SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तवादप्रवेशः - પ્રવેશરશ્મિ – ભાવાર્થ ઃ ઉત્તરપક્ષ આ પણ અયુક્ત છે, કેમ કે અવગ્રહની પછીના કાળે, પ્રમાતાઓને ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ પ્રાયઃ કરીને થાય છે, જ્યારે સજાતીયભેદનું તો કયારેય કોઈથી પણ ગ્રહણ થતું નથી. યોગીઓ ગ્રહણ કરે છે, એ વાત પણ શ્રદ્ધગમ્ય છે, કેમ કે એમાં કોઈ પ્રમાણ નથી એ પૂર્વે જ કહ્યું. વિવેચનઃ ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ અયુક્ત છે, કારણ કે અવગ્રહ પછીના કાળે ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ, પ્રમાતાઓને પ્રાયઃ કરીને તો થાય છે જ. પ્રશ્ન : “પ્રાયઃ' કહેવાનું શું પ્રયોજન? ઉત્તર પ્રયોજન એ કે, જયારે અવગ્રહ-ઇટાદિ બધા થવાના હોય, ત્યારે તેઓનું ગ્રહણ થાય છે જ, પણ જ્યારે બધા ન થવાના હોય, તો ત્યારે તેઓનું ગ્રહણ ન પણ થાય. જુઓ; લોકમાં કેટલાકને (ક) ઇહા-અવાયાદિ વિના પણ માત્ર અવગ્રહ થતો દેખાય છે, કેટલાકને (ખ) અવાય વિના પણ ઇહા થતી દેખાય છે, તો કેટલાકને (ગ) ધારણા વિના પણ અવાય થતો દેખાય છે. તો આવા વખતે ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ ન પણ થાય, એ બતાવવા માટે જ “પ્રાયઃ' શબ્દનો ઉલ્લેખ કર્યો. એટલે ભાવ એ કે, ઇહાદિના વિષયભૂત ધર્મોનું ગ્રહણ તો પાછળથી પ્રાયઃ થાય છે જ (એટલે તે ધર્મોને માનવા તો યોગ્ય છે) પણ તમે જે સજાતીયભેદ કહો છો, તેનું ગ્રહણ તો કદી કોઈને થતું નથી. યોગીઓને ગ્રહણ થાય છે, એ વાત તો માત્ર શ્રદ્ધાગમ્ય છે, કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી, એ અમે પૂર્વે જ કહ્યું હતું (અર્થાત્ યોગીના જ્ઞાનનું જ્ઞાન તો આપણને થતું નથી, તો આપણે શી રીતે કહી શકીએ કે યોગીઓને સજાતીયભેદનું જ્ઞાન થાય છે ?) નિષ્કર્ષ આમ સજાતીયભેદ અસિદ્ધ હોવાથી વસ્તુને સજાતીયતરવ્યાવૃત્ત નિરંશ સ્વલક્ષણરૂપ ન માની શકાય. એટલે વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ જ માનવી રહી, એવું નિબંધ સિદ્ધ થાય છે. __ यच्चोक्तम्-'एकं सामान्यम्, अनेके विशेषाः;' इत्यादि-तदप्ययुक्तम्, अनभ्युपगमात् । नहि यथोक्तस्वभावं सामान्यमभ्युपगम्यतेऽस्माभिः, युक्तिरहितत्वात्; तथाहि-तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिगदेशसमयस्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा ? देशेन वा वर्तेत ? न तावत्सर्वात्मना, सामान्यानन्त्यप्रसङ्गाद्, विशेषाणामनन्तत्वात्, एकविशेषव्यतिरेकेण वाऽन्येषां सामान्यशून्यताऽऽपत्तेः, आनन्त्ये चैकत्वविरोधात् । नापि देशेन, सदेशत्वप्रसङ्गात् । - પ્રવેશરશ્મિ – ભાવાર્થ : તમે જે કહ્યું હતું કે – “એક સામાન્ય અનેક વિશેષો. ઇત્યાદિ' - તે પણ અયુક્ત છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy