद्यात्मकत्वं च घटस्य तैर्विनाऽभावात् तत्परिणामत्वाच्च; अतत्परिणामत्वे च तदभावप्रसङ्गात्; इति ।। २९ -• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : તથા, ઘટાદિ વસ્તુઓ (૧) દ્રવ્યથી પાર્થિવત્વેન સત્, અબાદિત્યેન નહીં, (૨) ક્ષેત્રથી ઇહત્યસ્વેન સત્, પાટલિપુત્રકાદિત્યેન નહીં, (૩) કાળથી ઘટકાલત્વેન સત્, મૃતપિંડકાલદ્વેન નહીં, અને (૪) ભાવથી શ્યામસ્વેન સત્ રક્તાદિત્યેન નહીં... આવું ન માનો, તો બીજાના રૂપનું આપાદન થવાથી તેના સ્વરૂપની હાનિ થાય ! અને ઘટ તે દ્રવ્યાદિરૂપ છે, કારણ કે તેઓ વિના ઘટનું અસ્તિત્વ નથી. અને દ્રવ્યાદિ ઘટના પરિણામરૂપ છે. જો તેઓને ઘટના પરિણામ તરીકે ન માનો, તો ઘડાનો અભાવ થવાનો પ્રસંગ આવે. * વસ્તુની સદસપતાનું સ્વરૂપ વિવેચન : એક જ ઘટાદિ વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ છે. હવે પહેલા પોતાના દ્રવ્યાદિ કયા અને બીજાના દ્રવ્યાદિ કયા તે વિચારીએ – (૧) દ્રવ્ય : ઘડો માટીનો - પૃથ્વીનો છે, એટલે માટી-પૃથ્વી એ ઘડાનું સ્વદ્રવ્ય કહેવાય અને એટલે તેમાં મૃયત્વ - પાર્થિવત્વરૂપ ધર્મ આવે... આમ જે ધર્મો પ્રસ્તુત ઘડામાં રહ્યાં હોય, તે બધા ધર્મ તેના સ્વધર્મ કે સ્વરૂપ કહેવાય. આ સિવાયના ધર્મો, જે ઘટમાં રહ્યા નથી તે બધા ધર્મો પરધર્મ કે ૫૨રૂપ કહેવાય... જેમ કે ઘડો જળરૂપ ન હોવાથી જળ એ પરદ્રવ્ય કહેવાય અને જલત્વ એ પરધર્મ કે પરરૂપ કહેવાય. (૨) ક્ષેત્ર : ઘડાની ઉત્પત્તિ અથવા સ્થિતિ અહીં થઈ હોવાથી, આ ક્ષેત્ર તે સ્વક્ષેત્ર કહેવાય અને પાટલીપુત્ર વગેરે ક્ષેત્ર; જ્યાં ઉત્પત્તિ-સ્થિતિ નથી તે પરક્ષેત્ર કહેવાય. (૩) કાળ : જે કાળમાં ઘડો રહ્યો હોય, તે સ્વકાળ કહેવાય અને મૃતપિંડ, કપાલાદિ અવસ્થાભાવી કાળ પરકાળ કહેવાય. કારણ કે ત્યારે ઘડો રહ્યો નથી. (૪) ભાવ : વિવક્ષિત ઘડો કાળો અને ગોળ છે, એટલે શ્યામપણું-ગોળપણું એ તેનો સ્વભાવ કહેવાય અને એ ઘડો લાલ-ચોરસ ન હોવાથી લાલપણું-ચોરસપણું એ તેનો પરભાવ કહેવાય. આમાંથી પોતાના દ્રવ્યાદિરૂપે વસ્તુ સત્ છે અને બીજાના દ્રવ્યાદિરૂપે વસ્તુ અસત્ છે. આ વાત ગ્રંથકારશ્રી ઘટને લઈને બતાવે છે – (૧) દ્રવ્યથી, પાર્થિવરૂપે સત્ અને જળરૂપે અસત્... (૨) ક્ષેત્રથી, ઇહત્યરૂપે સત્ અને પાટલિપુત્રકરૂપે અસત્... (૩) કાળથી, ઘટકાળરૂપે સત્ અને મૃતપિંડકાળરૂપે અસત્... (૪) ભાવથી, શ્યામરૂપે સત્ અને રક્તરૂપે અસત્... આમ ઘટની જો નિયતરૂપે સદસ ્પતા ન મનાય, તો એ ઘડો જળાદિરૂપ થઈ જાય (અર્થાત્ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ३० अनेकान्तवादप्रवेशः પદ્રવ્યાદિરૂપે સત્ થઈ જાય.) અને એટલે તો તેનું પોતાનું માટીસ્વરૂપ શ્રુત થઈ જતાં (અર્થાત્ સ્વદ્રવ્યાદિરૂપે અસત્ થઈ જતાં) એ ઘડાના સ્વરૂપની જ હાનિ થાય ! જ વસ્તુ દ્રવ્યાદિ ચારે રૂપ છે ઘડાદિ વસ્તુઓ માત્ર દ્રવ્યરૂપ, ક્ષેત્રરૂપ, કાળરૂપ કે ભાવરૂપ નથી, પણ દ્રવ્યાદિ ચારે રૂપ છે, કારણ કે દ્રવ્યાદિ ચારે વિના તેઓનું અસ્તિત્વ જ સંગત ન થાય. તે આ પ્રમાણે – (૨) ઘડો જે ક્ષેત્રમાં રહે છે, તે ક્ષેત્રમાં આધારતા આવે છે અને ઘડામાં આધેયતા આવે છે. આધારક્ષેત્રનિરૂપિત આધેયતા વિના ઘડાનું અસ્તિત્વ ન હોય, (૩) ઘડો જેટલો કાળ રહે તે તેની સ્થિતિ, તે સ્થિતિકાળમાં ભાવિતા= રહેવાપણું વિના ઘટ ન હોય, અને (૪) કૃષ્ણાદિ વર્ણથી શૂન્ય ઘટ કદી ન હોય. એ પરથી ફલિત થાય કે, ક્ષેત્રાદિરૂપ વિના માત્ર દ્રવ્યરૂપ ઘડો કદી હોતો નથી. જો ઘડાને માત્ર માટીદ્રવ્યરૂપ જ માનો અને ક્ષેત્રાદિરૂપ ન માનો, તો ઘડાનું સ્વરૂપ જ સંગત ન થાય, અર્થાત્ ઘડો પોતાના સ્વરૂપને જ પ્રાપ્ત ન કરી શકે. એ રીતે ઘડાને માત્ર ક્ષેત્રાદિરૂપ જ માનો અને દ્રવ્યાદિરૂપ ન માનો, તો પણ ક્ષેત્રાદિરૂપ ઘડાનું સ્વરૂપ અસંગત જ રહે. કારણ કે, એકબીજાથી અનનુવિદ્ધ એવા માત્ર પાર્થિવદ્રવ્યત્વ, ઇહત્યત્વ વગેરે મળતાં જ નથી. એટલે હકીકતમાં વિવિક્ત દ્રવ્યાદિ હોતા જ નથી. કદાચ વિવિક્ત દ્રવ્યાદિ હોય તો; અર્થાત્ ઘટમાં રહેલ દ્રવ્યત્યાદિ જુદા જુદા હોઈ શકતા હોય અને તેથી ઘટ પણ અન્યતમ-દ્રવ્યવાદિરૂપ હોઈ શકતો હોય, તો પછી તે વિવિક્ત એવા દ્રવ્યત્વાદિ દ્રવ્યત્યાદિની બુદ્ધિના જ કારણ બને, “પટ' એવી બુદ્ધિના નહીં. ‘ધ:' એવી બુદ્ધિ તો જયાં દ્રવ્યાદિ ચારે પરસ્પર અનુવિદ્ધ હોય ત્યાં જ થાય. એટલે ઘડાને માત્ર દ્રવ્યાદિરૂપ નહીં, પણ દ્રવ્યાદિ ચારે રૂપ માનવા જોઈએ, તે વિના ઘડાનું સ્વરૂપ ઉપપન્ન થાય નહીં. અને વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તો ઘટના પરિણામરૂપ છે. એટલે જો એ ચારમાંથી એકને પણ તેના પરિણામ તરીકે નહીં માનો, અર્થાત્ ઘડાને માત્ર દ્રવ્યાદિ પરિણામવાળો માનો અને ક્ષેત્રપરિણામવાળો ન માનો (એમ કાળાદિમાં પણ સમજવું) તો તો ઘડાનો અભાવ થવાનો પ્રસંગ આવે ! (કારણ કે પરિણામવિહોણી વસ્તુ સત્ ન હોય.) સાર : એટલે ઘટાદિ તમામ વસ્તુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ચારે રૂપ છે. स्यादेतत्, स्वद्रव्यसत्त्वमेव परद्रव्यासत्त्वम्, स्वक्षेत्रसत्त्वमेव परक्षेत्रासत्त्वम्, एवं स्वकालसत्त्वमेव परकालासत्त्वम्, एवं स्वभावसत्त्वमेव च परभावासत्त्वम् इति । तथा च-घटवस्तुनः पार्थिवद्रव्यसत्त्वमेवाबादिद्रव्यासत्त्वम्, तथेहक्षेत्रसत्त्वमेव पाटलिपुत्रकाद्यसत्त्वम्, For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः છે तथा घटकालसत्त्वमेव मृत्पिण्डकपालकालासत्त्वम्, तथा श्यामत्वसत्त्वमेव रक्ताद्यसत्त्वम्, तस्यैकस्वभावत्वाद् निरंशत्वात्, इति ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : અહીં આવું કહો કે – “સ્વદ્રવ્યરૂપે સત્ત્વ જ પરદ્રવ્યરૂપે અસત્ત્વ, સ્વક્ષેત્રરૂપે સત્ત્વ જ પરક્ષેત્રરૂપે અસત્ત્વ, સ્વકાળરૂપે સત્ત્વ જ પરકાળરૂપે અસત્ત્વ, એ પ્રમાણે સ્વભાવરૂપે સત્ત્વ જ પરભાવરૂપે અસત્ત્વ છે. એટલે કે ઘટવસ્તુનું પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિદ્રવ્યનું અસત્ત્વ છે, ઈહક્ષેત્ર સત્ત્વ જ પાટલિપુત્રકાદિનું અસત્ત્વ છે, ઘટકાળસત્ત્વ જ મૃપિંડ-કપાલકાળનું અસત્ત્વ છે, તથા શ્યામ–સત્ત્વ જ રક્તવાદિનું અસત્ત્વ છે. કારણ કે તે વસ્તુ નિરંશ એકસ્વભાવી છે.” # વસ્તુની માત્ર સઢપતાસાધક બૌદ્ધ વક્તવ્ય , વિવેચનઃ (બૌદ્ધ :) ઘટાદિ દરેક વસ્તુઓ નિરંશ-એકસ્વભાવી છે, એટલે તેમાં જુદા જુદા અનેક સ્વભાવ (સદસદાદિ) ન હોઈ શકે... તે માટે આવું માનવું જોઈએ કે, ઘટાદિ વસ્તુઓનું પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે જે સારું છે, તે જ બીજાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપનું અસત્પણું છે. એટલે વસ્તુની અસરૂપતા કોઈ જુદી નથી, પણ સરૂપતા સ્વરૂપ જ છે. તેથી, (૧) ઘડાનું પાર્થિવદ્રવ્યરૂપે જે સારું છે, તે જ જળાદિદ્રવ્યરૂપનું અસપણું છે. (૨) ઘડાનું મથુરારૂપે જે સત્પણું છે, તે જ પાટલિપુત્ર-આદિરૂપનું અસપણું છે. (૩) ઘડાનું ઘટકાલરૂપે જે સત્પણું છે, તે જ મૃપિંડાદિકાળરૂપનું અસપણું છે. (૪) ઘડાનું કૃષ્ણવર્ણરૂપે જે સત્પણું છે, તે જ લાલવર્ણરૂપનું અસત્પણું છે. અને આવું માનવામાં પૂર્વોક્ત દોષ પણ ન રહે, અર્થાત્ પૂર્વે સ્યાદ્વાદીએ કહ્યું હતું કે, વસ્તુ સદસરૂપ ન હોય તો તેનો અભાવ થાય; તે દોષ હવે નહીં રહે, કારણ કે અમે માત્ર સરૂપ જ માની અને પરદ્રવ્યરૂપે અસત્ત્વ તે સત્ત્વરૂપ જ માની લીધું. (ભાવ એ કે, ઘટને પટાદિરૂપે અસત્ ન માનો, તો તે પટાદિરૂપ થવાથી ઘટાભાવ થવાની આપત્તિ આવે. પણ હવે તેનું ઘટરૂપે સત્ત્વ એ જ પટાદિરૂપે અસત્ત્વ હોવાથી તે પટાદિરૂપ નથી, એટલે ઘટાભાવ થવાની આપત્તિ નહીં આવે.) આમ અમારા મતે કોઈ દોષનો અવકાશ ન હોવાથી, વસ્તુની અસરૂપતા જુદી નહીં, પણ સરૂપતા સ્વરૂપ જ માનવી રહી અને તો વસ્તુ માત્ર સરૂપ જ ફલિત થઈ, સદસદ્ ઉભયરૂપ નહીં. एतदप्यसारम्, तस्यैकस्वभावत्वेऽवस्तुत्वप्रसङ्गात्; तथाहि-'यदि पार्थिवद्रव्यसत्त्वमेवाबादिद्रव्यासत्त्वम्', एवं तर्हि यथा तत्पार्थिवद्रव्यत्वेन सत् एवमबादिद्रव्यत्वेनापि For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -> सदेव स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वादितरासत्त्वस्य; यथा वा अबादिद्रव्यत्वेनासत् तथा पार्थिवत्वेनापि असदेव स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । --• પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : આ વાત પણ અસાર છે, કારણ કે તે એકસ્વભાવી હોવામાં તેને અવસ્તુ માનવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે - પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિદ્રવ્યરૂપેનું અસત્ત્વ હોય, તો જેમ તે પાર્થિવદ્રવ્યરૂપે સત્ જ છે, તેમ અબાદિદ્રવ્યરૂપે પણ સદ્ જ થાય, કારણ કે અબાદિઅસત્ત્વ પાર્થિવસત્ત્વથી અભિન્ન છે અથવા તો જેમ અબાદિદ્રવ્યરૂપે અસત્ છે, તેમ પાર્થિવદ્રવ્યરૂપે પણ અસત્ થઈ જાય, કારણ કે પાર્થિવસત્ત્વ અબાદિઅસત્ત્વથી અભિન્ન છે. ३२ * માત્ર સરૂપ માનવામાં વસ્તુના અભાવનો પ્રસંગ વિવેચન : (સ્યાદ્વાદી :) અહીં પૂર્વપક્ષી અસત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ માનતો જ નથી, તો પછી તો સત્ત્વ-અસત્ત્વ બંને એક જ છે એવું કહી જ ન શકાય, કારણ કે અસત્ત્વશબ્દ કોઈનો વાચક ન હોવાથી, ‘અસત્ત્વ’ એવો શબ્દપ્રયોગ જ નિરર્થક થાય... પણ પૂર્વપક્ષીએ જ તેવો શબ્દપ્રયોગ તો કર્યો છે જ, એટલે, અસત્ત્વનું અસ્તિત્વ જ નથી, એવી તેમની માન્યતાનું પોતે જ ખંડન કરી નાંખ્યું છે. તેથી તે માન્યતાને અવગણીને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે - જો વસ્તુનું સ્વદ્રવ્યાદિરૂપેનું સત્પણું જ પરદ્રવ્યાદિરૂપેનું અસત્પણું મનાય, તો વસ્તુનો અભાવ થઈ જાય. તે આ પ્રમાણે - (૧) ઘડાનું પાર્થિવદ્રવ્યરૂપે જે સત્પણું છે, તેને જ જો જલાદિરૂપેનું અસ૫ણું કહો, તો તો પાર્થિવદ્રવ્યસત્ત્વ અને જલાદિદ્રવ્ય-અસત્ત્વ બંને એક થઈ જાય અને એટલે તો (ક) અસત્ત્વ પણ સત્ત્વરૂપ બને, અને (ખ) સત્ત્વ પણ અસત્ત્વરૂપ બને. તેથી તો, (ક) ઘડો જેમ પાર્થિવદ્રવ્યરૂપે સત્ છે, તેમ જલાદિદ્રવ્યરૂપે પણ સત્ થાય; કેમ કે જલાદિઅસત્ત્વ પાર્થિવસત્ત્વરૂપ જ છે... અને (ખ) ઘડો જેમ જલાદિદ્રવ્યરૂપે અસત્ છે, તેમ પાર્થિવદ્રવ્યરૂપે પણ અસત્ થાય; કેમ કે પાર્થિવસત્ત્વ જલાદિઅસત્ત્વરૂપ જ છે. અહીં (ક) પ્રમાણે ઘડો જળરૂપ બની જાય અને (ખ) પ્રમાણે ઘડો પાર્થિવરૂપે પણ નિઃસ્વરૂપ બની જાય - એમ બંને પ્રમાણે ઘડાનો અભાવ થાય છે. આ જ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ સમજવું. તે આ પ્રમાણે - - * एवं यदि 'इहक्षेत्रसत्त्वमेव पाटलिपुत्राद्यसत्त्वम्, ततश्च तद्यथेह सत् तथा पाटलिपुत्रादावपि स्यात्, इहसत्त्वाव्यतिरिक्तत्वात् तत्रासत्त्वस्य; यथा वा पाटलिपुत्रादावसत् तथेहापि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वादिहसत्त्वस्य । एवं यदि 'घटकालसत्त्वमेव For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः मृत्पिण्डकपालकालासत्त्वम्, ततश्च तद्यथा घटकाले सत् एवं मृत्पिण्डकपालकाले प स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वात्तदसत्त्वस्य; यथा वा मृत्पिण्डकपालकालेऽसत् तथा घटका स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । एवं यदि 'श्यामत्वसत्त्वमेव रक्तत्वाद्यसत्त्वम्', ततश्च तद्यथा श्यामत्वेन सत् एवं रक्तत्वादिनापि स्यात्, तत्सत्त्वाव्यतिरिक्तत्वादितरासत्त्वस्य; यथा वा रक्तत्वादिनाऽसत् एवं श्यामत्वेनापि स्यात्, तदसत्त्वाव्यतिरिक्तत्वात्तत्सत्त्वस्य । ततश्च तदितररूपापत्त्यादिनाऽवस्तुत्वप्रसङ्गः, इति ।। - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : (૨) ક્ષેત્ર : એ પ્રમાણે જો ઇહક્ષેત્રરૂપેનું સત્પણું જ પાટલિપુત્રરૂપેનું અસપણું મનાય, (તો તે સત્ત્વ-અસત્ત્વ બે એક થઈ જતાં), (ક) ઘડો જેમ અહીં સત્ છે, તેમ પાટલિપુત્ર વગેરેમાં પણ સત્ થાય, કારણ કે પાટલિપુત્રરૂપેનું અસત્ત્વ ઇહત્યસત્ત્વથી અભિન્ન છે, અથવા તો (ખ) ઘડો જેમ પાટલિપુત્રમાં નથી, તેમ અહીં પણ નહીં રહે; કેમ કે ઇહક્ષેત્રરૂપેનું સત્ત્વ, પાટલિપુત્રરૂપેના અસત્ત્વથી અભિન્ન છે. ३३ (૩) કાળ : એ પ્રમાણે જો ઘટકાળરૂપેનું સત્પણું જ મૃપિંડ - કપાલકાળરૂપેનું અસણું હોય, તો તો (ઘટકાળસત્ત્વ અને કપાલકાલઅસત્ત્વ બંને એક થઈ જતાં), (ક) ઘડો જેમ ઘટકાળે સત્ છે, તેમ નૃષિંડ-કપાલકાળે પણ સત્ થાય; કેમ કે મૃતપિંડાદિકાળનું અસત્ત્વ ઘટકાલીન સત્ત્વથી અભિન્ન છે, અથવા તો (ખ) ઘડો જેમ મૃત્રપિંડ-કપાલકાળે અસત્ છે, તેમ ઘટકાળે પણ અસત્ થઈ જાય; કેમ કે ઘટકાલીન સત્ત્વ મૃતપિંડાદિકાલીન અસત્ત્વથી અભિન્ન છે. (૪) ભાવ : એ પ્રમાણે જો શ્યામરૂપેનું સત્પણું જ રક્તરૂપેનું અસપણું હોય, તો (શ્યામસત્ત્વ અને રક્તઅસત્ત્વ બંને એક થઈ જતાં), (ક) ઘડો જેમ શ્યામરૂપે સત્ છે, તેમ લાલરંગરૂપે પણ સત્ થાય; કેમ કે લાલવર્ણનું અસત્ત્વ શ્યામવર્ણના સત્ત્વથી અભિન્ન છે, અથવા તો (ખ) જેમ ઘડો લાલવર્ણરૂપે અસત્ છે, તેમ શ્યામવર્ણરૂપે પણ અસત્ થાય; કેમ કે શ્યામવર્ણનું સત્ત્વ લાલવર્ણના અસત્ત્વથી અભિન્ન છે. અને એટલે વસ્તુ પરક્ષેત્રાદિરૂપ બની જાય અથવા સ્વક્ષેત્રાદિરૂપ પણ ન રહે; એથી તો ઘટવસ્તુનો અભાવ થવાનો જ... વિવેચન : દ્રવ્યની જેમ ક્ષેત્રાદિમાં પણ ભાવના સુગમ હોવાથી, ભાવાર્થને અનુસા૨ે તાત્પર્ય સમજવું. એટલે સાર એ કે, વસ્તુના સત્પણાને જ અસત્પણારૂપ માનો, તો ઘડો જળાદિરૂપ પણ બની જતાં અને પોતાના દ્રવ્યાદિસ્વરૂપથી ચ્યુત થતાં, એ ઘડાનો જ અભાવ થાય... એટલે વસ્તુની સદસ ્પતા જુદી જુદી જ માનવી જોઈએ અને તો વસ્તુની ઉભયરૂપતા જ ફલિત થાય. હવે એકાંતવાદી, વસ્તુને એકાંત-એકરૂપ સિદ્ધ કરવા, પોતાના જુદા જુદા પૂર્વપક્ષો રજૂ કરે * अथोच्येत - नहि नः किञ्चिदबाद्यसत्त्वं निरुपाख्यं नामास्ति, यदपेक्षयाऽव्यतिरिक्त For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ३४ अनेकान्तवादप्रवेशः विकल्पोपन्यासेनावस्तुत्वापत्त्याऽऽत्मनो न्यायाभिज्ञता ख्याप्यते; अपि तु पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमेकस्वभावमबाद्यसत्त्वमुच्यते । ततश्च यथोक्तदोषाभावाद् व्यर्थो विकल्पोपन्यासपरिश्रमः, एवं शेषेष्वपि भावनीयम्; इति ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ: હવે કહેવાય છે - અમે કાંઈ અબાદિઅસત્ત્વ નિરુપાખ્ય-તુચ્છ નથી માનતા, કે જેને લઈને અવ્યતિરિક્ત - વિકલ્પના ઉપન્યાસ દ્વારા ઘટને અવસ્તુરૂપ માનવાની આપત્તિ બતાવીને પોતાની ન્યાયકુશળતા તમે બતાવી શકો... પણ અમે તો વિશિષ્ટ-એકસ્વભાવવાળું પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિઅસત્ત્વ કહીએ છીએ અને એટલે યથોક્ત દોષ ન હોવાથી વિકલ્પ-ઉપન્યાસનો પરિશ્રમ વ્યર્થ છે. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ સમજવું. # વિશિષ્ટસત્ત્વને જ અસત્ત્વ માનીએ તો... વિવેચનઃ (એકાંતવાદી) “ઘટાદિ વસ્તુમાં રહેલ પાર્થિવસત્ત્વ એ જ જળાદિઅસત્ત્વરૂપ હોય તો ઘટ જળાદિરૂપે પણ સત્ થઈ જશે કે પાર્થિવાદિરૂપે પણ અસત્ થઈ જશે અને તેનું નિયત સ્વરૂપ ન રહેવાથી તે અવસ્તુ જ બની જશે.” એવું કહીને તમે તમારી ન્યાયકુશળતા બતાવી, પણ અમે ઘટાદિમાં રહેલ જળાદિઅસત્ત્વને કંઈ તુચ્છ-અભાવરૂપ નથી માનતાં કે તે વાત સાચી પડે. પ્રશ્ન : તો તમે તે જળાદિઅસત્ત્વને કેવા રૂપે માનો છો ? ઉત્તર અમે તો ત્રણ લોકના બીજા પદાર્થોથી ભિન્નરૂપે રહેલું, માત્ર સરૂપ એકસ્વભાવવાળું એવું પાર્થિવરૂપનું જે સારું છે, તે જ જળાદિના અસત્પણારૂપ છે, એવું માનીએ છીએ, અર્થાત્ પાર્થિવસત્ત્વથી ભિન્ન જલાસત્ત્વ નથી, પણ વિશિષ્ટ પાર્થિવસત્ત્વનો જ જલાસસ્વરૂપે વ્યપદેશ કરાય છે. તે જ રીતે ઘડાનું (૨) મથુરારૂપનું સત્ત્વ જ ઈતરવ્યાવૃત્તિથી પાટલિપુત્રરૂપનું અસત્ત્વ છે, (૩) ઘટકાળરૂપનું સત્ત્વ જ ઇતરવ્યાવૃત્તિથી મૃપિંડકાળરૂપનું અસત્ત્વ છે, (૪) કૃષ્ણરૂપનું સત્ત્વ જ ઇતરવ્યાવૃત્તિથી રક્તરૂપેનું અસત્ત્વ છે. આમ અસત્ત્વને નિઃસ્વભાવી માન્યું જ ન હોવાથી પૂર્વોક્ત એક પણ દોષો ન આવે. એટલે અમારા ખંડન માટે તમે કરેલા વિકલ્પ – ઉપન્યાસનો પરિશ્રમ વ્યર્થ જ ફલિત થયો. હવે ગ્રંથકારશ્રી આ વિશે પોતાનું મંતવ્ય બતાવે છે – अहो । दुरन्तो मोहः, स्ववाचाऽपि प्रतिपादयत्रनेकान्तं न प्रतिपद्यते । तथाहि'पार्थिवद्रव्यसत्त्वमेव विशिष्टमबाद्यसत्त्वम्', इति वक्ति, न च सदसद्रूपं वस्तु प्रतिपद्यते; इत्यपूर्वो विभ्रमः । न हि स्वपरसत्ताभावाभावोभयरूपतां विहाय वस्तुनो विशिष्टतैव સંભવતિ | For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : અહો ! દુરંત મોહ ! પોતાની વાણીથી કહેતા પણ અનેકાંતને સ્વીકારતા નથી. તે આ પ્રમાણે – વિશિષ્ટ પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિઅસત્ત્વ છે, એવું કહે છે અને સદસરૂપ વસ્તુ માનતો નથી, એ તો અપૂર્વ ભ્રમ છે... સ્વસત્તાની અપેક્ષાએ ભાવ અને પરસત્તાની અપેક્ષાએ અભાવ - એમ ઉભયરૂપતાને છોડીને વસ્તુની વિશિષ્ટતા જ સંભવતી નથી. ક તો અનેકાંતવાદનું જ શરણ વિવેચન : અહો ! પોતાની વાણીથી અનેકાંતનું પ્રતિપાદન કરવા છતાં પણ અનેકાંતવાદને સ્વીકારતા નથી, કેવો પ્રબળ મોહ !! તમે પાર્થિવદ્રવ્યરૂપના વિશિષ્ટ સત્ત્વને જ જળાદિરૂપના અસત્ત્વરૂપ કહો છો અને છતાં જે વસ્તુમાં તે બંને (સત્ત્વ-અસત્ત્વ) રહ્યા છે, તે વસ્તુને ઉભયરૂપ માનતા નથી. કેવો અપૂર્વ ભ્રમ છે? (ઉભયના જ્ઞાનના નિમિત્તભૂત ઉભય હોવા છતાં ઉભયનું જ્ઞાન નથી થતું તે વિભ્રમ કહેવાય... તવંતિ તારંગાને એ અજ્ઞાનરૂપ વિભ્રમનું લક્ષણ છે.) પ્રશ્ન : પણ અમે વસ્તુમાં ઉભય ક્યાં માન્યું છે? ઉત્તર : તમે વસ્તુમાં વિશિષ્ટસત્ત્વને જ અસત્ત્વરૂપ કહ્યું, હવે તે વિશિષ્ટતા; વસ્તુમાં પરદ્રવ્યાદિથી અસત્ત્વરૂપ વિશેષણ માન્યા વિના આવી ન શકે... એટલે વિશેષણ માનવા, સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ભાવ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અભાવએમ ભાવાભાવ (સદસરૂપ) માનવા જ રહ્યા અને તો વસ્તુ ઉભયરૂપ જ સિદ્ધ થઈ. એટલે વિશિષ્ટસત્ત્વને અસત્ત્વ કહેવામાં, ફલતઃ અનેકાંતવાદ જ શરણ બન્યો. न च तद्येनैव स्वभावेन पार्थिवद्रव्यत्वेन सद्वर्तते, तेनैवाबादिद्रव्यत्वेनासत्, अभिन्ननिमित्तत्वे सति एकत्र सदसत्त्वयोर्विरोधात्; तथाहि-तेनैव स्वभावेन सच्चासच्च, इति विरुद्धमेतत् ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તે જે સ્વભાવે પાર્થિવદ્રવ્યરૂપે સત્ છે. તે જ સ્વભાવે જળાદિરૂપે અસતું નથી, કારણ કે એક નિમિત્તને લઈને એકત્ર સદસક્ષણાનો વિરોધ છે. તે આ પ્રમાણે - તે એક જ સ્વભાવે વસ્તુ સતુ-અસત્ શી રીતે? આ તો વિરુદ્ધ છે. # વસ્તુને એકસ્વભાવી ન મનાય ? વિવેચનઃ (પૂર્વપક્ષ ) અમે, પાર્થિવસત્ત્વ અને જલાસત્ત્વને જુદા જુદા નથી માનતા, કે જેથી ઉભયરૂપતા માનવી પડે, પણ વસ્તુમાં રહેલા જે સ્વભાવને કારણે તે પાર્થિવવેન સત્ છે, તે સ્વભાવને For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ३६ अनेकान्तवादप्रवेशः કારણે જ તે જળાદિત્યન અસત્ છે. આ રીતે જ અમે સત્ત્વને અસત્ત્વરૂપ માની લઈએ છે. એટલે ઉભયરૂપતા નથી. (ઉત્તરપક્ષ:) પણ અમારું કહેવું છે કે, ત્યાં વસ્તુ જે સ્વભાવથી પાર્થિવવેન સત્ છે, તે જ સ્વભાવથી જળાદિત્યન અસત્ ન હોઈ શકે, કારણ કે એક જ વસ્તુમાં, એક જ નિમિત્તથી સત્ત્વઅસત્ત્વ એવા બે પરસ્પર વિરુદ્ધ ધર્મો આવી શકે નહીં. (આશય એ કે, એક વસ્તુમાં જુદા જુદા નિમિત્તને લઈને સત્ત્વ અસત્ત્વ આવી શકે. જેમ કે ઘટમાં પાર્થિવ7/ઘટ... પણ એક જ સ્વભાવરૂપ નિમિત્તથી બંને ન આવી શકે.) એટલે વસ્તુને એકસ્વભાવી માનવામાં સદસરૂપતાનો વ્યવહાર સંગત ન થાય. તેથી વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી રહી. स्यादेतद्-तत्राबादिद्रव्यासत्त्वस्य परिकल्पितत्वाद्यथोक्तदोषाभावः; इति । सोऽयं गडुप्रवेशेऽक्षितारिकाविनिर्गमन्यायः; तथाहि-तत्राबादिद्रव्यासत्त्वस्य परिकल्पितत्वात् असत्त्वात् तद्रूपेणाप्यस्तित्वप्रसङ्गः; अनिष्टं चैतद्, इति ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : ત્યાં, અબાદિદ્રવ્યરૂપનું અસત્પણું કલ્પિત હોવાથી ઉપરોક્ત દોષ નથી. ઉત્તરપક્ષ આ તો ગૂમડાના પ્રવેશમાં આંખની કીકી નીકળવાનો ન્યાય લાગ્યો. તે આમ- ત્યાં અબાદિદ્રવ્યરૂપેનું અસત્ત્વ કલ્પિત હોવાથી છે જ નહીં અને તો અબાધિરૂપે પણ અસ્તિત્વ માનવાનો પ્રસંગ આવે ! અને એ તો અનિષ્ટ છે. # અસત્ત્વની કલ્પિતતાનું નિરાકરણ છે વિવેચનઃ પૂર્વપક્ષ: વસ્તુનું પાર્થિવદ્રવ્યરૂપનું સત્ત્વ જ પારમાર્થિક છે, બાકી જળાદિદ્રવ્યરૂપનું અસત્ત્વ તો કલ્પિત હોઈ અવાસ્તવિક છે. એટલે પરમાર્થથી વસ્તુ સરૂપ જ ફલિત થઈ, સદસદ્ ઉભયરૂપ નહીં. ઉત્તરપક્ષ તમારી આવી ચેષ્ટા તો મોટા દોષને ઉત્પન્ન કરનાર બને છે. જેમ કોઈ વ્યક્તિને આંખ પાસે ગૂમડું થયું, ત્યારબાદ કોઈક વૈદ્ય ઔષધ પ્રયોગથી એવો ઉપચાર કર્યો કે ગૂમડું ત્યાંથી નીકળીને આંખની અંદર પેસી ગયું અને તેનાથી આંખની કીકી બહાર નીકળી ગઈ. આમ તે, દૂર કરવા ગયો નાના દોષને અને પામી ગયો મોટા દોષને ! બસ, તમે પણ તેની જેમ નાના દોષને દૂર કરવા ગયા, પણ ઉલટાના અધિકતર દોષો પામી બેઠા. જુઓ – જો જળાદિરૂપનું અસત્ત્વ કલ્પિત હોય, તો એનો મતલબ એ થયો કે વાસ્તવમાં છે જ નહીં, અર્થાત્ તે જળાદિઅસત્ત્વ અસત્ છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः – તો, જેમ સ્વસત્ત્વનું અસત્ત્વ ન હોવાથી ઘડાનું સ્વસત્ત્વ મનાય છે, તેમ જળાદિનું અસત્ત્વ ન હોવાથી (તે અસત્ત્વ કલ્પિત હોવાથી) ઘડાનું જળાદિસત્ત્વ પણ મનાશે ! (જો જળાદિસત્ત્વ ન હોય તો જળાદિઅસત્ત્વ નથી, કલ્પિત છે, તેવું કહી જ ન શકાય. એટલે તેવું કહેવા, ઘડાનું જળાદિસત્ત્વ માનવું જ રહ્યું.) અને તો ઘટનું જળરૂપે પણ અસ્તિત્વ માનવું પડશે ! જે કોઈને ઇષ્ટ નથી. એટલે જળાદિઅસત્ત્વ કલ્પિત નહીં, પણ વાસ્તવિક જ માનવું રહ્યું અને તો વસ્તુની સદસદ્ ઉભયરૂપતા નિર્બાધ જ રહી. * ३७ * स्यादेतद्, पार्थिवद्रव्यसत्त्वव्यतिरिक्तमबाद्यसत्त्वं परिकल्पितं, पार्थिवद्रव्यसत्त्वमेव पुनरबाद्यसत्त्वस्वभावमिष्यत एव इत्यतोऽनपराधः ; इति ।। अहो ! दुरन्तः स्वदर्शनानुरागः, प्रत्युक्तमपि नावधारयति; यतः न च तद् येनैव स्वभावेन पार्थिवद्रव्यत्वेन सद्वर्तते तेनैवाबादिद्रव्यत्वेनासद्; इत्यादि तदेवावर्तते इति, अलं स्वदर्शनानुरागाकृष्टचेतसा सह प्रसङ्गेन, इति ।। - પ્રવેશરશ્મિ : : ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ પાર્થિવદ્રવ્યસત્ત્વથી જુદું અબાદિઅસત્ત્વ કલ્પિત છે, વળી પાર્થિવદ્રવ્યસત્ત્વ જ અબાદિઅસત્ત્વસ્વભાવવાળું તો ઇષ્ટ જ છે, એટલે કોઈ અપરાધ નથી. : ઉત્તરપક્ષ ઃ અહો ! દુરંત સ્વદર્શનનો અનુરાગ છે. પ્રત્યુક્ત પણ અવધારણ કરતા નથી, કારણ કે અહીં ફરી એ જ વાતો આવૃત્ત થશે કે, તે જે સ્વભાવે પાર્થિવદ્રવ્યરૂપે સત્ છે, તે જ સ્વભાવે અબાદિદ્રવ્યરૂપે અસત્ નથી... ઇત્યાદિ એટલે સ્વદર્શન-અનુરાગગ્રસ્ત મનવાળા સાથે હવે ચર્ચા કરવાથી સર્યું. વિવેચન : પૂર્વપક્ષ : અમો જળાદિઅસત્ત્વનો સર્વથા નિષેધ નથી કરતાં, પણ અમારું કહેવું એ કે, જે પાર્થિવદ્રવ્યરૂપેના સત્પણાથી જુદું જળાદરૂપેનું અસણું છે, તે કલ્પિત છે, પણ જે પાર્થિવદ્રવ્યરૂપેનું સત્પણું છે, તે જ જળાદરૂપેનું અસ૫ણું છે. એટલે આમ પાર્થિવદ્રવ્યસત્ત્વ જ જળાદિઅસત્ત્વરૂપ છે અને તો જળસત્ત્વની આપત્તિ પણ ન આવે અને એકસ્વભાવિતા પણ સિદ્ધ થઈ જાય. ઉત્તરપક્ષ : અહો ! પોતાના દર્શનનો કેવો ગાઢ અનુરાગ ! અને એ દુરન્ત દર્શનરાગના સામર્થ્યથી જ તમે, કહ્યું હોવા છતાં સાંભળતા નથી, અને એ પ્રત્યુક્ત જ કહી રહ્યા છો. જો પાર્થિવદ્રવ્યરૂપેના સત્પણાને જ જળાદરૂપેના અસપણારૂપ કહો, તો ફરી પૂર્વોક્ત વાત જ આવૃત્ત થશે કે - “વસ્તુ જે સ્વભાવે પાર્થિવદ્રવ્યરૂપે સત્ હોય, તે જ સ્વભાવે જળાદિરૂપે અસત્ શી રીતે હોઈ શકે ? કેમ કે એક જ સ્વભાવે સદ્-અસદ્ હોવામાં તો વિરોધ છે... ઇત્યાદિ” એટલે હવે, પોતાના દર્શનના ગાઢ અનુરાગથી વ્યાપ્ત મનવાળા વ્યક્તિ સાથે ચર્ચા કરવાથી સર્યું. કારણ કે તે અપ્રજ્ઞાપનીય હોવાથી, તેને સમજાવવાથી કોઈ લાભ નથી. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः अपरस्त्वाह, 'सदसद्रूपं वस्तु' इत्यत्रासत्पक्षे प्रसज्यप्रतिषेधो वा स्यात् ? पर्युदासो વા ? શિષ્યતઃ ?. उभयथाऽपि दोषः; तथाहि-यदि 'सन्न भवति' इत्यसत्, सन्निवृत्तिमात्रं निरुपाख्यमसत्; ततश्च तस्य प्रमाणगोचरातीतत्त्वाद्वस्तुधर्मत्वानुपपत्तिः। अभ्युपगमे वा वस्तुन एव निरुपाख्यत्वप्रसङ्गः; तथाहि-न निरुपाख्यस्वभावं सोपाख्यस्वभावं भवितुमर्हति । अथ सतोऽन्यदसद्, सदन्तरमेवासत्, इति एवमपि तस्य सदात्मकत्वादेव सदसदरूपत्वानुपपत्तिः; तथाहि-न 'सत् सदन्तरात्मकम्' इति सचेतसो વાં યુન્યતે, રૂતિ – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બીજા વળી કહે છે : “વસ્તુ સદસરૂપ છે તો અહીં અસતુપક્ષમાં પ્રસજ્યપ્રતિષેધ છે? કે પર્યદાસ? તેનાથી શું? એ જ કે બંને પ્રકારે દોષ આવે છે. તે આ પ્રમાણે – જો ‘સદ્ નથી એ અસતું' એવું કહો (પ્રસજ્ય), તો તે અસતુ માત્ર સન્ની નિવૃત્તિરૂપ તુચ્છરૂપ ફલિત થયું અને તેથી તેવું અસતુ તો પ્રમાણના વિષયથી અતીત હોવાથી વસ્તુના ધર્મ તરીકે સંગત ન થાય... થાય તો પણ વસ્તુ જ નિરુપાખ્ય થવાનો પ્રસંગ આવે! તે આમ-નિરુપાવે એવી અસતસ્વભાવવાળી વસ્તુ સોપાખ્ય ન હોઈ શકે. હવે જો “સથી અન્ય તે અસતું' એવું કહો (પર્યાદાસ), તો એક બીજો સત્ પદાર્થ જ ફલિત થાય અને એ રીતે પણ તે સદાત્મક હોવાથી જ તેની સદસરૂપતા ઉપપન થાય નહીં. તે આમ- “સદ્ બીજા સરૂપ છે” એવું સમનસ્ક વ્યક્તિને બોલવું યોગ્ય નથી. # અસરૂપતા અઘટિતતાદર્શક પૂર્વપક્ષ છે વિવેચનઃ તમે વસ્તુને સદસરૂપ માનો છો, અહીં તમને “અસત્થી કેવો પ્રતિષેધ અભિપ્રેત છે? (૧) પ્રસાંપ્રતિષેધ, કે (૨) પથુદાસ-પ્રતિષેધ ? આ બંને પ્રમાણે દોષ આવે છે – (૧) જો “સદ્ નથી એ અસત” એમ સદ્રના નિષેધમાત્રરૂપ અસત્ કહેતા હો, તો અસતની વ્યુત્પત્તિ આવી થશે : “સત્ 7 મત=૩ સત્નિવૃત્તિ' અને એથી તો અસતુ, સહુનિવૃત્તિરૂપ હોઈ નિઃસ્વભાવ થાય, અર્થાત્ સ્વભાવરહિત - તુચ્છ થાય. અને તેવી તુચ્છ (=અસતુ) વસ્તુ ખપુષ્પની જેમ પ્રમાણનો વિષય ન બને અને જે પ્રમાણનો વિષય ન બને, તે વસ્તુનો ધર્મ પણ ન બને ! (અર્થાત્ અસરૂપતા વસ્તુનો ધર્મ નહીં બની શકે.) જો તેવા સ્વભાવરહિત અસત્ત્વને પણ વસ્તુનો ધર્મ મનાય, તો વસ્તુને પણ સ્વભાવરહિતતુચ્છ માનવાનો પ્રસંગ આવે ! કારણ કે તુચ્છ એવા (અસરૂપ) સ્વભાવવાળી વસ્તુ, અતુચ્છ ન હોઈ શકે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः (ભાવ એ કે, જે વસ્તુનો સ્વભાવ તુચ્છ હોય, તે વસ્તુ પોતે પણ તુચ્છ જ હોય, અતુચ્છવાસ્તવિક નહીં. એટલે પ્રસજ્યપક્ષે તો વસ્તુનું અસ્તિત્વ જ વિલુપ્ત થાય છે.) ३९ (૨) જો અસત્ત્ને પર્યુદાસપ્રતિષધરૂપ મનાય, તો અસત્ની વ્યુત્પત્તિ આવી થશે : ‘સત: અન્યત્= અસત્=સવન્તરમ્' અર્થાત્ વિવક્ષિત સત્થી જુદો બીજો સત્પદાર્થ' અને આ વ્યુત્પત્તિ પ્રમાણે તો અસત્ એક પ્રકારનું સરૂપ જ બનવાથી, વસ્તુની માત્ર સરૂપતા જ સિદ્ધ થાય, અસપતા નહીં. વળી ઘટનું અસપ; સદંતરરૂપ (બીજા પટાદિ પદાર્થરૂપ) હોઈ વસ્તુનું સ્વરૂપ બની શકે નહીં, કારણ કે ઘટ તે અસત્=સદંતર=પટરૂપ હોય એવું કોઈને માન્ય નથી. એટલે આમ અસરૂપ ન રહેવાથી, ઘટાદિ વસ્તુની અસપતા સંગત થાય નહીં અને તો વસ્તુ સદસ ્ ઉભયરૂપ છે, તેવું કથન પણ સંગત ન થાય. एतदप्ययुक्तम्, भगवदर्हन्मतापरिज्ञानात्, पक्षद्वयेऽपि दोषाभावात् ।। થમમાવ: ? કૃતિ 11 उच्यते-यद्यपि सन्निवृत्तिमात्रं निरुपाख्यमसत्, तथापि स्वरूपेण सत्त्वात्, तद्रूपेण चासत्त्वात्, सदसद्रूपतैव; इति । ! પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : આ વાત પણ અયુક્ત છે, કારણ કે ભગવાન અરિહંતના મતનું તમને જ્ઞાન નથી, ખરેખર તો બંને પક્ષમાં દોષનો અભાવ છે. કેવી રીતે અભાવ ? કહેવાય છે - જો કે અસત્ માત્ર સનિવૃત્તિરૂપ નિરુપાખ્ય છે, પણ તે સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોવાથી તેની સદસ ્પતા છે જ. ૢ પૂર્વોક્ત વિકલ્પ અયુક્તતાદર્શક ઉત્તરપક્ષ વિવેચન : તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે ભગવાન અરિહંતના મતનું તમને યથાર્થ જ્ઞાન નથી. પહેલાં ભગવાન અરિહંતનો મત સમજો - આર્હતમતે ઘટાદિ તમામ વસ્તુઓ સદસદ્ ઉભયરૂપ છે, સત્ત્વથી તદ્દન ભિન્ન (અનનુવિદ્ધ) એવા અસત્ત્વની અપેક્ષાએ અસરૂપ નથી. (એવું હોય, તો વસ્તુના અસત્ત્વની આપત્તિ આવે, પણ એવું નથી.) એટલે, અસહ્માં છે તો પ્રસજ્જ પ્રતિષેધ જ, ‘સત્ ન ભવત તિ અસત્' એ જ રૂપ લેવાનું છે, પણ છતાં તેનાથી તમે આપેલ (વસ્તુ તુચ્છ બનવાની) આપત્તિ આવતી નથી, કારણ કે તે અસમાં પરદ્રવ્યાદિરૂપેણ સત્નો જ નિષેધ છે, સર્વથા નહીં (પરદ્રવ્યાદિનું તો સત્ત્વ નથી જ.) અને એ અસત્ત્વ, (સ્વદ્રવ્યાદિના) સત્ત્વથી અનુવિદ્ધ હોવાથી (કથંચિદ્ અભિન્ન હોવાથી) સર્વથા તુચ્છરૂપ બનતું નથી. આમ તે પ્રમાણનો વિષય પણ બનશે, વસ્તુધર્મ પણ બનશે અને છતાં વસ્તુ પણ તુચ્છ નહીં બને. અને પર્યુદાસ પક્ષ તો અમે સ્વીકાર્યો જ ન હોવાથી, તે પક્ષગત દોષો અમને ક્ષતિકારક નથી. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ४० अनेकान्तवादप्रवेशः <0 આમ બંનેમાંથી એક પણ પક્ષભાવી દોષ અમારા મતે નથી. એટલે વસ્તુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ એમ સદસદ્ ઉભયરૂપ માનવી જ રહી. * A પૂર્વમુદ્રિતે ‘નિમિત્તત્વાર્' કૃતિ પા:, અત્ર D-પ્રતપાઈ: 1 - પ્રવેશરશ્મિ : * ततश्चैवं न सर्वथा सत्त्वमसत्त्वपरिहारेण व्यवस्थितम्, न चासत्त्वं सत्त्वपरिहारेण ।। न चानयोरविशेष एव भिन्ननिमित्तत्वात्; तथा हि- 'स्वद्रव्यादिरूपेण सत्, परद्रव्यादिरूपेण चासत्' इत्युक्तम् । ततश्च तद् यत एव सत् अत एवासत्, परद्रव्यादिरूपासत्त्वे सति स्वद्रव्यादिरूपेण सत्त्वात् तथा यत एवासत् अत एव सत्, स्वद्रव्यादिरूपसत्त्वे सति परद्रव्यादिरूपेणासत्त्वात् । अत एव चैकत्र सदसत्त्वयोर्विरोधो न संभवति, भिन्ननिमित्तीद् धर्मिभावात् । एतच्चोत्तरत्र प्रपञ्चयिष्यामः । अनुभवसिद्धत्वाच्च; तथाहि - स्वपररूपाव्यावृत्तव्यावृत्तरूपमेव तद्वस्तु अनुभूयते ।। ભાવાર્થ : અને તેથી સત્ત્વ અસત્ત્વને છોડીને નથી રહ્યું અને અસત્ત્વ સત્ત્વને છોડીને નથી રહ્યું અને તે બંને એક જ નથી, કારણ કે બંનેનું નિમિત્ત ભિન્ન છે. તે આમ - સ્વદ્રવ્યાદિરૂપે સત્ અને પરદ્રવ્યાદિરૂપે અસત્, એવું કહ્યું છે. અને એટલે વસ્તુ જેથી સત્ છે, તેથી જ અસત્ છે, કારણ કે તેનું પરદ્રવ્યાદિરૂપે અસત્પણું હોવાથી જ સ્વદ્રવ્યાદિરૂપે સર્પણું છે. તથા, જેથી અસત્ છે, તેથી જ સત્ છે, કારણ કે તેનું સ્વદ્રવ્યાદિરૂપે સણું હોવાથી જ પરદ્રવ્યાદિરૂપે અસત્પણું છે. અને એટલે જ એકત્ર સત્ત્વ-અસત્ત્વનો વિરોધ પણ ન સંભવે, કારણ કે વસ્તુ બે જુદા નિમિત્તે ધર્મી બને છે. આ વાત અમે આગળ વિસ્તારીશું. અને તેવું અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - દરેક વસ્તુઓ, સ્વરૂપ - અવ્યાવૃત્ત અને પરરૂપવ્યાવૃત્ત એમ ઉભયરૂપે જ અનુભવાય છે. * સદસદ્ ઉભયરૂપતાસિદ્ધિ વિવેચન : પૂર્વોક્ત કથનથી ફલિત થાય કે, ઘટમાં રહેલું પાર્થિવસત્ત્વ, પૂર્ણપણે જળાદિઅસત્ત્વને છોડીને નથી રહ્યું અને જળાદિઅસત્ત્વ પણ પૂર્ણપણે પાર્થિવસત્ત્વને છોડીને નથી રહ્યું. એટલે તેઓ કથંચિદ્ પરસ્પર અનુવિદ્ધ છે. (અર્થાત્ કથંચિદ્ તેઓ બે એક છે.) અને તેઓ બે સર્વથા એક જ છે, એવું પણ નથી, કારણ કે બંનેનું નિમિત્ત જુદું જુદું છે. તે આ પ્રમાણે - વસ્તુ, સ્વદ્રવ્યાદિરૂપે સત્ છે અને ૫૨દ્રવ્યાદિરૂપે અસત્ છે - આવું અમે પૂર્વે કહ્યું હતું, તેનાથી સિદ્ધ થાય કે પાર્થિવસત્ત્વનું નિમિત્ત સ્વદ્રવ્યાદિ છે અને જળાદિઅસત્ત્વનું નિમિત્ત પરદ્રવ્યાદિ છે અને એમ નિમિત્તો જુદા હોવાથી તે બેની સર્વથા ઐક્યતા ન મનાય. અને એટલે જ (=સત્ત્તાસત્ત્વ બંને કથંચિદ્ ભિન્નાભિન્ન હોવાથી જ) ઘટ વગેરે વસ્તુઓ, જે કારણથી સત્ છે, તે કારણથી જ અસત્ છે. કારણ કે તેઓ પરદ્રવ્યાદિરૂપે અસત્ હોવા સાથે For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः જ સ્વદ્રવ્યાધિરૂપે સત્ છે. (એટલે તેઓનું સત્ત્વ સિદ્ધ થયે અસત્ત્વ પણ સિદ્ધ થાય જ.) અને તેઓ જે કારણથી અસત્ છે, તે કારણથી જ સત્ છે, કારણ કે તેઓ સ્વદ્રવ્યાદિરૂપે સત્ હોવા સાથે જ પરદ્રવ્યાધિરૂપે અસત્ છે. (એટલે તેઓના અસત્ત્વની સિદ્ધિ થયે સત્ત્વ પણ સિદ્ધ થાય જ.) અને એટલે જ એક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વનો વિરોધ પણ ન હોઈ શકે, કારણ કે એક જ વસ્તુ જુદા જુદા નિમિત્તે ધર્મી (ધર્મવાળી) બને છે... જુઓ; સ્વદ્રવ્યાદિ એ સત્ત્વનું નિમિત્ત છે અને પરદ્રવ્યાદિ એ અસત્ત્વનું નિમિત્ત છે. (આમ એક વસ્તુમાં, જુદા જુદા નિમિત્તે જુદા જુદા ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી.) આ વાતનો વિસ્તાર, ગ્રંથકારશ્રી આગળ કરશે. અને વળી તેવું (=સદસપણું) અનુભવસિદ્ધ છે, કારણ કે દરેક વસ્તુઓ સ્વદ્રવ્યાદિથી અવ્યાવૃત્ત અને પરદ્રવ્યાદિથી વ્યાવૃત્ત – એમ વ્યાવૃત્ત અવ્યાવૃત્તરૂપે (ભાવાભાવરૂપે= સદસરૂપે) અનુભવાય છે, તો તેની અનેકરૂપતામાં વિરોધ શું? તાત્પર્ય એ કે, જેમ વસ્તુની સત્ત્વરૂપતા - નીલરૂપતા કે જ્ઞાનની સત્ત્વાકાર-નીલાકાર વગેરે અનેકરૂપતામાં કોઈ વિરોધ નથી, તેમ સ્વદ્રવ્યથી સત્ પરદ્રવ્યથી અસત્નો અનુભવ થતો હોય તો તેમાં પણ વિરોધ ન જ કરાય. આમ પરમાર્થથી સ્વરૂપ અવ્યાવૃત્તિ અને પરરૂપવ્યાવૃત્તિ બંને અનુભવાય છે, એટલે વસ્તુ ઉભયાત્મક જ છે. તે છતાં પૂર્વપક્ષી હજી પોતાની આશંકા ઊભી કરે છે – स्यादाशङ्का-'स्वरूपाव्यावृत्तिरेव पररूपव्यावृत्तिः' इति । एषाप्ययुक्ता, विहितोત્તરવીત્TI यस्मादेवं तस्मात् समुत्सारितपक्षपातैायविद्भिर्युक्तियुक्तत्वात् सदसद्रूपं वस्त्वङ्गीकर्तव्यम् । आह च - यस्मात्सत्त्वमसत्त्वं च न विरुद्धं मिथो द्वयम् । वस्त्वेकं सदसद्रूपं ननु तत् किं न युज्यते ?।।१।। – પ્રવેશરશ્મિ - ભાવાર્થ : આશંકા : સ્વરૂપ - અવ્યાવૃત્તિ જ પરરૂપ વ્યાવૃત્તિ છે, જુદી નહીં. સમાધાન : એ પણ અયુક્ત છે, તેનો ઉત્તર પૂર્વે કહી દીધો છે. એટલે પક્ષપાતને છોડીને ન્યાયને જાણનારાઓએ યુક્તિયુક્ત હોવાથી સદસરૂપ વસ્તુ સ્વીકારવી જોઈએ, કહે છે કે – “જેથી સત્ત્વ-અસત્ત્વ છે પરસ્પર વિરુદ્ધ નથી, તેથી એક વસ્તુ સદસપ કેમ ન ઘટે ?' ક વસ્તુની એકરૂપતાની આશંકા અયુક્ત છે વિવેચન : આશંકા : વસ્તુની સ્વરૂપઅવ્યાવૃત્તિ જ પરરૂપવ્યાવૃત્તિ છે. અર્થાત્ સર્વ ભાવો, સજાતીય બીજા પદાર્થો (બીજા ઘટાદિ)થી કે વિજાતીય (પટાદિ)થી; પોતાના સ્વભાવથી જ જુદા પડે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -> છે. (તે માટે તેમાં ૫૨૫દાર્થોથી વ્યાવૃત્તિરૂપ સ્વતંત્ર અસત્ત્વ માનવાની જરૂર નથી) કારણ કે પદાર્થો, સ્વભાવમાં જ રહેલા છે અને તે સ્વભાવ જ અન્ય પદાર્થોથી અસાધારણ છે. ४२ એટલે, જે જે પદાર્થોથી ઘટાદિની વ્યાવૃત્તિ થાય છે, તે તે વ્યાવૃત્તિના કારણરૂપ, વિશેષ ધર્મોનું અવગાહન કરનારી જાતિઓની કલ્પના, અતત્ત્વજ્ઞાનીઓ કરે છે, પણ વાસ્તવમાં તેવા વિશેષો હોતા નથી. દા.ત., રક્ત ઘટ, પીતઘટ કે પટર્થી જુદો પડે છે, તેમાં તેનો પોતાનો સ્વભાવ જ કારણ છે; પણ અતત્ત્વજ્ઞાનીઓ વડે, તેને પીતઘટાદિથી કે પટાદિથી જુદો પાડવાના હેતુભૂત, રક્તત્વ-ઘટત્વાદિ જાતિઓની કલ્પના કરાય છે... અને પછી તેવો વ્યવહાર કરાય છે કે રક્ત એટલે પીતાદિ નહીં અને ઘટ એટલે પટાદિ નહીં. પણ હકીકતમાં તો પર-અસત્ત્વ પણ સ્વભાવસત્ત્વરૂપ જ છે, તેનાથી જુદું નહીં અને તો વસ્તુની માત્ર સપતા જ ફલિત થાય, સદસદ્ ઉભયરૂપતા નહીં. સમાધાન ઃ તમારી આ આશંકા પણ અયુક્ત છે, કારણ એનો ઉત્તર અમે પૂર્વે જ આપી દીધો હતો કે – વસ્તુનું સ્વરૂપસત્ત્વ જ ૫૨રૂપ - અસત્ત્વ ન બની શકે... બને તો સ્વરૂપે પણ અસત્ત્વ આવી જાય વગેરે... = (વળી ઉપરોક્ત કથનથી તો વસ્તુની સદસદ્પતા જ સિદ્ધ થાય છે, કારણ કે અન્યથી વ્યાવૃત્તિ ત્યારે જ ઘટે કે જ્યારે વસ્તુમાં ૫૨રૂપે અસત્ત્વ સ્વીકારાય... જો વસ્તુમાં સ્વ-અસત્ત્વની જેમ ૫૨અસત્ત્વ પણ ન હોય, તો ૫૨-અસત્ત્વની કલ્પના પણ ન થઈ શકે. અર્થાત્ જેમ રક્ત ઘટને પોતાનાથી વ્યાવૃત્ત માનવા માટે કોઈ જાતિની કલ્પના કરતું નથી, કારણ કે તેની પોતાનાથી વ્યાવૃત્તિ નથી. તેમ જો બીજાથી વ્યાવૃત્તિ ન હોય, તો તેના માટે પણ કોઈ કલ્પના કરે જ નહીં... પણ કલ્પના કરે છે, એ પરથી સિદ્ધ થાય કે વસ્તુની પરવ્યાવૃત્તિ છે અને તે અસત્ત્વ વિના થઈ શકે નહીં. એટલે વસ્તુમાં અસત્ત્વ નામનો ધર્મ પણ માનવો જ રહ્યો.) એટલે પક્ષપાતને છોડીને વિદ્વાનોએ વસ્તુને સદસદ્પ જ માનવી જોઈએ, કારણ કે તે જ યુક્તિસંગત છે. કહ્યું છે કે – “જે કારણથી એક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ બંને ધર્મો પરસ્પર વિરોધી નથી, તે કારણથી એક વસ્તુ સદસદ્ ઉભયરૂપ હોવી કેમ યોગ્ય નથી ?’’ * यदप्युक्तम्-‘सदसद्रूपं वस्त्वभ्युपगच्छता सत्त्वमसत्त्वं च वस्तुधर्मतयाभ्युपगतं भवति'; एतदिष्यत एव ।। यत्पुनरिदमुक्तम्- 'ततश्चात्रापि वक्तव्यम्; धर्मधर्मिणोः किं तावद्भेदः' इत्यादि । For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ૪૩ अत्रापि सर्वथा भेदपक्षोदितोऽभेदपक्षोदितश्च दोषोऽनभ्युपगमतिरस्कृतत्वादेव न नः क्षतिमावहति । भेदाभेदपक्षस्त्वभ्युपगम्यत एव ।। – પ્રવેશરશ્મિ - ભાવાર્થ: પૂર્વે જે પણ તમે કહ્યું હતું કે – “વસ્તુને સદસરૂપ માનનારા વડે “સત્ત્વ અને અસત્ત્વ' વસ્તુના ધર્મ તરીકે મનાવેલા થાય” - એ તો અમને ઈષ્ટ જ છે, કારણ કે સત્તાસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે અમે માનીએ જ છે.) તે પછી તમે જે કહ્યું હતું કે – “તો પછી અહીં પણ તમારે કહેવું જોઈએ કે, શું ધર્મ-ધર્મીનો ભેદ છે, અભેદ છે કે ભેદભેદ? ઇત્યાદિ” એ વિશે પણ, ભેદ અને અભેદ પક્ષમાં કહેલ દોષ તો અનન્યુપગમથી તિરસ્કૃત હોવાથી જ અમને ક્ષતિવાહક નથી (અર્થાત્ એકાંત ભેદ/અભેદ અમે માનતા જ નથી અને એટલે તેના પક્ષમાં આવતા દોષો અમને લાગે નહીં.) અને ભેદભેદપક્ષ તો અમે માનીએ જ છીએ. (અર્થાતુ ધર્મ-ધર્મીનો ભેદભેદ તો અમને અભિમત જ છે.) # પૂર્વપક્ષપ્રલપિત દોષપરિહાર છે વિવેચન : એકાંતવાદીએ મૂળપૂર્વપક્ષમાં, ધર્મ-ધર્મીના ખંડન માટે ભેદ, અભેદ અને ભેદભેદના વિકલ્પો પાડ્યા હતા, તેની અહીં વાત ચાલે છે. પહેલા બે પક્ષો તો સ્વીકાર્યા જ ન હોવાથી તેમાં આવતા દોષો સાદ્વાદીને ન લાગે અને છેલ્લો પક્ષ તો સ્યાદ્વાદીને ઇષ્ટ જ છે. (તા: ૫ : ભાવાર્થાનુસારેગ સુમિત્વત્ ર વિવૃતાઃ I) હવે છેલ્લા પક્ષમાં કોઈ દોષ નથી, એવું જણાવવા ગ્રંથકારશ્રી તર્કબદ્ધ વાતો રજૂ કરે છે – आह-नन्वत्रापि 'येनाकारेण भेदस्तेन भेद एव,' इत्यादि दूषणमुक्तम्। उक्तमिदम्, अयुक्तं तूक्तम्, अधिकृतविकल्पस्यार्थापरिज्ञानात्, अन्योन्यव्याप्तिभावेन भेदाभेदपक्षस्य जात्यन्तरात्मकत्वात् केवलभेदाभेदानुपपत्तेः । न हि 'अन्योन्याननुविद्धावेतौ' इति जैनमतम्, अभेदाननुविद्धस्य केवलभेदस्यासिद्धेः, भेदाननुविद्धस्य चाभेदस्यासिद्धेः । अतः- येनाकारेण भेदस्तेन भेद एव' इत्यर्थशून्यमेव ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ અહીં પણ “જે આકારે ભેદ, તે આકારે ભેદ જ' – ઇત્યાદિ દૂષણ કહ્યું જ છે. ઉત્તરપક્ષ ઃ કહ્યું પણ અયુક્ત કહ્યું, કારણ કે અધિકૃત વિકલ્પના અર્થનું તમને જ્ઞાન નથી, પરસ્પર વ્યાપ્તિભાવ હોવાથી ભેદભેદપક્ષ જાત્યંતરરૂપ હોઈ કેવળ ભેદ-અભેદ અનુપપન્ન છે. બંને પરસ્પર For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः અનનુવિદ્ધ છે એવો જૈનમત નથી, કારણ કે અભેદ-અનનુવિદ્ધ કેવળ ભેદ કે ભેદ-અનનુવિદ્ધ કેવળ અભેદ સિદ્ધ નથી. એટલે જે આકારે ભેદ, તે આકારે ભેદ જ એ કથન અર્થશૂન્ય જ થાય. વિવેચનઃ પૂર્વપક્ષઃ તમે ત્રીજો વિકલ્પ; ધર્મ-ધર્મીનો ભેદભેદરૂપ વિકલ્પ માનો છો, પરંતુ એ વિકલ્પમાં પણ પૂર્વે અમે દોષો કહ્યા જ હતાં કે – “જે આકારે ભેદ હોય, તે આકારે તો ભેદ જ હોવાનો, અભેદ શી રીતે ? અને જે આકારે અભેદ હોય, તે આકારે તો અભેદ જ હોવાનો, ભેદ શી રીતે ?...” ઉત્તરપક્ષ તમે કહ્યું હતું એ વાત એકદમ સાચી, પણ તમે બધું તર્ક-અસંબદ્ધ કહ્યું હતું, કારણ કે ભેદાભેદરૂપ ત્રીજા વિકલ્પનો વાસ્તવિક અર્થ શું? એ જ તમને હજી ખ્યાલ નથી. પહેલા એનો અર્થ સમજો અમે ભેદભેદ એ એક સ્વતંત્ર જાતિ માનીએ છીએ, જેમાં અન્યોન્યથી અનનુવિદ્ધ કેવળ ભેદ અને કેવળ અભેદ નથી હોતા, પણ અન્યોન્યવ્યાપ્ત એવો ભેદભેદ એક જ હોય છે. તેનું કારણ એ કે, અભેદથી રહિત કેવળ ભેદ સિદ્ધ નથી. (લાલ રંગ અને ઘડો બંને એકાંતે જુદા કદી દેખાતા ન હોવાથી તેઓનો એકાંતભેદ ન મનાય) અને ભેદથી રહિત કેવળ અભેદ પણ સિદ્ધ નથી. (લાલ રંગ અને ઘડો સર્વથા અભિન્ન ન મનાય, નહીંતર તો તેમનું જુદું જુદું જ્ઞાન અને જુદા જુદા શબ્દપ્રયોગો ન જ થઈ શકે.) એટલે ‘ભેદ-અભેદ બંને પરસ્પર અનનુવિદ્ધ છે' એવો જૈનમત નથી જ અને તો “જે આકારે ભેદ, તે આકારે ભેદ જ ઇત્યાદિ કથન અર્થશૂન્ય જ થવાનું. (કારણ કે એકાંત ભેદ-અભેદ અમે માનતા જ નથી કે જેને લઈને તમારી તે યુક્તિઓ યથાર્થ ફલિત થાય.) એટલે ઘટાદિ ધર્મ અને સત્ત્વાદિ ધર્મો વચ્ચે ભેદભેદ છે અને એ ભેદભેદરૂપ વિકલ્પમાં પૂર્વોક્ત એક પણ દોષોનો અવકાશ નથી, એવું ફલિત થયું. ____ अथ 'धर्मधर्मिणोर्भेदाभेदः' इति कोऽर्थः ? कथञ्चिद्भेदः कथञ्चिदभेदः, इति । तत्र धर्माणां मिथो भेदात् प्रतिनियतधाश्रितत्वाच्च कथञ्चिभेदः । तथाहि-न धर्माणां धर्मिणा सर्वथैकत्वे धर्मतयापि भेदो युज्यते, इति प्रतीतमेतत् । तथा धर्माणामेवाभ्यन्तरीकृतधर्मिस्वरूपत्वाद्धर्मिणोऽपि चाभ्यन्तरीकृतधर्मस्वरूपत्वाच्च कथञ्चिदभेदः, इति । न चात्यन्तभेदे धर्मधर्मिकल्पना युज्यते, अतिप्रसङ्गात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પ્રશ્ન : ધર્મ-ધર્મના ભેદભેદનો અર્થ શું? ઉત્તર કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ.. ત્યાં (ક) ધર્મોનો પરસ્પર ભેદ હોવાથી અને તેઓ પ્રતિનિયત ધર્મીને આશ્રિત હોવાથી કથંચિત્ ભેદ છે. તે આમ - ધર્મો, ધર્મીની સાથે સર્વથા એક-અભિન હોય, તો ધર્મરૂપે પણ તેઓનો ભેદ ન ઘટે પણ એ ભેદ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः તો પ્રતીત છે. તથા (ખ) ધર્મમાં જ ધર્મસ્વરૂપ ગૌણરૂપે છે અને ધર્મમાં પણ ધર્મસ્વરૂપ ગૌણરૂપે છે. તેથી કથંચિત્ અભેદ છે. અને અત્યંતભેદમાં ધર્મ-ધર્મીની કલ્પના ન ઘટે, કારણ કે અતિપ્રસંગ છે. જ ભેદભેદની આવશ્યક્તા , વિવેચન : પ્રશ્ન : ધર્મ-ધર્મીનો ભેદભેદ એટલે શું? ઉત્તર : ભેદભેદ એટલે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ (એટલે પાર્થિવવાદિ ધર્મોનો અને ઘટરૂપ ધર્માનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે.) આ બંને આપણે જોઈએ (૧) કથંચિત્ ભેદઃ પાર્થિવત્વ, સત્ત્વ, દ્રવ્યત્વ વગેરે ધર્મો પરસ્પર ભિન્ન-ભિન્ન છે, એટલે ધર્મો અનેક છે, જ્યારે ધર્મી તો એક છે. એટલે એક ધર્મી, અનેક ધર્મોથી અભિન્ન ન થઈ શકે અને તો ધર્મ-ધર્મીનો કથંચિત્ ભેદ ફલિત થાય. વળી ધર્મો જુદા જુદા છે; અને એક જ ધર્મીમાં રહ્યા છે, એટલે ધર્મ-ધર્મીનો ભેદ સિદ્ધ થાય. તે આ પ્રમાણે – જો ધર્મો સર્વથા ધર્મરૂપ જ હોય, તો તેઓનું સ્વતંત્ર ધર્મસ્વરૂપ ન રહેવાથી, ધર્મરૂપે તેઓનો ભેદ જ નહીં રહે. (દા.ત. પાર્થિવત્વ ઘટથી અભિન્ન હોય તો તે ઘટ જ બની જાય અને તો ઘટમાં પાર્થિવત્વ એવું નહીં બોલાય, પણ ઘટમાં ઘટ એવું બોલાશે ! જે પ્રતીતિસિદ્ધ નથી.) (વળી ધર્મો ધર્મરૂપ જ હોય, તો ઘટના મૃત્મયત્વ, રક્તત્વ વગેરે તદ્દન વિલક્ષણ ધર્મો જ નહીં ઘટે, કારણ કે તે બધા જ, એક ધર્મીથી અભિન્ન હોવાથી વિલક્ષણ ન હોઈ શકે.) એ બધા તર્કોથી સિદ્ધ થાય છે કે, ધર્મ-ધર્મીનો કથંચિત્ ભેદ છે જ. (૨) કથંચિત્ અભેદ : ધર્મો અને ધર્મી પરસ્પર વ્યાપ્ત* (અનુવિદ્ધ) હોવાથી ધર્મો પણ ગૌણરૂપે ધર્મારૂપ છે. અને ધર્મી પણ ગૌણરૂપે ધર્મરૂપ છે – આમ ગૌણરૂપે બંને પરસ્પર એકબીજારૂપ હોવાથી, તેઓનો કથંચિત્ અભેદ પણ છે જ. જો ધર્મ-ધર્મી એકાંતે જુદા હોય, એવું માનો, તો પ્રતિનિયત ધર્મ-ધર્મભાવની વ્યવસ્થા જ ઉપપન્ન નહીં થાય, કારણ કે તેવું માનવામાં અતિપ્રસંગ એ આવે કે, મૃન્મયત્વ ધર્મ, જેમ પોતાનાથી અત્યંત ભિન્ન ઘટમાં રહે છે, તેમ પોતાનાથી અત્યંત ભિન્ન પટમાં પણ કેમ ન રહે ? અત્યંત ભિન્નપણું તો બંનેમાં સમાન છે. એટલે માનવું જ રહ્યું કે, એ ધર્મનો ઘટની સાથે કથંચિત્ અભેદ છે. આમ, ધર્મ-ધર્મીનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ એમ ભેદભેદ જ યથાર્થ અને નિબંધ જણાય છે એટલે તેવું (=ધર્મ-ધર્મીનો ભેદભેદવિકલ્પ) માનવામાં કોઈ દોષ નથી. * ધર્મો બધા જુદા જુદા છે. પણ એક ધર્મી એ બધામાં વ્યાપ્ત છે, એ રીતે ધર્મોનો પરસ્પર અનુવેધ પણ છે, અર્થાત્ અભેદ પણ છે અને તેથી જ ધર્મ-ધર્મીનો અભેદ પણ નક્કી થાય, કારણ કે એક ધર્મિવેન જ તેમનો અભેદ છે. આમ ધર્મ-ધર્મી પરસ્પર વ્યાપ્ત (અનુવિદ્ધ) થાય. - - - - For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ४६ अनेकान्तवादप्रवेशः स्यादेतद्-उत्प्रेक्षितेयं धर्मधर्मिकल्पना, न तत्त्वतः; इति । एतदप्ययुक्तम्, दृष्टविरोधात् । न च दृष्टेऽनुपपन्नं नाम, अनुवृत्तव्यावृत्तस्वभावं च वस्त्वध्यक्षतोऽवसीयते । न चाऽऽविद्वदङ्गनादिप्रतीतानुभवापलापः शक्यते कर्तुम् । अनुभवश्च पुरोऽवस्थिते घटादौ तदतद्रूप एवोपजायते; अन्यथा तदभावप्रसङ्गात् ।। –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ કદાચ કોઈ આવો પ્રશ્ન કરે કે - ધર્મ-ધર્મીની કલ્પના સમુભેક્ષિત-કલ્પિત છે, પરમાર્થથી નથી - તો એ પણ યુક્ત નથી, કારણ કે તેમાં દષ્ટનો વિરોધ છે અને દષ્ટમાં કોઈ અસંગતિ ન હોય અને અનુવૃત્ત- વ્યાવૃત્તસ્વભાવવાળી વસ્તુ તો પ્રત્યક્ષથી દેખાય છે અને આવિદ્વ-અંગના બધાને પ્રતીત અનુભવનો અપલાપ ન કરી શકાય. અને સામે રહેલ ઘટાદિ વિશે અનુભવ તો તરૂપ અને અતરૂપ જ થાય છે, અન્યથા વસ્તુના અભાવનો પ્રસંગ આવે. & ધર્મ-ધર્મભાવની ઉભેક્ષિતતાનો નિરાસ છે વિવેચન : પૂર્વપક્ષઃ ઘટાદિ ધર્મી અને સત્ત્વાદિ ધર્મો - એવી જે ધર્મ-ધર્મભાવની કલ્પના કરાય છે, તે માત્ર ઉન્મેલારૂપ છે, પરમાર્થથી ધર્મ-ધર્માભાવ હોતો જ નથી; કેમ કે તમામ વસ્તુઓ નિરંશ એકસ્વભાવી હોય છે, એટલે ધર્મીમાં જુદા જુદા અનેક ધર્મોનો અનુવેધ થઈ શકે નહીં. વળી ઘટાદિમાં, પૂર્વાપર ક્ષણોમાં મૃન્મયત્વેન અનુગત હોવાથી અનુગતત્વ ધર્મ અને પટાદિથી વ્યાવૃત્ત હોવાથી વ્યાવૃત્તત્વ ધર્મ હોય છે, એવું તમે માનો છો. પણ ઘટ તો ક્ષણિક હોવાથી તેનો પૂર્વાપર-અનુગતભાવ હોતો જ નથી અને બીજાથી વ્યાવૃત્તિ તો અપહરૂપ (=પટાપોહાદિરૂપ-તુચ્છ અભાવરૂપ) હોઈ એ વ્યાવૃત્તભાવ પણ હોતો જ નથી. એટલે ફલિત થાય કે ઘટમાં અનુગતત્વ-વ્યાવૃત્તત્વની કલ્પના; એમ જ ધર્મ-ધર્મીની કલ્પના માત્ર ઉન્મેલા રૂપ છે, પરમાર્થથી નહીં. ઉત્તરપક્ષઃ તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે તેમાં અનુભવનો વિરોધ થાય છે અને અનુભવમાં અસંગતિનું ઉદ્દભાવન કરી શકાય નહીં. જુઓ; મૃન્મયત્વેન પૂર્વાપર ક્ષણોમાં અનુગતરૂપે અને પટાદિથી વ્યાવૃત્તરૂપે; એમ અનુગતવ્યાવૃત્તરૂપે જ ઘટાદિ વસ્તુઓ પ્રત્યક્ષથી જણાય છે, એવું વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને અનુભવસિદ્ધ છે, તો આવા અનુભવસિદ્ધ સ્વરૂપનો અપલાપ કેમ કરી શકાય? (એટલે ઘટરૂપ ધર્મ અને મૃત્મયત આદિ ધર્મો એમ ધર્મ-ધર્મીની કલ્પના ઉભેક્ષારૂપ નહીં, પણ પરમાર્થથી છે, એવું અનુભવના આધારે વ્યવસ્થાપિત થાય છે.) અને સામે રહેલ ઘટાદિ વસ્તુઓ વિશે અનુભવ તો તદતરૂપ જ થાય છે, અર્થાત્ અનુવૃત્તવ્યાવૃત્ત આકારરૂપે (ઘટ છે, પટ નથી એ રૂપે) જ થાય છે, જો એવું ન માનો, તો વસ્તુના અભાવનો પ્રસંગ આવે. (કેમ કે વાસ્તવિક સ્વરૂપનો તમે અનુભવ નથી માનતા અને તે સિવાય તેમાં કોઈ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ૪૭ બીજું સ્વરૂપ જ નથી કે જેનો અનુભવ થઈ શકે... ફલતઃ અનુવૃત્ત-વ્યાવૃત્તસ્વરૂપી ઘટનો અનુભવ જ નહીં થાય અને અનુભવ વિના તો તેનું સ્વરૂપ જ ઉપપન્ન ન થાય. એટલે ઘટના અભાવનો પ્રસંગ આવે જ.) स्यादेतद्-एकस्वभाव एवासावनुभवो घटप्रतिच्छायतयोपजायमानः पटादि प्रतिभासव्यवच्छेदेन ख्याप्यते । न पुनरस्य भावतो वे रूपे । तथा चोक्तम्-‘एकोपलम्भानुभवाद् રૂટું નોપન' રૂતિ યુદ્ધ ‘૩પત્ન” વા' રૂત્તિ વન્દિતાયા: સમુમઃ ' ! एतदप्ययुक्तम्-विहितोत्तरत्वात्, 'तत्स्वरूपसत्त्वमेव पररूपासत्त्वम्' इति निर्लोठितम् ।। पूर्वमुद्रिते ‘घटादि' इत्यशुद्धपाठः, अत्र B-प्रतपाठः । *પૂર્વમુદ્રિતે ‘પમે' ત્યશુદ્ધપાઠ, ગx D-C-પ્રતિપd: + પૂર્વમુદ્રિતે ‘સમુર્મવત્તિ' ડ્રાશુદ્ધપા., મત્ર B.C.D-uતપાd: –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ એક સ્વભાવી જ અનુભવ ઘટપ્રતિબિંબરૂપે ઉત્પન્ન થયેલો પટાદિ પ્રતિભાસના વ્યવચ્છેદરૂપે કહેવાય છે, પણ પરમાર્થથી તેના બે રૂપ નથી અને તેવું કહ્યું છે કે – “એક ઉપલંભવાળા અનુભવથી (૧) મને આ દેખાય છે, અથવા (૨) આ નથી દેખાતું, એમ કલ્પિત બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે.” ઉત્તરપક્ષ આ પણ અયુક્ત છે, કારણ કે તેનો ઉત્તર પૂર્વે જ કહેવાઈ ગયો, “સ્વરૂપસત્ત્વ જ પરરૂપઅસત્ત્વ છે એનું પૂર્વે જ નિરાકરણ થઈ ગયું. વિવેચનઃ પૂર્વપક્ષ ઘટનો અનુભવ એકરૂપ જ છે, તેમાં તરૂપ-અતરૂપ જુદા જુદા જણાય એવું નથી. પરમાર્થથી તે અનુભવમાં ઘટાકારે જણાતો ઉપલંભ જ પટપ્રતિભાસના વ્યવચ્છેદરૂપે; અર્થાત્ “આ પ્રતિભાસ પટનો નથી' એ રૂપે કહેવાય છે. એટલે અનુભવમાં જણાતો પટ-અનુપલંભ જુદો નથી, પણ ઘટ-ઉપલંભરૂપ જ છે અને તેથી અનુભવમાં “ઘટોપલંભ-પટાનુપલંભ' એવા બે જુદા જુદા આકારો નથી. ફલતઃ અનુભવ એકસ્વભાવી જ સિદ્ધ થાય.* આ વિશે કહ્યું છે કે – “ઘટાદિનો સાક્ષાત્કાર કરનાર અનુભવ એકસ્વરૂપી જ છે અને તેનાથી જ “આ પટાદિને હું સાક્ષાત્કાર કરતો નથી” અથવા “આ ઘટાદિને હું સાક્ષાત્કાર કરું છું' એવી વિકલ્પાત્મક બુદ્ધિ ઉત્પન્ન થાય છે.” સાર એ કે, અનુભવ તો ઘટોપલંભરૂપ જ છે, જુદા એવા પટાનુપલંભરૂપ નહીં... અને આવા અનુભવથી જુદા જુદા ઘટ-ઉપલંભક અને પટ-અનુપલંભક વિકલ્પો થાય છે. * બૌદ્ધ-પૂર્વપક્ષી, અનુભવને એકસ્વભાવી એટલા માટે સિદ્ધ કરે છે કે જેથી તે અનુભવના આધારે વ્યવસ્થા પામનારી વસ્તુ પણ એકસ્વભાવી સિદ્ધ થાય, એવો બૌદ્ધનો ગૂઢ આશય જણાય છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -or> એટલે વસ્તુ અનુવૃત્ત-વ્યાવૃત્ત એમ જુદા જુદા સ્વરૂપે અનુભવમાં જણાય છે એવું નથી. ઉત્તરપક્ષ : તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે તેનો જવાબ અમે આપી જ દીધો છે. ‘વસ્તુનું સ્વદ્રવ્યાદિરૂપેનું સત્ત્વ જ પરદ્રવ્યાદિરૂપેનું અસત્ત્વ છે.’ એ વાતનું નિરાકરણ અમે પૂર્વે જ કરી દીધું છે. ४८ તેના નિરાકરણથી ‘અનુભવનો ઘટોપતંભરૂપ આકાર જ પટાનુપલંભરૂપ છે’ – એ વાતનું પણ નિરાકરણ થઈ જાય છે. (જો ઉપલંભ જ અનુપલંભરૂપ માનો, તો ઉપલંભ જ ન રહે.) એટલે અનુભવના ‘ઘટોપલંભ’ ‘પટાનુપલંભ' એવા આકારો પણ જુદા જુદા જ માનવા રહ્યા અને તો તે અનુભવના આધારે અનુવૃત્ત-વ્યાવૃત્ત ઉભયસ્વરૂપી વસ્તુ પણ સિદ્ધ થઈ જ. (આ પ્રમાણે બૌદ્ધની સાથે ચર્ચા થઈ, આ પ્રસંગને લઈને ગ્રંથકારશ્રી જણાવે છે કે, એકાંત પર્યાયાસ્તિકનયવાદી-બૌદ્ધમતે તો ‘કલ્પના-વિકલ્પજ્ઞાન’ પણ સંગત થતું નથી. કેમ સંગત થતું નથી, તે માટે ગ્રંથકારશ્રી હવે તર્કબદ્ધ વક્તવ્ય રજૂ કરે છે –) * किञ्च-एकान्तपर्यायनयमतानुसारिपक्षे कल्पनाऽयोगात्; तथाहि सा वस्तुनि समुत्पन्ने वा स्याद् ? अनुत्पन्ने वा ? न तावदनुत्पन्ने, तस्यैवासत्त्वात्; उत्पन्नेऽपि च गृहीते वा स्याद् ? अगृहीते वा ? न तावदगृहीते, अतिप्रसङ्गात्; गृहीतेऽपि च तद्ग्राहकज्ञानस्याविकल्पकत्वात्, विकल्पज्ञानस्य चातद्विषयत्वात्, तद्भावकाले च तदसत्त्वात् । तत्रैव ત્વના, કૃતિ શ્વેત્ ? ન, વિલ્પાનુષપત્તે:; તથાહિ-તત્રાળુત્પન્ને વા સ્વામ્ ? અનુત્પન્ને વા ? નાનુત્પન્ને, સત્ત્તાત્; નાવ્યુત્પન્ન, ઉત્પત્ત્વનન્તરાપશિત્વાત્ । મૈં પ્રવેશરશ્મિ ભાવાર્થ : વળી એકાંત પર્યાયનયના મતાનુસારિપક્ષે કલ્પના ઘટતી નથી. તે આ પ્રમાણે - કલ્પના ઉત્પન્ન વસ્તુ વિશે થાય ? કે અનુત્પન્ન વસ્તુ વિશે ? અનુત્પન્ન વિશે તો ન થાય, કારણ કે તે વસ્તુનું જ અસણું છે. ઉત્પન્નમાં પણ ગૃહીત વસ્તુ વિશે થાય ? કે અગૃહીત વસ્તુ વિશે ? અતિપ્રસંગને કારણે અગૃહીત વિશે તો ન મનાય. ગૃહીતમાં પણ વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાન તો અવિકલ્પરૂપ હોય (કલ્પનારૂપ નહીં.) અને કલ્પનાજ્ઞાન તો તેને વિષય જ નથી કરતું અને કલ્પના વખતે તો તે વસ્તુનું સત્ત્વ જ હોતું નથી. તે જ્ઞાન વિશે જ કલ્પના થાય એવું પણ ન કહેવાય, કારણ કે તેમાં વિકલ્પોની ઉપત્તિ થતી નથી. તે આ પ્રમાણે - ત્યાં પણ ઉત્પન્ન વિશે થાય ? કે અનુત્પન્ન વિશે ? અનુત્પન્ન તો અસત્ હોવાથી તે વિશે ન થઈ શકે અને ઉત્પન્ન તો ઉત્પત્તિ પછી તરત નષ્ટ થતું હોવાથી તે વિશે પણ ન થઈ શકે. એકાંત પર્યાયનયમતે કલ્પનાની અસંગતિ વિવેચન : એકાંત પર્યાયનયવાદીઓ વસ્તુને ક્ષણસ્થિતિક માને છે, તેઓના મતે અતીતઅનાગત ક્ષણ અસત્ મનાય છે. તો આ લોકોના મતે ‘કલ્પના-વિકલ્પજ્ઞાન' સંગત થઈ શકે નહીં. તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ક તે કલ્પના, કેવી વસ્તુ વિશે થાય? (૧) ઉત્પન્ન, કે (૨) અનુત્પન્ન ? (૨) અનુત્પન્ન વસ્તુ વિશે થાય એવું તો ન કહી શકાય, કારણ કે અનુત્પન્ન વસ્તુનું તો અસ્તિત્વ જ ન હોવાથી તે વિશે કલ્પના થઈ શકે નહીં. (શું અનુત્પન્ન – અસત્ ખપુષ્પની કલ્પના થાય છે? જો ના, તો અહીં પણ ના જ સમજવી.) (૧) ઉત્પન્ન વસ્તુ વિશે કલ્પના થાય એવું કહો, તો અહીં પણ વિકલ્પો ઊભા થશે કે, ઉત્પન્ન વસ્તુ પણ કેવી હોવી જોઈએ? (ક) ગૃહીત, કે (ખ) અગૃહીત ? (ખ) અગૃહીત વિશે કલ્પના થાય એવું તો ન કહી શકાય, નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે ઘટજ્ઞાનથી જેમ અગૃહીત ઘટની કલ્પના થાય છે, તેમ અગૃહીત પટાદિની પણ કલ્પના થવા લાગે ! (અને તો જગત આખાના વિકલ્પો એક સાથે થશે.) (ક) ગૃહીત વિશે પણ કલ્પના ન થઈ શકે, કારણ કે વસ્તુનું ગ્રહણ કરનાર જ્ઞાનને તો નિર્વિકલ્પ તરીકે મનાય છે.* અને કલ્પનાજ્ઞાન તો વસ્તુને વિષય જ કરતું નથી, કારણ કે કલ્પના વખતે તો વસ્તુનું અસ્તિત્વ જ નથી રહેતું. (તો કલ્પનાજ્ઞાન તેને શી રીતે વિષય કરે ? એટલે વસ્તુ અગૃહીત જેવી જ થઈ અને તો બધાના વિકલ્પનો પ્રસંગ આવે.) એટલે આ પક્ષ પણ યોગ્ય નથી જ. પૂર્વપક્ષ : ઊભા રહો... બાહ્ય અર્થ વિશે તો કલ્પના થતી જ નથી, કલ્પના તો જ્ઞાન વિશે જ થાય છે. ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી, કારણ કે અહીં પણ વિકલ્પોની સંગતિ થતી નથી. જુઓ; કલ્પના કેવા જ્ઞાન વિશે થાય છે ? (૧) ઉત્પન્ન, કે (૨) અનુત્પન્ન ? (૨) અનુત્પન્ન વિશે તો ન માની શકાય, કારણ કે અનુત્પન્ન જ્ઞાનનું તો અસ્તિત્વ જ નથી કે જેથી તેના વિશે કલ્પના થઈ શકે. (૧) હવે ઉત્પન્ન વિશે કહો, તો તે પણ બરાબર નથી, કારણ કે એ પૂર્વેક્ષણોમાં ઉત્પન્ન થનારું જ્ઞાન તો ક્ષણસ્થિતિક હોવાથી, ઉત્પન્ન થયા પછી તરત નષ્ટ થાય છે. (એટલે કલ્પના વખતે * બૌદ્ધમતે માત્ર નિર્વિકલ્પ જ્ઞાન જ વસ્તુસ્પર્શી - વસ્તુગ્રાહક મનાય છે, સવિકલ્પ નહીં. (જો સવિકલ્પ પણ મનાય, તો સવિકલ્પમાં સામાન્યાદિ આકારો ભાસતા હોવાથી, તેના આધારે વસ્તુમાં પણ સામાન્યાદિ આકારો વ્યવસ્થાપિત થાય, જે બૌદ્ધને ઈષ્ટ નથી.) બૌદ્ધમત પ્રમાણે પ્રથમક્ષણે વસ્તુ, બીજી ક્ષણે નિર્વિકલ્પ અનુભવ અને ત્રીજી ક્ષણે કલ્પનાજ્ઞાન... હવે દરેક વસ્તુઓ ક્ષણિક હોવાથી, કલ્પનાજ્ઞાન વખતે વસ્તુનું અસ્તિત્વ જ રહેતું નથી. તુ એક ક્ષણે બે જ્ઞાન ન જ હોય, એટલે એ ઉત્પન્ન થનારું જ્ઞાન, કલ્પનાજ્ઞાન વખતે નહીં; પણ તેની પૂર્વની ક્ષણો વખતે થાય એવું માનવું જ રહ્યું. અન્યથા અગ્રિમ હેતુ સંગત થાય નહીં. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ५० તો તેનું અસ્તિત્વ જ નથી રહેતું કે જેથી તેના વિશે કલ્પના કરી શકાય...) આમ એકે વિકલ્પો પ્રમાણે, અર્થ-જ્ઞાનવિષયક કલ્પના સંગત થતી નથી. * अनेकान्तवादप्रवेशः कल्पनारूपमेवोत्पद्यते, इति चेत् ? न तस्य हेत्वयोगात् । हेत्वयोगश्च स्वलक्षणादनुत्पत्तेः । स्वलक्षणानुभवाहितसंस्कारात् तज्जन्म, इति चेत् ? न, संस्कारस्यापि स्वलक्षणेतररूपानतिक्रमात् स्वलक्षणरूपत्वे स एव दोषः । सामान्यलक्षणरूपत्वे तु ततस्तदुदय एव कथम् ? इति वाच्यम् । -. પ્રવેશરશ્મિ નુ * : ભાવાર્થ : પૂર્વપક્ષ : કલ્પનારૂપ જ તે ઉત્પન્ન થાય છે. ઉત્તરપક્ષ : ના, કારણ કે તેનો કોઈ હેતુ ઘટતો નથી અને તે એટલા માટે કે સ્વલક્ષણથી તેની ઉત્પત્તિ થતી નથી. પૂર્વપક્ષ ઃ સ્વલક્ષણના અનુભવથી આહિત સંસ્કાર થકી તેનો જન્મ થાય. ઉત્તરપક્ષ : ના. કારણ કે તે સંસ્કાર પણ સ્વલક્ષણ કે સામાન્યરૂપતાનું ઉલ્લંઘન કરતો નથી. જો તે સ્વલક્ષણરૂપ હોય, તો તે જ દોષ રહેવાનો અને જો સામાન્યલક્ષણરૂપ હોય, તો તેનાથી તેનો ઉદય કેવી રીતે થાય ? એ તમે જ કહો. કલ્પનાના હેતુનો અયોગ વિવેચન : પૂર્વપક્ષ : જ્ઞાન તે કલ્પનારૂપે જ ઉત્પન્ન થાય છે. એટલે કલ્પનાજ્ઞાનની અસંગતિ નથી. (૫૨માર્થ : જૈને કહ્યું કે, કલ્પના કયા વિષયમાં ઉત્પન્ન થાય છે ? વસ્તુ-જ્ઞાન વગેરે વિકલ્પોમાં તો ખંડન કરી દીધું... તેથી બૌદ્ધ કહે છે કે, કોઈ વિષયમાં નહીં. એમ જ તે જ્ઞાન કલ્પનારૂપે ઉત્પન્ન થાય છે !) ઉત્તરપક્ષ : પણ એ કલ્પનારૂપ જ્ઞાનની ઉત્પત્તિ હેતુ વિના તો ન જ થઈ શકે. એટલે હેતુ તો જોઈશે જ, પણ હકીકતમાં તેનો કોઈ હેતુ ઘટતો નથી. જુઓ – સ્વલક્ષણને તો હેતુ તરીકે ન મનાય, કારણ કે સ્વલક્ષણથી તેની ઉત્પત્તિ નથી થતી. (સ્વલક્ષણથી નિર્વિકલ્પની જ ઉત્પત્તિ થાય, કલ્પનારૂપ સવિકલ્પની નહીં, એવું બૌદ્ધો કહે છે.) પૂર્વપક્ષ ઃ સ્વલક્ષણને વિષય કરનારા અનુભવથી, પોતાની જ્ઞાનપરંપરામાં ‘સંસ્કાર’નું આધાન થાય છે અને એ સંસ્કારથી જ કલ્પનાજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (આમ કલ્પનાજ્ઞાનનો સંસ્કારરૂપ હેતુ સંગત જ છે.) ઉત્તરપક્ષ ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે એ સંસ્કાર પણ હશે તો (૧) સ્વલક્ષણરૂપ, કે (૨) સામાન્યલક્ષણરૂપ જ, તે સિવાય ત્રીજું તો તેનું કોઈ રૂપ નહીં જ હોવાનું. (૧) હવે જો એ સ્વલક્ષણરૂપ હોય, તો ફરી એ જ દોષ આવે, અર્થાત્ સ્વલક્ષણથી તો કલ્પનાની ઉત્પત્તિ નથી થતી, તો સ્વલક્ષણરૂપ સંસ્કારથી પણ કલ્પનાની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? ઇત્યાદિ. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ गुर्जर विवेचनसमन्वितः (૨) હવે જો એ સામાન્ય લક્ષણરૂપ હોય, તો હકીકતમાં બૌદ્ધમતે તેનું અસ્તિત્વ જ નથી, કારણ કે કોઈપણ વસ્તુ સામાન્યલક્ષણરૂપ હોતી જ નથી એવું બૌદ્ધો કહે છે. * તો સામાન્યલક્ષણરૂપ તેવા અસત્ સંસ્કારથી શી રીતે કલ્પનાજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે ? એટલે આમ એકે વિકલ્પ પ્રમાણે કલ્પનાનો હેતુ સંગત થતો નથી અને તો એકાંત પર્યાયનયમતે કલ્પનાનું અસ્તિત્વ અસંગત જ રહે. * ५१ स्यादेतद्-नहि कल्पनाऽस्वलक्षणमेव, तस्या अपि स्वसंवित्तौ स्वलक्षणत्वात्; उक्तं ચ-‘લ્પનાવિ સ્વસંવિત્તાવિષ્ટા, નાર્થે, વિત્ત્વનાત્' તિા एतदप्ययुक्तम्, अर्थविकल्पनाऽऽकारव्यतिरेकेण तत्स्वसंवित्त्वसिद्धेः; सिद्धौ वा, कल्पनाऽयोगात् । - પ્રવેશરશ્મિ નુ ભાવાર્થ : પૂર્વપક્ષ : કલ્પના અસ્વલક્ષણરૂપ જ નથી, કારણ કે તે પણ સ્વસંવિત્તિમાં તો સ્વલક્ષણરૂપ છે અને કહ્યું છે કે, - ‘કલ્પના પણ સ્વસંવિત્તિમાં ઇષ્ટ છે. હા, અર્થમાં નહીં, કારણ કે તે વિકલ્પરૂપ છે.’ ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે, કારણ કે અર્થવિકલ્પાકાર વિના તેની સ્વસંવિત્તિ સિદ્ધ થાય નહીં અથવા જો સિદ્ધ થાય તો તે કલ્પના જ ન રહે. * વિવેચનઃ પૂર્વપક્ષ ઃ (બૌદ્ધમતે દરેક વસ્તુઓ સ્વલક્ષણરૂપ છે, એટલે કલ્પનાનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેને પણ સ્વલક્ષણરૂપ માનવી પડે... પણ એ સ્વલક્ષણરૂપ કેવી રીતે ? એ જણાવવા બૌદ્ધ પોતાનું મંતવ્ય રજૂ કરે છે –) કલ્પના માત્ર અસ્વલક્ષણરૂપ (સામાન્યાકારલક્ષણરૂપ) જ નથી, કારણ કે તે પણ સ્વસંવેદન અંશમાં તો (અભ્રાન્તરૂપ હોઈ) સ્વલક્ષણરૂપ જ છે... આ વિશે કહ્યું છે કે - ‘કલ્પના પણ સ્વસંવિત્તિમાં ઇષ્ટ છે, અર્થ વિશે નહીં, કારણ કે અર્થ વિશે વિકલ્પરૂપ હોઈ ભ્રાન્ત છે. (જ્યારે સ્વસંવેદન અંશમાં દરેક જ્ઞાનો અભ્રાન્ત હોય છે.)’ ઉત્તરપક્ષ ઃ તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે અર્થના વિકલ્પાકાર વિના તેની સ્વસંવિત્તિ સિદ્ધ થઈ શકે નહીં. (આશય એ કે, અર્થને જાણવું ‘આ ઘટ છે - આ પટ છે' એ પ્રમાણે જાણવું; એ જ જ્ઞાનનું પોતાનું સ્વરૂપ છે. હવે જો જ્ઞાનમાં અર્થનો વિકલ્પાકાર ન આવે, તો તે જ્ઞાન દ્વારા અર્થને જાણવારૂપ સ્વસ્વરૂપનું સંવેદન શી રીતે થઈ શકે ? એટલે અર્થવિકલ્પાકાર વિના સ્વસંવિત્તિની સિદ્ધિ ન જ થાય.) બૌદ્ધમતે નિરંશ સ્વલક્ષણરૂપ જ વસ્તુ છે. પ્રશ્ન : તે જ્ઞાનમાં અર્થવિકલ્પાકાર માની લઈએ તો ? ઉત્તર ઃ તો તે કલ્પનાજ્ઞાનનું અસ્તિત્વ જ ન રહે, કારણ કે તે જ્ઞાનમાં આવતો અર્થવિકલ્પાકાર, For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ५२ अनेकान्तवादप्रवेशः સામાન્યાકા૨રૂપ હોઈ અવસ્તુ-અસત્ છે અને તો તદાકારમય જ્ઞાન પણ અસત્ થાય. પ્રશ્ન ઃ (સિદ્ધૌ વા=) તો અર્થવિકલ્પાકાર વિના પણ, નિર્વિકલ્પની જેમ તેમાં (=કલ્પના જ્ઞાનમાં) સ્વસંવિત્તિની સિદ્ધિ માની લઈએ તો ? <0 ઉત્તર ઃ તો તો તે કલ્પના જ નહીં રહે, કારણ કે જેમાં અર્થવિકલ્પ ન હોય, તે જ્ઞાન વિકલ્પરૂપ= કલ્પનારૂપ શી રીતે કહેવાય ? તે તો માત્ર સ્વસંવેદનરૂપ હોઈ નિર્વિકલ્પ જ ફલિત થાય. આમ બૌદ્ધમતે કલ્પનાજ્ઞાનની સંગતિ કથમિપ થતી નથી. ૐ ‘દ્વિશેષઃ, અસિદ્ધે:' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ, અત્ર -પાઠ: | - પ્રવેશરશ્મિ : अतीतकालानुभूतसंस्कारस्तथापरिपच्यमानः स्वलक्षणानुभवजनितसंस्कारोपपादितविशेषो हेतु:, इति चेत् ? न तस्य स्वलक्षणानुभवजनितसंस्काराद्विशेषासिद्धेः । असिद्धिश्च तत्त्वतस्ततोऽनुपकारात्; तथाहि स तस्य विकल्पाहितसंस्कारविशेषस्यानुत्पन्नस्योत्पन्नस्य निरुद्धस्य वोपकुर्याद् ? इति भेदाः । For Personal & Private Use Only ભાવાર્થ : સ્વલક્ષણના અનુભવથી જન્ય સંસ્કાર થકી જેમાં વિશેષ ઉત્પન્ન કરાયો છે એવો ભૂતકાળમાં અનુભવેલા વિકલ્પથી થયેલો પરિપક્વ સંસ્કાર કલ્પનાનો હેતુ થાય, એમ કહો તો તે પણ બરાબર નથી, કારણ કે સ્વલક્ષણના અનુભવથી જન્ય સંસ્કાર થકી તેમાં વિશેષની સિદ્ધિ થઈ શકતી નથી, તેનું કારણ એ કે પરમાર્થથી તેના દ્વારા કોઈ ઉપકાર થતો નથી. જુઓ; તે સંસ્કાર, અતીતકાલીન વિકલ્પજનિત કેવા સંસ્કાર વિશેષ ઉપર ઉપકાર કરે ? (૧) અનુત્પન્ન, (૨) ઉત્પન્ન, કે (૩) નિરુદ્ધ ? સંસ્કારની હેતુતાનો વિકલ્પશઃ નિરાસ વિવેચન : પૂર્વપક્ષ : ભૂતકાળમાં અનુભવેલા વિકલ્પથી થયેલો સંસ્કાર, જ્યારે પરિપક્વ અવસ્થા પામે અને જ્યારે વર્તમાનકાલીન સ્વલક્ષણના અનુભવથી થયેલા સંસ્કાર થકી તેમાં વિશેષતાનું આધાન થાય, ત્યારે તે (=ભૂતકાલીન સંસ્કાર) વિકલ્પજ્ઞાનનું કારણ બને છે. (આશય એ કે, ભૂતકાળમાં ઘટના* અનુભવથી જ્ઞાનપરંપરામાં સંસ્કારનું આધાન થયું હતું. હવે હમણાં ઘટરૂપ સ્વલક્ષણના અનુભવથી જન્ય સંસ્કાર, તે પૂર્વકાલીન સંસ્કારમાં વિશેષનું આધાન કરે છે અને એટલે પૂર્વકાલીન સંસ્કાર પરિપક્વ અવસ્થાને પામતા તેના દ્વારા ઘટવિકલ્પ ઉત્પન્ન થાય છે.) આમ કલ્પનાજ્ઞાનનો (ભૂતકાલીન સંસ્કારરૂપ) હેતુ સંગત જ છે. * ભૂતકાલીન અનુભવ એટલે સંકેતકાલીન અનુભવ, ‘ટોય’ એમ કોઈએ ઘટ બતાવ્યો, ત્યારનું જે નિર્વિકલ્પવિકલ્પ સંવેદન તે Page #84 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः – ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે વર્તમાનકાલીન સ્વલક્ષણના અનુભવથી થયેલા સંસ્કાર દ્વારા, ભૂતકાલીન સંસ્કારમાં વિશેષનું આધાન થાય એવું સિદ્ધ થતું નથી. તેનું (=સિદ્ધ ન થવાનું) કારણ એ કે, ૫૨માર્થથી વર્તમાનકાલીન સંસ્કાર દ્વારા ભૂતકાલીન સંસ્કાર પર ઉપકાર થતો નથી. જુઓ – ५३ વર્તમાનકાલીન સંસ્કાર, ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા વિકલ્પથી આહિત (=જ્ઞાનપરંપરામાં આધાન પામેલા) કેવા સંસ્કાર પર ઉપકાર કરે ? (અર્થાત્ વર્તમાનકાલીન સંસ્કાર જેના પર ઉપકાર કરે છે, તે ભૂતકાલીન સંસ્કાર કેવો છે ?) (૧) અનુત્પન્ન, (૨) ઉત્પન્ન, કે (૩) નિરુદ્ધ ? આ ત્રણેમાંથી એકે વિકલ્પો ઘટતા નથી. તે આ પ્રમાણે – X न तावदनुत्पन्नस्य, तस्यैवासत्त्वाद्, असतश्चोपकाराकरणात्; नाप्युत्पन्नस्य, तस्यानाधेयातिशयत्वात्, अतिशयाधानमन्तरेण चोपकाराभावाद्, अतिशयाधाने च तदन्यत्वप्रसङ्गात् । द्वाभ्यामप्येकीभूय तदन्यकरणमेवातिशयाधानं, स एवोपकारः, इति चेत् ? न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः । न चैककालभाविनाऽन्यतो भवतोऽन्यत एव भवतातिशयाधानं युज्यते, तन्निबन्धनस्य तत्कृतविशेषासिद्धेः, तदभ्युपगमे च तत्राप्ययमेव वृत्तान्तः, इति यत्किञ्चिदेतत् एवं निबन्धनपरम्परायामपि वाच्यम्, इति । नापि निरुद्धस्य, तस्यैवाविद्यमानत्वात्, असतश्चोपकारकरणायोगाद् अभ्युपगमे चातिप्रसङ्गात् । अतः साधुत्वं 'हेत्वयोगात्' इति । क्षणिकैकान्तपक्षे च फलभावानुपपत्तेः, इति एतच्च वक्ष्यामः ।। 1 • પ્રવેશરશ્મિ : ભાવાર્થ : (૧) અનુત્પન્ન પર તો ઉપકાર ન મનાય, કારણ કે તે પોતે જ અસત્ છે અને અસત્ પર ઉપકાર કરી શકાય નહીં. (૨) ઉત્પન્ન પર પણ ઉપકાર ન મનાય, કારણ કે તેમાં અતિશયનું આધાન થઈ શકતું નથી અને અતિશયના આધાન વિના ઉપકાર ન થાય અને અતિશયનું આધાન માનો, તો તે અતિશય અથવા વસ્તુને જુદા માનવાનો પ્રસંગ આવે. પૂર્વપક્ષ ઃ બંને દ્વારા ભેગા મળીને અન્યને કરવું એ જ અતિશયનું આધાન છે, તે જ ઉપકાર છે. ઉત્તરપક્ષ ઃ તેવું નથી, કારણ કે ઉપાદાન કારણમાં વિશેષના આધાન વિના તેમનાથી કાર્યવિશેષનું થવું સિદ્ધ નથી. વળી, બીજા ( અન્વતો ભવત: ) હેતુથી થનારામાં, (જાતમાવિના) એકકાલીન પણ (અન્વત વ મવતા) બીજા હેતુથી થનારા વડે અતિશયનું આધાન થઈ શકતું નથી, કારણ કે તેના કારણમાં બીજાના કારણ દ્વારા વિશેષ થવો સિદ્ધ નથી અને જો થાય એમ કહો, તો ત્યાં પણ ફરી આ જ વૃત્તાન્ત લાગુ પડે, એ રીતે તો સંપૂર્ણ કારણ પરંપરામાં પણ (અતિશયનું આધાન) કહેવું પડે. એટલે આ વાત અસાર જણાય છે. (૩) નિરુદ્ધ (નષ્ટ) પર પણ ઉપકાર ન મનાય, કારણ કે તે જ વિદ્યમાન નથી અને અસત્ પર ઉપકાર કરી શકાય નહીં અને માનો તો અતિપ્રસંગ આવે. એટલે ‘હેતુ ઘટે નહીં’ એ કથન બરાબર જ છે અને ક્ષણિક એકાંતમતે ફળભાવ પણ ઘટતો નથી, એ અમે આગળ કહીશું. જ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः ત્રણ વિકલ્પની સચોટ સમીક્ષા વિવેચનઃ (૧) વર્તમાનકાલીન સંસ્કાર અનુત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે એવું તો ન કહી શકાય, કારણ કે અનુત્પન્ન સંસ્કાર તો અવિદ્યમાન હોઈ અસત્ છે અને અસત્ પર ઉપકાર કરી શકાય નહીં, નહીંતર તો ખપુષ્પ પર પણ ઉપકાર માનવો પડે ! (૨) વર્તમાનકાલીન સંસ્કાર ઉત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે એવું પણ ન કહેવાય, કારણ કે ઉત્પન્ન સંસ્કાર તો પૂર્ણપણે ઉત્પન્ન થઈ ગયો હોવાથી તેમાં કોઈ નવા અતિશયનું આધાન થઈ શકે નહીં અને અતિશયના આધાન વિના તો “વર્તમાનકાલીન સંસ્કાર ઉત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે છે એવું પણ ન મનાય... (અર્થાત્ અતિશયનું આધાન ન થવાથી એ સંસ્કારમાં ઉપકાર થવાનું પણ અસિદ્ધ થાય છે.) અને જો અતિશયનું આધાન માનો, તો તે અતિશય ઉત્પન્ન સંસ્કારથી અથવા તે ઉત્પન્ન સંસ્કાર અતિશયથી જુદા માનવાનો પ્રસંગ આવે ! (અને બે જુદા હોય, તો સંસ્કારમાં કોઈ વિશેષતા ન થઈ શકે.) પૂર્વપક્ષઃ ભૂતકાળના વિકલ્પથી થયેલો સંસ્કાર અને વર્તમાનકાળના અનુભવથી થયેલો સંસ્કાર તે બંને ભેગા મળીને, જુદા એવા ઘટવિકલ્પને ઉત્પન્ન કરે એ જ અતિશયનું આધાન છે અને એ જ એકમાં બીજા દ્વારા થનારો ઉપકાર છે. (આમ ઉપકાર્ય-ઉપકારકભાવ સંગત જ છે.) ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી, કારણ કે ઉપાદાન કારણમાં વિશેષના આધાન વિના તેમનાથી કાર્યવિશેષનું થવું સિદ્ધ નથી, અર્થાત્ ભેગા મળીને વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન કરવા, તે કારણોમાં પણ વિશિષ્ટ સામર્થ્ય જોઈએ અને તેનું વિશિષ્ટ સામર્થ્ય તેમના (=સંસ્કારરૂપ કારણના) કારણોમાં પણ વૈશિસ્ત્ર માન્યા વિના ન આવી શકે. એટલે તેવું સામર્થ્ય ઘટાવવા તેમના કારણોમાં પણ પરસ્પર અતિશયનું આધાન (=ઉપકાર્યઉપકારકભાવ) માનવું પડે. પ્રશ્ન : તો તેવું માની લઈશું... અર્થાત્ તેમના કારણોમાં પણ, એક કારણ બીજા કારણમાં અતિશયનું આધાન કરે છે એવું માની લઈશું, પછી તો વાંધો નહીં ને ? ઉત્તર : પણ તેવું માનવું યોગ્ય ઠરતું નથી, કારણ કે બંને કારણો એક જ કાળે જુદા જુદા હેતુથી ઉત્પન્ન થાય છે. એટલે જુદા હેતુથી થનારા પ્રથમ કારણમાં, એકકાલીન એવા જુદા હેતુથી થનારા બીજા કારણ દ્વારા અતિશયનું આધાન થઈ શકતું નથી. તેનું કારણ એ જ કે, તે બંને કારણોના (સંસ્કારરૂપ કાર્યના કારણોના) કારણોમાં પણ, એક કારણમાં બીજા કારણ દ્વારા અતિશયનું આધાન થઈ શકતું નથી એટલે પહેલા તો આ કારણોમાં પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવ સાબિત કરવો પડે, તો જ તેમની કાર્યશૃંખલામાં પરસ્પર ઉપકાર્યઉપકારભાવ સિદ્ધ થાય.). For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः પ્રશ્નઃ (=dદ્રગુપ) એવું હોય તો એ પૂર્વના કારણોમાં પણ ઉપકાર્ય-ઉપકારકભાવ માની લઈશું. ઉત્તર : પણ તેવું માનવા, તે પૂર્વના કારણોના કારણોમાં પણ પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવ માનવો પડે અને પછી તેના પણ કારણોમાં ઉપકાર્ય-ઉપકારકભાવ માનવો પડે અને એ જ રીતે પૂર્વ પૂર્વના કારણોમાં પણ... આમ તો ક્યાંય અંત ન આવવાથી અનવસ્થા થશે ! એટલે તમારું કથન અસાર જણાઈ આવે છે. એટલે વર્તમાનકાલીન સંસ્કાર ઉત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે, અતિશયનું આધાર કરે - એવું કમિપિ સંગત નથી. (૩) વર્તમાનકાલીન સંસ્કાર નષ્ટ સંસ્કાર પર ઉપકાર કરે એવું પણ ન કહેવાય, કારણ કે તે સંસ્કાર જ અવિદ્યમાન હોઈ અસત્ છે અને અસત્ પર ઉપકાર કરવો શક્ય નથી, જો (અસત્ પર ઉપકાર) માનો, તો અતિપ્રસંગ એ આવે કે જેનો અનુભવ નથી થતો તેનો પણ વિકલ્પ થશે ! એટલે આમ ત્રણે વિકલ્પો દ્વારા, કલ્પનાના હેતુ તરીકે સંસ્કાર સિદ્ધ થતો નથી. નિષ્કર્ષ એટલે અમે જે કહ્યું હતું કે “એકાંત પર્યાયનયમને કોઈ હેતુ જ ઘટતો નથી તે બરાબર જ છે. વળી એકાંત પર્યાયનયમતે =ક્ષણિકમતે) તો માત્ર હેતુ ભાવ નહીં, પરંતુ ફળભાવ પણ ઘટતો નથી. કેમ નથી ઘટતો? એ અમે આગળ બતાવીશું. હવે એકાંતવાદીએ પૂર્વપક્ષમાં જે દોષો બતાવ્યા હતા, તેઓનું ક્રમશઃ નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે – ___ यच्चोक्तम्-'भेदाभेदमभ्युपगच्छताऽवश्यं चेदमङ्गीकर्त्तव्यम्-इह धर्मधर्मिणोधर्मधर्मितया भेदः, स्वभावतः पुनरभेदः' इत्यादि । एतदपि 'धर्माणां मिथो भेदात् प्रतिनियतधाश्रितत्वाच्च कथञ्चिद्भेदः' इत्यादिना प्रत्युक्तम्, प्रकारान्तरेण भेदाभेदासिद्धेः ।। यदप्युक्तम्, 'संविनिष्टाश्च विषयव्यवस्थितयः; न च सदसद्रूपं वस्तु संवेद्यते उभयरूपस्य संवेदनस्याभावाद्' इत्यादि । एतदपि अनुवृत्तव्यावृत्तस्वभावं च वस्त्वध्यक्षतोऽवसीयते' इत्यादिना परिहतम्, उभयरूपस्य संवेदनस्याबाधितत्वात् ।। ‘વિવા૨' રિ પૂર્વમુદ્રિતપ, મત્ર A-પાઈઃ | - પ્રવેશરશ્મિ - 8 પૂર્વપક્ષદત્ત દોષોનો પરિહાર છે ભાવાર્થ: તમે જે કહ્યું હતું કે - “ભેદભેદ માનનારે પણ આટલું તો અવશ્ય માનવું જોઈએ કે, અહીં For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः - > ધર્મ-ધર્મીનો ધર્મ-ધર્મરૂપે ભેદ છે, સ્વભાવથી વળી અભેદ છે.' તે પણ ધર્મોનો પરસ્પર ભેદ હોવાથી અને તેઓ પ્રતિનિયત ધર્મીને આશ્રિત હોવાથી કથંચિત્ ભેદ છે” ઇત્યાદિ કથનથી નિરાકૃત થાય છે, કારણ કે બીજી રીતે ભેદભેદ સિદ્ધ થાય નહીં. અને બીજું તમે જે કહ્યું હતું કે - “વિષયની વ્યવસ્થા સંવેદનને આધીન છે અને સદસરૂપ વસ્તુ સંવેદાતી નથી, કારણ કે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે' - તે વાત પણ “અનુવૃત્તવ્યાવૃત્ત સ્વભાવવાળી વસ્તુ પ્રત્યક્ષથી જણાય છે' ઇત્યાદિ કથનથી પરિહૃત થાય છે, કારણ કે ઉભયરૂપ સંવેદન અબાધિત છે. વિવેચનઃ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે- “ભેદભેદ માનનારે પણ આટલું તો અવશ્ય માનવું જ પડશે કે ધર્મ-ધર્મનો ધર્મ-ધર્મરૂપે ભેદ છે, પણ સ્વભાવથી તો અભેદ જ છે” - તે કથનનો પણ પરિહાર થાય છે. (તે કથનમાં તમે એક્વેત ભેદ/અભેદને લઈને દોષ આપ્યા હતા, પણ અમે એકાંત ભેદ/અભેદ માનતાં જ નથી, જુઓ –) અમે પૂર્વે જ કહ્યું હતું કે – “ધર્મો પરસ્પર ભિન્ન હોવાથી અને તેઓ પ્રતિનિયત એક ધર્મારૂપ આધારમાં રહ્યા હોવાથી, ધર્મ-ધર્મીનો કથંચિદ્ ભેદ છે” – એ કથનથી અમે કથંચિદ્ ભેદ પણ માનીએ છીએ, સર્વથા અભેદ નહીં. અને પૂર્વે અમે કહ્યું હતું કે – “ધર્મ-ધર્મી પરસ્પર વ્યાપ્ત હોવાથી ગૌણરૂપે બંને એકબીજારૂપ છે અને તો તેઓનો કથંચિત્ અભેદ પણ છે જે” – એ કથનથી અમે કથંચિત્ અભેદ પણ માનીએ છીએ, સર્વથા ભેદ નહીં. એટલે અમે ધર્મ-ધર્મીના ભેદભેદની સિદ્ધિ, તમે કહો છો તેવા સ્વતંત્ર ભેદ કે અભેદરૂપે નહીં, પણ જાત્યન્તર એવા ભેદભેદરૂપે જ કરીએ છીએ અને એટલે તે સિવાય બીજી રીતે ભેદભેદ સિદ્ધ થઈ શકે નહીં કે જેને લઈને તમે દોષ આપી શકો. વળી, પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે “વિષયની વ્યવસ્થા સંવેદનને આધીન છે અને સદસરૂપ વસ્તુનું સંવેદન થતું નથી, કારણ કે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે” - તે વાત પણ નિરાકૃત થાય છે. કારણ કે અમે પૂર્વે જ કહ્યું હતું કે – “ઘટાદિ પદાર્થો, પૂર્વાપરક્ષણોમાં મૃન્મયત્વેન અનુગત-રૂપે (સરૂપે) અને પટાદિથી વ્યાવૃત્તરૂપે (અસરૂપે) એમ અનુવૃત્ત-વ્યાવૃત્તરૂપે પ્રત્યક્ષથી દેખાય છે” – એ કથનથી સિદ્ધ થાય કે, વસ્તુનું સંવેદન ઉભયરૂપે (=સદસદાકારરૂપે) થાય છે જ અને તો તેના આધારે વસ્તુ પણ ઉભયરૂપ ફલિત થાય જ. (એટલે સંવેદનના આધારે વસ્તુની ઉભયરૂપતાનું નિરાકરણ કરવું; એ તમારું દુઃસાહસ જ છે.) ____ यच्चोक्तम्-'न च कार्यद्वारेणापि सदसद्रूपं वस्तु प्रतिपत्तुं शक्यते, यतो नोभयरूपं कार्यमुपलभ्यते' इत्यादि । एतदप्यनवकाशम्, वस्तुस्थित्योभयरूपस्योपलम्भस्य साधितत्वात् । - પ્રવેશરશ્મિ - ભાવાર્થ બીજું તમે જે કહ્યું હતું કે - “વસ્તુ સદસરૂપ છે, એવું કાર્ય દ્વારા પણ જણાતું નથી, કારણ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ५७ કે ઉભયરૂપ (સદસરૂ૫) કાર્ય કદી ઉપલબ્ધ થતું નથી” એ બધું કથન પણ નિરવકાશ છે, કારણ કે વસ્તુનો ઉપલંભ (=જ્ઞાન) ઉભયરૂપે (સદસદાકારે) જ થાય છે, એવું અમે પૂર્વે જ સિદ્ધ કરી ગયા. (એટલે કાર્ય દ્વારા સદસરૂપ કારણ જણાય જ.) વિવેચનઃ ભાવાર્થને અનુસાર સુગમ હોવાથી વિવરણ કર્યું નથી. 'न च तत्कार्यकरणे प्रवर्त्तमानं केनचिदाकारेण करोति केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्ः' इत्याद्यप्यसारम्, विरोधासिद्धेः; तथाहि-पर्यायात्मना करोति, द्रव्यात्मना न करोति; कुत एकस्य करणाकरणविरोधः ? इति । अथवा स्वकार्यकर्तृत्वेन करोति, कार्यान्तराकर्तृत्वेन न करोति; अतः केनचिदाकारेण करोति, केनचिन्न करोतीति कोऽत्र विरोधः ? । न च स्वकार्यकर्तृत्वमेव कार्यान्तराकर्तृत्वम् यदि स्यात्, यथा स्वकार्य करोति, एवं कार्यान्तरमपि कुर्यात्, कर्तृत्वानन्यत्वादकर्तृत्वस्य; विपर्ययो वा, ततश्चाकारणत्वमिति ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બીજું - “તે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે અમુક આકારે કરે અને અમુક આકારે ન કરે એવું ન બને, કારણ કે એકના કરણ-અકરણનો વિરોધ છે” – એ બધું પણ અસાર છે, કારણ કે વિરોધ સિદ્ધ નથી. તે આમ - પર્યાયરૂપે કરે અને દ્રવ્યરૂપે ન કરે, તો એકના કરણ-અકરણનો વિરોધ કેવી રીતે? અથવા, સ્વકાર્ય-કર્તરૂપે કરે અને કાર્યાતર-અકર્તરૂપે ન કરે. એટલે કોઈક આકારે કરે અને કોઈક આકારે ન કરે, એવું હોય તો વિરોધ શું? અને સ્વકાર્યકર્તીપણું જ કાર્યાતર-અકર્તીપણું નથી, જો હોય, તો જેમ પોતાનું કાર્ય કરે છે, તેમ બીજાનું કાર્ય પણ કરવા લાગે, કારણ કે અકર્તીપણું કર્તુપણાથી અભિન્ન છે. અથવા તેનાથી ઉંધું થઈ જાય અને તેથી તો પોતાના કાર્યનું પણ કારણ ન બને. વિવેચન : પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “કારણ સદસરૂપ ન હોઈ શકે, કારણ કે વસ્તુ જ્યારે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે તે અમુક આકારે કાર્ય કરે અને અમુક આકારે કાર્ય ન કરે - એવું ન બને, કારણ કે એક જ વસ્તુ કરે અને ન પણ કરે તે બંનેનો વિરોધ છે” – એ બધું કથન પણ અસાર જણાઈ આવે છે, કારણ કે એક જ વસ્તુ જુદા જુદા નિમિત્તને લઈને કરે અને ન પણ કરે, તેમાં કોઈ વિરોધ નથી. તે આ પ્રમાણે – (૧) માટી વગેરે કારણો, ઘટ-કપાલાદિ પર્યાયરૂપે જ કાર્યને ઉત્પન્ન કરે, માટી-આદિ દ્રવ્યરૂપે નહીં, કારણ કે માટી આદિ દ્રવ્ય તો પોતામાં છે જ તેને લઈને કાર્ય નથી કરાતું, પણ પર્યાયને લઈને કરાય છે. આમ એક જ કારણ, પર્યાયને લઈને કાર્ય કરે છે અને દ્રવ્યને લઈને કાર્ય નથી કરતું. (૨) માટી વગેરેનો સ્વભાવ, પોતાના ઘટાદિ કાર્ય કરવાનો જ છે, બીજા પટાદિ કાર્ય કરવાનો નહીં એટલે એક જ કારણ, સ્વકાર્યકર્તૃપણે કરે અને પરકાર્ય-અકર્તપણે નથી કરતું. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः આમ જુદા જુદા નિમિત્તને લઈને એક જ કારણ કોઈક આકારે કરે અને કોઈક આકાર ન કરે એવું નિબંધ ઘટી શકે, તેમાં કોઈ વિરોધ નથી. એટલે કારણમાં અવચ્છેદકભેદે કર્તુત્વ (સત્ત્વ) અને અકર્તુત્વ (અસત્ત્વ) ઉભય છે અને તો તે કારણ ઉભયરૂપ હોવામાં કોઈ વિરોધ નથી. ( કર્તુત્વને જ અકર્તુત્વરૂપ ન મનાય છે પૂર્વપક્ષ : વસ્તુનું સ્વકાર્યકર્તીપણું જ પરકાર્યનું અકર્તીપણું છે, તેનાથી જુદું નહીં. (અને તો વસ્તુમાં એક જ નિમિત્ત રહેવાથી કરણ-અકરણનો વિરોધ થવાનો જ.) ઉત્તરપક્ષ ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે જો સ્વકાર્યકપણું જ પરકાર્યનું અકર્તીપણું મનાય, તો (૧) અકર્તુત્વ પણ કર્તુત્વરૂપ બને, અથવા (૨) કર્તુત્વ પણ અકર્તુત્વરૂપ બને ! અને તો શું દોષ આવે, તે જુઓ – (૧) અકર્તુત્વ પણ કર્તુત્વરૂપ બને, તો પરકાર્યઅકર્તુત્વ પણ પરકાર્યકર્તુત્વ રૂપ બને અને તેથી તો વસ્તુ જેમ પોતાનું કાર્ય કરે, તેમ બીજાનું કાર્ય પણ કરવા લાગે ! અર્થાત્ માટીથી કપડા પણ થવા લાગે ! અથવા જો (૨) કર્તૃત્વ પણ અકર્તુત્વરૂપ બને, તો સ્વકાર્યકર્તૃત્વ પણ સ્વકાર્યઅકતૃત્વરૂપ બને અને તેથી તો વસ્તુ જેમ બીજાનું કાર્ય ન કરે, તેમ પોતાનું કાર્ય પણ નહીં કરે, અર્થાત્ માટીથી જેમ કપડું નથી થતું, તેમ ઘટ પણ નહીં થાય ! અને એ રીતે તો તેનાથી કોઈ કાર્ય ન થતા, તે કારણ જ નહીં રહે. એટલે સ્વકાર્યકર્તુત્વ (સત્ત્વ) અને પરકાર્ય - અકર્તુત્વ (અસત્ત્વ) બંને જુદા જુદા જ માનવા રહ્યા અને તો વસ્તુની ઉભયરૂપતા જ સિદ્ધ થઈ (અને એ રીતે વસ્તુમાં બે નિમિત્ત મળતાં કરણ - અકરણનો વિરોધ પણ ન જ રહે.) આટલું સચોટ તર્કોથી સમજાવ્યા પછી પણ હજી એકાંતવાદી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે, જેનો ગ્રંથકારશ્રી નિરાસ કરશે – ___ स्यादेतत्-किं हि नाम कार्यान्तराकर्तृत्वमन्यत् ? यदाश्रित्यानन्यत्वयुक्त्यनुसारेणाकारणत्वं प्रतिपाद्यते; किन्तु स्वकार्यकर्तृत्वमेवैकस्वभावं कार्यान्तराकर्तृत्वम्, इति। ____ हन्त, तर्हि 'येनैवाकारेण करोति, तेनैव न करोति' इत्येतदापन्नम् । एवं चाभिन्ननिमित्तत्वे सत्येकत्र कर्तृत्वाकर्तृत्वयोर्विरोधः, इति; तथाहि-तेनैव स्वभावेन करोति न करोति च इति व्याहतमेतत्, एकस्वभावस्यैकत्रोपयोगात् । For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः - - પ્રવેશરશ્મિ : . ભાવાર્થ : પૂર્વપક્ષ : વસ્તુમાં કાર્યાંતર-અકર્તૃત્વ જેવું જુદું કાંઈ છે જ નહીં કે જેના અભિન્નપણારૂપ યુક્તિને અનુસા૨ે તમે અકારણપણું કહી શકો... પણ સ્વકાર્યકર્તૃત્વરૂપ એક સ્વભાવ જ પરકાર્ય - અકર્તૃત્વરૂપ છે. ઉત્તરપક્ષ : તો તો જે આકારે કરે તે જ આકારે ન કરે' - એવું માન્યું કહેવાય અને એ રીતે અભિન્ન નિમિત્ત હોવામાં તો એકત્ર કર્તૃત્વ-અકર્તૃત્વનો વિરોધ થવાનો જ. તે આ પ્રમાણે - તે જ સ્વભાવે કરે અને ન કરે, એ તો પૂર્વાપર વ્યાહત છે, કારણ કે એકસ્વભાવનો એકત્ર જ ઉપયોગ હોઈ શકે. ન વિવેચન : પૂર્વપક્ષ : વસ્તુમાં માત્ર સ્વકાર્યકર્તૃત્વ જ છે, તેનાથી જુદું પકાર્ય-અકર્તૃત્વ જેવું કશું છે જ નહીં, તો તમે “સ્વકાર્યકર્તૃત્વ અને પરકાર્યઅકર્તૃત્વ બંનેનો અભેદ માનો, તો તે પરકાર્ય પણ કરવા લાગે અથવા તો સ્વકાર્ય પણ ન કરે અને સ્વકાર્ય ન કરવાથી તો એ કારણ જ ન બને” – એ બધા દોષોનું આપાદન કેવી રીતે કરી શકો ? (અર્થાત્ પરકાર્યઅકર્તૃત્વ જેવું કશું જ નથી, તો તેને લઈને દોષો શી રીતે અપાય ?) ५९ શંકા : પરકાર્યઅકર્તૃત્વ નહીં હોય, તો વસ્તુ પરકાર્ય પણ કરવા લાગશે ને ? સમાધાન ઃ એવું પણ નથી, કારણ કે વસ્તુનો જે સ્વકાર્યકર્તૃત્વસ્વભાવ છે, તે જ પરકાર્યઅકર્તૃત્વ-સ્વભાવ પણ છે. (અર્થાત્ વસ્તુ, એક જ સ્વભાવથી સ્વકાર્યકર્તા અને પરકાર્ય-અકર્તા છે.) એટલે પકાર્ય કરવાની આપત્તિ નહીં આવે. ઉત્તરપક્ષ : અરે ! એ રીતે તો કારણ જે સ્વભાવથી કાર્ય કરે તે જ સ્વભાવથી કાર્ય ન કરે એવું માનવું પડશે અને તો એક જ નિમિત્તથી એક જ વસ્તુમાં કર્તૃત્વ - અકર્તૃત્વ બે ધર્મોનો વિરોધ થવાનો જ. તે આ પ્રમાણે - વસ્તુ જે સ્વભાવે કાર્ય કરે, તે જ સ્વભાવે ‘કાર્ય ન કરે' એવું શી રીતે કહેવાય ? કારણ કે એકસ્વભાવનો તો એક ઠેકાણે જ ઉપયોગ હોઈ શકે. જો અનેક ઠેકાણે જુદો જુદો ઉપયોગ હોય, તો તેની એકસ્વભાવતા જ ન રહે. એટલે સ્વભાવનો જો કાર્ય કરવામાં ઉપયોગ હોય, તો ‘કાર્ય ન કરવામાં’ ઉપયોગ ન રહે. એમ વિરોધ હોવાથી, સ્વકાર્યકર્તૃત્વસ્વભાવ જ પરકાર્યઅકર્તૃત્વરૂપ ન મનાય. कार्यान्तराकर्तृत्वं तत्र परिकल्पितम् इति चेत् ? तदप्यमनोहरम्, कार्यान्तराकर्तृत्वस्य तत्र परिकल्पितत्वाद् वस्तुतोऽसत्त्वात् तद्भावापत्त्या कार्यान्तरकर्तृत्वप्रसङ्गात् ।। ૐ પ્રવેશરશ્મિ : ભાવાર્થ : આશંકા : ત્યાં કાર્યાંતરઅકર્તૃત્વ કલ્પિત છે. સમાધાન : તે પણ અમનોહર છે, કારણ કે ત્યાં કાર્યાંતરઅકર્તૃત્વ પરિકલ્પિત હોઈ પરમાર્થથી અસત્ છે અને તો તે રૂપે પણ ભાવ થતાં કાર્યાંતરના કર્તૃત્વનો પ્રસંગ આવે. For Personal & Private Use Only * Page #91 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः વિવેચનઃ આશંકા વસ્તુનું સ્વકાર્ય-કર્તુત્વ જ વાસ્તવિક છે, બાકી તેમાં રહેલું પરકાર્યઅકર્તુત્વ તો કાલ્પનિક છે. (એટલે વસ્તુ તો માત્ર કર્તુરૂપ જ ફલિત થાય.) સમાધાનઃ તમારું આ કથન પણ અમનોહર છે, કારણ કે પરકાર્ય-અકર્તુત્વ કાલ્પનિક હોઈ પરમાર્થથી તો એ અસદ્ જ ફલિત થાય અને તો એ પરકાર્ય-અકર્તુત્વ રહે જ નહીં... અને પરકાર્યઅકર્તુત્વ ન રહે, તો વસ્તુમાં પરકાર્યકર્તુત્વ આવી જતાં, વસ્તુ દ્વારા બીજા પણ કાર્યો થવા લાગે, અર્થાત્ માટીથી કપડાં વગેરે પણ થવા લાગે ! (કારણ કે જો કપડાં વગેરે કાર્ય ઉત્પન્ન ન કરે, તો તેના અકર્તુત્વનો અભાવ ન કહી શકાય.) अथाशङ्का-स्वकार्यकर्तृत्वव्यतिरिक्त कार्यान्तराकर्तृत्वं परिकल्पितम्, स्वकार्यकर्तृत्वमेव पुनः कार्यान्तराकर्तृत्वस्वभावमभ्युपगम्यत एव, इति। एतदप्ययुक्तम्, दत्तोत्तरत्वात्; तथाहि-येनैव स्वभावेन करोति तेनैव न करोति, इत्येतदापन्नम्, इत्यादि तदेवावर्त्तते । अनेनैव 'सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्' इत्यादि प्रतिक्षिप्तम्, अभावस्य वस्तुधर्मत्वात् कथञ्चिदव्यतिरेकात्, कार्यान्तराकारणत्वात् इति । तस्माद् व्यवस्थितमेतत्सदसद्रूपं वस्तु तथा चोक्तम् 'यस्मात् प्रत्यक्षसंवेद्यं, कार्यतोऽप्यवगम्यते । तस्मादवश्यमेष्टव्यं, वस्त्वेकं सदसदात्मकम् ।।१।।' इति ।।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ આશંકા : સ્વકાર્યકર્તુત્વથી જુદું કાર્યાતરઅકર્તૃત્વ કલ્પિત છે, પણ વળી સ્વકાર્યકર્તુત્વ જ કાર્યાતરઅકર્તુત્વસ્વભાવી તો મનાય જ છે. સમાધાન : આ પણ અયુક્ત છે, કારણ કે ઉત્તર અપાઈ જ ગયો છે. તે આ પ્રમાણે - આવું કહેવાથી જે સ્વભાવે કરે તે જ સ્વભાવે ન કરે એવું માનવું પડે. ઇત્યાદિ એ જ વાતો આવૃત્ત થાય... એટલે જ “પૂર્ણપણે કરવામાં તો એ ભાવરૂપ જ થાય” - એ કથન પણ નિરાકૃત થઈ ગયું, કારણ કે અભાવ પણ કથંચિત્ અભિન્ન હોઈ વસ્તુના ધર્મરૂપ છે, કારણ કે વસ્તુ પરકાર્યના અકારણરૂપ છે. તેથી સિદ્ધ થાય છે કે, વસ્તુ સદસરૂપ છે. કહ્યું છે કે – “જે કારણથી પ્રત્યક્ષથી સંવેદ્ય છે અને કાર્યથી પણ જણાય છે, તે કારણથી એક વસ્તુ સદસરૂપ અવશ્ય માનવી જોઈએ.” વિવેચનઃ આશંકાઃ વસ્તુનું જે સ્વકાર્યકર્તુત્વ છે, તેનાથી જુદું પરકાર્ય-અકર્તુત્વ જ કલ્પિત છે, બાકી પરકાર્ય-અકર્તૃત્વનો સાવ જ અભાવ નથી, કારણ કે સ્વકાર્યકર્તૃત્વનો જ પરકાર્ય-અકર્તુત્વ એવો એક સ્વભાવ છે. (એટલે પરકાર્ય કરવાની આપત્તિ ન આવે.) સમાધાનઃ આ આશંકા પણ અયુક્ત છે, કારણ કે તેનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો. તે આ રીતે - “કર્તુત્વનો જ અકર્તુત્વસ્વભાવ મનાય, તો જે સ્વભાવથી કાર્ય કરે, તે જ સ્વભાવથી કાર્ય ન કરે એવું માનવું પડે... પણ એકસ્વભાવનો એક ઠેકાણે જ ઉપયોગ હોવાથી, કર્તૃત્વનો ઉપયોગ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ६१ હોય તો અકર્તુત્વનો ઉપયોગ ન રહે, અર્થાત્ એકસ્વભાવે જ કર્તુત્વ-અકર્તુત્વનો વિરોધ છે” – એમ પૂર્વોક્ત રીતે પૂર્વપક્ષીનું કથન અયુક્ત જ જણાય છે. એટલે પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “કારણ જો સર્વાત્મના કાર્ય કરે, તો એ કારણ ભાવરૂપ જ થાય, કારણ કે અભાવ તો તુચ્છ હોવાથી કશું કરતો નથી વગેરે.” - તે બધું પણ ખંડિત થયું, કારણ કે અભાવ પણ વસ્તુનો ધર્મ છે, એટલે વસ્તુથી (=ભાવથી) કથંચિત્ અભિન્ન છે. (એટલે કાર્યાતરનું અકારણ હોઈ અભાવ પણ વસ્તુધર્મ છે અને તેથી વસ્તુથી કથંચિત્ અભિન્ન છે.) તાત્પર્ય એ કે, વસ્તુ સર્વાત્મના કાર્ય કરતી હોય, તો તેનો અભાવાંશ પણ કંઈ કરતો હોય, તે પૂર્વપક્ષને માન્ય નથી, પણ તેનું ખંડન થયું. તે આ રીતે – અભાવરૂપ વસ્તુ ધર્મ, કંઈ કરે નહીં તેવું નથી... અને તે શું કરે ? તો કહે છે કે, કાર્યાતરાકતૃત્વન અભાવાંશ વ્યાપૃત થાય છે, અર્થાત્ માટી, મૃત્ત્વન ઘટ કરે છે, અનુત્વેન પટાદિ નથી કરતી... આમ ઘટ કરવા માટે પટાદિનું અકારણ પણ જરૂરી છે જ. એટલે અભાવ પણ વસ્તુથી અભિન્ન છે. નિષ્કર્ષ એટલે કાર્યાતરા કર્તુત્વેન વસ્તુમાં અભાવરૂપતા પણ વાસ્તવિક જ માનવી રહી અને તો વસ્તુ સદસરૂપ જ છે, એવું વ્યવસ્થિત થયું. આ વિશે કહ્યું છે કે – પ્રત્યક્ષ દ્વારા તેવું જ સંવેદન થાય છે અને કાર્ય દ્વારા પણ તેવું જ જણાય છે, તેથી એક જ વસ્તુ સદસ૬ ઉભયરૂપ છે, એવો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ.” अत्रान्यस्त्वाह-ननु च 'वस्तुनः स्वरूपेण सत्त्वम्, पररूपेण चासत्त्वम्' इति एतदिष्यत एव इति सिद्धसाध्यता ।। __ एतदप्ययुक्तम्, स्वमतविरोधात; तथाहि- एवमिच्छता 'वस्तुन एव सत्त्वमसत्त्वं च धर्मों' इत्येष्टव्यं, वक्तव्यं च-धर्मधर्मिणोरन्यत्वमनन्यत्वमन्यानन्यत्वं वा, इति । किञ्चातः ? यद्यन्यत्वम्, अवस्तुत्वादिप्रसङ्गः । कथम् ? इह 'वस्तु धर्मव्यतिरिक्तं स्वरूपेण सत्पररूपेण चासद्' इत्यभ्युपगमात् । धर्माणां च परत्वात्तद्रूपेणासत्त्वादवस्तुत्वप्रसङ्गः । एवं धर्माणामपि वस्तुव्यतिरिक्तत्वात्स्वरूपेण सत्त्वं पररूपेण चासत्त्वम्, इति धर्मान्तरप्राप्तिः; तत्राप्ययमेव ચાવ રૂનિષ્ઠા | –- પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : પૂર્વપક્ષ: અરે ! “વસ્તુનું સ્વરૂપે સત્પણું અને પરરૂપે અસતપણે એવું તો ઇષ્ટ જ છે. એટલે સિદ્ધસાધ્યતા થઈ. ઉત્તરપક્ષ આ પણ અયુક્ત છે, કારણ કે સ્વમતનો વિરોધ થાય છે. જુઓ - આવું કહેવા ઇચ્છનારે વસ્તુના જ સત્ત્વ-અસત્ત્વ ધર્મ છે એવું માનવું જ જોઈએ અને કહેવું જોઈએ કે, ધર્મ-ધર્મનું શું છે ? (૧) ભિન્નત્વ, (૨) અભિન્નત્વ, કે (૩) ભિન્નાભિન્નત્વ ? (૧) જો ભિન્નત્વ કહો, તો For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः અવસ્તુવાદિનો પ્રસંગ આવે, કારણ કે ધર્મથી જુદી વસ્તુ, સ્વરૂપેણ સત્ અને પરરૂપેણ અસત્ છે' એવું તમે અહીં માન્યું અને હવે ધર્મો પણ પર’ હોવાથી તે રૂપે પણ તે અસત્ થઈ જાય અને તો અવસુત્વનો પ્રસંગ આવે જ. એ જ રીતે ધર્મો પણ વસ્તુથી જુદા હોવાથી તેઓ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસતું હોઈ તેઓમાં પણ ધર્માતર માનવા પડે અને એ રીતે તે ધર્માતરોમાં પણ બીજા ધર્મો માનવા પડે, એટલે તો અનવસ્થા જ થાય. વૈશેષિકદર્શિત સિદ્ધસાધ્યતા અયુક્ત છે વિવેચનઃ વૈશેષિકઃ અરે ! ઘટાદિ દરેક વસ્તુઓ “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ હોય અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ હોય - એવું તો અમે માનીએ જ છીએ, એમાં તમે નવું શું સિદ્ધ કર્યું ? એટલે પૂર્વે કહેલું સંપૂર્ણ કથન, સિદ્ધસાધ્યતા દોષથી ગ્રસ્ત છે. સ્યાદ્વાદીઃ આ વાત પણ અયુક્ત છે, કારણ કે તમારા મતે સદસરૂપ વસ્તુ સિદ્ધ નથી, તે છતાં જો વસ્તુ સદસરૂપ મનાય, તો પોતાના મતનો વિરોધ થવાનો જ... તે આ પ્રમાણે – જો વસ્તુને સદસરૂપ મનાય, તો વસ્તુના બે ધર્મો સ્વીકારવા પડે : સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ... પણ અહીં તમારે કહેવું પડશે કે સત્ત્વાસસ્વરૂપ ધર્મ અને ધર્મી વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદભેદ ? વૈશેષિકમતે એ ત્રણે વિકલ્પો સંગત નથી. જુઓ – # પ્રથમ વિકલ્પની અસંગતિ જ જો ધર્મ-ધર્મીનો ભેદ મનાય, તો તો ધર્મ-ધર્મીની વસ્તુરૂપતા જ ન રહે. તે આ રીતે (ક) વસ્તુ તે ધર્મથી જુદી હોવાથી, વસ્તુ માટે ધર્મ પણ ‘પર બને અને તો “દરેક વસ્તુ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોય એવા તમારા અભ્યાગમ પ્રમાણે, પર એવા ધર્મરૂપે (=સત્ત્વાસસ્વરૂપે) પણ વસ્તુ અસત્ બને ! (હવે જો સ્વરૂપસત્ત્વ ન હોય, તો વસ્તુનું કોઈ સ્વરૂપ જ ન રહે અને જો પરરૂપ અસત્ત્વ ન હોય, તો ઘડો પટરૂપ પણ બની જાય.) એટલે તો ઘટરૂપ વસ્તુનો અભાવ થવાનો જ. (આમ પ્રથમ પક્ષે ધર્મીના અવડુત્વનો પ્રસંગ આવે.) (ખ) ધર્મો તે વસ્તુથી જુદા હોવાથી, તેઓનું પણ એક સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થાય અને તો તેઓ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ માનવા પડે અને તેવું માનવામાં તે ધર્મોમાં સત્ત્વ-અસત્ત્વરૂપ બીજા ધર્મો માનવા પડે ! અને એ બીજા ધર્મોમાં પણ સ્વરૂપે સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ એવા બીજા ધર્મો માનવા પડે... એ રીતે તો અનવસ્થા જ થવાની. (આમ અનવસ્થાના ભયથી તે ધર્મોમાં સ્વરૂપ સત્ત્વ અને પરરૂપ અસત્ત્વ નહીં મનાય, તો તે ધર્મોનું સ્વરૂપ પણ ન રહે અને તેઓ પરરૂપ બની જાય. એટલે તો તેઓનો અભાવ થવાનો જ.) આમ ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ માનવામાં તેઓની વસ્તુરૂપતા જ ન રહે. स्यादेतत्, न धर्माणां धर्मान्तरमिष्यते, अपि तु 'त एव स्वरूपेण सन्ति, पररूपेण For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः न सन्ति' इति; न तद्विलक्षणे सदसत्त्वे इति। एतदप्यसमीचीनम्, वस्तुन्यपि समानत्वाद्, धर्माभावप्रसङ्गेनाभ्युपगमविरोधात्, तद्भावेऽपि तस्य' इति सम्बन्धानुपपत्तेः, समवायकल्पनायाः स्वधर्मेष्वपि तुल्यत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : ધર્મોના જુદા ધર્મો ઇષ્ટ નથી, પણ તેઓ જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે. એટલે તેઓથી વિલક્ષણ સત્ત્વ-અસત્ત્વ નથી. ઉત્તરપક્ષ : આ પણ અસમીચીન છે, કારણ કે તેવું તો વસ્તુમાં પણ સમાન છે અને એટલે તો ધર્મનો અભાવ થતાં અભ્યાગમનો વિરોધ થાય. કદાચ ધર્મોને જુદા માની લો, તો પણ તેના ધર્મો' એવો સંબંધ ઉપપન નહીં થાય અને સમવાયની કલ્પના તો પોતાના ધર્મોમાં પણ તુલ્ય છે. વિવેચનઃ વૈશેષિક વસ્તુમાં રહેલ સત્ત્વાદિ મૂળધર્મો (વસ્તુથી) જુદા છે- એ વાત તો બરાબર જ છે, પણ એ મૂળધર્મોમાં બીજા ધર્મો અમને ઇષ્ટ નથી, કારણ કે તે મૂળધર્મો પોતે જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, એટલે તેમનાથી જુદા સત્ત્વાસસ્વરૂપ ધર્મ તેઓમાં હોય એવું નથી. અને તેથી ધર્મોમાં પણ બીજા ધર્મો માનવાની આપત્તિ ન આવે. સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે તો પછી વસ્તુ વિશે પણ તેમ જ માની લો કે, વસ્તુ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, તેનાથી જુદા સાસસ્વરૂપ ધર્મ તેમાં નથી. (એટલે એવું કથન તો વસ્તુમાં પણ સમાન છે.) અને જો એવું (=વસ્તુમાં જુદા ધર્મો નથી, પણ વસ્તુ જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, એવું) માની લેશો, તો – ધર્મોનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ ન થવાથી - તમે જે ધર્મથી ધર્મનું સ્વતંત્ર અસ્તિત્વ માનો છો, તે તમારા અભ્યાગમનો વિરોધ થાય જ. & ભેદ માનવામાં સંબંધની અસંગતિ છે જો ધર્મોને જુદા માની લેવામાં આવે, તો “આ ધર્મના આ ધર્મો છે” એમ ધર્મ-ધર્મીનો સંબંધ જ ઉપપન્ન ન થાય. કારણ કે તે તો ધર્મોથી જુદા છે. આશય એ કે, જેમ ઘટ અને પટ જુદા હોવાથી ઘટનો પટ એમ કહેવાતું નથી, તેમ ઘટ અને ધર્મો જુદા હોય તો ઘટના ધર્મો પણ કહી ન શકાય. વૈશેષિકઃ જુદા પણ ધર્મો સાથે ધર્મનો સંબંધ ઉપપન્ન કરવા અમે “સમવાય સંબંધ માનીએ છીએ. આ સમવાયના બે સ્વભાવ છે : (૧) સ્વસંબંધક-સ્વભાવ (=ધર્મ-ધર્મી સાથે પોતાનો સંબંધ કરવાનો સ્વભાવ) અને (૨) સમવાયીસંબંધક સ્વભાવ (=ધર્મ-ધર્મીનો પરસ્પર સંબંધ કરવાનો સ્વભાવ) આવો દ્વિસ્વભાવી સમવાય, “અહીં ધર્મીમાં ધર્મો છે' એવા પ્રત્યયનું કારણ બને છે. એટલે હવે કોઈ અસંગતિ નથી. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ६४ अनेकान्तवादप्रवेशः - સાદ્વાદી: અહીં પણ વિકલ્પદોષરૂપી વીજળી માથે પડશે જ. તે આ રીતે - સમવાયના જે બે સ્વભાવ કહ્યા, તે સ્વભાવદ્રય સમવાયથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) જો ભિન્ન કહો, તો “સમવાયના બે સ્વભાવ છે' એવો સમવાય અને સ્વભાવનો સંબંધ કયો ? તેમાં પાછો સમવાય વગેરે માનવાથી અનવસ્થા થાય. (૨) જો અભિન્ન કહો, તો તે બંને સ્વભાવ એક થઈ જાય, કારણ કે સમવાયથી અભિન્ન હોવાથી જેમ સમવાયનું સ્વરૂપ જુદું જુદું નથી, તેમ તે સ્વભાવ પણ જુદા જુદા ન રહે... અથવા તો સમવાય અનેક થઈ જાય, કારણ કે જેમ સ્વભાવનું સ્વરૂપ જુદું જુદું છે, તેમ સ્વભાવયથી અભિન્ન સમવાયનું સ્વરૂપ પણ જુદું જુદું થઈ જાય. આમ સમવાય થકી, જ્યારે પોતાનો સ્વભાવયની સાથે પણ સંબંધ સિદ્ધ નથી થતો, ત્યારે તે સમવાય, બીજા ધર્મ-ધર્મનો સંબંધ શી રીતે સિદ્ધ કરી શકે ? એટલે સમવાયના આધારે પણ સંબંધની સંગતિ થઈ શકે નહીં. ફલતઃ ધર્મ-ધર્મીનો સર્વથા ભેદ માનવામાં સંબંધની અનુપત્તિ રહે જ. ___अथानन्यत्वं, तयोरेकत्वप्रसङ्गः, एकस्माद्धर्मिणोऽनन्यत्वात्, तत्स्वात्मवत् एवं च सति सदसत्त्वयोरभिन्नत्वात् तद्यथा स्वरूपेण सत्, एवं पररूपेणापि स्यात् इत्याधुक्तम् । असम्भविनौ च निराधारौ धर्मों सदसद्रूपौ ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: હવે અભિનપણું હોય, તો તેઓ બે એક થવાનો પ્રસંગ આવે, કારણ કે એક ધર્મીથી અભિન હોઈ ધર્મીના સ્વરૂપની જેમ એક થાય.... અને એવું હોવામાં તો સત્ત્વ-અસત્ત્વ અભિન્ન થવાથી, વસ્તુ જેમ સ્વરૂપે સત્ છે, તેમ પરરૂપે પણ સત્ થાય વગેરે દોષો અમે પૂર્વે જ કહ્યા અને સદસરૂપ ધર્મો પણ નિરાધાર ન રહી શકે. છે દ્વિતીય વિકલ્પની અસંગતિ છે વિવેચન : (૨) જો ધર્મ-ધર્મીનો અભેદ મનાય, તો ધર્મ-ધર્મીની વ્યવસ્થા જ ન રહે, કારણ કે બંને એક થવાથી એકબીજાનો વિલોપ થાય. જુઓ : (ક) જો ધર્મથી ધર્મો અભિન્ન મનાય, તો ધર્મીથી અભિન્ન હોવાથી જેમ ધર્મીનું સ્વરૂપ જુદું નથી, તેમ ધર્મોનું સ્વરૂપ પણ જુદું જુદું ન રહે ! અને તો સત્તાસત્ત્વ ધર્મો પણ એક થઈ જાય... અને એટલે તો સત્ત્વ પણ અસત્ત્વરૂપ અને અસત્ત્વ પણ સત્ત્વરૂપ અને તેથી તો વસ્તુ જેમ સ્વરૂપે સત્ છે, તેમ પરરૂપે પણ સત્ થાય અથવા તો જેમ પરરૂપે અસત્ છે, તેમ સ્વરૂપે પણ અસત્ થાય... એ બધા દોષો અને પૂર્વ આપ્યા જ હતા. એટલે તો ધર્મીનો વિલોપ થવાનો જ.) For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः (ખ) જો ધર્મોથી ધર્મી અભિન્ન મનાય, તો તે ધર્મી ધર્મસ્વરૂપ જ બની જશે, તેનાથી જુદું સ્વતંત્ર ધર્મનું અસ્તિત્વ નહીં રહે અને તો ધર્મનો વિલોપ પણ થવાનો જ. - તેનું કારણ એ કે, જો ધર્મીનું અસ્તિત્વ ન રહે, તો ધર્મો પણ નિરાધાર =આધાર વિના) તો ન જ રહી શકે. એટલે તો ધર્મનો વિલોપ પણ થાય જ. તેથી બીજો અભેદવિકલ્પ પણ યુક્ત નથી. तथान्यानन्यत्वम्, अतोऽनेकान्तवादाभ्युपगमादेकान्तवादिनः स्वमतविरोधः; इत्यलं પ્રસન | इति सदसदुभयरूपैकवस्तुवादः ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે ભિન્નાભિનપણું કહો, તો અનેકાંતવાદનો અભ્યપગમ થવાથી એકાંતવાદીને સ્વમતનો વિરોધ થાય. હવે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે એક વસ્તુ સદસદ્ ઉભયરૂપ છે, એવો વાદ થયો. છે તૃતીય વિકલ્પની અસંગતિ જે વિવેચન : (૩) જો ધર્મ-ધર્મીનો એકાંત ભેદ કે એકાંત અભેદ નહીં, પણ ભેદભેદ માનો, તો તો અનેકાંતવાદનો જ સ્વીકાર થાય. (અનેકાંતમતે ઘટ અને તેના સત્ત્વાદિ ધર્મો બંને કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન મનાય છે.) અને તો એકાંતવાદીઓને પોતાના મતનો વિરોધ થાય જ. એટલે હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ તેથી વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી રહી અને તેની સદસરૂપતા પણ કથંચિદ્ ભિન્નભિન્ન જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. || આ પ્રમાણે સદસદ્ અનેકાંતવાદરૂપ પ્રથમ અધિકાર પૂર્ણ થયો છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः _ો નિત્યાનિત્ય-શ્રદાત્તવાવડ છે ? દરેક વસ્તુઓ સદસરૂપ છે – એવું સિદ્ધ કરી, હવે વસ્તુની નિત્યાનિત્યરૂપતા સિદ્ધ કરવા ગ્રંથકારશ્રી બીજા અધિકારનો પ્રારંભ કરે છે – यच्चोक्तम्-'एतेन नित्यानित्यमपि प्रत्युक्तमवगन्तव्यं विरोधादेव' इत्यादि; एतदपि न सम्यक्, प्रमाणतस्तथाऽवगमात्; तथाहि-अध्यक्षेण नित्यानित्यमेव तदवगम्यते, अन्यथा तदवगमाभावप्रसङ्गात् ।।। - પ્રવેશરશ્મિ - ભાવાર્થ: તમે જે કહ્યું હતું કે - “એનાથી વિરોધને કારણે જ નિત્યાનિત્ય પણ નિરાકૃત થયું સમજવું” - એ બધું પણ સમ્યગુ નથી, કારણ કે પ્રમાણથી તે પ્રમાણે જ અવગમ થાય છે. તે આમ - પ્રત્યક્ષથી નિત્યાનિત્યરૂપ જ વસ્તુ જણાય છે નહીંતર તેનો અવગમ ન થવાનો પ્રસંગ આવે ! શ8 વસ્તુની નિત્યાનિત્યરૂપતા છે વિવેચન : પૂર્વપક્ષગ્રંથમાં તમે જે કહ્યું હતું કે - “નિત્ય અને અનિત્યનો વિરોધ હોવાથી, એક જ વસ્તુ નિત્યાનિત્યરૂપ છે, એનું પણ ખંડન થયું સમજવું” - તે બધું કથન પણ સમુચિત નથી, કારણ કે વસ્તુનો નિત્યાનિત્યરૂપે જ બોધ થાય છે (એટલે વસ્તુને નિત્યાનિત્યરૂપ જ માનવી જોઈએ.) જો વસ્તુ નિત્યાનિત્ય નહીં માનો, તો તેનો બોધ જ નહીં થાય. હવે ગ્રંથકારશ્રી, એકાંત નિત્ય કે અનિત્ય માનવામાં વસ્તુનો બોધ જ ન થાય, એવું બતાવવા પોતાની વિસ્તૃત વિચારણા મૂકી રહ્યા છે. ___तथा च, यदि तत्राप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं सर्वथा नित्यमभ्युपगम्यते; एवं तर्हि तद्विज्ञानजननस्वभावं वा स्याद् ? अजननस्वभावं वा ? यद्याद्यः पक्षः, एवं सति सर्वत्र सर्वदा सर्वेषां तद्विज्ञानप्रसङ्गः, तस्यैकस्वभावत्वात्। न चैतदेवम् । क्वचित्कदाचित्कस्यचिदेव तद्विज्ञानभावात् । न च 'सर्वथैकस्वभावस्य देशादिकृतो विशेषः' इति कल्पना युज्यते, तद्भावेऽनित्यत्वप्रसङ्गात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : અને વળી, જો અપ્રશ્રુત, અનુત્પન અને સ્થિર-એકસ્વભાવી સર્વથા નિત્ય મનાય, તો તે વિજ્ઞાનજનનસ્વભાવી હોય? કે વિજ્ઞાન-અજનનસ્વભાવી? જો પહેલો પક્ષ લો, તો સર્વત્ર-સર્વદા બધાને For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः < તે વસ્તુના જ્ઞાનનો પ્રસંગ આવે; કેમ કે તે એકસ્વભાવી છે. પણ એવું નથી જ, કારણ કે ક્યાંક, ક્યારેક, કોઈકને જ તે વસ્તુનું જ્ઞાન થાય છે. હવે સર્વથા એકસ્વભાવીમાં દેશાદિકૃત વિશેષની કલ્પના પણ યોગ્ય નથી, કારણ કે તેવું માનવામાં તેની અનિત્યતાનો પ્રસંગ આવે. ६७ * વસ્તુને માત્ર નિત્યરૂપ માનવામાં દોષપરંપરા વિવેચનઃ વસ્તુને જો અપ્રચ્યુત (=વિનાશ ન પામનારી), અનુત્પન્ન (=ઉત્પન્ન ન થનારી) અને સ્થિર (=અપ્રચલિત રહેનારી) એવા એકસ્વભાવવાળી સર્વથા નિત્ય મનાય, તો તે વિશે વિકલ્પો ઘટતા નથી. જુઓ – તે સર્વથા-એકસ્વભાવી નિત્યવસ્તુ કેવી છે ? (૧) વિજ્ઞાનજનનસ્વભાવી, કે (૨) વિજ્ઞાન-અજનનસ્વભાવી ?* (અર્થાત્ વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે કે નહીં ?) (૧) જો તેને વિજ્ઞાનજનનસ્વભાવી મનાય, તો - તે વસ્તુ સર્વથા એકસ્વભાવી હોવાથી - તેનો વિજ્ઞાનજનનસ્વભાવ કાયમ માટે અવસ્થિત રહે અને તેથી તો બધે ઠેકાણે, બધા કાળે, બધા પ્રમાતાઓને તે પદાર્થનું જ્ઞાન થવા લાગે ! પણ તેવું તો દેખાતું નથી, કારણ કે કો’ક ક્ષેત્રમાં, કો’ક કાળે, કો'ક પ્રમાતાને જ વસ્તુનો બોધ થતો દેખાય છે. પૂર્વપક્ષ : : વસ્તુ તો સર્વથા એકસ્વભાવી જ છે, પણ દેશ-કાળાદિ દ્વારા તેમાં તેવી વિશેષતાનું આધાન થાય છે કે જેથી વિજ્ઞાનજનનસ્વભાવ સર્વથા હોવા છતાં પણ નિયત દેશ-કાળમાં નિયત પ્રમાતાને જ પદાર્થનો બોધ થાય છે. એટલે પ્રતિનિયત વ્યવસ્થા અનુપપન્ન નથી. ઉત્તરપક્ષ ઃ જો નિત્ય વસ્તુમાં, દેશાદિથી કરાયેલી વિશેષતાનું આધાન માનો, તો તો એ વસ્તુ અનિત્ય જ બની જાય, કારણ કે વિશેષતાનું આધાન ત્યારે જ થાય કે જ્યારે પૂર્વસ્વભાવની નિવૃત્તિ થાય... અને પૂર્વસ્વભાવની નિવૃત્તિ એ જ તો અનિત્યતાનું લક્ષણ છે. X * 'सहकारिणमपेक्ष्य जनयति' इति चेत् ? न, एकान्तनित्यस्यापेक्षायोगात्; तथाहिसहकारिणा तस्य विशेषः क्रियते ? न वा ? इति वक्तव्यम्, यदि क्रियते; किमर्थान्तरभूतः ? अनर्थान्तरभूतो वा ? इति यद्यर्थान्तरभूतः, तस्य किमायातम् ? 'स तस्य विशेषकारकः ' इति चेत् ? न, अनवस्थाप्रसङ्गात्; तथाहि - स विशेषस्ततो भिन्नः ? अभिन्नो वा ? तदेवावर्त्तते, इत्यनवस्था, (चक्रकं वा ) । अथानर्थान्तरभूतः, स विद्यमानः ? अविद्यमानो વા ? વિ વિદ્યમાન:, યં વિતે ? રળે વાડનવસ્થાપ્રસાઃ । * બીજા વિકલ્પનો ખુલાસો યદ્યપિ ગ્રંથમાં નથી કર્યો, પણ જો વિજ્ઞાનજનન સ્વભાવ ન હોય, તો જ્ઞાન જ ન થાય અને તો વસ્તુ જ સિદ્ધ ન થાય. એટલે તેનું નિરાકરણ સ્વયં સમજી લેવું. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः ___अथाविद्यमानः, व्याहतमेतत्, स ततोऽनर्थान्तरभूतोऽविद्यमानश्चेति, करणे वाऽनित्यताऽऽपत्तिरिति; तथाहि-तस्मिन् क्रियमाणे पदार्थ एव कृतः स्यात्, तदव्यतिरिक्तत्वात्तस्य । - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : પૂર્વપક્ષઃ સહકારીને અપેક્ષીને તે ઉત્પન્ન કરે છે. ઉત્તરપક્ષ એવું નથી, કારણ કે એકાંત નિત્યને અપેક્ષા ન ઘટે. તે આ પ્રમાણે - સહકારી વડે તેનો વિશેષ કરાય છે કે નહીં? એ કહેવું જોઈએ. જો કરાય, તો ભિન્ન કરાય, કે અભિન? જો ભિન્ન કરાય, તો તે વસ્તુને શું આવ્યું? તે વિશેષ; વસ્તુમાં વિશેષ કરનાર છે, તેમ કહો, તો તે પણ બરાબર નથી; કેમ કે અનવસ્થા થાય. જુઓ-તે વિશેષ, વસ્તુથી ભિન્ન છે કે અભિન? . એમ એ જ પ્રશ્નપરંપરા ફરી આવૃત્ત થતા અનવસ્થા થાય. હવે જો અભિન્ન વિશેષ કરાય એવું કહો, તો તે વિશેષ વિદ્યમાન છે કે અવિદ્યમાન? જો વિદ્યમાન હોય, તો કેવી રીતે કરાય? અને જો કરાય તો અનવસ્થા થાય. જો અવિદ્યમાન હોય, તો પૂર્વાપર વ્યાહત વાત થઈ; કેમ કે તે વિશેષ તેનાથી અભિન્ન હોય ને અવિદ્યમાન હોય તેવું તો વળી શી રીતે? અથવા તો તેવા વિશેષને કરવામાં વસ્તુ અનિત્ય બનવાની આપત્તિ આવે. તે આમ - તે વિશેષ કરાતા પદાર્થ જ કરાયેલો થાય, કારણ કે તે વિશેષ પદાર્થથી અભિન્ન છે. # સહકારી - અપેક્ષાનો વિકાશ નિરાસ વિવેચનઃ પૂર્વપક્ષ વસ્તુઓ આલોક વગેરે સહકારીની અપેક્ષા રાખીને નિયતરૂપે જ વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે... અર્થાત્ ઘડો વિજ્ઞાનજનનસ્વભાવી હોવા છતાં પણ, તે ત્યારે જ વિજ્ઞાનને ઉત્પન્ન કરે કે જ્યારે પ્રકાશાદિ સહકારી સામગ્રી હાજર હોય. આમ સહકારીની અપેક્ષા હોવાથી સર્વદા વિજ્ઞાન ઉત્પન્ન નહીં થાય. ઉત્તરપક્ષ: તમારી વાત બરાબર નથી, કારણ કે સર્વથા નિત્ય વસ્તુને કોઈની અપેક્ષા ન ઘટે. તે આ પ્રમાણે – સહકારી દ્વારા, તે નિત્ય વસ્તુમાં કોઈક વિશેષ (૧) કરાય છે, કે (૨) નહીં? (૧) જો કરાય છે એવું માનો, તો તે વિશેષ નિત્યવસ્તુથી (ક) ભિન્ન છે, કે (ખ) અભિન્ન ? (ક) જો ભિન્ન હોય, તો તેનાથી વસ્તુમાં શું ફરક પડ્યો? (તંતુથી પટ કરાય, તો તેનાથી તદ્દન ભિન્ન ઘટમાં શું ફરક પડે ? તેમ અહીં પણ.) પૂર્વપક્ષ ઃ તે ભિન્ન વિશેષ; વસ્તુમાં વિશેષ કરે છે. ઉત્તરપક્ષઃ તો તે નવો વિશેષ, ભિન્ન છે કે અભિન્ન?.. વગેરે વિકલ્પો ફરી ફરી લાગુ પડતાં અનવસ્થા થાય. (ખ) જો સહકારી દ્વારા કરાતો વિશેષ, નિત્ય વસ્તુથી અભિન્ન હોય, તો તે (ખ-૧) વિદ્યમાન છે, કે (ખ-૨) અવિદ્યમાન ? (ખ-૧) વિદ્યમાન છે, તો કરવાનું શા માટે ? વિદ્યમાન હોવા છતાં કરવાનું હોય, તો સતત For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वित: < કર્યા કરો, કારણ કે એક વાર કર્યા પછી પણ વિદ્યમાન જ છે, તો'ય પાછું કરવાનું એટલે ફરી-ફરી કરો... એમ અનવસ્થા થાય. ६९ (ખ-૨) હવે અવિદ્યમાન છે એવું કહો, તો તે તો શક્ય જ નથી, કારણ કે એક બાજુ સત્ પદાર્થથી અભિન્ન છે અને પાછો અવિદ્યમાન છે તેવું તો ન જ હોઈ શકે. (સત્ પદાર્થથી અભિન્ન વિશેષ વિદ્યમાન જ હોય.) વળી નિત્યવસ્તુથી અભિન્ન-અવિદ્યમાન વિશેષ કરો, તો પદાર્થથી અભિન્ન વિશેષ કરવાથી પદાર્થ જ કરાયેલો થશે અને તો પદાર્થ અનિત્ય જ થશે ! * -* अथ मा भूदेष दोषः, 'न क्रियते' इत्याश्रीयते, न तर्हि स तस्य सहकारी, अकिञ्चित्करत्वात्, भावे वाऽतिप्रसङ्ग इति; तथाहि - यदि कञ्चन विशेषमकुर्वन्नपि स तस्य सहकार्यभ्युपगम्यते, सर्वभावानामेव तत्सहकारित्वप्रसङ्गः, तद्विशेषाकरणेनाविशेषात्, इति व्यर्था सहकारिकल्पना ।। --• પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : હવે જો આ દોષ ન થાય એ માટે ‘વિશેષ ન કરાય’ એ પક્ષનો આશ્રય કરો, તો તે તેનો સહકારી જ ન બને, કારણ કે તે અકિંચિત્કર છે. અથવા બને, તો અતિપ્રસંગ આવે. તે આ પ્રમાણે - જો કોઈપણ વિશેષ ન કરનાર પણ તેને તેનો સહકારી મનાય, તો બધા જ પદાર્થો તેના સહકારી માનવાનો પ્રસંગ આવે, કારણ કે તેમાં વિશેષ ન કરવા રૂપે તો તેઓ પણ સમાન છે. એટલે સહકારીની કલ્પના વ્યર્થ છે. : વિવેચન : પૂર્વપક્ષ ઃ એ બધા દોષોથી છૂટવા, અમે એવું માનીશું કે (૨) સહકારી દ્વારા વસ્તુમાં કોઈ વિશેષ કરાતો જ નથી. ઉત્તરપક્ષ : જો વિશેષ ન કરાય તો તે આલોકાદિને સહકારી જ ન કહેવાય. જો અકિંચિત્કરને પણ (કોઈ વિશેષ ન કરનારને પણ) સહકારી માનવામાં આવે, તો અતિપ્રસંગ આવે. તે આ પ્રમાણે – જો તે પદાર્થમાં કોઈ વિશેષ ન કરવા છતાં પણ ચક્રાદિને સહકારી માનવામાં આવે, તો જગતવર્તી તમામ પદાર્થો - વિશેષ ન કરવા છતાં પણ - સહકારી માનવા પડે ! અર્થાત્ જેમ માટીના ચક્રાદિ સહકારી છે, તેમ કપડાદિ પણ સહકારી થવા લાગે ! અને તો લોકસિદ્ધ નિયતવ્યવસ્થા અસમંજસ થઈ જાય. સાર ઃ એટલે સહકારીની કલ્પના વ્યર્થ છે. (અને તો સહકારીના આધારે ક્યાંક, ક્યારેક અને કોઈ પ્રમાતાને જ ઘટજ્ઞાન ઉત્પન્ન થાય, એવું કહેવું પણ અસંગત ઠરે. એટલે તો વિજ્ઞાનજનનસ્વભાવી નિત્યવસ્તુથી, સર્વત્ર-સર્વદા સર્વને જ્ઞાન થવાની આપત્તિ આવે જ.) * अथोच्यते एवंभूत एव तस्य वस्तुनः स्वभावः, येनाविशेषकारकमपि प्रतिनियतमेव सहकारिणमपेक्ष्य कार्यं जनयति, इति । For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः ____एतदपि मनोरथमात्रम्, विकल्पानुपपत्तेः; तद्धि यदाभीष्टसहकारिसन्निधौ कार्य जनयति, तदाऽस्यानन्तरोदितसहकार्यपेक्षालक्षणः स्वभावो व्यावर्त्तते ? न वा ? इति वक्तव्यम् । यदि व्यावर्त्तते, अनित्यत्वप्रसङ्गः; स्वभावव्यावृत्तौ स्वभाववतोऽपि तदव्यतिरेकेण तद्वदेव निवृत्तेः । अथ न व्यावर्त्तते, कार्याजननप्रसङ्गः, तत्स्वभावानिवृत्तेः, पूर्ववत्; तथाहि-य एव तस्य कार्याजननावस्थायां स्वभावः, जननावस्थायामपि स एव, इति कथं जनयति ? सर्वदा वा जननप्रसङ्गः; इत्येवं तावदेकान्तनित्यपक्षे विज्ञानादिकार्यायोगात् તવામાં માવ, રૂતિ | - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? હવે કહો કે – એવો જ તે વસ્તુનો સ્વભાવ છે કે જેથી વિશેષ ન કરનાર પણ પ્રતિનિયત જ સહકારીને અપેક્ષીને કાર્ય ઉત્પન્ન કરે છે તો તે પણ મનોરથમાત્ર છે, કારણ કે વિકલ્પોની અનુપપત્તિ છે. જ્યારે તે અભીષ્ટ સહકારીના સામીપ્યમાં કાર્ય ઉત્પન કરે, ત્યારે તેનો પૂર્વોક્ત “સહકારની અપેક્ષા રાખવારૂપે સ્વભાવ નિવર્તે છે કે નહીં? એ કહો. જો નિવર્તે, તો તે અનિત્ય બનવાનો પ્રસંગ આવે; કેમ કે સ્વભાવની નિવૃત્તિમાં તદભિન્ન હોવાથી સ્વભાવની જેમ સ્વભાવવાનુની પણ નિવૃત્તિ થાય છે. જો નનિવર્તે, તો કાર્ય ઉત્પન્ન નહીં થાય; કેમ કે પૂર્વની જેમ તેનો સ્વભાવ નિવૃત્ત થયો નથી. તે આમ - જે સ્વભાવ તેનો કાર્ય-અજનન અવસ્થામાં હતો, તે જ સ્વભાવ કાર્યજનન-અવસ્થામાં પણ છે, તો તે કેવી રીતે ઉત્પન્ન કરે ? અથવા તો સર્વદા ઉત્પન્ન કરવાનો પ્રસંગ આવે. એટલે આમ એકાંત નિત્યપક્ષમાં તો વિજ્ઞાનાદિ કાર્ય ન ઘટવાથી વસ્તુનું જ્ઞાન ન જ થઈ શકે. વિવેચન : પૂર્વપક્ષ : વસ્તુનો તેવો સ્વભાવ જ છે કે, વિશેષ ન કરનાર હોવા છતાં પણ પ્રતિનિયત આલોકાદિ સહકારની અપેક્ષા રાખીને જ, જ્ઞાનાદિ કાર્યને ઉત્પન્ન કરે છે. (એટલે કોઈ અસમંજસતા નથી.) ઉત્તરપક્ષઃ આ વાત પણ મનોરથ પૂરતી છે, કારણ કે અહીં પણ વિકલ્પોની વણઝાર ઉપપન્ન થતી નથી. તે આ પ્રમાણે – જયારે આલોકાદિ અભિપ્રેત સહકારીનું સંનિધાન થાય અને વસ્તુ કાર્ય ઉત્પન્ન કરે, ત્યારે પૂર્વોક્ત “સહકારીની અપેક્ષા રાખવા” રૂપ સ્વભાવની નિવૃત્તિ (૧) થાય, કે (૨) નહીં ? (૧) જો થાય, તો વસ્તુની પણ નિવૃત્તિ થઈ માનવી પડે, કારણ કે સ્વભાવની નિવૃત્તિ થવાથી સ્વભાવની જેમ તેનાથી અભિન્ન સ્વભાવવાળી વસ્તુની પણ નિવૃત્તિ થાય જ. અને તો વસ્તુ અનિત્ય બનવાની આપત્તિ આવે ! (૨) જો તેવા સ્વભાવની નિવૃત્તિ ન થાય, તો પહેલાની જેમ, કાર્યોત્પત્તિ વખતે પણ ‘સહકારીની અપેક્ષા રાખવારૂપ’ સ્વભાવ નિવૃત્ત ન થયો અને તો ત્યારે પણ સહકારની અપેક્ષા ઊભી જ રહે અને તેથી કાર્ય ઉત્પન્ન જ નહીં થાય. તે આ રીતે – For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः વસ્તુનો જે સ્વભાવ કાર્ય-અજનન વખતે હતો, તે જ સ્વભાવ કાર્યજનન વખતે છે. તેથી જેમ તે સ્વભાવ પહેલા કાર્ય નહોતો કરતો, તેમ હમણાં પણ કાર્ય નહીં કરે (એટલે તો કાર્ય ઉત્પન્ન ન થવાનો પ્રસંગ આવે) અથવા તો જેમ તે સ્વભાવ હમણાં કાર્ય કરે છે, તેમ પૂર્વે પણ કાર્ય કરવા લાગે ! અને તો સર્વદા કાર્ય ઉત્પન્ન થવાનો પ્રસંગ આવે ! નિષ્કર્ષ : આમ વસ્તુને એકાંત નિત્ય માનવામાં તે વસ્તુ થકી વિજ્ઞાનાદિ કાર્યો સંગત થાય નહીં અને વિજ્ઞાન સંગત ન થાય તો તે વસ્તુનું જ્ઞાન પણ સંગત ન થાય. એટલે તો એકાંત નિત્યમતે વસ્તુના જ્ઞાનનો અભાવ થવાનો જ... માટે વસ્તુને એકાંત નિત્યરૂપ માની શકાય નહીં. આ પ્રમાણે એકાંત નિત્યપક્ષમાં અસંગતિ બતાવીને, હવે ગ્રંથકારશ્રી એકાંત અનિત્યપક્ષમાં પણ અસંગતિ બતાવે છે – अथापि प्रकृत्यैकक्षणस्थितिधर्मकं एकान्तानित्यमभ्युपगम्यते, एवमपि विज्ञानादिकार्यायोगात् तदवगमाभाव एव । न च सर्वथैकक्षणस्थितिधर्मिणो विज्ञानादिजनकत्वमुपपद्यते, तस्यैवायोगात्; तथाहि-क्षणस्थितिधर्मकं-क्षणस्थितिस्वभावमुच्यते, इति; अतोऽर्थादेवास्य द्वितीयादिष्वस्थितिः, इत्यकामेनापि प्रतिपत्तव्यम्, न्यायानुगतत्वात्; तयोश्च स्थित्यस्थित्योः परस्परतोऽन्यत्वम् ? अनन्यत्वं वा ? इति वाच्यम् ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે જો સ્વભાવથી એકક્ષણસ્થિતિધર્મક એકાંત અનિત્ય મનાય, તો એ રીતે પણ વિજ્ઞાનાદિ કાર્યો ન ઘટવાથી તેના અવગમનો અભાવ જ થવાનો. અને સર્વથા એકક્ષણસ્થિતિસ્વભાવી વસ્તુ વિજ્ઞાનજનક ન બની શકે, કારણ કે તેવી વસ્તુ જ ઘટતી નથી. તે આમ - ક્ષણસ્થિતિધર્મક એટલે ક્ષણસ્થિતિસ્વભાર્થી હવે અર્થતઃ જ એ વસ્તુની બીજી ક્ષણે અસ્થિતિ છે, એવું ઇચ્છા વિના પણ સ્વીકારવું પડશે, કેમ કે ન્યાયાનુસારી છે અને હવે એ સ્થિતિ અને અસ્થિતિ બંનેનું પરસ્પર ભિન્નપણું છે કે અભિનપણું? એ કહેવું જોઈએ. # વસ્તુને એકાંત અનિત્ય માનવામાં પણ દોષપરંપરા છે વિવેચનઃ જો માત્ર એક ક્ષણ રહેવાના ધર્મવાળી એકાંત-અનિત્યરૂપ વસ્તુ મનાય, તો અહીં પણ વિજ્ઞાનાદિ કાર્યો સંગત થાય નહીં અને તો વસ્તુનો અવગમ પણ ન જ થાય. અને જે વસ્તુ સર્વથા માત્ર એક જ ક્ષણસ્થિતિધર્મક છે, તે વસ્તુ વિજ્ઞાનાદિને ઉત્પન્ન કરનાર બની જ ન શકે, કારણ કે તે ક્ષણસ્થિતિક પદાર્થનું અસ્તિત્વ જ ઘટતું નથી. તે આ પ્રમાણે – ‘ક્ષણસ્થિતિધર્મક' એટલે એકક્ષણસ્થિતિસ્વભાવી... હવે વસ્તુ એકક્ષણસ્થિતિક છે; એવું કહેવાથી જ જણાઈ આવે છે કે તે વસ્તુની બીજી આદિ ક્ષણે સ્થિતિ નથી. અને એવું ઇચ્છા વિના પણ માનવું જ રહ્યું; કેમ કે એકક્ષણસ્થિતિક વસ્તુની બીજી ક્ષણે અસ્થિતિ હોય એવું ન્યાયસંગત જ છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः એટલે વસ્તુની પ્રથમ ક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ હોય, એવું ફલિત થયું. પણ હવે અહીં વિકલ્પો એ કે, તે સ્થિતિ અને અસ્થિતિ બંને પરસ્પર (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? આ બે વિકલ્પો તમારી સમક્ષ મૂકીએ છીએ. શિષ્યતિઃ ? यद्यन्यत्वं, किं सर्वथा ? आहोश्वित् कथञ्चित् ? यदि सर्वथा, ततो द्वितीयादिक्षणेष्वपि स्थितिप्रसङ्गः, प्रथमक्षणस्थितेः द्वितीयादिक्षणास्थितिविभिन्नत्वान्यथानुपपत्तेः; तथाहिअनन्तराक्रान्तविग्रहाणां भावानामस्थित्यैकान्तभिन्नया वर्तमानसमयभाविनां स्थितिर्न विरुध्यते, इति; एवं द्वितीयादिक्षणास्थितेरपि तदत्यन्तभेदे तद्भावाविरोधः, इति भावना ।। अथ कथञ्चिदन्यत्वम्, इति ? अतोऽनेकान्तवादापत्त्याऽभीष्टसिद्धिरेवास्माकमिति ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ એથી શું? જો ભિન્નપણું હોય તો સર્વથા કે કથંચિતું? એ કહેવું જોઈએ. જો સર્વથા, તો દ્વિતીયાદિ ક્ષણોમાં પણ સ્થિતિ થવાનો પ્રસંગ આવે, અન્યથા પ્રથમક્ષણસ્થિતિથી દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિનું ભિનપણું ઉપપન ન થાય. તે આમ – અનંતરક્ષણે જે નાશ પામવાના છે તેવા વર્તમાનકાળવાર્તા ભાવોની સ્થિતિ જેમ અત્યંત ભિન્ન (પછીના સમયની) અસ્થિતિ સાથે વિરોધી નથી, તેમ બીજી ક્ષણે પણ તેમની સ્થિતિનો અત્યંત ભિન્ન અસ્થિતિ સાથે વિરોધ નહીં રહે. એમ ભાવના સમજવી. કથંચિત્ ભિનપણું કહો, તો અનેકાંતવાદની આપત્તિ થતાં અમારી તો ઇષ્ટસિદ્ધિ જ છે. છે વિકલ્પશક ક્ષણસ્થિતિકતાનો નિરાસ છે, વિવેચન : પ્રશ્ન ઃ આવા વિકલ્પો મૂકવાથી શું થાય? ઉત્તર : થાય એ જ કે, દોષો આવે. જુઓ – (૧) જો સ્થિતિ-અસ્થિતિનો પરસ્પર ભેદ હોય, તો તે કેવી રીતે ભેદ હોય? (ક) સર્વથા કે (ખ) કથંચિત્ ? (ક) જો સર્વથા કહો, તો બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ થવાનો પ્રસંગ આવે ! (અર્થાત્, બીજી ક્ષણે પણ વસ્તુનું અસ્તિત્વ થાય) આવું માનો, તો જ પ્રથમક્ષણસ્થિતિથી દ્વિતીયક્ષણ-અસ્થિતિનું જુદાપણું સંગત થાય, અન્યથા નહીં. તે આ પ્રમાણે – વર્તમાન સમયમાં રહેનારા ઘટાદિ પદાર્થો અનંતર ક્ષણે નષ્ટ થવાના છે, એટલે તેઓની બીજી ક્ષણે અસ્થિતિ છે. હવે અહીં બીજી ક્ષણે અસ્થિતિ હોવા છતાં પણ, એ અસ્થિતિ એકાંતે ભિન્ન છે અને એટલે તે ભાવોની પ્રથમ ક્ષણે સ્થિતિ હોવામાં કોઈ વિરોધ નથી. તો જેમ અહીં એકાંત ભિન્ન અસ્થિતિ સાથે, પ્રથમક્ષણીય સ્થિતિનો કોઈ વિરોધ નથી, તેમ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः – એકાંત ભિન્ન અસ્થિતિ સાથે, દ્વિતીયક્ષણીય સ્થિતિનો પણ કોઈ વિરોધ નહીં રહે, અર્થાત્ દ્વિતીયક્ષણે પણ વસ્તુની સ્થિતિ થાય ! એટલે જો સ્થિતિ-અસ્થિતિનો સર્વથા ભેદ માનો, તો બીજી ક્ષણે પણ વસ્તુનું અસ્તિત્વ માનવું પડે અને એ તો તમને બિલકુલ ઇષ્ટ નથી. (ખ) હવે જો કથંચિદ્ ભેદ કહો, તો એનો મતલબ એ થાય કે સ્થિતિ-અસ્થિતિ બંને કથંચિદ્ ભિન્નાભિન્ન છે અને તો અનેકાંતવાદનું આપાદન થતાં અમારું ઇષ્ટ જ સિદ્ધ થવાનું. એટલે ભેદવિકલ્પ તો ઉપાદેય જણાતો નથી. * ७३ અથાનન્યત્વમ્, તરપિ સર્વથા ? થજ્વિદ્યા ? કૃતિ થનીયમ્ । યતિ સર્વથા, प्रथमक्षणस्थितिरेव द्वितीयादिक्षणास्थितिः, सा च भावरूपा, ततश्च द्वितीयादिक्षणेष्वपि स्थितिरेव स्यात् । द्वितीयादिक्षणास्थितेर्वा निरुपाख्यत्वात्तस्या एव प्रथमक्षणस्थितित्वात् प्रथमक्षणेऽप्यभावप्रसङ्गः । अथ कथञ्चिदनन्यत्वम्, इति ? पूर्वोक्तो दोषः । -: પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે અભિન્નપણું પણ સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, તો પ્રથમક્ષણસ્થિતિ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ થાય અને તે ભાવરૂપ છે અને તેથી તો દ્વિતીયાદિ ક્ષણોમાં પણ સ્થિતિ જ થાય... અથવા તો દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ તુચ્છ હોવાથી અને તે જ પ્રથમક્ષણ-સ્થિતિરૂપ હોવાથી, પ્રથમક્ષણે પણ વસ્તુના અભાવનો પ્રસંગ આવે. હવે કથંચિદ્ અભિન્નપણું કહો, તો પૂર્વોક્ત દોષ આવે. વિવેચન : (૨) જો સ્થિતિ-અસ્થિતિ બંનેનો પરસ્પર અભેદ છે, તો તે અભેદ કેવી રીતે છે ? (ક) સર્વથા, કે (ખ) કથંચિત્ ? * (ક) જો સર્વથા, તો (ક-૧) પ્રથમક્ષણસ્થિતિરૂપ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ થઈ જાય. હવે એ પ્રથમક્ષણ સ્થિતિ તો ભાવરૂપ છે, વસ્તુના અસ્તિત્વરૂપ છે અને તો દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ પણ ભાવરૂપ; વસ્તુના અસ્તિત્વરૂપ સિદ્ધ થાય, અને એટલે તો બીજી વગેરે ક્ષણે પણ વસ્તુની સ્થિતિ જ થવાની એટલે બંનેનો સર્વથા અભેદ તો ન મનાય. અથવા તો (ક-૨) દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિરૂપ જ પ્રથમક્ષણ-સ્થિતિ બની જાય. હવે એ દ્વિતીયાદિક્ષણઅસ્થિતિ તો નિરુપાખ્ય છે. (વસ્તુના અભાવરૂપ તુચ્છ છે.) અને તો પ્રથમક્ષણસ્થિતિ પણ નિરુપાખ્ય (=વસ્તુના અભાવરૂપ) ફલિત થાય અને એટલે તો બીજી વગેરે ક્ષણોની જેમ પ્રથમ ક્ષણે પણ વસ્તુનો અભાવ થાય ! For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः (ખ) હવે જો કથંચિત્ અભેદ કહો, તો એનો મતલબ એ થાય કે, સ્થિતિ-અસ્થિતિ બંને પરસ્પર ભિન્નાભિન્ન છે અને એવું કહેવામાં તો અનેકાંતવાદ જ સિદ્ધ થતાં અમારું ઇષ્ટ જ સિદ્ધ થવાનું. એટલે આમ અભેિિવકલ્પ પણ ઉપાદેય નથી. ७४ < अथ द्वितीयादिक्षणास्थितेरभावरूपत्वान्न प्रथमक्षणस्थित्या अन्यानन्यत्वकल्पना युक्तिमती | स्यादेतत् यदि अभावाभेदाभेदौ विहाय वर्त्तेत । अथ तदुत्तरकालभाविपदार्थान्तरस्थितिरेव विवक्षितस्य द्वितीयादिक्षणास्थितिरिति । हन्त ! तर्हि सुतरामन्यानन्यत्वकल्पनायाः प्रसरः, तथा च सति पूर्वोक्तदोषानतिवृत्तिरेव । મૈં પ્રવેશરશ્મિ ! . ભાવાર્થ : પૂર્વપક્ષ : દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ અભાવરૂપ હોવાથી, તેની સાથે પ્રથમક્ષણસ્થિતિના ભિન્નાભિન્નપણાની કલ્પના યોગ્ય નથી. ઉત્તરપક્ષ : આવું ત્યારે થાય કે અભાવથી ભેદાભેદ છોડીને તે રહે. પૂર્વપક્ષ : ઉત્તરકાળવર્તી બીજા પદાર્થની સ્થિતિ જ વિવક્ષિત પદાર્થની દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ છે. ઉત્તરપક્ષ ઃ અરે ! તો તો સુતરાં ભિન્નાભિન્નપણાની કલ્પનાનો અવકાશ રહે અને તો પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન થાય જ નહીં. . ૐ સ્યાદ્વાદીકૃત વિકલ્પની સમુચિતતા આ વિવેચન : પૂર્વપક્ષ : દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ તો અભાવરૂપ છે, અર્થાત્ તે છે જ નહીં. તો તેની સાથે; ભાવરૂપ પ્રથમક્ષણસ્થિતિના ભેદાભેદની કલ્પના કેવી રીતે યોગ્ય ગણાય ? (શું ખપુષ્પ સાથે ઘટના ભેદાભેદની કલ્પના કરાય છે ?) ઉત્તરપક્ષ : જો અભાવરૂપ દ્વિતીયક્ષણ - અસ્થિતિથી; ભેદાભેદને છોડીને કોઈ બીજા જ પ્રકારે પ્રથમક્ષણસ્થિતિ રહેતી હોત, તો તમારી વાંત યોગ્ય થાત... પણ હવે તમે જ કહો કે, દ્વિતીયાદિ ક્ષણ-અસ્થિતિ કેવાં સ્વરૂપે રહી છે ? પૂર્વપક્ષ : પ્રથમક્ષણની ઉત્તરકાલીન બીજી ક્ષણમાં રહેનાર બીજી વસ્તુની સ્થિતિ; એ જ પ્રથમક્ષણીય વસ્તુની અસ્થિતિ છે. (અર્થાત્ ઉત્તરકાલીન વસ્તુની સ્થિતિ જ પ્રથમક્ષણીય વસ્તુની અસ્થિતિ છે.) ઉત્તરપક્ષ : તો તો એ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ ભાવરૂપ (દ્વિતીયક્ષણગત વસ્તુની સ્થિતિરૂપ) જ ફલિત થઈ અને તો તેની સાથે ભેદાભેદની કલ્પના યોગ્ય જ છે. (આશય : તમે કહ્યું હતું કે, દ્વિતીયાદિક્ષણ - અસ્થિતિ અભાવરૂપ છે, એટલે તેની સાથે પ્રથમક્ષણસ્થિતિના ભેદાભેદની કલ્પના For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः યોગ્ય નથી. પણ હવે તે આશંકા ન રહે, કારણ કે પૂર્વોક્ત કથનથી દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ ભાવરૂપ જ ફલિત થઈ.) - * એટલે તો પૂર્વોક્ત વિકલ્પગત દોષો તદવસ્થ જ રહે ! અર્થાત્ જો સ્થિતિ-*અસ્થિતિ બંનેને પરસ્પર (૧) ભિન્ન કહો, તો ઉત્તરકાલીન વસ્ત્વતરની સ્થિતિક્ષણે પણ પૂર્વકાળભાવી પદાર્થક્ષણની સ્થિતિ માનવી પડે ! (યુક્તિ પૂર્વવત્ સમજવી.) અને જો (૨) અભિન્ન કહો, તો પદાર્થાંતરસ્થિતિરૂપ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ અને પ્રથમક્ષણસ્થિતિ બંને એક થઈ જાય અને તો બેમાંથી કોઈ એક જ રહે. એટલે તો પૂર્વોક્ત દોષ આવવાનો જ. તેથી, દ્વિતીયક્ષણ-અસ્થિતિને; ઉત્તરકાલીન પદાર્થાંતરની સ્થિતિરૂપ તો ન માની શકાય. ७५ अथ द्वितीयादिक्षणास्थितिः परिकल्पितत्वान्न परिकल्पनीया, इति । एवं तर्हि तस्याः परिकल्पितत्वादसत्त्वाद् द्वितीयादिक्षणेष्वपि स्थितिः स्यात् । अथ प्रथमक्षणस्थितिव्यतिरिक्ता द्वितीयादिक्षणास्थितिः परिकल्पिता, इति प्रथमक्षणस्थितिरेव । तर्हि द्वितीयादिक्षणास्थितिरित्यत्र चोक्तो दोषः । • પ્રવેશરશ્મિ : ભાવાર્થ : જો દ્વિતીયક્ષણ - અસ્થિતિ કલ્પિત હોવાથી તેને માનવી નહીં એવું કહો, તો તે કલ્પિત હોઈ અસદ્ જ થઈ અને તો દ્વિતીયાદિ ક્ષણે પણ સ્થિતિ થાય. હવે જો પ્રથમક્ષણસ્થિતિથી જુદી દ્વિતીયક્ષણઅસ્થિતિ કલ્પિત છે એવું કહો, તો દ્વિતીયક્ષણ-અસ્થિતિ વિશે પૂર્વોક્ત દોષ આવવાનો જ. અસ્થિતિની કલ્પિતતાનો નિરાસ વિવેચન : પૂર્વપક્ષ : વસ્તુની બીજી ક્ષણે થનારી અસ્થિતિ તો પરિકલ્પિત છે, એટલે તેની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. ઉત્તરપક્ષ ઃ જો તે કલ્પિત હોય, તો પરમાર્થથી તે અસત્ જ થઈ; અર્થાત્ દ્વિતીયક્ષણ-અસ્થિતિ જેવું કંઈ ન રહ્યું ! અને અસ્થિતિ ન રહેતાં, બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ માનવાનો પ્રસંગ આવે ! પૂર્વપક્ષ : અમે દ્વિતીયક્ષણ-અસ્થિતિને સર્વથા કલ્પિત નથી માનતા, પણ અમારા કહેવાનો ભાવ એ કે, પ્રથમક્ષણસ્થિતિથી ભિન્ન દ્વિતીયક્ષણ-અસ્થિતિ કલ્પિત છે. (અર્થાત્ દ્વિતીયક્ષણઅસ્થિતિ જુદી નથી, પણ પ્રથમક્ષણસ્થિતિરૂપ જ છે.) એટલે તમે કહેલ દોષ ન આવે. (અર્થાત્ અમે એ રૂપે અસ્થિતિનું અસ્તિત્વ માનીએ જ છીએ. એટલે તમે જે કહ્યું હતું કે, અસ્થિતિ ન રહેતાં બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ માનવાનો પ્રસંગ આવે, તે દોષ નહીં આવે.) * અહીં દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિને ઉત્તરકાલીન પદાર્થાંતરની સ્થિતિરૂપ સમજવી અને તેના વિશે વિકલ્પો થઈ રહ્યા છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः ઉત્તરપક્ષઃ તમારી આ વાત પણ ઉચિત નથી, કારણ કે આવું કહેવામાં પણ પૂર્વોક્ત દોષ અકબંધ જ રહે છે. જુઓ; જો પ્રથમક્ષણસ્થિતિરૂપ જ દ્વિતીયક્ષણ-અસ્થિતિ માનવામાં આવે, તો સ્થિતિ-અસ્થિતિ બંને પરસ્પર અભિન્ન થઈ જાય ! અને તો વસ્તુની પ્રથમણે પણ અસ્થિતિ અથવા દ્વિતીયક્ષણે પણ સ્થિતિ... એવી બધી અસમંજસતાઓ પૂર્વવત્ સર્જાય જ. એટલે દ્વિતીયક્ષણ-અસ્થિતિને જુદી અને અકલ્પિત જ માનવી રહી. अथ क्षणस्थितिधर्मकं वस्त्वेव द्वितीयादिक्षणास्थितिः, इति ? न, तस्यैवायोगात्; तथाहि-'क्षणस्थितिधर्मकं क्षणस्थितिस्वभावमुच्यते' इत्यादि तदेवावर्त्तते, इति । – પ્રર્વેશરશ્મિ – ભાવાર્થઃ હવે જો ક્ષણસ્થિતિધર્મક વસ્તુ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિરૂપ કહો, તો તે બરાબર નથી, કારણ કે તે જ ઘટતી નથી. તે આમ- “ક્ષણસ્થિતિધર્મક એટલે ક્ષણસ્થિતિસ્વભાવી વસ્તુ....' ઇત્યાદિ એ બધી જ વાતો ફરી ફરી આવૃત્ત થાય. વિવેચન : હવે બૌદ્ધ, સ્થિતિ-અસ્થિતિના ભેદભેદ વિકલ્પો ન ઘટે, એવું સાબિત કરવા પોતાનો એક તર્ક રજૂ કરે છે. બૌદ્ધ : ક્ષણસ્થિતિધર્મક વસ્તુ જ દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિરૂપ છે. (એટલે ક્ષણિક વસ્તુરૂપ જ અસ્થિતિ છે, તેનાથી કોઈ જુદી નહીં કે જેને લઈને તમે ભેદભેદ વિકલ્પો કરી શકો.) સ્યાદ્વાદીઃ અરે, ભાઈ ! પણ ક્ષણસ્થિતિધર્મક વસ્તુ જ ઘટતી નથી. જુઓ – “ક્ષણસ્થિતિધર્મક એટલે એકક્ષણસ્થિતિસ્વભાવી વસ્તુ... હવે અહીં અર્થતઃ જણાય કે, એ ક્ષણસ્થિતિક વસ્તુની દ્વિતીય ક્ષણે અસ્થિતિ જ હોવાની. તો હવે એ સ્થિતિ-અસ્થિતિ બંને પરસ્પર ભિન્ન છે કે અભિન?” - એ બધી પૂર્વોક્ત વાતો જ કરી આવૃત્ત થશે. (એટલે ક્ષણસ્થિતિક વસ્તુનું અસ્તિત્વ જ ઘટતું નથી કે જેને તમે અસ્થિતિરૂપ કહી શકો.) હવે, બૌદ્ધ, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે – – अथोच्येत-द्वितीयादिक्षणास्थितौ सत्यां प्रथमक्षणस्थितेरभावाद्, भावे वा तदनुपपत्तेः, प्रतियोग्यभावादन्यानन्यत्वकल्पनाऽसम्भवतस्तदुत्थदोषाभावः; तथाहि-द्वितीयादिक्षणे तदेव ન ભવતિ | – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બૌદ્ધ : દ્વિતીયાદિષણ-અસ્થિતિ વખતે પ્રથમક્ષણસ્થિતિ નથી હોતી, જો હોય, તો તે અસ્થિતિની ઉપપત્તિ ન થાય. આમ પ્રતિયોગી ન હોવાથી ભિન્નભિન્નપણાની કલ્પના ન થઈ શકે અને તો તેનાથી થયેલ દોષ ન રહે. તે આમ - બીજી ક્ષણે તે જ વસ્તુ નથી થતી. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः બૌદ્ધકૃત ક્ષણિકતાની સંગતિ “ વિવેચન : બૌદ્ધ : પૂર્વોક્ત ભેદાભેદ વિકલ્પો ત્યારે જ ઘટે કે જ્યારે (૧) પ્રથમક્ષણસ્થિતિ, અને (૨) દ્વિતીયક્ષણ-અસ્થિતિ રૂપ બંને પ્રતિયોગી વિદ્યમાન હોય. પણ તે બંને પ્રતિયોગી એક સાથે વિદ્યમાન હોતા જ નથી. તે આ પ્રમાણે - (૧) જ્યારે દ્વિતીયાદિક્ષણ - અસ્થિતિ હોય છે, ત્યારે પ્રથમક્ષણસ્થિતિ હોતી નથી, જો હોય, તો વસ્તુની સ્થિતિ જ થાય અને તો વસ્તુની દ્વિતીયક્ષણ - અસ્થિતિ ઉપપન્ન થાય નહીં. (એટલે અસ્થિતિ વખતે સ્થિતિનું અસ્તિત્વ નથી હોતું.) અને (૨) જ્યારે પ્રથમક્ષણસ્થિતિ છે, ત્યારે દ્વિતીયાદિક્ષણ-અસ્થિતિ નથી, કારણ કે જેની સ્થિતિ છે, તેની જ અસ્થિતિ ન હોય. ७७ આ પ્રમાણે બંને રીતે, સ્થિતિ-અસ્થિતિ રૂપ *પ્રતિયોગીનું યુગપદ્ અસ્તિત્વ ન હોવાથી, તે બેને લઈને ભેદાભેદવિકલ્પો સંગત થાય નહીં. પ્રશ્ન ઃ તો શું ક્ષણસ્થિતિકતાની સિદ્ધિ નિબંધ થઈ જાય છે ? ઉત્તર : હા, જુઓ - જે વસ્તુ પ્રથમક્ષણે હતી, તે જ વસ્તુ બીજી ક્ષણે નથી હોતી - આમ વસ્તુ માત્ર એકક્ષણસ્થિતિક હોવાથી ક્ષણિકતાની સિદ્ધિ થાય જ. એટલે અમારો ક્ષણિકવાદ નિર્બાધ જણાઈ આવે છે. * હવે ગ્રંથકારશ્રી આનું નિરાકરણ કરવા કહે છે - - X नन्वेवमपि तस्यैवास्थितत्वात् स्थितिवत् तदनवस्थितेस्तद्धर्मत्वप्रसङ्गः, अतद्धर्मत्वे च तदा स्थित्यापत्तिः; तथाहि - द्वितीयक्षणे तस्यैव स्थितिरिति, ततश्च 'स्वहेतुभ्य एव स्थित्यनवस्थितिधर्मकं समुत्पद्यते' इति प्रतिपत्तव्यम् । न चाक्रमवतः कारणात् क्रमवद्धर्माध्यासितकार्योत्पत्तिर्युज्यते इति । अतो यदैव स्थितिस्तदेवास्थितिः स्यात्, कुतः क्षणस्थितिधर्मकत्वम् इति । सत्यां वा स्थितौ, क्षणस्थायित्वे तया स्थित्याऽविरोधात् प्रथमक्षणवत् सदा स्थितिप्रसङ्गः । - પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : સ્યાદ્વાદી : આવું કહો તો પણ તે વસ્તુ જ અસ્થિત હોવાથી, સ્થિતિની જેમ અસ્થિતિને પણ તેનો ધર્મ માનવો પડે. જો અસ્થિતિને ધર્મ ન માનો, તો ત્યારે સ્થિતિ થવાનો પ્રસંગ આવે. જુઓ - બીજી * પૂર્વોક્ત ભેદાભેદ વિકલ્પો, સ્થિતિ-અસ્થિતિરૂપ ઉભયસંબંધી=ઉભયપ્રતિયોગિક છે. એટલે જ સ્થિતિઅસ્થિતિને વિકલ્પના પ્રતિયોગી તરીકે કહ્યા. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૮ अनेकान्तवादप्रवेशः ક્ષણે તે વસ્તુની જ સ્થિતિ થાય. એટલે પોતાના હેતુથી જ સ્થિતિ-અસ્થિતિ ધર્મવાળી વસ્તુ ઉત્પન્ન થાય છે, એવું માનવું જોઈએ અને વળી અક્રમવાળા કારણથી ક્રમવાળા ધર્મથી અધ્યાસિત કાર્યની ઉત્પત્તિ થવી યોગ્ય નથી. એટલે જ્યારે સ્થિતિ, ત્યારે જ અસ્થિતિ થાય, તો તેનું ક્ષણસ્થિતિધર્મપણું કેવી રીતે? સ્થિતિ થાય તો પણ ક્ષણસ્થિતિ હોવાથી પ્રથમક્ષણસ્થિતિ સાથે વિરોધ ન હોવાથી પ્રથમણની જેમ સદા સ્થિતિનો પ્રસંગ આવે ! છે બૌદ્ધ-પ્રલાપનું નિરસન છે વિવેચનઃ સ્યાદ્વાદીઃ આવું કહો, તો પણ ક્ષણિકતાની સિદ્ધિ ન થઈ શકે, કારણ કે તે સ્થિત વસ્તુ જ બીજી ક્ષણે અસ્થિત થાય છે, તો જેમ તે વસ્તુમાં ‘સ્થિતિ નામનો ધર્મ છે, તેમ “અસ્થિતિ નામનો ધર્મ પણ માનવો પડે. જો અસ્થિતિ નામનો ધર્મ ન માનો, તો બીજી ક્ષણે વસ્તુની અસ્થિતિ ન* રહે અને તો ત્યારે પણ વસ્તુની સ્થિતિ માનવાનો પ્રસંગ આવે ! તે આ પ્રમાણે – (અસ્થિતિ વસ્તુનો ધર્મ ન હોવાથી) પ્રથમક્ષણીય વસ્તુની જ બીજી ક્ષણે સ્થિતિ થાય છે. એટલે માનવું જ રહ્યું કે, ઘટ વગેરે પદાર્થો, પોતાના હેતુથી જ સ્થિતિ-અસ્થિતિ ઉભયધર્મવાળા ઉત્પન્ન થાય છે. (એટલે જ તેઓની પ્રથમક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ થાય છે.) અને હવે મોટી સમસ્યા એ સર્જાય છે કે, બૌદ્ધમતે તો નિરંશ-એકસ્વભાવી કારણ મનાય છે, તો આવા અક્રમિક કારણથી, ક્રમિક ધર્મવાળા કાર્યની ઉત્પત્તિ શી રીતે થાય? (આશય એ કે, સ્થિતિઅસ્થિતિ પ્રથમ-દ્વિતીયક્ષણે ક્રમિક થાય છે, એટલે સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મો ક્રમિક કહેવાય, આવા ધર્મોવાળી ઘટાદિ વસ્તુઓ છે. પણ પ્રશ્ન એ કે, અક્રમ-નિરંશ કારણથી ક્રમિક ધર્મવાળી વસ્તુ શી રીતે ઉત્પન્ન થાય ?) એટલે માનવું જ રહ્યું કે, અક્રમ-નિરંશ કારણથી અક્રમિક ધર્મવાળી (સ્થિતિ - અસ્થિતિરૂપ ધર્મ જેમાં ક્રમિક નથી, પણ યુગપત્ છે, તેવા સ્વરૂપવાળી) વસ્તુ જ ઉત્પન્ન થાય છે અને તો ઘટની એક જ સમયમાં સ્થિતિ-અસ્થિતિ માનવી પડે ! એટલે તો ઘટની જયારે (પ્રથમણે) સ્થિતિ હોય, ત્યારે જ અસ્થિતિ માનવી પડે અને તો તેનું એકક્ષણસ્થિતિધર્મકપણું (=એક ક્ષણ રહેવાપણું) પણ ક્યાં રહ્યું ? (અર્થાત્ સ્થિતિ વખતે જ અસ્થિતિ થતાં, તેની ક્ષણસ્થિતિકતા પણ ન રહી.) અથવા, જો તેની સ્થિતિ માનો, તો તે ક્ષણસ્થાયી થાય, અર્થાતુ એક ક્ષણ રહેનાર બને. તો હવે જેમ તે વસ્તુનો પ્રથમક્ષણસ્થિતિ સાથે વિરોધ નથી, તેમ દ્વિતીયાદિ ક્ષણસ્થિતિ સાથે પણ વિરોધ નહીં રહે ! અને એટલે તો પ્રથમ ક્ષણની જેમ બીજી વગેરે સર્વ ક્ષણોમાં વસ્તુની સ્થિતિ થવાનો * જેમ સ્થિતિ નામનો ધર્મ હોય તો જ વસ્તુની સ્થિતિ રહે, તેમ અસ્થિતિ નામનો ધર્મ હોય તો જ વસ્તુની અસ્થિતિ રહે, અન્યથા નહીં. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः પ્રસંગ આવે. આ રીતે પણ વસ્તુની ક્ષણિકતા સિદ્ધ ન થાય. न च 'निरंशतत्स्वभावेभ्यो हेतुभ्यस्तत्स्वभावमेवोत्पद्यते', इत्युच्यमानं विद्वज्जनसमवाये राजते, युक्तिवैकल्यात्, उभयत्र कारणे कार्ये च स्वभावान्तरकल्पनाया अपि शक्यत्वात् । - પ્રવેશરશ્મિ – - ભાવાર્થ : વળી ‘નિરંશ એવા તાદેશ સ્વભાવી હેતુથી તેવા સ્વભાવવાળું જ કાર્ય ઉત્પન્ન થાય એવું વિદ્વાન લોકોના સમુદાયમાં કહેવું શોભતું નથી, કારણ કે તેમાં યુક્તિવિકલતા છે અને કાર્ય-કારણ બને ઠેકાણે બીજા સ્વભાવની કલ્પના પણ શક્ય જ છે. & યુક્તિવિકલ સ્વભાવશરણનો નિરાસ . વિવેચનઃ બૌદ્ધઃ નિરંશ અને તાદશ-કાર્યજનનસ્વભાવી કારણથી, “પ્રથમક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ એવા સ્વભાવવાળું જ કાર્ય ઉત્પન્ન થાય છે. (એટલે વસ્તુની ક્ષણસ્થિતિધર્મકતા સંગત જ છે.) સ્યાદ્વાદી: પણ આવું વિદ્વાન જનોના સમુદાયમાં કહેવું શોભે નહીં, કેમ કે “કારણનો તેવો જ સ્વભાવ અને તેનાથી કાર્ય તેવા જ સ્વભાવે ઉત્પન્ન થાય' એ વાતને સિદ્ધ કરવા તમારી પાસે કોઈ યુક્તિ નથી. અને યુક્તિ વિના પણ જો કાર્ય-કારણનો તેવો સ્વભાવ કલ્પી શકાતો હોય, તો તેની જેમ બીજા સ્વભાવો કલ્પવામાં પણ કોઈ વિરોધ નહીં રહે ! (અર્થાત્, યુક્તિવિકલ કલ્પના તો આવી પણ થઈ શકે છે, કારણ નિત્યસ્વભાવી છે અને તેનાથી અનેકક્ષણ સ્થિતિસ્વભાવી વસ્તુ જ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ...) स्यादेतत्, अशक्या स्वभावान्तरकल्पना, अर्थक्रियाऽभावप्रसङ्गात्, इति। एतदप्यभद्रकम्, क्षणस्थितिधर्मक एव वस्तुतस्तदभावप्रसङ्गात्; तथाहि-यथोक्तस्वभावं वस्त्वेवार्थक्रिया, यथोक्तम्-'भूतिर्येषां क्रिया सैव' इत्यादि-तच्च न घटामटति, इति निदर्शितमेतत्, अलं विस्तरेणेति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો એવું કહો કે - “બીજા સ્વભાવની કલ્પના શક્ય નથી, કારણ કે તેમાં અર્થક્રિયાનો અભાવ છે' - તો એ પણ અભદ્રક છે; કેમ કે પરમાર્થથી ક્ષણસ્થિતિધર્મક વસ્તુમાં જ અર્થક્રિયાનો અભાવ થાય છે. તે આમ - યથોક્ત સ્વભાવી વસ્તુ જ અર્થક્રિયા છે, કહ્યું છે કે, જેઓની ઉત્પત્તિ તે જ અર્થક્રિયા છે' ઇત્યાદિ. પણ તે વસ્તુ જ ઘટતી નથી. એ બધું અમે બતાવી દીધું. એટલે હવે વિસ્તારથી સર્યું. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -> વિવેચન : બૌદ્ધ : ‘કારણનો તાદશ સ્વભાવ (નિત્યસ્વભાવ) અને કાર્યનો અનેકક્ષણ સ્થિતિસ્વભાવ’ એવું કલ્પવું શક્ય નથી, કારણ કે જો કાર્યમાં અનેકક્ષણ સ્થિતિસ્વભાવ માનો, તો તેના દ્વારા કોઈ અર્થક્રિયા નહીં થઈ શકે ! (અર્થક્રિયા ક્ષણસ્થિતિક વસ્તુથી જ થાય, એવું અમે અમારા ગ્રંથોમાં તર્કોથી સાબિત કર્યું છે. નિત્ય વસ્તુ, અપ્રચ્યુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી હોવાથી ક્રમથી કે યુગપત્ની અર્થક્રિયા કરવા સમર્થ નથી.) ८० સ્યાદ્વાદી : તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે પરમાર્થથી તો ક્ષણસ્થિતિક વસ્તુમાં જ અર્થક્રિયાનો અભાવ થાય છે. જુઓ – તમારા મતે એકક્ષણ રહેવાના સ્વભાવવાળી વસ્તુ જ અર્થક્રિયા તરીકે મનાય છે. કહ્યું છે કે“ક્ષણિક મૃત્રપિંડ આદિથી, ક્ષણિક એવા ઘટ આદિની સત્તા; તે જ અર્થક્રિયા છે’” – આમ ક્ષણસ્થિતિક વસ્તુ જ અર્થક્રિયા છે. - પણ ઉપર કહેલા સચોટ તર્કોથી, એ ક્ષણસ્થિતિક વસ્તુનું અસ્તિત્વ જ ઘટતું નથી, તો તરૂપ અર્થક્રિયા શી રીતે ઘટે ? એટલે હકીકતમાં તો ક્ષણિકમતે જ અર્થક્રિયાના અભાવનો પ્રસંગ આવે છે. તેથી વસ્તુની ક્ષણસ્થિતિકતા બિલકુલ યોગ્ય નથી, એવું નિર્બાધ જણાઈ આવે છે. * ગ્ધિ-ત્રાપિ ‘ધર્મમિળોર્નાનાત્વમ્ ? ઊનાનાત્વ = ?' કૃતિ વામ્। યદ્યનાનાત્વમ્, किं सर्वथा ? उत कथंचिद् ? यदि सर्वथा, ततः स्थित्यस्थित्योरेकत्वम्, एकस्माद् धर्मिणोऽनानात्वात्, तत्स्वरूपवत् । एवं च स्थितिप्रसङ्गोऽस्थितिप्रसङ्गो वा; धर्मिणो वा भेदः, स्थित्यस्थित्योरनानात्वात्, तत्स्वात्मवदेव, तथा च- अन्यदेव स्थितिमद्, अन्यच्च तच्छून्यम्, इति कुतः क्षणस्थितिधर्मकत्वम् ? । अथ कथंचित्, अभ्युपगमविरोधः । अथ નાનાત્વમ્, તવૃત્તિ સર્વથા ? ઋષિઠ્ઠા ? રૂતિ; રવિ સર્વથા, દત્ત ! તદ્દેિ સ્થિસ્થિતિस्वभावशून्यत्वान्निःस्वभावत्वात् कुतोऽभीष्टवस्तुस्थिति: ? । अथ कथंचित्, अत्रोक्तो મેષઃ ।। • પ્રવેશરશ્મિ : ભાવાર્થ : વળી અહીં પણ ધર્મ-ધર્મીનું (૧) ભિન્નપણું, કે (૨) અભિન્નપણું ? એ કહો. (૨) જો અભિન્નપણું; તો તે સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, તો સ્થિતિ-અસ્થિતિનું એકપણું થાય; કેમ કે એકધર્મીથી અભિન્ન હોઈ ધર્મીસ્વરૂપની જેમ એક જ થાય અને એ પ્રમાણે તો સ્થિતિ કે અસ્થિતિનો પ્રસંગ આવે, અથવા તો, સ્થિતિ-અસ્થિતિથી અભિન્ન હોવાથી તે બેના સ્વરૂપની જેમ ધર્મીનો પણ ભેદ થાય અને તેથી તો સ્થિતિવાળો જુદો અને સ્થિતિશૂન્ય પણ જુદો જ ફલિત થાય, તો વસ્તુનું ક્ષણસ્થિતિધર્મકપણું કેવી રીતે ? જો કથંચિત્ કહો તો અલ્યુપગમવિરોધ થાય. (૧) જો ભિન્નપણું હોય, તો તે સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः – તો વસ્તુ સ્થિતિ-અસ્થિતિસ્વભાવ શૂન્ય હોવાથી તેનો કોઈ સ્વભાવ ન રહે અને તો તે અભીષ્ટ વસ્તુનું અસ્તિત્વ કેવી રીતે ? જો કથંચિત્, તો પૂર્વોક્ત દોષ આવે. * ક્ષણસ્થિતિધર્મકતાનો વિકલ્પશઃ નિરાસ વિવેચન : વસ્તુને ક્ષણસ્થિતિધર્મક માનો, તો વસ્તુ ધર્મી બને અને સ્થિતિ-અસ્થિતિ તેના ધર્મ બને. હવે અહીં પણ વિકલ્પ એ કે, સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મ અને ધર્મો વચ્ચે શું છે ? (૧) ભેદ, કે (૨) અભેદ ? ८१ (૨) જો અભેદ, તો તે અભેદ પણ કેવો ? (ક) સર્વથા, કે (ખ) કથંચિત્ ? (ક) જો સર્વથા અભેદ કહો, તો (ક-૧) સ્થિતિ-અસ્થિતિ બંને ધર્મો પરસ્પર એક થઈ જાય, કારણ કે જેમ એક ધર્મોથી અભિન્ન હોવાથી ધર્મીનું સ્વરૂપ જુદું જુદું નથી, તેમ (એક ધર્મીથી અભિન્ન હોવાથી) ધર્મોનું સ્વરૂપ પણ જુદું જુદું ન રહે ! અને તો બંને એકબીજારૂપ બની જાય. એટલે તો અસ્થિતિ પણ સ્થિતિરૂપ બનવાથી, વસ્તુની સર્વદા સ્થિતિ જ થશે, કદી અસ્થિતિ નહીં રહે ! અથવા તો સ્થિતિ પણ અસ્થિતિરૂપ બનવાથી, વસ્તુની સર્વદા અસ્થિતિ જ રહે, કદી સ્થિતિ ન થાય ! અથવા તો સર્વથા અભેદ માનવામાં (ક-૨) એક જ ધર્મીના જુદા જુદા ટુકડા થઈ જાય, કારણ કે જેમ સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મથી અભિન્ન હોવાથી તે ધર્મોનું સ્વરૂપ જુદું જુદું છે, તેમ જુદા જુદા ધર્મોથી અભિન્ન હોઈ તે ધર્મીનું સ્વરૂપ પણ જુદું જુદું થાય ! એટલે તો સ્થિતિધર્મવાળો ધર્મી જુદો અને અસ્થિતિધર્મવાળો ધર્મી જુદો - એમ જુદા જુદા બે ધર્મી થાય ! અને તો એક જ ધર્મીની પ્રથમ ક્ષણે સ્થિતિ અને બીજી ક્ષણે અસ્થિતિ ન રહે, તો તે ધર્મી એકક્ષણસ્થિતિક જ છે એવું શી રીતે કહેવાય ? (ખ) જો ધર્મ-ધર્મીનો કથંચિદ્ અભેદ કહો, તો તો અનેકાંતવાદ જ સ્વીકૃત થાય અને તો તમારા અભ્યુપગમનો (=એકાંતવાદનો) વિરોધ થવાનો જ. એટલે અભેદવિકલ્પ તો સંગત નથી. (૧) હવે જો ભેદ કહો, તો તે ભેદ પણ કેવો ? (ક) સર્વથા, કે (ખ) કથંચિત્ ? (ક) સર્વથા ભેદ કહો, તો તો ઘટાદિ ધર્મી સ્થિતિ-અસ્થિતિસ્વભાવથી શૂન્ય બની જાય, અર્થાત્ તેનો સ્થિતિ-અસ્થિતિરૂપ સ્વભાવ ન રહે અને તેથી તો તે નિઃસ્વભાવ બની જતાં ખપુષ્પની જેમ તેનું અસ્તિત્વ જ ન રહે ! તો પછી તમે અભિપ્રેત વસ્તુની સ્થિતિ શી રીતે સંગત કરશો ? (ખ) જો કથંચિત્ ભેદ કહો, તો તો અનેકાંતવાદ જ સ્વીકૃત થાય અને તો તમારા અભ્યુપગમનો વિરોધ થવાનો જ. નિષ્કર્ષ : આમ ધર્મ-ધર્મીનું અસ્તિત્વ એકે વિકલ્પો પ્રમાણે સંગત થતું નથી. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः स्यादेतत्, परिकल्पितो धर्मधर्मिभावः, न पुनर्वास्तवः, इति; एवमपि धर्मधर्मिणोः परिकल्पितत्वाच्छून्यताप्रसङ्गः, तदेवमपि कुतः क्षणस्थितिधर्मकत्वम् ? इति । तदितरव्यावृत्तिद्वारायाता धर्मा एव परिकल्पिताः, न धर्मी, इति चेत् ? एवमपि स्थित्यस्थित्यादिलक्षणपरिकल्पितधर्मव्यतिरिक्तस्य धर्मिणः किं स्वरूपम् ? इति वाच्यम् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ પૂર્વપક્ષ ધર્મ-ધર્મભાવ પરિકલ્પિત છે, વાસ્તવિક નહીં. ઉત્તરપક્ષ એ પ્રમાણે તો ધર્મધર્મી પરિકલ્પિત હોઈ તેમની શૂન્યતાનો પ્રસંગ આવે! તો પછી તો ક્ષણસ્થિતિધર્મકપણું કેવી રીતે? પૂર્વપક્ષઃ તેનાથી જુદી વસ્તુની વ્યાવૃત્તિ દ્વારા આવેલા ધર્મો જ પરિકલ્પિત છે, ધર્મી નહીં. ઉત્તરપક્ષ ઃ તો એ પ્રમાણે પણ સ્થિતિ-અસ્થિતિરૂપ કલ્પિત ધર્મોથી જુદા એવા ધર્મનું સ્વરૂપ શું? એ કહેવું. છે ધર્મ-ધર્મભાવની કલ્પિતતામાં દોષપરંપરા છે વિવેચનઃ બૌદ્ધ ધર્મ-ધર્માભાવ તો કલ્પિત છે, વાસ્તવિક નહીં (એટલે તેને લઈને ભેદભેદના વિકલ્પનો પરિશ્રમ નિરર્થક છે.) સ્યાદાદીઃ આવું ન કહો, જો ધર્મ ધર્મભાવ કલ્પિત મનાય, તો હકીકતમાં તેઓનું અસ્તિત્વ જ ન રહે અને તો સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મો અને ઘટાદિ ધર્મી જેવું કંઈ જ ન રહે ! તો પછી ક્ષણસ્થિતિધર્મકપણું કેવી રીતે? (આશય એ કે, કોઈ ધર્મી હોય અને સ્થિતિ-અસ્થિતિ જેવા ધર્મો હોય, તો જ વસ્તુનું ક્ષણસ્થિતિધર્મકપણું સંગત થાય, અન્યથા નહીં.) બૌદ્ધઃ વસ્તુમાં રહેલા ધર્મો; જેઓ બીજી વસ્તુની વ્યાવૃત્તિરૂપ છે, તે ધર્મો જ અપારમાર્થિક છે, બાકી એકસ્વરૂપી વસ્તુ તો પારમાર્થિક જ છે. (તાત્પર્ય એ કે, ઘટમાં નશ્વરસ્વભાવ, મૃતસ્વભાવ, પાર્થિવસ્વભાવ, દ્રવ્યસ્વભાવ આ બધા સ્વભાવરૂપ ધર્મો છે. હવે આ ધર્મો, ઇતર પદાર્થની વ્યાવૃત્તિરૂપ છે. જેમ કે મૃસ્વભાવરૂપ ધર્મ, અમૃસ્વભાવી એવા પટાદિની વ્યાવૃત્તિરૂપ છે. એટલે તેઓ વાસ્તવિક નથી, પણ પરિકલ્પિત છે અને એટલે માત્ર એકસ્વભાવ ધર્મો જ પારમાર્થિક ફલિત થાય.*) સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે સ્થિતિ-અસ્થિતિ આદિ કલ્પિત ધર્મોથી જુદી એવી તે વસ્તુનું સ્વરૂપ શું? (અર્થાત્ ધર્મવિહોણી વસ્તુ કેવી હોય ?) એ તમારે કહેવું જોઈએ. क्षणस्थितिधर्मकत्वम् इति चेत्, न, तस्यैवायोगाद्, इत्यादि तदेवावर्त्तते; इत्यलं प्रसङ्गेन ।। तदेवमिहापि विज्ञानादिकार्यायोगः, इति स्थितम् । * બૌદ્ધમતે, વસ્તુ નિરંશ-એકસ્વભાવી મનાય છે. એટલે તેઓનું કહેવું છે કે, વસ્તુમાં જુદા જુદા અનેક ધર્મો ન હોઈ શકે. હવે જે ઘટત્વ આદિ ધર્મો છે, તે તો પટાપોહ આદિરૂપ હોઈ કલ્પિત છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ८३ - પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : તેનું સ્વરૂપ; ક્ષણસ્થિતિધર્મકપણું એવું કહો, તો તે બરાબર નથી, કારણ કે તે જ ઘટતું નથી. ઇત્યાદિ તે જ વાતો આવૃત્ત થશે. એટલે હવે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે એકાંત અનિત્યમતે પણ વિજ્ઞાનાદિ કાર્યો ઘટતાં નથી. એમ સ્થિત થયું. વિવેચન : બૌદ્ધ : (તમે ઘટાદિ ધર્મીનું સ્વરૂપ પૂછો છો, તો સાંભળો-) ક્ષણસ્થિતિધર્મકપણું; એક ક્ષણ રહેવાપણું એ જ ઘટાદિ ધર્મીનું સ્વરૂપ છે. સ્યાદ્વાદી : આવું કહેવું પણ બરાબર નથી, કારણ કે હજી ક્ષણસ્થિતિધર્મકપણું જ સંગત થતું નથી. જુઓ – “ક્ષણસ્થિતિધર્મક એટલે એક ક્ષણ સ્થિતિસ્વભાવી વસ્તુ... હવે અહીં અર્થતઃ જણાય કે, એક ક્ષણસ્થિતિક વસ્તુની દ્વિતીયક્ષણે અસ્થિતિ જ હોવાની. તો હવે એ સ્થિતિ - અસ્થિતિ બંને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ?” - એ બધી પૂર્વોક્ત વાતો જ ફરી - ફરી આવૃત્ત થાય. – - એટલે હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ : આ પ્રમાણે ઘટાદિ વસ્તુઓને એકાંતે અનિત્ય મનાય, તો પણ વિજ્ઞાનાદિ કાર્યો સંગત થાય નહીં. એટલે વસ્તુને એકાંત નિત્ય કે અનિત્યરૂપ નહીં, પણ નિત્યાનિત્યરૂપ જ માનવી જોઈએ, એવું ફલિત થયું. હવે ગ્રંથકારશ્રી, નિત્યાનિત્યનું સ્વરૂપ, તેની સચોટ તર્કોથી સિદ્ધિ અને તેમાં સર્વસમંજસતાઓ બતાવવા, પોતાનું યુક્તિગર્ભિત મંતવ્ય રજૂ કરે છે. * नित्यानित्यं पुनः कथञ्चिदवस्थितत्वादनेकस्वभावत्वाज्जनयतीति विज्ञानादिकमिચતોડવામ્યને, કૃતિ । • પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : વળી નિત્યાનિત્ય વસ્તુ તો કથંચિદ્ અવસ્થિત હોવાથી અને અનેકસ્વભાવી હોવાથી વિજ્ઞાનાદિને ઉત્પન્ન કરે છે. એટલે તે જણાય છે. * નિત્યાનિત્યમતે વિજ્ઞાનની સંગતિ વિવેચન : નિત્ય વસ્તુ; જ્ઞેયસ્વભાવી હોય તો સદા જ્ઞાન થાય અને ન હોય તો ક્યારેય જ્ઞાન ન થાય... અનિત્ય વસ્તુ; બીજી ક્ષણે ન હોવાથી જ તેનું પ્રત્યક્ષ ન થાય... આ બધા કારણોસર એકાંત નિત્ય/અનિત્યના જ્ઞાનનો નિષેધ કર્યો. તો નિત્યાનિત્યનું જ્ઞાન કેમ થાય ? તેના જવાબમાં ગ્રંથકારશ્રી કહે છે કે, નિત્યાનિત્યરૂપ વસ્તુ તો (૧) કચિત્ (માટી આદિ દ્રવ્યરૂપે) અવસ્થિત હોય છે. તેથી અનિત્યની જેમ - બીજી ક્ષણે નથી તેવું નથી. એટલે જ્ઞાન થઈ શકે. અને પાછી તે વસ્તુ (૨) For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ८४ अनेकान्तवादप्रवेशः અનેકસ્વભાવી છે, જ્યારે જ્ઞાન થાય ત્યારે શેયસ્વભાવી અને જ્યારે જ્ઞાન ન થાય ત્યારે અજ્ઞેય સ્વભાવી... એટલે સદા જ્ઞાન આદિરૂપ આપત્તિ ન આવે. આવું હોવાથી નિત્યાનિત્યરૂપ વસ્તુનું જ્ઞાન નિબંધ થઈ શકે, કારણ કે જ્ઞાનના કારણ (૧) વસ્તુ હોવી, અને (૨) વસ્તુનો શેય સ્વભાવ હોવો - તે બંને હાજર છે. એટલે વિજ્ઞાનાદિ કાર્યોની અસંગતિ એકાંતમતે જ છે, અનેકાંતમતે નહીં. હવે ગ્રંથકારશ્રી, નિત્યાનિત્યનું સ્વરૂપ બતાવે છે – नित्यानित्यत्वं च वस्तुनो द्रव्यपर्यायोभयरूपत्वादनुवृत्तव्यावृत्ताकारसंवेदनग्राह्यत्वात् प्रत्यक्षसिद्धमेव, तथाहि-मृत्पिण्डशिवकस्थासकघटकपालादिष्वविशेषेण सर्वत्रानुवृत्तो मृदन्वयः संवेद्यते, प्रतिभेदं च पर्यायव्यावृत्तिः; तथा च न यथाप्रतिभासं मृत्पिण्डे संवेदनं तथाप्रतिभासमेव शिवकादिषु, आकारभेदानुभवात् । न च यथाप्रतिभासभेदं तद्विजातीयेषूदकदहनपवनादिषु तथाप्रतिभासभेदमेव शिवकादिषु, मृदन्वयानुभवात् । न चास्य स्वसंवेद्यस्यापि संवेदनस्यापह्नवः कर्तुं युज्यते, प्रतीतिविरोधात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ નિત્યાનિત્યપણું તો, વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ હોવાથી અનુવૃત્ત-વ્યાવૃત્ત આકારવાળા સંવેદનથી ગ્રાહ્ય છે અને તેથી પ્રત્યક્ષસિદ્ધ જ છે. તે આ પ્રમાણે - મૃદુપિંડ, શિવક, સ્થાસક, ઘટ, કપાલાદિમાં સમાનપણે સર્વત્ર અનુવૃત્ત માટીનો અન્વય અનુભવાય છે અને દરેક ભેદે પર્યાયની વ્યાવૃત્તિ છે. અને તથા, જેવા પ્રતિભાસવાળું સંવેદન મૃપિંડ વિશે થાય છે, તેવા પ્રતિભાસવાળું સંવેદન જ શિવકાદિમાં નથી થતું; કેમ કે આકારભેદ અનુભવાય છે અને જે પ્રમાણે તેનાથી વિજાતીય ઉદક, અગ્નિ, પવન વગેરેમાં જુદું સંવેદન થાય છે, તે પ્રમાણે શિવકાદિમાં જુદા જ પ્રતિભાસવાળું સંવેદન થાય છે એવું પણ નથી; કેમ કે માટીનો અન્વય અનુભવાય છે. હવે આ સ્વસંવેદ્ય પણ સંવેદનનો અપલાપ કરવો યોગ્ય નથી, કેમ કે તેમાં પ્રતીતિવિરોધ છે. # નિત્યાનિત્યનું સ્વરૂપ અને સિદ્ધિ છે વિવેચનઃ ઘટ – સુવર્ણાદિ દરેક વસ્તુઓ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. એટલે તેઓ માટી-સુવર્ણ આદિ દ્રવ્યરૂપે “નિત્ય છે અને ઘટ-કપાલાદિ, કટક-કુંડલાદિ પર્યાયરૂપે “અનિત્ય છે. આમ વસ્તુઓ નિત્યાનિત્યરૂપ છે. પ્રશ્ન : પણ વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે તેવું શી રીતે જણાય? ઉત્તર : પ્રત્યક્ષથી જણાય, કારણ કે વસ્તુ અનુવૃત્ત આકારના સંવેદનથી દ્રવ્યરૂપ જણાય છે અને વ્યાવૃત્ત આકારના સંવેદનથી પર્યાયરૂપ જણાય છે. તે આ પ્રમાણે (૧) મૃપિંડ, શિવક, સ્થાસક, ઘટ, કપાલ વગેરે બધા ભેદોમાં સમાનપણે માટીની અનુગતરૂપતા અનુભવાય છે. આમ સર્વત્ર અનુગતરૂપે સંવેદિત મૃદંશ જ દ્રવ્ય છે, અને (૨) For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः મૃપિંડ, શિવક વગેરે બધા ભેદોમાં જુદા જુદા આકારાદિરૂપે પર્યાયનું સંવેદન થાય છે, તો અહીં સર્વત્ર વ્યાવૃત્તિરૂપે સંવેદિત ભેદાંશ જ પર્યાય છે. પ્રશ્નઃ આપણને અનુવૃત્તિ-વ્યાવૃત્તિ શી રીતે અનુભવાય છે? ઉત્તરઃ જુઓ; (૨) જેવા પ્રતિભાસવાળું સંવેદન મૃતપિંડ વિશે થાય છે, તેવા પ્રતિભાસવાળું સંવેદન જ શિવકાદિમાં નથી થતું, કેમ કે બંનેમાં જુદા જુદા આકારો અનુભવાય છે. આમ દરેક ભેદોની વ્યાવૃત્તિ અનુભવાય છે. અને (૧) જેવા પ્રતિભાસવાળું સંવેદન માટીથી વિજાતીય એવા ઉદક, અગ્નિ, પવન વગેરેમાં થાય છે, તેવા પ્રતિભાસવાળું જુદું જુદું સંવેદન જ શિવકાદિમાં નથી થતું (અર્થાત્ જળ-અગ્નિની જેમ સર્વથા ભિન્ન પ્રતિભાસવાળું સંવેદન નથી થતું.) કેમ કે શિવક, સ્થાસક વગેરેમાં તો માટીરૂપે એક સરખું જ સંવેદન થાય છે. આમ દરેક ભેદોની અનુવૃત્તિ અનુભવાય છે. આ પ્રમાણે સંવેદન દ્વારા અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપે દ્રવ્ય-પર્યાયની સિદ્ધિ થાય છે અને તો વસ્તુ દ્રવ્યાંશને લઈને નિત્યરૂપ અને પર્યાયાંશને લઈને અનિત્યરૂપ - એમ નિત્યાનિત્યરૂપ પણ સિદ્ધ થાય જ, તેમાં કોઈ વિરોધ નથી. વળી આવું નિત્યાનિત્યરૂપ સંવેદન તો સ્વસંવેદિત છે, એટલે તેનો અપલાપ કરવો યોગ્ય નથી, કારણ કે તેમાં પ્રતીતિનો વિરોધ છે. આશયઃ અનુવૃત્તિ - વ્યાવૃત્તિનું સંવેદન થાય છે એમ પૂર્વે કહ્યું. હવે કોઈ કહે કે – તેવું સંવેદન જ થતું નથી. તો તેનો જવાબ એ કે, તે સ્વસંવેદનસિદ્ધ છે. અર્થાત્ સ્વ એટલે દરેક વ્યક્તિ; એટલે પૂર્વપક્ષીને પોતાને પણ એનો અનુભવ થાય છે કે આવું જ્ઞાન થાય છે. પછી તેનો અપલાપ કરી ન શકાય, કારણ કે તેમાં પ્રતીતિવિરોધ છે. न च निराकारं संवेदनमर्थान्तरस्येव ततो विवक्षितार्थापरिच्छेदात् । न ह्याकारानुभवव्यतिरेकेणापरोऽर्थपरिच्छेदः, अतिप्रसङ्गात्, सर्वस्य सर्वार्थपरिच्छेत्तृत्वाऽऽपत्तेश्च । - પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને આ સંવેદન નિરાકાર નથી, નહીંતર તો અર્થાતરની જેમ તેનાથી વિવક્ષિત અર્થનો પણ પરિચ્છેદ નહીં થાય અને અર્થાકારના અનુભવ વિના બીજો કોઈ અર્થપરિચ્છેદ હોતો જ નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ આવે છે અને બધા અર્થનો પરિચ્છેદ થવાની આપત્તિ આવે છે. # નિરાકારવાદીની દલીલનું નિરાકરણ વિવેચન : નિરાકારવાદી : સંવેદન તો નિરાકાર છે, તેમાં અનુવૃત્તિ-વ્યાવૃત્તિ કોઈ આકાર નથી, તો પછી તેના આધારે નિત્યાનિત્યતાની સિદ્ધિ શી રીતે કરાય ? સ્યાદાદીઃ જો સંવેદન નિરાકાર હોય, અર્થાત્ વિષયનો કોઈ આકાર તેમાં ન આવતો હોય, For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૬ अनेकान्तवादप्रवेशः તો જેમ ઘટજ્ઞાનમાં પટનો બોધ નથી થતો, તેમ આકાર ન હોવાથી ઘટનો બોધ પણ નહીં થાય! અને પદાર્થના આકારનો અનુભવ; તે જ પદાર્થનું જ્ઞાન છે, તે સિવાય બીજો કોઈ અર્થપરિચ્છેદ હોતો જ નથી. એટલે સંવેદનમાં અર્થાકારનો અનુભવ માનવો જ રહ્યો. અન્યથા, અતિપ્રસંગ એ આવે કે, ઘટજ્ઞાનમાં, જેમ ઘટની આકારતા ન હોવા છતાં પણ ઘટનો બોધ થાય છે, તેમ ઘટ સિવાયના પટાદિનો પણ બોધ થવા લાગશે ! અને તેનાથી એ દોષ પણ આવશે કે, ઘટજ્ઞાન, ઘટની જેમ પટાદિ સર્વ પદાર્થનો ગ્રાહક બનશે, અને એક બીજા પણ જ્ઞાનો બધા પદાર્થના ગ્રાહક બનશે ! ફલતઃ બધા જ્ઞાનો બધા પદાર્થના બોધક બનવાની આપત્તિ આવશે ! એટલે જ્ઞાનમાં અનુવૃત્તિ-વ્યાવૃત્તિ આકાર માનવા જ રહ્યા અને એટલે વસ્તુની નિત્યાનિત્યરૂપતા પણ સિદ્ધ થાય જ. न च 'इदं संवेदनं भ्रान्तम्' इति शक्यते वक्तुम्, देशकालनरावस्थान्तरेऽविशेषेण प्रवृत्तेः; तथाहि-देशान्तरे कालान्तरे नरान्तरेऽवस्थान्तरे च मृत्पिण्डादिषु यथोक्तसंवेदनं प्रवर्त्तते । न चार्थप्रभवमविसंवादिसंवेदनं विहाय जातिविकल्पेभ्यः पदार्थव्यवस्था युज्यते, प्रतीतिबाधितत्वेन तेषामनादेयत्वात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને આ સંવેદનને બ્રાન્ત કહેવું શક્ય નથી, કારણ કે જુદા દેશ, કાળ, નર, અવસ્થામાં પણ સમાનપણે તે પ્રવર્તે છે. તે આ પ્રમાણે - દેશાંતરમાં, કાળાંતરમાં, નરાંતરમાં અને અવસ્થાંતરમાં મૃપિંડાદિ વિશે યથોક્ત સંવેદન જ પ્રવર્તે છે અને અર્થજન્ય અવિસંવાદિ સંવેદનને છોડીને જાતિવિકલ્પોથી પદાર્થની વ્યવસ્થા કરવી યોગ્ય નથી, કારણ કે જાતિવિકલ્પો તો પ્રતીતિબાધિત હોવાથી અનાદેય છે. # દ્રવ્ય-પર્યાયરૂપ સંવેદનાની અભ્રાન્તતા છે વિવેચન : શિવકાદિમાં માટી-અંશને લઈને જે અનુવૃત્તિનું સંવેદન થાય છે અને કથંચિત્ ભેદાંશને લઈને જે વ્યાવૃત્તિનું સંવેદન થાય છે, તે સંવેદનને ભ્રાન્ત કહેવું યોગ્ય નથી, કારણ કે તે તો અભ્રાન્તરૂપે પ્રતીત છે. તે આ રીતે – (૧) ગુજરાત કે રાજસ્થાન કોઈપણ ઠેકાણે, (૨) ઠંડી કે ગરમી કોઈપણ કાળમાં, (૩) ચૈત્ર કે મૈત્ર કોઈપણ વ્યક્તિને, (૪) બાળ કે યુવા કોઈપણ અવસ્થામાં, મૃપિંડાદિમાં અનુવૃત્તિ અને વ્યાવૃત્તિનું સંવેદન જ થાય છે. - પૂર્વપક્ષ ઃ બધા સંવેદનો સત્ય જ હોય એવું જરૂરી નથી. કેટલાક ભ્રાન્ત પણ હોઈ શકે છે. જેમ કે (૧) દૂરના દેશથી થતું આકાશના ઢલાણનું જ્ઞાન, (૨) ગરમીમાં થતું રણમાં પાણીનું જ્ઞાન, (૩) વ્યક્તિને થતું હૂંઠામાં પુરુષનું જ્ઞાન, (૪) પીળીયા રોગમાં થતું શંખના પીળાવર્ણનું જ્ઞાન... તો આ બધા જ્ઞાનોની જેમ પ્રસ્તુત જ્ઞાન પણ બ્રાન્ત હોઈ જ શકે ને? For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ૮૭ ઉત્તરપક્ષ: અરે ! તે બધા જ્ઞાનોનો તો અનુક્રમે (૧) દેશાંતરમાં, (૨) કાળાંતરમાં, (૩) પુરુષાંતરમાં, અને (૪) અવસ્થાંતરમાં બાધ થતો દેખાય છે. એટલે તેઓને ભ્રાન્ત કહેવા યોગ્ય છે. પણ અનુવૃત્તિ-વ્યાવૃત્તિ આકારે થતું સંવેદન તો નિબંધ છે, એટલે તેને બ્રાન્ત કહેવું બિલકુલ યોગ્ય નથી. વળી યથોક્ત સંવેદન તો; અર્થ હોય તો થાય અને ન હોય તો ન થાય - એમ અર્થ સાથે અવિનાભાવી હોવાથી, “અર્થજન્ય' છે અને તેનો બાપ કદી ન થવાથી તે “અવિસંવાદી” છે... તો આવું જો અર્થજન્ય અવિસંવાદી સંવેદન થતું હોય, તો વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપે નિત્યાનિત્ય માનવી જ રહી. આવું યથાર્થ સંવેદન હોવા છતાં પણ, “દ્રવ્ય-પર્યાય બે વચ્ચે શું છે? (૧) ભેદ, (૨) અભેદ, કે (૩) ભેદભેદ” - એવા બધા વિકલ્પો પાડીને એકાંત નિત્ય કે અનિત્યરૂપે પદાર્થની વ્યવસ્થા કરવી યોગ્ય નથી, કારણ કે તે બધા કુવિકલ્પો તો અર્થજન્ય અવિસંવાદી પ્રતીતિથી બાધિત થઈ જવાથી - તેઓનું અસ્તિત્વ નિબંધ ન રહેતાં - તેઓ ઉપાદેય બંને નહીં. એટલે વસ્તુને દ્રવ્ય-પર્યાયરૂપ માનવામાં તે વિકલ્પો બાધક બનતા નથી. न चैकान्तनित्येषु यथोक्तसंवेदनसम्भवः, व्यावृत्ताकारनिबन्धनस्य पर्यायभेदस्याभावात्; अन्यथा, एकान्तनित्यत्वानुपपत्तेः; तथा चोक्तम् - 'भावेष्वेकान्तनित्येषु नान्वयव्यतिरेकवत् । संवेदनं भवेद् धर्मभेदाभावादिह स्फुटम् ।।१।।' इत्यादि । - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : અને એકાંત નિત્ય વિશે યથોક્ત સંવેદનાનો સંભવ નથી, કારણ કે પર્યાયભેદ, જે વ્યાવૃત્તાકારનું મૂળ કારણ છે તે નથી. જો તેવું ન માનો, તો એકાંત નિત્યતા ઉપપન થાય નહીં. કહ્યું છે કે“એકાંતનિત્ય પદાર્થો વિશે અન્વય - વ્યતિરેકવાળું સંવેદન ન થાય; કેમ કે પર્યાયભેદનો અભાવ છે. એ અહીં સ્પષ્ટ છે.” એકાંતનિત્યમતે ચોક્તસંવેદનની અસંગતિ છે વિવેચનઃ જો પદાર્થને એકાંતે નિત્ય મનાય, તો મૃતપિંડાદિમાં થનારું વ્યાવૃત્તિનું સંવેદન સંગત થાય નહીં, કારણ કે તે બે સંવેદન અનુક્રમે દ્રવ્ય-પર્યાય અંશને લઈને થાય છે. પણ એકાંતનિત્યમાં તો માત્ર દ્રવ્યાંશ જ છે, પર્યાયભેદ નહીં. જો પ્રતિક્ષણ જુદા જુદા પર્યાયો મનાય, તો પર્યાયો બદલાતા વસ્તુ પણ બદલાઈ જતાં, વસ્તુની નિત્યતા જ ન રહે. એટલે પર્યાયભેદ તો ન મનાય અને તો તમૂલક વ્યાવૃત્તાકાર પણ ન મનાય. ફલતઃ વ્યાવૃત્તિરૂપનું અવિસંવાદી સંવેદન સંગત થાય નહીં. આ વિશે કહ્યું છે કે – For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર એક સ્વભાવવાળા એકાંત નિત્ય પદાર્થોમાં; પર્યાયભેદ ન હોવાથી, અનુવૃત્તિ વ્યાવૃત્તિરૂપેનું યથોક્ત સંવેદન થઈ શકે નહીં. એ વાત અહીં સ્પષ્ટ છે.” तथा एकान्तनश्वरेष्वपि नाधिकृतसंवेदनभावो युज्यते, अनुवृत्ताकारनिबन्धनस्य द्रव्यस्यान्वयाभावात् । न च निरन्वयनश्वरवादिनः तदन्यप्रभवः सम्भवति, सर्वथा हेतुनिवृत्तावहेतुकत्वप्रसङ्गात्; अन्यथा, अन्वयसिद्धेः, इति । उक्तं च - 'सर्वथा कारणोच्छेदाद्भवेत् कार्यमहेतुकम् ।। तच्छक्त्यवयवाधारस्वभावानामनन्वयात् ।।१।।' इत्यादि ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ તથા એકાંત નશ્વર પદાર્થમાં પણ અધિકૃત સંવેદનનું અસ્તિત્વ ઘટે નહીં, કેમ કે તે દ્રવ્યના અનુવૃત્તાકારનું કારણ એવા અન્વયનો અભાવ છે અને નિરન્વય-નશ્વર કહેનારાઓને તો તેનાથી અન્યની ઉત્પત્તિ પણ સંભવે નહીં, કારણ કે સર્વથા હેતુની નિવૃત્તિમાં તે કાર્ય અહેતુક થવાનો પ્રસંગ આવે. અન્યથા અન્વય સિદ્ધ થઈ જાય. કહ્યું છે કે “સર્વથા કારણના ઉચ્છેદથી કાર્ય નિહેતુક થાય, કારણ કે કાર્યને રાખવાનો જેમાં સ્વભાવ છે, તેવા કારણના અવયવોનો અન્વય રહેતો નથી.” નક એકાંત અનિત્યમતે પણ યથોક્ત સંવેદનની અસંગતિ , વિવેચનઃ જો પદાર્થને એકાંત-અનિત્ય મનાય, તો પણ મૃપિંડાદિનું અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપનું સંવેદન સંગત થાય નહીં, કારણ કે એકાંતનિત્યમાં તો માત્ર પર્યાયભેદ જ છે અને તે પર્યાયોમાં અનુગત કોઈ દ્રવ્યાંશ જ નથી. ફલતઃ દ્રવ્યાંશ ન રહેતાં, તન્યૂલક અનુવૃત્તાકાર પણ ન રહે અને તો અનુવૃત્તિ - વ્યાવૃત્તિરૂપનું સંવેદન સંગત થાય નહીં. પ્રશ્ન : કારણ દ્વારા પોતાના જેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે પૂર્વાપરવર્તી કારણ-કાર્યની સદશતાને લઈને જ અનુવૃત્તાકારે સંવેદન થાય છે. ઉત્તર : તેવું નથી, કારણ કે એકાંત નિરન્વય ક્ષણિકમતે હેતુવિનાશે જ કાર્યોત્પત્તિ થતી હોવાથી, કાર્ય નિહેતુક બને છે. (એટલે, કારણ દ્વારા સદશ કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં.) તાત્પર્ય : ઘડાની ઉત્પત્તિ વખતે મૃતપિંડરૂપ કારણ ત્રણે લોકમાં ક્યાંય હોતું નથી; કેમ કે બૌદ્ધમતે કારણનાશ પછી જ કાર્યોત્પત્તિ મનાય છે. એટલે કારણની અવિદ્યમાનતામાં જ કાર્ય ઉત્પન્ન થતું હોવાથી એ કાર્ય નિહેતુક બનવાની આપત્તિ આવે. ફલતઃ કાર્યકાળે કોઈ તેવો પદાર્થ રહે જ નહીં કે જે પોતાના સદેશ કાર્યને ઉત્પન્ન કરી શકે. (અન્યથા) જો કારણ સર્વથા નાશ પામતું ન હોય અને તેની સદેશતા કાર્યમાં મૂકીને જતું હોય, તો અન્વય સિદ્ધ થવાથી ક્ષણિકવાદ અસિદ્ધ થશે ! આ વિશે કહ્યું છે કે – For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः કારણનો સર્વથા ઉચ્છેદ થતો હોવાથી કાર્ય નિહેતુક બને, કારણ કે કાર્યને રાખવાનો જેમાં સ્વભાવ છે, તેવા કારણના અવયવોનો (ઘટરૂપ કારણ માટે મૃપિંડના પરમાણુઓનો) ઉચ્છેદ થઈ જતો હોવાથી (અનન્વય-૩છેવાત) તેઓ હેતુ તરીકે રહે નહીં.” नचास्य संवेदनस्य बाधकः प्रत्ययोऽस्ति, कदाचिदप्यनुपलब्धेः । न च ‘योगिप्रत्ययो बाधकः' इति युज्यते वक्तुम्, प्रमाणाभावात् । उक्तं च 'क्षणिकं योगी विजानाति, न नित्यं चेति का प्रमा ?। देशनाया विनेयानुगुण्येनापि प्रवृत्तितः ।।१।।' इत्यादि ।। - પ્રવેશરશ્મિ - ભાવાર્થ અને આ સંવેદનનો કોઈ બાધક પ્રત્યય નથી, કારણ કે તે ક્યારે પણ ઉપલબ્ધ થતો નથી અને યોગીપ્રત્યય તેમાં બાધક છે - એવું કહેવું યોગ્ય નથી; કેમ કે પ્રમાણનો અભાવ છે. કહ્યું છે કે - યોગી ક્ષણિકને જાણે, નિત્યને નહીં - એમાં પ્રમાણ શું? કારણ કે દેશના તો શિષ્યને અનુસારે પણ પ્રવર્તે છે.' છે ચોક્ત સંવેદનની નિબંધકતા છે વિવેચનઃ અનુવૃત્ત - વ્યાવૃત્તાકાર થનારા સંવેદનનો બાધક કોઈ પ્રત્યય નથી, કારણ કે તેના બાધક પ્રત્યયની ઉપલબ્ધિ કદી થતી નથી. તમે ભેદભેદ વગેરેના વિકલ્પો ઉઠાવો, તો પણ પ્રત્યક્ષપ્રતીતિ તો અનુવૃત્ત-વ્યાવૃત્ત સંવેદનની જ થાય છે. પૂર્વપક્ષ : “ક્ષણિકા: સર્વે સંસ્કાર:' એ રૂપે થતું યોગીઓનું જ્ઞાન બાધક બનશે... આશય એ કે, આપણને સહુને થતું જ્ઞાન વાસનાજન્ય છે, તેથી તેમાં વિકલ્પો-અન્વય વગેરે હોય છે. યોગીને જે જ્ઞાન થાય છે, તે શુદ્ધ છે – વાસનાદિથી રહિત છે અને તે જ્ઞાન આપણા જ્ઞાનનું બાધક બનીને ક્ષણિક વસ્તુને સિદ્ધ કરે છે. ઉત્તરપક્ષ પણ યોગીઓને વસ્તુની ક્ષણિકતાનું જ જ્ઞાન થાય છે, એવું કહેવામાં કોઈ પ્રમાણ નથી, કારણ કે યોગીના જ્ઞાનનું જ્ઞાન તો આપણને થતું જ નથી. પૂર્વપક્ષ : “ક્ષા : સર્વે સંસા:' એવી અપાતી દેશનાથી જ જણાય કે યોગીને માત્ર ક્ષણિકતાનું જ જ્ઞાન હશે. ઉત્તરપક્ષ: પણ એવું નથી કે જેવી દેશના અપાય તેવું જ જ્ઞાન હોય, કારણ કે દેશના તો ઘણીવાર શ્રોતાને અનુસાર પણ અપાય છે. જેમ કે – (૧) વસ્તુ પર દ્વેષ રાખનાર વ્યક્તિને, ભૂત (જડવસ્તુ) અને આત્માના અદ્વૈતને પ્રધાન કરીને દેશના અપાય કે “આ વસ્તુ આત્મસ્વરૂપ જ છે, તેના પર દ્વેષ કેમ કરો છો ?'... (૨) વસ્તુ પર રાગ કરનારને ભૂત અને આત્માના દ્વતને પ્રધાન કરીને દેશના અપાય કે “આ પર વસ્તુ ઉપર રાગ કેમ?” (૩) બ્રાહ્મણની અત્યંત પ્રિય પત્ની મરી ગઈ, તે છતાં એકાએક આઘાત ન લાગે એ માટે દેશના અપાય કે “તે હજી મરી નથી” · For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः તો તે બધા ઉદાહરણોની જેમ “ક્ષણિ: સર્વે સંસ્કાર:' એ દેશના પણ; શ્રોતાને વૈરાગ્ય ઊભો કરવા જ અપાઈ હોય એવું પણ હોઈ જ શકે છે. એટલે તેના આધારે યોગીને ક્ષણિકનું જ જ્ઞાન છે એવો નિશ્ચય ન થઈ શકે. આ વાતનો જ સંગ્રહ કરનાર શ્લોક કહ્યો છે કે – “યોગી ક્ષણિકને જાણે છે, નિત્યને નહીં – એમાં પ્રમાણ શું? કારણ કે દેશના તો શિષ્યને અનુસારે પણ પ્રવર્તે છે.” तस्माद् ‘अन्वयाविनाभूतो व्यतिरेकः, व्यतिरेकाविनाभूतश्चान्वय' इति वस्तुस्वभावः, तथा चोक्तम् - 'नान्वयः सहभेदित्वान भेदोऽन्वयवृत्तितः । मृद्भेदद्वयसंसर्गवृत्तिजात्यन्तरं घटः ।।१।।' इत्यादि । तस्माद् तद् यत एव नित्यम्, अत एवानित्यम्; द्रव्यात्मना नित्यत्वात्, तस्य चाभ्यन्तरीकृतपर्यायत्वात् । यत एव चानित्यम्, अत एव नित्यम् पर्यायात्मनाऽनित्यत्वात्, तस्य चाभ्यन्तरीकृतद्रव्यत्वात् । उभयरूपस्य चानुभवसिद्धत्वात् । एकान्तभिन्नस्य चोभयस्याभावात् । उक्तं च - 'द्रव्यं पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः ।। क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन च ।।१।।' इत्यादि । – પ્રવેશરશ્મિ - * ભાવાર્થ તેથી અન્વયથી અવિનાભૂત વ્યતિરેક છે અને વ્યતિરેકથી અવિનાભૂત અન્વય છે, આવો જ વસ્તુનો સ્વભાવ છે અને તે પ્રમાણે જ કહ્યું છે કે – “અન્વય નથી; કેમ કે ભેદ છે. ભેદ નથી; કેમ કે અન્વય છે. એટલે મૃદ્ અને ભેદ, એ બંને સંબંધથી રહેલ જાત્યન્તર - ભેદભેદવાળો ઘટ છે તેથી તે જેથી નિત્ય છે, એથી જ અનિત્ય છે, કેમ કે દ્રવ્યરૂપે નિત્ય છે અને દ્રવ્ય ગૌણરૂપે પર્યાયસ્વરૂપ છે. અને જેથી અનિત્ય છે, તેથી નિત્ય છે, કેમ કે પર્યાયરૂપે અનિત્ય છે અને પર્યાય ગૌણરૂપે દ્રવ્યસ્વરૂપ છે અને ઉભયરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે અને એકાંતભિન્ન એવા ઉભયનો અભાવ છે. કહ્યું છે કે – “પર્યાયરહિત દ્રવ્ય અને દ્રવ્યરહિત પર્યાય ક્યાં ક્યારે કોના વડે કેવા રૂપે અને કયા પ્રમાણથી દેખાય છે? નથી જ દેખાયા.” # દ્રવ્ય-પર્યાચની અવિનાભાવિતા છે વિવેચનઃ તેથી (૧) મૃપિંડ-શિવકાદિનો પરસ્પર ભેદ; તે અન્વયથી અવિનાભૂત છે, અર્થાત્ મૃપિંડાદિનો સર્વથા ભેદ નથી, કથંચિત્ અન્વય પણ છે, અને (૨) તેઓનો પરસ્પર અન્વય; તે ભેદથી અવિનાભૂત છે, અર્થાત્ મૃપિંડાદિનો સર્વથા અન્વય નથી, કથંચિત્ ભેદ પણ છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः < આવો જ વસ્તુનો સ્વભાવ હોવાથી, વસ્તુને અન્વય - વ્યતિરેકવાળી માનવી જ રહી. કહ્યું છે કે – “મૃપિંડાદિનો પરસ્પર માત્ર અન્વય જ નથી; કેમ કે ઉર્ષ્યાદિ આકારે તેઓનો ભેદ પણ છે અને પરસ્પર માત્ર ભેદ નથી; કેમ કે માટીરૂપે અભેદ પણ છે. પરંતુ મૃદ્ (અન્વય) અને ભેદ, એ બંને સંબંધથી રહેલ, જાત્યંત-ભેદાભેદવાળો ઘટ છે.” ૐ વસ્તુની નિત્યાનિત્યરૂપે સિદ્ધિ (૧) એટલે વસ્તુ જે કારણથી નિત્ય છે, તે જ કારણથી અનિત્ય પણ છે; કેમ કે મૃતપિંડાદિ દ્રવ્યરૂપે (=માટીરૂપે) નિત્ય છે અને દ્રવ્યરૂપ વસ્તુ પણ ગૌણરૂપે પર્યાય જ છે, નહીંતર ‘તે તે પર્યાયોમાં જવારૂપ’ દ્રવ્યનું લક્ષણ ઉપપન્ન ન થાય. (આમ દ્રવ્ય-પર્યાયનો કથંચિત્ અભેદ હોવાથી, જેમ દ્રવ્યને લઈને વસ્તુ નિત્ય છે, તેમ દ્રવ્યથી અભિન્ન પર્યાયને લઈને વસ્તુ અનિત્ય પણ છે.) અને વળી ९१ (૨) વસ્તુ જે કારણથી અનિત્ય છે, તે જ કારણથી નિત્ય પણ છે; કેમ કે મૃતપિંડાદિ વસ્તુઓ શિવકાદિપર્યાયરૂપે અનિત્ય છે અને પર્યાયરૂપ વસ્તુ પણ ગૌણરૂપે દ્રવ્ય જ છે, નહીંતર ‘અવસ્થાએ - અવસ્થાએ બદલાવારૂપ' પર્યાયનું લક્ષણ ઉપપન્ન ન થાય. (આમ દ્રવ્ય-પર્યાયનો કથંચિદ્ અભેદ હોવાથી, જેમ પર્યાયને લઈને વસ્તુ અનિત્ય છે, તેમ પર્યાયથી અભિન્ન દ્રવ્યને લઈને વસ્તુ નિત્ય પણ છે.) અને અનુવૃત્ત-વ્યાવૃત્ત આકારે વસ્તુનું સંવેદન થતું હોવાથી, વસ્તુની દ્રવ્ય-પર્યાયરૂપતા તો અનુભવસિદ્ધ છે. એટલે તે માનવી જ રહી. પ્રશ્ન : વસ્તુને દ્રવ્ય - પર્યાય ઉભયરૂપ માની લઈએ, પણ તેઓને જુદા જુદા માનીએ તો ? ઉત્તર : પણ તેવું ન મનાય; કેમ કે એકાંતે જુદા જુદા દ્રવ્ય-પર્યાય હોતા જ નથી અને તેનું કારણ એ કે, જુદા જુદા દ્રવ્ય-પર્યાયની ઉપલબ્ધિ કદી થતી નથી. કહ્યું છે કે - “પર્યાયરહિત માત્ર દ્રવ્ય, અને દ્રવ્યરહિત માત્ર પર્યાયો, કયા ઠેકાણે, કયા કાળે, કઈ વ્યક્તિ વડે, કયા સ્વરૂપે, કયા પ્રમાણથી શું જોવાયા છે ? નથી જ જોવાયા.” એટલે ઘટાદિ વસ્તુઓ, કથંચિદ્ ભિન્નાભિન્ન એવા દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ હોઈ, તેઓની નિત્યાનિત્યરૂપતા નિર્બાધ સિદ્ધ થાય છે. " * સ્વાવેતત્-પર્યાયનિવૃત્તો દ્રવ્યનિવૃત્તિર્મવૃત્તિ ? રિવા ન ? કૃતિ । વિશ્વાતઃ ? यदि भवति, अनित्यमेव तत्, निवृत्तिमत्त्वात् पर्यायस्वात्मवत् । अथ न भवति, हन्त ! तर्हि द्रव्यपर्याययोर्भेदप्रसङ्गः; तथाहि पर्यायेभ्योऽन्यद् द्रव्यम्, तन्निवृत्तावपि तस्यानिवृत्तेः क्रमेलकादिव कर्क:, इति । एतदप्ययुक्तम्, कथंचिन्निवृत्तिभावात् । अस्य '' For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः चानुभवसिद्धत्वात्। तथाहि-घटपर्यायनिवृत्तौ कपालकालेऽपि तद्बुध्या मृदनुभूयत एव; तदेकान्तनिवृत्तौ चोर्ध्वादिपर्यायवनानुभूयेत । – પ્રવેશરશ્મિ – | ભાવાર્થ પૂર્વપક્ષઃ પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યની નિવૃત્તિ થાય છે કે નહીં? જો થાય છે; તો તે અનિત્ય જ થયું, કેમ કે પર્યાયસ્વરૂપની જેમ તે નિવૃત્ત થાય છે. જો નથી થતી, તો તો દ્રવ્ય-પર્યાયના ભેદનો પ્રસંગ આવે, તે આ પ્રમાણે - ઊંટથી શ્વેત ઘોડાની જેમ, પર્યાયથી દ્રવ્ય જુદું છે; કેમ કે પર્યાયની નિવૃત્તિ થવા છતાં પણ દ્રવ્યની નિવૃત્તિ નથી. ઉત્તરપક્ષ ઃ આ પણ અયુક્ત છે, દ્રવ્યની કથંચિ નિવૃત્તિ થાય છે અને એ અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - ઘટપર્યાયની નિવૃત્તિ થયે કપાલકાળે પણ ઘટની બુદ્ધિથી માટીનો અનુભવ થાય છે જ. જો એકાંતે નિવૃત્તિ હોય, તો ઉધ્વદિ પર્યાયની જેમ તે પણ ન અનુભવાય. દ્રવ્ય-પચ ઉભયનો અનુવેધ છે વિવેચનઃ પૂર્વપક્ષ જ્યારે શિવકાદિ પર્યાયની નિવૃત્તિ થાય છે, ત્યારે માટીરૂપ દ્રવ્યની નિવૃત્તિ (૧) થાય છે, કે (૨) નહીં? (૧) જો થાય છે, તો - નિવૃત્તિ થતી હોવાથી – જેમ પર્યાયનું સ્વરૂપ અનિત્ય છે, તેમ દ્રવ્ય પણ અનિત્ય બની જશે ! (અને તો વસ્તુની નિત્યાનિત્યરૂપતા નહીં રહે.) (૨) જો ન થાય, તો દ્રવ્ય-પર્યાયનો ભેદ જ સિદ્ધ થયો. તે આ પ્રમાણે – જેમ ઊંટની નિવૃત્તિ (=મરણ) થવા છતાં પણ શ્વેતાશ્વની નિવૃત્તિ ન થવાથી, ઊંટથી સફેદ ઘોડો જુદો છે, તેમ પર્યાયની નિવૃત્તિ થવા છતાં પણ દ્રવ્યની નિવૃત્તિ ન થવાથી, પર્યાયથી દ્રવ્ય જુદું છે એવું નિબંધ સિદ્ધ થાય છે. (અને તો દ્રવ્ય-પર્યાયનો અભેદ નહીં માની શકાય.) ઉત્તરપક્ષ ઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે પર્યાયની નિવૃત્તિ થયે દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ થાય છે જ. (અર્થાત્ નાશ પામેલા પર્યાયના નિમિત્તરૂપે ( કારણ-આશ્રયરૂપે) દ્રવ્યની પણ નિવૃત્તિ થાય છે; કેમ કે તે દ્રવ્યનો પર્યાય નિવૃત્ત થયો એમ કહેવાતું હોવાથી દ્રવ્ય-પર્યાય વચ્ચે ષષ્ઠી દ્વારા વ્યક્ત થતો સંબંધ છે જ અને એટલે પર્યાયની નિવૃત્તિ થયે તત્સંબદ્ધ દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ થાય જ.) વળી આ પ્રમાણે દ્રવ્યની કથંચિત્ નિવૃત્તિ અનુભવસિદ્ધ પણ છે જ. તે આ પ્રમાણે – ઘડો ફૂટ્યા પછી ઠીકરા વખતે પણ ઘડાની બુદ્ધિથી માટીનો અનુભવ થાય છે જ ઠીકરાને જોઈને “આ પેલા ઘડાના ઠીકરા છે' એવો અનુભવ સંવેદનસિદ્ધ છે.) એ પરથી જણાઈ આવે છે કે, ઘડાની સર્વથા નિવૃત્તિ નથી થતી, પણ કથંચિત્ નિવૃત્તિ થાય છે. જો સર્વથા નિવૃત્તિ થાય એવું માનો, તો ઉધ્વદિ-આકારની જેમ માટીરૂપે પણ ઘટનો અનુભવ થાય નહીં. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः સાર : એટલે દરેક વસ્તુઓની દ્રવ્યની અપેક્ષાએ અનિવૃત્તિ અને પર્યાયની અપેક્ષાએ નિવૃત્તિ હોય છે. * * 'ऊर्ध्वादिनिवृत्तित एव भेदसिद्धि:' इति चेत् ? न, ऊर्ध्वादेरपि मृदः सर्वथा भेदासिद्धेः । न चासौ कपालमृद् घटमृदः सर्वथाऽन्यैव, तदत्यन्तभेदे तस्या अमृत्त्वप्रसङ्गात्; यथोदकं न मृत्, ततोऽत्यन्तभेदाद्ः एवमसावपि स्यात्, तस्याविशेषात् इति । --• પ્રવેશરશ્મિ : ९३ ભાવાર્થ : પ્રશ્ન : ઉર્વાદિની નિવૃત્તિ થવાથી જ તેમનો ભેદ સિદ્ધ થઈ જાય. ઉત્તર : ના, ઉર્દાદિનો પણ માટીથી સર્વથા ભેદ સિદ્ધ નથી. અને આ કપાલમાટી ઘટમાટીથી સર્વથા જુદી જ નથી, જો અત્યંત જુદી માનો, તો તેને ‘અમૃત્’ માનવાનો પ્રસંગ આવે; કેમ કે માટીથી અત્યંત ભેદ હોવાથી જેમ પાણી મૃત્ નથી, તેમ આ પણ મૃત્ ન રહે; કેમ કે અત્યંત ભિન્નપણું તો એનું પણ સમાન છે. દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ વિવેચન : પૂર્વપક્ષ : માટીની નિવૃત્તિ ન થવા છતાં પણ ઉર્દાદિ આકારની નિવૃત્તિ થઈ જાય છે, એ પરથી સિદ્ધ થાય છે કે, માટીદ્રવ્યથી ઉર્ષ્યાદિ પર્યાયો જુદા જ છે. (અન્યથા, માટીની જેમ ઉર્વાદિ આકારો પણ નિવૃત્ત ન થાત) એટલે દ્રવ્ય-પર્યાયનો ભેદ જ સિદ્ધ થાય છે. ઉત્તરપક્ષ ઃ તમારી વાત યુક્ત નથી; કેમ કે માટી દ્રવ્યથી ઉર્દાદિ પર્યાયોનો સર્વથા ભેદ હોય એવું સિદ્ધ નથી અને તેનું કારણ એ કે, માટીદ્રવ્યથી રહિત કેવળ ઉર્વાદિ પર્યાયો કદી ઉપલબ્ધ થતા નથી. * એટલે દ્રવ્ય-પર્યાયનો કથંચિદ્ ભેદ અને કથંચિદ્ અભેદ – એમ ભેદાભેદ જ માનવો જોઈએ. પર્યાયોનો પણ પરસ્પર કથંચિત્ અભેદ કપાલની માટી ઘટની માટીથી સર્વથા જુદી જ નથી, કારણ કે જો સર્વથા જુદી માનવામાં આવે, તો કપાલમાટીની માટીરૂપતા જ ન રહે. તે આ રીતે - ઘટમાટીથી અત્યંત ભિન્ન પાણી જેમ માટીરૂપ નથી, તેમ અત્યંત ભિન્ન કપાલમાટી પણ માટીરૂપ નહીં રહે; કેમ કે બંનેમાં રહેલ અત્યંતભેદ તો સમાન છે. ફલતઃ તે ‘અમૃત્' બનવાની આપત્તિ આવે. એટલે ઘટ-કપાલરૂપ પર્યાયોનો પણ કથંચિદ્ અભેદ માનવો જોઈએ. * स्यादेतद्-अमृत्स्वभावेभ्यो व्यावृत्तत्वात् कपालपदार्थस्य मृत्स्वभावता, नोदकस्य, तेभ्यो व्यावृत्त्यभावाद्, इति । एतदप्यसमीक्षिताभिधानम्, वस्तुनो सजातीयेतरव्यावृत्ताव्यावृत्तोभयस्वभावापत्तेः; For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ९४ अनेकान्तवादप्रवेशः तथाहि-अमृत्स्वभावेभ्य एवोदकादिभ्यो व्यावृत्तस्वभाव एवं सति कपालपदार्थः स्यात् न तु मृत्पिण्डशिवकघटादिभ्यो मृत्स्वभावेभ्योऽपि, तद्व्यावृत्तावमृत्स्वभावत्वप्रसङ्गात् यथैवामृत्स्वभावेभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावो भवति, एवं मृत्स्वभावेभ्योऽपि व्यावृत्तोऽमृत्स्वभावः स्यात्, न्यायानुगतमेतत्; अन्यथा अमृत्स्वभावव्यावृत्तावपि मृत्स्वभावानुपपत्तेः। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : અમૃતસ્વભાવીઓથી વ્યાવૃત્ત હોવાથી, કપાલ પદાર્થની મૃતસ્વભાવતા છે, પાણીની નહીં, કેમ કે પાણીની તેઓથી વ્યાવૃત્તિ નથી. ઉત્તરપક્ષ: આ પણ અસમિક્ષિત કથન છે; કેમ કે આવું કહેવામાં વસ્તુને સજાતીયથી અવ્યાવૃત્ત અને વિજાતીયથી વ્યાવૃત્ત - એમ ઉભયસ્વભાવી માનવાની આપત્તિ આવે. તે આ પ્રમાણે – તે કપાલ પદાર્થ અમૃતસ્વભાવી ઉદકાદિથી જ વ્યાવૃત્ત સ્વભાવવાળો થાય, મૃપિંડ, શિવક-ઘટાદિ મૃત્સ્વભાવથી પણ વ્યાવૃત્ત નહીં, કેમ કે તેનાથી વ્યાવૃત્તિ થવામાં તો તેને અમૃતસ્વભાવી માનવો પડે! જે પ્રમાણે અમૃતુસ્વભાવીઓથી વ્યાવૃત્ત હોઈ ઋતુસ્વભાવી થાય, તે પ્રમાણે ઋતુસ્વભાવીઓથી વ્યાવૃત્ત હોઈ અમૃતસ્વભાવી થાય; આ વાત ન્યાયાનુસારી છે, અન્યથા અમૃતસ્વભાવીઓથી વ્યાવૃત્તિ હોવામાં પણ મૃત્સ્વભાવ ઉપપન્ન ન થાય. વિવેચનઃ પૂર્વપક્ષ : પાણી તો અમૃતસ્વભાવી એવા ઉદકાદિ પદાર્થથી અવ્યાવૃત્ત છે, એટલે એ માટીરૂપ ન હોય એ તો સહજ છે. પણ કપાલમાટી તો અમૃસ્વભાવી ઉદકાદિથી વ્યાવૃત્ત જ છે, તો તે - ઘટમાટીથી અત્યંત ભિન્ન હોવા છતાં પણ - માટી રૂપ કેમ ન બને ? ઉત્તરપક્ષ : તમારી વાત સમીક્ષા વિનાની છે, કારણ કે એવું માનવામાં તો કપાલાદિના બે સ્વભાવ માનવા પડે : (૧) વિજાતીયથી વ્યાવૃત્ત, અને (૨) સજાતીયથી અવ્યાવૃત્ત - અને એટલે તો વસ્તુને ઉભયસ્વભાવી માનવાની આપત્તિ આવે. અને તેનું (=ઉભયસ્વભાવ હોવાનું) કારણ એ કે, કપાલ તે અમૃસ્વભાવી ઉદકાદિથી વ્યાવૃત્ત હોવાથી જ કપાલરૂપ બને (નહીંતર તો તે ઉદકાદિ રૂપ જ બની જાય.) અને તે કપાલ, ઉદકાદિની જેમ મૃસ્વભાવી એવા મૃપિંડ, શિવક, ઘટાદિથી પણ સર્વથા વ્યાવૃત્ત નથી; કેમ કે જો મૃપિંડાદિથી વ્યાવૃત્ત માનો, તો કપાલ અમૃતું થઈ જાય ! એટલે કપાલાદિ પદાર્થો વિજાતીયથી વ્યાવૃત્ત અને સજાતીયથી અવ્યાવૃત્ત એમ ઉભયસ્વભાવી ફલિત થાય. (હવે ગ્રંથકારશ્રી, ઘટ-કપાલમાટીનો કથંચિત્ અભેદ સિદ્ધ કરવા એક નવો તર્ક આપે જે રીતે કપાલાદિ, ઉદકાદિ અમૃતથી વ્યાવૃત્ત હોવાથી મૃત છે, તેમ મૃપિંડાદિ મૃતથી વ્યાવૃત્ત હોવાથી અમૃત થઈ જાય ! આ વાત ન્યાયાનુસારી જ છે, કારણ કે “જે જે સ્વભાવથી વ્યાવૃત્ત હોય, For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः તે તે સ્વભાવવાળો ન હોય' એ ન્યાય છે. જો એ ન્યાય ન માનો, તો, ઉદાદિ અમૃત્થી વ્યાવૃત્ત હોવા છતાં તમે તેને મૃત્ નહીં માની શકો (જે ઉ૫૨ માન્યું છે.) ९५ એટલે પૂર્વોક્ત નિયમ માનવો જ પડે અને તો મૃત્સ્વભાવતા માટે કપાલને મૃત્સ્વભાવી ઘટાદિથી સર્વથા વ્યાવૃત્ત ન મનાય. ફલતઃ સજાતીયથી અવ્યાવૃત્તસ્વભાવ હોવાથી ઘટ-કપાલમૃદ્ બંને સર્વથા વ્યાવૃત્ત ન થાય અને તો તેઓનો કથંચિદ્ અભેદ નિબંધ સિદ્ધ થાય. X * स्यादेतद्-वस्तुतः सजातीयेतरव्यावृत्तस्वरूपत्वात् प्रतिनियतैकस्वभावत्वात्सर्वभावानां यथोक्तदोषाभावः, तथा च यथैवासौ कपालभाव उदकादिभ्यो व्यावृत्तः सन् मृत्स्वभावः एवं घटादिभ्योऽपि तस्यैकस्वभावत्वात्तेनैव रूपेण व्यावृत्तत्वात् इति । - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ ૫રમાર્થથી તમામ પદાર્થો પ્રતિનિયત-એકસ્વભાવી હોવાથી સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત છે. એટલે ઉપરોક્ત દોષ ન રહે અને એવું હોવામાં જેમ તે કપાલ ઉદકાદિથી વ્યાવૃત્ત હોઈ મૃત્સ્વભાવી છે, તેમ તે એકસ્વભાવી હોઈ તે એકસ્વભાવરૂપે જ ઘટાદિથી પણ વ્યાવૃત્ત છે. (એટલે તેના ઉભયસ્વભાવ નહીં માનવા પડે.) વિવેચન : પૂર્વપક્ષ : પરમાર્થથી દરેક વસ્તુઓ, સજાતીય-વિજાતીયથી *વ્યાવૃત્તસ્વરૂપવાળી છે, કારણ કે સર્વ ભાવો પ્રતિનિયત એક સ્વભાવવાળા જ હોય છે. (આશય એ કે, કપાલ, ઉદકાદિથી તો વ્યાવૃત્ત છે જ, સાથે મૃતપિંડાદિથી પણ વ્યાવૃત્ત જ છે; કેમ કે તેનો નિયત એક જ સ્વભાવકપાલત્વ છે, જે મૃતપિંડમાં નથી.) એટલે તમે ઉપર ઉભયસ્વભાવનો દોષ આપ્યો તે નહીં આવે. એટલે કપાલ, જેમ જળાદિથી વ્યાવૃત્ત હોવાથી મૃત્સ્વભાવી છે, તેમ ઘટાદિથી વ્યાવૃત્ત હોવાથી પણ મૃત્સ્વભાવી જ છે; કેમ કે તેનો એક જ સ્વભાવ છે અને એ એકસ્વભાવથી જ તે જળ-ઘટાદિથી વ્યાવૃત્ત છે. જેમ ગૌ, ગોત્વ સ્વભાવથી જ, અશ્વ-ઊંટ બંનેથી વ્યાવૃત્ત થાય છે, તેમ કપાલ એક મૃત્સ્વભાવથી જ ઉદક-મૃતપિંડ બંનેથી વ્યાવૃત્ત થાય છે. એટલે કપાલ, મૃત્રપિંડ-ધટાદિથી સર્વથા વ્યાવૃત્ત હોઈ અમૃસ્વભાવી બની જાય એ દોષ હવે નહીં રહે; કેમ કે વ્યાવૃત્ત હોવા છતાં પણ પોતાનો પ્રતિનિયત મૃસ્વભાવ હયાત જ છે. X एतदप्ययुक्तम्, अनुभवविरुद्धत्वात्; तथाहि यदि स येनैव स्वभावेनामृत्स्वभावेभ्यो व्यावृत्तः तेनैव मृत्स्वभावेभ्योऽपि हन्त ! तर्हि यथैवामृत्स्वभावभावैकान्तविभिन्नावभासहेतुः, * પૂર્વપક્ષીનો સજાતીયથી પણ વ્યાવૃત્ત કરવાનો આશય એ કે, જેથી કપાલમૃદ્ અને ઘટમૃદ્ બંને જુદી જુદી સિદ્ધ થાય અને તેથી તે બેનો અભેદ પણ ન રહે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः - - तथैव मृत्स्वभावापेक्षयापि स्यात्। न च भवति, मृत्स्वभावस्यानुभूयमानत्वात् तस्यैव तथापरिणतिदर्शनात्; अनुभवस्य चापह्नोतुमशक्यत्वात् ‘अनुभवप्रमाणकाश्च सन्तोऽर्थाधिगमे' इति । प्रतिनियतैकस्वभावानुभवनिबन्धनाभ्युपगमे च पर्यायतः समानपरिणाम एवाभ्युपगतः, इति न काचिनो बाधा । इत्यलं विस्तरेण । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે, કેમ કે તે અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - જો તે જે સ્વભાવે અમૃતસ્વભાવથી વ્યાવૃત્ત હોય, તે જ સ્વભાવે મૃત્સ્વભાવથી પણ વ્યાવૃત્ત હોય, તો તો જે પ્રમાણે અમૃતસ્વભાવી પદાર્થથી એકાંતભિન્ન અવભાસનું કારણ બને છે, તે પ્રમાણે મૃત્સ્વભાવી પદાર્થની અપેક્ષાએ પણ થાય. અને મૃત્સ્વભાવ તો અનુભવાય છે, કારણ કે તે સ્વભાવની જ કપાલરૂપે પરિણતિ થાય છે અને અનુભવનો અપલાપ ન કરી શકાય; કેમ કે સજ્જનો અર્થાધિગમ વિશે અનુભવને પ્રમાણ માને છે. અને જો વસ્તુને પ્રતિનિયત - એક સ્વભાવવાળા અનુભવના કારણ તરીકે માનો, તો પર્યાયથી સમાનપરિણામ જ માની લીધો અને એમાં અમારે કોઈ બાધ નથી. એટલે હવે વિસ્તારથી સર્યું. વિવેચનઃ ઉત્તરપક્ષ તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે તેમાં અનુભવનો વિરોધ છે, તે આ પ્રમાણે – કપાલ, જે સ્વભાવે અમૃત સ્વભાવથી વ્યાવૃત્ત હોય, તે જ સ્વભાવે જો મૃત્યુ સ્વભાવથી વ્યાવૃત્ત હોય, તો તો... જેમ કપાલ, અમૃસ્વભાવી ઉદકાદિથી વ્યાવર્તમાન એવી અત્યંત વિલક્ષણ બુદ્ધિને ઉત્પન્ન કરવાના વ્યાવૃત્તિના સ્વભાવવાળો હોવાથી, તેનાથી તેનો એકાંતભિન્નપણે અવભાસ થાય છે; તેમ તેનો મૃસ્વભાવી પિંડાદિથી પણ એકાંતભિન્નપણે અવભાસ થશે, કારણ કે તેનાથી પણ તે તેવી જ વ્યાવૃત્તિવાળો છે. જો તેવો એકાંતભિન્ન અવભાસ ન થાય, તો તેને, તેનાથી તેવી વ્યાવૃત્તિવાળો પણ ન માની શકાય. અને તેવો (મૃપિંડાદિથી અત્યંતવિલક્ષણ) અવભાસ તો થતો નથી, કારણ કે મૃપિંડાદિમાં રહેલા મૃસ્વભાવનો અનુભવ તો કપાલમાં પણ થાય છે જ. અને તેનું (કપાલમાં મૃસ્વભાવનો અનુભવ થવાનું) કારણ એ કે, તે મૃસ્વભાવની જ કપાલરૂપે પરિણતિ દેખાય છે. (એટલે કપાલમાં એ મૃસ્વભાવનો અનુભવ થવો યુક્તિયુક્ત જ છે.) અને જે નિબંધ અનુભવ થતો હોય, તેનો અપલાપ ન કરી શકાય; કેમ કે સજ્જન પુરુષો અનુભવને જ અર્થાધિગમ વિશે પ્રમાણ માને છે. (અર્થાત્ અનુભવ પ્રમાણે જ અર્થની વ્યવસ્થા કરે છે.) એટલે અનુભવના આધારે તો; ઘટ-કપાલાદિમાં અનુગત એવો મૃસ્વભાવ માનવો જ રહ્યો અને તો પૂર્વાપર પર્યાયોનો કથંચિત્ અભેદ પણ સિદ્ધ થાય જ. પૂર્વપક્ષઃ જેમ અનેક ઔષધિમાં, જવરશમનનો એક જ સ્વભાવ હોય છે, તેમ ઘટ-કપાલાદિ પણ, નિયત એક (મૃત્વ) સ્વભાવના અનુભવના કારણ છે – એવું માનીએ તો ? For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ૧૭ ઉત્તરપક્ષ તો તમે નામ બદલીને, બંને વચ્ચે સમાનપરિણામ જ માન્યો ! અને તેમાં તો અમને વાંધો જ નથી. હવે આ વિશે વિસ્તારથી સર્યું. એટલે ઘટ-કપાલાદિ પર્યાયોની કથંચિત્ જ નિવૃત્તિ થાય છે, અર્થાત્ કથંચિ અનુવૃત્તિ પણ થાય तथैकान्तानिवृत्तौ तद्विलक्षणबुद्ध्यभाव एव, इति न स्यात्कपालबुद्धिः, विशेषाभावात् तस्याप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वात्, इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તથા એકાંતે અનિવૃત્તિમાં, ઘટથી વિલક્ષણ બુદ્ધિનો અભાવ જ થાય અને તો કપાલબુદ્ધિ જ ન થાય; કેમ કે વિશેષનો અભાવ છે અને તેનું કારણ એ કે, ઘટપર્યાય અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી છે. વિવેચનઃ વસ્તુનો કોઈપણ અંશ નિવૃત્ત નથી જ થતો - એવું પણ નથી (અર્થાત્ કોઈક અંશ તો નિવૃત્ત થાય છે જ) જો કોઈપણ અંશ નિવૃત્ત ન થતો હોય, તો તો ઘટપર્યાય અપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર એકસ્વભાવી ફલિત થાય અને તો ઠીકરાદિ અવસ્થામાં પણ એ ઘટપર્યાય તદવસ્થ જ રહે. એટલે તો ઘટક્ષણથી ઠીકરાની ક્ષણમાં કોઈ વિશેષ નહીં રહે, અર્થાત્ બંને ક્ષણ સમાન જ થશે અને તો (જમ ઘટ વખતે ઘટની જ બુદ્ધિ થાય છે, તેનાથી વિલક્ષણ બુદ્ધિ નહીં, તેમ) કપાલ વખતે પણ ઘટની જ બુદ્ધિ થશે, તેનાથી વિલક્ષણ ઠીકરાની બુદ્ધિ નહીં. એટલે ઘટાદિ પર્યાયોની કથંચિત્ નિવૃત્તિ પણ માનવી જ રહી. એટલે આમ દરેક વસ્તુની કથંચિત્ નિવૃત્તિ અને કથંચિત્ અનિવૃત્તિ થાય છે. ____एतेन स्यादारेका-'नहि कूटस्थनित्यतया-' इत्यादि यदाशङ्क्योक्तम्-'पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यासिद्धिः' इत्यादि । तदपि प्रतिक्षिप्तमेवावगन्तव्यम्, कथंचिद्व्यतिरेकसिद्धेः, રૂતિ તથા ચોમ્ – 'द्रव्यपर्याययोः सिद्धो भेदाभेदः प्रमाणतः । संवेदनं यतः सर्वमन्वयव्यतिरेकवत् ।।१।। स्वसंवेदनसिद्धे च विरोधोद्भावनं नृणाम् । व्यसनं धीजडत्वं वा प्रकाशयति केवलम् ।।२।।' इत्यादि कृतं विस्तरेण ।। રૂતિ નિત્યત્વનિત્યવાદ !ારા For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ९८ -: પ્રવેશરશ્મિ : ભાવાર્થ : એનાથી ‘કૂટસ્થ નિત્યરૂપે નહીં, પણ પરિણામિનિત્યરૂપે' એવી આશંકા ઉપાડીને પૂર્વપક્ષમાં જે કહ્યું હતું કે - “પર્યાયથી જુદું દ્રવ્ય સિદ્ધ નથી’ - એ બધું કથન નિરાકૃત થયું જાણવું; કેમ કે કથંચિદ્ વ્યતિરેક સિદ્ધ જ છે. કહ્યું છે કે - (૧) દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ પ્રમાણથી સિદ્ધ છે, કારણ કે બધું સંવેદન અન્વય-વ્યતિરેકવાળું થાય છે. (૨) અને આવા સ્વસંવેદનસિદ્ધમાં માણસોનું વિરોધનું ઉદ્દ્ભાવન કરવું; એ કેવળ વ્યસન કે બુદ્ધિનું જડપણું પ્રગટ કરે છે. ઇત્યાદિ હવે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે એક વસ્તુ નિત્યાનિત્ય ઉભયરૂપ છે, એવો વાદ થયો. વિવેચન : ઉપરોક્ત કથનથી, ‘અમે દ્રવ્યને ફૂટસ્થ નિત્યરૂપે નથી માનતા, પણ પરિણામિનિત્યરૂપે માનીએ છીએ' એવી આશંકા ઉપાડીને પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “પર્યાયથી જુદું દ્રવ્ય સિદ્ધ જ નથી” – તે બધું કથન પણ નિરાકૃત થયું સમજવું, કારણ કે ઉપરોક્ત તર્કોથી પર્યાયથી દ્રવ્યનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે. - આ વિશે કહ્યું છે કે अनेकान्तवादप्रवेशः - “દ્રવ્ય અને પર્યાયનો ભેદાભેદ (=કથંચિદ્ ભેદ અને કથંચિદ્ અભેદ - એમ ભેદાભેદ) પ્રમાણથી સિદ્ધ છે; કેમ કે વસ્તુનું અન્વય - વ્યતિરેકરૂપે સંવેદન થાય છે.” “અને આવા સ્વસંવેદનસિદ્ધ ભેદાભેદમાં પણ માણસોનું વિરોધનું ઉદ્દ્ભાવન કરવું, એ કેવળ વ્યસન (કુટેવ) અથવા બુદ્ધિનું જડપણું જ પ્રગટ કરે છે.” હવે આ વાતના વિસ્તારથી સર્યું. નિષ્કર્ષ ઃ એટલે ઘટાદિ દરેક વસ્તુઓ દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી, દ્રવ્યને લઈને નિત્ય અને પર્યાયને લઈને અનિત્ય-એમ નિત્યાનિત્યરૂપ જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. || આ પ્રમાણે નિત્યાનિત્ય અનેકાંતવાદરૂપ દ્વિતીય અધિકાર પૂર્ણ થયો For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः છે જે સામાન્યવિશેષ-મહાત્તવઃ | | દરેક વસ્તુઓ નિત્યાનિત્યરૂપ છે - એવું સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી, વસ્તુની સામાન્ય-વિશેષરૂપતા સિદ્ધ કરવા ત્રીજા અધિકારનો પ્રારંભ કરે છે – यच्चोक्तम्-'एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम्' इत्यादि । तदप्ययुक्तम्, सामान्यविशेषरूपस्य वस्तुनोऽनुभवसिद्धत्वात्; तथाहि-घटादिषु 'घटो घटः' इति सामान्याकारा बुद्धिरुत्पद्यते, 'मार्तिकस्ताम्रो राजतः' इति विशेषाकारा च; पटादिर्वा न भवति, इति । नार्थसद्भावोऽर्थसद्भावादेव निश्चीयते, सर्वसत्त्वानां सर्वज्ञत्वप्रसङ्गात् । सर्वार्थानामेव सद्भावस्याविशेषात्। किं तर्हि ? अर्थविज्ञानसद्भावानिश्चयः, ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायते। इत्यतोऽनुभवसिद्धत्वात्सामान्य-विशेषरूपं वस्तुः इति । न च 'अयमनुभवो भ्रान्तः' इति युज्यते वक्तुं, घटादिसन्निधावविकलतदन्यकारणानां सर्वेषामेवाविशेषेणोपजायमानत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : અને જે કહ્યું હતું કે - “એનાથી, સામાન્ય - વિશેષરૂપ પણ નિરાકૃત થયું સમજવું' - તે બધું પણ અયુક્ત છે; કેમ કે સામાન્ય-વિશેષરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - ઘટાદિમાં “ઘટઘટ’ એવી સામાન્યાકારે અને આ માટીનો, તાંબાનો, ચાંદીનો” અથવા “આ પટાદિ નથી' એવી વિશેષાકારે બુદ્ધિ થાય છે. હવે અર્થનો સદ્ભાવ અર્થસદ્ભાવથી જ નિશ્ચિત ન થઈ જાય; કેમ કે સર્વ જીવો સર્વજ્ઞ બનવાનો પ્રસંગ આવે; કેમ કે બધા પદાર્થોનો સદ્ભાવ સમાન છે. એટલે અર્થજ્ઞાનના સભાવથી નિશ્ચય થાય અને જ્ઞાન તો સામાન્ય-વિશેષાકાર જ થાય છે, તેથી અનુભવસિદ્ધ હોવાથી વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે અને આ અનુભવ બ્રાન્ત કહેવો યોગ્ય નથી; કેમ કે ઘટાદિની નજીક રહેલા અને બાકી બધી પૂર્ણ સામગ્રી જેમની પાસે રહી છે, તે બધા પ્રમાતાઓને સમાનપણે આ અનુભવ થાય છે. # જ્ઞાન દ્વારા સામાન્ય-વિશેષરૂપતાસિદ્ધિ છે વિવેચન : પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “સામાન્યવિશેષ બંને વચ્ચે વિરોધ હોવાથી, સામાન્ય-વિશેષરૂપ વસ્તુનું પણ નિરાકરણ થાય છે” - તે બધું કથન પણ અયુક્ત છે; કેમ કે સામાન્યવિશેષરૂપ વસ્તુ તો અનુભવસિદ્ધ છે, તે આ પ્રમાણે – ઘટાદિ પદાર્થો વિશે (૧) “આ ઘડો - આ પણ ઘડો' એમ સામાન્યાકારે બુદ્ધિ થાય છે, અને (૨) “આ ઘડો માટીનો, આ તાંબાનો, આ ચાંદીનો’ એમ, અથવા “આ પટ નથી, આ મઠ નથી' એમ વિશેષાકારે પણ બુદ્ધિ થાય છે. આમ વસ્તુ વિશેનો બોધ, સામાન્ય-વિશેષ ઉભયાકારે થાય છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ १०० अनेकान्तवादप्रवेशः -0 પૂર્વપક્ષઃ તમે પદાર્થનું જ્ઞાન સામાન્ય-વિશેષરૂપે થાય એવું સિદ્ધ કરો છો, પણ તેથી પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે, એવું શી રીતે સિદ્ધ થાય? ઉત્તરપક્ષઃ જુઓ; પહેલાં તો આપણે એ વિચારીએ કે પદાર્થનો સદૂભાવ કોના આધારે નિશ્ચિત થાય. પદાર્થના સદૂભાવથી જ પદાર્થનો સદૂભાવ નિશ્ચિત થાય એવું તો ન માની શકાય, કારણ કે ઘડો વિદ્યમાન હોય તેટલા માત્રથી ઘડાનો નિશ્ચય નથી થઈ જતો. જો નિશ્ચય માનો, તો ઘડાની જેમ, તમામ પદાર્થનો સદ્દભાવ સમાનપણે રહ્યો હોવાથી, એ તમામ પદાર્થોનો નિશ્ચય થવા લાગે ! અને એટલે તે બધા પ્રમાતાઓ સર્વજ્ઞ બની જાય ! જે અત્યંત અસંભવિત છે. પ્રશ્ન : તો અર્થનો સદ્ભાવ કોના આધારે નિશ્ચિત થાય ? ઉત્તર : પદાર્થના જ્ઞાનના આધારે.. અર્થાત્ ઘડાનું જ્ઞાન થવાથી ખ્યાલ આવે કે – “અહીં ઘડો છે અને તે સિવાયના પદાર્થોનું જ્ઞાન ન થવાથી, તેઓના અસ્તિત્વનો નિશ્ચય ન થાય અને તો સર્વજ્ઞ બનવાની આપત્તિ પણ ન આવે. હવે જ્ઞાન તો સામાન્ય-વિશેષ ઉભયાકારે જ થાય છે અને તો તેના આધારે વસ્તુ પણ સામાન્યવિશેષ ઉભયરૂપ જ માનવી રહી – એવું નિબંધ સિદ્ધ થાય છે. વળી, સામાન્ય-વિશેષ ઉભયાકાર થનારું સંવેદન બ્રાન્ત છે, એવું કહેવું બિલકુલ યોગ્ય નથી. કારણ કે ઘટાદિ પદાર્થના સંનિધાન વખતે, આલોકાદિ બીજા પણ કારણો જેમની પાસે વિદ્યમાન છે, તે બધા પ્રમાતાઓને સમાનરૂપે તેવું જ્ઞાન થાય છે. પછી તે પ્રમાતા બૌદ્ધ - જૈન કે બીજો કોઈપણ હોય ! આમ બધાને થતું હોવાથી, તે સંવેદનની યથાર્થતા નિબંધ સિદ્ધ થાય છે. – ____स्यादेतद्-विकल्पोयं 'घटो घटः' इत्येतद्रूपपरावृत्तवस्तुजन्यः संकेतवासनोत्थापितत्त्वान वस्तुस्वरूपग्राही, तद्ग्राही तु सजातीयासजातीयव्यावृत्तवस्तुस्वलक्षणविषयत्वान्न यथोक्तप्रकारः; इत्यतो 'अनुभवसिद्धत्वाद्' इत्ययुक्तम् । A પૂર્વમુર્તિ “નોત્યો' રૂત્તિ પJ., મત્ર A,B.C.D.E-પ્રતપીઠઃ | - પ્રવેશરશ્મિ – ભાવાર્થ: પૂર્વપક્ષ: ‘આ ઘટ-આ ઘટ’ એવો વિકલ્પ પારમાર્થિક સ્વરૂપથી નિવૃત્ત એવી સામાન્યાકાર વસ્તુથી જન્ય છે, તે સંકેત - વાસનાથી જન્ય હોવાથી પરમાર્થથી વસ્તુગ્રાહી નથી અને જે વસ્તુગ્રાહી છે, તે તો સજાતીય - વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણરૂપ વસ્તુને વિષય કરનારું હોવાથી યથોક્ત પ્રકારનું નથી. એટલે “અનુભવસિદ્ધ છે એવું કહેવું અયુક્ત છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १०१ છે બોદ્ધકૃત આશંકા છે વિવેચન : બૌદ્ધપૂર્વપક્ષ ઃ પરમાર્થથી વસ્તુનું સ્વરૂપ; સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત પ્રતિનિયત-એકસ્વભાવી છે, એટલે તેમાં સામાન્યાકાર (=સજાતીયનો સમાનપરિણામ) હોતો જ નથી. પણ “આ ઘટ, આ ઘટ’ એમ સામાન્યાકાર થનારો વિકલ્પ, વસ્તુના યથાર્થ સ્વરૂપથી જુદા એવા સામાન્યાકારરૂપ *વસ્તુથી જન્ય છે. એટલે હકીકતમાં તો એ વિકલ્પ અવસ્તુથી જ જન્ય છે. જો કે કોઈએ સંકેત કર્યો હોય, તો આપણને ઘટવિષયક વાસના ઊભી થાય છે અને તેના આધારે જ તેવો વિકલ્પ ઉત્પન્ન થાય છે, પણ પરમાર્થથી તે વિકલ્પ વસ્તુસ્વરૂપનું ગ્રહણ કરનાર નથી (કારણ કે તે, વસ્તુમાં રહેલ સજાતીય વ્યાવૃત્તસ્વરૂપને ગ્રહણ કરતો નથી અને વસ્તુમાં ન રહેલ સમાનાકારને ગ્રહણ કરે છે.) પ્રશ્ન : તો વસ્તુનું ગ્રહણ કોણ કરે છે? ઉત્તર : નિર્વિકલ્પજ્ઞાન... અને આ નિર્વિકલ્પ જ્ઞાન તો; સજાતીય (અન્યઘટાદ) અને વિજાતીય (પટાદિ) તે બંનેથી વ્યાવૃત્ત (ઋભિન્ન) એવા ઘટરૂપ સ્વલક્ષણમાત્રને જ વિષય કરે છે, એટલે તે સામાન્ય-વિશેષાકારરૂપ નથી. આમ જે વસ્તુસ્વરૂપગ્રાહી યથાર્થ સંવેદન છે, તેમાં તો સામાન્ય-વિશેષાકાર ભાસતો નથી, તો “સામાન્ય-વિશેષરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે એવું શી રીતે કહેવાય? (યથાર્થ અનુભવમાં તો વસ્તુ, સજાતીયથી પણ વ્યાવૃત્તરૂપે જણાય છે, સમાન પરિણામરૂપે નહીં.) ___न, निर्विकल्पकानुभवस्यापि तत्त्वतो यथोक्तप्रकारत्वात्, गृहीतग्राहित्वेन विकल्पस्य प्रामाण्यानभ्युपगमात्; अन्यथा गृहीतग्राहित्वानुपपत्तेः; एकस्याकारभेदेनाप्रतिभासनात्, हेत्वयोगेन च परपक्षे विकल्पाभावस्य प्रतिपादितत्वात्। इति ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : ઉત્તરપક્ષ: ના, નિર્વિકલ્પ- અનુભવ પણ યથોક્તસ્વરૂપવાળો છે, કારણ કે તમે ગૃહીતગ્રાહી હોવાથી જ વિકલ્પની પ્રમાણતા સ્વીકારી નથી, અન્યથા તેનું ગૃહીતગ્રાહીપણું સંગત ન થાય. વળી જે એક છે, તેનો જુદા જુદા આકારે પ્રતિભાસ ન થાય અને હેતુ ન ઘટવાથી બૌદ્ધમતે વિકલ્પનો અભાવ છે એવું અમે પૂર્વે જ કહી ગયા. * બૌદ્ધમતે સામાન્યાકારરૂપ કોઈ વસ્તુ જ નથી, પણ પરદર્શનને તેવું માન્ય હોવાથી તેનો અભ્યપગમ કરીને અહીં વસ્તુરૂપે ઉલ્લેખ કર્યો છે. છે“આ ઘટ કહેવાય’ તે સંકેત અને તેનાથી ઘટવિષયક સંસ્કાર ઊભા થયા. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ १०२ अनेकान्तवादप्रवेशः | ( બદ્ધ - આશંકાનું ઉમૂલન છે છે નિર્વિકલ્પની પણ સામાન્ય-વિશેષ ઉભયાકારતા જ વિવેચનઃ ચાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે વસ્તુનો નિર્વિકલ્પ - અનુભવ પણ સામાન્ય-વિશેષ ઉભયાકારે જ થાય છે. જુઓ — વિકલ્પજ્ઞાન કેમ અપ્રમાણ છે? તો તમે કહો છો કે, તે ગૃહીતગ્રાહી છે – એટલે. પણ હવે એ ગૃહીતગ્રાહી ત્યારે જ હોઈ શકે કે, જ્યારે તેમાં જણાતો સામાન્ય-વિશેષાકાર પૂર્વેક્ષણીય નિર્વિકલ્પથી ગૃહીત થતો હોય... (અન્યથા) જો નિર્વિકલ્પ વિશેષગ્રાહી જ હોય તો વિકલ્પ સામાન્યગ્રાહી હોવાથી ગૃહીતગ્રાહી ન થાય. અને તો તેની ગૃહીતગ્રાહિતા ન રહે એટલે તો તે પ્રમાણ જ બની જાય ! જે તમને બિલકુલ ઇષ્ટ નથી. એટલે માનવું જ રહ્યું કે, વિકલ્પમાં જણાતો સામાન્ય-વિશેષાકાર, પૂર્વક્ષણીય નિર્વિકલ્પથી પણ ગૃહીત છે જ. અને તો નિર્વિકલ્પમાં પણ સામાન્ય-વિશેષાકાર નિબંધ સિદ્ધ થાય. બૌદ્ધઃ તમે ઉપર સામાન્ય-વિશેષાકાર નિર્વિકલ્પજ્ઞાન સિદ્ધ કર્યું, પણ તે જ્ઞાનની ઉત્પત્તિ અમે નિરંશ-એકસ્વભાવી વસ્તુથી જ માની લઈશું. (એટલે જ્ઞાનની સામાન્ય-વિશેષાકારતા સિદ્ધ કરવા વસ્તુને પણ સામાન્ય-વિશેષાકારરૂપ માનવી જરૂરી નહીં રહે.) સ્યાદ્વાદી : જો વસ્તુ એકસ્વભાવી હોય, તો તેનાથી જુદા જુદા (સામાન્ય-વિશેષ) આકારે પ્રતિભાસ ન થઈ શકે. બૌદ્ધ : તમારી વાત એકદમ સાચી છે, નિર્વિકલ્પમાં તો તેવો જુદા જુદા આકારે પ્રતિભાસ થતો જ નથી. સ્યાદ્વાદીઃ તો શેમાં થાય છે? બૌદ્ધઃ વિકલ્પજ્ઞાનમાં... સ્યાદ્વાદીઃ - અરે ! બૌદ્ધમતે તો વિકલ્પજ્ઞાન જ ઘટતું નથી; કેમ કે “તે વિકલ્પજ્ઞાન કેવી વસ્તુ વિશે થાય? (૧) ઉત્પન્ન, (૨) અનુત્પન્ન, કે (૩) નિરુદ્ધ” એ બધા વિકલ્પોથી પૂર્વે જ અમે તેનું ખંડન કરી દીધું છે. એટલે જુદા જુદા આકારે (સામાન્ય-વિશેષાકારે) થનારો પ્રતિભાસ નિર્વિકલ્પમાં જ માનવો રહ્યો (સવિકલ્પ જેવું કોઈ તત્ત્વ જ નથી.) અને એટલે એ નિર્વિકલ્પના આધારે વસ્તુ પણ સામાન્યવિશેષ ઉભયરૂપ જ સિદ્ધ થશે. તેથી સામાન્ય-વિશેષરૂપ વસ્તુ અનુભવસિદ્ધ છે' એવું કહેવું યોગ્ય જ છે. ___ किञ्च-यद्यसौ सजातीयासजातीयव्यावृत्तवस्तुस्वलक्षणप्रभवो निर्विकल्पकानुभवः; इति । अथ कस्मात्तत्पृष्ठभावी तत्सामर्थ्यजन्मा विजातीयभेदग्राहकविकल्पवत्सर्वथा For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १०३ सजातीयभेदग्राहकविकल्पो न भवति ? न च भवति, तथाऽनुभवाभावात्; तस्मात्समानासमानपरिणामविशिष्टवस्तुप्रभव एवासावपि प्रतिपत्तव्यः, युक्तियुक्तत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? વળી આ નિર્વિકલ્પ અનુભવ; સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણરૂપ વસ્તુથી જન્ય છે. તો તેની પછી થનારો અને તેના સામર્થ્યથી જ ઉત્પન્ન થનારા વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ કેમ થતો નથી? (થવો જોઈએ ને?) પણ થતો તો નથી; કેમ કે અનુભવનો અભાવ છે. તેથી આ નિર્વિકલ્પ પણ સમાન-અસમાનપરિણામવાળી વસ્તુથી જન્ય જ માનવો રહ્યો; કેમ કે તેવું યુક્તિયુક્ત છે. જ નિર્વિકલ્પની સમાન-અસમાનપરિણામી વસ્તુજન્યતા છે. વિવેચનઃ જો નિર્વિકલ્પ અનુભવ; સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણથી ઉત્પન્ન થતો હોય, તો તેની પછી થનારા અને એ નિર્વિકલ્પના સામર્થ્યથી જ ઉત્પન્ન થનારા વિકલ્પો પણ, સજાતીય અને વિજાતીયના ભેદના ગ્રાહક હોવા જ જોઈએ. પણ વિકલ્પ તો માત્ર વિજાતીયભેદગ્રાહક જ થાય છે, સજાતીયભેદગ્રાહક નહીં (અર્થાત્ ઘટના નિર્વિકલ્પ અનુભવ પછી “આ પટ નથી એવો જ વિકલ્પ થાય છે, આ કપાલમૃદુ નથી' એવો વિકલ્પ નથી થતો.) પણ તે ન થવાનું કારણ શું? (નિર્વિકલ્પ તો સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત વસ્તુને જ વિષય કરે છે, તો તેના પછી તેનાથી જેમ વિજાતીયભેદગ્રાહક વિકલ્પ થાય છે, તેમ સજાતીયભેદ ગ્રાહક વિકલ્પ પણ થવો જોઈએ ને ?) પણ થતો તો નથી; કેમ કે તેવા સજાતીયભેદગ્રાહક વિકલ્પનો અનુભવ થતો નથી. (ઊલ્ટાનું સજાતીય-સમાનાકારરૂપ વિકલ્પનો અનુભવ થાય છે.) એટલે માનવું જ રહ્યું કે, તે નિર્વિકલ્પજ્ઞાન પણ સમાન-અસમાનપરિણામવાળી વસ્તુથી જ જન્ય છે; કેમ કે એવું યુક્તિસંગત જ છે. (યુક્તિ એ જ કે, જો નિર્વિકલ્પ આવી વસ્તુથી જન્ય મનાય, તો તેની પછી તેના સામર્થ્યથી ઉત્પન્ન થનારા સજાતીયસમાન ગ્રાહક અને વિજાતીય - અસમાનતાગ્રાહક વિકલ્પો; જે અનુભવસિદ્ધ છે, તેઓ નિબંધ સંગત થઈ જાય.) અને આવી વસ્તુથી જન્ય હોવામાં એ નિર્વિકલ્પ જ્ઞાન સામાન્ય-વિશેષાકાર જ ફલિત થાય અને તો તેના આધારે વસ્તુ પણ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય જ. ___ स्यादेतत्-कुशलमायाकारविनिर्मितव्यापारविनियुक्तेषु सर्वथा विलक्षणस्वभावमायागोलकेषु विभिन्ननिर्विकल्पानुभवानुभूयमानेष्वपि विजातीयभेदग्राहकविकल्पवन सजातीयभेदग्राहकविकल्पसंभवो दृष्टः, सादृश्यात्, एवमिहापि भविष्यन्ति । For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ १०४ अनेकान्तवादप्रवेशः - પ્રવેશરશ્મિ – ભાવાર્થ પૂર્વપક્ષ કુશળ માયાપ્રયોગ કરનારના નિર્માણ કરેલા વ્યાપારથી વિનિયુક્ત સર્વથા વિલક્ષણ સ્વભાવવાળા માયાગોલકો; જો કે વિભિન્ન એવા નિર્વિકલ્પ અનુભવથી અનુભવાય છે, તો પણ સાદૃશ્યના કારણે તેમાં વિજાતીય-ભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પનો સંભવ દેખાતો નથી. એ રીતે અહીં પણ થશે. વિવેચનઃ પૂર્વપક્ષ : કોઈ માયાપ્રયોગમાં નિષ્ણાત વ્યક્તિ, એવી રીતે નાના નાના ગોલકો ફેરવે, કે એક આખો સંપૂર્ણ પદાર્થ જ લાગે. હવે અહીં નિર્વિકલ્પ અનુભવ તો; દરેક ગોલકોનું જુદું જુદું જ થાય છે, પણ તેની પછી તેના સામર્થ્યથી થનારા વિકલ્પજ્ઞાનમાં, વિજાતીયથી વ્યાવૃત્તરૂપે જ તે ગોલકો જણાય છે, સજાતીયથી વ્યાવૃત્તરૂપે નહીં. (અર્થાત્ પટાદિથી આ ગોલક જુદો છે – એવું જ જણાય છે, પણ વિવક્ષિત ગોલક સજાતીય, અન્યગોલકથી પણ જુદો છે – એવું નથી જણાતું.) તો જેમ અહીં સજાતીય - વિજાતીયથી વ્યાવૃત્ત સ્વલક્ષણનો નિર્વિકલ્પ અનુભવ થવા છતાં પણ માત્ર વિજાતીયભેદગ્રાહક વિકલ્પ જ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. અર્થાત્ ઘટાદિ વિશે પણ (તેવો નિર્વિકલ્પ અનુભવ થયા પછી પણ) વિજાતીયભેદગ્રાહક વિકલ્પ જ થશે, સજાતીયભેદ ગ્રાહક વિકલ્પ નહીં, તેનું કારણ સાદેશ્ય છે. . एतदप्यसारम्, सादृश्यस्य परिकल्पितत्वात; परिकल्पितस्य च सजातीयभेदग्राहकविकल्पप्रभवाप्रतिबन्धकत्वात् प्रतिबन्धकत्वे च विजातीयभेदग्राहकविकल्पोदयोऽपि न स्यात्; तस्य तैरपि सह सादृश्यस्य परिकल्पयितुं शक्यत्वात् कल्पनायाः पुरुषेच्छामात्रनिबन्धनत्वात् ।। –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : ઉત્તરપક્ષ : આ પણ અસાર છે; કેમ કે સાદૃશ્ય પરિકલ્પિત છે અને પરિકલ્પિત સાદૃશ્ય સજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિને રોકી શકે નહીં. જો રોકે, તો વિજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિ પણ નહીં થાય, કેમ કે તેની વિજાતીય સાથે પણ સાદેશ્યની કલ્પના શક્ય જ છે અને તેનું કારણ એ કે, કલ્પના તો માત્ર પુરુષેચ્છામૂલક છે. વિવેચન : ઉત્તરપક્ષ : તમારી આ વાત પણ અસાર છે, કારણ કે તમારા મતે તો સાદેશ્ય પરિકલ્પિત છે. (બૌદ્ધમતે, સજાતીયથી જુદી પ્રતિનિયત એકસ્વભાવી અને પરસ્પર અત્યંત વિલક્ષણ એવાં સ્વલક્ષણોને વસ્તુરૂપ મનાય છે. હવે આવા સ્વલક્ષણોમાં તો સાદશ્ય હોતું જ નથી.) તો આવું પરિકલ્પિત સાદશ્ય, સજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિને રોકી શકે નહીં. (અર્થાતું તેવું કોઈ સાદૃશ્ય જ નથી કે, જેને દેખવાથી સજાતીયથી ભેદને ગ્રહણ કરનાર વિકલ્પની ઉત્પત્તિ અટકી જાય.) For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १०५ પ્રશ્નઃ તેવું પરિકલ્પિત સાદૃશ્ય પણ, સજાતીયભેદ ગ્રાહક વિકલ્પની ઉત્પત્તિને અટકાવી દેએવું માનીએ તો? ઉત્તર : તો તો તેની જેમ વિજાતીયભેદગ્રાહક (‘આ ઘડો પટ નથી' એવું ગ્રહણ કરનાર) વિકલ્પની ઉત્પત્તિ પણ નહીં થાય; કેમ કે ઘટનું કલ્પિત સાદૃશ્ય તો વિજાતીય એવા પટાદિની સાથે પણ કલ્પી જ શકાય છે. (જેમ ઘડો લાલ છે તેમ પટ લાલ છે; જેમ ઘડો પાર્થિવ છે તેમ પટ પાર્થિવ છે.. એમ સાદગ્ધ સમજવું.) અને તેમાં કોઈ બાધ પણ નથી; કેમ કે તમારા મતે તો જેમ વિવક્ષિત ઘટથી અત્યંત વિલક્ષણ અન્ય ઘટમાં સાદશ્ય કલ્પાય છે, તેમ અત્યંત વિલક્ષણ પટાદિમાં પણ સાદેશ્ય કલ્પી જ શકાય છે. અને કલ્પના તો માત્ર પુરુષેચ્છાને આધીન છે. એટલે સજાતીયની જેમ વિજાતીયમાં પણ સાદશ્ય કલ્પી જ શકાય અને તો વિજાતીયભેદગ્રાહક વિકલ્પની ઉત્પત્તિ પણ અટકી જાય ! (અર્થાત્ ‘આ ઘડો પટ નથી' એવો વિકલ્પ પણ નહીં થઈ શકે.) तदकारणाऽतत्कार्यव्यावृत्त्यादिलक्षणस्य सादृश्यनिबन्धनस्य मिथोऽत्यन्तविलक्षणस्वभावसकलभाववादिनो वाङ्मात्रत्वात्; तथाहि-सजातीयासजातीयव्यावृत्त्या अविशेषण विलक्षणत्वे सर्वभावानां कः केन समानकारणः ? समानकार्यो वा ? इति स्वदर्शनानुरागं परित्यज्य लोचने निमील्य चिन्त्यताम्, इति । असति च समानकारणत्वादावतत्कारणातत्कार्यव्यावृत्तिरिति कैषा वाचो युक्तिः ? स्वकारणप्रभवस्वकार्यप्रसाधकस्वरूपव्यतिरेकेण वस्तुतः सर्वभावानां सर्वभावेभ्य एवाविशेषेण व्यावृत्तत्वात्, इति । पर्याप्तं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः - A પૂર્વમુદ્રિતે પ્રમવશ્વ સાર્વસાવે' રિ પ., મત્ર 7 B.C.D-પ્રતિપાઠ: ! – પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને તે કારણ નથી જેનું અને તે કાર્ય નથી જેનું તેવા પટાદિથી વ્યાવૃત્તિને સાદેશ્યનું કારણ કહેવું એ પણ પરસ્પર અત્યંત વિલક્ષણસ્વભાવવાળા સર્વભાવોનું કથન કરનારના મતે વચનમાત્ર જણાઈ આવે છે. તે આમ - સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્તિરૂપે જ્યારે સર્વ ભાવો સમાનપણે વિલક્ષણ છે, ત્યારે કોણ કોની સાથે સમાજકારણવાળો કે સમાનકાર્યવાળો થાય? એ પ્રમાણે પોતાના દર્શનનો અનુરાગ છોડીને આંખ બંદ કરીને વિચારો. જ્યારે સમાનકારણતાદિ જ નથી, ત્યારે અતત્કારણઅતત્કાર્યવ્યાવૃત્તિને કહેવું એ વળી કેવી વચનની યુક્તિ છે? અને પોતાના કારણથી ઉત્પન્ન થયેલા પોતાના કાર્ય સાધનારા સ્વરૂપ વિના તો સર્વપદાર્થો સર્વપદાર્થથી અવિશેષપણે વ્યાવૃત્ત છે. હવે આ પ્રસંગથી સર્યું. હવે પ્રસ્તુતને વિચારીએ. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ १०६ अनेकान्तवादप्रवेशः -> બૌદ્ધમતે સાદૃશ્ય કથમપિ અસંગત વિવેચન : બૌદ્ધ : પરસ્પર અત્યંત વિલક્ષણ પદાર્થોમાં પણ ભેદનું ગ્રહણ ન થવાનું કારણ એ જ કે તેઓમાં પરસ્પર સાદૃશ્ય રહ્યું છે. અને સાદશ્ય હોવાના બે કારણ છે : (૧) અતત્કા૨ણવ્યાવૃત્તિ, અને (૨) અતત્કાર્યવ્યાવૃત્તિ... (૧) તત્કારણ=ઘટનું મૃતપિંડરૂપ કારણ, તે જેનું કારણ નથી તેવા અતત્કારણ એટલે પટાદિ અને એ પટાદિથી વ્યાવૃત્તિ (=અતત્કારણવ્યાવૃત્તિ) જેની હોય, તે બધાનું પરસ્પર સાદૃશ્ય સમજવું. (એટલે પટાદિથી વ્યાવૃત્ત તમામ ઘટોનું (માટીથી ઉત્પન્ન થનારા તમામનું) પરસ્પર સાર્દશ્ય થાય. (૨) તત્કાર્ય=જલાહરણાદિરૂપ (પાણી લાવવાદિરૂપ) કાર્ય, તે કાર્ય જેનું નથી તેવા અતત્કાર્ય એટલે પટાદિ અને એ પટાદિથી વ્યાવૃત્તિ જેની હોય, તે બધાનું પરસ્પર સાદશ્ય થાય (એટલે પટાદિથી વ્યાવૃત્ત તમામ ઘટોનું (પાણી લાવનાર તમામનું) પરસ્પર સાદશ્ય થાય.) આમ અતત્કા૨ણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિ જ સાદશ્યનું કારણ છે અને આ સાદશ્યના કારણે જ સજાતીય ઘટોથી ભેદનું ગ્રહણ કરનાર વિકલ્પ થતો નથી. સ્યાદ્વાદી : તમારું આ કથન પણ માત્ર બોલવા પૂરતું છે, કારણ કે તમે તો બધા પદાર્થોને પરસ્પર અત્યંત વિલક્ષણ સ્વભાવવાળા કહો છો. - એટલે તો બધા પદાર્થો સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત હોવાથી, બધા પદાર્થો સમાનપણે વિલક્ષણ છે. (વિવક્ષિત ઘટથી, જેમ પટાદિ વિલક્ષણ છે, તેમ અન્ય ઘટો પણ વિલક્ષણ છે.) તો કોણ કોની સમાનકારણવાળું કે સમાનકાર્યવાળું થાય ? (તાત્પર્ય : વિવક્ષિત ઘટનું કારણ મૃત્યુપિંડ અને અન્ય ઘટનું કારણ પણ મૃત્યુપિંડ; પણ બંને મૃપિંડ પરસ્પર અત્યંત વિલક્ષણ છે, તો તે બે ઘડા સમાનકારણવાળા શી રીતે કહેવાય ? અને તે બેનું જલાહરણાદિ કાર્ય પણ અત્યંત વિલક્ષણ હોવાથી, તેઓ સમાનકાર્યવાળા પણ શી રીતે કહેવાય ?) અને સમાનકારણ-સમાનકાર્યવાળા ન હોય, તો તેઓનું સાદશ્ય પણ શી રીતે કહેવાય ? એ બધું તમે પોતાના દર્શનનો અનુરાગ છોડીને આંખ બંદ કરીને એકદમ શાંતિથી વિચારો. અને જો સમાનકારણવાળું કે સમાનકાર્યવાળું કોઈ ન હોય, તો ‘અતત્કા૨ણ-અતત્કાર્યવ્યાવૃત્તિ’ એવું બોલવામાં યુક્તિ શું ? કેમ કે બધી વસ્તુઓ પોતાના કારણથી ઉત્પન્ન થયેલા અને પોતાના કાર્યને ઉત્પન્ન કરવાના સ્વરૂપવાળી છે અને આવું સ્વરૂપ તો દરેકનું જુદું જુદું હોવાથી, તે રૂપે તો સર્વભાવો સર્વભાવોથી વ્યાવૃત્ત છે જ. (એટલે તો બધા પદાર્થો જુદા જુદા કારણથી ઉત્પન્ન થયા અને પોત-પોતાનું જુદું જુદું કાર્ય કરનાર થયા અને તેથી તો તેઓ બધા ‘અતત્કારણ-અતત્કાર્ય' રૂપ જ સિદ્ધ થયા. ફલતઃ અતત્કારણઅતત્કાર્યવ્યાવૃત્તિરૂપ કોઈ ન રહેવાથી, તમ્મૂલક સાદેશ્ય પણ સંભવી શકે નહીં.) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १०७ હવે આ પ્રસંગથી સર્યું. હવે પ્રસ્તુત વાત પર આવીએ – (પ્રસ્તુતમાં વાત એ ચાલતી હતી કે, બૌદ્ધમતે નિર્વિકલ્પમાં તો સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ જ જણાય છે, તો પછી વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ કેમ નથી થતો? તેના સમાધાન માટે બૌદ્ધ વચ્ચે સાદૃશ્ય લાવ્યું - સાદૃશ્યના કારણે સજાતીયમાં સમાનાકારનો ભ્રમ થઈ જવાથી જ સજાતીયભેદગ્રાહક વિકલ્પ થતો નથી. પણ ગ્રંથકારશ્રીએ બૌદ્ધમતે સાદેશ્યનો અસંભવ બતાવીને તેની વાતનો નિરાસ કર્યો. હવે આ જ ચર્ચા પર આગળ વધીએ –) __स्यादेतत्, असौ निर्विकल्पानुभवो विजातीयभेदग्रहणेऽभ्रान्तः, सजातीयभेदग्रहणे पुनर्भ्रान्तः इत्यतस्तद्ग्राहकविकल्पासम्भवः, इति । एतदप्यसद्, एकस्य भ्रान्ताभ्रान्तत्वायोगाद्, अभ्रान्तविशेषणानुपपत्तेश्च। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: પૂર્વપક્ષઃ આ નિર્વિકલ્પ અનુભવ વિજાતીયભેદગ્રહણમાં અભ્રાન્ત છે અને સજાતીયભેદગ્રહણમાં વળી બ્રાન્ત છે. એટલે જ સજાતીયભેદગ્રાહક વિકલ્પનો સંભવ નથી. ઉત્તરપક્ષ ઃ આ પણ અસત્ છે; કેમ કે એકનું ભ્રાન્ત-અબ્રાન્તપણું ઘટે નહીં અને અબ્રાન્સવિશેષણ ઉપપન ન થાય. વિવેચનઃ બૌદ્ધઃ નિર્વિકલ્પ અનુભવ; જે વિશે અભ્રાન્ત હોય, તે વિશે જ પાછળથી વિકલ્પને ઉત્પન્ન કરે છે. હવે નિર્વિકલ્પ અનુભવ, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં અબ્રાન્ત છે (અર્થાત પટાદિથી આ ઘટ જુદો છે' એ વિશે અભ્રાન્ત છે) પણ સજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં ભ્રાન્ત છે (અર્થાત્ “અન્યઘટથી આ ઘટ જુદો છે' એ વિશે ભ્રાન્ત છે.) એટલે જ તે નિર્વિકલ્પ અનુભવ, પાછળથી માત્ર વિજાતીયભેદગ્રાહક વિકલ્પને જ ઉત્પન્ન કરે છે. સજાતીયભેદગ્રાહક વિકલ્પને નહીં. (આવું હોવાથી જ સજાતીયથી ભેદને ગ્રહણ કરનાર વિકલ્પ થતો નથી.) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસત્ છે, કારણ કે નિર્વિકલ્પ-અનુભવ તો નિરંશ-એક સ્વભાવી છે, તો આવો એકસ્વભાવી અનુભવ, ભ્રાન્ત-અભ્રાન્ત બેરૂપ શી રીતે હોઈ શકે? (એટલે તેનું જુદા જુદા અંશમાં ભ્રાન્ત-અબ્રાન્તપણું કહેવું યોગ્ય નથી.) વળી પ્રત્યક્ષનું લક્ષણ તો ‘સત્પનાપોઢ બ્રાન્ત પ્રત્યક્ષ' - કલ્પનાથી રહિત જે અભ્રાન્ત અનુભવ તે પ્રત્યક્ષ' એવું મનાય છે. પણ જો એ નિર્વિકલ્પ અનુભવ અમુક વિશે ભ્રાન્ત પણ મનાય, તો તેનું અબ્રાન્તરૂપ વિશેષણ સંગત થાય નહીં. કારણ કે એ વિશેષણ તો ભ્રાન્તતાના વ્યવચ્છેદપૂર્વક જ પ્રવૃત્ત થાય, અન્યથા નહીં.). એટલે નિર્વિકલ્પને ભ્રાંત-અબ્રાંત કહી તેના આધારે સજાતીયભેદગ્રાહક વિકલ્પનો અનુભવ બતાવવો તે બિલકુલ યોગ્ય નથી. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ १०८ अनेकान्तवादप्रवेशः ___ अथोच्यते-असौ विजातीयभेदग्रहणे पटुः, इतरभेदग्रहणे पुनरपटुः; पट्वनुभवाहितसंस्कारप्रकोपसामर्थ्याच्च विजातीयभेदग्राहकविकल्पनिष्पादनायैवालम्, न इतरभेदग्राहकविकल्पनिष्पादनाय । इत्येतदप्यनल्पस्य तमसो विजृम्भितम्; यतः-असावनुभवो येन स्वभावेन विजातीयभेदग्रहणे पटुः, किं तेनैवेतरभेदग्रहणेऽपटुः ? आहोश्विदन्येन ? વિશ્વાતિઃ ? - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ એ, વિજાતીયભેદગ્રહણમાં પટુ છે અને સજાતીયભેદગ્રહણમાં વળી અપટુ છે અને પટુ-અનુભવથી પડેલ સંસ્કારના ઉદયના સામર્થ્યથી તે માત્ર વિજાતીયભેદગ્રાહકવિકલ્પને ઉત્પન્ન કરવા જ સમર્થ છે, સજાતીયભેદગ્રાહક વિકલ્પને ઉત્પન કરવા નહીં. ઉત્તરપક્ષ : આ પણ અનલ્પ અજ્ઞાનનો વિસ્તાર છે; કેમ કે આ અનુભવ જે સ્વભાવે વિજાતીયભેદગ્રહણમાં પટુ છે, શું તે જ સ્વભાવે સજાતીયભેદગ્રહણમાં અપટુ છે? કે બીજા કોઈ સ્વભાવે? તેનાથી શું? વિવેચનઃ પૂર્વપક્ષ નિર્વિકલ્પ અનુભવ બંનેને ગ્રહણ કરવામાં અબ્રાન્ત છે (બ્રાન્ત-અભ્રાન્ત નહીં) પણ વસ્તુસ્થિતિ એ કે, તે, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં કુશળ (હોંશિયાર) છે અને સજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં અકુશળ છે (અર્થાત્ ગ્રહણ કરે ખરો, પણ તેના પ્રહણથી જે સંસ્કાર 'પડવા જોઈએ, તે ન પડે.) હવે વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં પટુ-અનુભવથી, આત્મામાં તેવા (=વિજાતીયભેદને ગ્રહણ કરવાના) સંસ્કારનું આધાન થાય અને તે સંસ્કારોદયના સામર્થ્યથી, નિર્વિકલ્પ અનુભવ, વિજાતીયભેદગ્રાહક વિકલ્પને ઉત્પન્ન કરવા જ સમર્થ છે. અને તે, સજાતીયભેદને ગ્રહણ કરવામાં અકુશળ હોઈ, આત્મામાં તવિષયક સંસ્કાર ન પડે અને એટલે તે સજાતીયભેદગ્રાહક વિકલ્પને ઉત્પન્ન કરવા સમર્થ થાય નહીં. ઉત્તરપક્ષ : તમે આવું કહીને તમારા અનલ્પ ( પુષ્કળ) અજ્ઞાનનું પ્રદર્શન જ કર્યું છે, કારણ કે તમે એક જ અનુભવને પટુ-અપટુ કહ્યો, તો આ વિશે અમારો પ્રશ્ન છે કે, તે નિર્વિકલ્પ અનુભવ, જે સ્વભાવે વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં પટુ છે, શું (૧) તે જ સ્વભાવે સજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં અપટુ છે, કે (૨) કોઈ બીજા સ્વભાવે ? આ બે વિકલ્પો તમારી સમક્ષ મૂક્યા છે, તમે કયો વિકલ્પ સ્વીકારશો? બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે. જુઓ – यदि तेनैव विजातीयभेदग्रहणवत् तत एव सजातीयभेदग्रहणमप्यविकलं स्यात्; विपर्ययो वा, तथा च सत्युभयत्र पटुत्वेतराविशेषवत् तदनुभवाहितसंस्कारप्रकोपसामर्थ्यस्य For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १०९ तुल्यत्वात्, विजातीयभेदग्राहकविकल्पवदितरभेदग्राहकविकल्पोऽपि स्याद् विपर्ययो वा, तदाहितसंस्कारस्य विकल्पनिबन्धनस्योभयत्र तुल्यत्वात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ જો તે જ સ્વભાવે, તો વિજાતીયભેદના ગ્રહણની જેમ, તે સ્વભાવથી સજાતીયભેદનું ગ્રહણ પણ અવિકલ્પપણે થાય અથવા તેનાથી ઊંધું થાય અને તેવું હોવામાં પટુ-અપટુપણું સમાન હોવાથી તેવા અનુભવથી આહિત સંસ્કારપ્રકોપનું સામર્થ્ય પણ સમાન જ હોવાનું અને તો વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ થાય અથવા તો ઊંધું થાય; કેમ કે વિકલ્પનું કારણ જે અનુભવાહિત સંસ્કાર છે, તે તો બંને ઠેકાણે સમાન છે. # પ્રથમ વિકલ્પની અયુક્તતા છે. વિવેચનઃ (૧) જે સ્વભાવે તે વિજાતીયભેદગ્રહણમાં પટુ હોય, તે જ સ્વભાવે જો સજાતીયભેદગ્રહણમાં અપટુ હોય, તો તો તે નિરંશ-એકસ્વભાવ પટુરૂપ હોઈ, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવાની જેમ, સજાતીયથી ભેદને પણ પરિપૂર્ણપણે ગ્રહણ કરવા લાગે ! (કેમ કે અપટુસ્વભાવ પણ પટુસ્વભાવરૂપ જ છે.) અથવા તો તે અપટુરૂપ હોઈ, જેમ સજાતીયથી ભેદને ગ્રહણ કરતો નથી, તેમ વિજાતીયથી પણ ભેદને ગ્રહણ નહીં કરે ! (કેમ કે તેનો પટુસ્વભાવ પણ અપટુસ્વભાવરૂપ છે. એટલે વિજાતીયભેદગ્રહણમાં પટુ હોવા છતાં પણ અપટુ જ રહે !) આમ તે, કાં તો બંને વિશે પટુ થાય અથવા તો બંને વિશે અપટુ થાય ! આમ તેનું પટુ-અપટુપણું બંને વિશે સમાન હોવાથી, તેવા અનુભવથી આહિત સંસ્કારના ઉદયનું સામર્થ્ય પણ બંને વિશે તુલ્ય જ હોવાનું, અર્થાત્ તે પટુ-અનુભવથી જેમ વિજાતીયથી ભેદના સંસ્કાર પડે છે, તેમ સજાતીયથી પણ ભેદને ગ્રહણ કરવાના સંસ્કાર પડે જ. આમ બંનેના સંસ્કાર સમાનપણે રહ્યા છે અને આ અનુભવથી આહિત સંસ્કાર જ વિકલ્પનું કારણ છે. એટલે એ સંસ્કારથી જેમ વિજાતીયભેદગ્રાહક વિકલ્પ ઉત્પન્ન થાય છે, તેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ ઉત્પન્ન થાય જ. અથવા તો, તે અનુભવ, બંને વિશે અપટુ હોવાથી, જેમ તેનાથી સજાતીયથી ભેદના સંસ્કાર પડતા નથી, તેમ વિજાતીયથી પણ ભેદના સંસ્કાર નહીં પડે ! અને તો સજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ વિજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ ઉત્પન્ન નહીં થાય. એટલે નિર્વિકલ્પ-અનુભવને એક જ સ્વભાવે પટુ-અપટુ ન માની શકાય. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ११० अनेकान्तवादप्रवेशः अथान्येन, अनुभवस्योभयस्वभावापत्तिः, तथा च सति स्वभावयोर्धर्मत्वादनुभवस्य च धर्मित्वान्मिथो भेदाभेदोभयविकल्पप्रभवो दोषोऽनिवार्यते, इति; मृग्यतां त्राणार्थमुपायः । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો બીજા સ્વભાવે, તો અનુભવ ઉભયસ્વભાવી બનવાની આપત્તિ આવે અને તેવું હોવામાં બે સ્વભાવ ધર્મ અને અનુભવ ધર્મી થાય અને તો તેઓનો પરસ્પર ભેદ, અભેદ કે ભેદભેદ... એ બધા વિકલ્પોથી થનારા દોષો અનિવારિતપણે આવશે, તો બચવાનો ઉપાય શોધો. ( દ્વિતીચ વિકલ્પની અયુક્તતા છે વિવેચન : (૨) જે સ્વભાવે તે વિજાતીયભેદગ્રહણમાં પટુ હોય, તેનાથી જુદા સ્વભાવે સજાતીયભેદગ્રહણમાં અપટુ કહેવાય, તો તેના પટુ-અપટુરૂપ બે જુદા જુદા સ્વભાવ ફલિત થાય અને તો તેને ઉભયસ્વભાવી માનવાની આપત્તિ આવે ! અને એવું કહેવામાં (૧) પટુ-અપટુરૂપ બે સ્વભાવ ધર્મ બને, અને (૨) અનુભવ ધર્મી બને તો અહીં પણ વિકલ્પો ઊભા થશે કે, ધર્મ-ધર્મી વચ્ચે શું છે ? (ક) ભેદ, (ખ) અભેદ, કે (ગ) ભેદભેદ? (ક) ભેદ કહો તો ધર્મ નિઃસ્વભાવ બની જાય (ખ) અભેદ કહો તો ધર્મ-ધર્મીમાંથી કોઈ એક જ શેષ રહે અને તેમાં જો ધર્મ શેષ રહે, તો ધર્મી વિનાના તેઓ નિરાધાર થવાથી તેઓનું સ્વરૂપ સંગત ન થાય અને જો ધર્મી શેષ રહે, તો ધર્મ વિના તે નિઃસ્વભાવ બનવાથી તેનું પણ સ્વરૂપ સંગત ન થાય, અને (ગ) જો ભેદાભેદ કહો, તો અભ્યાગમનો ત્યાગ થઈ અનેકાંતવાદ જ શરણ થાય. એ બધા દોષો અનિવારિતપણે આવશે, તો તેનાથી બચવાના ઉપાય શોધો. (અર્થાત્ બીજા વિકલ્પથી આવનારા પુષ્કળ દોષોને અટકાવવાનો તમારી પાસે કોઈ ઉપાય નથી.) ___परिकल्पितोभयस्वभावाभ्युपगमकवचोपायसद्भावात् प्रयासमात्रफलोऽभीष्टफलविकलो दोषाशनिः इति चेत् ? न, प्रचण्डवेगमहास्रोतःप्रवाहापह्रियमाणकुशकाशावलम्बनप्रायत्वादुपन्यस्तोपायस्य; तथाहि-परिकल्पितोभयस्वभावताऽभ्युपगमेन परमार्थतोऽसौ न विजातीयभेदग्रहणपटुस्वभावो नापि सजातीयभेदग्रहणापटुस्वभावः, इति । अतोऽनुभवस्वभावरहितत्वादननुभवत्वप्रसङ्गः, इति । तदिदं 'पिशाचभयात् पितृवनाश्रयणमायातम्' इति धिग्, अहो दारुणं तमः । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: પૂર્વપક્ષ ઉભયસ્વભાવને કલ્પિત માનવાના કવચરૂપ ઉપાય હોવાથી, તમે કહેલ દોષરૂપી વીજળી ઇચ્છિત ફળથી વિકલ માત્ર પ્રયાસ પૂરતા ફળવાળી છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १११ ઉત્તરપક્ષ ના, કારણ કે આ ઉપાય તો; પ્રચંડ વેગવાળા પાણીના પ્રવાહમાં તણાતી વ્યક્તિ માટે તણખલાનું શરણું લેવા જેવો છે. તે આ પ્રમાણે - ઉભય સ્વભાવ કલ્પિત હોવાથી તો પરમાર્થથી એ અનુભવ, વિજાતીયભેદગ્રહણપસ્વભાવી પણ નથી અને સજાતીયભેદગ્રહણ-અપટુસ્વભાવી પણ નથી. એટલે અનુભવ સ્વભાવથી રહિત હોવાથી અનનુભવરૂપ માનવાનો પ્રસંગ આવશે ! આ તો ભૂતના ડરથી સ્મશાનમાં ઘુસવા જેવું થયું. એટલે તમારી માન્યતા તિરસ્કારપાત્ર છે. અહો ! કેવું દારુણ અજ્ઞાન ! વિવેચન : પૂર્વપક્ષઃ તમે કહેલ દોષોથી છૂટવા અમારી પાસે ઉપાય છે જ, તે ઉપાય એ કે, નિર્વિકલ્પમાં રહેલ પટુ-અપટુ રૂપ ઉભયસ્વભાવ કલ્પિત છે, અર્થાતુ વાસ્તવમાં છે જ નહીં અને એટલે તેઓની સાથે ભેદાદિના વિકલ્પો થઈ શકે જ નહીં. તેથી તમે મૂકેલા વિકલ્પો, ઇચ્છિત ફળથી રહિત માત્ર પ્રયાસ પૂરતા ફળવાળા છે. ઉત્તરપક્ષઃ જેમ પ્રચંડ વેગવાળા પાણીના મોટા પ્રવાહમાં તણાતો વ્યક્તિ જો બચવા માટે તણખલાનો આશરો લે, તો તે તણખલું તેનું રક્ષક બનતું નથી, તેમ તમે કહેલ ઉપાય પણ તમને રક્ષક બનતો નથી. તે આ પ્રમાણે – જો નિર્વિકલ્પમાં રહેલ પટુ-અપટુસ્વભાવ કલ્પિત મનાય, તો પરમાર્થથી તે બે સ્વભાવનું અસ્તિત્વ જ ન રહે અને તો પરમાર્થથી એ નિર્વિકલ્પ અનુભવ, વિજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં પટુસ્વભાવવાળો ન રહે અને સજાતીયથી ભેદને ગ્રહણ કરવામાં અપટુસ્વભાવવાળો પણ ન રહે ! અને એટલે સ્વભાવથી રહિત હોવાથી તો તે અનુભવ “અનુભવ” રૂપ જ ન રહે, અર્થાત્ અનનુભવરૂપ બનવાનો પ્રસંગ આવે ! આ તો તમે ભૂતના ડરથી શ્મશાનનો આશ્રય કર્યો કહેવાય. આશય એ કે, કોઈક વ્યક્તિને ભૂતનો ડર લાગતો હોય ને તે શ્મશાનનો આશરો લે, તો તેનો ભય ઘટતો નથી જ, ઉપરથી વધે છે, તેમ તમે પણ દૂર કરવા ગયા નાના દોષને, પણ પામી ગયા અનુભવશુન્યતારૂપ મોટા દોષને ! એટલે જ તમારી વાતો તિરસ્કારપાત્ર છે. અહો ! તમારું કેવું અજ્ઞાનરૂપ અંધારું ! સાર ? જો નિર્વિકલ્પમાં સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ જણાતી હોય, તો તેના પછી વિજાતીયભેદગ્રાહક વિકલ્પની જેમ સજાતીયભેદગ્રાહક વિકલ્પ પણ થવો જોઈએ ને? કેમ થતો નથી? अपरस्त्वाह-यथैवाक्रमवति सामान्यविशेषोभयस्वभावे वस्तुनि तथाविधक्षयोपशमाभावान्नावग्रहकाल एव भवति सतामपीहादिगोचराणां धर्माणामवगमः; अभ्युपगमे वा गृहीतग्राहित्वेनेहादीनामप्रमाणत्वप्रसङ्गात् । तथाऽस्माकमप्यर्वाग्दृशां क्लिष्टचित्तत्वात् सतोऽपि सजातीयभेदस्य तदाऽनवगमः; सकलरागादिवासनाकलङ्कविकलास्तु योगिनोકવચ્છિન્યવ, કૃતિ | For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : જે પ્રમાણે અક્રમવાળી સામાન્ય-વિશેષ ઉભયસ્વભાવી વસ્તુ વિશે, તેવો ક્ષયોપશમ ન હોવાથી, અવગ્રહ વખતે જ વિદ્યમાન પણ ઈહાદિવિષયક ધર્મોનું જ્ઞાન તમારા મતે થતું નથી. જો જ્ઞાન માનો, તો ઈહાદિ ગૃહીતગ્રાહી થવાથી અપ્રમાણ માનવાનો પ્રસંગ આવે. તે પ્રમાણે અમારા મતે અર્વાગ્દર્શ જીવોને ક્લિષ્ટ્રચિત્ત હોવાથી વિદ્યમાન પણ સજાતીયભેદનું ત્યારે જ્ઞાન થતું નથી. બાકી રાગાદિ તમામ વાસનારૂપી કલંકથી રહિત યોગીઓ તો તેને જાણે જ છે. વિવેચનઃ પૂર્વપક્ષઃ તમારા (=સ્યાદ્વાદીના) મતે દરેક વસ્તુઓ સામાન્ય-વિશેષ ઉભયસ્વભાવી (અનંતધર્મક) મનાય છે અને આવી અનંતધર્મવાળી વસ્તુ ક્રમિક નથી હોતી, પણ યુગપતું હોય છે, એટલે તેના સત્ત્વ, દ્રવ્યત્વ, પાર્થિવત્વ, મૃત્મયત્વ વગેરે ધર્મો એકસાથે વિદ્યમાન હોય છે. હવે આ વસ્તુ વિશે (૧) અવગ્રહ (૨) ઇહા, (૩) અવાય વગેરે જ્ઞાનવિશેષ પ્રવર્તે છે. હવે જ્યારે અવગ્રહ થાય, ત્યારે વસ્તુમાં ઇહાદિના વિષયભૂત ધર્મો પણ વિદ્યમાન હોય છે જ, તે છતાં ક્ષયોપશમ ન હોવાથી, તે વિદ્યમાન પણ ધર્મોનું જ્ઞાન થતું નથી. જો ત્યારે જ (અવગ્રહ વખતે જ) ઈહાદિના વિષયભૂત ધર્મોનું જ્ઞાન માની લો, તો તો તે ધર્મો અવગ્રહથી જ ગૃહીત થયા માનવા પડશે અને તો પાછળથી થનારા ઇહા વગેરે જ્ઞાનો ગૃહીતના જ ગ્રાહી માનવા પડશે અને તો તેઓ અપ્રમાણ જ થશે ! (જે ગૃહીતગ્રાહી હોય, તે અપ્રમાણ હોય. એવી પરમાન્યતા છે.) (અહીં આપણે પ્રસંગવશાત્ અવગ્રહાદિનું સ્વરૂપ સંક્ષેપથી સમજી લઈએ –). (૧) અવગ્રહઃ સ્પર્શ વગેરે પોત-પોતાની ઇન્દ્રિય વડે સ્પર્ધાદિ પોતપોતાના વિષયના, સ્વરૂપનામાદિની કલ્પનાથી રહિત, અનિર્દેશ્ય (=જેને કહી ન શકાય) એવા સામાન્યાકારના બોધને “અવગ્રહ' કહેવાય છે. જેમ કે અંધારામાં ચાલતા પગ નીચે આવેલી વસ્તુનો જે સ્પર્શનેન્દ્રિય સાથે સંયોગ થાય, તે વ્યંજનાવગ્રહ અને ત્યારબાદ “કંઈક થયું એવું જે અનિર્દેશ્ય સામાન્યાકારવાળું જ્ઞાન થાય, તે અર્થાવગ્રહ. (૨) ઈહા : અવગ્રહ દ્વારા ગૃહીત વિષયના એકદેશનો (=અનિર્દેશ્ય સામાન્ય રૂપનો) બોધ થયા પછી, તેના સદૂભૂત વિશેષોના ઉપાદાન તરફ અને અસભૂત વિશેષોના ત્યાગ તરફ, નિશ્ચય કરાવનાર વિશેષને જાણવાની ઇચ્છાથી થનારા બોધને ઇહા કહેવાય. જેમ કે, અવગ્રહથી “કંઈક થયું એવું જાણ્યા પછી માણસ વિચારે કે, અહીં ગરમ નહીં; પણ ઠંડો સ્પર્શ થાય છે. તેથી આ સ્પર્શ કમળનો હોવો જોઈએ, સાપનો નહીં. અહીં “ઠંડો સ્પર્શ છે' એ સદ્ભત ધર્મનું ઉપાદાન છે, અને “ગરમ સ્પર્શ નથી” એ અસભૂત ધર્મનો ત્યાગ છે અને ત્યારબાદ “આ સ્પર્શ કમળનો હોવો જોઈએ એવું નિશ્ચયાભિમુખ વિચારણાવાળું જ્ઞાન “ઇહા' કહેવાય. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ११३ (૩) અવાયઃ ઇહાથી વસ્તુનો નિર્ણયાભિમુખ બોધ થયા પછી, તેના ગુણ-દોષની (શીતસ્પર્શ એ કમળનો અસાધારણધર્મરૂપ ગુણ છે અને ઉષ્ણસ્પર્શ એ કમળમાં ન રહેનાર હોઈ દોષરૂપ છે, તે બેની) વિચારણા દ્વારા “આ કમળ જ છે' એવા નિશ્ચયાત્મક બોધને “અવાય' કહેવાય. (૪) ધારણા : અવાયમાં થયેલા નિર્ણયરૂપ ઉપયોગને ધારી રાખવું તે ધારણા'. આના ત્રણ ભેદ છે : (ક) અવિશ્રુતિઃ પોત-પોતાની ઇન્દ્રિયના કમળસ્પર્શ વગેરેના અનુભવરૂપ ઉપયોગનો નાશ ન થવો, તે અવિસ્મૃતિ કહેવાય. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. (ખ) વાસના : આત્મામાં, અવિશ્રુતિથી વસ્તુના અનુભવનો જે સંસ્કાર પડે, તેને વાસના કહેવાય.તેનો કાળ સંખ્યાતવર્ષના આયુવાળાને સંખ્યાતવર્ષનો અને અસંખ્યાતવર્ષના આયુવાળાને અસંખ્યાતવર્ષનો છે. (ગ) સ્મૃતિ આત્મામાં દઢ થયેલ સંસ્કાર (=વાસના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવર્ષે જાગૃત થતાં “આ તે જ વસ્તુ છે કે જેને મેં પૂર્વે અનુભવી હતી' એવું જે જ્ઞાન થાય, તેને સ્મૃતિ કહેવાય છે. આમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. આ ત્રણે અર્થના અનુભવને ધારી રાખવાનું કામ કરતા હોવાથી “ધારણા' શબ્દથી ઓળખાય છે. અવગ્રહ વગેરે જ્ઞાનો આ ક્રમે જ થાય છે. જુઓ – અવગ્રહ વિના ઇહા ન થાય, ઈહા વિના નિશ્ચય ન થાય અને નિશ્ચય વિના ધારણા ન થાય. એટલે અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ જ ક્રમે જ્ઞાન થાય છે. હવે પ્રસ્તુતમાં – જેમ અવગ્રહ વખતે, ઇહાદિના વિષયભૂત ધર્મો વિદ્યમાન હોવા છતાં પણ, તેવો ક્ષયોપશમ ન હોવાથી, તે વિદ્યમાન પણ ધર્મનું જ્ઞાન થતું નથી. તેમ સજાતીયભેદ પણ વસ્તુમાં વિદ્યમાન જ છે, પણ અવગ્દર્શ જીવોનું ચિત્ત ક્લિષ્ટ હોવાથી, તે વિદ્યમાન પણ સજાતીયભેદનું ગ્રહણ થતું નથી, બાકી રાગાદિ તમામ વાસનારૂપી કલંકથી રહિત યોગીઓ તો તે સજાતીયભેદને જાણે જ છે. (અને સજાતીયભેદ હોય, તો વસ્તુમાં સામાન્યાકાર શી રીતે સંભવે ?) एतदप्ययुक्तम्, ईहादिगोचराणां प्रायोऽवग्रहोत्तरकालं प्रमातृभिर्गृह्यमाणत्वात्, सजातीयभेदस्य च कदाचित् कैश्चिदपि ग्रहणानुपपत्तेः; 'योगिनो गृह्णन्ति' इत्येतदपि श्रद्धागम्यम्, प्रमाणाभावादित्युक्तम् । For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ઃ ઉત્તરપક્ષ આ પણ અયુક્ત છે, કેમ કે અવગ્રહની પછીના કાળે, પ્રમાતાઓને ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ પ્રાયઃ કરીને થાય છે, જ્યારે સજાતીયભેદનું તો કયારેય કોઈથી પણ ગ્રહણ થતું નથી. યોગીઓ ગ્રહણ કરે છે, એ વાત પણ શ્રદ્ધગમ્ય છે, કેમ કે એમાં કોઈ પ્રમાણ નથી એ પૂર્વે જ કહ્યું. વિવેચનઃ ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે અવગ્રહ પછીના કાળે ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ, પ્રમાતાઓને પ્રાયઃ કરીને તો થાય છે જ. પ્રશ્ન : “પ્રાયઃ' કહેવાનું શું પ્રયોજન? ઉત્તર પ્રયોજન એ કે, જયારે અવગ્રહ-ઇટાદિ બધા થવાના હોય, ત્યારે તેઓનું ગ્રહણ થાય છે જ, પણ જ્યારે બધા ન થવાના હોય, તો ત્યારે તેઓનું ગ્રહણ ન પણ થાય. જુઓ; લોકમાં કેટલાકને (ક) ઇહા-અવાયાદિ વિના પણ માત્ર અવગ્રહ થતો દેખાય છે, કેટલાકને (ખ) અવાય વિના પણ ઇહા થતી દેખાય છે, તો કેટલાકને (ગ) ધારણા વિના પણ અવાય થતો દેખાય છે. તો આવા વખતે ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ ન પણ થાય, એ બતાવવા માટે જ “પ્રાયઃ' શબ્દનો ઉલ્લેખ કર્યો. એટલે ભાવ એ કે, ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ તો પાછળથી પ્રાયઃ થાય છે જ (એટલે તે ધર્મોને માનવા તો યોગ્ય છે) પણ તમે જે સજાતીયભેદ કહો છો, તેનું ગ્રહણ તો કદી કોઈને થતું નથી. યોગીઓને ગ્રહણ થાય છે, એ વાત તો માત્ર શ્રદ્ધાગમ્ય છે, કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી, એ અમે પૂર્વે જ કહ્યું હતું (અર્થાત્ યોગીના જ્ઞાનનું જ્ઞાન તો આપણને થતું નથી, તો આપણે શી રીતે કહી શકીએ કે યોગીઓને સજાતીયભેદનું જ્ઞાન થાય છે ?) નિષ્કર્ષ આમ સજાતીયભેદ અસિદ્ધ હોવાથી વસ્તુને સજાતીયતરવ્યાવૃત્ત નિરંશ સ્વલક્ષણરૂપ ન માની શકાય. એટલે વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ જ માનવી રહી, એવું નિબંધ સિદ્ધ થાય છે. __ यच्चोक्तम्-'एकं सामान्यम्, अनेके विशेषाः;' इत्यादि-तदप्ययुक्तम्, अनभ्युपगमात् । नहि यथोक्तस्वभावं सामान्यमभ्युपगम्यतेऽस्माभिः, युक्तिरहितत्वात्; तथाहि-तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिगदेशसमयस्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा ? देशेन वा वर्तेत ? न तावत्सर्वात्मना, सामान्यानन्त्यप्रसङ्गाद्, विशेषाणामनन्तत्वात्, एकविशेषव्यतिरेकेण वाऽन्येषां सामान्यशून्यताऽऽपत्तेः, आनन्त्ये चैकत्वविरोधात् । नापि देशेन, सदेशत्वप्रसङ्गात् । - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તમે જે કહ્યું હતું કે – “એક સામાન્ય અનેક વિશેષો. ઇત્યાદિ' - તે પણ અયુક્ત છે; For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ११५ કેમ કે અમારો તેવો અદ્ભુગમ નથી, અમે યથોક્ત (એક, નિત્ય, નિરંશ વગેરે સ્વભાવવાળું) સામાન્ય નથી માનતા; કેમ કે તે તો યુક્તિરહિત છે. તે આ પ્રમાણે - તે એકાદિસ્વભાવવાળું સામાન્ય, દિશા-દેશ-કાળસ્વભાવાદિથી ભિન્ન-ભિન્ન વિશેષોમાં સંપૂર્ણપણે રહે કે દેશથી? સંપૂર્ણપણે તો ન રહે, કારણ કે વિશેષો અનંત હોવથી સામાન્ય પણ અનંત થવાનો પ્રસંગ આવે! અથવા તો એક વિશેષને છોડીને બીજા બધા વિશેષો સામાન્ય શૂન્ય થવાની આપત્તિ આવે! અને અનંતપણું હોવામાં તો તેના એકપણાનો વિરોધ છે અને દેશથી પણ તે ન રહે; કેમ કે તેમાં સદેશતાનો પ્રસંગ આવે.. & મૌલિક પૂર્વપક્ષની માન્યતાઓનું નિરસન 8 વિવેચનઃ તમે જે કહ્યું હતું કે – “સામાન્ય તો એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વવ્યાપી છે. જ્યારે વિશેષ તો અનેક, અનિત્ય, સાવય, સક્રિય અને અસર્વગત છે. તો એક જ વસ્તુ સામાન્યવિશેષ ઉભયરૂપ શી રીતે બને ?” - તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે જે સામાન્યને લઈને તમે દોષો આપ્યા, તે સામાન્ય તો અમે માનતા જ નથી. ' અર્થાત એક-નિત્યાદિધર્મવાળું સામાન્ય અમે માનતા જ નથી, કારણ કે તેવું સામાન્ય તો યુક્તિથી રહિત છે. (અર્થાત્ યુક્તિ દ્વારા તેવા સામાન્યનું અસ્તિત્વ જ અઘટિત છે.) # અન્યદર્શનકલ્પિત સામાન્યનો નિરાસ કે પ્રશ્ન : તેવા સામાન્ય વિશે યુક્તિ કેમ ન ઘટે ? ઉત્તર : જુઓ – ઘટાદિ પદાર્થો દિશા, દેશ, કાળ, સ્વભાવાદિને આશ્રયીને જુદા જુદા છે. (અર્થાત્ (૧) કોઈ પદાર્થ અલગ દિશામાં, તો કોઈ પદાર્થ અલગ દિશામાં, તેમ (૨) જુદા જુદા દેશ, (૩) જુદા જુદા કાળ, (૪) જુદા જુદા સ્વભાવ... આ બધાને લઈને ઘટાદિ પદાર્થો ભિન્નભિન્ન છે) તો આવા અનેક ભિન્ન પદાર્થોમાં, એક નિત્ય-નિરવયવ અને નિષ્ક્રિય એવું સામાન્ય શી રીતે રહે છે? (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ? (૧) સંપૂર્ણપણે રહે એવું તો ન માની શકાય, કારણ કે તેવું માનવામાં અનંત સામાન્ય માનવાનો પ્રસંગ આવે. તેનું કારણ એ કે, દરેક વિશેષોમાં તે સામાન્ય સંપૂર્ણપણે રહેવાથી તો, વિશેષ જેટલા સામાન્ય માનવા પડે અને તો વિશેષ અનંત હોવાથી સામાન્ય પણ અનંત થાય. અથવા તો, કોઈ એક ઘટરૂપ વિશેષમાં જ તે સંપૂર્ણપણે રહી જતાં, તે સિવાયના બધા વિશેષો સામાન્યથી શૂન્ય થઈ જશે ! બાકી બધા વિશેષોમાં સામાન્ય માનવામાં તો વિશેષ જેટલા સામાન્ય થઈ જતા- અનંત સામાન્ય માનવા પડે જ અને તો સામાન્યના એકાંત એકપણાનો સ્પષ્ટ વિરોધ થાય. એટલે પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી. (૨) દેશથી રહે એવું પણ ન મનાય, કારણ કે જુદા જુદા વિશેષોમાં જુદા જુદા દેશથી રહેવામાં તો, સામાન્યને સપ્રદેશી=સાવયવ માનવાનો પ્રસંગ આવે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ११६ अनेकान्तवादप्रवेशः न च गगनवद् व्यापित्वाद् वर्त्तते, इति अकलङ्कन्यायानुसारि चेतोहरं वचः, अविचारितरमणीयत्वात् । कायंदेशव्यतिरेकेण वृत्त्यदर्शनात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તે ગગનની જેમ વ્યાપી હોવાથી સર્વત્ર રહે, એવું અકલંકના ન્યાયને અનુસરનારું વચન મનોહર નથી, કેમ કે તે અવિચારિતરમણીય છે. તેનું કારણ એ કે, સંપૂર્ણ-દેશ સિવાય વૃત્તિ દેખાતી નથી. # અકલંકમતનો નિરાસ & વિવેચનઃ પૂર્વપક્ષ: જેમ ગગન વ્યાપીને રહે છે, તેમ એક એવું પણ સામાન્ય વ્યાપીને રહે તો વાંધો શું? ઉત્તરપક્ષ: *અકલંકના ન્યાયને અનુસરનારું એવું આ વચન મનને હરનારું નથી, કારણ કે પહેલી વાત તો એ કે, કોઈપણ પદાર્થની વૃત્તિ બે જ પ્રકારે દેખાય છે- (૧) સંપૂર્ણપણે, કે (૨) દેશથી... અને સામાન્યની તો આ બેમાંથી એકે પ્રકારે વૃત્તિ ઘટતી નથી અને તે સિવાય ત્રીજા પ્રકારે તો વૃત્તિ દેખાતી જ નથી. उभयव्यतिरेकेण नभसो वृत्तिः, इति चेत् ? न, असिद्धत्वात्, नभसः सप्रदेशत्वाभ्युपगमात् । निःप्रदेशत्वे चानेकदोषप्रसङ्गात् तथाहि-येन देशेन विन्ध्येन सह संयुक्तं नभः हिमवन्मन्दरादिभिरपि किं तेनैव ? आहोश्विदन्येन ? इति । यदि तेनैव, विन्ध्यहिमवदादीनामेकत्रावस्थानादिप्रसङ्गः, निःप्रदेशकाकाशसंयोगान्यथाऽनुपपत्तेः । अथान्येन; आयातं तर्हि सदेशत्वमाकाशस्य । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ તે બેથી જુદારૂપે પણ આકાશની વૃત્તિ થાય છે જ ને? ના, તેવું સિદ્ધ નથી; કેમ કે આકાશને સપ્રદેશી માનીએ છીએ. જો નિષ્પદેશી માનો, તો અનેક દોષો આવે. જુઓ, આકાશ, જે દેશથી વિંધ્ય સાથે સંયુક્ત છે, શું તે જ દેશથી હિમવતુ-મેરૂ આદિ સાથે સંયુક્ત છે કે કોઈ બીજા દેશથી? જો તે જ દેશથી, તો વિષ્ય-હિમવતુ આદિનું એક ઠેકાણે રહેઠાણ માનવું પડે, અન્યથા નિષ્પદેશ-એક આકાશનો સંયોગ ઉપપન ન થાય. જો બીજા દેશથી તો આકાશનું સદેશીપણું જ આવી ગયું. વિવેચનઃ પૂર્વપક્ષઃ (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશ વિના પણ આકાશની વૃત્તિ તો દેખાય જ છે ને ? (આશય એ કે, આકાશ નિરંશ મનાયું છે. એટલે દેશથી વૃત્તિ નથી તેમ સર્વથી પણ તેની વૃત્તિ નથી. ઉભયભિન્ન કોઈક રીતે તે બધામાં વૃત્તિ છે તો તેની જેમ સામાન્યની વૃત્તિ પણ કેમ ન ઘટે ?) * આ કાંતો અકલંક નામના વિદ્વાનનું નામ છે અથવા તો સુંદર એવા અર્થમાં છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ११७ ઉત્તરપક્ષઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે બીજી કોઈ રીતે આકાશની વૃત્તિ સિદ્ધ જ નથી. તેનું કારણ એ કે (આકાશને નિષ્પદેશી માનવામાં પુષ્કળ દોષો આવતા હોવાથી) જૈનો વડે આકાશને સપ્રદેશી=સાવયવ મનાય છે. આકાશને નિપ્રદેશ માનવામાં અનેક દોષો જ પૂર્વપક્ષ: પણ આકાશને સપ્રદેશી ન માનીએ તો ? ઉત્તરપક્ષ ઃ તો તો અનેક દોષો આવે. તે આ રીતે - આકાશ જે દેશથી “ વિષ્ણુ” પર્વત સાથે જોડાયેલું છે, શું (૧) તે જ દેશથી હિમવર્-મેરૂ આદિ પર્વતો સાથે જોડાયેલું છે, કે (૨) કોઈ બીજા દેશથી ? (૧) જો તે દેશથી જ બધા પર્વતો સાથે સંયોગ થયો હોય, તો વિધ્ય-હિમવ-મેરૂ આદિ તમામ પદાર્થોનું એક ઠેકાણે રહેઠાણ માનવું પડે, અન્યથા તેઓની સાથે નિષ્પદેશી-આકાશનો સંયોગ ઉપપન્ન ન થાય. તેનું કારણ એ કે, આકાશ નિષ્પદેશી હોઈ જુદા જુદા પ્રદેશ વિનાનો છે અને એટલે જુદા જુદા પ્રદેશમાં રહેલ વિધ્યાદિ દ્વારા, પોત-પોતાના પ્રદેશોથી આકાશની સાથે સંયોગ થવો અસંભવિત છે... એટલે આકાશની સાથે સંયોગ માનવા, વિંધ્યાદિનું એકત્ર અવસ્થાન માનવું જ રહ્યું, જે લોકઆગમવિરુદ્ધ છે. (૨) આકાશનો જો જુદા જુદા દેશથી બધા પર્વતો સાથે સંયોગ માનો, તો તો આકાશને અનેક પ્રદેશો માન્યા કહેવાય અને તેથી તો આકાશની સપ્રદેશતા જ સિદ્ધ થાય. स्यादेतद्, अदेशत्वाद् वियतो यथोक्तविकल्पासम्भवः, तत्रैकस्मिनेव तेषामवस्थितत्वात्। इदमप्ययुक्तम्, वस्तुतः पूर्वोक्तदोषानतिवृत्तेः । न च सर्वव्यापिनो विन्ध्यादयः, इति; येन तस्मिन्नेव तेषामवस्थितत्वादिति सफलं भवेद्, इति; यतो यत्र विन्ध्यभावो यत्र चाभावः, इत्यनयोर्नभोभागयोरन्यत्वम् ? अनन्यत्वं च ? इति वाच्यम् । વિશ્વતિઃ ? –- પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ પૂર્વપક્ષઃ આકાશ અપ્રદેશી હોવાથી યથોક્ત વિકલ્પ ન સંભવે; કેમ કે એક જ આકાશમાં તેઓ બધાનું અવસ્થાન છે. ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે; કેમ કે પરમાર્થથી પૂર્વોક્ત દોષનું ઉલ્લંઘન નથી થતું. તે આ રીતે વિંધ્યાદિ સર્વવ્યાપી નથી કે જેથી તેમાં તેઓનું અવસ્થાન કહેવું સફળ થાય. વળી જ્યાં વિંધ્યનો ભાવ છે અને જ્યાં અભાવ છે તે બંને આકાશના ભાગોનું ભિન્નપણું છે કે અભિન્નપણું? તે કહો. તેનાથી શું? (તો જુઓ –) For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ११८ अनेकान्तवादप्रवेशः વિવેચનઃ પૂર્વપક્ષ આકાશ તો અપ્રદેશ છે, એટલે ઉપરોક્ત વિકલ્પોનો સંભવ જ નથી, કારણ કે તે એક જ આકાશમાં વિખ્ય-હિમવત્ આદિ દરેક પર્વતોનું અવસ્થાન છે. ઉત્તરપક્ષ આ કથન પણ યુક્ત નથી, કારણ કે અહીં પણ “વિષ્ય-હિમવત્ આદિનું એક ઠેકાણે રહેઠાણ માનવું પડશે.” એ બધા પૂર્વોક્ત દોષોનું ઉલ્લંઘન નથી થતું. વળી વિધ્યાદિ કંઈ સર્વવ્યાપી નથી કે જેથી ‘(સર્વવ્યાપી એવા) એક જ આકાશમાં તેઓ રહે છે' એવું કહી શકાય. વળી પહેલા તો એ કહો કે, જે આકાશ પ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ છે, તે બે આકાશપ્રદેશો, એકબીજાથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? આ બંને વિકલ્પ પ્રમાણે દોષ આવે છે. જુઓ – ____ यद्यनन्यत्वम्, किं सर्वथा ? आहोश्वित् कथंचित् ? यदि सर्वथा, हन्त ! तर्हि यत्र विन्ध्यभावस्तत्राप्यभावः स्यात्, तदभाववनभोभागाव्यतिरिक्तत्वात् तद्भाववनभोभागस्य, विपर्ययो वा । अथ कथंचिद्, अनेकान्तवादाभ्युपगमात् स्वकृतान्तप्रकोपः । अथान्यत्वम्, किं सर्वथा ? उत कथंचित् ? यदि सर्वथा, अन्यतमस्यानभोभागत्वप्रसङ्गः, सर्वथा भेदान्यथानुपपत्तेः । अथ कथंचित्, स्वदर्शनपरित्यागदोषः, इति। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો અભિન્નપણું, તો શું સર્વથા કે કથંચિતું? જો સર્વથા, તો જ્યાં વિધ્યનો ભાવ છે, ત્યાં પણ અભાવ થાય; કેમ કે તે ભાવવાળો આકાશપ્રદેશ, અભાવવાળા આકાશપ્રદેશથી અભિન્ન છે અથવા તેનાથી ઊંધું થાય. જો કથંચિત, તો અનેકાંતવાદ સ્વીકારવાથી સ્વસિદ્ધાંતનો પ્રકોપ થાય. હવે ભિન્નપણું, તો તે શું સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, તો બેમાંથી એકને અગગન માનવો પડે, અન્યથા સર્વથા ભેદ ઉપપન ન થાય. હવે જો કથંચિત, તો સ્વદર્શનનો ત્યાગ થવાનો દોષ... * આકાશની સપ્રદેશતા અંગે પૂર્વપક્ષની માન્યતાનો વિકાશ નિરાસ હ વિવેચનઃ (૨) તે બંને આકાશપ્રદેશોનો જો અભેદ માનો, તો અમે પૂછીએ છીએ કે, તે અભેદ (ક) સર્વથા માનો, કે (ખ) કથંચિત્ ? (ક) જો સર્વથા અભેદ માનો, તો જે આકાશપ્રદેશમાં વિભ્યનું અસ્તિત્વ છે, તે જ આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ માનવો પડશે, કારણ કે વિષ્ણુના અભાવવાળા આકાશપ્રદેશની સાથે વિષ્ણુના ભાવવાળા આકાશપ્રદેશનો અભેદ છે. આશય એ કે, જો બે જુદા જુદા આધાર હોય, તો ભાવ-અભાવનું જુદું જુદું અસ્તિત્વ સંભવી શકે, પણ આકાશરૂપ બે અધિકરણનો તમે અભેદ માન્યો અને તો આયરૂપ ભાવ-અભાવનું પણ એકત્ર અસ્તિત્વ માનવું પડે ! For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ११९ અથવા તો જે આકાશપ્રદેશમાં વિધ્યનો અભાવ છે, તે આકાશપ્રદેશમાં પણ વિધ્યનું અસ્તિત્વ માનવું પડશે, કારણ કે વિધ્યના ભાવવાળા આકાશપ્રદેશની સાથે વિષ્ણુના અભાવવાળા આકાશપ્રદેશનો અભેદ છે. એટલે બે આકાશપ્રદેશોનો સર્વથા અભેદ તો ન મનાય. (ખ) જો કથંચિત્ અભેદ માનો તો તો અનેકાતવાદનો જ અભ્યપગમ (=સ્વીકાર) થવાથી, એકાંતવાદરૂપ સ્વસિદ્ધાંતનો વિરોધ થાય. એટલે તે પણ ન મનાય. (૨) હવે તે બંને આકાશપ્રદેશોનો જો ભેદ માનો તો તે ભેદ (ક) સર્વથા માનો, કે (ખ) કથંચિત? (ક) જો સર્વથા ભેદ માનો તો જે આકાશપ્રદેશમાં વિધ્યનું અસ્તિત્વ છે અને જે આકાશપ્રદેશમાં વિધ્યનું નાસ્તિત્વ છે, તે બેમાંથી કોઈ એકને અગગનરૂપ માનવો પડશે, કારણ કે તે બેનો સર્વથા ભેદ ત્યારે જ કહી શકાય કે જ્યારે એકમાં રહેલ ધર્મો બીજામાં ન હોય અને તેવું માનવામાં તો, એક આકાશપ્રદેશમાં જે આકાશત્વ છે તેનું પણ બીજા આકાશપ્રદેશમાં નાસ્તિત્વ માનવું પડે અને તેથી તો – આકાશત્વ ન રહેવાથી તો – તે પ્રદેશ અગગનરૂપ ફલિત થાય ! એટલે તેઓનો સર્વથા ભેદ માનવો તો ઉચિત નથી. (ખ) જો કથંચિત્ ભેદ માનો, તો અનેકાંતવાદ આવી જતાં, ફરી સ્વદર્શનનો ત્યાગરૂપ દોષ આવે. એટલે તે પણ ન મનાય. આમ ભેદ-અભેદ બંને વિકલ્પોથી પૂર્વપક્ષીનું વચન અયુક્ત જણાઈ આવે છે. स्यादेतत्, भागानभ्युपगमाद् व्योम्नो यथोक्तदोषानुपपत्तिः, इति । अनभ्युपगममात्रभक्तो देवानांप्रियः सुखैधितो नोपपत्तिप्राप्तानपि भागानवगच्छति, इति । ननु 'विशिष्टभावाभावगम्या एव भागाः' इत्यवगमे निवेश्यतां चित्तम्, इति । अलं प्रसङ्गेन । –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : આકાશના ભાગ માન્યા જ ન હોવાથી યથોક્ત દોષ સંગત નથી. ઉત્તરપક્ષઃ અરે! અભ્યપગમ માત્રનો ભક્ત, સુખેથી વધેલો એવો તું મૂર્ખ! યુક્તિસંગત પણ ભાગોને સ્વીકારવા તૈયાર નથી. ખરેખર તો વિધ્યના ભાવ-અભાવથી જ ભાગો જણાઈ આવે છે, એટલે તેને જાણવામાં ચિત્તને મૂકો. હવે આ પ્રસંગથી સર્યું. # આકાશને અપ્રદેશી માનનારાઓની મૂર્ખતા ક વિવેચનઃ પૂર્વપક્ષ: પણ અમે તો આકાશના કોઈ ભાગો માનતા જ નથી, તો “બંને ભાગો ભિન્ન છે કે અભિન્ન ?” એવા વિકલ્પોથી થનારા દોષો, શી રીતે આવે ? For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः ઉત્તરપક્ષઃ અરે મૂર્ખ! તું તો અભ્યપગમમાત્રનો જ ભક્ત છે (=અમારો અભ્યાગમ ન હોવાથી તેને સ્વીકારાય નહીં, એવી માન્યતા ધરાવનારો છે. અર્થાત્ તારી પોતાની માન્યતાનું પૂંછડું પકડી રાખનાર છે.) તું તો સુખેથી વધેલો છે ( આ શાસ્ત્ર સાચું કે ખોટું-એવા વિચારનો પરિશ્રમ ન કરનારો છે) અને એટલે જ યુક્તિસંગત પણ આકાશભાગોને તું સ્વીકારવા તૈયાર નથી. પૂર્વપક્ષ પણ ભાગો યુક્તિયુક્ત શી રીતે? ઉત્તરપક્ષઃ જુઓ; જે નિર્વિભાગ હોય, તે પદાર્થમાં અમુક ઠેકાણે અસ્તિત્વ અને અમુક ઠેકાણે નાસ્તિત્વ ન હોય. દા.ત. પરમાણુને તમે નિર્વિભાગ ( નિરવયવ) માનો છો અને તેથી તેમાં ચણકાદિનું કોઈક ઠેકાણે અસ્તિત્વ અને કોઈક ઠેકાણે નાસ્તિત્વ એવું તમે પણ નથી માનતા. - હવે જો આવી સ્વદર્શનની માન્યતા હોય, તો એક જ નિર્વિભાગ આકાશમાં અમુક ઠેકાણે વિષ્ણુનું અસ્તિત્વ અને અમુક ઠેકાણે વિષ્ણુનું નાસ્તિત્વ એવું શી રીતે ઘટે? તેથી જે ભાગમાં વિધ્યનો ભાવ છે અને જે ભાગમાં વિભ્યનો અભાવ(=વિશિષ્ટભાવનો અભાવ) છે, તે બંને ભાગો આકાશના માનવા જ રહ્યા... અને એટલે તો આકાશ સભાગ (=સપ્રદેશી) જ સિદ્ધ થશે. આ રીતે જ્યારે સ્વમાન્યતાથી પણ આકાશની સપ્રદેશતા સિદ્ધ થતી હોય, ત્યારે તો તેમાં ચિત્ત રાખો ! હવે આ પ્રસંગથી સર્યું. સારાંશ : આકાશ તો સમદેશી હોવાથી, તેની જુદા જુદા પ્રદેશ વૃત્તિ (=આધેયતાસંબંધથી ભાવમાં રહેવું) સંગત છે. પણ સામાન્ય તો તેવું નથી, તો તેની ગગનની જેમ વૃત્તિ શી રીતે સંગત બને ? एतेन नित्यव्यापिनिर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता ।। — —- પ્રવેશરશ્મિ – ભાવાર્થ એનાથી નિત્ય-વ્યાપી-નિરવયવ-સામાન્યની વૃત્તિ પણ નિરાકૃત થઈ ગઈ. છે નિત્યાદિરૂપ સામાન્યની વૃત્તિનો નિરાસ છે વિવેચન : ઉપરોક્ત કથનથી (૧) નિત્ય, (૨) વ્યાપી-સર્વગત, (૩) નિર્દેશ-નિરવયવ એવા સામાન્યની પણ ઘટાદિ વિશેષોમાં વૃત્તિ હોવાનું નિરસ્ત થાય છે, તે આ રીતે – (૧) નિત્ય તો એકાંત એકસ્વભાવી છે, તો તેની જુદા જુદા કાળે થનારા વિશેષોમાં વૃત્તિ શી રીતે મનાય ? કારણ કે વિશેષના નાશે તો સામાન્યનો પણ કથંચિત્ નાશ થાય જ. . (૨) વ્યાપી તો સર્વગત હોવાથી, તેઓનું પ્રતિનિયત વિશેષોમાં જ રહેવાનું નિયંત્રણ કેમ? આશય એ કે, મૃત્વ તો સર્વગત હોવાથી, તે માત્ર ઘટાદિમાં જ કેમ ? જળાદિમાં કેમ નહીં ? (૩) નિરવયના તો કોઈ અવયવો ન હોવાથી, તે અમુક-અમુક દેશથી અમુક-અમુક વિશેષોમાં શી રીતે રહે? (દા.ત. મૃત્ત્વ તે જુદા જુદા દેશથી પર્વત, પૃથ્વી, ઘટ વગેરેમાં શી રીતે રહે?) જો For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ गुर्जर विवेचनसमन्वितः <– દરેક વિશેષોમાં સંપૂર્ણપણે રહે, તો અનંત સામાન્યો માનવા પડે. (જે વૈશેષિકોને માન્ય નથી.) તેથી એક, નિત્ય, નિરવયવાદિરૂપ સામાન્યની વૃત્તિ કથપિ સંગત નથી અને તેથી તેવું સામાન્ય માનવું બિલકુલ યોગ્ય નથી. * १२१ आह-अनुभवसिद्धत्वात् सामान्यस्य न युज्यते सहृदयतार्किकस्य तत्प्रतिक्षेपेणाભાનમાવાસવિતુમ્, આવાસસ્ય નિતત્ત્વાર્; તથાદિ-વિ ‘સનાતનું-વસ્તુસન્-વ્યાપિएकम्-अनवयवं' सामान्यवस्तु न स्यात्, न तदा देशकालस्वभावभेदभिन्नेषु घटशरावो(०ष्ट्रिकोदञ्चनादि०) दञ्चनालिञ्जरादिषु विशेषेषु सर्वत्र 'मृद्, मृद्,' इत्यभिन्नौ बुद्धिशब्दौ स्याताम् । न खलु हिमतुषारकरकोदकाङ्गारमुर्मुरज्वालानलझञ्झामण्डलिकोत्कलिकापवनखदिरोदुम्बरिकादिषु अत्यन्तभिन्नेषु बहुषु विशेषेष्वेकाकारा बुद्धिर्भवति, नाप्येकाकारः शब्दः प्रवर्त्तते इति, अतोऽस्य यथोक्ताभिन्नबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनस्य वस्तुसतः सामान्यस्य सत्त्वमाश्रयितव्यम् इति । - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : વૈશેષિક : સામાન્ય તો અનુભવસિદ્ધ હોવાથી સહૃદયતાર્કિકને તેના પ્રતિક્ષેપ દ્વારા આત્માને આયાસ પહોંચાડવો યોગ્ય નથી; કેમ કે આયાસ નિષ્ફળ છે. તે આ પ્રમાણે - જો સનાતન, વાસ્તવિક, વ્યાપી એક, નિરવયવ એવી સામાન્યવસ્તુ ન હોય, તો ત્યારે દેશ, કાળ અને સ્વભાવના ભેદે ભિન્ન એવા ઘટ, શરાવ, ઉક્ટ્રિક, ઉદંચન, અલિંજરાદિ વિશેષોમાં બધે ઠેકાણે ‘માટી-માટી’ એવા અભિન્ન બુદ્ધિ-શબ્દ ન થાય. અને હિમ, તુષાર, કરા, પાણી, અંગારા, મુર્મુર, જ્વાલા, અનલ, ઝંઝાવાત, મંડલિક, ઉત્કલિકા, પવન, ખદિર, ઉદુંબર વગેરે અત્યંત ભિન્ન અનેક વિશેષોમાં એકાકાર બુદ્ધિ થતી નથી અને એકાકાર શબ્દ પણ પ્રવર્તતો નથી. એટલે યથોક્ત અભિન્ન બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનું કારણ અને વાસ્તવિક એવાં સામાન્યનું અસ્તિત્વ માનવું જ જોઈએ. # વૈશેષિકકૃત સામાન્યસાધક પૂર્વપક્ષ ૢ : વિવેચન : વૈશેષિક : અરે ! સામાન્ય તો અનુભવસિદ્ધ છે, કારણ કે ઘટ-કપાલાદિમાં થતી તુલ્યબુદ્ધિ આ સામાન્યને કારણે જ થાય છે અને આવા સામાન્યનો પ્રતિક્ષેપ કરી, સહૃદયતાર્કિક (=હૃદયમાં તર્કપરિપૂર્ણ=ભાવાર્થથી શૂન્ય ન રહેનારા) વ્યક્તિઓએ આત્માને કષ્ટ આપવું યોગ્ય નથી, કારણ કે અનુભવસિદ્ધ સામાન્યનો પ્રતિક્ષેપ કરવામાં તો તેઓનો પ્રયાસ નિષ્ફળ જ છે. પ્રશ્ન ઃ પણ સામાન્ય અનુભવસિદ્ધ છે, એવું તમે શી રીતે કહો છો ? ઉત્તર : જુઓ (૧) સનાતન=નિત્ય, (૨) વસ્તુ=અપરિકલ્પિત-વાસ્તવિક, (૩) વિશેષ પદાર્થોમાં વ્યાપીને રહેનાર, (૪) માત્ર એકરૂપ, (૫) અવયવરહિત આવી જો સામાન્ય નામની વસ્તુ નહીં માનો, તો... For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ १२२ अनेकान्तवादप्रवेशः જુદા જુદા દેશમાં રહેનારા, જુદા જુદા કાળમાં થનારા અને જુદા જુદા સ્વભાવવાળા ઘટ, શરાવ(-કોડિયું), ઉષ્ટ્રિક(=મદિરા રાખવાનું ભાજન), ઉદંચન(=ડોલ), અલિંજર(કજલપાત્ર), આદિ ઘણા વિશેષ પદાર્થોમાં “માટી-માટી’ એમ જે સરખું જ્ઞાન અને સરખા શબ્દો પ્રવર્તે છે, તે નહીં પ્રવર્તે. કારણ કે તે તુલ્ય બુદ્ધિ/શબ્દ જેના કારણે થતાં હતાં, તે સામાન્યનો જ તમે અપલાપ કરી દીધો. પ્રશ્ન : પણ શું તેવા સામાન્ય વિના તુલ્ય બુદ્ધિશબ્દ ન થાય ? ઉત્તરઃ ના, બિલકુલ નહીં. જુઓ, હિમ, બરફ, કરા, ઉદક આદિ જળના ભેદોમાં...અંગારા, તુષાગ્નિ(=ઘાસથી થયેલ અગ્નિ), મુર્ખર (=આગના છૂટા કણિયાઓ), વાલા(=મૂળ અગ્નિથી છૂટી પડેલી જવાલા) અનલ આદિ અગ્નિના ભેદોમાં... ઝંઝાવાત, ચક્રવાત, ઉત્કલિકા (=પવનની લહેરી), પવન આદિ વાયુના ભેદોમાં...ખદિર(=ખેરનું ઝાડ), ઉદુંબર ( એક પ્રકારનું વૃક્ષ), બદરિકા (=બોરનું ઝાડ કે ફળ) આદિ વનસ્પતિના ભેદોમાં... આવા જળાદિ જુદા જુદા ઘણા પદાર્થોમાં એક સરખા બુદ્ધિ, શબ્દો બિલકુલ પ્રવર્તતા નથી. (દરેક વિશે જુદી જુદી બુદ્ધિ અને જુદા જુદા શબ્દો જ પ્રયોજાય છે.) એમાં કારણ શું? કારણ એ જ કે, તેઓમાં (મૃત્ત્વરૂપ) સામાન્ય રહ્યું નથી અને ઘટ, શરાવ આદિ વિશે થનારા સરખા બુદ્ધિ/શબ્દોનું કારણ શું? કારણ એ જ કે, તેઓમાં મૃત્વરૂપ સામાન્ય રહ્યું છે. સારાંશઃ તેથી ઘટ-શરાવાદિ વિશે થનારા “માટી-માટી’ એમ સરખા જ્ઞાન અને સરખા શબ્દનું મૂળભૂત કારણ વાસ્તવિક એવું સામાન્ય માનવું જ રહ્યું, એવું નિબંધ સિદ્ધ થાય છે. अत्रोच्यते-न खल्वस्माभिर्यथोक्तबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनं निषिध्यते। વિ તર્દિ ? एकादिधर्मयुक्तं परपरिकल्पितं सामान्यम्, इति । तच्च यथा विशेषवृत्त्ययोगेन न घटां प्राञ्चति, तथा निदर्शितमेव ।। – પ્રવેશરશ્મિ - ભાવાર્થ : સ્યાદ્વાદી ઃ અમે યથોક્ત બુદ્ધિ શબ્દના પ્રવૃત્તિના કારણનો નિષેધ નથી કરતા, પણ એકાદિધર્મવાળા પરપરિકલ્પિત સામાન્યનો નિષેધ કરીએ છીએ અને તે જે પ્રમાણે વિશેષમાં વૃત્તિનો અયોગ હોવાથી નથી ઘટતું, તે પ્રમાણે અમે બતાવ્યું જ છે. * સામાન્યની યથાવસ્થિત સંગતિકારક ઉત્તરપક્ષ & વિવેચનઃ સ્યાદ્વાદીઃ અમે એકસરખી બુદ્ધિ અને શબ્દની પ્રવૃત્તિ કરાવનારા સામાન્યનો નિષેધ નથી કરતા. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः પ્રશ્ન : તો કોનો નિષેધ કરો છો ? ઉત્તર : વૈશેષિકો જે એક-નિત્યાદિરૂપ સામાન્યનો સ્વીકાર કરે છે, તેનો નિષેધ કરીએ છીએ, કારણ કે “તે વિશેષોમાં સંપૂર્ણપણે રહે કે દેશથી...' ઇત્યાદિ વિકલ્પો અને ચર્ચાઓ દ્વારા, સામાન્યની વિશેષમાં વૃત્તિ સંગત થતી નથી, એવું અમે પૂર્વે બતાવી જ ગયા છીએ. * १२३ * आह-किं पुनर्यथोक्तबुद्धिशब्दद्वयप्रवृत्तिनिबन्धनम्, इति । उच्यते - अनेकधर्मात्मकस्य वस्तुनः समानपरिणामः, इति । न चात्र सामान्यवृत्तिपरीक्षोपन्यस्तविकल्पयुगलकप्रभवदोषसम्भवः, समानपरिणामस्य तद्विलक्षणत्वात्, तुल्यज्ञानपरिच्छेद्यवस्तुरूपस्य समानपरिणामत्वात्; अस्यैव च सामान्यभावोपपत्तेः, 'समानानां भावः सामान्यम् इति, यत्समानैस्तथा भूयते' इत्यन्वर्थयोगात् अर्थान्तरभूतभावस्य तद्व्यतिरेकेणापि तत्समानत्वेऽनुपयोगाद्, अन्यथा ‘समानानाम्' इत्यभिधानाभावादयुक्तैव तत्कल्पना । મૈં પ્રવેશરશ્મિ - ભાવાર્થ : તો યથોક્ત બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનું કારણ શું ? જુઓ; અનેક ધર્માત્મક વસ્તુનો સમાનપરિણામ જ... અને અહીં સામાન્યની વૃત્તિની પરીક્ષામાં મૂકેલા વિકલ્પયુગલથી જન્ય દોષોનો સંભવ નથી; કેમ કે સમાનપરિણામ તો તેનાથી વિલક્ષણ છે, એ તો તુલ્યજ્ઞાનથી જ્ઞેય એવી વસ્તુરૂપ જ છે. અને આનો જ સામાન્યભાવ ઉત્પન્ન છે, કારણ કે ‘સમાનોનો ભાવ તે સામાન્ય... સમાન પદાર્થો વડે તેવા થવાય તે સામાન્ય' આવો અન્વર્થ તેમાં જ ઘટે છે. અર્થાતરસ્વરૂપ ભાવનો તેના વિના પણ તેના સમાનપણામાં ઉપયોગ નથી, અન્યથા, ‘સમાનોનો’ એવા વચનનો અભાવ થવાથી તેની કલ્પના અયુક્ત છે. * સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ ક વિવેચન : વૈશેષિક : જો તેવું સામાન્ય ન હોય, તો ‘માટી- માટી' એમ સમાનબુદ્ધિ અને સમાનશબ્દનું કારણ શું ? — સ્યાદ્વાદી : ઘટ, શરાવ, ઉક્ટ્રિક, ઉદંચન આદિ વસ્તુઓ સત્ત્વ-જ્ઞેયત્વાદિ અનેક ધર્માત્મક છે. આવી વસ્તુઓનો “સમાનપરિણામ” (=એકબીજાને સમાનરૂપે રહેવાનો સ્વભાવ-પરિણામ) તે જ સામાન્ય છે અને તે જ ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ છે. પ્રશ્ન ઃ સામાન્યની વૃત્તિની પરીક્ષા વખતે, તમે જે વિકલ્પો મૂક્યાં હતાં કે “એકાદિસ્વભાવવાળાં સામાન્યનું રહેઠાણ, દિશા-દેશ-કાળ-સ્વભાવથી ભિન્ન ભિન્ન વિશેષોમાં (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ?” તે વિકલ્પો દ્વારા જે દોષો આવ્યા હતા કે – “અનંત સામાન્ય માનવા પડશે...ઇત્યાદિ” તે દોષો સમાનપરિણામરૂપ સામાન્યમાં પણ આવશે જ ને ? - ઉત્તર ઃ ના, બિલકુલ નહીં, કારણ કે એકાદિરૂપ સામાન્ય કરતાં, સમાનપરિણામરૂપ સામાન્ય સાવ જ વિલક્ષણ છે... અને તેની વિલક્ષણતા એ જ કે, તમારું સામાન્ય તો અલગ પદાર્થરૂપ અને For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -> એકાદિધર્મક છે, જ્યારે સમાનપરિણામરૂપ સામાન્ય તેવું નથી, તે તો તુલ્યજ્ઞાનથી જાણવા યોગ્ય ઘટ-શરાવાદિ વસ્તુનું જ સ્વરૂપ છે, કોઈ અલગ પદાર્થરૂપ નહીં. (તુલ્યજ્ઞાન એટલે ‘ઞયં મૃર્ - ઞયં મૃત્' એવા બે જ્ઞાનો.તેનાથી પરિચ્છેદ્ય સ્વરૂપ એ સમાનપરિણામ કહેવાય.) એટલે પૂર્વોક્ત દોષોનો અહીં સંભવ નથી. १२४ આવા સમાનપરિણામમાં જ ‘સામાન્યપણું’ સંગત છે, કારણ કે સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અહીં જ ઘટે છે. તે આ પ્રમાણે “સમાનાનામ્ ભાવ: સામાન્ય=અર્થાત્ સમાનોનો ભાવ તે સામાન્ય’ અહીં ‘સમાનાનાં’ એવી ષષ્ઠી વિભક્તિ કર્તા અર્થમાં છે. એટલે અર્થ થશે. “સમાન પદાર્થો વડે તેવા થવાય તે સામાન્ય” હવે આ વ્યુત્પત્તિ સમાનપરિણામરૂપ વસ્તુસ્વરૂપમાં જ સંગત થાય છે, કારણ કે ઘટ-શરાવાદિ વસ્તુ વડે જ તેવા થવાય છે. પ્રશ્ન ઃ શું એવી વ્યુત્પત્તિ, વૈશેષિકકલ્પિત સામાન્યમાં ન ઘટે ? ઉત્તર : ના, કારણ કે સામાન્યને તેઓ એક અલગ પદાર્થ માને છે અને તેનો સમાન એવા ઘટાદિ સાથે સંબંધ માને છે... પણ અમે પૂછીએ છીએ કે, ઘટાદિ પદાર્થો શું સ્વભાવથી જ (૧) સમાન છે, કે (૨) નહીં ? (૧) જો અતિરિક્ત સામાન્ય વિના પણ, ઘટાદિ પદાર્થો સ્વભાવથી જ સમાન હોય, તો તેવા સામાન્યનો કોઈ જ ઉપયોગ નથી, કારણ કે તેના વિના પણ પદાર્થો સ્વભાવથી જ સમાન છે. (૨) અન્યથા=જો અતિરિક્ત સામાન્ય વિના ઘટાદિ પદાર્થો સ્વભાવથી જ સમાન ન માનો, તો તેઓ પોતે અસમાન રહેવાથી “સમાનોનો ભાવ તે સામાન્ય' એવા સામાન્યની કલ્પના સંગત નહીં થાય, કારણ કે જ્યારે કોઈ સમાન પદાર્થ જ નથી, ત્યારે તેઓનો ભાવ શી રીતે કહેવાય ? તેથી વૈશેષિક મતે, સામાન્યનો વાસ્તવિક વ્યુત્પત્તિ અર્થ અઘટિત છે, એટલે તેવા સામાન્યની કલ્પના યુક્તિ સંગત નથી. * समानत्वं च भेदाविनाभाव्येव, तदभावे च सर्वथैकत्वतः समानत्वानुपपत्तिः, इति समानपरिणाम एव समानबुद्धिशब्दद्वयप्रवृत्तिनिमित्तम् । • પ્રવેશરશ્મિ - ભાવાર્થ : અને સમાનપણું ભેદને અવિનાભાવી જ છે, ભેદ ન હોય તો સર્વથા એકપણું થવાથી સમાનતા જ ઉ૫પન્ન નહીં થાય, એટલે સમાનપરિણામ જ સમાન બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનું કારણ છે. * ભેદ-અવિનાભાવી સમાનતા : વિવેચન : પૂર્વપક્ષ ઃ જો ઘટ-શરાવાદિનો સમાનપરિણામ જ હોય, તો તેઓનો જુદા જુદા રૂપે બોધ કેમ થાય છે ? ઉત્તરપક્ષ : અરે ! સમાનતા તો ભેદને અવિનાભાવી છે, અર્થાત્ ‘આ આની સમાન છે’ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः એવું ત્યારે જ કહેવાય કે જ્યારે તે બે પદાર્થો ભિન્ન હોય... બાકી ભેદ વિના, તે બે પદાર્થો એક થવાથી, તેઓમાં સમાનતા જ ન ઘટે. (બધા લોકમાં ‘મુખ ચંદ્રસમાન છે' એવું જ કહે છે, ‘ચંદ્ર ચંદ્રસમાન છે, એવું નહીં.) १२५ તેથી સમાનપરિણામ હોવા છતાં પણ, ઘટ-શરાવાદિનો કથંચિદ્ ભેદ સિદ્ધ જ છે. સાર ઃ તેથી ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દોને પ્રવર્તાવનાર, વસ્તુનો સમાનપરિણામ જ સામાન્ય છે. (કારણ કે તે જ સમાન શબ્દબુદ્ધિનું કારણ છે.) * यतश्चैवम् अतो न य एवासावेकस्मिन् विशेषे, स एव विशेषान्तरे । किं तर्हि ? समानः, इति कुतः सामान्यविचारोदितभेदद्वयसमुत्थापराधावकाशः ? इति । -! પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : જેથી આવું છે, એથી જે સમાનપરિણામ એક વિશેષમાં છે, (તે જ) બીજા વિશેષમાં નથી, પણ તેની સમાન છે, તો સામાન્યના વિચાર વખતે ઉત્પન્ન થયેલા બે વિકલ્પજન્ય દોષોનો અવકાશ શી રીતે ? વૈશેષિકકલ્પિત સામાન્યભાવી દોષોનો અનવકાશ વિવેચન ઃ જે કારણથી પૂર્વોક્ત સમાનપરિણામ સિદ્ધ થાય છે, તે કારણથી અમે કહીએ છીએ કે જે સમાનપરિણામ ઘટાદિમાં રહ્યો છે, તે જ શરાવાદિમાં નથી. પણ શરાવાદિમાં, ઘટના સમાનપરિણામ જેવો જ બીજો સમાનપરિણામ છે. એટલે અમારા મતે દરેકનો સમાનપરિણામ જુદો જુદો છે, કોઈ એક-વ્યાપી સામાન્ય સમાનપરિણામ નથી. તેથી વૈશેષિકકલ્પિત સામાન્યની વૃત્તિના વિચાર વખતે ‘તે સંપૂર્ણપણે રહે કે દેશથી' એવા બે વિકલ્પોના કારણે ‘સપ્રદેશી માનવાનો પ્રસંગ આવશે' એવા જે દોષો આવતા હતા, તે દોષોનો અહીં અંશતઃ પણ અવકાશ નથી, કારણ કે સમાનપરિણામ તો વૈશેષિકકલ્પિત સામાન્યથી અત્યંત વિલક્ષણ છે. न चैवं सति परस्परविलक्षणत्वाद् विशेषाणां समानबुद्धिशब्दद्वयप्रवृत्त्यभावः, सत्यपि वैलक्षण्ये समानपरिणामसामर्थ्यतः प्रवृत्तेः । असमानपरिणामनिबन्धना च विशेषबुद्धिरिह इति यथोदितबुद्धिशब्दद्वयप्रवृत्तिः इति । तथा चोक्तम् - 'वस्तुन एव समानः परिणामो यः स एव सामान्यम् । असमानस्तु विशेषो वस्त्वेकमनेकरूपं तु । । १ ।।' --• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : અને આવું હોવામાં વિશેષો પરસ્પર વિલક્ષણ થવાથી સમાન બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિનો અભાવ થઈ જાય એવું નથી; કેમ કે વિલક્ષણતા હોવા છતાં સમાન પરિણામના સામર્થ્યથી પ્રવૃત્તિ થઈ જશે અને For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ १२६ अनेकान्तवादप्रवेशः અહીં વિશેષબુદ્ધિ અસમાનપરિણામમૂલક છે. એટલે યથોદિત બુદ્ધિ/શબ્દની પ્રવૃત્તિ થશે જ. કહ્યું છે કે – વસ્તુનો જે સમાનપરિણામ તે જ સામાન્ય અને અસમાનપરિણામ તે જ વિશેષ આમ એક વસ્તુ અનેકરૂપ હોય.” # ચાદ્વાદમતે સમાન શતદબુદ્ધિની નિબંધ સંગતિ જ વિવેચન : પૂર્વપક્ષ: જો ઘટ-શરાવાદિમાં કોઈ સામાન્ય ન હોય, તો તે પદાર્થો વિલક્ષણ જ સાબિત થાય અને તો જેમ હિમ-અંગારાદિમાં સમાન બુદ્ધિ/શબ્દ નથી થતાં, તેમ ઘટ-શરાવાદિમાં પણ સમાન બુદ્ધિ શબ્દ નહીં થાય. સ્યાદ્વાદીઃ તમારી વાત યોગ્ય નથી, કારણ કે ઘટ-શરાવાદિ વિલક્ષણ હોવા છતાં પણ, તેઓમાં સમાનપરિણામ રહ્યો છે અને તેના સામર્થ્યથી જ તેઓ વિશે સમાન શબ્દબુદ્ધિની પ્રવૃત્તિ થઈ જશે. આ જ વાતને ગ્રંથકારશ્રી વ્યતિરેક દાંતપૂર્વક કહે છે – ઘટ-શરાવાદિમાં રહેલ અસમાનપરિણામ=વિશેષપરિણામને કારણે જેમ “આ ઘટ-આ શરાવ' એમ વિશેષ શબ્દ બુદ્ધિ થાય છે, તેમ તેઓમાં રહેલ સમાનપરિણામને કારણે “માટી-માટી' એમ સમાન શબ્દ-બુદ્ધિની પ્રવૃત્તિ પણ સંગત જ છે. આ જ વાતને સિદ્ધ કરનાર એક શ્લોક કહ્યો છે – “ઘટાદિ વસ્તુનો જ જે “માટી' આદિ સમાનપરિણામ છે, તે જ સામાન્ય...અને ‘ઉર્ધ્વતા* આદિ જે વિશેષ પરિણામ છે તે જ વિશેષ... આમ ઉભયરૂપ (=સામાન્ય-વિશેષરૂપ) એક વસ્તુ પણ વિશેષો અનેક હોવાથી અનેક છે.” ___ततश्च तद्यत एव सामान्यरूपम्, अत एव विशेषरूपम्, समानपरिणामस्यासमानपरिणामाविनाभूतत्वात् । यत एव विशेषरूपम्, अत एव सामान्यरूपम्, असमानस्यापि समानपरिणामाविनाभूतत्वाद्, इति । न चानयोर्विरोधः, समानासमानपरिणामयोरुभयोरपि (स्वसंवेदनसिद्धत्वात् ।) स्वसंवेदनस्योभयरूपत्वाद्, उभयरूपतायाश्च व्यवस्थापितत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને તેથી, તે જેથી સામાન્યરૂપ છે, એથી જ વિશેષરૂપ છે, કેમ કે સમાનપરિણામ અસમાનપરિણામને અવિનાભૂત છે અને જેથી વિશેષરૂપ છે, એથી જ સામાન્યરૂપ છે; કેમ કે અસમાનપરિણામ સમાનપરિણામને અવિનાભૂત છે. અને એ બેનો વિરોધ નથી, કારણ કે સમાન-અસમાન બંને પરિણામો સ્વસંવેદનસિદ્ધ છે. તેનું કારણ એ કે સ્વસંવેદન ઉભયરૂપ છે અને ઉભયરૂપતા તે વ્યવસ્થાપિત કરી છે. * ઉર્ધ્વતા-જાડાઈ-પહોળાઈ આદિ ઘટના અસમાનપરિણામ છે, કારણ કે તેવી જાડાઈ આદિ બીજા પદાર્થમાં નથી. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ गुर्जर विवेचनसमन्वितः <0 १२७ # મૂલ પૂર્વપક્ષનો યુક્તિશઃ પરિહાર # વિવેચનઃ તેથી ઘટાદિ પદાર્થો, જે કારણથી મૃદાદિરૂપે સામાન્યરૂપી છે, તે જ કારણથી વિશેષરૂપે છે, કારણ કે સમાનપરિણામ તે અસમાનપરિણામ=વિશેષપરિણામને અવિનાભાવી છે, અર્થાત્ મૃદાદિ તે ઉર્વાદિને અવિનાભાવી છે. એટલે જો તેમાં સમાનપરિણામ હશે, તો વિશેષપરિણામ પણ હશે જ. અને તેઓ જે કારણથી ઉર્દાદિરૂપે વિશેષરૂપ છે, તે જ કારણથી મૃદાદિરૂપે સામાન્યરૂપ છે. કારણ કે વિશેષપરિણામ તે સમાનપરિણામને અવિનાભાવી છે. અર્થાત્ ઉર્વાદિ તે મૃદાદિને અવિનાભાવી છે, એટલે જો વિશેષપરિણામ હશે, તો સામાન્યપરિણામ પણ હશે જ. આ રીતે વસ્તુમાં સમાન-અસમાન બંને પરિણામ હોવાથી વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે. પ્રશ્ન : પણ શું એક જ વસ્તુમાં સમાન-અસમાનપરિણામનો વિરોધ ન આવે ? ઉત્તર ઃ ના, કારણ કે સમાન/અસમાન બંને પરિણામનો જો સહભાવ=અવિનાભાવ ન માનો, તો તે બંનેનો અભાવ થઈ જશે ! આશય એ જણાય છે કે, ઘટાદિમાં સમાન-અસમાન બંને પરિણામ સાથે જ માનવા જોઈએ, નહીંતર (૧) જો માત્ર સમાનપરિણામ (મૃદાદિ) જ માનો, તો - ઉર્દાદિ આકાર વિનાની માટી કદી ન દેખાતી હોવાથી - સમાનપરિણામનો જ અભાવ થશે... અને (૨) જો માત્ર વિશેષપરિણામ (ઉર્વાદિ) જ માનો, તો - માટી વિનાના તે ઉર્ષ્યાદિ ન દેખાતા હોવાથી-વિશેષપરિણામનો પણ અભાવ થશે અથવા સર્વથા સમાનતા હોય તો એક જ થાય, બે ન રહે અને સર્વથા અસમાનતા હોય તો એક બુદ્ધિ-શબ્દ ન થાય. અને વળી તે બે પરિણામ તો સ્વસંવેદનસિદ્ધ છે, એટલે પણ તેઓનું સહભાવી અસ્તિત્વ હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન : પણ તેઓ સ્વસંવેદનસિદ્ધ શી રીતે ? ઉત્તર : કારણ કે સંવેદન સામાન્ય-વિશેષાકારે થાય છે. હવે સંવેદનમાં આવો સામાન્યવિશેષાકાર કોની અપેક્ષાએ આવે ? તો કહેવું જ રહ્યું કે, વસ્તુગત સમાન-અસમાનપરિણામની અપેક્ષાએ... (અર્થાત્ વસ્તુમાં રહેલ સમાન-અસમાનપરિણામને લઈને જ સંવેદનમાં સામાન્યવિશેષાકાર આવે છે...) એટલે બંને પરિણામ સ્વસંવેદનસિદ્ધ જ છે અને સંવેદન ‘સામાન્ય-વિશેષ ઉભયાકારે થાય છે.’ એ તો અમે પૂર્વે જ સિદ્ધ કરી દીધું છે. સાર ઃ એટલે ઘટાદિ એક જ વસ્તુમાં સમાન/અસમાન બે પરિણામ હોવામાં કોઈ વિરોધ નથી. ← यच्चोक्तम्-‘सामान्यविशेषरूपत्वे सति वस्तुनः सकललोकप्रसिद्धसंव्यवहारनियमोच्छेदप्रसङ्गः' इत्यादि, तदपि जिनमतानभिज्ञतासूचकमेव केवलं, न पुनरिष्टार्थ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ १२८ अनेकान्तवादप्रवेशः प्रसाधकम्, इति । न हि ‘मधुरकलड्डुकादिविशेषानर्थान्तरम् सर्वथैकस्वभावम् एकम् अनवयवं सामान्यम्' इत्यभिदधति जैनाः । अतः किमुच्यते ? 'न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकाद्' इत्यादि । किं तर्हि ?। समानपरिणामः । स च भेदाविनाभूतत्वात् न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि, सर्वथा तदेकत्वे समानत्वायोगात् । - પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને જે કહ્યું હતું કે – “જો વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનો, તો સકલલોકપ્રસિદ્ધ વ્યવહારના નિયમનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે.. ઇત્યાદિ” તે પણ કેવળ જિનમતની અનભિજ્ઞતાને સૂચવનારું છે, ઇષ્ટ-અર્થનું સાધક નથી, કારણ કે જૈનો, મધુરક-લાડવાદિ વિશેષોથી અભિન્ન સર્વથાએકસ્વભાવવાળું એક નિરવયવ સામાન્ય કહેતા જ નથી. તો તમે વિષ માત્ર વિષ જ નહીં રહે; કેમ કે તેનો મોદકાદિથી અભિન સામાન્યની સાથે અભેદ છે' એવું શી રીતે કહી શકો? અમે તો સમાનપરિણામ કહીએ છીએ અને તે તો ભેદને અવિનાભાવી છે. એટલે જે વિષથી અભિન છે, તે જ મોદકાદિથી પણ અભિન્ન નથી; કેમ કે સર્વથા એકપણું હોવામાં તો સમાનતા જ ન ઘટે. # સ્યાદ્વાદ મતે વ્યવહારનું નિયંત્રણ છે - વિવેચનઃ સૌ પ્રથમ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “વસ્તુને જો સમાન-અસમાન ઉભયરૂપ માનો, તો સકલલોકપ્રસિદ્ધ વ્યવહારનિયંત્રણનો ઉચ્છેદ થઈ જશે, અર્થાત્ મોદકાદિનો ઇચ્છુક મોદકાદિ વિશે જ પ્રવર્તે એવું નહીં રહે” તે બધું કથન, માત્ર જિનમતની અનભિજ્ઞતાને જ સૂચવે છે. અર્થાત્ જિનમતને(=સ્યાદ્વાદમતને) યથાર્થ ન જાણવાનું જ પરિણામ છે. બાકી આવા કથનથી તમારું જે ઇષ્ટ છે કે – “સ્યાદ્વાદમતે વસ્તુની અસંગતિ થાય તે સિદ્ધ નહીં થાય, કારણ કે સ્યાદ્વાદ મતે તો સર્વવ્યવહાર સમંજસ જ છે. તે આ પ્રમાણે – અમે જૈનો – “મધુરક(=વિષ), લાડવા આદિ બધા વિશેષો સાથે અભિન્ન, એકાંત એકસ્વભાવી, નિરવયવ, એક સામાન્ય છે” – એવું નથી કહેતા, તો તમે ફોગટનો ઉપાલંભ શા માટે આપો છો કે, “મોદકાભિન્ન સામાન્ય તે વિષ સાથે પણ અભિન્ન હોવાથી, વિષ માત્ર વિષ જ નહીં રહે, પરંતુ મોદક પણ બની જશે... ઇત્યાદિ.” તાત્પર્ય એ કે, જો અમે મોદક-વિષના સામાન્યને એક માનીએ, તો તમે આપેલ આપત્તિ બરાબર કે – ‘વિષ, મોદક પણ બનશે, કારણ કે તે વિષનો મોદકસામાન્યની સાથે અભેદ છે...” પણ અમે બેના સામાન્યને એક માનતાં જ નથી. પ્રશ્ન : તો શું માનો છો ? ઉત્તર : અમે “સમાનપરિણામ” જ સામાન્ય માનીએ છીએ અને આ સમાનપરિણામ ભેદને અવિનાભાવી છે. (અર્થાત્ તેઓમાં ભેદ હોવામાં જ સમાનપરિણામ ઘટે.) For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १२९ એટલે જે સમાનપરિણામ વિષથી અભિન્ન છે, તે જ સમાનપરિણામ મોદકાદિથી અભિન્ન નથી. કારણ કે વિષ-મોદક બંનેનો સમાનપરિણામ એક માનવામાં તો તેઓની સમાનતા જ ન રહે. તેનું કારણ એ કે બે જુદા પદાર્થોની જ સમાનતા બતાવાય, એક પદાર્થની નહીં (‘મુખ ચંદ્રસમાન છે” એવું બતાવાય, પણ “ચંદ્ર ચંદ્રસમાન છે' એવું નહીં.) સાર: વિષ-મોદકાદિનો સમાનપરિણામ એક માનવામાં તેઓ એક થઈ જતાં તેઓની સમાનતા જ ન રહે. તેથી બંનેનો સમાનપરિણામ જુદો જુદો જ માનવો રહ્યો અને એટલે પછી વિષ તે મોદક નહીં બને. स्यादेतत्, समानपरिणामस्यापि प्रतिविशेषमन्यत्वादसमानपरिणामवत् तद्भावानुपपत्तिः, તિ | ___एतदप्ययुक्तम्, सत्यप्यन्यत्वे समानाऽसमानपरिणामयोभिन्नस्वभावत्वात्। तथाहिसमानधिषणाध्वनिनिबन्धनस्वभावः समानपरिणामः, तथा विशिष्टबुद्ध्यऽभिधानजननस्वभावस्त्वितरः, इति यथोक्तसंवेदनाभिधानसंवेद्याभिधेया एव विषादयः, इति प्रतीतमेतत्; अन्यथा यथोक्तसंवेदनाद्यभावप्रसङ्गात् । अतो यद्यपि द्वयमप्युभयरूपं तथापि विषार्थी विष एव प्रवर्त्तते, तद्विशेषपरिणामस्यैव तत्समानपरिणामाविनाभूतत्वात्, न तु मोदके, तत्समानपरिणामाविनाभावाभावात् तद्विशेषपरिणामस्य, इति । अतः प्रयासमात्रफला प्रवृत्तिनियमोच्छेदनचोदनैव, इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ સમાનપરિણામ પણ દરેક વિશેષે જુદો હોવાથી અસમાનપરિણામની જેમ તેના ભાવની અનુપપત્તિ થશે. ઉત્તરપક્ષઃ આ પણ અયુક્ત છે, કારણ કે પ્રતિવિશેષ અન્યત્વ હોવા છતાં સમાનઅસમાનપરિણામ ભિન્નસ્વભાવી છે. તે આ પ્રમાણે - સમાન બુદ્ધિ-શબ્દનો કારણભૂત સ્વભાવ તે સમાનપરિણામ, તથા વિશિષ્ટ બુદ્ધિ-શબ્દને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો વિશેષ પરિણામ એટલે વિષાદિ, યથોક્ત સંવેદના અને અભિધાનથી સંવેદ્ય અને અભિધેય જ છે અને આવું પ્રતીત છે, અન્યથા યથોક્ત સંવેદનાદિનો અભાવ થવાનો પ્રસંગ આવે. એટલે જો બંને ઉભયરૂપ છે, તો પણ વિષાર્થી વિષમાં જ પ્રવર્તે; કેમ કે તેનો વિશેષ પરિણામ જ તેના સમાનપરિણામને અવિનાભાવી છે. મોદકમાં નહીં પ્રવર્તે, કારણ કે તેના વિશેષપરિણામનો તેના સમાનપરિણામ સાથે અવિનાભાવી નથી. એટલે પ્રવૃત્તિનિયમના ઉચ્છેદનું કહેવું પ્રયાસમાત્ર ફળવાળું છે. ક સમાનપરિણામ અંગે પૂર્વપક્ષીની આશંકાનો નિરાસ છું વિવેચન : પૂર્વપક્ષ : જો ઘટ-શરાવાદિ દરેકનો સમાનપરિણામ જુદો જુદો હોય, તો જેમ અસમાનપરિણામ (Fવિશેષ પરિણામ) દરેક પદાર્થમાં જુદો જુદો હોઈ સમાનપરિણામરૂપ નથી. તેમ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -> સમાનપરિણામ પણ દરેક પદાર્થમાં જુદો જુદો હોઈ સમાનપરિણામરૂપ નહીં રહે...(અર્થાત્ તેનું સમાનપરિણામપણું ઉપપન્ન નહીં થાય.) १३० : ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે ઘટાદિ દરેક પદાર્થમાં સમાનપરિણામ અલગ અલગ હોવા છતાં પણ બંનેનું સમાનપણું છે જ. પ્રશ્ન ઃ તો બંને પરિણામમાં તફાવત શું ? (કારણ કે દરેક પદાર્થમાં જુદા જુદારૂપે હોવાપણું તો બંનેનું સમાન છે.) ઉત્તર ઃ તફાવત એ જ કે, તે બંનેનો સ્વભાવ જુદો જુદો છે. તે આ રીતે – (૧) સમાનપરિણામ તે સમાન બુદ્ધિ-શબ્દને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કારણ કે તેનાથી જ ઘટ-શરાવાદિમાં ‘માટી-માટી’ એવા સમાન બુદ્ધિ-શબ્દો પ્રવર્તે છે, અને (૨) વિશેષપરિણામ તે વિશેષ બુદ્ધિ-શબ્દોને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, કારણ કે તેનાથી જ ‘આ ઘટ આ શરાવ' એવા વિશેષ બુદ્ધિશબ્દો પ્રવર્તે છે. આમ, બંનેનો સ્વભાવ જુદો જુદો હોવાથી, તફાવત સિદ્ધ છે. (આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ, ઘટ-શરાવાદિ ઉદાહરણને લઈને ભાવાર્થ બતાવ્યો. હવે પૂર્વપક્ષના ઉપન્યાસની વિરુદ્ધમાં પ્રસ્તુત વિષ-મોદકની વાતનો નિષ્કર્ષ કહે છે –) તેથી(૧) વિષ-મોદકાદિને પણ સમાનસંવેદનથી સંવેદ્ય અને સમાનશબ્દથી અભિધેય માનવા જ રહ્યાં, કારણ કે તેઓ ‘સત્-સત્’ એવા સમાન શબ્દ-સંવેદનથી કથિત-સંવેદિત થાય છે. અને (૨) તેઓને વિશેષ સંવેદનથી સંવેદ્ય અને વિશેષશબ્દથી અભિધેય પણ માનવા જ રહ્યા, કારણ કે તેઓ ‘વિષ-મોદક' એવા વિશેષ શબ્દ-સંવેદનથી કથિત-સંવેદિત પણ થાય છે જ. આમ વિષાદિ, સમાન-વિશેષ શબ્દ-સંવેદનથી અભિધેય-સંવેદ્યરૂપે પ્રતીત જ છે. છતાં પણ, જો તમે તેવું (=વિષાદિને સમાન-વિશેષ શબ્દ-સંવેદનથી અભિધેય-સંવેદ્યરૂપે ) ન માનો, તો ‘સત્સત્ અથવા વિષ-મોદક' એવા સમાન-વિશેષ શબ્દ/સંવેદનનો અભાવ થશે ! તેથી વિષ-મોદક બંને પદાર્થ (૧) સમાન શબ્દ-બુદ્ધિથી અભિધેય-સંવેદ્ય હોવાથી સામાન્યરૂપ છે, અને (૨) વિશેષ શબ્દ-બુદ્ધિથી અભિધેય-સંવેદ્ય હોવાથી વિશેષરૂપ છે... (એમ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે.) તો પણ વિષનો ઇચ્છુક પ્રમાતા, વિષ અંગે જ પ્રવૃત્તિ કરશે, કારણ કે વિષના વિશેષપરિણામનો જ વિષના સમાનપરિણામ સાથે અવિનાભાવ (=નિત્ય સંબંધ) છે. (જો અવિનાભાવ ન હોત, તો તે વ્યક્તિની કદાચ ત્યાં પણ પ્રવૃત્તિ ન થાત, પણ તેવું તો નથી.) અને તે વ્યક્તિ મોદક વિશે પ્રવૃત્તિ નહીં કરે, કારણ કે વિષના વિશેષપરિણામનો મોદકના સમાનપરિણામ સાથે અવિનાભાવ નથી. (જો અવિનાભાવ હોત, તો કદાચ તેની ત્યાં પણ પ્રવૃત્તિ થાત. પણ તેવું નથી.) For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः સાર ઃ આ રીતે સ્યાદ્વાદમતે સકલલોકપ્રસિદ્ધ વ્યવહારની નિબંધ સંગતિ હોવાથી, પૂર્વપક્ષીએ જે કહ્યું હતું કે ‘પ્રવૃત્તિનિયમનનો ઉચ્છેદ થશે' તે કથન માત્ર પ્રયાસ પૂરતાં ફળવાળું છે. * एतेन 'विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्याद्' इत्याद्यपि प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वात् इति । -! પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : એનાથી ‘વિષ ખાધે મોદક પણ ખવાઈ ગયો થાય' એ પણ પ્રતિક્ષિપ્ત થયું સમજવું; કેમ કે તુલ્ય યોગક્ષેમ છે. X १३१ * પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ વિવેચન ઃ ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષીનું બીજું જે કહેવું હતું કે – “વિષ ખાવાથી મોદક પણ ખવાઈ જ જશે... વગેરે’” – તે બધું કથન પણ નિરાકૃત થયું જાણવું, કારણ કે આની પ્રતિક્ષેપક્રિયા પણ ઉ૫૨ની જેમ તુલ્ય જ છે (અર્થાત્ વિષના વિશેષપરિણામનો વિષના જ સમાનપરિણામ સાથે અવિનાભાવ છે, મોદકના સમાનપરિણામ સાથે નહીં. એટલે વિષ ખાતાં માત્ર વિષનું જ ભક્ષણ થાય, મોદકનું નહીં.) X यच्चापरेणाप्युक्तम्- 'सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः' इत्यादि - तदपि कूटनटनृत्तमिवाभाविताऽनुष्ठानं न विदुषां मनोहरम्, इत्यपकर्णयितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात्, કૃતિ । અનં વિસ્તરેળ વવસામ્ ।।રૂ।। इति सामान्यविशेषोभयरूपैकवस्तुवादः ।।३।। -- પ્રવેશરશ્મિ : ભાવાર્થ : અને જે બીજા વડે પણ કહેવાયું છે કે – બધા ઉભયરૂપ હોય, તો તેના વિશેષનું નિરાકરણ થવાથી... ઇત્યાદિ' તે પણ કૂટનટના નાટ્ય જેવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને મનોહર નથી. એટલે ન સાંભળવું જોઈએ; કેમ કે પરમાર્થથી તેનો ઉત્તર અપાઈ ગયો છે. હવે વાણીના વિસ્તારથી સર્યું. આ પ્રમાણે સામાન્ય-વિશેષ ઉભયરૂપ એકવસ્તુનો વાદ થયો. પ્રશ્ન : પણ એ કથનમાં ખોટું શું ? વિવેચન : વળી પૂર્વપક્ષમાં બીજાઓનું જે કહેવું હતું કે “જો બધા પદાર્થ ઉભયરૂપ હોય, તો વસ્તુના વિશેષરૂપનું નિરાકરણ થવાથી - વિશેષરૂપ પણ પદાર્થ સામાન્યરૂપ બનતા - ‘દહીં ખા’ એમ પ્રેરાયેલો વ્યક્તિ ઊંટને ખાવા કેમ દોડતો નથી ? ...’’ તે પણ ખોટા નટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન છે (અર્થાત્ જૈનદર્શનના ભાવાર્થને જાણ્યા વિનાનું માત્ર વાચાલતારૂપ અનુષ્ઠાન છે.) આવું અનુષ્ઠાન વિદ્વાનોને મનોહર નથી, એટલે સાંભળવું જોઈએ નહીં. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ १३२ अनेकान्तवादप्रवेशः ઉત્તર : ખરેખર તો આનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો છે. (દહીંના વિશેષ પરિણામનો સંબંધ માત્ર દહીના સમાનપરિણામ સાથે જ છે, બીજા સાથે નહીં, એટલે તે વ્યક્તિ માત્ર દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં.) (તથા, સામાન્ય-વિશેષરૂપ વસ્તુ તો સચોટ તર્કોથી વ્યવસ્થાપિત થાય છે. એટલે તે વિશે દોષોની ઉભાવના બિલકુલ યોગ્ય નથી.) તેથી પૂર્વપક્ષીનું વચન સાંભળવા યોગ્ય નથી જ. હવે વાણીના વિસ્તારથી સર્યું. નિષ્કર્ષ એટલે ઘટાદિ દરેક વસ્તુઓ સમાન-અસમાનપરિણામરૂપ હોવાથી, તેઓ સામાન્યવિશેષ ઉભયરૂપ જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. છે આ પ્રમાણે સામાન્ય-વિશેષ અનેકાંતવાદરૂપ તૃતીય અધિકાર પૂર્ણ થયો // ) 7 T રિટ ઇઝ કી = દY For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १३३ अभिलाप्य-अनभिलाप्य-अनेकान्तवादः।। દરેક વસ્તુઓ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે એવું સિદ્ધ કરી, હવે વસ્તુની અભિલાખઅનભિલાપ્ય-રૂપતા સિદ્ધ કરવા, ગ્રંથકારશ્રી ચોથા અધિકારનો પ્રારંભ કરે છે – __ (४) यच्चोक्तम्, ‘एवमभिलाप्यानभिलाप्यमपि विरोधबाधितत्वादेवानुद्घोष्यम्' इत्यादि तदप्ययुक्तम् अन्यथा व्यवहारोच्छेदप्रसङ्गात् । तद्यदि एकान्तेनैवानभिलाप्यमभ्युपगम्यते, कथं तर्हि शब्दविशेषादर्थविशेषप्रतीत्यादिः ? दृश्यते च ‘अनलाद्यानय' इत्युक्ते विनीतानां धूमध्वजादौ प्रवृत्तिः। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને જે કહ્યું હતું કે - “એમ અભિલાણ-અનભિલાણ-પણ વિરોધથી બાધિત હોવાથી બોલવા યોગ્ય નથી - તે પણ અયુક્ત છે, અન્યથા વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવે, તે જો એકાંતે અનભિલાપ્ય જ મનાય, તો શબ્દવિશેષથી અર્થવિશેષની પ્રતીતિ આદિ કેવી રીતે થાય? અને “અગ્નિ લાવ એમ કહેતાં વિનીતોની અગ્નિ વિશે પ્રવૃત્તિ થતી દેખાય છે. મૂળ પૂર્વપક્ષીના કથનનો નિરાસ છે. વિવેચનઃ પહેલા તમે જે કહ્યું હતું કે - “વસ્તુ તે અભિલાપ્ય (Eશબ્દવાચ્ય) અને અનભિલાપ્ય (=શબ્દથી અવારૂપરૂપ) છે, એવી ઉદ્ઘોષણા ન કરવી, કારણ કે એક જ વસ્તુ અભિલાપ્યઅનભિલાષ્યરૂપ હોવી વિરોધબાધિત છે” – એ બધું કથન પણ અયુક્ત છે, કારણ કે એક જ વસ્તુ અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ હોવામાં કોઈ વિરોધ નથી. જુઓ – (૧) અભિલાખ, અને (૨) અનભિલાખ - એમ ઉભયરૂપ વસ્તુ જ પ્રમાણસિદ્ધ છે, કારણ કે વસ્તુનો તે રૂપે જ અર્થક્રિયારૂપ વ્યવહાર થતો દેખાય છે. (અન્યથાક) જો વસ્તુને અભિલાખઅનભિલાખ ન માનો, તો વસ્તુના સમસ્ત વ્યવહારનો ઉચ્છેદ થાય. તે આ પ્રમાણે (હવે ગ્રંથકારશ્રી પહેલાં, એકાંત અનભિલાપ્ય-અભિલાપ્ય માનવામાં કઈ રીતે દોષો આવે, તે જણાવે છે. ત્યારબાદ ઉભયરૂપતાની સિદ્ધિ કરશે.) છે એકાંતે અનભિલાપ્ય માનવામાં દોષપરંપરા છે જો વસ્તુ એકાંતે અનભિલાપ્ય જ હોય, અર્થાત્ શબ્દથી વાચ્ય જ ન હોય, તો વ્યવહારમાં પ્રયોજાતા “અગ્નિ વગેરે શબ્દથી અગ્નિ આદિ અર્થની પ્રતીતિ વગેરે (=પ્રવૃત્તિ, પ્રાપ્તિ, નિવેદન) શી રીતે થશે ? પણ થાય તો છે જ, તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ १३४ अनेकान्तवादप्रवेशः કોઈ માણસે એક વ્યક્તિને કહ્યું કે “અગ્નિ લઈ આવ’ તો તે વ્યક્તિને (૧) પહેલા અગ્નિની પ્રતીતિ થાય,પછી (૨) તે વિશિષ્ટ ક્ષયોપશમવાળા પ્રમાતાની અગ્નિ વિશે પ્રવૃત્તિ થાય, ત્યારબાદ (૩) તે અગ્નિને લઈ આવે અને લાવ્યા પછી (૪) તે વ્યક્તિ જણાવે છે કે “તમારા વડે જે અગ્નિ કહેવાયો હતો, તે લવાયો છે.” પણ હવે જો અગ્નિશબ્દથી અગ્નિવસ્તુ વાચ્ય જ ન બને, તો તે માણસના કહેવાથી પણ કોઈ વ્યક્તિને પ્રતીતિ-પ્રવૃત્તિ આદિ નહીં થાય. એટલે વસ્તુને કથંચિત્ અભિલાપ્ય (=શબ્દવાચ્ય) માનવી જ રહી. પ્રશ્ન : “અગ્નિ' શબ્દથી અગ્નિ વાચ્ય ન હોવા છતાં પણ, તે શબ્દથી તેની પ્રતીતિ આદિ માની લઈએ તો ? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, અગ્નિશબ્દથી જેમ અનભિલાપ્ય પણ અગ્નિની પ્રતીતિ આદિ થાય છે, તેમ અનભિલાય ઉદકાદિની પણ પ્રતીતિ આદિ થવા લાગશે ! જે કોઈને ઇષ્ટ નથી. એટલે દરેક વસ્તુઓને તે તે શબ્દથી વાચ્ય માનવી જ રહી. હવે બૌદ્ધ પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે. स्यादेतद्, असौ शब्दाद्विकल्पं प्रतिपद्यते, तस्माच्च दृश्यविकल्प्याऽर्थावेकीकृत्य प्रवर्त्तते । न पुनः शब्दादेव, अप्रतिपन्नविकल्पस्य कस्यचित्प्रवृत्त्यदर्शनात् । सङ्केतवशाच्च शब्दादर्थे प्रवृत्तिः, तस्य च विकल्पमन्तरेणान्यत्र कर्तुमशक्यत्वाद्, इति; इतीत्थमेवेदमगीવર્તવ્ય, તિા. ____ A पूर्वमुद्रिते ‘विकल्पेऽर्था०' इत्यशुद्धपाठः, अत्र तु B-प्रतपाठः । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? આ (જેને અગ્નિ લાવ એમ કહેવાયું છે તે વ્યક્તિ) શબ્દથી વિકલ્પને સ્વીકારે છે અને તેનાથી દશ્ય અને વિકધ્ય અર્થનું એકીકરણ કરી પ્રવર્તે છે, શબ્દથી જ નહીં, કારણ કે જેને વિકલ્પનો સ્વીકાર નથી થયો તેવા પ્રમાતાની પ્રવૃત્તિ દેખાતી નથી... વળી સંકેતના વશે શબ્દથી અર્થમાં પ્રવૃત્તિ થાય અને તે વિકલ્પ સિવાય બીજે ઠેકાણે કરવો શક્ય નથી. એટલે આ એ પ્રમાણે જ માનવું જોઈએ. # વસ્તુની અભિલાપ્યતા અંગે બોદ્ધકૃત પૂર્વપક્ષ વિવેચનઃ બૌદ્ધઃ વસ્તુને અભિલાપ્ય ત્યારે મનાય કે જયારે તે શબ્દથી વાચ્ય બનતી હોય, પણ વસ્તુ તે શબ્દનો વિષય જ નથી, કારણ કે શબ્દનો વિષય “અન્યાપોહ=વિકલ્પગત સામાન્યાકાર મનાયો છે. ભાવ એ કે, “અગ્નિ' એવા શબ્દનો વિષય, કોઈ અગ્નિ પદાર્થ નથી, પણ વિકલ્પબુદ્ધિગત For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १३५ અનગ્નિનો અપોહ (=અગ્નિ સિવાયના બધાનો વ્યવચ્છેદ) છે.* એટલે વસ્તુ શબ્દનો વિષય ન હોવાથી, તે અભિલાપ્ય ન બને. એટલે તે વ્યક્તિ, “અગ્નિ' વગેરે શબ્દથી વિકલ્પગત અન્યાપોહનું જ ગ્રહણ કરે છે (વસ્તુનું નહીં) પ્રશ્ન : જો શબ્દથી અન્યાપોહનું જ ગ્રહણ થતું હોય, તો તેની વસ્તુ વિશે પ્રવૃત્તિ શી રીતે થાય? (જેનું ગ્રહણ થાય તે વિશે જ પ્રવૃત્તિ થાય ને ?) ઉત્તરઃ જુઓ ભાઈ ! વિકલ્પનો વિષય સામાન્ય છે અને નિર્વિકલ્પનો વિષય સ્વલક્ષણ છે. પણ તે પ્રમાતા, (૧) દશ્ય=નિર્વિકલ્પદર્શનનો વિષય સ્વલક્ષણ અને (૨)વિકધ્ધ=વિકલ્પનો વિષય સામાન્ય – એ બંને વિષયોનું એકીકરણ કરીને, વિકલ્પનો વિષય સામાન્ય હોવા છતાં પણ, એકીકરણના સામર્થ્યથી, પ્રમાતા દશ્યને પણ વિષય તરીકે માની લે છે અને એટલે જ તેની દશ્યક સ્વલક્ષણ વિશે પણ પ્રવૃત્તિ થઈ જાય છે. આમ શબ્દથી વિકલ્પનું ગ્રહણ થાય અને વિકલ્પથી દશ્ય-વિકધ્યનું એકીકરણ થયે દશ્યસ્વલક્ષણ વિશે પણ પ્રવૃત્તિ થઈ જાય છે...બાકી શબ્દથી વસ્તુનું ગ્રહણ થાય અને પછી પ્રવૃત્તિ થાય એવું નથી. બીજી વાત, શબ્દોથી પદાર્થની પ્રતીતિ ત્યારે જ થાય કે જ્યારે તેને કોઈએ સંકેત કર્યો હોય કે “આને ઘટશબ્દથી કહેવો' કારણ કે સંકેત વિના વસ્તુની પ્રતીતિ કોઈને થતી નથી. હવે “ઘટ’ વગેરે શબ્દોનો સંકેત, વસ્તુમાં કરવો તો શક્ય જ નથી, કારણ કે સ્વલક્ષણરૂપ વસ્તુ તો અનંત હોવાથી તેમાં સંકેત સંભવિત જ નથી અને જો દરેક વસ્તુમાં સંકેત ન થાય, તો તે સંકેત વ્યવહારમાં ઉપયોગી બને નહીં. તાત્પર્ય એ કે, ઘટ તો અનંત છે. દરેક ઘટમાં તો સંકેત કરવો શક્ય નથી. હવે કેટલાક ઘટમાં સંકેત કરે, તો તેનો વ્યવહારમાં કોઈ ઉપયોગ નથી. કારણ કે બધા ઘટ, ઘટપદથી વાચ્ય બને નહીં. એટલે વિકલ્પમાં જણાતો અધટાપોહમાં જ “ઘટ’ પદનો સંકેત થાય છે અને તેથી જ બધા જ ઘટ “ઘટ’ પદથી વાચ્ય બની જાય છે. એટલે માનવું જ રહ્યું કે, શબ્દથી વિકલ્પનું ગ્રહણ થાય અને તે વિકલ્પથી એકીકરણ દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ થાય... (એટલે વસ્તુ શબ્દવાચ્ય ન બને અને તો તેને અભિલાખ પણ ન મનાય.) હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધવક્તવ્યનું આમૂલચૂલ ઉમૂલન કરવા પોતાનું મંતવ્ય રજુ કરે છે. ___एतदप्ययुक्तम्, विकल्पप्रतिपत्तावपि दृश्यविकल्प्याथैकीकरणाभावतः प्रवृत्त्ययोगाद्, * આવું માનવા પાછળ બોદ્ધનો ગર્ભિત આશય એ કે, જો શબ્દના વિષયરૂપે વાસ્તવિક વસ્તુ પણ મનાય, તો શબ્દોને પણ પ્રમાણ માનવા પડે ! જે બૌદ્ધને બિલકુલ ઇષ્ટ નથી. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ १३६ अनेकान्तवादप्रवेशः एकीकरणाभावश्च दृश्यविकल्प्यार्थयोरत्यन्तभेदवादिनः कथंचिदपि समानत्वानुपपत्तेः, एकस्य चोभयानुभवितुरभावात् । – પ્રવેશરશ્મિ - | ભાવાર્થ : ચાદ્વાદી : આ પણ અયુક્ત છે; કેમ કે વિકલ્પના ગ્રહણ પછી પણ દશ્ય-વિકધ્યનું એકીકરણ ન થવાથી પ્રવૃત્તિ ન થાય અને એકીકરણ ન થવાનું કારણ એ કે દશ્ય અને વિકલ્પ બંને અર્થનો અત્યંત ભેદ કહેનારાઓના મતે કથંચિ પણ સમાનતા ઉપપન નથી અને વળી ઉભયનો અનુભવ કરનાર એક પ્રમાતા પણ નથી. બદ્ધપૂર્વપક્ષનો આમૂલચૂલ નિરાસ-ચાદ્વાદી જ વિવેચનઃ ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ યોગ્ય નથી, કારણ કે શબ્દથી વિકલ્પનું ગ્રહણ થયા પછી પણ, દશ્ય અને વિકથ્ય અર્થનું એકીકરણ જ શક્ય નથી અને તેથી દશ્ય વિશે પ્રવૃત્તિ પણ શક્ય નથી. હવે એકીકરણ ન થવાના બે કારણ છે – (૧) પહેલું કારણ એ કે, એકીકરણ કરવા તે બેનું સાદેશ્ય હોવું જરૂરી છે. (સમાનતા હોય તો જ તેઓનું એકીકરણ થાય, અન્યથા નહીં.) પણ તમે તો સ્વલક્ષણ અને સામાન્યને સર્વથા ભિન્ન માનો છો અને તો તમારા મતે તેઓનું સાદશ્ય જ નહીં રહે, તો એકીકરણ શી રીતે થાય? (૨) બીજું કારણ એ કે, દશ્ય- વિધ્યનું એકીકરણ કરવા, તે બેનો અનુભવ કરનાર કોઈ એક પ્રમાતા જોઈએ. પણ તેવો કોઈ એક પ્રમાતા નથી,* તો તેઓનું એકીકરણ કોણ કરે? એટલે આમ એકીકરણ જ નથી થતું અને તો વસ્તુ વિશે પ્રવૃત્તિ પણ ન જ થાય. किञ्च-स खल्वेकीकुर्वन् तदा द्वयमपि भेदेन प्रतिपद्यैकीकुर्याद् ? अप्रतिपद्य વા? યદ્યાર્થ: પક્ષઃ, તતો એનૈવામાપ્રતિપત્તે મેિરાન ? થાપર, તિ, अप्रतिपन्नयोश्चैकीकरणमयुक्तम्, अतिप्रसङ्गात्; तथाहि-अप्रतिपन्नेनापि विवक्षितेनैव दृश्येनैकीकरोति, न दृश्यान्तरेण, इति किमत्र नियामकम् ?। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? વળી તે એકીકરણ કરે ત્યારે બંનેને જુદારૂપે સ્વીકારીને એક કરે? કે સ્વીકાર્યા વિના? જો પહેલો પક્ષ, તો જુદારૂપે જ ઉભયની પ્રતિપત્તિ થવાથી એકીકરણથી શું? જો બીજો પક્ષ, તો અપ્રતિપન્ન એવા તે બેનું એકીકરણ અયુક્ત છે; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે છે. તે આ રીતે-અપ્રતિપન પણ વિવક્ષિત * બૌદ્ધમતે એક જ પ્રમાતા દશ્ય-વિકધ્યનો અનુભવ કરનાર નથી મનાતો, પણ બંનેનો અનુભવ કરનાર પ્રમાતા જુદો જુદો મનાય છે. તો એક જ પ્રમાતાથી તે બેના અનુભવ વિના તે બેનું એકીકરણ શી રીતે થાય ? કારણ કે પ્રમાતા ક્ષણિક છે અને નિર્વિકલ્પ-વિકલ્પ ભિન્નક્ષણીય છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः દેશ્ય સાથે જ એકીકરણ કરે, બીજા દૃશ્ય સાથે નહીં - એમાં નિયામક કોણ ? વિવેચન : તે પ્રમાતા, જે વખતે દૃશ્ય-વિકલ્પ્સનું એકીકરણ કરે, તે વખતે તે બેનું જુદા જુદારૂપે ગ્રહણ (૧) થાય છે, કે (૨) નહીં? (૧) જો દશ્ય-વિકલ્પ્ય બંનેનું જુદા જુદારૂપે ગ્રહણ થાય છે, તો તે બેનો અસંકીર્ણ (જુદા જુદા રૂપે) જ બોધ માનવો પડે (તો જ તે ‘બે’નું દર્શન કહેવાય) અને જો એ રીતે જુદા જુદા રૂપે ગ્રહણ થાય, તો તે પ્રમાતા, તેઓનું એકીકરણ શા માટે કરે ? १३७ આશય એ કે એકીકરણ કરવાનું હવે કોઈ પ્રયોજન ન રહ્યું. કારણ કે માત્ર વિકલ્પ્સનું ગ્રહણ થતું હોય ને દશ્યનું ન થતું હોય, તો, દશ્યમાં પ્રવૃત્તિની ઉપપત્તિ માટે દૃશ્યની પ્રતિપત્તિ અને તેના માટે વિકલ્પ્સની સાથે એકીકરણ માનવું પડે...જો બંનેનું ગ્રહણ થઈ જ જતું હોય, તો તેનાથી જ પ્રવૃત્તિની ઉપપત્તિ થઈ જશે, એકીકરણની જરૂર જ નથી. એટલે પહેલો વિકલ્પ તો યોગ્ય નથી. (૨) જો દશ્ય-વિકલ્પ્ય બંનેનું ગ્રહણ ન થાય એવું માનો, તો તે બેનું એકીકરણ જ યુક્ત નથી; કેમ કે અતિપ્રસંગ આવે છે, જુઓ જો બેનું ગ્રહણ નથી થતું, તો તે બેનું એકીકરણ પણ ન થાય, કારણ કે ગ્રહણ વિના પ્રતિનિયત દૃશ્યની સાથે એકીકરણ સંભવે નહીં. આશય એ કે, અગ્રહણ તો ઘણા બધા દશ્યનું (=સ્વલક્ષણનું) છે, તો બીજા બધા દશ્યને છોડીને માત્ર વિવક્ષિત દૃશ્યની સાથે જ એકીકરણ કરવાનું કેમ કહો છો ? અગ્રહણ તો બીજા અનેક દૃશ્યોનું હોવાથી, તેઓની સાથે પણ એકીકરણ કરવાનો પ્રસંગ આવે. એટલે આમ એકે વિકલ્પો પ્રમાણે એકીકરણ જ સંભવતું નથી, તો તેના આધારે વસ્તુ વિશે પ્રવૃત્તિ પણ શી રીતે સંભવે ? * * स्यादेतद्, असौ तत्समानजातीयदृश्यसंवेदनाहितवासनाप्रकोपप्रबोधितस्वबीजजन्मा विकल्पः, इति; अतो 'न दृश्यान्तरेण' इत्येतदप्यसङ्गतम्, दृश्यसंवेदनाहितवासनाप्रकोपस्य तत्प्रबोधाक्षमत्वाद्, इति । एतदावेदितं प्राग्, अतो नेह प्रयत्नः, इति; अलं विस्तरेण ।। • પ્રવેશરશ્મિ --- ભાવાર્થ : પૂર્વપક્ષ • દૃશ્યના સમાનજાતીય એવા દૃશ્યના સંવેદનથી થયેલા સંસ્કારના પ્રકોપથી ઉદ્બોધિત થયું છે બીજ જેનું એવો વિકલ્પ થાય છે એટલે દૃશ્યાંતરની સાથે એકીકરણ નહીં થાય. For Personal & Private Use Only ઉત્તરપક્ષ : આ પણ અસંગત છે, કારણ કે દશ્યસંવેદનથી આહિત સંસ્કારનો પ્રકોપ વિકલ્પબોધને ઉત્પન્ન કરવા સમર્થ નથી આ અમે પૂર્વે જ બતાવી દીધું. એટલે અહીં પ્રયત્ન કરતા નથી. હવે વિસ્તારથી સર્યું. Page #169 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -or> વિવેચનઃ પૂર્વપક્ષ ઃ ઘટવિકલ્પ, ઘટસ્વલક્ષણ અને સામાન્યનું એકીકરણ કરે છે, પટસ્વલક્ષણ અને સામાન્યનું નહીં; એવું પ્રસ્તુતમાં સિદ્ધ કરવું છે. તેની સિદ્ધિ કઈ રીતે થાય ? તે વિચારીએ – ‘અયં (ઘટ:) ઘટપવવાવ્યઃ' એવો સંકેત જ્યારે કરાય ત્યારે ઘટરૂપ સ્વલક્ષણનું સંવેદન (=દશ્યસંવેદન) થાય છે. હવે આ ઘટ, વર્તમાનકાળમાં જે ઘટસ્વલક્ષણ વિશે પ્રવૃત્તિ થઈ રહી છે. તેના સમાનજાતીય છે. એટલે અર્થ થયો - સંકેત વખતે, વર્તમાનકાલીન પ્રવૃત્તિનો વિષય જે ઘટ; તેની સમાનજાતીય ઘટનું સંવેદન થાય છે. १३८ હવે આ ઘટસંવેદન પોતાની જ્ઞાનપરંપરામાં સંસ્કારોનું આધાન કરે છે અને એ સંસ્કારોનો પ્રકોપ; વિકલ્પના બીજને જાગૃત કરે છે... અર્થાત્ એ સંસ્કારોથી બીજ જાગ્રત થાય અને એ બીજથી ઘટવિકલ્પ ઉત્પન્ન થાય. આમ ઘટવિકલ્પનું બીજ; ઘટસ્વલક્ષણના સંવેદનથી જન્ય સંસ્કારના પ્રકોપથી જ જાગૃત થાય છે. એટલે એ વિકલ્પ, ઘટસ્વલક્ષણ અને સામાન્યનું જ એકીકરણ કરશે, પટસ્વલક્ષણ અને સામાન્યનું નહીં. ઉત્તરપક્ષ ઃ આ વાત પણ અસંગત છે, કારણ કે દશ્યસંવેદનથી ઉત્પન્ન થયેલા સંસ્કારનો પ્રકોપ; વિકલ્પને ઉત્પન્ન કરવા સમર્થ નથી. કેમ સમર્થ નથી ? એ વાત અમે પ્રથમ અધિકારમાં વિસ્તારથી કહી હતી. [આ વાતને આપણે સ્પષ્ટતાથી સમજીએ – પૂર્વપક્ષ : સંકેતકાળે (અયં પટ:) નિર્વિકલ્પ/વિકલ્પ થાય છે. હવે સજાતીય ઘટનું દર્શન (નિર્વિકલ્પ) થાય ત્યારે તે સંસ્કાર જાગ્રત થાય છે, જે વિકલ્પને જન્મ આપે છે અને તે વિકલ્પમાં ઘટનું જ એકીકરણ થાય છે, કારણ કે સંસ્કાર ઘટદર્શનથી થયેલ છે, પટદર્શનથી નહીં. અથવા પછી પટનું દર્શન થાય ત્યારે તે સંસ્કાર જાગ્રત જ ન થતો હોવાથી પટદર્શનથી ‘ઘટોડયમ્’ એવો વિકલ્પ થવાની સંભાવના જ નથી. ઉત્તરપક્ષ : તમારી વાત યોગ્ય નથી કારણ કે પૂર્વે થયેલો અનુભવજન્ય સંસ્કાર, વર્તમાનના અનુભવથી ત્યારે વિકલ્પ ઉત્પન્ન કરી શકે કે વર્તમાન અનુભવમાં તે કંઈ વિશેષનું આધાન કરે. (નહીં તો પૂર્વે જે વ્યક્તિને અનુભવ (સંકેત) થયો નથી તેવી વ્યક્તિને પણ વર્તમાન અનુભવથી વિકલ્પ થવો જોઈએ. જે થતો નથી ) પણ તેવા વિશેષનું આધાન શક્ય નથી. તે પહેલા અધિકારમાં બતાવ્યું છે, તેથી ફરી બતાવતા નથી.] * यच्चोक्तम्-‘सङ्केतवशाच्च शब्दात्प्रवृत्तिः, तस्य च विकल्पमन्तरेणान्यत्र कर्त्तुमशक्यत्वात्' इति; एतदघटमानकम्, विकल्पेऽपि सङ्केतस्य कर्त्तुमशक्यत्वात्, तस्याप्युत्पत्त्यनन्तरापवर्गित्वात्; तथाहि तस्मिन्नपि सङ्केतविधिरनुत्पन्ने वा क्रियते ? For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १३९ उत्पन्ने वा ? विनष्टे वा ? इति विकल्पाः । न तावदनुत्पन्ने, असत्त्वात् । नाप्युत्पन्ने, तस्योत्पादसमनन्तरमेव विगमात्ः क्षणस्थितिधर्मणि च सङ्केतस्य कर्तुमशक्यत्वात् । नापि विनष्टे, विनष्टस्यासत्त्वात् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને જે કહ્યું હતું કે – “સંકેતવશે શબ્દથી પ્રવૃત્તિ થાય અને સંકેત વિકલ્પ સિવાય અન્યત્ર કરવો શક્ય નથી.” એ પણ અણઘટતું છે, કેમ કે વિકલ્પમાં પણ સંકેત કરવો શક્ય નથી, કેમ કે તે પણ ઉત્પત્તિ પછી નાશ પામે છે. તે આમ - તેમાં પણ સંકેતવિધિ અનુત્પનમાં કરાય? ઉત્પનમાં? કે વિનષ્ટમાં? એ વિકલ્પો છે. અનુત્યન તો અસતું હોવાથી તેમાં ન કરાય, ઉત્પન્ન પણ ન કરાય; કેમ કે તે તો ઉત્પન્ન થયા પછી તરત નાશ પામે છે અને ક્ષણસ્થિતિકમાં સંકેત કરવો શક્ય નથી અને વિનષ્ટમાં પણ ન કરાય, કારણ કે વિનષ્ટ વસ્તુ તો અસત્ છે. ૦ વિકલ્પમાં પણ સંકેતની અશક્યતા છે. વિવેચનઃ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “ઘટ વગેરે શબ્દોનો સંકેત વસ્તુમાં કરવો તો શક્ય નથી, કારણ કે સ્વલક્ષણરૂપ વસ્તુ તો અનંત હોવાથી તેમાં સંકેત સંભવિત જ નથી. એટલે વિકલ્પમાં જ સંકેત માનવો રહ્યો” - તે બધું કથન પણ ઘટતું નથી, કારણ કે સંકેત તો વિકલ્પમાં પણ કરવો શક્ય નથી. તેનું કારણ એ કે, વિકલ્પ પણ સ્વલક્ષણરૂપ – ક્ષણિક હોઈ તે પણ ઉત્પત્તિ પછી વિનાશ પામે છે. હવે વિકલ્પમાં સંકેત કેમ ન થાય ? તે વિકલ્પોથી વિચારીએ – તમે કેવા સ્વલક્ષણરૂપ વિકલ્પમાં સંકેત કરો છો ? (૧) અનુત્પન્ન, (૨) ઉત્પન્ન, કે (૩) વિનષ્ટ ? (૧) અનુત્પન્ન વિકલ્પમાં તો સંકેત થઈ જ ન શકે, કારણ કે તે તો અનુત્પન્ન હોવાથી ખપુષ્પની જેમ અસત્ છે (અને અસમાં સંકેત ન થાય.) (૨) ઉત્પન્ન વિકલ્પમાં પણ સંકેત ન થાય, કારણ કે તેનો તો ઉત્પાદ પછી તરત જ નાશ થાય છે (અર્થાત્ તેનું માત્ર ક્ષણ પૂરતું અસ્તિત્વ છે) અને ક્ષણસ્થિતિધર્મવાળી વસ્તુમાં તો સંકેત કરવો શક્ય નથી. (તેનું કારણ એ કે, સંકેતકાળ જ અનેક સમયનો છે, તે માટે વસ્તુને પણ અનેક ક્ષણસ્થાયી માનવી પડે. આશયઃ “યં પટપદ્રવીષ્ય:' એવું બોલવામાં પણ અસંખ્ય સમય વીતી જાય છે. એટલે ક્ષણસ્થિતિક વસ્તુમાં સંકેત થાય નહીં.) (૩) નષ્ટ વિકલ્પમાં પણ સંકેત ન મનાય, કારણ કે તે પણ વિનષ્ટ હોવાથી ખપુષ્પની જેમ અસત્ છે (અને અસતમાં સંકેત ન થાય.) - આમ ત્રણે વિકલ્પોથી, વિકલ્પમાં પણ સંકેત નથી જ થતો, એવું સ્પષ્ટ જણાઈ આવે છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ १४० अनेकान्तवादप्रवेशः -> स्यादेतद्, यदविकल्पव्यावृत्तं विकल्परूपं सकलविकल्पसाधारणम्, तत्र सङ्केतः, કૃતિ । एतदपि असमीक्षिताभिधानम्, सकलविकल्पसाधारणस्यासत्त्वाद् अविकल्पेभ्य इव सर्वथा सर्वविकल्पानामेव मिथोऽपि व्यावृत्तेः । न च 'अन्येन स्वभावेन विजातीयेभ्यो व्यावृत्तः, अन्येन च सजातीयेभ्य' इति वक्तुं युज्यते, अनेकधर्मात्मकवस्तुप्रसङ्गाद् કૃતિ । -t• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : પૂર્વપક્ષ : અવિકલ્પથી વ્યાવૃત્ત અને સકલ વિકલ્પોમાં સાધારણ એવું જે વિકલ્પરૂપ છે, તેમાં સંકેત કરાય. ઉત્તરપક્ષ : આ પણ અસમીક્ષિત કથન છે, કારણ કે સકળ વિકલ્પોમાં સાધારણ કોઈ છે જ નહીં અને તેનું કારણ એ કે તેઓ જેમ અવિકલ્પોથી વ્યાવૃત્ત છે, તેમ સર્વ વિકલ્પો પરસ્પર એકબીજાથી પણ વ્યાવૃત્ત છે, અને ‘તે જુદા સ્વભાવે વિજાતીયોથી વ્યાવૃત્ત છે અને જુદા સ્વભાવે સજાતીયથી વ્યાવૃત્ત છે' એવું કહેવું પણ યોગ્ય નથી, કારણ કે અનેકધર્મક વસ્તુ માનવાનો પ્રસંગ આવે. @ વિકલ્પમાં સંકેતસાધક બૌદ્ધવક્તવ્યનો નિરાસ છે વિવેચન : બૌદ્ધ : જે નિર્વિકલ્પ જ્ઞાનથી જુદો છે અને સકળ વિકલ્પોમાં સાધારણ-સમાનઅનુગત છે, તેવા ‘અયં અષટો નાસ્તિ’ રૂપ વિકલ્પમાં, ઘટશબ્દનો સંકેત કરાય છે. (એટલે ઘટશબ્દથી વિકલ્પ વાચ્ય બને અને તે વિકલ્પ દ્વારા સામાન્ય - સ્વલક્ષણનું એકીકરણ થઈને ઘટ વિશે નિબંધ પ્રવૃત્તિ થાય છે.*) સ્યાદ્વાદી ઃ તમારું આ કથન પણ વિચાર્યા વિનાનું જણાઈ આવે છે, કારણ કે તમામ વિકલ્પોમાં સાધારણ એવું કોઈ એક વિકલ્પરૂપ છે જ નહીં. તમારા વિદ્વાન ધર્મકીર્તિએ જ કહ્યું છે કે – “ઘટાદિ પદાર્થોનું અન્યવ્યાવૃત્તિરૂપ (પટાદિથી વ્યાવૃત્તિરૂપ) જે સામાન્ય છે કે જેના વિશે શબ્દો પ્રયોજાય છે, તે સામાન્યનું કોઈ રૂપ નથી, અર્થાત્ અન્યવ્યાવૃત્તિરૂપ તેવો સામાન્યવિકલ્પ અસત્ છે...' હવે આપણે, તેવો સાધારણવિકલ્પ અસત્ કેમ મનાય છે, તેનો પરમાર્થ વિચારીએ – બૌદ્ધમતે દરેક સ્વલક્ષણો (=પદાર્થો) સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત મનાય છે. હવે વિકલ્પ પણ સ્વસંવેદન-અંશમાં વાસ્તવિક હોઈ તે પણ એક પ્રકારનો સ્વલક્ષણ છે, એટલે તે પણ સજાતીયવિજાતીયથી વ્યાવૃત્ત બનશે, આમ બધા વિકલ્પો સમજવા. * જેમ બધા ઘટ-અઘટાપોહરૂપ છે; તેમ બધા વિકલ્પ (યં ઘટ: એવા વિકલ્પ) અવિકલ્પથી વ્યાવૃત્ત છે. એટલે તે અવિકલ્પવ્યાવૃત્ત એવા બધા(=5 ઘટ: એવા બધા) વિકલ્પોમાં રહેલું જે સાધારણરૂપ (અયં ઘટ:) તેમાં સંકેત કરાય છે, એટલે હવે, વિકલ્પ ક્ષણિક હોવાથી સંકેત ન થઈ શકવાની આપત્તિ નહીં રહે, એ ભાવ છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १४१ ફલતઃ વિકલ્પો, જેમ વિજાતીય એવા નિર્વિકલ્પોથી વ્યાવૃત્ત છે, તેમ સજાતીય એવા વિકલ્પોથી પણ વ્યાવૃત્ત થશે ! એટલે બધા વિકલ્પો પરસ્પર એકબીજાથી જુદા જુદા થાય અને તો તે બધામાં સાધારણ કોઈ એક વિકલ્પ રહે જ નહીં કે જેમાં સંકેત થઈ શકે. બૌદ્ધ વિકલ્પ જે પ્રમાણે નિર્વિકલ્પથી વ્યાવૃત્ત છે, તે પ્રમાણે જ સજાતીય વિકલ્પોથી વ્યાવૃત્ત નથી, પણ તેનાથી જુદારૂપે વ્યાવૃત્ત છે, (ભાવ એ કે, વિકલ્પ, જેમ નિર્વિકલ્પથી અત્યંત ભિન્ન છે, તેમ સજાતીય સવિકલ્પથી પણ અત્યંત ભિન્ન નથી કે જેથી તેઓમાં અનુગત કોઈ સાધારણાકાર પણ ન રહે... પણ એ રીતે ભિન્ન છે કે, પરસ્પર ભિન્ન હોવા છતાં તેઓમાં સાધારણાકાર રહ્યો छ - म घ2-४ालम भृत्व...) સ્યાદ્વાદીઃ અરે ! આવું કહેવામાં તો, અનેકાંતવાદ આવી જાય છે, કારણ કે ઉપરોક્ત કથનનો ફલિતાર્થ એ થાય છે કે, વિકલ્પ જે સ્વભાવે નિર્વિકલ્પથી વ્યાવૃત્ત છે, તેનાથી જુદા સ્વભાવે સવિકલ્પથી વ્યાવૃત્ત છે... અને એટલે તો વિકલ્પના જુદા જુદા ધર્મ-સ્વભાવો ફલિત થાય અને તો वस्तुने भने धर्म मानवानो प्रसंग सावे... એટલે નિર્વિકલ્પથી વ્યાવૃત્ત સાધારણવિકલ્પમાં પણ સંકેત થઈ શકે નહીં. स्यादेवम् शब्दो हि विकल्पजन्मा विकल्पहेतुश्च वर्त्तते, उक्तं च - 'विकल्पयोनयः शब्दाः, विकल्पाः शब्दयोनयः' इति । ततश्चासौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पादुत्पद्यते तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः, इति, एतावतांशेन तत्र सङ्केत इति प्रतिपाद्यते, न पुनः शृङ्गग्राहिकया क्रियते । तथा च-तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादनन्याय एवावितथशब्दार्थव्यवहारज्ञैरनल्पधीधनैः प्रतिपादितः । उक्तं च - रूपान्तरं विकल्पे यदुभयोः प्रतिभासते । सत्यर्थे तत्र सङ्केतः एकत्वाध्यवसायतः ।।१।। यादृशाद्यः समुत्पन्नः स भवत्येव कारणं । तादृग्विधविकल्पस्य ध्वनिः सङ्केतसंस्थितिः ।।२।। किमेतदिति सङ्केत्य इतरोप्येवमित्यदः । न कल्पयति यावद्धीस्तावन्न समयोद्भवः ।।३।। वक्तुः श्रोतुश्च तुल्याभे बुद्धी तेनैकगोचरे । तत्त्वेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ।।४।। For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ १४२ अनेकान्तवादप्रवेशः स्वबुद्धिप्रतिभासस्य संवित्तावपि जायते । बहिरर्थग्रहे मानस्तुल्यतैमिरबुद्धिवत् ।।५।। एतदप्ययुक्तम्, क्वचिद् वक्तृविकल्पसदृशश्रोतृविकल्पासम्भवाद्, एकान्तक्षणिकवादिनो जन्यजनकभावानुपपत्तेश्च; इति वक्ष्यामः । - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : પૂર્વપક્ષ : શબ્દ તે વિકલ્પથી ઉત્પન્ન થાય છે અને વિકલ્પનું કારણ છે, કહ્યું છે કે – શબ્દો વિકલ્પથી થાય અને વિકલ્પો શબ્દથી થાય’ તેથી આ શબ્દ, જેવા વતૃવિકલ્પથી ઉત્પન્ન થાય, તેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે છે, આટલાં અંશે જ સંકેત કહેવાય છે બાકી શૃંગગ્રાહિકાથી આંગળી ચીંધીને સંકેત નથી કરાતો. આ વિશે શબ્દાર્થના વ્યવહારનું યથાર્થ જ્ઞાન ધરાવનાર અનલ્પ બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનોએ ‘બે તૈમિરિકનું દ્વિચન્દ્રનું પ્રતિપાદન કરવારૂપ' ન્યાય કહ્યો છે. કહ્યું છે કે રૂપાન્તર... (આ પાંચ શ્લોકનો ભાવાર્થ, વિવેચન મુજબ સમજવો.) ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે, કારણ કે ક્યાંક વક્ત્રવિકલ્પને સદેશ શ્રોતૃવિકલ્પનો સંભવ નથી. અને એકાંત ક્ષણિકવાદિમતે જન્ય-જનકભાવ પણ ઉપપન્ન નથી, એ અમે આગળ કહીશું. * સંકેતસમર્થક બૌદ્ધપૂર્વપક્ષ છે વિવેચન બૌદ્ધ : શબ્દ તે (૧)વિકલ્પથી જન્ય છે, અને (૨) વિકલ્પનું કારણ છે. આવું જ ભદત્તદિને કહ્યું છે : “વિકલ્પયોનિવાળા (=વિકલ્પથી ઉત્પન્ન થનારા) શબ્દો છે અને શબ્દયોનિવાળા (=શબ્દથી ઉત્પન્ન થનારા) વિકલ્પો છે.” આ વાતને લઈને પ્રસ્તુતમાં અમારે એ કહેવું છે કે, ઘટશબ્દ તે જેવા વતૃવિકલ્પથી ઉત્પન્ન થાય, તેવા જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે છે. તાત્પર્ય એ કે, ‘આ અઘટ નથી - આ અઘટ નથી' - એમ વક્તાને જો અઘટના અપોહનો (=વ્યવચ્છેદનો) વિકલ્પ હોય, તો તે વિકલ્પને કારણે વક્તા ‘ઘટ' શબ્દનો જ ઉચ્ચાર કરે અને એ ઘટશબ્દ પણ પોતાના કારણ જેવા જ કાર્યરૂપ વિકલ્પને ઉત્પન્ન કરે, અર્થાત્ આ શબ્દ શ્રોતામાં પણ એવો જ વિકલ્પ ઉત્પન્ન કરે કે જેથી શ્રોતાને પણ ‘આ અઘટ નથી—આ અઘટ નથી' એમ અઘટના અપોહનો જ પ્રતિભાસ થાય. જેમ બીજની સમાન જ અંકુરો ઉત્પન્ન થાય. તેમ શબ્દથી વક્તૃવિકલ્પની સમાન જ શ્રોતૃવિકલ્પ ઉત્પન્ન થાય. આમ શ્રોતાને શબ્દથી વક્તા જેવો જ વિકલ્પ થવો એટલા અંશમાં જ શબ્દમાં સંકેત છે, એમ કહેવાય છે, બાકી કંઈ ‘આ વિકલ્પને ઘટ કહેવાય' એમ એકેક વિકલ્પમાં સંકેત કરાતો નથી (કે જેથી તમે કહેલી આપત્તિઓ ‘સંકેત ન કરી શકાય...' વગેરે આવી શકે... અહીં શૃંગગ્રાહિકાનો અર્થ છે - આંગળી ચીંધીને એકેક વિકલ્પને બતાવવું.) For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः આવા વક્તા-શ્રોતાની પ્રક્રિયા વિશે, અવિતથ શબ્દાર્થના વ્યવહારને જાણનારા, અનલ્પ (=વિપુલ) બુદ્ધિરૂપી ધનવાળા પૂર્વાચાર્યોએ ‘તૈમિરિકદ્રયના દ્વિચન્દ્રપ્રતિપાદનનો ન્યાય’ બતાવેલ છે. તિમિરોગવાળા બે વ્યક્તિ ભેગા થયા... એક કહે કે - ‘જુઓ-જુઓ; આકાશમાં બે ચન્દ્ર દેખાય છે !' તો બીજો પણ કહે કે હા ! ખરેખર બે ચન્દ્ર દેખાય છે' પણ વાસ્તવમાં બે ચન્દ્ર હોતા જ નથી. માત્ર બુદ્ધિમાં તેવો પ્રતિભાસ થાય છે. - १४३ તેમ વક્તા-શ્રોતા પણ ખરેખર તો પોતાના અવભાસને જ કહે છે, પણ તિમિર રોગરૂપ ભ્રાન્તિબીજની જેમ અનાદિવાસનાપ્રબોધરૂપ ભ્રાન્તિબીજ બંનેમાં તુલ્ય હોવાથી તેઓને બાહ્યાર્થ કહ્યાનું અભિમાન થાય છે. - આ જ વાત, પ્રમાણવાર્તિકને અનુસરી શુભગુપ્તે કહી છે “(૧) શ્રોતા-વક્તા બંનેને, વિકલ્પજ્ઞાનમાં સ્વલક્ષણથી ભિન્ન સામાન્યાકાર ભાસે છે. હવે જો તે ઘટાદિ સ્વલક્ષણો વિદ્યમાન હોય, તો - વાસનાને કારણે - સ્વલક્ષણની સાથે સામાન્યાકારના એકત્વનો અધ્યવસાય થવાથી, સ્વલક્ષણને બદલે સામાન્યાકારમાં સંકેત થાય છે. (૨) તે ધ્વનિ (શબ્દ) જેવા વતૃવિકલ્પથી ઉત્પન્ન થયો હોય, તેવા જ શ્રોતૃવિકલ્પનું કારણ બને છે, અને એટલા અંશે જ તેઓની સંકેતની વ્યવસ્થા મનાય છે. (૩) સંકેત્ય (જેને સંકેત કરવાનો છે તે) પુરુષ ‘આ શું છે ? (આ પદાર્થ શું કહેવાય)' એવો વિકલ્પ અને સંકેતક (સંકેત કરનાર) પુરુષ ‘આ આ પ્રમાણે છે (આ પદાર્થ આ નામથી કહેવાય)' એવો વિકલ્પ જ્યાં સુધી ન કરે, ત્યાં સુધી સંકેતનો જન્મ થવો, અર્થાત્ સંકેત થવો અશક્ય છે.* આનો પરમાર્થ એ જણાય છે કે, શબ્દથી વક્તા-શ્રોતાને સમાનવિકલ્પોત્પત્તિ તે સંકેત છે. હવે નાળિયેરદ્વીપવાસીને પનસાદિ શબ્દથી સમાનવિકલ્પોત્પિત્તિ નથી થતી; તેથી કહે છે કે એ સંકેત ક્યારે ઉત્પન્ન થાય ? કે જ્યારે (૧) સંકેત્યને પ્રશ્ન થાય કે ‘આ શું છે ?’ અને (૨) સંકેતક જવાબ આપે કે ‘આ પનસ છે'... પછી જ સંકેતનો જન્મ થાય (સમાનવિકલ્પોત્પત્તિ થાય.) એ જ વાત આગળના શ્લોકમાં કહે છે (૪) તેન=સંકેતથી, વક્ત-શ્રોતૃ બંનેને અપોહ્ય અર્થની અપેક્ષાએ એકવિષયક - સમાનાકાર બુદ્ધિ થાય છે. (અર્થાત્ અઘટ વ્યાવૃત્તિરૂપે સમાનાકાર બુદ્ધિ અને અધટાપોહ તેનો વિષય...) બાકી શબ્દનો વિષય બાહ્ય-અર્થ નથી. આશય એ કે, સમાનવિકલ્પજનકત્વશક્તિરૂપ સંકેતથી, શબ્દ દ્વારા સમાન વિકલ્પ ઉત્પન્ન થાય છે, હવે તે ભલે એકવિષયક છે, પણ વાસ્તવમાં શબ્દથી વાચ્ય વસ્તુ નથી, પણ વિકલ્પ જ છે. * સંકેત વિકલ્પમાં થાય, અર્થમાં નહીં એ સિદ્ધ કરી રહ્યા છે. જ્યાં સુધી વિકલ્પ નથી, ત્યાં સુધી સંકેત નથી (અર્થ તો હતો જ) તે બતાવે છે કે સંકેત વિકલ્પમાં જ થાય છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ १४४ अनेकान्तवादप्रवेशः (૫) પ્રશ્નઃ જો શબ્દનો વિષય બાહ્ય-અર્થ ન હોય, તો બંને બુદ્ધિમાં બાઘાર્થનું અભિમાન કેમ થાય છે? ઉત્તરઃ જો કે તે વખતે પોતાના બુદ્ધિઆકારનો જ પ્રતિભાસ થાય છે, પણ તે સંવેદનમાં થનારું બાહ્યાર્થગ્રહણ; તે તિમિરરોગવાળા બે સરખા વ્યક્તિને થનારી બુદ્ધિ જેવું છે. બાકી ઘટશબ્દથી વાચ્ય ખરેખર તેવો કોઈ બાહ્યર્થ હોતો જ નથી. ભાવ એ કે, જેમ એક સૈમિરિક બીજા નૈમિરિકને બે ચન્દ્ર કહે છે, તે વખતે, ખરેખર તો તેઓ પોતાના બુદ્ધિપ્રતિભાસને જ કહે છે...તેમ વક્તા શ્રોતા પણ પોતાના માત્ર બુદ્ધિપ્રતિભાસને જ કહે છે કે – “આને (=બુદ્ધિમાં ભાસતા ઘડાને) ઘટ કહેવાય’ બાકી ઘટશબ્દથી વાચ્ય બાહ્યાર્થ નથી. (હવે બૌદ્ધમંતવ્યનું નિરાકરણ કરાય છે –) જે બૌદ્ધમંતવ્યનું ઉન્મેલન - ઉત્તરપક્ષ છે સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અસાર છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે. જુઓ; માત્ર વિકલ્પ થવાથી શબ્દની ઉત્પત્તિ થઈ જાય એવું સિદ્ધ નથી, કારણ કે (૧) મૂંગો વક્તા (બોલવાની ઇચ્છાવાળો મૂંગો), (૨) ન બોલનાર વ્યક્તિ... વગેરે ઘણા વ્યક્તિઓમાં વિકલ્પ હોવા છતાં પણ, શબ્દરૂપ કાર્ય સંભળાતું નથી, હવે જો વિકલ્પથી જ શબ્દની ઉત્પત્તિ થાય, તો મૂકાદિ દ્વારા પણ શબ્દપ્રયોગ થવો *જોઈએ ને? વળી એકાંતે શબ્દથી શ્રોતૃવિકલ્પનો અસંભવ આ રીતે વિચારવો – વક્તા બોલે ઘટ, પણ સંભળાય પટ એવું બને, ત્યારે વ્યભિચાર આવે. ક્ષણિકવાદી બોદ્ધમતે તો જન્ય-જનકભાવ (કાર્યકારણભાવ) પણ સંગત થતો નથી, એ વાત અમે આગળ બતાવીશું. એટલે શબ્દ-વિકલ્પનો જન્ય-જનકભાવ ઘટાવી સંકેતની સમર્થના થઈ શકે નહીં એવું સિદ્ધ થયું. નિષ્કર્ષ : આમ વસ્તુ વિશે જ સંકેતાદિ સંગત થાય છે અને તો વસ્તુને શબ્દવાચ્ય માનવી જ રહી એટલે તો તેની અભિલાપ્યત્વરૂપતા જ સિદ્ધ થશે. (આ પ્રમાણે એકાંતઅનભિલાપ્યતાનું નિરાકરણ કરીને, હવે એકાંત અભિલાપ્યતાનું નિરાકરણ કરવા આગળનો ગ્રંથ કહે છે –) ___एवमेकान्ताभिलाप्यत्वमप्यनलाचलादिशब्दोच्चारणे वदनदाहपूरणादिप्रसङ्गानाङ्गीकर्त्तव्यम् । न चैवंवादिनः क्वचिदप्युपलभ्यन्ते, इति अतो नेह यत्न इति । * અહીં ‘ારણસર્વેડપિ મર્યાડસર્વમ્' એવો વ્યતિરેક વ્યભિચાર છે. એટલે વિકલ્પની કારણતા વ્યભિચરિત છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : આ પ્રમાણે એકાંત-અભિલાપ્યપણું પણ; અનલ-અચલાદિ શબ્દના ઉચ્ચારણમાં મોઢાનો દાહ-પૂરણ આદિ થવાનો પ્રસંગ આવવાથી, અંગીકાર કરવા યોગ્ય નથી અને આવું બોલનારા વાદીઓ ક્યાંય મળતાં નથી, એટલે અહીં યત્ન કરતા નથી. છ એકાંતે અભિલાષ્યરૂપ માનવામાં દોષ છે, વિવેચનઃ જેમ એકાંતે અનભિલાષ્યરૂપ વસ્તુ અસંગત છે, તેમ એકાંતે અભિલાષ્યરૂપ વસ્તુ પણ અસંગત છે, કારણ કે વસ્તુને એકાંતે અભિલાપ્ય માનવામાં, શબ્દ-અર્થના તાદાભ્યની આપત્તિ આવે ! (કેમ કે વસ્તુ સર્વીશે શબ્દવા ત્યારે જ બને કે જયારે શબ્દ-અર્થનું તાદાભ્ય હોય.) પણ શબ્દ-અર્થનું તાદાભ્ય માનવામાં તો.. અગ્નિશબ્દ અને અગ્નિ એક જ થઈ જતાં અગ્નિશબ્દ પણ અગ્નિનું કાર્ય કરે અને તો “અગ્નિ' બોલવાથી જ મોટું સળગી જવાનો પ્રસંગ આવે ! તે જ રીતે પર્વતશબ્દ અને પર્વત એક થઈ જતાં, “પર્વત’ બોલવાથી મોઢામાં પર્વત ઘુસી જવાનો પ્રસંગ આવે ! એટલે શબ્દ-અર્થનું તાદાત્મ ન મનાય, અર્થાત્ વસ્તુને એકાંતે શબ્દમય ન મનાય અને તો તેની એકાંતે અભિલાપ્યતા પણ ન રહે. આવા એકાંત-અભિલાપ્યતાવાદીઓ પ્રાયઃ ક્યાંય મળતા નથી, એટલે આ વિશે અમે વધુ ચર્ચા કરવાનો પ્રયત્ન નથી કરતા. સાર: તેથી વસ્તુને એકાંતે અભિલાપ્ય પણ માનવી યોગ્ય નથી. ___तस्माद् व्यवहारान्यथाऽनुपपत्तेरभिलाप्यानभिलाप्यमिति स्थितम् । न चात्र विरोधबाधा, भिन्ननिमित्तत्वात्; तथाहि-अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया तदभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षया चानभिलाप्यम्, इति धर्मधर्मिणोश्च कथञ्चिभेदः, इति प्रतिपादितम् । ततश्च-तद्यत एवाभिलाप्यम्, अत एवानभिलाप्यम् अभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयैव अभिलाप्यत्वात्, अभिलाप्यधर्माणां चानभिलाप्यधर्माविनाभूतत्वाद् यत एव चानभिलाप्यम्, अत एव चाभिलाप्यम्, अनभिलाप्यधर्मकलापनिमित्तापेक्षयैव अनभिलाप्यत्वात्, अनभिलाप्यधर्माणां चाभिलाप्यधर्माविनाभूतत्वात्, इति । - પ્રવેશરશ્મિ – ભાવાર્થ તેથી, વ્યવહાર અન્યથા ઉપપન ન થવાથી, વસ્તુ અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ સ્થિત થાય છે, અને અહીં વિરોધબાધા પણ નથી; કેમ કે બંનેનું નિમિત્ત ભિન્ન છે. જુઓ- અભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ તે અભિલાપ્ય છે અને અનભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ તે અનભિલાપ્ય છે. અને ધર્મ-ધર્મીનો કથંચિદ્ ભેદ છે, એ પૂર્વે કહી દીધું છે, તેથી તે, જેથી અભિલાપ્ય છે તેથી જ અનભિલાપ્ય For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ १४६ अनेकान्तवादप्रवेशः છે, કારણ કે અભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાપ્ય છે અને અભિલાપ્યધર્મો અનભિલાપ્યધર્મોને અવિનાભૂત છે... અને તેઓ જેથી અનભિલાપ્ય છે, એથી જ અભિલાપ્ય છે; કેમ કે અનભિલાપ્યધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ અનભિલાય છે અને અનભિલાપ્યધર્મો તો અભિલાપ્યધર્મને અવિનાભૂત છે... # વસ્તુની અભિલાણતા-અનભિલાપ્યતાસિદ્ધિ શાક વિવેચન : જો વસ્તુને અભિલાખ-અનભિલાષ્યરૂપ ન માનો, તો તે વસ્તુવિષયક વ્યવહાર જ સંગત ન થાય, તે કહી ગયા... એટલે વસ્તુને અભિલાપ્ય-અનભિલાપ્ય ઉભયરૂપ માનવી જ રહી, એવું નિબંધ સિદ્ધ થાય છે. પ્રશ્ન : પણ એક જ વસ્તુને અભિલાપ્ય-અનભિલાષ્યરૂપ માનવામાં વિરોધ ન આવે ? ઉત્તરઃ ના, કારણ કે જેમ ઉપરનો ગ્લાસ ખાલી હોય અને નીચેનો ગ્લાસ ભરેલો હોય તો ભરેલો અને ખાલી એ બે પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ એક ગ્લાસમાં રહી શકે છે - તેમાં કોઈ વિરોધ નથી, તેમ અભિલાપ્ય-અનભિલાષ્યરૂપતા પણ જુદા જુદા નિમિત્તે એક વસ્તુમાં હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન : એક વસ્તુમાં, જુદું જુદું નિમિત્ત શું? ઉત્તર : જુઓ, વસ્તુમાં નિમિત્તરૂપ બે ધર્મો રહ્યાં છે : (૧) અભિલાખધર્મ અને (૨) અનભિલાપ્યધર્મ... (૧) જે ધર્મોનું મુખ્યરૂપે કથન થાય અને જેઓ શબ્દથી વાચ્યરૂપે પરિણમનાર છે, તેઓ અભિલાપ્ય ધર્મ કહેવાય. જેમ કે ઘટમાં ઘટવાદિ... (તે ધર્મો પોત-પોતાના ઘટવાદિ શબ્દોથી મુખ્યરૂપે પ્રતિપાદિત થાય છે.) (૨) જે ધર્મોનું મુખ્યરૂપે કથન નથી થતું અને સ્વસંવેદિત હોવા છતાં પણ જેઓનું શબ્દથી વાચ્યરૂપે પરિણમન નથી થતું, તેઓ અનભિલાપ્યધર્મ કહેવાય. જેમકે ઘટમાં પટવ્યાવૃત્તિ આદિ. (‘ઘટત્વ' શબ્દ, મુખ્યરૂપે ઘટત્વધર્મને જ કહે છે, પણ ગૌણરૂપે ઘટમાં રહેલ પટવ્યાવૃત્તિ આદિ ધર્મો પણ કથિત થાય છે... એટલે પટવ્યાવૃત્તિ-આદિ ધર્મો, ગૌણરૂપે યદ્યપિ કથિત છે, પણ મુખ્યરૂપે તેઓ કથિત ન હોવાથી જ તેઓને અનભિલાખ કહેવાય છે.) આમ ધર્મરૂપ બે નિમિત્ત જુદા જુદા હોવાથી, એક જ વસ્તુમાં, અભિલાધર્મની અપેક્ષાએ અભિલાષ્યરૂપતા અને અનભિલાપ્યધર્મની અપેક્ષાએ અનભિલાષ્યરૂપતા – એમ ઉભયરૂપતા હોવામાં કોઈ વિરોધ નથી. પ્રશ્ન : પણ બે ધર્મવાળી વસ્તુ તો એક જ છે ને? તો તેમાં જુદા જુદા નિમિત્તો શી રીતે? ઉત્તર : જુઓ; ધર્મો એકાંતે ધર્મરૂપ જ નથી, પણ તેઓનો કથંચિત્ ભેદ પણ છે, એ વાત અમે પૂર્વે જ કહી ગયા છીએ. એટલે ધર્મી એક હોવા છતાં પણ, જુદા જુદા નિમિત્તોનું (ધર્મોનું) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १४७ અસ્તિત્વ હોવામાં કોઈ વિરોધ નથી. (અને તો તેને લઈને ઉભયરૂપતા હોવામાં પણ કોઈ વિરોધ નથી.) છે અભિલાણ - અનભિલાપ્યતાનો અવિનાભાવ છે. તેથી ઘટાદિ વસ્તુઓ, જે કારણથી અભિલાસ્વરૂપ છે, તે જ કારણથી અનભિલાસ્વરૂપ છે. તેનું કારણ એ કે, તેઓ, અભિલાખધર્મસમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાપ્ય છે અને અભિલાપ્યધર્મો તો અનભિલાપ્યધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે તે અભિલાપ્યધર્મરૂપ નિમિત્ત પણ કથંચિત્ અનભિલાપ્યધર્મરૂપ છે અને તો તેવા નિમિત્તને લઈને વસ્તુ અનભિલાષ્યરૂપ પણ બને જ. તે જ રીતે ઘટાદિ વસ્તુઓ, જે કારણથી અનભિલાખરૂપ છે, તે જ કારણથી અભિલાષ્યરૂપ છે, કારણ કે તેઓ અનભિલાખધર્મ સમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ અનભિલાય છે અને અનભિલાપ્યધર્મો તો અભિલાપ્યધર્મો સાથે કથંચિત્ અવિનાભૂત=સંબંધિત છે. એટલે તે અનભિલાપ્યધર્મરૂપ નિમિત્ત પણ કથંચિત્ અભિલાપ્યધર્મરૂપ છે અને તો તેવા નિમિત્તને લઈને વસ્તુ અભિલાષ્યરૂપ પણ બને જ. સાર: આમ દરેક વસ્તુઓ કથંચિત્ અભિલાખ-અનભિલાપ્ય હોઈ ઉભયરૂપ સિદ્ધ થાય છે. स्यादेतद्, यदि तदभिलाप्यानभिलाप्यधर्मकम्, एवं तर्हि अभिलाप्यानां शब्देनाभिधीयमानत्वात् किमित्यकृतसङ्केतस्य पुरोऽवस्थितेऽपि वाच्ये शब्दान संप्रत्ययप्रवृत्ती મવતઃ ? રૂતિ | – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ જો તે અભિલાપ્ય-અનભિલાપ્ય ધર્મવાળી હોય, તો અભિલાપ્યધર્મો શબ્દથી કથિત થવાથી, જેને સંકેત નથી કરાયો, તેવી વ્યક્તિને પણ, સામે રહેલી પણ વાચ્ય વસ્તુ વિશે, શબ્દથી પ્રત્યયપ્રવૃત્તિ કેમ થતા નથી? અભિલાપ્ય - અનભિલાણ અંગે આશંકા છે | વિવેચનઃ પૂર્વપક્ષઃ જો વસ્તુ અભિલાખ-અનભિલાપ્ય બંને પ્રકારના ધર્મવાળી હોય, તો શબ્દથી તેના અભિલાપ્ય ધર્મોનું કથન થતાં, જે વ્યક્તિને તેવો સંકેત કરાયો નથી, તે વ્યક્તિના પણ, પુરોવર્સી પદાર્થ વિશે શબ્દથી તેવા પ્રત્યય-પ્રવૃત્તિ થવા જોઈએ, તે કેમ થતા નથી ? આશય એ કે, વસ્તુના ધર્મો જો અભિલાપ્ય હોય તો, તે તે શબ્દોથી તે ધર્મોનો અભિલાપ થવાનો જ. હવે નાળિયેરદ્વીપવાસી વ્યક્તિ; કે જેને વસ્તુ વિશે શબ્દસંકેત કદી કરાયો નથી, તે વ્યક્તિ, (૧) વક્તા વડે કહેવાતા પનસ' શબ્દને સાંભળે છે. અને (૨) અભિલાષ્યરૂપ તે પનસ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ १४८ अनेकान्तवादप्रवेशः પદાર્થને દેખે પણ છે. તો તે વ્યક્તિને પણ; ઘટશબ્દથી ધટનો બોધ અને ઘટવિષયક પ્રવૃત્તિ થવી જોઈએ ને ? તે કેમ થતી નથી ? ___अत्रोच्यते, तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात्, तस्य च सङ्केताभिव्यङ्ग्यत्वात्; तथाहि-ज्ञस्वभावस्यात्मनो मिथ्यात्वादिजनितज्ञानावरणादिकर्ममलपटलाच्छादितस्वरूपस्य सङ्केततपश्चरणदानप्रतिपक्षभावनादिभिस्तदावरणकर्मक्षयोपशमक्षयावेवापाद्येते; ततो विवक्षितार्थाकारसंवेदनं प्रवर्त्तते, इति; अन्यथा तत्प्रवृत्त्यभावात् । तत्प्रथमतयैव सर्वत्रादृष्टसङ्केतानामर्भकाणां सङ्केतस्य कर्तुमशक्यत्वात्; तथाहि-न शब्दादप्यसङ्केतितात्तदर्थे प्रतिपत्तियुज्यते, तत्सङ्केतकरणे च तत्राप्ययमेव वृत्तान्तः, इति अनवस्थाप्रसङ्गः । क्वचिदवस्थाने चास्मन्मतानुवाद एव, नहि कथञ्चिद्वास्तवसम्बन्धाभावे સત્યવસ્થાનું પ્રયુક્ત, રૂતિ - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : ઉત્તરપક્ષ ઃ અહીં કહેવાય છે, તેને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નથી અને તે ક્ષયોપશમ સંકેતથી અભિવ્યંગ્ય છે. તે આ પ્રમાણે-મિથ્યાત્વાદિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણાદિ કર્મ રૂપી પડદાથી જેનું સ્વરૂપ આચ્છાદિત થયું છે તેવા જ્ઞસ્વભાવી આત્માના આવરણકર્મોનો સંકેત, તપ, ચરણ, દાન, પ્રતિપક્ષ ભાવનાદિ દ્વારા ક્ષય-ક્ષયોપશમ થાય છે અને તેનાથી વિવક્ષિત અર્થકારનું સંવેદન થાય છે. જો આવું ન માનો, તો તેની પ્રવૃત્તિનો અભાવ થાય. અને સર્વત્ર જેને સંકેત દેખ્યો નથી, તેવા બાળકોને પહેલેથી જ સંકેત કરવો શક્ય નથી. તે આમ - જો દરેક ઠેકાણે સંકેત કરવાનું માનો, તો અસંકેતિત એવા શબ્દથી પણ તેના અર્થની પ્રતિપત્તિ માની ન શકાય અને જો શબ્દોનો સંકેત કરો, તો તે સંકેતના શબ્દોમાં પણ ફરી આ જ વૃત્તાન્ત લાગે અને તો અનવસ્થા થાય! અને જો ક્યાંક અંત-અવસ્થાન માનો તો અમારા મતનો જ અનુવાદ થાય; કેમ કે કથંચિત્ વાસ્તવિક સંબંધ વિના અવસ્થાન પ્રયોજાય નહીં. | # બોદ્ધ-આશંકાનો નિરાસ છે વિવેચનઃ સ્યાદ્વાદી : જુઓ; નાળિયેર દીપવાસી જેવા વ્યક્તિને, જેમાં સંકેત કરાયો નથી તેવી પનસાદિ વાચ્ય વસ્તુવિષયક જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નથી, કારણ કે તે જ્ઞાનાવરણનો લયોપશમ સંકેતથી અભિવ્યક્ત થાય છે... અર્થાત્ તે વ્યક્તિને કહેવામાં આવે કે “આ પદાર્થને પનસશબ્દથી કહેવો? તો આવા સંકેતથી તે વ્યક્તિનો ક્ષયોપશમ પ્રગટ થાય અને ત્યારબાદ તે શબ્દોથી પનસવિષયક પ્રવૃત્તિ-પ્રત્યય થાય... આ જ રીતે ક્ષયોપશમના અભિવ્યંજક તરીકે તપાદિ કારણો પણ સમજવા. આ જ વાતને પ્રગટ કરવા ગ્રંથકારશ્રી વિસ્તારથી કહે છે – આત્મા તે જ્ઞાનસ્વભાવવાળો છે અને એ આત્મા પર મિથ્યાત્વાદિ હેતુઓથી જ્ઞાનાવરણાદિ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १४९ કર્મો બંધાયા છે. (અહીં મિથ્યાત્વાદિગત “આદિ શબ્દથી બંધના હેતુ તરીકે અવિરતિ-પ્રમાદાદિનું પણ ગ્રહણ કરવું અને જ્ઞાનાવરણાદિગત “આદિ શબ્દથી બંધાતાં કર્મ તરીકે દર્શનાવરણાદિ કર્મો પણ લેવા...). આ જ્ઞાનાવરણાદિ કર્મો આંખના પાટા જેવા છે. જેમ પાટો બાંધવાથી આંખ ઢંકાઈ જાય અને કશું ન દેખી શકાય, તેમ પાટા જેવા આ જ્ઞાનાવરણાદિ કર્મોથી જીવનું સ્વરૂપ (જ્ઞાન-ચૈતન્યરૂપ સ્વરૂપ) ઢંકાઈ જાય છે અને તેથી યથાર્થસ્વરૂપ જાણી શકાય નહીં. પ્રશ્ન : આ કર્મ-આચ્છાદનને દૂર કરવાનો ઉપાય ? ઉત્તર : જુઓ, (૧) સંકેત, (૨) તપ, (૩) ચારિત્ર, (૪) દાન, (૫) મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત-સમ્યક્તાદિની ભાવનાઓ... આ બધા ઉપાયો છે. અર્થાત્ જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ-ક્ષયના કારણો છે. આ બધા કારણોથી ક્ષયોપશમ-ક્ષય થયા બાદ, તે વ્યક્તિને વિવક્ષિત અર્થકાર (ઘટ શબ્દથી ઘટાકાર) સંવેદન થાય છે. એટલે સાર એ કે, સંવેદન થવામાં મૂળ કારણ તો ક્ષયોપશમ જ છે... (૧) ક્ષયોપશમ હોય તો સંકેતાદિ વિના પણ અર્થાકાર સંવેદન થાય, અને (૨) ક્ષયોપશમ ન હોય તો સંકેતાદિ હોવા છતાં પણ અર્થાકાર સંવેદન ન થાય. - પૂર્વપક્ષ: જો પૂર્વોક્ત ક્રમ ન માનીએ તો? અર્થાત્ ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન થાયએવું ન *માનીએ તો ? સ્યાદ્વાદી? તો તો અર્થકાર સંવેદનની પ્રવૃત્તિનો જ અભાવ થાય ! કારણ કે નાના-નાના બાળકોને તો આ જન્મની અપેક્ષાએ પહેલીવાર જ તે પદાર્થો દેખાયા છે. એટલે તેઓને તેનો સંકેત કોઈએ કદી કર્યો જ નથી. આવા અસંકેતિત બાળકોને તો સંકેત કરવો શક્ય જ નથી (કેમ શક્ય નથી? તે હમણાં જ બતાવશે.) એટલે તેવા બાળકોને તો ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન માનવું રહ્યું, અર્થાત્ ક્ષયોપશમ જ સંવેદનસાધક સિદ્ધ થયો. પ્રશ્ન : બાળકને કેમ સંકેત કરવો શક્ય નથી ? ઉત્તરઃ જુઓ - કોઈ વક્તા સંકેત કરવા, આવો વાક્યપ્રયોગ કરે કે “ષ પટઃ ૩ખ્યતે'...તો આ સંકેતક શબ્દો છે હવે તેમાંના પ્ત ૩ને શબ્દોનો સંકેત થયો નથી (બાળકને કંઈ જ ખબર નથી) તો તે શબ્દોનો અર્થ જ નહીં જણાય... | * પૂર્વપક્ષીને એ સાબિત કરવું છે કે – સંવેદનની પ્રવૃત્તિમાં ક્ષયોપશમ નહીં, પણ સંકેતાદિ જ કારણ છે – અને આવું સાબિત કરવા પાછળ ગૂઢ આશય એ કે, વસ્તુ અભિશાપરૂપ (શબ્દવા) ન હોઈ શકે, નહીંતર તો સંકેત વિના પણ શબ્દથી વસ્તુનો બોધ કેમ ન થાય? પણ ગ્રંથકારશ્રી, સંકેત વિના પણ ક્ષયોપશમથી સંવેદનની સંગતિ કરી, પૂર્વપક્ષીના પ્રલાપનો નિરાસ કરશે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ १५० अनेकान्तवादप्रवेशः જો જણાતો હોય, તો સંકેત વિના અર્થ જણાય તેવું નક્કી થયું અને તો પછી (ષિાદ્રિ શબ્દોની જેમ) “ઘટીનો સંકેત પણ જરૂરી નથી. (જો બધાનો સંકેત જરૂરી હોય, તો વ્યવહારનો નાશ થાય, એક પણ સંકેત કરી નહીં શકાય.) હવે જો પ ૩mતે એ બધાનો પણ સંકેત કરશો, તો તેના સંકેત માટે વપરાતા બીજા શબ્દોનો પણ સંકેત કરવો પડશે અને પાછા એ શબ્દોના સંકેત માટે વપરાતા શબ્દોનો પણ સંકેત કરવો પડશે... આ રીતે તો અનવસ્થા થશે ! હવે જો ક્યાંક અવસ્થાન માનશો, ધારો કે દશમાં સંકેતકવાક્યગત શબ્દોનો સંકેત ન માની, તેના શબ્દાર્થનો સ્વતઃ જ (=સંકેત વિના જ) બોધ માનશો, તો યદ્યપિ અનવસ્થા નહીં આવે, પણ તેવું માનવામાં તો) અમારા મતનો જ અનુવાદ થશે ! કારણ કે તેની જેમ તો બીજે પણ, સંકેત વિના ક્ષયોપશમથી જ અર્થાકાર સંવેદન થઈ જ શકે છે. તાત્પર્ય એ કે, અવસ્થાન માનવા સંકેત વિના પણ શબ્દથી અર્થનો બોધ માનવો પડે અને તે રીતે શબ્દથી અર્થનો બોધ, શબ્દ-અર્થના વાસ્તવિક સંબંધ વિના ન જ થઈ શકે. એટલે શબ્દ-અર્થનો કથંચિત્ સંબંધ માનવો જ રહ્યો (એટલે જ તો શબ્દથી અર્થનો સંકેત વિના પણ ક્ષયોપશમથી જ સીધો બોધ થઈ જાય છે.) અને કથંચિત્ સંબંધ હોવામાં વસ્તુની અભિલાષ્યરૂપતા પણ નિબંધ સિદ્ધ થાય છે. स्यादेतद्, अर्भकोऽप्यसकृद् ‘अयम्' इत्यादिशब्दं सङ्केत्यार्थसन्निधावुच्चार्यमाणमाकर्ण्य व्यवहर्तृश्च तथा व्यवहारे प्रवर्त्तमानान् दृष्ट्वा प्रतिपद्यते शब्दार्थम्, इति; तथाहि-न मात्रादिभिरपि कस्यचित्सङ्केतः क्रियते, इति; दृश्यते च तत्प्रतिपत्तिः, इति । —- પ્રવેશરશ્મિ – | ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ બાળક પણ સંકેત કરવા યોગ્ય અર્થની સંનિધિમાં વારંવાર ઉચ્ચારાતા અર્થ ઘટ:'ઈત્યાદિ શબ્દને સાંભળીને અને તે પ્રમાણે વ્યવહારમાં પ્રવર્તતા વ્યવહારુઓને જોઈને શબ્દાર્થને સ્વીકારી લે છે. તે આમ - માતા આદિ વડે કોઈનો સંકેત કરાતો નથી, તે છતાં તેની પ્રતિપત્તિ દેખાય છે. વિવેચનઃ પૂર્વપક્ષ : અરે ! તમે તો ઘટાદિ શબ્દોનો સંકેત કરો છો, પણ ખરી વાત તો એ કે, ઘટાદિ શબ્દોનો સંકેત પણ કદી કરાતો જ નથી. પાસે ઘડો હોય અને ત્યારે વક્તા કહે કે – “આ ઘડો લાવ” તો આવા શબ્દો સાંભળીને, પાસે ઊભેલી વ્યક્તિ ઘડો લેવા પ્રવર્તે છે... હવે તે વખતે બાજુમાં ઊભેલો બાળક (૧) ઘટની નજીકમાં રહીને ‘પટઃ' એવા શબ્દો બોલાતા સાંભળે, અને (૨) “પરમાનય' કહે તો લવાતો જુએ... એનાથી મયં પટ: એવા શબ્દનો અર્થ “સામે રહેલ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ છે, એ જાણી લે છે. તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १५१ માતા વગેરે, તે બાળકને ‘આ ઘડો કહેવાય, આ કપડો કહેવાય એમ એકેક પદાર્થને લઈને સંકેત નથી કરતી; પણ બાળક પોતે જ તેવા શબ્દો સાંભળી અને તેવો વ્યવહાર દેખી શબ્દાર્થનો નિર્ણય કરી લે છે. આમ જ્યારે ઘટશબ્દનો પણ સંકેત નથી કરાતો, ત્યારે ‘મય' જેવા અતિપ્રસિદ્ધ શબ્દના સંકેતની તો વાત જ શું છે? (તમાં તો સુતરાં સંકેત અનાવશ્યક છે.) આવું થવાથી બાળકને, કાળાંતરે સંકેત વિના પણ ઘટ શબ્દથી ઘટની પ્રતીતિ થાય છે જ તો તમે ઘટશબ્દનો પણ સંકેત કેમ કહો છો ?) (પૂર્વપક્ષનો ભાવ એ છે કે, ઘટમાં સંકેત કરવા ‘યં યઃ' એવા શબ્દો પ્રયોજાય ત્યારે ‘ય’નો સંકેત કરેલો હોવો જરૂરી નથી, કારણ કે વારંવાર મયં મયં એવા પ્રયોગો અને તજ્જન્ય વ્યવહારને જોઈને તેને મયંના અર્થનો બોધ થઈ જાય છે. માતા પણ અયં ધટ: એવો જ સંકેત કરે છે. “ એટલે આ એવો સંકેત કદી કરતી નથી, છતાં બાળકને તેની પ્રતિપત્તિ તો થાય જ છે.) अत्रोच्यते, दृश्यते खल्वियं प्रतिपत्तिः, किन्तु भवत्पक्षे न युज्यते, असकृद्दर्शनपक्षेऽपि तत्प्रथमतया शब्दात् प्रतिपत्त्यभावाद्, भावे च कथंचिद्वास्तवसम्बन्धसिद्धेः, अनादिसंसारपक्षेऽपि कथंचिद्वास्तवशब्दार्थसम्बन्धसिद्धः, 'शब्दो हि विकल्पजन्मा' इत्यादिनिराकरणेन च सङ्केतस्य निषिद्धत्वात्, तथा प्रकरणादभिव्यक्तक्षयोपशमानां केषांचित्सङ्केतमन्तरेणैव शब्दार्थप्रतिपत्तिदर्शनाद् । अलं प्रसङ्गेन। इति अभिलाप्यानभिलाप्योभयरूपैकवस्तुवादः समाप्तः ।।४।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: ઉત્તરપક્ષ: આવો બોધ દેખાય છે, પણ તમારા મતે ઘટતો નથી; કેમ કે અનેકવાર દર્શન થવા છતાં, પ્રથમવારમાં જ શબ્દથી અર્થની પ્રતિપત્તિ થઈ જતી નથી, જો થાય તો કથંચિત્ વાસ્તવિક સંબંધ જ સિદ્ધ થાય અને અનાદિસંસારપક્ષે પણ શબ્દ-અર્થનો કથંચિ વાસ્તવિક સંબંધ સિદ્ધ થાય .. અને વળી શબ્દ વિકલ્પથી ઉત્પન્ન થાય.. એ બધાનું નિરાકરણ કરી સંકેતનો નિષેધ કર્યો છે અને પ્રકરણથી અભિવ્યક્ત થયો છે ક્ષયોપશમ જેમનો તેવા કેટલાકને સંકેત વિના જ શબ્દાર્થની પ્રતિપત્તિ દેખાય છે. હવે આ પ્રસંગથી સર્યું. આમ અભિલાપ્ય-અનભિલાપ્ય ઉભયરૂપ એકવસ્તુનો વાદ સમાપ્ત થયો વિવેચનઃ ઉત્તરપક્ષ તમારી વાત એકદમ સાચી છે, સંકેત વિના પણ કર્યા વગેરેના શબ્દાર્થનું જ્ઞાન થાય છે જ... પણ તેવો બોધ તમારા મતે ઘટતો નથી, કારણ કે વક્તા ભલે અનેકવાર “આ લાવ' એવા શબ્દપ્રયોગો કરે, પણ બાળકના જન્મ પછી) વક્તા વડે પહેલીવાર ઉચ્ચારાતા શબ્દોથી, બાળકને ‘આ’નો બોધ થઈ શકે નહીં. તેનું કારણ એ કે, તમે સંકેતિત શબ્દોથી જ અર્થપ્રતિપત્તિ માનો છો. હવે જન્મ પછી સંકેત For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ १५२ अनेकान्तवादप्रवेशः કરાયા પૂર્વે સંભળાતા વક્નશબ્દોનો તો કદી કોઈએ સંકેત કર્યો જ નથી, તો તે શબ્દોથી, બાળકને આનો બોધ શી રીતે થાય ? પૂર્વપક્ષ ઃ તે આદિશબ્દથી (જન્મ પછી પહેલીવાર સંભળાતા શબ્દથી) સંકેત વિના પણ અર્થબોધ માની લઈએ તો ? સ્યાદ્વાદી? તો તો અમારા મતનું જ શરણ થશે, કારણ કે અમે પણ એ જ કહીએ છીએ કે કેટલાક શબ્દથી, સંકેત વિના પણ સીધો ક્ષયોપશમથી જ અર્થબોધ થઈ જાય છે. એટલે તો શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ જ સિદ્ધ થયો. (ભાવ એ કે, સંકેત વિના પણ શબ્દ વસ્તુવાચક હોવાથી, શબ્દ-અર્થનો વાસ્તવિક સંબંધ માનવો જ રહ્યો અને તો વસ્તુને અભિલાપ્ય પણ માનવી જ રહી.). પૂર્વપક્ષ: પણ બાળક કે અન્ય કોઈપણ વ્યક્તિને પહેલીવાર તો શબ્દનું શ્રવણ સિદ્ધ જ નથી. કારણ કે સંસાર તો અનાદિ હોવાથી દરેક જીવને દરેક શબ્દનું શ્રવણ અનેકવાર થઈ જ ગયું છે (આશય એ કે, સંસાર અનાદિ હોવાથી પૂર્વે સંકેત થયો જ હોય.) એટલે બાળક જે આ જન્મની અપેક્ષાએ પહેલીવાર “આ ઘડો કહેવાય એવા શબ્દો સાંભળે છે, તે શબ્દો પણ પૂર્વે અનેકવાર શ્રત હોવાથી સંકેતિત જ છે અને સંકેતિત હોવાથી જ, બાળકને તે શબ્દથી અર્થપ્રતીતિ થાય છે. સ્યાદ્વાદીઃ અરે ! તો તો શબ્દ-અર્ચના વાસ્તવિક સંબંધની સુતરાં સિદ્ધિ થશે, કારણ કે તમારા કહેવા પ્રમાણે તો અનાદિ સંસારમાં ‘યં પટઃ' એવા શબ્દોનું, સામે રહેલ ઘટાદિ પદાર્થના વાચકરૂપે શ્રવણ થાય છે અને આવા શબ્દશ્રવણથી જ, તેને તે ઘટશબ્દથી ઘટરૂપ વાચ્યાર્થનો બોધ થાય છે. બાકી જો અનાદિસંસારમાં યમ્ આદિ શબ્દોનું અર્થવાચકરૂપે શ્રવણ ન માનો, તો બાળકાદિને ઘટાદિ શબ્દથી ઘટાદિ અર્થનો બોધ થઈ શકે નહીં. કારણ કે જ્યાં તેવો વિશ્રામ માનો, તે પહેલા તો અર્થવાચકરૂપે શબ્દનું શ્રવણ થયું જ નથી. એટલે તેના માટે તો તે શબ્દ અસંકેતિત થતાં, તેને તે શબ્દથી અર્થપ્રતીતિ થઈ જ ન શકે.) સાર એટલે (૧) શબ્દ વાચક અને (૨) અર્થ વાચ્ય- એમ શબ્દ-અર્થનો વાચ્ય-વાચક સંબંધ અનાદિકાલીન જ માનવો રહ્યો. વળી, તમે જે સંકેતની પ્રક્રિયા કહો છો કે – “શબ્દ તે વિકલ્પથી ઉત્પન્ન થાય અને વિકલ્પનો જનક હોય છે એટલે શબ્દથી વક્નવિકલ્પની સમાન શ્રોતૃવિકલ્પ થવો; એ જ સંકેત છે' – તે બધા કથનનો નિરાસ અને પૂર્વે કરી જ દીધો હોવાથી “સંકેત તત્ત્વનો નિષેધ થઈ જાય છે (વિકલ્પમાં સંકેતનું ખંડન કર્યું, અર્થમાં તો સંકેત બૌદ્ધ માનતો નથી. એટલે સંકેતનું જ ખંડન થયું અને તો સંકેતના કારણે જ વાચ્ય-વાચકનો નિર્ણય - એવા એકાંતનો પણ નિષેધ થઈ ગયો.) For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १५३ તથા, કેટલાકને પ્રસંગને અનુસારે જ ક્ષયોપશમ પ્રગટ થઈ જાય છે અને તેથી સંકેત વિના જ શબ્દથી અર્થની પ્રતિપત્તિ (મિઠાઈમાં સાકર ઓછી હોય તે અનુભવ્યું હોય અને કોઈ કહે ખાંડ ઓછી છે તો ખાંડનો અર્થ સંકેત વિના પણ સમજાઈ જાય છે, તો તે વખતની પ્રતિપત્તિ; સંકેત વિના પણ) થઈ જતી દેખાય છે. તો અહીં સંકેત વિના પણ શબ્દથી અર્થનો બોધ થવામાં કારણ શું? કારણ એ જ કે, શબ્દઅર્થનો કથંચિત્ વાસ્તવિક સંબંધ રહ્યો છે અને તેથી તો વસ્તુ અભિલાપ્ય (શબ્દવાચ્ય) પણ બને જ. હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ : એટલે ઘટાદિ દરેક વસ્તુઓ, અભિલાપ્યધર્મોની અપેક્ષાએ અભિલાપ્ય અને અનભિલાપ્યધર્મોની અપેક્ષાએ અનભિલાખ- એમ ઉભયરૂપ માનવી જ રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. || આ પ્રમાણે અભિલાપ્યાનભિલાપ્ય અનેકાંતવાદરૂપ ચતુર્થ અધિકાર પૂર્ણ થયો છે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ १५४ अनेकान्तवादप्रवेशः દે છે અને દાત્તવાકે પર્વ મુરિટ છે કે બાહ્યાર્થીને સદસદાદિ અનેકાંતરૂપ સિદ્ધ કરી, હવે અનેકાંતવાદમાં જ મોક્ષની સંગતિ બતાવવા ગ્રંથકારશ્રી પાંચમા અધિકારનો પ્રારંભ કરે છે – (५) यदप्युक्तम्-'विरोधिधर्माध्यासितस्वरूपत्वाद्वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः' इति एतदपि सूक्ष्मेक्षिकया मुक्तिमार्गमनालोच्यैवोक्तम्, इति, उक्तवत्सत्त्वानित्यत्वादीनां विरोधित्वासिद्धेः, अन्यथा वस्त्वभावप्रसङ्गात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ જે પણ કહ્યું હતું કે વસ્તુ વિરોધી ધર્મથી અધ્યાસિતસ્વરૂપવાળી હોવાથી અનેકાંતવાદીમતે મુક્તિના અભાવનો પ્રસંગ આવે” એ પણ સૂમેક્ષિકાથી મોક્ષમાર્ગને વિચાર્યા વિના જ કહ્યું છે, કારણ કે પૂર્વોક્તવત્ સત્ત્વ-અનિત્યત્વ આદિનું વિરોધીપણું સિદ્ધ નથી, અન્યથા વસ્તુના અભાવનો પ્રસંગ આવે. વિવેચનઃ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “તમે વસ્તુને નિત્ય-અનિત્યાદિ વિરોધી ધર્મવાળી માની હોવાથી, અનેકાંતવાદીઓના મતે તો મોક્ષનો પણ અભાવ થાય છે...” તે બધું પણ મોક્ષમાર્ગને સૂમેક્ષિકાથી વિચાર્યા વિનાનું જ કથન છે. (અર્થાત્ મોક્ષમાર્ગને સૂક્ષ્મક્ષિકાથી ન સમજવાથી જ તમે આવો પ્રલાપ કરો છો.) બાકી વાસ્તવમાં અમારું કથન સત્ય જ છે, કારણ કે પૂર્વે કહ્યા મુજબ સત્ત્વ-અસત્ત્વ, નિત્યઅનિત્યતા, સામાન્ય-વિશેષ, અભિલાખ-અનભિલાખતા આદિ ધર્મોનો વિરોધ બિલકુલ સિદ્ધ નથી. (અર્થાત્ તે ધર્મો, વિરોધ વિના એક વસ્તુમાં નિબંધ રહી શકે છે.) (અન્યથા=) બાકી જો જુદી જુદી અપેક્ષાએ તે ધર્મો ન માનવામાં આવે, તો તે વસ્તુનો જ અભાવ થઈ જાય, એ બધી વાતોનો નિર્ણય અમે પૂર્વે જ કરી ગયા. किञ्च-विरोधिधर्माध्यासितस्वरूपाभाव एव वस्तुन एकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः; तथाहि-यदि तदात्माङ्गनाभवनमणिकनकधनधान्यादिकमेकान्तेनैवानात्मकादिधर्मयुक्तं भावनालम्बनमिष्यते, हन्त ! तर्हि सर्वथाऽनात्मकत्वाद् भावकभाव्याभावात् तत्परिज्ञानोत्तरकालभाविभावनाऽभावतः कुतः ? कस्य वा ? मोहादिप्रहाणम् ? इति कथ्यतामिदम् ।। १. इति पूर्वमुद्रितपाठः 'नात्मादिकधर्मयुक्तं' अत्र B-पाठः । For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १५५ - પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને વસ્તુનું વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપ ન હોવામાં જ, એકાંતવાદમતે જ મુક્તિના અભાવનો પ્રસંગ આવે તે આમ - જો તે એકાંતે અનાત્મકાદિ ધર્મયુક્ત આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્યાદિને જ ભાવનાનું આલંબન મનાય, તો સર્વથા તેઓ અનાત્મક થતાં, ભાવક-ભાવ્ય કોઈ ન રહેવાથી, તેના પરિજ્ઞાન પછી ભાવના જ ન થાય અને તો કોનાથી અથવા કોને મોહાદિની હાનિ થાય? એ કહો.. વિવેચનઃ વળી, જો વસ્તુ અનેકાંત-આત્મક ન હોય, તો એકાંતવાદિમતે જ મોક્ષના અભાવનો પ્રસંગ આવશે, તે આ પ્રમાણે – જો તે આત્મા, સ્ત્રી, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે દરેક વસ્તુઓ સર્વથા અનાત્મકતા આદિ ધર્મયુક્ત જ હોય અને તેને ભાવનાનું આલંબન બનાવતા હો, તો તો વસ્તુ સર્વથા અનાત્મક હોવાથી કોઈ ભાવ્ય-ભાવક જ નહીં રહે ! સાત્મક એટલે સસ્વરૂપી; પોતાના સ્વરૂપે વસ્તુનું અસ્તિત્વ અને એકાંતે અનાત્મક એટલે નિઃ સ્વરૂપી; પોતાના સ્વરૂપે પણ વસ્તુનું ન હોવું. હવે જો દરેક વસ્તુઓ એકાંતે અનાત્મક હોય, તો ખરેખર તો તે વસ્તુ જ નથી અને તો ભાવ્ય-ભાવક(ભાવ્ય= ભાવનાનો વિષય, અને ભાવક=ભાવના કરનાર વ્યક્તિ) પણ વસ્તુરૂપ નહીં રહે, અર્થાત્ ભાવનાની વિષયભૂત વસ્તુ અને ભાવના કરનાર વ્યક્તિ; તે બેનું પણ અસ્તિત્વ નહીં રહે! અને તો વસ્તુનું અનાત્મકાદિરૂપે જ્ઞાન થયા પછી, ભાવ્ય-ભાવક કોઈ ન રહેવાથી,વૈરાગ્યની ભાવનાઓ પણ નહીં થાય જ્યારે ભાવનાની વિષયભૂત વસ્તુ અને ભાવના કરનાર વ્યક્તિ જ નથી, ત્યારે ભાવના કેવી રીતે થાય ?) અને જો ભાવના નહીં થાય, તો કોના થકી અથવા કોના રાગાદિ દોષોની હાનિ થશે ? એ તમે જ કહો. (એટલે ખરેખર તો એકાંતવાદમતે જ મોક્ષનો અભાવ થાય છે.) स्यादेतत्-परपरिकल्पिताऽविचलितैकस्वभावात्मापेक्षया तदनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनश्वरात्मापेक्षया, इति ।। एतदप्यसारम्, विकल्पानुपपत्तेः; तथाहि- तत्कथंचित्प्रतिक्षणनश्वरं स्यात् ? सर्वथा वा ?। यदि कथंचित्, अर्हन्मतानुवाद एव, तथा चोक्तमहन्मतानुसारिभिः - सर्वव्यक्तिषु नियतं क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ।।१।।' इति । - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બૌદ્ધ : પરપરિકલ્પિત અવિચલ-એક સ્વભાવરૂપ સ્વરૂપની અપેક્ષાએ જ તે અનાત્મક For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ १५६ अनेकान्तवादप्रवेशः મનાય છે, પ્રતિક્ષણ નશ્વર સ્વરૂપની અપેક્ષાએ નહીં. સ્યાદ્વાદી : આ પણ અસાર છે; કેમ કે વિકલ્પો અનુપપન્ન છે. તે આમ - તે કથંચિત્ પ્રતિક્ષણનશ્વર હોય કે સર્વથા? જો કથંચિત, તો આહંતમતનો અનુવાદ જ થયો. આહતમતને અનુસરનારાઓએ કહ્યું છે કે-બધી વ્યક્તિઓમાં પ્રતિક્ષણ ભિન્નપણું નિયત છે અને તેમાં વિશેષ નથી, અર્થાત્ અભેદ પણ છે. કારણ કે ચય-ઉપચય થવા છતાં પણ આકૃતિ અને જાતિનું વ્યવસ્થાન છે. છ અનાત્મક માનવાનું તાત્પર્ય અને નિરાસ છે વિવેચન : બૌદ્ધ : બીજાઓએ કલ્પેલું જે અવિચલિત-નિત્ય એકસ્વભાવરૂપ સ્વરૂપ છે, તે વસ્તુમાં નથી, એટલે તેની અપેક્ષાએ વસ્તુ અનાત્મક-અસ્વરૂપી કહેવાય છે. એ જ અમારું અનાત્મક માનવાનું તાત્પર્ય છે. બાકી પ્રતિક્ષણ નશ્વરસ્વભાવ તો વસ્તુમાં છે જ, એટલે તેની અપેક્ષાએ વસ્તુ અનાત્મક ન કહેવાય (અર્થાત્ નશ્વરસ્વભાવની અપેક્ષાએ તો વસ્તુનું સ્વરૂપ નિયત જ છે.) એટલે કોઈ દોષ નથી. | સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ અસાર જણાઈ આવે છે, કારણ કે અહીં પણ વિકલ્પોની સંગતિ થતી નથી તે આ પ્રમાણે – છે એકાંતક્ષણિકવાદનો વિકલાશઃ નિરાસ છે. તમે કહો છો કે ઘટાદિ, દરેક વસ્તુઓ પ્રતિક્ષણ વિનાશશીલ છે. તો અહીં અમારા પ્રશ્નવિકલ્પો એ કે, તે કઈ રીતે નશ્વર છે? (૧) કથંચિત, કે (૨) સર્વથા? (૧) જો કથંચિત્ (અર્થાત્ કોઈક પર્યાયની અપેક્ષાએ) તે નાશ પામે – એવું કહો, તો તો અરિહંતના મતનો જ અનુવાદ થયો કહેવાય, કારણ કે આતિમતે દરેક વસ્તુઓ પર્યાયની અપેક્ષાએ કથંચિત્ નશ્વર જ છે. અરિહંતમતને અનુસરનારાઓએ કહ્યું છે કે – “બધી વ્યક્તિઓમાં પ્રતિક્ષણ ભિન્નપણું નિયત છે અને તેમાં વિશેષ નથી, અભેદ પણ છે, કારણ કે ચય-ઉપચય થવા છતાં પણ આકૃતિ અને જાતિનું વ્યવસ્થાન છે.” આનો પરમાર્થ એ કે, જુદી જુદી ક્ષણના સંબંધથી દરેક વસ્તુઓ પ્રતિક્ષણ બદલાય છે અને તેથી જ તેઓનું પ્રતિક્ષણ ભિન્નપણું નિયત છે. પણ તેઓમાં પ્રતિક્ષણ વિશેષ (તફાવત) દેખાતો નથી, તેનું કારણ એ કે, તે વસ્તુઓ સર્વથા નષ્ટ થતી નથી પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) સદાદિરૂપ જ રહે છે... અર્થાત્ જુદા જુદા પર્યાયો ઘટાદિમાં ચય-ઉપચય (વધ-ઘટ) થયા કરે છે, પણ તેઓનું સંસ્થાન અને સત્ત્વાદિ જાતિ તદવસ્થ રહી હોવાથી, તેઓમાં પ્રતિક્ષણ વિશેષ દેખાતો નથી. (બાકી પર્યાયની અપેક્ષાએ તો તેઓની પ્રતિક્ષણ નશ્વરતા છે જ.) અને તે જ નશ્વરતાને તમે માની, એટલે તો તમે આહતમતનો જ અનુવાદ કર્યો કહેવાય. (તેથી, પ્રથમ વિકલ્પ તો તમે ન માની શકો.) For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १५७ ___ अथ सर्वथा, हन्त ! तय॑हिकामुष्मिकसकललोकसंव्यवहाराभावप्रसङ्गः; तथाहिप्रतिक्षणनिरन्वयेन नश्वरत्वे सत्यात्मादिवस्तुनः ग्राह्यग्राहकभावस्मरणप्रत्यभिज्ञानकुतूहलविरमणाद्याविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्येत ।। —- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : હવે જો સર્વથા, તો ઐહિક-આમુમ્બિક સકળ લોકવ્યવહારના અભાવનો પ્રસંગ આવે ! તે આમ - આત્માદિ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો ગ્રાહ્યગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, કુતૂહલવિરમણ આદિ અવિદ્વદંગનાપ્રતીત પણ ઉપપન્ન થાય નહીં. વિવેચનઃ જો તે સર્વથા (=સંપૂર્ણપણે) નિરન્વય (=પૂર્વાપરક્ષણોમાં અવ્ય વિના) પ્રતિક્ષણ નાશ પામે એવું કહો, તો તો ઈહલોક અને પરલોક સંબંધી તમામ લોકવ્યવહારનો વિલોપ થઈ જશે. તે આ પ્રમાણે – જો દરેક વસ્તુઓ ઉત્તરોત્તરક્ષણમાં અનુવૃત્તિ વિના સર્વથા પ્રતિક્ષણ નાશ પામે, તો આત્મા, ઘટાદિના સંબંધને લઈને થતાં (૧) ગ્રાહ્ય ગ્રાહકભાવ, (૨) સ્મરણ, (૩) પ્રત્યભિજ્ઞાન, (૪) કુતૂહલવિરમણ... આદિ, જે વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને પ્રતીત છે, તે બધું પણ ઉપપન્ન થશે નહીં (અર્થાત્ નિરન્વય નશ્વરવાદમાં પ્રતીત પણ સ્મરણાદિનો વિલોપ થશે.) હવે ગ્રંથકારશ્રી, સર્વથા ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણાદિ કેમ ન ઘટે ? તે ક્રમશઃ જણાવે છે – ___ नहि ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोः कथंचिदपि तुल्यकालताऽभ्युपगम्यते परैः, तयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च - 'ग्राह्यतां विदुहेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्' इति ।। एवं च सति ग्राह्यार्थाभावे एव ग्राहकसंवेदनप्रसूतेः, तदभावभावित्वात् संवेदनस्य कुतस्तस्य तद्ग्राहकत्वम् ? इतरस्य च तद्ग्राह्यत्वम् ? इति; आदाय युक्तिप्रदीपं तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाल्यतामेतत्, इति ।। –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? તમારા મતે ગ્રાહ્ય-અર્થ અને તેનું ગ્રાહક જ્ઞાન બંને કથંચિતું પણ તુલ્યકાળ મનાતા નથી; કેમ કે તમે તે બંનેનો હેતુ-ફળભાવ માન્યો છે, કહ્યું છે કે - “યુક્તિશો, જ્ઞાનમાં પોતાના આકારને અર્પણ કરવામાં સમર્થ એવા હેતુપણાને જ “ગ્રાહ્યતા જાણે છે. અને આવું હોવામાં તો, ગ્રાહ્ય-અર્થના અભાવમાં જ ગ્રાહકસંવેદન ઉત્પન થાય, અને સંવેદન તેના અભાવમાં થનારું છે. તો તેનું અર્થગ્રાહકપણું કેવી રીતે? અને અર્થનું જ્ઞાનગ્રાહ્યપણું કેવી રીતે? એટલે યુક્તિરૂપી દીવાને લઈને સ્વદર્શન-અભિનિવેશરૂપ અંધકારને દૂર કરીને આ જુઓ. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ १५८ अनेकान्तवादप्रवेशः છ ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની અસંગતિ છે વિવેચનઃ હેબૌદ્ધ ! તમે ગ્રાહ્ય-અર્થ અને ગ્રાહકજ્ઞાન-એ બંનેની કથંચિત્ =કોઈક અપેક્ષાએ) પણ તુલ્યકાલતા માનતા નથી. તેનું કારણ એ કે, તમે તે બંનેને હેતુ-ફળરૂપે માન્યા છે. (અર્થાત ગ્રાહ્ય-અર્થ હેતુ અને તેના આધારે થનારું ગ્રાહકસંવેદન ફળ – આમ ગ્રાહ્ય-ગ્રાહકને હેતુ-ફળરૂપે માન્યા છે.) આ વિશે ધર્મકીર્તિએ કહ્યું છે કે – “અનુમાનાદિને જાણનારા યુક્તિજ્ઞ પુરુષો, જ્ઞાનમાં પોતાને અનુરૂપ આકારનું અર્પણ કરવામાં સમર્થ એવું અર્થનું હેતુપણું; તે જ ગ્રાહ્યતા છે એવું જાણે છે..” (પ્રમાણવાર્તિક-૨/૨૪૭) અહીં પણ અર્થને હેતુરૂપે અને જેમાં આકારનું અર્પણ કરવાનું છે, તે જ્ઞાનને ફળરૂપે જણાવેલ છે (અને તમે તો હેતુ-ફળને પૂર્વાપરભાવે જ માનો છો, તુલ્યકાળે નહીં.) (પર્વ સતિ) હવે જો બંને તુલ્યકાળે ન હોય, તો એનો મતલબ એ થયો કે, પહેલી ક્ષણે ગ્રાહ્ય-અર્થ અને બીજી ક્ષણે તેનો અભાવ થયે જ ગ્રાહકજ્ઞાન ઉત્પન્ન થાય છે. કારણ કે બધું ક્ષણિક છે.) એટલે હવે સંવેદન એ ગ્રાહ્યના અભાવમાં જ થાય છે, તો તે જ્ઞાન, ગ્રાહ્ય-અર્થને શી રીતે ગ્રહણ કરે ? અને પૂર્વેક્ષણે) ગ્રાહ્ય-અર્થ વખતે ગ્રાહકશાન થયું જ ન હોવાથી, તે અર્થ, પોતાના ઉત્તરકાળભાવી જ્ઞાનથી ગ્રાહ્ય શી રીતે બને ? (અને જ્ઞાન વખતે તો ગ્રાહ્ય અર્થનું અસ્તિત્વ જ ન હોવાથી, તે વખતે તો તે ગ્રાહ્ય ન જ બને.) એટલે હે બૌદ્ધો ! સૂક્ષ્મક્ષિકારૂપ હાથ થકી એક યુક્તિદીવો લઈને, પોતાના દર્શનના અભિનિવેશરૂપ અંધારું દૂર કરીને, અમે કહેલું બરાબર જુઓ. (જેમ દીવાથી અંધારું દૂર કરીને વાસ્તવિક વસ્તુ દેખાય છે, તેમ તમે પણ યુક્તિને આગળ કરીને અને સ્વદર્શનનું અભિનિવેશરૂપ અંધારું દૂર કરીને, વસ્તુસ્થિતિ વિચારો, તો તમને પણ સત્ય હકીકત સમજાઈ જશે.) તેથી ફલિત થયું કે, વસ્તુને સર્વથા નિરન્વય ક્ષણિક માનવામાં, ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ અસંગત થાય છે. ____ आकारार्पणक्षमत्वमपि तस्यानिश्चितमेव । नहि 'अनन्तरातीतविषयाकारमेवेदं संवेदनम्' इति विनिश्चेतुं शक्यते, तस्याग्रहणाद् । अग्रहणं च तदानीमसत्त्वाद् । असति च तस्मिंस्तदाकारमेतदतदाकारं न भवति, इति अवगमानुपपत्तिः। For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १५९ संवेद्यमानादेव संवेदनाकारात् तदाकारत्वावगमः, इति चेत् ? तथाहि-यद्यद्ग्राहकं न भवति, तत्तदाकारं न भवति, पीताग्राहकमिव नीलसंवेदनम्, तद्ग्राहकं चैतद्; इति कथं तदवगमानुपपत्तिः ? इति ।। एतदप्ययुक्तम्-तत्प्रत्यक्षताऽनुपपत्तेरनुमीयमानत्वात् । न चानुमानताऽप्यत्र, एवंविधाविनाभावव्यवस्थाकारिणः क्षणद्वयग्राहिणो विज्ञानस्याभावाद्, अभावश्च क्षणिकत्वविरोधात् । છે “અમાવસ્થ' કૃતિ પૂર્વમુદ્રિતપાઇ, માત્ર B-પાd: I – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: આકાર-અર્પણનું સમર્થપણું પણ તેનું અનિશ્ચિત જ છે, કેમ કે “આ સંવેદન અનંતર-અતીત વિષયાકારવાળું છે' એવો નિશ્ચય થવો શક્ય નથી અને તેનું કારણ એ કે તે વિષયનું ગ્રહણ થતું નથી... અને અગ્રહણ એટલા માટે કે ત્યારે તેનું અસ્તિત્વ જ નથી અને તે ન હોય ત્યારે “આ સંવેદન તેના આકારવાળું છે, બીજાના આકારવાળું નહીં' એવા અવગમની ઉપપત્તિ ન થાય. બૌદ્ધ સંવેદ્યમાન સંવેદનના આકારથી જ તેની આકારતાનો અવગમ થઈ જાય, જુઓ- જે જેનું ગ્રાહક ન હોય, તે તેના આકારવાળું ન હોય, જેમકે પિતનું અગ્રાહક નીલસંવેદન.. આ સંવેદન તેનું ગ્રાહક છે, તો તેનાથી તેના આકારનો અવગમ પણ કેમ ન થાય? સ્યાદ્વાદી : આ પણ અયુક્ત છે; કેમ કે તેનું પ્રત્યક્ષ તો ઉપપન નથી, કારણ કે તે અનુમાનનો વિષય છે. અને અહીં અનુમાનતા પણ નથી, કારણ કે આવા અવિનાભાવની વ્યવસ્થાને કરનારું, ક્ષણયને ગ્રહણ કરનારું કોઈ વિજ્ઞાન નથી અને ન હોવાનું કારણ એ જ કે તેમાં ક્ષણિકતાનો વિરોધ થાય છે. વિવેચનઃ અર્થ તે પોતાનો આકાર જ્ઞાનમાં અર્પણ કરવા સમર્થ છે, એ વાતનો પણ નિશ્ચય થઈ શકતો નથી, કારણ કે “સંવેદન, અનંતર-અતીત ( પૂર્વેક્ષણમાં જ ઉત્પન્ન થયેલ) અર્થના આકારવાળું છે' એવો નિશ્ચય થતો નથી. (આશય એ કે, અર્થ જો પોતાના આકારનું અર્પણ કરતો હોય, તો જ્ઞાનમાં તેનો આકાર આવે જ અને તો અર્થાકારરૂપે જ્ઞાનનો પણ નિશ્ચય થાય જ... પણ તેવો નિશ્ચય જ ન થવાથી શી રીતે મનાય કે અર્થ પોતાના આકારનું અર્પણ કરે છે...) પ્રશ્ન પણ નિશ્ચય (=“આ સંવેદન, અનંતર-અતીત વિષયના આકારવાળું છે' એવો નિશ્ચય) ન થવાનું કારણ શું? ઉત્તરઃ કારણ એ જ કે, સંવેદન વખતે તે વિષયનું અસ્તિત્વ જ નથી અને એટલે એ વિષયનું ગ્રહણ જ થતું નથી... હવે જો ગ્રહણ જ ન થાય, તો તે સંવેદન “અનંતર-અતીત વિષયના આકારવાળું જ છે, બીજા કોઈ આકારવાળું નહીં' એવો બોધ શી રીતે થાય ? (ભાવ એ કે, તે વિષય અને તેના For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ १६० अनेकान्तवादप्रवेशः –– આકારનું ગ્રહણ કર્યું હોય, તો જાણી શકાય કે – આ સંવેદન તેના આકારવાળું છે. પણ ગ્રહણ વિના તેવું શી રીતે જણાય ?) હવે બૌદ્ધ, અનંતર-અતીત વિષયાકારનો અવગમ સંગત કરવા, પોતાનું મંતવ્ય રજુ કરે છે – બૌદ્ધ : સંવેદનમાં જે આકાર છે, તે તો સ્વસંવેદનસિદ્ધ છે, સ્પષ્ટપણે અનુભવાય છે. બસ તો આવો આકાર જ અનંતર-અતીત વિષયનો છે. અર્થાત્ અનુભવાતા એવા સંવેદનગત આકારના આધારે, અનંતર-અતીત વિષયાકારનો અવગમ કેમ ન થાય ? આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે – (તથહિં-) જે વિજ્ઞાન જેના આકારવાળું ન હોય, તે વિજ્ઞાન તેને ગ્રહણ કરે નહીં. જેમ કે પીતાકાર વિજ્ઞાન, નીલાકારવાળું ન હોવાથી તે નીલનું ગ્રહણ ન કરે. હવે પ્રસ્તુત સંવેદન તો, અનંતર-અતીત વિષયને ગ્રહણ કરનારું છે અને તો તેમાં તે વિષયનો આકાર પણ માનવો જ રહ્યો. (અન્યથા તે તે વિષયનું ગ્રહણ કેમ કરે ?) આમ અનંતર-અતીત વિષયાકારનો અવગમ થાય છે જ ને ? તેની અનુપપત્તિ ક્યાં રહી? સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવી છે. જુઓ- તમે અનંતર-અતીત વિષયાકારનો અવગમ કહો છો, પણ તે અવગમ કયો? (૧) પ્રત્યક્ષ-અવગમ, કે (૨) અનુમાન-અવગમ? (૧) અનંતર-અતીત વિષયાકારનો પ્રત્યક્ષ-અવગમ તો ન માની શકાય, કારણ કે તે તો અનુમીયમાન છે, અર્થાત્ અનુમાનનો વિષય છે. (અને અનુમાનનો વિષય અનુમાનથી જ જણાય, પ્રત્યક્ષથી નહીં.) (૨) અને તે અનંતર-અતીત વિષયાકાર, અનુમાનનો વિષય પણ ન બને, કારણ કે અતીતવિષયાકારનું અનુમાન કોઈ લિંગના આધારે થાય અને તે માટે લિંગ-લિંગીનું અવિનાભાવગ્રહણ આવશ્યક છે. પણ બે ક્ષણ રહેનારું તેવું કોઈ વિજ્ઞાન જ નથી કે જે વર્તમાનકાલીન લિંગ અને અનંતરઅતીત વિષયાકાર; તે બંનેના અવિનાભાવની વ્યવસ્થા કરતું હોય... જો આવું (=પૂર્વાપરક્ષણગત લિંગ-લિંગીના અવિનાભાવનું ગ્રહણ કરનારું) બે ક્ષણ રહેનારું વિજ્ઞાન માનો, તો તેની ક્ષણિકતાનો જ વિરોધ થાય (અર્થાત્ ક્ષણિકમતનો જ વિલોપ થાય.) અને તો અવિનાભાવને ગ્રહણ કરનારું કોઈ જ્ઞાન ન રહેવાથી, તેવું કોઈ અવિનાભાવી લિંગ નહીં પકડાય કે જેના આધારે અતીત-વિષયાકારનું અનુમાન થાય. ___ तदेव विशिष्टं तद्व्यवस्थाकारि, इति चेत् ? न, कारणविज्ञानबोधान्वयव्यतिरेकेण कार्यविज्ञानस्य वैशिष्ट्यायोगाद्, अतिप्रसङ्गात्, तद्वदपरस्यापि वैशिष्ट्यापत्तेः ।। For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १६१ -: પ્રવેશરશ્મિ : ભાવાર્થ : બૌદ્ધ : વિશિષ્ટ જ્ઞાન જ તેની વ્યવસ્થા કરનારું માનીએ તો ? સ્યાદ્વાદી : ના, કારણ કે કારણવિજ્ઞાનરૂપ બોધના અન્વય વિના કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા ન થઈ શકે; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે, તેની જેમ બીજાની પણ વિશિષ્ટતા થવાની આપત્તિ આવે. વિવેચન : બૌદ્ધ ઃ વર્તમાનકાલીન વિજ્ઞાન જ તેવું વિશિષ્ટ માની લઈએ, કે જેથી તે જ અનંતરઅતીત વિષયાકારની વ્યવસ્થા કરી દે. (પછી તો તેનો અવગમ થઈ જશે ને ?) સ્યાદ્વાદી : પણ વાસ્તવમાં કારણવિજ્ઞાનરૂપ બોધના અન્વય વિના, કાર્યવિજ્ઞાન વિશિષ્ટ જ ન બને, નહીંતર તો તેનાથી બીજા વિજ્ઞાનો પણ વિશિષ્ટ માનવાનો પ્રસંગ આવે. ન તાત્પર્ય એ કે, કાર્યવિજ્ઞાનની વિશિષ્ટતા માનવા, કારણવિજ્ઞાનનો તેમાં અન્વય-અનુગમ માનવો પડે (નહીંતર તો બીજા જ્ઞાનોની જેમ તેમાં પણ વિશિષ્ટતા ન આવે અથવા તો તેની જેમ બીજા જ્ઞાનોમાં પણ વિશિષ્ટતા આવે.) હવે તમારા મતે તો કારણવિજ્ઞાન સર્વથા ક્ષણિક છે અને તો તે નિરન્વય નષ્ટ થઈ જાય છે અને તેના પછી જ કાર્યવિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તો તે કાર્યવિજ્ઞાનમાં વિશિષ્ટતા કોના થકી આવે ? અને વિશિષ્ટતા ન આવે, તો તે વિશિષ્ટ બનીને અતીત વિષયાકારનું અનુમાન પણ શી રીતે કરે ? (એટલે તમારા મતે, અતીત-વિષયાકારનો અવગમ કથપિ સંગત નથી.) સાર ઃ આમ, અતીત-વિષયાકારનો અવગમ સંગત નથી અને તેથી તે અર્થ, પોતાના આકારનું જ્ઞાનમાં અર્પણ કરે છે – એવું પણ નિશ્ચિત ન થાય. એટલે અર્થની આકાર-અર્પણતા અનિશ્ચિત જ રહે. (હવે બૌદ્ધ, ક્ષણિકમતે ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંગત કરવા, એક નૂતન વક્તવ્ય રજૂ કરે છે. તેનું પણ ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.) * स्यादेतत्-समानकालयोरेव ग्राह्यग्राहकभावः; तथाहि - स्वहेतुभ्य एव तद्विज्ञानं विशिष्टसमानकालभाविभावग्राहकस्वभावम्, भावोऽपि तद्ग्राह्यस्वभाव एवोत्पद्यते; इति यथोक्तदोषानुपपत्तिः । न, तयोस्तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः प्रतिबन्धाभावात् । इत्यलं प्रसङ्गेन, विजृम्भितमेवाऽत्रास्मत्स्वयूथ्यैः; इति ॥ -- પ્રવેશરશ્મિ : ભાવાર્થ : બૌદ્ધ : સમાનકાળભાવી વસ્તુઓનો જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે. તે આમ - પોતાના હેતુથી જ તે વિજ્ઞાન, વિશિષ્ટ સમાનકાળભાવી ભાવને ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે અને ભાવ પણ તેનાથી ગ્રાહ્યસ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. એટલે યથોક્ત દોષની અનુપપત્તિ છે. સ્યાદ્વાદી : ના, તે બેનો તાદાત્મ્ય અને તદુત્પત્તિ અનુપપન્ન હોવાથી, તેના પ્રતિબંધનો અભાવ છે. હવે આ પ્રસંગથી સર્યું, આ વિશે અમારા સ્વયૂથ્યોએ (પૂર્વાચાર્યોએ) વિસ્તાર કર્યો છે જ. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ १६२ अनेकान्तवादप्रवेशः વિવેચન : બૌદ્ધઃ વાસ્તવમાં પૂર્વાપરકાલીન નહીં, પણ સમાનકાલીન અર્થ-સંવેદનનો જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે. તે આ પ્રમાણે – (૧) પોતાના હેતુઓથી જ તે વિજ્ઞાન તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું કે જેથી તે પોતાના સમાનકાળભાવી અર્થનો “ગ્રાહક બને, અને (૨) અર્થ પણ પોતાના હેતુઓથી જ તેવા વિશિષ્ટ સ્વભાવે ઉત્પન્ન થયું કે જેથી તે પોતાના સમાનકાળભાવી જ્ઞાનથી “ગ્રાહ્ય બને. (આમ સમાનકાલીન અર્થ-સંવેદનની ગ્રાહ્ય-ગ્રાહકતા સંગત જ છે, તો પછી ક્ષણિકમતે ગ્રાહ્યગ્રાહકભાવની અસંગતિ શી રીતે ?) એટલે યથોક્ત દોષ અનુપપન્ન છે. સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે સમાનકાલીન જ્ઞાન-અર્થ વચ્ચે તાદામ્ય કે તદુત્પત્તિ એકે સંબંધ ઘટતો નથી. તે આ પ્રમાણે – (૧) તેઓ બંને એકકાળે રહેનાર હોવાથી, ગોવિષાણકયની જેમ પરસ્પર તેઓ ઉપકાર્ય-ઉપકારકભાવથી રહિત છે અને તો તે બેનો તદુત્પત્તિ સંબંધ શી રીતે ઘટે ? અને (૨) અર્થ જડરૂપ અને સંવેદન ચેતનરૂપ-એમ બંને વિલક્ષણ હોવાથી, તે બેનું તાદાભ્ય તો સુતરો ન ઘટે અને તો સંબંધ વિના તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ શી રીતે ઘટે ? (વાસ્તવમાં તો તમે ભૂલથી જ આવું બોલી ગયા છો કે, સમાનકાલીન અર્થ-જ્ઞાનનો ગ્રાહ્યગ્રાહકભાવ છે, બાકી હકીકતમાં તમારો આવો મત છે જ નહીં. તમે તો પૂર્વેક્ષણે વિષયની અને ઉત્તરક્ષણે જ્ઞાનની ઉત્પત્તિ માનો છો, એટલે તમે તો ગ્રાહ્ય-ગ્રાહકરૂપ અર્થ-જ્ઞાનને પૂર્વાપરકાલીન માનો છો, સમાનકાલીન નહીં.) હવે આ પ્રસંગથી સર્યું. આ વિશે અમારા સંપ્રદાયગત સિદ્ધસેન દિવાકરસૂરિ આદિ વિદ્વાનોએ વિસ્તાર કર્યો છે જ. स्मरणाद्यसम्भवस्तु प्रतिक्षणनिरन्वयेन नश्वरत्वे सति वस्तुनः सुभाव्य एव । नह्यन्येनान्यस्मिन्ननुभूतेऽन्यस्यान्योपलब्धौ स्मरणप्रत्यभिज्ञादयो युज्यत इति । एवम्, ऐहिकसकललोकसंव्यवहाराभावः, इति स्थितम् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં સ્મરણાદિનો અસંભવ તો સુખેથી સમજી શકાય એમ છે. અન્ય વડે અન્ય અનુભવાય અને અન્યને અન્યની ઉપલબ્ધિ થાય, તો સ્મરણ-પ્રત્યભિજ્ઞા આદિ સંગત થાય નહીં, આમ ઐહિક સકળ લોકવ્યવહારનો અભાવ છે, એમ સ્થિત થયું. વિવેચનઃ જો વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો સ્મરણ-પ્રત્યભિજ્ઞાનાદિ ન જ ઘટે, એ વાત તો સુગમ્ય જ છે, તે આ પ્રમાણે – જે પ્રમાતાએ જે વસ્તુ જોઈ હોય, તે પ્રમાતાને તે વસ્તુની ઉપલબ્ધિ થાય ત્યારે “આ તો મેં For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १६३ પૂર્વે જોઈ હતી' “આ તે જ વસ્તુ છે જે મેં પૂર્વે જોઈ હતી એમ સ્મરણ – પ્રત્યભિજ્ઞાન આદિ થાય છે. પણ દરેક વસ્તુ ક્ષણિક હોય તો બીજા પ્રમાતા વડે બીજા અર્થની અનુભૂતિ થાય અને બીજા પ્રમાતાને બીજા અર્થની ઉપલબ્ધિ થાય; એવું માનવું પડે અને તો સ્મરણાદિ શી રીતે ઘટે ? (આશય એ કે, જે પ્રમાતાએ જે વસ્તુનો અનુભવ કર્યો હતો, તે પ્રમાતા અને તે વસ્તુ તો બીજી જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને હવે જે પ્રમાતાને જે અર્થ ઉપલબ્ધ થાય છે, તે પ્રમાતા અને અર્થ તો પૂર્વેક્ષણ કરતાં જુદા જ છે અને જુદા હોય તો “આ તો મેં પૂર્વે જોઈ હતી“આ તે જ વસ્તુ છે જે મેં પૂર્વે જોઈ હતી’ એવાં સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ શી રીતે ઘટે ?) એટલે ક્ષણિકવાદમાં સ્મરણાદિ અસંગત જ છે. નિષ્કર્ષ : આમ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાનાદિ કંઈ ન ઘટે અને તો ઐહિક સકળ લોકવ્યવહારનો અભાવ થાય, એમ સ્થિત થયું. ___ आमुष्मिकव्यवहारस्तु सुतरामसङ्गतः, कृतनाशाकृताभ्यागमप्रसङ्गात्; तथाहियः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति, कुशलमपि च कर्मात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति, अतः कृतनाशः, क्षणान्तरस्य चिरविनष्टात्कर्मणः पुनरायत्यां फलोदयाभ्युपगमे सत्यकृताभ्यागमः, इत्येतच्चासमञ्जसम् ।। - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પારલૌકિક વ્યવહાર તો સુતરાં અસંગત છે; કેમ કે કૃતનાશ અને અકૃત-અભ્યાગમનો પ્રસંગ આવે છે. તે આમ - જે કુશળમાં પ્રવર્તે છે. તે ત્યારે જ સર્વથા નાશ પામે છે અને કુશળ કર્મ પણ ઉત્પત્તિ પછી તરત જ નિરન્વય નાશ પામે છે, એટલે કૃતનાશ અને ભવિષ્યમાં અન્ય વ્યક્તિક્ષણને ચિરનષ્ટ એવા કર્મથી ફળોદય માનવામાં અકૃત-અભ્યાગમ થાય. અને આ તો અસમંજસ છે. * ક્ષણિકવાદમાં પારલૌકિકવ્યવહાર સુતરાં અસંગત છે વિવેચનઃ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત થાય છે, કારણ કે તેમાં (૧) કૃતનાશ, અને (૨) અકૃત-અભ્યાગમ નામના બે દોષ આવે છે. તે આ પ્રમાણે – (૧) જે વ્યક્તિ કુશળ-અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, તે વ્યક્તિ તો નિરન્વય-વિનાશશીલ હોવાથી, ત્યારે જ સર્વથા નષ્ટ થઈ જાય છે અને તેણે જે પુણ્યરૂપ કુશળ કર્મનું ઉપાર્જન કર્યું છે, તે કર્મ પણ બીજી જ ક્ષણે નિરન્વય નષ્ટ થાય છે. (એટલે તે ભવિષ્યમાં કોઈ ફળ આપતું જ નથી.) આમ કરેલું પુણ્યકર્મ, ફળ આપ્યા વિના જ નષ્ટ થઈ ગયું. એટલે તો કૃતનાશ (=કરેલા પુણ્યકર્મનો ફળ આપ્યા વિના જ નાશ) માનવાનો પ્રસંગ આવે. (૨) હવે જો તે ચિરનષ્ટ કર્મનો, કર્તૃક્ષણથી અન્યક્ષણમાં ભવિષ્યકાળે ફળોદય માનો, તો For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ १६४ अनेकान्तवादप्रवेशः તો અકૃતઅભ્યાગમ નામનો દોષ આવે. (ભાવ એ કે, કર્તાપુરુષે કુશળક ઉપાર્જન કર્યું અને તે કર્મનું ફળ તમારે માનવું છે. હવે તે કર્મનું ફળ, ભવિષ્યમાં આવનારી બીજી ક્ષણોમાં માનો તો તો અકૃત-અભ્યાગમ આવે જ. કારણ કે (અકૃત5) ભવિષ્યમાં આવનારી જે ક્ષણોએ કુશળકર્મ કર્યું નથી, તે ક્ષણોમાં પણ તમે (અભ્યાગમe કુશળકર્મનું ફળ માની બેઠા...) પણ આ રીતે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ માનવો તે બિલકુલ સમંજસ નથી. (જ કુશળમાં પ્રવર્તે તેને કશું ફળ ન મળે અને તેનું ફળ બીજા મેળવી જાય... એ બધું તો જરાય ન્યાયસંગત નથી.) એટલે ક્ષણિકમતે કર્મફળનો સંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ સંગત નથી. तथा मुक्तिरपि प्राणिनामसङ्गतैव; तथाहि-तीव्रतरवेदनाविभिन्नशरीरः संसारविमुखया प्रज्ञया विभावितसंसारदोषो निरास्थो जिहासुर्भवमुपादित्सुनिर्वाणं रागादिक्लेशपक्षविक्षोभक्षममामुखीकृत्य मार्गममलं क्रमेणावदायमानचित्तसन्ततिनिरतिशयपेशलरसमास्वादयति निर्वृतिमिति न्यायः, अयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति आत्मादिवस्तुनो न घटामुपैति, तथाहि अन्य एव दुःखैः सांसारिकैः पीड्यते, अन्यश्च निर्विद्यते, अन्यस्य च विरागमुक्ती, इति, अशोभनमेतत्, अतिप्रसङ्गात्, एवमामुष्मिकव्यवहारोऽप्यसङ्गतः, इति स्थितम् । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તથા મુક્તિ પણ પ્રાણીઓને અસંગત જ છે. તે આ પ્રમાણે - તીવ્રતર વેદનાથી ભેદાયેલા શરીરવાળો, સંસારવિમુખ પ્રજ્ઞાથી ભાવેલા સંસારના દોષવાળો, આસ્થા વિનાનો, ભવને છોડવા ઇચ્છનાર, નિર્વાણ મેળવવા ઇચ્છનાર રાગાદિ ક્લેશના પક્ષને વિક્ષોભ કરવા સમર્થ એવા અકલંક માર્ગને સન્મુખ કરીને ક્રમશઃ વિશુધ્ધમાન ચિત્તસંતતિવાળો જીવ, નિરતિશય-મધુરરસવાળી નિવૃતિને આસ્વાદે છે અને આત્માદિ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં આવું સંગતિને પામે નહીં. તે આમ - સાંસારિક દુઃખો વડે બીજો જ પીડાય અને બીજો નિર્વેદ પામે અને બીજાને વૈરાગ્ય અને મુક્તિ થાય અને આ તો અશોભન છે; કેમ કે અતિપ્રસંગ આવે છે. આમ, આમુષ્મિકવ્યવહાર પણ અસંગત છે-એમ સ્થિત થયું * ક્ષણિકવાદમાં મુક્તિ પણ અસંગત છે વિવેચન : જો દરેક વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પ્રાણીઓની મુક્તિ પણ અસંગત થઈ જશે. તે આ પ્રમાણે – (૧) જરા-મરણાદિ તીવ્રતર વેદનાને કારણે, શરીર પર નિર્વેદ પામેલો.. (૨) સંસારવિમુખ લોકોત્તર પ્રજ્ઞાથી, સંસારમાં જન્મ-મરણાદિ સતત થતા હોવાથી, જેણે સંસારનો દોષ ભાવિત કર્યો છે... (૩) સંસારમાં સંયોગ-વિયોગ થયા કરતા હોવાથી, જેને સંસાર પર જરાય આસ્થા રહી નથી. (૪) ભવને છોડવા ઇચ્છનારો. (૫) નિર્વાણને (=મોક્ષને) મેળવવા જેનું મન તલસી રહ્યું છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १६५ (૬) રાગ-દ્વેષાદિ ક્લેશના સમૂહને વિક્ષોભ (=વેરવિખેર) કરવામાં દક્ષ એવા નિર્મળ =નિરતિચાર) એવા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને સન્મુખ કરીને, ક્રમશઃ વિશુદ્ધ-વિશુદ્ધતર ચિત્તની પરંપરાવાળો... આવો જીવ, નિરતિશય અને મધુર રસવાળા મોક્ષનું આસ્વાદન કરે છે. આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. પણ આત્મા આદિ વસ્તુને, જો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તે માર્ગ બિલકુલ ઘટતો નથી. તે આ પ્રમાણે – આત્મા પ્રતિક્ષણ નશ્વર છે. એટલે આત્માની પીડા પામવાની ક્ષણ જુદી અને નિર્વેદ પામવાની ક્ષણ જુદી... વિરાગ પામવાની ક્ષણ જુદી અને મોક્ષ પામવાની ક્ષણ જુદી – આમ દરેક ક્ષણો જુદી જુદી હોવાથી, તે તે ક્ષણગત નિરન્વય નશ્વર આત્મા પણ જુદો જુદો થાય. અને એટલે તો એવું ફલિત થાય કે, શારીરિક-માનસિક સંસારના દોષોથી બીજો જ પીડાય છે અને નિર્વેદ બીજો જ કોઈ પામે છે... વૈરાગ્ય બીજાને થાય છે અને મોક્ષ બીજો જ કોઈ મેળવે છે. પણ આવું માનવું તો જરાય શોભન નથી, નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે, ચૈત્રના વૈરાગ્યથી મૈત્રનો મોક્ષ માનવો પડે. (ભાવ એ કે, વિરાગીક્ષણથી ભિન્નક્ષણમાં પણ જો મુક્તિ થતી હોય, તો તેની જેમ ચૈત્રરૂપ વિરાગીક્ષણથી ભિન્ન મૈત્રક્ષણમાં પણ મુક્તિ માનવી પડે ! જે બિલકુલ યોગ્ય નથી.) એટલે ક્ષણિકમતે મોક્ષ પણ સંગત નથી અને તો તેઓ મતે પારલૌકિક વ્યવહાર પણ સંગત ન જ થાય, એવું સ્થિત થયું. (હવે બૌદ્ધ, ક્ષણિકમતે ઐહિક-પારલૌકિક તમામ વ્યવહારને સાબિત કરવા અને પોતાના મતને નિર્દોષ બતાવવા, વિસ્તૃત (૧૬૫થી ૧૭૦ પૃષ્ઠ સુધીનો) પૂર્વપક્ષ રજૂ કરે છે –) स्यादेतद्-विशिष्टहेतुफलभावनिबन्धनः सर्व एवायमैहिकामुष्मिकव्यवहारः; तथाहिविशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते, ततश्च तदेव तस्य ग्राहकमभिधीयते, न पुनरन्यद्, अतिप्रसङ्गात्; एवं स्मरणाद्यपि भावनीयम् इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: બોદ્ધપૂર્વપક્ષ ઃ વિશિષ્ટ હેતુ-ફળ ભાવના કારણે જ આ બધો ઐહિક-આમુમ્બિક વ્યવહાર થાય. તે આ પ્રમાણે - વિશિષ્ટ રૂપાદિ સામગ્રીને આશ્રયીને વિશિષ્ટ જ સંવેદન ઉત્પન્ન થાય અને તેથી તે જ તેનું ગ્રાહક કહેવાય, બીજુ કોઈ નહીં. કારણ કે અતિપ્રસંગ આવે. એ રીતે સ્મરણાદિ પણ સમજવું. * ક્ષણિકમતે વ્યવહારસમંજસતાસાધક બદ્ધપૂર્વપક્ષ કે વિવેચન : બૌદ્ધપૂર્વપક્ષ: અમે એક વિશિષ્ટ કાર્ય-કારણભાવ માનીશું અને તેના આધારે જ ઐહિક-પારલૌકિક તમામ વ્યવહાર ઘટાડીશું. તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ १६६ अनेकान्तवादप्रवेशः (૧) ઇહલૌકિક વ્યવહારસંગતિ : (ક) ગ્રાહ્ય-ગ્રાહકભાવ : વિશિષ્ટ (=તરત જ પોતાના કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ) એવી રૂપાદિસામગ્રીને આશ્રયીને વિશિષ્ટ સંવેદન ઉત્પન્ન થાય છે અને તેથી તે વિશિષ્ટ સંવેદન જ, તે રૂપાદિનો ગ્રાહક બને, બીજું સંવેદન નહીં કારણ કે બીજું સંવેદન, તે રૂપાદિથી ઉત્પન્ન થયું નથી.) તેનાથી ઉત્પન્ન ન થવા છતાં પણ, બીજા સંવેદનને તેનું ગ્રાહક માનો, તો અતિપ્રસંગ એ આવે કે, નીલથી અજન્ય પીતજ્ઞાન પણ નીલનું ગ્રાહક માનવું પડે ! (એટલે રૂપાદિજ્ઞાન જ રૂપાદિનું ગ્રાહક હોઈ ક્ષણિકમતે પણ પ્રતિનિયત ગ્રાહ્ય-ગ્રાહકભાવ સંગત જ છે.) (ખ) સ્મરણ, (ગ) પ્રત્યભિજ્ઞાન : જ્ઞાનના વાસનારૂપ સંસ્કારના કારણે સ્મરણાદિ પણ અવિરોધપણે ઘટી જશે ભાવ એ કે, વસ્તુનો અનુભવ થયા પછી, તે અનુભવનો વાસનારૂપ સંસ્કાર, તેની જ્ઞાનપરંપરામાં આવે (અર્થાત્ પૂર્વ-પૂર્વના જ્ઞાનો ઉત્તરોત્તરના જ્ઞાનોને સંસ્કારિત કરે) અને તેથી જ તેને ભાવિમાં તત્સદશ વસ્તુ જોવાથી સ્મરણ-પ્રત્યભિજ્ઞાન થાય છે. આમ ક્ષણિકમતે વિશિષ્ટ કાર્ય-કારણભાવને લઈને ઈહલોકસંબંધી સર્વવ્યવહાર સંગત જ છે. (૨) હવે પારલૌકિક વ્યવહારની સંગતિ જોઈએ – कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्रानवकाश एव, क्षणभेदेऽप्युपादानोपादेयभावेनैकस्यामेव सन्ततावाहितसामर्थ्यस्य कर्मणः फलदानात्, अतो य एव सन्तानः कर्ता, स एव भोक्ता, इति; तथाहि-यः कुशले प्रवर्त्तते, स यद्यपि तदैव सर्वथा विनश्यति, तथापि निरुद्ध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततौ आधाय निरुध्यते; यतः सामर्थ्यविशेषादुत्तरोत्तरक्षणपरिणामेन कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात् सहकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधात् फलमिष्टमनिष्टं चोपजायते; अतो न यथोक्तदोषः । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ = કૃતનાશ અને અકૃત-અભ્યાગમનો પ્રસંગ પણ અહીં અનવકાશ જ છે. કેમ કે ક્ષણક્ષેદ હોવામાં પણ ઉપાદાન-ઉપાદેયભાવે એક જ સંતતિમાં આહિત સામર્થ્યવાળા કર્મના ફળનું દાન થાય છે. એટલે જે સંતાન કર્તા છે, તે જ સંતાન ભોક્તા થાય. તે આ પ્રમાણે – જે કુશળમાં પ્રવર્તે છે, તે જો કે સર્વથા ત્યારે જ નાશ પામે છે, તો પણ નાશ પામતો તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સામર્થ્યનું વિજ્ઞાનસંતતિમાં આધાર કરીને વિનાશ પામે છે. અને તે સામર્થ્યવિશેષથી ઉત્તરોત્તર ક્ષણપરિણામ દ્વારા કાળાંતરે થયેલા પરિણામથી ઉત્પન્ન થયેલી વાસનાના પરિપાકથી અને સહકારી કારણોના સંનિધાનથી ઉત્પન્ન થયેલા પ્રબોધથી ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે, એટલે યથોક્ત દોષ નથી. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः - કૃતનાશ-અકૃતાભ્યાગમ દોષનું નિવારણ # વિવેચન ઃ તમે જે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ નામનો દોષ આપ્યો હતો, તે દોષનો પણ વિશિષ્ટ કાર્ય-કારણભાવને માનવામાં અવકાશ રહેતો નથી. તે આ પ્રમાણે १६७ દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં, તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ (=હેતુ-ફળભાવ) રહ્યો છે (અર્થાત્ પૂર્વ-પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરોત્તરની ક્ષણ કાર્ય - એમ કાર્ય-કારણભાવ રહ્યો છે.) અને તેથી એક જ ક્ષણપરંપરામાં જેણે પોતાના સામર્થ્યનું આધાન કર્યું છે, તેણે તે કર્મનું ફળ પ્રાપ્ત થાય જ છે. એટલે સામાન્યથી જે સંતાન કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. તાત્પર્ય એ કે, પૂર્વાપર ક્ષણોમાં કાર્ય-કારણભાવ છે, એટલે કર્મ તે પોતાની ઉત્તરક્ષણ ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન કરે... પછી તે ઉત્તરક્ષણ પણ પોતાની ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન કરે... એ જ રીતે આગળ-આગળની ક્ષણોમાં પણ સમજવું. આમ એક વ્યક્તિની જ્ઞાનપરંપરામાં, તે કર્મના સામર્થ્યનું આધાન થતું જાય અને ભવિષ્યમાં તે સામર્થ્યને આધારે જ, તે વ્યક્તિને તેનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય. આ રીતે કર્મ એક જ જ્ઞાનપરંપરામાં પોતાના સામર્થ્યનું આધાન કરી, ભવિષ્યમાં ફળનું અર્પણ કરે છે જ. એટલે *સામાન્યથી જે સંતાન (=જ્ઞાનપરંપરા) કર્મનો કર્તા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે. આ જ વાતને જણાવવા ભાવના કહે છે — (તથાદિ-) જે વ્યક્તિ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે વ્યક્તિ તો પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. પણ જ્યારે તે નાશ પામે, ત્યારે તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં સામર્થ્યને વિજ્ઞાનપરંપરામાં આહિત કરીને જ નાશ પામે છે. હવે જ્ઞાનપરંપરામાં આહિત કરેલ એ સામર્થ્યવિશેષથી જ, ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (આવું કઈ રીતે થાય? તે આપણે જોઈએ.) (૧) કાળાંતરના પરિણામથી (અર્થાત્ અમુક કાળ વીત્યા પછી ) ઉત્પન્ન થયો છે વાસનાનો પરિપાક જેનો, અને (૨) કાર્યરૂપને ઉત્પન્ન કરનારાં એવાં કારણોના સંનિધાનથી જેનો પ્રબોધ થયો છે (અર્થાત્ જેમાં જાગૃતિ ઊભી થઈ છે.) તેવા સામર્થ્યવિશેષથી ઉત્તરોત્તર ક્ષણના પરિણામે પ્રશાંત * અહીં ‘સામાન્યથી’ કહેવાનું તાત્પર્ય એ કે, દરેક જ્ઞાનક્ષણો જુદી જુદી હોવા છતાં ઉપાદાન-ઉપાદેયભાવે તેઓ સંલગ્ન હોવાથી, તેઓનો ક્ષણભેદ નજરમાં ન રાખી, સામાન્યથી તે આખી જ્ઞાનપરંપરા લેવી અને તેથી તે એક જ જ્ઞાનપરંપરામાં કર્દૂ-ભોક્તભાવ પણ સંગત થઈ જાય. * નિરુત્સકભાવે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિને પ્રશાંતવાહિતા કહેવાય. આ પ્રશાંતવાહિતા કુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને સમજવી. અકુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને અપ્રશાંતવાહિતા હોય છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -> અપ્રશાંતવાહિતાના આધારે ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ પ્રશાંતવાહિતાના બળે ઇષ્ટ ફળ અને અપ્રશાંતવાહિતાના બળે અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.) १६८ સાર એ કે, તે તે કર્મો, નાશ પામતી વખતે પોતાની ઉત્તરક્ષણમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન કરતા જાય અને તે સામર્થ્ય દ્વારા, વાસનાનો પરિપાક થયે અને કારણસંનિધાનથી જાગૃતિ થયે, ઉત્તરોત્તર ક્ષણપરંપરાએ ઇષ્ટ-અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આમ ક્ષણિકમતે કર્મફળસંબંધ વગેરે પારલૌકિક વ્યવહાર પણ સંગત જ છે. એટલે અમારા મતે ઐહિક-પારલૌકિક વ્યવહારનો ઉચ્છેદ થવારૂપ દોષ અંશતઃ પણ રહેતો નથી. * प्रतीतश्चायमर्थः, तथाहि - रसायनादिभिः प्रथमोपनिपातवेलायामाहितो विशेषो देहे तदुत्तरोत्तरावस्थाभेदोपजननेन पश्चाद्देहातिशयस्य बलमेधाऽऽरोग्यादेर्निष्पादकः, तथा लाक्षारसनिषेकोपनीतसामर्थ्यं मातुलिङ्गकुसुममुत्तरोत्तरविशेषोपजननेन फलोदरान्तर्वर्तिनः केसरस्य रक्तताहेतुर्भवत्येव; इति दृष्टत्वान्मुच्यतामभिनिवेशवेशसम् । - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : આ અર્થ પ્રતીત પણ છે. તે આમ - રસાયન આદિ દ્વારા પ્રથમ-ઉપનિપાત વખતે જ દેહમાં નંખાયેલો વિશેષ, ઉત્તરોત્તર અવસ્થાભેદને ઉત્પન્ન કરવા દ્વારા પાછળથી દેહના અતિશયરૂપ-બળ-મેઘાઆરોગ્યાદિનો નિષ્પાદક થાય... તથા, લાક્ષારસના સિંચનથી લવાયેલું સામર્થ્ય, માતૃલિંગ કુસુમના ઉત્તરોત્તર વિશેષને ઉત્પન્ન કરવા દ્વારા તેના ફળની અંદર રહેલી કેસરાની લાલાશનું કારણ બને છે. એવું દૃષ્ટ હોવાથી અભિનિવેશનું વ્યસન મૂકો. વિવેચન : અને અમે જે સામર્થ્યના આધાન દ્વારા પરંપરાએ વિશિષ્ટફળની પ્રાપ્તિ કહી, તે અર્થ તો લોકમાં પણ પ્રસિદ્ધ છે જ તે આ પ્રમાણે – (આ વાત બે દષ્ટાંતથી સમજાવે છે –) (૧) સંજીવની વગેરે રસાયનો દ્વારા,પહેલી વખતે તો શરીરમાં, ઘડપણાદિને હણનારું એક વિશિષ્ટ બીજનું આધાન થાય છે... તે પછી ઉત્તરોત્તર વિશિષ્ટ-વિશિષ્ટતર અવસ્થાઓને ઉત્પન્ન કરવા દ્વારા, છેલ્લે તે રસાયન, દેહના અતિશયરૂપ બુદ્ધિ-બળ-આરોગ્યાદિને ઉત્પન્ન કરનાર બને છે. (આમ રસાયન સામર્થ્યના આધાન દ્વારા વિશિષ્ટ ફળને ઉત્પન્ન કરે છે જ, તેમ કર્મ અંગે પણ સમજવું.) (૨) લાક્ષારસના સિંચન દ્વારા, બીજોરાના પુષ્પમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન થાય છે... પછી તે સામર્થ્યવાળું પુષ્પ, બીજોરાની પરંપરામાં જ ઉત્તરોત્તર વિશેષને ઉત્પન્ન કરીને છેલ્લે તે બીજોરાના ફળની અંદર રહેલ કેસરાના લાલરંગને ઉત્પન્ન કરે છે. (આમ લાક્ષારસ, સામર્થ્યના આધાન દ્વારા પરંપરાએ કેસરાને લાલ કરવારૂપ વિશિષ્ટ ફળનું For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १६९ અર્પણ કરે છે જ. તેમ કર્મ અંગે પણ સમજવું.) આવું લોકમાં પણ સ્પષ્ટપણે દેખાતું હોવાથી, તે જૈનો ! તમે તમારા અભિનિવેશનનું વ્યસન બાજુ પર મૂકી દો ! (ક્ષણિકમતે પણ કર્મફળસંબંધ-આદિ બધું ઘટે જ છે.) ___यच्चोक्तम्-'मुक्तिरपि प्राणिनामसङ्गता' इत्यादि-'यावदयं च प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो न घटामुपैति ?' इति । ____ तदप्ययुक्तम्, प्रतिक्षणनिरन्वयनश्वरात्मपक्ष एव युज्यमानत्वात्, तथाहि-नैरात्म्यवादिनः क्षणिकाः पदार्थाः, यथाहेतुसन्निधानं विक्रियामात्मसात्कुर्वाणाः समुपरोधहेतुभिर्यदा पीड्यन्ते दुःखविशेषाध्यासितोत्तरोत्तरक्षणोत्पत्तितः, ततस्ते निर्विद्यन्ते, निर्विद्योत्तरोत्तरक्षणसमुत्पादानिर्बिण्णास्तदुत्तरोत्तरश्रुतभावनादिना अक्लिष्टानेकक्षणपरम्परोत्पादनेन दानदमसंयमाद्यनेकप्रकारशुभधर्माध्यासाद्, रागादिबीजोन्मूलनसमर्थमार्गभावनातः प्रतिकलमवदायमानविशुद्धिपर्यन्तवतिक्षणोत्पादाधिगतविमुक्तयः कथ्यन्ते, इत्यनवद्यम्; अन्यथा आत्मनो व्यवस्थितत्वाद्वेदनाभावेऽपि विकारान्तरभावात्, प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयैत्वाच्च મુવ7મ:, રૂતિ | કર ‘પક્ષમાણે.' કૃતિ પૂર્વમુદ્રિતપાઈ, સત્ર C-પ્રતિપાઠઃ | » ‘શયસમવાઘ' રિ પૂર્વમુદ્રિતા, સત્ર -પ્રતિપાd: I – પ્રવેશરશ્મિ – ભાવાર્થ ઃ અને તમે જે કહ્યું હતું કે “મુક્તિ પણ પ્રાણીઓને અસંગત થાય... ત્યાંથી લઈને યાવત્ ત્યાં સુધીનું કે – આત્માદિ વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં તેમનું અસ્તિત્વ ઘટતું નથી' - તે બધું પણ અયુક્ત છે; કેમ કે પ્રતિક્ષણ નિરન્વય-નશ્વર આત્મપક્ષે જ તે બધું ઘટે છે. તે આમ – નૈરાગ્યવાદીમતે ક્ષણિક પદાર્થો, પોતાના હેતુના સંનિધાન પ્રમાણે સમુહરોધના હેતુઓ વડે વિકારને પ્રાપ્ત કરતા જ્યારે તેઓ દુઃખવિશેષથી અધ્યાસિત ઉત્તરોત્તર ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા પીડા પામે છે, ત્યારપછી તેઓ નિર્વેદ પામે છે અને નિર્વેદ પામીને ઉત્તરોત્તર ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા નિર્વિણ થઈ ગયેલા તેઓ, શ્રુતભાવનાદિ દ્વારા અક્લિષ્ટ અનેક ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા દાન, દમ, સંયમ આદિ અનેક પ્રકારના શુભ ધર્મના અધ્યાસથી રાગાદિ બીજને ઉખેડવામાં સમર્થ એવી માર્ગભાવનાથી પ્રતિપળ વિશુદ્ધ થતા વિશુદ્ધિના પર્યતવર્તી ક્ષણના ઉત્પાદથી મેળવાયેલી મુક્તિવાળા તેઓ કહેવાય છે, એમ કોઈ દોષ રહેતો નથી, અન્યથા આત્મા તો તદવસ્થ હોવાથી વેદના થવામાં પણ બીજો કોઈ વિકાર ન થવાથી અને પ્રતિપક્ષના અભ્યાસથી પણ અતિશયનું આધાન અસંભવિત રહેવાથી મુક્તિનો સંભવ નથી. # મોક્ષ-અસંગતિનું નિવારણ શું | વિવેચનઃ ઓ સ્યાદ્વાદી ! તમે જે કહ્યું હતું કે –“પ્રાણીઓને મુક્તિ પણ અસંગત છે.. ત્યારથી For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ १७० अनेकान्तवादप्रवेशः લઈને યાવત્ ત્યાં સુધી કે – વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવામાં આત્માદિ વસ્તુઓ બિલકુલ સંગત ન થાય” – તે બધું કથન પણ અયુક્ત છે, કારણ કે વાસ્તવમાં તો પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનવાના પક્ષમાં જ મોક્ષ ઘટે છે. તે આ પ્રમાણે – નૈરામ્યવાદી ( કોઈપણ વસ્તુ સાત્મક નથી એવું કહેનારા) બૌદ્ધના મતે, દરેક પદાર્થો ક્ષણિક છે. હવે આ ક્ષણિક પદાર્થો (=વિજ્ઞાનસંતાન*) ક્ષણિકતાના કારણે જ, જે પ્રમાણે પોતાના હેતુનું સંનિધાન થાય, તે પ્રમાણે તેઓ વિક્રિયાને પ્રાપ્ત કરે છે. (અર્થાત્ ક્ષણે ક્ષણે તે વિજ્ઞાનસંતાન, પોતાના હેતુના સંનિધાન પ્રમાણે વિકારને પામે છે.) જુઓ – તે ક્ષણિક પદાર્થો ( વિજ્ઞાનસંતાન) સમુપરોધના કારણભૂત જવર-જરા વગેરેના કારણે વિકારને પામે અને તેથી તેઓ દુઃખવિશેષથી વાસિત ઉત્તરોત્તર ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા પીડાને અનુભવે છે... ત્યારબાદ તેઓ નિર્વેદ પામીને ઉક્તક્ષણ પછીની ઉત્તરોત્તર ક્ષણોને નિર્વેદમય ઉત્પન્ન કરતા હોવાથી નિર્વિણ થઈ જાય છે, અર્થાત્ સંસારથી વિરક્ત થઈ જાય છે... ત્યારપછી ઉત્તરોત્તર શ્રુતભાવના વગેરેના આધારે અક્લિષ્ટ (=શુદ્ધ) અનેક ક્ષણોને ઉત્પન્ન કરવા દ્વારા, દાન-દમ-સંયમ આદિ અનેક પ્રકારના શુભધર્મોથી વાસિત થઈને, રાગ-દ્વેષાદિના બીજને જડમૂળથી ઉખેડી નાખવા સમર્થ એવી માર્ગભાવનાના (કનૈરાભ્યભાવનાના) આધારે પ્રતિસમય વિશુદ્ધ થતા, છેલ્લે અત્યંત વિશુદ્ધ એવી પર્યત ક્ષણને ઉત્પન્ન કરવા દ્વારા તેઓ “વિમુક્ત થયા કહેવાય છે. આમ, ઉત્તરોત્તર ક્ષણપરંપરાની અપેક્ષાએ ક્ષણિકમતમાં જ મોક્ષ સંગત થાય છે. (અન્યથા=) જો આત્માને નિરન્વય નશ્વર ન માનો, અને અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી માનો, તો આત્મામાં જવરાદિ સમુપરોધના હેતુઓથી કોઈ વેદના જ નહીં થાય... (માવેT) કદાચ વેદના થાય, તો પણ તે એકાંત એકસ્વભાવી હોવાથી, તેમાં કોઈ વિકાર નહીં થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાઓથી (=રાગાદિના પ્રતિપક્ષભૂત વિરાગભાવનાઓથી) તેમાં કોઈ અતિશયવિશેષનું આધાન પણ નહીં થાય અને તો આવા આત્માની મુક્તિ પણ ન સંભવે, કારણ કે આત્મા સદા એકસ્વભાવી હોવાથી તેમાં ફેરફાર ન થાય. એટલે ખરેખર તો અક્ષણિક-નિત્યમતમાં જ મોક્ષની અસંગતિ છે. સાર ઃ આમ વિશિષ્ટ કાર્ય-કારણભાવને આશ્રયીને, ક્ષણિકમતે સ્મરણાદિ ઐહિક વ્યવહાર અને કર્મફળસંબંધાદિ પારલૌકિક વ્યવહાર એ બધું નિબંધ હોઈ, અમારો મત નિર્દષ્ટ જણાઈ આવે છે. (આ પ્રમાણે બૌદ્ધનો પૂર્વપક્ષ થયો. હવે ગ્રંથકારશ્રી ઉત્તરપક્ષ કહેશે. તેમાં બૌદ્ધમંતવ્યનું વિકલ્પશ: અનેક યુક્તિઓથી નિરાકરણ કરાશે.) * અહીં ક્ષણિકપદાર્થ તરીકે ક્ષણવ્યક્તિ નથી લેવાની, પણ ક્ષણપરંપરા લેવાની છે અને તો જ તેમાં ઉપરોધના કારણ એવા દંડાદિથી જ્યારે પીડાય છે... નિર્વેદ પામે છે... ભાવના શોભે છે...' એવાં જુદાં જુદાં વિશેષણો ઘટી શકે. નહીંતર ક્ષણવ્યક્તિ લેવામાં તો, તેવા જુદાં જુદાં વિશેષણો સંગત થાય નહીં... (એટલે ક્ષણિકપદાર્થ=વિજ્ઞાનસંતાન=જ્ઞાનપરંપરા...) — — — – For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १७१ एतदपि तत्त्वापरिज्ञानविजृम्भितमेव, भवत्पक्षेऽपि विशिष्टहेतुफलभावानुपपत्तेः; तथाहि-किं वैशिष्ट्यं नाम ? किं हेतुफलयोरैक्यम् ? तयोरेवैककालता ? अथ कारणधर्म-सङ्क्रान्तिः ? उत साधारणवस्तुसम्बन्धित्वम् ? किं वैकार्थक्रियाहेतुत्वम् ? किं वा विशिष्टकारणजन्म ? किं वा तदनन्तरभावित्वम् ? किं वा विशिष्टक्रियाहेतुत्वम् ? વિશ્વતિઃ ? - પ્રવેશરશ્મિ – ભાવાર્થ આ પણ તત્ત્વ-અપરિજ્ઞાનથી જ વિસ્તૃત છે; કેમ કે તમારા પક્ષે પણ વિશિષ્ટ હેતુ-ફળભાવ અનુપાન છે. તે આમ વિશિષ્ટતા એટલે શું? (૧) શું હેતુ-ફળની એકતા? (૨) તે બેનું જ એક કાળપણું? (૩) કારણધર્મની સંક્રાંતિ? (૪) સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું? (૫) એક અર્થક્રિયાહેતુત્વ? (૬) વિશિષ્ટકારણજન્મ? (૭) કારણાનંતરભાવિપણું? કે (૮) વિશિષ્ટ ક્રિયાહેતુપણું?... એથી શું? તે જુઓ – બોદ્ધમંતવ્યનું વિકલાશઃ નિરાકરણ છે વિવેચનઃ ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી :) તમારું આ કથન પણ તત્ત્વને સમજયા વિનાનો જ વિસ્તાર છે, કારણ કે તમે ઉપર હેતુ-ફળભાવને લઈને બધી વ્યવસ્થાઓ કરી, પણ હકીકતમાં તમારા (પ્રતિક્ષણ નિરન્વય નશ્વરવાદી) મતે વિશિષ્ટ હેતુ-ફળભાવ જ ઉપપન્ન થતો નથી. તે આ પ્રમાણે– વિશિષ્ટ હેતુ-ફળભાવ તમે કહો છો, પણ તેમાં વિશિષ્ટતા એ શું છે? (૧) હેતુ-ફળનું એક થવું છે ? (૨) હેતુ-ફળ બંનેનો એક કાળ હોવો તે? (૩) કારણના ધર્મનું કાર્યમાં સંક્રમણ થવું તે ? (૪) સાધારણ વસ્તુ સાથે સંબંધીપણું હોવું તે? (૫) એક જ અર્થક્રિયાના કારણરૂપે હોવું તે? (૬) વિશિષ્ટ કારણથી ઉત્પન્ન થવું તે? (૭) કારણની અનંતર કાર્યનું થવાપણું તે? (૮) વિશિષ્ટ ક્રિયાના હેતુરૂપે હોવું તે? આ આઠ વિકલ્પો છે. બૌદ્ધ : આ આઠ વિકલ્પોથી શું થાય ? જૈનઃ થાય એ જ કે, તમારા મતે કાર્ય-કારણભાવ અસંગત ઠરી આવે. તે આ પ્રમાણે – यदि हेतुफलयोरैक्यम्, तर्हि हेतुफलभावानुपपत्तिरेव, सर्वथैकत्वान्मृत्पिण्डतन्त्वादीनामपि For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ १७२ अनेकान्तवादप्रवेशः घटपटाद्यभेदतो जलाद्यानयनादिकार्यप्रसाधकत्वप्रसङ्गात्, घटादीनामपि वाऽप्रसङ्गात् । * ...કૃતિપveત્વાકીના.તિ પૂર્વમુદ્રિતપd., મત્ર B-પાઃ | – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: (૧) જો હેતુ-ફળનું એકપણું કહો, તો હેતુ-ફળભાવ અનુપપન્ન જ રહે, કારણ કે સર્વથા તેઓનું એકપણું છે અને તેવું હોવામાં મૃતપિંડ-તંતુ આદિનો પણ ઘટ-પટાદિની સાથે અભેદ થવાથી, તેઓ પણ જળ લાવવાદિરૂપ કાર્યના પ્રસાધક થશે અથવા તો ઘટાદિ પણ કાર્યના પ્રસાધક નહીં બને. # પ્રથમ વિકલ્પની અસંગતિ છે વિવેચનઃ (૧) જો હેતુ-ફળ બંનેને એક હોવાનું કહો, તો તો હેતુ-ફળભાવ જ ઉપપન્ન થાય નહીં, કારણ કે સર્વથા એક હોવાથી “હેતુ’ ‘ફળ' એવા બે જુદા તત્ત્વો જ રહે નહીં. અને જો હેતુ-ફળ એક હોય, તો માટી પણ ઘટરૂપ બને અને તંતુ પણ પટરૂપ બને ! એટલે તો જેમ ઘટ જલાનયનરૂપ કાર્ય કરે છે, તેમ ઘટરૂપ માટી પણ જલાનયનરૂપ કાર્ય કરવા લાગે ! (પણ માટીથી પાણી લવાતું હોય તેવું તો કદી દેખાતું નથી.) તે જ રીતે પટની જેમ તંતુથી પણ શીતત્રાણ થવા લાગશે ! (પણ તાંતણાથી ઠંડી રોકાતી હોય એવું કદી દેખાતું નથી...) અથવા તો, ઘટ માટીરૂપ અને પટ તંતુરૂપ બની જતાં, માટીની જેમ ઘટથી પણ જલાનયનાદિ કાર્ય નહીં થાય ! અને તંતુની જેમ પટથી પણ શીતત્રાણાદિ કાર્ય નહીં થાય ! આમ બે પ્રસંગ આવેઃ (૧) માટીથી પણ જલાનયન થવાનો પ્રસંગ, અથવા (૨) ઘટથી પણ જલાનયન ન થવાનો પ્રસંગ. એટલે હેતુ-ફળને એક માની લેવાની બાલિશ ચેષ્ટા બિલકુલ સમંજસ નથી. ___ अथ तयोरेककालता तत्र वक्तव्यम्, किं सर्वात्मना ? उत कथञ्चित् ? यदि सर्वात्मना, ततोऽसम्भव एव, कार्याभावात् नहि सर्वात्मना कारणतादवस्थ्ये कार्यजन्म युज्यते, इति प्रतीतम् । अथ कथञ्चिद्, एवं तस्मिन्मतानुवाद एव, केनचिदात्मना कार्यकारणयोरेकत्वाभ्युपगमात् । – પ્રવેશરશ્મિ – | ભાવાર્થ (૨) હવે તે બેની એકકાળતા કહો, તો ત્યાં પણ કહો કે સંપૂર્ણપણે કે કથંચિ? જો સંપૂર્ણપણે, તો એકકાળતા જ ન સંભવે; કેમ કે કાર્યનો જ અભાવ થાય છે. અને એ વાત પ્રતીત છે કે, સંપૂર્ણપણે કારણ તદવસ્થ હોવામાં કાર્યનો જન્મ થઈ શકે નહીં. હવે કથંચિ કહો, તો અમારા મતનો જ અનુવાદ થાય; કેમ કે કોઈક અપેક્ષાએ તો કાર્ય-કારણનું એકપણું અમે માનીએ છીએ જ. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः – १७३ “ બીજા વિકલ્પની અસંગતિ વિવેચન : (૨) હવે હેતુ-ફળ બંનેનું એક કાળે હોવાપણું કહો, તો તે વિશે પ્રશ્નો ઊભા થાય કે, (ક) સંપૂર્ણપણે એકકાળે હોવાપણું, કે (ખ) કથંચિદ્ એકકાળે હોવાપણું ? (ક) જો સંપૂર્ણપણે એકકાળે હોવાપણું કહો, તો તે તો સંભવતું જ નથી, કારણ કે તેવું માનવામાં તો કાર્યનું અસ્તિત્વ જ રહેતું નથી. તે આ રીતે – જો માટી તદવસ્થ જ હોય, તેમાં કોઈ ફેરફાર ન થાય, તો તેનાથી ઘડો બને નહીં (માટીને પાણી આદિની સાથે સંયોજિત કરાય, ચક્ર પર મૂકાય, ઉચિત ઘાટ અપાય, પછી તેનાથી ઘડો બને, અન્યથા નહીં) આ વાત પ્રતીતિસિદ્ધ છે. એટલે કારણ ઉત્પન્ન થાય તે વખતે તો તેમાં કોઈ ફેરફાર નથી થતો અને તો તે વખતે કાર્યનો જન્મ પણ નહીં થાય... તો પછી કાર્ય-કારણનું એક કાળપણું ક્યાં રહ્યું ? એટલે પહેલો વિકલ્પ તો ન મનાય.... (ખ) હવે જો કથંચિદ્ એકકાળે હોવાપણું કહો, તો તો અમારા મતનો જ અનુવાદ થયો ! કારણ કે પરિણમનની અપેક્ષાએ કારણ જ કાર્યરૂપે પરિણમે છે અને તેથી તેઓને કથંચિદ્ એક તો અમે માન્યા છે જ. આમ, કાર્યક્ષણે કારણનો અન્વય હોવાથી કથંચિત્ તે બેનું એકકાળે હોવું અલ્યુપગત જ છે અને તેનો જ તમે અનુવાદ કર્યો કહેવાય. એટલે હેતુ-ફળ બંને એક કાળે હોવાની વાત વિકલ્પોથી અનુચિત જણાઈ આવે છે. अथ कारणधर्मसङ्क्रान्तिः साऽप्यघटमाना, कार्यकारणयोरत्यन्तैभेदाभ्युपगमात्, कारणव्यतिरिक्तस्य च धर्मस्यासम्भवात् तत्सङ्क्रान्तौ वाऽन्वयप्रसिद्धिप्रसङ्गात् । ★ ‘...ત્યાં મેવા...’ કૃતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર B-C-D-પ[6: I - પ્રવેશરશ્મિ : ભાવાર્થ : (૩) હવે કારણના ધર્મનું સંક્રમણ કહો, તો તે પણ ઘટતું નથી, કારણ કે કાર્ય-કારણનો અત્યંત ભેદ મનાય છે અને કારણથી જુદા ધર્મનો સંભવ પણ નથી. અથવા તો ધર્મનું સંક્રમણ માનવામાં અન્વયની સિદ્ધિ થવાનો પ્રસંગ આવે. ૢ તૃતીય વિકલ્પની અસંગતિ વિવેચન : (૩) કારણના ધર્મોનું કાર્યમાં સંક્રમણ થવું, તેને જો વિશિષ્ટતા કહેતા હો, તો તે પણ ઘટતી નથી, કારણ કે તમે કાર્ય-કારણનો અત્યંત ભેદ માનો છો. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः -or> (આશય એ કે, બૌદ્ધમતે કાર્યક્ષણ અને કા૨ણક્ષણ બંને અત્યંત ભિન્ન મનાય છે. એટલે તેઓ મતે કારણના ધર્મો કાર્યમાં સંક્રમે - એવું સંભવિત જ નથી...) १७४ વળી બૌદ્ધમતે કારણ નિરંશ મનાય છે, એટલે તેવા નિરંશ કારણથી જુદા કોઈ ધર્મો હોતા જ નથી કે જેઓનું કાર્યમાં સંક્રમણ થઈ શકે... અથવા જો કારણના ધર્મોનું કાર્યમાં સંક્રમણ માનો, તો તે ધર્મો પૂર્વાપર ક્ષણોમાં અનુગત થયા હોવાથી, તમારે ‘અન્વય' માનવાનો પ્રસંગ આવશે ! એટલે કારણધર્મનું સંક્રમણ થવાની વાત પણ અનુચિત જણાઈ આવે છે. ← अथ साधारणवस्तुसम्बन्धित्वम्, तदप्ययुक्तम्, साधारणवस्तुनोऽभावात्, स्वलक्षणानां वस्तुत्वात्, तेषां च मिथोऽत्यन्तभिन्नत्वात्, अतत्कारणतत्कार्यव्यावृत्तेश्च वाङ्मात्रत्वात्, स्वरूपव्यतिरेकेण सर्वभावानामेव सर्वभावेभ्योऽविशेषेण व्यावृत्तेः । विशेषाभ्युपगमे च पर्यायतः समानपरिणामाभ्युपगमप्रसङ्गात् । * ‘ઞતારાાત્ તત્વાર્થ...' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ, અત્ર B-C-D-પાઈ: | ---• પ્રવેશરશ્મિ --- ભાવાર્થ : (૪) હવે સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું હોવું; તે પણ અયુક્ત છે, કારણ કે સાધારણ કોઈ વસ્તુ જ નથી... વસ્તુ તો સ્વલક્ષણ છે અને તે તો પરસ્પર અત્યંત ભિન્ન છે... અને અતત્કારણથી અને અતત્કાર્યથી વ્યાવૃત્તિ તો માત્ર બોલવા પૂરતી છે, કેમ કે સ્વરૂપ જ જુદા હોવાથી બધા પદાર્થો બધા પદાર્થોથી સમાનપણે વ્યાવૃત્ત છે. અને જો કોઈ વિશેષ માનો, તો નામ બદલીને ‘સમાનપરિણામ’ માનવાનો જ પ્રસંગ આવે. * ચતુર્થ વિકલ્પની અસંગતિ વિવેચન : (૪) મૃત્રપિંડ અને ઘટ બંનેમાં સાધારણરૂપે રહેનાર માટી; તેની સાથે હેતુ-ફળનો સંબંધ હોવો તે જ હેતુ-ફળની વિશિષ્ટતા છે. (અર્થાત્ માટીની સાથે મૃત્યુપિંડ અને ઘટનું સંબંધીપણું હોવું તે જ વિશિષ્ટતા...) પરંતુ આવું પણ તમારા મતે યુક્ત નથી, કારણ કે તમે પૂર્વાપર ક્ષણોમાં અનુગત-સાધારણ એવી કોઈ વસ્તુ માનતા જ નથી. (કે જેની સાથે હેતુ-ફળનું સંબંધીપણું હોઈ શકે.) અને સાધારણ વસ્તુ ન હોવાનું કારણ એ કે, તમે સ્વલક્ષણને જ વસ્તુરૂપ માનો છો અને સ્વલક્ષણો તો પરસ્પર એકબીજાથી અત્યંત ભિન્ન હોય છે. (એટલે સાધારણ વસ્તુ હોવી સંભવિત જ નથી.) બૌદ્ધ : અમે સાધારણ તત્ત્વ સંગત કરવા, અતત્કારણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિ માની For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः લઈશું. ભાવ એ કે, (૧) મૃસ્વભાવ જેનું કારણ છે, તેવા મૃતપિંડ-ઘટાદિ તત્કા૨ણ કહેવાય અને જળાદિ અતત્કારણ કહેવાય. (કારણ કે મૃત્સ્વભાવ તેનું કારણ નથી) તો આવા અતત્કારણરૂપ જળાદિથી જેની વ્યાવૃત્તિ હોય, તે મૃતપિંડ-ઘટાદિ સાધારણ કહેવાય... તે જ રીતે (૨) મૃત્સ્વભાવનું જે કાર્ય છે, તે ઘટાદિ તત્કાર્ય કહેવાય અને જળાદિ અતત્કાર્ય કહેવાય (કેમ કે તેઓ મૃત્સ્વભાવનું કાર્ય નથી.) તો આવા અતત્કાર્યરૂપ જળાદિથી જેની વ્યાવૃત્તિ હોય, તે મૃત્યુપિંડ-ઘટાદિ સાધારણ કહેવાય. o આમ અતત્કારણથી અને અતત્કાર્યથી વ્યાવૃત્તિરૂપે ઘટાદિ સાધારણ છે અને તેઓમાં મૃત્સ્વભાવ એ જ સાધારણ તત્ત્વ છે... તો હેતુ-ફળનું આવા કૃત્સ્વભાવના સંબંધી તરીકે હોવું તે જ વિશિષ્ટ હેતુ-ફળભાવ છે. १७५ સ્યાદ્વાદી ઃ તમારી આ વાત પણ માત્ર બોલવા પૂરતી છે, કારણ કે અતત્કા૨ણવ્યાવૃત્તિ અને અતત્કાર્યવ્યાવૃત્તિરૂપે પણ મૃતપિંડ-ઘટાદિ સાધારણ બને નહીં. તેનું કારણ એ કે, તમારા મતે ઘટાદિ તમામ પદાર્થો, સજાતીય-વિજાતીય બધા પદાર્થોથી સમાનપણે વ્યાવૃત્ત છે. (અર્થાત્ ઘટ જેમ જળથી વ્યાવૃત્ત છે, તેમ મૃતપિંડાદિથી પણ સમાનપણે વ્યાવૃત્ત છે.) એટલે ઘટ, મૃપિંડાદિને સાધારણ ન હોઈ શકે. પ્રશ્ન : (વિશેષામ્યુપામે હૈં) ઘટ જે રીતે જળથી વ્યાવૃત્ત છે, તે જ રીતે મૃતપિંડાદિથી વ્યાવૃત્ત નથી, પણ તેનાથી જુદી રીતે વ્યાવૃત્ત છે. (અર્થાત્ મૃપિંડથી વ્યાવૃત્ત ખરો, પણ જળની જેમ વ્યાવૃત્ત નહીં.) એટલે તે, મૃતપિંડને સાધારણ તો હોઈ જ શકે છે. ઉત્તર : આવું કહેવામાં અર્થતઃ તો ‘સમાનપરિણામ’ જ સ્વીકૃત થાય છે, કારણ કે ઉપરોક્ત કથનનો મતલબ એ થયો કે, ઘટ, મૃતપિંડથી સર્વથા વ્યાવૃત્ત નથી, પરંતુ કથંચિત્ સમાનપરિણામી પણ છે. (અને આવો સમાનપરિણામ માનવામાં તો અભ્યપગમવિરોધ થાય.) એટલે સાધારણ વસ્તુની સાથે સંબંધીપણું પણ અયુક્ત જણાઈ આવે છે. X * अथैकार्थक्रियाहेतुत्वम्, तदप्यसङ्गतम्, तस्यासिद्धत्वात्; नहि हेतुफलयोरेकार्थक्रियाहेतुत्वमस्ति यौगपद्याभावात् हेतुफलभावानुपपत्तेः फलस्यैवार्थक्रियारूपत्वाद्, यथोक्तम्‘ભૂતિયેષાં વિા સેવ’ જ્ઞાતિ । For Personal & Private Use Only -• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે એક અર્થક્રિયાના કારણરૂપે હોવું કહો, તો તે પણ અસંગત છે, કારણ કે તેવું અસિદ્ધ છે. જુઓ-હેતુ-ફળનું એક અર્થક્રિયાનું કારણપણું નથી, કારણ કે તે બેનું યૌગપદ્ય નથી અને (યૌગપઘ માનવામાં) હેતુ-ફળભાવ જ ઉ૫પન્ન ન થાય... વળી, ફળ જ અર્થક્રિયારૂપ છે. કહ્યું છે કે - જેઓની ઉત્પત્તિ તે જ અર્થક્રિયા છે...’ Page #207 -------------------------------------------------------------------------- ________________ १७६ अनेकान्तवादप्रवेशः <0 * પંચમ વિકલ્પની અસંગતિ વિવેચન : (૫) હેતુ-ફળનું એક જ અર્થક્રિયાના કારણ તરીકે હોવું; તે જ તેઓની વિશિષ્ટતા છે, એવું કહેવું પણ અસંગત છે, કારણ કે તેવું (એકાર્થક્રિયાના કારણ તરીકે હોવું) સિદ્ધ નથી. તેનું કારણ એ કે, હેતુ-ફળ બંને એક જ અર્થક્રિયાના કારણ હોય એવું નથી, કારણ કે એક અર્થક્રિયાના કારણ તરીકે માનવા, તે બેનું યુગપદ્ અસ્તિત્વ માનવું પડે, પણ તેઓનું યુગપદ્ અસ્તિત્વ હોતું જ નથી. (હેતુ પૂર્વકાળે અને ફળ ઉત્તરકાળે - એમ પૂર્વાપ૨કાલીન અસ્તિત્વ જ હોય છે.) જો તેઓનું યુગપત્ અસ્તિત્વ માનો, તો હેતુ-ફળભાવ જ ઉપપન્ન થાય નહીં, કારણ કે બે ગોવિષાણની જેમ સમાનકાળે થનારી વસ્તુઓમાં હેતુ-ફળભાવ હોય નહીં. બીજી વાત, ફળ એ જ હેતુની અર્થક્રિયા છે (અર્થાત્ ઘટ જ માટીની અર્થક્રિયા છે.) કહ્યું છે કે “ઘટ વગેરેની ઉત્પત્તિ; તે જ માટી વગેરેની અર્થક્રિયા છે...” અને તેથી હેતુની અર્થક્રિયા એટલે ‘ફળ’ (અર્થાત્ માટીની અર્થક્રિયા એટલે ‘ઘટ’) તો હવે ફળની (ઘટની) અર્થક્રિયા (જલાહરણાદિરૂપ) કોઈ જુદી જ હોવી જોઈએ. અને જો જુદી હોય, તો હેતુ-ફળ બંને એક જ અર્થક્રિયાના કારણ હોય એવું શી રીતે સિદ્ધ થાય ? એટલે તે વાત પણ અનુચિત જણાઈ આવે છે. अथ विशिष्टकारणजन्म, तदप्यसाधु, कारणवैशिष्ट्यानुपपत्तेः तथाहि तत्प्रत्ययान्तरसम्पातात् प्रतिकलमाहितातिशयं सत्तन्निर्वर्त्तयद्विशिष्टमुच्यते इति । एतच्चायुक्तम्, प्रत्ययान्तरसम्पातेऽप्यतिशयायोगात् ; तथाहि स तस्यातिशयः प्रत्ययान्तरसम्पातजन्मानुत्पन्नस्य વા સ્થાત્ ? ઉત્પદ્યમાનસ્ય વા ? ઉત્પત્રસ્ય વા ? નિવર્તમાનસ્ય વા ? નિવૃત્તસ્ય વા ? इति विकल्पाः । न तावदनुत्पन्नस्य, तस्यैवासत्त्वात् । नाप्युत्पद्यमानस्य उत्पद्यमानावस्थाऽनभ्युपगमात् । नाप्युत्पन्नस्य, अनाधेयातिशयत्वाद्, अतिशयाधाने च तदन्यत्वप्रसङ्गात् । नापि निर्वर्त्तमानस्य निवर्त्तमानावस्थाऽनभ्युपगमात् । नापि निवृत्तस्य, तस्यैवाविद्यमानत्वात् । --• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : હવે વિશિષ્ટ કારણથી જન્મ કહો, તો તે પણ સારું નથી, કારણ કે કારણની વિશિષ્ટતા જ ઉપપન્ન નથી. તે આ પ્રમાણે - તેઓ, બીજા પ્રત્યયોના સમાગમથી પ્રતિપળ અતિશયના આધાનવાળા થઈ કાર્યને ઉત્પન્ન કરે, તો તેઓ વિશિષ્ટ કહેવાય, પણ એ અયુક્ત છે; કેમ કે બીજા પ્રત્યયોના સમાગમમાં પણ અતિશય ઘટતો નથી. તે આમ - પ્રત્યયાંતરના સમાગમથી થનારો તે અતિશય કોનો થાય છે ? અનુત્પન્નનો, ઉત્પદ્યમાનનો, ઉત્પન્નનો, નિવર્તમાનનો, કે નિવૃત્તનો ? અનુત્પન્નનો તો ન મનાય, કારણ કે For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १७७ તે જ અસત્ છે, ઉત્પદ્યમાનનો પણ ન મનાય; કેમ કે ઉત્પદ્યમાન-અવસ્થા તમે માની જ નથી. ઉત્પન્નનો પણ ન મનાય, કારણ કે તેમાં અતિશયનું આધાન ન થઈ શકે અને અતિશયનું આધાન માનવામાં તે તેનાથી જુદો થવાનો પ્રસંગ આવશે. નિવર્તમાનનો પણ ન મનાય, કારણ કે તમે નિવર્તમાન-અવસ્થા માની નથી અને નિવૃત્તનો પણ ન મનાય, કારણ કે તે વિદ્યમાન જ નથી. છે છઠ્ઠા વિકલ્પની વિકલ્પશઃ સમીક્ષા છે વિવેચન : (૬) વિશિષ્ટ કારણથી ફળનો જન્મ થવો; તે જ હેતુ ફળની વિશિષ્ટતા છે, એવું કહો તો તે પણ યોગ્ય નથી, કારણ કે કારણની વિશિષ્ટતા જ સંગત નથી (કે જેથી તમે વિશિષ્ટ કારણથી ફળનો જન્મ કહી શકો.) તેનું =કારણની વિશિષ્ટતા ન હોવાનું) કારણ એ કે, બીજરૂપ કારણમાં, પૃથ્વી વગેરે સહકારીકારણના સમાગમથી કોઈ અતિશયવિશેષનું આધાન થાય અને પછી તે અંકુરને ઉત્પન્ન કરે, તો તે બીજ “વિશિષ્ટ’ કહી શકાય. પણ આવું થવું યુક્તિસંગત નથી, કારણ કે પૃથ્વી વગેરે સહકારી કારણોના સમાગમમાં પણ, બીજમાં કોઈ અતિશયવિશેષનું આધાન થઈ શકતું નથી. તે આ પ્રમાણે – પૃથ્વી વગેરે સહકારી કારણોના સમાગમથી થનારા જે અતિશયવિશેષ છે, તેનું આધાન શેમાં થાય છે? (૧) અનુત્પન્ન બીજમાં, (૨) ઉત્પમાનમાં, (૩) ઉત્પન્નમાં, (૪) નિવર્તમાનમાં, કે (૫) નિવૃત્તમાં? આ પાંચ વિકલ્પો છે. (૧) અનુત્પન્ન બીજમાં તો અતિશયનું આધાન ન માની શકાય, કારણ કે તે તો અનુત્પન્ન હોવાથી હજી અસત્ છે (અને ખપુષ્પની જેમ અસમાં અતિશયનું આધાન ન થાય.) (૨) ઉત્પદ્યમાન બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે બીજની ઉત્પદ્યમાન અવસ્થા તમે માની જ નથી... (બીજ પૂર્વેક્ષણ અનુત્પન્ન હતો ને હમણાની ક્ષણે ઉત્પન્ન થઈ ગયો, એટલે તે બે વચ્ચેની ઉત્પદ્યમાન ક્ષણ કોઈ રહી જ નહીં કે જેમાં અતિશયનું આધાન માની શકાય...) (૩) ઉત્પન્ન બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે તે ઉત્પન્ન હોવાથી જ તેમાં હવે અતિશયનું આધાન થઈ શકે નહીં. અને જો અતિશયનું આધાન માનો, તો તે અતિશય બીજથી ભિન્નરૂપે સિદ્ધ થશે... (બીજ તો ઉત્પન્ન થઈ ગયું છે. એટલે પાછળથી થનારો અતિશય, તેનાથી જુદો જ સિદ્ધ થાય...) (૪) નિવર્તમાન નાશ પામતાં) બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે તમે બીજની નિવર્તમાન અવસ્થા માની જ નથી. (બીજ પૂર્વેક્ષણે વિદ્યમાન હતો ને ઉત્તરક્ષણે નષ્ટ થઈ ગયો. એટલે તે બે વચ્ચેની નિવર્તમાન ક્ષણ કોઈ રહી જ નહીં કે જેમાં અતિશયનું આધાન માની શકાય...) (૫) નિવૃત્ત બીજમાં પણ અતિશયનું આધાન ન મનાય, કારણ કે તે નિવૃત્ત હોવાથી જ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ १७८ अनेकान्तवादप्रवेशः -~ અવિદ્યમાન-અસત્ થઈ ગયો. (અને અસતમાં અતિશયનું આધાન ન થાય.) એટલે બીજમાં કોઈપણ રીતે અતિશયનું આધાન થતું નથી અને તેથી તે બીજ વિશિષ્ટ પણ બનતું નથી... તો વિશિષ્ટ હેતુથી ફળનો જન્મ; તે જ હેતુ-ફળની વિશિષ્ટતા છે – એવું તમે શી રીતે કહી શકો... (હવે બૌદ્ધ; અતિશયવિશેષનું આધાન અને વૈશિષ્ટટ્ય સંગત કરવા, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે ...) स्यादेतद्-न ह्येकक्षणमङ्गीकृत्यातिशयचिन्ता । कि तर्हि ? प्रबन्धम्; तथा ચોમ્ – 'उपकारी विरोधी च सहकारी च यो मतः । प्रबन्धापेक्षया सर्वे नैककाले कथञ्चन ।।१।।' तत्र व्यस्ता उपादानसहकारिप्रत्ययाः समस्तान् स्वानुरूपकार्योपजननयोग्यान् जनयन्ति, समस्ताश्च तैरुपाहितातिशयरूपाः सामर्थ्यप्रकर्षवता रूपभेदेनानुगतानन्यान् कालोपाधिप्रकर्षप्रापितरूपभेदान्, तेऽप्यन्यान्मात्रया, इति क्रमेणोत्तरोत्तरप्रसवपरम्परायां विवक्षितफलापेक्षया चरमक्षणकालभाविनो भावाः परतस्तमतिशयमासादयन्ति, यतः कार्यजन्मेति तदेव वैशिष्ट्यमिष्यते, इति । - પ્રવેશરશ્મિ - ભાવાર્થઃ બૌદ્ધપૂર્વપક્ષઃ અમે એક ક્ષણને લઈને અતિશયની વિચારણા નથી કરતા, પણ ક્ષણપ્રબંધને લઈને કરીએ છીએ. કહ્યું છે કે – “ઉપકારી, વિરોધી અને સહકારી જે મનાયા છે, તે બધા પ્રબંધની અપેક્ષાએ સમજવા, તેઓ એકકાળે કોઈપણ રીતે નથી હોતા. ત્યાં, તે જુદા જુદા એકલા રહેલા ઉપાદાન-સહકારી કારણો, પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સમસ્ત પદાર્થોને ઉત્પન્ન કરે છે અને સહકારીઓથી આહિત-અતિશયવાળા તે સમસ્ત પદાર્થો પણ, સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવા રૂપભેદવાળા એવા અન્ય (સમસ્ત) પદાર્થોને ઉત્પન્ન કરે છે. અને તે પદાર્થો પણ કાળ-ઉપાધિના પ્રકર્ષથી રૂપભેદને પામેલા, (માત્રયાક) કંઈક અધિક સામર્થ્યવાળા બીજા પદાર્થને ઉત્પન્ન કરે છે... અને આ ક્રમે ઉત્તરોત્તર જન્મની પરંપરાએ, વિવક્ષિત ફળની અપેક્ષાએ છેક છેલ્લી ક્ષણે થનારા પદાર્થો, ત્યારપછી તેવા અતિશયવિશેષને પામે છે કે જેથી તેઓથી કાર્યનો જન્મ થાય... એ જ તે કારણોનું વૈશિસ્ય છે. ૪ કારણશિશ્યસંગતિકારક બદ્ધપૂર્વપક્ષ & વિવેચન : બૌદ્ધ : અમે એક ક્ષણને લઈને અતિશયની વિચારણા નથી કરતાં (અર્થાત્ એક જ ક્ષણમાં, બીજમાં, પૃથ્વી વગેરે અતિશયનું આધાન કરી દે એવું અમે નથી કહેતા...) For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वित: - પણ અમે તો ક્ષણપ્રબંધને (=અનેક ક્ષણોના સમુદાયને) આશ્રયીને અતિશયનું આધાન માનીએ છીએ. આ વિશે કહ્યું છે કે – ‘(૧) ઉપકારી, (૨) વિરોધી, (૩) સહકારી જે મનાયા છે, તે બધા ક્ષણપ્રબંધની અપેક્ષાએ સમજવા, બાકી તેઓ બધા એકકાળે કેવી રીતે પણ હોય નહીં.'' એટલે (૧) ઉપકાર્ય-ઉપકારકભાવ, (૨) વિરોધ્ય-વિરોધકભાવ, અને (૩) સહકાર્યસહકારકભાવ • આ ત્રણે ભાવો; અનેક ક્ષણોના સમુદાયને લઈને હોય છે અને તેથી અતિશયનું આધાન પણ અનેક ક્ષણોને લઈને હોઈ જ શકે છે, તેમાં કોઈ ક્ષતિ નથી. જુઓ - — १७९ બીજ-પૃથ્વી વગેરે જુદા જુદા ઉપાદાન-સહકારી કારણો, પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સમસ્ત પદાર્થોને ઉત્પન્ન કરે છે (અર્થાત્, જ્યારે પાણીથી ભીની જમીનમાં બીજ વવાયું, ત્યારે બીજ; પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા પૃથ્વી-બીજ વગેરે બધાને ઉત્તરક્ષણરૂપે ઉત્પન્ન કરે છે. અને ત્યારે પૃથ્વી પણ; સ્વાનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા બીજ-પૃથ્વી વગેરેને ઉત્પન્ન કરે છે.) હવે તે ઉત્પન્ન થયેલા (સ્વાનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ ) બીજ-પૃથ્વી વગેરે સમસ્ત પદાર્થો પણ; પરસ્પર એકબીજામાં અતિશયના આધાનવાળા થઈને (બીજ, પૃથ્વીમાં અતિશયનું આધાન કરે અને પૃથ્વી બીજમાં અતિશયનું આધાન કરે - આમ એકબીજામાં અતિશયનું આધાન કરીને તેઓ) સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવું જુદું સ્વરૂપ જેમનું છે એવા અન્ય પદાર્થોને ઉત્પન્ન કરે છે. (આ અન્ય પદાર્થો સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવા જુદા સ્વરૂપવાળા છે - તેનો ભાવ એ કે, તેઓ પણ પોતાના કાર્યને ઉત્પન્ન કરવાના શ્રેષ્ઠ સામર્થ્યથી સમન્વિત છે, એવું તેઓનું સ્વરૂપ પૂર્વેના સમસ્તકારણોથી જુદું જ છે કે જેથી તેઓ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરે છે...) હવે કાળરૂપી ઉપાધિથી, જેમણે પૂર્વના કારણોથી કાંઈક વિશેષસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તેવા તે અન્ય પદાર્થો પણ, માત્રયા-િિબ્રધિમ્ પોતાથી કંઈક વિશેષ સામર્થ્યવાળા બીજા અન્ય પદાર્થને ઉત્પન્ન કરે છે. આમ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ સામર્થ્યવાળા અન્ય-અન્ય પદાર્થોને તેઓ ઉત્પન્ન કરે છે. હવે આવા ક્રમથી ઉત્તરોત્તર જન્મની પરંપરાએ (અંકુરારૂપ) વિવક્ષિત ફળની અપેક્ષાએ, પૂર્વની છેલ્લી ક્ષણે થનારા પદાર્થો, એવા વિશિષ્ટ અતિશયને પામે કે જેથી તેમના થકી અંકુરારૂપ વિશિષ્ટ કાર્યનો જન્મ થાય. બસ, આ જ તે કારણનું વૈશિષ્ટ્ય છે અને તેથી જ તે કારણ વિશિષ્ટ કહેવાય છે. એટલે અમારા મતે કોઈ અસંગતિ નથી. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ १८० अनेकान्तवादप्रवेशः एतदप्ययुक्तम्, विहितोत्तरत्वात्, नहि व्यस्तानामपि कारणे विशेषाधानमन्तरेण समस्तलक्षणकार्यविशेषो युज्यते, अतिप्रसङ्गात् । विशेषाधानस्य चैकक्षणमधिकृत्य निराकृतत्वात्, प्रबन्धचिन्तायामपि तुल्यत्वात्, क्षणव्यतिरेकेण प्रबन्धायोगात्, उक्तञ्च 'विशेषहेतवस्तेषां प्रत्यया न कथञ्चन । नित्यांनामिव युज्यन्ते क्षणानामविवेकतः ।।१।।' इत्यादि ૨. ‘મેવ' કૃતિ પૂર્વમુદ્રિતપાd: ‘મવ' રિત-પાઈ: D-પાd: I ‘મિદ તિ B-પાઈ: ‘નાદ તિ c-: I – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: આ પણ અયુક્ત છે; કેમ કે તેનો ઉત્તર અપાઈ ગયો છે. તે એ જ કે જુદા જુદા કારણોથી પણ, પોતાના કારણમાં વિશેષના આધાન વિના સમસ્તરૂપ કાર્ય થઈ શકે નહીં, કેમ કે તેમાં અતિપ્રસંગ આવે છે અને એક ક્ષણને આશ્રયીને વિશેષના આધાનનું તો નિરાકરણ કરી દીધું છે અને પ્રબંધની વિચારણામાં પણ એ વાત તુલ્ય જ છે; કેમ કે પ્રબંધ એ ક્ષણથી જુદો નથી, કહ્યું છે કે – નિત્યપદાર્થોની જેમ, તેઓના કારણ તરીકે વિશેષહેતુઓ કોઈપણ રીતે ઘટતા નથી; કેમ કે ક્ષણોની સાથે (ક્ષણપ્રબંધનો) અતિરેક છે. # બોદ્ધકૃત સંગતિનો નિરાશ ૪ વિવેચન : સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે તેનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો. (સહકારી દ્વારા અતિશયનું આધાન થઈ શકે નહીં અને એટલે તે હેતુ વિશિષ્ટ બની શકે નહીં – એ બધી ચર્ચાનો વિસ્તાર અને પૂર્વે કર્યો છે જ...) વળી પૃથ્વી-બીજ વગેરે જુદા જુદા કારણોથી પણ, પોતાના કારણમાં વિશેષનું આધાન થયા વિના, સમસ્તરૂપ (પૃથ્વી-બીજાદિના સમુદાયરૂપ) કાર્ય થઈ શકે નહીં. (અર્થાત્ તેઓ થકી સમસ્તની ઉત્પત્તિ માનવા, તેઓના કારણમાં વિશેષનું આધાન માનવું અતિ જરૂરી છે.) પ્રશ્ન: બીજના કારણમાં, વિશેષના આધાન વિના પણ, બીજથી સમસ્તની ઉત્પત્તિ માની લઈએ તો ? ઉત્તર તો તો અતિપ્રસંગ એ આવશે કે, કુશૂલમાં (કોઠારમાં) રહેલા બીજથી પણ અંકુરાની ઉત્પત્તિ માનવી પડશે ! (પછી ભલે તે બીજના કારણમાં, કોઈ વિશેષનું આધાન ન થયું હોય..) એટલે બીજથી સમસ્તની ઉત્પત્તિ માનવા, તે બીજનાં કારણમાં પણ વિશેષનું આધાન માનવું જ રહ્યું... પણ ક્ષણિકમતે, વિશેષનું આધાન થઈ શકતું જ નથી, કારણ કે એક ક્ષણને લઈને વિશેષના આધાનનું નિરાકરણ તો અમે પૂર્વે જ કરી દીધું છે... (અર્થાત્ એક જ ક્ષણમાં રહેલ ઉપાદાન પર, સહકારી દ્વારા અતિશયનું આધાન થઈ શકતું નથી, એ વાત અમે પૂર્વે જ જણાવી દીધી છે.) પ્રશ્નઃ અમે ઉપર જણાવ્યું તે પ્રમાણે; ક્ષણપ્રબંધને લઈને તો અતિશયનું આધાન થઈ શકે ને? For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ઉત્તર ઃ ના, કારણ કે (પ્રવચિન્તાયામપિ તુત્યાત્...) ક્ષણની જેમ ક્ષણપ્રબંધમાં પણ અતિશયનું આધાન થઈ શકતું નથી... તેનું કારણ એ કે ક્ષણથી જુદું ક્ષણપ્રબંધ જેવું કંઈ જ નથી. (ક્ષણ એ જ પ્રબંધ – એવું તમે માનો છો. ઘટની જુદી જુદી ક્ષણો એ જ ઘટક્ષણનો પ્રબંધ કહેવાય, તેનાથી અતિરિક્ત બધી ક્ષણોમાં અનુગત કોઈ સામાન્ય તત્ત્વ નથી.) હવે ક્ષણ એ જ પ્રબંધ હોય, તો ક્ષણમાં અતિશયનું આધાન ન ઘટવાથી, ક્ષણપ્રબંધમાં પણ અતિશયનું આધાન ન ઘટી શકે. કહ્યું છે કે – જેમ નિત્ય પદાર્થના વિશેષ હેતુઓ (=કાર્યમાં વિશેષ કરનાર એવા હેતુઓ) નથી ઘટતા, તેમ ક્ષણિક પદાર્થના કારણ તરીકે પણ વિશેષ હેતુઓ નથી જ ઘટતા... (શું ક્ષણપ્રબંધને લઈને ન ઘટે? ના,) કારણ કે ક્ષણપ્રબંધનો ક્ષણોની સાથે અભેદ છે.” (એટલે ક્ષણની જેમ ક્ષણપ્રબંધમાં પણ અતિશયનું આધાન થઈ શકે નહીં.) એટલે ક્ષણપ્રબંધને લઈને પણ હેતુને વિશિષ્ટ ન માની શકાય અને તેથી કાર્યનો જન્મ પણ વિશિષ્ટ હેતુથી ન કહી શકાય. એટલે વિશિષ્ટ કારણથી કાર્યનો જન્મ; તે જ વિશિષ્ટ હેતુ ફળભાવ છે – એ છઠ્ઠો વિકલ્પ પણ અનુચિત જણાઈ આવે છે. * १८१ अथ तदनन्तरभावित्वम्, तदप्ययुक्तम्, अतिप्रसङ्गात्, तस्य हि तत्कालोपजातसकलपदार्थेष्वविशिष्टत्वात्, तथा च 'तदनन्तरभावित्वात् तत्फलत्वं प्रसज्यते । विश्वस्य कारणं तद्धि न येत् सर्वस्य सम्मतम् ।।१।। विशिष्टकार्यजननस्वभावं हीष्यते यतः । मुक्त्वोपलम्भं कार्यस्य कारणानन्तरं कथम् ।।२।। गम्यते तत्स्वभावत्वं स च तुल्यः फलान्तरे । तत्रैव तस्य व्यापारः, इति चेत् तन्न युज्यते ।।३।। क्षणभङ्गसमुच्छेदाद् व्यापारो नासतो यतः । उत्पत्तिव्यतिरेकेण व्यापारो नेष्यते इति चेत् ? ।।४।। व्यापारकालभावित्वात् कारणाभिन्नकालता । फलस्यापि च सत्येवं कार्यकारणता कुतः ।।५।।' A પૂર્વમુદ્રિતે ‘ચૈત્’ કૃતિ પા:, અત્ર C-પ્રતપાઠ: | For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेशः –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે તેની અનંતર થવાપણું કહો, તો તે પણ યુક્ત નથી, કેમ કે અતિપ્રસંગ આવે છે, કારણ કે તેવું અનંતરભાવીપણું તો તે કાળે થનારા સમસ્ત પદાર્થોમાં અવિશેષ છે. કહ્યું છે કે – (૧) તેની અનંતર થનારા હોવાથી, બધામાં તેનું ફળપણું પ્રસક્ત થાય, પણ વિશ્વના કારણ તરીકે તો તે બધાને સંમત નથી જ.. (૨) કારણ કે તે તો વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું મનાય છે.વળી કાર્યની ઉપલબ્ધિ વિના તે, કારણની અનંતર શી રીતે કહેવાય? (૩) તે, તેના સ્વભાવવાળું છે, એટલે તે જણાય - એવું કહો, તો તે તો બીજા ફળ વિશે પણ તુલ્ય છે, તેનો (માટીનો) ત્યાં જ (ઘટમાં જ) વ્યાપાર છે - એવું કહો, તો તે પણ યોગ્ય નથી (૪) કારણ કે ક્ષણિક પદાર્થનો (અનંતરક્ષણે) ઉચ્છેદ થઈ જવાથી તેવા અસત્નો વ્યાપાર ન થાય... હવે જો એવું કહો કે - ઉત્પત્તિ એ જ વ્યાપાર; તેનાથી જુદો વ્યાપાર ઇષ્ટ નથી. (૫) તો તો વ્યાપારકાળે થનારું હોવાથી ફળ પણ કારણની અભિનકાળે થઈ જવાનો પ્રસંગ આવે ! અને તો કાર્ય-કારણભાવ જ ન રહે. # સપ્તમ વિકલ્પની અસંગતિ છે વિવેચન : (૭) હેતુની અનંતર ક્ષણે ફળનું થવું; એ જ હેતુ-ફળની વિશિષ્ટતા છે – એવું કહો, તો તે પણ યોગ્ય નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ આવે છે. જુઓ માટીની અનંતર ક્ષણે જેમ ઘટ છે, તેમ વિશ્વવર્તી બીજા બધા પદાર્થો પણ છે જ, એટલે અનંતરભાવીપણું તો; ઘટની જેમ, તે કાળે થનારા બીજા સમસ્ત પદાર્થોમાં પણ સમાનપણે રહ્યું છે જ અને તેથી તો તે બધા પદાર્થો માટીના ફળરૂપે માનવાનો અતિપ્રસંગ આવે ! આ વિશે કહ્યું છે કે – (૧) માટીની અનંતર થનારું હોવાથી તો, સંપૂર્ણ વિશ્વ, તેના માટીના) ફળરૂપ માનવાનો પ્રસંગ આવશે ! પણ માટી; સંપૂર્ણ વિશ્વનું કારણ હોય - એવું તો કોઈને પણ સંમત નથી. પ્રશ્ન: પણ તેનું કારણ? (અર્થાત્ સંપૂર્ણ વિશ્વના કારણ તરીકે માટી હોવી – એ બધાને સંમત ન હોવાનું કારણ ?) (૨) ઉત્તરઃ કારણ એ જ કે, માટી, ઘટાદિ રૂ૫ વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી જ મનાય છે. (એટલે તે પ્રતિનિયત ઘટનું જ કારણ બને, સંપૂર્ણ વિશ્વનું નહીં...) વળી, કારણ વખતે તો કાર્યની ઉપલબ્ધિ થતી જ નથી,તો તે કાર્ય, કારણની અનંતર છે – એવું શી રીતે કહી શકાય? | (તાત્પર્ય એ કે, દ્રવ્ય-પર્યાયવાદીમતે શક્તિરૂપે કાર્યનું પૂર્વે પણ અસ્તિત્વ હોય છે જ અને તેથી * અને કાર્યક્ષણ કારણનું અસ્તિત્વ નથી હોતું, એટલે તે વખતે પણ કારણને જાણ્યા વિના, વિવક્ષિત કાર્ય, વિવલિત કારણની અનંતર છે – એવું જણાય નહીં... એટલે ક્ષણિકમતે, કારણની અનંતર કાર્યનું હોવું જ જ્ઞાત થતું નથી. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १८३ અનંતર ક્ષણે તેની ઉત્પત્તિનું અનુમાન સહજ થઈ શકે.. પણ ક્ષણિક કાર્યનું તો પૂર્વે અંશતઃ પણ અસ્તિત્વ નથી હોતું અને તેથી તેનું અનંતર હોવાનું અનુમાન થઈ શકે નહીં.) (૩) બૌદ્ધઃ માટીની અનંતરક્ષણે ઘટનો ઉપલંભ થાય છે - એ પરથી જણાઈ આવે કે માટીનો ઘટજનનસ્વભાવ જ છે... (એટલે અતિપ્રસંગ પણ નહીં આવે અને અનંતરભાવીપણું પણ સંગત થઈ જશે.) સ્યાદ્વાદી અરે ! આ વાત તો બીજા ફળ વિશે પણ તુલ્ય જ છે (અર્થાત્ માટીની અનંતરક્ષણે તો, ઘટની જેમ, બીજા બધા પટાદિ પદાર્થોની પણ ઉપલબ્ધિ થાય છે જ...) બૌદ્ધઃ કારણની અનંતર કાર્ય થાય છે, એટલે તે કારણ પ્રતિનિયત કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે – એવું અમે માનતા જ નથી, પણ અમે તો એવું માનીએ છીએ કે, (તસ્ય વ્યાપાર:) માટીનો વ્યાપાર (નૈવ) માત્ર ઘટ વિશે જ છે, બીજા વિશે નહીં. એટલે જ માટીનો માત્ર ઘટજનનસ્વભાવ છે. સ્યાદ્વાદીઃ આ વાત પણ ઘટતી નથી (૪) કારણ કે માટી તો ક્ષણસ્થિતિક છે, એટલે અનંતર ઘટક્ષણે તો તેનો ઉચ્છેદ થઈ જાય છે, અર્થાત્ તેનું અસ્તિત્વ જ ન હોઈ તે અસત્ થઈ જાય છે ... તો (વટાણે) અસત્ એવી માટીનો; ઘટ વિશે વ્યાપાર થઈ શકે નહીં (નહીંતર તો ખપુષ્પનો પણ વ્યાપાર થવા લાગે !) બૌદ્ધઃ કાર્યની ઉત્પત્તિ; તે જ કારણનો વ્યાપાર છે (ઘટનું ઉત્પન્ન થવું તે જ માટીનો વ્યાપાર છે) તેનાથી કોઈ જુદો વ્યાપાર હોય - એવું ઇષ્ટ નથી.* (હવે આવો વ્યાપાર તો કારણનો થાય છે જ, તો કારણવ્યાપારની અસંગતિ કેમ કહો છો ?) (૫) સ્યાદ્વાદીઃ તો એનો મતલબ એ થયો કે, કારણવ્યાપાર (ઘટોત્પાદ) વખતે કાર્ય (=ઘટ) હોય છે. હવે કારણવ્યાપાર તો કારણક્ષણે જ હોઈ શકે, એટલે તો કારણક્ષણે કાર્યનું પણ અસ્તિત્વ આવી ગયું...અર્થાત્ કાર્ય-કારણ બંનેનું અસ્તિત્વ એક કાળે જ થઈ ગયું... અને તેથી તો તે બેનો કાર્ય-કારણભાવ જ ન રહે; કેમ કે તુલ્યકાલીન બે પદાર્થોનો પરસ્પર, ગોવિષાણયની જેમ કાર્ય-કારણભાવ હોઈ શકે નહીં.) એટલે અનંતરભાવપણાને લઈને કે કારણવ્યાપારને લઈને, વિશિષ્ટ હેતુ-ફળભાવની સંગતિ થઈ શકે નહીં. ____ न चापि विशिष्टक्रियाहेतुत्वमित्यतिव्याप्तेस्तस्य सर्वस्य समानत्वात्; सर्व एव हि पदार्था विशिष्टक्रियाहेतवः । इत्यलं प्रसङ्गेन । तदेवं वैशिष्ट्याभावाद्धेतुफलभावानुपपत्तिः, इति स्थितम् । T * મૂતિષાં ક્રિયા સૈવ' યે નિયમ પ્રમાણે આ વાત સમજવી. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ १८४ अनेकान्तवादप्रवेशः -૦૬ – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : વિશિષ્ટ ક્રિયાનું હતુપણું પણ ન કહેવાય, કારણ કે તે તો બધા વિશે સમાન હોવાથી અતિવ્યાપ્તિ આવે; કેમ કે બધા જ પદાર્થો વિશિષ્ટ ક્રિયાના કારણ છે. એટલે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે વૈશિષ્ટય ન હોવાથી, હેતુ-ફળભાવ ઉપપન થાય નહીં - એવું સ્થિત થયું. # અષ્ટમ વિકલ્પની અસંગતિ કે વિવેચન : વિશિષ્ટ ક્રિયાના કારણ તરીકે હોવું; તે જ હેતુ-ફળની વિશિષ્ટતા છે – એવું કહો, તો તે પણ યોગ્ય નથી, કારણ કે વિશ્વવર્તી તમામ પદાર્થો પોત-પોતાની વિશિષ્ટ ક્રિયાના કારણ હોય છે... એટલે વિશિષ્ટ ક્રિયાના કારણ તરીકે તો તમામ પદાર્થો સમાન છે અને તેથી તો માત્ર માટી-ઘટનો નહીં; પણ વિશ્વવર્તી તમામ પદાર્થોનો એકબીજા સાથે કાર્ય-કારણભાવ માનવાનો અતિપ્રસંગ આવશે ! એટલે વિશિષ્ટ ક્રિયાના હેતુરૂપે પણ, હેતુ-ફળની વિશિષ્ટતા સંગત થઈ શકે નહીં, હવે આ પ્રસંગથી સર્યું. આમ આઠમાંથી એકે વિકલ્પ પ્રમાણે હેતુ-ફળની વિશિષ્ટતા સંગત થતી નથી – એ પરથી જણાઈ આવે છે કે, ક્ષણિકમતે હેતુ-ફળભાવ બિલકુલ ઉપપન્ન થયો નથી. નિષ્કર્ષ : બૌદ્ધમતે હેતુ-ફળભાવ સંગત નથી. असति चास्मिन् 'विशिष्टां रूपादिसामग्री प्रतीत्य विशिष्टमेव संवेदनमुपजायते' इत्यादि यदुक्तम्, तत्सर्वमपाकृतमेवावगन्तव्यम्; तथाप्यत्यन्तमवगणय्याऽनुभवमभावितमेव विद्वज्जनोपहास्यं मुग्धजनविभ्रमकरं यदुक्तम्-'क्षणभेदेऽप्युपादानोपादेयभावेनैकस्यामेव सन्ततावाहितसामर्थ्यस्य कर्मणः फलदानाद्' इत्यादि; तथा 'यः कुशले प्रवर्त्तते, स यद्यपि तदैव सर्वथा विनश्यति, तथापि निरुध्यमानः स्वानुरूपकार्योत्पादनसमर्थं सामर्थ्य विज्ञानसन्ततावाधाय निरुध्यते' इत्यादि च । अत्र विशेषत उच्यते-सर्वमिदमयुक्तम्, सामर्थ्याधानस्यासिद्धत्वात् तथाहि-किमिदं सामर्थ्यं नाम ? किमुत्तरः कार्यभाव एव ? उत तद्गतकार्यान्तरनिवर्त्तनसमर्थः शक्तिविशेषः ? आहोश्विद्वासना ? इति ।। A પૂર્વમુદ્રિતે ‘અનુભવમવિમેવ' રૂતિ પd:, સત્ર B.C.E-પ્રતાd: - પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને તે ન હોય તો વિશિષ્ટ રૂપાદિસામગ્રીને આશ્રયીને વિશિષ્ટ જ સંવેદન ઉત્પન્ન થાય” – એવું જે કહ્યું, તે બધું પણ નિરાકૃત જ જાણવું. તો પણ, અનુભવસિદ્ધને જ અત્યંત અવગણીને વિદ્વાન For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वित: – લોકોને ઉપહાસપાત્ર અને મુગ્ધજનોને વિભ્રમકારક અભાવિત (વિચાર્યા વિનાનું) એવું જે કહ્યું કે –“ક્ષણભેદ હોવામાં પણ ઉપાદાન-ઉપાદેયભાવે આહિતસામર્થ્યવાળા કર્મનું એક સંતાનમાં ફળદાન થાય છે...'' - એ બધું, તથા - “જે કુશળમાં પ્રવર્તે છે, તે જો કે ત્યારે જ સર્વથા નાશ પામે છે, તો પણ નાશ પામતો તે, પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં સામર્થ્યનું વિજ્ઞાનસંતતિમાં આધાન કરીને નાશ પામે છે’” – તે બધા કથન વિશે હવે વિશેષથી કહેવાય છે. જુઓ - તે બધું અયુક્ત છે; કેમ કે સામર્થ્યનું આધાન જ સિદ્ધ નથી. તે આ પ્રમાણે - સામર્થ્ય તે શું છે ? શું (૧) ઉત્તર કાર્યભાવ, (૨) અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી ઉત્તરકાર્યમાં રહેલી શક્તિવિશેષ, કે (૩) વાસના ? બૌદ્ધના પૂર્વોક્ત અન્ય મંતવ્યોનો નિરાસ વિવેચનઃ અને ઉપરોક્ત રીતે જો હેતુ-ફળભાવ ન હોય, તો પૂર્વે તમે જે કહ્યું હતું કે –“વિશિષ્ટ એવી રૂપાદિસામગ્રીને આશ્રયીને વિશિષ્ટ સંવેદન જ ઉત્પન્ન થાય છે (અને તેથી તે વિશિષ્ટ સંવેદન જ રૂપાદિનો ગ્રાહક બને, બીજું સંવેદન નહીં...)'' - તે બધું કથન નિરાકૃત જ જાણવું. १८५ (વિશિષ્ટ સામગ્રીને આશ્રયીને વિશિષ્ટ સંવેદન થવું; એ પણ એક હેતુ-ફળભાવ જ છે અને બૌદ્ધમતે હેતુ-ફળભાવ નથી - એવું અમે હમણાં જ સિદ્ધ કર્યું.) તો પણ (=તમારી વાતોનું નિરાકરણ થઈ જ ગયું છે તો પણ) અનુભવસિદ્ધ વાતનો અત્યંત અપલાપ કરીને વિદ્વાનજનોને ઉપહાસયોગ્ય અને મુગ્ધજનોને આશ્ચર્ય ઉપજાવે એવી તમે જે બે વાત કહી હતી કે : ‘(૧) દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં પણ, તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ રહ્યો છે. (અર્થાત્ પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરની ક્ષણ કાર્ય - એમ પૂર્વાપર ક્ષણોમાં કાર્ય-કારણભાવ રહ્યો છે... અને તેથી એક જ ક્ષણપરંપરામાં જેણે પોતાના સામર્થ્યનું આધાન કર્યું છે, તેને તે કર્મનું ફળ મળે છે જ... ઇત્યાદિ.'' તથા, ‘(૨) જે વ્યક્તિ કુશળ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે વ્યક્તિ તો પ્રવૃત્તિકાળમાં જ સર્વથા નષ્ટ થઈ જાય છે. પણ જ્યારે તે નાશ પામે, ત્યારે તે પોતાને અનુરૂપ કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા સામર્થ્યને, વિજ્ઞાનપરંપરામાં આહિત કરીને જ નાશ પામે છે... ઇત્યાદિ.’ તે બે વાતની સમીક્ષા અમે વિશેષથી કરીએ છીએ. તમારું તે બધું કથન અયુક્ત છે, કારણ કે સામર્થ્યનું આધાન જ સિદ્ધ થતું નથી, જુઓ ‘સામર્થ્ય’ એટલે શું ? કે જેનું આધાન પૂર્વની ક્ષણો કરે છે... (૧) પોતાની અનંત૨ ક્ષણે કાર્યનું થવું તે ? (૨) અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી ઉત્ત૨ કાર્યમાં રહેલ શક્તિવિશેષ ? For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ १८६ * (૩) વાસના ? આ ત્રણમાંથી તમે કયો વિકલ્પ સ્વીકારશો ? यदि-‘उत्तरः कार्यभाव एव तमाधाय निरुध्यते' इत्यभ्युपगम्यते हन्त ! तर्हि क्षणिकत्वविरोधः, नह्यनुत्पन्नो निरुद्धो वाऽसौ तदाधानकर्तृत्वे प्रभुः, उदयकालाधानाभ्युपगमे च द्वयोरपि तुल्यकालप्रसङ्गः । --- પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : જો ઉત્તર કાર્યભાવ જ સામર્થ્ય અને તેનું આધાન કરીને કારણ નિરોધ પામે - એવું મનાય, તો ક્ષણિકતાનો વિરોધ થાય; કેમ કે અનુત્પન્ન કે નિરુદ્ધ કારણ તેને આધાન કરવા સમર્થ નથી અને ઉદયકાળે આધાન માનો, તો બંનેનો કાળ તુલ્ય થવાનો પ્રસંગ આવે ! * પ્રથમ વિકલ્પની સમીક્ષા વિવેચન : (૧) જો અનંતર ક્ષણે કાર્યનું થવું; એ જ સામર્થ્ય હોય અને તેનું આધાન કરીને કારણ નાશ પામે એવું કહો, તો તે કારણની ક્ષણિકતાનો વિરોધ થાય. કારણ કે, તેવું (=કાર્યભાવરૂપ) સામર્થ્ય અનંતરક્ષણે હોય છે અને તેનું આધાન કરવા વિદ્યમાન પદાર્થ જ સમર્થ હોય છે. * - अनेकान्तवादप्रवेशः એટલે સામર્થ્યનું આધાન કરવા, કારણને પણ બીજી ક્ષણે વિદ્યમાન માનવું પડે... બાકી જો તે અનુત્પન્ન કે નષ્ટ થઈ ગયું હોય, તો તેનાથી સામર્થ્યનું આધાન ન થઈ શકે... અને બીજી ક્ષણે વિદ્યમાન હોવામાં તો તે કારણની ક્ષણિકતાનો વિરોધ થવાનો જ * હવે જો ક્ષણિકતાની સંગતિ કરવા, કારણના ઉદય વખતે જ (અર્થાત્ કારણક્ષણે જ) સામર્થ્યનું આધાન માની લો, અર્થાત્ ઉત્તર કાર્યનો ભાવ માની લો, તો તો હેતુ-ફળ બંને એકકાળે થઈ જવાનો પ્રસંગ આવે ! (અને તો એકકાલીન તે બેનો, ગોવિષાણદ્રયની જેમ હેતુ-ફળભાવ જ ન રહે...) એટલે ઉત્ત૨ કાર્યનો ભાવ એ જ સામર્થ્ય - એવું તો ન કહી શકાય. A પૂર્વમુદ્રિત ‘તત્રિર્વર્ત્ય' કૃતિ પા:, અત્ર E-પ્રતપાઽ: । अथ तद्गतः कार्यान्तरनिवर्त्तनसमर्थः शक्तिविशेषस्तमाधाय निरुद्ध्यते, इति पूर्वोक्तदोषः, तस्य कार्यव्यतिरेकेणानभ्युपगमात्, तदात्मलाभकाल एव चोत्तरकालभाविनोऽपि तन्निर्वर्त्यस्य कार्यान्तरस्य भवनप्रसङ्गः, तद्भावमात्रापेक्षित्वाद्, इतरस्यापि भावमात्रेणैव जनकत्वात्, अनन्तरभवने वा तन्निवृत्त्यापत्तेरतिप्रसङ्गात्। For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वित: – १८७ - પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : હવે કારણ; પોતાના કાર્યમાં રહેલ અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી વિશેષશક્તિનું આધાન કરીને નાશ પામે - એવું કહો, તો પૂર્વોક્ત દોષ રહે જ, કારણ કે તે શક્તિ કાર્ય વિના નથી મનાઈ અને તેથી તેના (=કાર્યના) આત્મલાભ વખતે જ તેનાથી થનારા ઉત્તરકાળભાવી બીજા કાર્યો પણ થવા લાગશે ! કેમ કે બીજા કાર્યો તેના ભાવમાત્રને અપેક્ષે છે અને તે પણ ભાવમાત્રથી જ જનક છે... અથવા તો અનંતર થવામાં, તે કુશળ ક્ષણ નિવૃત્ત થવાની આપત્તિ આવતા અતિપ્રસંગ આવે... દ્વિતીય વિકલ્પની સમીક્ષા વિવેચન : (૨) જો ઉત્તર કાર્યમાં રહેલ અન્ય કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ એવા શક્તિવિશેષને સામર્થ્ય કહો અને કા૨ણ તેનું આધાન કરીને નાશ પામે એવું કહો, તો પૂર્વોક્ત દોષ અકબંધ જ રહે, કારણ કે તે શક્તિવિશેષ, કાર્યના અસ્તિત્વ વિના અલ્યુપગત નથી (કાર્ય હોય, તો જ તેમાં તે શક્તિવિશેષનું આધાન થાય ને ?) (તાત્પર્ય એ કે, શક્તિવિશેષને સામર્થ્ય માનવામાં કારણની ક્ષણિકતાનો વિરોધ થાય છે, કારણ કે તેવા શક્તિવિશેષનું આધાન કરવા, કારણને વિદ્યમાન માનવું પડે, અનુત્પન્ન કે નિરુદ્ધ નહીં, હવે તે શક્તિવિશેષ તો કાર્યક્ષણે-દ્વિતીયક્ષણે છે, કારણ કે કાર્ય વિના તેમાં શક્તિ ન હોય. એટલે કારણનું તે ક્ષણે અસ્તિત્વ માનવું પડે અને તેથી તો તેની ક્ષણિકતાની હાનિ થાય જ...) બીજી વાત, કારણની અનંતર જ્યારે શક્તિવિશેષથી સમન્વિત કાર્યનો જન્મ થાય, ત્યારે જ તે કાર્યથી થનારા ઉત્તરકાળભાવી બીજા કાર્યો પણ થવા લાગશે ! તેના બે કારણ ઃ (૧) એક તો વિવક્ષિત કાર્યના માત્ર અસ્તિત્વની જ, ઉત્તરકાળભાવી કાર્યો અપેક્ષા રાખે છે. એટલે હમણાં એ કાર્યનું અસ્તિત્વ હોવાથી, તેને અપેક્ષીને થનારા બીજા કાર્યો પણ હમણાં થઈ જ જાય... (૨) બીજું એ કે, વિવક્ષિત કાર્ય પણ માત્ર પોતાની સત્તાને લઈને જ, ઉત્તરકાળભાવી કાર્યોને ઉત્પન્ન કરે છે, તેને કોઈ બીજા કારણોની અપેક્ષા નથી... એટલે તેનું પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ હમણાં હયાત હોવાથી, તે હમણાં જ પોતાના ઉત્તરકાળભાવી કાર્યોને ઉત્પન્ન કરી દે... આ રીતે તો વિવક્ષિત કાર્ય વખતે જ, ઉત્તરકાળભાવી તમામ કાર્યો ઉત્પન્ન થઈ જવાનો પ્રસંગ આવે ! બૌદ્ધ : (અનંતરમાવે વા=) વિવક્ષિત કાર્યની અનંતરક્ષણે; જે વખતે વિવક્ષિત કાર્ય નષ્ટ થઈ જાય, તે ક્ષણે જ ઉત્તરકાળભાવી કાર્ય ઉત્પન્ન થાય છે, એવું અમે માનીએ છીએ. તેથી પૂર્વોક્ત પ્રસંગ નહીં આવે. (અર્થાત્ વિવક્ષિત કાર્ય વખતે જ, ઉત્તરકાળભાવી કાર્યો થઈ જવાનો પ્રસંગ નહીં આવે.) સ્યાદ્વાદી ઃ અરે ! વિવક્ષિત કાર્યની પછીની ક્ષણે તો એ કુશળ ક્ષણ નિવૃત્ત થઈ જવાની આપત્તિ આવે અને તો નિવૃત્ત થયા પછી અનંતર થનાર બધા પદાર્થો સરખા હોવાથી તે બધાને તજ્જન્ય For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ १८८ માનવાનો અતિપ્રસંગ આવે ! 1 अथ वासनामाधाय निरुद्ध्यते ? इति एतदप्ययुक्तम्, वास्यवासकयोर्युगपदभावात् । किञ्च 'वासकाद् वासना भिन्ना, अभिन्ना वा भवेद् यदि । भिन्ना स्वयं तया शून्यो नैवान्यं वासयत्ययम् ।।१।। अथाभिन्ना न सङ्क्रान्तिस्तस्या वासकरूपवत् । वास्ये सत्यां च संसिद्धिर्द्रव्यांशस्य प्रसज्यते ।।२।। असत्यामपि सङ्क्रान्तो, वासयत्येव चेन्ननु । अतिप्रसङ्गः स्यादेवं, कल्पिता चेत् तवाऽपि किम् ||३|| अनेकान्तवादप्रवेशः -or> * મૈં પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : હવે વાસનાનું આધાન કરીને નાશ પામે એવું કહો, તો તે પણ અયુક્ત છે; કેમ કે વાસ્યવાસક બંનેનો એકી સાથે અભાવ છે. વળી, (૧) વાસકથી વાસના ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય, તો સ્વયં તેનાથી શૂન્ય થઈ ગયો, અને તો એ અન્યને વાસિત ન કરી શકે... (૨) જો અભિન્ન હોય, તો વાસકરૂપની જેમ, વાસ્યમાં તેની સંક્રાંતિ ન થાય... અને થાય, તો દ્રવ્યાંશની સિદ્ધિ પ્રસક્ત થાય...(૩) જો સંક્રાંતિ વિના પણ આ વાસિત કરે એવું કહો, તો તો અતિપ્રસંગ થાય... અને જો તે વાસનાને કલ્પિત કહો, તો તમારે પણ તે વાસનાથી શું મતલબ ? તૃતીય વિકલ્પની સમીક્ષા વિવેચન : (૩) હવે કારણ, પોતાના કાર્યમાં વાસનાનું આધાન કરીને નાશ પામે એવું કહો, તો તે પણ અયુક્ત છે, કારણ કે વાસક (વાસનાનું આધાન કરનાર) અને વાસ્ય (જેમાં વાસના આહિત કરવાની છે તે) તે બેનું એકસાથે અસ્તિત્વ હોતું જ નથી. (તો વાસક, વાસ્યમાં વાસનાનું આધાન શી રીતે કરી શકે ?) બીજી વાત, વાસકથી વાસના (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) જો ભિન્ન કહો, તો વાસક પોતે વાસનાથી શૂન્ય થઈ જશે ! તો વાસનારહિત એવો તે, બીજામાં વાસનાનું આધાન શી રીતે કરી શકે ? (૨) હવે જો અભિન્ન કહો, તો તે વાસકરૂપ જ બની ગઈ અને તેથી જેમ વાસકનું રૂપ વાસ્યમાં સંક્રમિત થતું નથી, તેમ વાસના પણ વાસ્યમાં સંક્રમિત નહીં થાય (એટલે તો વાસ્યમાં વાસનાનું આધાન જ નહીં થાય.) For Personal & Private Use Only જો વાસકથી અભિન્ન વાસનાનું, વાસ્યમાં સંક્રમણ માનો, તો તે ‘વાસના’ તરીકે પૂર્વાપર ક્ષણોમાં અનુગત દ્રવ્યાંશની જ સિદ્ધિ થઈ. Page #220 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १८९ બૌદ્ધઃ વાસનાના સંક્રમણ વિના પણ, વાસક તે પોતાના વાસ્યને વાસિત કરી દે – એવું માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ તો અતિપ્રસંગ એ આવે કે, વિવક્ષિત વાસ્યથી અતિરિક્ત બીજા વાસ્યો પણ તેનાથી વાસિત થવા લાગે ! (વાસનાનું સંક્રમણ હોય, તો જેમાં સંક્રમણ થાય તે જ વાસિત થાય, તેનાથી અતિરિક્ત નહીં. પરંતુ સંક્રમણ વિના પણ વાસિત માનવામાં, બધા પદાર્થો વાસિત માનવાનો અતિપ્રસંગ આવે.) બૌદ્ધ : અરે ! વાસના તો કલ્પિત છે, એટલે તેના વિશે વિકલ્પો જ ન કરી શકાય કે તે ભિન્ન છે કે અભિન્ન... સ્યાદ્વાદીઃ જો કલ્પિત હોય, તો વાસ્તવમાં તેનું અસ્તિત્વ જ ન રહ્યું, એટલે તે અસત્ થઈ... તો આવી અસત્ વાસનાને માનવાથી તમને પણ શું લાભ થાય? તેનાથી કોઈ વસ્તુની સિદ્ધિ ન થાય. એટલે આ તૃતીય વિકલ્પ પણ અનુચિત જણાઈ આવે છે. एतेन, 'यस्मिन्नेव सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्ताने कर्पासे रक्तता यथा ।।४।।' इत्याद्यपि निरस्तमवगन्तव्यम् । - પ્રવેશરશ્મિ – | ભાવાર્થ એનાથી, કપાસમાં લાલ રંગની જેમ જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ મળે છે' - એ બધી વાત પણ નિરસ્ત સમજવી. વિવેચનઃ ઉપરોક્ત કથનથી, બીજા બૌદ્ધ વિદ્વાનોએ જે કહ્યું છે કે – કપાસમાં લાલ રંગની જેમ, જે જ્ઞાનસંતાનમાં કર્મની વાસના આહિત થઈ હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ મળે છે...” (આશય એ કે, જે બીજમાં લાલરંગનું આધાન થયું હોય, તે બીજના કપાસમાં જ લાલ રંગ આવે છે... અથવા જે કપાસમાં લાલરંગનું આધાન થયું હોય, તે કપાસ પૂરતાં ભાગમાં જ કપડામાં લાલરંગ આવે છે... તેમ જે જ્ઞાનસંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તે જ્ઞાનસંતાનમાં જ તેનું ફળ મળે છે.) તે બધી વાતોનો પણ નિરાસ થાય છે, કારણ કે ઉપરોક્ત રીતે વાસનાનું અસ્તિત્વ જ સિદ્ધ નથી (તો ઉત્તરોત્તર જ્ઞાનપરંપરામાં, તે વાસનાનું આધાન થવાની વાત શી રીતે સિદ્ધ થાય ?) यच्चोक्तम्-'अन्यथाऽऽत्मनो, व्यवस्थितत्वाद् वेदनाऽभावाद् भावेऽपि विकारान्तराभावात् प्रतिपक्षाभ्यासेनाप्यनाधेयातिशयत्वाच्च मुक्त्यसम्भवः' इत्येतदपि न नः क्षतिमावहति, For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ १९० अनेकान्तवादप्रवेशः अनभ्युपगमात्, नह्येकान्तनित्यमस्माभिरात्मादि वस्त्विष्यते । किं तर्हि ? कथञ्चिद्, यथा चास्य नित्यानित्यता सदसद्रूपता च तथोक्तमेव । नित्यानित्यादिधर्मवत्येव च ग्राह्यग्राहकभाव-स्वकृतकर्मफलोपभोग-सम्यग्ज्ञान-भावनादयो युज्यन्ते, कथञ्चिदवस्थितत्वात्, अनुभवसिद्धत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ અને તમે જે કહ્યું હતું કે – “અન્યથા, આત્મા વ્યવસ્થિત હોવાથી તેને વેદના ન થાય... થાય તો પણ બીજો વિકાર ન થવાથી અને પ્રતિપક્ષના અભ્યાસથી પણ અતિશયનું આધાન ન થવાથી મુક્તિનો સંભવ ન થાય' - એ પણ અમને ક્ષતિવાહક નથી; કેમ કે તેવો અમારો અભ્યાગમ નથી. અમે આત્માદિ વસ્તુને એકાંત નિત્ય નથી માનતા, પણ કથંચિ નિત્ય માનીએ છીએ અને જે પ્રમાણે તેની નિત્યાનિત્યરૂપતા અને સદસરૂપતા છે, તે પ્રમાણે અમે કહ્યું છે જ. અને નિત્યાનિત્યાદિ ધર્મવાળી વસ્તુમાં જ ગ્રાહ્યગ્રાહકભાવ, સ્વકૃત કર્મફળનો ભોગ, સમ્યગુ જ્ઞાન, ભાવના વગેરે ઘટી શકે, કારણ કે તે કથંચિત્ અવસ્થિત છે અને તેવું અનુભવસિદ્ધ પણ છે જ.. # સ્યાદ્વાદમતે મુક્તિ-અસંભવનો નિરવકાશ # વિવેચનઃ અને તમે પૂર્વપક્ષમાં બીજું જે કહ્યું હતું કે – “જો આત્મા નિરન્વય નશ્વર ન માનો, તો તે અપ્રશ્રુત, અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવરૂપે તદવસ્થ રહેવાથી, તેમાં જ્વરાદિના હેતુઓથી કોઈ વેદના નહીં થાય... કદાચ વેદના થવામાં પણ, તે એકાંત નિત્યસ્વભાવી હોવાથી તેમાં કોઈ વિકાર નહીં થાય અને શાસ્ત્રવિહિત પ્રતિપક્ષી ભાવનાથી પણ તેમાં કોઈ અતિશયવિશેષનું આધાન નહીં થાય અને તો આવા આત્માનો મોક્ષ થઈ શકે જ નહીં” - તે બધી વાત પણ અમને (=સ્યાદ્વાદીને) ક્ષતિવાહક નથી, કારણ કે તેવો આત્મા અમે માનતા જ નથી. આ જ વાતને જણાવે છે – અમે (જૈનો) આત્મા વગેરે વસ્તુને એકાંત નિત્ય (અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવી) નથી માનતા, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) નિત્ય માનીએ છીએ, અર્થાત્ નિત્યાનિત્ય ( દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય – એમ નિત્યાનિત્ય ) માનીએ છીએ... અને વસ્તુની નિત્યાનિત્યતા અને સદસરૂપતા અને પૂર્વે કહી છે જ. આવી નિત્યાનિત્યરૂપ આત્મા વગેરે વસ્તુમાં જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ, પોતે કરેલા કર્મના ફળનો ભોગ, સમ્યજ્ઞાન, ભાવના વગેરે સંગત થઈ શકે, કારણ કે આવી વસ્તુ કથંચિત્ અવસ્થિત રહે છે.* તેનું (તેઓ કથંચિત્ અવસ્થિત હોવાનું) કારણ એ કે, તે ગ્રાહ્યાદિરૂપ આત્મા વગેરે જ વિશિષ્ટ ગ્રાહ્યાદિરૂપે તદવસ્થ રહે છે અને આવું અનુભવસિદ્ધ પણ છે જ... (તાત્પર્ય એ કે, એક જ ઘડો બે * કથંચિત્ અવસ્થિત હોવાથી, તેમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ અને કર્મકતૃત્વ - કર્મભોક્નત્વ વગેરે જુદા જુદા ક્રમભાવી અનેક પર્યાયો નિબંધ સંગત થઈ શકે. - - - - - - - - — — — — For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः < ચાર વરસ સુધી તેવો ને તેવો જ દેખાય છે, અર્થાત્ તે બે-ચાર વરસ સુધી ગ્રાહ્યરૂપે તદવસ્થ રહે છે એ પરથી તેનું કથંચિદ્ અવસ્થાન નિર્બાધ જણાઈ આવે છે.) * १९१ * न चानुभवसिद्धे वस्तुनः सदसद्रूपादित्वे विरोधिधर्माध्यासितस्वरूपाभिधानं न्याय्यम् । अतथाभावे तदभावप्रसङ्गतो विरोधासिद्धेः, इत्युक्तं प्राक् । न च परैरपि स्वलक्षणेषु साधारणप्रमेयता भ्रान्तौ चाभ्रान्ता स्वसंविनेष्यते, तेषां स्वलक्षणादीनां प्रमेयताद्यभावापत्तेः, इति न विपश्चितस्तथा विरोधाभिधानं वैपश्चित्याविरोधि, तत्तथाऽभावे सकलव्यवहाराभावप्रसङ्गात् । अप्रमेयत्वेन स्वलक्षणेषु प्रमाणाप्रवृत्तेः । भ्रान्तौ च स्वसंविदभावપ્રસાાત્ ।। મૈં પ્રવેશરશ્મિ : ભાવાર્થ : વસ્તુનું સદસદાદિપણું અનુભવસિદ્ધ હોય, તો તે વિશે વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપનું કહેવું ન્યાયસંગત નથી; કેમ કે તેવું ન હોય તો તેના અભાવનો પ્રસંગ આવવાથી વિરોધ સિદ્ધ નથી, એવું અમે પૂર્વે જ કહ્યું અને બૌદ્ધો પણ સ્વલક્ષણમાં સાધારણ એવી પ્રમેયતા અને ભ્રાન્તિમાં અભ્રાન્ત એવી સ્વસંવિદ્ નથી માનતા - એવું નથી, નહીંતર તો તે સ્વલક્ષણની પ્રમેયતાદિનો અભાવ થઈ જાય...અને પંડિતો દ્વારા તેવા વિરોધનું કથન; પોતાના પાંડિત્યનું અવિરોધી નથી... કારણ કે જો તેવું ન માનો, તો સર્વ વ્યવહારનો અભાવ થાય. જુઓ - અપ્રમેય હોવાથી સ્વલક્ષણોમાં પ્રમાણની પ્રવૃત્તિ ન થાય અને ભ્રાન્તિમાં સ્વસંવિો અભાવ થવાનો પ્રસંગ આવે. ૢ અનેકરૂપ વસ્તુમાં અવિરોધ, અન્યથા વ્યવહારવિરોધ વિવેચનઃ વસ્તુનું સદસદ્ આદિ અનેકરૂપ હોવું અનુભવસિદ્ધ છે, એટલે તે વિશે ‘વસ્તુ (૧) સદસદ્, (૨) નિત્યાનિત્ય વગેરે વિરોધી ધર્મોથી અધ્યાસિત શી રીતે હોઈ શકે ?” એવું કહેવું ન્યાયસંગત નથી. કારણ એ જ કે, જો વસ્તુ સદસદાદિ અનેકરૂપ ન માનો, તો વસ્તુનો જ વિલોપ થઈ જાય ! એટલે એક વસ્તુમાં જુદા જુદા અનેક ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી, એ બધું પૂર્વે અમે બતાવી જ દીધું છે. વળી, હે બૌદ્ધો ! એક જ ધર્મીમાં વિરોધી અનેક ધર્મોનું અસ્તિત્વ તો તમને પણ ઇષ્ટ જ છે. જુઓ- (૧) તમે અત્યંત વિજાતીય માનેલ સ્વલક્ષણરૂપ વસ્તુમાં પણ સાધારણ એવી પ્રમેયતા * માનો છો, અને (૨) ભ્રાન્તજ્ઞાનમાં પણ સ્વસંવેદનને અભ્રાન્ત માનો છો... (તો અહીં (૧) અત્યંત ભિન્ન સ્વલક્ષણમાં સાધારણ એવી પ્રમેયતા માનવી, (૨) ભ્રાન્તજ્ઞાનને અમુક અંશે અભ્રાન્ત માનવું - એમ વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત માનવી; એ તો તમને પણ ઇષ્ટ * વિશ્વવર્તી તમામ પદાર્થો પ્રમાણના વિષય છે, અર્થાત્ પ્રમેય છે. એટલે તે બધામાં પ્રમેયતા નામનો ધર્મ આવે. આ પ્રમેયતા સર્વ પદાર્થોમાં અનુગત હોવાથી સાધારણરૂપ છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ १९२ अनेकान्तवादप्रवेशः જ છે...) તેનું (તમને તે ઇષ્ટ હોવાનું) કારણ એ કે, જો તેમાં પ્રમેયતાદિ ન માનો, તો તે સ્વલક્ષણ પ્રમેયાદિરૂપ બને નહીં તે જ રીતે ભ્રાન્તજ્ઞાન પણ સ્વસંવિદ્ અંશે પ્રમાણ રહે નહીં...) (અને તેમાં શું દોષ આવે ? તે હમણાં જ આગળ જણાવશે.) અને તે બૌદ્ધો ! સ્વલક્ષણમાં પ્રમેયતા વગેરે માનવામાં વિરોધ કહેવો તે પંડિતાઈને વિરોધી છે, કારણ કે પ્રમેયતા વિના તો એ સ્વલક્ષણાદિ પ્રમેયરૂપ નહીં બને અને તો સર્વ વ્યવહારનો વિલોપ થશે! જુઓ; સાધારણ એવી પ્રમેયતા વિના, સ્વલક્ષણો પ્રમેયરૂપ ન બને અને તો તેઓ વિશે પ્રમાણની પ્રવૃત્તિ પણ ન થાય...અને પ્રમાણ વિના તો તે વસ્તુના તમામ વ્યવહારો અસંગત ઠરે. વળી વિરોધી ધર્મોનું વારણ કરવા, જો ભ્રાન્તજ્ઞાનમાં સ્વસંવેદનને અભ્રાન્ત ન માનો, તો તે બ્રાન્તિનું સ્વસંવેદન જ નહીં થાય અને તો ભ્રાન્તજ્ઞાન થકી વ્યવહાર જ નહીં થાય... (તાત્પર્ય એ કે, “શુક્તિમાં રજતનું જ્ઞાન એ ભ્રાન્તિ છે. નતજ્ઞાનવાનહમ્ એ ભ્રાન્તિનું સ્વસંવેદન છે, અને તે અબ્રાન્ત છે, અર્થાત્ વ્યક્તિને રજતજ્ઞાન જ થયું છે. હવે જો સ્વસંવેદનાંશમાં પણ ભ્રાન્તિ બ્રાન્ત જ હોય; તો પછી રગતરાનવાનહમ્ એવું જ્ઞાન જ તેને નહીં થાય અને તો તેવા જ્ઞાનને લઈને થનારો વ્યવહાર પણ નહીં થાય.) એટલે વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત ન માનો, તો તમામ વ્યવહારનો વિલોપ થાય જ... નિષ્કર્ષ એટલે વસ્તુને અન્વયશીલ અને અનેક ધર્મોથી અધ્યાસિત માનવી જ રહી, અન્યથા નિરન્વય-નશ્વર માનવામાં તો ઐહિક-આમુમ્બિક સર્વ વ્યવહારનો વિલોપ થાય જ. न चैतदात्माऽङ्गनाभवनाद्यनात्मकमनित्यमशुचि दुःखमेव, अन्वयस्यैवात्मत्वात्, तस्य च व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव, तदतादवस्थ्यात् । अन्यथा तदनुपपत्तेः । नाशुच्येव, शुभपरिणामभावात्, लोके जलेन शुचिकरणेन तथोपलब्धेः । एवं न दुःखमेव, मुक्तिसुखजनकत्वात्, पारम्पर्येण तत्स्वभावत्वाद्, इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: આ આત્મા, અંગના, ભવનાદિ એકાંતે અનાત્મક, અનિત્ય, અશુચિ અને દુઃખરૂપ જ નથી; કેમ કે અન્વય જ આત્મરૂપ છે અને તેને અમે સિદ્ધ કરી દીધો છે. એવી રીતે અનિત્ય જ નથી, કેમ કે તેનું જ અતદવસ્થપણું હોય છે, અન્યથા તેની ઉપપત્તિ ન થાય.અશુચિરૂપ જ નથી; કેમ કે શુભ પરિણામ થાય છે અને લોકમાં પાણીથી શુચિ કરવારૂપે તેવું દેખાય છે જએ જ રીતે દુઃખરૂપ જ નથી; કેમ કે મુક્તિ સુખને ઉત્પન્ન કરનાર છે અને તેનું કારણ એ કે, પરંપરાએ તે મુક્તિસુખને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः ” એકાંત અનાત્મકતાદિનો નિરાસ વિવેચનઃ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે આ બધી વસ્તુઓ, એકાંતે (૧) અનાત્મક, (૨) અનિત્ય, (૩) અશુચિ, (૪) દુઃખરૂપ જ છે – એવું નથી, કારણ કે તેઓ કથંચિદ્ સાત્મકાદિરૂપે પણ ઉપલબ્ધ થાય છે જ. જુઓ - १९३ (૧) વસ્તુનો પૂર્વાપર ક્ષણોમાં ‘અન્વય’ જ આત્મરૂપ (=વસ્તુનું પોતાનું સ્વરૂપ) છે અને એ અન્વયની નિર્બાધ સિદ્ધિ અમે કરી છે જ, એટલે આત્મા વગેરે તમામ પદાર્થો કથંચિદ્ અન્વયરૂપ (=આત્મરૂપ, સાત્મક) હોવામાં કોઈ ક્ષતિ નથી. (૨) વસ્તુ એકાંતે અનિત્યરૂપ જ નથી, કારણ કે ઘટ વગેરેનું જ પાછળથી અતદવસ્થરૂપે અસ્તિત્વ દેખાય છે. (અન્યથા) જો એકાંતે અનિત્ય હોય તો પાછળ તેનો માત્ર તુચ્છ=અભાવ જ વિદ્યમાન હોવાથી, ત્યારે ઘટનું અતદવસ્થપણું નહીં રહે. (આશય એ કે, ઘડો ફૂટી ગયા પછી પણ તૂટેલો ઘડો દેખાય છે, અર્થાત્ ઘડાનું અતદવસ્થપણું અનુભવાય છે...પણ ઘડો જો નિરન્વય નશ્વર હોય, તો ત્યાં તૂટેલો ઘડો (ઘડાનું અતદવસ્થપણું) ન દેખાય અને તેમાં તો પ્રતીતિનો વિલોપ છે.) એટલે ઘટાદિ પદાર્થોને કથંચિદ્ નિત્ય માનવા જ રહ્યા... (૩) વસ્તુ એકાંતે અશુચિરૂપ જ નથી; કેમ કે તેમાં શુચિપરિણામનું નિર્બાધ અસ્તિત્વ છે અને તેનું કારણ એ કે, લોકમાં શુચિરૂપે તેઓની ઉપલબ્ધિ થાય છે જ. (લોકમાં પાણીથી ધોયા પછી કપડા વગેરેનો શુચિરૂપે વ્યવહાર થાય છે જ.) એટલે તેઓ શુચિરૂપ હોવામાં કોઈ ક્ષિત નથી. (૪) એ જ રીતે વસ્તુ એકાંતે દુઃખરૂપ જ નથી. કારણ કે રજોહરણ-પુસ્તક વગેરે વસ્તુઓ પરંપરાએ મોક્ષસુખને ઉત્પન્ન કરનાર છે અને તે વસ્તુઓનો પરંપરાએ (=જ્ઞાન/ચારિત્રને ઉત્પન્ન કરવા દ્વારા) મોક્ષસુખને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જ છે. (એટલે તેઓ કથંચિદ્ સુખરૂપ પણ છે જ...) સાર : એટલે વસ્તુને એકાંતે અનાત્મકાદરૂપ માની લેવી તર્કસંગત નથી. किञ्च-अनात्मकं शून्यमसदित्येकोऽर्थः, अनित्यमस्थिरं सदिति च । यद्यनात्मकम्, कथमनित्यम् ? अथानित्यम्, कथमनात्मकम् ? इति । कथं च बुद्धधर्मसङ्घलक्षणे परमनिवृत्तिहेतौ निर्दोषे महारत्नत्रये सति इदं वक्तुमुचितम् ? दु सर्वमेवाशुचि, सर्वमेव दुःखम्, इति; तदाशातनापत्तेरसदभिधानात् । अन्यथा, रत्नत्रयायोगः, तदन्याशुच्याद्यविशेषात् योगे वाऽतिप्रसङ्गः । For Personal & Private Use Only -*-+ * Page #225 -------------------------------------------------------------------------- ________________ १९४ अनेकान्तवादप्रवेशः - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? વળી, અનાત્મક - શૂન્ય - અસત્ એ બધા એક અર્થક છે અને અનિત્ય-અસ્થિર-સતુ એ બધા પણ એક અર્થક છે....તો જો અનાત્મક હોય, તો અનિત્ય કેવી રીતે? અને અનિત્ય હોય, તો અનાત્મક કેવી રીતે? અને પરમનિવૃત્તિનું કારણ, નિર્દોષ એવા બુદ્ધ, ધર્મ અને સંઘરૂપ મહાનું રત્નત્રય વિશે આવું બોલવું શી રીતે ઉચિત કહેવાય કે બધું જ અશુચિ, બધું જ દુઃખરૂપ છે...ઇત્યાદિ? તેવું કહેવામાં તો તેમની આશાતના થાય; કેમ કે તમે અસત્ કથન કરો છો. અન્યથા તે રત્નત્રય જ ન રહે; કેમ કે તેઓ અન્યઅશુચિ આદિની સમાન થઈ ગયા. તે છતાં તેને રત્નત્રય માનો, તે અતિપ્રસંગ આવે. - ૩ એકાંત-અનાત્મકાદિ માનવામાં વિરોધ છે વિવેચનઃ બીજી વાત, (૧) અનાત્મક, શૂન્ય, અસતુ - એ બધા પર્યાયવાચી શબ્દો છે, અર્થાત એક જ અર્થને કહેનારા છે, અને (૨) અનિત્ય, અસ્થિર, સત્ – એ બધા પણ પર્યાયવાચી શબ્દો છે. હવે બૌદ્ધો વસ્તુને અનાત્મક-અનિત્યરૂપ માને છે, તો અહીં પ્રશ્ન એ થાય કે, વસ્તુ જો અનાત્મક=અસતું હોય, તો તે અનિત્ય સત્ શી રીતે ? અને જો અનિત્યકસતું હોય, તો તે અનાત્મક=અસત્ શી રીતે ? આમ પરમાર્થથી એકાંતમતે વાસ્તવિક વિરોધ જણાઈ આવે છે (કથંચિત્ અન્વયશીલ નિત્યાનિયાદિરૂપ વસ્તુમાં કોઈ વિરોધ નથી.) એકાંત અશુચિ-દુઃખરૂપ માનવામાં ઘોર આશાતના છે જીવોને પરમમોક્ષનું મૂળકારણ, દોષોને અટકાવવા અને ઘટાડવા દ્વારા રાગાદિ દોષરૂપી કલંકથી રહિત એવા (૧) બુદ્ધ, (૨) બૌદ્ધધર્મ, અને (૩) સંઘરૂપ મહાન રત્નત્રય વિશે, વચનમાર્ગમાં કુશળ અને વચનના દોષમાં ભીરુ એવો વક્તા નિઃશંકપણે “તમામ પદાર્થો (રત્નત્રય પણ) અશુચિ અને દુઃખરૂપ છે' એવું બોલે, તો તે શી રીતે ઉચિત કહેવાય ? (ભાવ એ કે, વચનમાર્ગમાં કુશળ વ્યક્તિ, પરમસુખનું કારણ અને રાગાદિરહિત રત્નત્રયને પણ અશુચિરૂપ-દુઃખરૂપ કહે, તો તે શું ઉચિત કહેવાય ?) પ્રશ્ન : પણ તેવું કહેવામાં અનુચિત શું? ઉત્તર : અરે ! શું રત્નત્રય પણ અશુચિ-દુઃખરૂપ છે? નહીં જ... તે છતાં તે કુશળ વ્યક્તિ, રત્નત્રયમાં અસત્ (કન રહેલ) પણ અશુચિ વગેરેનું કથન કરે છે, અને એ રીતે અસત-અશુચિ આદિને કહેવાથી તો રત્નત્રયની ઘોર આશાતના કરે છે! એટલે બુદ્ધાદિ રત્નત્રયને અશુચિ-દુઃખરૂપ કહેવું અનુચિત જ છે. બૌદ્ધઃ *તમામ પદાર્થો અશુચિ-દુઃખરૂપ છે, તો રત્નત્રયને પણ અશુચિ-દુઃખરૂપ માની લઈએ તો ? * આશાતનાની વાત બાજુ પર મૂકીને, પોતાની માન્યતા પકડીને, બૌદ્ધ પોતાનું વિચાર-વિહોણું વક્તવ્ય રજુ કરે છે. - For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः १९५ સ્યાદ્વાદીઃ તો તો રત્નત્રય જ નહીં ઘટે, કારણ કે આ રીતે તો તેઓ વિષ્ઠાદિ અશુચિ-દુઃખરૂપ પદાર્થને સરખા જ થઈ ગયા! તો તેવા વિષ્ઠાદિતુલ્યને પરમસુખનું ભાજન-દોષરહિત શી રીતે કહેવાય? (યોfપ) કદાચ તેવાને રત્નત્રયરૂપ માની લો, તો પણ અતિપ્રસંગ એ આવશે કે, અશુચિઆદિરૂપ વિષ્ઠા વગેરેને પણ “રત્નત્રય” માનવાનો પ્રસંગ આવશે ! આમ ઘોર આશાતના થવાથી બધા પદાર્થોને અશુચિરૂપ કે દુઃખરૂપ કહેવું બિલકુલ ઉચિત નથી. એટલે તમારે કથંચિદ્વાદ-સ્યાદ્વાદ જ શરણભૂત છે. ___ एवं च, 'तथाह्येतदात्माङ्गनाभवनमणिकनक' इत्यादि द्वेष इति कृत्वेत्यन्तं यदुक्तम्, तत्परपक्षे उक्तिमात्रमेव, उक्तवनिर्विषयत्वाद्, अतो विरोधिधर्माध्यासितस्वरूप एव वस्तुन्यनेकान्तवादिन एव सकलव्यवहारसिद्धिः । पीडानिर्वेदादीनां च कथञ्चिदेकाधिकरणत्वान्मुक्तिसिद्धिश्च नान्यस्य । तस्माद् व्यवस्थितमेतद्-एकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः, इति । –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? અને એટલે તમે – “જુઓ; આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક’. ત્યાંથી લઈને થાવત્ ષ સુધીનું જે પૂર્વપક્ષમાં કહ્યું હતું, તે તમારા મતે માત્ર બોલવા પૂરતું જ છે. એટલે વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપવાળી વસ્તુમાં જ અનેકાંતવાદીમતે જ સકળ વ્યવહારની સિદ્ધિ થાય છે અને પીડાનિર્વેદાદિનું પણ કથંચિત્ એક અધિકરણ હોવાથી મુક્તિની સિદ્ધિ થઈ જાય, એકાંતવાદીમતે આવું ન થાય..એટલે સ્થિત થયું કે, એકાંતવાદીમતે મુક્તિના અભાવનો પ્રસંગ આવે છે ! વિવેચનઃ વળી, હે બૌદ્ધો ! તમે જે કહ્યું હતું કે – “આ આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે પદાર્થો અનાત્મક, અનિત્ય, અશુચિરૂપ છે – એવું જાણીને ખરા ભાવથી તેવી ભાવના ભાવતો “વસ્તુમાં આસક્તિ કરવા જેવું કંઈ નથી' એવી ભાવનાના પ્રકર્ષથી વૈરાગ્ય ઊભો થાય અને તેનાથી મોક્ષ થાય...તે આ રીતે – “અને મારું એવું દર્શન જ “મોહ છે અને તેનાથી થનારો હું અને મારા વિશેનો સ્નેહ તે “રાગ' છે અને એ રાગપૂર્વક તેના અનુરાગના) વિષયભૂત આત્મ-આત્મીય પ્રતિબંધક ઉપર અણગમારૂપ “વૈષ” થાય છે. (પણ અનાત્મકતાદિનો બોધ થયે આ રાગ-દ્વેષ-મોહની હાનિ થાય જ અને તો મોક્ષ પણ થાય જ..)” – એ બધું પરમતે (=મોક્ષની સંગતિ માટે બૌદ્ધમતે ) કહેલું વચન માત્ર બોલવા પૂરતું છે, કારણ કે આ જ અધિકારમાં પૂર્વે કહ્યા મુજબ એ વચન નિર્વિષયક જણાઈ આવે છે. (પૂર્વે સચોટ તર્કોથી સાબિત કર્યું હતું કે, નિરન્વય નશ્વરવાદીમતે મોક્ષ બિલકુલ સંગત નથી... અહીં એ બધી યુક્તિઓ સમજવી કે “ક્ષણિક આત્મામાં ક્રમે થનારી ઉત્તરોત્તર વિશુદ્ધ ભાવનાઓ અસંગત છે...) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ १९६ अनेकान्तवादप्रवेशः –૭૮ એટલે હકીકતમાં અનેકાંતવાદીઓના મતે જ, સદસદ્-નિત્યાનિત્ય વગેરે વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપવાળી વસ્તુમાં જ નિરુપચરિતરૂપે ગ્રાહ્ય-ગ્રાહકાદિ તમામ વ્યવહારો સિદ્ધ થાય છે. વળી અનેકાંતવાદીમતે આત્મા કથંચિત્ અવસ્થિત હોવાથી, (૧) પીડા, (૨) નિર્વેદ, (૩) માર્ગજ્ઞાન, (૪) ભાવના વગેરે ક્રમથી થનારા જુદા જુદા વ્યવહારો આત્મારૂપ એક જ અધિકરણમાં નિબંધ ઘટી જાય અને તો એક જ આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ અવસ્થાઓ થવાથી તેની મુક્તિ પણ ઉપપન્ન થઈ જાય. અને આ પ્રમાણે મોક્ષની સિદ્ધિ; એકાંત ક્ષણિકવાદમાં થઈ શકે નહીં. નિષ્કર્ષ : એટલે એકાંતવાદીમતે જ, ક્ષણિકાદિરૂપ વસ્તુ માનવામાં, મુક્તિના અભાવનો પ્રસંગ આવે છે, એવું ફલિત થયું. स्यादेतद्-विरोधिधर्माध्यासितस्वरूपत्वे सति वस्तुन एवाभावात् तनिबन्धनव्यवहाराभावः, न हि शीतोष्णस्पर्शवदेकमस्ति, तयोर्विरोधाद्, इति । । अत्रोच्यते-अथ कोऽयं विरोधः ? अन्यतरभावेऽन्यतराभावः, इति चेत् ? अस्त्वेतत्, किन्तु-शीतोष्णस्पर्शयोर्यो विरोधः, स किं स्वरूपसद्भावकृत एव ? उतैककालासम्भवात् ? आहोश्विदेकद्रव्यायोगेन ? किमेककालैकद्रव्याभावतः ? उतैककालैकद्रव्यैकप्रदेशासम्भवेन ? आहोश्विदभिन्ननिमित्तत्वेनेति ? વિખ્યાતઃ ? – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ વિરોધી ધર્મથી અધ્યાસિત સ્વરૂપ માનવામાં વસ્તુનો જ અભાવ થાય અને તો તમૂલક વ્યવહારનો પણ અભાવ થાય..અને શીત-ઉષ્ણ બે વિરોધી ધર્મવાળી કોઈ એક વસ્તુ નથી હોતી; કેમ કે તે બેનો વિરોધ છે. ઉત્તરપક્ષ ઃ તે બેનો વિરોધ કયો? પૂર્વપક્ષ એકના અસ્તિત્વમાં બીજાનો અભાવ એ જ વિરોધ. ઉત્તરપક્ષ : આ ભલે થાઓ, પણ શીત-ઉષ્ણ સ્પર્શનો જે વિરોધ છે તે શેનાથી? (૧) શું સ્વરૂપસદ્ભાવકૃત છે? (૨) એક કાળે ન હોઈ શકે એટલે? (૩) એક દ્રવ્ય તેવું ન હોઈ શકે એટલે? (૪) એકકાળે એક દ્રવ્ય તેવું ન હોઈ શકે એટલે? (૫) એકકાળે એકદ્રવ્યનો એકપ્રદેશ તેવો ન હોઈ શકે એટલે? કે (૬) અભિન્નનિમિત્તને લીધે? આ બધા વિકલ્પોથી શું? (તે આગળ કહેશે.) # પૂર્વપક્ષીકૃત પ્રલાપનો વિકાશ નિરાસ છે વિવેચનઃ પૂર્વપક્ષ: હે જૈનો ! તમે વસ્તુનું સ્વરૂપ; આવા (નિત્યાનિત્યસ્વાદિ) વિરોધી ધર્મોથી અધ્યાસિત માનો, તો વસ્તુનો જ અભાવ થાય... અને વસ્તુ વિના તો, તે વસ્તુમૂલક થનારા વ્યવહારનો પણ અભાવ થાય. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः - અને તેનું (=વિરોધી ધર્મથી અધ્યાસિત એક વસ્તુ ન હોવાનું ) કારણ એ કે, શીત-ઉષ્ણ બે વિરોધી સ્પર્શવાળી કોઈ એક વસ્તુ હોતી જ નથી. કેમ કે તે બે સ્પર્શનો એક વસ્તુમાં હોવામાં વિરોધ છે. (એક જ વસ્તુ ઠંડી-ગરમ ન હોઈ શકે.) ઉત્તરપક્ષ : અરે ! પહેલા એ કહો કે ‘વિરોધ' એટલે શું ? પૂર્વપક્ષ ઃ એકના હોવામાં બીજાનું ન હોવું; એ જ વિરોધ. (અર્થાત્ શીતના હોવામાં ઉષ્ણનું : કે ઉષ્ણના હોવામાં શીતનું - એમ પરસ્પર એકબીજાના હોવામાં એકબીજાનું ન હોવું; એ જ વિરોધ...) ઉત્તરપક્ષ : આ વાત તો બરાબર છે, પણ અમારે એ પૂછવું છે કે, શીત-ઉષ્ણ સ્પર્શ વચ્ચે જે વિરોધ છે, તે શેના કારણે ? १९७ (૧) શું તે બેના સ્વરૂપનો સદ્ભાવ હોવા માત્રથી વિરોધ છે ? (૨) એક કાળે તે બે ન હોઈ શકે, એટલે વિરોધ છે ? (૩) એક દ્રવ્યમાં તે બેનો યોગ ન થઈ શકે, એટલે વિરોધ છે ? (૪) એકકાળે એકદ્રવ્યમાં તે બે ન હોઈ શકે, એટલે ? (૫) એકકાળે એકદ્રવ્યમાં એકપ્રદેશને લઈને તે બે ન હોઈ શકે, એટલે ? (૬) કે પછી અભિન્ન-એક નિમિત્તને લઈને તે બે ન હોઈ, એટલે વિરોધ છે ? આ છમાંથી તમે કયા વિકલ્પને લઈને શીત-ઉષ્ણ સ્પર્શનો વિરોધ કહો છો ? * પ્રશ્ન ઃ પણ આ બધા વિકલ્પોથી થાય શું ? ઉત્તર ઃ થાય એ જ કે, તમારું જે (સદસદ્ બે વિરોધી ધર્મો એક વસ્તુમાં ન હોય-એવું સાબિત કરવાનું) ઇષ્ટ છે, તે સિદ્ધ થતું નથી. ચાલો, હવે આપણે તે વિકલ્પોની સમીક્ષા ૫૨ જઈએ. * न तावत्स्वरूपसद्भावकृत एव शीतोष्णस्पर्शयोर्विरोधः, नहि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विरुध्यते, उष्णस्पर्शो वेतरेण; अन्यथा, त्रैलोक्येऽपि शीतोष्णस्पर्शयोरभाव एव स्यात् । एकस्य वा कस्यचिदवस्थानमन्यतरस्य, न चानयोर्जगति कदाचिदप्यसत्ता, सदैव वडवानलतुहिनसद्भावात् । सद्भावश्चाविद्वदङ्गनाद्यविप्रतिपत्तेः, इति । - પ્રવેશરશ્મિ * ભાવાર્થ : શીત-ઉષ્ણ સ્પર્શનો સ્વરૂપસાવકૃત જ વિરોધ નથી; કેમ કે શીતસ્પર્શ બીજા નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના માત્ર સ્વરૂપસદ્ભાવને લઈને ઉષ્ણસ્પર્શ સાથે વિરોધી નથી અને એ જ રીતે ઉષ્ણસ્પર્શ પણ શીતસ્પર્શની સાથે વિરોધી નથી, નહીંતર તો ત્રણે લોકમાં શીતોષ્ણ સ્પર્શનો અભાવ જ થાય અથવા For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ १९८ अनेकान्तवादप्रवेशः તો બેમાંથી કોઈ એકનું જ અવસ્થાન રહે..અને તે બેની જગતમાં કદી અસત્તા નથી હોતી, કેમ કે સદા વડવાનલ અને બરફનો સદ્ભાવ હોય છે જ. અને સદ્ભાવ હોવામાં બધાને અવિપ્રતિપત્તિ છે. આ પ્રથમ વિકલ્પની વિચારણા છે વિવેચનઃ શીત અને ઉષ્ણ સ્પર્શના સ્વરૂપનું હોવું એટલા માત્રથી તે બેનો વિરોધ ન કહી શકાય; કેમ કે શીતસ્પર્શ બીજા કોઈ નિમિત્તની અપેક્ષા વિના માત્ર સ્વરૂપના સદૂભાવને લઈને જ ઉષ્ણસ્પર્શનો વિરોધી હોય એવું નથી. અને એ જ રીતે ઉષ્ણસ્પર્શ પણ માત્ર સ્વરૂપસંભાવને લઈને જ શીતસ્પર્શનો વિરોધી હોય એવું નથી. પ્રશ્નઃ સ્વરૂપસદ્ભાવને લઈને જ તે બેનો વિરોધ માનીએ તો? ઉત્તરઃ તો તો ત્રણે ભુવનમાં શીત-ઉષ્ણસ્પર્શનો અભાવ જ થાય અથવા તો બેમાંથી કોઈ એકનું અવસ્થાન અને બીજાનો અભાવ થાય! (કારણ કે શીતસ્પર્શનો અભાવ હોવામાં ઉષ્ણસ્પર્શનો અભાવ થાય અથવા ઉષ્ણસ્પર્શનો અભાવ હોવામાં શીતસ્પર્શનો અભાવ થાય...) પણ જગતમાં બેમાંથી એકનો પણ અભાવ હોય - એવું તો નથી જ, કારણ કે વડવાનલ અને બરફનો સદ્ભાવ હંમેશાં હોય છે જ... અને તેનું (=બંનેનો સદ્દભાવ હોવાનું) કારણ એ કે, વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને તે બેનો સદ્ભાવ હોવામાં કોઈ વિપ્રતિપત્તિ નથી... એટલે ફલિત થયું કે, સ્વરૂપનું અસ્તિત્વ હોવા માત્રથી જ શીત-ઉષ્ણ સ્પર્શનો વિરોધ નથી. न चैककालासम्भवाद्, यत एकस्मिन्नपि काले तयोः सद्भाव उपलभ्यत एव, यथाशीता आपः, पर्वते निकुञ्जप्रस्रवणानि वा, उष्णस्त्वग्निः; न च विरोधः।।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : એક કાળે ન હોવાથી વિરોધ છે - એવું પણ નથી; કેમ કે એકકાળે પણ તે બેનો સદ્ભાવ દેખાય છે જ. જેમકે (૧) પાણી અથવા પર્વતનિકુંજના ઝરણા શીતળ છે, (૨) અગ્નિ ઉષ્ણ છે...અને અહીં વિરોધ પણ નથી. # દ્વિતીય વિકલ્પની વિચારણા વિવેચનઃ શીત-ઉષ્ણ સ્પર્શ એકકાળે ન હોઈ શકે, એટલે તે બેનો વિરોધ છે – એવું પણ ન કહેવાય, કારણ કે તે બંને સ્પર્શનો એકકાળે સદ્ભાવ દેખાય છે જ. જુઓ – એક જ કાળમાં (૧) પાણી અથવા પર્વતના નિકુંજમાંથી (વેલડીઓથી ઢંકાયેલા સ્થાનમાંથી) વહેતું ઝરણું શીતળ હોય છે. અને તે જ વખતે બીજે ઠેકાણે, (૨) અગ્નિ ઉષ્ણ હોય છે... અને આ રીતે એકકાળે શીત-ઉષ્ણ સ્પર્શ હોવામાં કોઈ વિરોધ પણ નથી. (એટલે એકકાળે ન હોવાથી તે બેનો વિરોધ છે, એવું કથન અયુક્ત જણાઈ આવે છે.) For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः < न चैकद्रव्यायोगेन यत - एकेनापि द्रव्येण तयोर्योगो भवत्येव; तथा च शीतकाले रात्रौ निरावरणे देशे पर्युषिते लोहभाजने शीतस्पर्शो भवति, तत्रैव मध्याह्ने दिनकरप्रतप्ते ૩ī:, કૃતિ; ન ચ વિરોધઃ ।। • પ્રવેશરશ્મિ -- ભાવાર્થ : એકદ્રવ્યમાં ન હોવાથી વિરોધ છે - એવું પણ નથી; કેમ કે એકદ્રવ્યમાં તે બેનો ભાવ છે જ. તે આમ-ઠંડીમાં રાતે ખુલ્લા ભાગમાં મૂકેલા લોહમય ભાજનમાં શીતસ્પર્શ હોય અને મધ્યાન્હમાં સૂર્યકિરણથી પ્રતપ્ત ત્યાં જ ઉષ્ણસ્પર્શ હોય છે અને તેમાં વિરોધ નથી. ૢ તૃતીય વિકલ્પની વિચારણા વિવેચન : શીત-ઉષ્ણ સ્પર્શ એકદ્રવ્યમાં ન હોવાથી વિરોધ છે - એવું પણ ન કહેવાય; કેમ કે એક દ્રવ્યની સાથે પણ તે બેનું જોડાણ હોય છે જ. જુઓ १९९ 1 એક જ લોખંડનો વાટકો (૧) ઠંડીમાં રાતે ખુલ્લા ભાગમાં મૂકવામાં આવે, તો તેમાં એકદમ ઠંડો સ્પર્શ થાય છે, અને (૨) બપોરે ભરતડકે મૂકવામાં આવે, તો સૂર્ય કીરણથી તપ્ત એવા તે ભાજનમાં જ ઉષ્ણસ્પર્શ થાય છે. * અને આમ એકદ્રવ્યમાં શીત-ઉષ્ણ સ્પર્શ હોવામાં કોઈ વિરોધ પણ નથી. એટલે તમારું કથન અયુક્ત જણાઈ આવે છે... * न चैककालैकद्रव्याभावतो विरोधः; यतः - एकस्मिन्नेव काले एकस्मिंश्च द्रव्येऽनयोर्भाव एव; तथाहि-धूपकडुच्छकस्थालकेऽग्निसम्बन्धे उष्णस्पर्शो भवति, तस्यैव तु गण्डे શીત:, કૃતિ; ન ચ વિરોધઃ ।। મૈં પ્રવેશરશ્મિ : ભાવાર્થ : એકકાળે એકદ્રવ્યમાં ન હોવાથી વિરોધ છે- એવું પણ નથી; કેમ કે એકકાળે અને એકદ્રવ્યમાં તે બેનો ભાવ છે જ. તે આમ - ધૂપકડછામાં થાળના ભાગમાં અગ્નિસંબંધે ઉષ્ણસ્પર્શ અને દંડના ભાગમાં શીતસ્પર્શ હોય છે અને ત્યાં વિરોધ નથી. # ચતુર્થ વિકલ્પની વિચારણા વિવેચન : તે બે સ્પર્શ, એકકાળે એકદ્રવ્યમાં ન હોઈ શકે એટલે તે બેનો વિરોધ છે - એવું પણ ન કહેવાય, કારણ કે એકકાળે અને એકદ્રવ્યમાં તે બેનું હોવું દેખાય છે જ. જુઓ— For Personal & Private Use Only એક જ કાળે ધૂપકડછામાં (૧) જ્યાં ધૂપ મૂકવામાં આવે, તે થાળના ભાગમાં અગ્નિનું જોડાણ હોવાથી ઉષ્ણસ્પર્શ અનુભવાય છે, અને (૨) કડછાને પકડવાના દંડના ભાગમાં અગ્નિનું જોડાણ ન હોવાથી શીતસ્પર્શ અનુભવાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तवादप्रवेश: અને આમ એકકાળે - એકદ્રવ્યમાં તે બેનું હોવું વિરોધી પણ નથી, એટલે તમારી વાત અયુક્ત જણાઈ આવે છે. * २०० * एककालैकद्रव्यैकप्रदेशासम्भवविरोधस्त्विष्ट एव, एकप्रदेशस्यापरदेशाभावेनावयवावयविभेदानुपपत्तेर्भिन्नधर्मत्वात् । भिन्नधर्मयोश्चैकत्वं विरुद्धमेव, अन्यथा तद्भेदाभावप्रसङ्गात् । न चैवं सदसन्नित्यानित्यादिभेदानां भिन्नधर्मत्वम् एकत्रैव भावात्, भावस्य च 'यतस्तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सत्, परद्रव्यक्षेत्रकालभावरूपेण चासद्' इत्यादिना प्रतिपादितत्वात् । ततश्च नासम्भवभाविना विरोधेन नियमभाविनामपि विरोधकल्पना न्याय्या, अतिप्रसङ्गात् । नहि श्रावणत्वं विरुद्धमपि घटादिसत्त्वेन नार्दसत्तया विरुद्ध्यते, तथोपलम्भात्, ‘अनुभवप्रमाणकाश्च सन्तोऽर्थाधिगमे' इति, अन्यथा तदभावप्रसङ्गात् । A પૂર્વમુદ્રિત્તે ‘નાડસત્તા' કૃતિ પા:, અત્ર B+E-પ્રતપાō: । - પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : એકકાળે એકદ્રવ્યના એકપ્રદેશે ન હોવાથી વિરોધ કહેવું તો ઇષ્ટ જ છે; કેમ કે એકપ્રદેશનો બીજો પ્રદેશ ન હોવાથી, અવયવ-અવયવી એવા ભેદની ઉપપત્તિ ન થવાથી અને ભિન્નધર્મ હોવાથી (તેવું ઇષ્ટ જ છે.) અને ભિન્નધર્મનું એકપણું વિરુદ્ધ જ છે, અન્યથા તેના ભેદના અભાવનો પ્રસંગ આવે ! અને આ પ્રમાણે સદસ ્, નિત્યાનિત્યાદિ ભેદોનું ભિન્નધર્મપણું નથી; કેમ કે તેઓનો એકત્ર ભાવ છે અને તે ભાવ ‘વસ્તુ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને સત્ છે અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઈને અસત્ છે' - એ કથનથી અમે કહ્યો છે જ. એટલે અસંભવથી થનારા વિરોધથી, નિયમભાવીઓમાં પણ વિરોધની કલ્પના ઉચિત નથી; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે ! અને શ્રાવણત્વ ઘટાદિસત્ત્વ સાથે વિરોધી હોવા છતાં, નાદના (ધ્વનિના) સત્ત્વની સાથે વિરોધી નથી; કેમ કે તેવું દેખાય છે. અને સજ્જનો અર્થને જાણવામાં અનુભવને પ્રમાણ માને છે, અન્યથા તેના અભાવનો પ્રસંગ આવે ! * પંચમ વિકલ્પની વિચારણા વિવેચન : તે બે સ્પર્શ, એકકાળે એકદ્રવ્યના એકપ્રદેશમાં ન હોઈ શકે - એટલે તે બેનો વિરોધ છે એવું કહો, તો તે ઇષ્ટ જ છે. તેના ત્રણ કારણ : (૧) એક પ્રદેશનો બીજો કોઈ પ્રદેશ નથી કે જેથી જુદા જુદા પ્રદેશને લઈને તેમાં શીત-ઉષ્ણ સ્પર્શ ઘટી શકે... (૨) તે એકપ્રદેશમાં ‘અવયવ-અવયવી’ એવા બે ભેદ ઉપપન્ન ન થાય કે જેથી એકપ્રદેશરૂપ અવયવીના શીત-ઉષ્ણ સ્પર્શરૂપ બે જુદા જુદા અવયવો સંગત થઈ શકે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः (૩) વળી, શીત-ઉષ્ણ સ્પર્શ બે જુદા જુદા ધર્મરૂપ છે, તો આવા જુદા ધર્મોનું એકપ્રદેશને લઈને એક-અભિન્નપણું હોવું વિરુદ્ધ જ છે... (અન્યથા) જો શીત-ઉષ્ણ સ્પર્શનું એક પ્રદેશમાં અસ્તિત્વ માનો, તો તે બેનો ભેદ જ ન રહે. २०१ (આમ શીત-ઉષ્ણ સ્પર્શ તો ભિન્ન ધર્મરૂપ હોવાથી, તે બેનું એકત્ર અસ્તિત્વ હોવું વિરુદ્ધ છે.) પણ સદસ ્, નિત્યાનિત્ય વગેરે ધર્મો પરસ્પર ભિન્ન નથી જ; કેમ કે તે બધા ધર્મોનું તો એકત્ર અવસ્થાન થાય છે જ... પ્રશ્ન : પણ એક જ વસ્તુ સદસદ્ ઉભયધર્મક હોઈ શકે ? ઉત્તર : અરે ! ભૂલી ગયા ? અમે પૂર્વે જ કહી દીધું છે કે —ઘટાદિ દરેક વસ્તુઓ, પોતાના ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને સત્ છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અસત્ છે' (એટલે વસ્તુઓ સદસદ્ - નિત્યાનિત્યાદિ અનેકધર્મક હોવામાં કોઈ ક્ષતિ નથી.) દ્રવ્ય, - પ્રસ્તુતમાં કહેવાનું તાત્પર્ય એ કે, શીત-ઉષ્ણ સ્પર્શનો તો એકત્ર અસંભવ છે અને તેથી જ તે બેનો વિરોધ છે...પણ તેનું દૃષ્ટાંત લઈને, જે બેનું (સદસનું) અસ્તિત્વ સહભાવીરૂપે નિયત છે, તે બેમાં પણ વિરોધની કલ્પના કરવી એ ઉચિત નથી. નહીંતર તો અતિપ્રસંગ એ આવે કે, શીતોષ્ણ સ્પર્શની જેમ, ઘટમાં સત્ત્વ-દ્રવ્યત્વ ધર્મનો પણ વિરોધ કલ્પવાનો પ્રસંગ આવે ! એટલે જેમનો એકત્ર અસંભવ છે, તેમનો વિરોધ બરાબર છે, પણ જેમનું નિશ્ચે સહભાવી અસ્તિત્વ છે, તેઓ વચ્ચે વિરોધ હોઈ શકે નહીં. વળી, જે સ્પષ્ટ દેખાતું હોય, તેમાં વિરોધની ઉદ્ભાવના ન કરી શકાય... (આ વાતને આપણે એક દષ્ટાંતથી સમજીએ.) દા.ત. ઘટ તે શ્રવણેન્દ્રિયનો વિષય નથી, એટલે તેમાં ‘શ્રાવણત્વ’ પણ નથી... (એટલે શ્રાવણત્વ ઘટસત્ત્વનો વિરોધી છે, પણ તેટલા માત્રથી) તે શ્રાવણત્વ, કંઈ ધ્વનિસત્ત્વનો પણ વિરોધી નથી, કારણ કે ધ્વનિમાં તો શ્રાવણત્વનો ઉપલંભ થાય છે જ. તો તેની જેમ સદસદ્ વિશે પણ સમજવું; અર્થાત્ ઘટાદિ વસ્તુઓ, સદસદ્ – નિત્યાનિત્યાદિ અનેકધર્મકરૂપે દેખાતી હોવાથી, તે વિશે પણ વિરોધની ઉદ્ભાવના થઈ શકે નહીં. અને સજ્જન પુરુષો, અર્થના અધિગમમાં અનુભવને પ્રમાણ માનનારા છે (અર્થાત્ અનુભવના આધારે અર્થની વ્યવસ્થા માનનારા છે.) (અન્યથા) બાકી જો અનુભવને પ્રમાણ ન માને, તો તો તે સજ્જન જ ન રહે... અને અનુભવને પ્રમાણ માનવામાં તો વસ્તુ સદસદ્ - નિત્યાનિત્યાદિ અનેકધર્મક જ સિદ્ધ થાય... * अभिन्ननिमित्तत्वेनापि विरोध: सिद्ध एव । नहि यदेव शीतस्पर्शस्य निमित्तं तदेवोष्णस्पर्शस्य, भेदाभावात्, तत्सङ्करोपलब्धिप्रसङ्गाच्च । न च सदसदादिधर्माणाम For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ २०२ अनेकान्तवादप्रवेशः Page #234 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः २०३ इति । छाया आतपानुविद्धा न भवति, इति विरोधकल्पनायामपि कः प्रसङ्गः सदसदादिषु ? नहि अणुरचेतनः' इति ज्ञानेऽपि तद्वत्तद्विरोधाभिधानं युक्तम्, तत्स्वभावમેવોપત્તિ: | - પ્રવેશરશ્મિ - ભાવાર્થઃ વળી, એકકાળે છાયા-તપ, શીત-ઉષ્ણ અને સુખ-દુઃખની જેમ એકવસ્તુનું બીજી વસ્તુરૂપે ન થવાનો જે વિરોધ બીજા વડે કહેવાય છે, તે નથી; કેમ કે તે અસમાન છે. તેનું કારણ એ કે, છાયા-આતપાદિની જેમ સદસદાદિ પ્રતિનિયતરૂપે એકબીજાથી અનનુવિદ્ધ નથી; કેમ કે તેઓની જેમ કેવળ તેઓનો ઉપલંભ થતો નથી અને તેમાં તેઓનો તેવો સ્વભાવ જ કારણ છે. આ વાત અનુભવથી સિદ્ધ થાય છે. વળી, છાયા આતપથી અનુવિદ્ધ ન હોય અને એટલે તેઓમાં વિરોધની કલ્પના થતી હોય, તો તેમાં સદસદાદિમાં વિરોધનો પ્રસંગ શેનો ? અણુ અચેતન હોય, તેટલા માત્રથી જ્ઞાનમાં પણ તેની જેમ ચેતનતાનો વિરોધ કહેવો યોગ્ય નથી; કેમ કે તેનો સ્વભાવ જુદારૂપે ઉપપન છે. ક એકાંતવાદીપ્રદત્ત વિરોધનો પરિહાર છે વિવેચનઃ ઉપરોક્ત કથનથી, એકાંતવાદીઓ જે વિરોધ બતાવે છે, તેનો પણ પરિહાર થાય છે... (તે વાત આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા સમજીએ –). એકાંતવાદીઃ તમારા મતે ( સ્યાદ્વાદમતે) એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ નિયમનો વિરોધ આવવાનો. જુઓ – જેમ છાયા-તડકો, શીત-ઉષ્ણ, સુખ-દુઃખ* આ બધા વિરોધી તત્ત્વો એકબીજારૂપ ન બને, તેમ સદસદ્ - નિત્યાનિત્ય આદિ પણ એકબીજારૂપ ન બને (તે છતાં, તેઓને તમે એકબીજારૂપ માનો, તો “એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' - એ નિયમનો વિરોધ થવાનો સ્યાદ્વાદીઃ તમારી વાત અયુક્ત છે, કારણ કે તમે જે દષ્ટાંત આપો છો, તે અને સદસદાદિમાં દિવસ-રાતનો ફરક છે. જુઓ-છાયા-આતપ વગેરે પદાર્થો તો પ્રતિનિયત (સ્વતંત્ર) અસ્તિત્વવાળા હોવાથી, તેઓ પરસ્પર અનનુવિદ્ધ (=અસંલગ્ન) છે, જયારે સદસદાદિ તેવા નથી, તેઓ તો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્ન જ છે. તેનું કારણ એ કે, જેમ છાયા-આપ વગેરે સ્વતંત્ર દેખાય છે, તેમ સદસદાદિ સ્વતંત્ર દેખાતા નથી અને ન દેખાવાનું કારણ પણ એ જ કે, તેઓનો પરસ્પર અનુવિદ્ધ-સંલગ્નરૂપે રહેવાનો સ્વભાવ છે (આવા સ્વભાવના કારણે તેઓ પરસ્પર અનુવિદ્ધ જ દેખાય, સ્વતંત્રરૂપે નહીં.) * આમ ઘણા ઉદાહરણો, “એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ વિરોધની વ્યાપ્તિ બતાવવા માટે છે, અર્થાત્ સુખ-દુઃખાદિમાં બતાવાય છે કે તેઓ એકબીજારૂપ નથી હોતા. છે એ નિયમ તો જણાવે છે કે, એક વસ્તુ બીજા રૂપ ન બને. જ્યારે તમે તો સને પણ અસરૂપ માની બેઠા. એટલે તો વિરોધ થવાનો જ. - - - - - - For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ २०४ अनेकान्तवादप्रवेशः પ્રશ્ન : પણ તેમાં (eતેઓનો તેવો સ્વભાવ હોવામાં ) પ્રમાણ શું? ઉત્તરઃ તેમાં અનુભવ જ પ્રમાણ છે. સદસદ્ વગેરેનો પરસ્પર અનુવિદ્ધરૂપે જ અનુભવ થાય છે. (અને તેથી તેઓનો તેવો સ્વભાવ નિબંધ સિદ્ધ થાય છે.) એટલે જો છાયા આતપથી અનુવિદ્ધ ન હોય અને તેથી જો તે બે વચ્ચે વિરોધ ન હોય, તો તેમાં સદાદિને શું લાગે-વળગે? (એટલે ભાવ એ કે, છાયા-આપને લઈને સદસદાદિમાં પણ વિરોધ આવે એવું જરૂરી નથી.) કારણ કે સદસદાદિનું સ્વરૂપ તો જુદું જ છે. આ જ વાતને પ્રગટ કરવા કહે છે – પરમાણુ અચેતન હોય, તો તેનું ઉદાહરણ લઈને જ્ઞાનમાં પણ ચેતનતાનો વિરોધ કહેવો ઉચિત નથી, કારણ કે બંનેનો સ્વભાવ જડ-ચેતનરૂપે જુદો જુદો છે. તેમ છાયા-આતપમાં પણ સમજવું. (અર્થાતુ છાયા-આતપમાં વિરોધ હોય, તેટલા માત્રથી સદસદાદિમાં પણ વિરોધ કહેવો ઉચિત નથી; કેમ કે બંનેનો સ્વભાવ જુદો જુદો છે.) આ જ રીતનું નિરાકરણ; શીત-ઉષ્ણ વગેરે ઉદાહરણોમાં પણ સમજવું. સાર : એટલે વસ્તુને સદસરૂપ, નિત્યાનિત્યરૂપ એમ જુદા જુદા અનેકરૂપ માનવામાં કોઈ વિરોધ નથી. ____ यच्चोक्तम्-‘आत्मात्मीयदर्शनमेव मोहः' इत्यादि, अत्राभिष्वङ्गपूर्वकं सर्वथा स्थैर्यवासनागर्भमात्मात्मीयदर्शनमेव मोह इतीष्यत एव, नैरात्म्यैकान्तवादिनस्त्विदमनुपपन्नम्, दर्शनायोगात्; दर्शनायोगस्य च प्रतिपादितत्वाद्, अत एव रागद्वेषाभावः । इत्यलं વિસ્તરે પાપા રૂતિ મોક્ષવાવઃ સાકા ।। समाप्तमिदमनेकान्तवादप्रवेशकाख्यं प्रकरणम् ।। ।। ग्रन्थाग्रं एकोनविंशत्यक्षराधिकं ७६४ लोकप्रमाणम् ।। || વૃતિરિવં સિતારાચાર્યશ્રીરિભદ્રસૂરીમ્ | – પ્રવેશરશ્મિ - ભાવાર્થ અને જે કહ્યું હતું કે- ‘આત્મ-આત્મીયરૂપે દર્શન જ મોહ છે...વગેરે - અહીં આસક્તિપૂર્વક સર્વથા સ્વૈર્યની વાસનાથી ગર્ભિત આત્મ-આત્મીયરૂપે વસ્તુનું દર્શન એ મોહ - એવું કહો, તો તે ઈષ્ટ જ છે, પણ એકાંત નૈરામ્યવાદીમતે આ અનુપપન છે, કેમ કે દર્શન જ નથી ઘટતું અને દર્શન ન ઘટવાનું કારણ પૂર્વે જ કહી દીધું. એટલે જ રાગ-દ્વેષ પણ ન રહે. હવે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે મોક્ષવાદ થયો...આ અનેકાંતવાદપ્રવેશ નામનું પ્રકરણ સમાપ્ત થયું. શ્લોકપ્રમાણ-૭૨૦. આ કૃતિ શ્વેતાંબરાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ गुर्जरविवेचनसमन्वितः २०५ # એકાંતવાદીમતે જ મુક્તિનો અભાવ છે વિવેચનઃ અને પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “હું અને મારું - એ રૂપે થનારું વસ્તુનું દર્શન; એ જ મોહ છે... વગેરે” – અહીં તીવ્ર આસક્તિપૂર્વક “આ વસ્તુ સર્વથા સ્થિર રહેવાની છે” એવા અધ્યવસાયથી ગર્ભિત આત્મ-આત્મીયરૂપે વસ્તુનું દર્શન થાય એ જ મોહ – એવું કહો, તો તે તો ઇષ્ટ જ છે. (આવો મોહ તો અમે માનીએ છીએ જ.) પણ એકાંત નૈરામ્યવાદી બૌદ્ધમતે આવો મોહ સંગત થતો નથી; કેમ કે તેઓ મતે વસ્તુનું દર્શન જ થઈ શકતું નથી...અને કેમ નથી થતું? એ અમે પૂર્વે જ કહી દીધું. (દષ્ટા ક્ષણિક છે... વગેરે યુક્તિઓ સમજવી.) અને વસ્તુના દર્શન વિના તો; તે વિશે રાગ-દ્વેષ જ ન થાય... અને રાગ-દ્વેષ વિના તો કોની હાનિ ને કોનો મોક્ષ ? હવે આ વિશે વિસ્તારથી સર્યું. નિષ્કર્ષ એટલે હકીકતમાં એકાંતવાદીમતે જ મોક્ષની અસંગતિ છે. આ પ્રમાણે મોક્ષવાદ થયો. છે આ પ્રમાણે આ ૭૬૪ શ્લોપ્રમાણ +૧૯ અક્ષરપ્રમાણ અનેકાંતવાદપ્રવેશ નામનું પ્રકરણ સમાપ્ત થયું ! આ કૃતિ શ્વેતાંબરાચાર્ય ૧૪૪૪ ગ્રંથરચયિતા સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજની આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્ન-ગીતાર્થપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આ.ભ. શ્રી.વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણલવ-મુ. યશરત્નવિ. દ્વારા રચાયેલું અને વિદ્વર્ય મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. દ્વારા સંશોધિત થયેલું, અનેકાંતવાદપ્રવેશ ગ્રંથ પરનું ભાવાર્થ-વિવેચનમય “પ્રવેશરશ્મિ' નામનું ગુજરાતી વિવરણ સાનંદ સંપૂર્ણ થયું. ॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ || તિ શમ્ II For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ॥सूरिपुरन्दरश्रीहरिभद्रसूरिस्तुतयः ॥ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः, खद्योतकः क्वास्य विभासनोद्यमी । क्व धीशगम्यं हरिभद्रसद्वचः क्वाऽधीरहं तस्य विभासनोद्यतः ॥ -श्रीजिनेश्वरसूरिकृता अष्टकटीका परहिताधाननिबिडनिबुद्धिभगवान् सुगृहीतनामधेयः श्रीहरिभद्रसूरिः॥ - श्रीमुनिचन्द्रसूरिकृता उपदेशपदवृत्तिः नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भूतज्ञानश्रीसमलङ्कृताः सुविशदाचारप्रभाभासुराः । येषां वाक्प्रपया प्रसन्नतरया शीलाम्बुसंपूर्णया भव्यस्येह न कस्य कस्य विदधे चेतोमलक्षालनम् ॥ -श्रीप्रभानन्दसूरिकृता जम्बूद्वीपसङ्ग्रहणीवृत्तिः उड्यम्मि मिहिरि भदं सुदिट्ठिणो होइ मग्गदसणओ। तह हरिभद्दायरियम्मि भद्दायरियम्मि उदयमिए ॥ - श्रीजिनदत्तसूरिकृतगणधरसार्धशतकम् श्री सिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान् शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ - श्रीवादिदेवसूरिकृतस्याद्वादरत्नाकरः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेष स्वल्पशास्त्रकृतश्रमः ॥ - श्रीमलयगिरिसूरिकृता धर्मसङ्ग्रहणीवृत्तिः For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ॥सूरिपुरन्दरश्रीहरिभद्रसूरिस्तुतयः ॥ मतिर्बोद्धाः ! शुद्धा प्रभवति कथं साऽद्यभवतां, विचारश्चार्वाकाः ! प्रचरति कथं चारुचतुरः । कुतर्कस्तर्कज्ञाः ! किमपि स कथं तर्कयति वः, सति स्याद्वादे श्रीप्रकटहरिभद्रोक्तवचने ॥१॥ ग्रावग्रन्थिप्रमाथिप्रकटपटुरणत्कारवाग्भारतुष्टप्रेखद्दर्पिष्ठदुष्टप्रमदवशभुजास्फालनोत्तालबालाः । यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्रं, तद् गम्भीरं प्रसन्नं न हरति हृदयं भाषितं कस्य जन्तोः ॥२॥ यथास्थितार्हन्मतवस्तुवादिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥३॥ - श्रीयशोदेवमुनिकृता प्रशंसा श्रीहरिभद्रसूरीन्द्रः वारीन्द्र इव विश्रुतः । परतीर्थ्यांस्त्रासयित्वा मृगानिव गुरुर्जयी ॥ - कश्चित् पूर्वमहर्षिः हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं शास्त्रलेशज्ञस्तादृक्तन्त्राऽविशारदः ॥१॥ येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः । ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः श्रीसिद्धसेनहरिभद्रमुखाः सुखाय ॥२॥ - श्रीयशोविजयोपध्यायकृता स्याद्वादकल्पलता सिरिपायलित्तकइ-बप्पभट्टि-हरिभद्दसूरिपमुहाणं । किं भणिमो उणज्ज वि न गुणेहिं समो जगे सुकई॥ - श्रीविजयसिंहसूरिकृता भुवनसुन्दरीकथा भई सिरिहरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि। वाणीविसट्टरसभावमंथरा नच्चए सुइरं ॥ - श्रीलक्ष्मिगणिकृतं सुपार्श्वनाथचरित्रम् For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્થાકાર પૂaણ જો જાણે ચાહ્નિત જગ્ન વાવ્યા Upણ-પર્યાય-દ્રવ્ય જ બુઝે સોહી જેol સાચા મોં. યશોવિજયજી મ. A MI.ગુણારત્નડિ અરિહૃE ક્ષાદાનેશ્વા 25s Year 4? 269 સરિપદરજતવ Anekantvad pravesh 09428 500 401 For Personal & Private Use Only