________________
अनेकान्तवादप्रवेशः
स्यादेतत्, परिकल्पितो धर्मधर्मिभावः, न पुनर्वास्तवः, इति; एवमपि धर्मधर्मिणोः परिकल्पितत्वाच्छून्यताप्रसङ्गः, तदेवमपि कुतः क्षणस्थितिधर्मकत्वम् ? इति ।
तदितरव्यावृत्तिद्वारायाता धर्मा एव परिकल्पिताः, न धर्मी, इति चेत् ? एवमपि स्थित्यस्थित्यादिलक्षणपरिकल्पितधर्मव्यतिरिक्तस्य धर्मिणः किं स्वरूपम् ? इति वाच्यम् ।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થઃ પૂર્વપક્ષ ધર્મ-ધર્મભાવ પરિકલ્પિત છે, વાસ્તવિક નહીં. ઉત્તરપક્ષ એ પ્રમાણે તો ધર્મધર્મી પરિકલ્પિત હોઈ તેમની શૂન્યતાનો પ્રસંગ આવે! તો પછી તો ક્ષણસ્થિતિધર્મકપણું કેવી રીતે? પૂર્વપક્ષઃ તેનાથી જુદી વસ્તુની વ્યાવૃત્તિ દ્વારા આવેલા ધર્મો જ પરિકલ્પિત છે, ધર્મી નહીં. ઉત્તરપક્ષ ઃ તો એ પ્રમાણે પણ સ્થિતિ-અસ્થિતિરૂપ કલ્પિત ધર્મોથી જુદા એવા ધર્મનું સ્વરૂપ શું? એ કહેવું.
છે ધર્મ-ધર્મભાવની કલ્પિતતામાં દોષપરંપરા છે વિવેચનઃ બૌદ્ધ ધર્મ-ધર્માભાવ તો કલ્પિત છે, વાસ્તવિક નહીં (એટલે તેને લઈને ભેદભેદના વિકલ્પનો પરિશ્રમ નિરર્થક છે.)
સ્યાદાદીઃ આવું ન કહો, જો ધર્મ ધર્મભાવ કલ્પિત મનાય, તો હકીકતમાં તેઓનું અસ્તિત્વ જ ન રહે અને તો સ્થિતિ-અસ્થિતિરૂપ ધર્મો અને ઘટાદિ ધર્મી જેવું કંઈ જ ન રહે ! તો પછી ક્ષણસ્થિતિધર્મકપણું કેવી રીતે? (આશય એ કે, કોઈ ધર્મી હોય અને સ્થિતિ-અસ્થિતિ જેવા ધર્મો હોય, તો જ વસ્તુનું ક્ષણસ્થિતિધર્મકપણું સંગત થાય, અન્યથા નહીં.)
બૌદ્ધઃ વસ્તુમાં રહેલા ધર્મો; જેઓ બીજી વસ્તુની વ્યાવૃત્તિરૂપ છે, તે ધર્મો જ અપારમાર્થિક છે, બાકી એકસ્વરૂપી વસ્તુ તો પારમાર્થિક જ છે. (તાત્પર્ય એ કે, ઘટમાં નશ્વરસ્વભાવ, મૃતસ્વભાવ, પાર્થિવસ્વભાવ, દ્રવ્યસ્વભાવ આ બધા સ્વભાવરૂપ ધર્મો છે. હવે આ ધર્મો, ઇતર પદાર્થની વ્યાવૃત્તિરૂપ છે. જેમ કે મૃસ્વભાવરૂપ ધર્મ, અમૃસ્વભાવી એવા પટાદિની વ્યાવૃત્તિરૂપ છે. એટલે તેઓ વાસ્તવિક નથી, પણ પરિકલ્પિત છે અને એટલે માત્ર એકસ્વભાવ ધર્મો જ પારમાર્થિક ફલિત થાય.*)
સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે સ્થિતિ-અસ્થિતિ આદિ કલ્પિત ધર્મોથી જુદી એવી તે વસ્તુનું સ્વરૂપ શું? (અર્થાત્ ધર્મવિહોણી વસ્તુ કેવી હોય ?) એ તમારે કહેવું જોઈએ.
क्षणस्थितिधर्मकत्वम् इति चेत्, न, तस्यैवायोगाद्, इत्यादि तदेवावर्त्तते; इत्यलं प्रसङ्गेन ।।
तदेवमिहापि विज्ञानादिकार्यायोगः, इति स्थितम् ।
* બૌદ્ધમતે, વસ્તુ નિરંશ-એકસ્વભાવી મનાય છે. એટલે તેઓનું કહેવું છે કે, વસ્તુમાં જુદા જુદા અનેક ધર્મો ન હોઈ શકે. હવે જે ઘટત્વ આદિ ધર્મો છે, તે તો પટાપોહ આદિરૂપ હોઈ કલ્પિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org