SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः १५९ संवेद्यमानादेव संवेदनाकारात् तदाकारत्वावगमः, इति चेत् ? तथाहि-यद्यद्ग्राहकं न भवति, तत्तदाकारं न भवति, पीताग्राहकमिव नीलसंवेदनम्, तद्ग्राहकं चैतद्; इति कथं तदवगमानुपपत्तिः ? इति ।। एतदप्ययुक्तम्-तत्प्रत्यक्षताऽनुपपत्तेरनुमीयमानत्वात् । न चानुमानताऽप्यत्र, एवंविधाविनाभावव्यवस्थाकारिणः क्षणद्वयग्राहिणो विज्ञानस्याभावाद्, अभावश्च क्षणिकत्वविरोधात् । છે “અમાવસ્થ' કૃતિ પૂર્વમુદ્રિતપાઇ, માત્ર B-પાd: I – પ્રવેશરશ્મિ – ભાવાર્થ: આકાર-અર્પણનું સમર્થપણું પણ તેનું અનિશ્ચિત જ છે, કેમ કે “આ સંવેદન અનંતર-અતીત વિષયાકારવાળું છે' એવો નિશ્ચય થવો શક્ય નથી અને તેનું કારણ એ કે તે વિષયનું ગ્રહણ થતું નથી... અને અગ્રહણ એટલા માટે કે ત્યારે તેનું અસ્તિત્વ જ નથી અને તે ન હોય ત્યારે “આ સંવેદન તેના આકારવાળું છે, બીજાના આકારવાળું નહીં' એવા અવગમની ઉપપત્તિ ન થાય. બૌદ્ધ સંવેદ્યમાન સંવેદનના આકારથી જ તેની આકારતાનો અવગમ થઈ જાય, જુઓ- જે જેનું ગ્રાહક ન હોય, તે તેના આકારવાળું ન હોય, જેમકે પિતનું અગ્રાહક નીલસંવેદન.. આ સંવેદન તેનું ગ્રાહક છે, તો તેનાથી તેના આકારનો અવગમ પણ કેમ ન થાય? સ્યાદ્વાદી : આ પણ અયુક્ત છે; કેમ કે તેનું પ્રત્યક્ષ તો ઉપપન નથી, કારણ કે તે અનુમાનનો વિષય છે. અને અહીં અનુમાનતા પણ નથી, કારણ કે આવા અવિનાભાવની વ્યવસ્થાને કરનારું, ક્ષણયને ગ્રહણ કરનારું કોઈ વિજ્ઞાન નથી અને ન હોવાનું કારણ એ જ કે તેમાં ક્ષણિકતાનો વિરોધ થાય છે. વિવેચનઃ અર્થ તે પોતાનો આકાર જ્ઞાનમાં અર્પણ કરવા સમર્થ છે, એ વાતનો પણ નિશ્ચય થઈ શકતો નથી, કારણ કે “સંવેદન, અનંતર-અતીત ( પૂર્વેક્ષણમાં જ ઉત્પન્ન થયેલ) અર્થના આકારવાળું છે' એવો નિશ્ચય થતો નથી. (આશય એ કે, અર્થ જો પોતાના આકારનું અર્પણ કરતો હોય, તો જ્ઞાનમાં તેનો આકાર આવે જ અને તો અર્થાકારરૂપે જ્ઞાનનો પણ નિશ્ચય થાય જ... પણ તેવો નિશ્ચય જ ન થવાથી શી રીતે મનાય કે અર્થ પોતાના આકારનું અર્પણ કરે છે...) પ્રશ્ન પણ નિશ્ચય (=“આ સંવેદન, અનંતર-અતીત વિષયના આકારવાળું છે' એવો નિશ્ચય) ન થવાનું કારણ શું? ઉત્તરઃ કારણ એ જ કે, સંવેદન વખતે તે વિષયનું અસ્તિત્વ જ નથી અને એટલે એ વિષયનું ગ્રહણ જ થતું નથી... હવે જો ગ્રહણ જ ન થાય, તો તે સંવેદન “અનંતર-અતીત વિષયના આકારવાળું જ છે, બીજા કોઈ આકારવાળું નહીં' એવો બોધ શી રીતે થાય ? (ભાવ એ કે, તે વિષય અને તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy