________________
१६
अनेकान्तवादप्रवेशः
मोदकोऽपि भक्षितः स्यात्, मोदके भक्षिते विषं भक्षितं स्यात्। तथा च सति प्रतीतिविरोधः स्यात् । एवं क्षीरमपि न क्षीरमेव, कर्काद्यनर्थान्तरभूतसामान्याव्यतिरेकात्; कर्कोऽपि न कर्क एव, क्षीराद्यव्यतिरिक्तसामान्याव्यतिरेकादेव । ततश्च इहापि क्षीरार्थी न क्षीर एव प्रवर्तेत, अपि तु कर्केऽपि; एवं कर्कार्थ्यपि न कर्क एव, किं तर्हि ? क्षीरेऽपि | ન વેત્યનિયમેન પ્રવૃત્તિર્રશ્યો ...વામિત્ર નાના..ત્તિ પૂર્વમુદિતાઃ
- પ્રવેશરશ્મિ - ભાવાર્થ : વળી, વસ્તુને સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનવામાં સકલલોકપ્રસિદ્ધ વ્યવહારનિયમનનો ઉચ્છેદ થાય. જુઓ - વિષ, મોદક, ક્ષીર, કર્ક આદિ વ્યક્તિભેદોમાં અભિન્ન એકસ્વભાવવાળું એક સામાન્ય વર્તે છે. અને તેથી વિષ વિષ જ નથી, કારણ કે મોદકાદિથી અભિન સામાન્યની સાથે તેનો અભેદ છે અને મોદક મોદક જ નથી, કારણ કે વિષથી અભિન્ન સામાન્યની સાથે તેનો અભેદ છે.
એટલે તો વિષ-મોદક બંને ઉભયરૂપ બને અને તેથી વિષાર્થી વિષ-મોદક બંનેમાં પ્રવર્તે એ જ રીતે મોદકાર્થી મોદક-વિષ બંનેમાં પ્રવર્તે.. અને એથી તો “વિષાર્થી વિષમાં જ પ્રવર્તે, મોદકમાં નહીં અને મોદકાર્થી મોદકમાં જ પ્રવર્તે, વિષમાં નહીં - એવા લોકનિયમનો ઉચ્છેદ થાય... અને એવું હોય તો વિષ ખાધે મોદક પણ ખવાઈ ગયો થાય અને મોદક ખાધે વિષ પણ ખવાઈ ગયું થાય. અને તેવી પ્રતીતિ તો કોઈને થતી નથી.
એ જ રીતે ક્ષીર પણ ક્ષીર જ નથી, કારણ કે તેમાં કર્ક-અભિન્ન સામાન્યનો અભેદ છે... કર્ક પણ કર્ક જ નથી, કારણ કે તેમાં ક્ષીર-અભિન સામાન્યનો અભેદ છે. અને તેથી તો ક્ષીરાર્થી ક્ષીરમાં જ ન પ્રવર્તે, પણ કર્કમાં પણ અને કર્ણાર્થી કર્કમાં જ ન પ્રવર્તે, પણ ક્ષીરમાં પણ અને આ પ્રમાણે નિયમન વિનાની પ્રવૃત્તિ તો દેખાતી નથી.
* ઉભયરૂપતામાં વ્યવહારનિયમનનો ઉચ્છેદ છે વિવેચનઃ વસ્તુને જો સામાન્ય-વિશેષ ઉભયરૂપ માનો, તો સકલલોકમાં પ્રસિદ્ધ વ્યવહારનો જે નિયમ; તેનો ઉચ્છેદ થઈ જશે ! અર્થાત્ લાડવાદિનો ચાહક લાડવા વિશે જ પ્રવર્તે એવા નિયમનો નહીં રહે ! તે આ પ્રમાણે –
(ક) વિશ્વમાં સામાન્ય માત્ર એક છે, (ખ) સામાન્યનો સ્વભાવ ચિત્ર નથી, એક જ છે, અને (ગ) સામાન્ય વિષ, મોદક, દૂધ, કર્ક (ધોળો ઘોડો) વગેરે તમામ વસ્તુઓ સાથે જોડાયેલું – અભિન્ન છે.
એટલે તો વિષે માત્ર વિષ જ નહીં રહે, પરંતુ મોદક પણ બની જશે ! કારણ કે તેનો મોદકાદિથી અભિન્ન સામાન્યની સાથે અભેદ છે... એ જ રીતે લાડવો પણ માત્ર લાડવો જ નહીં રહે, પરંતુ વિષ પણ બની જશે ! કારણ કે તેનો વિષથી અભિન્ન સામાન્યની સાથે અભેદ છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org