________________
गुर्जरविवेचनसमन्वितः –
इति । द्रव्याद्यात्मकत्वं च घटस्य तैर्विनाऽभावात् तत्परिणामत्वाच्च; अतत्परिणामत्वे च तदभावप्रसङ्गात्; इति ।।
२९
-• પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : તથા, ઘટાદિ વસ્તુઓ (૧) દ્રવ્યથી પાર્થિવત્વેન સત્, અબાદિત્યેન નહીં, (૨) ક્ષેત્રથી ઇહત્યસ્વેન સત્, પાટલિપુત્રકાદિત્યેન નહીં, (૩) કાળથી ઘટકાલત્વેન સત્, મૃતપિંડકાલદ્વેન નહીં, અને (૪) ભાવથી શ્યામસ્વેન સત્ રક્તાદિત્યેન નહીં... આવું ન માનો, તો બીજાના રૂપનું આપાદન થવાથી તેના સ્વરૂપની હાનિ થાય ! અને ઘટ તે દ્રવ્યાદિરૂપ છે, કારણ કે તેઓ વિના ઘટનું અસ્તિત્વ નથી. અને દ્રવ્યાદિ ઘટના પરિણામરૂપ છે. જો તેઓને ઘટના પરિણામ તરીકે ન માનો, તો ઘડાનો અભાવ થવાનો પ્રસંગ આવે.
* વસ્તુની સદસપતાનું
સ્વરૂપ
વિવેચન : એક જ ઘટાદિ વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ છે. હવે પહેલા પોતાના દ્રવ્યાદિ કયા અને બીજાના દ્રવ્યાદિ કયા તે વિચારીએ –
(૧) દ્રવ્ય : ઘડો માટીનો - પૃથ્વીનો છે, એટલે માટી-પૃથ્વી એ ઘડાનું સ્વદ્રવ્ય કહેવાય અને એટલે તેમાં મૃયત્વ - પાર્થિવત્વરૂપ ધર્મ આવે... આમ જે ધર્મો પ્રસ્તુત ઘડામાં રહ્યાં હોય, તે બધા ધર્મ તેના સ્વધર્મ કે સ્વરૂપ કહેવાય. આ સિવાયના ધર્મો, જે ઘટમાં રહ્યા નથી તે બધા ધર્મો પરધર્મ કે ૫૨રૂપ કહેવાય... જેમ કે ઘડો જળરૂપ ન હોવાથી જળ એ પરદ્રવ્ય કહેવાય અને જલત્વ એ પરધર્મ કે પરરૂપ કહેવાય.
(૨) ક્ષેત્ર : ઘડાની ઉત્પત્તિ અથવા સ્થિતિ અહીં થઈ હોવાથી, આ ક્ષેત્ર તે સ્વક્ષેત્ર કહેવાય અને પાટલીપુત્ર વગેરે ક્ષેત્ર; જ્યાં ઉત્પત્તિ-સ્થિતિ નથી તે પરક્ષેત્ર કહેવાય.
(૩) કાળ : જે કાળમાં ઘડો રહ્યો હોય, તે સ્વકાળ કહેવાય અને મૃતપિંડ, કપાલાદિ અવસ્થાભાવી કાળ પરકાળ કહેવાય. કારણ કે ત્યારે ઘડો રહ્યો નથી.
(૪) ભાવ : વિવક્ષિત ઘડો કાળો અને ગોળ છે, એટલે શ્યામપણું-ગોળપણું એ તેનો સ્વભાવ કહેવાય અને એ ઘડો લાલ-ચોરસ ન હોવાથી લાલપણું-ચોરસપણું એ તેનો પરભાવ કહેવાય. આમાંથી પોતાના દ્રવ્યાદિરૂપે વસ્તુ સત્ છે અને બીજાના દ્રવ્યાદિરૂપે વસ્તુ અસત્ છે. આ વાત ગ્રંથકારશ્રી ઘટને લઈને બતાવે છે –
(૧) દ્રવ્યથી, પાર્થિવરૂપે સત્ અને જળરૂપે અસત્...
(૨) ક્ષેત્રથી, ઇહત્યરૂપે સત્ અને પાટલિપુત્રકરૂપે અસત્...
(૩) કાળથી, ઘટકાળરૂપે સત્ અને મૃતપિંડકાળરૂપે અસત્...
(૪) ભાવથી, શ્યામરૂપે સત્ અને રક્તરૂપે અસત્...
આમ ઘટની જો નિયતરૂપે સદસ ્પતા ન મનાય, તો એ ઘડો જળાદિરૂપ થઈ જાય (અર્થાત્
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International