SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ अनेकान्तवादप्रवेशः પદાર્થને દેખે પણ છે. તો તે વ્યક્તિને પણ; ઘટશબ્દથી ધટનો બોધ અને ઘટવિષયક પ્રવૃત્તિ થવી જોઈએ ને ? તે કેમ થતી નથી ? ___अत्रोच्यते, तज्ज्ञानावरणकर्मक्षयोपशमाभावात्, तस्य च सङ्केताभिव्यङ्ग्यत्वात्; तथाहि-ज्ञस्वभावस्यात्मनो मिथ्यात्वादिजनितज्ञानावरणादिकर्ममलपटलाच्छादितस्वरूपस्य सङ्केततपश्चरणदानप्रतिपक्षभावनादिभिस्तदावरणकर्मक्षयोपशमक्षयावेवापाद्येते; ततो विवक्षितार्थाकारसंवेदनं प्रवर्त्तते, इति; अन्यथा तत्प्रवृत्त्यभावात् । तत्प्रथमतयैव सर्वत्रादृष्टसङ्केतानामर्भकाणां सङ्केतस्य कर्तुमशक्यत्वात्; तथाहि-न शब्दादप्यसङ्केतितात्तदर्थे प्रतिपत्तियुज्यते, तत्सङ्केतकरणे च तत्राप्ययमेव वृत्तान्तः, इति अनवस्थाप्रसङ्गः । क्वचिदवस्थाने चास्मन्मतानुवाद एव, नहि कथञ्चिद्वास्तवसम्बन्धाभावे સત્યવસ્થાનું પ્રયુક્ત, રૂતિ - પ્રવેશરશ્મિ - ભાવાર્થ : ઉત્તરપક્ષ ઃ અહીં કહેવાય છે, તેને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નથી અને તે ક્ષયોપશમ સંકેતથી અભિવ્યંગ્ય છે. તે આ પ્રમાણે-મિથ્યાત્વાદિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણાદિ કર્મ રૂપી પડદાથી જેનું સ્વરૂપ આચ્છાદિત થયું છે તેવા જ્ઞસ્વભાવી આત્માના આવરણકર્મોનો સંકેત, તપ, ચરણ, દાન, પ્રતિપક્ષ ભાવનાદિ દ્વારા ક્ષય-ક્ષયોપશમ થાય છે અને તેનાથી વિવક્ષિત અર્થકારનું સંવેદન થાય છે. જો આવું ન માનો, તો તેની પ્રવૃત્તિનો અભાવ થાય. અને સર્વત્ર જેને સંકેત દેખ્યો નથી, તેવા બાળકોને પહેલેથી જ સંકેત કરવો શક્ય નથી. તે આમ - જો દરેક ઠેકાણે સંકેત કરવાનું માનો, તો અસંકેતિત એવા શબ્દથી પણ તેના અર્થની પ્રતિપત્તિ માની ન શકાય અને જો શબ્દોનો સંકેત કરો, તો તે સંકેતના શબ્દોમાં પણ ફરી આ જ વૃત્તાન્ત લાગે અને તો અનવસ્થા થાય! અને જો ક્યાંક અંત-અવસ્થાન માનો તો અમારા મતનો જ અનુવાદ થાય; કેમ કે કથંચિત્ વાસ્તવિક સંબંધ વિના અવસ્થાન પ્રયોજાય નહીં. | # બોદ્ધ-આશંકાનો નિરાસ છે વિવેચનઃ સ્યાદ્વાદી : જુઓ; નાળિયેર દીપવાસી જેવા વ્યક્તિને, જેમાં સંકેત કરાયો નથી તેવી પનસાદિ વાચ્ય વસ્તુવિષયક જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નથી, કારણ કે તે જ્ઞાનાવરણનો લયોપશમ સંકેતથી અભિવ્યક્ત થાય છે... અર્થાત્ તે વ્યક્તિને કહેવામાં આવે કે “આ પદાર્થને પનસશબ્દથી કહેવો? તો આવા સંકેતથી તે વ્યક્તિનો ક્ષયોપશમ પ્રગટ થાય અને ત્યારબાદ તે શબ્દોથી પનસવિષયક પ્રવૃત્તિ-પ્રત્યય થાય... આ જ રીતે ક્ષયોપશમના અભિવ્યંજક તરીકે તપાદિ કારણો પણ સમજવા. આ જ વાતને પ્રગટ કરવા ગ્રંથકારશ્રી વિસ્તારથી કહે છે – આત્મા તે જ્ઞાનસ્વભાવવાળો છે અને એ આત્મા પર મિથ્યાત્વાદિ હેતુઓથી જ્ઞાનાવરણાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy