SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तवादप्रवेशः - - तथैव मृत्स्वभावापेक्षयापि स्यात्। न च भवति, मृत्स्वभावस्यानुभूयमानत्वात् तस्यैव तथापरिणतिदर्शनात्; अनुभवस्य चापह्नोतुमशक्यत्वात् ‘अनुभवप्रमाणकाश्च सन्तोऽर्थाधिगमे' इति । प्रतिनियतैकस्वभावानुभवनिबन्धनाभ्युपगमे च पर्यायतः समानपरिणाम एवाभ्युपगतः, इति न काचिनो बाधा । इत्यलं विस्तरेण । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : ઉત્તરપક્ષ : આ પણ અયુક્ત છે, કેમ કે તે અનુભવસિદ્ધ છે. તે આ પ્રમાણે - જો તે જે સ્વભાવે અમૃતસ્વભાવથી વ્યાવૃત્ત હોય, તે જ સ્વભાવે મૃત્સ્વભાવથી પણ વ્યાવૃત્ત હોય, તો તો જે પ્રમાણે અમૃતસ્વભાવી પદાર્થથી એકાંતભિન્ન અવભાસનું કારણ બને છે, તે પ્રમાણે મૃત્સ્વભાવી પદાર્થની અપેક્ષાએ પણ થાય. અને મૃત્સ્વભાવ તો અનુભવાય છે, કારણ કે તે સ્વભાવની જ કપાલરૂપે પરિણતિ થાય છે અને અનુભવનો અપલાપ ન કરી શકાય; કેમ કે સજ્જનો અર્થાધિગમ વિશે અનુભવને પ્રમાણ માને છે. અને જો વસ્તુને પ્રતિનિયત - એક સ્વભાવવાળા અનુભવના કારણ તરીકે માનો, તો પર્યાયથી સમાનપરિણામ જ માની લીધો અને એમાં અમારે કોઈ બાધ નથી. એટલે હવે વિસ્તારથી સર્યું. વિવેચનઃ ઉત્તરપક્ષ તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે તેમાં અનુભવનો વિરોધ છે, તે આ પ્રમાણે – કપાલ, જે સ્વભાવે અમૃત સ્વભાવથી વ્યાવૃત્ત હોય, તે જ સ્વભાવે જો મૃત્યુ સ્વભાવથી વ્યાવૃત્ત હોય, તો તો... જેમ કપાલ, અમૃસ્વભાવી ઉદકાદિથી વ્યાવર્તમાન એવી અત્યંત વિલક્ષણ બુદ્ધિને ઉત્પન્ન કરવાના વ્યાવૃત્તિના સ્વભાવવાળો હોવાથી, તેનાથી તેનો એકાંતભિન્નપણે અવભાસ થાય છે; તેમ તેનો મૃસ્વભાવી પિંડાદિથી પણ એકાંતભિન્નપણે અવભાસ થશે, કારણ કે તેનાથી પણ તે તેવી જ વ્યાવૃત્તિવાળો છે. જો તેવો એકાંતભિન્ન અવભાસ ન થાય, તો તેને, તેનાથી તેવી વ્યાવૃત્તિવાળો પણ ન માની શકાય. અને તેવો (મૃપિંડાદિથી અત્યંતવિલક્ષણ) અવભાસ તો થતો નથી, કારણ કે મૃપિંડાદિમાં રહેલા મૃસ્વભાવનો અનુભવ તો કપાલમાં પણ થાય છે જ. અને તેનું (કપાલમાં મૃસ્વભાવનો અનુભવ થવાનું) કારણ એ કે, તે મૃસ્વભાવની જ કપાલરૂપે પરિણતિ દેખાય છે. (એટલે કપાલમાં એ મૃસ્વભાવનો અનુભવ થવો યુક્તિયુક્ત જ છે.) અને જે નિબંધ અનુભવ થતો હોય, તેનો અપલાપ ન કરી શકાય; કેમ કે સજ્જન પુરુષો અનુભવને જ અર્થાધિગમ વિશે પ્રમાણ માને છે. (અર્થાત્ અનુભવ પ્રમાણે જ અર્થની વ્યવસ્થા કરે છે.) એટલે અનુભવના આધારે તો; ઘટ-કપાલાદિમાં અનુગત એવો મૃસ્વભાવ માનવો જ રહ્યો અને તો પૂર્વાપર પર્યાયોનો કથંચિત્ અભેદ પણ સિદ્ધ થાય જ. પૂર્વપક્ષઃ જેમ અનેક ઔષધિમાં, જવરશમનનો એક જ સ્વભાવ હોય છે, તેમ ઘટ-કપાલાદિ પણ, નિયત એક (મૃત્વ) સ્વભાવના અનુભવના કારણ છે – એવું માનીએ તો ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy