SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः न सन्ति' इति; न तद्विलक्षणे सदसत्त्वे इति। एतदप्यसमीचीनम्, वस्तुन्यपि समानत्वाद्, धर्माभावप्रसङ्गेनाभ्युपगमविरोधात्, तद्भावेऽपि तस्य' इति सम्बन्धानुपपत्तेः, समवायकल्पनायाः स्वधर्मेष्वपि तुल्यत्वात् ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ : ધર્મોના જુદા ધર્મો ઇષ્ટ નથી, પણ તેઓ જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે. એટલે તેઓથી વિલક્ષણ સત્ત્વ-અસત્ત્વ નથી. ઉત્તરપક્ષ : આ પણ અસમીચીન છે, કારણ કે તેવું તો વસ્તુમાં પણ સમાન છે અને એટલે તો ધર્મનો અભાવ થતાં અભ્યાગમનો વિરોધ થાય. કદાચ ધર્મોને જુદા માની લો, તો પણ તેના ધર્મો' એવો સંબંધ ઉપપન નહીં થાય અને સમવાયની કલ્પના તો પોતાના ધર્મોમાં પણ તુલ્ય છે. વિવેચનઃ વૈશેષિક વસ્તુમાં રહેલ સત્ત્વાદિ મૂળધર્મો (વસ્તુથી) જુદા છે- એ વાત તો બરાબર જ છે, પણ એ મૂળધર્મોમાં બીજા ધર્મો અમને ઇષ્ટ નથી, કારણ કે તે મૂળધર્મો પોતે જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, એટલે તેમનાથી જુદા સત્ત્વાસસ્વરૂપ ધર્મ તેઓમાં હોય એવું નથી. અને તેથી ધર્મોમાં પણ બીજા ધર્મો માનવાની આપત્તિ ન આવે. સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અયુક્ત છે, કારણ કે તો પછી વસ્તુ વિશે પણ તેમ જ માની લો કે, વસ્તુ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, તેનાથી જુદા સાસસ્વરૂપ ધર્મ તેમાં નથી. (એટલે એવું કથન તો વસ્તુમાં પણ સમાન છે.) અને જો એવું (=વસ્તુમાં જુદા ધર્મો નથી, પણ વસ્તુ જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, એવું) માની લેશો, તો – ધર્મોનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ ન થવાથી - તમે જે ધર્મથી ધર્મનું સ્વતંત્ર અસ્તિત્વ માનો છો, તે તમારા અભ્યાગમનો વિરોધ થાય જ. & ભેદ માનવામાં સંબંધની અસંગતિ છે જો ધર્મોને જુદા માની લેવામાં આવે, તો “આ ધર્મના આ ધર્મો છે” એમ ધર્મ-ધર્મીનો સંબંધ જ ઉપપન્ન ન થાય. કારણ કે તે તો ધર્મોથી જુદા છે. આશય એ કે, જેમ ઘટ અને પટ જુદા હોવાથી ઘટનો પટ એમ કહેવાતું નથી, તેમ ઘટ અને ધર્મો જુદા હોય તો ઘટના ધર્મો પણ કહી ન શકાય. વૈશેષિકઃ જુદા પણ ધર્મો સાથે ધર્મનો સંબંધ ઉપપન્ન કરવા અમે “સમવાય સંબંધ માનીએ છીએ. આ સમવાયના બે સ્વભાવ છે : (૧) સ્વસંબંધક-સ્વભાવ (=ધર્મ-ધર્મી સાથે પોતાનો સંબંધ કરવાનો સ્વભાવ) અને (૨) સમવાયીસંબંધક સ્વભાવ (=ધર્મ-ધર્મીનો પરસ્પર સંબંધ કરવાનો સ્વભાવ) આવો દ્વિસ્વભાવી સમવાય, “અહીં ધર્મીમાં ધર્મો છે' એવા પ્રત્યયનું કારણ બને છે. એટલે હવે કોઈ અસંગતિ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy