SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः સાર ઃ આ રીતે સ્યાદ્વાદમતે સકલલોકપ્રસિદ્ધ વ્યવહારની નિબંધ સંગતિ હોવાથી, પૂર્વપક્ષીએ જે કહ્યું હતું કે ‘પ્રવૃત્તિનિયમનનો ઉચ્છેદ થશે' તે કથન માત્ર પ્રયાસ પૂરતાં ફળવાળું છે. * एतेन 'विषे भक्षिते मोदकोऽपि भक्षितः स्याद्' इत्याद्यपि प्रतिक्षिप्तमवगन्तव्यम्, तुल्ययोगक्षेमत्वात् इति । -! પ્રવેશરશ્મિ ! ભાવાર્થ : એનાથી ‘વિષ ખાધે મોદક પણ ખવાઈ ગયો થાય' એ પણ પ્રતિક્ષિપ્ત થયું સમજવું; કેમ કે તુલ્ય યોગક્ષેમ છે. X १३१ * પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ વિવેચન ઃ ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષીનું બીજું જે કહેવું હતું કે – “વિષ ખાવાથી મોદક પણ ખવાઈ જ જશે... વગેરે’” – તે બધું કથન પણ નિરાકૃત થયું જાણવું, કારણ કે આની પ્રતિક્ષેપક્રિયા પણ ઉ૫૨ની જેમ તુલ્ય જ છે (અર્થાત્ વિષના વિશેષપરિણામનો વિષના જ સમાનપરિણામ સાથે અવિનાભાવ છે, મોદકના સમાનપરિણામ સાથે નહીં. એટલે વિષ ખાતાં માત્ર વિષનું જ ભક્ષણ થાય, મોદકનું નહીં.) X यच्चापरेणाप्युक्तम्- 'सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृतेः' इत्यादि - तदपि कूटनटनृत्तमिवाभाविताऽनुष्ठानं न विदुषां मनोहरम्, इत्यपकर्णयितव्यम्, वस्तुतः प्रदत्तोत्तरत्वात्, કૃતિ । અનં વિસ્તરેળ વવસામ્ ।।રૂ।। इति सामान्यविशेषोभयरूपैकवस्तुवादः ।।३।। -- પ્રવેશરશ્મિ : ભાવાર્થ : અને જે બીજા વડે પણ કહેવાયું છે કે – બધા ઉભયરૂપ હોય, તો તેના વિશેષનું નિરાકરણ થવાથી... ઇત્યાદિ' તે પણ કૂટનટના નાટ્ય જેવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાનોને મનોહર નથી. એટલે ન સાંભળવું જોઈએ; કેમ કે પરમાર્થથી તેનો ઉત્તર અપાઈ ગયો છે. હવે વાણીના વિસ્તારથી સર્યું. આ પ્રમાણે સામાન્ય-વિશેષ ઉભયરૂપ એકવસ્તુનો વાદ થયો. પ્રશ્ન : પણ એ કથનમાં ખોટું શું ? વિવેચન : વળી પૂર્વપક્ષમાં બીજાઓનું જે કહેવું હતું કે “જો બધા પદાર્થ ઉભયરૂપ હોય, તો વસ્તુના વિશેષરૂપનું નિરાકરણ થવાથી - વિશેષરૂપ પણ પદાર્થ સામાન્યરૂપ બનતા - ‘દહીં ખા’ એમ પ્રેરાયેલો વ્યક્તિ ઊંટને ખાવા કેમ દોડતો નથી ? ...’’ તે પણ ખોટા નટના નૃત્ય જેવું અભાવિત અનુષ્ઠાન છે (અર્થાત્ જૈનદર્શનના ભાવાર્થને જાણ્યા વિનાનું માત્ર વાચાલતારૂપ અનુષ્ઠાન છે.) આવું અનુષ્ઠાન વિદ્વાનોને મનોહર નથી, એટલે સાંભળવું જોઈએ નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy