SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ २८ अनेकान्तवादप्रवेशः -> अन्यथा तदभावप्रसङ्गात्; तथाहि यदि तद् यथा स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्तते, तथैव परद्रव्यक्षेत्रकालभावरूपेणापि स्यात्; ततश्च तद् घटादि वस्त्वेव न स्यात्, परद्रव्यक्षेत्रकालभावरूपेणापि सत्त्वात्, तदन्यस्वात्मवत् । तथा यदि, यथा परद्रव्यक्षेत्रकालभावरूपेणासद्, एवं स्वद्रव्यक्षेत्रकालभावरूपेणापि स्यात्, इत्थमपि तद्घटादि वस्त्वेव न स्यात्, परद्रव्यक्षेत्रकालभावरूपेणासत्त्वे सति स्वद्रव्यक्षेत्रकालभावरूपेणाप्यसत्त्वात्, खरविषाणवद्; इत्येवं तदभावप्रसङ्गात् सदसद्रूपं तदङ्गीकर्तव्यम्, इति ।। -. પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : નહીંતર તો વસ્તુનો અભાવ થાય, તે આ પ્રમાણે – જો તે વસ્તુ જે પ્રમાણે પોતાના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્ છે, તે પ્રમાણે બીજાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ પણ સત્ હોય, તો તો તે ઘટાદિ વસ્તુ જ ન રહે, કારણ કે પટસ્વરૂપની જેમ તે પટના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ સત્ છે. તથા જો તે જેમ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે અસત્ છે, તેમ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ અસત્ હોય, તો પણ તે ઘટાદિ વસ્તુ ન જ રહે, કારણ કે ખપુષ્પની જેમ તે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પણ અસત્ છે. આમ વસ્તુના અભાવ થવાનો પ્રસંગ આવે છે, એટલે વસ્તુ સદસ ્૫ માનવી જ રહી. * સદસપતા વિના વસ્તુનો જ અભાવ વિવેચન : જો વસ્તુને સદસદ્ ઉભયરૂપ ન માનો, તો તો ઘટાદિ વસ્તુ સર્વથા સત્ કે સર્વથા અસત્ બને ! અને તેવું બનવામાં તો વસ્તુનો અભાવ થવાનો જ. જુઓ (૧) ઘટાદિ વસ્તુઓ, જેમ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે સત્ છે, તેમ જો પટાદિ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પણ સત્ હોય, તો ઘડો પટરૂપે પણ સત્ થવાથી પટરૂપ થઈ જતાં, જેમ પટ એ ઘટ નથી, તેમ ઘટ પણ ઘટ નહીં રહે ! અર્થાત્ ઘટનો અભાવ થાય ! (૨) ઘટાદિ, જેમ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે અસત્ છે, તેમ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પણ અસત્ હોય, તો જેમ ખપુષ્પ સ્વરૂપે અસત્ છે, તેમ ઘડો પણ પોતાના માટી સ્વરૂપે અસત્ થઈ નિઃસ્વરૂપ બની જશે ! અર્થાત્ ઘડાનો અભાવ થઈ જશે ! આમ, વસ્તુને સર્વથા સત્ કે અસત્ માનવામાં વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે, એટલે વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી જોઈએ. * तथा च द्रव्यतः - पार्थिवत्वेन सत्, नाबादित्वेन; तथा क्षेत्रतः - इहत्यत्वेन, न पाटलिपुत्रकादित्वेन; तथा कालतः - घटकालत्वेन, न मृत्पिण्डकपालकालत्वेन; तथा भावतः-श्यामत्वेन, न रक्तादित्वेन; इति । अन्यथा, इतररूपापत्त्या तत्स्वरूपहानिप्रसङ्गः, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy