SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १४० अनेकान्तवादप्रवेशः -> स्यादेतद्, यदविकल्पव्यावृत्तं विकल्परूपं सकलविकल्पसाधारणम्, तत्र सङ्केतः, કૃતિ । एतदपि असमीक्षिताभिधानम्, सकलविकल्पसाधारणस्यासत्त्वाद् अविकल्पेभ्य इव सर्वथा सर्वविकल्पानामेव मिथोऽपि व्यावृत्तेः । न च 'अन्येन स्वभावेन विजातीयेभ्यो व्यावृत्तः, अन्येन च सजातीयेभ्य' इति वक्तुं युज्यते, अनेकधर्मात्मकवस्तुप्रसङ्गाद् કૃતિ । -t• પ્રવેશરશ્મિ : ભાવાર્થ : પૂર્વપક્ષ : અવિકલ્પથી વ્યાવૃત્ત અને સકલ વિકલ્પોમાં સાધારણ એવું જે વિકલ્પરૂપ છે, તેમાં સંકેત કરાય. ઉત્તરપક્ષ : આ પણ અસમીક્ષિત કથન છે, કારણ કે સકળ વિકલ્પોમાં સાધારણ કોઈ છે જ નહીં અને તેનું કારણ એ કે તેઓ જેમ અવિકલ્પોથી વ્યાવૃત્ત છે, તેમ સર્વ વિકલ્પો પરસ્પર એકબીજાથી પણ વ્યાવૃત્ત છે, અને ‘તે જુદા સ્વભાવે વિજાતીયોથી વ્યાવૃત્ત છે અને જુદા સ્વભાવે સજાતીયથી વ્યાવૃત્ત છે' એવું કહેવું પણ યોગ્ય નથી, કારણ કે અનેકધર્મક વસ્તુ માનવાનો પ્રસંગ આવે. @ વિકલ્પમાં સંકેતસાધક બૌદ્ધવક્તવ્યનો નિરાસ છે વિવેચન : બૌદ્ધ : જે નિર્વિકલ્પ જ્ઞાનથી જુદો છે અને સકળ વિકલ્પોમાં સાધારણ-સમાનઅનુગત છે, તેવા ‘અયં અષટો નાસ્તિ’ રૂપ વિકલ્પમાં, ઘટશબ્દનો સંકેત કરાય છે. (એટલે ઘટશબ્દથી વિકલ્પ વાચ્ય બને અને તે વિકલ્પ દ્વારા સામાન્ય - સ્વલક્ષણનું એકીકરણ થઈને ઘટ વિશે નિબંધ પ્રવૃત્તિ થાય છે.*) સ્યાદ્વાદી ઃ તમારું આ કથન પણ વિચાર્યા વિનાનું જણાઈ આવે છે, કારણ કે તમામ વિકલ્પોમાં સાધારણ એવું કોઈ એક વિકલ્પરૂપ છે જ નહીં. તમારા વિદ્વાન ધર્મકીર્તિએ જ કહ્યું છે કે – “ઘટાદિ પદાર્થોનું અન્યવ્યાવૃત્તિરૂપ (પટાદિથી વ્યાવૃત્તિરૂપ) જે સામાન્ય છે કે જેના વિશે શબ્દો પ્રયોજાય છે, તે સામાન્યનું કોઈ રૂપ નથી, અર્થાત્ અન્યવ્યાવૃત્તિરૂપ તેવો સામાન્યવિકલ્પ અસત્ છે...' હવે આપણે, તેવો સાધારણવિકલ્પ અસત્ કેમ મનાય છે, તેનો પરમાર્થ વિચારીએ – બૌદ્ધમતે દરેક સ્વલક્ષણો (=પદાર્થો) સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત મનાય છે. હવે વિકલ્પ પણ સ્વસંવેદન-અંશમાં વાસ્તવિક હોઈ તે પણ એક પ્રકારનો સ્વલક્ષણ છે, એટલે તે પણ સજાતીયવિજાતીયથી વ્યાવૃત્ત બનશે, આમ બધા વિકલ્પો સમજવા. * જેમ બધા ઘટ-અઘટાપોહરૂપ છે; તેમ બધા વિકલ્પ (યં ઘટ: એવા વિકલ્પ) અવિકલ્પથી વ્યાવૃત્ત છે. એટલે તે અવિકલ્પવ્યાવૃત્ત એવા બધા(=5 ઘટ: એવા બધા) વિકલ્પોમાં રહેલું જે સાધારણરૂપ (અયં ઘટ:) તેમાં સંકેત કરાય છે, એટલે હવે, વિકલ્પ ક્ષણિક હોવાથી સંકેત ન થઈ શકવાની આપત્તિ નહીં રહે, એ ભાવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy