SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः - અને તેનું (=વિરોધી ધર્મથી અધ્યાસિત એક વસ્તુ ન હોવાનું ) કારણ એ કે, શીત-ઉષ્ણ બે વિરોધી સ્પર્શવાળી કોઈ એક વસ્તુ હોતી જ નથી. કેમ કે તે બે સ્પર્શનો એક વસ્તુમાં હોવામાં વિરોધ છે. (એક જ વસ્તુ ઠંડી-ગરમ ન હોઈ શકે.) ઉત્તરપક્ષ : અરે ! પહેલા એ કહો કે ‘વિરોધ' એટલે શું ? પૂર્વપક્ષ ઃ એકના હોવામાં બીજાનું ન હોવું; એ જ વિરોધ. (અર્થાત્ શીતના હોવામાં ઉષ્ણનું : કે ઉષ્ણના હોવામાં શીતનું - એમ પરસ્પર એકબીજાના હોવામાં એકબીજાનું ન હોવું; એ જ વિરોધ...) ઉત્તરપક્ષ : આ વાત તો બરાબર છે, પણ અમારે એ પૂછવું છે કે, શીત-ઉષ્ણ સ્પર્શ વચ્ચે જે વિરોધ છે, તે શેના કારણે ? १९७ (૧) શું તે બેના સ્વરૂપનો સદ્ભાવ હોવા માત્રથી વિરોધ છે ? (૨) એક કાળે તે બે ન હોઈ શકે, એટલે વિરોધ છે ? (૩) એક દ્રવ્યમાં તે બેનો યોગ ન થઈ શકે, એટલે વિરોધ છે ? (૪) એકકાળે એકદ્રવ્યમાં તે બે ન હોઈ શકે, એટલે ? (૫) એકકાળે એકદ્રવ્યમાં એકપ્રદેશને લઈને તે બે ન હોઈ શકે, એટલે ? (૬) કે પછી અભિન્ન-એક નિમિત્તને લઈને તે બે ન હોઈ, એટલે વિરોધ છે ? આ છમાંથી તમે કયા વિકલ્પને લઈને શીત-ઉષ્ણ સ્પર્શનો વિરોધ કહો છો ? * પ્રશ્ન ઃ પણ આ બધા વિકલ્પોથી થાય શું ? ઉત્તર ઃ થાય એ જ કે, તમારું જે (સદસદ્ બે વિરોધી ધર્મો એક વસ્તુમાં ન હોય-એવું સાબિત કરવાનું) ઇષ્ટ છે, તે સિદ્ધ થતું નથી. ચાલો, હવે આપણે તે વિકલ્પોની સમીક્ષા ૫૨ જઈએ. * न तावत्स्वरूपसद्भावकृत एव शीतोष्णस्पर्शयोर्विरोधः, नहि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विरुध्यते, उष्णस्पर्शो वेतरेण; अन्यथा, त्रैलोक्येऽपि शीतोष्णस्पर्शयोरभाव एव स्यात् । एकस्य वा कस्यचिदवस्थानमन्यतरस्य, न चानयोर्जगति कदाचिदप्यसत्ता, सदैव वडवानलतुहिनसद्भावात् । सद्भावश्चाविद्वदङ्गनाद्यविप्रतिपत्तेः, इति । - પ્રવેશરશ્મિ * ભાવાર્થ : શીત-ઉષ્ણ સ્પર્શનો સ્વરૂપસાવકૃત જ વિરોધ નથી; કેમ કે શીતસ્પર્શ બીજા નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના માત્ર સ્વરૂપસદ્ભાવને લઈને ઉષ્ણસ્પર્શ સાથે વિરોધી નથી અને એ જ રીતે ઉષ્ણસ્પર્શ પણ શીતસ્પર્શની સાથે વિરોધી નથી, નહીંતર તો ત્રણે લોકમાં શીતોષ્ણ સ્પર્શનો અભાવ જ થાય અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy