SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः १७ એટલે તો વિષ-મોદક બંને ઉભયરૂપ બની જાય, અર્થાત્ વિષ વિષ-મોદકરૂપ અને મોદક મોદકવિષરૂપ બની જાય અને તેથી તો વિષનો ચાહક જીવ, વિષ-લાડવા બને તુલ્ય હોવાથી વિષ-લાડવા બંને વિશે પ્રવૃત્તિ કરશે. અને એ જ રીતે લાડવાનો ચાહક બાળક, લાડવો - વિષ તુલ્ય હોવાથી લાડવા – વિષ બંને વિશે પ્રવૃત્તિ કરશે ! અને એટલે તો - વિષનો ઇચ્છુક વિષમાં જ પ્રવર્તે, મોદકમાં નહીં અને મોદકનો ઇચ્છુક મોદકમાં જ પ્રવર્તે, વિષમાં નહીં – એવો જે લોકસિદ્ધ વ્યવહારનો નિયમ છે, તેનો ઉચ્છેદ થાય જ. આગળ વધીને તો વિષ ખાવાથી તદભિન્ન મોદક પણ ખવાઈ ગયો માનવો પડે અને મોદક ખાવાથી તદભિન્ન વિષ પણ ખવાઈ ગયું માનવું પડે ! અને આમાં તો પ્રતીતિનો વિરોધ થવાનો જ. કારણ કે લાડવો ખાતી વખતે, લાડવો ખાધાની જ પ્રતીતિ થાય છે, વિષ ખાધાની નહીં. (જો એ વખતે વિષ પણ ખવાતું હોત, તો તો પુષ્ટિના બદલે મૃત્યુ જ થઈ જાત.) એ જ રીતે દૂધ દૂધ જ નથી, કારણ કે તેનો કર્કથી અભિન્ન સામાન્ય સાથે અભેદ છે. અને કર્ક પણ કર્ક નથી, કારણ કે તેનો દૂધ-અભિન્ન સામાન્ય સાથે અભેદ છે. એટલે તો દૂધનો ચાહક બાળક, દૂધને જ નહીં પીવે, કર્કને પણ પીવા દોડશે ! અને કર્ક પર ચડવા ઇચ્છતો ઘોડેસવાર, કર્ક પર જ નહીં ચડે, સાથે તદભિન્ન દૂધ પર પણ ચડશે... અને એટલે તો ઊંધી-ચત્તી પ્રવૃત્તિ થવાનું માનવું પડશે ! પણ આવી નિયમન વિનાની પ્રવૃત્તિ તો લોકમાં કદી દેખાતી નથી. એટલે વસ્તુમાં સામાન્યરૂપતા મનાય જ નહીં અને તો તેની ઉભયરૂપતા અસંગત જ રહે. स्यादेतद्-'विषादिषु विशेषरूपताऽप्यस्त्येव, सा तदर्थिनो नियमेन प्रवृत्तेर्बीजम्, तद्भक्षणे च नान्यभक्षणं स्यात्। इति' ।। –- પ્રવેશરશ્મિ – ભાવાર્થ : જો આવું હોય કે - “વિષાદિમાં વિશેષરૂપતા પણ છે જ અને વિષ વિશે પ્રવર્તનારાઓ માટે એ (વિશેષરૂપતા) જ પ્રવૃત્તિનું બીજ બનશે અને એટલે વિષના ભક્ષણમાં બીજાનું ભક્ષણ નહીં થાય.” વિશેષરૂપતાથી પ્રતિનિયત વ્યવહારની સંગતિ કે વિવેચનઃ સ્યાદ્વાદીઃ વિષ વગેરે વસ્તુઓમાં માત્ર સામાન્યરૂપતા જ નથી, પણ વિશેષરૂપતા પણ છે અને એ વિશેષરૂપતા જ, તે તે વસ્તુના ઇચ્છુક વ્યક્તિઓને તે તે વિશે વ્યવહાર કરાવવામાં નિયંત્રિકા બને છે. તાત્પર્ય એ કે, મોદકમાં પુષ્ટિદાયકત્વ, મધુરરસ... વગેરે રૂપ એવી વિશેષરૂપતા રહી છે કે જે વિષાદિ કોઈ પદાર્થમાં નથી. (માત્ર લાડવો જ પુષ્ટિ આપે છે, વિષ નહીં અને માત્ર વિષ જ મૃત્યુ આપે છે, લાડવો નહીં.) અને એ વિશેષરૂપતાને લીધે લાડવાનો ચાહક બાળક લાડવા અંગે જ પ્રવૃત્ત થશે, વિષ વિશે નહીં... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy