SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तवादप्रवेशः આમ જુદા જુદા નિમિત્તને લઈને એક જ કારણ કોઈક આકારે કરે અને કોઈક આકાર ન કરે એવું નિબંધ ઘટી શકે, તેમાં કોઈ વિરોધ નથી. એટલે કારણમાં અવચ્છેદકભેદે કર્તુત્વ (સત્ત્વ) અને અકર્તુત્વ (અસત્ત્વ) ઉભય છે અને તો તે કારણ ઉભયરૂપ હોવામાં કોઈ વિરોધ નથી. ( કર્તુત્વને જ અકર્તુત્વરૂપ ન મનાય છે પૂર્વપક્ષ : વસ્તુનું સ્વકાર્યકર્તીપણું જ પરકાર્યનું અકર્તીપણું છે, તેનાથી જુદું નહીં. (અને તો વસ્તુમાં એક જ નિમિત્ત રહેવાથી કરણ-અકરણનો વિરોધ થવાનો જ.) ઉત્તરપક્ષ ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે જો સ્વકાર્યકપણું જ પરકાર્યનું અકર્તીપણું મનાય, તો (૧) અકર્તુત્વ પણ કર્તુત્વરૂપ બને, અથવા (૨) કર્તુત્વ પણ અકર્તુત્વરૂપ બને ! અને તો શું દોષ આવે, તે જુઓ – (૧) અકર્તુત્વ પણ કર્તુત્વરૂપ બને, તો પરકાર્યઅકર્તુત્વ પણ પરકાર્યકર્તુત્વ રૂપ બને અને તેથી તો વસ્તુ જેમ પોતાનું કાર્ય કરે, તેમ બીજાનું કાર્ય પણ કરવા લાગે ! અર્થાત્ માટીથી કપડા પણ થવા લાગે ! અથવા જો (૨) કર્તૃત્વ પણ અકર્તુત્વરૂપ બને, તો સ્વકાર્યકર્તૃત્વ પણ સ્વકાર્યઅકતૃત્વરૂપ બને અને તેથી તો વસ્તુ જેમ બીજાનું કાર્ય ન કરે, તેમ પોતાનું કાર્ય પણ નહીં કરે, અર્થાત્ માટીથી જેમ કપડું નથી થતું, તેમ ઘટ પણ નહીં થાય ! અને એ રીતે તો તેનાથી કોઈ કાર્ય ન થતા, તે કારણ જ નહીં રહે. એટલે સ્વકાર્યકર્તુત્વ (સત્ત્વ) અને પરકાર્ય - અકર્તુત્વ (અસત્ત્વ) બંને જુદા જુદા જ માનવા રહ્યા અને તો વસ્તુની ઉભયરૂપતા જ સિદ્ધ થઈ (અને એ રીતે વસ્તુમાં બે નિમિત્ત મળતાં કરણ - અકરણનો વિરોધ પણ ન જ રહે.) આટલું સચોટ તર્કોથી સમજાવ્યા પછી પણ હજી એકાંતવાદી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે, જેનો ગ્રંથકારશ્રી નિરાસ કરશે – ___ स्यादेतत्-किं हि नाम कार्यान्तराकर्तृत्वमन्यत् ? यदाश्रित्यानन्यत्वयुक्त्यनुसारेणाकारणत्वं प्रतिपाद्यते; किन्तु स्वकार्यकर्तृत्वमेवैकस्वभावं कार्यान्तराकर्तृत्वम्, इति। ____ हन्त, तर्हि 'येनैवाकारेण करोति, तेनैव न करोति' इत्येतदापन्नम् । एवं चाभिन्ननिमित्तत्वे सत्येकत्र कर्तृत्वाकर्तृत्वयोर्विरोधः, इति; तथाहि-तेनैव स्वभावेन करोति न करोति च इति व्याहतमेतत्, एकस्वभावस्यैकत्रोपयोगात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy