SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तवादप्रवेशः ___अथाविद्यमानः, व्याहतमेतत्, स ततोऽनर्थान्तरभूतोऽविद्यमानश्चेति, करणे वाऽनित्यताऽऽपत्तिरिति; तथाहि-तस्मिन् क्रियमाणे पदार्थ एव कृतः स्यात्, तदव्यतिरिक्तत्वात्तस्य । - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : પૂર્વપક્ષઃ સહકારીને અપેક્ષીને તે ઉત્પન્ન કરે છે. ઉત્તરપક્ષ એવું નથી, કારણ કે એકાંત નિત્યને અપેક્ષા ન ઘટે. તે આ પ્રમાણે - સહકારી વડે તેનો વિશેષ કરાય છે કે નહીં? એ કહેવું જોઈએ. જો કરાય, તો ભિન્ન કરાય, કે અભિન? જો ભિન્ન કરાય, તો તે વસ્તુને શું આવ્યું? તે વિશેષ; વસ્તુમાં વિશેષ કરનાર છે, તેમ કહો, તો તે પણ બરાબર નથી; કેમ કે અનવસ્થા થાય. જુઓ-તે વિશેષ, વસ્તુથી ભિન્ન છે કે અભિન? . એમ એ જ પ્રશ્નપરંપરા ફરી આવૃત્ત થતા અનવસ્થા થાય. હવે જો અભિન્ન વિશેષ કરાય એવું કહો, તો તે વિશેષ વિદ્યમાન છે કે અવિદ્યમાન? જો વિદ્યમાન હોય, તો કેવી રીતે કરાય? અને જો કરાય તો અનવસ્થા થાય. જો અવિદ્યમાન હોય, તો પૂર્વાપર વ્યાહત વાત થઈ; કેમ કે તે વિશેષ તેનાથી અભિન્ન હોય ને અવિદ્યમાન હોય તેવું તો વળી શી રીતે? અથવા તો તેવા વિશેષને કરવામાં વસ્તુ અનિત્ય બનવાની આપત્તિ આવે. તે આમ - તે વિશેષ કરાતા પદાર્થ જ કરાયેલો થાય, કારણ કે તે વિશેષ પદાર્થથી અભિન્ન છે. # સહકારી - અપેક્ષાનો વિકાશ નિરાસ વિવેચનઃ પૂર્વપક્ષ વસ્તુઓ આલોક વગેરે સહકારીની અપેક્ષા રાખીને નિયતરૂપે જ વિજ્ઞાનને ઉત્પન્ન કરે છે... અર્થાત્ ઘડો વિજ્ઞાનજનનસ્વભાવી હોવા છતાં પણ, તે ત્યારે જ વિજ્ઞાનને ઉત્પન્ન કરે કે જ્યારે પ્રકાશાદિ સહકારી સામગ્રી હાજર હોય. આમ સહકારીની અપેક્ષા હોવાથી સર્વદા વિજ્ઞાન ઉત્પન્ન નહીં થાય. ઉત્તરપક્ષ: તમારી વાત બરાબર નથી, કારણ કે સર્વથા નિત્ય વસ્તુને કોઈની અપેક્ષા ન ઘટે. તે આ પ્રમાણે – સહકારી દ્વારા, તે નિત્ય વસ્તુમાં કોઈક વિશેષ (૧) કરાય છે, કે (૨) નહીં? (૧) જો કરાય છે એવું માનો, તો તે વિશેષ નિત્યવસ્તુથી (ક) ભિન્ન છે, કે (ખ) અભિન્ન ? (ક) જો ભિન્ન હોય, તો તેનાથી વસ્તુમાં શું ફરક પડ્યો? (તંતુથી પટ કરાય, તો તેનાથી તદ્દન ભિન્ન ઘટમાં શું ફરક પડે ? તેમ અહીં પણ.) પૂર્વપક્ષ ઃ તે ભિન્ન વિશેષ; વસ્તુમાં વિશેષ કરે છે. ઉત્તરપક્ષઃ તો તે નવો વિશેષ, ભિન્ન છે કે અભિન્ન?.. વગેરે વિકલ્પો ફરી ફરી લાગુ પડતાં અનવસ્થા થાય. (ખ) જો સહકારી દ્વારા કરાતો વિશેષ, નિત્ય વસ્તુથી અભિન્ન હોય, તો તે (ખ-૧) વિદ્યમાન છે, કે (ખ-૨) અવિદ્યમાન ? (ખ-૧) વિદ્યમાન છે, તો કરવાનું શા માટે ? વિદ્યમાન હોવા છતાં કરવાનું હોય, તો સતત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy